Page #1
--------------------------------------------------------------------------
________________
ક્રિટિકા હિન આર્થિક ઇતિહાસ.
ગુજરાત ઇલર એક
Page #2
--------------------------------------------------------------------------
________________
-
શેઠ હરિવલ્લભદાસ બાળગેવિંદદાસ ગ્રન્થમાળા નં. ૩૦
પ »
............
(A)
બ્રિટિશ હિન્દુસ્તાનનો આર્થિક ઈતિહાસ. વિભાગ ૧ લો.
. સ. ૧૭૫૭ થી ઈ. સ. ૧૮૬૭ સુધી. રમેશચન્દ્રદતના અંગ્રેજી પુસ્તક ઉપરથી
લખનાર ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી
બી.એ., એએ. બી. વકીલ, હાઈકોર્ટ-મુંબાઈ શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ ગ્રન્થમાળા ફંડ ખાતેથી રે
છપાવી પ્રસિદ્ધકર્તા ગુજરાત વર્નાકયુલર સોસાઈટી.
w
સંવત ૧૯૬૫
સન ૧૯૦૯
કીમત રૂ. -૧૨-૦
જગત
Page #3
--------------------------------------------------------------------------
________________
સર્વ પ્રકારના હક્ક ગુ. વ. સંસાઈટીને સ્વાધીન છે. વડોદરાઃ વીરક્ષેત્ર મુદ્રાલય પ્રિ. એ. કે. લિ.
Page #4
--------------------------------------------------------------------------
________________
- શેઠ હરિવલ્લભદાસ બોવિંદદાસાણાળાને
ઉપોતે
સુરતના વતની અને ધંધાર્થે મુંબઈનિવાસી સ્વર્ગવાસી શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસે તા. ૧૬ સપ્ટેમ્બર સન ૧૮૭૭ ના રોજ વીલ કર્યું છે, તે અન્વયે પ્રથમ સન ૧૮૮૦ માં રૂ. ૨૦૦૦ સેસાઇટીને મળ્યા. તે એવી શરતથી કે તેના વ્યાજમાંથી સામાજીક સુધારો થાય એવાં પુસ્તક તૈયાર કરાવી છપાવવાં. સદરહુ વીલથી શેઠ હરિવલ્લભદાસે અમુક પ્રસંગ બન્યા પછી બાકી રહેલી પિતાની તમામ મીલકત પુસ્તક પ્રસાર માટે સોસાઈટીને અર્પણ કરેલી છે. તે અન્વયે સન ૧૮૯૪ માં રૂ. ૧૮૦૦૦ ની સરકારી પ્રેમીસરી નેટ પુસ્તકો તૈયાર કરાવવા તથા તે પ્રસિદ્ધ કરાવવા માટે સદરહુ. વિદ્યાવિલાસી અને પપકારી ઉદાર ગૃહસ્થ તરફથી મળેલી છે, તેમાંથી આજ પર્યંત નીચેનાં પુસ્તકો “શેઠ હરિવલ્લભદાસ બાળગેવિંદદાસ ગ્રન્થમાળા તરીકે પ્રસિદ્ધ થયાં છે – ૧. કયી કયી નાતે કન્યાની અછતથી નાની થતી જાય છે,
તેનાં કારણે તથા તેમાં સુધારો કરવાના ઉપાય. રૂ. ૦- ૭-૦ ૨. માને શિખામણ ૩. નીતિમંદિર.
રૂ. ૦-૧ર-૦ ૪. બાળલગ્નથી થતી હાનિ. ૫. પુનર્વિવાહ પક્ષની પૂરેપૂરી સેળસેળ આના ફજેતી ! ૬. ભેજન વ્યવહાર ત્યાં કન્યા વ્યવહારે. ૭. ધાર્મિક પુરૂષો. ૮. ઉગી પુરૂષ.
૦
૦
ع
8 8 8 8 8 8 8
૦
ع
૦.
ع به س '
Page #5
--------------------------------------------------------------------------
________________
. ૧-
૦-૦.
જે
-
૦.
૦
૦
૦
૦
૦
. બેન્જામીન ક્રાંકલીન. ૧૦. બેધક ચરિત.
રૂ. ૦- ૪-૦ ૧૧. સદ્વર્તન.
રૂ. ૧- ૮-૦ ૧૨. રઘુવંશકાવ્ય.
રૂ. ૧- ૦૦ તે ૧૩. જાવજી દાદાજી ધરીનું જીવનચરિત્ર.
રૂ. – ૨-૦ ૧૪. ગુજરાતને પ્રાચીન ઈતિહાસ ભા. ૧ લે. રૂ. -૧ર- ૧૫. ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ ભા. ૨ જે. રૂ. ૧- ૦-૦ ૧૬. નીતિસિદ્ધાંત.
રૂ. ૧- ૦-૦ ૧૭. કાન્સિસ બેકનનું જીવનચરિત્ર.
રૂ. ૧- ૪૦ ૧૮. શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસનું જીવનચરિત્ર. રૂ. ૦- ૬-૦ ૧૯ પરોપકાર.
રૂ. ૦-૧૨-૦ ૨૦. ઢોરનું ખાતર.
૨. ૦- ૪-૦ ૨૧. જગતને અર્વાચીન ઈતિહાસ.
રૂ. ૨- ૦-૦ ૨૨. કીરતાનીય કાવ્યનું મૂળ સાથે ગુજરાતી ભાષાંતર 'રૂ. ૧ ૦ ૦ ૨૩. વિવિધ પ્રકારના હુન્નરો પગી તેજાબે. ૨૪. વાર્નિશ. ૨૫. જીવનને આદર્શ.
રૂ. ૭-૧૨-૦ ૨૬. કીર્તિકામુદી.
રૂ. – ૮-૦ ૨૭. શિશુપાલવધ કાવ્ય-પૂર્વાર્ધ (સર્ગ ૧ થી ૧ ). રૂ. ૧-૦-૦ ૨૮. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યને ઉદય.
રૂ. ૦-૬-૦ ૨૯. રસાયનશાસ્ત્ર.
રૂ. ૦-૧૦-૦ 2. બ્રિટિશ હિન્દુસ્તાનને આર્થિક ઈતિહાસ વિભાગ ૧. રૂ. ૦-૧૨-૦
ગુજરાત વર્નાકયુલર સાઈટીની ઓફીસ,
અમદાવાદ– તા. ૪, નવંબર સન ૧૯૦૮.
૦–૧૨–૦
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ગુજરાત વર્નાકયુલર સેસાઈટિની આજ્ઞાથી રમેશચન્દ્ર દત્તકૃત “The Economic History of India, અને India in the Victorian Age એ બે પ્રમાણભૂત ગ્રન્થને આધારે આ (બ્રિટિશ હિન્દુસ્તાનને આર્થિક ઇતિહાસ) લખાયેલું છે. આપણું ભાષામાં આ વિષયની માહિતી માટે બીજાં સાધનને અભાવે ઉક્તગ્રન્થના સાદ્ધારમાત્રથી વાંચનારની જિજ્ઞાસા તૃપ્ત નહિ થાય એમ લાગવાથી, તેમ મૂળ ગ્રન્થ અને ગ્રન્થકારના અપાર શૈરવને પણ
ગ્ય ખ્યાલ નહિ આપી શકાય એમ સમજાયાથી, મૂળ ગ્રન્થને ગુજરાતી ભાષામાં બનતા સુધી યથાસ્થિત ઉતારવાને જ યત્ન કર્યો છે, અને આ લેખકને ખાત્રી છે કે તેથી આ ગ્રન્થની ઉપયોગિતામાં વૃદ્ધિ થશે.
હાઈકોર્ટ મુંબાઈ
નવેમ્બર ૧૯૦૯
ઉત્તમલાલ કે. ત્રિવેદી,
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લુ. સામ્રાજ્યના ઉદય
અનુક્રમણિકા.
pa
પ્રકરણ ૨ જી. અગાળાની હકીકત
પ્રકરણ ૩ જી.
મદ્રાસ
પ્રકરણ ૪ શું. ગ્રામસ સ્થાએ કે વ્યસ્ત ખેડુતા
પ્રકરણ ૫ મું. ઉત્તર હિ'દુસ્તાન પ્રકરણ ૬ છું. ઉદ્યાગની પડતી
પ્રકરણ ૭ શું.
રાજ્યવ્યવસ્થા
..
1000
1004
....
....
પ્રફરણ ૯ સુ
નાણાં પ્રકરણ અને આર્થિક અપવાહ
પ્રકરણ ૧૦ સુ
મહારાણી વિકટોરિયાનું રાજ્યારોહણ
1000
....
....
9000
....
www
૧–૧૮
G
૧૯૯૨
૯૩–૧૨૭
૧૨૮-૧૯૧
૧૯૧-૨૪૪
પ્રકરણ ૮ સુ
મુંબઇમાં એલ્ફિન્સ્ટન (૧૮૧૭ થી ૧૮૨૭).... ૩૧૬-૩પર
૨૪૪-૨૯૭
૨૯૮-૩૧૦
૩૫૩-૩૮૫
૩૮૫-૩૯૬
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
અગત્યની ભૂકાનું શુદ્ધિપત્ર
૪
અશુદ્ધ
શુદ્ધ
૬૪-૬૫
દુર્લભરાય
દલાલરાય
૮૨
ખડામહાલ
ખારામહાલ રૈયતવારી
૧૪૧
છ
રૈયતદારી
૧૮૧ ૭ આકાશને આ જમીનની કાંઇ પણ આકાશીઆ જમીનની
3
દરકાર ન હતી.
કાઇને કાંઇ પણ દરકાર ન હતી અને
અર્થક
૨૦૦
૨૨૫
૨૨૫
૨૨૭ ૩
૨૩૩
૧૬
૨૩૭
२४८
૨૫૪
૨૧૯
૨૬૯
૨૮૩
*
લિઢિ
૧૩-૨૧
૧૨-૧૩ :
22
૧૨
૧૩
૧૪
૧૮
તમારા
૧૯૬ અને માદાની વૃત્તિના
સ્ત્રી,
૨૦: ૧૮-૧૯ અંગ્રેજનું નામ કરવાની હિમ્મત
પણ ન ધરે તે ગુન્હાને
૧૧
૧૮ (કલમ ૧ લું) +
_* ।
કે હું"
અર્થે કરવાથી
સાથે
V
સાલ
જતી અને
અપાય એ
"
કપાસ
૧૪૦૦૦
સાળા
સાળ
જતી
અપાય આ
મારા ૩
[ ''
(એ શબ્દષ્ણુ ન જોઈએ) સ્ત્રીઓ તરફ કરવાની હિમ્મત પણ ન ધરે તે ગુન્હાતે J અંગ્રેજનું નામ
*
३ (3 ૧૪૬૦૨ ૨ લાં. કલેમ
મજલીન
તાકા ન
મ
Page #11
--------------------------------------------------------------------------
________________
પણ
લિટિ
અશુદ્ધ
Aઉં,
૨૮૪
*
* *
. * *
- : ,
૧૪,
આ
:
૨૮૫ ૨૮૬ ૨૮૮
૨
૨૮૯
૨૦૦ ૩૦૭ ૨૦૮
સાટીન + + રેશમી, માલ + બનાત + : શાલ ૧૮૧ ઉનનું કાપડ + +
: બીજે ઉનને માલ શાળાને
શાલને બળતા * * * લખતા એ નીતિ સ્વીકાસ્માં એ પ્રશ્ન કર્યો હતે." ગ્રહણ કર્યા હતા. રક્ષક નીતિ રક્ષક : વેરા પિતાની વેરા સામે પિતાની ૧૮૮૨ , ૧૮૨૨ શાળા - - શાળાઓ. ' સ્થિતિ ચિના ચિનાઓ ૧૮૧૫
૧૮૧૮
ઇજારદ્વાર તેમને સૂળ, રાખનારી નાખનારી. તેમની રે ત્યાં તેમની જેને આ વાગ્મિતાની વિગ્નતાથી કર્યો હતો
કરી હતી.
"
,
is
,
S
:::
મૂળ
1.
૩૪૩
..
જ
૨
A
Page #12
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક
ઈતિહાસ.
પુસ્તક ૧ લું. સને ૧૭૫૭ થી સને ૧૮૩૭ સુધી.
પ્રકરણ ૧લું.
–
સામ્રાજ્યને ઉદય ઉચા પ્રકારના કર્તવ્યનિયથી પ્રેરાયલા મહાત્માઓને કેટલીકવાર ભવિષ્યમાં બનનારા મોટા બના દષ્ટિગોચર થાય છે. આવા કેઈ ભવિષ્ય દર્શનના બળથી, અને અભિમાનથી નહિ પણ પિતાની સત્તાના જ્ઞાનથી વિલિયમ પિટ (પછીથી લૈર્ડ ચેધમ) એક વાર બોલ્યો હતો કે, “હું મારા દેશને બચાવી શકીશ, અને બીજું કોઈ બચાવી શકશે નહિ.” વિલિયમ પિટ પિતાનું વચન પાળવા ઉપરાંત ઘણું કરી બતાવ્યું. સને ૧૭૫૭ થી ૧૭૬૧ સુધી બ્રિટિશ રાજ્યને કારભાર એણે ચલાવ્યા, અને તેજ પાંચ વર્ષમાં હાલના
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું.
બ્રિટિશ સામ્રાજ્યના ઉદયકાળનો આરંભ થયો. ઈગ્લેંડના મિત્ર ક્રેરિક ધિ ગ્રેટ સને ૧૭૫૭ માં રેસબૅકના યુદ્ધમાં વિજય મેળવ્ય, પ્રશિયાનો ઉદ્ભવ કર્યો, અને કાન્સને નમાવ્યું; વુફે સને ૧૭૫૮ માં કએક લીધું, અને સને ૧૭૬૦ માં કાન્સ પાસેથી આખું કેનેડા પડાવ્યું; સને ૧૭૫૭માં જ કલાઇવ પ્લાસીના યુદ્ધમાં જય પામ્યો અને ૧૭૬૧ માં આયરફૂટે આપણા દેશમાં ફ્રાન્સની સત્તાને કચરી નાંખી. આ પાંચ વર્ષમાં એક જગત સત્તા તરીકે ઇંગ્લંડની સ્થિતિ નિશ્ચિત થઈ; અને કાન્સ, યુરોપમાં હલકું પડયું, અને એશિયા અને અમેરિકામાંથી અદૃશ્ય થયું.
આપણો ઈતિહાસ આપણા દેશમાં બ્રિટિશ સામ્રાજ્યના ઉદયની સાથે સં. બંધ ધરાવે છે; અથવા તે સામ્રાજ્ય નીચે વસતા લોકોની આર્થિક પરિસ્થિતિ સાથે. અને આ ઈતિહાસ મૂળથી સમજવાનું સરળ પડે તે સારૂ સને ૧૭૫૭ થી તે સને ૧૮૩૭ સુધીના રાજ્યકીય ઇતિહાસનું આ પ્રકરણમાં દિગ્દર્શન કરવું જરૂરનું છે.
આ એંશી વર્ષના અરસામાં બ્રિટિશ કારભારીઓના ત્રણ જમાના થઈ ગયા; અને તેમણે હિંદી સામ્રાજ્યનો વિસ્તાર વધારવામાં અને તેની જમાવટ કરવામાં પોતાની શક્તિ વાપરી. દરેક જમાનાની રાજ્યનીતિ પણ બીજાથી જૂદી અને લાક્ષણિક હતી. પહેલો યુગ કલાઈવ અને વોરન હેસ્ટિંગ્સનો. આ યુગ નિર્ભય સાહસ અને ખંતીલા વિગ્રહ હતો. જેથી વેપારીઓની એક કમ્પની હિંદુસ્તાનમાં એક મેટી રાજ્યસત્તા થવા પામી. સને ૧૭૮૪ માં પિટના ઇન્ડિયા એકટથી અને હામે વર્ષે વોરન હેસ્ટિંગ્સની હિંદુસ્તાનમાંથી વિદાયગીરીથી, આ યુગને અંત આવ્યું. બીજો યુગ તે કોર્નલિસ, વેસુલી અને લોર્ડ હેસ્ટિંગ્સને. આ યુગમાં મહેસૂર અને મરાઠા સાથે છેલા વિગ્રહ થયા અને કમ્પનીની હિંદમાં સર્વોપરિ સત્તા થઈ. સને ૧૮૧૭ માં મુંબાઈ ઇલાકાને ખાલસા કરવાની અને હામે વર્ષ છેલ્લા પાને કેદ કરવાની સાથે તે યુગનો અંત આવ્યો. ત્રિજો યુગ, શાન્તિ કરકસર અને સુધારાનો હતે.
Page #14
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
તે એલફિન્સ્ટન અને બેન્કિનો યુગ. આમનાં નામે, મોટા લશ્કરી સરદારે અને વિજેતાઓના કરતાં, વધારે ઉપકારવૃત્તિથી હજી સુધી સંભારાય છે. સને ૧૮૩૬ માં લઈ એકલન્ડના આવાગમનથી અને રહામે વર્ષે મહારાણી વિકટોરિયાના રાજ્યારોહણથી આ યુગને અંત આવ્યો. ૧. લાઈવ અને વૈરન હેસ્ટિંગ્સને સમય.
સને ૧૭૮૫ સુધી. ઇસ્ટ ઇન્ડિયા કમ્પની સને ૧૬૦૦ માં ૭૦,૦૦૦ પાઉંડની મુડીથી સ્થપાઇ. ૧૬ ૩૯ માં આ કમ્પનીએ મદ્રાસમાં સેન્ટ જેજેનો કિલ્લે બાંધ્યો. ૧૬૮૭ માં ચાન્સ બીજા પાસેથી મુંબાઈને ટાપુ ખરીદ કર્યો અને પોતાનાં કારખાનાં ત્યાં લઈ ગઈ. સને ૧૭૦૦માં કલકત્તાને બંગાળાનું મુખ્ય મથન બનાવ્યું. આ વખતે મદ્રાસની દક્ષિણે પંડિૉંરિમાં અને કલકત્તાની ઉત્તરે ચન્દ્રનગરમાં કેનાં સંસ્થાન હતાં.
સને ૧૭૪૪ થી ૧૭૬૩ સુધી ફ્રેડરિક ધિ ગ્રેટનાં યુધ્ધને પરિણામે ઈગ્લેંડ અને ફ્રાન્સ, યુરોપ એશિયા અને અમેરિકામાં સામસામે આવી ગયાં હતાં. અંગ્રેજ અને ફ્રેન્ચ કમ્પનીઓના નોકરોએ હિંદુસ્તાનમાં પણ તેજ વિગ્રહ ઉપાડી લીધો. હિંદી રાજાઓ સાથે સંધિઓ કર્યા, એકમેકનાં વ્યાપારી સંસ્થાને ઉપર ઘેરો ઘાલ્યા, અને પશ્ચિમમાં જે કડવાશથી તેઓ લડતા હતા તેજ કડવાશ અહીં પણ ચલાવી. આ અરસામાં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે ત્રણ મોટી લડાઈઓ થઈ, જે કર્ણાટકના વિગ્રહો એ નામથી ઈતિહાસમાં ઓળખાય છે.
કર્ણાટક, પહેલા કર્ણાટક વિગ્રહમાં કેન્યનો જય થશે. તેમણે અંગ્રેજ પાસેથી મદ્રાસ લીધું, અને તે શહેર પાછું જીતી લેવા આવેલા કર્ણાટકના નવાબના
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું. સૈન્યને મારી કહાડયું. પણ એકસ–લા-શાપેલના સંધિથી સને ૧૭૪૮ માં મદ્રાસ અંગ્રેજોને પાછું આપવામાં આવ્યું.
તથાપિ રેન્ચ કમ્પનીના ડિરેકટર જનરલ ડુપ્લેને પોતાના સ્વદેશીઓને હિંદુસ્તાનમાં સર્વોપરિ સત્તાધીશ બનાવવાનો ઊંચો અભિલાષ થઈ આવ્યો, અને થોડા વખત સુધી તેને સંપૂર્ણ ફતેહ મળી. તેણે પિતાના એક હિંદી મળતિયાને દક્ષિણના નિઝામ થવામાં મદદ આપી અને બીજાને કર્ણાટકના નવાબ થવાને શકિતવાન કર્યો. આમ તે દક્ષિણ હિંદમાં સહુથી વધારે સમર્થ “રાજકર્તા ” થઈ પડી, અને અંગ્રેજોને પ્રભાવ તદન નાશ પામ્યું હોય એમ જ. ણાયું. હવે રૅબર્ટ કલાઇવની પ્રતિભાએ તાજવાં ફેરવી નાંખ્યાં. એણે કર્ણાટકના નવાબના એક હરીફને કર્ણાટકની રાજધાની પાછી મેળવામાં મદદ કરી. આખરે બીજા કર્ણાટક વિગ્રહ બંધ પડે ત્યારે બ્રિટિશ મળતિયો કર્ણાટકના નવાબ તરીકે કાયમ રહ્યો, અને ફ્રેન્ચનો મિત્ર નિઝામ તરીકે કાયમ રહ્યો. આમ યુરોપની બે રાજ્યસત્તાઓ વચ્ચે હિંદમાં એક પ્રકારે સત્તાની સમધારણ થઈ, અને કેન્યને ઉત્તર સિરકારને નામે ઓળખાતો આખો પૂર્વને દરિયાકિનારો પ્રાપ્ત થયો.
ત્રીજા કર્ણાટક વિગ્રહે કેન્યસત્તાનો સંપૂર્ણ નાશ કર્યો. કેન્યના સ્વદેશાભિમાની પણ તરંગી સરદાર લાલીએ મદ્રાસ ઉપર ઘેરો ઘાલ્યો પણ તે તેને સર કરી શક્યો નહિ. પછી સને ૧૭૬૧ માં વૈઝેિશના યુદ્ધમાં આયરફૂટે તેને હરાવ્યું, અને અંગ્રેજોએ પાંડિૉરિનું ચ સંસ્થાને એક હઠીલી ટક્કર હઠાવી સર કર્યું. સને ૧૭૬૩ માં પૅરિસના સંધિથી પંડિૉરિ દેજોને પાછું મળ્યું; પણ કેન્ચની હિંદની સત્તાને સબીજ નાશ થયો. સને ૧૭૬૩ પછી બ્રિટિશન કેઈયુરેપિયન હરીફ આપણું દેશમાં રહે નહિ.
બંગાળા, દરમિયાન બંગાળામાં મોટા બનાવો બનવા લાગ્યા હતા. બંગાળાના
Page #16
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
નવાબ સિરાજ-ઉદ્-ઢીલાએ અ ંગ્રેજ પાસેથી ૧૭૫૬ માં કલકત્તા લઇ લીધું અને બ્લેકહોલ ઓફ કલકત્તા-કલકત્તાની કાળી કાટડી-તે નામે પ્રસિદ્ધ થયેલા બનાવ બન્યા.
વળતાજ વર્ષમાં યુરેપથી પાછા આવીને લાઇવે કલકત્તા પાછું લીધું, નવાબ સાથે સ ંધિ કર્યાં, અને પછીથી તેની સાથે એક તરકટમાં ઉતર્યાં. જ્યારે બધી તયારી થઇ રહી ત્યારે તેણે નવાબ હામે કૂચ કરી; સને ૧૭૫૭ ની પ્લાસીની લડાઇમાં તેને હરાવ્યા; અને આમ આખા બંગાળાને વાસ્તવિક રીતે સર કર્યું'. લાઇવે ફ્રેન્ચ પાસેથી ઉત્તર સિરકાર પણ જીતી લીધું અને ૧૭૬૦ માં યુરોપ ગયા તે પહેલાં ઇસ્ટડિયા કમ્પનીને એક મોટી રાજ્ય સત્તા બનાવી.
હવે બંગાળાના નવાબ કમ્પનીના નાકરેના હાથમાં રમકડાં જેવા થઇ રહ્યા. પ્લાસીના યુદ્ધ પછી મિરજારને નવાબ બનાવવામાં આવ્યા હતા. તેને ૧૭૬૦ માં પદભ્રષ્ટ કર્યો, અને મિરકાસિમને નવાબ બનાવ્યા. મિર કાસિમ મજબૂત રાન્ન હતા અને બંગાળાના આંતર વેપારની બાબતમાં ક૫ નીના નાકરાની ગેરવર્તણુ કને અટકાવવા યત્ન કરતા. તેના પરિણામમાં એક લડાઇ થઇ; મિરકાસિમ હાર્યો અને ના; અને મિરજાફરને કરી રાજ્યાસન મળ્યું', તે પછી ઘેાડે કાળે તે મરી ગયા અને તેના અનારસ પુત્રને બંગાળાના નામના રાજા તરીકે તાબડતોબ એસારી દીધા. બંગાળાના રાજ્યવહીવટ એકદમ અવ્યવસ્થિત થઈ ગયા, અને લેાકેાના ઉપર ત્રાસદાયક જુલમા
થવા લાગ્યા.
સને ૧૭૬૫ માં કલાવ ત્રીજીવાર હિંદમાં આવ્યા, અને આ વખતે તેણે એક નવી અને સ્મરણીય રાજ્યનીતિ હાથ ધરી. દિલ્હીના નબળા બાદશાહ અત્યારે ધર ગામ વિનાના થઇ ગયા હતા, પણ હજી તે હિંદના બાદશાહ લેખાતા હતા. હિંદના બધા રાજા રજવાડા એને નામની પણ સલામ ભરતા, અને સ્વસત્તાથી મેળવેલાં રાજ્યામાં પશુ તે જે સત્તા ભામવતા તે
Page #17
--------------------------------------------------------------------------
________________
ૐ
પ્રકરણ ૧ લું.
ખધી તેના તરફથી મળી હાય એવા ડાળ રાખતા હતા. લાઇવે આ દૃષ્ટાંતનુ અનુકરણ કર્યું, સને ૧૭૫૭ માં તેણે સ્વસત્તાથી બંગાળા છૂટ્યું હતું, તે પણ સને ૧૭૬૫ માં તેણે મેગલ બાદશાહ પાસેથી બંગાળાની દીવાનગિરી ઇસ્ટ ઇન્ડિયા કૅમ્પતીને માટે મેળવી. આવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને એક વ્યાવહારિક પદવી મળી; અને આઠ વરસ ઉપર જીતી લીધેલા ઇલાકાને રાજ્યવહીવટ હવે તેમણે પ્રબ ધપુરઃસર હાથમાં લીધા. તે સિવાય રાજ્યવહીવટના દીવાની અને લશ્કરી ખાતામાં લાર્ડ ક્લાઇવે કેટલાક સુધારાદાખલ કર્યાં. સને ૧૭૬૭ માં તેણે છેવટને માટે આ દેશ છેડા.
પણ તેના રાજ્યવહીવટની યાજતા નિષ્ફળ નીવડી. નવાબ અને કમ્પનીના બેવડા અમલમાં લાક ઉપર જુલમ ખૂબ થયા; ઉપજ આવી શકી નહિ અને ૧૭૭૦-૭૧ માં એક ભયંકર દુષ્કાળે બંગાળાની વસ્તીના ત્રીજા ભાગને યમપુરીમાં મોકલી દીધી.
મદ્રાસ
મદ્રાસમાં બ્રિટિશ સત્તાધારીઓ હૈદરઅલ્લીની સાથે લડાઇમાં ઉતરી પડયા હતા. આ હૈદરઅલી અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં હિંદુસ્તાનમાં નિર તિશય સામર્થ્યવાળા સેનાપતિ હતા. હૈદરે કર્ણાટકને ઉજ્જડ કર્યું, અને મદ્રાસથી થોડે છેટે પડાવ નાંખ્યા. મદ્રાસની રાજ્યસભા ભય પામી અને તે ભયંકર દુશ્મન સાથે સને ૧૭૬૯ માં એકદમ સલાહ કરી.
.
આ અરસામાં, સને ૧૭૭૩ માં બ્રિટિશ પાર્લમેન્ટે હિંદની સ્થિતિ સુધારવા માટે રેગ્યુલેટિંગ એટ ' એ નામના એક કાયદો પસાર કર્યો. આ કાયદાથી હિંદુસ્તાનના કમ્પનીના રાજ્યને પાર્લમેન્ટથી હકપત્ર મળ્યું અને કમ્પનીના સર્વ મુલકા ઉપર દેખરેખ રાખવાની સત્તા સાથે-ગવર્નર જનરલ– એ પદવીથી એક જગા સ્થાપી. આ વખતે વૌરન હેસ્ટિંગ્સ બંગાળાના ગવનર હતા, તેજ સને ૧૭૭૪ માં હિંદુસ્તાનને પહેલા ગવર્નર જનરલ થયા.
Page #18
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
કમ્પનીના હિંદના નેકરામાં વારન હેસ્ટિંગ્સ કરતાં વધારે સામર્થ્યવાળા કાઇ બીજો અંગ્રેજ આ વખતે ન હતા, અને હિંદની પ્રજાના સ્વભાવનુ સહુથી વધારે સ ંગીન જ્ઞાન પણ તેનેજ હતું. તે સને ૧૭૫૦ માં બાલ્યાવસ્થામાં આ દેશમાં આવ્યા હતા. બગાળા અને મદ્રાસમાં પેાતાના સ્વદેશીએ સત્તાને જે દુરુપયોગ કરતા હતા તેની હામે તેણે વાંધા ઉઠાવ્યા હતા; અને હવે કુલ સત્તા મળવાથી રાજ્યવહીવટ સુધારવાની તેને નિર્મળ ઇચ્છા થઇ આવી. પણ નાણાં સંબંધી મુશ્કેલીઓ, પોતાનીજ સભામાં ફિલિપ ફ્રાન્સિસની આ ગેવાની નીચે શરૂ થયેલા વિરોધ, વારંવાર કરવી પડતી લડાઇએ, અને પેતાના સ્વચ્છંદી સ્વભાવ; આ બધાંએ એકઠાં થઈને એને એવાં કૃત્યા તરફ દેર્યો કે જેથી બ્રિટિશ પાર્લમેન્ટમાં તેના ઉપર કામ ચલાવવાનેા વખત આવ્યા.
હ
હેસ્ટિંગ્સે દિલ્હીના બાદશાહને મુકરર કરેલી પેશકશી આપવી બંધ કરી. કારા અને અલાહાબાદમાં આવેલી બાદશાહી મીલકત તે ઉપાડી ગયા અને તે અયેાધ્યાના નવાબને પાંચ લાખ પાઉન્ડ માટે વેચી; અને રાહીલાઓને કચરી નાંખવા ચાર લાખ પાઉન્ડ લઇ તેણે એક ઇંગ્રેજી સેના, તે નવાબની મદદમાં માકલી,
સુઈ.
આ વખતે મરાડાએ સહુથી વધારે સત્તા ધરાવતા હતા અને મુંબઇ સરકાર તેમની સાથે મુશ્કેલીઓમાં ગુંચાઇ હતી. પેશ્વાઇને માટે આ અરસામાં એ હકદાર હતા. સુબઇ સરકારે આમાંના એકને મદદ કરવાનું માથે લીધુ અને તેના પરિણામમાં પહેલું મરાઠા યુદ્ધ થયુ.. બ્રિટિશ સેનાએ અમદાવાદ અને ગ્વાલિયર સર કરી પોતાની હાક વગાડી; પણ યુદ્ધને મુખ્ય હેતુ સફ્ળ ન થયા. અંગ્રેજના મિત્રે પેન્શન લઇ હક છોડી દીધા, અને સાલ્મેટ અને ખીજા કેટલાક ટાપુએ સને ૧૭૬ર ના સધિથી બ્રિટિશ મુલકમાં ઉમેરાયા.
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું.
અસર
તેવામાં મહેસૂરના હૈદરઅલી સાથે બીજી લડાઈ થઈ. ચાર ઠેકાણે સર આયરફૂટે તેને હરાવ્યું. પણ હૈદરઅલી દરેક ઠેકાણે રણક્ષેત્રમાંથી પિતાનું સૈન્ય બચાવી શકો અને તેનું બળ ઓછું થયું નહિ. એટલું જ નહિ પણ ઉત્તમ વ્યુહરચનાથી કર્નલ બેલી અને બ્રેથવેટની સરદારી નીચેની બે બ્રિટિશ ટુકડીઓને તેણે ઘેરી લીધી અને તેને સમૂળ નાશ કર્યો. પણું હૈદર અને ૧૭૮૨ માં મરણ પામ્યા અને સને ૧૭૮૩ માં તેના પુત્ર ટીપુ સુલતાન સાથે સલાહ કરવાથી તે લડાઈ બંધ થઈ.
હેસ્ટિંગ્સનાં કૃત્ય, હેસ્ટિંગ્સ સને ૧૭૭૫ માં અયોધ્યાનો તે વખતનો નવાબ મરણ પામતાં તેના વારસ પાસે બનારસ પ્રાન્ત પિતાને સોંપાવરાવ્યું. આથી બનારસનો રાજા એક બ્રિટિશ પટાવત થયે. હેસ્ટિંગ્સ મુકરર કરેલી ખંડણી ઉપરાંત બીજી મોટી રકમો બનારસના રાજા પાસેથી માગી; તેને ભારે દંડ કર્યો; તેને પકડ અને કેદ કર્યો, અને તેની રૈયતને બળ કરવા જરૂરી પાડી. પરિણામે રાજાને પદભ્રષ્ટ કર્યો, અને તેનું રાજ્ય તેના એક સગાને ખંડણીની રકમમાં વધારો કરીને સેપ્યું.
અયોધ્યાના નવા નવાબ પાસે પણ ખંડણીની પાછલી બાકીની ઉઘરાણી કરી, અને એણે પિતાની અશક્તિ બતાવી તેથી તેની મા અને વડીઆઈને લૂંટવામાં તેને મદદ કરી અને તેવી રીતે દસ લાખ પાઉંડ કરજમાં ભરાવ્યા. વળી અયોધ્યા અને મદ્રાસમાં બ્રિટિશ લેણદારોને જમીન માંડેલી હોવાથી લેકોના ઉપર ઘણો ત્રાસ થત; અને બંગાળામાં વંશપરંપરાનાં જમીનદારોના કાની અવગણના કરીને કમ્પનીની ઉપજમાં વધારો કરવાના હેતુથી હેસ્ટિંગ્સ તેમની જાગીર હરાજ કરી નાંખી.
Page #20
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
આ બધાં કૃત્યાથી વારન હેસ્ટિ ંગ્સના રાજ્યવહીવટને બહુ આંખ લાગી. પિટને ઇન્ડિયા એકટ સને ૧૭૮૪ માં પસાર થયા અને તેણે પહેલીવાર ઇન્ડિયાને વહીવટ અંગ્રેજની બાદશાહી સત્તા નીચે મૂકયા. વળતા વર્ષમાં વારન હેસ્ટિ ંગ્સે આપણા દેશ છેાડયા.
આ સને ૧૭૮૫ સુધીની ટુકામાં હકીકત. ફ્રેન્ચની સાથેના ત્રણ યુદ્ધે - થી ઈંગ્રેજ કર્ણાટકમાં સર્વોપરિ થયા; સુરાજુદ્દીલા અને મિરકાસિમ સાથેની લડાઇઓને પરિણામે તે ખગાળાના ધણી થયા, અને માઇસેર અને મરાડાની સાથેના વિગ્રહથી તેમના મુલકેામાં પગપેસારા થઇ ચૂકયા. બંગાળા, ઉત્તર સિરકાર, બનારસ, મુખર્જી અને મદ્રાસમાં કેટલાક પ્રદેશ, એટલુ સને ૧૭૮૫ માં જે વખતે વારન હેસ્ટિ`ગ્સ ગયા તે વખતે ઈંગ્રેજ સરકારના હાથમાં આવી ગયું હતું.
૨. કાર્નવોલિસ, વેલ્સલી અને લાર્ડ હેસ્ટિ ંગ્સના સમય, ૧૯૮૫ થી ૧૮૧૭.
પિટને ઇન્ડિયા એકટ ૧૭૮૪ માં ૧૩ મી ઓગસ્ટને રાજ પસાર થયેા. તેથી કમ્પનીને તમામ કારભાર દીવાની-લશ્કરી અને ઉપજ ખરચ સ ંબધી, બ્રિટિશ કિરીટેશ્વર તરથી નીમાયલા છ કમિશ્નનરેાની દેખરેખમાં સાંપવામાં આવ્યા. બ્રિટિશ રાજ્યના પહેલા ભાગમાં જે જુલમ અને અવ્યવસ્થા થયાં હતાં તેમાંથી લાકાને ઉગારવાની અંતઃકરણની ઇચ્છા હતી. કમ્પનીના કાર્ય ધુરંધરાને પણ પેાતાના વહીવટ વ્યવસ્થિત કરવાની પૂરી ઇચ્છા હતી. તેમણે હેસ્ટિંગ્સ પછી લાર્ડ કાર્નવાલિસને ગવર્નર જનરલ તરીકે નીમ્યા; અને લોકા, પેાતાની સ્થિતિ સુધારવા સારૂ ખેતીવાડીમાં સુધારા વધારા કરવા તરફ ધ્યાન આપે, તે સારૂ જમીનની મેહેસુલ ‘ યાવચ્ચ દિવાકરી ' મુકરર કરવાની ખાસ સૂચના આપી.
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લુ.
અંધકાર અને તાકાનના એક યુગ પછી આ એક પ્રકાશને ઝળકાટ આવી ગયા. લાર્ડ કાર્નવાલિસના સંબંધમાં જે ધારણા રાખવામાં આવી હતી તે તેણે પાર પાડી. તેણે રાજ્યવહીવટમાં સુધારા કર્યા. પેાતાના નાકરાને પુરા પગાર આપવાની તેણે કમ્પનીને જ પાડી; અને તેમને પ્રામાણિક અમલદાર બનાવ્યા. તેણે હિંદુસ્તાનની સિવિલ સર્વિસને પાયે નાંખ્યા જે હજી સુધી તેવીજ સ્થિતિમાં છે. તેને માત્ર એકજ લડાઇ લડવી પડી હતી, તે ડૈસૂરના ટિપુસુલતાન સાથે. તેણે સુલતાનની રાજધાની સર કરી; અને તેની હદના કેટલાક ભાગ ખાલસા કરીને તેની સત્તા નરમ ફર્યાં પછી તેની સાથે સલાહ કરી. સને ૧૭૯૩ માં તેણે આપણા દેશ છેડયા તે પહેલાં બંગાળાની મહેલની, જાથુકને માટે, જમીનદારી વ્યવસ્થા કરી. આ કૃત્યથી હિંદુસ્તાનની બ્રિટિશ રૈયતની આબાદી અને સુખને માટે જેટલુ થયું છે તેટલું બ્રિટિશ રાજ્યના ખીજા કાઇપણ કૃત્યથી થયું નથી એમ કહી શકાય.
સને ૧૭૯૩ માં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના પટા નવા થયેા. ઇન્ડિયાના કારભાર ઉપર પાર્લમેન્ટમાં ચર્ચા થઇ અને પિટના બિલનાં મુખ્ય ધારણા કાયમ રહ્યાં. પણ હવે ઇસ્ટ ઇન્ડિયા કમ્પની ઉપર ૩૦૦૦ ટન જેટલાં વહાણુ પૂર્વ તરફ વેપાર કરતા ખીા વેપારીઓને પુરાં પાડવાની ફરજ પાડવામાં આવી. કમ્પનીના અનન્યાધિકારમાં આ પહેલવહેલું ભંગાણ પડયું. સર જન સાર ( પછીથી લાર્ડ ટ્રેનમથ ) લાર્ડ કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ થયે।; અને તેણે તેની તેજ શાન્તિની રાજ્યનીતિ સ્વીકારી. તેણે લાર્ડ કાને વાલિસ વાળી અચળ જમાબન્દીની નીતિને બનારસને લાભ આપ્યા.
સર જાન શાર પછી લાર્ડ મોર્નિંગ્ટન-પછીથી માકવેંસ આ વેસ્લી ગવર્નર-જનરલ થયા. તે ૧૭૯૮ માં હિંદુસ્તાનમાં આવ્યા. પૂર્વે જેમ કેરિક ધિ ગ્રેટની લડાઇએથી હિંદની બ્રિટિશ રાજ્યનીતિ રંગાઇ હતી તેમ અત્યારે નેપેલિયનની સાથેની લડાઇઓથી રંગાઇ. વિલ્યમ પિટ
Page #22
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
તેપોલિયનની હામે લશ્કરો તયાર રાખવા સારૂ યુરોપનાં રાજ્યોને નાણુની મદદ આપત. વેસ્લી પિટનો મિત્ર અને ચતુર શિષ્ય હતો. તેણે પણ ના
ની મદદની રીત હિંદમાં દાખલ કરી, પણ એક અગત્યના ફેરફાર સાથે. દેશી રાજ્યોનાં સિને નકામાં હતાં અને તેવાં સૈન્ય વધારવા સારૂ તેમને નાણું આપવાં એ કાંઈ ઉપયોગનું નહતું. તેથી વેલ્યુલીએ તેમના રાજ્યમાં બ્રિટિશ લશ્કર રાખવા સારૂ તેમની પાસેથી નાણું કઢાવ્યાં. આથી કમ્પનીને નાણુની છૂટ થઈ અને હિંદના રાજાઓ કમ્પનીના કાબુમાં આવ્યા. આ નીતિ આશ્રિતમૈત્રી ( સબસિડ્યરી એલાયન્સ”) ની નીતિના નામથી ઓળખાય છે.
ટિપુ સુલતાન. મહૈસૂરના ટિપુ સુલતાને કેન્યની સાથે સંદેશા ચલાવવા શરૂ કર્યા હતા. તેને દાબી નાંખવાની પાકી જરૂર હતી, તેથી ટિપુની સામે એક ચોથું યુદ્ધ માંડવામાં આવ્યું. પિતાની રાજધાનીનો બચાવ કરતાં ટિપુ સને ૧૭૯૯ માં મરણ પામ્યો. હૈસૂરને કેટલાક ભાગ વિજેતાઓએ ખાલસા કર્યો; તેમાંને એક ભાગ મરાઠાઓ જો આશ્રિતમૈત્રીમાં સામીલ થાય તે તેમને આપવાનું કહેવામાં આવ્યું, પણ તેમણે ના પાડી. એક ભાગ નિઝામને આપવામાં આવ્યું, પણ પાછળથી તેના રાજ્યમાં રાખવાના બ્રિટિશ સૈન્યના પગાર પેટે તે ભાગ વેસ્લીએ પાછો લીધે. મહૈસૂરનું જે બાકી રહ્યું તેનું એક નાનું રાજ્ય બનાવ્યું અને તે ઉપર ત્યાંના પ્રાચીન હિંદુ વંશની ફરીથી સ્થાપના કરી.
વિલીની રાજ્યનીતિ.
આશ્રિતમિત્રી, વેલીએ નબળાં રાજે તરફ વધારે સરળતાથી કામ લીધું. વેલી રીતિની બાબતમાં બહુ સંભ્રમમાં પડે તેવી પ્રકૃતિને નહતો. સુરતના નવાબ
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રકરણ ૧ લું.
૧૭૯૯ માં મરણ પામે, વેલીએ એના ભાઇને પેનશન આપી તેને હક છોડાવી લીધું. અને રાજ્ય ખાલસા કર્યું. કર્ણાટકનો નવાબે ૧૮૦૧ માં મરણ પામે. તેના વારસે હક છોડી દેવા કબૂલ ન કર્યું એટલે તેને ઠેકાણે એક બીજે નવાબ ઉભો કર્યો, જેણે પિતાનું રાજ્ય બ્રિટિશને આપી દીધું, અને પોતે સાલિયાણું લઈ ચાલતો થયો. ફરાબાદનો સગીર નવાબ ઉમર લાયક થવાની તૈયારીમાં હતો; તેની પાસે પિતાનું રાજ્ય બ્રિટિશને સોંપાવ્યું અને તેને સાલિયાણું આપ્યું. અયોધ્યાના નવાબ આગળ બે વાત મૂકવામાં આવી. કાંતે એણે પિતાના રાજ્યનો દીવાની અને લશ્કરી વહીવટ બ્રિટિશ સરકારને સંપ, અથવા રાજ્યને અર્ધ ભાગ તેના રાજ્યમાં બ્રિટિશ સૈન્ય રાખવા સારૂ હમેશને માટે સોંપી દેવે, એ સરતે આશ્રિતમૈત્રીમાં દાખલ થવું. આમાંની બીજી દરખાસ્ત સ્વીકારવાની તેને ફરજ પાડવામાં આવી. અને તેને અનુસરીને તેણે ૧૮૦૧ માં અલાહબાદ અને બીજે કેટલાક મુલક બ્રિટિશ સરકારને સોંપાયો.
બીજો મરાઠા વિગ્રહ, હજી હિંદમાં મરાઠાની મોટી સત્તા અવશિષ્ટ રહી હતી. લોર્ડ વેસલીના સારા ભાગ્યે પિસ્વા સરકાર ઉપર બીજા મરાઠા સરદારોનું ભારે દબાણ ગુજરવા લાગ્યું અને તેથી પિસ્થાને બ્રિટિશની મદદ લેવાની જરૂર પડી. સને ૧૮૦૨ માં તેમની આશ્રિતમૈત્રી બંધાઇ અને પેશ્વા બ્રિટિશ સૈન્યની મદદથી ગાદીએ બેઠા. પિતાના રાજ્યમાં આમ બ્રિટિશ સરકારને પગપેસારો થવાથી સિંધિયા હાલકર ભોંસલે વગેરે મરાઠા સરદારે ચમકયા અને તેમાંથી બીજે મરાઠા વિગ્રહ ઉદ્ધવ પામ્યો. ડયુક ઓફ વેલિગ્ટનની પદવીથી પાછળથી પ્રસિદ્ધ થયેલા બ્રિટિશ સરદાર જનરલ વેલીએ સિંધિયા અને ભોંસલેના સૈન્યને સને ૧૮૦૩ માં એસે અને આર્ગામનાં યુદ્ધમાં હરાવ્યાં. બીજી તરફ લૉડ લેક વિજયપતાકા ફરકાવતે દિલ્હીમાં દાખલ થયે, લાશ્વારીના યુદ્ધમાં સિંધિયાની
Page #24
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૪ સેનાને માત કરી. પણ હેકર સરકાર જે અત્યાર સુધી લાગ જેવાની રમત રમતા હતા તે હવે જોડાયા અને મરાઠા મંડળ સાથેની લાંબી લડાઈ હજી સુધી ચાલતી હતી તેવામાં કમ્પનીના ધુરંધર મંડળે તેમના યુદ્ધ શીલ મવર્નર-જનરલને પાછા બેલાવ્યા અને ઇન્ડિયામાં શાન્તિ વર્તાવવા લાર્ડ કોર્નવોલિસને મોકલ્યા.
લૉર્ડ વેસ્લી ઇંગ્લેંડ ગયા પછી પિટને મળે. પિટ આ વખતે મરણપથારીએ હતા. બન્નેએ પિતતાના સત્તાના પ્રદેશોમાં મોટાં યુદ્ધ ચલાવ્યાં હતાં. પિટ યુરોપનાં યુદ્ધ બંધ કરવા શક્તિવાન થશે નહીં તેમ વેલીનાં હિંદનાં યુદ્ધો પણ હજી ઘણું બાકી હતાં. પિટનાં યુદ્ધોને ૧૮૧૫ નું અને વેલ્લીનાં યુદ્ધોને સને ૧૮૧૭ નું વર્ષ જેવાનું નિર્માણ થયેલું હતું. | દરમિઆન આપણે દેશમાં તાત્કાલિક શાંતિ પસરી. હિંદમાં પહોંચ્યા પછી થોડે જ કાળે કર્ન લિસને દૈવજ્ઞા થઈ અને તેના ઉત્તરાધિકારીઓ, સર જેન બોલે અને લેર્ડ મિન્ટોએ મરાઠાને છેડ્યા નહિ. ઇસ્ટ ઇન્ડિયા કં. પનીને પટો સને ૧૮૧૩ માં નો થયા; પણ આ વખતે તેમને વેપારને અનન્યાધિકાર નાશ પામે. ચીનાઈ ચાહ સિવાયની બીજી ચીજોને વેપાર જેનો સને ૧૬૦૦ થી એટલે રાણી એલીઝાબેથના વખતથી તે અત્યાર સુધી કંપનીને અનન્યાધિકાર હતો, તે હવે બધા બ્રિટિશ વેપારીઓ માટે ખુલે થયો.
લે મોઇરાઃ છેલે મરાઠા વિગ્રહ, સને ૧૮૧૩ માં જ્યારે લોર્ડ માઈરા (પાછળથી લોર્ડ હેસ્ટિંગ્સ) ગવનર જનરલ તરીકે આવ્યો ત્યારે મરાઠા સાથે છેલ્લા વિગ્રહને સમય આવી પહોંચ્યા હતા. નેપાલ સાથે યુદ્ધ થતાં કેટલીક હિમાલયની સરહદ બ્રિટિશને મળી અને પિનારીઓને નાબુદ કરવા એક લડાઈ આ વખતે લડવામાં આવી. તે પછી ત્રીજે અને છેવટને મરાઠા વિગ્રહ આવ્યો. ૧૮૦૨ માં
Page #25
--------------------------------------------------------------------------
________________
૧ પ્રકરણ ૧ લું.
પેશ્વા બ્રિટિશ સાથે આશ્રિતમૈત્રીમાં જોડાયા હતા પણ તેમને તે ગમતું નહોતું. છેવટે તેણે ઢોંગ છોડી દીધા અને બીજા મરાઠા સરદારે તેની સાથે સામીલ થયા. પિશ્તાનું જ સન્ય ખડકી આગળ, ભોંસલેનું સૈન્ય સીતાબાદી આગળ અને સર જોન માફકમને હાથે હલ્કરનું લશ્કર મહીદપુર આગળ હારી ગયું. અંગ્રેજે સને ૧૮૧૭ માં પેશ્વાનો મુલક ખાલસા કર્યો અને તેનો મુંબઈ ઇલાકો બનાવ્યો. વળતે વર્ષે પેશ્વાને ખુદને કેદ કર્યા અને પેશ્વા પેન્શન લઈ તીર્થ યાત્રાએ ગયા. સિંધિયા, હેકર,ભોંસલે, ગાયકવાડ એ મરાઠા સરદારને પિતા પોતાના રાજ્યમાં ઇંગ્લંડની બાદશાહી સત્તા નીચે રાજ્ય કરવા દીધા. - આ, બ્રિટિશ સત્તાના ઉપર જણાવેલા બીજા યુગન, ટુંકામાં ઇતિહાસ. ૧૯૩ ને બંગાળાન, ૧૭૯૫ નો બનારસનો અને ૧૮૦૨ અને ૧૮૦૫ ને ઉત્તર સરકાર અને બીજા વિભાગોમાં દાખલ થયેલા અચળ જમાબંદીને બંદેબસ્ત એ આ યુગનું મોટામાં મોટું અને કલ્યાણકારક વહીવટી કર્યો છે. મહેંસૂર અને મરાઠાને છેવટને માટે નાબુદ કર્યો એ આ યુગનું મોટામાં મોટું રાજકીય કૃત્ય છે. ૩. મને એલિફન્સ્ટન અને બેન્કિ .
૧૮૧૭ થી ૧૮૩.
હવે યુગ યુરેપ તેમજ હિન્દમાં શાંતિ કરકસર અને સુધારાનો છે. યુરોપની પ્રજાઓ નેપલીયનનાં યુદ્ધાથી કંટાળી ગઈ હતી, અને ટર્લના યુદ્ધ પછીજ તેમને લાંબા કાળ સુધી શાતિનાં સુખ મળ્યાં. તે પછી સને ૧૮૩૦ ને પરિવર્તન થયો. સર્વત્ર વહીવટી સુધારા અને પ્રજાને માટે નાગરિક હક સંપાદન કરવા તરફ યત્નો થયા. ઈંગ્લંડમાં ૧૮૩૨ નો રિફેર્સ એકટ થયો. બેલજીયમ હેકંડથી છૂટું પડ્યું અને પિતાનું સ્વદેશી રાજ્ય સ્થાપ્યું. જર્મની
Page #26
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
૧૫
અને ઇટલીમાં રાષ્ટ્રીય અય અને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે મેટી હીલચાલેા શરૂ થઇ. સને ૧૮૩૦ માં ગ્રીસ સ્વતંત્ર થયુ. સને ૧૮૩૩ માં ગુલામગિરી નાખુદ થઇ. વહીવટી સુધારા કરવા અને લોક સ્થિતિને સારા પાયા. ઉપર મૂકવી, એ આ યુગનું દૈવત હતુ. તેજ દૈવતે હિન્દના રાજ્યકર્તાઓની રાજ્યનીતિ પશુ
મેરી.
લાર્ડ હેસ્ટિ’ગ્સે ૧૮૧૭ માં કલકત્તાની હિંદુ કાલેજ સ્થાપી. ૧૮૧૩ માં લોર્ડ એમ્ફર્ટ કલકત્તાના તખ્ત ઉપર આવ્યા. તેમના વખતમાં ૧૮૨૬ માં આસામ, આરાકાન અને તેનાસરીમ ઇંગ્રેજી રાજ્યમાં ઉમેરાયાં. એ વરસ પછી ăાર્ડ એન્ટિન્ક ગવરનર-જનરલ થયા. તેમણે પણ સને ૧૮૩૦ માં કુર્ગને ખાલસા કરીને અને સ્પૈસૂરની રાજ્યપુરા હાથમાં લઇને બ્રિટિશ મુલકના વધારા કર્યાં. પણ આ યુગની વિશેષતા આટલામાં સમાએલી નથી. મન્ના, એલ્ફિન્સ્ટન અને એન્ટિન્કનાં નામેા સાથે જોડાયલા વહીવટી સુધારા એ આ યુગની વિશેષતા છે,
વારન હેસ્ટિંગ્સ અને કેાને વાલિસે સ્થાપેલી ન્યાયપદ્ધતિ નિષ્કલ નીવ ડી તેનું કારણ એ હતું કે સ્વદેશીઓને વહીવટીના કામમાંથી ખાતલ કર્યો હતા. ન્યાયનું કામ ચડી ગયું, અને બ્રિટિશ ન્યાયાધીશેાને હાથે થતા વિલંબ ન્યાયના અભાવરૂપ થઈ પડયા. કમ્પનીના મુલકમાં ગુનાએ વધવા માંડવા તેથી બાતમીદારો રાખીને માણસેાની ધરપકડ કરવાની રીત દાખલ કરવામાં આવી; પણ તેનાથી તે અનિષ્ટ વધવા લાગ્યુ. સને ૧૯૧૦માં લૉર્ડ મિન્ટ લખે છે કે ‘ખૂન અને લૂટકાટ ખગાળામાં બધે ઠેકાણે ચાલે છે. ' આ સ્થિતિમાં કમ્પનીના રાજ્યપુરૂષાને વહીવટી કામમાં સ્વદેશીને વધારે ભાગ આપવાની જરૂર સમજાઈ. કલકત્તાના જજ્જ સર હેત્રિ સ્ટ્રેચિ લખે છે કે ‘હિંદ જેવા સુધરેલા અને ùાળી વસતિવાળા મુલકમાં સ્વદેશી દ્નારાજ ન્યાય સારી રીતે આપી શકાય.’
,
આ ધારણને અમલમાં મૂકનાર હિંદમાં પહેલા અંગ્રેજ ઢૉમસ મના હતા. તેણે 'પ્રજામાં વિશ્વાસ રાખવાની રીતિ અંગીકાર કરી, તે ૧૭૮૦ માં
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું.
એક જુવાન સિપાહી તરીકે હિંદમાં આવ્યો હતો. હૈદરઅલી સાથેના યુદ્ધમાં તે સામેલ હતો. સને ૧૭૯૩-૯૯ અને ૧૮૦૦ મહેસૂર અને દક્ષિણમાંથી જે. મુલકો મળ્યા તેમાં મહેસુલને બંદેબસ્ત કરીને તેણે નામ કહાડયું હતું. સને ૧૮૧૪માં ફરીથી મદ્રાસની ન્યાયપદ્ધતિને તપાસવા અને સુધારવા સારૂ નિમાયેલી એક ખાસ સભાના પ્રમુખ તરીકે તે હિંદમાં આવ્યા; અને જવાબદારીવાળા વહીવટી કામમાં સ્વદેશીઓને વધારે ભાગ આપનારા પ્રસિદ્ધ કાયદાઓ તેણે પસાર કરાવ્યા. ૧૮૨૦ માં તે પાછો મદ્રાસના ગવરનર તરીકે ત્રીજી વાર હિન્દમાં આવ્યો. તેણે મદ્રાસને રૈયતવારી જમાબન્દીબંબસ્ત કર્યો, અને ૧૮૨૭ના જુલાઈ માસમાં લોકો આશીર્વાદ લઈ દેશને શેકમાં ડુબાવી હિંદમાંજ બેહેસ્તનશીન થયો.
સર ટોમસ મનાએ જે મદ્રાસમાં કર્યું તે માઉન્ટ ટુઅર્ટ એલ્ફિન્સ્ટને મુંબઈમાં કર્યું. તે મનો કરતાં અઢાર વર્ષે નાનો હતે. તે ૧૭૯૬માં આપણા દેશમાં આવ્યા હતા અને ૧૮૦૩ માં એસેનું યુદ્ધ થયું ત્યારે ડયુક ઑફ વેલિગેટનને પિલિટિકલ સેક્રેટરી જે હતો. ૧૮૦૮ માં લૉર્ડ મિન્ટોએ તેને રાજદૂત તરીકે અફઘાનીસ્તાન મેકલ્યો અને તે વખતે તેણે અફઘાનેના સંબંધમાં પહેલું અને હજી સુધી પ્રમાણભૂત ગણતું પુસ્તક લખ્યું. ૧૮૧૧ માં પિશ્વા સરકારમાં બ્રિટિશ એલચી તરીકે તેને નીમ્યો અને સને ૧૮૧૭ના છેવટ મરાઠા વિગ્રહમાં તેણે અગ્રભાગ લીધો. આ રીતે મેળવેલા મહારાષ્ટ્રના લાંબા અને બહોળા અનુભવથી જ્યારે પેશ્વાને મુલક ખાલસા કરવામાં આવ્યો ત્યારે તેને મુંબઈના ગવર્નર તરીકે નીમવાનું યોગ્ય જણાયું. આ મોટા હેદાની ફરજ તેણે સાત વર્ષ સુધી બજાવી. તેણે મુંબઈના કાયદાઓ એકત્રિત કર્યા, સ્વદેશીઓને સરકારી કામમાં વધારે સંખ્યામાં દાખલ કર્યા; અને દેશમાં કેળવણીને વિસ્તાર કર્યો. સને ૧૮૨૭માં તે નિવૃત્તિપરાયણ થઈ ઈગ્લેંડ ગયે.
આ પ્રમાણે જ્યારે સને ૧૮૨૮માં બેન્ટિન્ય ગવર્નર જનરલના સિંહાસન ઉપર આવ્યો ત્યારે વહીવટી સુધારાનું કામ સારી રીતે આગળ વધેલું
Page #28
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૭
હતું. બેન્ટિન્ક ઓગણીસમા સૈકાની શરૂઆતમાં મદ્રાસનો ગવર્નર હતો, પણ ત્યાં સેનાપ્રકોપ થવાથી તેને પાછો બોલાવી લેવામાં આવ્યો હતો. પછી યુરપના રાજ્યકારભારમાં પડતાં તેણે ૧૮૧૪ માં જનઆ સર કર્યું. ત્યાંનું જુનું રાજ્યબંધારણ ફરીથી સ્થાપ્યું, અને તે વખતે સંયુક્ત ઇટાલિની ભાવના તેનામાં જન્મ પામી. આ પછી દે વર્ષ ચોપન વર્ષની પાકી ઉમ્મરે તે હિંદુસ્તાનના ગવર્નર જનરલ તરીકે હિંદમાં આવ્યો.
મને એ બતાવેલા કાયદાઓ મદ્રાસમાં પસાર થયા હતા, જેથી દીવાની ન્યાય વાસ્તવિક રીતે સ્વદેશી ન્યાયાધીશોને સોંપવામાં આવ્યો. એરિફન્સ્ટને મુંબઈમાં આજ સુધારો દાખલ કર્યો હતો. બેન્ટિકે પણ બંગાળામાં દીવાની ઇન્સાફ દેશ ન્યાયાધીશોને સોંપ્યો. તેમના પગાર અને અધિકાર ઉદાર બુદ્ધિથી નિર્માણ કર્યા અને મહેસુલના કામમાં યુરોપીયન અધિકારીઓને મદદ કરવા સ્વદેશી મદદનીશ મહેસુલાતી અધિકારીઓની યોજના કરી. સ્વદેશીઓને આ પ્રમાણે વહીવટમાં વધારે ભાગ આપવાથી લંડ વિલ્યમ બેટિક દર વર્ષે દસ લાખ પાઉંડની ખોટને બદલે વીસ લાખ પાઉંડને વધારો બતાવી શક્યો. ૧૮૩૩ માં સુધરેલા પાયા ઉપર ઉત્તર હિંદુસ્તાનમાં મહાલવારી બંદોબસ્ત કરવાની શરૂઆત થઈ, અને મુંબઈમાં ૧૮૩૫ માં રૈયતવારી બંદોબસ્ત કરવાનું શરૂ થયું.
સને ૧૮૩૩ માં ઈસ્ટ ઈડ્યિા કમ્પનીને પટે ફરીથી તાજો થયો. આ વખતે તેમને વેપાર કરવાની બંધી કરી અને ફક્ત રાજ્યનો વહીવટ કરવાનિજ સત્તા આપવામાં આવી; અને આની સાથે એવી સરત કરવામાં આવી કે –
માત્ર ધર્મ, જન્મભૂમિ, વંશ, વર્ણ કે તેમાંના ગમે તે કોઈ કારણથી હિંદ સ્વદેશી કોઈપણ જગા, હદે કે કામગિરી માટે યોગ્ય ગણવામાં આવશે નહિ.”
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રકરણ ૧ લું. બેન્કિ પછી સર ચાર્લસ મેટાફ ગવર્નર જનરલ થયા. પછી સને ૧૮૩૬ માં લૈર્ડ ઓકલેન્ડ આવ્યા અને વળતે વર્ષે મહારાણી વિકટોરિયા બ્રિટિશ સામ્રાજ્યના સિંહાસન ઉપર આરૂઢ થયાં.
આપણું દેશમાં આ વર્ષે એક ઐતિહાસિક યુગને અંત અને બીજાનો આવિર્ભાવ સૂચવે છે. ૧૮૩૭ પહેલાં બંગાળા, મદ્રાસ, મુંબઈના ઇલાકાઓ અને ઉત્તર હિંદના સારામાં સારા પ્રદેશે બ્રિટિશન હાથમાં આવી ગયા હતા. હિંદની મહાન્ સિવિલ સર્વિસની સ્થાપના થઈ ચૂકી હતી. ઘણા નિષ્ફળ પ્રયોગ કર્યા પછી દેશની ન્યાયપદ્ધતિ સંતોષકારક પાયા ઉપર મૂકવામાં આવી હતી. જમીનની મહેસુલના ગંભીર અને કઠિન પ્રશ્નનું પણ યોગ્યઅગ્ર સમાધાન થઈ ગયું હતું. દેશમાં સર્વત્ર શાતિ સંપાદન થઈ હતી. કમ્પનીને વેપાર બંધ થશે, અને હિંદના રાજ્યકર્તાજ તરીકે હવે તે ઉભી રહી. ૧૮૧૭માં કલકત્તામાં, અને ૩૪માં મુંબઈમાં, ઇંગ્રેજી પાઠશાળાઓ સ્થપાઈ. સને ૧૮૩૬ માં છાપાનું સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું. યુરોપ અને હિંદ વચ્ચે વરાળથી વ્યવહાર શરૂ થયો. ખરચમાં કરકસર કરવામાં આવી. વાર્ષિક ઉપજમાં વધારો જણાવા લાગ્યો. અને સ્વદેશીઓને રાજ્ય વહીવટના કામમાં વધારે કામગિરી આપવામાં આવી. બ્રિટિશ રાજ્યનો હેતુ હિંદના લેકેનું કલ્યાણજ છે, એ ધોરણ, ધોરણ તરીકે તે સ્વીકારાયું. આ ઈચ્છાને પ્રજાએ વધાવી લીધી. તેમનામાં માનસિક જાગ્રતિનો ઉદ્દભવ થયે; અને ઉત્કર્ષ અને અભ્યદયનાં ચિન્હો દેખાવા માંડ્યાં. એટલા માટે આ વર્ષ હિંદના અર્વાચીન ઇતિહાસમાં એક સ્વાભાવિક મુકામનું સ્થાન છે. આ વર્ષ સુધીના આર્થિક ઈતિહાસનું અને વકન કર્યા પછી વિકટોરિયન યુગનું અવલેકના બીજા ભાગમાં કરવાનું ધાર્યું છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
પ્રકરણ ૨ જી.
૧૯
અગાળાની હકીકત. ૧. મુલકી વેપાર, ૧૯૫૭-૬૫
અઢારમા સૈકામાં જેમ દુનિયાના ખીજા ભાગામાં હતું તેમ આપણે ત્યાં પણ એક ઠેકાણેથી બીજે ઠેકાણે માલ લાવવા લઇ જવામાં ચીલાવે આપવા પડતા. પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ પોતાના માલ ચીલાવેરામાંથી મુકત કરવાનું પૂરમાન મેળવ્યું હતું. યુરેાપમાંથી જે માલ તે આયાત કરતી અને અહીંથી નિકાસ કરવા જે માલ તે લેતી તેના ઉપર ચીલાવેરા લેવામાં આવતા નહિ. જકાતની ચેાકીએ ઇંગ્રેજ પ્રેસિડન્ટ અથવા કારખાનાના વડાના હાથદસ્કત બતાવ્યા એટલે કમ્પનીનેા માલ સર્વે તરેહના વેરામાંથી મુક્ત થતા.
૧૭૫૭ માં પ્લાશીના યુદ્ધમાં વિજય પામ્યાથી બંગાળામાં ઈંગ્રેજી પ્રજાની આબરૂ વધી; અને કમ્પનીના નાકરો હવે પેાતાને ખાનગી જોખમે કેટલોક વેપાર કરવા લાગ્યા. જે લાભ કમ્પનીના માલને મળતા તેજ લાભ કમ્પનીના નાકરા પેાતાના ખાનગી વેપારને માટે પણ લેવાનું મન કરવા લાગ્યા. બંગા ળાના નવાબેાએ કમ્પનીના આમદાની રવાનગી વેપારવેરા લીધા વિના ચલાવવા દેવાનું કબુલ કર્યું હતું; પણુ કમ્પનીના તકરાએ તે હુક પેાતાના ખાનગી વેપારને પણ લાગુ પાડયા, અને બંગાળાના એક ભાગમાંથી બીજા ભાગમાં જે માલ તેઓ લઇ જાય તે પણ વેરા વગર લઇ જવાના દાવા કર્યાં.
૧૭૫૭ માં કલાઇવે મીરાને બગાળાને નવાબ બનાવ્યો. મીર જાપુર નાલાયક રાજા નીવડયા. અને બ્રિટિશની સાથેના કાલકરાર પાળી શક્યા નહિ; એટલે ૧૭૬૦ માં તેને પદભ્રષ્ટ કર્યો અને મીર કાસમને નવાબ બનાવ્યો.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રકરણ ૨
. '
નવા નવાબે બર્દવાન ચિતોંગ અને મિદનાપુર એ ત્રણ પરગણાંની ઉપજ કમ્પનીને આપવાનું કબૂલ કર્યું. મીરજાફર પાસે જે શું બાકી હતું તે પણ આપવાનું તેણે સ્વીકાર્યું, અને તે ઉપરાંત દક્ષિણમાં કમ્પનીને લડાઈઓ લડવી પડી તેમાં પોતાના ફાળા તરિકે પાંચ લાખ રૂપીઆ બીજ આપ્યા. ગાદીએ આવ્યા પછી બે વર્ષની અંદર મીરકાસમે આ તમામ દેવું પતાવી દીધું.
પણ વેપારના સંબંધી મુશ્કેલીઓ વધવા માંડી. કમ્પનીના કરો પિતાનો માલ વેરે આપ્યા વિના એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઇ જતા, અને
સ્વદેશી વેપારીઓને ભારે ચીલારે આપવો પડત. આથી સ્વદેશી વેપારીઓ પાયમાલ થયા; નવાબની ઉપજને ધકકે પહોં; અને કમ્પનીને નોકરીને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ.
કલાઇવ પછી ગવર્નર હેવી વેન્સીટાર્ટ આની અનિષ્ટતા સન હતે. તે તેનું નીચે મુજબ વર્ણન આપે છે:– ,
વેપારના સંબંધમાં મીરજાફર પાસે નવા હક માગ્યા ન હતા. કમ્પનીને કંઈ જોઈતા પણ ન હતા. ૧૭૧૬ માં તેમની સાથે જે સરતો કરવામાં આવી હતી તેનાથી તેને સંતોષ હતો અને નવાબે આપખુદીથી જે જવાબદારીઓ તેમના ઉપર નાંખી હોય તેનાથી મુક્ત થવા માગતી હતી. પણ જ્યાં આપણો પ્રભાવ જણાવા લાગ્યો કે તરતજ કમ્પનીના નોકરો અને તેમની દેખરેખ નીચે કામ કરતા બીજા માણસોએ કેટલીક નવી રીતે દાખલ કરી. જે ચીજોનો વેપાર કરવાની પહેલાં મનાઈ હતી તેનો તેઓ વેપાર કરવા લાગ્યા અને નવાબના મુલકના કારભારમાં હાથ ઘાલવા માંડશે.” તેમના પછી મિ. વર્લ્ડ આવ્યા. તેઓ પણ તેજ મતલબનું લખી ગયા છે.
વેર આપ્યા વિના વેપાર ચલાવવામાં આવતું, અને તેને અંગે લોકના ઉપર બેસુમાર જુલમ થતું. અંગ્રેજ ગુમાસ્તાઓ લેકને ત્રાસ આપીને સંતોષ ન માનતાં રાજાની સત્તાને પણ પગતળે ચાંપતા અને જ્યારે નવાબના અધિકારી જુલમ અટકાવવાનાં પગલાં ભરતા ત્યારે તેમજ બાંધીને માર
Page #32
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઈતિહાસ.
૨૧
મારવા સુધી ચૂકતા નહિ. મીરકાસમ સાથે લડાઈ થવાનું તાત્કાલિક કારણ આ હતું.”
નવાબ મીર કાસિમે પોતે પણ આ બાબતમાં કમ્પનીને એક સખત પત્ર લખ્યો હતો.
કલકત્તાથી કાસમબઝાર, પટના, ધાકા વિગેરેનાં સર્વ કારખાનામાંથી અંગ્રેજ મુનીમ તથા તેમના ગુમાસ્તા, કામદારો તથા આડતીઆઓ મારા રાજ્યમાં ઉઘરાતદાર, ઇજારદાર, જમીનદાર, અને તાલુકદારની માફક વર્તે છે અને કમ્પનીને વાવટો ચડાવીને મારા અમલદારોને કંઈ સત્તા ભોગવવા દેતા નથી. આ સિવાય આ દરેક ગામમાં, પરગણામાં અને ગામડામાં આ ગુમાસ્તાઓ તેલ મરચાં ઘાસ, વાસી ચોખા,ડાંગર, સોપારી અને બીજી ચીજોને વેપાર કરે છે. અને કમ્પનીના દસ્કત વાળે દરેક માણસ કમ્પની જેટલેજ હક પિતાને છે એમ માને છે.”
મીરકાસમની ફરીયાદ પાયાવાળી હતી, અને કમ્પનીનો પટનાને આડતીઓ મિ. એલિસ પિતાની વર્તણુંકથી નવાબને ખાસ દુશ્મન થ હતો. એકઆમિનિયન વેપારી ઉપર નવાબને માટે થોડાક જવખાર ખરીદવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આથી કપનીના હક્કને નુકશાન પહોંચ્યું મનાયું; અને એલિસે એને પકડાવીને બેઠી ઘાલી કલકત મોકલાવી દીધો. બ્રિટિશ લશ્કરના બે સિપાહીઓ ભાગીને નવાબના રક્ષણ નીચે ઘીરના કિલ્લામાં રહ્યાનું ધારવામાં આવ્યું. એલિસે પિતાના નોકરોને આ કિલ્લાની ઝડતી લેવા મોકલ્યા પણ સિપાહીઓ જડ્યા નહિ. આવી વર્તણુકનું ગેરવાજબીપણું તે વખતે, વૈરન હેસ્ટિંગ્સ જે તે વખતે ગવર્નરની સભાનો એક સભાસદ હો, તે પામી ગયો હતો. અને તેમાંથી કોઈક દહાડે ઉઘાડ હેલ થશે એમ તે માનતો.
* મીરકાસમનો પત્ર તા. ૨૬ મી માર્ચ સને ૧૭૬૨.
.
.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨
પ્રકરણ ૨ જી.
એલિસના સંબંધમાં તે લખે છે કેઃ
“એલિસના સંબંધમાં મારે શું કરવું તે મને સૂઝતુ ં નથી. તેની નવાખ તરફ્ની વર્તણુંક કેવળ અક્ષન્તવ્ય છે. જગની દૃષ્ટિએ તેા એમજ દેખાય છે કે આપણે નવાબની સત્તાની અવગણના કરીએ છીએ; એના અમલદારાને કદ કરીએ છીએ; એના કિલ્લાએ સામે આપણા સિપાહીઓને માકલીએ છીએ અને એમ કહેવામાં આવેછે કે અ ંગ્રેજના કારખાનાના મુનીમ નવાબની સુબાગિરીને હક સ્વીકારતા નથી. આવાં ચિન્હ હોય ત્યાં કાઇ દહાડા ઉઘાડે! દ્વેષ થશે એ નિર્વિવાદ છે.’
ફૅમ્પનીના નાકરા ખાનગી વેપાર, વેરે। આપ્યા વિના ચલાવે, તેની સ્નામે હેસ્ટિંગ્સ મૂળથી વાંધા લેતા આવ્યા હતા અને તેથી બંગાળાના લેાકેાના વેપારને ધર્મકા પહોંચે છે તેમ તે સમજતા; અને તે તેને સારૂં' લાગતું નહિ. એ સ્વાર્થમાં આંધળા થયા નહાતા, અને પેાતાના સ્વદેશીએ તરફ સ્વાભાવિક પ્રેમ છતાં બંગાળાના લેાકેાને થતા ગેરઇન્સાફની હામે પોતાના અવાજ ઉઠાવવામાં તે અચકાયા ન હતા. બંગાળાના ગવર્નરને લખેલા એક પત્રમાં અ ંગ્રેજના નામથી જે જુલમ વર્તતે તેની હામે તેણે સખત વાંધા ઉઠાવ્યાછે, અને તે કારણથી નવાબ અને અ ંગ્રેજ વચ્ચે દૃઢ અને લાંબે વખત નભી શકે એવી મૈત્રી બાંધવાના બધા પ્રયત્ને મિથ્યાજ છે એમ સ્પષ્ટ લખેછે. વળી લખેછે કે “ હું જે જે જગા આગળ થઇને જારૢ ત્યાં ત્યાં ગ્રિજી વાવટા ફરકતા જોઇને મને અજાયબી થાયછે.” નદીમાં એક પણ હાડી ઈંગ્રેજી વાવટા વિનાની મારા જોવામાં આવતી નથી. ગમે તે હક્કથી આ વાવટા ક્રૂરકાવવામાં આવતા હોય પણ આટલું તો ચાક્કસછે, કે તેથી નવાખની ઉપજને, દેશની શાન્તિને અને આપણી પ્રજાની આબરૂને નુકશાન પહેાંચ્યા વિના રહેવાનું નથી, ’’
“ અમારી આગળ ચાલતી સિપાહીની માંડળી જે લૂટાઢ અને ઉદ્ધતાઈથી ફાર્મ કરતી તેની મને ખબર છે અને તેને એકલા
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૩
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
મૂક્યા હૈાય ત્યારે તેઓ કેવા જુલમ કરે છે. તે પૂરા પુરાવા આપેછે. તેમના સ્વામી મારી પાસે ઘણી ફરિયાદો લાવવામાં આવી હતી. ઘણાં ખરાં નાનાં શેહેરે અને સીરાએ તે। અમે પહાચ્યા એટલે ખાલી થઈ ગયાં, તે એવા ભયથી કે અમારા તરફથી પણ તેમને તેવીજ રીતે પરખાવવામાં આવશે. સાહેબ, આપ જાણે છે કે આવી નાની નાની ભૂલા-ઉધાડી ફરિયાદ કરવા જેવી પશુ નહિ તેવી નજીવી ભૂલે આપણે હાથે ફરી ફરીને થવાથીજ આપણા રાજ્યના સબ ંધમાં બહાર ગામના લોકેા બહુજ પ્રતિકૂળ અભિપ્રાય ધરાવતા થયા છે.’
હેસ્ટિંગ્સ હિંદમાં ધણા વખત રહ્યા હતા અને બ્રિટિશના રાજ્ય સ્નામે લોકા અણુગમા ધરાવતા તે વાત બરાબર જાણીનેજ તેણે લખી હતી. આ બાબતની સિયરમુતખરીતના લેખક પણ પુષ્ટિ આપેછે.
તે લખેછે કે એમનામાં (અંગ્રેજમાં) નિશ્ચય અને હિંમતની સાથે સાવધાની અને ડાહાપણ છે. વ્યૂહરચનામાં અને યુદ્ધકોશલમાં પણ તેમની બરોબરી કરી શકે તેવા કાઇ નથી. આટલા બધા યુદ્ધકૈાશલની સાથે જો તેઓ રાજ્યકલામાં કુશલ હાય, પોતાની લશ્કરી જરૂરીયાતા ઉપર જેટલું ધ્યાન આપેછે અને જેટલી બુદ્ધિ ખરચે છે તેટલું ધ્યાન ખેડુ અને ગૃહસ્થવર્ગની જરૂરીયાતો ઉપર અને ખુદાના લાકને દુઃખમાંથી છૂટા કરી સુખી કરવા તરફ આપતા હત તે તેમના કરતાં વધારે લાયક પ્રજા ભાગ્યેજ મળી આવે. પણ વતનીઓના કલ્યાણને માટે તેએ એવા તો એ દરકાર છે કે તેમની પ્રજા જ્યાં ત્યાં પાકાર કરેછે અને દરિદ્ર અને દુઃખી થઇ ગઈછે. એ ખુદા ! તારા દુ:ખી નાકરાની વારે આવ, અને તેમને જે જુલમા ખમવા પડેછે તેમાંથી તેમને છેડવ.” બંગાળાને નવાબ પણ સરકારને વાજબીપણુ પરિણામે નિષ્ફળ ફરિયાદો કર્યે ગયા.
એક પત્રમાં તે લખેછે કે કમ્પનીના ગુમાસ્તાએ દરેક પરગણામાં અને દરેક ગૂમમાં મીઠું, સેાપારી, ધી, ચોખા, ધાસ, વાંસી, મચ્છી, ગુણપાટ,
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ.
આદુ, ખાંડ, તંબાકુ, અફીણ વિગેરે ઘણી ચીજોનો વેપાર કરે છે. રૈયતનો અને વેપારીને માલ તેઓ કિંમતના ચોથા ભાગના પૈસા આપી ભારે જુલમે ઉપાડી જાય છે, અને તેવી જ રીતે જોર જુલમથી એક રૂપીયાના માલના પાંચ રૂપીયા રૈયત પાસેથી લે છે. દરેક પરગણામાં મારા અમલદારો પોતાનો અમલ બજાવતા બંધ થયા છે અને આ જુલમથી મારી ફરજ હું બજાવી શકતો નથી, તેથી મને વર્ષે દિવસે લગભગ પચીસ લાખ રૂપિયાનું ઉપજમાં નુકસાન છે. ખુદાની મહેરબાનીથી મેં જે સંધિપત્ર કર્યું છે તેની શરતો મેં તોડી નથી તેમ તેડવા ઇરાદે પણ નથી; ત્યારે અંગ્રેજી કારખાનાઓના વડાઓ મારા રાજ્યકારભારને નિંદાપાત્ર બનાવવામાં અને મને નુકસાન પહોંચાડવામાં શા માટે શામિલ થતા હશે ?”
કમ્પનીના ગુમાસ્તાનાં કુનો વધારે વિગતવાર હેવાલ સાર્જન્ટ બેગના પત્ર ઉપરથી મળી આવે છે.
“એક કોઈ ગૃહસ્થ અહીં પિતાને માટે કંઈ માલ લેવા કે વેચવા કોઈ ગુમાસ્તાને મોકલે છે. તે તરતજ કોઈપણ રૈયતને પિતાનો માલ લેવા કે વેચવા ફરજ પાડવાને પોતાને અધિકાર મળ્યો એમ માની લે છે. અને જે સામો માણસ અશક્તિને લીધે ના પાડે, તો કાં તેને સોટીઓ પડે છે કે કેદખાનાને શરણ થવું પડે છે. એટલું જ નહિ પણ પોતે જે ચીજને વેપાર કરતા હોય તે ચીજનો વેપાર બીજા કોઈને કરવા ન દેવ તે સારૂ બીજું બળ વપરાય છે. અને જે ગામડાંના લોકે તે પ્રમાણે કરે તો તરત પોતાની સત્તાનો અમલ થાય છે. વળી જે માલ તેઓ લે છે તે માટે પણ ઘણામાં ઘણી મહેરબાની કરે તે બીજા જે કિંમત આપે તેના કરતાં ઘણી ડીજ આપવી; અને વખતે તેના પૈસા આપવાની ના પણ કહેવી. જે હું વચમાં પડું તે તરત જ ફરિયાદ થાય. આવા જુલમો હમેશ થાય છે તેથી આ–બાકરગંજ જેવો માહોલ ઉજજડ થઈ ગયું છે. હમેશાં વધારે સલામતી વાળી જગાની ધમાં લેકે ચાલ્યા
* નવાબને પત્ર તા. મે ૧૭૬૨.
Page #36
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
૫
જાય છે અને જ્યાંના બજારમાં પહેલાં લક્ષ્મી ઉભરાતી હતી, ત્યાં અત્યારે કાંઇજ પેદા થતું નથી. તેમના પટાવાળાઓને લાકા ઉપર જોર જુલમ કરવાની છૂટ છે. અને જે જમીનદાર અટકાવવા આવે તે તેને પણ ધમકી આપવામાં આવે છે. પૂર્વે ઇન્સાફ કચેરીમાં અપાતા હતા, પણ હવે તો દરેક ગુમાસ્તા ન્યાયાધીશ થયા છે, અને દરેકનુ ઘર કચેરી થઇ પડી છે. તે ખુદ જમીનદારને શિક્ષા સભળાવે છે, અને જમીનદારના પટાવાળાએ સાથે લાખાલી થવાનું અથવા તે કાંઇ ચારી ગયા છે એવું કાંઇ અહાનું બતાવી તેમની પાસેથી પૈસા પણ કઢાવે છે.”
એવેજ હેવાલ ડાકાના કલેક્ટર મહમદઅલીએ કલકત્તાના ગવર્નર ઉપર લખેલા પત્રમાં પણ મળી આવે છે.
( ૧ ) કેટલાક વેપારીઓ ઈંગ્રેજી કારખાનાંવાળાઓ સાથે પેાતાનું હિત જોડી પેાતાના મવા ઉપર ઇંગ્રેજી વાવટા ઉડાડે છે અને પેાતાનેા માલ અંગ્રેજોને માલ છે એવું ડાળ કરી જકાત વગેરેની બાબતમાં ફાયદા કરવાના હેતુથી ઉપાડી જાય છે. ( ૨ ) લકપુર અને ડાકાના ગુમાસ્તા તમાકુ, રૂ, લેટુ વિગેરે પરચુરણ ચીત્તે બજાર ભાવ કરતાં વધારે કિમ્મત આપીને લેાકને ખરીદવાની ફરજ પાડે છે; અને પછી જોરજુલમથી પૈસા વસુલ કરે છે. વળી પટાવાળાઓને માટે ભથ્થાના પૈસા લે છે અને કરાર તેડવા માટે દંડ પણ લે છે. આથી એ રંગ અને બીજી જગાએ કેવળ ઉજ્જડ થઇ ગષ્ઠ છે. ( ૩ ) લકીપુરના ગુમાસ્તાઓએ તાલુકદારના ઇજારાનાં પરગણાં તાહસીલદાર પાસેથી ખુચાવી લીધાં છે અને હવે ભાગ દેતા નથી. કેટલાક લોકોની ઉશ્કેરણીથી તેઓ કઇ ફરિયાદી કરવાનું કારણ હોય ત્યાં દસ્કત આપીને યુરોપીયને અને સિપાહીઓને ગામામાં મેકલે છે અને ત્યાં તે તાફાન કરે છે. જુદી જુદી જગાઓએ તેએ ચાકીએ મૂકે છે, અને ગરીબ
* પુત્ર તા. ૨૬ મે ૧૯૬ર.
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જું.
લેકોના ઘરમાંથી જે હાથમાં આવે તે વેચાવી નાંખે છે; અને પૈસા પિતે ગાંઠે બાંધે છે. આવા તોફાનોથી દેશ પાયમાલ થઈ ગયો છે; લોકો પિતાનાં ગામોમાં અને ઘરમાં રહી શકતાં નથી અને માલ ગુજારી આપી શકતા નથી. (૪) કેટલીક જગોએ મિ. કેવેલીયરે જોરજુલમથી નવા બજાર સ્થાપ્યાં છે અને નવાં કારખાનાં ઉઘાડયાં છે અને પોતાના નામના ખોટા સિપાહીઓ રાખ્યા છે અને તેઓ જેને જોઇએ તેને પકડીને દંડે છે. આવા જુલમગાર કૃત્યોથી ઘણું હાટ, ઘાટ, પરગણું, ઉજજડ થઈ ગયાં છે. ”
ઉદ્યોગ, જ્યારે આખે અંદરના વેપાર દરેક જીલ્લામાં કમ્પનીના કરો અને આડતીયાઓને લીધે આમ અવ્યવસ્થિત થઈ રહ્યું હતો ત્યારે જે રીતેથી તેઓ પાકે માલ વેપાર માટે મેળવતા તે પણ એટલી જ જુલમગાર હતી. મિ. વિલ્યમ બટ નામને એક અંગ્રેજ વેપારી આંખે દેખ્યાના પુરાવાને આધારે લખે છે કે –
“હવે એમ કહી શકાય કે કમ્પનીને આખો અંદરનો વેપાર અને ખાસ કરીને યુરોપને માટે જેમાં નાણાં રોકવામાં આવ્યાં છે, તેને વહીવટ એક સતત જુલમને પ્રસંગ થઈ પડે છે. આની નુકસાનકારક અસર દેશના દરેક વણકર ભોગવે છે, કારણ કે જે માલ નીકળે છે તે બધે એકહથ્થો કરી નાંખવામાં આવ્યો છે. ઇગ્રેજો અને તેમના વાણીયા અને કાળા ગુમાસ્તાઓ કંઈપણ ધેરણ વિના તે માલકે કહાડવો તે અને તેની કિસ્મત નક્કી કરે છે. એક ગુમાસ્તો એક શહેરમાં આવ્યો એટલે એક રહેવાનું મકાન લે છે જેને તે કચેરી એવું નામ આપે છે. ત્યાં પિતાના પટાવાળા અને હલકારાને મોકલી, આવેલા દલાલને અને વણકરોને બોલાવે છે. પછી એમના શેઠ પાસેથી પૈસા આપી આ વણકર પાસે અમુક ભાલ અમુક તારીખે અમુક
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૭
બ્રિટિશ હિંદુસ્તાતને આર્થિક ઈતિહાસ. કિસ્મતે આપીશું એવા દસ્તાવેજ કરાવી લે છે; અને થોડાક પૈસા અગાઉથી આપે છે. ગરીબ બીચારા વણકરની કબુલાત કંઈ જરૂરની ગણાતી નથી. કારણ કે, જ્યારે ગુમાસ્તા કમ્પનીના નામથી આવે છે ત્યારે પિતાની મરજી પ્રમાણે વણકર પાસે લખાવી લે છે, અને જે વણકરે પૈસા લેવાની ના પાડે તે તેમના લુગડાને છેડે પૈસા બાંધવામાં આવે છે અને પછી માર મારીને તેમને ઘેર એકલી દેવામાં આવે છે. આમાંના કેટલાક વણકરોનાં નામ કમ્પનીના ગુમાસ્તાનાં પત્રકમાં દાખલ કરવામાં આવેલાં છે, અને તેમને બીજા કોઈને માટે કામ કરવા દેતા નથી, એટલું જ નહિ પણ જેમ ગુલામ હોય તેમ એક ગુમાસ્તાના પત્રકમાંથી બીજા ગુમાસ્તાના પત્રકમાં તેમની બદલીઓ થાય છે અને ઉત્તરોત્તર તેમને નવા નવા ગુમાસ્તાની લુચ્ચાઈ અને જુલમને તાબે થવું પડે છે. આ ખાતામાં જે લુચ્ચાઈ ચાલે છે તે કલ્પી પણ શકાતી નથી. પણ બધાને છેડે બીચારા વણકરને દગો દેવામાં આવે છે. કારણ કે નીમવાનદારોની સાથે સંપ કરીને કમ્પનીના ગુમાસ્તાઓ માલની જે કિમત કરાવે છે કે જાહેર બજાર ભાવ કરતાં ૧૫ થી ૪૦ ટકા જેટલી ઓછી હોય છે. વળી કમ્પનીના આડતીઆઓ જે વણકર કરાર પ્રમાણે માલ પૂરો ન પાડી શકે તેમની ઘરવખરી માલ મતા વિગેરે જપ્ત કરે છે અને બેટ પૂરી કરવા સારૂ હરાજી કરાવે છે, અને કાચા રેશમના કકડાં કરનારાઓ ઉપર કેટલેક ઠેકાણે એવા જુલમ થાય છે કે કેટલાકે તે પોતાના અંગુઠા કાપી નાંખ્યા છે તે એટલા સારૂ કે તેમના ઉપર કોકડાં કરવા માટે જુલમ ન થઈ શકે.
ખેતી. કારીગરોની આ દશા હતી એટલું જ નહિ પણ ખેતીની પણ એવી જ સ્થિતિ હતી. કારીગરો ખેતી પણ કરતા હતા.
“જે રૈયત ખેતી પણ કરે છે અને બીજો હુન્નર પણ કરે છે, તેઓ કમ્પનીના ગુમાસ્તાઓના જુલમથી ખેતી સુધારી શકતા નથી અને મહેસુલ આપ
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જું. વાની પણ શક્તિ ધરાવતા નથી. મહેસુલ ન આપવાથી વસુલાતી અધિકારીઓ તેમના ઉપર જુલમ કરે છે, અને ઘણીવાર તો આ ગીધોએ તેમને જમીનની મહેસુલ આપવા સારૂ પિતાનાં છોકરાં વેચવાની અથવા બીજી રીતે દેશ છોડીને નાસી જવાની ફરજ પાડી છે.”
આટલા ઉતારા બસ છે.
અંગ્રેજ ગવર્નર, અંગ્રેજ કાઉન્સીલના સભાસદ, અંગ્રેજ વેપારી, નવાબની ખુદની ફરિયાદો અને એક મુસલમાન ઇતિહાસકારના લેખેમાંથી આ ઉતારા લીધા છે અને આ બધા જુદા જુદા સ્થળોમાંથી એકજ શેકવાર્તા ખડી થાય છે. બંગાળાના લોકોને જુલમનો અનુભવ હતો પણ તેઓ આવા, ગામે ગામે અને ઝુંપડે ઝુંપડે અને સાથે સાથે પહોંચે એવા જુલમ નીચે કોઈ દિવસ રહ્યા નહતા. સત્તાધીશોનાં આપખુદી કૃત્યોને પણ તેમને અનુભવ હતો પણ તેમના વેપાર, ઉદ્યોગ અને જીવનને આવી રીતે ધક પહોચાડનાર વ્યવસ્થિત પદ્ધતિનાં દુઃખ તેમણે પહેલાં કદી જોયાં હતાં એમના ઉદ્યોગને ઝરા બંધ થઈ ગયા, એમની લક્ષ્મીનાં મૂળ સુકાઈ ગયાં.
વાન્સિટાર્ટ અને હેસ્ટિંગ્સ, બંગાળામાં બે અંગ્રેજો આ અનિષ્ટતાને છેડો લાવવાને મથતા હતા. તે વાન્સિટાર્ટ અને હેસ્ટિંગ્સ. તેઓ નવાબ મીરકાસમને મળી ઘરમેળે સમાધાન કરવા સારૂ માંધીર આવ્યા. મીરકાસમ સ્વછંદી રાજા હતો. તેની પણ બુદ્ધિ સ્વચ્છ હતી. પોતે બલવાન અને સ્વછંદી હોવાનો તે પુરા તેણે આપ્યો હતો; પણ કમ્પનીની સામે પોતાની અશકિત તે સમજતો હતો અને વાસિટાર્ટ અને હેસ્ટિંગ્સ એ બેનેજ પિતાના મિત્રો માનતો હતો. જે બાબતેમાં છૂટ મૂકવાની માગણી કરવામાં આવી તે છૂટો તેણે મૂકી અને ત્રણે જણું સમાધાની ઉપર આવ્યા તે આ પ્રમાણે –
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૯
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. (૧) દરીઆ રસ્તે જે આમદાની અથવા રવાનગી વેપાર થાય તેને માટે કમ્પનીના દસ્કત આપવા; તેને કઈ કનડગત ન કરવી અને તેના ઉપર કંઈ જકાત ન લેવી.
( ૨ ) દેશમાં ને દેશમાં જે વેપાર ચાલે તેમાં જે ચીજો દેશમાં પાકતી અને પેદા થતી હોય તેને માટે કમ્પનીના દરકત આપવા; અને તેવા માલ ઉપર નક્કી કર્યા પ્રમાણે જકાત આપવી.
આ સિવાય બીજી પણ સરતે તેમાં હતી.
આના કરતાં વધારે વાજબી સરતો શી હોઈ શકે ? પણ કલકત્તામાં તો આના ઉપર એક મોટું તોફાન જાગ્યું. એલિઅટ, હે, અને વચ્ચે એવો અભિપ્રાય દફતર ઉપર નો કે વાન્સિટાટે કબુલ કરેલા ધારા અંગ્રેજ તરીકે આપણી આબરૂને ધકકો પહોચાડે એવા છે; અને તમામ જાહેર તથા ખાનગી વેપારને પાયમાલ કરે એવા છે. કાઉન્સિલની સભા તા. ૧૫ મી ફેબ્રુઆરીને રોજ મળી. તા. ૧ લી માર્ચ તેના ઉપર ગંભીર ચર્ચા થઈ. એ ઠરાવ કરવામાં આવ્યો કે કમ્પનીના કરોને અંદરનો વેપાર જકાત વિના ચલાવવાનો હક છે. નવાબના હકના અંગીકાર તરીકે માત્ર મીઠા ઉપર અઢી ટકા જકાત આપવામાં આવશે. અને વાસિટાર્ટની તમામ માલ ઉપર નવ ટકા જકાત આપવાની મુલત નામંજુર કરવી.” આ ઠરાવથી વાન્સિસ્ટાર્ટ અને હેરિટંગ્સ જુદા પડયા.
આ પ્રમાણે સ્વાર્થી માણસેએ સ્વાર્થ સાચવવાનો ઠરાવ કર્યો. વરન હેસિનો મત ન્યાયી હતો. હેસ્ટિસના શેરામાંથી નીચેનાં થોડાં વાક્યો સંભારી રાખવા જેવાં છે.
હું એક ઘણી જ હલકી સ્થિતિમાં હતો તે વખતે આ દેશના લોકોમાં રહ્યો છું. તે વખતે આપણે નવાબી રાજ્યમાં એક ગુલામ જેવા પરતંત્ર હતા, તે પણ નવાબીના અમલદારો અને જમીનદારો આપણે માટે ઘણી દરગુજર કરતા અને કંઈક માન પણ આપતા. તેથી આજે જે ઠરાવ રાજ્યસભા કરે
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ.
છે તે હેળા અનુભવથી, ન્યાયી નથી એમ હું ખાત્રીથી કહું છું. અને ઉમેરવાની રજા લઉં છું કે જે આપણા લોકે ધણી થઈ પડવાની અને પ્રજાને પીડવાની દાનત ન રાખતાં વાજબી અને પ્રમાણિકપણે વેપાર કરે અને નવાબીની વાજબી સત્તાને તાબે થાય તે તેમને માન મળે અને તેમની ચાહના થાય; અને અંગ્રેજનું નામ ઠબકાને પાત્ર થવાને બદલે સર્વત્ર માન પામે. આપણા વેપારથી દેશને ફાયદો થાય અને આપણી સત્તાને ગરીબ પ્રજાને નુકસાન અને જુલમને તાબે કરનાર એક “હાઉ તરીકે ન ગણતાં, અભયદાતા અને આશીર્વાદ રૂપ ગણવામાં આવે.”
કલકત્તાની સભાએ કરાર નામંજુર કર્યાનું મીરકાસમે સાંભળ્યું. અને કરાર પ્રમાણે જે હુકમ તેણે કહાડેલા તેને અમલ થતો અંગ્રેજોએ અટકાવ્યું. આ વખત થઈ આવેલા અમારી ક્રોધમાં મીરકાસમે પૂર્વ કોઈ પણ રાજાએ ન કરેલું એવું એક પગલું ભર્યું. એણે પિતાની ઉપજનું બલિદાન કર્યું અને તમામ મુલકી જકાત રદ કરી; તે એવા હેતુથી કે પિતાની રૈયત ઈસ્ટઈન્ડિયા કમ્પનીના નેકરોની સાથે સરખા હકથી વેપાર કરી શકે.
