________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે આવતું નથી ?
૪૯ આ “જાણનારો જણાય છે તે હું છું.” જાણે છે તે “હું” નથી.
૫૦ જિજ્ઞાસાઃ- આત્મા પરને જાણતો નથી અને જાણનાર જણાય છે તો મારો પ્રશ્ન છે કે આ રૂપી પદાર્થને કોણ જાણે છે?
સમાધાનઃ- રૂપી પદાર્થોને ઈન્દ્રિયજ્ઞાન જાણે છે, અરૂપી પદાર્થોને મન જાણે છે; તારો આત્મા એને જાણતો નથી. આત્મા તો આત્માને જાણે છે. અજ્ઞાનીને પણ આવું ફંકશન ચાલુ છે. સ્વીકાર કરે તો અનુભવ થાય.
૫૧
નિષેધ કરે, ભેદજ્ઞાન કરે, કેઃ હું પરને જાણતો જ નથી; “જાણનાર જણાય છે” તો અવશ્ય અનુભૂતિ થાય છે. આ અનુભવની પ્રક્રિયાની વાત છે.
- ૫૨
જાણનાર જણાય છે”, અને ખરેખર પર જણાતું નથી. ખરેખર પર જણાતું નથી તેમાં પ્રતિભાસ રહી ગયો અને પ્રતિભાસનું લક્ષ છૂટી ગયું અને સ્વનું લક્ષ થઈ ગયું.
૫૩ | નિક્ષેપો જણાતાં નથી એટલે પરજ્ઞય જણાતું નથી. “ જાણનારો જ જણાય છે.” નિક્ષેપને જાણવાનું બંધ થઈ ગયું અને સ્વય જણાયું. કોઈ આચાર્યું નિક્ષેપને માટે પરય જાહેર કર્યું છે. નામ, સ્થાપના ભાવ તેમાં પરજ્ઞયની પ્રધાનતા છે. જ્યારે પરશેયને જાણવાનું બંધ થાય ત્યારે નિક્ષેપોનો સમૂહું ક્યાં જતો રહે છે તે કાંઈ જણાતું નથી. એકલા સ્વપ્રકાશકમાં જ અનુભવ થાય છે.
૫૪
જાણનારો જણાય છે; તે જ હું છું” તેમ કરીને અંદરમાં ઊતરી જાય છે.
૫૫
જાણનારો જણાય છે તે તો ખરેખર જાણનાર જ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com