________________
૩૮
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
જાણના૨ જાણનારને જાણવાનું છોડીને રૂપને જાણવા જતો જ નથી.”
66
૨૨૩
(૧) “ જાણનારને જ જાણે ” તેવા આત્માનું શ્રદ્ધાન → તે સમ્યક્દર્શન. (૨) “ જાણનાર જ જણાય છે” તેવા આત્માનું જ્ઞાન → તે સમ્યજ્ઞાન.
(૩) “જાણનારો જ જણાય છે” તેવા આત્માની લીનતા → તે સમ્યક્ચારિત્ર છે.
૨૨૪
જણાય છે જાણનારો ” અને માને ૫૨ જણાય છે તે અક્ષમ્ય ભૂલ છે.
૨૨૫
જિજ્ઞાસાઃ દરેક ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય થાય છે! તો તે જ્ઞાનીને જ લાગુ પડે ને ?
66
સમાધાનઃ કથંચિત, સર્વથા નથી. કચિત્ શું? બધાની પાસે ઉપયોગ લક્ષણ છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ. તેમાં બાળ-ગોપાળ સૌને જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ વિના રહેતો નથી. આ ઉપયોગ ખરેખર તો લક્ષને જ પ્રસિદ્ધ કરે છે. હવે જેનાં ખ્યાલમાં આવે છે કે “જાણનાર જણાય છે” તો શુદ્ધોપયોગ થાય છે.
૨૨૬
જિજ્ઞાસા: આજ દિવસ સુધી શુદ્ધોપયોગ કેમ નથી થયો ?
સમાધાનઃ જીવે અનાદિ કાળથી અસાધારણ મોટી ભૂલ કરી છે. જે ઉપયોગ પ્રગટ થાય છે, તેમાં આ જણાય છે, આ જણાય છે. એટલે ૫૨ શેય જણાય છે, તેમ જ્યાં આવ્યું તે તે સાથે જ ઈન્દ્રિયજ્ઞાન પ્રગટ થયું એટલે તેના જ્ઞાનમાં જાણનાર જણાવા છતાં પણ નથી જણાતો. માટે શુદ્ધોપયોગ થતો નથી.
હવે તેણે એ વિચાર કરવો જોઈએ કે મારા જ્ઞાનમાં સ્વ જણાય છે કે ૫૨ જણાય છે? જે ઉપયોગથી અનન્ય છે તે જણાય છે. જે ઉપયોગથી અન્ય છે તે જણાતું નથી. તો શુદ્ધોપયોગ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com