હવે શું થયું ? માનતાં આંચકો ખાવા જેવું છે પણ વાત ખરી છે કે કલકત્તાની રાજ્યસભાએ આ પગલું બ્રિટિશ સાથે વિશ્વાસઘાત જેવું છે એમ જણાવી વાંધો લીધે! જેમ્સમિલ એના હિંદુસ્તાનના ઈતિહાસમાં લખે છે કે “આ વખતની કમ્પનીના નેકરની વર્તણુંક, ન્યાય અને શરમના ભાનને પણ ભુલાવી નાંખવાની જે સતા, સ્વાર્થના અંગમાં રહેલી છે, એનો એક નામ દાખલ છે; અને વિલ્સન આના ઉપર ભાષ્ય લખે છે કે “ આ કામના સંબંધમાં કંઈપણ મતભેદ હોઈ શકે નહિ. વેપારના લેભથી જન્મેલી અયંત ટુંકી નજરના સ્વાર્થિપણાથી, કાઉન્સિલના સભાસદોએ વિવેક-વિચાર ન્યાયબુદ્ધિ અને રાજ્ય નીતિનાં સ્પષ્ટ વચનને પણ હઠીલાઈથી પોતાની પાસે
Page #42
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૩૧ આવવા દીધા નહિ. માત્ર વાન્સિટાર્ટ અને હેસ્ટિંગ્સ આના અપવાદ હતા અને તે માટે એમને ઘણું માન ઘટે છે.”
વાન્સિસ્ટાર્ટ અને હેસ્ટિંગ્સ પોતાના મતભેદની અણીદાર નેધ કરી; એક સ્થળે લખ્યું છે કે, “ કે, તમામ વેપાર આપણે આપણું હાથમાં જ રાખવા અને આપણે આપણા બધા લોકોને મી પેદા કરવામાં કામે લગાહવા, અને જમીનમાં પેદા થાય તે ચીજે ચીજ આપણે લેવી, એવો ઠરાવ કરે એમાં આપણે સ્વાર્થ હશે; પણ આ મુલકના બધા વેપારીઓને વેપાર કરવાનાં સાધનો વિનાના કરી મૂકવાના આપણે પ્રયત્નમાં નવાબ આપણી “શામિલગિરી કરશે એ ધારવા જેવું નથી.” આ શબ્દ આ પ્રકરણમાં શાં શાં પરિણામો સમાયેલાં હતાં તેનો ખરો ખ્યાલ આપે છે. કમ્પનીના કરે, પિતાને માટે ખાનગી સમૃદ્ધિ ભેળી કરવાના હેતુથી, એક સંપત્તિ વાળા અને સુધરેલા દેશના વતનીઓ પાસેથી, પૃથ્વી ઉપરની બધી સુધરેલી પ્રજા નિઃશંક રીતે ભગવે છે એવા, નિરંકુશ ખેતી અને નિરંકુશ વાણિજ્યના હકે, જે આ એક સારા અને નરસા રાજ્યતંત્રમાં પણ ભોગવતા હતા, તે હકો છીનવી લેવાની ઈચ્છા કરતા હતા. કમ્પનીના નોકરોને એક બે ચીજના વેપારને અનન્યાધિકાર જોઈને નહીં, પણ બધી ચીજોમાં પિતાના વેપાર અને સ્વદેશી વ્યાપારીઓના વેપારની વચ્ચે એ અંતર કરવા ઈચ્છતા હતા કે જેથી પરિણામે બંગાળાના લોકોના, માનવસમાજના સામાન્યમાં સામાન્ય હક, પણ નાબુદ થાય. પરદેશી વેપારીઓએ એક મોટા અને આબાદ દેશના તમામ વેપારને પિતાના હાથમાં લેવાનો આ સર્વદેશી દા હથિયારના બળથી કર્યાને એક પણ બીજો દાખલો ઈતિહાસમાં ભાગ્યે જ મળી આવશે. નવાબ મીરકાસમ આ દાવાની સામે થયો અને પરિણામમાં લડાઈ થઈ.
હેનિ વાન્સિટાર્ટ જે મીરકાસમના બંગાળાના રાજ્ય દરમીયાન (૧૭૬ - ૧૭૬૫ સુધી) કલકત્તાના ગવર્નર હતું તે આ પરિસ્થિતિના સંબંધમાં નીચે પ્રમાણે લખે છે
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રકરણ ૨ જુ.
એણે કમ્પનીનાં કરજ પતાવી દીધાં, પિતાના લશ્કરની પાછલી ઉઘરાણી આપી દીધી. પિતાના દરબારનાં ખર કમી કર્યા, અને ઈલાકાની શાન્તિને વારંવાર વિનમાં નાંખનાર જમીનદારની સત્તા ઓછી કરીને મુલક ઉપર પિતાની સત્તા નિઃશંક કરી. આ બધું જોઈને મને બહુ આનંદ થયે; કારણકે હું જાણતો હતો કે મને જેમ આપણી મદતની જરૂર ઓછી પડે તેમ આપણાં ખરચ ઓછાં થશે અને આપણે આપણો મુલક વધારે સારી રીતે સંભાળી શકીશું એટલું જ નહિ પણ આપણે ઉભયના દુશ્મન સામે જ્યારે જોઈશે ત્યારે ઉપયોગી અને વિશ્વાસપાત્ર મિત્ર તરીકે એના ઉપર આધાર રાખી શકીશું. મને ખાત્રી હતી કે જ્યાં સુધી આપણે એના હકની દબાવણું કરીશું નહિ અને એની રાજ્યસત્તાને પજવીશું નહિ ત્યાં સુધી એ આપણી હામે યુદ્ધ કરવાની ઈચ્છા કરશે નહિ. અને ખરેખર કલહનો પ્રસંગ ન આપવાને માટે એ હમેશાં બહુજ સાવચેતી રાખતો તે એટલે સુધી કે આપણું ગુમાસ્તાઓના ગેરવાજબી લેભથી અને આપણું ખાનગી વેપારના સંબંધમાં આપણે નો દાવો કર્યો તેથી, તકરાર થઈ ત્યાં સુધી, અને યુદ્ધની શરૂઆત સુધી, પણ આપણને આપેલી જમીનમાં એક માણસ મોકલ્યાનો કે આપણું વેપારની એક ચીજમાં આપણને કનડગત કર્યાનો દાખલો દેખાતો નથી; અને જવખારના કામની એલિસની ઢોળ ચડાવેલી એક બે ફરિયાદ સિવાય, કંઈ પણ દરમિયાનગિરી વગર આપણો પાર દરેક ઠેકાણે સમાધાનીથી ચાલ્યો આવ્યો છે. જે ગૃહસ્થોએ એના સામે પક્ષે બાંધ્યો હતો. તેમની વર્તણુંક કેટલી જુદી હતી ? જે દિવસથી તેને સુબાગિરી ઉપર ચડાવવામાં આવે તેજ તારીખથી નવાં બાનાં બતાવીને તેની રાજ્યસત્તા ઉપર ઘા કરવાની, એના અમલદારોને પકડવાની, અને એમને ગાળો દઈને બીજી રીતે ત્રાસ આપવાની તક લીધા વિના એક પણ દિવસ ભાગ્યેજ ગયે હશે. આના દાખલા બતાવવાની કંઈ જરૂર નથી; આ હેવાલને પાને પાને એ જોવામાં આવશે.”
Page #44
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૩
આ પુસ્તકમાં કમ્પનીનાં લશ્કરી પરાક્રમનો હેવાલ આપવાનો હેતુ નથી. સને ૧૭૬૩ માં મીરકાસમ સાથે જે લડાઈ થઈ તેના પરિણામ બાબત પહેલેથી જ કાંઈ શંકા નહતી.
મંગાળા
મીકાસમ ઈગ્રેજ સામે બંગાળાના કોઈપણ રાજાના કરતાં વધારે સારી રીતે લડો, પણ ઘેરીયા અને ઉનાળા આગળ તેણે હાર ખાધી. ક્રોધના આવેશમાં પટના આગળ કેદ કરેલા ઈગ્રેજ કેદીઓને તેણે કતલ કરવાને હુકમ આપે અને પછી પોતાનું રાજ્ય હમેશને માટે છેડી ચાલતા થ. ઘરડે મીરજાફર જેને ૧૭૬૦ માં રાજ્યમાંથી ખસેડવ્યો હતો તેને અંગ્રેજો ફરીથી નવાબ બનાવ્યો; પણ એ થોડે કાળે મરી ગયો, અને એના અનરસ પુત્ર નામ-ઉદ્-દૌલાને ૧૭૬૫ માં તાબડતોબ નવાબ બનાવી દીધું.
નવા નવાબને ગાદીએ બેસાડવાના દરેક પ્રસંગે આપણું આ પ્રાચીન ક૫વૃક્ષને ખંખેરવાની તક લેવામાં આવતી હતી. પ્લાસીના યુદ્ધ પછી ૧૭પ૭ માં જ્યારે મીરજાફરને નવાબ બનાવ્યો ત્યારે બ્રિટિશ અમલદારે અને બ્રિટિશ સૈન્યને ૧,૨૩૮, ૫૭૫ પાઉંડ મળ્યા હતા, જેમાંથી કલાઈવે ૩૧૫૦૦ પાઉંડ લીધાનું કબુલ કર્યું હતું અને તે સિવાય તેણે બંગાળામાં મટી જાગીર લીધી હતી. ૧૭૬૦ માં મીરકાસમને નવાબ બનાવ્યા ત્યારે બ્રિટિશ અમલદાને ૨,૦૦,૨૬૮ પાઉંડ મળ્યા હતા, આમાંથી ૫૮,૩૩૩ પાઉંડ ખુદ વાસિટાર્ટને મળ્યા. જ્યારે ૧૭૬૩ માં મીરજાફરને બીજીવાર નવાબ બનાવવામાં આવ્યું ત્યારે ૫,૦૦,૧૬૫ પાઉંડ જેટલી રકમ વહેંચાઈ હતી. અને હવે જયારે ૧૭૬૫ માં નાજીમુદ્દૌલાને નવાબ બનાવ્યો ત્યારે ૨,૩૦, ૩૫૬ પાઉંડ પિશાકમાં વહેં. આ પ્રમાણે પોશાક તરીકે મળેલી રકમ સિવાય બીજી પણ ૩,૭૦,૮૩૩ પાઉંડની રકમ જુદે જુદે પ્રસંગે લેવામાં આવી હતી. આ બધી રકમને સરવાળે ૫૯,૪૦,૪૮૮, પાઉંડ થવા જાય છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રકરણ ૨ જી.
આ રકમા પહેાંચ્યાનું ૧૭૭૨-૭૩ માં હાઉસ ઑફ઼ કૌમન્સની કિંમટીએ ચલાવેલી તપાસ દરમિયાન પુરાવાથી અથવા અંગીકરણથી સાબીત થયું હતું. કલાને પેાતાની વર્તણુંકનું વાજબીપણું નીચે પ્રમાણે બતાવ્યું.
“મેં આ વાત કાષ્ઠ દિવસ છાની રાખી નથી. પણ ઇન્ડિયાના કાર્યાધ્યક્ષાની મન્ત્રીસભાને હું જે પત્ર લખતા તેમાં સ્પષ્ટ રીતે લખતે કે નવાબની ઉદરતાથી મારી સમૃદ્ધિ જામી ગઇ છે, અને કમ્પનીનુ હિત એજ એક હિંદમાં રહેવાને મારા હેતુ છે......કમ્પનીની નેકરીમાં મારી જી ંદગી વારંવાર જોખમમાં નાંખ્યા પછી તેમને નુકસાન ન થાય તેવી રીતે સમૃદ્ધિ સપાન કરવાના એકજ પ્રસંગ આવ્યા તે વખતે મારે સિદ્ધ થઈને બેસવું એવુ કમ્પની શી રીતે ધારી શકે ? કારણ કે હું ઓછું લઉં તેને લીધે કમ્પનીને કંઇજ વધારે મળવાનું નહતું.'
કલાવને એવું સૂઝયુંજ નહિ કે તે સમૃદ્ધિ ન્હાતી કમ્પનીની કે ન્હાતી તેની પોતાની. તે દેશની હતી અને સ્વદેશીઓના કલ્યાણને માટે જ વપરાવી જોતી હતી.
તેપણ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને ઇન્સા′ કરવાની ખાતર કહેવું જોઇએ કે નજરાણાને નામે પૈસા કઢાવવાની રીત વિરૂદ્ધ એમણે પગલાં ભર્યાં અને એમના નેકરા બગાળામાં જે મુલકી વેપાર ચલાવતા તે પણ નાપસ ંદ કર્યો. ૧૭૬૫ માં પે।શાક લેવાની મનાઇ કરી અને કમ્પનીના નાકરાએ મુલકી વેપાર ન કરવા, એ હુકમને અમલ કરવા સારૂ ફરીથી કલાપ્રવતે માકલ્યા. તે હુકમ બંગાળામાં આવી ગયા હતા અને કમ્પનીના નાકા પાસે કરાવી લેવાનાં ખતા તરતમાં આવવાનાં હતાં. વખત ખાવાના અવકાશ નહાતા એટલે કલકત્તાની રાજ્યસભાએ ઝડપથી નાજીમુદ્દોલાને ગાદીએ બેસાડી દીધા અને છેલછેલ્લા પાશાકા લઇ લીધા.
Page #46
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૫
૨. લાર્ડ કલાઇવ અને તે પછીના ગવર્નરે. ૧૭૬૫ના વર્ષથી હિંદુસ્તાનના ઈતિહાસમાં એક નવા યુગને આરંભ થાય છે. આ વર્ષમાં લોર્ડ કલાઇવ ત્રીજીવાર હિંદમાં આવ્યો અને મોઘલ બાદશાહ પાસે કમ્પનીની બંગાળાના દિવાન તરીકે નીમણુંક કરાવી. મોઘલ બાદશાહ કંઈ વાસ્તવિક સત્તા ધરાવતા નહોતા પણ હજી તે હિંદના ઈલકાબી બાદશાહ હતા અને એમના પટાથી ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને આ દેશમાં કાયદેસર સ્થિતિ મળી.
લોર્ડ કલાઈવને બહુ મુશ્કેલ કામ કરવાનું હતું. કમ્પનીને વહીવટ બગડી ગયો હતો, તેના નોકરો રૂશ્વતખોર હતા, અને રૈયત ઉપર જુલમ થતો હતો. થોડા વખતના અરસામાં આ બધું સુધારવાનું કામ કલાઈવને કરવાનું હતું. આના સંબંધમાં ૧૭૬૫ ના સપ્ટેમ્બરની ત્રીસમી તારીખે કલાઈ કમ્પનીના કાર્યાધ્યક્ષોને એક પત્ર લખ્યો છે તે હિંદના વહીવટને સંબંધમાં પ્રસિદ્ધ થયેલા પત્રમાં બહુ ધ્યાન આપવા લાયક પત્ર છે. લખે છે કે
ર મારા આવ્યા પછી મને માલુમ પડયું કે અહીને આપને વહીવટ એ તે વિપરીત થઈ ગયો છે કે સ્વાર્થની ધૂનમાં કર્તવ્ય અને પ્રતિષ્ઠાની બુદ્ધિ ખોઈ ન બેઠા હોય એવા કોઈ પણ માણસો તેનાથી ચમક્યા વિના રહે નહિ. ઘણાઓના હાથમાં એકદમ લક્ષ્મી આવી ગયાથી દરેક પ્રકારને મોજશોખ દાખલ થયો છે અને તે પણ હદ બહારનો. આખા ઇલાકામાં દરેક ખાતાના માણસોમાં આ બદીઓ લગોલગ જોવામાં આવે છે. તાબાના દરેક અધિકારીને પૈસો મેળવવાનું મન થાય છે, તે એટલા માટે કે એની અને ઉપરી અને મલદારની વચ્ચે પૈસાની ન્યૂનતાને લીધે જે અંતર રહ્યું છે તે અંતર મટી જાય, અને પોતે પણ એટલેજ રૂઆબ ધારણ કરી શકે.”
આપના નોકરો પોતાની ભવૃતિને સંતુષ્ટ કરવાનાં જે સાધનો મળી જાય તેને લાભ લે અથવા આપની સત્તાના જોરથી સાદી રૂશ્વતથી ભૂખ ન
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૬
પ્રકરણ ૨ જી.
મટે ત્યાં જબરાઈથી પૈસા કઢાવવામાં પોતાના અધિકારને ઉપયોગ કરે તેમાં કાંઈ જ નવાઈ નથી. જ્યારે ઉપરીઓ આવી રીતનો દાખલો બેસાડે ત્યારે પિતાના ગજા પ્રમાણે તાબાના માણસો પણ તેમને પગલે પગલે ચાલે એ સ્વાભાવિક છે. આ બદી ચેપી હતી અને વહીવટ તેમજ લશ્કરી ખાતાના નાનેથી મોટા અધિકારી સુધી અને ખાનગી વેપારી સુધી પણ ફેલાઈ હતી.
આ પ્રસંગે મને બે રસ્તા સૂઝયા. એક સીધો અને સરળ; જેમાંથી મને પણ અઢળક સમૃદ્ધિ અને બીજા મેટા લાભ મળી શકે; બીજે ન અને ડગલે ડગલે વિદ્ધથી ભરપૂર. જે ધોરણે કાર્યભાર-વ્યવસ્થા ચાલતી હતી તેજ ધેરણે હું પણ રાજ્યતંત્ર હાથમાં લઉં તો તે બની શકે તેવું હતું એટલે નામનો ગવર્નર રહી તે જગાનાં માન પ્રતિષ્ઠાનો નાશ થતો ચાલુ રહેવા દેવાને ધોરણે ૪ ૪ પણ એક બીજો પ્રતિષ્ઠાવાળો રસ્તો પણ મારી આગળ ઉભો હતો; તે એ કે મને લલચાવવાની અસંખ્ય યુકિતઓને લાત મારીને મારે શુદ્ધ રહેવું; સુધારો કરવા જનારની જાત સામે ષ અને ક્રોધના આવેશમાં જે જે હુમલા થાય છે તે હુમલાને માટે મારી જાતને મેદાનમાં મુકવી અને આખા સંસ્થાનની અપ્રિયતા વરી લેવી; જો આમ કરું તો મારી જગાની ફરજ બજાવવાની મારામાં શકિત છે તેનું મને ભાન હતું. આ બેમાંથી કયો રસ્ત પસંદ કરવો તે બાબત મને ક્ષણ પણ આનાકાની થઈ નહિ. નિશ્ચય ખંત અને ખમીરની જેમાં ઘણી જરૂર પડે તે ભાર મેં મારા ખભા ઉપર ઉઠાવ્ય, અને આ પ્રમાણે પસંદગી કરીને જે ફતેહ મળે તે મારા જાતિભાઈઓની પ્રતિષ્ઠા અને કમ્પનીનું અસ્તિત્વ સ્થિર થશે એવા વિચારમાં આનંદ માની સર્વ યત્ન કરવાનો મેં નિશ્ચય કર્યો.
“૧૨ કમ્પનીના નોકરોની સત્તાથી કામકાજ કરતા યુરોપિયન અને કાળા આરતીયાઓએ જુલમ અને ત્રાસનાં જે દ્વાર ઉઘાડ્યાં છે તેને માટે ઈંજના નામને આ દેશમાં હમેશને માટે બટ્ટો રહેશે. પરંતુ હવે આ બાબતને અંત લાવે અને આપણને હજી સુધી નહિ મળેલા એવા લાભનું મૂળ થાય, એવી એક
Page #48
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
બીનાને અસ્તિત્વમાં લાવવા હું શક્તિવાન થયો છું, તે વિચારતાં મને બહુ સ ષ થાય છે. તે બીના તે બંગાળ બિહાર અને ઓઢિયાની તમામ જમીનની દેખરેખ રાખવા અને તેની તમામ મહેસુલ ઉઘરાવવાનો હક એટલે દિવાનીનું સંપા દન. મેઘલ બાદશાહને આપણે નાણુની અને માણસની જે મદદ વખતો વખત કરી હતી તેના બદલામાં આ હક આપણને આપવામાં એમણે નાર લગાડી નહિ. અને તે કામ આપણને સંતોષ થાય તેવીજ રીતે પાર ઉતાર્યું છે. નવાબને માન મરતબો અને તેની સત્તાને નભાવને માટે જે સાલીયાણું આપવું પડે છે અને મેઘલ બાદશાહની જમાબંદી નિયમસર આપણે આપવી; તે સિવાય જે વધારો રહે તે કમ્પનીને. આ કમાણીથી આપની તમામ ઉપજ અઢી કરોડ જેટલી થશે. અને તેમાં વખતે વીસ ત્રીસ લાખને પણ વધારો થશે. આપનું વહીવટ તથા લશ્કરી ખરચ શાન્તિના વખતમાં સાઠ લાખથી વધારે નથી. નવાબનું સાલીયાણું ઘટાડીને ચાળીસ લાખ કર્યું છે. મોઘલ બાદશાહની જમાબંદીના છવીસ લાખ છે એટલે આપણે એક કરોડ ને બાવીસ લાખ રૂપીઆ અથવા સેળ લાખ પચાસ હજાર નવસે પાઉંડ જેટલો ચોખો વધારો રહેશે.
૧૬. હિંદુસ્તાનમાં પગ મૂકે તે વખતથી આપના તમામ નેકરને પિતાનું ખરચ બરાબર કાઢી શકે એટલો પગાર આપ, અને જેમ જેમ તેમની પાયરી ચઢતી જાય તેમ તેમ તેમાં વધારે કરે. * * * નવા નિયમો પ્રમાણે વહાણમાંથી, વેપારના નવા હકોમાંથી, અને મીઠું, સેપારી અને તમાકુમાંથી જે નફો થશે તેમાંથી, જે વધારો થશે તે દ્વારા આ બાબત અમલમાં મુકવામાં અડચણ આવશે નહિ.
“૧૯. આ વહીવટી બાબત થઈ. હવે લશ્કરી બાબતમાં મારા વિચારો જણાવવાની રજા લઉં છું. અહીંયાં જે દૂષણ છે તે એ છે કે લશ્કરી સત્તાધારીઓ વહીવટી સત્તાના પ્રદેશમાં પગપેસારો કરે છે અને તેમની સત્તાથી સ્વતંત્ર થવાનો યત્ન કરે છે + + + મારે મત એ છે કે આખું લશ્કર વહીવટ સત્તાના તાબામાં જ રહેવું જોઈએ. જો કોઈ વાર લશ્કરી ખાતું ઉપરીપણું
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જી.
ધારણ કરવા જાય તે, ગવર્નર અને તેની સભાએ, પેતે કમ્પનીના સ ંસ્થાનના નિક્ષેપી છે અને એક વહીવટી સંસ્થાની નીચે જાહેર માલ મિલકતના વાલી છે, એવી બુદ્ધિ રાખીને અથાક મહેનત લેવી જોઈએ”
×
×
X
*
કલાવના આ શબ્દોમાં નવા યુગનાં લક્ષણે આપણને સ્પષ્ટ થાય છે. અત્યાર સુધી કમ્પની માત્ર વેપારીજ હતી અને જો કે પ્લાશીના યુદ્ધથી તે બંગાળાના વસ્તુતાએ ધણી થયા હતા તે પણ આ દિવાનીના પટાથીજ વહીવટ કરવાના કાયદેસર હક તેમને મળ્યા. આ નવું કતૅવ્ય બજાવવા સંબધી કલાવે જે દરખાસ્તા કરી હતી તે આપણે જોઇ ગયા. વહીવટ તેમજ લશ્કરી ખાતાના સુધારાતે અર્થે એણે કરેલા પ્રયત્ને માટે ઇતિહાસકારા એને જે માન આપે છે તે વાજખી છે; પણ જ્યારે તેની યાજનાનું ખાસ લક્ષણ આપણે ધ્યાનમાં લઇએ ત્યારે આપણે જોઇએ છીએ કે તે બ્રિટિશ રાજ્યકર્તાઓના સ્વાર્થને ઉદ્દેશીને ઘડાયલી છે, સ્વદેશીઓના હિતને ઉદ્દેશીને નહિ. બંગાળાને એક જાગીર તરીકે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને માટે ઉપજના એક મૂળ તરીકે લેખવામાં આવ્યું હતું. ત્રણ કરોડ માણસ પાસેથી કર ઉધરાવીને ખરચ અને સાલીયાણાં બાદ કરતાં જે વધે તે દેશના હિત માટે દેશમાં ખરચવાનું ન હતું પણ કમ્પનીના નફા તરીકે ઇંગ્લંડ મોકલાવાતું હતું. એક તાબાના મુલકમાંથી કમ્પનીના ભાગીદારા માટે વર્ષોવર્ષ પંદર લાખ પાઉડ જેટલી રકમ પરદેશ માકલવાની હતી. એક ગરીબ પ્રજા પાસેથી ઉધરાવેલી મહેસુલમાંથી દુનિયામાંની સહુથી વધારે તવંગર પ્રજા તરફ સાનાની એક સતત નદી વહેવરાવવાની તે યોજના હતી.
૩૮
આમ આપણે જોઇએ છીએ કે આપણા દેશની રાજ્યવ્યવસ્થાની પહેલીજ ચેાજનામાં આર્થિક અપવાહના આર ંભ થયા, જે અત્યારે કરેાડા પાઉંડ સુધી પહોચ્યા છે. બ્રિટિશ હથિયાર તેહમંદ થયાં, અને બ્રિટિશાએ વ્યવસ્થાસર રાજ્યપદ્ધતિ દાખલ કરી પ્રજાને શાન્તિ આપી, ન્યાય આપ્યા, પાશ્ચિમાય
* હાઉસ એફ કોમન્સની મિઢીને ત્રીજો રિપેાર્ટ ૧૯૭૩ એ ૩૯૧ થી ૩૯૮,
Page #50
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૯
શિક્ષણ આપ્યું, એ બધાને માટે તેમનાં જે વખાણ કરવામાં આવે છે તે બેશક યથાર્થ છે પણ હિંદ અને ઇંગ્લંડનો નાણાં સંબંધી વ્યવહાર પ્રથમથી જ ગેરવાજબી ચાલતો આવ્યો છે; અને, આપણે દેશ બહાળી સાધન સંપત્તિવાળો છતાં, ફલકપ જમીનવાળો છતાં, ઉગશીલ વસ્તીવાળો છતાં, બ્રિટિશ રાજ્યના દોઢ વર્ષના વહીવટ પછી દુનિયામાં ગરીબમાં ગરીબ દેશ થઈ રહ્યા છે.
કમ્પનીને માટે પંદર લાખ જેટલે વાર્ષિક નફો સંપાદન કરીને પણ કલાઇવને સંતોષ ન થ હોય, તેમ, તેણે કમ્પનીના નોકરોના નફા માટે બંગાળાનો વેપાર સાચવી રાખવાને આગ્રહ કર્યો. આ ખાનગી વેપારને અંગે
તો જુલમ અટકાવવા તેણે પગલાં ભર્યા, પરંતુ કેવળ વેપારથી બંગાળાના અંગ્રેજોને ઘણો નફે આવનાર હતો તેથી કલાવે તે છોડી દે દુરસ્ત ધાર્યો નહિ. કમ્પની વિરૂદ્ધ છે એમ જાણ્યા છતાં કલાઇવ, મીઠું, સોપારી અને તંબાકુનો અંદરનો વેપાર ચલાવવાને કૃત્તનિશ્ચય હતો.
સને ૧૭૬૫ ના સપ્ટેમ્બરની ૧૮ મી તારીખે કમ્પનીના હુકમને અનાદર કરીને બીજા નોકરોની સાથે ભાગમાં જોડાઇને તેણે પતે ઉપલે વેપાર ચલાવવાનો એક દસ્તાવેજ કરી આપે. આ દસ્તાવેજમાં એક ફકરો આ પ્રમાણે છે:–
વળી એવી સરત કરીએ છીએ કે–જે ઉપર લખી ઈગ્લંડની કમ્પનીના કાર્યાધ્યક્ષની સભા એ કઈ હુકમ કહાડે અથવા કરે કે જેથી ઉપલો સહિત્યારે વેપારવણજ તેડી નાખવાને કે તદન બંધ કરવાને આજ્ઞા કે સૂચના થાય, અથવા તે વેપારવણજ કે તેના કોઈ ભાગનો વેપાર ચલાવવામાં કંઈ હરકત આવે અને તે ચાલતે બંધ થઈ જાય; અથવા જેમાં ઉપર લખ્યા દસ્તાવેજમાં નિર્દેશેલાં બતાવેલાં અથવા સમાયેલાં સર, વાક્યો, હક, નિયમો કે કરારો અથવા તેમાંના કોઈની વિરૂદ્ધ કાંઈ હોય, કે જેથી તે ગેરકાયદે અને અસર વિનાનું થઈ જાય; તે આ દસ્તાવેજમાંના અમે રોબર્ટ લોર્ડ કલાઇવ તે પ્રમુખ તરીકે અને વિલિયમ બ્રાઈટવેલ સમનર વગેરે તે, ઉપર લખી ફેર્ટ
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રકરણ ૨ જું.
વિલિયમની રાજ્યસભા તરીકે, તમને, એટલે વિલિયમ બ્રાઈટ વેલ સમનર, હેનિંરાલ્ફ લેસ્ટર, અને જોર્જ ગ્રે, અને બીજા ભાગદાર જે આ એકહથ્થા સહિયારો વેપાર ચલાવવાને હકદાર હોય કે હવે પછી થાય, તેમને અથવા તેમના વારસ વાલી અને વકીલેને સારી અને ખરી રીતે, ઇજામાંથી બચાવીશું, અને નુકશાન થશે તે ભરી આપીશું; અને તે પ્રમાણે કરવા અમે બંધાઈએ છીએ; અને ઉપર કહ્યા તેવા કઈ પણ, આ કરારની વિરૂદ્ધ હુકમ નીકળશે કે તેવી સૂચના થશે તે છતાં અમે એક વર્ષને માટે ઉપરનો એક સહિયારે વેપાર ચાલતું રાખીશું, ચલાવીશું અને ચલાવવા ફરજ પાડીશું; અથવા ચાલતે રખાવીશું ચલાવરાવીશું, અને ચલાવવા ફરજ પડાવીશું, અને તેમ કરવા આ ઉપરથી બંધાઈએ છીએ.”
લોર્ડ કલાઈવને ૩૦ મી સપ્ટેમ્બરને પત્ર મળ્યા પછી કમ્પનીના કાર્યાધ્યક્ષોની સભાએ કલકત્તાની કમિટીને ૧૭ મી મે ૧૭૬ ૬ ની તારીખનો જવાબ લખ્યું અને તેની સાથે લોર્ડ કલાઇવને એક ખાનગી પત્ર લખ્યું. કાર્યાધ્યક્ષ સભાએ લૈર્ડ કલાઇવન એની મોટી સેવાને માટે આર્ટ શબ્દોમાં ઉપકાર માન્ય; અને બંગાળ, બિહાર અને ઓરિસાની દિવાનીને અંગીકાર કર્યો. પણ સભાને માટે ઘણું માનપ્રદ છે કે તેણે ઑર્ડ કલાઇવે ઘડી કહાડેલી આંતર વેપારની યોજના રદ કરી, લખે છે કે –
પિશાક તરીકે જે જે રકમ લીધી છે તેના સંબંધમાં અમારા વિચારે ખાસ કમિટીના અમારા પત્રમાં અમે બતાવ્યા છે, અને અમે આટલું ઉમેરવાની જરૂર ધારીએ છીએ કે વેપારમાં જે પુષ્કળ સંપત્તિ સંપાદન કરી છે તે કોઈ પણ દેશકાળમાં નહિ જાણેલી એવી જુલમ અને ત્રાસની પદ્ધતિ થી થયેલી છે. આ બાબતમાં અમારા વિચારો અને હુકમે અમે આ વાત જાણી ત્યારથી એક સરખા છે. અને આ વેપારમાં જે ત્રાસદાયક જુલમે થયા છે તેને અનુભવ થયા પછી કમિટીના રજકામમાં નેધેલી સંકુચિત અને વ્યવસ્થિત રીતે પણ વેપાર ચલાવવાની બાબતમાં અમે અનુમોદન આપે
Page #52
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
૪૧
શકતા નથી; અને અમે ધારીએ છીએ કે તેથી આપ નામદારને વિસ્મય થશે નહિ.
$$
કમ્પનીના નાકરી તરફથી ચાલતા આંતર વેપારના સબંધમાં કમ્પની કૈાઇ દિવસ એલથુ ખેલી નથી. ૧૭૬૪ ના ૮ મી ફેબ્રુઆરીના પત્રમાં તેમણે તેવા વેપારની મના કરી હતી, અને ૧૭૬પના ૧૫ મી ફેબ્રુઆરીના પત્રમાં પણ તેજ નિશ્ચય સાથે તે મનાનું પુનરાવર્તન કર્યું હતું; પણ હિંદુસ્તાનમાં તે મના નાકરાએ તેની કંઈજ દરકાર કરી નહતી. હવે ૧૭૬૬ ના ૧૭ મી મેના પત્રમાં લાર્ડ કલાઈવની યેાજના પ્રમાણે વેપાર ચલાવવાની મજુરી એમણે આપી નહિ, છતાં તે હુકમ તેમણે ન માન્યા; અને કરારા થઈ ગયા છે, નાણાં ધીરાઈ ગયાં છે, એવાં બહાનાં કાઢી એ વર્ષ સુધી વેપાર ચલાવ્યે ગયા.
લોર્ડ કલાઇવે સને ૧૭૬૭ માં આ દેશ છેડયા. અને મિ. વર્લ્ડ ગવર્નર થયા, જેમણે ૧૭૭૦ સુધી અમલ ભાગવ્યો. તેમના પછી કાર્ટિયર આવ્યા તે ૧૭૭ર સુધી રહ્યા. વર અને કાર્ટિયરની કારકીર્દિમાં પ્રથમ જે જુલમ ચાલતા હતા. તે કાયમજ રહેા. કલાઇવે રાજ્યતંત્રની જે વ્યવસ્થા કરી હતી તે એવડા અમલની વ્યવસ્થા હતી. મહેસુલની ઉધરાત હજી નવાબના રાજ્ય કાશ માટે થતી; ન્યાય હજી નવાબના અમલદારને હાથે અપાતા હતા; અને દરેક કામકાજમાં નવાબની સત્તાનું મિષ આગળ ધરવામાં આવતું હતું. પણ બધા નફ્ા ઇસ્ટ ઇન્ડિયા કમ્પની કે જે અત્યારે આ આખા મુલકના વાસ્તવિક ધણી હવા, તેમને જ જતા. કમ્પનીના નાકરા પોતાના ખાનગી નફાને માટે બેહુદ જુલમ ગુજાર્યે જતા હતા;–નવાબના નાકરાને ઠ્ઠીવરાવીને, અને નવાબની ન્યાયસભાને પેાતાના હિત માટે ત્રાસસભા બનાવીને. ઇંગ્રેજ ગવર્નર આ જાતા, તેને વખાડતા, પણ કઇપણ ઉપાય કરવાનું તેનામાં સામર્થ્ય નહેાતું. ગવર્નર વસ્યું લખેછે કે અમે આપણી અને નવાખીની વચ્ચેનાં અન્યતા તદ્દન તેાડી નાંખ્યાં અને કેાની આણુ માનવી એ બાબતમાં દેશીએ સભ્રમમાં પડ્યા. સત્તા આવી વિભકત અને ગુંચવાયલી હાવાથી ખીજે કાઇ
""
Page #53
--------------------------------------------------------------------------
________________
ર
પ્રકરણ ૨ જ.
પણ સમયે નહિ ઉભી થઇ હોય તેવી ખટપટ ઉભી થઇ અને જોર જુલમ થવા લાગ્યા. નવાખીના અમલદારાને ચેપ લાગ્યા, અને કાઇ પણ તાત્કાલિક કાબુ ન રહ્યા તેથી વધારે વધારે નીડરતાથી કામ લેતા ગયા.*''
ખેતી, એ હમેશાં બંગાળાના લોકાને ઉપવિકાનું મુખ્ય સાધન હતું; પણ કમ્પનીના નોકરોએ દાખલ કરેલા મહેસુલી દોબસ્તની નવી રીતથી તે બહુ ઉતરી ગઇ. ઘણા જુના વખતથી બંગાળાની જમીન વંશપર પરાના જમીનદારાના હાથમાં હતી. તેમને ભાયાત પટાવતાના જેવી સત્તા આપવામાં આવી હતી; એટલે, નવાબને જમાબંદી ભરવી, જરૂરને પ્રસ ંગે લશ્કરી ને કરી અજાવવી, અને પોતપોતાની જાગીરમાં લેક ઉપર વાસ્તવિક રાજ્યસત્તા ભાગવવી. તેમની રૈયત અને જમીન વાવનારા તેમને ‘ રાજા ’ ગણતા; તે બ ંદોબસ્ત રાખતા, કયાઓનું નિરાકરણ કરતા, અને ગુન્હેગારને શિક્ષા કરતા. તેઓ ધર્મને ઉત્તેજન આપતા અને ધર્મિષ્ઠ માણસને વૃત્તિ બાંધી આપતા; તેઓ વિદ્યા કળાતુ પાષણ કરતા અને સાક્ષરને ઉત્તેજન આપતા. સત્તરમા સૈકાના મુરશેદકુલી અને અઢારમા સૈકાના મીરકાસન જેવા આપખુદ નવાબાએ આ જમીનદારે ને લેઢાને હાથે, નીચાવ્યા હતા; પણ તેમણે તેએને કાઇ દહાડા તેમની જાગીરમાંથી કહાડી મુક્યા નહતા, કેમકે રીવાજ પ્રમાણે જાગી વંશપરંપરાની મનાતી હતી. પરંતુ કમ્પનીના નેકરાએ દવાન અને મિદનાપુરમાં, સને ૧૭૬૦ માં મીરકાસમ પાસેથી તેમને તે પરગણાં મળ્યા પછી, નવી રીત દાખલ કરી; તેમણે મામુલી હકાની કંઇપણ દરકાર કર્યા વિના ઉપજ વધારવાને માટે આ જાગીરા હરાજીથી વેચી--અને તેનાં બહુ શાકકારક પરિણામા આવ્યાં.
મિ. વર્લ્ડ્સ આ વાતને નિર્દેશ કરીને લખેછે કે “ આ હરાજીમાં નિર્ધન અને પ્રતિષ્ઠા વિનાના માણસે એ ભાગ લીધા, અને કેટલાક ઇજારાના સબધમાં તે જ્યારે પ્રથમના ઇજારદારા ધરબાર છેડી દેવાતે નારાજ હાવાથી, * ગવર્નર વર્સ્ટના પત્ર તા. ૧૯-૧૨-૧૭૬૯
Page #54
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૪૩
ખરી કિંમતના કરતાં વધારે માગણી આપી ચૂક્યા, ત્યારે આ નવા માણ સાએ તરત કબજે લેવાની દાનતે, તે માગણીઓને પણ વધારી દીધી. કારણ કે તેમને તે કંઈ ખાવાનું નહતું. આથી અસંખ્ય લુટારાઓના પંજામાં લેક આવી ગયું, અને તેમને લુંટીલુંટીને જ આ નવા ઇજારદારો પહેલા વર્ષની મહેસુલ ભરી શક્યા.''
આગળ આપણે જોઇશું કે આ નવી અને જુલમી પદ્ધતિ ૉરનહેસ્ટિંગ્સ આગળ ઉપર આખા બંગાળામાં પ્રસારી અને તેના પરિણામમાં ભારે બેદીલી, અવ્યવસ્થા અને દુઃખ પેદા થયાં. વર અને કાર્ટિયરના અમલમાં જમીનની મહેસુલ અત્યંત સખ્તાઈથી ઉઘરાવવામાં આવતી કારણ કે તેમને દરટ, ઇડ્યા કમ્પનીની માગણીઓ પૂરી પાડ્યા વિના ચાલે તેમ ન હતું.
ગવર્નર વર્લ્ડ કપનીની ધુરંધરસભા ઉપર લખે છે “આટલા સારૂ હું વારંવાર દરખાસ્ત કરી ચૂક્યો છું તે પ્રમાણે, જ્યારે એમની જમીન આપણા વહીવટમાં આવે ત્યારે ઘણાંખરાં પરગણાઓની મહેસુલ આપણે કમી કરી નાંખવી એ બહુ જરૂરનું છે. કારણ કે તેમ કરવાથી ખેતીમાં સુધારા વધારા કરવાનું લોકને ઉત્તેજન મળશે. હું આપની મહેસુલની સર્વ શાખાઓના અને આપના મુલકનાં સર્વ પરગણાંઓને ઓગણીસ વર્ષના અનુભવ પછી બાંધેલો મારો અભિપ્રાય, આપની રજાથી, જાહેર કરું છું કે આપની મહેસુલમાં કંઈપણ વાસ્તવિક વધારે કરવાનું અત્યંત મુશ્કેલ છે.”
અનન્યાધિકાર અને વિનિગ્રહની રાજ્યપદ્ધતિમાં વેપાર અને ઉદ્યોગ પણ ઘટી ગયા. પ્રથમ કમ્પનીના ધુરંધરમંડળે પિતાના નેકરોને અટકાવવાનો યત્ન કર્યો હતો, પણ હવે તે તેઓએ પિતેજ વધારે ગંભીર સાહસ કર્યું. બ્રિટિશ વણકરોને બંગાળાના વણકરોની ઇર્ષ્યા થઈ અને તેમણે, ઈંગ્લે
* View of the Rise &c. of the English Government in Bengal; by Harry Verelst Late Governor of Bengal. London P. 70.
+ વર્ટન પત્ર કોર્ટ ઓફ ડિરેકટર ઉપર ૧૭૬૮,
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જું.
ડના વણકરને ઉત્તેજન આપવા સારૂ, બંગાળાના વણકરોને દાબી દેવાને બુદ્ધિપુરઃસર યત્ન કરવામાં, કપનીની નવી સત્તાનો દુરુપયોગ કર્યો. ૧૭૬૮ ના ૧૭ મી માર્ચના તેમના પત્રમાં તેઓ લખે છે કે, “બંગાળામાં કાચું રેશમ પેદા કરવાનું ઉત્તેજન આપવું, અને રેશમને માલ બનતો જેમ બને તેમ અટકાવ.” તેમણે એવી પણ ભલામણ કરી કે “રેશમના વણનારાઓને આપણાં કારખાનામાં કામ કરવાની ફરજ પાડવી; અને પિતાના પદરથી પિતાના ઘરમાં કામ કરતાં અટકાવવાં ઝ”
આ નિયમથી ઘણો ફાયદો થયેલ છે. તેથી ખાસ કરીને વીંટનારાઓ જેઓ પહેલાં પિતાના ઘરમાં કામ કરતા, તેઓ હવે આપણું કારખાનામાં કામ કરવા આવવા લાગ્યા છે. આ વીંટનારાઓને એમને ઘેર કામ કરવા દેવાં નહિ, તેમ કરવા કરતાં વધારે સારૂં તે એ છે કે વીંટવાનું કામ કરતાં જ તેમને બંધ કરવાં; અને હવે સરકારની સત્તાથી સર્વથા અટકાયત કરીને અને નહીં માનનારને સખ્ત શિક્ષા ઠરાવીને–તે તદન બંધ કરવાનું બરાબર બની શકશે.”
ખાસ કમિટી લખે છે કે–આ પત્રમાં બળ અને ઉત્તેજનની સજજડ યુક્તિ બતાવવામાં આવી છે. અને ખરેખર તેથી બંગાળાનો ઉગ ઘણે અંશે નાશ થવો જોઈએ. તેની અસરથી તે દેશનું આખું ઔઘોગિક સ્વરૂપજ ફરી જશે અને હિન્દ, ગ્રેટ બ્રિટનના ઉદ્યોગના ઉપયોગ સારૂ કાચો માલ પેદા કરવાનું એક ખેતર બનશે.”
આપણે જેમ જેમ આગળ જતા જઈશું તેમ તેમ જોઈશું કે પચાસ વર્ષ અને તેથી પણ વધારે મુદત સુધી આપણા દેશ તરફ ઇંગ્લંડની આ નિયતા નીતિ હતી; આમની સભા રૂબરૂ તેનું સ્પષ્ટ વિવેચન કરવામાં આવતું, અને ૧૮૩૩ અને તે પછીનાં વર્ષોમાં ઉત્સાહભેર અમલમાં મૂકાતી; તેથી
x હાઉસ ઓફ કોમન્સની સિલેક્ટ કમિટીને ઇન્ડિયાની ન્યાય વ્યવસ્થા ઉપર નવમો રિપોર્ટ ૧૭૮૩; એ. ૩૭.
* નવમે રિપોર્ટ ૧૭૮૩; પા. ૬૪,
Page #56
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૪૫
કરીને ઈગ્રેજ કારખાનદારોને મોટો નફો થયે; અને હિંદના ઘણું રાષ્ટ્રીય ઉઘેગો નિર્મલ થયા.
પણ આપણા દેશને વધારામાં વધારે નુકશાન તે એ હતું કે કમ્પનીનો ન અને બીજા દેશોમાં તેમનાં ખર્ચ ઉપાડવા સારૂ બંગાળાનો વાર્ષિક અપવાહ જારી રહ્યા; કમ્પનીના હાથમાં દિવાનગિરી આવ્યા પછી બંગાળાની ઉપજ ખરચનું છ વર્ષનું પત્રક ૧૭૭૩ ના આમની સભાના હેવાલમાં આપેલું છે, જેમાંથી નીચેનું કોષ્ટક તૈયાર કર્યું છે.
'મેઘલની પેશ કી વહીવટ અને
၍
શી નવાબનું સારી | જલે ઉપજ. લીયાણું અને ચાની કીલ્લા વન ખરી.
લશ્કરી મકા-વાર્ષિક સીલક લુ ખરચ બાદ ગરનું ખરચ. ૪ પાઉંડ. ૪ પાઉંડ. | કરતાં વધ્યું છે.'
£ પાઉડ.]
૪ પાઉડ. ૧૭૬૫–૧૭૬૬ | મેથી એપ્રિલ સુધી. ૨૨૫૮૨૨૭ ૧૬૮૧૪ર૭ | ૧૨૧૦૩૬ ૪૭૧૦૬૭ ૧૭૬૬–૧૭૬૭ ૩૮૫૮૧૭ | ૨૫૨૭૫૯૪ ૧૨૭૪૦૯૩૧૨૫૩૫૦૧ ૧૭૬૭–૧૭૬૮ ૩૬૦૮૦૯૯ ૨૩૫૯૦૦૫ ૧૪૮૭૩૮૩ ૮૭૧૬૨૨ ૧૭૬૪–૧૭૬૯ ૩૭૮૭ર૦૭ ૨૪૦૨૧૮૧ ૧૫૭૩૧૨૯ ૮૨૮૦૬૨ ૧૭૬૪–૧૭૭ ૩૩૪૧૯૭૬ ૨૦૮૯૩૬૮ ૧૭૫૨૫૫૬ ૩૩૬૮૧૨
9૭૦-૧૭૭૧ ૩૩૩૨૩૪૩
२००७११७
૧૭૩૨૦૮૮ ૨૭૫૦૮૮
કુલ.| ૨૦૧૩૩૫૭૯ ૧૩૦૬૬૭૬૧
૦૯૪૦૩૭૧૫૨
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જું.
આ આંકડા ઉપરથી જણાય છે કે વર્ષોવર્ષ બંગાળાની ખરી ઉપજનો ત્રીજો ભાગ દેશ બહાર મોકલાવવામાં આવતો હતો. પણ દેશમાંથી વાસ્તવિક અપવાહ ઘણો મોટો હતો. વહીવટ અને લશ્કરી ખરીને મોટો ભાગ અમલદારોના પગારના સ્વરૂપમાં હતો અને તેઓ પોતાની તમામ બચત હિન્દની બહાર મોકલતા. સ્વદેશી વેપારીઓને પોતાના ઘરના વેપાર ઉદ્યોગમાંથી બાતલ કરીને જેમણે મોટી સમૃદ્ધિઓ જમાવી હતી, તેઓ પણ વર્ષોવર્ષ તે ધન આ દેશની બહારજ મેકલતા. આ વાસ્તવિક અપવાહન ખરા આંકડા તે ગવર્નર વચ્ચું તારવી કહાડેલા આમદાની રવાનગીના ૧૭૬૬–૧૭૬૭-૬૮ ના આંકડાજ હોવા જોઈએ. તે આ પ્રમાણે છે.*
આમદાની.
રવાનગી.
£ પાઉંડ.
£ પાઉંડ.
૬૨૪૩૭૫
૬,૩૧૧,૨૫૦
બીજા શબ્દોમાં આપણા દેશમાંથી આમદાની કરતાં દસ ગણી રવાનગી થઈ. મિ. વર્સ્ટ પંડે પણ આનું ગંભીરપણું જોઈ શકયા હતા, અને બંગાનાની આર્થિક સ્થિતિ ઉપર તેનાથી થયેલી માઠી અસરની હકીકત આપવામાં એમને કદી પણ કંટાળો આવતો નહિ. તેઓ લખે છે કે
“આગળ આપણે જે રકમો દિલ્હી મોકલતા તેને બદલે બંગાળાના વ્હોળા વેપારથી આપણને ક્યારનો મળી ગયો છે. નવાબના રાજ્યની અત્યારની સ્થિતિ કેવી છે? બધી યુરોપિયન કમ્પનીઓ અહીથી નાણાં મેળવીને
x View of the Rise &c. of Eng govt. in Bengal App, P. 117.
Page #58
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૪૭ પિતાની વાર્ષિક રવાનગીમાં વધારે ક્યાં જાય છે અને આ ઈલાકાની સમૃદ્ધિમાં એક રૂપિયો પણ ઉમેરાતો નથી.”
આ ઇલાકા ઉપર દરેક દિશામાંથી નાણાંની માગણીઓ થાય છે, જેથી આપની તીજોરી બહુજ ઊડી જતી રહી છે; અને આ દેશમાંથી આવા બહોળા નિકાસનાં જે અનિષ્ટ પરિણામો અવશ્ય આવવાનાં તેનો વિચાર કરતાં અમને ભય ઉપજે છે.
જે દેશમાંથી વાર્ષિક પેદાશના ત્રીજા ભાગ જેટલે પૈસો વર્ષોવર્ષ પર દેશ તણાતો જતો હોય, અને તેના બદલામાં તેને કંઈજ મળતું ન હોય, તેવો દેશ ગમે તે આબાદ હોય છતાં ઝાઝીવાર ટકી શકે નહિજ; અને આબાદ થવાની તો વાત જ શી ? પરંતુ, આ સિવાય બીજા પણ એવા પ્ર સંગો છે કે જેથી આ દેશની સમૃદ્ધિ ઓછી થતી જાય છે, અને જો તેનો ઉપાય નહિ થાય તે દેશ છેક ખાલી થઈ જશે. મેં જોયું છે કે પહેલાં આ દેશને એક મોટો લાભ એ હતું કે જુદાં જુદાં કુટુંબોને મોટી રકમની બક્ષિસો મળવાથી અને રાજ અમલદાર વગેરેના પરચાળ મોજશોખથી દેશનો પૈસો દેશમાં જ વહેચાતો હતો. પણ હવે તો જમીનની મહેસુલને બધે ભાગ આપણી તીજોરી રૂપ મોટા અખાતમાં પડે છે અને તેમાંનો કંઇપણ ભાગ દેશમાં ફરવા પામતો નથી—આપણી રવાનગીમાંથી જે ભાગ નીકળે તે અને આપણાં આવશ્યક ખરચ સિવાય.
આ રવાનગી એટલે શું? આ સવાલનો ખુલાસો હાઉસ ઓફ કોમન્સના ૧૭૮ ૩ ના નવમા હેવાલમાંથી આપણને મળે છે.
બંગાળાની ઉપજનો નિયત ભાગ, ઘણાં વર્ષથી ઈગ્લેંડ મોકલવાના માલની ખરીદી સારૂ વર્ષોવર્ષ કોરાણે મૂકાય છે. આને Investment “કમાણી” એવું નામ આપવામાં આવ્યું છે. આ “ કમાણુ’ના વધારાના પ્રમાણમાં
* પત્ર તારીખ ૨૬ સપ્ટેમ્બર ૧૭૬૭. જે પત્ર તારીખ ૨૪ માર્ચ ૧૭૬૮.
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જી.
કમ્પનીના ઢાકાની આવડત હુશિયારીનું માપ થાય છે. અને આ, હિંદના દારિદ્રયનું મુખ્ય કારણ છે છતાં, તેને તેની સમૃધ્ધિ અને આબાદીનુ પ્રમાણ ગણવામાં આવે છે. પૂર્વ તરફથી કિમતી માલનાં ભરેલાં મ્હોટાં વ્હાણાના સંખ્યાબંધ કાલા હરહમેશ વધતા જતા પ્રમાણમાં આવે જાયછે તેથી લોકના ઉપર તેને રૂઆબ પડેછે. સ્વાભાવિક રીતે જે દેશની વધારાની પેદાશ વેપારી આલમમાં આટલા બધા માર્ગ પડાવતી હોય. તે દેશ સુખી સ્થિતિમાં છે અને એની આબાદી વધતી જાયછે એવા અભિપ્રાય બધાય છે. અને એમ પણ મનાતું હશે કે હિ ંદમાંથી આ પ્રમાણે જે માલ આયાત થાય છે તેના બદલામાં ત્યાં કાંઇ મેકલવામાં આવતું હશે-કે જેથી તે દેશની વેપારની મુડી સતત સબળ થતી જતી હશે અને વધતી હશે. પણ ખરી રીતે તે આ વેપાર હિંદને લાભકારક નહાતા પણ તે દેશની આપણા દેશને આપવાની પેશકશી હતી, અને તે તેને આ માયિક ભળકાદાર દેખાવ હતા.'’+
૪૮
આ સતત અપવાહની અનિષ્ટતાને ઇંગ્લેંડના મેટામાં મેાટા રાજ્યનીતિતત્વને પણ યાગ્ય ભાષામાં વખાડી છે. ૧૭૮૩ માં ફ્રાંસના ઇસ્ટ ઇન્ડિયા બિલ ઉપર ખેલતાં એડમન્ડ બર્ફે હિંદના આ અપવાહની નુકસાનકારક અસરાનું વર્ણન કરેછે, અને તેમણે તે પ્રસ ગે જે વચને કહ્યાં છે તેના કરતાં વધારે સાચાં, વધારે બળવાન અને વધારે પ્રતાપી વચનેા તેમની પાર્લમેન્ટની જીંદગીમાં તેઓ ભાગ્યેજ મેલ્યા હશે. કહેછે કે
એશિયાના વિજયકારાની ક્રૂરતા તરતજ એછી થતી કારણ કે વશ કરેલા દેશ તે પેાતાનેા કરી નાખતા. તેઓ જે દેશમાં રેહેતા તે દેશના અસ્ત–ઉદય સાથે તેમને પણ અસ્ત–ઉદય થતા. પોતાનાં સંતાનો માટે ષિતાની આશાએ ત્યાંજ રહેલી હતી; સંતાન પણ પૂર્વજોનાં પરાક્રમા ત્યાંજ જોતાં; એમનુ ભવિષ્ય એજ દેશ સાથે હંમેશને માટે જોડાયુ રહેતું; પાતાના દેશ ખરાબ ન થાય એવી સર્વ સ્વાભાવિક ઇચ્છા તેમનામાં +નવમા રિપાર્ટ સને ૧૭૮૩ પાનુ ૫૪.
66
Page #60
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૪૯ પણ હોવી જ જોઈએ. દારિદ્રય, અપ્રજવ અને નિર્જનતા, એ મનુષ્યને આનદજનક તે નથી જ; અને એક આખી પ્રજાની ગાળો ખાતા ખાતા જ ઘરડા થવું એ કેકનાથી જ બની શકે. જે લેભાદિકને લીધે તાતંર સરદાર જુલમ અને લૂંટફાટ કરતા તો એક માણસની ટુંકી જીંદગીમાં પણ સત્તાના તેવા દુરુપયોગની માઠી અસર સત્તાના અધિષ્ઠાન સુધી પહોંચવાને પણ વાર આવતા. જોર જુલમથી ખજાનો ભરવામાં આવતું, પણ તે ખજાનો કત ઘરમાં ને ઘરમાં રહેતે; અથવા કોઈ બીજા વધારે બળવાનને હાથે અથવા કોઈ ઉડાઉને હાથે પાછો લોકમાં ને લેકમાં વહેંચાતો. ઘણી અવ્યવસ્થા હતી, સત્તા ઉપર રાષ્ટ્રિય બંધને કંઈપણ નહેતાં, તે પણ કુદરતને પૂરતો અવકાશ હતો; સંપત્તિના ઝરા સૂકાઈ ગયા હતા, અને તેથી દેશનાં વાણિજ્ય, વેપાર અને ઉદ્યોગ આબાદીમાં રહેતાં. લોભ અને વ્યાજખોરાઈ પણ રાષ્ટ્રિય સંપત્તિનું રક્ષણ કરવામાં અને તેનો ઉપયોગ કરાવવામાં કામે આવતાં. ખેડુત અને શિપીઓને ભારે વ્યાજ આપવું પડતું એ ખરું, પણ જે મુડીમાંથી પાછાં તેમને જ નાણાં મળવાનાં હતાં તેમાં જ તેથી વધારો થતા. તેમનાં સાધનાને માટે તેમને ભારે કિંમત આપવી પડતી, પણ તેઓ નિશ્ચિત હતા, અને તેની સર્વવ્યાપી અસરથી દેશમાં સામાન્ય સમૃદ્ધિની વૃદ્ધિ થતી હતી.
પણ અંગ્રેજની ધુરા નીચે આ બધે ક્રમ વિપરીત થઈ જાય છે. તાર્તરનો અભિગ બેશક નુકશાન કરનારો હતો, પણ આપણું તે રક્ષણ હિંદુસ્તાનને પાયમાલ કરે છે. તેમની તે તે દુશ્મનાવટ હતી, પણ આપણે તે આ મિત્રાચારી છે. વીસ વર્ષ થઈ ગયાં પણ આપણી રીત તે પહેલાં હતી તેવીજ અનિષ્ટકારક છે. ધોળાવાળવાળો અંગ્રેજ તે દેશીઓ જેવા પામતાજ નથી. જુવાન માણસે, લગભગ છોકરા જેવા, ત્યાં રાજ્ય કરે છે. નહિ દેશીએની સાથે હળવું મળવું, કે નહિ તેમના તરફ દીલસોજી રાખવી. હજી જાણે ઈંગ્લંડ જ રહેતા હોય તેની માફક જ તેઓ દેશીઓથી અલગ રહે છે;
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રકરણ ૨ જી.
તેમની સાથે એક જ પ્રકારનો સમાગમ થાય છે, એટલે જ્યારે એકદમ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની હોય ત્યારેજ અને એટલેજ. અને તે સમૃદ્ધિનો પણ ઉપયોગ પાછે પરિણામે પરદેશમાં જ કરવાનો. ઘડપણનો લાભ અને જુવાનીનો જેસ એ બેવડા ચેતનથી પ્રેરાતા તેઓ એક પછી એક દરિયાના મોજાની પેઠે ધસે છે; અને દેશીઓની આગળ તે, દરરોજ ક્ષીણ થતા અન્નને માટે, નવી નવી સુધાવાળા, ભૂખાળવા, ચાર લેવા નીકળેલાં શિકારી પક્ષિઓનાં નવે નવાં ટોળાંની અનન્ત મુલાકાતોનો દેખાવ થાય છે;–જેમાંથી કોઈ દહાડે છૂટવાની આશા તેમને દેખાતી નથી. અંગ્રેજે જે નફે પેદા કરે તેમને રૂપીયે રૂપિયે હિંદનો તે હમેશને માટે ખોવાય.”
ગવર્નર વર્લ્સ અને એડમન્ડ બર્કના કાળ પછી તો હિંદુસ્તાનને રાજ્ય વહીવટ ઘણો સુધર્યો છે. હિંદુસ્તાનના આખા ખંડમાં અર્ધા સૈકા સુધી અનવછિન્ન, અઢારમા સૈકામાં કદી નહિ રહેલી એવી શાતિ રહી છે. વેપાર વણજ અણગમતી અને બાધક જકાતોથી મુકત થયેલ છે. ન્યાયનો વહીવટ અને જાનમાલનું રક્ષણ પ્રથમ કરતાં વધારે સંગીન થયાં છે અને કેળવણીના પ્રસારે લોકોમાં નવું જીવન રેડયું છે તથા તેમને વધારે ઊંચાં કામ માટે અને વધારે ભારે જવાબદારી માટે લાયક કર્યો છે. પણ, વર્સ્ટ અને બર્ક જે આર્થિક અપવાને માટે ફરિયાદ કરે છે તે જ તો હરહમેશ વધતાં જતાં પાણી સાથે હજી વહ્યાંજ કરે છે અને હિંદને દારિદ્રથ અને દુષ્કાળની ભૂમિ બનાવી મૂકી છે.
ખરી વાત છે કે હિંદમાં વાર્ષિક વરસાદની ખાટ, એ દુષ્કાળનું પ્રત્યક્ષ અને તાત્કાલિક કારણ છે; પણ આવા દુકાળની ભીંસ અને જીંદગીની ખુવારી તે લોકના દારિદ્રશ્યને લીધે જ થાય છે. જે જનસમુદાય આબાદ સ્થિતિમાં હોય તો સ્થાનિક પેદાશની ખોટ જોડેના દેશમાંથી ખરીદી કરીને પુરી પડાય, અને જીંદગીને નાશ ન થાય. પણ લેકે જ્યારે તદન સાધન
Page #62
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિાસ.'
૫૧
રહિત છે ત્યારે તે આસપાસના મુલકમાંથી ખરીદી કરી શકતા નથી અને જ્યારે જ્યારે દુષ્કાળ આવેછે ત્યારે લાખા લેાકેા મરણ પામેછે.
સને ૧૭૬૯ ની શરૂઆતમાં ભાવ ચઢી ગયા હતા, એટલે દુષ્કાળ સમીપ હાવાનુ ચિન્હ પ્રકટ થઈ ચૂક્યું હતુ, પણ તે વર્ષે મહેસુલ હુ મેશ કરતાં વધારે સખ્તાઇથી ઉધરાવવામાં આવી હતી. આખરે વર્ષાદ ન આવ્યા છતાં કલક ત્તાની રાજ્યસભા કાર્ય ધુરંધર મડળ ઉપરના તા. ૨૩ નવેમ્બરના પત્રમાં મહેસુલ ઞગડી જવાની ધાસ્તી બતાવે છે, પણ સંકટ નિવારણના કાંઇ ઉપાયની વાત કરતી નથી. સને ૧૭૭૦ ના ૯ મી મે ના પત્રમાં લખેછે કે દુષ્કાળની ભરણુ સંખ્યા, અને રાંકાનેા કકળાટ વર્ણવ્યાં જાય તેવાં નથી. એક વખતે જ્યાં પુષ્કળ સમૃદ્ધિ હતી તે પુર્ણિયાના જીલ્લામાં ત્રીજા ભાગની વસ્તી નાશ પામી છે અને બીજે ઠેકાણે પણ સાંકટ એટલાં જ છે. તા. ૧૧ મી સપ્ટેમ્બરે લખેછે કે, આહીંના વતનીઓ ઉપર જે સંકટ પડેછે તેનું ગમે તેવુ વર્જીન આપીએ તે અતિશયકત થઇ શકેજ નહિ. તેથી વસુલાત આટલી એછી આવી છે તે માટે આપને કઇ પણ આશ્ચર્ય લાગશે નહિ. પણ અમને સ ંતોષ થાયછે કે અમે ધારતા તેના કરતાં તે ઘણી વધારે વસુલાત આવી છે.’’૧૭૭૧ ની ૧૨ મી ફેબ્રુઆરીના પત્રમાં લખેછે કે, છેલ્લા દુષ્કાળમાં મહા સંકટ હતુ અને લોકની સંખ્યા ઘણી ઘટી ગઇ છે છતાં, ગાળા અને બિહારની જમાળીમાં આ વર્ષને માટે કંઇક વધારા કરવામાં આવ્યા છે.” ૧૭૭૨ ની ૧૦ મી જાન્યુઆરીએ લખે છે કે વસુલાતના દરેક ખાતામાં વસુલાત લેવામાં અમારી ઇચ્છા પ્રમાણે કેતેહ મળીછે.’+ મનુષ્ય જાતિના ઇતિહાસમાં જેને જોટા ન મળી શકે તેવાં સંકટનાં આ વર્ષોંમાં જમીનની મહેસુલની આવી સખ્ત વસુલાતની વાત વાંચીને ધણું દુ:ખ
rr
"6
("
Extracts from the India office Records quoted in Hunter's Annals of Rural Bengal 1868 p. p. 399-400-401.
Page #63
--------------------------------------------------------------------------
________________
પર
પ્રકરણ ૨ .
થાય છે. કલકત્તાની રાજ્યસભાએ દુષ્કાળની અસરનું માપ લેવાના હેતુથી જીલ્લે જીલે કરીને નક્કી કર્યું હતું કે તે વખતે બંગાળાની વસતિને ત્રીજો ભાગ, એટલે લગભગ એક કરીડ માણસ, દુષ્કાળને લીધે યમપુરીમાં પહેાચ્યું હતું. એક તરફથી ગામે ગામ વાટે વાટે અને શેરીએ શેરીએ માણસો મરણ પામતાં હતાં; અને તેમના રક્ષણને માટે કંઇપણ ઉપાયેા લેવામાં આવ્યા ન હતાઃ ત્યારે કમ્પનીના નાકરાના કૃત્યોથી મરણની સખ્યામાં વધારા થતા હતા. તેમના ગુમાસ્તાઓએ—લાકાના સદંકટમાંથી મોટા નફે। મેળવવાના હેતુથી-દાણા વેપાર એક હાથે કર્યો એટલુ જ નહિ પણ આવતી મેાશમને માટે રાખી મૂકેલું ખી પણ વેચી દેવાની ખેડૂતોને ફરજ પાડી. આ વાતની ખબર પડથાથી કાર્યધુરંધર સભાને અત્યંત તિરસ્કાર ઉત્પન્ન થયા, અને પોતાના પત્રમાં લખે છે કે “ અમે આશા રાખીએ છીએ કે આવી રીતે કમ્પનીની ભલાઇની
હામે થનાર અને સાર્વજનિક સંકટમાંથી નફે લેવાની દાનત રાખનાર ગુન્હેગારાને ચેાગ્ય શિક્ષાએ àાચાડયા હશે.”
પણ કમ્પનીની ભલાઇ પોતાને સ્વાર્થ હેાય ત્યાં એટલી પ્રકટ થતી નહતી. અને વસતિને ત્રીજો ભાગ નષ્ટ થયા તથા ત્રીજા ભાગની જમીન ઉજ્જડ પડી રહી છતાં મહેસુલમાં કંઇ ધટાડા કર્યાંનું આપણા જોવામાં આવતું નથી. ૧૭૭ર ના નવેમ્બરની ૩ જી તારીખે વારન હેસ્ટિંગ્સ નીચે પ્રમાણે લખેછે. આ ઇલાકાની ત્રીજા ભાગની વસ્તીનાશ પામી છે અને ખેતી પણ એટલા પ્રમાણમાં ઓછી થઇ છે, તેા પણ ૧૭૭૧ ની ચાખ્ખી વસુલાત સને ૧૭૬૮ ની વસુલાત કરતાં પણ વધારે આવી છે. આવાં મોટાં સંકટના બીજા પરિ ણામેાના પ્રમાણમાં મહેસુલ પણ ઘટવી જોઇએ, પણ ઘટાડા નથી થયા તેનું કારણ એ છે કે બલાત્કારથી તેને જુના પરિમાણેજ રાખવામાં આવીછે.”*
*Extracts from office records; quoted from Hunter's Annals of Raran Bengal 1858 • 381.
Page #64
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૫૩
આ જમાનાના હિંદી કારભારની ભાષામાં આમ બલાત્કારથી મહેસુલને તેની તેજ રકમ ઉપર રાખવાની વાતને, હિંદની સ્વાધ્યશક્તિ કહેવામાં આવે. ૩. બંગાળામાં વેરન હેસ્ટિંગ્સનો અમલ–૧૭૭૨-૧૭૮૫,
સને ૧૭૭૩ માં રેગ્યુલેટિગ એકટ પસાર થયો. વૈરન હેસ્ટિંગ્સ ૧૭૭૨ માં બંગાળાના ગવર્નર તરીકે આવ્યો હતો, તે ૧૭૭૪ માં નવા કાયદા પ્રમાણે પહેલો ગવર્નર જનરલ થયો. ફિલિપ ફ્રાન્સિસ અને બીજા બેને ઈંગ્લેડથી એની સભાના સભાસદો તરીકે નીમવામાં આવ્યા હતા; અને બાકીના બે કમ્પનીના અહીંના નોકરોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. કલકત્તામાં
સદર અદાલત” ની સ્થાપના થઈ. એમ આશા રાખવામાં આવી હતી કે આ નવી ગોઠવણથી હિંદને રાજ્યકારભાર સુધરશે.
વોરન હેસ્ટિંગ્સના નામ સાથે હિંદના ઇતિહાસની માટી સ્મરણીય બીનાઓ યાદ આવે છે, જેના ઉપર પાર્લામેન્ટમાં પણ મોટી મોટી ચર્ચાઓ થઈ હતી. અયોધ્યાની બેગમોની વાત, બનારસના રાજાની બહલે, અને રોહીલાઓ સાથેનું યુદ્ધઃ આના કરતાં ઓછા ચમત્કારવાળી પણ ઘણી વધારે અગત્યની બીનાઓ પશ્ચિમમાં મરાઠા સાથેનાં અને દક્ષિણમાં હૈદરઅલી સાથેનાં યુદ્ધ હતાં. અને આ બધા બનાવે પ્રત્યે વૈરન હેસ્ટિંગ્સની વર્તણુક ઉપર સો સો વર્ષ થઈ ગયાં પણ હજી તકરારો ચાલ્યા જ કરે છે.
આ ઇતિહાસમાંથી એ બધી તકરારે બાતલ કરવાની હોવાથી અમને અનિર્વચનીય આનન્દ થાય છે. આપણા દેશના જનસમાજના કલ્યાણને લગતાં અને આખી પ્રજાની આર્થિક સ્થિતિને લગતાં જે જે પગલાં એની કારકીર્દિમાં ભરાયાં હોય તે સંબંધેજ આપણે ધ્યાન દેવાનું છે; એટલે, આપણે લશ્કરી બાબતે દૂર કરીને એમનાં વહીવટી આચરણે અને મહેસુલના સંબંધમાં એમણે ભરેલાં પગલાંને જ વિચાર કરીશું.
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રકરણ ૨ '.
પૂર્વના પ્રસ ંગેામાંથી વોરન હેસ્ટિંગ્સના સ્વરૂપના કઇ ખ્યાલ આપણને મળ્યા છે. તે ન્યાયી હતા, પ્રામાણિક હતા; તેણે કમ્પનીના નેકરાના ત્રાસમાંથી મીરકાસમના હુકાનું અને બંગાળાની પ્રજાના વેપારનું રક્ષણુ કરવાના બહાદુરીથી પ્રયત્ન કર્યાં હતા. પણ બંગાળાની જમાબન્દીની પદ્ધતિ હેસ્ટિંગ્સને બીલકુલ નવીજ હતી; અને કમ્પનીના કાર્યધુરંધર જમીનની હેસુલમાં વધારો કરવાની સતત માગણી કરતા તેને લીધે આ સવાલને પૂરા અભ્યાસ કરવાની કે ન્યાયપૂર્વક એનુ નિરાકરણ કરવાની તેને તક મળી
નહતી.
અઢારમા સૈકામાં અંગ્રેજો ઈંગ્રેજી જમીનની મ્હેસુલપતિથીજ વાર્ક? થતા. આ પદ્ધતિ પ્રમાણે જમીન જમીનદારાની ગણાય છે, તેના ઇજારા અપાય છે, અને મજુરા ખેડેછે. બગાળની પદ્ધતિ તેથી તદ્દન જુદીજ હતી, અને કેટલાક વખત રાજ્ય, જમીનદાર, અને ખેડુ અથવા રૈયતના પરસ્પર વિરુદ્ધ હકા ઉપર ધ્યાન દેરાતાં આ પદ્ધતિની ખરી હકીકત લાંભા વખત સુધી અંધારામાં રહી. જમીનદારાના હાથમાં જમીન વંશપર પરાથી હતી; તે વાસ્તવિક રીતે દીવાની અને ફેાજદારી સત્તાવાળા પટાવતરાજા હતા. ખેડુત અથવા યત માત્ર મજુરાજ નહતા પણ તેમના કકડા ઉપર તેમના હક્ક હતા, જે હ વારસામાં ઉતરતા હતા. જમીનદારાને તે મામુલી સાંથ આપતા. વખતો વખત બંગાળાના નવાખે। કીથી માપણી કરી હેસુલમાં વધારા કરે; વખતેા વખત જમીનદારા સાંથ વધારે; પરંતુ સૈકાના સૈકા થયાં આ ગઠવણતાં મુખ્ય લક્ષણા તે તેનાં તેજ હતાં. રાજ્યને મ્હેસુલનેા હુક; જમીનદારા મામુલી સાંથના હકદાર, અને રાજ્યને મહેસુલ આપવાને જવાબદારઃ રૈયતને પોતાના કકડા ઉપર વંશપર પરાને કબજાહક–જમીનદારાને મામુલી સાંથ આપવાની સરહે.
-
૧૭૬૫ માં જ્યારે ઇસ્ટઇન્ડિયા કમ્પનીને મોગલ બાદશાહના કાનથી, ખગાળાની દાવાનિગરી મળી ત્યારે તરતમાં તે તેમણે મ્હેસુલને વહીવટ્ર
Page #66
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૫૫ કે ન્યાયને કારભાર પોતાના હાથમાં લીધો નહિ. મુર્શીદાબાદને મુસલમાન અમલદાર બંગાળામાં મહેસુલ ઉઘરાવ્યે જતો, અને નવાબના રાજ્યનો બ્રિટિશ રેસિડન્ટ તેના ઉપર દેખરેખ રાખત; સિતબરાય નામનો એક હિન્દુ સરદાર તેજ પ્રમાણે કમ્પનીના પટનાના મુનીમની દેખરેખ નીચે બીહારમાં મહેસુલની ઉઘરાત કરતા. માત્ર ચોવીસ પરગણ, બર્દવાન, મિદનાપુર અને ચિતાગાંગ, જે કમ્પનીનાં જુનાં પરગણાં હતાં ત્યાંજ કપનીના “ સનદી કરો” (Covenanted servants) વહીવટ કરતા. +
૧૭૬૯ માં કમ્પનીએ-જમીનની મહેસુલની ઉઘરાત ઉપર ન્યાયના કામમાં દેખરેખ રાખવાની સત્તા સાથે, તજવીજદાર નીમ્યા. બેવડા રાજ્યની પદ્ધતિ સારી નીવડી નહિ. જમીનના ખરા રાજાઓ-(અંગ્રેજો) હિંદુ અને મુસલમાન ઉઘરાતદારોને આગળ કરીને ઉઘરાત લેતા પણ તેમને રાજા તરીકે જવાબદારીની લાગણી નહતી. હિંદુ અને મુસલમાન અમલદારે પિતે કમ્પનીના ગુમાસ્તાઓ છે એમજ માનતા, અને તેથી રાજા તરીકેની જવાબદારી તેઓ ધારણ કરી શકતા નહિ. લોકોને ઉપર બને જુલમ કરતા, તેમનું રક્ષણ કોઈ કરતું નહોતું. તજવીજદારોએ ૧૭૬૮ માં જે તજવીજ કરી, તે ઉપરથી જણાયું હતું કે રાજ્ય વહીવટ અત્યંત આવ્યસ્થિત દશામાં હતો ઉઘરાતદારે તેમને ઠીક પડે તેટલું જમીનદાર પાસેથી પડાવે, જમીનદારને પિતાની નીચેના બધાને છૂટથી લૂટવાદે, અને ઉઘરાતદારો પણ પિતાનો વારો આવે ત્યારે તેમને લૂંટવાને હક રાખીને લૂટે; ન્યાયના વહીવટને સંબંધમાં નિયમિત પ્રવાહ તો બધેજ અટકેલો; પણ જેના કાંડામાં પિતાના નિર્ણયને અમલમાં મૂકવાનું જોર હોય તેના હાથમાં ન્યાય; ટુંકામાં, જેના હાથમાં જેર તેના હાથમાં ન્યાય.
+ કાઉન્સિલ અને તેના પ્રમુખનો પત્ર તા. ૩ નવેમ્બર ૧૭૭૨.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૬
પ્રકરણ ૨ જુ.
૧૭૭૨ માં રાજ્ય વહીવટ બ્રિટિશ અમલદારોના હાથમાં મૂકવાનો નિશ્ચય થયો. ગવર્નર વૈરન હેસ્ટિંગ્સ અને બીજા ચાર સભાસદેની એક કમિટી થઈ અને મહેસુલ તથા ન્યાયખાતાને બંદોબસ્ત કરવાનું શરૂ કર્યું. તીજોરી અને હીસાબીખાતું મુર્શિદાબાદથી કલકત્તે લઈ આવ્યા; અને ગવર્નર અને તેની સભાની બનેલી એક મહેસુલ સભાને સ્વાધીન કર્યું. પ્રાંતિક યુરોપીયન તજવીજદાર–જેમને હવે કલેકટર–એવું નામ આપવામાં આવ્યું, તેમને મહેસુલ ઉઘરાવવાને હક આપે; જમીનની મહેસુલને પાંચ વર્ષનો બંદેબસ્ત જમીનદારો સાથે કર્યો; અને મહેસુલસભાના ચાર બીજા દરજજાના અમલદારો આ વ્યવસ્થા અમલમાં મૂક્વા સારૂ પ્રાંતમાં ફરવા નીકળ્યા. ઇન્સાફના કામને માટે દરેક જીલ્લામાં એક દીવાની અને એક ફોજદારી ન્યાય સભા સ્થાપી દીવાની સભામાં કલેક્ટરને પ્રમુખ નીમ્યા, અને કેજદારી સભામાં બે મિાલવીની મદદથી એક મુસલમાન કાઝી ઇન્સાફ કરે અને કલેકટર તેના ઉપર ધ્યાન આપે, એવી યોજના કરી. આ દીવાની અને ફોજદારી ન્યાયસભાઓ ઉપર કલકત્તામાં ઊંચા દરજજાની ન્યાયસભાઓ રૂબરૂ અપીલ થઈ શકે. પિલિસની એક નવી પદ્ધતિ દાખલ કરી; બંગાળાના ચાદ જીલ્લાઓમાં ફોજદારના હોદાથી ચંદ દેશી અમલદારોને નીમ્યા; અને મહેસુલી અને ન્યાયખાતાના અમલદારોને માર્ગ બતાવવા સારૂ કાયદાઓ કરીને સ્વદેશી ભાષાઓમાં છપાવીને પ્રસિદ્ધ કર્યા આ બધા જુદા જુદા સુધારા વૈરન હેસ્ટિંગ્સની શક્તિની મહત્તાની સાખ્ય પૂરે છે. પણ લેક ઉપર અવિશ્વાસ રૂ૫ બ્રિટિશ વહીવટની જે ખામી હજી સુધી ચાલી આવે છે તે પણ તે દેખાડી આપે છે. અઢારમા સૈકામાં જેમ કમ્પનીના નોકરો રૂશ્વતીઆ અને લોભી હતા તેમ હિંદુ અને મુસલમાન અમલદારો પણ રૂશ્વતીઓ અને લેભી હતા. હેસ્ટિંગ્સ અને તેની પછી આવનાર કોર્નલિસે, તેમના ઉપર વિશ્વાસ અને જવાબદારી નાંખીને અને તેમના કામ માટે લાયક પગાર આપીને બ્રિટિશ નોકરને પ્રામાણિક કરવાના યત્ન કર્યા. પણ હિંદુ અને
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૭
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. મુસલમાન નોકરને વિશ્વાસ અને જવાબદારીની સ્થિતિમાં મૂકવાને, તેમને પૂરતા પગાર આપવાનો, અને રાજ્યવહીવટને કામમાં તેમની સહાયતા સ્વીકારવાનો કંઈપણ યત્ન કરવામાં આવ્યા ન હતા.
૧૭૭૪ માં વૈરન હેસ્ટિંગ્સ રેગ્યુલેટિંગ એકટ પ્રમાણે ગવર્નર જનરલ છે. જમીનની મહેસુલાનો પાંચ વર્ષને બંદેબસ્ત નિષ્ફળ નીવડ્યો હતો. વંશપરંપરાના કબજેદાર જમીનદારોના હક ડુબાવીને હરાજીથી બંદોબસ્ત કર્યો હતે. હરાજીમાં માગણી કરનારાઓએ ચડસા ચારણીમાં માગણીઓ ચઢાવી દીધી. તેમણે ખેડુતોને નીચોવ્યા પણ હજી ઠરાવેલી મહેસુલ આપી શક્યા નહોતા. બંગાળાની જમીન પદ્ધતિની છેક જ ગેરસમજણ થઈ હતી. જાના ખાનદાન નાશ પામ્યાં; અને ખેતી કરનાર રૈયતના ઉપર ત્રાસદાયક જુલમ થઈ પડ્યો. ૧૭૭૪ માં યુરોપિયન કલેકટરને કામગિરીમાંથી મુક્ત કર્યા અને કલકત્તા, બર્દવાન, ધોકા, મુર્શીદાબાદ, દીનજપુર, અને પટનામાં પ્રાન્તિક સભાઓ સ્થાપી તેમને મહેસુલની ઉઘરાતની દેખરેખ રાખવાનું સાંપવામાં આવ્યું.
૧૭૭૬માં ન્યાય પુરસર જમાનન્દી કરવાની નીતિની ચર્ચા કલકત્તામાં થઈ હતી. વોરન હેસ્ટિંગ્સ એવો અભિપ્રાય આપો કે તમામ જાગીર હરાજીથી વેચવી અથવા ઈજારે આપવી અને જમાનો બંદોબસ્ત જીદગીની અવધિના પટાથી કરે. ઈગ્રેજી સાહિત્યમાં “ જુનિઅસના પત્રો” ના કર્તા તરીકે પ્રસિદ્ધ થયેલા ડાહ્યા રાજપુરુષે આના કરતાં વધારે ન્યાયી અને દૂર અંદેશી અભિપ્રાય બાંધ્યો. તેણે “ સ્થાયી જમાલન્દીના બન્દોબસ્ત ” ( Permanent settlement ) ની દરખાસ્ત મૂકી. એક સમર્થ દફતરી શેરામાં એ લખે છે કે –
“ ઘણું જમીનદારો પાયમાલ થઈ ગયા છે, તેમની પાસેથી જમીનના વહીવટ ખુંચવી લેવામાં આવ્યા છે; અને પ્રતિષ્ઠિત ખાનદાનોમાંથી કે પૂર્વ
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રકરણ ૨ જું.
གནང གང་ན,ཤརང ར ར ༢ ན
જેમના ઘરમાં મોટા અધિકાર હતા તેવા કુટુંબમાંથી હવે કઈ ભાગ્યેજ રહ્યું છે. જેઓ છે તેઓ મોટા નફાની આશા રાખે છે, અને દેશ તેમને તે નફા દઈ શકે તેમજ સરકારને જમા આપી શકે એ હવે રહ્યા નથી. તેથી હલકી સ્થિતિના માણસોને સરકારના ઉઘરાતદાર તરીકે રોકવામાં આવ્યા છે. આ લેકોએ, જે જીલ્લામાં તેમને કામગિરી સોંપી છે તેને માટે, મુકરર કરેલી રકમ આપવાના દસ્તાવેજો કરી આપેલા છે; એટલે વાસ્તવિક રીતે તેઓને મહેસુલના ઈજારદાર ગણવા જોઈએ. અને તેઓ સદરમાંથી પ્રાન્તોમાં જઈ જમીનદાર અથવા રૈયત સાથે સાથ વગેરે મુકરર કરી આપણને વસુલ આપે છે. ”
આ ઈજારાની રીતનાં દૂષણોનું વર્ણન આપીને, તેનાથી થતી દેશની પાયમાલી ઉપર ધ્યાન દોરીને, ફિલિપ કાસિસ લેકની આબાદી કરવાના હેતુથી જમીનની મહેસુલનો કાયમને બંદોબસ્ત કરવાની ભલામણ કરે છે.
એક વાર મુકરર કરી એટલે જમા જાહેર દફતરમાં ચડાવી દેવી જેઇએ. તે હમેશને માટે હોવી જોઈએ અને અચળ હોવી જોઈએ, અને બની શકે તો લોકોને તે બાબતની ખાત્રી કરી આપવી જોઇએ. આ સરતે જમીનની સાથે જવી જોઈએ. તે હાલ તરતમાં કોના હાથમાં છે અથવા ભવિષ્યમાં કોના હાથમાં આવશે એ ગણત્રી થી કેવળ સ્વતંત્ર રીતે. જે એમાં કાંઈ છુપી લક્ષ્મી હજી હશે તે ધણી પિતાના લાભને માટે મહેનત કરે છે એવી બુદ્ધિથી–તે લક્ષ્મી બહાર કહાડશે અને તે જમીનના સુધારામાં વપરાશે.”
આ યોજના જ્યારે કમ્પનીના કાર્યાધ્યક્ષે પાસે આવી ત્યારે તેમણે છેવટનું પગલું ભરતાં આનાકાની કરી. બ્રિટિશ લોકોની ખરી લાક્ષણિક-લક્ષ્યશન્ય રાજ્યનીતિથી તેમણે લખ્યું કે-જંદગીના પટાથી જમીન આપવાની, અને કાયમના યાવચ્ચન્દ્રદિવાકર પટા કરવાની–એ બે રીતોની
* ફિલિપ ફ્રાન્સિસ ની મિટિ ૧૭૭૬ લંડનમાં પ્રસિદ્ધ થઈ ૧૭૮૨.
Page #70
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૫૯
જુદી જુદી હકીકત સાંભળી; ઘણું વજનદાર કારણોને લીધે અત્યારે એમાંની પણ એક પણ યોજના સ્વીકારવાનું અમે ગ્ય ધારતા નથી.” કમ્પનીના કાર્યાધ્યક્ષને આ ઠરાવ અત્યંત અનિષ્ટ હતો. બેમાંથી એકે રીત પસંદ ન થયાથી પેલી હરાજીની રીત-જેથી બંગાળાની અધ પાયમાલી તો થઈ ચૂકી હતી તે કાયમ રહી. હિંદુસ્તાનના વાણિજ્ય પરાયણ રાજાએ ઘણાં વજનદાર કારણોથી પિતાની ઉપજમાં વારંવાર અને સતત વધારો કરવાની બાબતમાં તીર્ણ લાગણીવાળા હતા; અને હજી દશ વર્ષ સુધી હરાજીની પદ્ધતિ, ટુંકી મુદતના પટા, અને જમા ન ભરી શકાય ત્યારે જમીનદારને કેદ-એ મહા સંકષ્ટ બંગાળને માથે પાછું એટયું.
સને ૧૭૭૭ માં પાંચ વર્ષ ઉપર કરેલો બંદોબસ્ત પૂરો થયો. હવે હરાજીની રીતમાં કાંઈક સુધારો કર્યો, અને વંશપરંપરાના જમીનદારોને કંઈક પસંદગી આપવામાં આવી. પણ તેની સાથે આ મોટી જાગીરો પાંચ વર્ષને માટે નહિ પણ એક વર્ષ માટે ગણોતે આપવામાં આવશે એમ જાહેર કરવાથી આ રીતની સખ્તાઈ વળી વધી. આ પ્રમાણે ૧૭૭૮, ૭૮ અને ૮૦ માં વાર્ષિક પટાથી જમીન સાંથવામાં આવી હતી. આ આર્થિક જુલમની નીચે દેશ, બરાડા પાડતો કચડાઈ મુઓ, અને વળી એકવાર જમીનની વસુલાત નિષ્ફળ ગઈ.
સને ૧૭૮૧ માં વળી ફેરફારો કરવામાં આવ્યા. દીવાની અદાલતો માટે તેર કાયદાઓ ઘડવામાં આવ્યા; જે પાછળથી પંચાણું કલમના એક સંગ્રહમાં જોડી દેવામાં આવ્યા, અને હિંદુસ્તાની અને બંગાળી ભાષાઓમાં તેનાં ભાષાન્તરે પ્રસિદ્ધ ક્યાં. દીવાની ન્યાયાધીશ અને કલેકટરોને દેશમાં વધતા જતા ગુહા સામે ઉપાયો લેવા માટે મેજીસ્ટ્રેટની, ફોજદારી ન્યાયાધીશેની સત્તા આપવામાં આવી. કલકત્તામાં એક મહેસુલસભા સ્થાપવામાં આવી. તેણે એક વર્ષના પટાની સરતે જમીન આપવાની યોજના જમીનદારોને
Page #71
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જું.
પસંદગી આપવાની સર-મંજુર કરી. આ પ્રમાણે બંદેબસ્ત અમલમાં મૂકાય; જમીનની મહેસુલમાં છવીસ લાખ રૂપિયાનો વધારો થશે. - બંગાળાના તમામ જમીનદારો, તમામ જમીનદાર ખાનદાનો, આ વાર્ષિક પટાની, વારંવાર વધારા કરવાની, અને સખ્ત ઉઘરાણીની પદ્ધતિથી કોઈ દિવસ નહિ જોયેલું એવા કષ્ટને સ્વાધીન થયા. જૂનાં ખાનદાનના વંશજોને પિતાની જમીને કલકત્તાના શાહુકારો અને સટ્ટાખોરોના હાથમાં જતી પોતાની નજરે જોવી પડી. વિધવાઓ અને સગીર જમીનદારોને કલકત્તેથી નીમાયેલા ખાઉધર વહીવટદારોને હાથે પિતાની ગરીબડી રૈયત ઉપર જુલમ થતા જેવા પડયા. એવું બન્યું કે આ વખતે બંગાળાની ત્રણ મોટામાં મોટી બાર મહીને ત્રણ ત્રણ લાખ પાઉંડની જમા આપનારી જાગીરે ત્રણ આબરૂદાર સ્ત્રીઓના હાથમાં હતી; જેમનાં નામ આપણું હૃદયમાં કોરાઈ રહ્યાં છે. બર્દવાન, પ્રસિદ્ધ તિલકચન્દ્રની વિધવા અને તેટલી જ પ્રસિદ્ધિવાળા તેજચંદ્રની માતાના હાથમાં હતું. તેની ઉપજ પાંત્રીસ લાખ રૂપિયાની. રાજશાઈ, પવિત્ર રાણી ભવાની-જેનું નામ હજી સુધી આખા હિંદમાં મશહુર છે, તેના હાથમાં હતું. આ બાઈ ઊંચી પાયરીવાળાં અને શક્તિવાળાં હોવાની સાથે પવિત્ર જીંદગી ગુજારતાં અને ધર્મદાન બહુ કરતાં. રાજશાઈની ઉપજ છવીસ લાખ રૂપિયાની હતી. અને દિજનાપુર જેની ઉપજ ૧૪૦૦,૦૦૦ ચાદ લાખ જેટલી હતી, ત્યારે રાજા ૧૭૮૦ માં ગુજરી જતાં તેમની વિધવા એક પાંચ વર્ષની ઉમરના કુમારના વાલી તરીકે તેનો વહીવટ કરતાં હતાં. વૈરન હેસ્ટિંગ્સની સખ્ત અને હમેશ બદલાતી મહેસુલી રાજ્યનીતિના પરિણામમાં કેટલું કષ્ટ પડતું તેને દાખલે આ ત્રણ જાગીરોના ઇતિહાસથી મળી શકે છે.
દિજનાપુર સહુથી વધારે દુ:ખ પામ્યું. સગીર પણાને લીધે દેવીસિંગ નામનો એક ખાઉધર અને અધમ વહીવટદાર કલકત્તેથી નીમવામાં આવ્યો હતો. દેવીસિંગે પુર્ણઆ અને રંગપુરમાં તે ત્રાસ વર્તાવ્યો હતો. ત્યાંથી તેને ખસેડવામાં આવ્યો હતો અને કમ્પનીના દફતરમાં એના નામ ઉપર કાળી
Page #72
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧ લીટી મારેલી હતી. પણ જ્યારે સગીરપણમાં મહેસુલ ચૂસવાની કામગિરી આવી ત્યારે લાયક કારભારી તરીકે એને પસંદ કરવામાં આવ્યું હતું. દેવીસિંગે પોતાની લાયકાત બરાબર બતાવી. અઢારમા સૈકામાં, બંગાળામાં પણ જેનો જોટો નહિ હોય એવી ક્રૂરતાથી એણે મહેસુલ વધારવા માટે જમીનદારોને કેદ કર્યા અને ખેડુતોને ફટકા માર્યા. આ જુલમમાંથી સ્ત્રીઓને પણ બાતલ કરવામાં આવી ન હતી, અને અપમાન અને બળાત્કાર ઉમેરવામાં આવ્યાં.
દેવીસિંગના જુલમે દિજનાપુરની રૈયત ઘરગામ છોડી નાશી ગઈ. રૈયત પ્રાંત છોડીને ચાલી જવાની તૈયારી કરતી હતી તે વખતે હથિયારબંધ સિપાહીઓની ટુકડીઓએ તેને હાંકીને પાછી વાળી. ઘણું લેકે જંગલમાં નાશી ગયા; અકૃત્યે દુનિયામાં સૌથી વધારે શાંત અને તાબે રહેનાર ખેડુતોને બળ કરવાની સ્થિતિમાં મૂક્યા. બળ દિજનાપુર અને રંગપુર સોંસરો ફેલાયો, સૈન્યને બેલાવવું પડયું અને પછી શિક્ષાઓ અને ફૂર ફાંસીએ લટકાવવાનાં કુર કૃત્યો ચાલુ થયાં. આ જીલ્લાનો અંગ્રેજ અમલદાર મિ. ગુડબેંડ-આ બળવાને બંગાળામાં કદી નહીં થયેલ અને મોટામાં મોટો અને વધારેમાં વધારે ગંભીર ગણે છે; જે ક્રૂર સખ્તાઈથી એને દાબી દેવામાં આવ્યો તે પણ કદાચ બંગાળામાં અભૂતપૂર્વ હતી.
બર્દવાનને ઈતિહાસ આટલો દુઃખદ નથી. કારણકે ત્યાં રાજકુટુંબ ઉપર જ કષ્ટ પડ્યું હતું, અને લેક ઉપર એટલે ત્રાસ નહેતે પડ્યો. મહારાજા તિલકચંદ્ર ૧૭૬૭માં દેવ થયા અને સગીર તેજચંદ્રને વારસે મંજુર થયો અને કાયમ કરવામાં આવ્યું. મહૂમ જમીનદારે રાજ્યકુટુંબના એક દસ્ત લાલા અમીચંદને જાગીરના કારભારી તરીકે નીમ્યો હતો, પણ જીલ્લાના ઈગ્રેજ અમલદાર જૉન ગ્રેહામે એક વ્રજકિશોર નામના અધર્મી અને ખાઉધર મનુધ્યને રાણીની મરજી ઉપરાંત, કારભારી તરીકે બેસાડી દીધો. રાણીએ-એક
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૨
પ્રકરણ ૨ જી.
સ્ત્રી જ્યાં સુધી કરી શકે તેટલે સુધી એની અપ્રમાણિકતાના અંત લાવવા યત્ન કર્યાં અને જાગીરને સિકકા સોંપ્યા નહીં.
સને ૧૭૭૪ ની વારન હેસ્ટિંગ્સ ઉપર કરેલી અરજીમાં તે લખે છે કે “મારા કુંવરને સિક્કા ભારા પેાતાના કબજામાં હતા; અને હું કાંઇ પણ કાગળ વાંચ્યા વિના તેના ઉપર સિક્કા કરતી નહિ તેથી બ્રજે તે હરેક રીતે પેાતાના કબજામાં લેવાના યત્ન `કર્યો; અને મેં આગ્રહથી તેને ન આપ્યા. આ ઉપરથી ૧૧૭૯ બંગાળી વર્ષમાં ( ઇ. સ. ૧૭૭૨ ) વ્રકિશાર, ગ્રાહમને સમજાવીને દેવાન લઈ આવ્યેા. અને મારી પાસેથી નવ વર્ષની ઉમરના મારા કુંવર તેજચંદને લઇ ગયા, અને એક જુદી જગામાં કેદ કરી ચાકી પેરામાં રાખ્યા. આ સ્થિતિમાં દુઃખ અને ભયથી સાત આઠ દિવસ સુધી અન્ન પાણી વિના હું રહી પણ આખરે કંઇ પણ ઉપાય ન જડયા ત્યારે મેં મ્હાર સિકકા સોંપી દીધા.
,,
પછીથી આ પત્રમાં એવી હકીકત છે કે આ પ્રમાણે સિક્રે। મળ્યા પછી વ્રજકશારે જાગીરની તમામ મીલ્કત ઉડાવી દીધી, રકમેની રકમો ખાઇ ૧યા, અને હીસાબ આપવાની ના પાડી. રાણી અને તેને કુ ંવર જીંદગીના ભયમાં આવી પડયાં, અને પેાતાની જાતની સલામતી સારૂં કલકત્તે જઇને રહુંવાની રજા માંગી.
લેવિનં’ગ, મેન્સન, અને ફ્રાન્સિસે, વ્રજકિશાર અને જોન ગ્રેહમના સામેના આ આરેપની તપાસ કરવાની માંગણી કરી. અને તે બન્નેના ઉપર અગીયાર લાખ રૂપીઆ ખાઇ જવાને જે આરાપ રાણીએ મૂક્યા હતેા તેની તપાસ ચલાવવાનેા હુકમ આપ્યો. પરંતુ સભામાં મતભેદ હેાવાને લીધે પુરતી તપાસ થઈ નિહ. વારન હેસ્તિગ્સ જૈન ગ્રંહામના બચાવમાં હતા. ગ્રેહામે બેસુમાર પૈસા એકઠા કર્યાં હતા એમ સભાસદે લખે છે. હેસ્ટિંગ્સ એસ્માર હાવાનુ ં કબૂલ કરતા નથી. પણ ખર્દવાનની રાણીના આરેાપામાંથી ગ્રેહામને બચાવવાની તે પેાતાની ફરજ સમજ્યા હતા.
