________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૧૪
૮૯
ભિન્ના ભાવાનો દ્રષ્ટા” તે નક્કી કરનાર કોણ છે? અંતરમુખ થયેલું જ્ઞાન “જાણનારો જણાય છે” તે કહે છે. રાગ મારામાં નથી તેમ હું જાણું છું. અનાદિથી ખરેખર તો રાગ જ તેનું ધ્યેય બની ગયું છે. તેને સમ્યકદર્શન થશે કે કેમ? તે તો કેવળી જાણે? અમારી જીભ તો ઊપડતી નથી.
૯૦
જો સજાગ હોય તો મનનો વિષય તિરોભૂત થઈ જાય છે અને જાણનારો જણાય છે.” અને જે સજાગ ન હોય તો જાણનારો તિરોભૂત થઈ જાય.
૯૧
ધર્મ તો સહજ થાય. સહજ છે, સુગમ છે, પરમ સત્ય છે. બહુ લાંબું કરો તો લપસી જવાય અને ટૂંકું કરો તો ટકી જવાય. “ જાણનાર છું અને જાણનારો જણાય છે” તેમ ટૂંકું કરો ને?!
૯૨ ૧૭, ૧૮ ગાથામાં આ જાણનારો અનુભવમાં આવે છે. એટલે કે “ જાણનારો જણાય છે.” કેટલું સ્પષ્ટ છે.
૯૩ જાણનાર જાણનારને નથી જાણતો તેમાં જાણનાર જણાય જાય છે. “નથી ' શબ્દ લગાવ્યો તો ભેદનું લક્ષ છૂટી ગયું.
“જાણનારો જણાય છે” તે જે આ શબ્દ છે તે અનાદિ અનંતનો શબ્દ છે. આ સૂત્ર નવું નથી. કેમકે “જાણનારો જણાય છે.” તે બધા જીવને જણાય રહ્યો છે. બધા જીવને “ જાણનારો જણાય છે.” શરીર-કુટુંબ-કબીલા જણાતાં નથી પર જણાતું નથી “જાણનારો જણાય છે” એવો મંત્ર છે.
૯૪
જિજ્ઞાસાઃ આત્મા પરને કેમ જાણતો નથી?
સમાધાનઃ તેનો પરને જાણવાનો સ્વભાવ નથી માટે જાણતો નથી. જાણનારને જ જાણે છે. ઈ. આત્માનું જ્ઞાન જાણનાર ને જાણવાનું છોડીને રાગાદિ દેહાદિને જાણવા જતું જ નથી. આવો જ્યારે ભેદજ્ઞાનનો પ્રકાર ભજે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com