________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૩૩ જાય છે. “એમ જાણનાર જ જણાય છે” તે ભાસિત થાય છે. આ વાત તેને પરમ સત્યાર્થપણે ભાસિત થાય છે.
૨૦૩
“જાણનાર જણાય છે.” - સમકિત, અથવા સમ્યક્ સન્મુખ. પર જણાય છે. સ્પષ્ટ મિથ્યાદષ્ટિ.
૨૦૪ ચૈતન્યમાં નિત્ય ઉપયુક્ત શક્તિને કારણે “જાણનારો જ જણાય છે, અને જાણનારને જ જાણું છું.”
૨૦૫
જે જ્ઞાન આત્માને જાણે છે તે જ્ઞાન જ જ્ઞાન છે. તે જ્ઞાન પર શેયોથી અત્યંત વિમુખ અને સ્વભાવની સન્મુખ છે. તેમાં માત્ર “જાણનારો જ જણાય
છે.”
૨૬
ઉપદેશ તો ઘણા આપે બાકી ઉપાય બતાવવો મુશ્કેલ છે. ભાવ નિક્ષેપે જે તીર્થકર છે તે તેને જાણતા નથી. સાક્ષાત્ તીર્થકર. તમારા જ્ઞાનનું શેય નથી. નિક્ષેપ બહારમાં ઉતારે છે. અહીંઆ કેમ ઉતારતા નથી? સ્થાપના નિક્ષેપે તીર્થંકર ભગવાન બિરાજમાન છે; તેને અમે જાણતા નથી. કારણ કે નિક્ષેપોનો સમૂહું કયાં જતો રહ્યો તે જણાતું નથી. ભાવ નિક્ષેપે તીર્થંકર ભગવાન જણાય છે કે નહીં? કહે: “ના” અમને તો “જાણનારો જણાય છે.”
૨૦૭ પ્રમાણમાંથી દ્રવ્યનો નિશ્ચય કાઢવો તે પહેલા પ્રકારનું ભેદજ્ઞાન છે. હવે આ બીજા પ્રકારનું ભેદજ્ઞાન કે સ્વપર પ્રકાશક જ્ઞાન તે પણ પ્રમાણજ્ઞાન છે. તેમાંથી જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કાઢવો જોઈએ. સ્વપર પ્રકાશક તે પ્રમાણજ્ઞાનનું વાક્ય છે. આખું જગત તેને જ જ્ઞાન માને છે. એટલે તેની ભેદજ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે. પ્રમાણમાંથી નિશ્ચય કાઢે તે જિનવચનમાં કુશળ છે. (કાર્તિક અનુપ્રેક્ષા) એટલે સ્વપર પ્રકાશકમાં ભેદજ્ઞાનનો પ્રયોગ કરવો જોઈએ. “જાણનાર જ જણાય છે, ખરેખર પર જણાતું નથી.” આમ આમાં પણ ઉપર ઉપરથી સામાન્ય પણ આવે છે. પછી વધારે વધારે ભેદજ્ઞાન થતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com