Page #74
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
બાકી, બર્દવાન ઉપર બહુ ભારે જમા નાખવામાં આવી. મહેસુલસભાનો દીવાન ગંગા ગોવિંદસિંગ બર્દવાનના રાજ્ય કુટુંબને મિત્ર ન હતો; અને તેણે બંગાળાની કેઈપણ જુની જમીનદારી કરતાં પ્રમાણમાં બર્દવાન ઉપર ભારે જમા ચટાડી. ઘણા દશકા સુધી બર્દવાનને આનાથી કષ્ટ પડવું અને બર્દવાનના રાજાઓ, જેઓ પુરી રાજ્યસત્તા ભોગવતા, જેમણે મરાઠા સામે બંગાળાના જુના નવાબને મદદ કરી હતી, તેઓને આ નવા ધણી ની જમા ભરવી મુશ્કેલ પડી. જમીનદારની જવાબદારીને હિસ્સો માથે રાખવાની શરતેથી નવા સ્થાયી પટા કરવાથી આ કુટુંબનો પાયમાલીમાંથી બચાવ થયે; પણ અત્યાર સુધી બર્દવાનની જાગીર બંગાળાની બીજી મટી જાગીરોના પ્રમાણમાં વધારે જમા આપે છે.
રાજશાઈ જાગીર પણ સર્વથી વધારે ગંભીર બનાવ રાજશાઈની પવિત્ર રાણી ભવાનીને છે. લાસીના યુદ્ધ પહેલાં એની જાગીરમાં ઉત્તર બંગાળાને આખા ભાગનો સમાવેશ થતો હતો. તેણે મુસલમાન સત્તાનો ઉદય અને અસ્ત અને અંગ્રેજી સત્તાનો ઉદય અને વિસ્તાર પિતાની નજરે જોયા હતા. રાજ્યવ્યવસ્થામાં હિંદુ સ્ત્રીઓની બુદ્ધિ અને ચાલાકી કેવી છે એનું એ સ્પષ્ટ ઉદાહરણ છે. એની પવિત્ર જીદગી અને બેહદ ભલાઈએ બંગાળામાં એનું નામ ઘર ઘર પ્રસિદ્ધ કર્યું છે. આજે પણ એનો ઇતિહાસ હિંદુ બાળકો વાંચે છે, અને હિંદનાં સ્ત્રીરમાં એની ગણતરી થાય છે.
વોરન હેસ્ટિંગ્સની નવી મહેસુલપદ્ધતિ અને ૧૭૭૨ ના પાંચ વર્ષના બંદેબસ્તને પરિણામે બંગાળાની બધી જાગીરોને થએલાં નુકશાન, રાજશાઈની જાગીરને પણ પહોંચ્યાં હતાં. ૧૭૭૩ ના ૩૧ મી ડિસેમ્બરના પત્રમાં ગવર્નર જનરલ લખે છે કે રાજશાઈનાં રાણે ભવાની જમા આપવામાં બહુ પછાત
Page #75
--------------------------------------------------------------------------
________________
१४
પ્રકરણ ૨ જું.
રહે છે અને ૧૭૭૪ ની ૧૫ મી માર્ચ એવી મતલબનો પત્ર રાષ્ટ્ર ભવાનીને લખવાનો ઠરાવ થયો કે- તમે તમારી પાસેથી માસ આખર લેણી નીકળતી જમા, ફાગણની ૨૦ મી સુધીમાં નહીં આપે તે તમારી પાસેથી તે જમીનદારી લેવાની અને સરકાર સાથેની સરતે પાળવામાં વધારે ખબરદાર માણસને તમારી તે જાગીર સોંપવાની જરૂર પડશે.” ૧૭૭૪ ના ઓકટોબરની ૧૮ મી તારીખે, લખેલા એક બીજા પત્રમાં લખેલું છે કે “ ગવર્નર જનરલ એના ઇજારાની અને જમીનદારીની જમીનનો એનો કબજો અને એના તમામ હક છેડાવવાનો અને જીવે ત્યાં સુધી એને દર મહીને રૂ. ૪૦૦૦ નું સાલીયાણું બાંધી આપવાને, ઠરાવ કર્યો છે.”
આ વૃદ્ધ રાણી સાહેબે આ ફજેતી અને નુકશાનમાંથી બચવાને માટે જે અરજે કરી છે તેમાંની કેટલીક અસાધારણ આદ્રતાવાળી છે. એક અરજીમાં એ ૧૭૭૨ ના પાંચ વર્ષ પટા પછી પોતાની જાગીરનો ઈતિહાસ આપે છે, અને તેમાં સરકારે નીમેલા ઇજારદાર દુર્લભરાયે વર્તાવેલા ત્રાસની અને તેને પરિ. મે વસતિ ઉજજડ થઈ ગયાની વાતનું ચિત્ર આપ્યું છે.
સને ૧૧૭૯ (ઇ. ૧૭૭૨ ) માં સરકારના અંગ્રેજોએ મારી તમામ જમીનના જુના કરો એકત્ર કરી દીધા અને જીલ્લાદારી માથોટ અને બીજા કાળે ભવે લેવાના પરચુરણ હકકે કાયમ કર્યા–હું એક જુની જમીનદાર છું. અને મારી રમતનું દુઃખ મારાથી જોઇ શકાયું નહીં; તેથી મેં ઇજારે લેવાનું કબૂલ કર્યું. મેં તરત જ દેશમાં તપાસ કરી અને ખબર પડી કે સાંથ આપવા જેટલું સત્વ દેશમાં નથી.
૧૭૭૩ ના ભાદ્રપદમાં રેલ આવવાથી રૈયતની જમીન બળાઈ ગઈ અને મલ હાથમાં આવી શક્યો નહીં. હું જમીનદાર હોવાથી, યિતને પાયમાલીમાંથી બચાવવાની મારી ફરજ હતી, અને સાથનાં નાણાંની ખમત કરીને મારાથી એમને જેટલો કર આપી શકાય એટલો આપે, અને અંગ્રેજ ગૃહસ્થને વિનંતિ કરી કે તેઓ મને પણ ખમત કરે; પણ તે પ્રમાણે મારા
Page #76
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
કહ્યામાં વિશ્વાસ ન રાખીને તેમણે મારા રહેવાના મકાનમાંથી મારી કચેરીને કબજો લઈ લીધો, મોટી સીલ લઈ ગયા અને દુર્લભરાયને મારી પાસેથી લેક પાસેથી નાણાં ઉઘરાવવા સારૂ રાખ્યા.
પછી મારા ઘરની આસપાસ ચોકી મુકી મારી મીલકત કેટલી છે તેની તમામ તપાસ કરી. ઇજારદાર અને જમીનદાર તરીકે મેં જે વસુલાત કરી હતી તે મારી પાસેથી ઉઠાવી ગયા, જે નાણું મેં કરજે કહાવ્યાં હતાં તે અને મારી માસિક ખરચીનાં નાણાં પણ રહેવા દીધાં નહિ, અને એમ કરીને ૨૨૫૮૬૭૪ રૂપીઆ એકઠા કર્યા.
સં. ૧૨૮૧ (સને ૧૭૭૪) ના વરસમાં મારા આખા દેશને દુર્લભરાયને ૨૨૨૭૮૨૪ રૂપીઆને માટે ઈજારો આપો, અને મારી પાસેથી તમામ સત્તા લઈ લીધી. દુર્લભરાય, અને હલકી જાતને પ્રાબસ, એ બેએ મળીને દેશ ઉપર કરનો બોજો વધાર્યો. જે ખેડુત છોડીને ચાલ્યા ગયા તે બદલનું નુકશાન નવા ખેડુતો પાસેથી લેવાનું ઠરાવ્યું. આ બંને જણાઓ નજરમાં આવે તેવા હુકમ કહાડે, રૈયત પાસેથી સર્વસ્વ, બીના દાણું અને ખેતીના બળદ સુદ્ધાંત, લઈ લે, અને તેથી મારો દેશ વસતિ વિનાને અને પાયમાલ થઈ ગયો છે. હું એક જુની જમીનદાર છું, મારો દેશ લુંટાય છે અને રૈયતની ફરીયાદોને સુમાર નથી.
ઉપરનાં કારણોથી હું આ અરજ કરું છું કે રૂ. ૨૨૨૭૮૧૭ ની જમા જે આ વર્ષે આપવાની કરી છે અને જે દુર્લભરાય આપવાના છે તે હું આપવા તૈયાર છું. અને હું સરકારને નુકસાન ન થાય અને આ રકમ વખતસર અપાય તેને માટે કાળજી રાખવા બંધાઉં છું.”
આ ઉતારા, દેશમાં આ વખતે શું ચાલતું હતું તેને ચિતાર આપવા સારૂ અગત્યના છે. જુના જમીનદારો જે હરાજીમાં માગણી કરનારાઓની સરસાએ ન ઉભા રહે તો તેમને તેમના બાપદાદાની જમીનદારીમાંથી કહાડી મુક
Page #77
--------------------------------------------------------------------------
________________
૬
પ્રકરણ ૨ જુ.
વામાં આવે, જે પોતાની જમીન પોતાના હાથમાં રાખવાના ઇરાદાથી જમા વધારીને ઈજારદાર તરીકે રાખે છે, અને જે વખતસર નાણાં આપવામાં કસુર થાય છે, તેમની જમીન ઉપર સરકારી વહીવટદાર, મેનેજરે પરાણે રાખવામાં આવે, અને તેઓ ખેડુતને લુંટી ખાય, દુઃખ કરે અને વસતિ ઉજજડ થઈ જાય. પરંતુ આટલું બધું દબાણ છતાં જમીનની મહેસુલ આવી શકી નહિ. અને બંગાળાની ખેડવાણ જમીનના ત્રીજા ભાગ ઉપર ઝાડવાં ઉગી ગયાં.
રાણી ભવાનીના પુત્ર પ્રાકૃષ્ણ બીજી અરજીઓ કરી, અને તે બાબત ઉપર ઘણા વિચારો થયા. ફિલિપ કાન્સિસ યુરોપિયન ગ્રહર વાણુયાના કે બીજા કે દેશી મુનીમને નામે ઇજારા લે તેનાથી વિરૂદ્ધ હતું. તે કહે કે –
દેશ સ્વદેશીઓનો છે, પૂર્વના વિજેતાઓ જમીન ઉપર જમા લઇને સંતવ માનતા. પ્રાચીન રીવાજોને ઠેકાણે જે જે નવી રીતે દાખલ કરવામાં આવી તેથી નાશકારક પરિણામ આવ્યાં છે; કારણ કે હું જાણું છું કે બંગાળી અને અને બહારની જમીનના બે ભાગ (બે તૃતીયાંશ ) કેવળ ઉજજડ થઈ ગયાં છે. બીકણ હિંદુ, જે જુલમની રિહામે થવાની તેનામાં શકિત નથી, તેનાથી ડરીને નાસે છે.”
આખરે રાજ્યસભાએ સને ૧૭૭૫માં વધુ મતે ઠરાવ કર્યો કે દુર્લભરાયને રાજશાઈના ઈજારામાંથી મુક્ત કર. અને રાણી ભવાનીને પિતાની જમીનનો ઈજા પાછો સોંપવો. હેસ્ટિંગ્સને આ ઠરાવ બરાબર પસંદ પડશે નહિ. બં ગાળાના પ્રાચીન ખાનદાનોના હક તે કદી સમજી શક્યો નહિ. ઈન્સરદાર અને હરાજીમાં ખરીદનાર જે વર્ગ તેની સખ્ત અને પ્રતિકૂળ પદ્ધતિમાં ઉત્પન્ન થશે હતું, તેને ટેકો આપવાને તે કદી ચૂકતે નહિ. વૈરન હેસ્ટિંગ્સના વાણીયા કાન્તબાબુ સારૂ એક જાગીર ઉભી કરવા માટે રાજશાઇની જાગીરમાંથી મોટા મોટા ટુકડા કાપી કહાયા.
પણુ-આ ત્રાસદાયક અને વર્ષોવર્ષ ફરતી મહેસુલ પદ્ધતિનાંનુકશાને, લગભગ તમામ મહેસુલ દેશમાંથી બહાર વહી જતી હતી તેને લીધે, વધારે ગંભીર
Page #78
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. થઈ રહ્યાં. તેવા ત્રાસથી ઉઘરાવેલાં નાણું દેશના વેપાર ઉદ્યોગ અને ખેતીમાં વપરાઈને ફળવાન થવાને સારૂ કોઈ પણ પ્રકારે દેશના લોકોના હાથમાં પાછાં આવતાં નહિ.
“૧૭૭૦ ના દુષ્કાળે બંગાળામાં પહેલાં કદી નહિ થયેલી એવી ભયંકર પાયમાલી કરી હતી તે પણ અનેક ભયાનક યુકિતઓ કરીને કમાણીની રકમ ઉતરવા દીધી ન હતી. જાગીરોની ઉપજ, યુરોપિયન માલનાં વેચાણ, અને અનન્યાધિકાર વાળા માલનાં વેચાણ, એ બધાંથી ઉપજેલાં નાણાંને જે માલ બંગાળાથી લેવામાં આવતે તે કદી દશ લાખ પાઉંડથી ઓછી કિંમતનો થતું ન હતું, અને ઘણી વખતે બાર લાખ સુધી પહોંચતો. આ દશ લાખનો આંકડે કંઈ પણ બદલા વગર જે માલ ઇંગ્લંડ મોકલાવાતે હતો તેનો ઓછામાં ઓછો આંકડો છે. વળી કમ્પનીને હિસાબે બંગાળામાંથી લગભગ એક લાખ પાઉંડ વર્ષોવર્ષ ચીન મોકલવામાં આવતા, અને તે રકમ યુરોપ સાથેના પરભારા વેપારમાં ઉપયોગમાં આવતી. આ સિવાય શાંતિના વખતમાં બંગાળામાંથી, બીજા ઇલાકાઓ, જ્યાં ઉપજ કરતાં ખરચ વધારે હતી ત્યાં, પણ નિયમિત રકમ મેકલવામાં આવતી હતી.
જ્યારે આ બંગાળી અને ઈગ્લેંડ વચ્ચેના વ્યહવારન-વ્યાપાર નહિહિસાબ ગણવા બેસીશું ત્યારે ઉપજમાંથી આ પ્રમાણે માલ મોકલવાની રીતથી જે નુકસાન થાય છે તે ખરા સ્વરૂપમાં સમજાશે. એ દૃષ્ટિબિન્દુથી જોતાં અહીંયાથી જેટલે માલ નિકાસ કરવામાં આવે છે તે બધા, કમ્પનીને વ્યવહાર જોતાં તો, માલ સાટે માલ મોકલવામાં આવતો નથી પણ કંઈ પણ બદલા વિનાજ મે -૨ માં આવે છે.
પણ . 1 હું અને તેની અસરને ખ્યાલ બરાબર આવે તે સારૂ ચી અને યુધિમાં મેકલવાના માલની ખરીદીમાં બંગાળાની જે ઉપજ વપરાય છે, તે સિવાયની બીજી ઉપજની વ્યવસ્થા ઉપર લક્ષ આપ્યું છે. રાજયના
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જું. દીવાની, કારભારમાં જે ખરચ થાય છે તેને કંઈપણ અંશ સ્વદેશીઓને મળતો નથી, કારણ કે તેઓને ઘણે ભાગે યુરોપીયનના નેકર તરીકે અથવા મહેસુલનાં હલકાં ખાતાંઓ કે જ્યાં જ તેમના વગર એક ડગલું પણ ભરવું કેવળ મુશ્કેલ થઈ પડે.” એવી જગાઓમાં રાખવામાં આવ્યા છે.
નીચેના આંકડા સરકારી દફતરમાંથી લીધેલા છે –
વર્ષ | જમીનની મે થી | મહેસુલ. એિપ્રિલ.
| કુલ ઉપજ.
મુલકી | લશ્કરી ખરચ. ખરચ.
કુલ ખરચ.
૧૭૭૧-૭૨૨,૩૪૧,૯૪૧૩,૨૫૯,૫૬૪ ૨૦૬,૭૮૧૧,૧૬૪,૩૪૮૨,૮૮૪, ૧૯૨
૧૭૭૨-૭૩ર,૨૯૮,૪૪૧ર,૮૬ ૬,૯૬૮ ૨૩૪,૦૫૧૧,૨૮૮,૬૬,૮૨૭,૧૪૧ ૧૭૭૩–૭૪૨,૪૩૮,૪૦૫૩,૧૬૦,૧૮૬ ૨૧૩, ૨૩૭૧,૩૦૪,૮૮૩ર,૭ર૭,૯૭૫
૧૭૭૪-૭૫,૭૭૭,૮૭૦૩,૫૬૪,૯૧૫ ૨૬૮,૨૩૨૧,૦૮૦,૩૦૪૩,૩૦૦,૧૨૪
૧૭૭૫-૭૬૨,૮૧૮,૦૭૧૪,૧૯૮,૦૧૭૩૩૫,૯૬૮૧,૫૧,૯૬૯૩,૪૩૮,૪૮૦
I
.
૧૭૭૬-૭૭૨,૭૫૫,૦૪૩૩,૯૭૧,૪૪૦૫૩૨૫,૧૯૨ ૯૪૨,૧૯૯૩,૪૨૪,૪૦૧
૧૭૭૭–૭૮૨,૫૩૦,૦૪ર૩, ૬૮૮,૦૮૮૪૭૭,૨૯૩૧,૧૮૪,૭૦૮૩,૩૫૩,૦૨૯
૧૭૮-૭૯૨, ૪૫૬, ૮,૭૮૨,૧૯૦ ૫૫૩,૮૧,૮૪૧,ર,૭૨,૫૯
* Select Com's. Ninth Report 1873 p. 55.
Page #80
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
બનારસ
હજી સુધી આપણે બંગાળાની જ સ્થિતિ જોઈ છે. બંગાળની બહાર જઈને જ્યારે જોઈએ છીએ, ત્યારે પણ વૈરન હેસ્ટિંગ્સના અમલ નીચે જે પ્રાંતિ આવ્યા હતા, તેમાં તેની તેજ સ્થિતિ જોવામાં આવે છે. ઉત્તર હિંદુસ્તાનમાં બનારસ જેવું આબાદ રાજ્ય બીજું એક ન હતું. લોક ઉઘોગી હતા, વેપાર અને ખેતી આબાદ સ્થિતિમાં હતાં અને હિંદુસ્તાનના સઘળા ભાગમાં પવિત્ર મનાતું શહેર બનારસ રાજા બલવંતસિંહની રાજધાનીનું શહેર હતું.
બલવંતસિંહ ૧૭૭૦ માં ગુજરી ગયા અને અયોધ્યાના વઝીર (રાજા) જેના એ માંડલિક રાજા હતા, તેમણે નજરાણો લઈને અને ખંડણીમાં કંધ, વધારો કરીને ચેતસિંહને તેના વારસ તરીકે કબૂલ રાખ્યો હતો. આ વારસા ના પ્રકરણમાં ઇસ્ટઈન્ડિયા કમ્પનીએ માથું ઘાલ્યું હતું, અને ૧૭૭૦ ના ઑકટોબરની ૧૭મી તારીખના અધ્યક્ષસભા ઉપર લખેલા પત્રમાં આ બાબતમાં વઝીરે સંમતિ આપ્યાથી બંગાલના ગવર્નરે પિતાને સંતોષ જાહેર કર્યો હતે.
અયોધ્યાને વઝીર (રાજા) સુજા-ઉર્દીલા પંડે ૧૭૭૫ માં મરણ પામે અને બંગાલાના ગવર્નરે પિતાના આ જુના મિત્રના મરણને લાભ લઈને પોતાના રાજ્યની હદનો અને સત્તાનો વિસ્તાર કર્યો. ૧૭૭૫ ના મે માસમાં એના પુત્ર અને વારસ અસોદલા સાથે નવું તહનામું થયું જેથી બનારસ ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીને સ્વાધીન કરવામાં આવ્યું. અને તે રીતે રાજા ચેતસિંહ બ્રિટિશ માંડલિક રાજા થશે. બનારસનું રાજ્ય આમ બ્રિટિશ પ્રાન્તની નીચે આવવાથી કમ્પનીને લગભગ ચોવીસ લાખ રૂપિયાની ઉપજ વધી. આ રકમની માસિક કિસ્તો કરવામાં આવી અને તેમાંથી ખરાજાત કે એવા બહાનાથી કંઈપણ કાપકુપ કરવામાં આવશે નહિ, એ ચેખો ઠરાવ કરવામાં આવ્યા.
Page #81
--------------------------------------------------------------------------
________________
~~~
૭૦
પ્રકરણ ૨ જી. ~ સને ૧૭૭૫ માં આનંદથી ઉભરાઈ જતી કલમે ગવર્નર જનરલે આ બાબતના ખબર અધ્યક્ષ સભાને આપ્યા.*
આ પ્રમાણે મંડલાન્તર કરવામાં શું જોખમ હતું તેને ખ્યાલ ચેતસિંહને ત્રણ વર્ષ પછી આવ્યો. ૧૭૭૮ ના જુલાઈમાં વૈરન હેસ્ટિંગ્સ ચેતસિંહને લખે છે કે “અંડે દ્વાન્સ સાથે ગઈ તા. ૧૮ મી માર્ચ લડાઈ જગાવી છે, અને તેના સંબંધમાં મારા નામથી અને આ સભાના નામથી મારે આ પને લખવાનું કે કમ્પનીની રૈયત તરીકે આપ એમનાં હિત-ગેરહિતમાં ભાગ લેવાને બંધાયેલા છે તેથી આ લડાઈમાં જે ખરચ થાય તેને આપ, આપને હિસ્સો આપવા મહેરબાની કરશે.” *
એક પ્રામાણિક અંગ્રેજને ઇન્સાફ કરવાની ખાતર અહીં કહેવું જોઈએ કે ફિલિપ ક્રાંસિસ વૈરન હેસ્ટિંગ્સની આ લૂંટની સામે થયે હતે. બ્રિટિશ વાવટા નીચે બનારસના રાજ્યને લાવવામાં એણે અગ્ર ભાગ લીધો હતો; પણ હવે કમ્પનીના માંડલિક થયેલા આ રાજા ઉપર જે ગેરવાજબી માંગણીઓ થવા માંડી તેની સામે તેણે મજબૂત વાંધો લીધx
“+ આ રાજ્યની સત્તાને રાજાએ સ્વાધીન થવું જોઈએ એમાં કાંઈ શક નથી. અને જ્યાં સુધી એ સત્તા ઈન્સાફના ધોરણે ચલાવાય છે ત્યાં સુધી તે સત્તાને ટેકો આપવામાં આ સભાના કોઈ પણ સભાસદથી હું ઉતરું તેમ નથી. પ્રથમથી જ આપણે આ રાજાની સાથે જે કરાર કર્યો છે અને જે કરાર આપણ એના સંબંધનું મુખ્ય ધારણ છે તેની બહાર જઈને આપણી માંગણીમાં કંઈ પણ વધારો કરવાને આપણે હક છે કે નહિ તેની જ મને શંકા હતી. જે ચક્રવર્તી સત્તાની મરજી મુજબ આ માગણીઓ વધારવાની હોય તો માંડલિક રાજાને કંઈ હકજ નથી, તેને કઈ મિલક્ત પણ નથી, અથવા તે બેમાંથી
* જુઓ સિલેકટ કમિટિને રીપોર્ટ ૧૭૮૨ પા.૪૬૦ ૪ સિલેકટ કમિટિ રિપેર્ટ ૧૮૨ પા. ૪૬૩ + સિલેકટ કમિટિને રિપોર્ટ ૧૭૮૨ ૫, ૪૬૫
Page #82
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧
એકેને માટે એને નિર્ભયતા તે નથી જ. પાંચ લાખને બદલે આપણે પચીસ લાખ માંગીએ, અને જે એ આપવાની ના પાડે, અથવા આપવાને અસમર્થ હોય, તે જમીનદારી ખાલસા કરવી એ એનું પરિણામ તાબડતોબ આવી જાય.”
આ બધું નિષ્ફળ ગયું. બીજે વર્ષે પણ પાંચ લાખ માગ્યા. તેજ પ્રમાણે ત્રીજે અને ચોથે વર્ષે અને તે ઉપરાંત લશ્કરનું અમુક ખરચ પણ માગ્યું. નાણું આપવાનું તેનાથી બની ન શક્યું માટે તેને ઠબકે દેવામાં આવ્યા, અને પછીથી કેદ કર્યો; અને જ્યારે એની રૈયતે કમ્પનીના પેરા ઉપર હુમલો કર્યો ત્યારે એનું આવી બન્યું. તે પિતાના રાજ્યમાંથી ભાગી ગયો. અંગ્રેજે એના ભાણેજ મહીપ નારાયણને ખંડણીમાં મોટો વધારો કરીને ગાદીએ બેસાડો, અને રાજ્યવ્યવસ્થા ગવર્નર જનરલનાં નીમેલા માણસની દેખરેખ નીચે ચાલવા માંડી.
આ રાજ્યવ્યવસ્થા અંત્યત નિષ્ફળ નીવડી. વારનહેસ્ટિંગ્સ બળવંતસિંહ કે ચૈતસિંહ કરતાં ઓછો વ્યવસ્થાકુશલ હતો તે કારણથી નહિ, પણ મહેસુલમાં વધારે કરવાથી ખેતી નાશ પામેલી તેથી. હેસ્ટિંગ્સ જેને પહેલવહેલ દીવાન તરીકે નીમે હતા, તેને વખતસર ભરણું ન કરવાના કારણથી બરતરફ કર્યો. તેથી બીજે, એવા સ્પષ્ટ નિશ્ચય સાથે દાખલ થયો કે જે મહેસુલ આપવાનું ઠરાવવામાં આવ્યું છે તેટલી રકમ તે ગમે તેમ કરીને એકઠી કરવી જ. જમીનની આંકણી થઈ. અને અત્યંત સખ્તાઈથી ઉઘરાત થવા લાગી. જેથી રૈયત દુઃખમાં ડુબી ગઈ, અને ૧૭૮૪ માં એક ભયંકર દુષ્કાળે દેશને ઉજજડ કરી નાંખે.
આ દુષ્કાળની અસર હેસ્ટિસે પોતાની નજરે જોઈ. રાજ્યસભાને ૧૭૮૪ ના એપ્રિલની ૨૭ તારીખે લખેલા પત્રમાં તે લખે છે કે “બકસારથી બનારસ સુધી બેદીલ રૈયતના બુમાર સાંભળી સાંભળીને હું થાકી ગયા. લાંબો વખત ચાલેલા દુષ્કાળનાં દુઃખોથી આ સામાન્ય બેદીલીમાં અનિવાર્ય વધારો થશે. પણ મને એમ ભય રહે છે કે આ બધી બદીલીનું મુખ્ય કારણુ અપ્રમા
Page #83
--------------------------------------------------------------------------
________________
છર
પ્રકરણ ૨ જુ.
ણિક નહીં તે અકુશલ અને ક્રર રાજ્યવ્યવસ્થા જ હશે. હું ઉમેરવાને દીલગીર છું કે બકસારથી તે એક સામી હદ સુધી ગામેગામ સંપૂર્ણ પાયમાલીનાં ચિહો સિવાય બીજું કાંઈ મારા જેવામાં આવ્યું જ નથી. બનારસ શહેર બાદ કરતાં બાકીને આખે ઇલાક રાજ્ય વિનાને છે. રાજ્યમાં બધે ગેરબંદોબસ્ત છે, લેકેના ઉપર જુલમ છે, વેપારને દાબી દેવામાં આવ્યું છે. અને મહેસુલ સાધનેને આ ઉપયોગ થવાથી, જલદીથી ઉતરી જશે એ ભય રહે છે.”
અયોધ્યાના વાવટાથી ખસી કમ્પનીની સત્તા નીચે આવ્યા. પછી નવું વર્ષની અંદર બનારસની આ સ્થિતિ થઈ ગઈ. હવે આપણે એક ડગલું આગળ ભરીએ અને અયોધ્યાની દશા જોઈએ. ના
અયોધ્યા, ઉપર કહેવાઈ ગયું છે કે બ્રિટિશ મિત્ર સુજાઉદૌલા સને ૧૭૭પ માં મરણ પામ્ય. શત્રુની સાથે એ કર અને ક્ષમાન્ય હતો, પણ એની રૈયતને તેણે સંતેથી, રાજી અને આબાદ રાખી હતી. જ્યારે અસોફુદૌલા એના પિતાની ગાદીએ બેઠા ત્યારે વૈરન હેસ્ટિસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અયોધ્યા ઉપર જે સત્તા હતી તેમાં વધારો કર્યો, સુજાઉદૈલા સાથેનું જુનું તહનામું હતું તે રદ કરી અને એક નવું તહ કર્યું; અને તે મુજબ અયોધ્યાના રાજા પરિણામે કેમ્પની માંડલિક રામાં થઈ રહ્યા.*
આ માંડલિક્તામાં અયોધ્યાના વિનાશનું બીજ રોપાયું. હેસ્ટિંગ્સ એક લશ્કરની ટુકડીની સાથે કર્નલ હેનીને મોકલ્યા. આ સરદાર તે જમાનાના ઘણા ઈગ્રેજોની માફક તકનો લાભ બરાબર લઈ જલદીથી સમૃદ્ધિવાન થઈ જવાની ઈચ્છા રાખતા. અયોધ્યામાં પણ મદ્રાસ અને બીજે ઠેકાણે લશ્કરને
* મિલના હિંદુસ્તાનના ઇતિહાસમાં ઉતારેલું ૧૮૫૮ પુસ્તક ૪ પ્રકરણ ૭% * સિલેકટ કમિટિને દશમે રીપોર્ટ-૧૭૮૩ મે ૭.
Page #84
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિદ્વાસ.
માટે જમીનની મહેસુલ સાંપી દેવાની નુકશાનકારક રીત અમલમાં મૂકવામાં આવી. કર્નલ હેની અયાખ્યામાં મુલકી અને લશ્કરી સત્તા ભોગવતા અને તેમણે ગારખપુર અને ખેરકના ઇજારા લીધા. સાંથેા વધારી. ઉધરાત માટે જોરજુલમના ઉપયોગ થયા. લાકા ઘરગામ ખેતર છેાડીને નાશી ગયા. દેશ ઉજ્જડ થયા.
093
..
અસાદૌલાએ પોતે પેાતાની મેળે ન્હાતરેલી પાયમાલી પેાતાની નજરે જોઇ. સને ૧૭૭૯ માં બ્રિટિશસરકારને તેણે લખ્યું કે, “ ખરચ ધણુ વધી જવાથી જમીનના ણે ઉ ંચે દરે ઇજારા આપવાની જરૂર પડી, અને વર્ષોવર્ષ ખાટ આવવા માંડી. દેશ ઉજ્જડ થયા, ખેતી છુટી ગઇ.” આથી કરીને લશ્કરના ખરચી માટે જે નવી જમીન પડાવવાની તજવીજ થાં તેની વિરૂદ્ધ નવાએ વાંધો લીધા; અને કારણુ એમ બતાવ્યું કે, લશ્કર અમારે કેવળ નકામું છે, ઉપજમાં નુકશાનનું અને રાજ્યકારભારમાં ગરબડનું તેજ કારણુ છે.
આ અગત્યના પત્ર ઉપર કલકત્તાની સભાએ ચર્ચા કરી. ફ્રિલિપાસિએ—તેની સાહજિક ન્યાય બુદ્ધિથી એક લાક્ષણિક દફ્તરી નેાંધ લખી.
“ એક સ્વત ંત્ર ( Independent) રાજા, એક પરદેશી લશ્કર જે રક્ષણ કરવાને નિમિત્તે એની ઉપજ અને દેશનું ભક્ષણ કરેછે, તે રાખવાની સામે વાંધા લે, એમાં મને ખાટું લગાડવા જેવુ કે ભયભીત થવા જેવુ કંઇ લાગતું નથી. મારામાં રાજ્ય સત્તાની આદતા એટલી લાંબા કાળની નથી થઈ કે જેથી મને એમાં ખાટું લાગે.’
tr
૧૭૭૫ ના ડિસેમ્બરની ૧૫ મી તારીખના પત્રમાં કમ્પનીની કાર્યાધ્યક્ષ સભાએ અયે ધ્યાના સુબાની નેકરીમાં એક ટુકડી રાખવાની વાતને પસંદ કરી; એટલી સરતે કે, તે માની સ્વતંત્ર કબૂલતથી-અને તે વિના ગમે તેમ હેાય પણ નહિ જ.''
Page #85
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રકરણ ૨ જી.
આપણા લશ્કરની આ ટુકડીના સંબંધમાં અત્યારે કઈ તકરાર નથી, કારણકે વઝીર એ પાછું લઇ લેવરાવવાની ઇચ્છા રાખતા નથી; એની માગણી કર્નલ હેતી અને કેપટન આસમેાજની સરદારી નીચે ટુકડીએના સંબંધમાં છે. પહેલાના સબંધમાં એ એમ કહે છે કે તે મારા રાજ્યને કેવળ નિરુપયેાગી છે અને જમીનની અને જકાતની ઉપજમાં મને બહુ નુકસાન કરે છે; જીના સંબંધમાં એ કહે છે કે તેથી મારા રાજ્યકારભારમાં ગરબડ થાય છે, અને સ્વતંત્ર સત્તા અખત્યાર કરે છે.
ar
“ આ દરખાસ્તથી એ વાતા જણાય છે. (૧) એતે ખરચે એના રાજ્યમાં આપણું લશ્કર રાખવાની એને પુરજ પાડવાની જરૂર છે એટલુ જ નહિ પણ (૨) એમના પગાર ચુકવવા પુરતી ઉપજના ઉધરાતદાર પણ આપણેજ થવું જોઇએ. અને આના અર્થ એ થાય છે કે અત્યારે જેવી રીતે આ બધી બાબતાનેા કારભાર થાય છે તેવી રીતે તે એના દેશને આપણી લશ્કરી સત્તાની નીચેજ મૂકી દેવા. આમ એક જરૂરીયાતમાંથી ખીજી ઉત્પન્ન થાય છે, અને જ્યાં સુધી આપણા લાભને લલચાવે અને આપણી અભિલાષાઓને પૂર્ણ કરે તેવું કંઇં પણુ, હિંદના રાજ્યા પાસે છે, અથવા આપણે અનુભવથી શીખીએ કે ખીજાઓને ઇન્સાફ કરવામાં કઇ ડહાપણ સમાયલું છે, ત્યાં સુધી તે પ્રમાણે ચાલ્યાંજ કરશે. ’’ +
વારન ડ્રેસ્ટિંગ્સની નજરમાં આ ટુકડીઓ પાછી ખેંચી લેવામાં કમ્પ નીને નુકશાન થશે એ વાતનુ વધારે વજન હતું; નવાબના લેાકેાને દુઃખ પડે છે તેને એને ક ંઇ હિસાબ ન હતા. એ કહેતા કે નવાબ કમ્પતીને માંડિલક છે, અને તેને ત્યાંથી લશ્કર પાછું ખેલાવીએ તેનુ પરિણામ ક્રુમ્પનીના ઉપર એટલા એાજો વધારે પડે એજ થાય.” હિંદુસ્તાનના ઇતિહાસકાર—જેમ્સમિલલખે છે કે “ ઈ ંગ્રેજોએ કંઇ પણ હક વગર પોતાનું લશ્કર નભાવવા નવાબને
..
+ સીલેકટ કમીટીના રિપોર્ટ એ. ૭
Page #86
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૭૫. ફરજ પાડી, તે એક મોટી સગવડની ખાતર હતું; એટલે એને એક માંડલિક તરીકે ગણે, અને તેના ઉપર તેમજ તેના દેશ ઉપર મંડલેશ્વરના હકો વાસ્તવિક રીતે ધારણ કર્યા અને અમલમાં મૂક્યાં. ”
બ્રિટિશ રાજ્યને હક સને ૧૭૮૦માં ૧,૪૦૦૦૦૦ચોદલાખ પાઉડ સુધી પહોચ્યો હતો. ગવર્નર જનરલે લકનીમાંથી બ્રિસ્ટોને પાછે બોલાવી લીધો, અને મિડલટનને રેસિંડેન્ટ તરીકે મોકલ્યો; કમ્પની સરકારના હક્ક પુરા પાડવા માટે તેમણે અયોધ્યાની બેગમે, નવાબની મા અને દાદીને, લુંટવામાં મદદ કરી; અને તેમની સાથે જુલમ અને અપમાન ભરેલી વર્તણુક ચલાવીને નાણાંની મોટી રકમ છીનવી લીધી; એ બધી બાબતોનું વર્ણન કરવાની અહીં જરૂર નથી. આપણે તે અધ્યાના ખેડુતની સ્થિતિ સાથે સંબંધ છે.
વૈરન હેસ્ટિંગ્સ ઉપર કામ ચાલું તે પ્રસંગે નિષ્કિચન ખેડ વર્ગ પાસેથી નાણાં ઉઘરાવવાની બાબતમાં જે હકીકત પુરાવામાં પડેલી છે, તે ઘણી શેકજનક છે. એવી જુબાનીઓ પડેલી છે કે જેમની પાસે બાકી નીકળતું હેય તેમને પાંજરામાં પુરવામાં આવતા; તેને જવાબ એ મળ્યો કે હિંદુસ્તાનની આબો હવામાં પાંજરામાં પૂરવું તે કાંઈ માણસ રીબાવ્યું કહેવાય નહીં; જુબાની એવી પડી કે માબાપને છોકરાં વેચવાની ફરજ પાડવામાં આવતી. ખુલાસો એ થયો કે કર્નલ હેનિએ આવા અસ્વાભાવિક વિય સામે હુકમો કહાડયા હતા. લેકનાં ટોળેટોળાં ગામ સીમ છોડીને ચાલતાં થયાં, અને તેમને નાશી જતા અટકાવવા સારૂ લશ્કરને ઉપયોગમાં લેવું પડયું હતું. આખરે એક મોટો બળે ઉઠે. ખેડૂતો અને ઈજારદારોએ અસહ્ય બોજા સામે બંડ કર્યું, અને તે પછી ક્રોધાવિષ્ટ સેનાને હાથે ત્રાસ અને કાપાકાપી શરૂ થઇ, જે વડે આ જડ ખેડુતનું બંડ દબાવી દીધું, પછી કનેલ નિને અયોધ્યામાંથી મુક્ત કર્યો, બળ શાન્ત કર્યો. પણ ધ્યાની સ્થિતિ ઉજજડ હતી. કેપટન એડવર્ડ ૧૭૭૪ માં અને પછીથી
Page #87
--------------------------------------------------------------------------
________________
ut
પ્રકરણ ૨ જી
૧૭૮૩ માં અયેાધ્યાની મુલાકાત લીધી હતી, પ્રથમતી મુલાકાત વખતે તેણે અયેાધ્યામાં વેપાર, વણજ, ઉદ્યાગ અને ખેતીમાં આબાદી દીઠી હતી. ખીજી વખતે તેને તે ઉજ્જડ અને ભયંકર લાગ્યું. મિ. હેાલ્ટ પણ એવાજ પુરાવા આપે છે. ૧૭૮૪ માં એક સખ્ત દુષ્કાળ પડયા, અને અવ્યવસ્થા અને લડાઇનાં કષ્ટામાં ભુખમરાનાં કટા ઉમેરાયાં.
વારન હેસ્ટિ ંગ્સની કારકીર્દિના અંત.
આ બધી ત્રાસદાયક હકીકત બ્રિટિશ પાર્લમેન્ટને કાને ગુપ્ત કમિટીના છ રિપાર્ટી અને સિલેકટ કમિટીના અગીયાર રિપોર્ટથી આવી. આ રિપેર્ટ સને ૧૭૮૨-૮૩ માં પ્રસિદ્ધ થયા, અને તે ઉપરથી એટલુ` સ્પષ્ટ જણાયું કે રેગ્યુલેટિન્ગ એક્ટના વ્યવસ્થાપ્રબંધથી જોઇએ તેવા સુધારા થઇ શક્યા નથી. રાજ્યવહીવટથી પુનરપિ સુધારા કરવાની માગણીયો માટે સાદે થવા માંડી. ફેાસનુ ઇન્ડિયાબિલ જેતે એડમાંડ બર્કે ટેકે આપ્યા હતા તે પાર્લમેન્ટ નામંજુર કર્યું પણુ ૧૭૮૪ માં પિ‰તું ઇસ્ટઇન્ડિયા બિલ પસાર થયુ' અતે તેથી પહેલીવાર કમ્પનીનેા કારભાર બ્રિટિશ તાજની દેખરેખ નીચે મૂકાયા. કમ્પનીના મુલકી લશ્કરી અને મહેસુલી કામકાજની દેખરેખ તાજે નીમેલા છ કમિશનરે ને સાંપવામાં આવી. સામા વર્ષમાં વારન હેસ્ટિંગ્સે પેાતાની જ ગાનું રાજીનામું આપ્યું અને લેર્ડ કાર્નવોલિસ જે ઉંચી સુશીલતાવાળા હતા અને જેમને સ્વભાવ ઉદાર હતા તેમને ઇન્ડિયાના ગવર્નર જનરલ - તરીકે મેાકલ્યા.
વારન હેસ્ટિંગ્સની કારકીર્દિના આ ટુંકા હેવાલમાં આપણે લેકેની આર્થિક સ્થિતિ ઉપરજ ધ્યાન આપ્યું છે, અને તે દૃષ્ટિબિંદુથી એ કારકીર્દિ નિષ્ફળ નીવડી એ વાતથી અમે અત્યંત દીલગીર છીએ. બધા નિષ્પક્ષપાત ઈતિહાસકારના પણ આજ અભિપ્રાય છે. પશુ વારન હેસ્ટિ ંગ્સને ઇન્સાફ્ કરવાની
Page #88
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ,
ખાતર સને ૧૭૮૯ મિ.-શારે--( પછીથી લૉર્ડ ટેનમથ ) તેના બચાવમાં જે દલીલ કરી હતી તે અહીંયાં નેાંધવી જોઇએ.
k
કમ્પનીને મહેસુલના હક મળ્યાને આજ અઠ્ઠાવીશ વર્ષે થઇ ગયાં અને દીવાની મળવાથી તમામ મુલક હમેશને માટે મળ્યાને આજ ચાવીસ વર્ષ થઇ ગયાં છે. જ્યારે આ લાભનું સ્વરૂપ અને તેની મત્તાનેા આપણે વિચાર કરીએ, અને આપણી રાજ્યસત્તા નીચે મૂકેલા લેાકનાં શીલ, તેમની ભાષાના ભેદ, અને રીતભાતના તાવત ઉપર નજર નાંખીએ, જ્યારે તે દેશના પાલા રીત રીવાજથી અને એશિયાના રાજ્યકાશ બાબતની રીતેાથી કેવળ અજાણ્યા છતાં આપણે આવા મેટા કામમાં પ્રવૃત્ત થયા હતા તે વાત ખરાબર ધ્યાનમાં લઇએ, ત્યારે આપણે ભૂલમાં પડ્યા હતા અને સુધારવાની જરૂર છે તે વાત સ્વીકારવાથી કાઇને વિસ્મય થશે નહિ.’× આ વિચારમાં ઘણું સત્ય સમાયલું છે, છતાં ખીજા બધા કરતાં વારન હેસ્ટિંગ્સને આ ટીકા સૌથી ઓછી લાગુ પડે છે. વારન હેસ્ટિંગ્સ હિંદમાં નવે નહતેા, તે લેાકેાથી અજાણ્યા ન હતા. કેવળ બાળક હતા તે વખતના તે હિંદમાં આવ્યા હતા. તેણે શરૂઆતની જીંદગી હલકા દરજ્જામાં ગાળી હતી. તે વખતે લેાકામાં ભળતા હતા, અને તેમનાં શીલ સમજી તેની તારીફ્ કરતા હતા. હિંદમાંથી નિવૃત્ત થયા પછી અઠ્ઠાવીશ વર્ષે તેણે કહ્યું હતું કે મેં જે સાગન લીધાછે તે સેગન ઉપર હું કહુ છું કે હિંદુસ્તાનના લેકે નીતિભ્રષ્ટ છે તે વાત તદ્દન પાયા વિનાની છે, તેઓ નરમ છે, ભલા છે, તેમના ઉપર માયાળુપણું બતાવીએ . તેને માટે ઉપકાર બુદ્ધિવાળા છે; અપકાર સામે વૈરબુધ્ધિથી તેઓ પ્રેરાતા નથી, અને તીવ્ર રાગદ્વેષના અભાવમાં દુનીયાની કોઇ પણ પ્રજાની સરખામણીમાં તે ટકી શકે તેમ છે.” જેમને તે પાતે આવા જાણતા હતા તે લકામાં હેસ્ટિંગ્સે ૧૭પ૦-૮૫ સુધી અમલ ભાગવ્યા હતા.+
1-66
× Select Committee's fifth Report પણ્. ૧૬૯.
we
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૮
-
પ્રકરણ ૨ જુ
તેમજ લોકે સંબંધી તેના વિચારોને અનુસરતાજ હેસ્ટિંગ્સનાં જાહેર કૃત્ય પણ હતાં. જે વખતે બંગાળાના લોકો પાસેથી તમામ મુલકી વેપાર છીનવી લઈને કમ્પનીને નેકરો એકદમ શ્રીમંત થઈ જવામાં ગુંથાયા હતા તે વખતે વોરન હેસ્ટિંસ પોતાના સ્વદેશિઓના જુલમની સામે થવામાં એક હાથે વાસિટાર્ટની સાથે સામીલ રહ્યા હતા. તેમજ ૧૭૭૨ થી ૧૭૮૫ સુધીના એના પિતાના કારભારની દરમિયાન પણ ઘોટાળામાંથી વ્યવસ્થા લાવવાને માટે એણે પ્રયત્ન કર્યા હતા. એણે હિંદુ અને મુસલમાનના કાયદાઓના સંગ્રહ કરાવી છપાવરાવ્યા. તે કાયદાઓ પ્રમાણે ન્યાય આપવા માટે તેણે ન્યાયસભાઓ સ્થાપી અને પછીથી ઘણું સુધારા થયા તે વાત ખરી, પણ વ્યવસ્થાસર રાજ્યપધ્ધતિની સ્થાપના કરનાર એજ હતો.
ઈશ્વરદત્ત વ્યવસ્થાશક્તિથી સંપન્ન અને લેકનું તથા દેશનું જ્ઞાન ધરાવનાર એક રાજ્યપુરૂષને હાથે વહીવટી કામમાં ઊચા પ્રકારની ફતેહની આશા સ્વાભાવિક રીતે રાખી શકાય. પણ જે રાજ્યકારકીર્દિની ફતેહનું માપ લોકોને મળેલા સુખ ઉપરથી લઈએ તે એમ કહેવું જોઈએ કે વૈરનહેસ્ટિં. સને કારભાર કેવળ નિષ્ફળ હતો. બ્રિટિશ સત્તા અને પ્રભાવને વિસ્તાર થયે લોકેાની આર્થિક સ્થિતિ સુધરી નહિ; પણ બંગાળા, બનારસ અને અયોધ્યામાં કષ્ટ, બળવા, અને તોફાનની અંધકારમય પરંપરાને અવકાશ મળે.
આ નિષ્ફળતાનાં કારણે સો વર્ષ પછી આજે આપણે શાન્તિથી તપાસી શકીશું. તે વખતના અંગ્રેજોની સાથે હેટિંગ્સ પણ ઇન્ડિયાને એક મોટી જાગીર લેખો, અને પિતાના બળવાન બને તે જાગીરમાંથી નફો લેવા પાછળ લગાડયું. કમ્પનીના નફાની આગળ લેકનું કલ્યાણ ગણુ થયું. રાજા અને રૈયતના હક વેપારી રાજ્યકર્તાઓની આ ભાવનામાં હેમાયા. ૧૭૭૦ ના દુષ્કાળ પછી પણ જમીનની મહેસુલમાં વધારે કરવામાં આવ્યું, અને બંગાળામાંથી ત્રીજા ભાગની વસતિનું વાશીદું વળાઈ ગયું. જમીનદાર ખાનદાને
Page #90
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૭૮ જેઓ સેંકડો વર્ષથી જે જમીનના માલીક હતા તેમને પિતાની જમીનને માટે શાહુકાર, અને સટેરીઆઓની સાથે હરાજીમાં ઉભા રહી ઈજારદાર તરીકે માગણીઓ કરવાને વખત આવ્યે. ઘરબાર છેડીને નાશી જતા અથવા બંડ કરીને સામા થતા ખેડુતોને સૈનિકે સખ્ત ક્રૂરતાથી હાંકી હાંકીને પાછા ઘર ભેગા કરતા. અને આવી રીતે એકઠા કરેલા પૈસાને મોટો ભાગ ઇગ્લેંડના ભાગીદારોને પહોંચાડી દેવામાં આવતો. ગમે તેવી ઈશ્વરદત્ત શકિત હોય, બીજી રીતે ગમે તેવી પૂર્ણ હય, તે પણ કોઈ રાજ્યસત્તા એક દેશનાં ધનનાં સાધન બીજા દેશના વેપારમાં ઘસડી જવાની કોશનીતિ રાખીને, રાષ્ટ્રીય દારિદ્રય અને દુષ્કાળને અટકાવવા સમર્થ થાય નહિ.
વૈરન હેસ્ટિંગ્સની નિષ્ફળતાનું આ મુખ્ય કારણ હતું અને તેનાં નિર્દય અને આપખુદી કૃત્યોથી લેકનાં દુઃખ વધારે ઘેરાં થયાં. મોટા રાજ્યધુરંધરોની વર્તણુક ઉપર ઇતિહાસકારના નિર્ણય સિવાય એક બીજે નિર્ણય વિદ્યમાન છે. તે નિર્ણય તે લેકનિર્ણય છે. હિંદના લેકે વૈરનહેસ્ટિંગ્સના, લેકને દરિદ્ર બનાવનાર, રાજ્યવહીવટની તરફ દુઃખ અને ત્રાસથી જુએ છે. અને તેની પછી આવનાર, પિતાના હવાલામાં સોંપેલી બહોળી વસતિને માટે લાગણી ધરાવનાર અને તેમના કલ્યાણ માટે હિંમતથી કામ લેનાર, રાજ્ય પુરૂષના રાજ્યવહીવટ ઉપર ઉપકારની દષ્ટિથી જુએ છે.
લોર્ડ કોર્નવોલિસ-અને બંગાળાને જમીનદારી
બંદોબસ્ત ૧૯૮૫-૧૯૯૩,
પિટ્ટનું ઈન્ડિયા બિલ ૧૭૮૪ ના મટની તેરમી તારીખે પસાર થયું. તેને લીધે કમ્પનીને કારભાર તજની દેખરેખ નીચે મૂકાયે, અને તેથી કેટલાક સુધારા કરવાની ફરજ પડી. કમ્પનીના કાર્યાધ્યક્ષોને ૫ણું કાંઇ
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ.
વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ. તેમણે રન હેસ્ટિંગ્સના ઉત્તરાધિકારી તરીકે ઊંચી શીલસંપત્તિવાળા અને વિપુલ દયાવૃત્તિવાળા એક ઉમરાવને પસંદ કર્યો; અને સને ૧૭૮૬ ના એપ્રિલની ૧૨ મી તારીખે તે ઉમરાવ ઉપર એક પત્ર લખી તેને કેમ વર્તવું તે બાબત ખુલાસેથી સૂચનાઓ આપી.
આ પત્રમાં તેમણે અત્યાર સુધી ચાલતી વારંવાર ફરતી મહેસુલી રાજ્યનીતિ તરફ પિતાની નાપસંદગી જાહેર કરી અને કાળજીપૂર્વક દેખરેખ નીચે ગમે તે એક રીતે પકડવાની પોતાની ઈચ્છા દર્શાવી. જમીન ઉપરનો કર હરહમેશ વધાર્યા કરવાની અને જૂના જમીનદારોને કહાડીને તેમને બદલે ઇજારદારે, શાહુકારો અને અમીનોના, જેવા ખેડુતોના કલ્યાણમાં જેમને હમેશનો સ્વાર્થ ન હોય તેવા સાહસિક માણસેના, હાથમાં જમીન સોંપવાની રીત વિરુદ્ધ પોતાને અભિપ્રાય બતાવ્યો અને મહેસુલના ભરણામાં ચૂક ન થાય તેને સારૂ વાજબી ધોરણે “કાયમને માટે અચળ જમાદી ” ની પધ્ધતિ પસંદ કરી; અને જમાન તરીકે જમીનદારના પરંપરાના હક જેવું ફળદાયક બીજું કાંઈજ નથી એ અભિપ્રાય બતાવ્યો. તેમણે સૂચના કરી કે જ્યાં જ્યાં બની શકે ત્યાં ત્યાં જમીનદારો સાથેજ બંદોબસ્ત કરો, અને લખ્યું કે સખ્તાઈ અને ત્રાસદાયક રીતે અધુરી વસુલ કરી શકાય તેવી ચઢાવી દીધેલી જમાબન્દી કરતાં વખતસર નિયમિત રીતે આવી જાય તેવી માફકસર જમાબન્દીમાં આપનું સ્વાર્થ અને લોકનું કલ્યાણ તથા જમીનદારોની નિર્ભયતા વથારે સારી રીતે સચવાય છે.” અને પરિણામે અચળ બન્દોબસ્ત કરવાની ઈચ્છા બતાવવાની સાથે પ્રથમ માત્ર દશ વર્ષનો બંદોબસ્ત કરવાની ભલામણ કરી ” તે પત્રના આ ટુંક સારથી વાંચનારને સમજાશે કે ફિલિપ કાન્સિસે દશ વર્ષ ઉપર નીતિમય ભલામણ કરીને જે બીજ વાવ્યું હતું તે આજ ઊગ્યું. દશ વર્ષના કડવા, લેકની અપેક્ષાએ કડવા, અનુભવ પછી હેસ્ટિંગ્સની નિર્દય અને વર્ષોવર્ષ બદલાતી જનાઓએ હાર ખાધી અને ફિલિપ ફ્રાન્સિસની દરખાસ્તોનું ડહાપણુ વિજય પામ્યું.
Page #92
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. આ નવી યોજનાને અમલમાં મૂકવા સારૂ જે પુરુષની પસંદગી થઈ હતી તે સર્વ રીતે આ કાર્યને માટે યોગ્ય હતું. તેને વૉરન હેસ્ટિંગ્સ જેટલું હિંદના કારભારનું જ્ઞાન ન હતું, પણ જેમના ઉપર રાજ્ય કરવાને એને મોકલવામાં આવ્યો હતો તેમના ઉપર તેના મનમાં ઈશ્વરકૃપાથી સાચી દયાત્તિ હતી. ઇન્ડિયાના ઇતિહાસમાં ઘણીવાર બહાળા સ્થાનિક અનુભવવાળા અને સંકુચિત લાગણીવાળા રાજપુરુષો નિષ્ફળ થયા છે અને લોક કલ્યાણુમાં બળવાન નિષ્ઠાવાળા રાજપુરૂષ ફતેહમંદ થયા છે, અને તેથી જ આજે પણ હિંદના કારભારમાં યુરોપની રાજ્યનીતિકુશળતાનું તત્ત્વ દાખલ કરવાની જરૂર જણાય છે.
હિંદુસ્તાનમાં આવ્યા પછી લોર્ડ કૉલિસને એમ જણાવ્યું કે દસ વર્ષના બંદોબસ્તને માટે પણ જમીનદારીના રીત રીવાજ હક અને સાથના દર વગેરેની બાબતમાં પૂરી તપાસ કરવી જરૂરી છે, તેથી તેણે તે તપાસ એકદમ શરૂ કરી. કમિટી ઓફ રવિન્યુનું નામ બોર્ડ ઓફ રવિન્યુ ક્યારનું પાડવામાં આવ્યું હતું; તેની કામગિરી કાયમ રાખી. યુરોપિયન દીવાની આંધકારીઓને કલેકટર જજ" અને મેજીસ્ટ્રેટના સંયુક્ત અધિકાર આ ૫વામાં આવ્યા તો પણ ફોજદારી કામોને અધિકાર હજી બંગાળાના નવાબના પ્રતિનિધિના હાથમાં જ રહ્યા હતા અને યુરોપીયન મેજીસ્ટ્રેટ પણ ગંભીર ગુહાઓ, ઈન્સાફ થવા સારૂ તે તરફ મોકલતા.
૧૭૯૦ માં રાજ્યવ્યવસ્થામાં મોટો ફેરફાર થશે. ગવર્નર જનરલ અને સભાધ્યક્ષે તમામ ઇલાકાઓમાં ફજદારી ઈન્સાફની દેખરેખ પિતાના હાથમાં લીધી. સદર ફોજદારી અદાલત મુદાબાદથી કલકત્તે આવી. બે ચા દરજજાના ન્યાયાધીશોને મેજીસ્ટ્રેટની સત્તા ઉપરાંતના ગુહાઓની તપાસ કરવાને અધિકાર આપે. દીવાની અને ફોજદારી ધારાની ફરીથી વ્યવસ્થા કરી અને ઈગ્રેજી અને દેશી ભાષાઓમાં તેના તરજુમા છપાવીને બહાર પાડવા.
* દેશાધ્યક્ષ * વ્યવહાર ન્યાયાધીશ અને સાહસ ન્યાયાધીશ.
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૨
પ્રકરણ ૨ જુ.
૧૭૯૩ માં દીવાની અને ફોજદારી ઇન્સાફની રીતિમાં બીજા સુધારા થયા. ન્યાય અને કાર્યભાર ખાતાં જુદાં પાડવાં. મહેસુલસભા અને દેશાધ્યક્ષો પાસેથી મહેસુલની બાબતને ન્યાયાધિકાર લઈ લીધે. દેશાધ્યક્ષ પાસેથી સાહસ શાસનની (જદારી) સત્તા પણ લઈ લેવામાં આવી; અને દેશાધ્યક્ષ (કલેકટર) કરતાં વધારે દરજજાના અમલદારને વ્યવહાર ન્યાયાધ્યક્ષ અને દરેક વિભાગમાં સાહસાધિકારી તરીકે નીમ્યો. અને આજ અમલદારને પોતાના વિભાગની પોલિસની દેખરેખ પણ સોંપવામાં આવી. કલકત્તા, પટના, ધાકા અને મુશદાબાદમાં એમ ચાર ઠેકાણે ઉપરી ન્યાય સભાઓ પણ સ્થાપી.
મહૈસૂરના ટીપુ સુલતાન સાથે શરૂ થયેલા યુદ્ધમાં લોર્ડ કોર્નવોલીસને જાતે ભાગ લેવાની જરૂર પડી. તેણે હૈસૂરની રાજધાની સર કરી. સને ૧૭૯૨ માં પિતાના લખાવ્યા પ્રમાણે ટિપુને સંધિપત્ર લખી આપવા ફરજ પાડી. આથી બ્રિટિશને પશ્ચિમના કાલીકટ અને કુર્ગ એ પ્રાંત અને પૂર્વમાં બડામહાલ નામનો પ્રાંત મળ્યો. આ બડામહાલમાં મહેસુલને બંદેબસ્ત કરવામાં ટૅમસ મરો ૧૭૯૨ થી ૧%૪ સુધી રોકાયા હતા, અને આ વખતે મેળવેલા અનુભવથી તેઓ મદ્રાસના સહુથી વધારે પ્રસિદ્ધ મહેસુલી અમલદાર થયા.
બંગાળામાં શરૂ થયેલી મહેસુલી તપાસ હવે પુરી થવા આવી હતી. ૧૭૮૯ ના જુનની ૧૮ મી તારીખની મિ. શેરની અચળ જમાબન્દી બાબતની નોંધથી તેવી મહેસુલની રાજ્યનીતિને પાયે નંખાયો. આ નૂધને સાર પણ અહીં આપવો શક્ય નથી. મૂળમાં, હકીકત અને આંકડા સાથે પાંચમા રિપિ
નાં શીર પાનાં એ નોંધમાં રોકાયાં છે, પણ મિ. શરની તપાસમાં નીકળેલી કેટલીક હકીકતને અત્રે સ્થાન આપવાની જરૂર છે.
જે ટોડરમલની મહેસુલ માફકસર હતી એમ આપણે પ્રથમ દરજે માની લઈએ તો ઉપર બતાવેલો વધારે સુમારવિનાનો નહિ લાગે. ટોડરમલ અને જાફરખાનની વચ્ચેના વખતમાં દેશમાં આબાદી ઘણું વધી હતી, કાર
Page #94
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક પ્રતિહાસ,
૮૩
ગુકે વાણિજ્યનાં નવાં દ્વાર ઉઘડયાં હતાં, અને સામાન્ય રીતે વેપારના વિસ્તાર વણા વધ્યા હતા; અને સેાનું રૂપું, જે અકબરના વખતમાં આ દેશમાં પ્રમાણમાં જૂજ હતું તે નવી ન્હેરા દ્વારા દેશમાં રેડાયું હતુ. એટલુ જ નહિ, પણ જે નીતિથી ઉધરાણીની હદ મુકરર કરી ઉદ્યાગ અને સારી વ્યવસ્થાને લાભ રૈયતના હાથમાંજ રહેવા દેવામાં આવ્યેા, તે નીતિનું ડહાપણ આપણે સ્વીકારીએ છીએ, એતે આપણે માન આપીયે છીએ, અને તેનાં વખાણ કરીએ છીએ. ''+
પછી મિ. શાર, સુજાખાન, અલિવર્દિખાન, અને મીરકાસમે કરેલા વધારાની હકીકત લખે છે. નીચેના કાઠામાં એ આંકડા જણાઇ આવો. ૧ટાડરમલના દાખસ્ત–સને ૧૫૮૨
૨ સુલતાન સુજાખાનને ૧૬૫૮ ૩ જારખાનને ૪ સુજાખાનને
૧૭૨૨
૧૭૨૮
ઉપરથી જણાશે કે મુસલમાનના રાજ્યને અન્તે આ મહેસુલમાં કંઇ ઝાઝો ફેર જણાતા નથી, પરંતુ ૧૭૨૨ અને ૧૭૬૩ ની વચ્ચે કેટલાક પરસુ. રણ વધારા થયા હતા.
"9
99
29
૨. ૧૦૬૯૩૧૧૨.
૧૩૧૧૫૯૦૭.
૧૪૨૮૮૧૮૬.
૧૪૨૪૫૫૬૧.
.
+ પાંચમા રિપેા. ૧૯૧૨ પાનું ૧૬૯, ૨૩૮.
+ પાન ૧૪.
""
બ્રિટિશ રાજ્યની શરૂઆતમાં જે ઉપજ નક્કી કરવામાં આવી હતી તે વાત ઉપર આવતાં મિ. શાર્ ૧૭૬૨ થી ૧૭૬૫ ના આંકડા આ પ્રમાણે આપે છે.
16
પહેલું વષૅ કાસમઅલીનુ, ખીજું અને ત્રીજી' મીરજાફરની દેખરેખ નીચે નન્દકુમારનુ અને ચેથું–દીવાનીનુ પહેલુ -મહમદ રૅઝાખાનનું તેના આંકડા આ પ્રમાણે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૪
૧૦૬૨-૬૩
૧૭૬૩-૬૪
૧૭૬૪-૬૫
૧૭૬૫-૬૬
પ્રકરણ ૨ જી.
રૂ. ૬૪૫૬૧૯૮
૭૬૧૮૪૦૭
૮૧૭૫૫૩૩
૧૪૭૦૪૮૭૫
બ્રિટિશ રાજ્યસત્તા દરમિયાન આર્થિક અપવાહ એ ખાસ લક્ષણ હતું, તેના સબંધમાં મિ. શાર લખે છે કે:
કમ્પની વેપારી છે તેમજ દેશની રાજા છે. પહેલા દરજજાની રૂઇએ તેએ દેશના વેપાર કબજે કર્યેા છે, અને ખીજા દરજ્જાને આધારે તેઓ દેશની ઉપજ ખાય છે. દેશમાંથી માલ ખરીદી-તે દ્વારા નાણાં યુરેપ મેકલવામાં આવે છે.
“માલની માગણી વધારે થતાં રાજ્યની રૈયતને ઉદ્યાગના વધારા થયા તે બાબત આપણે ગમે તેટલી છૂટ મૂકીએ તે પશુ તેથી જે લાભ થાય છે તે દૂરના પરરાજ્યની રીતનાં આવશ્યક નુકસાનેાની સામે ક ંઇજ નથી એવા અનુમાન ઉપર આવવું પડે છે.
""
બર્નીઅરના વખતથી તે આપણને દીવાની મળી ત્યાં સુધીની જે જે હકીકા મળે છે તે ઉપરથી એટલું તે સ્પષ્ટ સમજાય છે કે હિંદુસ્તાનના ઉત્તરના મુલકા સાથે, મારેાના અખાત સાથે, ઇરાનના અખાત જોડે અને મલબાર કીનારા સાથે બગાળાના ઘણા વેપાર હતા. પરદેશી યુરીપીયન કમ્પનીએ-આ દ્વારા માલ અને સેાનારૂપાનું વળતર કરતી, અને પૂર્વ તરફ્ અણુ જતુ તેનુ' પણ વળતર સાનેરૂપે આવતું,
k
પણ ૧૭૬૫ પછી એથી ઉલટીજ સ્થિતિ થઇ પડી છે. કમ્પનીના વેપારને સરખા બદલો મળતા નથી; સાનુ ં રૂપું પરદેશી કમ્પનીએ મંગાવતી નથી, તેમ હિ ંદુસ્તાનના બીજા ભાગામાંથી પણ મેાટા જથામાં બંગાળામાં આવતું નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
બધું જોતાં આ પ્રમાણે અભિપ્રાય આપવામાં મને કઇજ આનાકાની નથી કે:-કમ્પનીના હાથમાં દીવાની આવી ત્યારથી તે આજ સુધીમાં દેશની સેના રૂપાની ચાલતી સમૃદ્ધિ ધણી એછી થઇ ગઇ છે; પૂર્વે જે માર્ગોથી તેમાં પુરણી થતી તે હવે બંધ થઇ ગયા છે. અને ચીન, મદ્રાસ અને મુંબઇમાં નાાં મોકલવાની જરૂર હાવાથી તેમજ યુરોપિયન લેાકા પણ નાણું ઈંગ્લેંડ મેાકલાવી દે છે, તે બધાની સામટી અસર દેશનુ રૂપુ' થાડા વખતમાં ખલાસ થઇ જશે.”*
૫
ઉપરથી જણાશે કે મિ. શાર રૂપાને જથા નિઃશેષ થયાની વાત કરે છે. એડમસ્મિથના વખત પહેલાં-સોનારૂપાથી દેશની સમૃદ્ધિનુ માપ થતું હતું, પણ ખરી નિ:શેષતા જે તે આટલી અંધી જોરદાર ભાષામાં વર્ણવે છે તે જુદી રીતની મિલકતની, લાકના ખારાકની નિઃશેષતા હતી.
બંગાળામાં મહેસુલના ન દોબસ્તની જે ત્રણ રીતેા સભવતી હતી તે ઉપર ચર્ચા કરતાં મિ, શેરે દર્શાવ્યુ હતું કે ( ૧ ) રૈયત સાથે પરબારે બદોબસ્ત કરવા, ( ૨ ) શ્વારદાર સાથે કરવા અને ( ૩ ) જમીનદારા સાથે બંદોબસ્ત કરવા; એ ત્રણેમાં છેલ્લી રીત દેશના હિતની ખાતર અને રાજ્યના ભલાની ખાતર પસ ંદ કરવા લાયક છે. લખે છે કેઃ
જમીનની માલિકી જમીનદારોની આપણે કબુલ કરી છે. પણ જ્યાં સુધી એ માલિકી હકની કિ ંમત થાય તેવાં પગલાં લઇએ નહિ ત્યાં સુધી એ હક કબૂલ કર્યાંથી દેશમાં સુધારા થઇ જશે નહિ. આપણા જેવા પરદેશી રાજ્યના હક રવદેશી રાજાની માગણી કરતાં વધારે માફકસરજ હાવા જોઇએ; અને આપણા હુકાની કિ ંમત પણ નિશ્ચલ કરવા માટે આપણે આપણી માંગણી પણ નિશ્ચલ કરી નાંખવી જોઇએ. આપણા પેાતાના રાજ્યના કેંદ્રથી આપણે અર્ધા ભૂંગાલ જેટલા દૂર બેઠા છીએ; એ સ્થિતિમાં હિંદના રાજ્યવહીવટ
* પેરા ૧૩૩-૧૩૨-૧૩૫-૧૩૬-૧૪૦.
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ
ઉપર બને તેટલું વ્યાવહારિક અંકુશ હિન્દુસ્તાનમાં જ જોઈએ; અને એટલું સિદ્ધ કરવું જોઈએ કે અગત્યની સત્તા આપવામાં સંકેચ ન રહે, અને વસતીની મિલકત નિરંકુશ સ્વતંત્રતા અને મિજાજના પવનથી નિર્ભય રહે.
રાજ્યનો હક ઉપજના દશમાંથી નવ ભાગ જેટલું ઠરાવ્યો હતો, તે એવી આશાથી કે જમીનદારો પોતાની જાગીર સુધારી દસમા ભાગની કિંમતમાં ધીમે ધીમે વધારો કરી શકશે. બંગાળાના જમીનદારોને હક મિ. શોર નીચે પ્રમાણે સમજ્યા હતા.
જમીનદારો જમીનના માલિક છે. તેની માલિકી તેમના ધર્મના ધારા મુજબ વંશપરંપરા ઉતરે છે, અને રાજ્યસત્તાને પણ ઈન્સાફની રૂઇએ કાયદેસર વારસ હોય ત્યાં સુધી તે માલિકી પડાવી લેવાનો અથવા તેમાં કોઈ ફેરફાર કરવાનો અધિકાર નથી. આ મૂળ હકના અંગમાંજ જમીન વેચવાનો અને ઘરેણે મુકવાનો હક સમાયેલો છે, અને આપણને દીવાની મળી તે પહેલાંથી તે લોક તેને ઉપભેગ કરતા આવ્યા છે.
અત્યાર સુધી જે નિરંકુશ રાજ્ય પદ્ધતિ ચાલતી હતી તે દરમિઆનું જમીનદારોના આ હકોને પ્રત્યક્ષ ભંગ કર્યા વિના અનેક વિપર્યાસો કરી નાખ્યા હત, પણ સામાન્ય રીતે બેલતાં તે સમયમાં પણ આ હકોના ઉપભોગને વહીવટ છે. અકબરના રાજ્યમાં જમીનદારો આબાદ અને સમૃદ્ધિવાળા હતા, અને જ્યારે તેના અને તેના વારસાના હાથ નીચે જાફરખાનને બંગાળાના અધિકારી નીમ્યા તે વખતે પણ તેઓ (જમીનદારો) વિદ્યમાન હતા. તે પછી એમની સરહદો તેમણે ઘણી વધારી દીધી છે અને જ્યારે અંગ્રેજ આવ્યા ત્યારે તે મુખ્ય જમીનદારે લક્ષ્મી અને આબરૂને સારો દેખાવ આપતા હતા.
બંગાળાના દરેક જીલ્લામાં જ્યાં નિરંકુશતાએ નિયમ માત્રને ભંગ નથી કર્યો ત્યાં જમીનની સાથે મામુલી રીત પ્રમાણે લેવાય છે અને કેટલાંક
Page #98
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૮૭
પરગણાઓમાં ગામે ગામ જુદી જુદી રીત છે. આ મામુલી દર વીઘાને હીસાબે ઉપજના પ્રમાણમાં મુકરર થયેલ છે. કેટલીક જમીનમાં વર્ષે દિવસે બે મેલ થાય છે. કેટલીકમાં ત્રણ થાય છે અને શેતુર પાન, તમાકુ, શેલડી વિગેરે કિંમતી મેલ આપનારી જમીનની કિંમત પ્રમાણમાં વધારે છે.
જેઓ પોતાના જ ગામની જમીન ખેડે છે તેમને સાધારણ રીતે વગર મુદતન પટા કરી આપવામાં આવે છે, અને બે વર્ષ સાથ આપવાની સરતે તમને જમીન આપવામાં આવી છે, એ ચોખ્ખો લેખ હેાય છે. આમાંથી કબજાનો હક ઉત્પન્ન થાય છે.
જેઓ બહારગામથી આવીને જમીન ખેડે છે, તેમને વધારે ચેકસ પદ્ધતિથી પટા કરી આપવામાં આવે છે. એટલે તેમના પટામાં મુદત ઠરાવેલી હોય છે, જે તેમને પ્રતિકૂળતા જણાય છે તેઓ બીજે ગામ જાય છે. મિ. શેર પોતાની નોંધના છેવટના ભાગમાં નીચે પ્રમાણે સાર આપે છે.
હવે પછીના મહેસુલના બંદોબસ્તની ભારી દરખાસ્તનાં બે મુખ્ય ધોરણો છે.
સરકારને ઉપજની અને લોકને રક્ષણ અને મિલકતની કાયમની સલામતી.
પહેલી વાત જમીનદાર સાથે અચળ જમાબંદી કર્યાથી સારી રીતે સિદ્ધ થશે, અને જમીન જે તેમની મિલકત છે, તે સરકાર માટે જામીનગિરીમાં
બીજી, કરવિધિના નિશ્ચિત ધારણા પ્રમાણે વહીવટ કર્યાથી સિદ્ધ થશે. દરેક જણને જે કર આપવાનું હોય તે નિશ્ચિત હોવો જોઈએ, અનિયત નહીં; તેમજ કર ભરવાને વખત, કર ભરવાની રીત, કરની રકમ એ તમામ બાબતે સર્વને ખબર પડે તેવી રીતે સ્પષ્ટ અને પ્રસિદ્ધ હોવી જોઈએ.
તે પછી હાલ દસ વર્ષ માટે પણ પાછળથી નિયપૂર્વક અચળ કરવાના ઈરાદાથી જમાબંદીને બંદેબસ્ત કરે જોઈએ.”
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ.
+
આ તા મિ, શેરની તેાંધની રેખા માત્ર છે. ફિલિપ ફ્રાન્સિસે જેની પ્રથમ હિમાયત કરી હતી તે * કાયમની જમાબંદી ' ને એણે ટકા આપ્યા છે. આ પછીની એક નોંધમાં મિ. શરે દશ વર્ષની જમાદી કરવાની સાથે પછીથી તેને અચળ કરવાના ઇરાદ્ય છે, એમ પ્રસિદ્ધ કરવાની જે દરખાસ્ત કરી હતી; તે પ્રમાણે તે ઇરાદો પ્રસિદ્ધ કરવાની વિરૂદ્ધ મત તેાંધ્યા હતા. આ વાત ને પ્રસિદ્ધ કરવાથી સરકારની નીતિ શી છે, એ સબધમાં લેકને ભ્રાન્તિ થશે એવા હેતુથી લાર્ડ કોર્નવોલિસે આ પાછળની નેાંધની સામે વાંધા ઉડાવ્યા; તે ખાબતને પોતાના અભિપ્રાય દર્શાવતાં તે નીચે પ્રમાણે લખે છેઃ
L
મિ. શારે ગયા જુનની નેાંધમાં જમીનદારના માલિકી હક સ્પષ્ટતાથી સાખીત કર્યેા છે પણ જો અચળતાની પ્રસિદ્ધિ ન થાય તે મી. શેારની લડતને જમીનદારાને કાંઇજ લાભ મળશે નહિ. જ્યારે જમીનને હકદાર માલિક પણ દશ વર્ષના મુદતબંધી ઇજારદાર જ થવાનેા છે, અને તે પછી જો નવે. સથી રકમ નક્કી કરવાના પ્રસંગ અજ્ઞાનથી અથવા લોભથી તેના ઉપર આવવાનો સ ંભવ હોય તેા જમીનમાં સુધારા કરવાની વાત તે હું નથીજ કહેતા–પણ જમીનને નુકસાન થતુ ં અટકશે એટલી પ્ણ આશા રાખવાનું હું કારણુ જોતા નથી. એમ કહી શકાય કે અત્યારે કમ્પનીની હદના ત્રીજો ભાગ જંગલી પ્રાણીએથી ભરેલું જંગલ છે. દશ વર્ષના પટાથી કાઈપણ જમીનારને આ જંગલ ચોખ્ખુ કરી ખેડવાણ કરવાનું અને રૈયતને વાસ કરવા ઉત્તેજન આપવાનું મન થશે ? જ્યારે એ જાણતા હાય કે દશ વર્ષની આખરે તેવી ખેડવાણ થયેલી જમીન ઉપરના દર્ સરકારની મરજી મુજબ વધવાને સભવ છે, અથવા ખરચ કરીને જે સુધારા કર્યો. હાય+ તેનુ' ખરચ પુરતુ પાછું મેળવ્યા પહેલાં એવી રીતે સુધારેલી જમીન છેોડવી પડશે; તે પછી જાડ જમીનને કાણુ સુધારશે ?
લેડ ફૅનવાલિસની મિનિટ. તા. ૧૮ મી સપ્ટેંબર સન ૧૭૮૯,
Page #100
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. મને એમ નિસંશય લાગે છે કે જે આ ઇલાકાઓ દશ વર્ષને પટે આપવામાં આવશે તો તે મુદત આખર દેશ દરિદ્ર અને પાયમાલ થઈ જશે. *
આ પછીની એક નંધમાં ફરીથી લેડ કૉલિસ પોતાના રાજ્યનીતિનિપુણ અભિપ્રાય આ પ્રમાણે દર્શાવે છે.
જે આપણે કાયદા ઘડીને જમીનદારોને પિતાનો ઉદ્યોગ અને નીતિનું ફળ આપીએ, અને તેની સાથે જ “આલસ્ય અને ઉડાઉપણાનું ફળ પણ અનુભવવાનો પ્રસંગ આપીએ તો થોડા વખતમાં કાંતે તેમણે પોતાનું કામ કરતાં શીખવું પડશે, અથવા જમીનને જેઓ ખેડી સુધારી શકે, તેવાઓને નામે જમીન ચડાવી આપવાની તેમને ફરજ પડશે. જમીનદારોને નીતિવાન અને સામાજીક હિતના ડાહ્યા નિક્ષેપી બનાવવાને આપણે માટે અથવા કોઈપણ સરકારને માટે આજ એક અસરકારક ૪ માર્ગ છે.
માહીતી એકઠી કરતાં વિશ વર્ષ લાગ્યાં છે. સને ૧૭૬૮ માં આપણે તજવીજદારો નીમ્યા; ૧૭૭૦ માં પ્રતિક મહેસુલ સભાઓ સ્થાપી; ૧૭૭૨ માં મુખ્ય સભાની તમામ સત્તા આપીને એક ફરીથી કમિટી નીમી; સને ૧૭૭૬ માં આખા દેશના સાથનાં પત્રકે કરવાને અમીને નીમ્યા; સને ૧૭૮૧ માં મહેસુલની પ્રાન્તિક સભાઓ કહાડી નાંખી અને છેલ્લે છેલ્લે દેશાધ્યક્ષો (Collector ) મોકલ્યા, અને સરકારની પ્રત્યક્ષ નજર નીચે કલકત્તામાં એક મહેસુલ સભા નીમી તેને તમામ મહેસુલ વહીવટ સોંપ્યો. આપણા પૂર્વજોની પેઠે આપણે પણ માહીતી મેળવવાથી શરૂઆત કરી અને તે એકઠી કરતાં ત્રણ વર્ષ લાગ્યાં અને બધા દેશાધ્યક્ષએ દરેક અગત્યની બાબત ઉપર થોકડાબંધ રિપેર્ટો મોકલ્યા છે -- ” * * * *
ઉપરનાં કારણથી અને ખાનગી ધનને પરદેશ મકલી દીધાથી થયેલા ભારે અપવાહનાં પરિણામ ઘણું વર્ષથી જણાવા માંડ્યાં છે. તેનું રૂપું ઘટી
* લૅડૅ કૅલિસની મિનિટ. ૧૭૬૦
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨
.
ગયું છે અને તેથી દેશની ખેતીમાં અને વેપારમાં સુસ્તી આવી ગઈ છે. * * * *
આ દેશને ફરીથી આબાદ કરવા સારૂ અને તેને જગતના આ ભાગમાં બ્રિટિશ સ્વાર્થ અને સત્તાના સંગીન આધાર રૂપ બનાવવા માટે આપણી રાજ્યવ્યવસ્થાનાં ધોરણમાં વાસ્તવિક ફેરફાર કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. * * * *
ત્યારે આપણે માથે સાર્વજનિક સ્વાર્થને જેથી બેશક નુકશાન થાય છે તેવાં વર્તમાન દૂષણોના ઉપાય કરવાનું કામ આવી પડયું છે; અને નિયત જમાલન્દીથી અચળ પટ આપવાથી આપણી રૈયતને હિંદુસ્તાનમાં સુખીમાં સુખી રૈયત બનાવી શકીશું.
૧૭૯૧ ના નવેમ્બરમાં દસ વર્ષના બંદોબસ્તને માટે એક કાયદો બહાર પાડો અને ૧૭૮૩ માં બંગાળાના દરેક જીલ્લામાં બંદોબસ્ત થઈ ગયો. બંગાળા, બિહાર, અને ઓરિસામાંથી ૨,૬૮,૦૦,૪૮૯ બે કરોડ અડસઠલાખ નવસે નેવાશી રૂપિયા ઉપજ્યા. આ રકમ તે સૈકાની શરૂઆતમાં જાફરખાન અને સુજાખાનને ઉપજેલી રકમ કરતાં લગભગ બમણી હતી. અને કમ્પનીની દીવાનીના પહેલા વર્ષમાં (૧૭૬૫-૬૬) માં બ્રિટિશ દેખરેખ નીચે મહમદ રેઝાખાને ઉપજાવેલી રકમના કરતાં પણ બમણી હતી. એટલે આ આંકણી જેટલી સખ્ત થઈ શકે તેટલી સખ્ત હતી, અને એ છેવટની અને અચળ છે એવું જાહેર થી આટલી બધી ચઢાવી દેવાનું શક્ય બન્યું હતું.
૧૭૯૨ ના સપ્ટેમ્બરમાં કમ્પનીના રાજ્ય કર્યાધ્યક્ષોએ આ પરાક્રમનાં વખાણ કર્યા અને અચળ પટા કરી આપવાની મંજુરી આપી. ૧૭૯૩ ના માર્ચમાં ઑર્ડ કેર્નલિસે થયેલી અથવા થતી જમાબન્દી અચળ છે, એવું જાહેરનામું કુહાડ્યું. તે જાહેરનામાની પહેલી ત્રણ કલમો આ પ્રમાણે છે,
Page #102
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧
૧. ૧૭૮૯ ના સપ્ટેમ્બરની ૧૮ મીએ અગાળાને માટે, ૧૭૮૯ ના નવેમ્બરની ૨૫ મીએ બિહારને માટે, ૧૭૯૦ ના ફેબ્રુઆરીની ૧૦ મીએ એરિ સાને માટે દસ વર્ષના પટ્ટાના જે કાયદા કર્યાં હતા, તેમાં, દસ વર્ષ માટે મુકરર કરેલી જમાબન્દીના પેટા ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના નામદાર રાજ્યકાર્યાધ્યક્ષાની મજુરીની સરતે હંમેશને માટે કાયમ કરવામાં આવશે, એવું જાહેર કરવામાં આવ્યું હતુ.
“ ર. હવે તમામ જમીનદારા, સ્વતંત્ર તાલુકદારા અને બીજા જમીનના વાસ્તવિક માલિકાને આ ઉપરથી માર્કેવસ કાર્નાલિસ તેગાર્ટરના સાત્કૃષ્ટ વર્ગના નાટ, અને હિંદુસ્તાનના ગવર્નર જનરલ આ ઉપરથી જાહેર કરે છે કે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના નામદાર રાજ્યકાર્યાધ્યક્ષે એ ઉપરના કાયદા મુજબ નિયત કરેલી અથવા નિયત થતી જમા ( અચળ કરવા અમેાને મંજુરી આપી છે.
“ ૩. તે મુજમ્ રાજ્યસભા સહ વિરાજમાન ગવર્નર જનરલ તમામ જમીનદારા, સ્વતંત્રતાલુકદારે। અને બીજા જમીનના વાસ્તવિક માલિકાને આ ઉપરથી જાહેર કરે છે કે તેઓ સાથે અથવા તેમની વતી ખીજાએ સાથે ઉપરના કાયદાની રૂએ જમાનન્દીનેા જેબ દોબસ્ત થયા છે, તેમાં, ઉપરની મુદત વીતી ગયા બાદ, જે જમા આપવા માટે તે બધાયા છે, તેમાં કાંઇપણ ફેરફાર કરવામાં આવશે નહિ પણ તેને તેમના વારસાને અને કાયદેસર હકદારાને તે જાગીર તે જમાથી ‘ યાવચ્ચંદ્ર દિવાકરી ' ધારણ કરવા દેવામાં આવશે.— ’
તે મુજબ ૧૭૯૩ ના ૧ લે, તે અચળ જમાબન્દીનેા કાયદો પસાર થયા. હિંંદુસ્તાનમાં દોઢસો વર્ષના અમલની દરમિયાન લેાકતું આર્થિક કલ્યાણુ સુસિધ્ધ કરનાર આ એક મોટું કૃત્ય છે, તે કૃત્ય અનિયત અને વર્ધમાન રાજ હકથી લેાકના ઉદ્યોગને પક્ષધાત ન કરતાં તેમના ઉદ્યાગને નફે તેમનેજ રહેવા દેવાની સુધરેલી પ્રજાએની અર્વાચીન આર્થિકનીતિને અનુસરતું
Page #103
--------------------------------------------------------------------------
________________
કર
પ્રકરણ ૨ જી.
છે. છેલ્લાં સેા વર્ષમાં બંગાળામાં ખેતીના બહેાળેા વિસ્તાર થયેા છે. અને ૧૭૯૩ માં ઉપજ એટલી વધી છે કે મહેસુલની રકમ જે ચેાખી ઉપજના નેવું ટકા જેટલી હતી તે અત્યારે ચેાખી ઉપજના અઠ્ઠાવીસ ટકાના પ્રમાણમાં આવી છે; અને ૬ ટકા જેટલા નવા કરેા, રસ્તા અને જાહેર બાંધકામેાને માટે નાંખવામાં આવ્યા છે.
સને ૧૯૯૩ પછી જીંદગીની ગંભીર ખુવારી થઇ હોય તેવા એક પણ દુકાળ અચળ જમાબન્દી વાળા ગાળામાં પડયા નથી. હિંદુસ્તાનના ખીન્ન ભાગામાં જ્યાં મહેસુલ અનિયત અને અતિશય છે ત્યાં જમીન સુધારવાને કે નાણાં બચાવવાને લેભ રહેતે। નથી; અને દુકાળ પડે છે ત્યારે લાખા માણુસા મરણ પામે છે. જો રૈયતનાં આયાદી અને સુખ રાજ્યના વિજય અને ડહાપણની કમેટી હોય તે લાડ કોર્નવાલિસને ૧૯૯૩ ને અચળ જમાબંદીના પ્રાધ–એ બ્રિટિશ પ્રજાનું હિ ંદના સ ંબંધમાં ડાહ્યામાં ડાહ્યું અને સૌથી વધારે તેહમદ કૃત્ય છે.
બંગાળાની અચળ જમાબંદી થયા પછી પાંચ વર્ષે ઈંગ્લ’ડમાં પણ અચળ જમાળદી દાખલ થઇ. પણ ત્યાં તે તેથી માત્ર ઉમરાનેજ પ્રાયદો થયા છે. અહીંયાં અચળ જમા ધીના પ્રબંધથી ખેતીવાડી ઉપર નિર્વાહ કરતી તમામ રૈયતને સુખ થયું છે. ખેતી કરનાર વર્ગને એને સંપૂર્ણ લાભ મળે છે અને તેથી કરીને તેએ આબાદ અને સાધનસ પન્ન થયા છે. ઈંગ્લ’ડમાં ઉમરાવ વર્ગ ઉપર જો વધતા અટકયા છે, પણ હિંદુસ્તાનમાં તે એક આખી પ્રજાને દુષ્ટ અને વિનાશકારક દુષ્કાળની પીડામાંથી બચાવી છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
હ
પ્રકરણ ૩ જુ.
––~~
-~
મદ્રાસ,
૧. મદ્રાસમાં મહેસુલના ઈજારા, (૧૭૬૩-૧૭૮૫). પાછલા પ્રકરણમાં સને ૧૭૫૭-૧૭૯૩ સુધીનું બંગાળાના આર્થિક ઈતિહાસનું નિરૂપણ થયું. હવે આપણે મદ્રાસ તરફ વળીએ. તે પ્રદેશમાં બ્રિટિશ અને ફ્રેંચ લોકો વચ્ચે યુદ્ધ ચાલતાં હતાં પણ તે ૧૭૬૩ ના પારિસના સંધિથી બંધ પડયાં.
દક્ષિણ હિંદુસ્તાનની માલિકી માટે આ બે રાજ્યસત્તાઓ વચ્ચે બહુ કદ વિગ્રહ ચાલ્યો હતો. પ્રથમ તો હિંદમાં કાન્સનું સામ્રાજ્ય સ્થાપવાની શરૂઆત કરનાર દુપ્લે અને રોબર્ટ કલાઈવ વચ્ચેના પ્રસંગમાં કલાઈવે દુપ્લેની અપૂર્ણ ઈમારત તોડી પાડી. તે પછી પૂર્વના દેશોમાં કાન્સની સત્તાના અસ્તિત્વ માટે બુદ્ધિમાન ખુરસી અને ઉગ્ર સ્વભાવના લાલી એ બે સરદારોએ સ્વદેશ વત્સલતા, ભર્યા આત્મરક્ષણના યત્ન કર્યા; તેમાં આયર કૂટે એમને હરાવ્યા. પારિસના સંધિમાં ઇંગ્લંડના વિજયનો અંગીકાર થયો તે પછીથી હિંદુસ્તાનમાં કાજો ઈંગ્લડની હરીફાઈ કરવી બંધ પાડી.
આ લડાઈઓના વારંવાર કથાયેલા ઈતિહાસને બાજુ ઉપર રાખીને લેકની આર્થિક સ્થિતિના નિરૂપણ ઉપર આવીએ. કારણકે હિંદુસ્તાનને ઈતિહાસ એ હિંદુસ્તાનમાં કાન્સ અને ઈંગ્લેંડ વચ્ચેનાં યુનો ઈતિહાસ નથી પણ હિંદુસ્તાનના લોકોના આર્થિક અને સામાજિક સ્થિતિને, તેમનાં વેપાર ઉદ્યોગ અને ખેતીને ઇતિહાસ છે. અને આ ખરા ઇતિહાસ ઉપર બહુજ જૂજ લક્ષ અપાયેલું છે, તેથી જ આ ગ્રંથમાં એકલા તેજ વિષયનું નિરૂપણ કર્યું છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ .
૧૭૬૩ માં પારિસના સંધિ થયો. પાંડીશેરીનું સ ંસ્થાન અને બીજી કેટલીક જગાએ ક્રેચને પાછી સોંપવામાં આવી. પણ ઈંગ્રેજો દક્ષિણ હિંદમાં સર્વેાપરી રહ્યા. ઇંગ્રેજને બનાવેલા મહમદઅલી કર્ણાટકને નવાબ થયા; પણ ગ્રેજની સ્વાંગ મિલકત તા મદ્રાસની આસપાસની થેાડી જમીન અને બંગાલા તરફના પૂર્વના કિનારા, એટલીજ હતી.
કર્ણાટક,
કર્ણાટકના નવાબ મહમદઅલીનું સ્વરૂપ ગાલાના નવાબ મીરકાસમના કરતાં તદ્દન ઉલટુંજ હતું. મીરકાસમ નિશ્ચયવાળા અને બળવાન માણસ હતા. મહમદઅલી નબળેા અને મેાજશેખી હતા. મીરકાસમ બ્રિટિશ પ્રભાવથી દૂર રહીને રાજ્યવ્યવસ્થાની રચના કરવા સારૂ પેાતાની રાજધાની મેાંધીર લઇ ગયા; મહમદઅલીએ પેાતાની રાજધાની આકાટ છોડીને બ્રિટિશાના શહેરમાં મદ્રાસમાં મેાજશાખની વચ્ચે રહેવાનુ પસંદ કર્યું. મીરકાસમ અડગ હતા. કરકસર કરવાવાળા હતા, અને ગાદીએ આવ્યા પછી એ વર્ષની અંદર બ્રિટિશનું તમામ દેવુ તેણે પતાવી દીધુ; મહમદઅલી કમ્પનીનુ દેવુ વાળા સક્યા નહિ અને કરજમાં વધારે ને વધારે ઘસડાયે. મીરકાસમ બંગાળાના મુલકી વેપાર પોતાની રૈયતના હાથમાં રાખવા સારૂ બ્રિટિશ સાથે લડયેા; મહુમદઅલીએ પોતાની જમીન બ્રિટિશ શાહુકારાને કકડે કકડે માંડી આપી અને આખરે પોતાના તમામ મુલક નાણાં ધીરનારાઓના હાથમાં સાંપી દીધા. મીરકાસમને તેના રાજ્યમાંથી કહાડી મુકવામાં આવ્યા હતા, અને તે પરદેશમાંજ મરણ પામ્યો. મહમદઅલીએ અકીર્તિકર પરત ત્રતામાં, મેાજશાખ અને ફરજમાં જીવન ગાળ્યું, અને પાકી ઉમરે મરણ પામ્યા. પૂર્વના બ્રિટિશ સામ્રાજ્યમાં બળવાન રાજાને માટે સ્થાન ન હતું; અને નબળા રાજાને જીવવાની, નાણાં વ્યાજે લેવાની, અને રાજ્યની ઉપજમાંથી વ્યાજ ભરવાની છૂટ આપવામાં આવી હતી.
८४
Page #106
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
૯૫
આ નમળા રાજાના અમલ દરમિયાન કમ્પનીને પેાતાના પ્રભાવ અને પેાતાની સત્તા વધારવાનું બહુ સુગમ પડયું. કમ્પનીને અહી બંગાળાની પેઠે કર્ણાટકના દીવાનના અધિકાર લેવાની જરૂર પડી ન હતી. ઉલટું દીવાન અને નિઝામ ( મહેસુલી વહીવટદાર અને લશ્કરી સરદાર ) એ અને અધિકાર નામમાં તે મહમદઅલીનાજ હાથમાં હતા; અને ખરી સત્તા જ વાસ્તવિક રીતે કમ્પનીના હાથમાં હતી. દેશનું લશ્કરી રક્ષણ કમ્પનીએ હાથમાં લીધું, અને નવાબની ઉપજને થોડા ભાગ તે સારૂ માંડી લીધા. કમ્પનીની માગણી લડાઈની સાથે વધવા માંડી, અને નવાબે કંપનીની માગણી પૂરી પાડવા સારૂ કમ્પનીના નાકરા પાસે નાણાં વ્યાજે લેવાની વિચિત્ર રીત આદરી.
આના કરતાં વધારે ગંભીર કૃત્ય તે આ નાણાં માટે જે જમાનગરી આપી તે હતું. પોતાના ખાનગી સ ંગ્રહમાંથી નાણાં લેવાની અશક્તિ અથવા નામરજીને લીધે તેણે રાજ્યની ઉપજ ખાનગી લેણુદારાને માંડી આપી. નવાબના ખેડુતેા નવાબના મટી ધીરનારની સત્તામાં ગયા. ખેતરેામાં જે પાક ઉતરે તેના ઉપર બ્રિટિશ શાહુકારાની જાયુની ટાંચ કાયમજ હતી. નવાબના નાકરાએ ઘણીવાર દબાણ અને કારડાથી ઉધરાવેલાં નાણાં યુરોપ મોકલાવી દેવા સારૂ કમ્પનીના નાકરાને સાંપી દેવામાં આવ્યાં. આખું કર્ણાટક ટાપરા વિનાનુ નાળીએર થઇ રહ્યું. દક્ષિણ હિંદનાં ગામ પાદર એક મોટી ઇજારદારની જાગીર થઇ રહી. અને ખેડુતા ખેડતા અને મજુરા મજુરી કરતા તે ઉપજ યુરેાપ મોકલવા માટે.
આથી દેશને અને સ્વદેશીને બમણુ ં નુકસાન થયું. નવાબની ઉધરાતની પદ્ધતિએ સખ્ત અને નિર્દય છતાં સ્થિતિસ્થાપક હતી; અને તેની લેતરી વર્ષોવર્ષ ઉત્પન્ન થતા પાકને અનુકૂલ થાય તેવી હતી. પણ જ્યારે બ્રિટિશ દાખલ થયા તે વખતે નવાબની નિર્દયતાની સાથે બ્રિટિશ પદ્ધતિની સખ્તાઇ અને અકડાઇના યાગ થયા. નવાબના શાહુકારોના હૂકા સખ્તાઇથી લેવાવા
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૬
પ્રકરણ ૩ જી.
