________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૫ છે. “જાણનાર જણાય છે”, ને ખરેખર પર જણાતું નથી. ત્યારે એને આત્મદર્શન થાય છે. સમ્યકદર્શન થઈ જાય છે. અને સાધના કરીને તે અલ્પકાળમાં પરમાત્મા થાય છે.
૯૫
“જાણનારો જણાય છે” , તેનું નામ સમ્યકજ્ઞાન. કેમકે જેવું હતું તેવું જાણું માટે.
८६
પરયોથી જ્ઞાન વિમુખ થતું થયું જ્ઞાન “જાણનારો જણાય છે” આમ લેતાં પર શેયોથી વિમુખ થઈને જ્ઞાન સ્વયમાં આવી જાય છે. “જાણનારો જણાય છે પર જણાતું નથી” આ યોથી વિમુખ થયેલું જ્ઞાન છે.
જાણનારો જણાય છે” એમાં જ જણાઈ જશે. ગેરંટી છે. સર્વજ્ઞ ભગવાનની ગેરંટી છે. આબાળ-ગોપાળ સર્વને ભગવાન આત્મા જણાય જ રહ્યો છે. “જાણનારો જણાય છે” તેનાં દર્શન કર તો જણાય જશે.
૯૮
ધ્યેયનું સ્વરૂપ શું? શયનું સ્વરૂપ શું? ધ્યાનનો વિષય શું? ધ્યાન કોનું કરવું? ધ્યેયનું ધ્યાન કેમ થાય? તો કહે-પરને જાણવાનું બંધ કર! “ જાણનારો જણાય છે” ત્યારે એ ય થાય તો અનુભવ થાય.
૯૯
ઉપયોગમાં રાગ આવ્યો નથી. ઉપયોગમાં તો સ્વચ્છતા છે. રાગ જાણવામાં એ આવતો નથી. “ જાણનાર જણાય છે” આજ ભ્રાંતિ ટાળવાનો ઉપાય છે.
૧૦૦
આ દીકરાઓ ભિન્ન છે તેમ જાણું છું. પણ જાણો છો કોને? કયું શેય બન્યું તમારા જ્ઞાનમાં વર્તમાનમાં? હાય! હાય! જાણવામાંથી કાઢી નાખશો પુત્રને? જાણવામાંથી કાઢી નાખશો ત્યારે “જાણનાર જણાય જશે.” કઠિન વાત છે થોડી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com