________________
GO
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે ૧૯૧
પર્યાયો બધી યોગ્યતા પ્રમાણે પ્રગટ થાય છે. હવે જે પ્રગટ થાય છે પર્યાય તે પર્યાયનો પ્રતિભાસ ઉપયોગમાં આવે છે. હવે ઉપયોગમાં એમ આવે કે: “ જાણનાર જણાય છે. તો કામ થઈ જાય, હવે જો પર્યાય જણાય તો પર્યાય દષ્ટિ થઈ જાય છે. તે પણ તારું ય નથી. પર્યાયથી અભેદ આખો દ્રવ્ય-ગુણ-પર્યાય તે અભેદ ય છે. હવે જાણેલો પ્રયોજનવાન તેમાં શું દોષ લાગે? પર્યાયને મારી માનું તો દોષ? “હા.” દોષ લાગે. કારણ કે તેને તે શેય બનાવ્યું, તો જ્ઞાયક લક્ષમાંથી છૂટી ગયો.
૧૯૨
ઈન્દ્રિયજ્ઞાન પરને જાણે છે: “હું” “જાણનારો જણાય છે” તેને જાણું છું; આમ “ જાણનાર જણાય છે તેમાં આવી જા ને ?
૧૯૩
નિરંતર જ્ઞાન આત્માને જાણે છે. તેને નય લાગુ પડતી નથી. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ. સ્વભાવને લક્ષમાં લે તો અનુભવ થાય. “ દ્રવ્યને” દ્રવ્યના સ્વભાવથી જો ! અને “પર્યાયને” પર્યાયના સ્વભાવથી જો ! તો એક અનુભવ થાય. નયાતીત થવાની આ વિધિ-નામ-પ્રકાર બતાવે છે.
જાણનારો જણાય છે” હવે નયોના વિકલ્પોના કોલાહલ બંધ કરો, જો આનંદનો સ્વાદ લેવો હોય તો !! “જાણનારો જણાય છે” ' અર્થાત જણાયા જ કરે છે. જ્ઞાન કોઈ કાળે જાણવાનું છોડતું જ નથી. તો પછી કેમ અનુભવ થતો નથી? તને ક્યાં એ વિશ્વાસ છે કે “જાણનારો જણાય છે” હું તો આને જાણું છું! આને (પરને) જાણું છું !! તારી મતિ વિપરીત છે. નિમિત્તાધીન દષ્ટિ છે. નિમિત્તના લક્ષે “જાણનારો ન જણાય.” ત્રિકાળી ઉપાદાનના લક્ષે “જાણનાર જણાય, જણાય ને જણાય.”
લક્ષ ફેરવી નાખ ને? આ જણાય છે; આ જણાય છે; રહેવા દેને! “ જાણનારો જણાય છે” અર્થાત જણાયા જ કરે છે. જાણે ને જણાય; જાણે ને જણાય; આ ફંકશન અનાદિનું ચાલે છે. આબાળ ગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા જ કરે છે. બોલો! આ શાસ્ત્રનો આધાર. જાણે છે તે જ્ઞાનપ્રધાન કથન છે અને આત્મા જણાયા જ કરે છે તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com