માંડવા, અને તેથી કદી નહીં અનુભવેલું એવું દબાણ ખેડુતેાએ અનુભવ્યું. ખીજી તરફથી નવા જ્યાં સુધી એ ઉપજ ભોગવતા ત્યાં સુધી તે ઉપજ દેશમાંજ વપરાતી, અને એક અથવા બીજા સ્વરૂપમાં દેશમાંતે દેશમાંજ હાથ બદલા કરતી; પણ માંડી આપેલા મુલકની તમામ ઉપજ જ્યારથી બ્રિટિ શના હાથમાં જવા લાગી ત્યારથી તે દેશ છેડીને હમેશને માટે ચાલી ગઇ. દેશ ગરીબ થતા ગયા. વેપાર અને ઉદ્યોગ ઉતરી જવા માંડયા. હિંદુસ્તાનમાં ઇન્સાફના વહીવટની તપાસ કરવા બેઠેલી મિટીએ તપાસેલા સાક્ષીની જુબાનીઓમાં આને પુરાવા આપણને મળી આવે છે. જ્યાર્જ સ્મિથ એકવાયર સવાલના જવાબમાં લખાવેછે કેઃ—
rr
હું ૧૭૬૪ માં હિંદુસ્તાનમાં પહેચ્યા. ૧૭૬૭ થી ૧૭૭૯ સુધી મદ્રાસમાં રહ્યા. જ્યારે હું મદ્રાસ પડેલા પહાચ્યા તે વખતે મદ્રાસના વેપાર આબાદ સ્થિતિમાં હતા, મદ્રાસની હિંદુસ્તાનના પહેલા દરજ્જાના બજારમાં ગણત્રી હતી. જ્યારે મેં છોડયુ ત્યારે મદ્રાસમાં બીલકુલ વેપાર નહાતા, અથવા નહિ જેવા હતા અને આખા શહેરના વેપાર માટે આખુ` એક વહાણ હતું. જ્યારે હું ત્યાં પહાચ્યું! ત્યારે ખેતીની બાબતમાં કણાટકની સ્થિતિ સારી હતી. ખેતી ઠીક થતી, લેાકાની વસતિ જામેલી હતી, અને વેપારના માલની ઘણી ખરી ચીજો ત્યાં ખપતી હતી, પણ જ્યારે મેં મદ્રાસ છેડયુ ત્યારે ખેતીની બાબતમાં દેશ બહુજ ઉતરી ગયા હતા, વસતિ ઘણી ઘટી ગઇ હતી; અને વેપાર બહુજ સંકુચિત થઇ ઞયેા હતેા.” +
કમ્પનીના નાકા, મદ્રાસની રાજ્યસભાના સદસ્યા સુદ્ધાંત નવાબને નાણાં ધીરીતે મેટી સમૃદ્ધિ ભેગી કરતા હતા; અને કમ્પનીના રાજ્ય કાર્યાધ્યક્ષે તે પોતાનાં કૃત્યોની ખબર આપવાને ઇંતેજારી રાખતા નહાતા. → નવમે રિપેાર્ટ ૧૬૮૩ મે. પા ૧૨૦.
Page #108
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
પણ અધ્યક્ષસભાના હુકમથી તેમણે ૧૭૬૭માં બધું કરજ દશ ટકાને વ્યાજે એકત્રિત કર્યું હતુ, તે વખતે વખત એવી આશા બતાવતા કે નવાબ એ બધું કરજ પતાવી શકશે. પણ એ વ્યવહાર બંધ કરવામાં એમના સ્વાર્થ નહોતા, તેમજ નબળા અને નાલાયક નવાબને પણ તે સૂઝયું નહિ. ખાતું બંધ થયું જ નહીં, અને જ્યારે ૧૭૬૯ માં આ ખાતાને આખા હિસાબ અધ્યક્ષસભા આગળ રજુ થયા ત્યારે તેમના ક્રોધની હદ રહી નહિ.
૯૭
“ તમે આ તમામ વ્યવહાર અમારાથી છાનેા રાખ્યા છે, અને તે ઉપરથી અમને શકા જાય છે, કે મહમદઅલીને ઉત્કર્ષ વધારવાની તમારી યાજનામાં એ વ્યવહારનું વજન કારણભૂત હશે; પણ તેમ હૈ। વા ન હેા પણુ આ વ્યવહાર છાનો રાખવામાં તમે મેદી ગફલત ફરી છે, એવી અમારી ખાત્રી છે.
· નવાની પાસે લગભગ વીસ વર્ષના અરસામાં એક યુદ્ધમાં એને મદદ કરવાના પ્રસ ંગે અમારૂં ( કમ્પનીનું) જે લેણું થયું તે વસુલ કરવાની ક્રૂરજ સેાંપવામાં આવ્યા પછી, અમારા તાકા આવા મેટા જાહેર નિક્ષેપને અમલ કરવાનું ચૂકી અમારી સાથે સરસાઇમાં એમના ખાનગી સ્વાર્થને સૂકે એ કેવી રીતે ફરજ અને વફાદારીની સાથે બધખેસતુ ં થઇ શકે ? અને પેાતાને ખાનગી હિંસામે માંડી આપેલી ઉપજ વસુલ કરવામાં તેઓ કમ્પનોનુ સૈન્ય, સત્તા અને પ્રતાપને કેવી રીતે ઉપયોગ કરી શકે ? '' ×××,
‘ નવાબનાં કેટલાંક કિ ંમતી પરગણાંની ઉપજ જે કમ્પનીના કરજની વસુલાતમાં ભરાવી જોઈએ તે ઉપજ ખાનગી માણસેાને માંડી લેવાની છૂટ આપવામાં અમારા તે ગવર્નર અને તેમની સભાએ ખાનગી સ્વાર્થાને પસદગી આપી છે, તે એક સાર્વજનિક નિક્ષેપને અસહ્ય ભંગ કર્યો છે. અને ઘણે અંશે કમ્પનીના રક્ષણથીજ આ ઉપજ આવવા માંડી છે, તે જોતાં તે, આ વર્તણુકની નિ ંધતાં બહુજ સ્પષ્ટ છે; અને ઉપરની ઉપજતા અસ્વાભાવિક વિનિયેાગ થવાથી કર્ણાટકના રાજ્યનું રક્ષણ કરવાનું ખરચ અને તેની ચિંતા
7
Page #109
--------------------------------------------------------------------------
________________
ર
પ્રકરણ ૩ જી.
કમ્પનીને માથે પડે છે, અને કમ્પનીનુ ભારે રકમેનુ કરજ વસુલ કરવાને પ્રસ ંગ મુલતવી રહ્યાં કરે છે, ”
વારન હેસ્ટિંગ્સ જેણે કમ્પનીના નાકરાના બંગાળાના મુલક વેપારના અનન્યાધિકારના દાવાની સામે વાંધા ઉઠાવ્યા હતા, તે આ વખતે મદ્રાસની રાજ્યસભાને એક સભાસદ હતા અને તેણે મદ્રાસના કમ્પનીના નાકરેને ખાનગી હિસામે આૉંટના નવાબની ઉપજ માંડી લેવાનું બંધ કરવા ખરા દિલથી યત્ન કર્યાં હતા. ઉપરના પત્ર મળ્યા પછી આ બાબતમાં ભરાયલાં પગલાંના સંબંધમાં એક પત્રમાં તે લખે છે કેઃ—
“ આપના હુકમને અમે આમ અર્થ સમજ્યા છીએ. કર્ણાટકનાં કેટલાંક પરગણાંની ઉપજ નવાબે પાતાની સહી સિક્કાથી કેટલાક માણસોને માંડી આપી છે; પણ તે ઉપજ કમ્પનીના કરજમાં ન ભરાતાં બીજા ખાનગી કરને પેટ ભરાય તે આપને પસ ંદ નથી; અને આ સ્વતંત્ર હક નવાબને અથવા આપના કરેાતા આપ કબૂલ રાખતા નથીઃ અને તેની,પહેલાંના દસ્તાવેજોની રૂએ જે જમીન મડાણુ થયેલી છે તે જમીન ઉપરના હક આપના નાકરેા છેડી દે એવી આપ માગણી કરે; આમ થાય તે પછી નાળને અમારે ખબર આપવી કે કમ્પનીનાં કર્જ વસુલ આપવાં એ તમારૂ પહેલું કામ છે; અને તે પ્રમાણે નવાબ કબૂલ કરે એટલે ખાનગી કરજો માટે નવાબ સાથે સામીલ થઇ કમ્પનીની સત્તાથી યોગ્ય બદોબસ્ત કરવાની આપ મંજુરી આપે છે..
આ રાજ્યસભાના અધ્યક્ષ અને મિ. પુત્રે એ બન્નેએ આપના હુકમ પ્રમાણે પોતાના હકા છેોડી દીધા છે અને તેમનાં કરજ વસુલ કરવા બાબતમાં કમ્પનીને શરણુ થયા છે. અને આપના હુકમ પ્રસિદ્ધ થયા પછી કમ્પનીના ઘણા નેકરા આ દાખલાને અનુસર્યાં છે. પણુ કમ્પનીના નાકરેના મોટા ભાગ હજી અમે જે રસ્તા બતાવ્યા છે તે રસ્તે કમ્પનીને શરણ થયા નથી, અને એમના ઉપર તે બાબતનુ દબાણુ કરવું એ અમને યાગ્ય લાગતુ' નથી.”
Page #110
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
ખીજા પત્રમાં વારન હેસ્ટિંગ્સ નવાબ કમ્પનીની વિરૂદ્ધ અને ખાનગી શાહુકારાના લાભમાં ઇંગ્લંડમાં લાગવગ ઉભી કરવા માંગે છે તે બાબત લખે છે; તે આ પ્રમાણે —
હમણાં સુધી નવાબ કમ્પનીના કાર્યાધ્યક્ષાની સભા ઉપર આધાર રા ખતા અને એમ માનતા કે તે સભા તેજ કમ્પની છે. પણ હવે કેટલાક ખદ સલાહકારેાએ એને એમ સમજાવ્યુ` છે કે કમ્પની બહાર જો કોઇને સ્વાર્થ હરશે તે વખતપર કામ આવશે; એને એમ સમજાવવામાં આવ્યુ છે કે ખાનગી શાહુકારા કમ્પનીના ધુ ર ધરાતે પાણી પાઇ દે એટલી સત્તા ધરાવે છે, અને તેથી પણ વધારે ખાટું એ થયુ` છે કે એના મનમાં એવું હંસાહ્યુ` છે કે પાર્લમેન્ટ અને તાજની સત્તા એના લાભમાં અને કમ્પનીની વિરૂદ્ધ વપરાશે.
""
"(
૯૯
નવાળને ખાટા ખખરો મળ્યા ન હતા. એના શાહુકારા માંડેલા પરગણામાંથી માટી સમૃદ્ધિ એકઠી કરી શકયા હતા. તેઓ ધણા મત પોતાના લાભમાં ખેચી શકયા હતા; અને વાસ્તવિક રીતે કમ્પનીની કાર્યાધ્યક્ષ સભાના ધણી થઇ પડ્યા હતા. આખરે આપણે જોઈશું કે બધા દાવાએ તપાસ વિના કમ્પનીએ કબૂલ રાખ્યા હતા.
તુ જાણેર.
દરમીયાન નવાબ પોતાનાં તમામ પરગણાં માંડી આપી ખાલી થઇ ગયા; અને તંજાઊર ઉપર નજર નાંખી. સને ૧૭૬૯ માં બ્રિટિશ અને હૈદરઅલી વચ્ચે થએલા સ ંધિમાં તજાગરના રાજાને બ્રિટીશના મિત્ર ગણવામાં આવ્યા હતા. પણ કાર્યાધ્યક્ષ સભાને પણ પેાતાના મિત્રની સમૃદ્ધિના લેાભ લાગ્યા, અને કમ્પનીનું કરજ ભરવા સારૂ ત`જાઊને લુંટવાની મહમદઅલીની દરખાસ્તને કાન ધર્યાં,
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રકરણ ૩ જુ.
“તંજાઊરનો રાજા દેશના સર્વથી વધારે ફળદ્રુ૫ ભાગને ધણી હેય અને તે કર્ણાટકના બચાવમાં એક પાઈ પણ ન આપે એ અમને અત્યંત ગેરવાજબી લાગે છે. તેથી અમે તમને હુકમ કરીએ છીએ કે નવાબના દાવાને તમારે અસર થાય તેવી રીતે ઘટતે ટેકો આપ, અને લડાઈના ખરચનો વાજબી ફાળો આપવાની તે ના પાડે તો નવાબ પોતાના રાજ્યની મહત્તાને અને ઈન્સાફને અનુસરતાં જે પગલાં લેવા ધારે તે તમારે લેવાં. અમે એમ ધારીએ છીએ કે ઉપરના હુકમનો અમલ કરતાં જે નાણું તજાઊરના નવાબ પાસેથી મળી શકે તે કમ્પનીનું કરજ વાળવામાં વપરાશે; અને કાંઈ શેષ રહે તે ખાનગી કરજે પતાવવામાં વાપરવાં.”
આ સૂચના ચોખી હતી. તેનો અમલ થયો. ૧૭૭૧ માં તંજાર ઉપર ઘેરો ઘાલ્યો. અને તંજા ઊરે ચાર લાખ પાઉંડ આપીને પોતાને બચાવ કર્યો. પણું આથી માત્ર નવાબની ભૂખ તેજ થઈ. અને તેના મિત્ર બ્રિટિશને એ વિચાર કસાવ્યો કે ઇલાકાના મધ્યમાં આવી મોટી રાત્તા એ જોખમનું ઘર છે. તંજાર ઉપર ફરીથી ઘેરો ઘાલ્યો અને ૧૭૩ ના સપ્ટેમ્બરની ૧૬ મી તરાખ સર કર્યું. કમનસીબ રાજા અને તેના કુટુંબને કિલ્લામાં કેદ કર્યા અને તેને મુલક નવાબે ખાલસા કર્યો. થોડાં વર્ષની દુર્વ્યવસ્થાથી એક આબાદ ને આબાદી પામતું રાજ્ય કે પાયમાલ થાય છે તેનું, નવાબના વાવટા નીચે ગયા પછી તંજારના રાજ્યની થયેલી સ્થિતિ, એ એક દ્રષ્ટાંત છે. એ મુલકને એક જીતી લીધેલા દુશ્મનનો મુલક લેખીને તેણે લેક ઉપર રાજ્યના હકકો વધારી દીધા, એની ઉપજ બ્રિટિશ શાહુકારને માંડી આપી, તેના વેપાર અને ઉદ્યોગને પાયમાલ કર્યો. અને થોડાં વર્ષમાં તંજાફર જે દક્ષિણ હિંદુસ્તાનને બગીચો હતું તે પૂર્વ કિનારા ઉપરના ઉજજડ પ્રદેશોમાં ભળી ગયું.
૧૭૮૨ ની કમિટી આગળ પૂરા આપતાં મિ. પિટી કહે છે કે:-- તંજારની અત્યારની સ્થિતિની વાત કરતાં પહેલાં મારે એટલું કહેવું જોઈએ કે થોડાજ વર્ષો ઉપર તંજાઊરને મુલક હિંદુસ્તાનમાં સર્વથી વધારે આબાદી
Page #112
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિયાસ
પામતા, સારી રીતે ખેડાતે!, અને સારી વસતિવાળે લેખાતા હતા. મેં પ હેલી વાર ૧૭૬૮ માં એ પ્રદેશની મુલાકાત લીધી હતી. તે વખતે હમણાં કરતાં તા જુદું જ મારા જોવામાં આવ્યુ હતુ. પ્રથમ તો તે જગા દેશી અને પરદેશી વેપારનુ એક મેટુ કેન્દ્ર હતું. ત્યાં મુબઇ અને સુરતથી રૂ આવતું. કાચુ' અને પાર્ક' રેશમ બંગાળાથી આવતું; સુમાત્રા, મલાકા અને પૂર્વના ટાપુમાંથી ખાંડ તેમ્નના વગેરે આવતાં; સાનુ, હાથી, પેઢા અને ઇમારતી લાકડાં પેડુમાંથી આવતાં, અને ચીનથી પણ ઘણી ચીજો આવતી હતી. હૈદરઅલીના રાજ્યમાં અને મરાઠા સામ્રાજ્યના વાયવ્ય પ્રાંતોમાં યુરોપને માલ તાકોરનું અંદરજ પુરા પાડતું. અને તેજ બંદરેથીહિંદુસ્તાનમાં સર્વત્ર પેાશાક તરીકે વપરાતું એક પ્રકારતું બંગાળી રેશમી કાપડ પણ આયાત થતું. ત ંજાઊરમાંથી મસ્લીન, છીંટ, રૂમાલ વિગેરે જુદી જુદી જાતનાં કાપડના નિકાસ યતા, અને ડચ અને ડેઇન લોકે આફ્રિકા, વેસ્ટ ઇન્ડિયા અને દક્ષિણ અમેરિકાના બજારામાં જેને ઝાઝી ઉપાડ હતા તે માલ પણ આજ બંદરેથી માકલતા હતા. તંજાઊરના જેવા કુદરતી લાગે! ઘણા ઘેાડા દેશાને હેાય છે. તેની જમીન ભરી અને ફળદ્રુપ છે, કાવેરી અને કાલુન એ બે નદીઓને લીધે પાણીની પણ બહેાળી છૂટ છે, જેનાં પાણી જળાશયા અને સારણે દારા દેશના બધા ભાગામાં પહાંચાડવામાં પણ આવ્યાં છે. તાઊરની અસાધારણ ફળદુપતાનું આ કારણ છે. જમીનને ચહેરા પણ સુદર ચિત્ર વિચિત્રતાવાળા છે. અને દેખાવમાં ઇંગ્લે ંડના જેવા છે. તેના જેવા હિંદુસ્તાનમાં એક પણ ભાગ નથી. થોડાંજ વર્ષની વાત ઉપર તંજાઊરની આ સ્થિતિ હતી. પણ એની પાયમાલી એવી તો રેિત થઇ છે કે ઘણા પ્રદેરોમાં પૂર્વેની સમૃદ્ધિની નિશાની સરખી પણ દેખાતી નથી. આ વખતે ( ૧૭૭૧ માં ) મને ખબર મળી છે તે પ્રમાણે રાજગાર આબાદ હતા, દેશમાં ખેતી સારી હતી, વતિ જામેલી હતી, લેક શ્રીમાન અને ઉદ્યાગી હતા. ૧૭૭૧ પછી પહેલા ધેરાથી તે રાાને રાજ્ય પાછુ’ સાંપાયું ત્યાં સુધી દેશમાં એ મેટી લઢાઇ થઇ, અને રાજ્યસત્તાને!
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રકરણ ૩
.
વિપર્યાસ થઈ ગયોતેને લીધે વેપાર રોજગાર અને ખેતી બધાં નષ્ટ થયાં, અને હજારો લેકે સલામતી ભરેલી જગાની શોધમાં પડી ગયા.”
હવે મદ્રાસમાં નવો ગવર્નર નીમવાનો વખત આવ્યો. ફ્રેંચ યુધ્ધ વખતે મિ. પિનટ મદ્રાસના ગવર્નર હતા; અને ૧૭૬૩ માં એ ઈંગ્લેંડ આવ્યા હતા. તે પછી તેમને બેરેનેટનો અને આયર્લંડના ઉમરાવના ઈલ્કાબો આપવામાં આવ્યા હતા. સને ૧૭૭૫ માં મદ્રાસની રાજ્યવ્યવસ્થામાં સુધારા દાખલ કરવાની ઈચ્છાથી એમને ફરીથી મદ્રાસના ગવર્નર નીમ્યા. કંપનીની કાર્યાધ્યક્ષ સભાને મહમદઅલીએ તંજાઊરનો મુલક ખાલસા કર્યો, તે સર્વાશે પસંદ પડયું ન હતું. અને તે સભાનો હુકમ લઈને લેંડ પિગટે જુના રાજાને રાજ્ય સાંપવાનો ઠરાવ કર્યો. મહમદઅલીએ આમ થતું અટકાવવાને ઘણી કારીગરી કરી પણ લૈ પિગટ કૃતનિશ્ચય હતો. સને ૧૭૭૬ ને માર્ચની ૩૦ મી તારીખે તંજારના રાજાને પાછો ગાદીએ બેસા.
ગવર્નરની મુશ્કેલીઓ હવે શરૂ થઈ. આર્કેટના નવાબના ઘણું લેણદારોમાં પોલ બેન્ફિલ્ડ નામનો એક લેણદાર હતા. તે ૧૭૬૩ માં એક કારીગર તરીકે કમ્પનીની નોકરીમાં આવ્યો હતો. પણ પિતાની સમૃદ્ધિના કારીગર તરીકે વ્યાજખોરાઈમાં એણે અસાધારણ ફતેહ મેળવી. જ્યારે તંજાઊરના રાજાને ફરીથી ગાદીએ બેસાડવામાં આવ્યો ત્યારે તેણે જાહેર કર્યું કે નવાબને ધીરેલા ૧,૬૨૦,૦૦ પાઉંડ માટે તંજાઉરની ઉપજ ઉપર અને તંજારના ખાનગી આશામીઓને ધીરેલા ૭૨,૦૦૦ પાઉંડ માટે તંજારના ઉભા માલ ઉપર-એને હક છે. આ હકીકત તે વખતના જમાના ઉપર પ્રબળ પ્રકાશ પાડે છે. બેન્ફિડ હજી હલકા દરજજાને નોકર હતો; તેને વર્ષ દિવસે જૂજ પાઉંડનો પગાર મળતે; છતાં તેના જેવા ગાડી ઘેડા મદ્રાસમાં કોઈની પાસે ન હતા, અને નવાબ પાસે આવી રાક્ષસી રકમનું લેણું કહાડતો હતો. એક શ્રીમંત રાજ્યની તમામ મહેસુલ અને એક આખી પ્રજાના તમામ ઉભા કૈલ તેના લેણા માટે ઘરે મુકયા સમજવામાં આવતા.
Page #114
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૦૩ લૈ પિગટે બેનિફલ્ડને દાવો સભા આગળ રજુ કર્યો. બેફિ... કંઈ પણ પુરાવા રજુ કરી શક્યો નહિ, પણ તેણે જાહેર કર્યું કે નવાબ મારો દાવો કબૂલ કરશે. સભાએ વધુ મતે ઠરાવ કર્યો કે આશાનીઓ ઉપરના દાવા બેન્ફિલ્ડ પુરવાર કરી શક્યો નથી; અને નવાબે તે જાઊરની મહેસુલ માંડી આપ્યાની વાત મંજૂર રાખી શકાય તેવી નથી. આથી કાંઈ બેન્ફિલ્ડને સંતોષ થયો નહિ. તેને મિત્રો ઘણું હતા અને સાધનની પણ કંઈ ખોટ ન હતી. તેને દાવ ફરીથી સભા સન્મુખ આવ્ય, અને આ વખતે તે મંજૂર થયો. ઑર્ડ પિગટે રસલને તંજાઊરના રેસિડન્ટની જગા ઉપર મોકલવાની દરખાસ્ત મુકી પણ તે સભાના વધુ મતે સ્વીકારી નહિ. કર્નલ ટુઅર્ટ જેની સાથે લેણદારોને સ્વાર્થ સધાય તેવી રીતે તંજાઊરનો કારભાર ચલાવવાની સમજુત થઈ હતી, તેને તંજારના રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો. લૉર્ડ પિગટ સભાના મોટા ભાગની સામે છે. અને ૧૭૭૬ ના ઓગસ્ટની ૨૪ મી તારીખે કર્નલ ટુઅર્ટ લૉર્ડ પિટને પકડો અને
આ બાબતને હેવાલ આપતાં તેંડ પિગટ લખે છે કે “ કર્નલ ટુઅર્ટ મારી સાથે જમ્યા અને જમ્યા પછી કમ્પનીના બગીચામાં મેં તેને વાળું માટે આમંત્રણ આપ્યું. રાતના સાત અને આઠની વચ્ચે હું કિલ્લામાંથી કર્નલ ટુઅર્ટની સાથે ગાડીમાં ફરવા નીકળે. ટાપુ ઉપર બે પુલની વચ્ચે મેં લેફટનંટ કર્નલ અડિંટન-એજુટન્ટ જનરલને દક્ષિણ દિશા તરફથી આડે રસ્તે અમારી તરફ આવતાં જોયે. એ અમારી સાથે વાત કરવા માંગે છે, એમ સમજીને મેં રેન તાણી ઝાલી, અને જ્યારે એડિંટન ગાડી પાસે આવ્યું ત્યારે તેણે નાગી તલવાર હવામાં ફરકાવી અને સિપાઈ” એવી બૂમ મારી. આ ઉપરથી ઝાડ પાછળથી સીપાઈઓની એક ટુકડી આગળ આવી. અને તે બાજુ તરફથી એક પિસ્તોલ હાથમાં લઈને કેપ્ટન લાઇસેંટ મારી
Page #115
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રકરણ ૩ જી.
k
તરફ્ આવી મતે કહ્યુ કે “ તમે મારા કેદી છે. ” પછીથી કેપ્ટન લાસ ટે મને એલ્ડિની ઘેાડાગાડીમાં બેસાડયા.
19
અધ્યક્ષસભા આ હેવાલથી સ્તબ્ધ થઇ ગઇ. પણ તેમનામાં મતભેદ હતે લા પિગટને કેદમાંથી છેડવાના તેમણે હુકમ કર્યાં. પણ તેની સાથે તેને પા! ખેલાવી લેવાને પખ્તુ હુકમ હતો. આ હુકમે. હિંદુસ્તાનમાં પહોંચ્યા પહેલા લાડુ પિગટ પ્રભુના દ્વારમાં પહેાંચી ગયો. ૧૭૭૭ માં તે કેદખાનામાંજ મરણુ પામ્યા+ ૧૭૭૮ માં સર ઢૉમ્સ રમ્માલ્ડ મદ્રાસને ગવર્નર નીમાયા.
૧૭૭૬ માં આટલુ તાક્શન કરાવનાર નવાબના લેણદારાને પોતાના સ્વાર્થની સારી કાળજી હતી. ૧૯૬૭ માં એમની પહેલી ધારધારની વાત ઉપર આવી ગઇ છે. ૧૭૭૭ માં એક બીજી ધીરધાર કરી, તમારી ઘેાડેસ્વાર પલટણ નકામી છે માટે તેને રજા આપવી એમ નવાબના મનમાં ફસાવ્યું. પણ તેમને પગાર ચુકવી આપવા પુરતાં નાણાં ન હતાં. ટેલર, મેન્ટેન્ડો, અને કાલે, એમણે કંપની મંજૂર કરે તે ૧૬૦,૦૦૦ પાઉંડ ધીરવા કબુલ કર્યો. કાંપનીએ માર આપી; ઉપજ અન્નબત માંડી આપી, અને બે વર્ષ પછી નવાબના દોવાળે પર યાદ કરી કે “ આ પરગણાંની તમામ ઉપજ આપ નામદાર (નવા) ના હુક મથી યુરેપીયનેનાં નાણાં દેવામાં વપરાય છે. મિ. ટેલરના ગુમાસ્તા ઉધરાણી કુરવાને ત્યાં આવેલા છે. અને તમામ નાણાં તેઓ લઇ નય છે. તેથી, આપના લશ્કરને! સાત આઠ મહીનાના ચઢી ગયેલા પગાર આપવાની સગવડ નથી
33
આ વર્ષમાં ખીન્ન વીસ લાખ પાઉડ ઉપરનુ દેવુ વળી નવાને ફરાવ્યું; સર ટામસ રમ્બેડે આ નવા કરજના સબંધે ખરા તિરસ્કારથી લખેલું છે કેઃ—૧,૬૦,૦૦૦ પાઉંડનું ધડેવારનું કરજ અને તકરાનુ અને ખુદ કમ્પનીનુ જીતુ કરજ, તે ઉપરાંત, વળી હાલમાં ૨,૫૨,૦૦૦ પાઉંડનું નવું કરજ કરવામાં આવ્યુ છે! આથી મને થયેલ
કમ્પનીના
+ લાડું પિગટનેા મદ્રાસના ગવર્મેન્ટમાં થયેલા વિપર્યાસને હેવાલ તા. ૧૧ મી સપ્ટેમ્બર ૧૭૭૬ પાનું ૧૧ થી
Page #116
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૦૫
અચ બે હું વર્ણવી શકતા નથી. આ વાત હું આપને ત્રાસની સાથે લખું છું કારણકે ધીરનારા કમ્પનીના નેકરોજ હોવાથી કપનીનું કામ બહુ મુશકીલ અને અણગમતું થઈ પડે છે +
ઉત્તર સિરકાર. કર્ણાટકની આ દુર્દશામાંથી ઉત્તર સિરકાર તરફ નજર કરીએ. આ પ્રદેશ જમીનદારોમાં વહેંચાઈ ગયેલો હતો. તેઓ પોતાની જાગીરના જમીનદાર તેમજ રાજા પણ હતા. આ જમીનદારો સાથે કમ્પનીને વ્યવહાર નિર્દય હતું અને તેમની જાગીરો દરિદ્ર થઈ ગઈ હતી. સર ટોમસ પડે જ તેમની પૂર્વની આબાદી અને આ વખતના દરિદ્યનો પુરાવો આપે છે,
કમ્પનીના ઈન્ડિયાના રાજ્યવહીવટ ઉપર આ એક હમેશનો ઠપકે રહેવાને. તેમણે “ આબરૂદાર દેશી માત્રને પિતાની હદમાંથી કાહારી મુકવા, એવું એક નીતિનું રણ ધારણ કર્યું છે. બંગાળા અને સિરકારના પૂર્વના સુખી દિવસનું સ્મરણ કરો; અને અત્યારની તે પ્રદેશની દુઃખી અને નિર્જન દશા ઉપર નજર કરે; હું પુછું છું કે કઈ આપણી પ્રજાને ખુલાસે કરી શકશે કે એક વખતે આ દેશમાં છવાઈને રહેલા સંખ્યાબંધ રાજા રાણા અને શ્રીમાન જમીનદારોનું શું થયું ?”
હમણા હમણામાં અધ્યક્ષસભાએ ધારણ કરેલી ભાષા ઉપરથી જન સમાજને એવું અનુમાન કરવાનું કારણ મળે કે કમ્પનીએ રાજ્ય હુકે આ મુલકમાં પ્રાપ્ત કર્યા છે, એટલું જ નહિ પણ તેઓ જમીનના પણ એકલા માલિક થયા છે; અને આ જમીનદારો જેઓ, યુરોપમાં કરિપત કથા જેવું લાગે તેટલી પેઢીથી વંશપરંપરાના જમીનના ખરા
* કેર્ટ ઓફ ડીરેકટર ઉપર પત્ર, તા. ૧૫ મી માર્ચ ૧૭૭૮.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પ્રકરણ ૩ જું.
અને એકલા માલિક છે. તેઓને એકદમ કમ્પનીની જમીનના ઈજારદાર ખેડત, કે મજુર બનાવી દેવામાં આવ્યા છે ! આ રાજાઓ મોઘલ બાદશાહને, જમા આપતા;-સાંથ નહિ એ ધ્યાનમાં રાખવાનું છે, તે તેમનું પરાપૂર્વનું સ્વાતંત્ર્ય સાચવી રાખવાને માટે જ આપવામાં આવતી રકમ હતી. તે રકમ, તે તેમની મિલકત, હક, અને રીતરીવાજો શાન્તિથી ભોગવવાની કિંમત હતી. આ જમા હમેશાં માફકસર ઠરાવવામાં આવતી અને ઠરાવતી વખત આ દેશની રીતભાત પ્રમાણે તેમના જેવી ઉંચી સ્થિતિવાળાઓને નોકર ચાકરોનાં મોટાં કારખાનાં રાખવાં પડે તે બાબત ઉપર પૂરતું ધ્યાન અપાતું હતું. મોઘલ બાદશાહના સુબા જમીનદારો સાથે ઠરાવ કરતા અને ઉઘરાવવાની બાબતમાં વચમાં પડવાનો વહીવટ જ નહતો. સિરકાર કમ્પનીના હાથમાં આવ્યા તે પછી આજ ડાહ્યાં ધોરણો ચાલુ રહ્યાં હોત તો સર્વેને માટે સુખ હતું; દેશ આબાદ રહ્યા હતા, અને તેના માંડલિક રાજ અને તેમની પ્રજાની આબાદીમાં કમ્પની પણ આબાદ થઈ હેત”+
એમ ઠરાવવામાં આવ્યું હતું કે કેટલીક સ્થાનિક તપાસ કરીને તે પ્રદેશની મહેસુલ નક્કી કરવા એક ફરતી કમિટી નીમવી. સર ટોમસે આ કમિટી રદ કરી અને જમીનદારને મદ્રાસ બોલાવ્યા. આથી જમીનદારોમાં બહુ ભય ઉત્પન્ન થયો પણ એકત્રીસમાંથી અઢાર જમીનદારો ગવર્નરને હુકમ માનીને મદ્રાસ આવ્યા. પાંચ વર્ષને માટે તેમની સાથે બંદેબસ્ત કર્યો. કમ્પનીને આવાગમન પછી જમામાં જેટલો જેટલું વધારે થયો તેને સરવાળો પૂર્વના કરતાં ૫૦ ટકા જેટલો વધારે જણાય.
પણ આટલાથી અધ્યક્ષસભાને સંતોષ ન થયો. તેમને એમ લાગ્યું કે જે ફરતી કમિટી નીમાબ હોત તો વધારે સંતોષકારક પરિણામ આવત,
+ સર ટોમસ રોડ ઉપર મૂકેલા અપવાદનો પોતે આપેલો જવાબ પા. ૧૯-૬૨
Page #118
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ,
૧૦૭
તેમણે સર ટામસ રમ્માલ્ડ ઉપર કમિટી રદ કરવામાં પેાતાના હુકમને અનાદર કર્યાનું તેહમત મૂછ્યુ. વળી તેમણે તેના ઉપર લાંચ રૂશ્વત લીધાનું પણ તેહમત મૂકયું અને સાખીત કર્યું કે તેણે બે વર્ષની અંદર ૧૬૪૦૦૦ પાઉંડ યુરોપ મોકલ્યા હતા. તેથી ૧૭૮૧ માં તેને કમ્પનીની નોકરીમાંથી બરતરફ્ કર્યાં.
તેમની પછી એક સારા સ્વભાવવાળા, ધીરા, લાંબા રાજ્ય અનુભવવાળા અને બુદ્ધિશાળી ઉમરાવ લાર્ડ મેક્કૉર્ટનીની મદ્રાસના ગવર્નર તરીકે નીમણુક થઇ. તે ૧૮૮૧ માં આવી પહાચ્યા. આ વખતે દેશ દુઃખ અને દારિદ્યમાં ગરકાવ હતા. લાંબી અવ્યવસ્થાની અસર સાથે સૂરના હૈદરઅલીની સાથેના યુદ્ધને અંગે બીજી દુર્દશા થઇ. એના ધાડેસ્વારો મદ્રાસની આસપાસ ધણા માલામાં ફરી વળ્યા અને તેમણે ચારે તરફ પાયમાલી ફેલાવી દીધી. કર્ણાટક ભયથી ઘેરાઇ ગયુ. લેાકેા જંગલમાં નાઠા, ખેતરાં ઉજ્જડ થયાં, ગામાનાં ગામે, ગાળીને નાશ કરી નાંખ્યાં, અને મદ્રાસની રાજ્યસભા આ ભયંકર દુશ્મનને શી રીતે સત્કાર કરવા તેના વિચારમાં ગાથાં ખાતી હતી ત્યાં તે એક પછી એક ભયંકર બનાવા ખડકાતા ગયા.
વારન હેસ્ટિંગ્સ. આ વખતે ગવનર જનરલ હતા. તેણે અનુભવી સરદાર સર આયર ફૂટને દક્ષિણ હિંદુસ્તાનને બચાવ કરવા સારૂ મોકલ્યા. સર આયરને હૈદરની સાથે ચાર લડાઇ થઇ. ૧૭૮૨ ના સપ્ટેમ્બરમાં સર આયર બંગાળે ગયા. અને ૧૭૮૨ ના ડિસમ્બરમાં હૈદર મરણ પામ્યા. ૧૭૮૩ માં ટિપુ સુલતાન સાથે તહનામાં કર્યાં.
આ બધાં દુઃખા એકઠાં થતાં, અને લેાક દરિદ્ર થઈ જતાં, ૧૭૮૩ માં મોટા દુકાળ પડયા. કમ્પનીની ઉપજમાં તે હમેશાં વધારેા રહે તે। પણ તેમના નિકા સને લીધે વધારાને બદલે ખેાટ થઇ જતી હતી. નીચેના આંકડા ઉપરથી આ વાત સ્પષ્ટ થશે:
-
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જુ.
વર્ષ
કુલ ચોખી કુલ મુલકી તથા ઉપજ. | લશ્કરી ખરચ.
*િ* ***]
વધારે. | ઘટાડે.
[ | £
f
૧૭૬૭–૧૭૬૮
૬૮-૬૯ ...
૩,
૬૯-૭૦
...
૭૦-૭૧
...
૭૧-૭૨
-
૭૨–૭૩ - ૭૩–૭૪ ૭૪–૭૫ - ૭૫-૭૬ ... ૭૬–૭૭ - ૭૭-૭૮ -
૩,૮૧,૩૩૦ ૪,૮૯,૦૧૨ • ૧,૦૭,૬૮૨ ૩,૬૯,૭૬૦ ૬,૯૧,૭૧ ૫,૦૦,૧૧૦ ૪,૬૭,૪૯૨ (૩૬,૬૧૮ ૫, ૬૨,૩૫૯ ૪,૩૪,૩૪૩ ૧,૨૭,૯૬ ૫,૫૮,૮૬૦
૪,૦૭,૪૪૬ ૧.૫૧,૪૧૪ ૫,૨૯,૨૩૩ ૩,૦૯,૧૩૮ ૨,૨૦,૦૯ ૫,૨૪,૭૬૨ ૪,૦૭,૧૪૪ ૧,૧૭,૬૧૮ ૫,૦૩,૬૨૮ | ૪,૫૪,૫૮૯ ૪૯,૦૪૦ ૫,૧૪,૫૯૧ ૩,૪૫,૮૬૭,૬૮,૭૨૪ . ૫,૬૩,૩૪૯ ! ૫,૩૭,૧૮૨ | ૩૦,૧૬ ૨,૮૩, ૧૯૮ ૪,૮૫,૮૩૦ . ૨,૦૨,૬૩૨ ૪,૯૪,૨૦૮ ૮,૦૩,૯૨૪ •. ૩,૦૯,૭૧૬
૭૮-૭૯
-
- - -
- -
-
-
-
- -
કુલ
૫,૭૮૫,૩૪૯, ૫૮,૨૯,૪૮૮
૮,૯૭,૬૪૨૯,૪૧,૭૮૧
Page #120
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક તિહાસ.
વધારો કે ઘટાડા પણ ખરીદી બંધ થઇજ નહ. અને આ અરસામાં યુરેાપ મેકલેલા માલની પડત કિંમત વીસ લાખ પાઉડ કરતાં વધારે હતી.
૧૦૯
પણ કમ્પનીના હક કરતાં લેણદારાને ત્રાસ વધારે હતા. જ્યારે લેણદારાની બાબત દીવાને આમની પાસે છેવટના ઠરાવ માટે આવી તે વખતે આ લેણદારોએ પેાતાની લાગવગ એટલી બધી વધારી દીધેલી હતી કે સાચા ખાટા જેટલી રકમના દાવા તેમણે રજુ કર્યા તે બધા તપાસ વિનાજ મંજૂર
થઇ ગયા.
પાલ એન્ફિલ્ડ આ લેણદારેામાં સહુથી મેટ અને વધારે ક્તેહમદ લેણદાર હતા. તેણે પેાતાની મિલકત પાર્લમેન્ટમાં લાગવગ વધારવામાં વાપરી હતી. એણે પોતાના સુધ્ધાંત આઠ તા સભાસદ પાર્લમેન્ટમાં મેાકલ્યા હતા, અને તે એવે સત્તાવાળા અને લાગવગવાળા માણસ હતા કે તેને નારાજ કરવાનું પ્રધાને મંડળને પણ પે।સાય તેમ ન હતું. પોતાના હિંદુસ્તાનના તિહાસમાં મિલ લખે છે કે પાર્લમેન્ટમાં આક્રંટના નવાબનાં સાચા ખાટા લેણદારા અને તેના માણુસાએ જમાવેલી લાગવગનેા અપ્રમાણિક લાભ સાચવી રાખવા સારૂ ૧૭૮૪ ના પ્રધાન મંડળે કરાવ્યું કે તેમનાં દેવાં ખરાં કે ખાટાં જે હોય તે વસુલ અપાવવાં જોઇએ.
બ્રિટિશ હિંદુસ્તાનને તે તિહાસકાર તે પછી આ બાબતમાં એડમન્ડે બનાં નીચેનાં વચને ટાંકે છે,
દઃ
કા
પેાલ મેડિ પાર્લમેન્ટના મેટા સુધારક છે. સામ્રાજ્યના ભાગને, કયા શહેરને, કયા પરાને, કયા પરગણાને અથવા કયી ન્યાયસભામાં એના શ્રમને લાભ નથી મળ્યા ? ભવિષ્યમાં સુધારાઓ માટે એક વાર પલટણ પાર્લમેન્ટમાં રાખવા સારૂ આ હિંદના સાર્વજનિક હિતપરાયણ વ્યાજ વટાવના ધ ધાદારીએ પેાતાના સ્વદેશના સડી ગયલા રાજ્ય બંધારણનું વિસ્મરણુ કર્યું ન હતું. પોતાના સ્વદેશ સારૂ આ સભામ`ડપનાં સિહાસને મઢવાને ( મેચીને ) ધા કરવામાં પણુ હલકાઇ માની નહિ અને તેમાં ખીજા
Page #121
--------------------------------------------------------------------------
________________
૧ ૧૦
પ્રકરણ ૩ જુ.
-
--
સભા મંડપની પેઠે લાજ આવે એવાં પુરાણ જરીકામનો ઉપયોગ ન કરતાં સાચા નવીન સગુણના ખરા સંગીને અને જીવતા નમુના બેસાર્યા. પિલ બેન્ફિડે પિતાના સુદ્ધાં આઠ સભાસદે ગઈ પાર્લામેન્ટમાં દાખલ કર્યા હતા, હાલના ........... ની નસોમાં શુદ્ધ લેડીના કેટલા ઉભરાઈ જતા ઝરા એણે દાખલ કર્યા નહિ હોય !
આપના પ્રધાનો માટે આ થાકેલે વૃધ્ધ સૈનિક લન્ડનની ચુંટણીમાં આગળ પડ્યો. અને આપને યાદ હશે કે તે જ સ્વાર્થ સારૂ તેણે એક મોટી જાહેર ઓફીસ અથવા દુકાન જેવું રાખ્યું હતું જ્યાં છેલ્લી સાર્વજનિક ચૂંટણીનું બધુ કામકાજ કરવામાં આવતું હતું. ઉઘાડી રીતે વ્યાં બેન્ફિલ્ડના આરનીઆ અને મુખત્યારને હાથેજ તમામ વહીવટ ચાલતો હતો; એની વ્યવસ્થા હિંદી ધોરણે ચાલતી હતી; અને હિંદનાજ હક સાચવવાને તેમાં હેતુ હતો. આ પાપનો ભરેલો સુવર્ણનો કલશ આ દેશના આટલા બધા લોકોએ–આટલા બધા અમીર ઉમરાવોએ, તળીઆ સુધી ગટગટાવીને ખાલી કર્યો હતો. તમે એમ ધારો છો કે આ દુષ્ટ કર્મોને કંઈ બદલે નહિ આપ પડવાનો, ? તથા તમે ધારે છે કે આ બેશરમ પીધેલપણાના અને રાષ્ટ્રિય ક્ષાચરને કંઈ બદલે આપણી પાસે માંગવામાં નહિ આવે ! આ રહ્યો! અહીં જ છે ! અહીંઆ, તમારી સન્મુખ જ છે ! તમારી ચુંટણીની વ્યવસ્થા કરનાર સદ્ગહરથને શેઠને નુકશાન ન થવા દેવું જોઈએ, અને તેટલા સારૂ બેડિ અને તેના સોબતીએના દાવા તપાસની પાર મૂકાવા જોઈએ. એ
ઇંગ્લંડના લેકોએ અને અમીરોએ સુવર્ણ કળશ ખાલી કર્યો અને હિંદુસ્તાન પાસે નાણું માગ્યાં. કર્ણાટકના ખેડુતો પાસે નાણાં લેવાનાં હતાં માટે બેન્ફિલ્ડના દાવા વગર તપાસે મંજૂર થયા. આવા બધા દાવા વગર તપાસે મંજૂર થતાં તોફાન વધ્યું, અને લેણદારોનાં ગાડગાડાં આમ એકદમ શ્રીમાનું થવાને માટે કર્ણાટક આવ્યાં. કર્ણાટકના નવાબ ઉપર બે કરોડ ત્રણ લાખ
+ આટના નવાબના કરજ બાબત બર્કનું ભાષણ
Page #122
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
નેવું હજાર પાંચને શીર પાઉંડના નવા દાવો દાખલ થયા, અને આ દાવાને નિકાલ કરવા અધિકારીઓ નીમાયા. આ વખતે કર્ણાટક લોર્ડ વેસલીએ ખાલસા કર્યું હતું, એટલે હવે તે બ્રિટિશ મુલક હતા. દાવા મંજૂર થાય તો નાણાં હવે નવાબને નહિ પણ કમ્પની સરકારને આપવાં પડે તેથી તપાસ થઈ. પરિણામે તેર લાખ છેતાલીસ હજાર સાતસું છ— પાઉંડ ખરા લેણું ક્ય. અને બાકીની રકમ દગાની ગણી નામંજૂર કરી.
મદ્રાસના નવા અને જુના પ્રાંત (૧૭૮૫-૧૮૭૭) ઉપર કહેવાઈ ગયું છે કે પિટ્ટનું ઈન્ડિયા બિલ સને ૧૭૮૯માં પસાર થયું. ત્યાં સુધી તે મદ્રાસ ઇલાકામાં મદ્રાસની આસપાસ કંઇક જમીન અથવા ઉત્તર સિરકારનો મુલક એટલું જ કમ્પનીના હાથમાં હતું. મદ્રાસમાં પહેલી જમાબન્દી ઉત્તર સિરકારની કરવામાં આવી હતી.
૧૭૬૫ માં લોર્ડ કલાઈવે બંગાળાની દીવાની લીધી તેની સાથે સિરકારના ચાર પ્રાંત, શીકાકેલ રાજમંદિ, ઇલેર, અને કોન્ડપિલી, એનું બક્ષીસપત્ર કરાવી લીધું હતું. કેટલેક કાળે તેના ઉપર પ્રાંતિક અમલદારો અને સભાઓ મૂકવામાં આવ્યાં, અને બંગાળાના પ્રાંતના જેવી રાજ્યપદ્ધતિ દાખલ કરી.
૧૭૭૫ માં અધ્યક્ષસભાએ ઉત્તર સિરકારની વસતિ, પેદાશ, વેપાર રોજગારની સ્થિતિ, રાજ્યની કુલ ઉપજ, અને ખેડુત તથા જમીનદારોના હકોની બાબતમાં તપાસ કરવા સારૂ એક ફરતી કમિટી નીમવાને ઠરાવ કર્યો. તે સભાએ વળી એમ પણ ઈચ્છા બતાવી કે જમીનદારોને તેમની વાર્ષિક ઉપજની બાબતમાં નિર્ભય કરવા, અને ખેડુતો પાસેથી અણઘટતા હક લેવાતા હોય તે બંધ કરવા. વળી બંગાળામાં જેવા કાયદાઓ દાખલ કર્યા છે તેવા કાયદાઓ સિરકારમાં દાખલ થઈ શકે કે કેમ તે બાબત પણ આ કમિટીને નક્કી કરવાનું હતું. આ પ્રમાણે કમિટી નીમાઈ હતી પણ ૧૭૭૮ માં સર
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રકરણ ૩ .
ટોમસ રોડે તે કમિટી રદ કરી, પણ પાછી ૧૭૮૩ માં એની પુનઃ સ્થાપના થઈ, અને ૧૭૮૮ સુધી તપાસ ચાલી.
આ કમિટીએ કરેલા રિપોર્ટ ઉપરથી દેખાયું કે ઉત્તર સિરકારની જમીન ઘણે ભાગે જમીનદારના હાથમાં હતી. પહાડી મુલકના જમીનદારો ઓરિસાના રાજાના વંશજો હતા. તેઓ પોતપોતાના રાજ્યમાં સ્વતંત્ર રાજા હતા, અને મુસલમાન બાદશાહને નિયત જમા આપતા. સપાટ મુલકના જમીનદારો બાદશાહની સત્તા નીચે વધારે હતા, પણ જ્યાં સુધી બાદશાહીને નિયત જમા આપે જાય ત્યાંસુધી જમીનની સાથ વિગેરે ખેડુ પાસેથી લેવાને તેમને હક હતો.
આ સિવાય ત્યાં બીજી હવેલીની જમીન હતી. તે બાદશાહની કહેવાતી. આ જમીન તે તે રાજધાનીઓના શહેરની આસપાસ હતી અને મુસલમાન બાદશાહના મુલકી અને લશ્કરી નોકરોના પગાર વિગેરે પુરા પાડવામાં તે હજમીનની ઉપજને ઉપગ થતો હતો. એક અમલદારે એવું લખેલું છે કે
બ્રિટિશ સરકારની સ્થાપના થયા પછી આ હવેલીની જમીન જમીનદારની સત્તાની જમીન નથી, એમ કહી શકાય. તે જમીન સરકારની જ ગણાય અને તેમાં મહેસુલ ઉઘરાવવાની જે ગોઠવણ કરવી હોય તે થઈ શકે.” પણ તેમણે તે જમીન ઇજારે આપી અને લેકના ઉપર જુલમને એક મોટો પ્રસંગ ઉભો કર્યો.
જમીનદારીની તેમજ હવેલીની જમીનમાં પ્રથમથી જ ગ્રામસંસ્થાને વહીવટ હતો. ગામાતનો વહીવટ એક સાદા સ્વરાજ્યનો વહીવટ હતો જેથી દરેક ખેડુનું જમીનદાર તેમજ બાદશાહીના જુલમથી રક્ષણ થતું. આ પરાપૂર્વની સંસ્થા-મનુના વખતમાં પણ પરાપૂર્વની હતી-વંશના વંશાની અને બાદશાહની ઉથલપાથલમાં પણ ટકી રહી હતી; એને લીધે લડાઈના પ્રસંગોમાં ગામડાંઓમાં શાંતિ અને વ્યવસ્થા રહી શકતી હતી; ઈસ્ટ દૂ ઇન્ડિયા કંપનીને નેકરને આ સંસ્થા વિલક્ષણ અને સર્વોત્તમ લાગી હતી.
Page #124
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
એક ગામડું એટલે ખેડવાણ અથવા પડતર જમીનના સેંકડો અથવા હજાર એકરને એક જ. રાજ્યદષ્ટિએ જોતાં એક સમસ્તસંસ્થા. તેના અમલદારો અને નોકરોનું વર્ણન નીચે પ્રમાણે.
“૧ પટેલ અથવા મુખ્ય માણસ તેનું કામ; ગામની તમામ બાબતની સામાન્ય દેખરેખ રાખવી, વસતિના કછુઆ ચુકવવા, અને મહેસુલ ઉઘરાવવી. તે માણસ ગામની તમામ વસતિની સ્થિતિથી પુરતો વાકેફ હોવાથી મહેસુલ ઉઘરાવવાના કામને માટે તો સહુથી વધારે લાયકાત ધરાવનારો. (૨) દફતરી-તેનું કામ હીસાબ રાખવાનું અને ગામની દરેક અગત્યની બાબતની નોંધ રાખવાનું. (૩) તલીયાર અને તોટી, પહેલાનું કામ પોલીસ તરીકે ગુન્હાની ખબર રાખવાનું, મુસાફરોને વળાવું કરવાનું વગેરેબીજાનું કામ મેંલનું રક્ષણ કરવાનું. (૪) શીમ શેઢા તપાસનાર–એને શેઢાની દેખરેખ રાખવી અને તકરારને પ્રસંગે પુરાવા આપવા. (૫) તળાવ વગેરેનો તપાસ રાખનાર. એનું કામ ખેતીના કામ માટે પાણી વહેંચવાનું (૬) બ્રાહ્મણ ગોર-મહેતાજી (૭) જોશી. (૮) સુતાર લવાર, (૯) કુંભાર ( ૧૦ )
બી (૧૧) ગોવાળ (૧૨) વૈદ (૧૩ ) નર્તકી (૧૪) ગવૈઓ (૧૫) કવિ. આ એક ગામનું કચેરી મંડળ કોઈ ઠેકાણે વધારે પણ હોય, કોઈ ઠેકાણે થોડા પણ હેય. આ બધાં કામો માટે દરેક ગામમાં પાકી ગોઠવણ ખરી.
આ સાદી સ્થાનિક સ્વરાજ્યપદ્ધતિ નીચે લેકે પરાપૂર્વથી રહેતા આવ્યા છે. ગામની સીમમાં કંઈ ફેરફાર થયો નથી. અને જો કે કેટલીકવાર લડાઈ, દુષ્કાળ કે મરકીથી ગામને નુકશાન થયાં હશે; વખતે ઉજજડ થયાં હશે; પણ ગામનાં નામ તેનાં તે, હદ તેની તે, હિત તેનાં તે, અને કુટુંબ પણ તેનાં તે, યુગો થયાં હજી કાયમ છે. રાજ્યની કે બાદશાહતોની ઉથલપાથલની વસતિ કાંઇજ દરકાર કરતી નથી. જ્યાં સુધી ગામ આબાદ રહે ત્યાં સુધી બાદશાહત કોની છે અથવા બાદશાહતના હકકે કોને જાય છે એ બાબતની તે લેક
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રકરણ ૩ જુ.
કાંઈ જ ચિંતા કરતા નથી. તેની આંતરસ્થિતિ કાયમ રહે છે. પટેલ હજી પણ મુખી માણસ છે અને હજી સુધી તેજ એક નાનો સરખો ન્યાયાધીશ, મેજીટ, ઉઘરાતદાર અને જમીન સાંથનાર છે.”
ઉપરનો ઉતારો બહુ અગત્યનું છે. કેમકે તે આપણે સ્વરાજ્યવાળાં હિંદનાં ગામડાંઓના બંધારણનું યથાર્થ ચિત્ર આપે છે. આ વાત કંઈ પ્રાચીન હિંદરાજ્ય દરમિયાનની નથી, પણ અઢારમા સૈકાની છે. પ્રાચીન સંસ્કૃત પુસ્તકોના આધારે લખવામાં આવેલી નથી, પણ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના
કરેએ પોતે જાતે તજવીજ અને તપાસ કરીને કમ્પનીના દફતર ઉપર નોંધેલા વર્ણનોને આધારે લખવામાં આવેલી છે. આ ઉતારો વંશના વિશે બદલાઈ ગયા અને બાદશાહત ઉગી અને અસ્ત પામી, તે બધા કાળની દરમિયાન આપણાં નાનાં સ્વરાજ્યમાં ગામડાંના લકે કેવી રીતે રહેતા, ખેડ કરતા અને પિતાને ખપ પૂરતો માલ પેદા કરતા, તે એક દષ્ટિપાતથી બતાવી આપે છે. જે ઈગ્રેજોએ આ જુની સ્થાનિક સ્વરાજ્યસભાઓ કાયમ રાખી તેને સુધારી વધારીને આ સભાઓ મારફત જ રાજ્ય ચલાવ્યું હોત તે સર્વેને સુખકર હતું. પણ બ્રિટિશ રાજ્યના આરંભને વખતે બે કારણોથી આ સંસ્થાઓ નબળી પડવા લાગી. જમીનની મહેસુલમાં જેમ બને તેમ વધારો કરવાની ઈચ્છાથી સરકારે જુદા જુદા ખેડુતો જોડે સાથ નક્કી કરવાની રીત ધારણું કરી. તેમજ તમામ સત્તા-ન્યાયની અને મુલકી–પોતાના હાથમાં રાખવાની ગેરવાજબી ઈચ્છાથી આ જુનાં ગામડાંઓના અધિકારીઓ, જેમણે પિતાના ગામડાંઓની હદમાં આ સત્તા ભોગવેલી હતી, તેઓને પણ અદશ્ય ક્ય, અને પિતાના અધિકારથી ભ્રષ્ટ થયેલી આ ગ્રામપ્રજા નષ્ટ થઈ. ઈગ્રેજોના રાજ્ય વહીવટની અત્યારની ગોઠવણ કેટલીક બાબતોમાં પ્રથમ કરતાં વધારે સુવ્યવસ્થિત છે છતાં તેથી આટલે ગેરફાયદો છે કે તે વધારે સ્વચ્છંદી છે, અને લેકે ની સામેલગીરીનો તેમાં અંશપણ નથી.
Page #126
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૧૫
ઉત્તર સિરકાર, હવે ઉત્તર સિરકારની જમીનદારી જમીનના વહીવટ ઉપર આવીએ સ. ૧૭૭૮ સુધી આ જમીનની જમા વર્ષો વર્ષ ઠરાવવામાં આવતી પણ સર ટોમસ રોલ્ટે પહેલી વાર પાંચ વર્ષના પટા કર્યા. ૧૭૮૩ માં વાર્ષિક પટાની જુલમી રીત ફરીથી દાખલ કરી; અને તે પ્રમાણે ૮૬ સુધી ચાલ્યું. પણ તે વરસમાં જમાવધારીને પાછા ત્રણ વરસના પટા કર્યા. ૧૭૮૯માં પહેલા ત્રણના ને પાછળથી પાંચ વર્ષના પટા કર્યા, અને જમીનદાર પાસેથી તેમની મૂળ ઉપજના બે ભાગ (ત્રણમાંથી) જેટલી જમા લેવાની ઠરાવી. ગંતૂરનું રાજ્ય જે ૧૭૮૮ માં નવું જ સરકારના હાથમાં આવ્યું હતું, તેના ઉપર આજ પ્રમાણે જમા કરાવવામાં આવી.
૧૭૯૪ માં મદ્રાસના ગવર્નર તરીકે લોર્ડ હેબા આવ્યા. તેમણે કમ્પનીના મુખી અને તેમની સભાઓ કહાડી નાંખી અને છેલ્લે છેલ્લે દેશાધ્યક્ષે (કલેકટર) નીમીને એક મોટો સુધારો કર્યો. તેમના ઉપર મહેસુલસભાની દેખરેખ રાખવામાં આવી. જમીનદારી જમીનની જમા પૂર્વ ના ધોરણેજ નક્કી કરવી ચાલુ રહી. લોર્ડ હેબાર્ટ પછી પ્લાસીના યુદ્ધના વિજયી સરદારના પુત્ર લૈર્ડ કલાઇવ આવ્યા અને તેમના અમલ દરમિયાન બંગાળામાં ૧૭૪૩ માં જેવો સ્થાયી બંદોબસ્ત કર્યો હતો તેવો ઉત્તર સિરકારના પરગણામાં ૧૮૦૨ થી ૧૮૦૫ સુધીના વર્ષોમાં કરવામાં આવ્યું. સરકારહકનું સામાન્ય માપ ખેડુત પાસેથી વસુલ થતી રકમનું બે તૃતીયાંશ રાખવામાં આવ્યું હોય એમ જણાય છે.
ઉત્તર સિરકારની હવેલીની જમીનને જુદો ઈતિહાસ છે. ૧૭૮૭ માં દેશાધ્યક્ષો નીમવામાં આવ્યા હતા. તેમણે હવેલીની જમીનની મહેસુલ વસુલ કરવાની બે જુદી જુદી રીતે દાખલ કરી. કેટલીક જગમાં તેમણે ખેડુતો પાસેથી પરબારી “વજે ” ઉઘરાવવા માંડી એટલે સરકારહક તરીકે
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રકરણ ૩ જી.
ઉપજના અમુક ભાગ લેવા માંડયેા. બીજી જગાએમાં નિયત રકમેા માટે જમીનાના ઇજારા આપી દીધા તે પણુ સામાન્ય ગાઠવણ એ હતી કે દેશાધ્યક્ષ ગામેાના પટેલો જોડે સામટા દેબસ્ત કરતા અને આ પટેલા દરેક ખેડુતા સાથે ગાઠવણ કરી લેતા. સને ૧૭૯૪ માં જ્યારે કમ્પનીના પ્રાંતિક મુખીએ અને તેમની સભાએ કહાડી નાંખવામાં આવી ત્યારે મહેસુલસભાની દેખરેખ નીચે દેશાધ્યક્ષા જ મહેસુલની વસુલાત માટે જવાબદાર રહ્યા; અને જ્યારે જમીનદારી જમીનના અચળ પટા થયા ત્યારે હવેલીની જમીનેાના પણ નાના નાના કટકા કરી એક હજારથી ૫૦૦૦ પેગાડા વાર્ષિક ઉપજ આવે તેટલી જમીને અચળ જમીનદારીના હકથી જાહેર હરાજી કરીને આપી દીધા. મદ્રાસ શહેરની આસપાસની જમીનની પણ એજ વખતે અચળ જમાબન્દી
થઇ ગઇ.
ઉત્તર સિરકાર અને મદ્રાસની આસપાસની જમીનેાની જમામદીના ૧૭૬૫ થી ૧૮૦૫ સુધીના આ ઇતિહાસ છે. પણ આ અરસામાં બન્ને મુલક કમ્પનીના હાથમાં આવ્યા હતા અને હવે આપણે તે તરફ નજર કરીએ.
લે કૅાર્નવાલિસની ટિપુ સુલતાન સાથેની લડાઇ ૧૭૯૨માં શ્રીરંગપટ્ટણુના સંધિથી બંધ પડી. તેને પરિણામે સલેમ અને કૃષ્ણગિરીના અને બારામહાલના જીલ્લાએ જીં ંગ્રેજના હાથમાં આવ્યા. લેર્ડ વેસ્લીની ટીપુ સુલતાન સાથેની છેલ્લી લડાઇઓએ કાનડા, કોઇમ્બતુર, બાલાટિ અને કેટલાક મુલક આપ્યા. ૧૯૯ માં વેસ્લીએ ત જાઊર ખાલસા કર્યું, અને ૧૮૦૦ માં કૃષ્ણા અને તુંગભદ્રા વચ્ચેના બધા મુલક નીઝામ સરકાર પાસેથી ઈંગ્રેજે લઇ લીધેા. લેર્ડ વેસ્લીએ આૉંટના નવાબને સાલીયાણું બાંધી આપી વાનપ્રસ્થ કર્યાં; અને તેથી કર્ણાટકનેા તમામ પ્રદેશ કમ્પનીના રાજ્યમાં ઉમેરાયેા. આમ દશ વર્ષની અંદર, ૧૭૯૨ થી ૧૮૦૨ના અરસામાં, અત્યારના મદ્રાસ ઇલાકાની તમામ ઉમદામાં ઉમદા જમીન ઈંગ્રેજના હાથમાં આવી અને તેની સાથે જમાદીની એક નવી રીત ઉદય પામી. જ્યારે બારામહાલના પ્રદેશા કંપનીના હાથમાં આવ્યા, ( ૧૭૯૨ )
Page #128
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૧૭
ત્યારે લાર્ડ કેર્નવાલિસે કેપટન રેડ અને બીજા લશ્કરી અમલદારોને તે પ્રદેશાને વહીવટ સોંપ્યા હતા. આ અમલદારા લેાકેાની ભાષા અને રીત ભાતથી તે વખતના મુલકી અધિકારીઓ કરતાં વધારે વાકેo હતા. કેપટનરેડે જે ધારણે બારામહાલમાં પ્રત્યેક ખેડુ સાથે જમાબંદી કરી તેજ ધેારણ તેના મદદનીશ ăામસ મનોએ, પાછળથી મદ્રાસના ગવનર સરટામસ મનોએ, વિકસાવ્યું અને દાખલકર્યું. જેવી રીતે લાર્ડ કાર્નવાલિસનુ ં નામ બંગાળાની યાવચ્ચન્દ્રદિવાકરી જમાબંદી સાથે જોડાયલુ છે, તેવીજ રીતે તેનુ (મનોનુ) નામ મદ્રાસની રૈયતવારી જમાબંદી સાથે જોડાયલુ છે.
ટોમસ મના ૧૭૮૦ માં હિંદમાં આવ્યા ત્યારે એગણીસ વરસને જુવાનીઓ હતા. તેણે હૈદરઅલી અને ટિપુ સુલતાન સાથેના યુદ્દામાં ભાગ લીધા હતા. આગળ જતાં તેણે મરાઠાઓની સાથેના યુદ્ધેામાં નામ કહાડવુ, અને હિં મત, સામર્થ્ય અને તેહને માટે બ્રિટિશ પાર્લમેન્ટમાં તેનાં વખાણ થયાં.લોકોના કલ્યાણને માટે પોતાની જી ંદગીને અર્પણ કરનાર કમ્પનીના થેાડા નાકરામાં એની ગણત્રી થાય છે; અને તેટલા માટે તેનુ નામ બંગાળામાં કાર્નવાલિસની પેઠે અને મુંબઇમાં એલ્ફિન્સ્ટનની પેઠે ઉપકારની લાગણી સાથે સંભારવામાં આવે છે.
કેપ્ટન રેડની સાથે ખારામહાલમાં કામ કરતી વખતે તેને કમ્પનીના વહીવટની રીતની ખામીઓ માલુમ પડી હતી, અને લેાકલાગણીને લીધે તેને ખરા ઉપાયા હાથ આવ્યા હતા.
દર
કર્ણાટકના સંબ ંધમાં એ લખે છે કે “નવાબની મહેસુલના મોટા ભાગ ત્રણ અથવા ચાર ટકાની આરતથી મહીને મહીને મદ્રાસ મેાકલવામાં આવે છે. કર્ણાટકના કેટલાક ભાગે માં જે માલ વાવ્યા હાય તેને હિસામે, ડરાવેલા છે. અને દરેક મોલના દર જુદા. બીજે ઠેકાણે ઉપજતા ભાગ-વજે ભાગ લેવાય છે અને સર્વત્ર પટા વરસ દિવસનાજ હોય છે. જ્યારે સરકાર હકના આંકડા દાણાના હીસાબે ઠરાવાય છે ત્યારે જમીનની માપણી પણ વર્ષોવર્ષ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રકરણ ૩ જુ.
થાય છે. મોજણીદાર રિપોર્ટ કરવામાં લાંચથી દરાય છે અને ખેડુત તેમજ સરકાર સામે હજારે દગા થાય છે. જ્યાં વજે લેવાય છે ત્યાં કાંતે વજેભાગ ખરી કિંમત કરતાં ઘણે ઊંચે ભાવે ખેડુતને જ માથે નાખી દેવામાં આવે છે, અથવા બજારભાવ મુકરર કરવામાં આવે છે કે જેથી જ્યાં સુધી સરકારી માલ વેચાઈ ન જાય ત્યાં સુધી તેથી નીચે ભાવે કાંઈ વેચાઈજ ન શકે, એવી ગોઠવણ થાય છે. આવી કંગાલ ગોઠવણથી દેશ તરતજ પાયમાલ થઈ જશે એવો વિચાર આવે એ અસ્વાભાવિક નથી.”
તેજ પ્રમાણે બ્રિટિશ મુલકના સંબંધમાં પણ તે લખે છે કે “મહેસુલ સભાએ દેશાધ્યક્ષના પગાર વધારવાની થેડા વખત ઉપર માંગણી કરી હતી, જે સરકારે બહુજ નારાજ થઈને રદ કરી હતી. પણ આમ કરવામાં તેમણે મનુષ્યસ્વભાવના અથવા ખરી રાજ્યનીતિના જ્ઞાનનું તેમનામાં કેવળ અંધારું હતું એટલું જ પ્રગટ કર્યું. કારણકે જ્યારે માણસે એવી સ્થિતિમાં મુકાય છે કે જ્યારે તેમના દેખાતા પગારથી તેઓ કદી સ્વતંત્ર સાધનવાળા થઈ શકે જ નહિ, પણ વાત જણાઈ જવાની બીક વિના લેકને લુંટીને એકદમ શ્રીમંત થઈ શકે, ત્યારે પક્ષ સ્વીકારો તે બાબતમાં બહુ વિચાર કરવા જાય, એવા મનુષ્યો એટલા થોડા છે કે તે હિસાબમાં પણ ગણવા ન જોઈએ. પિતાના પગાર કરતાં વધારે ખરચ કરીને રહેનાર દેશાધ્યક્ષે ઘણાં થોડાં વર્ષોમાં મોટું ધન સંપાદન કરતા આપણે રોજ જોઈએ છીએ. આનો રસ્તો બહુજ સાદે છે. જ્યારે નાણાંમાં સરકાર હક અપાય ત્યારે સરકારમાં બે પત્રક આપીને ઉપરનું ગજવામાં મૂકે. જ્યારે વજે વસુલ થઈ હોય ત્યાં જમીનની ઉપજ અથવા વેચાણના આંકડા ખાટા બતાવીને ગજવાં તર કરે. દેશાધ્યક્ષે વિદ્વાન અને શિલસંપન્ન હોઈને આવા જૂઠમાં નહિ ઉતરે એમ કહેવું તે નકામું છે. વાસ્તવિક હકીકતજ આવા અનુમાનની વિરૂદ્ધ છે.”
૧૯૯૪ માં બારામહાલની રૈયતવારી જમાબન્દી પૂરી થઇ.
Page #130
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
લખે છે કે-બારામહાલની માપણી હવે સ ંપૂર્ણ થઇ છે અને સરકારહકની રકમા નક્કી કરી દેવામાં આવી છે. ખારામહાલમાં ખેડુતની સંખ્યા બહુ મેટી છે તેથી વસુલાતની વ્યવસ્થામાં બહુ વિગતવાર ધ્યાન આપવાની જરૂર પડે છે, પણ તેમાં કાંઇ મુશ્કેલી નથી. માત્ર હમેશ ધ્યાન રાખવાની જરૂર છે. અને જો તે આપી શકાય તે દશ બાર મેટા જમીનદારો પાસેથી નાણાં વસુલ કરવા કરતાં સાઠ હજાર ખેડુતા પાસેથી વસુલ કરવામાં દેશને લાભ છે; અને દેશાધ્યક્ષાને માટે સરળતા છે. મારા તાબામાં જે મુલક મુકવામાં આવ્યો છે તેના સરકાર હક ૧૬૫૦૦૦ પેગડા હતા. તે, એક વર્ષમાં એક પણ રૂપીયા બાકી રહ્યા વગર અને કંઇ પણ તસ્દી વિના, વીસ હજાર ખેડુ પાસેથી ઉધરાવ્યા હતા.” આ પત્રમાં જ્યાં વંશપર ંપરાના જમીનદારેા ન હેાય ત્યાં રૈયતવારી રીતે જમાનન્દી બાંધવા તરફ મનાતા વધતા જતા પક્ષપાત આપણે જોઇએ છીએ. અંગાળા અને ઉત્તર સિરકાર જેવા પ્રદેશમાં જ્યાં ચાલતી રીત મુજળ જમીન મેાટા જમીનદારાના હાથમાં હતી ત્યાં સરકારે તે રીત ચાલુ રાખી જમીનદારે જોડે બ ંદોબસ્ત કર્યા. બીજે ઠેકાણે જ્યાં ચાલતી રીત રૈયત પાસેથીજ પરબારા સરકાર હક લેવાની હતી ત્યાં મનોએ તે રીત ચાલુ રાખી અને રૈયત સાથે પરબારા ઠરાવા કર્યાં. ખીજે ઠેકાણે સરકાર હકને કાંઇ નિત્ય અને નિયત સ્વરૂપ આપવાની જરૂર હતી, કારણકે ખેતીને સુધારા અને લેાકની આબાદીના આધાર તેના ઉપર હતા. બંગાળામાં લોર્ડ કૅાનવાલિસે આ સિદ્ધ કર્યું. મદ્રાસમાં સર રામસ મનોની તેમ કરવાની ઇચ્છા હતી. તેણે તે પ્રમાણે ભલામણ કરી હતી, પણ તેમ થઇ શકયુ નહિ. અને દક્ષિણ હિંદુસ્તાનની જમાબ-દીની પદ્ધતિમાં આ વિનાશકારક ખામી રહી ગઇ.
બારામહાલમાંથી મનોની કાનડે બદલી થઇ, ત્યાં એણે એક વર્ષમાં જમાબન્દીનુ કામ પૂરૂ કર્યું. અને જમાળન્દીને બદોબસ્ત જમીનદારો સાથે કર્યાં. તે લખે છે કે “ દેશની મહેસુલ નક્કી કરવાના કામ માટે હું લાયક હતા એમ સમજીને મને મેકક્લ્યા તેથી ના પાડવા જતાં હું મારૂં કર્ત્તવ્ય નથી
૧૧૯
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પ્રકરણ ૩ જી.
કરતા એવા દેખાવ થવાનેા સભવ હાવાથી હું આવ્યેા; હવે જમાબન્દી નક્કી થઇ છે. લડાઈ વિગેરેના કારણથી જ્યાં વિશ્ર્વમાં પડે છે તે સિવાય બીજે ઠેકાણેથી વસુલાત નિયમસર વસુલ થાય છે તેથી હું ધારૂ' છું કે હવે મારૂ’ કામ પૂરૂં થયું છે. ×
<<
મારે હાથે થયેલા તમામ બ ંદોબસ્તે જ્યાં જમીનદારે છે ત્યાં તેમની સાથે, અને જ્યાં તેઓ નથી ત્યાં પરબારા કબજેદાર ખેડુતા સાથે થયા છે. ઉપજ પૂર્ણ ચોકસાઇથી નક્કી કરવામાં આવી છે, કારણકે બન્ને તરફ્થી હિસાબે રજુ કરવામાં આવ્યા હતા. કાઇ પણ એવા દાખલા માલુમ પડયા નથી કે જ્યાં સરકારભાગ એક તૃતીયાંશથી વધારે હોય. ઘણે ઠેકાણે પાંચમે અગર છઠ્ઠો ભાગ પણ હતા, અને કેટલેક ઠેકાણે તે કુલ પેદાશના દશમા ભાગથી પણ એ હતા.
,,
જ્યારે કૃષ્ણા અને તુંગભદ્રાના મુલક નિઝામ સરકાર પાસેથી ઇંગ્રેજ સરકારને મળ્યા ત્યારે ત્યાં પણ જમાબંદીને બ ંદોબસ્ત કરવા સારૂ મનેાનેજ મેકલ્યેા. ત્યાં પણ મનેાએ બાહેાશીથી કામ કર્યું અને સોંપૂર્ણ ફ તેહ મેળવી. પણ સત્તાધીશોના લાભને લીધે લેાકેાના હકની બેઇએ તેટલી દરકાર તેનાથી ન રાખી શકાઈ. આ બાબત એ એવા સા દીલથી કબૂલ કરે છે કે તેના વિરૂદ્ધ ટીકા કરવાનું પણ મન થતુ નથી. લખે છે કેઃ—
જો મને એમ ખાત્રી હત કે ઉત્તરાત્તર આવતી મહેસુલસભા ધીમે ધીમે જમા વધારવાની મેં ભલામણ કરી છે તે વાતને ટેકે આપશે તે હું તેને વળગી રહેત, પણ મને તેમ કરવા દેવામાં આવે એવું લાગતું નથી. કારભારીએના મનમાં હમેશાં પોતાના કારભાર દરમિયાન રાજ્યની ઉપજમાં, અને બને તા, લાકની આબાદીમાં વધારે બતાવવાની ઇચ્છા હૈાય છે, અને તેથી કરીને મારે પણ મારા ધાર્યા કરતાં વધારે ત્વરાથી ચાલવું પડરો. હું જેમ જેમ વૃદ્ધ થતા જઇશ તેમ નબળા પડતા જાઉં અને ટીકા સહન કરવા અરાક્ત થા તા તે સ’ભવિત છે. જો હુ` મારા ઉત્તરાધિકારીને માટે જમાળી વધારવાને
Page #132
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
અવકાશ મૂકતા જાઉં તે એમ કહેવાય કે મેં વસતિ તે સરકારને છેતરવામાં મદદ કરી. અત્યારે તે કંઇ એકદમ કરી નાંખવાના મારા વિચાર નથી, પણ રાજ્યમાં નાણાંની તંગીને લીધે મારે કરવુ જોઇએ તેના કરતાં રૈયત ઉપર વધારે દબાણુ કરીશ.
,,
૧૨૧
જ્યારે મનાએ ઉપરના પત્ર લખ્યા ત્યારે એના એક મિત્રના દાખલેો એના મનમાં હતા; જેને મહેસુલ સભાએ કર્ણાટકની જમા બહુ હલકી બાંધવા સારૂ સરકારી નેકરીમાંથી ખસેડવાની તૈયારી હતી. પેાતાના અધિકારી ઉપર આવાં ગેરવાજખી દબાણ કરીને કમ્પનીએ પોતાને મળેલી જમીનની મહેસુલ ખેડુતોને બહુ ક્રૂર અને જુલમી લાગે એવી વધારી દીધી હતી.
સાત વર્ષ સુધી આ નવા પ્રાન્તાના વહીવટ કર્યાં પછી મનાએ વિશ્રાન્તિ લેવા સારૂ હિંદુ છેડયું. સાત વર્ષની અંદર ૪૦૨૬૩૭ પાલેંડથી ૬૦૬૯૦૯ પાઉન્ડની મહેસુલ એણે બતાવી તેથી સત્તાધીશેા તેના ઉપર બહુ ખુશી હતા. સાત વર્ષમાં ૫૦ ટકા જેટલા વધારા ! આવાં ાથી કમ્પની પેાતાના અમલદારાતા તાલ કરતી.
મલઆર.
દરમિયાન ખીજા જીલ્લાઓની જમા ખીજા અધિકારીઓએ હરાવી. મલખાર દેશ કમ્પનીના હાથમાં ૧૭૯૨ માં આવ્યા. અને થેાડા વખત સુધી તે તે મુંબઇમાં ઇલાકામાં હતા. મુંબઇ સરકારે પહેલાં મલબારના નાયર સરદારા સાથે દૈવાર્ષિક ઠરાવેા કર્યાં અને પછીથી પાંચ વર્ષના ઠરાવ કર્યાં. તે રાજાએ અને નાયર સરદારા ઠરાવેલી મહેસુલ ન આપી શક્યા એટલે તેમની પાસેથી જમીન પડાવી લીધી અને તેએએ બળવા કર્યાં. આમ મુંબઇ સરકારને વહીવટ નિષ્ફળ થવાથી મલબાર ૧૮૦૦ માં મદ્રાસ સરકારને સાંપી દીધા. મદ્રાસના ગવર્નર લોર્ડ કેન્નાઇયે ત્યાં દેશાધ્યક્ષા અને તેના તાબામાં ખીજા અમલદારા નીમ્યા. જમાબન્દીના ઠરાવા કંઇક જમીનદારો સાથે અને કંઇક
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પ્રકરણ ૩ જુ.
કબજેદાર ખેડુત સાથે કર્યા. પણ હવે રૈયતવારી પદ્ધતિ સત્તાધીશોને અનુકૂલ થઈ પડી હતી અને તે પ્રમાણે જ ઘણે ભાગે જમાબન્દીના ઠરાવો થવા લાગ્યા. અને આથી જે રાજાઓ અને નાયર સરદારો મલબારમાં પરાપૂર્વથી જમીનદારો : હતા તેમને ધીમે ધીમે દૂર કર્યા અને આખરે તેઓ અદશ્ય થઈ ગયા. ખરી રાજ્યનીતિ પ્રમાણે તે સરકારે તેમને કાયમ રાખવા જોઈતા હતા, અને તેમને બ્રિટિશ સરકારની વફાદાર પ્રજા બનાવી લેકના અગ્રેસર બનાવવા જોઇતા હતા. પણ જેમ બને તેમ વધારે ઉપજ લેવા સારૂ રૈયતની સાથે પરબારી જમા કરાવવાની ઇચ્છાએ સરકારની નીતિ ઉપર વરસ જતાં વધારે ને વધારે અસર કરી.
જાઊર. તંજાઊર સને ૧૮૯૯ માં લેર્ડ વેસ્લીએ ખાલસા કર્યું. આ રાજ્યના ખેડુતો ૫દૃકદાર નામના મુખીની મારફત જમા ભરતા. એક પટ્ટકદારના તાબામાં ૧ થી ૧૨૮ ગામ હતાં, અને ઘણું ખરા પટ્ટકદાર વાસ્તવિક જમીનદારો જ હતા.
બ્રિટિશ સરકારે આમને તદન રદ કર્યા. ૧૮૦૪ માં રૈયતવારી પદ્ધતિ દાખલ કરી. અને જમીનની માપણી કરી પાછલ્લા વર્ષોની કિંમત આંકવાને બદલે સરાસરીને હીસાબે જમા ઠરાવી.
કર્ણાટક, કર્ણાટકને વહીવટ પ્રથમ ૧૭૯ર માં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને સોંપાયે હતું. અને પછી ૧૮૦૧ માં વેસ્લીએ એ મુલક ખાલસા કર્યો. આ પ્રદેશને મોટો ભાગ પાળેગાર (પોલીગાર) નામના લશ્કરી સરદારના હાથમાં, કેટલીક પેઢીઓથી, અને કેટલેક ઠેકાણે તે, સેંકડો વર્ષોથી હતો.
Page #134
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૨૩ આ પાળેગાર પ્રથમ તે ગામોના મુખી અથવા તે તરેહના અમલદારો હતા. પણ પાછળથી દક્ષિણમાં થયેલા રાજ્યવિપર્યયને અંગે, સત્તાના જે મોટા ફેરફારો થયા તે ફેરફારોમાં તેમની વાસ્તવિક સ્થિતિ, લશ્કરી રાજ્યકર્તાએની થઈ હતી. એ લેકે પોતાની જાગીરો શા ધોરણથી ધારણ કરતા હતા તેની વિગત તેમની રજુ થયેલી સણમાં-નીકળતી ન હતી, પણ તે ઉપરથી આટલું સ્પષ્ટ હતું કે તેઓ બાદશાહના આશ્રયમાં અને કર્ણાટકના સુબાના તાબામાં હતા; અને તેમને તેઓ જમા આપતા, તેમની સવારીમાં જ્યારે જ્યારે તેમને બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાને તેઓ બંધાયેલા હતા, અને હકુમતના પ્રમાણમાં પિતાની પાસે લશ્કર રાખવાને તેમનો હક હતો.
પાળેગારની સ્થિતિ સંબંધે વૈરન હેસ્ટિંગ્સના વખતથી ઘણો પત્ર વ્યવહાર ચાલ્યા છે. કર્ણાટકના નવાબે પોતાની રૈયત ઉપર કાબુ વધારવા માટે આ સ્થાનિક સરદારોને નાશ કરવા ઘણી વાર અંગ્રેજની મદદ માગેલી, પણ અધ્યક્ષસભાને પાળેગારોની સામે નવાબને મદદ કરવા સારૂ બ્રિટિશ સેનાનો ઉપયોગ કરવો બહુ પસંદ પડેલે નહિ હતું. અને તેમણે એવા સ્પષ્ટ અને નિયત હુકમ આપ્યા હતા કે “પાળેગાર નામના દેશી સરદારોનો વિનાશ ન કરે,” એમને ભયંકર હાલતમાં મૂકવા એ અમને અમાનુષ લાગે છે, નવાબને વહીવટ નરમાશવાળ નથી અને મહેસુલ વસુલ કરવામાં ઘણે જુલમ થાય છે.” એમણે એવી ધાસ્તી પણ બતાવી હતી. કર્ણાટકના લેકને ઘણાં કષ્ટ વેઠવાં પડે છે એ વાત તેઓ સારી પેઠે જાણતા અને તેની સાથે કર્ણાટકના નવાબનો જુલમ એ મોટામાં મોટું કષ્ટ હતું તેની પણ તેમને ખબર હતી. - ૧૭૯૨ માં કર્ણાટકના નવાબ સાથે કર્નાલિસનો સંધિ થયા પછી ૧૭૯૫ના ખરીતામાં એ સંધિના ધેરણના સવિસ્તર વિવેચનમાં તેઓ ઉતર્યા છે; તે પછી હિંદુસ્તાનમાં ચર્ચા ચાલી અને ૧૭૯૭ માં મદ્રાસના તે વખતના ગવર્નર લૈર્ડ હેબર્ટ આ પાળેગારને ઉપયોગી રૈયત અને સરકારના ખંડણીદાર
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પ્રકરણ ૩ જુ.
બનાવીને કેવી રીતે રાખવા તેની સૂચનાઓ એક નંધમાં કરી. ૧૭૯૯ ના જુનની પાંચમીના પત્રમાં સભાએ આ પાળેગારની લશ્કરી સત્તાને બિલકુલ નાશ કરવાનો અને તેમની પાસેથી પ્રથમ આપતા તેના કરતાં વધારે ખંડણી લેવાનો આગ્રહ કર્યો.
આ ખરતાની સહાયતા લઈને મદ્રાસના સત્તાધારીઓ ઈનસાફની હદ વટાવીને ચાલ્યા ગયા. ૧૭૯૯-૧૮૦૦ માં એમણે પાળેગાર સાથે ઠરાવ કર્યા; તેમાં તેમના પિતાના ગામની હદ બહારની તમામ જમીન સરકારે રાખી અને પૂર્વના કરતાં ૧૧૭ ટકા જેટલી વધારે જમા કરાવી. દક્ષિણના પાળેગારોએ બળવો કર્યો પણ તે બળવો એકદમ શમાવી દીધો. બળવાખોરોની જાગીર આંચકી લીધી અને કેટલાકને દેહાંત દંડ કર્યો. ઠરાવેલી મહેસુલમાં ધીમે ધીમે
ડાં વર્ષ સુધી વધારો કર્યો, અને પછી, કુલ પેદાશના બે તૃતીયાંશ જેટલી રકમ સુધી પહોંચે તે પછી, અચળ થાય એવો ઠરાવ કર્યો. છેવટે દક્ષિણના પાળેગારમાંના જેમની પાસે જાગીરો રહી હતી તેમની સાથે ૧૯૦૩ માં યાવચ્ચન્દ્ર દિવારો જમાબંદી થઈ. આ જમાબન્દી ૧૭૯૮-૧૮૦૦ કરતાં બહુ માફકસર હતી. કુલ પેદાશના ૪૧ થી ૫૧ ટકા જેટલી જમા ઠરાવવામાં આવી. આવી ચાદ જાગી હતી, તે ઘણે ભાગે તિનેવલ્લી જીલ્લામાં છે. આજ પ્રમાણે શિવગંગા અને રામનદન પાળેગાર સાથે પણ જમાબન્દીના ઠરાવ ક્ય.
૧૮૯૨ માં પશ્ચિમના પાળેગારો સાથે પણ યાવચ્ચન્દ્રદિવાકરી ઠરાવો કરવામાં આવ્યા. પણ ચિતૂરના પાળેગારનાં નસીબ નબળાં હતાં. તેઓ બ્રિટિશના હકની સામે થયા. પિતાના કિલ્લાઓમાંથી તેમને હાંકી કહાડ્યા. તે પછી તેઓ જંગલમાં જઈને રહ્યા. ચિત્રની સર્વ જાગીર ડાક અપવાદ સાથે સરકારે ખાલસા કરી અને ખેડુતો સાથે પરબારી જમાબન્દી બાંધી.
આ બધા વ્યવહાર તરફ આજે સો વર્ષો પછી આપણે જોઈએ છીએ ત્યારે કર્ણાટકના પાળેગારોનો વારતવિક નાશ કરવાની નિર્દય રાજ્યનીતિ માટે શોક થાય છે. ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના અધિષ્ઠાતાઓએ એમની પાસેથી લકરી
Page #136
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૨૫
સત્તા છિનવી લેવાનો હુકમ કર્યો તેમાં તેઓ વાજબી હતા. કારણ કે રાજ્ય વહીવટની નવીન પદ્ધતિ પ્રમાણે લશ્કરી સત્તા રાજ્યના હાથમાં જ રહેવી જોઈએ. પણ પિતાના રહેવાના ગામની સીમ બહારની તમામ જમીન પડાવી લેવી, તેમના ઉપરની જમા એકદમ બેસુમાર વધારી દેવી, અને તેમને વાસ્તવિક રીતે વિનાશ કરીને બળ શાંત કર, આ કાંઈ ડાહી કે ઈન્સારી રાજ્યનીતિ કહેવાય નહિ. તેમણે સત્તરમા અને અઢારમા સૈકામાં દક્ષિણ હિંદુસ્તાનમાં ચાલતી લઢાઈઓના પ્રસંગોમાં પોતપોતાની જાગીરમાં કાંઈક શાંતિ અને વ્યવસ્થા રાખી હતી; જે વખતે બીજી કોઈપણ વ્યવસ્થિત સત્તા તે પ્રદેશમાં ન હતી તે વખતે તેમણે વણકરોનું અને બીજા શિલ્પીઓનું તેમજ ખેડુતોનું રક્ષણ કર્યું હતું; તેમણે આખા દક્ષિણ હિંદુસ્તાનમાં જમીનને પાણી પીવા માટે માટાં મોટાં જળાશયો બાંધ્યાં હતાં, અને નેહેરે ખેદાવી હતી; અને ફ્રેન્ચ સાથેની પહેલી કર્ણાટકની લડાઈઓમાં જ્યારે મદ્રાસ ઈગ્રેજેના હાથમાંથી છૂટી ગયું હતું તે વખતે તેમણે અંગ્રેજોને શરણ આપ્યું હતું. જો પાળેગારો તોફાની અને જુલમી હતા તો તે તે સત્તરમા અને અઢારમાં સૈકામાં એશિયા અને યુરોપના બધા સરદારને અને ઉમરાનો સામાન્ય સ્વભાવ હતો. ડાહ્યા નીતિનિપુણ રાજયપુરૂષ તે તેમને “નિર્મૂળ કરવા” કરતાં વ્યવસ્થા સર કરવાનું વધારે દુરસ્ત ધારે. કોઈપણ સરકારને માટે દેશની જુની સંસ્થાઓ બદલાવવામાં ડહાપણ નથી. એક પરદેશી સરકારને માટે ખેડૂતોની સાથે પરબારો ઠરાવ કરવાથી ઉપજ વધે તેટલા સારૂ એક આખા વર્ગને નાબુદ કરો અને તેના માલિકીના હક જપ્ત કરવા એ અનુચિત છે.
મદ્રાસમાં લોર્ડ વેસ્લીએ ચલાવેલી રીતિ, લોર્ડ કોર્નવોલીસે બંગાળામાં ચલાવેલી રાજ્યનીતિને મુકાબલે અત્યંત અનુચિત જણાશે. લોર્ડ કોર્નવૅલીસે બંગાળાના ખેડુત વર્ગને વંશપરંપરાના જમીનદારના તાબામાં રહેતા
યા, અને તેમણે જમીનદારી પદ્ધતિને બળવાન કરીને કાયમ કરી. લેડ વેલની સરકારે કર્ણાટકને મોટે ભાગ પાળેગારની સત્તામાં જોયો, પણ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પ્રકરણ ૩ .
લેકેને પિતાની અપરોક્ષ સત્તા નીચે લાવવા માટે તે પાળેગારોને નિર્મળ કર્યા. લોર્ડ કૉનૉલીસે એક પ્રાચીન સંસ્થાને માન આપ્યું અને તે દ્વારા તેણે બંગાળામાં, સુખી અને અનુરક્ત એવો એક મોટો મધ્યમ વર્ગ સાચવી રાખે. લે વેલીની રાજ્યનીતિએ આ વર્ગને નાશ કર્યો, અને બ્રિટિશ રાજ્યને સો વર્ષ થઈ ગયાં છે પણ હજી તે વર્ગ ઉત્પન્ન થ નથી. હજી સુધી ખેડુત અને પરદેશી સરકારને જોડનારી સાંકળ રૂપ સુખી બળવાન અને વગદાર મધ્યમ વર્ગ મદ્રાસમાં જ નથી.
લડ વેસ્લીની મદ્રાસ સરકારની રાજ્યનીતિ, થોડાં વર્ષ ઉપર ચરેલ્યુશનને પ્રસંગે કાન્સમાં ચાલેલી રાજ્યનીતિને મળતી હતી. ત્યાં પણ ઉમરાવ વર્ગના તમામ હકો જપ્ત કરી લેવામાં આવ્યા હતા. પણ ફ્રાન્સમાં ઉમરાના હાથમાંથી જે ગયું, તેથી કાન્સની પ્રજાને લાભ થયા. મદ્રાસમાં પાળેગારના હાથમાંથી જે ગયું તેને લાભ એક પરદેશી વેપારીની કમ્પનીને થયે. પિતાની હકુમત નીચેની રૈયત પાસેથી પાળેગારો જે હકો વસુલ કરતા તેનાં નાણાં દેશમાં જ વપરાતાં, અનેક કારોથી લોકના હાથમાંજ પાછાં જતાં અને તેથી તેમના વેપાર રોજગાર અને શિ૯૫ને લાભ થતે. પાળેગારોને વાસ્તવિક વિનાશ કર્યા પછી કમ્પનીને જે ઉપજ આવી તેમાંથી વહીવટનું ખરચ બાદ કરતાં જે વધે તે પરદેશી વેપારીઓના નફા તરીકે પરદેશ ચઢી જવા લાગ્યું. કપનીને એક સહુથી વધારે સમર્થ અધિષ્ટાતા લખે છે કે રૈયતવારી જમાબન્દીને હેતુ-સાંથના રૂપમાં જમીનમાંથી વધારામાં વધારે મળી શકે તે સરકારને લેવું, એજ છે, એ વાતની ના કહી શકાય તેમ નથી; તેમ તે વાત છુપાવી શકાય તેમ પણ નથી.+
મદ્રાસની મહેસુલના ઉપરના વર્ણનની તારીજ નીચેના કોઠા ઉપરથી જણાશે –
+ હેની સેન્ટ જેન ટકર, ઇન્ડિયન ગવર્નમેન્ટની અરજીઓ લન્ડન ૧૮૫૩ પાનું ૧૩. .
Page #138
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૨૭
અચળ જમાબંદીવાળા
વર્ષ.
૧૮૦૧ ૧૮૦૨-૫
જમીન. મદ્રાસની આસપાસની જમીન. ઉત્તર સિરકાર.
સલેમ પશ્ચિમના પાળેગારની જાગીરે, ચિતૂરના દક્ષિણના . ” રામદ કૃષ્ણગિરિ. ડિડિગાલ ત્રિવેન્દ્રપુર
૧૮૦૨-૩
૧૮૦૩–૪ ૧૮૦૪-૫
૧૮૦૪-૫
૧૮૦૬-૭,
જયગિરિ
યાવચંદ્રદિવાકર નહિ એવા.
મલબાર-કાનડા, કોઈમ્બતૂર. સર. }
આવેલા પ્રાન્ત, બાળાઘાટ
પાલન, નેલોર-અલ્ગોળ-આરકેટ, કોટક }
સતીવાડ, ત્રિચિનાપલ્લી, મદ્રા, તિનેવલ્લી. ઉપરથી જણાયું હશે કે જેમ જેમ જમીનદાર, પાળેગાર, પટેલીઓ વગેરેની સાથે જમાલન્દીના ઠરાવ કરવાનું મદ્રાસમાં અનુચિત ગણાતું ગયું, તેમ તેમ રૈયત એટલે ખેડુ સાથે પરબારા ઠરાવ કરવાની રીત અનુકૂળ લાગવા માંડી. હવેનાં પ્રકરણોમાં રૈયતવારી પદ્ધતિને આ ઈલાકામાં છેવટને માટે સ્વીકાર થયે એ વાત વર્ણવાશે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રકરણ ૪ જુ.
પ્રકરણ ૪ થું.
ગ્રામ સંસ્થાઓ કે વ્યસ્ત ખેડુતો. મદ્રાસમાં ચર્ચા ૧૮૦૭-૧૮૨૦
છેલા પ્રકરણમાં ૧૮૦૭ સુધીમાં જે જલાઓની જમાબન્દી મુકરર થઈ હતી તેને કઠો આપ્યો છે. કેટલાકની અચળ જમાબન્દી થઈ હતી; કેટલાકની વાર્ષિક હતી. હવે વાર્ષિક જમાબન્દીવાળા જીલ્લાઓમાં કેટલી મુદતના પટા કરવા એ સવાલ ઉત્પન્ન થયે.
(૧) બંગાળામાં લોર્ડ કોર્નવોલિસે દાખલ કરેલી અચળ જમીનદારી જમાબન્દી અહીં દાખલ કરવામાં આવશે? કે (૨) સરટોમસ મને વાળી અચળ રૈયતવારી જમાબન્દી દાખલ કરવી ? કે ( ૩ ) મદ્રાસની મહેસુલ સભાએ ઠીક માનેલી અચળ મોજેવારી જમાબન્દી કાયમ કરવી ? આ અગત્યના સવાલો ઉપર થયેલી ચર્ચા આપણું આર્થિક ઈતિહાસમાં એક બહુ રસિક પ્રકરણ છે.
૧૮૦૭ માં ટોમસ મને એ વિલાયત જતાં પહેલાં અચળ રૈયતવારી જમાબન્દીની ભલામણ કરનારા પ્રસિદ્ધ રિપોર્ટ લખ્યો હતો તેમાં કુલ પેદાશના ૪૫ ટકા જેટલી સાથ જે ઠરાવેલી તે એને ભારે પડતી લાગેલી, તે બતાવી, તેમાંથી થો ભાગ ઓછો કરવાની તેણે ભલામણ કરી અને તે પછી આ જમાઇન્દી-અચળ-યાવચ્ચન્દ્રદિવાકર-કરવાની તેણે હિમાયત કરી હતી, તે લખે છે કે “મિલકતને વિનાશ કર્યા સિવાય વધારેમાં
Page #140
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૨૮
વધારે પેદાશનો એક તૃતિયાંશ સરકાર હક તરીકે લઈ શકાય; તેમજ જે લેકે ખેડુત નથી, તેઓ એજ સરતે નુકસાન ખખ્યા વગર જમીનને ભોગવટો કરી શકે. આથી મારો અભિપ્રાય એવો થાય છે કે સરકાર હકની આ મર્યાદા
જ્યાં સુધી આપણે ન બાંધીએ ત્યાં સુધી વસતિના બધા વર્ગો જમીન રાખી શકશે નહિ, અને ત્યાં સુધી એ ખાનગી મિલકત પણ થઈ શકશે નહિ. તેમજ લેકની સ્થિતિ અને સરકારની ઉપજ વધારી શકે તેવો “અચલ જમાબન્દીને ” બબસ્ત પણ થઈ શકશે નહિ. તેટલા માટે હું ધારું છું કે આવેલા પ્રાન્તમાં કુલ પેદાશના ત્રીજા ભાગ જેટલે સરકાર હક ઠરાવો અને અચળ બંદોબસ્ત કરે. અત્યારે ૪૫ ટકા છે એને આ ભૂમિકામાં લાવવા માટે ચોથા ભાગને હક માફ કરવો પડશે.
