________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત સ્વની પ્રસિદ્ધિ કરે છે.
૧૩
८४
પર જણાતું નથી જાણનારો જણાય છે” તેમાં તો અનંતો પુરુષાર્થ છે. તેમાં વિધિ-નિષેધ છે. પહેલાં નિષેધનો વિકલ્પ હોય છે, પછી નિષેધનો વિકલ્પ જાય છે, અને પછી વિધિનો વિકલ્પ પણ જાય છે.
પ્રથમ પક્ષમાં તો આવ કેઃ “જાણનાર જણાય છે, પર જણાતું નથી.”
પક્ષીતિક્રાંત તો બાદમાં. પક્ષમાં આવે તો ઘણું છે. નિર્ણય તો કર. બાળગોપાળ સૌને જણાય છે, તેવો પાઠ છે એમ કબૂલ કર. ૧૭, ૧૮મી ગાથા સાચી છે તેમ તો કહે. તેમાં પર જણાય છે તેમ લખ્યું છે? બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જ જણાય છે. એકલું સ્વપ્રકાશક લીધું છે. નકાર કરે છે મને જાણનાર જાણવામાં નથી આવતો તે અજ્ઞાન પોષક વાત છે.
૮૫
જાણનાર જણાય છે” ' તેમ જે જાણે છે તે જૈન છે.
પહેલું ધ્યેય ફરે છે, પછી જોય કરે છે. ધ્યેય પર્યાયથી સહિત માન્યું છે, પણ પર્યાયથી રહિત જ હોય. પ્રથમ નંબર ધ્યેયનો છે. ત્રણેકાળે ધ્યેય બંધમોક્ષથી રહિત જ છે. પર્યાયથી સહિત માને છે તે તેની કર્તા બુદ્ધિ છે. અને પર્યાયથી રહિતમાં આવ્યો તે અકર્તામાં જ આવી ગયો. અને હું પરને જાણતો નથી, “જાણનાર જ જણાય છે” તો ય ફરે છે. સવિકલ્પ દશામાં શેય ફરે છે. પછી નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા શૈય બની જાય છે. આવી વસ્તુ સ્થિતિ છે.
૮s
જેને સમ્યકજ્ઞાન થવાનો કાળ પાકે છે તેને આ વાત આવે છે કેઃ “ જાણનારો જણાય છે.”
૮૭
“જાણનારો જણાય છે” તેવા જાણનારનો જાણકાર હોવાથી જ્ઞાતા છે.
૮૮
જાણનાર છું અને તે જ જણાય છે” , એટલું જાણો. તેમાં થવા યોગ્ય થઈ જશે અને જણાવા યોગ્ય જણાય જશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com