હવે આ જીલ્લાઓનો અચળ બંદોબસ્ત શી રીતે કરવો તે હું બતાવું૧ બંદોબસ્ત રૈયતવારી કરે. ૨ ખેડવાણ જમીનના વિસ્તાર પ્રમાણે જમાને આંકડે વર્ષો વર્ષ વધા
રવો ઘટાડવો. ૩ માપણીના જમાના દરમાં ૨૫ ટકાનો ઘટાડે કરે. ૪ કુવેતર જમીનમાં અથવા જ્યાં નદી અને નાળાંમાંથી મહેનત કરીને પાણી પવાય છે, ત્યાં આ ઉપરાંત બીજા આઠ ટકા (જુમલે ૩૩ ટકા ) પૂરત ઘટાડો કરવા; એવી સરતે કે ખેડ કુવા અને બધે પિતાને ખરચે સારી સ્થિતિમાં રાખે. એ જ પ્રમાણે જ્યાં નાનાં નાનાં તળાવમાંથી પાણી પવાય છે ત્યાં જે ખેડુતો સમાર કામનું
ખરચ પિતાને માથે રાખે છે તેટલો ઘટાડો કરે. ૫ વર્ષ આખર દરેક ખેડુતને પોતાની સ્થિતિના પ્રમાણમાં જમીન વધારવા કે મૂકી દેવાની છૂટ આપવી; પણ એ જમાન રાખે કે મૂકી દે પણ તેને જમીનની પસંદગી કરવાનો હક આપે નહિ. સારી અને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રકરણ ૪ યુ.
નરસી જમીનનેા પ્રમાણમાં સરખા ભાગ એણે રાખવા કે મૂકી દેવા જોઇએ.
૬ દરેક ખેડુત જ્યાં સુધી જમીનના સરકાર હક આપે જાય ત્યાં સુધી તે તેની જમીનને સંપૂર્ણ માલિક ગણાવા જેઇએ; અને તે જમીન તે બીજા ખેડુતને મરજીમાં આવે તેટલી સાંથે' ખેડવા આપી શકે. અને મરજીમાં આવે તે વેચી પણ શકે.
છ સાધારણ પ્રસ ંગે પેદાશ નબળી આવે અથવા અકસ્માત થાય તે તેને સરકાર હકની માફી આપવામાં આવશે નહિ. કાચી આશામીએની મીલકત અથવા જમીનમાંથી એ સરકાર હક વસુલ થઈ ન શકે તે ગામ લેાકા પાસેથી તે વસુલ લેવા. પરતુ તેવી રીતે આખા ગામ ઉપર પડતી રકમના દશ ટકા કરતાં વધારે આપવાને તે બંધાયલા નથી.
૮ પડતર જમીન સરકારના હાથમાં રહે અને તેમાંથી ખેડવાણ થઇને જે ઉપજે તે સરકાર દાખલ થાય.
૯ ઘર દુકાન ધંધાના વેરા તેમજ જકાત તથા પરચુરણ ઈજારાની તમામ ઉપજ સરકારની ગણવી, જે રૈયતની જમીન ઉપર ધર અથવા દુકાને બંધાય, તે રૈયતને તે ઘર કે દુકાનોનું ભાડું લેવાને હક પણ તેમનાથી જમીન ઉપર માપણી પ્રમાણે જે દર ઠરાવ્યા હોય તેના કરતાં વધારે ભાડું લઇ શકાય નહિ.
૧૦ જે તળાવા વિશેષ માશીથી ખાનગી મિલકત ન થયાં હોય તે સરકાર ખરચે સમરાવવાં.
૧૧ તગાવી આપવી ધીમે ધીમે બંધ કરવી.
૧૨ પટેલ કરનમ વિગેરે ગ્રામાધિકારીએ અત્યાર સુધી જેમ હતા, તેમજ પણ દેશાધ્યક્ષ ( કલેકટર ) ના તાબામાં રહે.
Page #142
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૩૧ ૧૩ ખાનગી લેણદારે જે રૈયતની મીલકત ઉપર ટાંચ લાવે તે તેમણે
રૈયતનો સરકાર હક આપવો, અને ટાંચ લાવતાં પહેલાં તેની પાસે
સરકાર હકના જમાન લેવા. એના પ્રણેતાના અભિપ્રાય પ્રમાણેની રૈયતવારી બંદે બસ્તની એજનાની બરાબર સમજણ પડવા માટે આટલા લાંબા ઉતારા જરૂરના જણાયા છે.
મસ મની ઇચ્છા છુટા છુટા ખેડુત સાથે ઠરાવ કરવાની, તે ઠરાવ નિત્ય કરવાની અને ખેડવાણ જમીનના વધારા ઘટાડાના પ્રમાણમાં વધઘટ થઈ શકે તેવી રીતે ઠરાવ કરવાની હતી.
લેંડ વિલ્યમ બેન્ટિક ૧૮૦૩ માં લોકલાઈવની પછી મદ્રાસને ગવર્નર થયો તેને પણ તેજ અભિપ્રાય હતે. સને ૧૮૦૬ માં એક નંધમાં તે લખે છે કે “ જમીનદારી બન્દોબસ્ત બંગાળને ઈષ્ટ હતા, કારણ કે ત્યાં વંશપરપરાના જમીનદારો હતા, પણ મદ્રાસના જે ભાગોમાં તેવા જમીનદારો નહતા ત્યાં તે બન્દોબસ્ત ઈષ્ટ નહોતે.
“મને ખાત્રી છે કે નવા જમીનદારો ઉભા કરવામાં સરકારનું કે રૈયતનું હિત નથી. યાવચ્ચદ્રદિવાકર બધેબસ્ત કરવાના ધોરણની હું જરા પણ વિરૂદ્ધ નથી. હું તે ધરણને ભક્ત છું, અને તે ઘેરણ આ તેમજ દુનિયાના બધા ભાગોને માટે ઇષ્ટ છે.”
તેજ વર્ષમાં એક બીજી નોંધમાં તેઓ લખે છે કે જે નિયમિત ધોરણો પ્રમાણે ખેડુને એક વર્ષની મહેનતનું પૂરું ફળ મળે તેવી રીતે વાર્ષિક ઠરાવો કર્યાથી આટલા બધા નિઃશંક ફાયદા થયા છે તો હું ધારું છું કે તેજ ધોરણ ઉપર રચેલા રૈયતને વધારે લાભ મળે તેવી રીતે કરેલા યાવચ્ચન્દ્રદિવાકર ઠરાવે વધારે પ્રમાણમાં ફાયદાકારક થશેજ.
ઉપરના ઉતારા ઉપરથી જણાશે કે મને તેમજ બેટિન્કે જ્યારે રૈયતવારી બન્દોબસ્ત કરવાની હિમાયત કરી ત્યારે યાવચ્ચન્દ્રદિવાકર ઠરાવ કરવાનું ઘેરણજ તેમના મનમાં હતું. મને વિલાયત ગયો તે પછી છએ વર્ષે એટલે
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પ્રકરણ ૪ યુ.
૧૮૧૩ માં કમ્પનીનેા પટા તાજો કરવાના પ્રસ ંગે દિવાને આમની કમિટી આગળ તેની જુબાની લેવાઇ હતી, તે વખતે તેણે કમિટી આગળ એનાથી અન્ય તેટલા ભાર મૂકીને સરળતાથી અને નિશ્ચયથી એજ ધારણનુ પ્રતિપાદન કર્યું છે અને અચળતાના સંબંધમાં રૈયતવારી અને જમીનદારી બન્દેબસ્ત વચ્ચે ક ંઇ તફાવત નથી, પણ ફેર એટલેાજ કે રૈયતવારી પદ્ધતિથી ખેડવાણ જમીન જેમ વધતી જાય તેમ તેમ સરકાર ઉપજ વધતી ય, એમ સ્પષ્ટ કર્યું છે.
ઉપરથી આટલું સાબિત થાય છે કે મનેાના મનમાં રૈયતવારી જમાઅન્દી ખેડવાણ જમીનના વધારાના પ્રસંગ સિવાય સ્થિર કરવાની વાત હતી; એટલે સ્થિરતાના સંબંધમાં તે કાર્નવાલિસ અને મને! વચ્ચે આ સિવાય બીજો ફેર ન હતા. આ વાત ખાસ કરીને ધ્યાનમાં રાખવાની જરૂર છે. કારણ કે હાલમાં મદ્રાસની સરકારે નિયત અચળ અને સ્થિર જમાબન્દીના રૈયતના હક ઉપર પાણી ફેરવીને, મનેાની રૈયતવારી જમાબન્દીના મૂળ તત્વાને જ અનાદર કર્યો છે.
મનેાને સ્થિર જમીનદારી બન્દેોબસ્તઅપ્રિય થયા હતા, અને સ્થિર રૈયત વારી અન્દોબસ્ત ઇષ્ટ માન્યા હતા; ત્યારે મદ્રાસની વસુલાતીસભા સ્થિર મારેવારી જમાબન્દીની ચેાજનાની હિમાયત કરતી હતી. મનેાના ૧૫ મી આગસ્ટ ૧૮૦૭ ના પત્રના સબધમાં તે લખે છે કેઃ—
૨૯. મદ્નાની આ યેાજના આ જીલ્લાઓને લાગુ છે એટલુ જ નહીં પણ ખીજાઓને પણ લાગુ પડે છે; અને સરકારની નાણાંની સ્થિતિ એમના અભિપ્રાય પ્રમાણે ૨૫ ટકા અથવા ૧૫ ટકા જેટલી પણ માપી આપવાને શક્તિવાન હોય તો અમને તે ધણુ ષ્ટ છે, અને પરિણામે ધણું લાભદાયક છે. રૈયત પાસે જેમ થાડુ' લઇએ તેમ તેની સ્થિતિ વધારે આબાદ થાય એ નિર્વિવાદ છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહ્રાસ.
૧૩૩
૩. પણ સરકારની આવશ્યકતાઓને લીધે આપણે આટલા મેટે ભેગ આપવાને તૈયાર ન હોઇએ અને એકદમ ખાનગી મિલકતના હક રૈયતને આપણે આપી શકીએ તે ઇજારાની પદ્ધતિ જેટલા આપવા જોઇએ. જે આપણે સરકાર હકના અમુક ભાગ મુકી દેવાને તૈયાર ન હેાઇએ તે પછી આપણે માલિક તરીકે મીડા થવુ જોઇએ.
૩૧. આ પરિસ્થિતિમાં રૈયતવારી પદ્ધતિને બદલે મિ. હાલમીને ખતાવેલી ગામવારી બન્દેબતની પદ્ધતિ સરકારની ઉપજ અને રૈયતની આબાદી ખન્નેને સભાળે એવી અમને લાગે છે.
૩૨. દરેક ગામ એક નાનું સરખું સ્વરાજ્ય છે; અને ભારત વર્ષે આવાં અનેક સ્વરાજ્યાનું બનેલું છે. લોક લડાઇના વખતમાં પેાતાના પટેલ ઉપરજ આધાર રાખીને રહે છે. સામ્રાજ્ય સત્તાનુ' ગમે તે થાય તેની તેમને કાંઇ દરકાર નથી અને ગામે તેા અલગજ રહે છે. ગામે કઇ સત્તાના હાથમાં ગયાં કે કાને વારસામાં ઉતર્યા, તેની તેમને ક ંઇજ ગણત્રી નથી; અને ગામની અંતર વ્યવસ્થા એમની એમ ચાલી જાય છે. ગામને મુખી તે હમેશાં વસુલાતી અધિકારી, ફેાજદારી ન્યાયાધિશ અને મુખ્ય ખેડુત તરીકે કાયમજ રહે છે.
૩૯. મનુના દિવસોથી તે આજ સુધી જમાબન્દીના ઠરાવા આ પટેલની સાથે અથવા તેમની દ્વારા કરવામાં આવે છે. જો મહેસુલના આંકડા ઉચા ન થાય અને પટેલ તેને અનુમેાદન આપે તે પછી તેજ રૈયત સાથે બ દેબસ્ત કરી લેવાને; તે નીચા હોય અને મુખી વધારે કરવાનું કબૂલ ન કરે, તેા અમલદાર તેની સમક્ષ રૈયત સાથે ઠરાવ કરે, આ પદ્ધતિ કામની કસોટી ખમી શકી છે, અને તે પતિ નીચે ખાખા પ્રાન્તાના પ્રાન્તામાં ઊંચા પ્રકારની ખેતી ચાલે છે, તેથી ખેતીને ઉત્કર્ષ કરવામાં ખરેખર ઉપયોગી છે તેમાં સ ંદેહ નથી.
મદ્રાસની સરકારે વસુલાતની સભાને સ્થિર જમાબન્દી કરવાના પૂર્વરૂપ તરીકે નવા જીલ્લાઓમાં ત્રણ વર્ષની જમાઅન્દી કરવાના અધિકાર આપ્યા.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રકરણ ૪ શું.
ત્રણ વર્ષ પૂરાં થયા પછી તેમણે અધ્યક્ષસભાને દશ વર્ષના પટા કરવાની અને તેમની મ ંજૂરીની સરતે તે પટા કાયમ-યાવચ્ચન્દ્રદિવાકરા-કરવાની દરખાસ્ત કરી.
પણ અચળ જમાન્દીના વિચારથીજ હવે અધિષ્ઠાતાએ ચમક્યા. અને દશ વર્ષના પટા કરવાની બાબતમાં વસુલાતસભા ઉપર અધિકાર વિના ચાલ્યાનું તેાહમત મૂકયું અને હુકમ કર્યો કેઃ–
જે પ્રાન્તામાં હજી સુધી પાકા ઠરાવ ન થયા હોય ત્યાં રૈયતવારી પદ્ધતિનું ધારણ ગ્રહણ કરવું, અને તે સિવાય બીજા કાઇ ધારણ ઉપર ગામની સાંથ ની થઇ હોય ત્યાં, જે મુદ્દત માટે તે ઠરાવ કરવામાં આવ્યા હૈાય તે મુદત વીત્યા બાદ તે ડરાવ બંધ પડશે, એમ જાહેરનામુ ં કાઢવું.
અધ્યક્ષસભાના આ ઠરાવ સામે મદ્રાસની સરકારે વાંધો લીધા. લખ્યુ કેઃખેતી, પ્રજાનાં ધન અને આબાદીના પાયા ગણાય છે, અને ખેતીના સુધારા વધારા માટે જમીન ઉપર સરકાર હકની મર્યાદા બાંધવી જરૂરની ગણાય છે.આવી મર્યાદા બાંધવાથી સરકારને નુકસાન થશે એમ કદી ન મનાય, કારણ કે તે વિના ખેતીમાં સુધારેા વધારે થઇ શકે નહિ, અને દેશની સાધન સંપત્તિ પણ વધે નહિ.......... ઉપરના શબ્દો લખતાં અચળ ઠરાવનું ’ એક કાશ નીતિના સવાલ તરીકે જ અમે વિવેચન કર્યું છે; પણ બીજી રીતે એ આવશ્યક છે, એમ બતાવવામાં કાંઇપણ મુશ્કેલી નથી. ઉધાડુ` છે કે આ યેાજનાથી ખેતીના ધન્ધાવાળી રૈયતને આપણી રાજ્યસત્તાની સ્થિરતામાં ઊંડુ અને અચળ હિત બધાશે.
*
વળતા વર્ષમાં મદ્રાસની સરકારે અચળ મેાજેવારી-ગામવારી-જમાબન્દીના પક્ષમાં અને અચળ રૈયતવારી જમાબન્દી વિરૂદ્ધ વધારે છટાદાર વિનતિ અધ્યક્ષસભાને કરી.
66
જો અચળ ઠરાવનું પ્રાથમિક સાષ્ય એ હોય કે લોકોને પેાતાનાં કામ કાજ અમલદાર કરતાં પોતાની મેળે વધારે સારી રીતે સભાળી શકશે એવા
Page #146
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક પ્રતિહાસ.
અભિપ્રાયથી તેમને તે વહીવટ કરવાના હક આપવા, તે રૈયતવારી જમાબન્દીથી એ હેતુ કેટલા ઘેાડા સધાશે ! જેમના હાથમાંથી એ વહીવટ લઇ લતે એમને આપવાને વિચાર છે, તેમનાજ હાથમાં કેટલે સુધી એ વહીવટ હજી પણ રહેશે ? આ પધ્ધતિ જે ઉઘાડી રીતે જમીનના માલિકાના હક હિતનું રક્ષણ કરવા સારૂ પસંદ કરવામાં આવી છે, તેમાં કાંઇ સામાન્ય કે વિશેષ, અસ્માની સુલતાનીના કારણથી, આળસથી કે ગેરવ્યવસ્થાથી જો કેાઇવાર તેઓ ખેતી કરી શકે નહિ, તે જ્યારે જ્યારે તેમ થાય ત્યારે ત્યારે તેમને હક સરકાર દાખલ થાય, એ હકીકત બહુ વિચિત્ર લાગે છે. ખરેખર જો ખેડુતા વાસ્તવિક રીતે જમીનના માલિક છે, તે આના કરતાં ખીજે વધારે જુલમી ઠરાવ અમે ધારી શકતા નથી.
૧૩૫
“ જે જમીન એ છેડે અથવા રાખે તેમાં માપણીને દગા થાય તેના જોખમેાથી તેનેા બચાવ નથી. અને જો આ જુલમી રીતથી બચવાને માટે પોતાના કટકામાં કાંઇ ફેરફાર ન કરે તે ખેતીનું કામ કાજ, જળાશયનાં સાધના, તગાવીની વ્હેંચણી, અસ્માની સુલતાની માફ કરવાની સત્તા તે બધું એવા માણસાના હાથમાં રહેશે કે જેમને તેની મિલકતમાં કે સ્વાર્થ ન હોય, અને તેની લાગણી સાથે ક ખ઼ અનુરાગ ન હોય. અમને તે એમ લાગે છે, કે જ્યાં મુકેલા વિશ્વાસને, સ્વાર્થના કારણથી દુરૂપયેગ થવાને સંભવ નથી, ત્યાં વિશ્વાસ મુકવા એ વધારે સારૂ છે; અને સરકારી અમલદારાની નિરૂપયેાગી અને દુનિÎત મદદના ખેાજા વિના, અથવા તેમના જુલમ અને લાભની ધાસ્તી વિના, લોકાને પોતાની મેળે પોતાના દેશમાં સુધારા કરવાના માર્ગ ઉપર મુકવા તે અમને વધારે કલ્યાણકારક લાગે છે. ગમે તેમ, પણ અમને ખાત્રી છે, કે કર્નલ માએ સૂચવેલી રૈયતવારી પદ્ધતિને અચળ જમાબન્દીનુ નામ આપવું ધટતુ નથી, પણ ઉલટું તેને લીધે જમીનની મહેસુલ અને જમીનની માલિકી પ્રથમના જેવીજ અનિશ્ચિત રહે છે. અને લેાકેાના ઉપર સરકારની
Page #147
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું.
અમલદારની ચિકિત્સા અને દરમિયાનગીરી એવી જ રહે છે, કે જેની નીચે હું કઈપણ ખાનગી મિલક્ત આબાદ થઈ શકે નહિ.
હિંદુસ્તાનની જમીનની મહેસુલના સંબંધમાં જે અભિપ્રાય અહીં અને ઈગ્લેંડમાં હાલમાં બંધાયેલા છે, તેમાં મોટો તફાવત એ માલુમ પડે છે કે ઈગ્લંડમાં એવી ધાસ્તી રાખવામાં આવે છે કે લોકોની સંપત્તિ ઉપરના સરકારના હક લોકોની આબાદી સાથે વધી શકશે નહિ; પણ અહીં સર્વને નિરપવાદ અભિપ્રાય એ છે કે સરકાર હકને લીધે લેકનીદેશની–આબાદી એટલી ઓછી થઈ ગઈ છે કે અત્યંત ઉદાર અને ન્યાયશીલ વહીવટ વિના દેશનાં સાધનો ત્વરાથી વધશે તો નહિં જ પણ ઉલટાં છેક ઉતરી જશે. અમારો આ અભિપ્રાય જેટલા અને તેટલા ભારથી અત્રે આપની સમક્ષ મૂકવા માગીએ છીએ. અમે આપના ડહાપણને, આપની ન્યાયબુદ્ધિને, આપની દયાની લાગણીને, આ વચનો કહીએ છીએ. એની સાથે આપની સરકારની રાજ્યવ્યવસ્થાની ફતેહ જેટલી જોડાયેલી છે તેટલે જ દરજે તેમાં એક વિસ્તૃત દેશની આબાદ અને સંખ્યાબંધ વસતિના કલ્યાણને સવાલ સમાયેલો છે. આ દેશ ઉપર કુદરતની કુપા છે. હવે, તે અંદરના તથા પરદેશીઓ સાથેના વિગ્રહથી મુકત છે, અને જે માત્ર સરકાર પોતાના હક માફકસર કરે તો તે શ્રીમંત અને આબાદ થવાની અણી ઉપર છે. આ મોટાં ફળની પ્રાપ્તિને મુકાબલે તેમને માટે જે કાંઈ ભાગ આપવા પડે તે કાંઇજ ગણત્રીમાં નથી. *
રૈયતવારી અને મજેવારી પદ્ધતિના સવાલનો નિર્ણય થોડા વખત સુધી હવે મુલતવી રાખવામાં આવ્યો, કારણ કે ન્યાયખાતાના અને વહીવટ ખાતાના કેટલાક સુધારાની બાબતમાં તરત ધ્યાન આપવાની જરૂર હતી. સાત વર્ષ સધી હિંદમાં શ્રમ લીધા પછી મનો સાત વર્ષ ઇંગ્લંડમાં રહ્યા હતા, તેટલામાં ન્યાયપદ્ધતિના વિષયમાં તપાસ કરવા સારૂ એક કમિશનના વડા તરીકે તેને પાછા હિંદુસ્તાન મોકલવામાં આવ્યા. સને ૧૮૧૪ ના સપટેમ્બરની ૧૬ મીએ તે મદ્રાસ પહોંચ્યો. ન્યાયપદ્ધતિમાં તેણે કેવા સુધારા કર્યા અને સ્વદેશી
Page #148
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૩૬
ઓને જવાબદારીની જગાઓમાં દાખલ કરવાને તેણે શું શું કર્યું તે આગળ ઉપર વર્ણવાશે. મરાઠા વિગ્રહમાં પોતાની બહાદુરીની સાથે સ્વદેશીઓ ઉપર વિશ્વાસ મૂક્યાથી તેણે કેવું પરાક્રમ કર્યું હતું તે આ પુસ્તકમાં અસ્થાને છે. મરાઠા વિગ્રહને અંત આવ્યા પછી ૧૮૧૯ માં મને વળી ઇગ્લેંડ ગયે, અને હવે જમીનની મહેસુલનો સવાલ નિર્ણય માટે આવ્યો.
મદ્રાસની મહેસુલભ હજી મેજેદારી પદ્ધતિના પક્ષમાં હતી. તે બાબતમાં ૧૮૧૮ માં એક નોંધ કરી છે તેમાં નીચે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે કે – મોજેવારી પદ્ધતિમાં –
મહેસુલ વધારે સરળતાથી અને નિયમિત રીતે વસુલ થાય છે. દેશી અમલદારોને સત્તાનો દુરુપયોગ કરવાનો અવકાશ નથી મળતો. સરકારને પણ વાર્ષિક જમાબન્દીના ઠરાવોમાં સરકારી દેશાધ્યક્ષ અને સભાઓ દ્વારા જે તસ્દી વર્ષોવર્ષ પડે છે તે બચે છે. વસુલાતના કામમાં દગોફટકાનાં અને નાણાં ઉચાપત કરવાનાં વર્ષોવર્ષ તેહમતો મૂકવામાં આવે છે તેની ચોકસી કરવાનો પ્રસંગ આવતું નથી; ઉત્તર સિરકારમાંથી નાણાં વસુલ કરવાના સરકારના કેટલા પ્રયત્નો નિષ્ફળ નીવડયા છે, જમીનદારો અને પાળેગારો નાણું ન આપવા માટે કેટલા પ્રપ કરે છે, કેટલીવાર જમીનદારી અને પોલમ જમીનેના હક વસુલ કરવા માટે સરકારને લશ્કરી મદદની જરૂર પડે છે, દેશી નેકરનાં પહેલાની અનેક તરેહની અપ્રમાણિકતાની ટેવાના પ્રસંગે હજી સુધી તાત્કાલિક જમાબન્દીના જીલ્લાઓમાં કેવા ચાલુ જ છે; તે બધુ જોતાં આની સુગમતા ઉપર કોઈનું ધ્યાન ખેંચાયા વિના રહે તેમ નથી.
“પ્રાચીન જમીનદાર અને પાળેગારો આ દેશનો ઉમરાવ વર્ગ હતો; અને જો કે તેમાંના કેટલાકના હક તપાસવા જઈએ તો ટકી શકે એમ નથી તો પણ લોકની સાથે તેમનાં બધૂને એવાં હતાં કે જેને તોડી નાખવા કરતાં મજબૂત કરવામાં ડહાપણ સમાયેલું હતું. આપણને જે વખતે સિરકાર મળ્યા તે વખતે આપણી સત્તા હાલના જેવી હેત, તે તે વખતે આપણે સિરકારના જમીન
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૮
-
પ્રકરણ ૪ થું.
દારો પાસે પાળેગારોની પેઠે જમીનનો કબજો છોડાવી દીધા હતા, અને તેમને આપણી ઉદારતા ઉપરજ આપણું પેનશનર તરીકે રાખ્યા હતા પણ જ્યારે દેશી સરદારો ઉપર લેકોની મમતા, અને જમીનદારોની સ્થાનિક સ્થિતિ વિચારમાં લઈએ ત્યારે આવી નીતિ જેવી અનુદાર તેવી જ ડહાપણ વિનાની
ગણાય. ”
રૈયતવારી પદ્ધતિના સંબંધમાં બોલતાં તે લખે છે કે “યતવારી પદ્ધતિ ૧૭૯૨ માં આપણને મળેલા બારામહાલ અને સલેમના જીલ્લાઓમાંથી જન્મ પામી છે; અને કલરેડ, કર્નલ મને અને કર્નલ મેડલેડે તે અમલમાં મૂકી છે.
આરકેટના ઉત્તર વિભાગમાં મિરાસદારના તમામ હકે રદ કર્યા, અને તે બધા સરકારી ઉપજમાં દાખલ કરી દીધા. ટુંકામાં માપણીનો આકાર એટલે તે વધારી દીધો કે વચલા જમીનદારોને માટે જે કાંઈ રહે તે સરકાર હકમાં સમાઈ જાય. ખેડુત અને સરકાર વચ્ચે કઈ પણ વચલે માણસ સ્વીકાર્યો નહિ.
“યતવારી જમાબન્દી તહસીલદાર અને શરસ્તેદારે ઘણે ભાગે વર્ષોવર્ષ કરતા; અને સામાન્ય રીતે મેલ આવે ત્યાં સુધી તે પૂરી થાય નહિ અને પછી જેટલું બને તેટલું વધારે લેવાય તેવી રીતે જમાબદીનો ઠરાવ થતો. જે માલ સારા હોય તે રૈયત ન આપી શકે તેટલો ઊંચો કર તેના ઉપર• નંખાય. જે મેલ મોળા હોય તો પણ પછી તેના ઘરમાં કાંઈ ન રહે તેવી રીતે માગણી થાય. અને રૈયત કંઈજ આપી ન શકે તેવી સ્થિતિમાં જ્યાં સુધી ન હોય ત્યાં સુધી કંઈ પણ માફી આપવામાં આવે નહિ. આ બાબતો નિર્ણય કરવા માટે રૈયતની શકિતની સખ્ત તપાસ કરવા હુકમ થતા. એક જણને માફી આપે તો તેને અમુક ભાગ પડોશીઓને આપવાની ફરજ હતી; તેથી પડોશીઓ પણ ચેકસીદાર બની જતા હતા.
જેટલી જમીન ખેડુતના ખાતામાં ચડી હોય તેટલી બધી જમીનનો કબજો રાખવાની તેને વસુલાતી અધિકારીઓ ફરજ પાડતા, અને મિ. થેકરે
Page #150
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
૧૯
કહે છે તેમ તેણે જમીન ખેડી હોય વા ન ખેડી હોય તે પણ સરકારનો બોજો તે તેના ઉપર પડતો જ. બેલારીના દેશાધ્યક્ષ મિ. ચેપલિને કહે છે તેમ ચાલતા કાયદાની વિરૂદ્ધ થઈને પણ રિયતને તેના સાધનોનાં પ્રમાણમાં જમીન ખેડવાની ફરજ પાડવામાં આવતી; દેશાધ્યક્ષ અને તેના તાબાના દેશી નોકરો• ખેડૂતોને કેદ કરવાની અને શિક્ષા કરવાની સત્તાનો અમલ કરીને આમ ફરજ પાડવામાં ફાવતા હતા. તે સ્પષ્ટ લખે છે કે જે આ જુલમથી તે ખેતી છોડીને ચાલ્યા જાય જ્યાં જાય ત્યાં તેના ઉપર મરજી મુજબ એ આકાર નાંખવામાં આવે કે સ્થળાતર કયોને કંઈ લાભ એને રહે નહિ. એ પ્રમાણે સુસ્થાપિત વહીવટ હતો.
નવા મળેલા દેશની ખરી સાધન સંપત્તિથી અને જમીન સંબં. ધના હક જવાબદારીનાં ચેકસ ધોરણોથી અજાણ્યા છતાં આપણે પરદેશી તલવારીઆઓ ગજબ કરીએ છીએ. વિશાળ જમીને જોતાંની સાથે, પ્રજાઓ જુદા રીત રીવાજવાળી, જુદી બેલીવાળી, છતાં આપણે આપણું રાજ્યમાં ઇલાકા વાર નહિ, જીલ્લાવાર નહિ, દરેક ખાતાવાર નહિ; પણ ખેતરે ખેતરને આકાર ઠરાવવાનું કામ માથે લઈએ છીએ. જે કામ યુરોપના સહુથી વધારે સુધારાવાળા દેશો કે જ્યાં જમીનની સ્થિતિ સંબંધી દરેક માહીતી સહજ મળી શકે છે, અને જ્યાં રાજા અને પ્રજા એકજ છે, ત્યાં પણ રાક્ષસી મહેનતનું અથવા હવાઈ જ ગણાય. આ એક માનેલા સુધારાની પાછળ આપણે ઈરાદા વિના પ્રાચીન સંબધે અને હિંદુઓનાં ગામોનાં નાનાં નાનાં સ્વસત્તાક રાજ્યો ને અરસપરસ જોડતા તમામ પ્રાચીન રીવાજોને તોડી નાખીએ છીએ. એક જાતનો નવો ખેડુતને કાયદે કરીને પરાપૂર્વથી ગ્રામ સંસ્થાઓની સમસ્ત માલિકીની જમીને માત્ર મીરાસદારો અથવા કદીમાં નહીં પણ હલકા ખેડુ વર્ગ સુદ્ધાં. તમાં કકડે કકડે વહેંચી નાખીએ છીએ. કેવળ અજ્ઞાનથી પિતાની ખાનગી માલિકી સ્વીકારવાની ના પાડતા આપણે તેમને જોઈએ છીએ; અને તેમનો નકાર સ્વીકારી આપણે તે રદ કરીએ છીએ. અને તેમ કરીને
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રકરણ ૪ થું.
.
ગ્રામ સંસ્થાની માલિકીની જમીનને સરકાર દાખલ કરી તેને બદલે કોઈ એક સખસને પગારથી નભાવીએ છીએ. આપણે દરેક ખેતર ઉપર સરકાર હકની મર્યાદા બાંધવાનો દેખાવ કરીએ છીએ, પણ તેમ કરવામાં વાસ્તવિક રીતે, ન પહોંચી શકાય એવી ભારે હદ સ્થાપિત કરીએ છીએ; અને રિયત ઉપર મરજી મુજબ આકાર નાંખીએ છીએ. આપણા પહેલાંના મુસલમાન સરકારની માફક ખેડુતને હળની સાથે જોરથી બાંધીએ છીએ. સ્પષ્ટ રીતે વધારે પડતા આકાર વાળી જમીન ખેડવાની ફરજ પાડીએ છીએ. જો ખેતી છોડીને નાશી જાય તે પાછો તેને તેના ખેતર ઉપર ઘસડી લાવીએ છીએ. મૈલ પાકે ત્યાં સુધી સરકાર હક નકી કરવાનું મુલતવી રાખી આખરે પઈએ પઈ સુધી જેટલું બને તેટલું તેની પાસે લઈએ છીએ; તે એટલે સુધી કે કેટલીક વાર તે બળદ અને બી સિવાય બીજું કાંઈ રહેવા દેતા નથી. અને, વખતે તે તેને પોતાને માટે નહિ પણ આપણે માટે ખેતી કરવાનું ઉત્સાહહીને કામ કરાવવા સારૂ બળદ અને બી પણ પુરાં પાડવાં પડે છે.
સ્થાયી અને માફકસર આકાર રૂપી સંરક્ષણ વિનાની રૈયતવારી પદ્ધતિમાં રૈયતની આ સ્થિતિ હતી.
છેવટે ગ્રામસંસ્થાઓના સંબંધમાં મહેસુલસભા લખે છે કે:-“જોકે આ પદ્ધતિ દરેક જીલ્લામાં સરખી ફતેહ મેળવી શકી નથી તે પણ બેલારી જેવામાં જ્યાં ચેડામાં ડી ફતેહ મળી છે, ત્યાં પણ દેશાધ્યક્ષો એક મતના છે કે તેથી ખેતી ઉપર નિર્વાહ કરનાર લેકની સ્થિતિ ઘણી સુધરી છે; અને ગ્રામસંસ્થાઓથી પટેલીઆ જ સારા આશામી થયા છે, એમ નથી પણ ખેડુતના મોટા વર્ગને તેનાથી ઘણો ફાયદો થયો છે. રૈયતવારી વસતિ દરેક ઠેકાણે ક્ષય પામી છે, અને પટેલીઆઓ રૈયત ઉપર જુલમ કરી શકતા નથી એટલું જ નહિ પણ તેમની નબળી પડેલી સત્તાને તહસીલદારોની મદદ આપવી પડે છે. આ કડપા અને આરકેટના
Page #152
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૪૧
ઉત્તર ભાગમાં જ્યાં જમાબન્દીનો બંદોબસ્ત સહુથી સારી રીતે થયું છે ત્યાં, આખા દેશમાં કોઈ ઠેકાણે જોવામાં આવતી નથી, એવી આબાદી દષ્ટિગોચર થાય છે.”
આ છેલ્લી વિનંતિ પણ નકામી ગઈ. રૈયતવારી પદ્ધતિને મૂળ પ્રણેતા સર મસ મને મદ્રાસને ગવર્નર થઈને ત્રીજી વારો આવ્યો, અને જે જમીનદાર અને પાળેગારો સાથે જમીનદારી પદ્ધતિથી જમાબન્દીના ઠરાવો થઈ ચૂક્યા હતા, તેમના સિવાય આખા ઈલાકામાં છેવટને માટે રૈયતવારી પદ્ધતિ સ્વીકારાઈ. એક સૈકા પછી આ ચર્ચા ઉપર આપણે જોઈએ છીએ, ત્યારે આપણને શોક થાય છે. સરટમસ મનાના શીલ સ્વરૂપને માટે આપણને ગમે તેટલું ભાન હોય પણ આ બાબતમાં તે મહેસુલસભાને અભિપ્રાય ખરો હતો. દેશની પ્રાચીન સંસ્થાઓ જ્યાં સુધી નવીન સુધારાને પ્રતિકૂલ ન હોય ત્યાંસુધી તેમને ઉખેડી નાંખવામાં નહિ પણ પાળવામાં અને સુધારવામાં જ સરકારનું ડહાપણ રહેલું છે. અને એમાં કંઈ શક નથી કે હિંદુસ્તાનના ગામડાંઓની આંતર વ્યવસ્થા તહસીલદાર, શિરસ્તદાર અને પોલીસ રાખી શકે તેના કરતાં વધારે ફતેહમિન્દીથી અને પિતાને વધારે સંતોષ થાય તેવી રીતે ગામડાના લેક પિતાની મેળે જ રાખી શકે; અને જ્યાં બની શકે તેવું હોય ત્યાં પિતાનો કારભાર પિતાને હાથે ચલાવવા દેવામાં આખી માનવજાતિને લાભ છે. જો મનાએ બારામહાલ કાનડા અને નવા જીલ્લાઓમાં ગ્રામસંસ્થાઓ ચાલતી જોઈ હતી તે તે પોતે જ તેનો મોટો વકીલ થાત, પણ આ છલાઓમાં ખેડુતે સાથે પરબારી જમાબન્દી ઠરાવીને, મદ્રાસ સરકારમાં અને હાઊસ ઑફ કોમન્સમાં એ જ પદ્ધતિની હિમાયત કર્યા પછી, કમ્પનીના અધિષ્ઠાતાઓ પાસે મદ્રાસ ઇલાકાના આકાર્યા વિનાના તમામ ભાગોમાં એજ પદ્ધતિ મંજૂર કરાવ્યા પછી, તે પોતાનો અભિપ્રાય બદલવાને અને ૧૮૧૨ થી ૧૮૧૮ દરમિયાન મહેસુલસભાએ સાચવી રાખેલી ગ્રામસંસ્થાઓ દ્વારા જમીનની મહેસુલના વધારે ઈચ્છવા લાયક વહીવટની યોગ્ય કિંમત કરવાને, અશક્ત
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રકરણ ૪ થું.
હિતે. મદ્રાસના ગવર્નર તરીકે સર સે ગ્રામ્ય સંસ્થાઓને પુષ્ટ કરવા તેનાથી બન્યું તેટલું કર્યું. તેણે પંચાયત સ્થાપી, તેમને ન્યાયનો અધિકાર આપે, અને હિંદની ગ્રામસત્તાને જીવતી અને સુઘટિત રાખવા માટે તેનાથી બન્યું તેટલું તેણે કહ્યું; પણ આ બધા યત્નો નિષ્ફળ ગયા. જુની સંસ્થાઓમાંથી જ્યારે ખરી સત્તા લઈ લેવામાં આવે છે, ત્યારે માત્ર ઉપર ઉપરનો સત્તાને ડોળ ટકી શકતા નથી. ગામડાંઓના લકે મહેસુલ અને પોલિસના રૂશ્વતી આ અધિકારીઓની કનડગતમાં પ્રથમની પેઠે વ્યવસ્થિત મંડળ તરીકે એક કામ કરી શકયા નહીં. બ્રિટિશ રાજ્યના આવવાથી આપણા દેશમાં જે મોટા ફેરફારો થયા તેમાં ઘણાખરા સુધારાને અનુકૂલ હતા, કેટલાક વખોડવા લાયક થયા, પણ આપણી ગ્રામસંસ્થાઓમાં સમાયલું સ્વરાજ્ય-જે પૃથ્વી ઉપર આપણે પહેલ વહેલું સંપાદન કર્યું હતું તેનો વિનાશ એ સહુથી વધારે શોકજનક ફેરફાર થયો.
મહેસુલસભાએ સૂચવેલી ગ્રામપદ્ધતિ છોડી દેવાઇ એ બાબતમાં આ જમાનાને માત્ર ઐતિહાસિક રસજ છે. પણ જે વિચારવાનું છે તે એ છે કે મને વાળી રૈયતવારી પદ્ધતિ પણ પૂરેપૂરી રહી શકી નહિ. મસ મનેએ ૧૮૦૭ અને ૧૮૧૩ માં સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો, કે રૈયતવારી પદ્ધતિનું સર્વ અચળ આકારમાં જ છે અને પડતર જમીન સિવાય બીજી બધી બાબતમાં રૈયતવારી પદ્ધતિ બંગાળની જમીનદારી પદ્ધતિ જેટલી સ્થિર અને અચળ છે. ૧૮૨૦ માં મદ્રાસના બધા નહીં આકારાયેલા જીલ્લાઓમાં રૈયતવારી પદ્ધતિ દાખલ થઈ; પણ આકારની અચળતા હજી સુધી દાખલ કરવામાં આવી નથી. પ્રત્યેક નવી જમાબન્દી વખતે લેક ને સમજી શકે તેવા કારણોથી આકાર ફરતા હોવાથી સરકારહકની અનિયતતાને લીધે, લેકે હમેશાં અનિશ્ચિત રહે છે, અને દારિદ્રયના ભોગ થઈ પડયા છે. '
Page #154
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૪૩
મદ્રાસની રયતવારી જમાબન્દી. ૧૮૬૦-૧૮૨૭ સર ટોમસ મને ૧૮૨૦માં મદ્રાસને ગવર્નર થઈને આવ્યો અને તેજ વર્ષમાં આખા મદ્રાસ ઇલાકામાં રૈયતવારી જમાબન્દી દાખલ કરવાનું જાહેરનામું કહાડયું. વારસના અભાવથી અથવા ખરીદ કરીને પણ જ્યારે પ્રસંગ આવે ત્યારે જમીનદારીઓ સરકાર દાખલ કરવામાં આવતી અને રૈયતવારી પદ્ધતિ શરૂ થતી. આખા ગામના પટાકાઈને હેાય તે તે રદ કરવામાં આવતા.
જ્યાં સહીયારી જમીન હોય ત્યાં ભાગીદારના હકે છુટા પાડી દેવાને અને સામાન્ય રીતે ખેડુતો સાથેજ વ્યવહાર કરવાના હુકમો દેશાધ્યક્ષ (collector) ઉપર છુટી ગયા હતા. સરકાર હક પણ કુલ પેદાશના ૪૫ થી ૫૫ ટકા જેટલો આકારવામાં આવ્યો હતો અને તેથી પણ બેસુમાર જુલમ થતું. પણ સર ટોમસ મનોના વિચારશીલ અમલ દરમિયાન સરકારમાં સર્વ સાધારણ ઘટાડે કરવામાં આવ્યો હતો.
આ અરસામાં મદ્રાસના લેકની આર્થિક સ્થિતિ શી હતી તેને ખ્યાલ આપવા સારૂ નીચેને સાર સંખ્યાબંધ દતરોમાંથી તારવી કહાડવામાં આવ્યા છે.
નેલેર, ૧૮૧૮ માં નેલરના દેશાધ્યક્ષે માપણી અને વર્ગવારી કરીને આકાર નકકી કરવાનો પ્રયોગ ગામ ઉપર કર્યો હતો. મહેસુલસભાના રોજ કામ ઉપરથી નીચેની હકીકત માલમ પડે છે.
પીતજમીન. અહીં દાણાની કિંમત ખાંડી એકના રૂ. ૨૦ વેચાણ કિંમતની સરેરાશ ઉપર ઠરાવ્યા. તેના રૂ. ૩૪૩૭૪ થાય. તેમાંથી સવા છે ટકા બાદ કરતાં રૂ. ૨૨૧૩૯ સરકાર અને ખેડુ વચ્ચે રહે છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રકરણ ૪ થું.
ખેડુતે વીશમાથી નવ ભાગ એટલે ૪૫ ટકાનો ભાગ આપતાં તેમના ભાગના રૂ. ૧૪૪૬૨ થાય. અને સરકારને રૂ. ૧૭૬ ૬૭ રહે.
આકાશીઆ જમીન-આકાશીઆ જમીન અને વાડીની ઉપજ એજ ધરણે ગણીને અને પેદાશની કિંમત ખાંડી એકના રૂ. ૨૮ ના હીસાબે ગણતાં આકાશીઆ જમીનના સરકાર હકના રૂ. ૭૬૮ થાય અને વાડીના રૂપીઆ ૨૦૫ થાય છે.
ખેડુતોએ દેશાધ્યક્ષની ગણત્રી અને વેચાણ કિંમતને દર જે તેણે ઠરાવેલ તેની સામે વાંધો લીધો. ત્યારે થોડીક છુટછાટ કરી, અને મહેસુલસભા એવા ઠરાવ ઉપર આવી કે તે ગામની વાર્ષિક સેકાર હકની ઉપજ રૂ. ૧૫૬ ૦૦) આવશે. બીજા શબ્દોમાં કહીએ તો ગામની અંદાજી પેદાશના અર્ધ ભાગ એટલે સરકાર હક આ નવી જમાબન્દીમાં ઠરાવવામાં આવ્યો.
ત્રિચિનાપલી.
આ જીલ્લામાં એક ગામ પસંદ કરવામાં આવ્યું. એની જમીન માપી વર્ગવારી કરી ત્યાંના આંકડા ઠરાવવામાં આવ્યા. અંદાજી ઉપજ ૫૮૧૬ કલમની આવી.
સરકાર અને લોક વચ્ચે શરસ્તા મુજબ સરખા ભાગ કરી નાંખતાં સરકારને ભાગે ૨૮૦૮ કલમ થાય. તેની દેશાધ્યાક્ષની ગણત્રી પ્રમાણે કિંમત ઠરાવતાં રૂ. ૩૨૩૨ થાય છે. તે પછી થોડાક સરવાળા બાદબાકી કરીને આખરે રૂ. ૩૨૧૧ સરકાર ભાગના નક્કી ઠર્યા. જમીન ઉપર સરકાર હક અરધો અરધ ઠરાવાય તે દ્રારિદ્રયકરજ કહેવાય; પણ મદ્રાસની મહેસુલસભા એક તૃતીયાંશનું પ્રમાણ મુકરર કરવામાં પણ અચકાતી હતી, છતાં સરકારની માંગણી માફકસર હોવાને દા રાખતી હતી. લખે છે કે કુલ પેદાશને ત્રીજો ભાગ
Page #156
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિાસ.
૧૪૫
એ, સર્વોત્ર જ્યાં કિ`મત કરીને આકાર ઠરાવવાનેા છે ત્યાં તે માટેના, ધારણ રૂપે ત્ સ્વીકારી શકાય, પણ દેશાધ્યક્ષેતે નિયમમાં રાખવા માટે તે ધારણ કામ લાગે.
કોઈમ્બતૂર.
આ જીલ્લામાં ઝુલમી આકારની સાથે લાંચ રૂસ્વતની સામીલગીરી થઇ હતી. આ બગાડાને તપાસ કરવાને એક કમિશન નીમવામાં આવ્યું હતું. મિશને રીપેર કર્યો કે અહીંને ખજાનચી-કૅાસી ચિટી ખાનગી વેપાર કરે છે અને કમ્પનીના દરેક માણુસને અને પસે પઇસાના પેતાના વેપારમાં લાભ લે છે. દેશાધ્યક્ષ મિ. ગેરા તે પણ એવાજ રૂશ્વતીઆ હતા. આના સંબંધમાં અધ્યક્ષસભા સર મસ મનાને ૧૮૨૧ માં નીચે પ્રમાણે લખે છેઃ—
“ આ બધા બગાડા ધણા ગંભીર છે. અને જ્યારે આપણી વ્યવસ્થાએની ખામી તરીકે એના ઉપર વિચાર કરીએ છીએ ત્યારે ધણું દુઃખ થાય છે, જેમ કેઈમ્બતૂરમાં થયું તેમ ા જીલ્લામાં નહીં થાય એમ માનવાને કજ કારણ નથી. એક દેશાધ્યક્ષ જેવા દરજ્જાતા માણસ મહેસુલ સભાના વિશ્વાસને પાત્ર ન હેાય, અને જ્યારે તે એક દગાખાર દેશીથી છેતરાય અને તેની સાથે સામીલગીરી કરે ત્યારે તેના વહીવટ નીચેના તમામ મુલક સરકારને અમલ ભાગવતા થાડા માણસેાના શીકાર રૂપજ થઇ પડે. સાત સાત વર્ષ સુધી દેશાધ્યક્ષની નબળાઇ અથવા અપ્રમાણિકતાને લીધેજ કામ્બતૂરમાં બન્યા તેવા બનાવે અને, સરકારના હલકામાં હલકા નાકરની માજ ઉપર વસતિનાં જાન માલ આવી પડે, અને ઉપરી અધિકારીએ જેમને અમે રાજ્યની તમામ બાબતો ઉપર દેખરેખ રાખવા અને તાબાનાં માણસાનાં કુકર્મોને શોધી કહાડવા અને અટકાવવા સારૂ રાખ્યા છે, તેમને તેની ખબર પણ ન પડે; તે સ્થિતિ જોતાં આવી તરેહની અપ્રમાણિકતા ધણી અને ઘણે ઠેકાણે હાવી જોઇએ, એવા ભય રહે છે: અને વધારે અસરકારક ઉપાયેા લેવાની જરૂર છે,
10
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૬
-
પ્રકરણ ૪ થું.
એવું અનુમાન થાય છે. મિ. ગેરો મરી ગયા છે, તેથી હવે તેમને આપણી નોકરીમાં રાખવા સંબંધી નિર્ણય કરવાની કાંઈ જરૂર નથી, તેમજ તેમની ગફલત કેવા પ્રકારની હતી, તેને પણ નિર્ણય કરવાની જરૂર નથી; છતાં એક ઉપરી અમલદારની આંખ નીચે લાંબા વખત સુધી મેટાં કુકર્મો ચાલે અને તેથી તાબાના માણસને ઘણે નફે થયે હેય; અને તે બધું જરાક જગૃતિ તે અમલદારે રાખી હતી તે અટકાવી શકાય એવું હોય, તેવા સંયોગ તે અમલદારનો પણ તેમાં હાથ હવે એવું સાબીત કરવાને અમુક દરજે પુરાવા રૂપ છે.”
તે પછીના વર્ષના બીજા પત્રમાં કઈમ્બતુરના આકારની બાબતમાં લખે છે કે “ખેડવાણ જમીન એ વાડીની નહીં એવી ખેડવા લાયક, એટલે તેવી ખેડેલી અને પડતર પડી રહેલી જમીન; તે બધી જમીન ઉપર પૂરો આકાર જેને કહેવામાં આવે તેવો આકાર રીવાજ પ્રમાણે કરાવવામાં આવ્યું હતું. વિડીની જમીન ઉપર આ પૂરા આકારનો ત્રીજો અથવા ચોથો ભાગ ઠરાવવામાં આવ્યું અને વાડી માટે પૂરા આકાર કરતાં કાંઈ વધારે કરાવ્યું હતું..........
૧૮૧૬ ના સપ્ટેમ્બરની સાતમી તારીખના પત્રમાં દેશાધ્યક્ષ મિ. સલિવાન લખે છે કે જ્યારે કોઈ રમત બે વર્ષ સુધી અમારી જમીનને કબજે બેગવે અને તેની સાથ આપે, ત્યારે તે જમીનનો તે માલિક ગણાય છે. અને
જ્યાં સુધી તેનામાં સાથ આપવાની સત્તા હેય ત્યાં સુધી તેટલી જમીનનો આકાર તેના ઉપરજ પડે. આ ઉપરથી જણાય છે કે સરકારે માલિકી હક ખેડુતને આપેલ તે પિતાના નફાને માટે આપેલો, ખેડુતના નફા માટે નહિ.
પત જમીન ઉપર અથવા વાડીના માલ ઉપર જે વધારાને આકાર લેવાય છે, તે દેશાધ્યક્ષ કહે છે તે પ્રમાણે “સુધારા” ઉપર કર છે. કુવા બાંધવા તે તે દેશમાં સટામાં મોટો સુધારો છે. હિંદુસ્તાનમાં વરસાદની ઋતુના નુકસાનકારક અકસ્માતોથી બે પરવા રહેવાને માટે જમીનને પાછું પાવાસારૂ
Page #158
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૪૭
કુવાની જરૂર છે. કુવાથી જેટલી જમીન પાણી પી શકે તેટલી જમીનને વરસાદની તમા રહેતી નથી; તેથી કુવા બાંધવાને ઉત્તેજન આપવું તેના કરતાં વધારે ઉપયોગી પગલું બીજું કાંઈજ નથી. અને ઉત્તેજન એટલે આટલું જ કે લોકોને પોતાની મજુરીનું ફળ લણવા દેવું; કારણકે દેશાધ્યક્ષ એમ બતાવે છે કે તેઓનું કુવા બાંધવા તરફ સ્વાભાવિક વલણ છે, પણ સરકાર હકથી ડરે છે.”
આ વર્ષોના તમામ તુમારેમાં અતિશય આકારની ફરિયાદ જોવામાં આવે છે. તે પણ અધ્યક્ષસભા મિ. ગેરનાં પાપોને વખોડી કહાડવામાં આવી છટાદાર ભાષા વાપરે પણ પિતાનાં પાપાના ઉપાય લેવામાં તેવા ત્વરિત પણ નહતા કે તેવા સ્પષ્ટવકતા પણ ન હતા.
ત્રિચિનાપલ્લીના દેશાધ્યક્ષ લખે છે કે –અતિશય આકારની નિશાનીએ રૂપ કષ્ટ અને દારિદ્રય ત્રિચિનાલીમાં સર્વત્ર દેખાય છે. અને જમીનની કિંમત ઘટી જવામાં ખેતીની પાયમાલી સ્પષ્ટ દેખાય છે. જે મિરાસ દારના હાથમાં પ્રથમ હજારો વિઘા જેટલી જમીન હતી, તેઓની પાસે હવે તેટલા સેંકડા પણ નથી. અને આ પણ ચાલુ વર્ષમાં કે આવતા વર્ષમાં વેચાઈ જશે, જે, આકારમાં ફેરફાર નહિ કરવામાં આવે અથવા બકાત બાકી રાખવામાં નહિ આવે, તે. પણ હું સભાના ધ્યાન ઉપર જે વાત મુખ્યત્વે કરીને મુકવા માંગુ છું તે એ છે કે મારી ખાત્રી છે કે હાલની આંકણી ચાલુ રાખવી અશક્ય છે.”
“આ તાત્કાલિક કષ્ટ માટે આપ એમ યોગ્ય ધારો છો કે પટા રદ ન કરતાં દરેક ખાતા ઉપર દેશાધ્યક્ષને યોગ્ય લાગે તેટલી માફી આપવી. વાસ્તવિક રીતે આ વાર્ષિક જમાઇન્દીજ થઈ. અમે ધારીએ છીએ કે આ રીત ચાલુ કરીશું તે યોગ્ય ચોકસી વિનાના વર્ષોવર્ષના ઠરાવના રૂપમાં, આ રીત બદલાઈ જશે અને તેને અટકાવતાં આપને મહેનત પડશે. એટલે દેશાધ્યક્ષોની ઉલટ કે દયાવૃત્તિ કે ગફલત કે સખ્તાઈ, જે જ્યાં રંગ હેય ત્યાં તે રંગ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રકરણ ૪ યુ.
પ્રમાણે ચાલશે; એટલે, કેટલેક ઠેકાણે રૈયત ઉપર વધારે પડતા ખાજો થઇ જશે અને કેટલેક ઠેકાણે સરકારના હકાના વધારે પડતા ભાગ અપાઇ જશે. ”
ખીજા શબ્દોમાં આકારના દર અતિશય રાખવા, અને ખેડુત પાસે વર્ષોવર્ષ જેટલું લઇ શકાય તેટલું લેવુ'. અને આ અધ્યક્ષસભાને લેાકની આબાદીને અનુકૂલ લાગ્યું !
તંજાશેર.
ત જાઊરની પણ એવીજ હકીકત છે. એ પણ એક વાર આત્માદ દેશ હતા, પણ તંજાીરના જમાયન્દીના પેટા ૧૮૨૦ માં ખલાસ થયા. પણ પેદાશની કિ`મત બહુ ઘટી ગયેલી તેથી અને તેવાજ નીચાભાવ ઘણા વખત સુધી રહેવાના સંભવ હોવાથી આકાર બહુ ભારે થઇ પડયા હતા. અને તે એ છે કરવાની જરૂરીઆતને પુરતા પુરાવા આપવામાં આવ્યેા હતેા.
tr
લોકેાની વૃત્તિ જીની ભાંગવટીની રીત ઉપર છે, તે પણ સરકાર હક નાણાંમાં લેવાની રીતને વળગી રહેવુ એ વધારે સારૂં છે.
આવી સ્થિતિ આવે તેમાં ધોરણ નક્કી કર્યું છે તે ખરાબર છે. પેદાશની કિમતમાં દસટકા જેટલા વધારા થાય ત્યાં સુધી આકારમાં વધારો કરવા નહિ પણ જો પાંચ ટકા જેટલા ભાવ ઉતરી જાય તે તેટલા પ્રમાણમાં માફી આપવી.
આ ઢ.
અહીંની વાત પણ એવીજ શાકજનક છે. ‘“મહેસુલસભા દેશાધ્યક્ષની ભલામણ પ્રમાણે આકારમાં ધટાડા કરવા આર્જેથી વિન ંતિ કરે છે. આ બાબત ઉપર અમારૂં ખાસ ધ્યાન ખેંચાયુ છે. દેશાધ્યક્ષ અને મહેસુલસભાની આપણે ઠરાવેલા આકાર સ્વીકારવાની મરજી નથી. તે કહે છે કે ખાલી થઇ ગયેલા દેશમાં પાસાણની પરિસીમા જેટલા ઊંચા આકાર છે. પણ અમને બરાંસા છે કે તે તે વસુલ થઈ શકશે, છતાં તેઓ કહે છે કે આવી જમાબ
*
Page #160
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક પ્રતિદ્વાસ
ન્દીથી દેશ આબાદ થઈ શકશે નહિ. અને આબાદ થવાની અનુકૂલતા કરી આપવા માટે તે સાતથી દશ ટકા જેટલા ઘટાડા સૂચવે છે. ’
"
૧૪૯
આ ઉપરની આપ ( મદ્રાસ સરકાર ) અતિશય આંકણીના કાના સંબંધમાં મજમુત અભિપ્રાય આપે છે. અને ઉમેરે છે કે આર્કેટના ઉત્તર વિભાગમાં આકાર ઘટાડવાનું કાંઇ કારણ નથી. પણ તેવી સ્થિતિ બીજે ઠેકાણે નથી. એટલે દરેક ઠેકાણે આકાર ઘટાડવાનીજ જરૂર છે. એમ આપ કહે છે અને તે પ્રેમાણે સાધારણ ધટાડા કરવાનુ આપ યોગ્ય ધારે છે. અને આપ એકંદર એવી દરખાસ્ત કરે છે કે સરકાર ભાગ તરીકે એક દર પેદાશને ત્રીજો ભાગ ગણવા.’
..
પણ ત્રીજા અથવા ગમે તે ભાગને અચળ ધેારણ તરીકે સ્વીકારી શકાશે કે કેમ તેને અમને બહુ શક રહે છે.”
આટલા ઉતારા બસ છે. સ્થાનિક અધિકારીની સખ્તાઇથી અને કમ્પનીના અધિષ્ઠાતાઓના લાભથી ઓગણીસમા સૈકાના પહેલા ભાગમાં લેકોને કેટલું કષ્ટ પડતુ તેને ખ્યાલ ઉપરના ઉતારાથી મળી શકશે. સર ટામસ મનાએ આ બધા જીલ્લાઓના આકાર હલકા કરવાની પેાતાની સાત વર્ષની કારકીર્દિ દરમીયાન મહેનત કરી અને આખરે આખા ઇલાકામાં આકારના દર એબ કર્યા પણ ખરા. ૧૮૨૪ ડિસેમ્બરની ૩૧ મી તારીખે લખેલી નેધમાં પેાતાના હેતુ અને યત્નેને હેવાલ પ્રાસાદિક અને વજનદાર ભાષામાં આપ્યા છે. આવી વિચારવન્ત નોંધ લોર્ડ કાર્નવાલેસના અમલ પછી આ વખત સુધીમાં ભાગ્યેજ લખાઇ દુશે.
આ કિંમતી દસ્તાવેજના પુરે સાર આપી શકાશે નહિ તેથી લોકની સ્થિતિના સંબધમાં જે ભાગામાં વિવેચન કર્યું છે તેમાંથી Àાડાક ઉતારા હાલ આપીશું.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫
પ્રકરણ ૪ થું.
મનની મિનિટ
નિયત અને માફક મહેસુલ. જમીનને વેચાણે લાયક કરવા સારૂ, લોકને ખેતીમાં સુધારો કરવામાં અને તેને સ્થાયી મિલકત માનવામાં ઉત્તેજન આપવાના હેતુથી સરકાર હકનો આંકડો મુકરર કરેલે હવે જોઈએ અને તે એ તો સુનિર્ણત હવે જોઈએ કે અજ્ઞાન અથવા આવેશથી વધારી શકાય નહિ.
રૈયત ખરી માલિક છે; કારણ કે જે જમીન રાજ્યના હાથમાં નથી, તે તેની જ છે. સરકાર હકની ઊંચાઇ નીચાઈના પ્રમાણમાં ખેડુતને ભાગ જુદે જુદે ઠેકાણે અને જુદે જુદે વખતે ઊંચે નીચે રહે છે; પણ એની ચોખ્ખી ઉપજ ગમે તેટલી રહે, પણ એની મુડીના નફા પુરત અથવા તે ઉપરાંત કાંઈ પણ રહે તેને તે ખરો માલિક છે, અને સરકાર પોતાની મહેસુલ તરીકે જે માંગે તે આપે છે તે ઉપરાંતનું બધું તેમનું જ છે.
આકાર હમેશાં ફરતો રહે છે, તેને લીધે જ જમીનમાં સુધારા થતા અટક્યા છે અને જ્યાં સુધી તે પ્રમાણે ફરતો રહેશે ત્યાં સુધી તે પ્રમાણે અટકશે જ. કારણ કે જ્યાં અત્યારે આકાર ઓછામાં ઓછા છે ત્યાં પણ તે ગમે ત્યારે વધી શકે એવી બુદ્ધિ હેવાથી જમીન વેચવા લાયક થતી અટકે છે. જ્યાં સુધી સરકાર હક જમીનના દરેક ભાગ ઉપર પ્રથમથી નિયત ન થાય ત્યાં સુધી જમીનની ખરી કિંમત આંકી શકાય પણ નહીં. તેમ તે ખાનગી મિલકત પણ થઈ શકે નહિ. જ્યારે જમા નકકી થાય ત્યારે બધી અનિશ્ચિતતા દૂર થતાં જે જમીન ઉપર વધારે પડતી જમા નથી તે જમીનમાં કિંમત આવે છે. જેમ જેમ સુધારા થતા જાય છે તેમ તેમ તે કિંમતમાં વધારો થતો જાય છે, અને નિફે ખેડુતને રહેવાથી સુધારા કરવાનું પણ ખેડુતને ઠીક પડે છે.”
Page #162
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક
વહીવટના કામમાં દેશીએની સામીલગીરી.
“યારે આપણે દેશીઓને દરેક માટી જગાએમાંથી બાતલ કરીએ અને હમણાં સુધી જેમ કહેતા હતા તેમ-એમ કહીએ કે આ કરેાડા માણસની વસતિમાંથી કાઇ પણ દેશીને એક સાટી મારવા જેટલી પણ સત્તા સેપી શકાશે નહિ, ત્યારે આપણું રાજ્ય ‘ માબાપ ’ છે એ આપણે કેવી રીતે કહી રાકીશુ ? આ પ્રમાણે એમને બાતલ કરવાથી આખી પ્રજાને અધોગતિની શિક્ષા થાય છે, જેને કાંઇ પણ બદા નથી. આખી દુનિયામાં એક આખી પ્રજાને આવી અધાતિ આપનારી શિક્ષા કર્યાનેા દાખલા નથી. આમ કરવામાં હેતુ તે નબળાઇ અને ભૂલ જ છે; પણ તે આ લેાકેા કદી સમજી શકશે નહીં. આપણે એમનેા ઉત્કર્ષ સિદ્ધ કરવાનુ ધારીએ છીએ પણ પગલાં વિરૂદ્ધનાં ભરીએ છીએ. ઉત્કર્ષના હિમાયતીઓ ઉત્કર્ષતા આધાર શા છે તે જાણતા નથી. એમની દરખાસ્ત એવી છે કે દેશીઓ ઉપર કાંઇ વિશ્વાસ ન મૂકવા; તેમને કાંઇ સત્તા ન આપવી; અને જેમ બને તેમ પ્રત્યેક અધિકારમાંથી તેમને બાતલ કરવાઃ પણ જ્ઞાનના સામાન્ય વિસ્તાર કરીને તેમને પ્રકાશ આપવાને તે બહુ ઉમંગ ધરાવતા જણાય છે.
અંધાર યુગમાં પણ આવા ઉદ્ધૃત અને અયથાર્થ વિચાર કાઇને પણ યે નહિ હોય. કારણ કે કાઇ પણ કાળમાં કે કાઇ પણુ દેશમાં, ધન, કાર્તિકે અધિકારની પ્રાપ્તિની આશા વિના જ્ઞાન સ ંપાદન કરવાને ખીજું શું ઉત્તેજન થયું છે ? અને ખીજી રીતે જોઇએ તે! જ્ઞાન સપાદન કર્યાનેા અર્થ શેા છે, જે તે જ્ઞાનને, પ્રજાની સેવામાં, દેશની રાજ્ય વ્યવસ્થામાં સહુ સહુની યાગ્યતા પ્રમાણેની જુદી જુદી પૂરજો બજાવવામાં ઉપયોગ ન થાય તે
66
આપણાં પુસ્તકા એકલાં કાંઇજ કરી શકશે નિહ. સુકું સાદુ` સાહિત્ય કાઇ પણ પ્રજાનું શાલ કંદી સુધારી શકતું નથી. આ ફળ પ્રાપ્ત કરવાને માટે તેા સાર્વજનિકકાર્યભાર ધન અને કીર્તિના દરવાજા ઉધડવા જોઇએ.
Page #163
--------------------------------------------------------------------------
________________
પર
પ્રકરણ ૪ શું.
આવા બદલાની આશા વિના ગમે તેટલી વિદ્યા પ્રાપ્ત કરી હોય પણ તેથી એક પ્રજાની શૉલાન્નતિ થતી નથી.
4. આ સિદ્ધાંત દરેક પ્રજાને માટે સાચા છે, તે હિંદુસ્તાનને માટે પણ છેજ. ધારો કે બ્રિટન કાલે પર પ્રજાના હાથમાં જાય, લેકને રાજ્યવહીવટમાંની સર્વ સતામાંથી, જાહેર માન અકરામમાંથી,વિશ્વાસ અને ઊંચા પગારના દરેક અધિકારમાંથી, બાતલ કરે, અને દરેક જગામાં વિશ્વાસને માટે તેએ નાલાયક મનાય, તે તેમનું બધું પવિત્ર તેમજ સ ંસારી સાહિત્ય, તેમનું બધું જ્ઞાન તેમને, એક એ જમાનામાં હલકા મનની, લુચ્ચી અને અપ્રામાણિક પ્રજા થતી અટકાવી શકશે નહિં.
ע
નાના મોટા બધા અધિકારમાં દેશીઓની મદદ લીધા વિના દેશના તમામ કાર્યભાર એકલા યુરાપીયનથી ચાલી શકશે એમ કદાચ આપણે ધારતા હઇએ તા પણ તેમ કરવુ એ રાજ્યનીતિથી અને ધર્મથી ખેટુ છે. માટી મેટી ઘણી જગાઓમાં અત્યારે દેશીઓ આપણી નેકરીમાં છે તે વાત આપણા ઉપર તેમને અનુરાગ હાવાનું એક મુખ્ય કારણ છે. જેમ આપણે તેમને આમાંથી બાતલ કરતા જઈશું તેમ આપણા હક તેમના ઉપર નબળા થતા જશે, અને જો તેમને તદન ભાતલ કરવામાં આવ્યા તે અનુરાગને બદલે અપ્રીતિ થશે. તે વૃત્તિએ આખી પ્રજામાં ફેલાશે, દેશી ફાજ સુધી પહોચશે, અને પરિણામે એવી એદીલી ઉત્પન્ન કરશે કે જેને તાબે કરવી અથવા જેની સામે થવુ તે આપણને બહુ ભારે પડશે. અને એમ માનીએ કે તેઓ સામે થયા વિના અને મેલ્યા ચાલ્યા વિનાજ સહુ સહન કરશે તે તે ઉલટુ વધારે ખરાબ છે; તે શીલસ્વરૂપમાં ડુબતા જશે; અધિકાર અને માન આમરૂની આશા નષ્ટ થયે તેમનામાંથી પ્રશસ્ય કીર્તિને લાભ પણ નાખુદ થશે; તે એક આળસુ અને નીચી પ્રજા થઇ જશે; અને ભૂખ તરશના સ ંતોષ સિવાય કોઇપણ ઊંચા પ્રકારના અભિલાષે તૃપ્ત કરવા નાલાયક થઈ
Page #164
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૫૩
-
-
-
-
જશે. મારા અભિપ્રાય પ્રમાણે તે આપણને આ દેશમાંથી સમુળગા કહાડી મૂકે તે-આપણા અમલ નીચે એક આખી પ્રજા અધગતિને પહેચે-એના કરતાં વધારે સારું છે.”
કર અને કાયદા
“દરેક સ્વતંત્ર દેશમાં લેકની મરજી પ્રમાણે જ તેમના ઉપર કર નંખાય છે. લેકને આ હક અગત્યને ગણાય છે. આ હક ઘણું માણસને હમેશાં ચિંતામાં નાખે છે અને સ્વતંત્રતાના રક્ષકે હમેશાં તે પ્રકટ કરે છે. જે દેશોમાં
સ્વતંત્રતા નથી ત્યાં પણ કર ગ્રહણ એ રાજ્ય અમલનું એક મોટામાં મોટું કામ છે; કારણ કે તેનાથી લોકનાં સુખ અને સગવડ ઉપર વધારામાં વધારે અસર થાય છે. તેનાથી ઘણીવાર સરકારની સામે થવાની ઉશ્કેરણીઓ પણ થઈ છે, અને તેનાથી ભય અને અર્થ ઉભવધારા પ્રજાના હુંશીયાર માણસને અમલદારીમાં સામેલ કરવાની અગત્ય આપખુદ રાજ્યને પણ સમજવામાં આવી છે.
બીજા દેશોમાં રાજ્ય અને અમલદારો પ્રજાનાં જ અંગ હોય છે; તેઓ દરેક રાજ્યપ્રકરણની શી અસર થશે, અને તેના સંબંધમા લેકનો શે અભિપ્રાય છે, તેથી વાકેફ રહે છે; પણ અહીં સરકારને આ લાભ મળતો નથી. તે લેકેને માટે કાયદા કરે છે, અને લોકોનો તેમાં કાંઈપણ હાથ નથી. લોકના સંબંધમાં તેઓ કંઈ જાણતા નથી; અને તેથી જ્યાં સુધી ચાલાક અને બુદ્ધિશાળી સ્થાનિક અમલદારોને લેકની સ્થિતિની પુરતી તપાસ કરી તેમના અભિપ્રાયો જાણી લેવાનું કામ સોંપવામાં ન આવે અને તે પ્રમાણે મળેલી ચેકસ માહીતી પ્રમાણે કાયદા રચવાને સરકાર પ્રવૃત્ત ન થાય, ત્યાં સુધી, લેકની સ્થિતિને અનુકૂળ થાય તેવા કાયદા તેમનાથી રચી શકાશે નહિ. પણ આ અધિકારીઓ દેશી નેકરો દ્વારાજ આવી માહીતી મેળવી શકે, કારણ કે બીજા બધા કરતાં તેમને જ આવી માહિતી મેળવવાનાં સાધનો સર્વથી સારી રીતે મળી શકે તેમ હોય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રકરણ ૪ થું.
બ્રિટિશ રાજ્યના ફાયદા અને ગેરફાયદા બ્રિટિશ રાજ્યના ફાયદા અને ગેરફાયદાને સરવાળો કરીએ તે મને લાગે છે કે તેનું પરિણામ જેવું જોઈએ તેટલું બ્રિટિશ રાજ્યના લાભમાં આવશે નહિ. ખરી વાત છે કે તેઓ પ્રથમ કરતાં પરદેશી સાથેના યુદ્ધ અને અંદર અંદરના વિગ્રહોથી હવે નિર્ભય થયા છે, તેમનાં જાનમાલ હવે જોરજુલમથી મુક્ત થયાં છે; અમલવાળા માણસે હવે તેમને વિના કારણે શિક્ષા કરી શકતા નથી, તેમ તેમની મિલકત જપ્ત કરી શકે તેમ નથી. પણ, બીજી તરફ પિતાના કાયદા કરવામાં તેમને હાથ નથી, છેક તાબાના દરજજા સિવાય વહીવટમાં કંઈ અધિકાર નથી; દીવાની કે લશ્કરી ખાતામાં મોટા અધિકાર ઉપર તેઓ ચડી શકે તેમ નથી. બધાજ તેમને એક ઉતરતી કેમ માને છે. અને ઘણીવાર દેશના પ્રાચીન માલિક અને રાજા તરીકે તેમને ન ગણતાં આપણું માંડલિક અને નેકરોના જેવા ગણવામાં આવે છે.
આપણે દેશીઓના શીલ સ્વભાવને ઉનત કરવાનો પ્રયત્ન ન કરીએ તે તેમને ઇન્સાફી ધારા આપ્યા કે તેમની પાસે કર માફકસર લેવા માંડે, તે કંઈ બસ નથી; પરદેશી રાજ્યના અમલમાં દેશીઓનાં શીલને અધોગતિએ પહોચાડનારાં એટલાં બધાં કારણો હોય છે કે તેથી અધોગતિ થતી અટકાવવી મુશ્કેલ છે. એક જુની કહેવત છે કે જેનું સ્વાતંત્ર્ય ગયું તેનો અર્ધી સદ્ગુણ પણ ગયો. આ કહેવત સમસ્ત પ્રજાઓ તેમજ વ્યસ્ત મનુષ્યને પણ લાગુ પડે છે. મનુષ્યને કઈ મિલકત ન હોય તે જેટલું અવનાતકર નથી, તેટલું પ્રજાની મિલક્ત પોતાના કંઈપણ હાથ વિના, કેવળ પરરાજ્યની વ્યવસ્થા નીચે હોય તે, પ્રજાને માટે ઘણું જ વધારે અવનતિ કરનારું છે. ગુલામ બનેલી પ્રજા, પ્રજ તરીકેના તમામ હકો, એક સ્વતંત્ર માણસ ગુલામગીરીમાં ગયાથી જેમ પોતાના હકો ખુએ છે તેમ-ખુએ છે. પિતાના કરને નિર્ણય કરવાને
Page #166
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૫૫
હક, પિતાના કાયદા રચવાનો હક, રાજ્ય કારભારમાં કે સમસ્ત રાજ્યતંત્રમાં ભાગ મેળવવાને હક; એ તમામ હક તે આખી પ્રજા ખુએ છે. બ્રિટિશ ઈન્ડિયાને આમાંના કોઈ પણ હક નથી.
“આપણા અમલને એક મોટામાં મોટો ગેરફાયદો એ છે કે જનસમાજની ઊંચી પંકિતઓનો નાશ કરવાનું કે હલકી પાડવાનું, તેમને બધાને વધારે પડ તી રીતે એક સરખી સ્થિતિમાં લાવવાનું, અને તેમનું પરાપૂર્વનું વજન ઘટાડીને દેશના રાજ્ય કાર્યભારમાં તેમને ઓછા ઉપયોગી કરવાનું, તેનું વલણ છે. સ્વ. દેશી રાજ્યમાં એક જાગીરદાર કે ઈનામદાર અને રાજ્યના વહીવટી તેમજ લશ્કરી ખાતાના ઊંચા અમલદારોનો એક શ્રીમંત વગ હતો. આ અને મોટામોટા વેપારીઓ અને રૈયતમાંના માણસો મળીને એક ધનવાન અથવા તો ખાતે પીને મોટો વર્ગ હતો. એક રાજાએ આપેલાં જાગીર અથવા ઇનામો ઘણી વખત બીજે ખુંચાવી લેતો, અને વહીવટી તેમજ લશ્કરી અમલદારો વખતો વખત દૂર થતા હતા પણ તેમને બદલે બીજા થતા; તેથી, અને નવાં કૃપાપાત્ર માણસોને નવી જાગીરે અને નવાં ઇનામો અપાતાં હતાં તેથી, આ ફેરફારોની અસર એ થતી કે વખતે વખત જનસમાજને એવા ગૃહસ્થો પૂરા પાડવામાં આવતા હતા કે જેમની શ્રીમંતાઇથી દેશની ખેતી અને બીજા ઉછેગેને સારૂં ઉત્તેજન મળી શકે. આ ફાયદા બ્રિટિશ રાજ્યમાં લગભગ તદન બંધ થયા છે, તમામ અગત્યના વહીવટી અને લશ્કરી અધિકારો હવે યુરોપિયનોના હાથમાં છે, જેમની બચત તેમના દેશમાં જાય છે.”
હિન્દનું ભવિષ્ય. “આપણી બધી ગોઠવણમાં એક મોટો સવાલ આપણે હમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ. લોકેના શીલસ્વરૂપ ઉપર એની છેવટની અસર શી થશે? એનાથી એ ઉન્નત થશે કે અવનત થશે ? આપણે તે આપણી સત્તાને નિર્ભય
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રકરણ ૪યું.
કરીને અને દેશના લેકોનું રક્ષણ કરીને, તેઓની લિસંપત્તિ અત્યારના કરતાં પણ હલકી દશામાં આવી જાય તેની દરકાર ન કરતાં, સંતોષ માનવાનું છે! કે આપણે તે તેમના શીલસ્વરૂપને ઉન્નત કરવાના, તેમના પિતાના રાજ્યના વહીવટની ઉંચી જગાઓને લાયક બનાવવાના અને તેમના સુધારાને માટે યોજનાઓ કરવાના પ્રયત્નો કરવાના છે? દેશીઓના મનને ઉન્નત કરવાં અને
જ્યારે આપણો હિંદ સાથે સંબંધ છુટે તે વખતે આપણું અમલનું ફળ તેમને વધારે હલકા અને પોતાનું સંભાળવાને આપણે આવ્યા તે વખતના કરતાં વધારે નાલાયક બનવાનું જ આવ્યું, એમ દેખાય નહિ, તેની કાળજી રાખવી એ નિઃસંશય આપણું નિશાન હોવું જોઈએ. તેમના શીલસ્વરૂપને સુધારવાની ઘણી યોજનાઓ સૂચવી શકાય તેમ છે. પણ, જ્યાં સુધી એ સુધારો કરેજ જોઈએ, એ આપણું રાજ્યનીતિનું મુખ્ય સૂત્ર ન થાય, ત્યાં સુધી કોઈપણ યોજના સફળ થવાની નથી. આ સૂત્ર એકવાર સ્વીકારાય તે પછી તેને હેતુ પાર પાડવાને માટે આપણે કાળ અને ખંત ઉપર પણ વિશ્વાસ રાખવો જોઈએ. દેશીઓના સુધારા કયા ઉપાયો લીધાથી સરળતાથી થશે એ બાબત નક્કી કરવા પુરતો આપણને અનુભવ નથી તેમજ તે પુરતું આપણું દેશીઓનું જ્ઞાન પણ નથી; થોડા ઘણાં સફળ થાય એવા ઘણા ઉપાય સુચવી શકાય તેમ છે, પણ તેમનામાં વધારે વિશ્વાસ મૂકીને, તેમને જોખમની જગાઓ આપીને સરકારની લગભગ પ્રત્યેક જગા માટે તેમને લાયક બનાવીને, તેમને પિતાને પિતાને માટે વધારે ઊંચે અભિપ્રાય થાય, તેવા યત્ન કરવા તે સિવાય બીજો સફળતાને માટે સંશય રહિત ઉપાય મને જણાતું નથી. એમની આ લાયકીની હદ મુકરર કરવાની અત્યારે જરૂર નથી. પણ આપણી પિતાની સત્તા જોખમમાં ન આવે એટલું સાચવીને જે જગા માટે લાયક હોય તેવી કેઈપણ જગામાંથી તેમને શામાટે બાતલ કરવા તે હું સમજી શકતો નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૫૭
આપણે જોઈએ છીએ કે રાજ્યના શીલસ્વરૂપની પ્રજાના શીલસ્વરૂપ ઉપર અસર થાય છે–રાજા તેવી પ્રજા એવો નિયમ છે. કેટલીક પ્રથમ અત્યંત સુધરેલી પ્રજાઓ જંગલી દશામાં ઉતરી ગઈ છે, અને બીજી પ્રથમ અત્યંત જંગલી પ્રજાઓ સુધારાની ઊંચામાં ઊંચી ટોચે પહોંચેલી છે. આ બાબતને વિચાર કરતાં, જો આપણે યોગ્ય પગલાં લઈએ, અને એક ચિત્તથી તેને અમલમાં મૂકતા જઈએ, તે વખત ગયે હિંદના લોકો પોતે પોતાનું રાજ્ય ચલાવી શકે તેવી શીલસંપત્તિવાળા થાય એટલે સુધી આપણે એમને બેશક સુધારી શકીએ.”
આ સમય પછી મદ્રાસમાં જમાબન્દીના સવાલનું નિરાકરણ શું થયું તે બાબત યોગ્ય સ્થળે વિવેચન થશે. અહીં એટલું જ કહેવું બસ છે કે મનના વિચાર મને પાસે રહ્યા. અને અત્યારે મદ્રાસના ખેડુતના હાથમાં અનિ. યમિત સરકાર હકની સામે કે ગેરવાજબી વધારાઓની સામે, કંઈપણ અંકુશ નથી. અને તેથી તેને કરકસર કરવાનું કાંઈપણ-પ્રયજન નથી, અને પિતાની સ્થિતિ સુધારવાની કંઈપણ સત્તા નથી.
મદ્રાસ ઇલાકાની આર્થિક સ્થિતિ, સને ૧૮૦૦ના ફેબ્રુઆરીની ૧૪મી તારીખે હૈડે વેસ્લીએ ડૉ. કાન્સેસ બુકનન નામના વૈદ્યક અમલદારને દક્ષિણ હિંદુસ્તાનમાં ફરીને લોકોની આર્થિક સ્થિતિની તપાસ કરવાના કામ ઉપર ની હતે. ડો. બુકનન મદ્રાસથી નીકળી કર્ણાટક, સર, કેઈમ્બતૂર, મલબાર અને કનારામાં ફર્યો. તેની નિત્ય નોંધ અને તેની તપાસમાં માલુમ પડેલી હકીકત લન્ડનમાં ૧૮૦૭ની સાલમાં પ્રસિદ્ધ થયેલી છે. તેને સાર આ નીચે પ્રમાણે.
મદ્રાસની જાગીરે. સને ૧૮૦૦ના એપ્રીલની તેવીસમી તારીખે ડા. બુકનને મદ્રાસ છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રકરણ ૪ થું.
તે વખતે મદ્રાસની આસપાસની જમીન પડતર નહતી, અને જે પુરતે વરસાદ પડે તે ડાંગર સારી ઉપજતી. કેટલેક ઠેકાણે પાનાં તળાવમાંથી જમીનને પાણી પાવામાં આવતું; અને જ્યાં તે પ્રમાણે પાણી મળતું, ત્યાં માંગરને પાક સારો થતો હતો. ધર્માત્માઓએ રસ્તા ઉપર ધર્મશાળાઓ બાંધી હતી.
“પશ્ચિમ તરફ આગળ ચાલતાં તેના જેવામાં વેરાન મુલક આવ્યો પણ નાળીએરીઓ વાવીને કેટલાક સુધારો કરવામાં આવ્યો હતો. કેન્ડતુર આગળ રમણીય દેખાવ જોવામાં આવ્યો. અહીં આગળ ડા. બુકનને આપણું દક્ષિણ હિંદુસ્તાન જેને માટે પ્રસિદ્ધ છે તેવું એક મોટું જળાશય જોયું. બે ટેકરીઓ વચ્ચે એક બંધ બાંધીને આ તળાવ બનાવવામાં આવ્યું હતું. જળાશયનો વિસ્તાર લંબાઈમાં સાત આઠ માઇલ અને પહોળાઇમાં ત્રણ માઈલ હતા. અને તેમાંથી ખેતરોમાં પાણી પાવા માટે અનેક નાની નાની નહેરે કહાડવામાં આવી હતી. વરસાદમાં નદીનાં પાણીથી આ તળાવ ભરાતું હતું. જુદી જુદી જગાએ વીસથી તીસ ફીટ પહોળાં ગરનાળાં હતાં. તે ઢોળાવ ઉપર પથ્થરથી બાંધેલાં હતાં અને વધારાનું પાણી તેમાં થઈને ચાલ્યું જતું હતું. આ તળાવમાંથી બત્રીસ ગામનાં ખેતરોમાં અઢાર માસ સુધી પાણી પહોંચતું હતું. ડો.બુકનન લખે છે કે વરસાદની અછતથી દુકાળ પડે તેવા મુલકમાં આવાં જળાશયોની કિંમત થઈ શકે તેમ નથી.
પશ્ચિમ તરફ આગળ કેન્ડાતુરૂ અને શ્રીપર્મતુરૂ વચ્ચેનો મુલક હલકે અને થરથી ભરેલો છે. ત્યાં ખેતી બહુ થોડી છે અને વખતે પાક થાય તે બી પુરતી પણ ઉપજ થતી નથી. પરંતુ આ જમીનમાં તાડ અને જંગલી ખારે. કના ઝાડે સ્વતઃ ઉગે છે, અને તાડમાંથી તડી જગારી એ પે મળે છે.”
શ્રીપર્મતરૂ આગળ એક બીજું જુનું તળાવ છે. જેમાંથી બે હજાર એકર જેટલી ડાંગરની જમીન પાણી પીએ છે. આની પાછળ જમીન વળી વેરાન અને ઉજડ આવે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક પ્રતિહાસ.
પટે
કૅન્ડ્ઝવરમમાં પણ એક મેટું જળાશય હતું, તેમાંથી પણ ડાંગેરની જમીનના ધણા એકરાને પાણી પહેાચતું હતું. નવાબ મહંમદ અલ્લીના દીવાને અહીંઆં એક બીજી મેટું તળાવ બાંધ્યું હતું. તેને પથ્થરની ફરસબંધી હતી અને ડેડ સુધી પગથી બાંધ્યાં હતાં. તળાવની પાળ ઉપર મુસાફરને માટે નકસીદાર થાંભલાઓવાળી કેટલીક ધર્મશાળાઓ બાંધી હતી.
“ કૅાજીવરમ એ એક મેટું નિયમિત બાંધણીવાળુ શહેર છે. મકાને માત્ર એકજ માળનાં છે, પણ ઘણાં ખાલી છે. દીવાલે માટીની, અને છાપરાં ઉપર નેવાં; ધર ચેાસ અને વચમાં વચમાં ચેાકવાળાં; શેરીએ પહેાળી સ્વચ્છ અને કાટખુણે. દરેક બાજુએ નાળીએરીની હારે છે. બ્રાહ્મણા શંકરાચાર્ય કે રામાનુજાચાર્યના અનુયાયિઓ છે. શંકરાચાર્ય-નવમા સૈકામાં થઈ ગયા અને રામાનુજાચાર્ય અગીઆરમા સૈકામાં થઇ ગયા.”
કૅન્ડ્ઝવરમ પછી ડા. બુકનનને મુલક વધારે વેરાન લાગ્યા, મદ્રાસ જાગીરની હદ ઉપર ડમરલુ-નામનું ગામ છે ત્યાં સુધી તે આવી પહાચ્યા. ડમર૩ અને ઉલુર વચ્ચે એક માટી નહેર છે તે ડાંગેરની જમીનને પાણી પાય છે ઉલ્લુરની જમીન સારી છે, પણ ત્યાં આગતર માલેાજ થાય છે. ખેતરની વચ્ચે મેટાં ઝાડા ઉગે છે.
એક દર મદ્રાસની જાગીર જે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના હાથમાં પચાસ વર્ષથી છે તે આબાદ સ્થિતિમાં નથી. વારંવાર લડાઇ થવાથી, જમીનના વેરાના ભારથી, અને ઉપજ, જમીનની સ્થિતિ સુધારવાના કામમાં વપરાવાને બદલે કમ્પનીને માટે માલ ખરીદવામાં વપરાતી હોવાથી, લેક ગરીબ થઇ ગયા છે, વસતિ આછી થઇ ગઇ છે. કેાન્ડાતુરુમાં દેશાધ્યક્ષ મિલેઇએ ત્યાંનુ
જીતુ તળાવ સમરાવ્યું છે પણ જમીન ઉપરના કર ધણેાજ વધારી દીધા છે” ખેતરનાં ખેતર પાણી વિનાનાં, ખેડાણ વિનાનાં અને વસતિ વિનાનાં હતાં. ડૉ. શુકનનની ભાષામાં · વેરાન ’ હતાં.
.
"L
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રકરણ ૪ થું.
કર્ણાટક,
છે. બુકનન જ્યારે કર્ણાટક ગયા ત્યારે તે ખાલસા થયેલું ન હતું. એટલે વાસ્તવિક રીતે કંપનીના વહીવટમાં છતાં નામમાં તે આકોર્ટના નવાબનું જ લેખાતું હતું.
આર્કોટ જતાં બુકનને એક બીજું ભવ્ય જુનું હિન્દુ તળાવ જોયું. “આ તળાવ આશરે આઠ માઈલ લાંબુ અને ત્રણ માઈલ પહોળું છે અને તે ઘણા વિસ્તારની જમીનમાં પાણી પહોંચાડે છે.” આ સાર્વજનિક બાંધકામ જોઈને તેને અપૂર્વ સંતોષ થ; કારણ કે તે “ઘણા લોકોને તેમની સ્થિતિમાં જે સુખ ભોગવી શકાય તેમાંનાં ઘણાં સુખ પુરાં પાડે છે.”
અહીંથી આટને રસ્તો ખરાબ હતા, ગાડાં પણ ચાલી શકે નહિ. છતાં લકે બળદનાં ગાડામાં મુસાફરી કરતા અને મુસલમાન સ્ત્રીઓ વખતે ધળી ચાદર ઓઢી બળદ ઉપર સવારી કરતી. આર્કટ શહેર મોટું છે. ત્યાં જડાં સુતરનાં કપડાં બને છે. ઘરોની બાંધણી મદ્રાસ જાગીરના જેવી; આસપાસની ટેકરીઓ વેરાન છે અને જલદી નાશ પામતા પથ્થરની બનેલી છે. આકોટ અને પશ્ચિમની ટેકરીઓના મુલકની કેટલીક જમીન સારી છે, ત્યાં વખતે બગીચા થાય છે અને આકાશી મોલ પણ થાય છે. બાકીની તમામ જમીન ઉજજડ છે.”
આર્કિટથી વેલોરને અને વેલેરથી પલીગડાને રસ્તો પાર નદીની ખીણમાં ચાલે છે. આ દેશ લીલે અને ફળદ્રુપ છે. વેલરને કીલે મોટો છે, સુંદર છે. અને શહેર પણ મોટું અને હિંદુ રીતે બાંધેલું છે. પણ રસ્તા ઉપરનાં ગામડાં દુઃખી અને દરિદ્ર છે. અને કેટલાંક તે છેક પાયમાલ થયેલાં છે. પાલીગેડાના લોકો પણ નદીમાંથી છ સાત ફીટ ઉંડી ડેર ધારાએ
Page #172
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
૧૬૧
પાણી મેળવે છે. બીજી વ્હેરામાંથી તે પાણી જમીન પીએ છે, અને તેથી વેલેારની ખાણુની જમીન આખા કર્ણાટકમાં સુદરમાં સુંદર છે.
ભારામહાલ.
પછી ડૉ. ક્ષુકનન પૂર્વધાટ ઉપર ચડવા અને બારામહાલમાં આવેલા વેકન્સગિરિ પહેાંચ્યા. આ દેશમાં ચેડાં વર્ષ ઉપર મનાએ જમાબન્દી કરી હતી. આ દેશના ચઢાણુ ઢાળાવાથી ડા. બુકનનને ઈંગ્લેંડનું સ્મરણ થયું. તેના અભિપ્રાય પ્રમાણે આ દેશના અર્ધ ભાગમાં ખેતી હતી. બાકીની જમીન વીડીની હતી અને તેમાં ઢાર ચરતાં. કાચી માટીમાંથી અને કાળી રેતીમાંથી લેતું કહાડવામાં આવતું અને ઘણા ભાગેામાં મીઠું મળી આવતું. જમીન રતાશ પડતી હતી અને Graniteના મિશ્રણવાળી લાલ ferruginous માટીની બનેલી હતી; ગામડાંઓમાં અને શહેરમાં દીવાલે આ માટીની બનાવેલી હતી; અને રાતા અને ધેાળા પટાથી એને ર ંગીને શણગારવામાં આવેલી હતી. કેટલેક ઠેકાણે અગાશીમાં પણ આજ માટી વાપરેલી જણાતી હતી.
પૂર્વ હૈ સૂર
હવે ડૉકટર બુકનન હૈમૂરની હદમાં દાખલ થયા. ત્યાં ટિપુસુલતાનના પડ્યા પછી લાડવેસલીએ ખેસારેલા નવા રાજાનું રાજ્ય હતુ. વલ્લુરૂ કરીને મેટા ગામમાં સાપ્તાહિક મેળેા ભરાતા હતા; અને જાડું સુતરાઉ કાપડ બનતું, જે પરદેશ પણ જતું હતું. પડાશનાં ગામેમાં કાંબળીએ પણ બનતી હતી. દસમાંથી સાત ભાગ જેટલી જમીન ખેડવાણ હતી; અને આને વીસમે ભાગ પીત જમીન હતી. પન્નારના કિનારા ઉપર ડાંગર થતી. ખેતરામાં શ્રી ખાતર નાંખી, અને હુળ, પાડા અને બળદોથી ચાલતાં હતાં.
11
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પ્રકરણ ૪ થું.
દસમી મેએ બુકનન બેંગલોર આવ્યો. આ શહેર હૈદરઅલ્લીએ પોતાની સરહદ ઉપર એક સુંદર મુસલમાની શિ૮૫પદ્ધતિ ઉપર લશ્કરી કલા તરીકે બાંધ્યું હતું; પણ ટિપુ સુલતાને બ્રિટિશના બળ સામે નકામું ગણી તેનો નાશ કર્યો હતો. અહીંઆ ચોરસ તકતીઓવાળા વિશાળ બગીચાઓ હતા. આ હવામાં દ્રાક્ષ પુષ્કળ થતી, નારંગી અને પીચને સારાં ફળ બેસતાં અને કેપફગુડહાપથી આણેલા પાઈન અને ઓકનાં ઝાડો સારી હાલતમાં હતાં. બેંગલરની નજીકની ખેડવાણ જમીન ચાર દશાંશ જેટલીજ હતી. અને પૂર્વે જે જમીનમાં વાડીઓ હતી તે હવે ઉજજડ પડી હતી, કારણ કે તરતના યુધ્ધાને લીધે તળાવની કેઈએ દરકાર રાખી નહતી. હૈદરઅલી એ રાજ્ય આબાદ રાખ્યું હતું. તમામ લોકે ડૉ. બુકનનને મોઢે હૈદર અલીનાં વખાણ કરતા હતા પણ ટિપુના જુલમથી અથવા તેની લડાઈઓના પરિણામમાં દેશમાં કષ્ટ ઘણું હતું અને ખેડુતનો ચાર દશાંશ ઘરગામ છોડીને નાસી ગયો હતો.
૧૮ મીએ ડાકટર શ્રીરંગપટ્ટણમાં દાખલ થયો, અને ખાત્રીપત્ર રજુકર્યા, વળતે દહાડે તેણે પુણઆ પ્રધાનની મુલાકાત લીધી જેનાં જનરલ વેસલી અને જે જે અંગ્રેજોની સાથે તે સંબંધમાં આવ્યો હતો તે બધા બહુ વખાણ કરતા હતા. ટિપુ સુલતાનના વખતમાં પણ પુણ્આ ની સત્તા પુષ્કળ હતી, અને જે ટિપુએ એની સલાહ માની હતી તે ટિપુ ઉર્યો હત. ટિપુ પડ્યા પછી નવા રાજાના રાજ્યમાં તે મહેસૂરનો વાસ્તવિક રાજા થશે.
ટિપુ સુલતાનના વખતમાં શ્રીરંગપટ્ટણની વસતિ ૧૫૦૦૦૦ માણસની હતી. પણ ટિપુનાં યુદ્ધ પછી હાલ તે ૩૨૦૦૦ ની સંખ્યા થઈ ગઈ હતી. કાવેરીના ઉત્તર કિનારા તરફના મુલકનું નામ પટ્ટનઅષ્ટગ્રામ હતું. અને દક્ષિણ કિનારા તરફના મુલકનું નામ મહાસૂઅષ્ટ ગ્રામહતું. નદીની બે બાજુએ મુલક ઉંચાણું હતું. અને સ્વાભાવિક રીતે ફલપ હતો. ચારે તરફ હેરોની યંજનાથી જમીનોને પાણી આપવાની સારી ગોઠવણ હતી. કાવેરીનું પાણી ઠેકાણે ઠેકાણે ઘણે ખરચે બંધ બાંધીને આ નહેરમાં દાખલ કરવામાં આવ્યું
Page #174
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૬૩
હતું. આ ઉપયોગી અને ગંજાવર કામ હૈદરે બાંધ્યાં હતાં કે પૂર્વના હિંદુ રાજાઓએ બાંધ્યાં હતાં તે બુકનનના હેવાલ ઉપરથી નીકળતું નથી; પણ ટિપુના યુધ્ધોના અરસામાં બહુ નુકસાન થયું હતું. મોટાં મંદિરે, ગામડાંઓ અને બંધો તોડી નાંખવામાં આવ્યા હતા, અને હેરે પુરાઈ ગઈ હતી. પરંતુ, પૂર્વીઆની વ્યવસ્થા દરમીયાન વેપાર ઉદ્યોગ પુનઃ સજીવન થતાં હતાં; “દરેક ઠેકાણે ઉદ્ધારનાં ચિન્હો દેખાય છે; ગામડાંઓ ફરીથી બંધાય છે; નહેરો સાફ થાય છે, અને હરણ અને જંગલના દરોગાઓને બદલે હવે ગરીબ અને શાન્ત બળદો ખેતરોમાં મજુરી કરવામાં મંડી પડ્યા છે.”
મહેસૂરમાં ડાંગર કાપવાની અને સાચવી રાખવાની રીતનું ડા. બુકેનને સવિસ્તર વર્ણન આપ્યું છે. કાપતાં પહેલાં એક અઠવાડીઆ અગાઉ ખેતરોમાંથી પાણી કહાડી નાંખવામાં આવે છે; પછી જમીનમાંથી ચાર ઈંચ ઊંડાં દૂડાં કાપે, અને દૂડાં, નીચે રાખીને તેને ઢગલે કરે. એક અઠવાડીઆ પછી એને ખળાં માં પાથરે; અને તે ઉપર બળદો ફેરવી-તેના ૬૦ કન્ડક અથવા ૩૩૪ મુશળના ઢગલા કરે છે. દરેક ઢગલા ઉપર માટીની નીશાઓ કરી પરાળથી છાઈ નાંખે છે. અને જે ભાગ હેચાય ત્યાં સુધી તે તેજ સ્થિતિમાં રહે છે. પછી ખેડુતો પોતાનો ભાગ અનેક રીતે સંઘરી રાખે છે. કેટલાક સાંકડી ખાણ કરીને તેમાં રાખે છે. તે ખાણે કઠણ પથરાઉ જમીનમાં હોય છે, ૨૪ ફૂટ ઉંડી હોય છે અને તેની ચારે તરફ ભોંયતળીયે તેમજ બાજુએ અને ઉપર પરાળનું અસ્તર નાંખે છે. દરેક ખાણમાં ૮૪ થી ૧૬૮ બુશલ જેટલી ડાંગર માય છે. બીજા, પાટીયાની જમીનવાળી વખારમાં ભરી રાખે છે. કેટલાક માટીની કોઠીઓમાં ભરે છે. તેના મહા ઉપર એક વાસણ ઉંધું મૂકીને છાંદી દે છે; અને જ્યારે જોઈએ ત્યારે નીચે એક બાકોરું પાડેલું હોય છે તેમાંથી ડાંગર કહાડવામાં આવે છે. કેટલાક તે પરાળના કોથળાઓમાં ડાંગર ભરી રાખે છે. ડાંગર સીવાય મગ, તલ, શેલડી પણ શ્રીરંગપટ્ટણ આગળ ઉગે છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પ્રકરણ ૪ થું. આકાશીઆ ખેતરોમાં રગીનું વાવેતર ખુબ થાય છે, ગરીબ લોકે તેના ઉપર નિર્વાહ ચલાવે છે. આ સિવાય બાજરી અને જવાર પણ પુષ્કળ થાય છે.
શ્રીરંગપટ્ટણની આસપાસ દરેક ખેડુને બેથી ત્રણ સાંતી જેટલી જમીન હેય છે. એક સાંતી વાળા ગરીબ હોય છે પણ ચાર પાંચ સાંતીવાળા માતબર ખેડુ કહેવાય છે. પાંચ હળથી એક માણસ લગભગ ૨૫ એકર આકાસીઆ અને સાડાબાર એકર વાડીની જમીન ખેડે છે. ખેડુ જ્યાં સુધી મામુલી રીત મુજબ સાંત આપ્યા કરે ત્યાં સુધી તેને કહાડી મૂકવામાં આવતું નથી. ટિપુના રાજ્યમાં પણ આવું કૃત્ય તો વિસ્મય અને ફર્યાદનું કારણ થઈ પડતું. બીજી તરફ સાથ લેવાની સાથે તળાવ તથા હેર સારી સ્થિતિમાં રાખવાની ફરજ સરકાર ઉપર છે. શ્રીરંગપટ્ટણ આગળ ખેતીવાડીના મજુરોને મહીને ૬ શીલીંગ ૮ પેન્સ (રૂ. ૩-૬-૫) ને પગાર છે. પણ બહાર ગામડાંઓ ૫ શીલીંગ ૪ પેન્સ (રૂ. ૨-૧૧-૦ ) છે. સ્ત્રીઓ વખતો વખત ખેતરોમાં કામ કરે છે, અને માથા ઉપર ખાતર ખેતરમાં લઈ જાય છે. તેઓ સામાન્ય રીતે પોશાક ઠીક પહેરે છે, અને દેખાવમાં સુંદર છે. આ દેશની સતત મજુરી કરતી સ્ત્રીઓનાં જેવાં સુંદર શરીરે મેં બીજે કંઈ જોયાં નથી. તેમના કંઠ અને હાથ ખાસ કરીને સુઘટિત છે.
તા. ૬ ઠી જુનને દિવસે બુકનન શ્રીરંગપટ્ટણથી પાછો બેંગલોર તરફ રવાના થે. મુંડીયમમાં ડાંગરની જમીન તળાવથી જ પાણી પીતી તેને માલુમ પડી. મદરામાં એક મોટું તળાવ તેણે દીઠું. જે સાતમેં વર્ષ ઉપર વિષ્ણુવર્ધન રાયે બાંધેલું કહેવાતું હતું. પાસેની નદીમાંથી બંધ બાંધી અને રે કહાડી. ને તેમાં પાણી લેવામાં આવતું; અને બરાબર સ્થિતિમાં હોય ત્યારે તેનાથી આસપાસની બધી જમીન બારે માસ પાણી પીતી. ચિનાપટ્ટમ જ્યાં પહેલાં જસદેવરાય નામના એક પાળેગાર રહેતા હતા ત્યાં કાચની વીંટીઓ, બંગડીઓ, તંબુરા, સારંગી વગેરેના લોઢાના તાર, સ્વચ્છ સફેદ સાકર, અને એ ચિત્રવિચિત્ર માલ બનતે હતો. આગળ ચાલતાં રામગિરી આવ્યું. પણ
Page #176
--------------------------------------------------------------------------
________________
~
~
~
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૫ ૧૭૯૨ ની કોર્નવોલિસની ચઢાઈથી ત્યાં બહુ નુકશાન થયું હતું, અને વસ્તિનો મોટો ભાગ ભુખમરાથી મરણ પામે હતો. મગદી આગળ થઈને નીચી નીચી ટેકરીઓ અને ખીમાં થઈને રસ્તો પસાર થતો હતો, જેના ઉપર આકાશીઆમોલ ઉગતા હતા. સવનદૂર્ગા આગળ સાગ અને વાંસ પેદા થતા હતા પણ આ ગામ ઑર્ડ કોર્નવૅલિસે સર કર્યું હતું, અને તે પછીથી તે વસ્યું ન હતું. પાસેના ડુંગરોમાં લે કહાડવામાં આવતું હતું, અને તેને શુદ્ધ કરી તેમાંથી ખેતીનાં ઓજારે બનાવવા અને લડાઈનાં હથિયારો માટે ગજવેલ બનાવતા હતા. ત્યાં આગળ વળી સુખડ અને બીજે સાગવાની કાટ પેદા થતો હતો અને હિંદુસ્તાનના સુપ્રસિદ્ધ રંગને માટે લાખનાં જીવડાં ત્યાં ઉછેરવામાં આવતાં હતાં. તારીખ ૨૧ મી જુને બુકનન બેંગલોર પહોંચ્યો.
હૈદરઅલીના વખતમાં બેંગલોરમાં બહેળો વેપાર અને પુષ્કળ કારીગરી હતી. ત્રિપુ સુલતાને મૂર્ખાઈથી નીઝામના રાજ્ય અને કર્ણાટક સાથેનો તમામ વેપાર બંધ કર્યો હતો અને તેથી બેંગલોરનો વેપાર છેક ઉતરી ગયો હતું. પરંતુ હિંદુ રાજ્યનું પુનઃ સંસ્થાપન થયું તે પછી આ શહેર પાછું આબાદ થયું હતું. પુનાના વેપારીઓ કાશ્મીરી શાલે, કેસર અને કસ્તુરી લાવતા, અને સુરતથી મોતી લાવતા હતા; બુરાનપુરના વેપારીઓ છાંટ, મળી, કાપડ અને કસબ લાવતા; નિઝામના રાજ્યમાંથી સુનેરી રૂપેરી બુટ્ટીવાળું લાલ સુતરાઉ કાપડ આવતું અને કર્ણાટકમાંથી મીઠું, કલઈ, સીસું, તાંબુ અને યુરેપનો માલ આવતો, તેમજ બેંગલોરમાંથી સોપારી, સુખડ, મરી, એલચી અને આંબલીનો નીકાસ થતો હતો. ઉપરાંત કાંબળીઓ અને રૂ ઘણું આયાત થતું હતું.
માલ, પશુઓ ઉપર પિઠ નાંખીને એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈજવામાં આવતો હતો. એક વર્ષમાં ૧૫૦૦ પિઠે રૂની, ૫૦ સુતરની, ૨૩૦ કાચા રેશમની, ૭૦૦૦ પિઠે મીઠાની અને ૩૦૦ પરદેશી માલની આયાત કરવામાં આવી હતી. અને ૪૦૦૦ પોઠે સોપારીની અને ૪૦૦ મરીની નીકા
Page #177
--------------------------------------------------------------------------
________________
'પ્રકરણ ૪ થું. "
સ થતી હતી. વણકરો દેશના બરનું કાપડ વણતા, અને રેશમના વણનારાઓ ઉમદા અને મજબુત રેશમી કાપડ બનાવતા. રેશમને લાખો લાલ રંગ, કપીલીપેડીથી કેસરી રંગ, અને tumeric નો પીળો રંગ ચડાવાત. રેશમી કેર વાળાં સુતરાઉ કપડાં બનાવનારાઓને રેજના છ આના મળતા, અને રેશમી કાપડ બનાવનાર મજુરને રોજના સાડાચાર આના મળતા હતા. વણકરને શાહુકારો નાણાં ધીરતા, અને તેઓ ખાનગી રીતે પોતાનો માલ વેચતા. પણ જાહેર બજારમાં કદી લઈ જતા નથી. જુદીજુદી જાતનાં મસલીનો પણ બનતાં હતાં, અને તેનું પુષ્કળ વેચાણ થતું હતું. બ્રાહ્મણ સિવાયની જુદી જુદી નાતની સ્ત્રીઓ સાપ્તાહિક બજારોમાંથી રૂ લઈ આવતી, ઘેર કાંતતી અને વણનારાઓને સુતર આપતી; અને આમ બધી નાનાં સ્ત્રી પુરૂષોને કાંતવા વણવાનો ફાયદાકારક રોજગાર હતો.
રંગવાના કામમાં ગળી બહુ વપરાતી. ચામડું કેળવવાનો ધંધે ઠીક નફો આપત. અને એરંડીયું, કેપરેલ અને મીઠું તેલ જથાબંધ તૈયાર થતું અને વેચાતું.
બેંગલોર પાસેના એક ગામડામાં છે. બુકનનને તપાસ કરતાં માલમ પડયું હતું કે ત્યાં અગાડી શાહુકારો સાથ ભરી દેવા માટે ખેડુતોને નાણાં ધીરતા અને તેના બદલામાં વ્યાજ અને મુડી બે મળીને અરધો માલ ઉપાડી જતા. ગ્રામપૂગેમાં માલની હેચણી શી રીતે થતી હતી, તેનું વર્ણન ડે. બુકનન આ પ્રમાણે આપે છે. ૨૪૦૦ શેર-અથવા ૨૮૦૦ રતલના ઢગલાના નીચે પ્રમાણે ભાગ પડતા. નામ. શેર.
નામ. ગામ ગોરણ ૫
મારો
વરતણુઓ જોશી
૧
મુખી બ્રાહ્મણ
૧
પટવારી
ઝાંપે
Page #178
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
હજામ કુંભાર લુવાર
પગી કામદાર પટેલ પાણીવાળા
૬૫
ધોબી
૨ ૦
કુલ ૧૬૯ આ રીતે ખેતરની કુલ પેદાશના સાડાપાંચ ટકા જેટલું અનાજ વહેંચ્યાથી વાળંદ, કુંભાર, લુવાર, ગેર જોશી વિગેરે તમામને લાભ આખા ગામને મળત. સિવાય દેશમુખ અથવા જમીનદારને દશ ટકા મળતા, અને બાકી રહે તે સરકાર અને ખેડુત વચ્ચે સરખે હિસ્સે વહેંચાતું. હૈદરઅલ્લીએ દેશમુખો નાબુદ કર્યા અને તેમને ભાગ સરકાર દાખલ કર્યો.
ઉત્તર મહેસૂર,
તા. ૩ જી જુલાઈએ બેંગલોર છોડી ડા. બુકનને ઉત્તર પ્લેસૂરમાં મુસા કરી કરી. કોલરની આસપાસના મુલકમાં કેટલાંક, ગૃહસ્થોએ ખોદાવેલાં તળાવ જોયાં. જેમાંનાં મોટાં મોટાં સરકારે ખેદાવેલાં હતાં. તે તળાવમાંથી જમીનોને પાણી પાવામાં આવતાં. હિંદુધર્મશાસ્ત્રમાં રાજ્ય ભાગ , , મુકરર કરેલ હતો; પણ જ્યારે દક્ષિણ હિંદુસ્તાનના રાજાઓએ રૂ સુધી ઊંચે ભાગ લેવા માંડે ત્યારે તેમણે મોટાં જળાશયોનાં ખરચ કર્યો અને તેઓ રાજભાગ નાણમાં લેતા નહિ પણ વજે ભાગજ લેતા હતા. '
કાલારની પીત જમીનમાં ડાંગર, શેલડી, સોપારી, શાકભાજી ઉગતાં હતાં. અને ડાંગેર લગભગ રાગીના જેટલી જ ઉપજતી હતી. ખસખસ પણ ઘણી થતી, તેનું અફીણ બનતું અને તે મીઠીરોટલી બનાવવામાં ઉપયોગમાં આવતી. ઘઉં ડાગર કરતાં અરધા થતા હતા. ખેતીને મજુરોને ૨૯ બુશેલ દાણે
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પ્રકરણ ૪ થું.
અને લગભગ ૭ રૂપીઆ વર્ષે દહાડે મજુરીના મળતા હતા. મજુરોમાં રોજીદ રેજ પુરૂષોને સવાબે આના, અને સ્ત્રીઓને દેઢ આનો હતો.
. ટીપુસુલતાનનાં યુધ્ધના સમયમાં અને તેના નિરંકુશ રાજ્ય અમલ દરમિયાન કલાર અને શિલાગુત્તને બહુ નુકશાન પહોંચ્યું હતું, પણ તે હવે ધીમે ધીમે આબાદીમાં આવતાં હતાં. તરેહતરેહવાર સુતરાઉ કાપડ એ સહુથી અગત્યની પેદાશ હતી. પશ્ચિમ તરફ જતાં ડો. બુકનન નન્દીદુર્ગ પહોચ્યા. આ પ્રસિદ્ધ શહેરની નજીકમાંથી ઉત્તર પન્નાર, પલાર અને દક્ષિણ પન્નાર નામની નદીઓ નીકળે છે. ડુંગરાઓની પેલી પાસનો મુલક ઉજજડ છે. પ્રથમ કરતાં ત્રીજો ભાગ પડતર છે. લોર્ડ કોર્નલિસની ચડાઈ પછી ગામડાઓ ભાંગી ગયાં છે. લેક કહેતાં કે અમારા ઉપર પાંચ જુદી જુદી આફતો આવી હતી. અનાવૃષ્ટિ, ત્રણ પસૈન્ય (દુશ્મનનાં લશ્કરો ) અને (એક મહૈસુરનું) સ્વસૈન્ય.
તા. ૧૮ મી જુલાઈએ ડા. બુકનન બલપુર આવ્યા. સોળમાં સૈકામાં વિજયનગરનું રાજ્ય જ્યારે ભાગ્યું ત્યારે આ, નારાયણ સ્વામિનામના પાળેગારના હાથમાં એક સ્વતંત્ર રાજ્ય થયું હતું. પણ પાછળથી તે મોગલ, મરાઠા, નિઝામ અને હૈદરઅલ્લીના હાથમાં પડયું હતું, અને આખરે હૈસુરના પુનઃસ્થાપિત વંશના હાથમાં આવ્યું. તે રાજ્ય છીંટ અને મઝલીન આયાત કરતું અને ખાંડ નીકાસ કરતું હતું. પશ્ચિમ તરફ આગળ જતાં મધુગિરિ આવે છે. ત્યાં પણ વિજયનગરના રાજ્યના પડી ભાગ્યા પછી એક સ્વતંત્ર પાળેગાર રાજ્ય કરતો હતો. તે પાછળથી હૈસુરના હાથમાં પડયું હતું. હૈદરઅલીએ ટેકરીઓ ઉપરના કીલ્લાઓ સમરાવ્યા હતા; અને એકસો વણકરેને વસાવ્યા હતા. ટિપુ સુલતાનના અમલમાં એ શહેર પડતીમાં આવ્યું હતું, અને લોર્ડ કોર્નવોલિસનાં હૈસૂર અને મરાઠાનાં યુધ્ધોથી તેની પાયમાલી થઈ ગઈ હતી. જ્યારે ડા. બુકનન અહીં આવ્યા ત્યારે ત્યાં ડાગર, રાગી, શેલડી, ઘઉં, કપાસ, કઠોળ, અને તલ-તથા તરેહતરેહનાં શાકભાજી થતાં
Page #180
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૬૯
હતાં. રાગીને લાયક આકાશીઆ જમીન રૂ. ૦-૯-૦ થી રૂ. ૧-૧૧-૦ સુધી સાંથ આપતી હતી. ખેડુતનેા પેાતાની જમીન ઉપર હક હતા, અને વર્ષો વીતી ગયા પછી પણ તે જમીનને કબજો લઇ શકતા હતા. દરમિયાનમાં જો આગ તુક ખેડુતે ક ંઇ સુધારા કર્યા હાય તેા મૂળ ખેડુતને તેનાં નાણાં આપવાં પડતાં. મજુરી, માણુસ મહીનાના રૂ. ૨-૦-૦ રળતા અને સ્ત્રીને ૧-૧૧-૦ મળતી આ દેશમાં વખતે વખત અનાવૃષ્ટિને લીધે તંગી પડતી પણ માણસમરકી થાય તેવા દુકાળા ભાગ્યે પડતા હતા. પણ જ્યારે તંગીની સાથે લડાઇ આવે અને દાણાનેા વ્યવહાર (વણુઝાર) બંધ થાય ત્યારે દુષ્કાળનાં સર્વ સંકા ઉત્પન્ન થાય. લાર્ડ કાર્નવાલિસની ચડાઇએના સમયમાં આવેલાં આવાં સંકષ્ટા દેવળ અષ્ટપૂર્વ હતાં. તે વખતે દેશના ઉપર ચારે તરફથી દુશ્મનેાના ઘેરા હતા, અને દેશની અંદર દુશ્મનેનાં લશ્કરેા તેમજ તેટલાંજ વિનાશકારક પેાતાનાં લશ્કરા પેસી ગયલાં હતાં ત્યારે કેવળ દુર્ભિક્ષને લીધે અરધેઅરધ માણસને બ્રાણુ નીકળી ગયા હતા.
તા. ૩૧ મી જુલાઇએ ડા. બુકનન સીર પહેાચ્યા. મેાગલાના વખતમાં આ શેહેર મેટું અને આબાદ હતું. તેમાં પચાસ હજાર ધર હતાં અને અઢીલાખ માણસની વસ્તી હતી. પછી તે હૈદરના હાથમાં ગયું અને મરાઠાની ચઢાઇએથી અને ટીપુના જુલમથી પાયમાલ થઈ ગયું. ત્યાં ડાંગેર-રાગી ઘઉં, શેલડી કઠોળ, કપાસ વિગેરે થતાં હતાં. સરકારની સાંથ કાઇવાર નાણાંમાં અને કાઇ વાર વજેથી અપાતી. ત્યાં સેાપારી, મરી, સુખડ અને તેજાના આયાત થતા હતા, અને કાંબળી, કાપડ, તેલ, ધી, આદુ અને નાળીએર બહાર મેકલાતાં હતાં. ઝીણાપાતવાળી પણ સાવિનાની મઝલીન અને જાડાં કાપ હતી કેટલીક તરેહ; એ મુખ્ય પેદાશ હતી.
ત્યાંથી પાછા મધુગિરિ જઇ ડા, બ્રુકનને ત્યાંના પ્રસિદ્ધ ઢારા સંબંધી કેટલીક તપાસ કરી. ત્યાં તેણે જોયુ કે દરેક શહેરમાં અને દરેક ગામમાં ઢાર ઉછેરવાને માટે ખાંડાં છે. માવાળ લાફા જ ગલના નાકા ઉપર રહે, થોડીક જમીન
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રકરણ ૪ શું.
ખેડે અને ઢારનાં દૂધ વગેરે શેહેરમાં વેચે. દરેક કુટુંબ વેરાના રૂ. ૨] આપે. ગિર અને તેની પડોશના મુલકમાં લહુ ગળાતું અને ગજવેલ બનતી. ત્યાંથી દક્ષિણ તરફ જતાં તળના કરાઈમાં ડા. બુકાનનને ખેતી ઠીક જણાઇ પણ તુંમકુસમાં તે જમીન ઉજડ હતી. અને ગામે કીલ્લાબંધ હતાં. અહીંઆં રાગી પુષ્કળ થતી, તેમ ડાંગેરના કયારા પણ ઘણા હતા. ત્યાંથી દક્ષિણ ગુખીકાંઇક ઠીક શહેર હતુ ત્યાં ૧૫૪ દુકાનેા હતી અને આઠે દહાડે બજાર ભરાતું. જાડું સફેદ અને રંગીન સુતરાઉ કાપડ, કામળી, ગુણપાટ, સેાપારી, નાળીએર, આમલી, દાણાઃ લાખ, લેઢુ અને ગજવેલ તમામ ચીજે આસપાસના મુલકમાંથી અહીં વેચાવા સારૂ આવતી.
_1
ડેારાગુડામાં લેઢાની ખાણેા હતી. તવીનાકરાય પણ કંઇ અગત્યનુ શહેર હતુ. તેને એક બહાર અને એક અ ંદર એ કીલ્લા હતા, અને કીલ્લા બહાર સાતસે ધરનું પરૂ હતું. પ્રથમ તે તે પાળેગારના મોટા કુટુંબના હાથમાં હતું. જેમાંના માત્ર એકે ચાર મેટાં મદિરા અને જમીન પાવા માટે ચાર મેટાં જળાશયો બાંધ્યાં હતાં. આસપાસના મુલકમાં પ્રથમ કટકે કટકે ખેતી થતી હતી, પણ પરશુરામભાઉની સરદારી વચે મરાઠાઓની ચડાઇ થઇ તેમાં તે પાયમાલ થઇ ગયુ હતું. ત્યાંથી દક્ષિણે ભેલુસ છે. જ્યાં ડાંગરના બરની સુદર જમીન છે અને મોટું તળાવ છે. એલુસ અને શ્રીર'ગપટ્ટણ વચ્ચે ચાળીસ માઇલને મુલક ૧૭૯૨ ની કૉર્નવાલિસની લડાઇથી ઉજ્જડ થઇ ગયા હતા. અને ટિપુસુલતાને લોકોને મેદાનના મુલક છેડી જ ગલમાં રહેવાની ફરજ પાડી હતી. ત્યાં તે ખીચારા ઝુંપડાંમાં રહેતા અને જેમ તેમ કરીને નિર્વાહ્ન કરતા. તેમાંના કેટલાક તો ભુખમરાથી મરણ પામ્યા હતા. અને જ્યારે બુકનને એની મુલાકાત લીધી ત્યારે અરધી વસતિ પણ ભરાઇ ન હતી.
મેલુસની નજીકમાં નાગ મગળના મુલક હતો. ત્યાં ગામડાના મુખી કઇક પેાતાની જમીને સાંથે આપે છે, બાકી લેાકેા પાસેથી ઉધરાવે છે. લેાકેાને જમીનની માલિકી હોય છે, અને જ્યાં સુધી જૂનાં ધારણ પ્રમાણે સાંથ આપ્યું
Page #182
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૭૧
જાય ત્યાં સુધી તેઓને કહાડી શકાતા નથી. ડાંગરની જમીનમાંથી જે ભાગ લેવાય છે અને આકાશીઆ જમીનની સાથે નાણામાં અપાય છે. શ્રીરંગપટ્ટણની દક્ષિણે આશરે પંદર માઈલ ઉપર મેલડટે છે. તે એક ઉંચી ટેકરી ઉપર સુંદર જગાએ બાંધેલું છે. ત્યાંથી કાવેરીની ખીણને અને મસુરની દક્ષિણમાં મહેસુરના ડુંગરાઓના પશ્ચિમ ઘાટનો અને પૂર્વમાં સવનગંગા અને શિવગંગાને રમણીય દેખાવે નજરે પડે છે. ત્યાં એક વિશાળ સુપ્રસિદ્ધ હિંદુ મંદિર છે. તેની આસપાસ સ્તંભની રચના છે, અને વચમાંના મોટા તળાવની આસપાસ યાત્રાળુઓને માટે મેટાં મકાન બાંધવામાં આવેલાં છે. એમ કહેવાય છે કે આ મંદિરના દાગીના ખેંચી લેવામાં ટિપુ સુલતાનને પણ ભય લાગ્યો હતો. પછી તે શ્રીરંગપટ્ટણની ત્રીજોરીમાં રાખવામાં આવ્યા હતા, અને અંતે બ્રિટિશ સેનાએ જ્યારે તે રાજધાનીનું શહેર કબજે કર્યું ત્યારે તે દાગીના બચાવ્યા હતા.
મલાયકોટાની દક્ષિણે ટોનર છે ત્યાં ડા. બુકનને યાદવનિધિ નામનું મોટું સરોવર જોયુ, જે અગીઆરમા સૈકામાં પ્રસિદ્ધ સુધારક રામાનુજાચાર્ય બંધાવ્યું હતું એમ કહેવાય છે. “બે મેટી ટેકરીઓ વચ્ચે બે પહાડી ધોધ વળતા હતા; ટેકરીઓ વચ્ચેના આ માર્ગને રામાનુજે ૭૮ કયુબિટ ઉંચી, ૧૫૦ કયુબિટ લાંબી, અને પાયામાં ૨૫૦ કયુબિટ પહોળી એક દીવાલથી બાંધી લીધો. વધારાનું પાણી ઘણી મહેનતે કહાડેલી એક સેરમાંથી વહી જાય છેઅને તે એટલી લાંબી છે કે તેનાથી ત્રણ ચાર માઈલ દૂર સુધી આસપાસના ખેતરે પાણી પીવે છે. આ સરોવર જ્યારે પૂરું ભરાય ત્યારે ખેડુતોને બે વરસ સુધી ચાલે એટલું પાણી તેમાં થાય છે.” તા. ૧ લી સપ્ટેમ્બરે ડા. બુકાનન શ્રીરંગપટ્ટણ પાછો આવ્યો.
દક્ષિણ મહેસૂર, ડા. બુકાનને શ્રીરંગપટ્ટણ તા. ૫ મી સપ્ટેમ્બરે છેડયું અને ત્યાંથી દક્ષિણ મહેસૂર તરફ ચાલ્યો. પહેલાં તે પાલહુલી આગળ તે ગયે. તાજી લડાઈ
Page #183
--------------------------------------------------------------------------
________________
- ૧૭ર
પ્રકરણ ૪ થું.
થી તદન નાશ પામ્યું હતું પણ ત્યાં તેણે કાવેરી નદીમાંથી કહાડેલી બે હેરો જોઇ, જે મહેસુર અષ્ટગ્રામના આખા જીલાને પાણી પાતી હતી. આમાંની એકમાં એક જીવતો ઝરે હતો જે કદી સુકાતો નહીં અને તેથી કરીને સુકી મોસમમાં પણ ખેડુતો ડાંગરનો પાક કરી શક્તા હતા. - કાવેરીની એક શાખા લક્ષ્મણતીર્થ નામની નદી નન્દી દૂર્ગના ડુંગરોમાંથી નીકળે છે. આ નદીમાંથી છ નહેરો કહાડવામાં આવી છે. ને બધી જમીન પાય છે. આ હેરોના બંધ બહુ સુંદર બાંધણીના છે અને એના ઉપરથી પડતા ધોધનો દેખાવ બહુ રમણીય થાય છે. આ હેરોથી પહેલાં આશરે ૧૮૦૦૦ એકર જમીન પાણી પીતી.
આ મુલકમાં વંશપરંપરાના ગાડ–અથવા ગામના મુખીઓ નથી. અને ઉપજ ઇજારદારો વસુલ કરે છે. તેઓ પૂર્વના મહૈસુરના રાજાઓએ ઠરાવેલા વહીવટથી વધારે, ખેડુત પાસેથી લઈ શકે નહિ. હૈદરઅલ્લીએ હરકાર એટલે જમીનની મેહેસુલના તજવીજદારો નીમ્યા હતા તેમનું કામ ઇજારદારોને અંકુશમાં રાખવાનું અને લોકની ફરિયાદો સાંભળવાનું હતું. ટીપુસુલતાને હકારા કહાડી નાખ્યા તેની અસર એ થઈ કે લોકેના ઉપર જુલમ થયા, અને રાજ્યની ઉપજમાં દગા થયા.
આગળ, પશ્ચિમ તરફનો મુલક બધે ઉજજડ થયો હતો; ૧૭૬૧ માં બાજીરાવ અને તેના મરાઠા સરદારોથી અને રહ્યું સહ્યું ૧૭૯૨ માં કૉર્નલિસની ચડાઈથી. પ્રિયપટ્ટન એક મોટું શહેર હતું અને નદીરાજ નામના એક પાળેગારના હાથમાં હતું. આ પાળેગારના કુટુંબ પાસે ઉત્તરમાં કાવેરીથી અને પશ્ચિમમાં કૂર્ગની સરહદ સુધીનો મુલક હતા, અને તેઓ કૂર્ગના રાજાને એકલાખ રૂપિયાની વાર્ષિક પેશકશી આપતા. એમ કહેવાય છે કે આ કુટુંબ બના એક પાળેગારે ૧૬૪૦ માં મહૈસુરની હામે બહાદુરીથી પોતાની જાગીરનું રક્ષણ કર્યું હતું. અને જ્યારે એમ માલુમ પડ્યું કે હવે બચી શકાશે નહીં ત્યારે પિતાનાં બૈરાં છોકરાને મારી નાંખ્યાં અને પછી તલવાર સાથે શત્રુઓની
Page #184
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ, ૧૭૭ વચમાં પડશે અને માર્યો ગયો. તે પછી પ્રિયપટ્ટન કૂર્મ અને મહેસૂર વચ્ચેની સરહદની લડાઈઓનું સ્થળ થઈ પડ્યું. ટિપુસુલતાને કુર્ગ જીત્યું ત્યારે તેને નુકશાન પહોચ્યું હતું, અને બ્રિટિશ સાથેના ટીપુના યુદ્ધમાં પાયમાલ થઈ ગયું હતું. ડા. બુકનન કહે છે કે “તે શહેરના ખંડેરોમાં વાઘોનો વાસ થયો છે; અને મને વાઘના વસવાટવાળા તે શહેરનાં મંદિરોની મુલાકાત લેવી દુરસ્ત લાગી નહિ.”
પ્રિયપટ્ટનની આસપાસની પીત જમીન સરોવરમાંથી પીએ છે. પણ આ મુલકના દક્ષિણ ભાગને લમણુતીર્થની નહેરમાંથી પાણી મળે છે. તેમાં ડાંગર, શેલડી, રાગી, ચણું કઠોળ, તલ વગેરે મોલ ઉપજે છે. ખેતીના મજુરને વર્ષ દિવસના ૧ પાઉંડ (૧૦) રૂપિયાથી ૧૩ રૂપિયા સુધી પગાર અને એક ટંક જમવાનું મળે છે. અને સ્ત્રીઓને વર્ષ દિવસના ત્રણ રૂપીયા અને બે વારનું મળે છે બેસાંતીવાળા માણસ પાસે ઘણે ભાગે ચાળીસ બળદ, પચાસ ગાય, છ સાત ભેંશ અને સોએક ઘેટાં બકરાં હોય છે. પીત મોલની ઉપજ ગામના કર અપાઈ રહે તે પછી રાજ્ય અને લેક વચ્ચે સરખે ભાગે વેંચાય છે. લડાઈ પહેલાં તાડના બગીચા પુષ્કળ હતા અને ચરો પણ સારો હતો. જંગલના કાંઠા ઉપર સુખડનાં ઝાડે થતાં. - પ્રિયપટ્ટણથી નૈઋત્યમાં નગોડુ આગળ ડા. બુકનને લક્ષ્મણતીર્થને એક બંધ જોયે. તેનું વર્ણન આપતાં લખે છે કે નદીની વચમાં પડેલા ડુંગરાઓનો લાભ લેવામાં આવ્યો છે. જ્યાં ઉંચાઇની ખામી છે ત્યાં પથરાથી પૂરી દઈ સરખું કરવામાં આવ્યું છે. તે અત્યારે એક સુંદર બંધ જેવું થઈ રહ્યું છે. તે ઉપરથી સો વાર લાંબો અને ચાર ફીટ ઉંચે એક ધેધ પડે છે. તે આરપાસ લીલોતરી અને ઝાડીવાળો મુલક હેવાથી બહુ રમણીય દેખાય છે. આ બંધને લીધે પાણીનું વેણ પૂર્વ તરફનું થયું છે, આનાથી આશરે ર૬૭૮ એકર જમીન પાછું પીએ છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રકરણ ૪ થું. ~ ~
~ હનગોડુથી અગ્નિ કોણમાં હેગડદેવનું જુનું રાજ્ય આવેલું છે. એમ કહેવાય છે કે પંદરમા સૈકામાં આ રાજાએ આ મુલક વસાવ્યો હતો. છેક હૈદરઅલીના વખત સુધી આ ગામમાં આશરે હજાર ઘર હતાં પણ જ્યારે બુકનને મુલાકાત લીધી ત્યારે માત્ર એંશી હતાં. આ મુલક સુખડનાં લાકડાં માટે પ્રખ્યાત છે. તેનાથી આગળ પૂર્વ તરફ મોટા બેટ નામને છેલ્લે લેઢાની ખાણે માટે પ્રખ્યાત છે.
તા. ૧ લી અકબરે ડા. બુકનન કાવેરીની એક શાખા કાપિની નદી ઉપર આવેલા તૈફ આગળ પહોચ્યા. આ મુલકમાં કેટલાંક ગામડાંઓમાં ગડ
કે વંશપરંપરાના હતા. લેક તેમજ સરકાર જારદાર કરતાં આ લોકોને વધારે પસંદ કરતા. વંશપરંપરાના ગેડે ખેથી વધારે વાકેફ છે. તેમને ખેડુત પ્રીતિથી માને છે અને સાહુકારો સાથે તેમની આંટ ઇજારદાર કરતાં વધારે છે. જે વખતસર સરકારહક ન ભરાય તો ગામને સરકારી કામદાર કેન્દ્ર ઉપર જપ્તી કરે; સરકાર હકને જે મોલ આવ્યો હોય તે વેચી નાણું કરવાનું કામ તેનું. તૈફ અને નરસિંગપુર બેની આસપાસ સાિંદર્ય મનહર છે. દરેક ખેતરની આસપાસ સારી વાડ નાંખવામાં આવેલી છે, ખેતી પણ સારી છે, જમીન બધી ઉંચી છે. ડાંગરની ખેતી નથી.
નરસીંગપુર કાવેરી ઉપર આવેલું છે, તેમાં બે મંદિરો અને આશરે બસેં ઘર છે. તેની નજીકમાં ઉમદા કાળી જમીન છે જેમાં કપાસ પુષ્કળ થાય છે. ઘઊં અને વળું પણ તેટલાજ થાય છે અને રાતી જમીનમાં રાગોને પાક ઉતરે છે.
કઈમટુર. ઓક્ટોબરની શરૂઆતમાં ડા. બુકનને મહેસુર છેડ્યું અને કઈમટુર જતાં બ્રિટિશ હદમાંથી પસાર થયા. કેલિગલા જીલ્લામાં ખેતી સારી હતી. સુમારે ચાળીસથી પચાસ મોટાં તળાવો હતાં. જે એંશી વર્ષ ઉપર મહેસુરના
Page #186
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૭૫ રાજ્યકર્તાઓએ સમરાવેલાં હતાં. અને તે મુલક કમ્પનીના હાથમાં આવ્યા પછી કમ્પનીના નેકરોએ પણ કંઈક સમારકામ તેના ઉપર કરાવ્યું હતું. સમરાવ્યા વિના પડી ગયેલાં તળાવની જમીનમાં થઈને ચાલતાં ડા. બુકનનને તમામ જમીન પડતર માલુમ પડી; આ મુલકમાં જળાશય ઉપર ખેતીને આટલો બધો આધાર હતો. દેશાધ્યક્ષ મેજર મેકલાઉડે-ગૌડેની સત્તા નાબુદ કરી હતી. અને તેમને માત્ર પગાર મુકરર કરી સરકાર તરફથી ઉઘરાતદાર તરીકે રાખ્યા હતા. આ રીતથી બેશક જમીનની મહેસુલમાં વધારો થયે, પણ તેથી હિંદની જુની ગ્રામસંસ્થા નબળી પડી.
ગંગનચેકીનો ભવ્ય ધોધ અને શીવનસમુદ્રન ટાપુ-એ બેને જોઈને . બુકનનને વિસ્મય થે. બિરા ચોકીને દક્ષિણને ધોધ એને વધારે રમ ણીય લાગ્યો. ત્યાં તેને કહેવામાં આવેલું કે શિવસમુદ્રનું રાજ્ય આશરે ૧૨૦૦ ની સાલમાં સ્થાપવામાં આવ્યું હતું પણ તેને પિતાને ૧પ૩ની સાલ વધારે શકય લાગી હતી. આસપાસની સત્તાઓના સંયુક્ત આભિઘાતથી ત્રણ પેઢી પછી તે રાજ્ય પડી ભાગ્યું હતું.
કોલગેલા અને સાતગેલાના મુલકે અહીંથી પશ્ચિમમાં આવ્યા. ત્યાં પૂર્વ ઘાટના ડુંગરાઓ ઊચાણ સપાટીથી ૨૦૦૦ ફુટ ઊંચા હતા. પાલીઆ સુધીના મુલકની ખેતી સારી હતી. પણ તેની પેલી પાસ અરધ કરતાં વધારે જમીન પડતર હતી, અને તળાવે નાશ પામ્યાં હતાં. પૂર્વ તરફ આગળ જતાં ડા. બુકનને મથુલી આગળ ઘાટમાં પ્રવેશ કર્યો અને પર્વતમાં ને પર્વતમાં કાવેરી નદીમાં આવેલા કાવેરીપુર સુધી પહોંચ્યા. અહીંઆ આગળ પર્વતના માર્ગનું રક્ષણ કરવા પાળેગારે એક કીલે બાંધ્યો હતો. - કાવેરીપુર આગળ એક પ્રાચીન જળાશય હતું. તેનાથી ૨૫૦૦ એકર જમીન પાણી પીતી. પચાસ વર્ષ ઉપર તે તળાવ ફુટી ગયું હતું અને પછીથી તેને કોઈએ સમજાવ્યું નહતું. કાવેરીપુર આગળથી ઉપલા અને નીચલા મુલક વચ્ચે ઘણો વેપાર ચાલતો, અને ડા. બુકનનને હમેશાં ચાળીસથી
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રકરણ ૪ થું.
પચાસ પેઠે રસ્તામાં મળતી હતી. કાવેરીની એક શાખા તુમ્બુલને કાંઠે કાંઠે પાંચ પ્રાચીન સરોવરે હતાં તે પચાસ વર્ષ ઉપર ફુટયાં હતાં પણ કોઈએ સમરાવ્યાં નહોતાં.
ઉપર કહ્યું છે તે પ્રમાણે ગડ–લોકોને નવા રાજ્યમાંથી બાતલ કર્યા હતા. અને મેજર મેકલાઉડના વહિવટમાં આ દેશમાંથી ૧૦૨૯૩ પાઉંડ અને ૧૬૫૪૫ પાઉંડ વચ્ચે વાર્ષિક ઉપજ આવતી; જે, પગારદાર તહસીલદારોની મારફત ઉઘરાવાતી. આ તહસીલદારના હાથમાં મહેસુલી-ફોજદારી ન્યાયા ધીશની અને પોલિસની સત્તા હતી. ખેતીના મજુરને ર થી ૩ રૂપીયા વર્ષે દહાડે પગાર, રહેવાને ઘર અને મહીને ૧બુશેલ (?) દાણો મળતા. તેમની સ્ત્રીઓ જે કામ કરી શકે તેવી હોય તેમને દાડી મળતી. ઘાટ ઉપરની ખેતીની સામગ્રી કરતાં અહીંની સામગ્રી વધારે દરિદ્ર હતી.
૧૯ મી અકબરે ડા. બુકનન ભવાની નદી ઉપર નળરાયન સુધી આવ્યો. રસ્તામાં જે મુલક જે તેને પિણે ભાગ પડતર હતો. ભવાનીની વચ્ચે બાંધવામાં આવેલા એકબંધે નદીનું વેણુ બે ભાગમાં વહેચાઈ ગયું હતું. આ નહેરોમાંથી પીતી જમીન વર્ષ દિવસમાં એક પાકતો અવશ્ય આપતી. બીજી થોડી જમીન જે તળાવમાંથી પાણી પીતી હતી તેમાંથી બે પાક પણ મળતા પણ ત્યાં પાણીને આગ અનિશ્ચિત હતો. કમ્પનીના રાજ્યમાં ઉપજ ગમે તે થાય પણ ખેડૂતોને પૂરેપૂરો કર આપવો પડતો. આ તેમને ભારે પડતું અને પૂર્વ પ્રમાણે કરવાની તેમની ઈચ્છા હતી. - અન્નામોદાવરી આગળ ભવાની નદીમાંથી કાઢેલી હેરેમાંથી પાણી પાઈને ડાંગરનો પાક લેવામાં આવે છે. અહીંને બંધ એકસો વીસ વર્ષ ઉપર નજયરાજે બંધાવેલ છે. જ્યાં પાણી પહોચતાં નથી. ત્યાંની જમીનને છો ભાંગ પણ ખેડવાણ નથી. જમીન સારી છે પણ જનરલ મેડોઝની ચડાઈ પછી ખેતી બંધ થઈ છે; કારણ કે વસતિ બધી ડુંગરાઓમાં ભરાઈ ગઈ અને ત્યાં ઘણે ભાગે મરણ પામી.
Page #188
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૭૭ સલેમને કંપનીને વેપારી આડતીયાએ ડે. બુકનનના આવતા પહેલાં થોડા માસ ઉપર આ મુલકની મુલાકાત લીધી હતી; અને કમ્પનીની ખરીદીને માલ પેદા કરવા વણકરોને નાણું ધીર્યા હતાં. તેમને બંગાળાના બાસ્તાને મળતું સાકાર નામનું કપડું વણવાનું સોંપ્યું હતું. તે ૩૬ યુનિટ લાંબુ અને ૨ યુબિટ પહોળું થતું
દક્ષિણ તરફ હોળી ખેતીવાળા મુલકમાં મુસાફરી કરતાં કરતાં ડા. બુ. કનન તા. ૨૮ મી અકટોબરે કાઈટુર પહએ. ત્યારે રાજા તે રાજ્યના મૂળપુરૂવથી ત્રીસમી પેઢીએ હત. આરંભમાં તે કુટુંબ મદુરાના રાજાને ખંડણી આપતું પણ પાછળથી મહેસુરની ધુરા નીચે આવ્યું. મહૈસુરના યુદ્ધોમાં આ જગાને ઘણું નુકશાન પહોંચ્યું હતું; પણ હાલમાં તે પાછું ઠેકાણે આવતું હતું અને આ વખતે ૨૦૦૦ ઘર તેમાં હતાં.
પડોશમાં ડાંગરની જમીન ઘણી હતી, જેને નોયલ નદીમાંથી કહાડેલી હેરોમાંથી પાણી પાવામાં આવતું હતું. આ જમીન ઉપર રાગી અને એવા બીજા મૌલો લેવાતા હતા. કેટલેક ઠેકાણે કપાસ અને તંબાકુ થતાં; અને શ્રીમંત ખેડુતો સોપારી અને નાળીએરની વાડીઓ કરતા. કોઈ ટુરથી પાંચ માઈલ ઉપર ટોપન બેટ આગળ લઢે ગાળતા હતા. આ જીલ્લામાં ૪૫૯ સાળો કામ કરતી. હલકી કોમોની સ્ત્રીઓ મોટી કાંતનારી હતી. સુતર ઉપર લાલ અથવા આસમાની રંગે જરૂર પ્રમાણે ચડાવાતા. કઈટુરના વણકરોને સલેમના આડતીઆએ બેવાર નાણાં ધીર્યા હતાં. વણકર પહેલાં દરેક સાલ ઉપર ૪ શીલીંગ એટલે બે રૂપિયાનો વેરો આપતા. કમ્પનીના રાજ્યમાં આ કર કહાડી નાંખી “ટાંપ ” વેરે નાંખ્યો હતો. વણકરોને આ વધારે સમ્ર લાગે હતો. અને દેશાધ્યક્ષને મૂળનો વેળો ચાલુ રાખી આ નવો વેરો બંધ કરવા અરજ કરી હતી પણ તેમાં તેઓ ફાવ્યા નહતા.
કાઇટુરની પૂર્વે ત્રિપુર-એક ખુલ્લું શહેર છે. તેમાં ૩૦૦ ઘર છે અને અઠવાડીએ આઠવાડીએ બજાર ભરાય છે. પડોશની ડાંગરની કયારીમાં વર્ષદહાડે
10
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રકરણ ૪ થું.
એકજ મંલ લેવાય છે. અને કંઈક તળામાંથી અને કંઈક નયલ નદીની નહેરોમાંથી પાણી પવાય છે. સમારવાની ખામીને લીધે પહેલાંની જમીનના ત્રીજા ભાગ કરતાં વધારે અત્યારે પડતર છે. નબળામાં નબળી જમીન ચારાને માટે રાખવામાં આવી છે અને તેના ઉપર જુજ સાથ લેવાય છે. તેની પૂર્વે ચીનામાલી આગળ લેતું ગણાય છે. ગાળેલા લેઢાને ત્રીસમે ભાગ સરકાર હકને અપાય છે અને ભટ્ટી માટે લાકડાં જંગલમાંથી કપાય તેને વેરો દે. ચીનામાલીમાં માત્ર ૧૨૫ ઘર છે. ડા. બુકનને ગયા ત્યારે ત્યાં શિતળાનો રાગ ચાલતો હતો. આ જીલ્લામાં કાપલી નદીમાંથી પાણી પાવામાં આવતું પણ ડાંગરને પાક ઉતરતો નહતે.
ચીનામાલીની ઉત્તરે પરે૩માં ૧૧૮ ઘર છે. તે જીલ્લામાં ૮૦૦ સાલે હતી. કાવેરીના કાંઠા ઉપર ઇરડુ છે તેમાં હૈદઅલીના વખતમાં ત્રણ હજાર ઘર હતાં, પણ ટીપુ સુલતાનના વખતમાં તે શહેર પડતીમાં આવ્યું હતું. જનરલ મેડેઝની ચડાઇમાં તે શહેર પાયમાલ થઈ ગયું હતું, પણ સલાહ થયા પછી પાછું ઠેકાણે આવતું હતું. ઇરેડ પાસેથી નીકળતી હેરનું કામ બહુ ઉમદા છે. તે ૪૦૦ વરસ ઉપર કલિંગરાય નામના કોઈકે બાંધેલ છે એમ કહેવાય છે. હજી તે વડે ૩૪પ૦ એકર પાણી પીવે છે.
- કાવેરીને કાંઠે કાંઠે આગળ જતાં કેડમુંડી નામનું ગામ આવે છે. તેમાં એક પ્રાચીન મંદિર છે અને ૧૧૮ ઘર છે. કાવેરીમાંથી એક હેર કહાડીયલ નદી ઉપરથી પાગલોર ગામ સુધી લઇ જવામાં આવી છે અને તેમાંથી ઘણી જમીન પાણી પીએ છે. ત્યાં અગાડી ટીપુ સુલતાને ઉપજના સાંથ મુકરર કરી હતી. પણ ૧૭૯૯ ની સાલ માટે બ્રિટિશ સરકારે તેને એક એકને ૩ થી પ પ. નક્કી કર્યા હતા. ૧૮૦૦ની સાલને માટે બુકનન ગયા ત્યાં સુધી કંઈ નક્કી કર્યું નહોતું.
કોઈમ્ફરના ઉત્તરભાગના દેશાધ્યક્ષ મેજર મેકલાઉડે ડા. બુકનનને
Page #190
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
૧૭૮
કહ્યું હતું કે “ અહીં એવા રીવાજ છે કે જ્યાં સુધી ખેડુ સાંથ આપે જાય ત્યાં સુધી તેને કહાડી શકાય નહિ. દેશાધ્યક્ષની સમજણ એવી હતી કે બ્રિટિશ સરકાર વજે ભાગ લેવાના શરૂ કરે પણ તેમાં અતિશય માલ ઉચાપત થઈ જાય. જ્યારે કમ્પનીના હાથમાં સલેમનેા મુલક આવ્યા ત્યારે ડાંગરની ક્યારી જેને કાવેરીની હેરામાંથી પાણી પહેાંચતુ, તેમાંથી વજેભાગ લેવાતેા હતેા. લોકેા બરાડતા રહ્યા અને કમ્પનીના નાકરાએ વજેભાગને બદલે રોકડ હુક હરાવી દીધા, અને ખેતીને વિસ્તાર વધારી રોકડ ઉપજ ધણી વધારી દીધી. જમીનદારી કરતાં રૈયતવારી પસંદ કરવાનું કારણ એટલુ` હતુ` કે તેથી ઉપજ વધારે આવતી. કર્નલરીડના ધારા એવા છે કે વખતસર જમીનદારા પાસેથી જે લઇ શકાય તેના કરતાં વધારેની રેકડ રકમની ઉધરાત જરૂર થઈ જાય. અને જો તેમાં ચૂક રહે તેા મતે તે ખાત્રી છે કે કાંતે કાઇની ગફલત થવી જોઇએ અથવા દેશાધ્યક્ષે અપ્રમાણિક હેાવા જોએ. જમીનદારના સ ધમાં મારૂ એમ માનવુ છે કે ખેતીના સુધારાના માટે તે ઉપયોગી છે.
""
કરૂફ એક ઠીક શહેર છે. તે કાવેરીની એક શાખા અમરાવતી નદી ઉપર આવેલુ છે. એક હુન્નર ધર છે. ત્યાંના વેપારીએ માત્ર હટાણું કરનારા છે અને વણકરની સંખ્યા પણ મટી નથી, કચેરીમાંથી કાઢેલી એ હેરા અને અમરાવતીની ઘણી હૈરા આ દેશમાં પાણી પહોંચાડે છે. શેલડી ડાંગર અને આગતર માલ નીપજે છે.
૧૭ મી નવેમ્બરે ડા. બ્રુકનન ધર્મપૂર પહેાંચ્યા. આ કાઇટુરના દક્ષિણ વિભાગના દેશાધ્યક્ષ પી. હર્પીસનુ મુખ્ય સ્થળ છે. દેશાધ્યક્ષ ચંચળ, બુદ્ધિમાન અને સારી નિષ્ઠાવાળા એક જુવાન અમલદાર છે, તે લેાકા સાથે હળે મળે છે, તેમની નાતાનાં કજી પતાવે છે, અને તેમને સારી રીતે જાણે છે. મી. હર્પીસ ધારે છે કે હમણાંની સાંથ બહુ વધારે પડતી ભારે છે. અને અહીંઆં તેમજ હિંદુસ્તાનમાં બધે ઠેકાણે ખેડુ લેકા અત્યંત ગરીબ છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રકરણ ૪ થું. * હિંદુસ્તાનમાંના ઘણા ભાગોમાં ખેડુની ગરીબાઈનું અને તેથી કરીને મેંલની નબળાઈનું મુખ્ય કારણ એ છે કે જેમની પાસે ખેતીનાં સાધન ન હોય તેમને પણ પરાણે જમીન આપવામાં આવે છે. બધી જમીન દેખાવમાં ખેડવાણ હોય છે પણ તે અડધા કરતાં વધારે ભાગમાં તો એવી હોય છે કે તેવી ખેડવાણ કરતાં પડતર હોય તે વધારે સારૂં. કમ્પનીની ઇચ્છા બધી જમીનમાંથી ખેડાય ન ખેડાય તો પણ પેદાશ લેવાની હતી. રોકડ હક અસાધારણ ભારે હતા. પાનની જમીનના એક એકર ઉપર પાઉંડ ૩-૧૬-૯ (૩૮ રૂપિયા) રોકડ હકના ઠરાવેલા; કયારીની જમીન ઉપર ૧-૧૫-૯૩ (૧૮ રૂપિયા) થી તે પાઉંડ ૧-૫૨ (રૂ. ૧૩) સુધી ઠરાવેલા હતા.
પશ્ચિમ તરફ આગળ ચાલતાં ડા. બુકનન ૨૪ મી નવેમ્બરે પલાચી પહોંચ્યા. અહીં એક ઠેકાણે ખોદતાં એક વાસણમાં રોમન સિક્કા નીકળી આવ્યા. આ ઉપરથી આ પાંડવવંશના રાજાઓના મુલકને ઓગસ્ટસ અને ટાઈબીર્યના વખતમાં રોમ સાથે વેપાર હતું એમ સમજી શકાય છે. આ જીલ્લામાં નબળામાં નબળી જમીન બૈચર માટે રાખવામાં આવેલી છે. તેના ઉપર કાંઈપણ હક લેવાતો નથી. બાકીની બધી ખેડવાણ ગણાય છે અને તે તમામ જમીન ઉપર ૨ શી. ૧3 પેન્સ થી તે ૭ શી. ૩ પેન્સનો આકાર બેસાડવામાં આવ્યો છે. “ખેડુ લોક ફર્યાદ કરે છે કે જમીન તેમને પરાણે આપવામાં આવી છે, અને તેમનાં સાધન ઉપરાંત ખેતી કરવાની તેમને ફરજ પાડવામાં આવે છે. જે માણસ ૧૭ બલાં (૪ થી ૬ એકરનું એક બલ્લું થાય છે ) જમીન સાથે છે તે નવ બલ્લાંજ ખેડવાની શકિત ધરાવતો હોય છે. એની પાસે પુરતાં સાધન હોય તો પણ ત્રીજો ભાગ તે પડતર રાખવાનો જ વહિવટ છે તો પણ કેટલાક ભાગમાં આકાર કમી કર્યા છે. અને એ રીતે જમીન ખેડી ન શકાય તેને લીધે જે સાથ ભરવી પડે તેની નુકસાનીનો કંઈક બદલો અપાય છે, આવી રીતની જમીન સાંથવાની રીત એક મોટું દૂષણ છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
rer
મલખાર.
તા. ૨૯ મી નવેમ્બરે ડા. બુકનન મલબારમાં દાખલ થયા. આ પ્રાંત ઘેાડાજ વખત ઉપર મુબઇ સરકાર પાસેથી મદ્રાસ સરકારને સાંપાયા હતા. આયુરેપમાં ઝામેારીન નામથી ઓળખાયલા તપુર રાજ્યને મુલકદક્ષિણ તરફના ઊંચા પર્વત ઉપરથી ઊંચા જળધોધા પડતા હતા. અને ભવ્ય જંગલો અને ફૂલઝાડાની વાડીએ વચ્ચે વચ્ચે દાણાનાં ખેતા હતાં. પણ આકાશને આ જમીનની કાંઇ પણ દરકાર નહતી. ડાંગરની જમીન ઝાઝી ન હતી. કેાલન્ગેડુમાં ૧૦૦૦ ધર હતાં. ત્યાં વણુકરેની વસ્તિ હતી તેએ કાર્મ્ડરમાંથી કપાસ મગાવતા. પાલીઘાટનેા મુલક બહુ સુંદર હતા. બંગાળના સાથી રમણીય ભાગને મળતા હતા પણ ત્યાં ઊંચાણુની જમીનમાં ખેતી થતી નહતી. ત્યાં આગળ મલબાર જીત્યા પછી હૈદરઅહ્લીએ ફીલ્લા બાંધ્યા હતા. પ્રાચીન રાજાએના વખતમાં જમીન ઉપર કાંઇ કર લેવાતા નહતે. પણ હૈદરઅલીએ નીચાણુની લટ્ટુપ જમીન ઉપર નાગડી નામને કર નાંખ્યા હતા. ઊંચાણુની જમીન કરમાંથી બાતલ રાખી હતી. ટપુસુલતાનના જુલમે ઘણા જમીનવાળાએ દક્ષિણમાં ત્રાવણુકાર તરફ જતા રહ્યા હતા.
પાલીઘાટમાં સરકાર હક બહુ ભારે હતે. ઉપજના લગભગ સાઠ ટકાથી પણ વધારે. મિ. સ્નાની ગણત્રી પ્રમાણે જમીનદારી ઉપર મૂલ ઉપજના ૮૪ ટકા જેટલે ભારે આકાર હતા. વાર્ષિક વરસાદ ડાંગરના એક પાક ઉતારવા માટે પુરતા હતા, અને જમીનદારાને ખરચે બંધાયલાં અને સમા રહેતાં તળાવાથી બીજો પાક લેવાતા. અહીંનાં ઢાર કદમાં બહુ નાનાં અને દેશને જોઇએ તેટલી સ ંખ્યામાં પણ નહીં. કાલન્ગેાડુમાં લેટુ ઘડાતું.
:
૬ ઠ્ઠી ડિસેમ્બરે ડા. બુકનન કોચીનના રાજાના મુલકમાં દાખલ થયા. તે ઇસ્ટઇન્ડિ કમ્પનીને ખંડણી આપતો પણ પાતાના રાજ્યની હદમાં વહીવટી અને લશ્કરી હકુમત તેના પેાતાના હાથમાં હતી. એને દેશ કમ્પનીની વધારે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રકરણ ૪ થું.
સત્તા નીચેના દેશ કરતાં એ સુવ્યવસ્થિત છે કે મોપલા અથવા નેર લેકે કાંઈ તરેહનું તેફાન કરવાની હિમ્મત ધરતા નથી. કકડુ આગળ ટેકરીઓ ઉપર ખેતી નથી. પણ ગૌચર ઠીક છે. ઢેર સારી સ્થિતિમાં છે. ખીણમાં દાણે ઠીક થાય છે; સીમાઓ ઉપર વસતિનાં ઘરે આવી રહેલાં છે અને ફૂલઝાડનાં કુંજોની છાયાથી છવાઈ રહેલી છે. નજીકમાં એક ક્રિશ્ચિયન ગામડું છે. ત્યાંના પાદરીએ ડા. બુકનનને કહેલું કે અહીં ક્રિશ્ચયાનિટિ દાખલ કરનાર ઈ. સ. ૬૦ માં મદ્રાસની મુલાકાતે આવેલા સેન્ટ ટૉમસ છે.
મલબારના મેપલા લોકો અઢારમા સૈકાની વચમાં શ્રીમંત વેપારીઓ હતા. તેઓનાં વહાણ સુરત અને મદ્રાસ સુધી જતાં. ખગોને પ્રદેશ રમણીય છે. ટેકરાના ઢોળાવ ઉપર અગાશીઓ જેવું કરીને ખેતી કરે છે. પણ ડુંગરાનાં શીખર પડતર છે. ખેત જમીનના વેરાની ફર્યાદ કરે છે અને મલબારમાં જે કાંઈ દુઃખ પડે છે તેનું કારણ તેજ મનાય છે. તીરૂવન અને પરૂપનાદ વચ્ચે ખેતી બહુ નબળી હાલતમાં છે. તેનું કારણ ત્યાં વસતિ ઘણી કમતી છે, અને જેટલી છે તે ગરીબ છે. પરૂપનાદ આ ગળના દરીઆ કિનારા ઉપર ઉમદા નાળીએરીના બગીચા છે. નાતાલને દિવસે ડા. બુકનન મલબારની પ્રાચીન રાજધાની કાલીકટ પહોંચ્યા.
અહીંઆના વેપારી આરતીઆ મિ. ટરિન અહીંઆ આગળ લશ્કથનું કારખાનું કાઢવાનો પ્રયત્ન કરતા હતા. ૭ર કયુબિટ લાંબા તાકા કઢાવવા; અને ખેડુતોને તેને માટે તાકા દીઠ ૧૮ શી. ૬રૂ પેન્સથી ૧૬ શી. ૪ પેન્સ આપવા. આ ગામમાં ૩૪૪ વણકર હતા. તે ત્રાવણકોર અને કોચીનથી આવેલા હતા. તેઓ ૨૩૭ શાળો ઉપર કામ કરતા અને મહિનાના ૪૬૮ તાકા કાઢતા. મિ. ઢૌરીને એક કારખાનું પાલીઘાટમાં કહાળ્યું હતું, જે. આના કરતાં વધારે સારું અને સસ્તું હતું.
Page #194
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૮૩ ડે. બુકનને આ પ્રદેશની ઉપજ અને સાથના પ્રમાણનો અંદાજ કહડો છે તે નીચેના કોષ્ટક પ્રમાણે. નબળા ખેતર માટે.
પા. શિ. ૫. ) જમીનનો સરકાર છે. ૦-૧૨-૯ અંદાજે કામદારી બાબત. ૦- ૧-૩
શિલિંગ. બી.
૦- ૯-૪૩ સરકાર હક ૦-૧૪-૦ ખેતીનું ખચ. ૦- ૮-૩ ખેતીનું ખર્ચ, ૦–૧૮-૦ જમીનદારને હક. ૦- ૧-૧૧ જમીનવાળાઓની વ્યાજ.
૦- ૧-3 ખેડુતને રહે.
૦- ૭-૮
૦
૦
ચોખી પેદાશ, ૦–૧૦–૦
૦
-
કુલ. ૩-૩-૫ ઊંચા ખેતર માટે.
૪. S. P. ) અંદાજે સરકાર હક અને કામદારી ૦-૧૬-૧૦
પા. શિ. પે. બી.
૦- ૯-૪ સરકાર હક. ૦–૧૭-૦ ખેતીનું ખરચ.
- ૯-૪૩ ખેતીનું ખરચ. ૦–૧૯૦૦ વ્યાજ,
જમીનવાળા એની) જમીનદાર. ૦- ૮-૬૪
ખી ઉપજ. ૧-૧૪-૦ ૧- ૫-૬ ૧૮૦૧ ની ૧ જાન્યુઆરીએ ડા. બુકનને હમરાશરી પહોચ્યા. અહીંની બધી જમીન મેપલાઓના હાથમાં ગીરોહકથી આવી ગઈ હતી. ટિપુસુલતાનના હિંદુઓ ઉપરના જુલમથી અને મોપલાઓની લડાઈઓથી કુર્બારાની ચોથા ભાગની કયારી પડતર પડી હતી, અને ઉપર ઝાડવાં ઉગી ગયાં હતાં. કેટલાક મોટા ખેડૂતોને દશ સાંતી વીસ બળદ વીસ સ્ત્રી પુરૂષ ગુલામ દસ કરે, ૨૫ દુધણી ગાયો હતી. પણ આવા ખેડૂતની સંખ્યા ઘણી
ખેડુત.
Joi)
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ યુ.
invers
ઘેાડી હતી. ગુલામની ભાડાની કિ ંમત શિ. ૬ પેન્સથી ૨૮ થી ૮ પેન્સ આવતી અને સ્ત્રીઓની તેથી અર્ધ કિ મત.
૧૪
દેશાધ્યક્ષ મિ. કાવર્ડના એવા અભિપ્રાય હતા કે આ દેશની જમીન પૈકી ચેાથે। ભાગ કયારીને લાયક છે; અર્ધો ભાગ આકાસીઆ માલ અથવા વાડીના ખરા છે. અને બાકીના ખરાખે છે. મિ. કાવર્ડ ધારે છે કે, વેરા એટલા ભારે છે કે ખેતીને અટકાવ કરેછે.
તા. ૫ મી જાન્યુઆરીએ મિ. કાવર્ડની રજા લઇ ડા. બુકનન કેપ્ટન સબનેંની સાથે કુંતીપુર ગયા. અહીં એક રાજ્યની રાજધાની છે. તે કમ્પનીને ખંડણી આપેછે અને પેાતાના મુલકમાં તેને કુલ સત્તા છે. અહીં જમીન ઉપરના કર પેદાશના ૪૦ ટકા છે. જમીનનો માલિક ૨૭ ટકા લેછે. અને ખેડુતને ૩૩ ટકા મળેછે. કૅપ્ટન સબર્ન સાથે હતા તે પણ આપણા પૂજ્ય મુસાને દેશની સ્ત્રીઓએ માયાળુ આવકાર આપ્યા નહિ. તે ફરિયાદી કરેછે કે તેર લોકેા યુરેપયનના દુશ્મન હાવાથી તેમણે તેમની સ્ત્રીઓને એટલુ સમજાવ્યુંછે કે ઈંગ્રેજો તે એક પ્રકારના લાંબી પુછડી વાળા hebgoblins છે, અને સ્ત્રીએ એવા શ્વેતાની સાથે દોડી જાય છે.
ટેલીચેરી મહે અને ધર્મપટ્ટમ્ મિ. સ્ટ્રેચિના અમલ નીચે હતાં. મિ. સ્ટ્રેચિ એક જુવાન અને બહુ હુશીયાર અમલદાર હતા. મિ. સ્ટ્રેચિ ધારતાકે તેમના વહીવટના બધા મુલકમાં ફૂલનાં ઝાડાના બગીચા થઈ શકે પણ ઘણા ભાગ પડતર હતો યારી ઉપર સાંથના ૨૫ ટકા જેટલા કર હતા. અહીં વેપાર બહુ અગત્યના હતા અને મરી સુખડ એલચીના વેપાર ઘણા હતા.
કનાનાર પહાચ્યા ત્યારે ડા. બુકનન મલબારના ઉત્તર વિભાગના દેશા ધ્યક્ષ મિ. હાનસનના મીજમાન થયા એક મેાપલા ઉમરાવજાદી જે ખીખી એ નામથી ઓળખાતી અને જેના પૂર્વજોએ ડચ પાસેથી કનાનેર મૂળ ખરીદ કર્યું હતું, તેણે ડા. બુકનને એક ભળકાદાર મીજમાની આપી હતી. બીબી સાહેબ કમ્પનીને રાંથના ૧૪૦૦૦ રૂપીઆ આપતાં. અને કનાનેર અને લેડિવ
Page #196
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૮૫
ટાપુઓમાં ઘણુંખરા ટાપુઓનાં માલીક હતાં. અહીંઆ નેરના વહીવટ પ્રમાણે વારસો સ્ત્રી વર્ગમાં ઉતરે છે.
ચેરીકલ પહાડી મુલક છે. ખેતી વિનાને છે. કનાનોર અને ચેરીકલ બેનાં મળી ૧૦૩૮૬ ઘર છે. જાન્યુઆરીની અધવચમાં ડા. બુકનન મલબાર છોડી ઉત્તરમાં કનારા તરફ ચાલ્યા.
કાનડા. ઉપર જણાવ્યું છે કે ૧૭૯૮ માં ટેમસ મને બારામહાલની જમાબંદી પૂરી કર્યા પછી કાનડામાં મોકલ્યા હતા. તે વખતે કાનડાને રાજા માં હતો પણ તેનો ભાણેજ અને વારસ બની સરભરામાં હાજર રહ્યા, અને મનાએ સાવધાનીથી તેમને કહી દીધું હતું કે તેમના હક કમ્પની સરકાર રૂબરૂ રજુ થશે. દરમીયાન ત્યાં તહસીલદારો નીમી દીધા, રાજાની સત્તા ખુંચવી લીધી, અને તેના નિર્વાહ માટે તેની ખાનગી મીલકત ઉપર જમાબદીની કાંઈક માફી કરી. આ ગોઠવણમાં બ્રિટિશ અમલદારોની સન્નિષ્ઠા બાબતમાં નેર લોકોની ફર્યાદ હતી. મને એ ટિપુસુલતાનના દફતરના ૩૨૦૦૦ ને બદલે ૨૪૦૦૦ નો આંકડો મુકરર કર્યો, પણ આથી વધારે આ દેશ આપી શકે એમ હતું જ નહીં અને આ રકમ પણ આ જમીનનું આખું ભાડું જ હતી તહસીલદાર ત્રિમુલરાવ આર્કટ કરતાં અહીંનો આંકડો ભારે ધારતો.
ડા. બુકનન માંગલોરમાં એક અઠવાડીઉં રહ્યા. આ શહેર દરિઆકાંઠે રેતીને કીનારો મૂકીને આવેલા એક તલાવ ઉપર વસેલું છે. ત્યાં એકવાર તે બંદર હતું પણ બંદરનું ઊંડાણ ઓછું થવા માંડયું હતું અને બુકનન ગયા તે વખતે દશ ફુટથી વધારે અંદર જતાં વહાણો બારામાં આવી શકતાં નહતાં. મેંગલોરનો કિલ્લો ટિપુસુલતાને નાશ કર્યો હતો.
મંદિરને ધર્માદા આપેલી જમીનોમાંની કેટલીક ટિપુસુલતાને ખાલસા કરી હતી; પણ કેટલીક છુપી રહી હતી. ટોમસમ અને તેના ઉત્તરાધિકારી રેવનોએ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રકરણ ૪ થું. હતું તેમજ રાખ્યું. મુખ્ય હિંદુ મંદિરની વાર્ષિક ઉપજ સુમારે ૨૦૦૦ રૂપીયાની હતી. મનને આંકડે લોકોને ભારે લાગ્યો હતો અને ફર્યાદ થઈ હતી. માલીકો કહે છે કે “સરકાર હક જમીનની ગુંજાસ કરતાં વધારે છે સરકારના હક અદા કરવા માટે તેમને નાણું ઉછીનાં લેવાં પડે છે. અથવા પિતાના માલથી ખેડેલી જમીનના નફાના કંઈક ભાગને ભોગ આપવો પડે છે. પરંતુ હિંદુસ્તાનમાં દારિદ્યની બુમ સર્વત્ર છે તેથી અને લાંબા કાળના જુલમથી
કેને વસ્તુ છુપી રાખવાની ટેવ પડી ગઈ છે તેથી, ખેડુતની ખરી સ્થિતિ જાણવી અશક્ય છે. પણ જમીનને માટે કાનડામાં જે ઉગ્ર આગ્રહ થાય છે તેથી એમ સમજાય છે હજી લેકને જમીનમાં પોતાના માલથી જે ખેતી થાય તેના નફા ઉપરાંત પુષ્કળ ફાયદો છે અને આટલું અંતઃકરણથી ઈચછવા જેવું છે કે આ સ્થિતિ લાંબા વખત સુધી આબાદ રહે; કારણ કે જ્યાં તમામ મીલકત રાજ્યના જ હાથમાં છે તે દેશ કદી પણ આબાદ રહી શકશે નહિ.” કા. બુકનનને ખબર નહતી કે જમીન ઉપર આકાર વધારે પડતું હોય તે પણ જમીનને માટે તે હિંદુસ્તાનમાં હમેશાં આગ્રહ રહેવાનાજ કારણ કે આખી પ્રજાને જમીન એ એકજ નિર્વાહનું સાધન છે. ગમે તે સરતે પણ ખેડુતના હાથમાં જમીન રહેવી જોઈએ; નહિં તો તેને ભુખે મરવાનું.
નીચાણની જમીનોમાં ડાંગરની ખેતી હરોથી થતી હતી, અને ઊંચા માં જળાશયોની યોજના હતી. અને અતિશય ઊંચાણમાં માત્ર વરસાદ ઉપર પાકને આધાર રહેતો. શેલડીની ખેતી ઘણું કરીને ખ્રીસ્તી લોકોના હાથમાં હતી; અને સોપારી અને મરીની વાડીઓ હતી. મલબારના લેક મીઠું પકવતા. પણ પાક જોઈએ તેટલો ઉતરતો નહીં. ડાંગર, સોપારી અને . મરી નિકાસની મુખ્ય ચીજ હતી. કપાસ, રેશમી કાપડ ખાંડ અને મીઠું આયાત કરવાં પડતાં હતાં.
મેંગલોરથી દસમાઈલ અલા આવે છે. તેને ફિરંગી-પટ્ટણ કહે છે કારણકે ત્યાં પહેલાં કોકણના ક્રિશ્ચિયન લકે રહેતા હતા. આ આખો મુલાક
Page #198
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૮૭
મલબારને મળતો છે; ડુંગરાઓની બાજુએ ખેતીને માટે અગાશીઓ પાડેલી છે, પણ અહીં મલબાર કરતાં મહેનત ઓછી લેવાય છે. ટિપુસુલતાન અને દુર્ગના રાજાએ તાજેતરની લડાઈમાં આ મુલકને ઘણું નુકસાન કર્યું છે. રસ્તા ઉપર ટિપુસુલતાને મેંગલરથી શ્રીરંગપટ્ટણ મંગાવેલી ઘણી તો પહેલી જોઈ. મલા નદી આડે એક બંધ નાંખેલે હતો, જેથી ખેતીને પાણી પાવા માટે એક મોટું સરોવર બન્યું હતું.
તા. ૫ મી ફેબ્રુઆરીએ ડા. બુકનન ઇનુરૂ આવ્યા ત્યાં તેમણે આઠ જૈન મંદિરો અને એક ભવ્ય જૈન મૂર્તિ દીઠી. આ મૂર્તિ એક પથ્થરની બનેલી હતી અને મેદાનમાં સ્થાપેલી હતી. હૈદરઅલીના વખતમાં જૈન મંદિરોની નીચે જેટલી જમીન હતી, તેમાં ટિપુસુલતાને ઘણો ઘટાડે કર્યો હતે; મનોએ, એ પાછી સોંપી દીધી હતી; અને વળી રેવજોએ પાછી ખેંચાવી લીધી હતી. કરકુલા આગળની ગૌતમરાજની મૂર્તિ નકર પથ્થરની ૩૦ ફીટ ઉંચી, હતી, અને તેના ઉપરના લેખ પ્રમાણે બુકનનની મુલાકાત પહેલાં ૩૬૯ વર્ષ ઉપર એટલે સને ૧૪૩૪ માં બનાવવામાં આવી હતી.
આગળ પશ્ચિમે હર્યડીક આવે છે. ત્યાં ડા. બુકનને ૧૦ મી ફેબ્રુઆરીએ પહોંચ્યા. અહીં જમીનની મહેસુલના પ્રમાણના સંબંધમાં, તેણે કંઈક તપાસ કરી. તે ચોખી પેદાશની અર્ધ હતી. પણ આ લોક કહે છે કે જ્યારે ડાંગર સસ્તી હોય છે ત્યારે આખી પેદાશ આકાર જેટલી થતી નથી.
વળતે દિવસે ઉદીપુ-આગળ અરબી સમુદ્રનાં દર્શન થયાં. અહીં ચૌદમાં સૈકામાં પ્રસિદ્ધ થઈ ગયેલા સુધારક મધ્રાચાર્યના નામનું પુણ્ય સ્મરણ હજી થતું હતું. અને તેનો પંથ ઠીક ચાલતો હતો. અહીં સંન્યાસીઓનાં ત્રણ મંદિર અને ૧૪ મઠ હતા. ઉદીપથી તે દરીઆ કાંઠા સુધી ડાંગરની ખેતી. “આની પડોશનાં પાંચ ગામની આંકણ ઉપરથી મને માલમ પડે છે કે ૨૦૪૮ પાગડાની કુલ કાચી ઉપજ પૈકી ૧૨૯૫ પાગડા ખેડુતના હાથમાં રહે છે. સરકારને ભાગ કુલ ઉપજને ચોથો ભાગ સાધારણ રીતે હેય છે.”
Page #199
--------------------------------------------------------------------------
________________
ree
પ્રકરણ ૪ યુ.
ઉત્તર તર′ જતાં ડા. બુકનન કુન્દપૂર પહેાંચ્યા અને નદી ઓળંગી કાનડાના ઉત્તર વિભાગમાં દાખલ થયા. અહી આ વખત મિ. રીડ અમલદાર હતા; જે મિ. રેવનશેાવાળી તરેહની કેળવણી પામ્યા હતા. ઉત્તરમાં ઐદુરૂ આવે છે ત્યાં એક મેટું શિવમદિર છે. પછી બટુકુલ નામનુ શહેર છે. જેમાં ૫૦૦ ધરની વસતિ છે. પછી ઉત્તર તરફ જતાં માઈલ દોઢ માઇલના પટ વાળા મેદાનમાં ડાંગરની ખેતી થાય છે. મહાદેશ્વરનુ મદિર એક ઊંચા જીલ્લાવાળી ટેકરી ઉપર આવેલું છે ત્યાંથી આગળ થે।ડે દૂર કપાતદ્વીપ છે જ્યાં કપાતની વસતિ ઘણી છે. ત્યાં પરવાળાં ઘણાં થાય છે. તા. ૨૧ મી ફેબ્રુઆરીએ ડા. બુકનન આનેર પહોંચ્યા. આ એક મેટું શહેર છે અને ત્યાં તેજ નામનું સરાવર છે.
પહેલાં એનાર એક મોટું શહેર હતુ, વેપારનું મથક હતું; અને હૈદરઅક્ષીએ અહી' યુદ્ધનાં વહાણેા બનાવવા માટે એક ગાદી બનાવી હતી. એના બેવકુફ અને આપખુદી દીકરાએ મે ગલેરના તડુ પછી તે તેને પાછું મળ્યું તે પછી અન્નરને નાશ કર્યો અને યુકનન આવ્યા ત્યારે શહેર પણ પાયમાલ થઇ ગયું હતુ. વેપારને માટે ગાયેથી મછવા આવતા, અને વેપારી સરોવરની આસ પાસ છુટા છુટા રહેતા, અને ડાંગર-મરી, નાળીએર, સાપારી અને મચ્છી-નીકાસ માટે ખરીદતા. દરેક માણુસ જેટલી જમીન તેની પાસે હાય તેને માટે ભર આકાર આપતા પણ ટેકરા અને જંગલ સરકારને સ્વાધીન હતાં. સાધારણ સ્થિતિના ખેડુતેાના હાથમાં ચારથી છ હળ હતાં; પણ ઘણાને તે એકથી વધારે હળ નહોતું અને દરિદ્ર હતા. ખેડૂતોને જમીન ચારથી દશ વર્ષને પટે મળતી તેઓ જમીનદારે ને સાંથ આપતા અને જમીનદારો સરકારને આકાર ભરતા.
-
ડા. ક્ષુકનન લખે છે કે-જમીનદાર ઉપર જમીનના આકારને માટે જામીન આપવાની ફરજ હતી. જો વખતસર જામીન રજી ન થાય તેા પાક ઉપર દેખ રેખ રાખવા માટે એક અમલદાર માફલાતા, તે માલ વેચે; અને જે ઉપજે તેમાંથી આકાર કાપી લઇ બાકીનું જમીનદારને આપી દે. આરીત બહુજ
Page #200
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ.
૧૮૯
ખરાબ છે; તે ખરે ખરી હિંદુસ્તાની શોધ છે. કારણ કે દેખરેખ રાખવા મોકલેલ માણસને ખેડુ પાસેથી બાબત મળતી, અને તેવી રીતે મોટા માણસની આસ પાસના અનેક ચીંથરેહાલ માણુમાંના કોઈ એકને ભુખ છીપાવવાનું થોડુંક સાધન મળી આવતું. પણ જયારે જામીન આપ્યો હોય અને તે નાણું આપી શકે નહીં તો મુદત બાદ ત્રણ દિવસ વિત્યા પછી તે જમાનને નાણાં ભરી દેવાને હુકમ થાય અને જયાં સુધી નાણાં ભરી ન દે ત્યાં સુધી તેને કેદ કરવામાં આવે.
જે જમીન ઉપર આકાર વીસ પાગડાનો શ્રેય તેની વેચાણ કિંમત ૧૦૦ પાગોડા આવે અને ૫૦ પાડે ઘરાણે મૂકાય. બાપની મીલકત દીકરાઓ વચ્ચે સરખે ભાગે વહેચાય છે. પણ જેષ્ઠ ભાઈ તમામ વહીવટ કરે અને બધા એકઠા રહે. જ્યારે પિત્રાઈ ભાઈઓ વચ્ચે વહેંચણ થાય, ત્યારે જમીન ઘણે ભાગે ઈજારે અપાય અને રકમ બેંચી લેવાય. સારી જમીનમાં દર એકરે ૨૦ થી ૩૩ બુશેલ ડાંગર ઉપજે છે, અને નબળી જમીનમાં ૬ થી ૧૬ બુશેલ. શેલડી, મરી, સુખડ, એલચી, સોપારી, અને નાળીએરને વેપાર છે.
આરની ઉત્તરે એક ગોકર્ણ નામની પ્રસિદ્ધ જગા છે. ત્યાં મહાબલેશ્વર નામનું પ્રખ્યાત શિવલિંગ છે. એમ કહેવાય છે કે સિલેનનો રાજા રાવણ આ લિંગ ઉત્તરના પર્વતોમાંથી લઈ જતો હતો, તેણે અહીં વિશ્રાન્તિ લેવા માટે આ લિંગ અહીં મૂક્યું અને પછી તે ઉંચકાયું નહિ. આ શહેરમાં ૫૦૦ ઘર છે, જેમાંના અર્ધમાં બ્રાહ્મણો રહે છે. અહીં એક મોટું તળાવ છે. તેની આસપાસ મઠ છે. અને એક મંદિરમાં શંકરનારાયણની મૂર્તિ રાખવામાં આવી છે. “ડા. બુકનન રાખે છે કે શિવ અને વિષણું એકજ પરમેશ્વરનાં બે જુદાં જુદાં નામો છે તે સિદ્ધાન્ત ઘણું કાળથી ચાલ્યો આવે છે તેનો આ મજબુત પુરાવે છે. ”
અંકેલાની વાર્ષિક ઉપજ ર૯૦૦૦ પાગડા ઓનરની ૫૧૦૦૦ અને કુન્દપુરની ૫૦૦૦ પાગડા હતી. સારી જમીન પૈકીની ત્રીજા ભાગની જમીન પડતર હતી. અંકેલાનું બજાર ઘણીવાર લુંટારાઓએ બાળી નાંખેલું, પણ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રકરણ કર્યું.
બ્રિટિશ રાજ્યની નીચે ધીમે ધીમે ઠેકાણે આવતું હતું. ટૅામસ મનાને આકાર ટિપુ સુલતાન કરતાં દેખાવમાં હલકા હતા, પણ ઉધરાત વાસ્તવિક રીતે વધારે ભારે હતી. “ મહેસુલાતી અધિકારીએ કહે છે તે પ્રમાણે મેજર મન્રાએ આકાર છે. બહુ કર્યો, પણ ઉઘરાતમાં જે કાળજી અને સખ્તાઇ રખાતી તેણે કરીતે, જે મહેસુલ વસુલ થતી તે પ્રથમ કોઇવાર વસુલ થએલી રકમના કરતાં ઘણી વધારે હતી. ” હિંદુસ્તાનના ધણા ભાગેામાં આજ પ્રમાણે બન્યું છે. કમ્પનીના નેકરા કેટલીક જુની મહેસુલમાં કેટલીક વાર વધારે કરે, કેટલીકવાર ઘટાડે કરે, પણ તેમની ઉધરાણી હિંદુસ્તાનમાં પ્રથમ કાષ્ઠ દિવસ નહીં જોયેલી એવી સપ્ત હતી.
ઉત્તર વિભાગના કુન્દપુર-એનેર અને અન્યુાલા-ના ત્રણ જીલ્લાઓની જમીનના માટેા ભાગ, ખરાબાનેા હતે; મિ. રીડે નીચે પ્રમાણે તેને અદાજ કહાડયા છે.
ખેડેલી
૦.૩૨
૩૬પુર
• ૬૦
નાર
૬૨
અન્યાલા
૦ પુષ્ટ
આટલી બધી જમીન પડતર છતાં મમ્તાના વહીવટના પહેલાજ વર્ષમાં પ્રથમ કેાઈવાર નહિ આવેલી એટલી ઉપજ આવી હતી. મિ. રીડ એમ ધારે છે કે ખેડેલી જમીન ઉપર આકાર વધારેલા તેથી આટલી ઉપજ વધી ગઈ હશે પણ હૈં।. બુકનન લખે છે કે મને તે ખરૂં લાગતુ નથી.
ડાં. બુકનન સૂરમાં થને તા. ૬ ઠ્ઠી જુલાઇએ મદ્રાસ પાછા આવ્યા. ઉપરના સાર જે તેાંધમાંથી કહાડયા છે તે એક બહુજ કીમતી નેાંધ
૦૨૬
ખેડવાણ
....
૦૨૦
૦.૧૨
ખરામે
૦.૨૦
Page #202
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૯૧ છે. તેમાંથી ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના અમલમાં આપણા દેશની આર્થિક સ્થિતિ આ કાળે કેવી હતી તેને ખરો ખ્યાલ આપણને મળે છે.
દરેક ઠેકાણે કમ્પનીના રાજ્યના આવાગમનની સાથે લડાઈઓ અને તેફાન બંધ પડે છે; અને શાતિનું પુનઃ સ્થાપન થાય છે. પણ તેની સાથે જમીનનો આકાર અતિશય બંધાય છે, લેકોની સ્થિતિ તદન દરિદ્ર થાય છે. મહૈસુરના સ્વદેશી પ્રધાન પુર્ણ આના વખતમાં મહેસુરના દેશી રાજ્યની સ્થિતિ હતી તેના કરતાં પણ લોક સ્થિતિ વધારે ખરાબ હતી.
પ્રકરણ ૫ મું.
ઉત્તર હિંદુસ્તાન, ઉત્તર હિંદુસ્તાનનો મુલક અત્યારે જે સંયુકત પ્રાતોના નામથી ઓળખાય છે તે અંગ્રેજોના હાથમાં જુદે જુદે વખતે આવેલું છે. ૧૭૭૫ માં અયો ધ્યાના એક નવાબ મરી ગયા પછી તેના ઉત્તરાધિકારીની સાથે કરેલા સંધિ થી વોરન હેસ્ટિંગ્સ બનારસ અને તેની આસપાસનો કેટલોક મુલક મેળવ્યો હતો. અલાહાબાદ અને બીજા કેટલાક પ્રાતો લૈર્ડ વેલીને દબાણથી ૧૮૦૧ માં નવાબે ઈગ્રેજને સંપ્યા હતા. આગ્રા અને ગંગા, જમનાના પ્રદેશ ૧૮૦૩ માં મરાઠા પ્રાસેથી લેર્ડ લેઈકે જીતી લીધા હતા. અયોધ્યાને બાકીનો ભાગ ૧૮૫૬ માં લેડ ડેહાઉસીએ ખાલસ કર્યો હતો.
કોર્ન વોલિસ અને શાર બનારસમાં પણ “અચલ જમાબંદી' સ્થાપવાને ઈંતેજાર હતા. બનારસના રાજા સાથે આ બાબતના સંદેશા ૧૭૮૭ થી ૧૭૯૪ સુધી ચાલ્યા અને આખરે ૧૭૯૪ ના ઓકટોબરની ૨૭ મી તારીખે કેલકરાર
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પ્રકરણ ૫ મુ.
પણ થયા. તેને અનુસાર પેાતાના ખાનગી ગામેા ઉપર જમીનદારીના હક્ક સ્વાધીન રાખીને બનારસના રાજાએ પેાતાના રાજ્ય ઉપરના તમામ હુકા ઇંગ્રે જના લાભમાં છેડી દીધા. આ કાલકરાર સહી શિા થયા પછી તે વખતના ગવર્નર જનરલ સરજોનારે છેડી દીધેલા મુલકના ગામ ધણી સાથે જમા બન્દી મુકરર કરી, અને કેટલીક જમીનેા જુના જાગીરદારે જેમના હાથમાંથી રાજાના રાજ્ય દરમીયાન જમીનેા છૂટી ગઇ હતી તેમને પાછી સેાંપી દીધી. સરકાર અને ખેડુ વચ્ચે ઉપજતી વ્હેંચણુ જે પ્રમાણમાં થતી તેમાં પ્રાન્ત પ્રાન્તે કીં સહેજસાજ ફેરફારો છતાં તે ઉપર જમાબન્દીતી રકમના આંકડા બાંધવામાં આવ્યેા. અને ૧૭૯૫ માંઆખા બનારસ પ્રાન્તને માટે અચળ જમાનન્દી મુકરર થઇ. બંગાળા ખીહાર અને એરીસાના કાયદા જરાતરા ફેરફાર સાથે બનારસને લાગુ પાડ્યા અને દીવાની ફાજદારી અમલ પણ તેજ રીતનેા શરૂ થઇ ગયા.
6
મિ
છ વર્ષ પછી અયોધ્યાના નવામે અલાહબાદ અને બીજા પ્રાન્તા ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને રવાધીન કર્યાં. આ પ્રાન્તા હજી સેાંપેલા પ્રાન્તા ’ ના નામથી ઓળખાય છે. જે દિવસે લેર્ડ વેસ્લીએ આ પ્રાન્તાના કેંલકરાર ઉપર પોતાની સહી કરી તેજ દિવસે તેણે આના રાજ્ય વહીવટને માટે એક શન નીમ્યુ. ત્રણ સદગૃહસ્થેાની એક સભા બનાવી અને પોતાના ભાઇ હેન્રી વેસ્સીને લેફ્ટેનન્ટ ગવર્નર અને સભાપતિ બનાવ્યેા. હેન્રી વેસ્લીએ જમીનદાર અને ઇજારદારો જોડે ત્રણ વર્ષ માટે જમાબન્દીના ઠરાવેા કર્યા; અતે તેના પહેલા જમાન્દીને રિપોર્ટ તા. ૧૦ ફેબ્રુઆરી ૧૮૦૩, ને · એની એ વધુ પડતી જમાબન્દીની વાત ’ ના પુરાવા આપે છે.
લખે છે કે:- હું બરેલી પહેાંચ્યા તે પહેલાં દેશાધ્યક્ષાએ જમાબન્દી નક્કી કરી હતી. અને નવાબ વઝીરે જે આંકડા બનાવ્યા હતા. તેજ આંકડા ઠરાવ્યા હતા. અને હું જાણતા હતા કે આ ગેાઠવણ દેશની સ્થિતિની ભૂલ ભરેલી ગણત્રી ઉપર કરવામાં આવી છે, અને ઠરાવેલી જમા વસુલ થવી મુશ્કેલ છે,
Page #204
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
તાપણું દેશાધ્યક્ષાએ તરતજ કરેલી ગાઠવણ રદ કરવાનું મને દુરસ્ત લાગ્યું નહિ; કારણ કે મને ધાસ્તી લાગી કે એવી રીતે તરતજ વચમાં પડવાથી તેઓની સત્તા જેને આ વખતે ટેકો આપવાની જરૂર હતી તે નબળી પડી જશે.’ ૧૮. માધલ સરકારના વખતની વસુલાતના જે દસ્તાવેજો મને મળ્યા છે તે ઉપરથી જણાય છે કે આ પ્રાન્તોની વાર્ષિક ઉપજ અઢી કરેડ રૂપિયા હતી. બ્રિટિશ રાજ્યની નરમ અને વાજબી પદ્ધતિ નીચે હું ધારૂં છું કે આ મુલકમાં જ્યારે પૂરેપૂરી ખેતી થશે ત્યારે અઢી કરેાડની ઉપજ વસુલ થઇ શકશે.
૨૪. આપણે હમણાંજ જે ધારા દાખલ કર્યો છે, તે પ્રમાણે આબકારી ખાતાની ઉપજ પણ પત્રકમાં બતાવેલી રકમ જેટલી તેા ઓછામાં ઓછી આવશે. ’
૧૯૩
તે પછી મીઠાની ખરીદી અને વેચાણના અનન્યાધિકાર માટે કરેલી ગાઠવણુતા હેવાલ આપે છે.
આ રિપોર્ટની સાથે ટાંકેલા પત્રકમાં નીચેના આંકડા જોવામાં આવે છે. નવાબની જમાબન્દીને આંકડા
૨. ૧૩૫૨૩૪૭૪
બ્રિટિશ સરકારની જમાનન્દી પહેલે
૧૫૬૧૯૬૨૭
..
, ૧૬૧૬૨૭૮૬
,, ૧૮૨૭,૦૬૩
,,
વર્ષે
ખીજે વર્ષે
ત્રીજે વર્ષે
,,
ઉપરના આંકડાઓ ઉપરથી જણાશે કે બંગાળા અને મદ્રાસ હાથમાં આવ્યા પછી તરતજ જે ભૂલો કરી હતી તેજ ભૂલા પાછી અહીં પણ કરવામાં આવી. ઉપરા ઉપરી લડાઇએ અને સખ્ત વસુલાતથી હેરાન થઇ ગયેલા મુલક એક મેટી અને સુધરેલી સત્તાના હાથમાં આવ્યા છે. શાન્તિને ચાહનારી અને ઉદ્યોગો પ્રજાને ક ંઇક ધારણ આપવાને તેમને ખેજો એછે કરવાની અને સાધનેને સુધારા કરવાની તક આપવાના આ વખત છે. છતાં હેન્રી વેસ્લીના અમલના પહેલાજ વર્ષમાં નવાબની જમા કરતાં કમ્પનીની. જમામાં વીસ
13
Page #205
--------------------------------------------------------------------------
________________
- ૧૯૪
પ્રકરણ ૫મુ
લાખના વધારે થાય છે, અને ત્રણ વર્ષ પૂરાં થયા પહેલાં બીજા દશ લાખ ઉમેરાય છે. અને જ્યારે નવાબના આંકડા તેા કુરંત નામનાજ હતા, અને વસુલાત માલની સ્થિતિને આધારેજ થતી, ત્યારે કમ્પનીની રકમો તેા હિંદુસ્તાનના લોકાએ પહેલાં કદી નહિ જાણેલી એવી સખ્તાઇથી વસુલ કરવામાં આવતી. મિ. ડમ્બેલટન નામના એક દેશાધ્યક્ષ ૧૮૦૨ ની જમાબન્દીના સંબંધમાં *ર્યાદ કરે છે કે-‘તે વાજખીપણાની હદ બહાર' છે અને બ્રિટિશ સત્તા નવાબ સરકારના ભારે દર–વસુલાતની સ્થિતિ સ્થાપકતા વિના ’ જારી રાખે છે.
મીજી ખાતામાં આ દેશને સુધરેલી રાજ્યપદ્ધતિ નીચે લાવવા બંધા પ્રયત્ના થયા. તા. ૨૪ મી મે ૧૯૦૩ તે રાજ બીંગાળાના ધારા દાખલ કર્યો. દેશના સાત જીલ્લા પાડ્યા. દરેક જીલ્લામાં એક ‘સિવિલ સર્વન્ટ ’ નીમ્યા અને તેને મેજીસ્ટ્રેટ અને ન્યાયાધીશનું કામ સોંપ્યું. બરેલીમાં એક અપીલ અને દેખરેખ રાખનારી કાર્ટ સ્થાપી અને જમીનદાર અને તેહસીલદારાને બનાર સની પેઠે લુટારૂઓને પકડવાના અને પોતાની હકુમતમાં સુલેહ રાખવાના અધિકાર આપ્યા.
એક ખીજો અગત્યના ધારા પણ આ વખતે દાખલ કર્યાં તેમાં ચાલતી ત્રણ વર્ષની જમા સરકારે મજુર કરી. તે પછી એક ત્રણની પછી એક ચારની અને તે મુદત પૂરી થયા પછી અચળી જમાબન્દી' ઠરશે એવું જાહેર કર્યું.
હાઉસ આર્ક કોમન્સની સિલેક્ટ કમિટિ કહે છે કે આ શબ્દોમાં હેન્રી વેલીની જમાબન્દી પછી દશ વર્ષે અચળ જમાયન્દી ’ ના ઠરાવ કરવાનું જમીનદારાને સ્પષ્ટ વચન આપવામાં આવ્યું હતું.
સને ૧૮૦૩ માં જનરલ વેસ્લીએ ( ગવર્નર જનરલને ખીજે ભાષ જે પછીથી ડયુક આપ વેલિંગટન થયા ) મરાઠાની સત્તા દક્ષિણમાંથી નાબુદ
કરી; અને લાર્ડ લેઈકે ઉત્તરમાં ગંગા અને જમના વચ્ચેના પ્રદેશેા ખાલસા
:
Page #206
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૯૫
કર્યા. આ દેશનું નામ “ વિછત પ્રાન્ત ” પાડ્યું. બુંદેલખંડ અને કટક ૧૮૦૩ માં ખાલસા કર્યો.
વિછત પ્રાને પ્રથમ ઑર્ડ લેઈકના વહિવટમાં સેપ્યા. પણ ૧૮૦૫ માં તેના પાંચ વિભાગ પાડ્યા. અને નિક્ષિપ્ત પ્રાતોની પેઠે તેને પણ ગવર્નર જનરતની સત્તા નીચે મૂક્યા. બધા કાયદા કાનુને ત્યાં પણ દાખલ કર્યા. જે વચને તેના જમીનદારોને આપવામાં આવ્યાં હતાં તે અહીં પણ અપાયાં. જમાબાદી પહેલી એક વર્ષને માટે, પછી ત્રણ અને પછી ચાર વર્ષને માટે ઉત્તરોત્તર કરવાની હતી. અને છેલ્લી જમાબન્દી જે જમીનદારો કબુલ થાય તે હમેશને માટે “અચળ” કરવાની હતી. બે વર્ષ પછી વળી આ વચનની પુનરાવૃત્તિ કરવામાં આવી, પણ આ વખતે એવી સરત ઉમેરાઈ કે અચળ જમાબાદી કરવાનું અધ્યક્ષસભાની મંજુરીની સરતે.
હિંદુસ્તાન ૧૮૦૩ ના મરાઠા યુદ્ધથી પાયમાલ થઈ ગયું હતું. અને કમ્પનીની સખ્ત જમાબન્દીથી પોતાની સ્થિતિ સુધારવાનો લેકોને બીલકુલ વખત મળે નહતે. ફળ એ થયું કે ૧૮૦૪ માં મોટો દુકાળ જણાયા. તે વખતે સરકારને જમાબન્દીમાં મોટી રકમોની માફી આપવાની જરૂર પડી. ખેડુતોને તગાવી આપવી પડી. અને બનારસ, કાનપુર અલાહબાદ અને ફતેહગઢ દાણું મોકલવા માટે લાલચ આપવી પડી. ૧૮૦૭માં ચાર વર્ષ માટેની જમાબન્દીના કામ ઉપર દેખરેખ રાખવા માટે એક ખાસ કમિશન નીમવામાં આવ્યું. આ ચાર વર્ષની જેમાબન્દીના આંકડા દાખલ કરેલા ધારા પ્રમાણે હમેશને માટે નક્કી થવાના હતા. ' હવે આપણે ઉત્તર હિંદુસ્તાનમાં અચળ જમાબન્દીને માટે જે મોટો વાદવિવાદ થયો તે વિષયમાં આવીએ છીએ.
મિ. કેસ અને હેનિસેંટર્જ જે ટકરે અચળ જમાબન્દીના સંબંધના લાભમાં રિપોર્ટ કર્યો, પણ નિક્ષિપ્ત અને વિજીત પ્રાતમાં તરતજ તે દાખલ કરવાની વિરૂધમાં તેમને મત પડશે. લખે છે કે –
''
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મુ
૨૩૦ “ જમીનની મહેસુલની મર્યાદા બાંધવાથી થતા ફાયદાનુ અમને પૂર્ણ ભાન છે. અમને ખબર છે કે કાચી જમાનન્દીથી લાને ઘણી અડચણ ચાય છે અને ઘણા દગાટકાને અવકાશ મળે છે. જ્યારે કરા ઉપરાઉપરી વધતા જતા હાય અને લેાકને પેાતાના ઉદ્યાગના વધારાને લાભ લેવાની તક ન મળતી હેાય તેવા સ યેાગેામાં કાઇ પણ દેશ આબાદીમાં આગળ વધી શકે કે નહિ તેજ સવાલ છે. પણ · અચળ જમાબન્દી ’ના પક્ષમાં દરેક વલણ છતાં અમારા પુખ્ત અને નિર્વિશેષ મત છે કે આ ક્ષણે “અચળ જમાબન્દી’ જાહેર કરવી એ વાજબી નથી. અત્યારે તે દાખલ કરવા જવાથી રાજ્ય કાશને ભારે નુકશાન થવા સંભવ છે અને કેટલાક ખાતેદારેાના સ ંબંધમાં તેા પાકા પાયા ઉપર આ પદ્ધતિ દાખલ કરીને જેને કાયદા કરવા આપણે માગીએ છીએ. તેમનેજ અત્યારે દાખલ કરવા જવાથી નુકસાન થશે એમ અમને જણાય છે.”
૧૯૬
અચળ જમાનન્દી વિરૂધ્ધ ઉત્તર હિંદુસ્તાનમાં આ પહેલા સ્વર હતા. રાજ્યકાશને ભારે નુકશાન ' ના ભયે આ સ્વર ઉપજાવ્યો પણ આ ખાસ કમિશનની દલીલને ખાત્રીલાયક જવાબ મિ. કાલ્લુકે આપ્યા.
૩. ૧૮૦૨ ના પમી જુલાઇના અને સને ૧૮૦૫ ના ૧૧ મી જુલાઇનાં જાહેરનામાંથી જમીનદારા સાથે જે જમીને ઘટતા સુધારાથી ‘અચળ આકાર’ તે માટે લાયક થઇ હોય તેવી જમીનેા માટે અમુક મુદત પૂરી થયા બાદ વાજી સરતા સાથે અચળ જમાબન્દી ઠરાવવા માટે સરકાર બોંધાઇ ચૂકી છે; તે વખતે પુખ્ત વિચારથી અને હમણાં જે બાબતેા રજી કરવામાં આવેછે, તેવા ભાનની સાયે મુદ્દતા પહેલેથી મુકરર કરવાનું વાજબી ધારવામાં આવ્યુ હતું, અને તે માટે ૧૮૦૭ ના જીનમાં ગવનર જનરલે ૧૮૦૭ ના દશમા ધારાથી જમીનદા। અને ખીજા ભૂમિઆને ચોખ્ખું જણાવી દીધુ હતુ કે તે પછી તરત અમલમાં આવતી જમાબન્દીના છેલ્લા વર્ષની જમા જો તે
Page #208
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
૧૯૭
કબુલ હશે અને અધ્યક્ષસભા માર કરશે તે હુમેશને માટે ‘ અચળ ’ કરવામાં આવશે.
૪. આવી રીતે ગ ંભીરતાથી આપેલું વચન તેડવાથી લકાને આપણા
ઉપરથી વિશ્વાસ અવશ્ય જશે.
૯. હું ભૂલતા ન હોઉં તેા કમિશનર સાહેબની દલીલ એવી છે કે સરકાર આવી મેટી જાગીરના એક રીતે ધણી છે; માટે જમીનના માલિક તરિકેના ભવિષ્યમાં સુધારા થાય તેના લાભ લેવાને હક તેમણે છોડી દેવા જોઇએ નહિ.
૨૬. બંગાળા બિહાર અને કારેમેન્ડલ કિનારા ઉપરની જમીનેાના આકાર મુકરર થયા તે વખતે આ પ્રાન્તાના કમિશનરાએ જે પ્રમાણ કાઢયું છે તેના કરતાં વધારે પ્રમાણમાં તે વખતની પડતર જમીનના ભવિષ્યમાં સુધારા થાય તે ઉપર ભાગ લેવાના હક સરકારે પુખ્ત વિચાર કરીને છેડી દીયેા છે.
૨૭. આ પગલાનાં શુભ પરિણામે અમાળામાં દેખાવા લાગ્યાં છે. તે દેશની સજીવન થતી આબાદી, વધતી દોલત અને ઝડપથી થતા સુધારા તે બધું અચળ જસાબદી'થીજ થાય છે, એનુ ધોરણ એવુ ડહાપણ ભર્યું છે કે વિગતમાં કેટલીક ગંભીર ભૂલા થયેલી છે, છતાં તેનાં પરિણામામાં આપતે છેવટે નાસીપાસ કરશે નહિ.
૩૨. તર્ક કરતાં અનુભવને વધારે વજન આપવાની મારી વિન ંતિ છે એમ આશા જ રાખવામાં આવી હતી કે પડતર જમીન સુધાર્યોથી જમીનદાની ઉપજમાં પ્રાયદો થશે અને તેથી દુકાળ અને જમીનને લગતાં બીજા સકટા જમામાં મારી આપ્યા વિના તે લેાક ઉતરી શકશે.
૩૩. આ ધારણાઓ સફળ થછે.
૩૮. એમ જણાયછે કે કંઇક એવું સમજાયુ છે કે, બ્રિટિશ રાજ્ય પધ્ધતિ સામાન્ય રીતે હિંદુઓને અનુકૂલ પડતી નથી. આ અભિપ્રાય
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રકરણ ૫મું.
પાયાદાર છે એમ માની લઈએ તો એમ નીકળે છે કે જ્યારે પ્રતિકૂલ જણાતી રીતભાતનેજ એમને અનુભવ મળે છે, અને જે વરદાન તેઓ ચાહે છે તે આપતાં આપણે હાથ ધ્રુજાવીએ છીએ, ત્યારે જમીનના માલિક અને તેમની સાથે લોક વર્ગ પણ જે આશાઓ આપણે તેમને આપી હતી અને જેને માટે નૈરાશ્ય અનુભવવાનો તેમને વખત આવશે, તે આશા નિરાશાના પ્રમાણમાં વિધારે ને વધારે સરકારથી અપરત રહેશે. . . હું કમિશનરના આ અભિપ્રાયને મળું છું કે દઢતા, નિર્લોભતા અને ન્યાય એ સરકારનાં વહિવટનાં ખાસ લક્ષણો હોવાં જોઈએ. પણ હું માનું છું કે પુખ્ત વિચાર પછી નક્કી કરેલું રૈયતને ફાયદાકારક પગલું છોડી દેવાથી આપણી દઢતા આપણે સાબિત કરી શકીશું નહિ. ઊંચામાં ઊંચા દરની લાલચ રાખ્યાથી અને ખેડુત પાસેથી વધારામાં વધારે સાથે લેવાથી આપણે આપણી નિભતા સિદ્ધ કરી શકીશું નહિ. તેમ આપણા તાબાના જમીનના માલિકના દીકરાઓના લઈને અવતરેલા હકે પડાવી લઇને આપણે આપણી ન્યાય બુદ્ધિની ખાત્રી કરી શકીશું નહિ.
આ મિનિટ તેમજ તેવા અર્થની બીજા સભાસદ મિ. લમ્સડનની મિનિટ લોર્ડ મિન્ટો જે તે વખતે ગવર્નર જનરલ હતા તેમણે અધ્યક્ષસભાને
મોકલાવી દીધી. લૉર્ડ મિન્ટોએ પડે પણ આ બાબતમાં સ્પષ્ટ અભિપ્રાય નિધ્યો હતે. . . . - અચળ જમાબન્દીના સંબંધના જુદા જુદા પ્રાન્તના તમામ કાગળો વાંચીને મને તે નીતિના સંગીનપણાની અથવા તેની અનિવાર્ય આવશ્યકતાની ખાત્રી થઈ છે.
પણ અધ્યક્ષસભાએ પિતાને અભિપ્રાય બાંધી દીધો હતો. સંયોગ બળથી જ એક પ્રજાના કલ્યાણ માટે ભાવ સુધારાના લાભનો ભોગ આપવા , એકવાર તેઓ પ્રવૃત્ત થયા હતા. લોર્ડ કોર્નવોલિસ બેહસ્તનશીન થયા હતા,
Page #210
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૯૯
અને અધ્યક્ષસભા ફ્રીથી ઔદાર્ય બતાવી ગુન્હેગાર થવાની નહતી. હવે તે “ ઊંચામાં ઊંચી ઉપજની લાલચ રાખવાની અને લેાકા પાસેથી વધારામાં વધારે સાંય લેવાની ” તેમની રાજ્યનીતિ હતી. તેઓ લખેછે કે,
“ કટક અથવા બીજા કોઇ પ્રાન્તમાંના જ્યાં સુધી તે બાબતના તમામ કાગળે અમારી રૂબરૂ રજુ કરવામાં આવે નહિ અને તમારા તે ખાખતના ઠરાવાની અમારા તરફથી મંજુરી મળે નહિ, ત્યાં સુધી કાઇ પણ જમાનન્દીને ‘ અચળ ’ જાહેર કરવી નહિ, ” નવ મહિના પછી તેમણે પ્રીથી લખ્યું કે આ ખરીતાને અમારે અર્થ એ છે કે અમારા નવા પ્રાન્તામાં બગાળાની પેઠે અચળ આકારમાં તમારે અમને બધી દેવા નહિ ' એવી તમને તીવા શબ્દોમાં સાવચેતી આપવી.
લેકના
આ ખરીતાઓથી ગવર્નરજનરલ ચમક્યા. આને અર્થ એવા થયા કે કલ્યાણ માટે એક અત્ય ંત આવશ્યક પગલુ છેાડી દેવુ, એટલું જ નહ પણ ૧૮૦૩ અને ૧૮૦૫ ના ધારાઓમાં દાખલ કરેલું લાકને બબ્બે વાર આપેલું બીનસરતી વચન પણ તેાડવુ. નિક્ષિપ્ત પ્રાન્તા માટેના ૧૮૦૩ ના ૨૫ મા ધારાની ૨૯ મી કલમમાં નીચેનું જાહેરનામું હતું.
r
આ દશ વર્ષ પૂરાં થયા પછી આના આ લોકા ( જો તે રાજી હશે અને તેમના કરતાં વધારે હક વાળા બીજા કાઇ આશામી નીકળી આવશે નહિ તે ) સાથે જે જમીન ઘટતા સુધારાથી અચળ જમાનન્દીને લાયક જણાશે તે જમીનના સંબધે સરકારને યેાગ્ય અને વાજખી લાગશે તેવી સરતે અચળ જમાવ્યન્દી ’ ના હરાવા કરવામાં આવશે.” વિજીત પ્રાન્તા માટેના
"
૧૮૦૫ ના નવમા ધારામાં એવા જાહેરનામામાં એવા એજ શબ્દો હતા.
આ ખ઼ીનસરતી વચના કમ્પનીના જવાબદાર તાકરે અને પ્રતિનિધિએએ હિંદના લેાકાને આપેલાં હતાં. તે કમ્પનીને બંધનકારક હતાં, ૧૮૦૭ માં—૧૮૦૭ ના દસમા ધારાથી ( નિક્ષિપ્ત તેમ વિજીત પ્રાન્તો માટે ) આ વચન રીથી આપવામાં આવ્યું હતુ; અને આ વખતે એવી સરત
Page #211
--------------------------------------------------------------------------
________________
- -
પ્રકરણ પ મું.
-
પહેલ વહેલીવાર વધારવામાં આવી હતી કે “ જે માનવંત અધ્યક્ષસભાની મંજુરી હશે તે” અચળ જમાબન્દીના ઠરાવ કરી આપવામાં આવશે.
૧૮૧૧ માં અધ્યક્ષસભાએ કાઢેલા હુકમથી આ વચને કેવી રીતે નાબુદ થાય ? ૧૮૧૨ માં ઈન્ડિયા સરકાર લખે છે કે “૧૮૦૩ અને ૧૮૦૫ ના ધારાઓથી સ્થાપિત કરેલી ગોઠવણની અધ્યક્ષસભાની નાપસંદગી તે ધારાઓ ઘડાયા પછી તરતજ જાહેર થઈ હતી તો તે સભાની સત્તાનો તેમણે અમલ કર્યો તે કારણથી તે નામંજુરીને ટેકે મળત પણ હવે જ્યારે નિક્ષિપ્ત પ્રાન્તમાં બધા જમાબાદી પટાની બધી મુદત અને વિછત પ્રાતમાં બે ભાગની મુદત ખલાસ થઈ ગઈ છે, તે વખતે એ સરત રદ કરવામાં નીતિ અને ન્યાયનાં ધોરણોની બેદરકારી થાય છે એમ અમને જણાય છે,”
અને સ્વહસ્તે લખેલી એક મિનિટમાં લોર્ડ મિન્ટોએ, અધ્યક્ષસભાના તાજા હુકમોનો શબ્દશઃ અર્થ કરવાથી સરકારનાં જાહેર અને ગંભીર વચનો'ની સાથે બંધબેસતું ન હોવાથી સંકુચિત અર્થ કરવા યત્ન કર્યો હતે.
સને ૧૮૧૩ માં લૉર્ડ મિન્ટ પાછો વિલાયત ગયો તે પહેલાં એક વાર ફરીથી પિતાને વાંધો તેણે જાહેર કર્યો. એણે બતાવ્યું કે “અચળ જમાબન્દીમાં ઉપજનો કાંઈ પણ ભેગ આપવાનો નથી. જમીન ઉપર ફરતે કર સુધારાને પ્રતિકૂલ હેવાથી એડમસ્મિથે વેલ્થ ઓફ નેશન્સમાં વખોડી કહાડ્યો છે. પડતર જમીનનો સમાવેશ કર્યા વિના ખેડવાણ જમીનને સંબંધે જ ઉત્તર હિંદુસ્તાનમાં અચળ જમાબન્દી થઈ શકે તેમ છે,” અને છેવટે લખ્યું કે “જે મારા રાજ્ય વહિવટને હેતુ દેશીઓની સ્થિતિ સુધારવી એ હેય તે મારું નિ:સંદેહ માનવું છે કે તે અગત્યના હેતુ ત્વરાથી અને ફતેહમંદીથી પાર પાડવા માટે “અચળ જમાબંદી” ના જેવું બીજું રાજ્ય કૃત્ય અમને જણાતું નથી.”
પણ કંપનીના અધિષ્ઠાતાઓ હઠીલા થયા હતા. હિંદના લેકના કલ્યાણની તેમની પ્રસિદ્ધ ઇચ્છા હોય તે પણ તેમના પોતાના નફા મુકી દેવા એ
Page #212
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને
એમને યોગ્ય લાગ્યું નહીં. ૧૮૦૩ અને ૧૮૦૫ માં આપેલા વચનેમાંથી નીકળી જવાની એક યુક્તિ તેમણે ઘડી કહાડી હતી. તેઓ લખે છે કે –
અભંગ કબજે અને સરકાર હક વખતસર આપી દે એ જમીનદારોને ત્રણ વરસના પટા વખતે સરકારે આપેલાં વચનોની ‘સર’ હતી. એક વધારે અગત્યની સરત એ હતી કે દરમિયાનમાં જમીન એવા સુધારાની સ્થિતિ ઉપર લાવવી જોઈએ કે આપણા હકની મર્યાદા બાંધવી યોગ્ય ગણાય. ૧૮૦૩ અને ૧૮૫ ના ધારાઓમાં આ સુધારાની હદ મુકરર કરેલી નહતી. અને ખરેખર કોઇપણ, ભવિષ્યમાં અમલમાં મૂકવાના, ધારામાં મુકરર કરી શકાય પણ નહિ. આ સવાલ ભવિષ્યનો ગણ સરકારના ભવિષ્યના નિર્ણય ઉપરજ પૂર્ણ રીતે મૂકવામાં આવ્યો હતો, તેમજ આ ધારાઓમાં એવું કાંઈ નથી કે જેથી સરકારના નિર્ણયને કંઈ પણ પ્રતિબંધ પહોચી શકે અથવા પહોચ જોઈએ.
જે આ દલીલ શુદબુદ્ધિથી અને પ્રમાણિકતાથી કરવામાં આવી હતી તે કેટલીક આગળ વધેલી જાગીરોમાં “અચળ જમાબંદી થઈ જાત; અને કેટલીકને માટે વિલંબ કરવામાં આવત. પણ આ દલીલ આપેલું વચન તેડવાની એક યુક્તિ માત્રજ હતી. અને વચન તૂટયું. ૧૮૧૩ માં કોઈ પણ જાગીરની જમાદી “અચળ થઈ નહિ. અને તે પછી હજીસુધી પણ થઈ નથી. | લેર્ડ મિન્ટો પછી લૈર્ડ મેયરા (પાછળથી માર્વેસ ઓફ હેસ્ટિંગ્સ) હિંદુસ્તાનનો ગવર્નર જનરલ થશે. તેની કારકીર્દિમાં નેપાલની લડાઈ, પિંડારીની લડાઈ અને છેવટે છેલ્લી મરાઠા લડાઈ જેના પરિણામમાં ૧૮૧૭ માં મુંબઈ ઇલાકે ખાલસા થશે તે પ્રસિદ્ધ બીના છે. આ બનાવા ઉપર ધ્યાન આપવાની જરૂર હેવાથી ઑર્ડ હેસ્ટિંગ્સ થોડા વખત સુધી ઉત્તર હિંદુસ્તાનની જમાબન્દી ઉપર ધ્યાન આપી શકે નહિ.
૨. ઉત્તર હિંદુસ્તાનની મહાલવારી
જમાબંદી (૧૮૧૫-૧૮૨૨) સને ૧૮૧૮ માં છેલ્લું મરાઠા યુદ્ધ સમાપ્ત થયું; અને છેલ્લે પિસ્વા કબ
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રકરણ ૫ મુ
જ થયા. તે પછી લાર્ડ હેસ્ટિંગ્સને દેશની જમીનના વહિવટને સવાલ હાથ ધરવા પડયા. એડવર્ડ કાØક અને મિ. ટ્રાન્ટ નિક્ષિપ્ત પ્રાંતા અને વિજીત પ્રાંતેના મારાદાબાદ, બરેલી શાહાજાનપૂર અને રેહિલખન્ડ એ જીલ્લાઓની જમાઅન્દી બાબત જે રિપોર્ટ કર્યાં હતા, તેમાં પણ તેમણે જમાબંદી અચળ કરવાની ભલામણ કરી હતી. તેમણે લખ્યું હતું કે
“ સરકારે અમારા ઉપર મહેરબાની કરીને અમને, જે અધિકાર સોંપ્યા છે તેનું કર્તવ્ય પૂરેપૂરૂં બજાવવાના અંગતી અમારા અભિપ્રાય બતાવવા એ એક જ છે એમ અમે સમજીએ છીએ, અમારે દૃઢ અભિપ્રાય છે કે આ પ્રાન્તના લેાકેા જેની ધણા વખતથી આતુરતાથી રાહ જુએ છે તે અચળ આકારના લાભો લોકાને હિં આપવાથી આ તરફના 'આપણા મુલકના સંબંધમાં આપણને મેઢુ નુકશાન થયા વિના રહેશે નહિ.
જો કે અમને ખાત્રી છે કે સરકારી કાશને પણ તેથી ધણા લાભા છે તેપણ તે દૃષ્ટિબિંદુથી તેના લાભેાનું વિવેચન અમે કરવા નથી માગતા. કારણ ક્રુ ઉપર ટાંકેલા એ ધારાથી સરકાર વચન આપી ચૂકેલી છે; અને આ ધારા એધ્યક્ષ સભા સાથે ‘અચળ જમાનન્દી' સબંધી પૂરી ચર્ચા થયા પછીજ ઘડાઇ બહાર પાડવામાં આવેલા છે, તેથી, અહી ના તેમજ યુરાપના અધિકારીઓને એ છેવટના નિર્ણયજ હતા એમ ગણવુ જોઇએ.
:
.
અમે ફરીથી અમારે પૃથક્ અને સયુક્ત નિશ્ચય જણાવવાની રજા લઇએ છીએ કે આ પ્રાન્તામાં જમાબન્દીના ઠરાવેાની સામાન્ય ‘ અચળતા સિવાય બીજી કાંઇ ગઠવણુ જમીનદારાને ગળે ઉતરે તેમ નથી કારણ કે તે એમ માને છે કે સરકાર તેમ કરવા ગભીર વચતાથી બધાઇ ગયેલી છે.” ૧૮૧૯ માં મિ. ડાઉડસવેલે વાનપ્રસ્થ લેતી વખતે એક મિનિટ લખેલી છે તેમાં પણ એજ સૂર પૂરા નિશ્ચય સાથે ચાલે છે. લખે છે “ત્યારે સ્થિતિ એ છે કે ઉપર ખતાવેલી મર્યાદા સાથે સરકારનુ વચન નિક્ષેપ અને વિજય પછી દરા વર્ષ વીત્યા ખાઈ જમાયન્દીના ઠરાવો અચળ કરવાનું લોકાને અપાઇ ગયુ છે,
કે:
·
Page #214
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૨૦૩
૨. “ જેના ધ્યાન ઉપર આ નીચેની હકીકત મૂકવાની છે તેને અપ્રિય લાગે તેવી હકીકત અને તેવા અભિપ્રાય લખતાં મને બહુ દુઃખ થાય છે. પણ મને ખાત્રી છે કે માનવંતી અધ્યક્ષસભા ભારા હેતુને ગેરઇન્સાફ નહિ કરે. જે હું છુટો છું એ મારે મત હેત તે જે કામમાં હું ગુંથાયો છું તે મૂકી દેત. પણ મારા વિચારો બતાવવાની મને અસાધારણ જરૂર જણાયાથીજ હું તે દફતર ઉપર મૂકું છું. . - “હું એમ બતાવવા ધારું છું કે દેશની ખેતી સંબંધી સ્થિતિમાં સુધારો કરવાથી અને ખાસ કરીને જાહેર સાધન સંપત્તિનો કઈ અસાધારણ ભોગ આપ્યા સિવાય બ્રિટિશના નામની અને સત્તાની સાથે લેકે અનુરાગ સુદઢ કરવાથી, અચળ જમાબન્દીનો પ્રબંધ બ્રિટિશ સરકારનાં શુભનું જ પિષણ કરે છે. મને ખાત્રી છે કે જમીનના માલિકો પોતાના પરગણામાં અથવા મઝામાં અથવા કોઈ કટકામાં ખેડવાણ જમીનની સાથે જે ફુલગુંથણીયા પડતર જમીનો પડી હશે તેનો સુધારો કરીને પોતાનાં ગુજરાનનાં સાધનોનો. વધારો કરીને સંતોષ માનશે અને બાકીની બધી જમીન બેશક કાયદાથી જ સરકારને સ્વાધીન રહેશે. - “ બીજી તરફથી સરકારે જમીનમાંથી નીચોવીને મહેસુલ લેવી તે હું ડાહ્યું, ઈન્સારી અને નીતિસર માનતો નથી. હું માનું છું કે સામાન્ય રીતે બોલતાં હાલ જે આકાર કર્યા છે તે ખેડુત વર્ગ જમીનના ધીમે ધીમે સુધારા કરી શકવાની સાથે જેટલું આપી સકે તેટલા ઊંચા તે છેજ.
હવે હું આ વિષય છોડું છું. ઘણું કરીને હંમેશને માટે દેશની આંતર શાન્તિ અને સુવ્યવસ્થા તરફ મેં કાંઈ પણ કર્યું છે. મેં મારી શક્તિ પ્રમાણે દિવાની ફરજદારી ન્યાયના વંહિવટના સંબંધમાં અને તેમાં સુધારા કરવામાં મહેનત કરી છે, અને રાજ્ય વહીવટમાં મને જે ભાગ સોંપેલો છે, તેનાથી રાજ્યકેશને સામાન્ય રીતે કંઈ નુકશાન નથી થયું તે જોઈને મને અભિમાન સાથે સતેષ થાય છે. આટલું જોકે ઘણું છે તે પણ અધિકાર છોડ્યા
Page #215
--------------------------------------------------------------------------
________________
-
પ્રકરણ પ.'
પહેલાં આ પ્રાંતિમાં જે “ અચળ જમાબન્દી’ સ્થાપિત થયેલી હું જોઈ શક્યો હત તે મારી કોઈ પણ ઈછા અતૃપ્ત રહેત નહિ.” - આનાથી પણ વધારે પ્રખ્યાત અધિકારી સર એડવર્ડ કાબુક બેતાળીશ વર્ષની નોકરી પછી હિંદ છોડવાને તૈયાર થયા તે વખતે તેમણે પણ અધ્યક્ષસભાને લેભમાંથી લોકને બચાવવાનો અને ભવિષ્યમાં જમીનમાંથી જે નફો મળે તેનાથી કંઈ સુખી થવાને અવકાશ આપવાને એક પ્રયત્ન કર્યો. ૧૮૨૦ માં એણે એક મિનિટ લખી તેની સાથે ૧૭૦૭ થી ૧૮૧૮ સુધીમાં આ પ્રાંતની મહેસુલ ઉપરા ઉપરી વધેજ જતી એ બતાવનારું એક પત્રક રજુ કર્યું. અને પોતાના સુધારા અને ઉદ્યમનું ફળ લોકોને રહે તેવી રીતે ” જમાબન્દીની હદ મુકરર કરવાનું જે વચન પ્રથમ અપાઈ ગયેલું તે પ્રમાણે વર્તવાની વળી એકવાર ભલામણ કરી.
સર એડવર્ડ કોબ્રુકના પત્રકમાંથી નીચેના આંકડા લીધા છે.
વર્ષ.
જમીનની મહેસુલઃ રૂપીઆ.
કુલ ઉપજ રૂ.
૧૮૦૭
૨૦૦૮૯૫૫૦
૨૦૬૫૩૯૬૦
.
૧૮૦૮
२०४२३४७०
૨૩૦૪૦૪૦
૧૮૦૯
૨૨૫૪૭૯૧૦
૨૫૭૯૯૪૯૦
૧૮૧૦
૨૩૯૨૪૫૨૦
૨૭૮૨૬૪૩૦
૧૮૧૧
૨૪૪૭૩૭૦
૨૭૪૧૭૨૮૦
૧૮૧૨
२२७४७०८०
૨૬૪૬૮૫૮૭
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૧૩
૧૮૧૪
૧૮૧૫
૧૮૧}
૧૮૧૭
૧૮૧૮
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૨૫૦૮૬૮૧૦
૨૫૦૨૨૨૩૦
૨૪૮૩૧૩૩૦
૨૬૬૫૬૬૭
૨૬૨૬૭૬૧
૨૮૯૨૭૮૯
૨૯૩૧૯૦૬૦
૨૮૧૫૫૯૦
૨૮૯૧૦૪૫૦
૩૧૩૦૮૫૩૦
૨૯૨૬૯૨૩૦
૩૨૬૨૩૬૬
તે પછીની એક મિનિટમાં પૂર્ણ લાગણી વાળા શબ્દોમાં હિંદુસ્તાનના લાકામાં આખી જીંદગી ગુજાર્યાંથી ઉત્પન્ન થયેલા પ્રેમથી અને તેમના સત્તનના સતાથી પ્રેરાઇને લેાકને ‘ અચળ જમાબન્દી ' આપવાની વકીલાત કરેછે, પણ તે બધું નિષ્ફળ જાયછે. હિંદુસ્તાનના લેાકાનું વાદારી અને સુલેહને ચાહનારૂં સત્તન સરકારના હુકામાંથી એક પાઇ પણ કમી કરવા અશકત નીવડયુ છે. અને બ્રિટિશ રાજ્યને લીધે સ્થાપિત થયેલી શાન્તિમાં, નિર્ભયતા છતાં લેકે કરકસરીઆ અને ઉદ્યાગી છતાં, જમીન ઉમદા અને ળદ્રુપ છતાં, લેાકેા છેક દરિદ્ર અને સાધનહીન થઈ ગયા ત્યાં સુધી સરકારની માગણીઓ વધતીજ ગઇ એવી ઉલટી અસર ઘણીવાર ચમેલી છે.
ઉપરના કમિશનરેશના, ડાઉડસવેલ સર એડ઼વર્ડ કેન્રુક તેમજ સ્ટુઅર્ટ, એડમ, અને ફ્રેન્ડાલના રિપોર્ટો અને મિનિટાથી સજ્જ થઈને ગવર્નર જનરલ લાર્ડ હેસ્ટિંગ્સે અચલ જમાબન્દીનેા પ્રાધ જેતે માટે બ્રિટિશ સરકારે ગંભીરતાથી વચન આપ્યુ` હતુ`', અને જે લેાકેાની આબાદી માટે જરૂરને હતેા તેને માટે એક. છેલ્લી વિન ંતિ કરી.
Page #217
--------------------------------------------------------------------------
________________
‘પદ
-
૧
પ્રકરણ ૫ મ.
' લખે છે કે અત્યારે અમારો આ એકમત છે કે નિયત જમાના ઘેરણથી, અથવા નિયત અને અચળ ભાવથી મુકરર થાય તેવા આકારના ધોરણથી, આ પ્રાતમાં અચળ જમાની પદ્ધતિ દાખલ કરવી.”
પણ એક વેપારી કમ્પનીના અધિષ્ઠાતાઓ જેઓ હવે એક મોટા સામ્રાજ્યના માલિક થયા હતા તેમણે લૈર્ડ હેસ્ટિંગ્સની દરખાસ્ત નામંજુર કરી અને તે એવા અવિનયની સાથે કે તેથી જ્યાં પિતાનાં નાણાં સંબંધી લાભની વાત આવતી હોય ત્યાં લોકના સુખેથી તેઓને કેટલી બેદરકારી હતી તે સ્પષ્ટ જણાઈ જાય. તેઓ લખે છે કે –
આપ જે બાબતમાં એકમતે અભિપ્રાય ઉપર આવ્યાનું કહો છો એટલે 'આ પ્રાન્તોમાં અચળ જમાબન્દી આપે બતાવેલાં કોઈ પણ ધારણ ઉપર દાખલ કરવી તે બાબતમાં, આપના અભિપ્રાયની સાથે અમે મળી શકતા નથી. એની અમારે ખાસ કરીને આપને ખબર આપવાની છે. સને ૧૮૧૯ ના ૧૫ મી જાન્યુઆરીના પત્રની ૮૬ મી કલમમાં અમે અચળ જમાબન્દી વિરહ જે હુકમ આપે છે તે હુકમનું સ્પષ્ટતાથી પુનરાવર્તન કરીએ છીએ અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે આવી અચળ જમાબન્દીના ઠરાવ કરવાથી આપે દૂર રહેવું એટલું જ નહિ પણ લોકોના મનમાં એવી તરેહની આશા ઉત્પન્ન થાય તેવા પણ કોઈ કૃત્યથી હમેશાં દૂર રહેવું. આ રીતે આ પછી ચાળીસ વર્ષ સુધી આ વિવાદ બંધ પડો.
ગ્રામ સંસ્થાઓ,
દરમિયાન મહેસુલ સભાના મંત્રી-હેટ મેકેન્ઝીએ ૧૮૧૯ની પ્રખ્યાત મિનિટ લખી હતી. જેમાં ઉત્તર હિંદુસ્તાનમાં પ્રામસંસ્થાઓની હયાતીની વાત બહાર આણી હતી અને પદ્ધતિસર માપણી કરીને તમામ તરેહની તપાસ કરીને ગ્રામસંસ્થાઓ સાથેજ જમાબંદીના ઠરાવ કરવાની ભલામણ
Page #218
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક પ્રતિહાસ.
૨૦૭
કરી હતી. આ મિનિટમાં જુદા જુદા જીલ્લાએની મુખ્ય હકીકત આપી હતી. અને એવી સૂચના કરી હતી કે હવે આ ગામોની માપણી કરવી, હૂકનાં પત્રકે બનાવવાં, ગ્રામસ સ્થાના પ્રતિનિધિ તરીકે ‘ લમ્બરદાર ' નામના મુખીએ નીમવા, જેઓ મહેસુલ આપવાને પાત્ર ગણાય અને જેમનાં નામ દેશાધ્યક્ષના દફ્તરમાં ‘ મહેસુલ આપનાર ' તરીકે રહે. એમ પણ સૂચવ્યુ હતુ` કે આકારના દર વધારવાને બદલે સરખા કરવા અને મહેસુલ ભરનારાઓના જે હક હેાય તે હકમાં તેમને કાયમ કરવા.
૮૭. એમ જણાયછે કે પ્રાચીન હિંદુ શાસ્ત્રમાં રાજાને માટે ઉપજના અમુક નિયત અને માર્કસ ભાગ મુકરર કરવામાં આવ્યા છે. પણ જો આપણે પૂર્વના વહિવટનું અનુમાન હમણાંના રાજ્યાના વહિવટ ઉપરથી કુહાડીએ તેા એમ ધારી શકાય કે નિયત મર્યાદાનું બંધન અમલમાં નથી.
૮૮. તેમજ મિ. ગ્રાન્ટના કહેવા પ્રમાણે મેઘલ પદ્ધતિમાં પણ રોકડ રકમ ઉપજના ચેાથા ભાગને હિંસામે મુકરર કરવામાં આવતી.
૯૩. એકંદર દેશી રાજ્યે પોતાના હક મુકરર કરવામાં પ્રાચીન રિવાજોને પુષ્કળ વજન આપતા અને છેવટના ભાગમાં પેાતાના વાજબી હકા લેવા જેટલું પણ બળ તેમનામાં ન હેતુ, તેપણુ પોતાના હક મુકરર કરવાનો સરકારના અધિકાર છે એ વાતની કદી પણ શંકા લેવામાં આવી નથી.
"
૧૦૧. સરકારના સંબધે અતિ ' ન થાય તેને માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે. કારણ કે હંમેશાં આપણે આપણા મનથી ચેાખ્ખી ઉપજને અમુક ભાગ લેતા હુઇએ પણ વાસ્તવિકરીતે મજુરીના અને માલના વળતર ઉપર આપણા પગપેસારા હેાય એવા હમેશાં ભય રહેછે.
૧૨૯. ખેડુતોએ ચોખ્ખી ઉપજને શે। અગ્ન આપવા એ નક્કી થાય, તે પછી વચલા માસા વહીવટ કરનારાઓ જમીનદાર જેવાઓનેરો લાભ આપવા અને અેટલે લાભ આપવા એ મુકરર કરવાનુ એટલે સરકારના હકની
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રકરણ ૫ મું.
હદ બાંધ્યા પછી જે ચોખ્ખો નફો રહે તે કેવી રીતે વહેંચવો એ સવાલ રહે છે.
આ ઠરાવ કર્યા પછી એક અઠવાડીઆ બાદ આ પ્રાતમાં અને કટક, પટાસપુર અને તેના તાબાના મુલકમાં જમાબન્દીના ધોરણ સંબંધી ૧૮૨૨ ન ૭ મો ધારો પસાર કર્યો. - મહાલે મહાલે ફરી ખાસ ગામે ગામ અને મહાલે મહાલે જમાબાદી કરવાની હતી. તેથી, ઉત્તર હિંદુસ્તાનની જમાબદીની પદ્ધતિ મહાલવારી જમાબન્દી કહેવાય છે. એવો સ્પષ્ટ નિયમ કરવામાં આવ્યો હતો કે જમીનદારનો નફે સરકાર હક કરતાં પાંચમા ભાગથી વધારે હોય તે સિવાય સરકાર હક વધારો નહિ. એવી સ્થિતિમાં જમા એવી રીતે નિયત કરવી કે સરકારની જમાને પાંચમે ભાગ જમીનદારને ચોખ્ખો નફો રહે. આ પ્રમાણે ૧૨૦૦૦ રૂપિયાની ચોખ્ખી ઉપજ હોય ત્યાં ૧૦૦૦૦ રૂપિયા સરકારના અને ૨૦૦૦ જમીનદારના એટલે ચોખ્ખી ઉપજના ૮૩ ટકા સરકારના ઘરમાં જાય.
દેશાધ્યક્ષેને જેટલી રકમ ભરવાની હોય તેટલી રકમ ભરવાની સરતે ખેડુતોને પટ આપવાની સત્તા આપવામાં આવી હતી. જ્યાં જમીનદાર વચમાં ન હોય અને જમીન સંયુક્ત હોવાથી ખેડુતોનાજ કબજા ભોગવટામાં હોય ત્યાં ચોખી ઉપજના ૯૫ ટકા સુધી સરકાર હક બાંધી શકાય અને ૫ ટકા માલીકાનાના અથવા બીજા સરકાર જે હક ઠરાવે તેને માટે, ઓછામાં ઓછા પાંચ ટકા બાદ આપવા; આવા પ્રસંગોમાં સંયુકત જમીનના ભાગો પાડવાને અને દરેક ખેડૂતનાં જુદાં ખાતાં પાડી આપવાને દેશાધ્યક્ષને અધિકાર આપવામાં આવ્યો હતો.
ખેડુ અને જમીનદાર વચ્ચેના દાવા ચૂકવવાને તેમની સાથ નકકી કરવાને, તેમના હિસાબની ચેખ કરી આપવાનો અને જમીન સાંથ પટા અને એકમેકના ઠરાવ બાબત તમામ વાંધા પતાવવાનો અધિકાર દેશાધ્યક્ષોને આપવામાં આવ્યો હતો. દેશાધ્યક્ષ-કલેક્ટરના નિર્ણય ઉપર વસુલાતી સભાને
Page #220
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક પ્રતિહાસ.
અપીલ આપવામાં આવી હતી અને છેવટે દિવાનીમાં દાવા લાવીને વાંધા પતાવવા હક આપ્યો હતેા.
२०७
ઉત્તર હિંદુસ્તાન બ્રિટિશના હાથમાં ગયા પછી આ પહેલ વહેલા જમીનને! ધારા ’ હતા. તેની કલમે જોતાં તેની ખામીઓ તરત જણાઇ આવે છે. આ ધારામાં ખેડૂતોને આપવાની સાંથનુ કાંઈ પણ વાજળી પ્રમાણ દેશાધ્યક્ષના નિર્ણય સિવાય મીજી નક્કી કર્યું નથી. તેમાં જમીનદારને ચેાખી ઉપજના ૧૭ ટકા શિવાય કાઇપણ વાજખી નાને માટે અવકાશ રાખવામાં આવ્યો નથી. અતિશય માગણી ન કરવાનાં અને ચોખ્ખી ઉપજને ભાગ લેવાનાં વચના સાથે સરખાવતાં સરકાર તમામ ચોખ્ખી ઉપજ ઉપાડી ગઇ અને ખેડુત અને જમીનદાર બન્નેને સરખી ગરીબાઇમાં મૂકી દીધાં. ધનતે સ ંગ્રહુ થવાનુ, અને લોકોની સ્થિતિ સુધરવાનું, અશક્ય થઇ પડયું. અને પહેલી જમાબન્દીની ટૂંકી મુદ્દત પૂરી થાય તે પછી નવી જમાબન્દીમાં રાજ્ય હુકના વધારાની કંઇ પણ મર્યાદા નિયત કરી નહિ.
'
આ રીત તેની પોતાની ક્રૂરતાથીજ પડી ભાગી. કમ્પનીના શ્રેષ્ઠ અને મેટામાં મેટા ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકે ૧૮૩૩ માં ઉત્તર હિંદુસ્તાનના લોકાનું કઈક સમાધાન કર્યું.
ડા. જીનનના હેવાલ ( ઉત્તર હિંદુસ્તાન સંબધે ).
પરંતુ તે ઉપર આવતાં પહેલાં આપણે મુકનને આ અરસામાં આપેલા ઉત્તર હિંદુસ્તાનના ચિત્ર તરફથી નજર કરીશુ.
કમ્પનીની અધિષ્ટાત્રી સભાએ ડા. બુકનનની મદ્રાસની મુસાફરીમાં જણાયલી હકીકતની કિંમત સમજીને તેમને ઉત્તર હિંદમાં તેવી મુસાફરી કરવાને આજ્ઞા કરી. આ મુસાફરી બુકનને ૧૮૦૭ માં ૠરૂ કરી અને સાત
14
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પ્રકરણ ૫ મું. વર્ષ સુધી સાવધાનીથી તપાસ કરી. આ તપાસનું સરકારને ત્રણ લાખ રૂપિયા ખરચ થયું હતું.
ડા. બુકનને લખેલે હેવાલ હિંદી સરકારે વિલાયત સરકાર ઉપર મોકલાવી દીધે, પણ ઘણી વખત સુધી તે વપરાયા વિના જ પડ્યો રહ્યો. ડા. બુકનને સ્કોટલેંડમાં એક મોટી જાગીર લીધી. પિતાનું નામ બદલી હેમિલ્ટન નામ ધારણ કર્યું અને પિતાની મહેનત સફળ થાય તે પહેલાં શાન્તિમાં મરણ પામ્યા.
તે પછી બ્રિટિશ સંસ્થાના ઈતિહાસકાર મન્ટ ગેમરિ માર્ટિને ડા. બુકનનના કાગળો જોવાની પરવાનગી માગી, અને તેણે સને ૧૮૩૮ માં આમાંથી એક સંગ્રહ પ્રસિદ્ધ કર્યો. આ સંગ્રહ ઉપરથી ઓગણીસમા સૈકાના પહેલાં બે દસકાઓમાંની ઉત્તર હિંદુસ્તાનની સ્થિતિને ખરે ચિતાર આપણને મળી આવે છે. તેના આ ગ્રંથના ઉચિત ભાગને સાર આ પ્રકરણમાં આપીશું.
પટણા અને બિહાર છલ્લે. (ક્ષેત્રફળ ૫૩૫૮ ચોરસ માઇલ; વસતિ, ૩૩,૬૪,૪૨૦).
આ જીલ્લામાં ડાંગરનો પાક સૌથી અગત્યને છે. ડાંગરના સરેરાસ ભાવ રૂપિયા ૧ ના ૭૦ શેર, અથવા શિલિંગ એકના સુમારે ૭૦ રતલ રહે છે. ઘઉં અને જવ અગત્યતામાં તે પછી આવે છે. કેટલીક વારે તે મૅલ એકઠા ઉગાડવામાં આવે છે; લેટની રોટલી બનાવે છે અથવા ઘઉંને શેકી દળી તેને સાથુઓ કરે છે. મરવા ઉનાળામાંજ પકવે છે. મકાઈ અને જર ગંગાના કિનારા ઉપર થાય છે.
વટાણું, અડદ, મગ અને શાકભાજી ખેરાક માટે અને તેલ માટે તલ વિગેરે પકવવામાં આવે છે. બટાટા યુરપમાંથી દાખલ થયા છે. આઠ હજાર એકરમાં કપાસ થાય છે. તે ક્ષેત્રફળના ચારમાંથી ત્રણ ભાગમાં બીજે
Page #222
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૨૧૧ કંઇ મેંલ ઉગતો નથી; શેરડી ૭૦૦૦ એકરમાં થાય છે; ગામોના પરવાડાની વાડીઓમાં અફીણ થાય છે. ૧૬૦ એકરમાં તંબાકુ પકવે છે, બિહારનાં પાન સર્વોત્કૃષ્ટ ગણાય છે અને કલકત્તા બનારસ અને લકનૈ સુધી તેનો નિકાસ થાય છે. ગળીની ખેતી ઉતરતી દશામાં થાય છે, કારણ કે જમીનદારો તેથી વિરૂદ્ધ છે પણ કસુંબા બહુ પકવાય છે.
ખેડુત જમીનના માલીક ને લ લેવાનું તમામ ખર્ચ ઉપરથી કહાડી જે રહે તેનો અર્ધ ભાગ આપે છે, પણ જમીનના માલીકજ પાણી પાવા માટે નહેરો અને સરોવરો ખોદાવવાનું અને સમારવાનું તમામ ખર્ચ આપે છે.
એક માઈલ અથવા તેથી વધારે લંબાઈનાં સરોવરો ખોદાવવાનું ખર્ચ ૫૦૦ રૂપિયા લાગે છે, પણ નાનાં નાનાં તલાવડાં જેની સંખ્યા મોટી છે તેનુ ૨૫ થી ૧૦૦ રૂપિયા સુધી ખર્ચ લાગે છે. ઘણી હેર લંબાઈમાં કેટલાક માઇલની છે, અને ઘણીવાર તે નદીના વેણમાં સૂકી મોસમમાં જેટલું પાણી રહે તેના કરતાં વધારે પાણી તેના વેણમાં રહે છે. શિયાળુ મૈલને મોટો ભાગ શાકભાજી અને શેલડીને-કૂવામાંથી પાણે પાય છે. ગોચર માટે જંગલ વાડી ડુંગરાની જમીન કાંઠાની જમીન અને બાબાણ ગયેલી જમીન સુધ્ધાંત બધું મળીને ૧૬૭૩ ચેરસ માઈલ જેટલી જમીન છે. પાટણ અને ગયા એ શહેરો શિવાય બીજે ઠેકાણે ખેડુતોને ઘર ધણીને માટે કંઈજ આપવું પડતું નથી. ખેતી કરવાવાળા પાસેથી ઘરનું ભાડું લેવાતું નથી. કારીગરો મજુરો અને વેપારીઓ જમીનનું કંઈક ભાડું રોકડમાં અગર કામ કરીને આપે છે.
આ ઉપરથી જણાશે કે ખેડૂતની સાંથ મલ લેવાનું ખર્ચ બાદ કર્યા પછી જે રહે તેને અર્ધ ભાગ હતી પણ તેમાં રહેવાના ઘરનું અને જમીનનું ભાડું, અને કૂવા, તળાવ વગેરેનું ખર્ચ અને મફત ચરો એ બધાનો સમાવેશ થઈ જતો. તેમજ આ ઉપજને અર્ધ ભાગ સખ્તાઈથી વસુલ થતો નહિ. ભાગ પાડવાનું કામ એવું મુશ્કેલ હતું કે હમેશાં મૅલ પાકવા ઉપર આવે એટલે ખેડુ અને જમીનદાર
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રકરણ ૫ મું.
અમુક મણ દાણ કે અમુક રોકડ આપવા લેવાની ગોઠવણ કરે. “એક જાગીર શિવાય બીજે ઠેકાણે ખેડુત પાસે ચડત બહુજ જૂજ રહેલું છે અને જ્યાં રહેલું છે તેનું કારણ એ છે કે માલધણી ખેડુતને ઘણી નાણું ધીરે છે. જમીનના માલિક પાસેથી ખેતી કરવા સારૂ તગાવી લેવાનો રિવાજ બહુ સાધારણ નથી, જોકે થોડે ઘણો તો છે જ. ડા. બુકનનની મુસાફરી વખતે એક સામાન્ય ફેરફાર એ થતો હતો કે, ઉપજના ભાગને બદલે રોકડ સાથ લેવા દેવામાં આવતી'.
સાથીને વાર્ષિક પગાર વર્ષ ૧ ના ૧૬ થી ૨૨ રૂપિયા છે, જમીનને ઉપર નીચે કરવા, ડાંગરના પૂ રોપવા અથવા શિયાળુ મલને પાણી પાવા જે દાડીયાં રાખવામાં આવે તેને રોજના ચાર પૈસા આપવામાં આવે છે. સ્ત્રીઓને પણ પુરૂષના જેટલી જ દાડી મળે છે.
ખેતી પછી કાંતવા વણવાનો ધંધે હિંદુસ્તાનમાં સાર્વત્રિક છે. કાંતનારીઓ બધી સ્ત્રીઓ હોય છે, અને આ જીલ્લામાં ડા. બુકનનના અંદાજ પ્રમાણે લગભગ ૩૩૦૪૨૬ જેટલી તેમની સંખ્યા હતી. “ આમાંને મોટો ભાગ પાછલે પહેરે થોડો વખત કાંતતી. ” સરાસરી દરેક સ્ત્રી વર્ષ દહાડે રૂ. ૭-૨-૮ પાઈનું કાંતે છે. જે આસરે ૨૩૬૭૨૭૭ રૂપિયા થવા જાય છે. અહીંની ગણત્રીથી કાચો માલ ૧૨૮૬૭૨ રૂપિયાનો થવા જાય છે, એટલે કાંતનારીઓને ૧૦૮૧૦૦૫ રૂપિયા ન મળે; તેથી માથા દીઠ વર્ષે દહાડે રૂ. ૩-૪-૦ થવા જાય છે. હાલમાં થોડા વર્ષથી ઝીણું માલની માગણી ઘટી ગઈ છે તેથી સ્ત્રીઓને ઘણું નુકસાન થયું છે.
કપાસના વણનારા સંખ્યાબંધ છે. ચાદર વણવાના કામમાં ૭૫૦ શાળો કામે લાગેલી છે. વર્ષ દહાડે તૈયાર થતા માલની કિંમત ૫૪૦૦૦૦ પાંચ લાખ ચાળીસ હજાર રૂપિયા થવા જાય છે તેમાં સૂતરની કિંમત બાદ કરતાં રૂ. ૮૧૪૦૦ નો નફો રહે છે. આથી દરેક સાલ જેના ઉપર ત્રણ માણસ કામ કરે છે તે દીઠ રૂ. ૧૦૮-૦-૦ નફો આવે છે એટલે માણસ દીઠ રૂ. ૩૬-૦-૦.
Page #224
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૨૧૩
પણ વણકરાના મોટા ભાગ દેશના વપરાશ માટે ખાદી બનાવે છે. તેની કિંમત ૨૪૩૮૬૨૧ રૂપિયા જેટલી થાય છે અને તેમાંથી સૂતરની કિંમત બાદ કરતાં રૂ. ૬૬૭૨૪૨-૦-૦ રૂપિયા નફા રહે છે, જેથી શાળ દીડ રૂ. ૨૮ ના નાના આવે છે.
ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ ધારણ કરેલી રીતનું આ પ્રકારે ડા. બુકનને વર્ણન આપ્યું છે.
કમ્પનીની સાથે બંધણીમાં આવ્યા પછી દરેક આસામીને એ રૂપિયા કમ્પની આપે છે. તે કમ્પનીને જોઇએ તેટલા માલ વાઇ રહે ત્યાં સુધી ખીજા કાઇને માટે કામ ન કરવાની શરત કરે છે, અને આ સિવાય બીજું કાંઇ કમ્પનીનાં આરતી આંગ ઉપર આપતા નથી. આરતીએ દરેક આસામીને અમુક પ્રકારતું આટલું કાપડ બનાવવુ એવા હુકમ આપે છે; તે તૈયાર થઇ માલ આરતીઆના હાથમાં આવે ત્યારે તેનાં નાણાં પત્રકમાં લખ્યા પ્રમાણે વણકરને મળે છે.
*
ટાસાર રેશમનું શુધ્ધ અથવા ભેળવાળુ કાપડ બનાવવાવાળા વણકર ઘણું કરીને કચુઆ ગયા અને નાવડામાં રહે છે. આ માલની વાર્ષિક ઉપજ રૂ. ૪ર૧૭૧૦ જેટલી થાય છે; દરેક શાળા દીઠ એક સ્ત્રી અને એક પુરૂષ કામે લાગે છે અને તેમના વચ્ચે વરસે દહાડે રૂ. ૩૩ થી ૯૦ સુધી નફો રહે છે.
કાગળ, ચામડાનું કામ, અત્તર ગુલાબ, લોખંડનુ કામ, સેના રૂપાતું કામ, પત્થર કાપવાનું કામ, કુ ંભાર કામ, ઈ ટા ઘડવા પકવવાનું અને ચુનેા પકવવાનું કામ, રંગવાનું, ધાબળા વણવાનુ, સેાના રૂપાના કસબનુ કામ અને કસબી કાપડ વણવાનું કામ, આ પણ અગત્યના ઉદ્યાગે છે. દેશના મુલકી વેપાર ઘણું કરીતે બળદીયાથી વેપારી ચલાવે છે, એક બળદ અને પાંચ રૂપિયાથી એક વેપારી વેપાર શરૂ કરી શકે છે. મદ્ધિને દહાડે સહેલાઇથી રૂ. ૫૦ ના માલ વેચી શકે છે, તેમાં ૬ થી ૧૨ ટકા નફા કરે છે. એટલે
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પ્રકરણ ૫ મુ.
બાર મહિને રૂ. ૩૨ ની કમાણી કરી શકે છે. પટણા અને કલકત્તા વચ્ચેના વેપાર મછવાથી ચાલે છે. ૧૦૦ મણ દાણા લઇ જવાનું ભાડું ૧૨ થી ૧૫ રૂપિયા લેવાય છે. પાસે પાસેમાં દાણા લઇ જવાનું કામ ગાડાવાળા કરે છે; અને ૧૨ થી ૧૫ મણ દાણા પટણાથી ગયા સુધી ૩૬ ગાઉમાં લઈ જવા લાવવાને ત્રણથી હું રૂપિયા ભાડુ એસે છે.'
સેા વર્ષે ઉપરના હિંદુસ્તાનના વેપાર અને ઉદ્યાગની આ યાદી જોતાં આપણને આ જમાનામાં ઉપજનાં આ બધાં સાધના કેવાં સ`કુચિત થઇ ગયાં છે તે તરત સમજાય છે. કાંતવા વણવાનું વાસ્તવિક રીતે નષ્ટ થયુ છે; કારણ કે આપણા દેશના લેાકેાના વપરાશનુ ઘણુ ખરૂં સૂતર અને કાપડ લેન્કેશીયર્ પૂરૂં પાડે છે. કાગળ બનાવવાના ધંધા પણ પડી ભાગ્યા છે. ઉંચા પ્રકારની ચીજો બનાવવા માટે હવે ચામડાં પણ યુરપ મેકલવામાં આવે છે અને દેશના ર્ગાને બદલે એનિલઇન ર ગેા વપરાવા માંડ્યા છે. વેપારી અને તેમની પાઠા હવે ભૂતકાળની ચીજો થઇ ગઇ છે અને લાવવા લઇ જવાના વેપારને નફા હવે મવા વાળાઓને મળતા નથી પણ પરદેશી ધનાઢયાની માલિકીની રેલ્વે લઇ જાય છે. હુવે વાસ્તવિક રીતે લોકાને માટે ખેતી એ એકજ આટલા બધા વેપાર અને ઉદ્યાગોને નાશ થઈ જવાથી-એકજ ઉપવિકાનું સાધન થઇ રહ્યું છે.
શાહાબાદ લા.
( ક્ષેત્રક્ળ ૪૦૮૭ ચેરસ માઇલ; વસતિ ૧૪૧૯૫૨૦)
અહીંઆં ડાંગેરા પાક સહુથી મેરા હતા, પણ કેટલાક જ્મીનદારે એ તળાવા સમરાવવામાં પ્રમાદ્દ કરેલા તેથી તેની ખેતી હાલમાં ઘણી ઘટી ગઇ છે. લગભગ અડધા ક્ષેત્રફળમાં ડાંગેરની ખેતી છે. જે જળાશયાને વિસ્તાર
Page #226
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ.
૨૧૫
થાય તે શાહબાદ, પટના અને બિહાર જેટલું જ ફળદ્રુપ થાય પણ ત્યાંની ડાંગરની જાત એટલી ઉંચી નથી.
લણવાવાળા દાડીયાને ૩ ટકા જેટલું માપુ દાડીમાં અપાતું અને વધારામાં વધારે ૮ ટકા. સરેરાશ એક માણસ એક દિવસમાં ૧૯૫ રતલ અનાજ લણી શકે; જેને માટે જે તે દાડી જ હોય તો તેને ૬ ટકા ઉપરાંત કાંઈક મળે, અને સાથી હોય તે ૭ ટકાથી કંઈક ઓછું મળે. બી માટે દાણા માટીની કોઠીઓમાં રાખી મૂકવામાં આવે છે. સાધારણ રીતે દાણ ભરવા સારૂ વાંસની કેડીઓ-જેવી સ્કલંડમાં થાય છે તેવી અથવા કાથીના કોઠા કરે છે. આમાં ૨૯૩૬૦ રતલ દાણા માય છે. મોટી કાઠીઓ ચોકમાં રાખે છે અને તેનાં મ્હોં માટીથી છાંદી લે છે. નાની કોઠીઓ ઝુંપડીને પડખે પડી રહે છે. આ જીલ્લામાં આકારેલી જમીનના ઘણા માલિકે ફર્યાદ કરે છે કે “ કમ્પનીને આકાર ઘણે ભારે છે, એટલે બધા કે તેથી કાંઈ ન રહેતું નથી, અથવા રહે છે તે જાજ નફો રહે છે. કેટલેક ઠેકાણે તે જમીનની કિંમત ઉપરાંત કર છે. આની પુષ્ટિમાં તેઓ એવા દાખલા આપે છે કે ઘણા કકડા વેચવા કહાડેલા પણ આકાર ઘણો હોવાથી કોઈએ માગણી કરેલી નહિ, અને પાછલી ચડતનું સરકારને નુકશાન થવાથી પછી દર ઘટાડીને પાછી સાથે આપી. તેઓ એમ પણ ફર્યા કરે છે કે આકાર ઘણે ભારે હોવાથી માલિકને કાંઈપણ નફે રહેતા નથી તેથી તેઓ તળાવે વગેરે સમાં કરાવી શક્તા નથી, અને સ્વાભાવિક રીતે દેશ ઉપજ આપવાને વધારે નાલાયક બનતો જાય છે. ઉંચાણની જમીને બાદ કરીએ તે શાહાબાદમાં ૩૧૫૧ ચોરસ માઈલના ક્ષેત્રફળની જમીન ઉપર સરકારી ઉપજ ૧૧૩૨૬૭૭ રૂપિયા થાય છે, પણું અને બિહારમાં ૫૦૫૧ ચોરસ માઈલના ક્ષેત્રફળ ઉપર ૧૪૧૨૨૬૯ રૂપિયા જેટલી ઉપજ આવે છે.”
શાહાબાદમાં કાંતવા વણવાનો મોટો ઉગ ચાલે છે. ૧૫૯૫૦૦ સ્ત્રીઓ કાંતવામાં કામે લાગેલી છે, અને વર્ષે દહાડે ૧૨૫૦૦૦૦ રૂપિયાનું સૂતર કાંતે
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૬
છે. રૂની કિ ંમત બાદ કરીએ તો કમાતી. આવક જૂજ છે પણ
આવતુ.
પ્રકરણ પ મુ.
દરેક સ્ત્રી બાર મહિને ૧ થી ૩ રૂપિયા આટલું પણ કુટુંબની ઉપજમાં ભેળવવામાં
વણકરા સુતરનેાજ વણાટ કરતા. શાહાબાદમાં રેશમ વણવાવાળા કોઇ નહેતા. વણનારાઓના ઘરની સખ્યા ૭-૨૫ ની અને તેમની શાળાની સંખ્યા ૭૯પ૦ હતી. શાળ દીઠ બાર મહિને રૂ. ૨૦-૧૨-૦ જેટલી ઉપજ પરવડતી. દરેક શાળ ઉપર એક માણસ અને એક હેકરે અથવા એક કરી કામે લાગતાં પણ કુટુંબનુ પોષણ ૪ રૂપિયાથી એછે થઇ શકે તેમ ન હોવાથી ડા. ક્ષુકનન શકા કરે છે કે ઉપર આપેલી શાળ દીઠે ઉપજ ઓછી બતાવેલી હોવી જોઇએ.
શાહાબાદમાં કાગળ, અત્તરગુલાબ, વિવિધ મીઠ્ઠુ અને દારૂ બને છે. ડાંગેર આયાત થાય છે અને નિકાસ થાય છે. જવ બનારસ મોકલાય છે, અડદની દાળ મુર્રિરાબાદ જાય છે, છપરાથી તંબાકુ આવે છે, મીરજાપુરથી ખાંડ, રામગઢથી લાખડ અને પટણાથી સીસુ, તાંબુ, જસત, અને ફલઇ આવે છે. કાચુ રેશમ, કાપડ, મીઠું, અને તરેહવાર ચી-તે રતનપુર-મરાઠાના મુલકમાં મેાકલાય છે.
અહી’આં બિહારનાં જેટલાં સાપ્તાહિક બજારા ભરાતાં નથી તેપણ ઘણાખરા બદલા માલની ખરીદી અને વેચાણ આ બારામાં થાય છે. ચલણી નાણામાં હજી ‘ બેન્ક નેટ ’ તે પ્રચાર નથી અને સાનું રૂપું ચલણુમાંથી બિહારમાં જે કારણાને લીધે અદૃશ્ય થઇ ગયુ છે તેજ કારણેાને લીધે અદૃશ્ય થઇ ગયું છે. કમ્પનીના તાંબાના કરકરી કિનારીવાળા સિકા કૃત આગ્રામાંજ ચાલે છે; અંદરના ભાગમાં તે ગોરખપુરના અણુઘડ તાંબાના સિકકા અને મધુશાઇ અને રગેરગુ પૈસાનું ચલણ છે, અને કાર્ડિયા પણ ચાલે છે. બિહારના કરતાં મછવા ઓછા છે. બહુલીયાથી બનારસ સુધી ૫૪૦ માઈલ દૂરનું સે; મળ્યુ માલનું ભાડું રૂ. ૧ર છે. આ જીલ્લામાં એ
અહી
Page #228
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૨૦૧૭
ધેરી રસ્તા છે, એક કલકત્તાથી બનારસ સુધીનો લશ્કરી રસ્તે જે સરકાર તરફથી સચવાય છે; બીજે ગંગા નદીના કાંઠાને રસ્તે જે જીલ્લાના એક ટકાના કરની ઉપજમાંથી સમરાવાય છે, પણ આ બન્ને રસ્તાઓ વરસાદના દહાડામાં નકામા છે.
ભેજપુરના રાજા–હરદારસિંગ, જાતે કાયત, અબદુલ સુર એક મુસલમાની જમીનદાર, બીબી અસ્માન એક મુસલમાન ઉમરાવજાદી, અને લાલા રાજરૂપ અને લાલા કાનન્ગા, બન્ને કાયસ્તો એ તથા બીજા કેટલાક પરદેશીની સરભરા કરવાથી અને સુધાર્થિને અન્નદાન આપવાથી પ્રસિદ્ધ થયા હતા. આ હિંદુઓનો આતિથ્ય ધર્મ, સદાવ્રત-( પરમાત્માની અવિચ્છિન્ન ભકિત)નામે ઓળખાતો.
ભાગલપુર કલે. (ક્ષેત્રફળ ૪૨૨૫ ચોરસ માઈલવસતિ ૨૦૧૯૦૦)
અહીં પણ ડાંગરને પાક મોટામાં મોટો હતે. ૬૦ શેર ડાંગરમાંથી ૩૭ શેર ચોખા પરવડતા. તેથી ઉતરત પાક ઘઉંનો હતો અને જવ, ખેતરાઉ વટાણાની સાથે વવાતા. ઉંચાણ જમીનમાં મકાઈ અને મરૂઆ (?) થતા. તે સિવાય ખેરી, કોડ, સના, જાનેરા, બાજરો તે પણ વવાતાં. કલાઈ, અડદ, ખેસરી પણ થતાં, તલ અને બીજા તેલ નીકળે એવા મિલ પણ પુષ્કળ વવાતા. વળી અદ, શાક ભાજીપાલે, અને તેજાના પણ સ્થાનિક ઉપયોગ માટે જે એ તેટલાં અહીં થયે જતાં હતાં.
ચાર હજાર એકર કપાસ વવાતો. અને ડુંગરની વસતિ પણ પિતાના ડુંગરોમાં વખતે કપાસ વાવતી. નદીઓને કંઠે કાંઠે પાણી પાવાની સગવડ પૂરતી હોય ત્યાં શેલડી વવાતી. તંબાકુ રોપાતી, પણ આ જીલ્લામાં તેનો પૂરતો પાક નહોતે. કુલ ઉપજના અડધ ભાગ જેટલું ખેતીનું ખરચ થતું હતું.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પ્રકરણ ૫ મુ.
અને જમીનદારને આપવાનું તે બાકીના અર્ધે કરતાં ઓછુ હતુ. નાણાં ધીરવાની રીત અપ્રસિદ્ધ હાવાથી લાકા કરજમાં ડૂબેલા ન હતા. ઉપજ રોકડમાંથી હતે હતે વસુલ લેવાતી અને વજે ભાગ માલ લણાય ત્યારે વસુલ થતા. ઢગલામાંથી ભાગ પડ્યા પહેલાં કેટલીક બાબતે ઉપરથી કાઢી લેવામાં આવતી; ખાસ કરીને લાણીનું ખર્ચ અને આ પ્રમાણે ઢગલા ચોખ્ખા થાય તે પછી જમીનના માલિકને અડધા અડધ અને કેટલેક ઠેકાણે રુર મા લાગ મળતા. પણ ઉપર કહેવાઇ ગયું છે તે પ્રમાણે. હેરનુ તમામ ખર્ચ, માલને પાણી પાવા સારૂ તળાવા વગેરેનું ખરચ તેમજ લાણીનુ ખર્ચ જે ભારેમાં ભારે–તે તમામ ખર્ચ જમીનના માલિકને માથે હતું.
ઉત્તરના ભાગમાં સાથી હળ હાંકનારાએ મેશમના કરારે, તાકર રહેતા અને તેમને રૂા. ૫ થી ૨૦ સુધી અગાઉથી અપાતા, અને આટલી રકમ પૂરી થાય ત્યાં સુધી તેાકરી કરતા. દક્ષિણ ભાગમાં માલના ભાગ વિલન ક્ષણ રીતે પાડવામાં આવતા. જમીનના માલિક પહેલાં ખી એવ ું લે, અને બાકી જે રહે તેને ૐ ના ભાગ; દહાડીઆને બાકીને ત્રીજો ભાગ.
ડુંગરમાં વસતિ જાતે હિંદુના કરતાં ખેતીની કાળજી રાખવામાં અને ઉદ્યોગમાં કમતી, અને પીવામાં વધારે આસતિવાળી છે. પણ આ ડુંગરી જાતામાં ઉત્તરના લે! જો કે સ્ત્રી પુરૂષ બન્ને પીવામાં બહુ જબરાં તાપણુ દક્ષિણના લેાકેા કરતાં ઉદ્યાગમાં ચઢીયાતાં. આ લેાકેામાં માલ ઉપા વવાની રીત પણ વિલક્ષણ છે. ડુંગરાના અદ્ધરમાં અહ્વર ઢળાવ ઉપર પથ્થ રાની વચ્ચેની માટીમાં બે ત્રણ આંગળ ઉંડાં ઘર પાડે. આ દરેક દરમાં સેળભેળ કરેલા દાણાના ઢગલામાંથી જે આવે તેના દશખાર કણ નાંખે; અને મહિને મહિને જેમ જેમ અને જે જે દાણા ઉગતા જાય તેમ તેમ તે તે લણાતા જાય; પણ કપાસ ત ઉત્તરના લોકેાજ પકવતા, દક્ષિણના લેાકેા નહિ.
Page #230
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૯
બધી ના કાંતવાને બંધ કરતી. ૧૬૦૦૦ સ્ત્રીઓ કાંતવાનું કામ કરતી, અને દરેક સ્ત્રીની ચોખ્ખી પેદાશ (કપાસની કિંમત બાદ કરતાં) રૂ. ૪-૮-૦ સરેરાસ થતી. આ ઉપજ કુટુંબની આવકમાં ઉમેરાતી.
માત્ર રેશમ વણવાનું કામ કોઈ કરતું નહિ. ભાગલપુરની આસપાસમાં રેશમ અને સૂતરના મિશ્રણનું રાસાર કાપડ બનતું. તેમાં ૩૨૭૫ શાળો કામે લાગેલી હતી. “બાફતા અને નમુના” નામથી ઓળખતા કાપડ માટે કમ્પનીના આરતીઆઓ બારે મહિને રૂ. ૧૦૦૦૦ દશ હજાર અગાઉથી આપતા, મિશ્રણના ધંધામાં રોકાયેલા વણકરની વાર્ષિક પેદાશ માથા દીઠ રૂ. ૪૬ થતી. આ સિવાય સ્ત્રીઓની પેદાશ જૂદી,
સૂતરાઉ કાપડ વણવાને ૭૭૯ શાળા હતી. ૧ શાળ દીઠ રૂ. ૨૦ થી ૪૦ ની ઉપજ થતી હતી. બીજી ગણત્રીએ આ ધંધામાં એક સ્ત્રી પુરૂષની ઉપજ રૂ. ૩૨-૦-૦ જેટલી આવતી. સુતરાઉ શતરંજીઓ, કિનારીઓ, તંબુનાં દેરડાં, છીંટ અને કામળીઆ જીલ્લામાં બનતી હતી.
આ જીલ્લાના બીજા ધંધા નીચે પ્રમાણે જાડા કાચની બંગડીઓ, ચામડું કેળવવાનું, લખંડ કામ, સુતાર કામ, કુંભાર કામ, પથ્થર કાપવાનું, કામ, સોના રૂપાન કામ અને કલઇનું કામ. યુરોપિયન ખેતીવાળા ગળી વાવવાને બંધ કરતા; પેદા થતું તે બધું કમ્પની ખરીદી લેતી.
બંગાળા કરતાં બજારની રીત અહીં ઓછી જોવામાં આવે છે. લેકે દુકાનદારો અને વેપારી સાથે સીધે વહેવાર કરતા, સોનું તે તદન અદશ્ય થઈ ગયું હતું. કલકત્તાના કળદાર રૂપિયાનું સાધારણ ચલણ હતું, અને જૂદી જૂદી જાતના તાંબાના સિક્કા પણ વપરાતા. “આ દેશના દક્ષિણના પશ્ચિમ ભાગમાં 'સિક્કા ક્વચિત્ જોવામાં આવે છે, અને ઘણું ખરો વેપાર માલના અદલા બદલાથી જ ચાલે છે.”
આ છલામાં નદીથી બહુ માલ આવજા કરતો નથી. મેં ધીરથી
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રકરણ ૫ મુ
કલકત્તા સુધી ત્રણસેં માઇલ છેટે ૧૦૦ મણનું ભાડુ રૂ. ૧૦ થી ૧૪ છે. ઘણાંખરાં મુલક વેપાર બળદનાં ગાડાંથી કે બળદની પોઢાથી ચાલે છે. આ જીલ્લામાં માત્ર એકજ ધારી સડક છે. કલકત્તેથી પટણા અને બનારસની, પણ તે વરસાદના દહાડામાં પાડાને માટે પણ નકામી છે. બળક્રિયાવાળા વેપારી ઘણા છે. મુસાફરા ઘણુ કરીને પગે ચાલીને મુસાફરી કરે છે અને રાત્રે કોઇની દુકાનોમાં રાત દીઠ રાંધવા સુદ્ધાંતના પૈસા બે પૈસા આપીને આરામ લે છે; સીધું સામાનના પૈસા જૂદા આપે છે. મુસલમાન મુસા ને માટે ભઠીયારા પાસે ખાસ રસાઇ કરાવવી પડતી હોવાથી તેમને બમણુ આપવુ પડે છે. જીલ્લા ગારખપુર,
(ક્ષેત્રફળ ૭૪૨૩ ચારસ માઇલ; વસતિ ૧૩૮૫૪૯૫. )
આ જીલ્લામાં કેટલાક ભગેામાં ડાંગેરા પાક થતા નથી તેાપણું એકદર ડાંગેરના પાક આ જીલ્લાના મુખ્ય પાક છે; અને એવે ઠેકાણે થાય છે કે જ્યાં કૃત્રિમ રીતે પાણી પાવાની જરૂર નથી. અહી આ સઉથી વધારે જથ્થા ઘઉં ના થાય છે અને કેટલેક ઠેકાણે તો ડાંગેર કરતાં પણ વધારે થાય છે. ઘઉં અને જવનુ મિશ્રણ ઘણું સાધારણ રીતે વવાય છે. કેટલેક ઠેકાણે ઘઉં અને તેલનાં બીનુ મિશ્રણ અને કેટલેક ઠેકાણે જવ અને વટાણાનું મિશ્રણ કુરીતે વવાય છે.
શિયાળુ માલમાં અડદ, ચણા, મગ, મસુર, અને વટાણા સાધારણ છે. કેટલાક ભાજીપાલા અને તિસી, તલ, રાઇ વગેરે પણ તેલ માટે વવાય છે. કપાસ ઘણા ઘેાડા વિસ્તારમાં. ખારેક અને મઉડા ખાંડના રસ માટે અને શેલડી ૧૬૦૦ એકરમાં પકવાય છે. તંબાકુ અને પાનને પાક ધણા છે. પણુ કમ્પનીએ અફીણના જીંડવાનું વાવેતર બંધ કર્યું છે.
ખેતરેામાં નદીઓમાં, ન્હેરામાં, તળાવો અને ખામેાચીયાંમાંથી ડાળ વડે પાણી પવાય છે. દશ માણુસા મળી રાજનાં ત્રણથી પાંચ હજાર ચારસ
Page #232
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહુાસ.
૨૨૧
ફીટ જમીન પાઇ શકે છે. કેટલેક ઠેકાણે ઢારથી ખેંચાતા કાસ વડે પાણી પાય છે. સાંથ માટે ભાગ રાકડથી અપાય છે, અને કેટલેક ઠેકાણે વ ભાગ પણ કઢાય છે, જ્યાં ભાગવટી છે ત્યાં જમીનના માલેકને ખેતીનું તમામ ખર્ચ બાદ કરતાં જે રહે તેમાંથી ચેાથે। ભાગ અપાય છે.
ગારખપુર જીલ્લા સુજાઉદ્દીલાના વખતમાં આબાદ સ્થિતિમાં હતા, પણ અસાદેલાના વખતમાં કર્નેલ લેટની પાસે વસુલાતનેા અધિકાર આવ્યા ત્યારે જખરાઇ અને હુલડથી પાયમાલ થઇ ગયા હતા. છેવટે ૧૮૦૧ના તહથી તે જીલ્લ્લા કમ્પનીને સેાંપી દેવામાં આવ્યા હૃતા. આ વાત ઉપર આવી ગઇ છે; તેમજ અહી ના લેાકેા તેમજ આ પ્રાન્તના બીજા ઠ્ઠાએ સાથે અચળ જમાબન્દી કરવાનું વચન લાર્ડ વેલ્લ્લીની સરકાર આપી ચૂકી હતી તે પણ ઉપર જણાવ્યું છે. ડા. બુકનને ઈ ંગ્રેજ સરકારના હાથમાં આ જીલ્લે ગયા પછી દશે વર્ષે એની મુલાકાત લીધી હતી તેની નીચે પ્રમાણે હકીકત આપે છે.
એમ કહેવામાં આવે છે કે સુજાઉદીલ્લાના વખતમાં આ જીલ્લા આબાદ સ્થિતિમાં હતા. અત્યારના કરતાં ઘણી વધારે સારી સ્થિતિમાં. પણ જ્યારથી કર્નલ હેન્રીના હાથમાં ઇારાના હકથી હિવટ આવ્યા ત્યારથી તે ગૃહસ્થે વસુલાતને માટે એવાં સખ્ત પગલાં ભર્યાં કે દેશની વસતિ બધી ભાગી ગઇ. અને મને પણ અત્યારે જ્યાં ઉજડ અને જંગલ છે ત્યાં પ્રથમ સારી ખેતી હશે એવાં ચિન્હા માલમ પડે છે.
જ્યારે આ દેરા ઈંગ્રેજને આપી દેવામાં આવ્યા ત્યારે પ્રથમ વહિવટ મેજર્ રૂટલેજ નામના એક અમલદારને સોંપવામાં આવ્યા હતા. તે ગૃહસ્થે બહુ ડાપણુ અને તેજથી કામ લીધું. તરતજ તેણે તમામ કીલ્લા તાડી નાંખ્યા, અને તે રીતે કાયદાનું સામ્રાજ્ય વર્તાવ્યું. હલકી કામના લેાકેાને શાન્તિ અ↑, જે તેમણે પહેલાં કદી જાણેલી નહીં; અને તેથી દરેક પ્રાન્તમાંથી વસતિ આવવા લાગી. પ્રથમ તે। આ ગૃહસ્થે વસુલાતની માગણી બહુ માકસર રાખી હતી, પણ ભૂલ એ થઈ કે તેણે જમાબન્દીના ઠરાવ બહુ ટુંકી મુદતને માટે કર્યાં.
Page #233
--------------------------------------------------------------------------
________________
২২২
"
પ્રકરણ ૫ મું.
એકંદર મને એમ જણાય છે કે આ જીલ્લાના જમીનના માલિકો ઉપર બહુ સખ્તાઈ ગુજરે છે. જ્યાં અગાડી તમામ જમીન ખેડવાણ છે, ત્યાં બંગાળ બિહાર અને બનારસની પેઠે કાયમની જમાબન્દી કરવી એવો મારો અભિપ્રાય છે.
અહીં પાછું એનું એજ આપણું જૂનું નાણું. કમ્પનીને જ્યાં જ્યાં અમલ થયા ત્યાં શાન્તિ અને કાયદાનું સામ્રાજ્ય પહેલું સ્થપાયું, પણ જમીન ઉપર ભારે અને વધતા જતો કર પશે. ઉત્તર હિંદુસ્તાનમાં કેટલાક દસકાથી વખતે વખતની પરદેશીઓની સવારીઓ અને જાના વખતની લુંટફાટના કરતાં ઈગ્રેજ વસુલાતી અધિકારીને હાથ વધારે સખ્ત જણ હતા.
૧૭૫૬૦૦ સ્ત્રીઓ કાંતવાને બંધ કરતી. દરેક વર્ષ દહાડે ર રૂપિયા રળતી. વણકરોનાં ૫૪૩૪ કુટુંબે હતાં તેમનામાં ૬૧૧૪ શાળા હતી અને દરેક શાળ ઉપર રૂ. ૨૩-૮-૦ ચોખ્ખી કમાણી થતી. ડા, બુકનનને એમ લાગ્યું હતું કે આ ગણત્રી ખોટી છે, અને એમ માનતા કે સાલ દીઠ રૂ. ૩૬ તે મળવા જોઇએ. નવાબ ગંજમાં છીંટ થતી અને સ્થાનિક ખપ માટે ધાબળો પણ વણાતા.
અનાજ અયોધ્યાના નવાબના મુલકમાંથી ઘણું આવતું, અને નેપાળના મુલકમાંથી પણ કંઈ આવતું. ખાંડ અને તંબાકુ સરાન જીલ્લામાંથી અને બીજે ઠેકાણેથી મંગાવાતાં. હાથીદાંત અને તાંબાના ઠામ નેપાળમાંથી આવતાં. અને પટણાથી પિત્તળ અને કાંસાનાં વાસણો આવતાં. માલ લાવવા લઈ જવાનો ધ સ્થિતિવાળા વેપારીઓ કરતા અથવા પિઠવાળાઓ કે ગાડાવાળા કરતા. ખાપરી આ વેપારીઓ કાપડ મંગાવી તેને વેપાર કરતા, વણઝારાઓ મીઠાને વેપાર કરતા અને નુનીયા લોકો તેને છુટક વેપાર કરતા, વાણીયા દાણાને છુટક વેપાર કરતા. કપાસના વેપારીઓ પાસ મંગાવતા અને વેચતા અને મહાજન લેકે ખેડુને સાથ ભરવા માટે નાણું જોઈએ તે, અને જમીનદારોને સરકારને જમા ભરવા માટે નાણું જોઈએ તે, ધીરતા.
Page #234
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૨૨૩
-
--
-
-
શાહાબાદ, લખને અને બનારસમાં એક સાપ્તાહિક બજાર ભરાતું. ચલણ રૂપિયાનું હતું પણ કલકત્તાને રૂપિયે બહુ જવામાં આવે તે માટે સ્થાનિક તાંબા નાણું બંધ કર્યું હતું. નેપાળનું તાંબા નાણું પણ બંધ કર્યું હતું નેપાળનું તાંબા નાણું સામાન્ય વપરાસમાં હતું અને કેડી પણ ચલણમાં કામ આવતી.
ગોરખપુરના એક સાધુએ લોકના ઉપયોગ માટે કેટલેક ઠેકાણે સારા પુ બાંધ્યા હતા. ગેરખપુર, ભાવપુર, લાલગંજ, માધરમાં એમ ચાર સદાવ્રત હતાં.
દીનાનપુર જીલ્લે. (ક્ષેત્રફળ ૫૩૭૪ ચેરસ માઈલ; વસતિ ૩૦૦૦૦૦૦)
આ જીલ્લામાં પણ સહુથી અગત્યને પાક ડાંગેરનો હતો. કેટલીક જમીનમાં ડાંગરની બે ફસલે લેવાતી. એક ઉનાળાની આખર અને બીજી ફિયાળામાં. એક બેરી નામની ત્રીજી જાતની ડાંગેર ઘેડી થોડી વવાતી અને તેની ફસલ વસંતમાં લેવાતી.
ઉનાળુ ડાંગેર વાવી ઉંચાણ જમીનમાં ખાતર નાંખવામાં આવતું, અને રાઈ વગેરે શિયાળુ માલ પણ થતા. નીચાણની જમીનમાં ખાતરને ખપ પડતો ન હતો, અને તેમાંથી માત્ર એક ફસલ લેવાતી. સ્ત્રીઓ ઘેણકીએ વતી ડાંગેર ખાંડતી અને ૪૦ શેર ડાંગરમાંથી ૨૦ શેરખા નીકળતા. | દીનાકપુરમાં ઘઉં અને જવને પાક છેડે હતો; અને હલકી જમીનમાં ભરૂઓ થતો. કલઈ, ખેસરી, મસુર, વટાણું અને દાળ એ પણ થતાં. રાઈ સરસવ વગેરે તેલ કાઢવાના પદાર્થો પણ થતા.
કેરી આંબલી વગેરે ફલ ઝાડના બગીચામાં લગભગ ૩૭૦૦૦ એકર જમીન રંધાયેલી હતી. અને ૮૩૦૦૦ એકર જમીન શાકભાજીમાં હતી. શણ ૧૩૦૦૦ એકર જમીન, કપાસ ૮૦૦૦ એકરમાં, રેસા ૫૦૦૦
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રકરણ ૫ મું.
માં અને શેલડી ૮૦૦૦ એકરમાં વવાતી. પ૦૦ માં તંબાકુ અને ૨૦૦ માં પાનનું વાવેતર થતું.
રંગને માટે ગળી અને કસુંબાનાં વાવેતર થતાં. ગળીમાં પ૦૦૦ એકર કાયલા અને ગળી પકવવાની રીત અત્યારે બંગાળામાં જે ચાલે છે તેજ હતી. દરેક ખેડુતને પિતાના કટકાના એક ભાગમાં ગળી વાવવાની યુરોપિયન બગીચાવાળા ફરજ પાડતા.
મહા નદીના કિનારાથી એક માઈલની અંદર આંબા, વડ અને પીપળાની ઉમદા ઝાડીઓની વચ્ચે રેશમના કીડાને માટે મલબેરીનાં વાવેતર થતાં. કમ્પનીના વેપારી આરતીયા કેશેટાને માટે અગાઉથી નાણાં આપતા.
પીતની ખેતી સાધારણ હતી, તોપણ જેટલી જોઈએ તેટલી સાધારણ નહિ. તળાની સંખ્યા પણ આ જીલ્લામાં મોટી હતી. ઘણાઓમાં પાણીનાં વેણુ હતાં તેથી પાણીનો જથ્થો હમેશાં પૂરત રહે. જ્યારે જ્યારે વરસાદની તંગી હોય ત્યારે આ તળાવનું સરણ લેવાતું.
આ છલામાં ૪૮૦૦૦૦ ચાર લાખ એંસી હજાર હળ હતાં એટલે ૯૬૦૦૦૦ બળદ અને ગાય થઈ ચૂકી અને તે ઉપરાંત ૩૩૬ ૦૦૦ બીજી ગાયો પણ હતી. ૨૬૧ ચોરસ માઈલ જેટલી ચોમાસામાં બોળાણ જતી જમીન ગોચરને માટે હતી. આ જમીનમાં શિયાળામાં જાડું ઘાસ થતું. તે સિવાય ૨૨૧ માઈલનું જંગલ, ૩૦૦ માઈલનો ખરાબો અને ૬૫૦ માઈલ જેટલી જમીન વખતે ખેડાય વખતે ન ખેડાય. પાંચમાંથી ચોથા ભાગની તે હમેશાં પડતરજ રહે. આ બધી વ્યાવહારિક રીતે ગેચરની જમીન હતી. ગોચરને માટે કાંઈ પણ સાથ લેવામાં આવતી નહિ, તેમ જ્યાં મંલ ન હોય તેવા કઈ પણ કટકામાં જતાં અટકાવાતી ન હતી.
કેટલાક ખેડુતો પાસે ૫૫ એકર સુધી જમીન હતી. પણ તેમની ખેતી બહુ કહેવાતી. ૧૫ થી ૨૦ એકર વાળા સુખી સ્થિતિમાં રહેતા અને ખેડુતોના ઝાઝા ભાગની ૫ થી ૧૦ એકર
Page #236
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.*
૨૨૫
એકરની જ ખેતી હતી. ખેતીનું ખરચ ઉપજથી અરધ કરતાં વધારે આપવું પડતું. આ જીલ્લાના મોટા ભાગમાં ખેડુતોને જાથકના પટાથી જમીન આપવામાં આવી હતી, અને ઘણે ઠેકાણે તો જે દસ વર્ષને અવિચ્છિન્ન કબજે થયો તે મામુલી હકથી હમેશને માટે તે જમીન રાખવાને તેઓ હક કરતા.
સુતર કાંતવું એ આ જીલ્લાની મોટી કારીગરી હતી અને તેમાં મોટા ઘરની સ્ત્રીઓ અને ખેડુતોના ઘરની સ્ત્રીઓ નવરાશને વખત ગાળતી. પાછલે પહોરે રૂ કાંતવામાં દરેક સ્ત્રીને ત્રણથી છ રૂપિયાની વાર્ષિક ઉપજ થતી.
કાંતનારીઓ આ જીલ્લામાં એકંદર ૨૫૦૦૦૦ અઢી લાખ રૂપિયાનું રૂ કાંતતી. તેનું જે સુતર થતું તેની કિંમત ૧૧૬૫૦૭૦ અગિયાર લાખ પાંસઠ હઝાર રૂપિયા થતી, એટલે સ્ત્રીઓને નફે એકંદર ૯૧૫૦૦૦ નવ લાખ પંદર હજાર અથવા લગભગ દસ લાખ રૂપિયા થવા જાય.
માલદાઇ કાપડ માલદામાં થતું માટે માલદાઈ કહેવાતું. વાણે રેશમ અને તાણે સુતર હોય છે. આ કામ ઉપર ચાર હજાર સાલ હતી. દરેક સાલ ઉપર મહીને વીસ રૂપિયાની કિંમતનું કાપડ થતું. ડા. બુકનનના ધારવા પ્રમાણે આ ગણત્રી ઘણી મોટી હતી. આફ્રિો સાળામાં એલાયચા નામના કાપડના તાકા થતા અને કમ્પનીના નોકરો આને માટે અગાઉથી નાણું આપતા.
તમામ રેશમનું કાપડ માલદાની આસપાસમાં થતું. તેમાં વણકરનાં ૫૦૦ ઘરની રોજી હતી. કુલ માલ ૧૨,૦૦૦ એક લાખ વીસ હજારને નીપજ.
સુતરાઉ કાપડ વધારે અગત્યનું હતું. આખા જીલ્લામાં મળીને ૧૬૭૪૦૦૦ સેળ લાખ સ્તે ર હજારનું સુતરાઉ કાપડ પેદા થતું.
કોચ, પિલે અને રાજવંશી લેક પિતાની વપરાશ માટે-શણનું કાપડ કાઢતા. ઘણાં ખરાં કુટુંબમાં સાળ હોયજ અને તે ઉપર સ્ત્રીઓ પાછલા પહારમાં કામ કરતી,
15
Page #237
--------------------------------------------------------------------------
________________
२२१
પ્રકરણ ૫ મું.
સુતરાઉ કાપડ ઉપર ભરત કામ કરવાનું કામ મુસલમાન સ્ત્રીઓ કરતી. કાપડ ઉપર ચાલતી વેલે અથવા ચીકણની બુટ્ટીઓ ભરવામાં આવતી. કેટલીક મુસલમાન સ્ત્રીઓ પાયજામાનાં અથવા કેટીઆ અને કડાને માટે નાડ બનાવતી.
વણવાના ધંધાની સાથે રંગનો અગત્યનો ધંધે જોડાયેલું હતું. ગળી, લાખ, કસુંબ, મસ્કી, હરિતકી, અને મજીઠ વિગેરે ફુલને રંગ તૈયાર કરવામાં ઉપયોગ થતો. ઘર બાંધવાનું કામ, કુંભાર કામ, ચટાઈનું કામ, સનીનું કામ, મેચીકામ, સુતાર કડીઆનું કામ, તાંબા કલઈનાં વાસણનું કામ, લખંડ કામ, ખાંડ બનાવવાનું કામ, અને ગળી બનાવવાનું કામ એ આ જીલ્લાના મુખ્ય ધંધા હતા. છેલ્લા ધંધાની બાબતમાં યુરોપિયન બગીચાવાળાઓ સામે ફર્યાદને પ્રસંગ આવ્યા હતા. તેમના ઉપર લોકના અણગમાનાં ડે. બુકનને નીચેના આઠ કારણે આપે છે – . (૧) બગીચાવાળાઓ માળીઓને પિતાના ગુલામ જેવા ગણે છે,
અને જ્યારે જ્યારે તેમના ઉપર નારાજ થાય ત્યારે ત્યારે તેમને મારે છે અને કેદ કરે છે.
(૨) માળીઓને તેમની જમીનનું માપ કરવામાં અને મેલનું માપ કરવામાં છેતરે છે.
(૩) ખેતરની તમામ ઉપજ જે દેવું પડે તેના કરતાં વધારે થતી નથી.
(૪) બગીચાવાળાઓ ઉદ્ધત અને ઉગ્ર મિજાજના છે. (૫) વસુલાતના કામમાં તેઓ વચમાં પડે છે. (૬) તેઓ રાજ્યકર્તાની નાતના છે. (૭) જમીનદારોની વસુલાત તેઓ અટકાવે છે, અને (૪) ખેડુત ખેતીના કામમાં હરકત કરે છે.
ડે. બુકનનના અભિપ્રાય પ્રમાણે આ દે છે કે ઘણીવાર અતિશ. એકિત ભરેલી હતી પણ પાયા વિનાની હતી એમ નહિ હતું; પણ એમનો અભિ
Page #238
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
२२७
પ્રાય એવો હતો કે યુરોપિયનને નવા પરવાના ન આપવા, અને જેઓ પિતાની વર્તણુંક માટે કમ્પનીને જવાબદાર ન હોય તેવાઓને મુખ્ય શહેર અને બંદરોમાંજ રહેવાની ફરજ પાડવી. આ બાબતમાં વધતી જતી અને અનિષ્ટતાને અટકાવવા માટે કમ્પની સરકારે જે પગલાં ભર્યા તેને અહેવાલ હવે પછી આપવામાં આવશે.
આ જીલ્લાનો ઘણે ખરો વેપાર સ્વદેશી વેપારીઓના હાથમાંથી કમ્પની સરકારના હાથમાં જતો રહ્યો છે. અત્યારે પૂર્વના જેવો એક પણ સોદાગર આ જીલ્લામાં નથી. એ ધંધામાં એક કુટુંબે ઘણી મીલકત પેદા કરી હતી, અને નવી પેઢી સુધી વંઘનાથ મંડળના બાપદાદાઓ, મોટી આબરૂ સાથે પંથે ખેડતા હતા. એ પેઢીના અત્યારના વડાએ એ ધંધે છોડી દીધો છે, અને જમીનની ભારે ખરીદી કરી છે તેથી એના બાપદાદાઓની જેટલી આબરૂ હતી તેટલી જ એની અત્યારે નાલેશી થાય છે. ' મહાજન લેક-બે હજારથી પચીશ હજાર સુધીની મુડીવાળાઓ-જે આ જીલ્લામાં રહે છે તેઓ ચોખા, ખાંડ, ગોળ, તેલ અને તંબાકુ બહારગામ મોકલે છે, અને મીઠું, કપાસ, તાંબાપિતળ અને તેજાના મંગાવે છે. આખા જીલ્લામાં આશરે ૨૦૦૦ દુકાનો છે, પણ ખુલ્લાં બજાર સંખ્યાબંધ ભરાય છે. આથી નાના વેપારીઓ પૈકાર કહેવાય છે. તેનું આછું થઈ ગયું છે. કલકત્તાના કલદાર રૂપિયાનું ઝાઝું ચલણ છે અને કેડી પણ ચલણમાં વપરાય છે.
વરસાદના દહાડામાં ઘણાં ખરાં ગામડાંઓ સાથે મછવાથી વહેવાર ચાલે છે. પણ લાવજા કરવાને વેપાર તે વખતે બહુ ન હતું. સુકી મોસમમાં બળદઆની પોઠેથી વેપાર ચાલે છે, કારણ કે રસ્તાઓ બીલકુલ નથી. મછવાએમાં ૧૦૦ મણ માલ રૂ. ૧૩ ના ભાડે કલકતે લઈ જવાય છે. ગાડાંઓનું છ ગાઉને માટે અરધા રૂપિયાથી કંઈક ઓછું ભાડું પડે છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
२२८
પ્રકરણ ૫ મું.
પુણ્યા લે. " આ જીલ્લામાં ચૈત્રી ડાંગર, ઉનાળુ ડાંગર અને શીયાળુ ડાંગર એ ત્રણ જાતની થાય છે. ૭૦ શેર ડાંગરમાંથી ઉકાળ્યા વિના ચોખા કહાડે તે ૪૦ શેર ચોખા નીકળે છે. જ્યારે ડાંગેરને બાફીને ચોખા કહાડે છે ત્યારે ૬૫ શેરમાંથી ૪૦ શેર ચેખા જડે છે. ડાંગેર ખાંડવા માટે સ્ત્રીઓ અહીં પણ ઘેણકી વાપરે છે. * દીનજપુર કરતાં અહીં ઘઉં બહુ વપરાય છે. જવ ખેડ્યા વિના વાવે છે અને ગરીબ લેકે તે જ વાપરે છે. મરૂઓ પણ બહુ વપરાય છે. ખાસ કરીને કેસની પશ્ચિમે મકાઈ, વગેરે પણ ઉગે છે.
કઠોળમાં મસકલાઈ ખસરી અડદ ભૂત કલથી અને મગ ઘણો વપરાય છે. રાઈ તીસી, સેરડી પણ પાકે છે. ૨૮૦૦૦ એકરમાં શાકભાજી ઉગે છે. " શણું રેસાને માટે વાવે છે. કપાસ બહુ થોડે થાય છે. શેલડી કાનકાઈ નદીને કાંઠે કાંઠે વધારે થાય છે. જીલ્લામાં જે તંબાકુ પાકે છે તેને અરધે ભાગ તે મુખ્ય શહેરના પરવાડામાંજ પાકે છે. પાન પણ એક અગત્યની વસ્તુ છે પણ દીનજપુરના કરતાં અહી એનો ઉપયોગ ઓછો છે.
* આ જીલ્લાના અગ્નિ કોણમાં મી. ઈગરટનના તાબામાં ૧૭ સતર ગામનાં કારખાનાં હતાં અને બીજા ભાગોમાં બીજા પચાસેક કારખાનાં હશે. પૂર્વના જીલાઓ કરતાં આંહી કસુંબો વધારે ઉપગનો છે. મલબેરી આ જીલ્લાના અગ્નિ કેણમાં જ ઉગાડે છે. - મૈચરને માટે આ જીલ્લામાં ૨૩૪ ચેરસ માઈલ ઉંચાણની પડતર જમીન, ૪૮૨ માઇલ ખેડવાણ વિનાની બીજી જમીન અને ૧૮૬ માઇલ ખુણું ખચકા અને વાટની જમીન છે. આ સિવાય ૩૮૯રસ માઈલ બીજી જમીન જાળોની અને વીડીની છે. ઉપરાંત ડીસેમ્બર અને જાન્યુઆરીમાં ડાંગર
Page #240
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૨૨૯
પાક લઈ લીધા પછી તેના ખેતરોની ડાંગરની પાળ એક ઉમદા સાધન છે, તો પણ આ જીલ્લાના ઢોરને માટે આટલી જમીન બસ નથી; અને નેપાલ - સરકારનું મેરંગનું જંગલ પણ ઉપયોગમાં આવે છે, અને અહીં પાંચસેથી છસેના એક ટોળા માટે ગુરખા અમલદારને એક વાછડો ચરાઈ તરીકે આપવો પડે છે. કેટલાક ભાગમાં જમીનદાર બીજી રીતે ચુસ્તહિંદુ છે તે પણ ચરાઈ
ખેડુતની સાથે જુદી જુદી રીત પ્રમાણે જુદા જુદા પ્રમાણમાં લેવાય છે. પણ અરધ ખેતીના ભાગ માટે જુદું કાડવામાં આવે છે, અને બાકીના અધિભાંથી અરધ ખેતીને ચેખા નફા માટે કાઢતાં જમીનદારને માટે શું રહેતું હશે તે આપણે સમજી શકીએ અને, આટલું પણ તેને મળતું નથી. ' - ડા. બુકનન કુલ ઉપજને ચોથો ભાગ યોગ્ય સાંથ ગણુતા, પણ પૂર્ણિયાની જમીનદારો બંગાળાના બીજા જમીનદારની માફક ઘણું થોડું લેતા; અને આજ અરસામાં કમ્પનીના નેકરો મદ્રાસના લોકો પાસેથી ઉપજના અડધ જેટલું સરકાર હક તરીકે વસુલ કરતા.
કાંતવાનું કામ કોઈપણ નાતમાં હલકું મનાતું નહીં અને આ જીલ્લાની સ્ત્રીઓને મોટો ભાગ નવરાશની વખતે કાંતવાનું કામ કરતી. આમના નફાનો અંદાજ કાઢવે ડા. બુકનનને બહુ મુશ્કેલ પડ્યો હતો, પણ એમણે એમ અટકળ કરી હતી કે વર્ષે દહાડે તેઓ ત્રણ લાખનું સુતર કાંતતી હતી. કાંતેલા અતરની કિંમત તેરલાખ થવા જતી એટલે તેમને માટે દશ લાખનો નફે રહેતો.
તદન રેશમનું કાપડ ૨૦૦ સાલોમાં વણતું. તેમાં માલ ૪૮૬૦૦ રૂપિવા. આમાં કાચુ રેશમ રૂ. ૩૪ર૦૦ નું ખપતું એટલે વણકરોમાં ૧૪૪૦૦ રૂપિયાને ન રહેતા. આમ દરેક સાલદીઠ રૂ. ૭ર વર્ષે દહાડે નફો રહેતો.
ગરભસુતર કાપડ વણનારાઓની સ્થિતિ લગભગ દીનજરૂરના સર બીજ હતી.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પ્રકરણ ૫ મું.
સુતરનું વણનાર ઘણા હતા અને તેઓ ઘણું કરીને જાડું કાપડ ગામડાંએનાજ ઉપયોગનું કહાડતા. ૩૫૦૦ સાળો ઝીણું કામમાં કામ કરતી અને તેમાં ૫૦૬૦૦૦ નું કાપડ બનતું તેનો ચોખ્ખો નફો ૧૪૦૦૦ નો એટલે સાલદીઠ રૂ. ૪૩ થતા. જાડા કાપડની દસ હજાર સાળામાં રૂ. ૧૦૮૯૫૦૦ નું કાપડ તેને
ખે નફે રૂ. ૩૨૪૦૦૦ એટલે સાલદીઠ વર્ષે રૂ. ૩૨-૮-૧,
સેગંજી વણનારા મુખ્ય શહેરમાંજ મળી આવતા. શણનું જાડું કાપડ ઘણું પેદા થતું અને પૂર્વ તરફની ઘણી સ્ત્રીઓ પહેરવા સારૂ આ કાપડ વપરાશમાં લેતી. ધાબળા અને ઉનનું કાપડ જાડું હતું, પણ તે ગરીબ લોકોને વરસાદમાં અને શિયાળામાં બહુ કામ આવતું.
સોની, સુથાર, કંસારા, લુવાર, રંગરેજ એ મુખ્ય ધંધાધારીઓ આ જીલ્લામાં હતા. ખાંડ બનાવવાવાળા નરમ પડી ગયા હતા. પાંચસે કુટુંબ મીઠું પકવતાં.
૩, પશ્ચિમ હિંદુસ્તાનમાંથી આવતું. ખાંડ દીનપુર અને પટનામાંથી આવતી. પૂણિયાના શરાફેની સાત પેઢી હતી. તેઓ હુંડાઓ આપતા અને લેતા. સોને રૂપનો મોટો જથો જે કાઈને જોઈતો હોય તો તે આ પેઢીઓમાંથી મળી શકતિ. જગતું શેઠની પેઢી લાખ રૂપિયા સુધીની એક હુડી શિકારતી. બીજી પેઢીઓ એથી અરધી રકમથી વધારેની હુંડી શીકારી શકે નહિ. જૂના કરકરી વગરના સિક્કા પણ કલકત્તાના કલદાર સિક્કા જેટલા વપરાતા. “ આવા અત્યંત ગરીબ મુલકમાં સોના નાણું ગરીબ લેકેને બહુ હેરાન કરે છે અને મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એકદમ બંધ કરવું જોઈએ. આ દેશમાં એક રૂપિયો પણ મોટી રકમ છે. સારે ભાગ્યે નું તદન અદશ્ય થઈ ગયું છે અને હવે ફરીથી તેને બજારમાં ચલણી નાણા તરીકે આવવા દેવું જોઈએ નહિ. આ જીલ્લાના મોટા ભાગમાં રૂપાનું અને કેડીનું ચલણ છે પશ્ચિમ તરફ પૈસા-એક રૂપિયાને રાઠમે ભાગ- તેનું શહેળું ચલણ છે પણ
Page #242
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૨૩૧ જે દેશમાં બે પૈસા એક માણસના ખોરાકને માટે બસ થાય છે તેવા દેશમાં આ નાણું પણ ભારે છે.”
આ જીલ્લામાં પાણી દ્વારા લાવવા લઈ જવાનું ઠીક હતું અને દીનજપુર કરતાં મછવાનો ઉપયોગ વધારે થતો. સેમણ માલ કલકત્તે લઈ જ હોય તો તેના રૂ. ૧૪-૦-૦ પડતા. મુખ્ય શહેરો પાસે અને ગળીના કારખાનાની આસપાસ થોડીક સડકે બાંધવામાં આવેલી હતી. ભાર લાવવા લઈ જવામાં ટ૬ અને બળદ કામે લગાડાતાં. શ્રીમંતે મુસાફરોને માટે આશ્રયની સોઇ કરી આપતા. મુડી અથવા કદની દુકાનમાં રહેવાનું અને ભજનનું મળતું.
ઉપસંહાર. આ સિવાયના રંગપુર અને આસામના હેવાલ અપૂર્ણ છે; અને તેમાં ખેતી સાંથ, અને વેપાર ધંધા સંબંધે માહિતી આપવામાં આવી નથી. ઉપરના હેવાલથી જણાશે કે લેકે બહુ ગરીબ હતા પણ વૈરન હેસ્ટિંગ્સના વખત પછી ખેતી સજીવન થઈ હતી; અને જાથુકન દર નક્કી થયા પછી ઘણી જમીન એડવામાં લીધી હતી.
જમીનદારે જે ખેડુ પાસેથી સાથ જેટલી લઈ શકાય તેટલી લેવાને રાજ હતા તે પણ તેઓ અંગ્રેજ સરકાર મદ્રાસમાં જેટલું લેતા તેટલું તેમની પાસેથી લેતા નહીં. અપવાદ રૂપે કદી તેઓ ચાખી ઉપજને એટલે ખેતીનું ખરચ બાદ કરતાં રહે તેને અડધ ભાગ લેવાના દાવ રાખતા પણ તેમાં તેઓ પાણી કામનું તમામ ખરચ આપવાને પિતે બંધાયેલા છે, એમ માનતા. સામા. ન્ય રીતે બંગાળામાં ઉપજનો થો ભાગ જમીનદારો સાંથ તરીકે લેતા અને સરકારની મહેસુલ હમેશને માટે મુકરર થઈ ગયેલી હતી. અને ઘણે ઠેકાણે સાંથ રીવાજથી નિયત થયેલી હતી, એટલે સુધારા કરવાને અને વરસ જ તે પડતર જમીનને ખેતી નીચે લાવવાને જોઇએ તેટલું પ્રેત્સાહન હતું. .
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫મુ .
પણ
લાકની પેદાશને ખરે। ભય વેપાર ધંધાની દશા ઉતરતી જતી હતી તેનાથી હતા. ડા. બુકનન જે જે જગાએ ગયા છે ત્યાંની ઘણી જગામાં આની અસર જણાવા લાગી હતી. તે પછી તે સ કંટ વધવા માંડયું હતું. આ હકીકત ઉપર આપણે આગળ આવીશુ.
મી. બર્ડ અને ઉત્તરહ દમાં જમામન્ત્રી ૧૮૨૨-૧૮૩૫.
૨૩૨
લૅન્ડર્ડ વિલિયમ એન્ટિન્યુ ૧૮૨૮ માં હિંદુસ્તાનના ગવર્નર જનરલ તરીકે આવ્યેા. આના જેવા હિંદના સાર્ચે મિત્ર ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ કદી મેકલ્યું! ન હતા. તેણે ઉત્તરહદની મુલાકાત લીધી અને જે જોયું તેનુ અધિ છાત્રી સભાના એક પત્રમાં નીચે પ્રમાણે વર્ણન આપે છેઃ
૨. આપની માનવંતી સભા જાણે છે કે પશ્ચિમના મુલકાની મુલાકાત લેવાના મારા મુખ્ય હેતુ ૧૮૮૨ ના ધારા પ્રમાણે ચાલતી જમાબ ન્દીનુ કામ કેવી રીતે ચાલેછે તે મારી જાતે જોઇને તે કામ ઝડપથી ચલાવવાનું બને કે કેમ અથવા આ૫નામદારની સભાએ નિર્ધારેલી લેાકેાની આબાદી સોંપા દન કરવાને બીજું કંઇ થઇ શકે એમ છે કે કેમ તેની ખાત્રી કરવાના હતા.
૪. “ જે અમલદારા આ કામ ઉપર ગોઠવવામાં આવ્યા છે તેમનામાં ઉમ’મની કે બુદ્ધિની ખામી મારા જોવામાં આવી નહિં તેપણુ મારે આપ નામદારને જણાવવુ. જોષ્ટએ કે કારણ ગમે તે હોય પણુ જમાબન્દીનું કામ જરાપણ આગળ વધ્યું નથી,
51
66
૮. આપના તા. ૯ મી ફેબ્રુઆરીના ખરીતાના ૫૮ મા પેરેગ્રાફ્ વાંચીને મને ઘણા સ તાષ થયાછે. તેમાં આપે લાંબા પટાની જરૂર સ્વીકારી છે અને જમાખન્દીનુ કામ જલદીથી પાર પાડવાને તથા ખેડુત વર્ગના હકકાનું સંરક્ષણ કરવા માટે આપે જે રસ્તો મતાવ્યો છે તે મારા અભિપ્રાયને ઘણે અંશે મળતા છે,
Page #244
--------------------------------------------------------------------------
________________
a
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૨૩૩ આજ વર્ષમાં મહેસુલ સભાને લખેલા એક પત્રમાં લોર્ડ વિલિયમ બેન્કિ ૧૮૨૨ ની જમાબન્દી નિષ્ફળ જવાનાં કારણે વિસ્તારથી બતાવ્યાં છે; એંશી ટકા જેટલે હક તેણે નાપસંદ કર્યો, અને ખરી હીંમત ધરીને તેમાં ઘટાડો કરવાનું તેણે સૂચવ્યું. તે લખે છે કે ધારામાં સરકાર જમાના વીસ ટકા જેટલી રકમ જમીનદારને માટે રહેવી જોઈએ એ ઠરાવ છે પણ અમારા સમાજના પ્રમાણે આ કામ ઉપરના તમામ અમલદારોનો અભિપ્રાય છે કે સરકાર જમાની ઓછામાં ઓછા ત્રીશથી પાંત્રીસ ટકા જેટલી રકમ તે જમીનદારને રહેવી જ જોઈએ અને છેવટે આટલું તે છે કે આ ૨કમમાંથીજ જમીનના સુધારાની મુડી તો નીકળવાની.”
વળી સાંથ ઉઘરાણીનું ખરચ કાપીને આ આંકડો કાઢવામાં આવ્યું છે. ચોખી ઉપજ ઉપર એની ગણત્રી મૂકવામાં આવે છે. જમીનદારના લાભમાં જે જે રકમો બાદ કરવાની હોય તે મુકરર કરવાનો અમારો ઇરાદો છે. અને જે પ્રમાણગ્ય ગણાય તે હિસાબે પણ જે રકમ ખેતીની ઉપજમાંથી જમીનદારના લાભમાં બાદ કરવાની યોગ્ય જણાય તે બધી એકત્ર કરવી કે જેથી અત્યારે જુદા જુદા અમલદારોની મરજી પ્રમાણે બાદ કરવામાં આવે છે તેના કરતાં એક ધારણ રહે અને સર્વત્ર સરખી રીતે સર્વને બાદ અપાય એ વધારે ઇષ્ટ છે. તે ઉપરથી જણાશે કે ૧૮૩૧ ની સાલમાં તે બેન્ટિક નવી જમાબન્દીનાં મુખ્ય ધોરણે સમજી ગયો હતે. તે એ કે (૧) લાંબા પટા જે જમીનદાર અને ખેડુતને સુધારા કરવા માટે તક આપ-અને (૨) માફકસર સરકાર હક કે જેથી જમીનની ઉપજનું કંઈક પ્રમાણ એમના હાથમાં રહે.
બીજી જે બાબત ગવર્નર જનરલે હાથમાં લીધી હતી તે ઉત્તર હિંદુસ્તાન નની ગ્રામ સંસ્થાઓના સરંક્ષણની હતી. આ બાબત સર ચાર્લ મેટકા જે ગવર્નર જનરલની સભાના સભાસદ હતા, અને જેઓ પાછળથી કામચલાઉ ગવનર જનરલ થયા હતા તેમણે ૧૯૩૦ ની સાલની પ્રખ્યાત મિનિટમાં બહુ ભાર મૂકીને પ્રતિપાદન કરી હતી, આ મિનિટનું પ્રમાણુ વારંવાર અપાય છે. -
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પ્રકરણ ૫ મુ.
સર ચાર્લ્સ મેટકાફની મિનિટ,
ગ્રામપૂગા એ નાનાં પ્રજાસત્તાક રાજ્ય જેવા છે. ધણું ખરૂ જે બેઇએ તે બધું તેમાં મળી આવે છે અને પરની સાથે સંબંધની ક! જરૂર નથી. જ્યાં કંઇપણ ટકી ન શકે ત્યાં તે ટકી રહેતા જણાય છે. એક પછી એક વંશે ગગડતા જાય છે. એક પછી એક રાજ્યપરિવર્તી થયે જાય છે. વારાફરતી હિંદુ, પઠાણુ, મેઘલ, મરાઠા, શીખ, ઈંગ્રેજોની બાદશાહતા થાય છે પણ ગ્રામપૂગા એના એજ છે. સ`કુટની વખતમાં તેએ હથીઆર ધારણ કરે છે, શત્રુનું લશ્કર તેમના પ્રદેશમાં થઈને ચાલ્યું જાય. ગ્રામપૂર્ગા પેાતાનાં ઢોર પેાતાના ગામના ગઢમાં પૂરી દે છે અને દુશ્મનને ખીજવ્યા વિના તેને રસ્તે જવા દે છે. જો તેમના સામે લૂટફાટ ચલાવવામાં આવે અને દુશ્મનના બળ સામે ટકી શકાય તેમ ન હોય તેા તેઓ દાસ્તીવાળાં ગામેામાં ભરાઇ જાય છે; પણ જ્યારે તાક્ાન જતું રહે ત્યારે પાછા પોતાના ગામામાં આવે છે, અને સહુ સહુને ધંધા સંભાળી લે છે. જો કોઇ દેશ ઘણાં વર્ષો સુધી લૂટફાટના પઝામાં રહે તે તે ગામેામાં જલદી વસ્તી ન ભરાય પણ આખરે જ્યારે તાક્ાન શાન્ત થાય ત્યારે લેાકા પેાતાનાં ગામ વસાવ્યા વિના રહે નહિ. એક જમાને જતા રહે તે ખીજો જમાના પણ આવીને રહે, શકરા બાપની જગા લે. ગામતળીઉં તેનું તેજ રહે, ઘરની જગાએ પણ તેની તેજ. જમીનેા પણ તેની તેજ. જે વખતે ગામ ઉજજડ થયું' તે વખતે ઘર બાર સીમના સંબધમાં જેમની જે સ્થિતિ હાય તેની તે સ્થિતિ તેમના વંશજોને માટે ફાયમ રહે છે. નજીવાં કારણેાથી તે તેમા ગામ ઉજ્જડ કરે પણ નહિ, કારણકે ઘણીવાર તે તેાફાનના વખતમાં પોતાનુ ધર સાચવી રહે છે અને લૂટાઢ અને જુલમને હઠાવી શકે તેટલી સતિથી સામા થઇ જાય છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
- ૨૬૫
આ નાનાં નાનાં પ્રજાસત્તાક રાજ્યો જેવાં ગ્રામપૂગોની એકતાને લીધે હિંદના લેક આટલાં બધા તોફાને અને રાજ્યપરિવર્તે સેંસરા નીકળી ગયા છે. આ લોકસંસ્થા ઘણે અંશે સ્વતંત્રતાનો ઉપભોગ આપવા અને સુખી રાખવાને શકિતવાન નીવડી છે, તેથી મારી એવી ઈચ્છા છે કે આ ગ્રામપૂગોને જરાપણ કોઈ દિવસ હેરાન કરવા નહિ. જે કાંઇ આ ગ્રામ સંસ્થાઓને તેડી પાડે એવું હોય તે બધાની મને વ્હીક લાગે છે. મને ધાસ્તી છે કે આખા ગ્રામપુગની સાથે મુખીની મારફત મહેસુલનો બંદેબસ્ત કરવાને બદલે પ્રત્યેક ખેડુત સાથે બંદોબસ્ત કરવાથી ગ્રામપૂગ તૂટી જશે. આજ કારણ માટે અને આ એક કારણ માટે પશ્ચિમના જીલ્લાઓમાં યતવારી જમાબન્દી દાખલ કરવાને હું રાજી નથી.
મદ્રાસ અને મુંબઈમાં ગામાતની સંસ્થા બંધ પડવામાં રૈયતવારી જમાદી કારણ હતું એમ માનવામાં સર ચાર્લ્સ મેટાફ ખરો હતા. જ્યારે જમાબન્દીનો બંદોબસ્ત દરેક ખેડુ જોડે થાય ત્યારે ગ્રામ સંસ્થાનો મુખ્ય હેતુ એની મેળે બંધ પડી જાય. ગામાતાનું મુખ્ય પ્રોજન બંધ કરીને તેમને જીવન તી રાખવાના મન અને ઓફિસ્ટનના યત્ન નિષ્ફળ ગયા હતા. ઉત્તર હિંદુસ્તાનમાં પણ છેલ્લાં સિત્તેર વર્ષમાં તેવા કારણથી ગામાતે બંધ પડી ગઈ છે. બ્રિટિશ સરકારે પશ્ચિમના વિચારોને વશ થઈને જમીનદાર અથવા મુખીઓની જાતને મહેસુલ ભરવા માટે જવાબદાર ગણી-અને કાળે કરીને તેઓ જમીનદાર અને જવાબદાર મહેસુલ ભરનારા થયા અને ગામાતે નષ્ટ થઈ. પશ્ચિમની રીતને અનુસરીને અને તમામ ન્યાય અને કાર્યભારને પિતાના અમલદારોના હાથમાં રાખવામાં ગામાતાની પાસેથી તે સત્તા લઈ લીધી અને તેને લીધે ગામાતે મૂળમાંથી કાપી નાંખેલાં ઝાડ જેમ પડી ભાગે તેમ પડી ભાગી. આ
સ્વરાજ્યના પ્રાચીન રવરૂપને સાચવી રાખવાની અંતઃકરણની ઈચછા છતાં મને એફરટન અને મેટાફ તેમાં સફળ થયા નહિ; કારણ કે આ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રકરણ ૫ મુ.
.
નાનાં પ્રજાસત્તાક રાજ્યમાંથી તેમણે સ્વરાજ્યની સત્તા ખુંચવી લીધી અને તમામ સતા પિતાની દીવાની કોર્ટોમાં અને કાર્યભારી અમલદારોના હાથમાં મૂકી અને લેકમાં કંઇ વિશ્વાસ રાખે નહિ. હિંદમાં બ્રિટીશ રાજ્યનું જે અત્યંત દુઃખદાયક પરિણામ થયું તે એ કે ગ્રામ સ્વરાજ્યની પદ્ધતિ જે હિંદમાં પહેલ વહેલી ઉપચય પામી હતી અને જગતમાં સહુથી વધારે વખત સુધી ટકી હતી, તે નાબુદ થઈ ગઈ.
| દરમિયાન લોર્ડ વિલિયમ બેન્ટિકે પોતાના મંત્રીઓ અને રવિન્ય સભા વગેરેની સાથે મસલત કરીને પિતાની યોજના તૈયાર કરી; અને પિતાના પ્રમુખપદ નીચે અલાહબાદમાં અમલદારોની એક પરિષદ ભરી, ૧૮૩૩ નો નવમો ધારો એ આ પરિષદનું ફળ હતું. ઉત્તર હિંદુસ્તાનની જમાબન્દીને આ ધારો મૂળ પાયો છે. આ ધારાથી ન્યાય ખાતામાં પડી રહેલા મકદમાઓને મોટો ભાગ જમાબન્દી ખાતામાં મોકલાવી દીધો. ઉપજ અને જમાના અડસટ્ટા કરવાનું સાદુ ધરણ સ્વીકાર્યું, અને જુદા જુદા મગરની જમીન માટે જુદા જુદા દર ઠરાવવાનું ધોરણ દાખલ કર્યું. ખેતરના નકશા અને ક્ષેત્રપોથીને સામાન્ય ઉપયોગ પણ આ ધારાથી જ શરૂ થયાં. સરકાર હક્ક કુલ ઉપજમાં બે ભાગ જેટલો ઠરાવ્યો. ૧૮૩૩ થી ૧૮૪૯ ની સાલ સુધી આ જમાબ-દી ઠરાવવાનું કામ ચાલ્યું; અને આ વખતે ૩૦ વર્ષના પટા કરવામાં આવ્યા. - આ મોટા કામને અધિકાર એક બહુજ લાયક ગૃહસ્થના હાથમાં મૂકાછે હતો. તે ગૃહસ્થનું નામ રોબર્ટ માર્ટિસબર્ડ હતું. તેઓ પ્રથમ એક ન્યાયાધીશ હતા, અને ન્યાયાધિકારી તરીકે તેમને મળેલી તાલીમે જમાબન્દીના વ્યવસ્થાપક તરીકે તેમને વધારે લાયક બનાવ્યા હતા.
૧૮૪ર માં તે લખે છે કે આ નિબંધના મોટા ભાગની યોજના મારી પિતાની જ હતી. મૂળ તે તે ન્યાય ખાતાના એક નિબંધના રૂપમાં હતી અને મને પિતાને આ કામ ઍપવામાં આવશે એમ કદી મારા ધારવામાં ન હતું,
Page #248
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૨૩૭
એક ન્યાયખાતાના અમલદારને વ્યવહારમાં ઉપયોગી થાય તેવી યોજનાઓ ઘડવાનો અધિકારની રૂઇએ થોડાજ પ્રસંગ આવે છે, તેથી ગોરખપુર વિભાગની જમાબન્દીનું કામ કરવા સારૂ જે વખતે મને રવિન્યુ કમીશનરની જગા આપવા માંડી તે વખતે અત્યંત ઉત્સાહથી તે જગા સ્વીકારી લીધી; કારણકે મને મારા પિતાના અભિપ્રાયોને પ્રયોગથી કરવાનું અને મારા પિતાના હેતુઓને અમલમાં મૂકવાનું આ સહજ સાધન હતું.
તમારા મનમાં ખાત્રી હતી કે જમાબંદી કરાવવાની સાથે ખાનગી હદે પણ એવી રીતે નિર્ણત થઈ શકે અને એવાં ધોરણો દાખલ કરી શકાય કે જેથી ખેતીવાડીની પડી ભાગેલી સ્થિતિ સુધરી શકે.
આવા હેતુથી મેં ગોરખપુરમાં કામ શરૂ કર્યું. બીજે વર્ષે મહૂમ લેર્ડ વિલ્યમ બેન્કિ મારા જીલ્લામાં આવી ગયા. મારી યોજનાઓના સંબંધમાં મારી સાથે ખુલાસા સાથે ચર્ચા કરી અને પિતાના હુકમથી આ બાબતમાં મેં તેમની સાથે સીધે પત્રવ્યવહાર પણ રાખ્યો હતો. એનું પરિણામ એ આવ્યું કે ૧૮૩૨ માં વાયવ્ય પ્રાંતની જમાબન્દીને ઉપરીપણાનું તમામ કામ મારા ઉપર આવ્યું.
એકંદર હું એમ ધારું છું કે, સમતોલ, વાજબી અને સરખી જમાબ-દી, લેકના હાથમાં નાણુનો સ ગ્રહ થવામાં હરકત ન આવે અને ખેતી. વાડીની આબાદી વધતી જાય તેવી જમાબન્દી, જે લઈ શકાય અને જેટલી લેવી જોઈએ તેવી જ ઠરાવવામાં આવી છે.
અહીંયાં અગાડી વાયવ્ય પ્રાન્તના જુદા જુદા જીલ્લાઓમાં ચાલેલા જ. માબન્દીના કામને સવિસ્તર ઇતિહાસ આપવાની જરૂર નથી, પણ તેનું ફળ નીચેના મિ. બર્ડન પત્રક ઉપરથી માલમ પડે છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૮
"9
જીલે
,,
"D
""
દીલ્હી-વિભાગ
..
જીલ્લાનુ નામ
ઇલે
..
..
13
હરિયાણા
દિલ્હી
રાહતક
મિરત વિભાગ
*
પ્રકરણ ૫ મુ
કુલ ક્ષેત્રફળ ખેડવાણ જમીન એકર
એકર
૧૬૫૭૯૭૫
૩૬૪૫૩૪
૮૪૪૬૮;
ગુરગામ ૧૧૬૦૪૩૭
સહરાનપુર
૧૧૮૭૦૫
મુજફ્રનગર ૬૯૧૭૦૬
ભારત
૧૭૭૬૪૩૦
બુલન્દશહર
૧૦૨૫૦૨}
અલિગઢ ૧૧૧૯૨૭૮
રાહિલખ’ડ વિભાગ
જીલ્લે બિજનાપુર ૧૦૨૭૫૩૩
સુરાદાબાદ
નથી.
૬૯૬૧૪૭
૧૭૪૬૦૫
૪૭૪૪૬૫
}૪૭૩૫૩
૧૦૩૪૦૧}
૫૨૬૩૦
૯૦૦૫૬૨
• ખેડવાણ જમીન ઉપર સરકારને
દર
૪૫૯૪૦૯
નથી
૦-૧૪–૪
-૧-૩
૧-૫-૨
૬૦૬૮૪૭ ૧-૧૦-૬
૩૯૨૩૦૭
૧–૧૧–૨
૧-૯-૦
૨-૧-૨
૧-૯-૨
૧-૪૧૦
૨-૨-૧૦
નથી
Page #250
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
છલે
દિવાન
બદવાન
૧૪૫૦૪૧૮
૭૫૨૧૦૩
૧-૭
પિલબીર
નથી
નથી
૨-૦-૧ ૧-૧૫-૭
બરેલી
|| ૧૧૧૬ ૧૭૪
૬૩૯૫૭૯
શાહજાનપુર | ૧૩૦૯૨૧૧
૬૫૧૫૦૨
૧-૯-૦.
આગ્રા વિભાગ
ઉલ્લે, મથુરા
નથી
નથી
, આગ્રા
૯૩૫૮૧૫
૬૪૬૮૧૮
-
૨-૫
૧૨૪૭૨૮૮
૬૧૪૨૫૩
ફરકાબાદ , મૈથનપુરી
|
| ૧૨૮૦૯૨૭
૬૧૩૪૨૨
૨
૪-૦
ઈટાવા
૧૦૭૧૭૫૬
૪૭૭૮ ૦૧
૧૪૮૭,૭૯૫
७८२२७१
| ૨-૧
અલાહાબાદ વિભાગ » જલે કાનપુર
* ફતેહપુર છે, અલાહાબાદ
૯૮૦૫૮૪
૫૦૬૯૦૫
૨-૧૨-૯
૧૭૯૦૨૪૪ 1
૯૯૭૫૦૮
૨-૨-૬
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૪
પ્રકરણ ૫ મું.
બનારસ વિભાગ છલે ગેરકપુર
આઝમ ગઢ
૪૧૧૫૨ ૧૪
૧૯૨૭૨૩૪
૧- ૧-૩ ૧-૧૫-૪
| ૧૬પ૨૯૩
૭૭૩૬૧૬
ૉબર્ટ બે હિંદુસ્તાન છોડયું ત્યાં સુધીના તેમના કામને આ સારાંશ હત. દશ વર્ષ પછી જ્યારે તેમની હાઉસ ઑફ કોમન્સની સિલેક્ટ કમિટી રૂબરૂ જુબાની લીધી ત્યારે તેમણે નીચે પ્રમાણે ખુલાસે ર્યો હતો –
પહેલી જમીનની માપણી કરવી શરૂ કરી; તે પછી ખેતરના નકશા કર્યા, તે પછી એક સારા કેળવાયેલા અમલદાર પાસે સીમાઓની રીતસર માપણી કરાવી. આથી ખેડવાણ અને ખરાબાની ખબર પડે અને રીતસર સામાન્ય માપણુથી ગામ સીમને આકાર કેવો છે તેની પણ ખબર પડે. તે પછી તે તમામ પ્રદેશના ઉપર સરકાર હક કેવી રીતે ઠરાવે તે વિચાર કરવામાં આવ્યો તે પછી એ આખા પ્રદેશ ઉપર સરકાર હકકેટલો મૂકો તેને નિર્ણય થાય ત્યારે ગામ દીઠ કેટલે ઠરાવ તેને વિચાર થાય, એ પછી લેકેની રજુવાત થાય. ઘણું કરીને ત્યાં લોકોની સાથે ખેતરમાં જ કે ઝાડ નીચે જ મસલત થાય. ઘણી વખત વાંધા લેવામાં આવેઃ “આ બહુ ભારે છે,” “મારૂં ગામ આટલું આપી શકે તેમ નથી,” “આ ગામ ગરીબ છે" વગેરે. પછી તેઓને કહેવામાં આવે કે “અમારે તે આ આખા પ્રદેશમાંથી આટલું લેવાનું છે તેમાં તમારા ભાગે જે આવે છે તે તમે આપી શકે તેમ નહોત કયું ગામ વધારે આપી શકે એમ છે એમ તમારે બતાવવું જોઈએ.” આ ઉપરથી પછી તેઓ પિતપોતામાં તે બાબતની ચર્ચા કરે.... આખા પ્રદેશ ઉપર જે જમાબન્દી મુકરર કરી હોય તેને ચુસ્ત થઈને વળગી રહેવાનું નથી,
Page #252
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઈતિહાસ.
અમારો એ હેતુ પણ નહતું. જે કારણ માલમ પડે તે તે રકમ ઓછી કરવા અમે તૈયાર હતા પણ આખી રકમ એક સામટી મુકરર કરવાને હેતુ એ હતું કે લેકોને જ પિતાની બાબતમાં તપાસ કરવાનું મન થાય અને તેમને સતેવાકારક થાય તેવી ગોઠવણ ઉપર તેઓ પોતાની મેળે જ આવી જાય.
આ બર્ટ બડે પિતે વર્ણવેલી રીત ખેડ ખાંપણ વિનાની છે એમ તે કહી શકાય તેમ નથી, પણ મુંબઈની રીત કરતાં તે વધારે સારી હતી. મુંબાઈમાં તે ગોલ્ડફિન્ચ કહે છે તેમ સરકાર દરેક ખેતર ઉપર જમાલન્દી ઠરાવે અને ખેડુએ કાંતિ તે જમાદી ઉપર એ ખેતર રાખવું અથવા કાઢી નાંખવું.
ઉપજ અને સરકાર હક્કનું પ્રમાણ શું છે? એ પ્રશ્નના જવાબમાં મિ બડે કહ્યું કે મારું સામાન્ય માનવું એવું છે કે દશમા ભાગ કરતાં વધારે નહીં અને તેમણે વધારે ઉમેર્યું કે મદ્રાસ અને બીજા ભાગમાં સુપ્રસિદ્ધ છે કે જમાળન્દી પહેલેથી બહુ ઉંચી મુકરર કરવામાં આવી છે અને તેથી લોકો નિર્ધન થતા જાય છે.
રોબર્ટ બડે હિંદુસ્તાન છોડ્યું તે વખતે તેણે આરંભેલું કામ લગભગ પૂરું થયું હતું, અને તેની દેખરેખ એક બીજા લાયક અમલદારને સેંપવામાં આવી હતી. ૧૮૪૩ થી ૧૮૫૩ સુધી જેમ્સ ટોમેસન વાયવ્ય પ્રાંતના વે. ગવર્નર હતા. તેઓ ઘણાજ માયાળુ અને પરોપકારી હતા. તેમણે ૧૮૪૪ માં સેટલમેન્ટ અધિકારીઓને માટે સૂચનાઓ ઘડી કહાડી કે જે આ બાબતના ધારાઓનો પહેલવહેલે સંગ્રહ છે. ઘણાં વર્ષ સુધી આ ધારો મુખ્ય પ્રમાણે મનાતે, તેની પ્રસ્તાવનામાં નીચેનાં ધોરણો નિયત કરવામાં આવ્યાં છે. - ૧. દેશમાં તમામ વસતિવાળા મુલકના ચોકસ સીમાઓવાળા મહાલ પાડવામાં આવ્યા છે. દરેક મહલ ઉપર વીસ અથવા ત્રીસ વર્ષને માટે જમાના એક રકમ મુકરર કરવામાં આવી છે. તેની ગણત્રી એવા ધોરણે કરવામાં આવી છે કે જમીનની ખી ઉપજમાંથી અમુક નફે રહી શકે. એમ ધારવું કે
16.
Page #253
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું.
આ જ વૈખતસર આપવા માટે જમીન સરકારને હમેશને માટે મંડાણ છે.
૨. ન લેવાને કાણુ હકદાર છે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. આવી રીતે મુકરર કરેલો હક વેચી શકાય તેવું અને વારસામાં ઉતરે તે છે. તે હક જેમને હેય-તે જમીનના માલીક ગણાય છે, અને તેમની પાસે મહાલની જમા
વર્ષ નિયમસર આપે જવાના કરાર કરાવી લેવામાં આવે છે. : ૩. મહાલના દરેક માલીકે-એકાજુ તે એકામતે સરકારની જમા આપવાને બંધાયેલા છે એમ ગણવામાં આવે છે.
ઉત્તર હિંદુસ્તાનમાં લેર્ડ વિલ્યમ બેન્ટિજેનું શરૂ કરેલું આ મહાન કાર્ય પૂરું કરવામાં મેસનને દશ વર્ષ લાગ્યાં. બેન્કિને જેમ મેટકાફ, ટ્રેવેલ્યન અને મેકોલે જેવા મદદગાર હતા, તેમ મેસને પણ જેને લેરેન્સ, રોબર્ટ મેન્ટગેમારે અવે વિલ્યમ મુર જેવા, સહાયક તૈયાર કર્યા હતા. તેમને બધાને લોકનાં હિત માટે શ્રમ લેવાની લેડ વિલ્યમ બેન્ટિકની સિદિચ્છા રહેતી હતી.
મેસનના દશ વર્ષના શુભ શ્રમની ઇંગ્લંડમાં કદર થઈ અને ૧૮૫૩ ના સપ્ટેમ્બરની ૨૭ મી તારીખે તેને મદ્રાસને ગવર્નર નીખે, પણ આ કદર બહુમેડી થઈ. તેજ દિવસે તા. ૨૭ મી સપ્ટેમ્બર ૧૮૫૭ ને રેજ મેસન જે મુલકના લોકોની સેવામાં પોતાના જીવનનો એક ભાગ અર્પણ કર્યો હતિ તેજ મુલકમાં બેહસ્તનશીન થયો.
બે વર્ષ પછી સરકાર હક કમી કરવાની બેટિન્કની નીતિના સારાપણાને પુરા મળે. તેણે એખી ઉપજના બે ભાગ ત્રીજ એટલે સરકાર હશે કરાવ્યું હતું. પણ આટલે દર પણ આકરો અને અવ્યવહાર્ય જણાય હતે. લેડ ડેલાહસીના અમલ દરમિયાન પ્રસિદ્ધ સહરાનપુરના નિયમોથી ખી ઉપજ અડધ ભાગ જેટલો સરકાર હક રાખવો એમ મુકરર કરવામાં આવ્યું હતું. - - “એક મહાલની મગદૂર એકસાઈથી મુકરર થઈ શકે નહિ, પણ સરાસરી પષ્મી ઉપજ કેટલી આવે છે તે પ્રથમ કસ્તાં હવે નિર્ણત થઈ શકે તેમ છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
૨.
આનાથી વખતે વધારે પડતા આકાર ઠરાવાય કારણ કે લાંબા વર્ષોંના ગાળામાં ઉપજના છાસઠે ટકા લોક આપી શકે નહિ. આટલા માટે સરકાર એવા ઠરાવ ઉપર આવી છે કે સરાસરી ચેાખી ઉપજના ૫૦ ટકાએ સરકાર હદની મર્યાદા બાંધવી, આને અર્થે એવા નથી કે સરાસરી ચેાખ્ખી ઉપજના પચાસ ટકાએ સરકાર હુ મુકરર કરવા, પણ બીજી બધી બાબતે ધ્યાનમાં લેવાની સાથે આ વાત પણ ધ્યાનમાં રાખવી કે સરકાર હુ જે થાય તે સરેરાશ ચાખ્ખી ઉપજના અડધની આસપાસ હોવા જોઇએ. છાસા ટકાની આસપાસ નહિ.
""
""
અર્ધા સૈકા સુધી વારંવાર ભૂલેા કર્યા પછી સરકારે આસરે ચાખી ઉપજના પચાસ ટકાની હદ ઠરાવી અત્યારે આ ધારણ જ્યાં યાવચ્ચન્દ્રદિવા કરે। જમા નથી ત્યાં સાર્વત્રિક છે. મદ્રાસ અને મુંબ‰માં સર ચાર્લ્સ વુડના ૧૮૬૪ ના ખરીતાથી આર્થિક રેન્ટ ના અરધ પ્રમાણ જેટલા સરકાર હક મુકરર કરવામાં આવ્યા છે. સહરાનપુરના નિયમેક્રમાં પણ ૧૮૫૫ ના નિયમા પ્રમાણે અરધને ઠરાવ થયા છે. આ ધારણને સખ્તાઇથી અને પ્રમાણિકપણે વળગી રહેવામાં આવે તે હિંદુસ્તાનની સરકારને ધા લાભ થાય.
.
.
પણ જ્યાં લેાકાને કાં અવાજ જ નથી અને મહેસુલના અધિકારીઓના હાથમાં મહેસુલી નીતિ છે, ત્યાં સ્પષ્ટ હુકમાના અથા તાણી ખેંચીને કરવામાં આવે છે અથવા ખાટા અર્થો થાય છે કે જેથી નિયમા કારાણે મૂકાય છે. મદ્રાસ અને મુંબઇમાં આ કેવી રીતે થયું હતું તે ખીજે ઠેકાણે વર્ણવ્યુ છે, લેડ કૈનિ ંગે તે। આખા હિંદુસ્તાનમાં યાવચ્ચન્દ્ર દિવાકર જમાળદી કરવાની દરખાસ્ત ૧૮૬૨ માં કરી હતી. તેને લેર્ડ લેરેન્સ, સર ચાર્લ્સે વુડ અને સર સ્ટે નર્થકાર્ટ ટકા આપ્યા હતા, પણ આખરે ૧૮૮૪ માં તે ર૬ ગઇ. સહરાનપુરના ધારા પણુ રેવિન્યુ અધિકારીએ અમલમાં આવવા દેતા નથી. તે ધારાઓના અર્થ તા સ્પષ્ટ છે. સરાસરી ચેપ્પી ઉપ જના પચાસ ટકાથી વધારે સરકાર હક્ક ન હોવા ોઇએ એવુ તે ધારાઓનું
Page #255
--------------------------------------------------------------------------
________________
EY
પ્રકરણ .
ચેાખ્ખુ ધેારણ છે; પણ અમલ કરતી વખતે આ ધારાનેા અર્થે ભવિષ્યની લેખ્ખી ઉપજ એવા કરવામાં આવે છે. કાઇ મહાલની ચોખ્ખી ઉપજ ૧૨૦૦૦ રૂપિયા હોય તેા સરકાર હુ ૬૫૦૦ કે ૭૦૦૦ સુધી આકારાય કારણ કે જતે દહાડે મહાલની ઉપજ ભવિષ્યમાં ૧૩૦૦૦ કે ૧૪૦૦૦ રૂપિયા સુધી પહોંચે. વળી જમીનને આકાર ચોખ્ખી ઉપજના ૫૦ ટકા જેટલેજ હાવા જોઇએ એમ છે છતાં, કેળવણી, પાસ્ટ આપીસ વિગેરે અદ્દલ નવા કરેા નાખવામાં આવે છે અને તે આકારના પ્રમાણમાં આકારવામાં આવે છે, અને તેથી કરીને જમીન ઉપજતા સરકારનો ભાગ વધે છે. આ શું કહેવુ જુદુ અને કરવું જુદું એવી રાજનીતિ નથી, ?
પ્રકરણ ૬ હું.
~~·030:0
ઉદ્યોગની પડતી.
૧૭૯૬-૧૮૧૩
ઓગણીસમા સૈકાના પહેલા દસકા સુધી તે હિંદુસ્તાનના લાકે તરેહ તરેહના ધધા રાજગાર કરતા હતા તે આપણે પાછળ જોઇ ગયા. વણવાને ધંધા સર્વ સાધારણ હતા. લાખા સ્ત્રીએ સુતર કાંતીને ગુજરાન ચલાવતી; અને ર'ગવાને, ચામડાં કેળવવાના, કસારાના, એ બધા ધંધા લાખા માણસે ને
રાજી આપતા હતા.
પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીની રાજ્યનીતિ હિંદના ઉદ્યાગાને ખીલવવાની ન હતી. છેક ૧૭૬૯ ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા. કમ્પનીના અધિષ્ઠાતાઓએ રેશમુ
Page #256
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ર૪ માલ પેદા કરવાનું મંદ પાડી નાંખવાની અને કાચુ રેશમ પેદા કરવાને ઉદ્યોગ વધારવાની ઇચ્છા બતાવી હતી અને તેમણે એવી પણ ઈચ્છા બતાવી હતી કે રેશમ વીંટનારાઓને સરકારના હુકમથી સરકારી કારખાનામાં જ કામ કરવા ફરજ પાડવી અને બીજે કંઈ કામ કરવા મનાઈ કરવી. આ હુકમની ધારેલી અસર થઈ. રેશમ અને સુતરના માલની પેદાશ હિંદમાં મંદીમાં પડતી ચાલી, અને જે લેકે પ્રથમ આ માલ પુરેપ અને એશિયાના બજારમાં મોકલતા હતા તે હવે ત્યાંથી ખરીદવા લાગ્યા. નીચેના પત્રક ઉપરથી વીસ વર્ષોમાં ઈંગ્લેથી જે સુતરાઉ માલ આવ્યો તે જણાઈ આવશે.
૧૭૯૪... પાઉન્ડ ૧૫૬
૧૪૦૪,
પ૦૬
૧૭૮૫
૧૭
૧૭૯ ૧૭૯૭
૧૧૨ ૨૫૦૧
૧૭૯૮.
..
૪૪૩૬
૧૭૮૮
૭૩૧૭
૧૮૦૫, ૩૧૯૪૩ ૧૪૦ ૪૮૫ર ૫ ૧૮૦૭, ૪૬૫૪૯ ૧૮૮ ૬૯૮૪૧ ૧૮૯.... ૧૧૮૪૦૮ ૧૮૧૦ . ૭૪૬૯૫ ૧૮૧૧ - ૧૧૪૬૪૯ ૧૮૧૨ ૧૦૭૩૦૬ ૧૮૧૩ ૧૯૮૨૪
૧૮૦૦
૧૯૫૭૫
૨૧૨૦૦
૧૮૦૧ ૧૮૦૨
૧૬૧૯૧
૧૮૯૩
૨૭૮૯૬
!
Page #257
--------------------------------------------------------------------------
________________
ઉપકરણ .
કમ્પનીને પટે ૧૮૧૩ માં તાજો કરવામાં આવ્યું, પણ તાજો કરી આપતા પહેલાં તજવીજ કરવામાં આવી હતી, અને ઘણું સાક્ષિઓ તપાસ્યા
હતા.
આ વખતે વૅન હેસ્ટિંગ્સ, ટોમસ મને અને સર જોન માલકમ જેવા સાક્ષિઓની જુબાનીઓ થઈ હતી અને આમની સભાએ હિંદના લેકોને માટે ઘણુ લાગણી બતાવી હતી; પણ હિંદુસ્તાનના ઉગેના સંબંધમાં તેને બદલે બ્રિટિશ માલ કેવી રીતે દાખલ થાય અને હિંદના ઉદ્યોગોનું ગમે તે થાય પણ બ્રિટિશ ઉદ્યોગ હિંદને માટે કેવી રીતે ખીલે તે શોધી કાઢવાની તેમને મુખ્ય દરકાર હતી. * પાછલા અર્ધા સૈકામાં હિંદમાં ભયંકર દુષ્કાળો ઉપરાઉપરી આવી ગયા હતા. આ તજવીજ થઈ તે જ વર્ષમાં એક દુકાળ મુંબઈ ઇલાકાને ઉજજડ કરતે હતે. બંગાળ અને મદ્રાસમાં તમામ ધંધા રોજગાર નષ્ટ થઈ ગયો હતો. પણ હિંદી પ્રજાની આબાદી થાય તેવાં ધનનાં સાધનો સજીવન કરવાની બાબતમાં એક પણ પ્રશ્ન કેઈએ પૂછો હોય એમ આ મોટાં થોથાંઓમાં જેવામાં આવતું નથી, પરંતુ બ્રિટિશ માલ હિંદુસ્તાનમાં કેવી રીતે બળથી પણ દાખલ કરે તેની ફરી ફરીને શોધ થતી જોવામાં આવે છે. વૈર્ન હેસ્ટિંગ્સને સવાલ પૂછ્યું હતો કે –
- “હિંદુસ્તાનના લેકેના સ્વભાવથી અને રીતભાતથી તમે વાકેફ છે; તે તમે એમ ધારો છો કે હિંદુસ્તાનના લેકે પોતાના ઉપયોગ માટે યુરેપના માલની માગણી કરવા તૈયાર થવાનો સંભવ છે? '
જવાબ-વેપારનું મુખ્ય પ્રયોજન લોકોની જરૂરીયાત અને તેમના મોજશેખની ચીજો પૂરી પાડવાનું છે. હિંદના ગરીબ લોકોને કંઈ જરૂરીયાતજ નથી એમ કહી શકાય. તેમની જરૂરીયાતો માબ-રહેવા માટે ઘર, શરીર નિર્વાહ માટે અન્ન, શરીર ઢાંકવા માટે કંઈક કપડાં–એટલી જ છે અને આ બધી વસ્તુએ તે જે જમીન ઉપર તેઓ હાલ ચાલે છે તેમાંથી તેમને મળી શકે છે.”
Page #258
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. રણ સર જોન માલકમ જે આપણે દેશના લેકેમાં ઘણું રહ્યા હતા અને જેમના જેટલું આપણું સંબંધે જ્ઞાન બીજા કોઈ અંગ્રેજને ભાગ્યેજ હશે તે આપણું શીલ સ્વભાવ સદગુણને માટે ઉંચો પુરાવો આપે છે. ઉત્તર હિંદુસ્તાનના સંબંધમાં બેલતાં તે લખાવે છે કે,
“હિંદુઓ સામાન્ય રીતે ઊંચા કદને માટે જેટલા પ્રખ્યાત નથી તેટલા કેટલાક ઉત્તમ માનસિક ગુણોને માટે પ્રખ્યાત છે. તેઓ બહાદુર, ઉદાર અને દયાવાળા છે, અને તેમનું સત્યવક્તવ તેમની હીંમતના જેટલું જ અવધેય છે.” પછી તેઓ બ્રિટિશ માલ વાપરશે કે કેમ તે સંબંધે સવાલ પૂછતાં સર જૈન માલ્કમ જવાબ આપે છે કે “તેઓ યુરોપીયન માલ વાપરે એવો સંભવન કારણકે એમની સાદી રીતભાત છતાં તેઓને કદાચ જરૂર પડે એમ માનીએ તેપણ તેમની પાસે તે ખરીદવાનાં સાધન નથી.”
ગ્રીમ મર-જેમણે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીની ડાકટર તરીકે અને રવિન્યુ અને પોલિટિકલ ખાતામાં નોકરી કરી હતી, તેઓ ભારતવર્ષના લેકનું આમ વર્ણન આપે છે –
તેઓ સ્વભાવે નરમ છે. રીતભાતમાં સફાઈદાર છે, અધિકારીઓના આજ્ઞાપાલક છે, પોતાના ધર્મશાસ્ત્રના પરમભકત છે, અને તેમાં ઉપદેશેલાં વ્રતાદિક કર્મો કરવામાં તેઓ ગફલત કરતા નથી.” અને યુરોપીયન માલ દાખલ થવાના સંભવની બાબતમાં તેઓ લખાવે છે કે લોર્ડ વેસલીએ રોહીલખંડમાં બ્રિટિશ માલ પ્રદર્શિત કરવા સારૂ મેળા ભરીને-અને હરદ્વારના મેળામાં તેવાજ હેતુથી બ્રિટિશ રેસિડન્ટને હાજર થવાને હુકમ કરીને તેમ કરવા પ્રયત્ન કર્યો હતો.
પણ સહુથી વધારે અગત્યને સાક્ષિ સર ટોમસ મને હતો. આ પ્રખ્યાત સ્કોચ ગૃહસ્થના પુરાવામાં પહેલેથી છેલ્લે સુધી ૨૭ વર્ષની કારકીર્દિ દરમિયાન
Page #259
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ હું.
જે લેકા-રાધન પરાયણતા અને બીજા સદ્દગુણે દેખાયા હતા તે શબ્દેશબ્દ આપણને જણાય છે.
મને કહે છે કે, ખેતીવાડીના દડીઆની દાડી સરાસરી મહિનાને ૪ શાલીંગથી ૬ શીલીંગ છે. અને નિર્વાહનું ખરચ સરેરાશ માથા દીઠ વરસ દહાડે ૧૮ શીલીંગથી ૨૭ શીલીંગ થવા જાય છે લંડને ઉનને માલ હિં, કમાં ખપવા કાંઈ સંભવ નથી, કારણકે લેકે પિતાનાં બનાવેલાં જાડાં ઉનનાં કપડાં વાપરે છે, તેઓ માલ પેદા કરવામાં બહુ હુશીઆર છે, અને બ્રિટિશ હાલનું અનુકરણ કરવાની તેમનામાં શક્તિ છે. હિંદુ સ્ત્રીઓ તેમના સ્વામિની ગામ છે કે કેમ? તે સવાલના જવાબમાં મનાએ કહ્યું કે “અહીંની સ્ત્રી
ને પિતાના કુટુંબમાં જેટલો પ્રતાપ છે એટલે જ તેમને પણ તેમના કુટુંબમાં ત્યાં આગળ છે.” અને પછી હિંદુઓને સુધારે ખુલ્લાં બજાર કર્યો વધવા સંભવ છે કે કેમ-તેના જવાબમાં પ્રસિદ્ધ જવાબ આપે છે કે “હિંદુઓને સુધારો એ શબ્દથી તમે શું કહેવા માગે છે તે હું સમજતો નથી. પદાર્થવિધાની હચી શાળાઓમાં, રાજ્યનીતિશાસ્ત્ર અને રાજયવ્યવસ્થાના વહીવટમાં, અને મનના વહેમ અને ભાતિઓ દૂર કરી ગમે તે દ્વારેથી જ્ઞાન સંપાદન કરવા રૂપ કેળવણીમાં તેઓ યુરોપિયનથી ઉતરતા છે; પણ ખેતીની સારી પદ્ધતિ, માલ પેદા કરવાની અનુપમ કુશળતા, સગવડ અથવા મોજશોખને માટે જે જોઈએ તે ઉત્પન્ન કરવાની શકિત, લખવા વાંચવા અને લેખાંનું જ્ઞાન આપવા સારૂ દરેક ગામડાંમાં સ્થાપવામાં આવેલી શાળાઓ તેમની અને ધર્માદાની વૃત્તિના આતિથ્યની અને ધર્માદાની વૃત્તિ અને સ્ત્રીઓ, સુકુમાર વર્તણુક એ બધાં જે સુધરેલા લોકેનાં ચિન્હ હોય તો હિંદુઓ યુરોપના લકે કરતાં ઉતરતા નથી, અને જે બે દેશો વચ્ચે સુધારાને વેપાર થઈ શકે તે હેય તે હું ધારું છું કે ઈશ્વેને ત્યાંથી આયાત કરવામાં વધારે ફાયદો થશે
Page #260
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઈતિહાસ
૨૪હ
પિતાના વખતની હિંદની કારીગરી માટે મને બહુ ઊંચે અભિપ્રાય હતો. બ્રિટિશ માલ હિંદમાં ફેલાતો અટકે છે તેનું કારણ પૂછતાં તે ખુલાસે કરે છે કે તેનું કારણ ” લોકોની ધાર્મિક અને સાંસારિક વ્યવહારની રીતભાત–અને બીજા બધા કરતાં વધારે સબળ હું ધારું છું કે તેમના પિતાના ભાવની સરસાઈ હિન્દી એક શાલ મેં સાત વર્ષ સુધી વાપરી હતી, અને તેટલા લાંબા વપરાશ પછી મેં તેમાં કાંઈ પણ ફેર જ ન હતા અને ઇંગ્લંડમાં થતી તેના અનુકરણની શાલોના સંબંધમાં તેણે કહ્યું કે, મને મફત આપે તે પણ મને વાપરવાનું મન થાય તેવી યુરોપિયન શાલ હજી મેં જોઈ નથી. '
આ સિવાય એક બીજા સાશિના પુરાવાની પણ નોંધ લેવી જોઈએ. સર જોન ચિની: ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ન્યાય ખાતાના નોકર હતા, બંગાલાના અન્ડર સેક્રેટરી ટુ ગવર્મેન્ટ હતા. તેમણે પુરાવે આપ્યો કે “હિંદી મજુર મહીને સાડાત્રણ શીલીગથી સાડાસાત શિલીંગ કમાય છે. આવી પ્રજા બ્રિટિશ માત્ર શી રીતે વાપરી શકે ! હું નથી ધારતે કે તેઓ સામાન્ય વપરાશમાં કોઈ વખતે અનાયાસે સસ્તાં મળી જામ-તેવાં હલકાં ઉનનાં કાપડ બનાત વગેરે સિવાય કંઈપણ યુરોપની ચીજ વાપરતા હોય. ”
આવી તરેહની તજવીજનો હેતુ છ સમજાઈ જાય છે. બીજાને માટે પિતાના સ્વાર્થનો ત્યાગ કરે એ મનુષ્ય સ્વભાવ નથી; અને ઓગણીસમા સૈકાની શરૂઆતમાં બ્રિટિશ રાજપુએ ભારતવર્ષના ઉદ્યોગોની પાયમાલી કરી પોતાના દેશના ઉગે ઉત્કૃષ્ટ કરવા જેટલું બન્યું તેટલું કરવા ચૂક્યા નથી. કમ્પનીના ગવર્નર જનરલ અને આરતીયા મારફત હિંદુસ્તાનમાં બ્રિટિશ માલને વપરાશ પરાણે દાખલ કર્યો અને ઇંગ્લંડમાં અતિશય ભારે જકાત નાંખીને હિંદી ભાલને દાખલ થવા દીધું નહિ. જૈન રેન્કિન્ગ નામના વેપારીની જુબાની ઉપર આ બાબત સ્પષ્ટ સમજી શકાય છે.
સ. “ઈસ્ટ ઈન્ડિયા હાઉસ' માં જે માલ વેચાય છે તેના ઉપર કેટલા ટકા જકાત છે તે તમે કહી શકશે?
Page #261
--------------------------------------------------------------------------
________________
- -
પ્રકરણુક હું.
- જ. (૧) કેલીકોના ઉપર આયાત જકાત ૩ પાઉંડ ૬ શિ. ૮ પેન્સ છે અને જે દેશમાં વપરાશને માટે લેવામાં આવે તે સેંકડે ૬૮ પાઉંડ ૬ શિ૮ પેન્સ જકાત છે.
(૨) મસ્લીન ઉપર આયાત જકાત દશ ટકા છે, પણ દેશના વપરાશને માટે લેવામાં આવે તે, ૨૭ પાઉંડ ૬ શિલિંગ ૮ પેન્સ છે.
(૩) રંગેલો માલ આ દેશમાં વાપરવાની જ બંધી છે. તે ફક્ત બીજે દેશ ચઢાવવાને માટે જ અહીં આવે છે. તેના ઉપર પણ ૩ પાંડ૬ શિલિંગ ૮ પેન્સ જકાત છે.
પાર્લામેન્ટની આ બેઠકમાં વળી આના ઉપર બીજી વીસ ટકા જકાત નાખવામાં આવી છે. આ જકાત જેથી હવે કેલિકો ઉપર ૭૮ પા. ૬ શિ. ૮ પ. અને મસ્તીન ઉપર ૩ પા. શિ. ૮ પે. જેટલી જકાત થશે.
આ જકાતને ખરે હેતુ છૂપાવવાને કોઈ કારણ ન હતું. તેજ સાક્ષી આગળ જતાં કહે છે કે-આ જકાત આપણું પિતાને માલને ઉત્તેજન આપવા માટે અનુગ્રાહક જકાત છે એમ હું માનું છું.
ભારતવર્ષની કારીગરી ઉપર આ ભારે જકાતની શી અસર થઈ ? હનિ એન જેન ટકર, જેનું નામ ઉત્તર હિંદુસ્તાનની જમાબન્દીના સંબંધમાં પાછળ આવી ગયું છે તે ઈગ્લેંડ ગયા પછી ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના અધિષ્ઠાત મંડળમાં અધિકાર પામ્યા હતા. તેણે ઇંગ્લંડની હિંદુતાન તરફની વ્યાપારી રાજ્યનીતિનાં પ્રયોજન અને અસર ખુલ્લાં કરીને બતાવી આપ્યાં હતાં. ઉપરની પાર્લામેન્ટની તજવીજ પછી દર વર્ષે ૧૮૨૩ માં લખતાં તે કહે છે કે - - આ દેશમાં હિંદુસ્તાન તરફ જે વ્યાપારી રીતી આપણે દાખલ કરી છે તે શી છે? ત્યાંને રેશમન અને ગરભસુતરૂ માલ ઘણાં વર્ષથી આપણું બજારમાંથી બાતલ થઈ ગયો છે. અને હાલમાં, ૬૭ ટકા જેટલી જકાતને લીધે, તેમજ ઊંચા પ્રકારની યાંત્રિક પેજનાથી, આપણે સુતરાઉ કાપડ જે અત્યાર
Page #262
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને
સુધી ઇન્ડિયાના મુખ્ય માલ હતા તે, આ દેશમાંથી બાતલ કર્યોછે એટલુ જ નહિ પણ આપના માલ કેટલાક જથામાં હિંદુસ્તાન મેાકલાવીએ છીએ, આવી રીતે ભારતવર્ષ એક કારીગરીને મુલક મટી ખેતીવાડીને મુલક થઇ ગયાછે,
આથી વધારે ભારદાર અભિપ્રાય હિંદુસ્તાનના ઇતિહાસકાર હેરેસ વિલ્સન સાહેબને છે.
“આપણા આશ્રય નીચે આવેલા હિંદુસ્તાનને કરેલા નુકશાનના આ પણુ એક બહુ શેાકજનક દાખલા છે. ૧૮૧૩ ની તજવીજમાં એવી જુબાની પડી હતી કે હિંદુસ્તાનનેા સુતરાઉ અને રેશમી માલ ઇંગ્લંડમાં બનેલા તેવા માલને મુકાબલે પચાસ સાઠ ટકા એઓછી કિંમતે ઈંગ્લેંડના બજારમાં વેચી શકાતા. આથી તેની કિંમત ઉપર ૭૦-૮૦ ટકા જકાત નાંખવાની અથવા તેવા માલને તદન પ્રતિબંધ કરવાની જરૂર પડી. જો આ પ્રમાણે ન થયું હત, આવી પ્રતિબંધક જકાત નાખવામાં ન આવી હત તે। પેઝલી અને મેન્ચેસ્ટરની મિલેલ શરૂવાતમાંજ અંધ થઇ હત, અને પાછળથી વરાળની મદદથી પણ ઉભી થવા પામી હત નહિ. હિંદની કારીગરીને ભાગે તેની ઉત્પત્તિ થઇ હતી. જે ભારતવર્ષ સ્વતંત્ર હત તે! તેણે બ્રિટીશ માલ ઉપર પ્રતિબ ધક જકાત નાંખી સામેા દાવ વાળ્યા હત, એને તેવી રીતે પેાતાની કારીગરીની પાયમાલી અટકાવી હત. આ આત્મરક્ષણનું કૃત્ય તેનાથી ખની શકે તેમ નહતું. તે દેશ પરદેશીના હાથમાં હતા. કંઇ પણ જકાત વિના બ્રિટિશ માલ પરાણે તેના માથા ઉપર મારવામાં આવ્યા હતા અને પરદેશી વેપારીએ જે હરીફ સાથે ધર્મ યુદ્ધથી ફાવી શકાય તેમ નહતું તેને દાબી નાખવાને માટે અને પરિણામે ગુ ંગળાવવાને માટે રાજકીય અન્યાયનું હથિયાર વાપર્યું.”
હિંદુસ્તાનના માલને દાખી દેવા માટે ઇંગ્લંડમાં આ રાજ્યનીતિ હાથ ધરવામાં આવી હતી ત્યારે હિંદુસ્તાનમાં સ્વીકારેલી પદ્ધતિ પણ. કષ્ટ સુધારો કરે તેવી ન હતી. દેશની ઉપજ કમ્પનીની ખરીદીમાં વપરાતી; નીચેની યાદી
Page #263
--------------------------------------------------------------------------
________________
૫૨
પ્રકરણ હું હું.
ઉપરથી કેટલી રકમ આવી રીતે ક્રાંઇપણ તરેહના ના વિના યુરોપ મોકલવા માટે માલ ખરીદવામાં વપરાતી તે જાઈ આવશે —
વર્ષે ખરીદીની ક્રિમત.
વર્ષ
ખરીદીની કિંમત
૧૭૯૩-૪ પાઉન્ડ ૧૨૨૦૧૦
૧૭૯૪-પ....૧૨૮૮૦પ૯
૧૭૯૧-૬...૮૨૧૫૧૨
૧૦૨૬-૦... ૧૭૦૮૩૭૯
૧૦૯૭-૨,... ૧૦૨૫૨૦૪
૧૭૯૨-૯.....૨૦૧૯૨૬૫
૧૦૯-૧૮૦૦ ૧૬૫૮૯
૧૮૦૦-૧,... ૨૦૧૩૯૭૨
૧૮૦૧૨... ૧૪૨૫૧૬૮
૧૮૦૨-૩,.....૧૧૩૩૫૨}
૧૮૦૩-૪......૧૧૮૭૦૯૭
૧૮૦૪-૧......૧૦૮૮૭૦૦
૧૮૦૫-કૅ......૧૩૩૧૪૬ •
૧૮૦૬-છ...* ૯૮૬૩૧૦
૧૮૦૭-2, ૩૮૦૧૧૯
૧૨૦૮–...૧૦૧૩૭૪૦
૧૯૦૯-૧• .૧૨૪૦૩૧૫
૧૮૧૦–૧૧ .૯૬૩૪૨
૧૮૧૧-૧૨ ...૧૧૧૦૯૦૯
ઓગણીસ વર્ષનું કુલ ૨૫૧૩૪૬૭૨ વાર્ષિક સરેરાશ.
૧૩૨૨૮૦૭૭
આ ખરીદીની રીત નીચે પ્રમાણે હતી. ડિરેકટરોને કેટલુ જોઇએ છીએ તેની ખબર આવે, એટલે હિંદુસ્તાનની વ્યાપારી રાજ્યસભા જ્યાં જ્યાં માલ બનેતા હોય તે કારખાનાં ઉપર તે ખબર માકલાવી આપે. આ કારખાનાંઓના સુખી
Page #264
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ર૫૩ ઓ તાબાનાં કારખાનાઓમાં તે વેહેચી નાંખે અને વણકરોને અમુક દિવસે તે પ્રમાણે માલ તૈયાર કરવા સારૂ અગાઉથી નાણાં લેવાને માટે બોલાવે. દરેક વણકરને જે રકમ અપાય તે તેને ખાતે મંડાય અને જે માલ તે આપે તે તેને ખાતે જમે થાય. જે વણકર ભાવમાં વાંધો નાંખે તે વેપાર સભા પિતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરે.
૧૮૧૩ ની કમિટિએ કરેલી તજવીજમાં પડેલ પુરાવાથી આ રીતમાં કેટલે દુરૂપયોગ થતો હતો તે જણાઈ આવે છે. ટોમસ મને કહી ગયું છે કે બારામહાલમાં કંપનીના નેકરે બધા વણકરોને એકઠા કરે, અને જ્યાં સુધી તેઓ ફકત કમ્પનીને જ આપીશું એવો કરાર ન કરે ત્યાં સુધી તેમને પેરામાં રાખે. એકવાર વણકરે અંગ ઉપર રકમ લીધી એટલે જવાબદારીમાંથી તે કદી મુક્ત થાય નહિ. જે માલ આપતાં વિલંબ થાય તો તેના ઉપર પેર (મોશલ) મૂકાય, અને તેના ઉપર કેર્ટમાં કામ પણ ચાલે. પટાવાળાનો પેર (મોશલ) મૂકાયો એટલે વણકર ઉપર હમેશના એક આનાને દંડ; અને પટાવાળાના હાથમાં નેતરની સોટી આપવામાં આવે, જેને ઘણીવાર સદુપયોગ પણ થાય. ઘણીવાર વણકરોના દંડ થાય અને દંડની વસુલાત સારૂ તેમનાં પીતળનાં વાસણ જપ્ત થાય. આવી રીતે વણકરની તમામ વસતિ કારખાનાઓવાબાના તાબામાં થઇ ગઈ હતી. મિ. કોકસ લખાવે છે કે જે કારખાનાં ઉપર તેની દેખરેખ હતી તેમના કુટુંબ અને સંબંધીઓ સિવાય-૧૫૦૦ વણકર તેના એકલાના તાબામાં હતા –
વળી આ વણકર ઉપર જે અમલ ચલાવવાને તેને આધારે માત્ર વહીવટ ઉપર ન હતું પણ તેનો કાયદાને પણ આધાર હતું. એ કાયદો ઘડવામાં આવ્યો હતો કે (૧) કોઈ વણકર કમ્પની પાસેથી અગાઉથી નાણાં લે તે તેણે કમ્પની સિવાય બીજા કોઇ દેશી અથવા યુરોપીયનને કમ્પની સાથે કરાર કર્યો હોય તે માલ આપ નહિ, અથવા તેવા કોઈને માટે કંઈ પણ મા
Page #265
--------------------------------------------------------------------------
________________
૫૪
-
પ્રકરણ ૬ .
જુરી પણ કરવી નહિ;(૨) જે મુકરર કરેલું કાપડ આપવામાં ગફલત કરે તે માલ જલદી તૈયાર કરાવવા માટે આરતીને તેના ઉપર મોશલ મૂવાને અધિકાર આપવામાં આવ્યો હત; (૩) જે તે બીજા કોઈને માલ વેચે તો તેના ઉપર દીવાની અદાલતમાં ફોજદારી કામ ચલાવવું.
(૪) જે વણકર પાસે એક કરતાં વધારે સાળ હોય, અને તે એક અથવા વધારે મજુર રાખીને કામ કરાવતે હોય તે જે કરાર પ્રમાણે માલ ન આપી શકે તે મુકરર કરેલી કિંમતના ૩૫ ટકા જેટલે દંડ આપવાને તે પાત્ર
થાય.
(૫) તમામ જમીનદાર અને ખેડુતેને હુકમ કરવામાં આવે છે કે તેમણે કમ્પનીના માણસોને સાળવી પાસે જવામાં કંઈપણ હરકત કરવી નહિ.
(૬) અને કમ્પનીના પ્રેસિડન્ટ આરતયા તરફ અપમાનની વર્તણુંક કદી પણ ચલાવવી નહિ,
જ્યારે કોઈ પણ કારીગરીના ઉપર કાંઈપણુ જુલમ હેય ત્યારે તે આબાદ થતી નથી, પણ આનું માઠામાં માઠું પરિણામ એ હતું કે કમ્પનીનાં માણસે
જ્યારે આવી સત્તા વાપરતાં, ત્યારે બીજા યુરોપીયને આના કરતાં વધારે સત્તા કોઈપણ પ્રકારના અંકુશ વિના વાપરતા હતા.
વૅન હેસ્ટિસે કહેલું કે હિંદુસ્તાનમાં અંગ્રેજ એક જુદા જ માણસ છે, એક અંગ્રેજ જે ગુન્હા ઈગલાંડમાં અંગ્રેજનું નામ કરવાની હિમ્મત પણ ન ધરે તે ગુન્હાને રક્ષણ રૂપ થાય છે. - લોર્ડ ન મથે કહેલું કે યુરોપિયનને દેશમાં વધારે પ્રચાર અને દેશીઓ સાથે વધારે સંવ્યવહાર થવાથી એક પરિણામ એ આવવાનો સંભવ છે કે તેમનાથી દેશીઓના શીલમાં કંઈ સુધારો થશે નહિ અને દેશીઓના મનમાં યુરોપિયનને માટે જે અભિપ્રાય હશે તે હલકે થઈ જશે.
Page #266
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
રૂપ
ટોમસ મનોએ કહેલું કે, જે વખતે આ દેશમાંથી ઇન્ડિયા તરફ આવવા નીકળે તે વખતે વેપારીઓની રીતભાત શાન્ત હોય કે ગમે તેવી હોય તેમાં કાંઈ તફાવત પડતું નથી, પણ જ્યારે તેઓ હિંદુસ્તાનના હામાં થવાની ટેવ વિનાના લોકો જેમના ઉપર તેઓ અમલ ચલાવી શકે છે, તેઓના સમાગમમાં આવે છે ત્યારે તેઓ ચિતજ શાન્ત રહે છે. હિંદુસ્તાનમાં દરેક વેપારી, સરકાર સાથે કંઇક સંબંધવાળો ગણાય છે. મેં છેલ્લાં બે ત્રણ વર્ષમાં સાંભળ્યું છે કે બંગાળામાં ૧૮૧૦ ની સાલમાં ગળીના વેપાર કરનાર ખાનગી વેપારીઓએ ત્યાંના વતનીઓને કેદ કર્યા હતા. પિતાના માણસોને બોલાવી તેમની સાથે લડાઈ કરેલી અને તેમાં ઘણું ઘાયલ પણ થયેલા.
ટોમસ સિડનહેમ કહે છે કે મેં જોયું છે કે અંગ્રેજોને બીજી રૈયત કરતાં બીજા દેશોમાં જુલમ કરવાની ટેવ છે; અને હું ધારું છું કે ઇન્ડિયામાં પણ તેમજ છે.
ઈગ્રેજ વેપારીઓ એટલો બધે જુલમ કરતા કે સરકારને તે સંબંધી હુકમ કાઢવાની જરૂર જણાઈ હતી. સને ૧૮૧૦ના ૧૩ મી જુલાઈને એક સરકયુલર આ પ્રમાણે છે
નીચેના ચાર પ્રકારના ગુન્હાઓ કેટલાક ઉપર સાબીત થઈ ચૂક્યા છે.
૧. જુલમનાં કૃત્યે-જે ખુનની વ્યાખ્યામાં ન આવે પણ જેનાથી દેશીએનાં મરણ નીપજ્યાં હેય. - ૨. દેવું પતાવી લેવાના કે એવા કોઈ હેતુથી દેશીઓને ગેરવાજબી અને ટકાયતમાં રાખવા.
. પિતાપિતાના કારખાનાના લોકોને અને બીજાઓને તેફાન કરવાના ઈરાદાથી એકઠા કરીને બીજાઓ સાથે મારામારી કરવી.
Page #267
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ } .
૪. ખેડુ અને ખીજા દેશીઓને નેતરની સોટીથી ક્ટકા મારવા અથવા બીજી શિક્ષા કરવી,
૨૫
અને આ સરક્યુલરમાં એવા હુકમ કરવામાં આવ્યા હતા કે મેજીસ્ટ્રેટ એ હૈડાનેા નાશ કરવા, ખેડુત ઉપર ફટકા અથવા ખીજી ગેરકાયદે શિક્ષા થાય તેના રિપોર્ટ કરવા; અને સરકારના હુકમનુ માન ન રાખે તો યુરાપિયન લેકાને દેશના અંદરના ભાગમાં વસવા દેવા નહિ. એક બીજે સરકયુલર તા. ૨૦ મી જુલાઇ સને ૧૯૧૦ ના રાજને એવી મતલબના કાઢવામાં આવેલા હતા કે જે વેપારીઓ ગળીયારા લોકોને પ્રથમથી નાણાં આપી તેમની મરજી વિરૂદ્ધ મળી વાવવાની ફરજ પાડે તેવુ કાંઈ ખતે તે તેના રિપોર્ટ કરવા.
પણુ ગળાના વેપારીઓને જુલમ ખીજા પચાસ વર્ષ સુધી ચાલ્યે અને જ્યારે બગાળાના લેાકેા સામા થયા ત્યારેજ શાન્ત પડયા. ૧૮૫૯ ના ગળીના હુલડ પછી યુરેપિયન વેપારીએ ગળી વાવવાના ધંધા કરતા બધ થઇ ગયા.
બંગાળા મેટેય નાટકકાર દીનબન્ધુ મિત્રે ગળી પણ નામનું નાટક ચીને આ ધંધાદારીઓને જુલમ ઉઘાડા પાડયા હતા. આ ગ્રંથનુ ઈંગ્રેજીમાં ભાષાન્તર કરવા માટે રે. જેમ્સ લેાંગને કલકત્તાની હાઈકોર્ટે દંડ અને કેદની શિક્ષા કરી હતી, અને પાછળથી બૂંગાળાના લે. ગવર્નર થયેલા એશલી ઇડનનુ નામ આ જુલમ અટકાવવાને માટે હજી ઉપકારની સાથે સંભારાય છે.
.
આસામમાં ચહાનુ વાવેતર કરવા માટે મજુરા પૂરા પાડવાના એક કાયદે જેને હિંદુસ્તાનના લોકેા ‘ ગુલામી કાયદો ' કહે છે તે હજી હિંદુસ્તાનમાં પ્રચલિત છે. અજ્ઞાન સ્ત્રી પુરૂષોની નુકશાનીની કલમેા સાથેના કરાર ઉપર સહીઓ કરાવીને . અમુક વર્ષ માટે બાંધી લેવામાં આવે છે. સ. ૧૯૦૧ માં અસામના એક ચિક્ કમિશનર અત્યંત આગ્રહ છતાં ચહાના બગીચામાં એ લેાકા રહે તે દરમિયાન વાજબી પગાર અપાવવામાં સફળ થયા નથી; પણુ હવે ૧૮૧૩ ની સાલ તરફ્ પાછા આવીએ.
Page #268
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ,
૨૫૭
૧૮૧૩ ની તજવીજથી હિંદુસ્તાનને કંઈ પણ ફાયદો થયો નહિ. પ્રતિબંધક જકાતો ઓછી થઈ નહિ. કમ્પનીની ખરીદી બંધ થઈ નહિ, ઉલટું આખી સભાની કમિટિએ એ મંજુર કરી.
“ ઉપરની ઉપજમાંથી ખરચ બાદ કરતાં કાંઈ વધે તે કમ્પનીએ ખરી ! દીમાં, ખરીદી સારૂ નાણાં મોકલવામાં, હિંદુસ્તાનમાંનું કરજ કમી કરવામાં, અથવા કમિશનરોની સભાની પસંદગી સાથે ડિરેકટરોની સભા જે રીતે વખતો વખત હુકમ કરે તે પ્રમાણે વાપરવું.”
હોરેસ વિસન લખે છે કે ૧૮૧૩ ની તજવીજ દરમિયાન હિંદુસ્તાનના હિતને માટે ચિંતાના શબ્દો પુષ્કળ વપરાયા હતા; પણ જે પક્ષે આ ચર્ચામાં ભાગ લીધો તેની મોટી સંખ્યા ભારતવર્ષની પ્રજાના કલ્યાણ માટે કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના પ્રવૃત્ત થઈ હતી એમ કહેવું મુશકીલ છે. સંયુકત રાજ્યના વેપારીઓ અને કારખાનાવાળાઓની માત્ર પોતાનાજ નફા ઉપર નજર હતી.
૧૮૧૩ ની પાર્લમેન્ટની તજવીજ ખરો હેતુ ઈંગ્લંડનાં કારખાનાંવાળાના હિતની વૃદ્ધિ કરવાને હતે. નેપોલિયન બોનાપાર્ટ યુરોપ ખંડના બંદરોમાંથી બ્રિટીશ માલ બાતલ કર્યો હતો, ઇંગ્લંડના વેપારીઓ અને કારખાનાવાળાઓ ભારે મુશ્કેલીમાં આવી પડ્યા હતા જ્યાં સુધી ઇંગ્લંડના માલને માટે નવી બજાર શોધી ન કઢાય ત્યાં સુધી તે દેશ ઉપર મોટી આફત આવી પડવાનો સંભવ હતો. આ સ્થિતિમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અનન્યાધિકાર સામે અંગ્રેજ પ્રજાનો મોટો પોકાર ઉભો થયો, અને ૧૮૧૩ માં જ્યારે તેમનો પટો તાજો કર્યો ત્યારે કમ્પનીનો અનન્યાધિકાર રદ કર્યો. આ પ્રમાણે બ્રિટિશ વેપારીઓને ભારતવર્ષના મોટા ખેતરમાં છૂટથી
હાલવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. હિંદુસ્તાનના માલના સંબંધમાં તેઓ બહુ ચિંતા રાખે તે મનુષ્ય સ્વભાવ જોતાં બની શકે તેવું જ ન હતું.
17
Page #269
--------------------------------------------------------------------------
________________
૫
પ્રકરણ ૬.
૧૮૧૩-૧૮૩૫
• ઉપર પ્રમાણે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના ભારતવર્ષના વેપારને અનન્યાધિકાર ૧૮૧૩ માં રદ કરવામાં આવ્યા. એકવાર દાખલ થયા એટલે ખાનગી વેપાર વધવા માંડયા અને કમ્પનીના વેપાર ઘટવા માંડયા અને જ્યારે ૧૮૩૩ માં પટા તાજો કરવાને વખત આવ્યા તે વખતે કમ્પનીના વેપાર તદ્દન બંધ કરવાનેાં સવાલ ઉભા થયેા. ઇંલાંડને પ્રજા મત એવા હતા કે રાજ્ય કરવાની પૂરજો સાથે વેપાર અસ ંગત છે માટે, હિંદુસ્તાનના વેપાર ખાનગી વેપારીઓના હાથમાં રહેવા જોઇએ; એટલે રાજ્યકરનાર કમ્પનીની સાથેની હરીફાઈ જેમાં ખીજાઓને ગેર ઇન્સાફ થાય તે દૂર થાય. આ દલીલ લંડનના અને ખીજા મેટા વેપારના મથકના વેપારીઓ જોસભેર કરવા લાગ્યા. કારણ હું તેમનામાં કમ્પનીને જે ન્યાયહીન લાભા મળતા હતા તેની પૃર્ષ્યા ઉત્પન્ન થઇ હતી; અને કમ્પનીના વેપાર બંધ થાય તેા પેાતાને વેપાર વધે એવી તેમને આશા બંધાઇ હતી.
આટલા માટે ૧૮૩૩ માં કમ્પનીને વેપાર તદન રદ કર્યાં, અને તે તારીખથી તેઓ હિંદુસ્તાનના વહીવટદાર રહ્યા, અને હિંદુસ્તાનની ઉપજમાંથી પેાતાને નફે લેવા લાગ્યા.
૧૮૩૦-૧૮૩૧-૩૨ માં ઉપરની ચર્ચા ચાલતી હતી, તે દરમિયાન હિંદુસ્તાનના વેપાર સંબંધી ધણા પુરાવે નાંધાયા છે. ૧૮૩૦ માં ઉમરાની કમિટી રૂબરૂ કિ ંમતી પુરાવા પડેલા છે. એના કરતાં પણ વધારે કિ ંમતી પુરાવા ૧૮૩૦-૧૮૩૧ ની આમની કમિટી રૂબરૂ પડેલા છે. વળી ૧૮૭૨ ની આમની કમિટી રૂબરૂ નવેસર પુરાવા લેવાયા છે. આ પુરાવા ૬૦૦૦ ફાલીએ પાનાનાં ૬ મેટાં પુસ્તકામાં પ્રસિદ્ધ થયેલા છે.
આમાં વેપાર રાજગાર બાબતના પુરાવા કંઇક એક તરફી છે. ઉમરાવા અને નામના સભાસદે બ્રિટીશ મુડીથી ચાલતા રાજગારની સ્થિતિ ખાળત
Page #270
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૨૫૯ તપાસ કરતા હતા; હિંદુસ્તાનના લોકોના રોજગાર અને તેમને તેમાંથી મળતી રોજી નફે વિગેરેનો સબબ તેમની પાસે નહતા. તેઓને તપાસ કરવાનું એ હતું કે કમ્પનીને વેપાર રદ થાય તે બ્રિટીશ પ્રજાને વેપાર વધે કે નહિ અને ઇંગ્લંડના ખાનગી વેપારીઓ અને કારખાનાવાળાઓને નફો થાય કે નહિ. ૧૮૧૩ અથવા ૧૮૩૨ ની તજવીજમાં હિંદુસ્તાનના સ્વકીય વેપાર રોજગારની પુષ્ટિ બાબતમાં તજવીજ કરવાનું તેમને કારણ નહતું, અને તે પછીના શિર વર્ષમાં પણ તેવી તજવીજ તેમના તરફથી કરવામાં આવી નથી.
છતાં પહેલા પુરાવામાંથી આપણને ઘણી માહીતી મળે છે. આ પ્રકરણમાં તેને ટુક સાર આપવામાં આવ્યો છે.
હિંદુસ્તાનનું રૂ અમેરિકાના કપાસ કરતાં ટુંક તારનું છે, વધારે કચરાવાળું છે અને તેનો માલ બનાવવામાં કુચ વધારે પડે છે. ઘણું કરીને જાડા કાપડમાં તે વપરાય છે, અથવા ઉનનું કાપડ બનાવવામાં મિશ્રણ કરવામાં તે કામમાં આવે છે. સુરતનું રૂ સહુથી સારું ગણાય છે. હિંદુસ્તાનમાં બનતી ડાકા મસ્તીનના જે માલ ઈગ્લેંડમાં બનતું નથી. તિનેવલીમાં માનસાના ટાપુમાંથી મંગાવેલા બીમાંથી સારી જાતનું રૂ ઉત્પન્ન કરવામાં આવે છે. લાંબા તારનું રૂ-દરીઆ કીનારાની પાસેના પ્રદેશ સિવાય બીજે ઠેકાણે થતું નથી, અને પિતાને માટે માલ બનાવવા સારૂ લોકોને તેની જરૂર નથી. હિંદુસ્તાનમાં તમામ રૂ હાથથી કે તાય છે.
અમેરિકન રૂની હરીફાઈથી હિંદુસ્તાનમાં આવતા રૂને જ ઘટી ગયે છે. ઇટ ઈન્ડિયા કમ્પનીના મુલકમાંથી આવતું રૂ બ્રિટીશ બજારમાં જે રૂ આવતાં તે બધામાં સહુથી ઉતરતું છે. મુંબઇનું સાફ રૂ અને અમેરિકાના રૂ વચ્ચે દશથી પંદર ટકા કિંમતને ફેર રહે છે. સુરતનું રૂ જાડા કાપડમાં વ૫
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬
પ્રકરણ ૬ ઠું.
રાય છે, અને ઝીણું કાપડ માટે મિશ્રણ કરવામાં પણ તે કામ આવે છે. હિંદુસ્તાનમાં કપાસમાં સુધારો કરવાના પ્રયત્નો સફળ નીવડ્યા નથી. કેટલેક ઠેકાણે ઉલટું રૂ ઉતરી જાય છે. કેટલેક ઠેકાણે રોપાઓજ બરાબર ઉગી આવતા નથી. કપાસ હિંદનાજ લેકો વાવે છે, ત્યાંથી મુંબઈ આવે છે, અને યુરોપિયને ખરીદે છે. યુરોપિયનના હાથમાં કપાસની જમીન નથી, તેમ તેની ખેતીમાં તેમનો ભાગ પણ નથી. કપાસ સાફ કરવાનો યંત્ર એક નાનું હાથ-જીન છે, અને તે પરાપૂર્વથી વપરાતું આવે છે. તેની કીંમત ૬ પેન્સ છે, તે હાથથી ચાલે છે, કંઈ બળ જોઈતું નથી અને સફાઈ વિના રૂ સાફ કરે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રૂની ખરીદી ઘણું કરીને ત્રિનેવેલી આ ગળ તેમના આરતીઆ લેકે કરે છે. ૧૮૨૩ માં ૨૫૦ રતલના ૮૦૦૦ ઘાકડાં ખરીદાયાં હતાં અને તે બધાં ચીન મોકલ્યાં હતાં. બંગાળા યુરોપિયનોને કપાસ, ઉગાડવા લાયક છે, પણ ડાકા આગળ ઉંચુ કપાસ દેશીઓજ ઉગાડે છે. ઉત્તમ કપાસ ગુજરાત અને કચ્છમાં થાય છે. હિંદનું રૂ પ્રથમ ઇંગ્લંડમાં ૧૭૦ માં ગયું, અને અમેરિકાનું ૧૭૯૧ માં. ૧૮૨૭ માં હિંદુસ્તાનમાંથી અડસઠ લાખ રતલ રૂઈંગ્લેંડ ગયું હતું. તેની કિંમત દસ લાખ પાઉંડ જેટલી હતી. તે વખતે અમેરિકન રૂ ૨૯૪ બે કરોડ ચોરાણું લાખ રતલ હતું. કલકત્તામાં એક રૂની કાંતવાની ગીરની ઉભી થઈ હતી.
કમ્પનીનું રૂ મુંબઈ અને બંગાળામાંથી નિકાસ થતું. મદ્રાસમાંથી પણ જ્યાં સુધી કારખાનાં રહ્યાં ત્યાં સુધી ચઢાવાતું. દેશમાંથી મછવામાં કપાસ કલ કરે લઈ જવામાં આવતા હતા. મછવા ઉપર કંઈ રક્ષણ ન હતું. અને વખતે ચાર પાંચ મહીના સુધી તેમાં પડી રહેતું. પછી તેની ગાંસડીઓ બંધાતી અને ઈગ્લડ મોકલવામાં આવતું. આ સ્થિતિમાં આવતું રૂ સારી સ્થિતિમાં ઈંગ્લ. ડમાં નજ પહોંચી શકે. .
Page #272
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
૨૬૧.
રેશમ,
રેશમનો કીડો બંગાળામાંજ હતો.ઉત્તર હિંદુસ્તાનમાં તે ઉછરે ન હતા. અને મુંબઈની ભૂમિ મલબેરીને માટે નાલાયક હતી. કમ્પની માટે વેપારી આરતી આ ખરીદી કરતા. તેઓ અગાઉથી નાણાં આપીને કોશેટા ઉછેરવાવાળા પાસેથી ખરીદી કરતા. કમ્પનીને બાર કાઠીઓ અને સંખ્યાબંધ કારખાનાં હતાં પણ રેશમ વટવા સિવાય બીજુ તેઓ કરતા નહીં. કેટલાંક કારખાનામાં પટણી રેશમમાંથી કંઈ કાપડ બનાવતા. ઝીણું રેશમની કારીગરી ઘણી ઘટી ગઇ હતી અને ઈગ્રેજી રેશમ ઉતારવામાં આવતું.
ઘણા યુરેપિયન લેકોને પણ કારખાનાં હતાં, પણ તે કમ્પનીનાં કારખનાં જેટલાં મેટાં ન હતાં; અને બજાર કમ્પનીના જ હાથમાં હતું. હિંદુસ્તાનનું રેશમ ટુંકા તાંતણાનું અને અસ્વચ્છ હતું. હિંદનું ઉત્તમ રેશમ ઉત્તમ ઈટાલિયન રેશમ જેટલી ઉંચી કીંમતે વેચાતું, પણ ઘણે ભાગે હિંદી રેશમ ઉતરતા વડનું હતું. વેપાર બધા કમ્પનીના હાથમાં હતો અને કમ્પની ઉંચું રેશમ બનાવવા માટે જોઇતી દેખરેખ રાખી શકતી ન હતી. પરદેશ ચઢાવવા માટે હિંદી રેશમની ખરીદી થતી નહીં તે માટે ચીનનું રેશમ પસંદ કરવામાં આવતું,
હિંદુસ્તાનમાં ત્રણ જાતનાં માબેરી થતાં. યુરોપવાળો ઘેળો, ચીનવાળો ઘેરે જાંબુડા રંગનો, અને હિંદુસ્તાનને ખાસ. કીડા પણ બે જાતના સ્વદેશી અને ઈટાલી અને ચીનથી વર્ષો વર્ષ લાવવામાં આવતા તે. પરદેશી કીડા ઉંચું રેશમ બનાવતા. મલબેરીની ખેતી અને કોશેટાની બનાવટ લોકોના હાથમાં હતી. કમ્પની તેમને નાણાં ધીરે અને રેશમ કે કાશેટા હાથમાં આવે તે પછી તેની કિંમત મુકરર થાય. કમ્પનીના આરતીઆને જેટલો માલ મોકલે તેને ઉપર સેંકડે રા ટકા દલાલી મળતી અને પિતાને હિસાબે પણ તેઓને ખરીદી કરવા દેવાતી. તેઓ રેશમના સારા પરીક્ષક (પારેખ) ન હતા. બંગાળાનું કાચું રેશમ વડમાં ઉતરી ગયું હતું પણ તેને જ વધારે ચઢત હતો, કારણ
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ .
કે વેપારનું બારું ખુલ્યું અને જાકાત ઓછી કરી નાંખવામાં આવી હતી. ૧૮૨ થી ૧૮૨૮ સુધી ઇગ્લાંડ ચઢતા રેશમમાં ૩૫ ટકા જેટલો વધારો ચ હતે પણ કમ્પનીની ખરીદીમાં તે માત્ર ૧૭ ટકા જેટલો જ વધારો થયો હતો.
મલબેરી અને એરડાના રોપા રેશમના કીડાને માટે બંગાળામાં વપરાતા. મલબેરીના રોપા છથી આઠ ઈચને છેટે હારબંધ રોપાતા; અને ત્રણ ફીટ ઉચા થતા. જલદી ઉત્પન્ન થાય એ લેકિન હેતુ હતો. જેથી તેમને તાત્કાલિક લાભ થાય, પણ જે તે દક્ષિણ યુરોપમાં ચાલતી રીત અંગીકાર કરે તે ફળ વધારે સારું થાય. રોપા વાવે તે પછી ચાર મહિને પાંદડા તોડવામાં આવે તે પછી દર આઠ દસ અઠવાડિયે ફરી ફાલ આવે; પહેલા વર્ષમાં ચાર ફાલ થાય, અને બીજામાં છે. એક વીઘા જેટલી જમીનમાં હમેશ ૧૦૦૦ કીડાને જોઈએ તેટલે ખોરાક ઉત્પન્ન થાય. રેશમની જાતમાં કાંતવાની ઋતુના ફેરફારને લીધે ફેર પડે. નવેમ્બર એ સારામાં સારી તુ હતી. તે વખતે શરૂ કરેલું કામ ડીસેમ્બરમાં પૂરું થાય. ચોમાસુ ખરાબમાં ખરાબ. સ્વદેશી કીડા વરસમાં ચાર વાર થતા. પરદેશી ફકત એકજવાર. કમ્પનીના આરતી આ પાર્ઘકાર મારફત નાણાં ધીરતા અને તેમની મારફત કોશેટા લાવ. ત્યાં તેમના કારખાનામાં તે કોશેટા દેશી મજુરોને હાથે વીંટાતા, તેમને દેડી પણ કારખાનાવાળાએ જ આપતા, કમ્પનીની બાર કોઠી હતી. આરતીઓ માલ પહોંચ્યા પછી વેપારસભાની મંજુરીની સરતે કિંમત મુકરર કરતા. આ આરતીઆઓ મોટા કારખાનાની દેખરેખ રાખવાને લાયક ન હતા. ૧૮૧૫ થી ૧૮૩૦ સુધીમાં કાચા રેશમની ઉપજમાં સર વધારે થયે જ અને કમ્પનીનો જથે પણ વધત. કમ્પનીએ રેશમ વીંટવાની ઇલિયન રીત દાખલ કરી હતી. વેપાર કેવળ . હતા અને ઘણું લેકે ઈગ્લેંડથી હિંદુસ્તાનમાં આવીને માથું મારતા પણ ફતેહ પામતા નહિ; પણ ફ્રાન્સનું રેશમ અને ઈટાલીનું રેશમ સારું હતું. બંગાળાના રેશમની પણ માગણી એક
Page #274
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૨૬૩
લીજ હતી પણ તે ફ્રાન્સ ઇટાલી કે હિંદુસ્તાનના રેશમ જેટલું મજબુત ને હતું. તેમજ ઈટાલીના રેશમ કરતાં તે જાતમાં પણ બહુ હલકું હતું; કારણ કે લેકે જાત કરતાં જથા ઉપર વધારે નજર રાખતા; અને ઈટાલી અને ફ્રાન્સ જેટલી કાળજી રાખતા નહીં, તેથી બંગાળાનું રેશમ વધારે અસ્વચ્છ, ગાંઠ વાળું અને વચમાંવચમાં તુટેલું આવતું.
ઉપરથી બંગાળાના રેશમના ઉદ્યોગમાં કમ્પનીના સિતેર વર્ષમાં અસલમાં શો ફેરફાર થયે હતું તે જણાઈ આવશે. સ્વતંત્ર વેપારીઓને હાથ માલ બનાવરાવવા તરફ દીલસોજી ન હતી, એટલું જ નહિ પણ તેમને કેટલીક વાર પ્રત્યક્ષ રીતે અને કેટલીકવાર કમ્પનીના આરતીઆની લાગવગથી સ્પષ્ટ પ્રતિબંધ કરવામાં આવતો. કાપડ વણવાનું તો તદન બંધ પડી ગયું હતું. જે લેકે પિતાની મુડી ઉપર કામ કરતા, અને પોતાની હાથની મહેનતથી પોતાનાજ ગામમાં અને પોતાના જ ઘરમાં માલ બનાવતા અને નફો લેતા, તેઓ હવે કમ્પનીના આશ્રિત થઈ રહ્યા. તેઓ હવે તેમને રૂ અને રેશમ આપે, અને આરતીઆ મુકરર કરે તે કિંમત લે. રાજકીય સ્વતંત્રતાની સાથે તેમની આર્થિક સ્વતંત્રતા પણ નષ્ટ થઈ, અને જે માલ પેદા કરવાનું તેમને કહેવામાં આવે તેની તેમને કિંમત અને મજુરી મળે. હજારો માણસે કમ્પનીના કારખાનાવાળાઓ ઉપર રોનો આધાર રાખીને બેસતા થયા, કારણ કે જગતની બજારે માટે પોતાની જવાબદારી ઉપર માલ બનાવતા તેઓ અટકથા કારખાનાવાળાઓને કાચા માલને ખપ હતે. લેક કા માલ પૂરો પાડવા લાગ્યા, તેથી તેમની પ્રાચીન કુશળતા તેઓ ભૂલી ગયા, અને માલ પેદા કરવાનો નફો ખોઈ બેઠા. ઇંગ્લેંડનું પ્રજાસત યુરોપ અને હિંદના વચ્ચે વેપારનો વધારો થતાં તેની નેંધ લે, કાચા માલ ત્યાંથી વધારે ચઢે, અને તૈયાર માલ ત્યાં ઉતરે; અને તેમાં હિંદની આબાદી થાય છે એવી દલીલો કરે. અમીરો અને આમની સભાન ર દૂર
Page #275
--------------------------------------------------------------------------
________________
२१४
-
પ્રકરણ ૬ હું.
આ વધતો જતો વેપાર ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના હાથમાં રહેવું જોઈએ કે ખાનગી વેપારીઓના હાથમાં, તેની તજવીજ કરવા લાગ્યા. પણ આ વધારાથી હિંદુસ્તાનના ઉદ્યમો નાશ થાય છે કે નહિ, અને ઉધમ નકે હિંદુસ્તાનને મળતું બંધ થાય છે કે નહિ તેની તજવીજ કરવાની કોઈને ચિંતા ન હતી. હિંદુસ્તાનના લોકોના આર્થિક કલ્યાણને માટે હિંદુસ્તાનનો સાળોને ઉદ્યોગ સજીવન થવાનો સંભવ છે કે નહિ તેની તજવીજ કરવાની કોઈને ઈચ્છા ન હતી.
અનાજ. હિંદુસ્તાનના ખેડુતે અજ્ઞાન અને કાળજી વિનાના છે એ ભ્રમ ઇંગ્લ. ડમાં હમેશાં ચાલે છે, પણ જે અંગ્રેજોએ ખેતીને અભ્યાસ કર્યો છે તેમણે એ
ટો વિચાર ખસેડવાને હમેશાં યત્ન કર્યો છે. ડા. વંલિક જે કલકત્તાની વનસ્પતિ શાળાના ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના સુપ્રીન્ટેન્ડેન્ટ હતા, તેઓ કોમન્સની કમિટિ રૂબરૂ નીચે પ્રમાણે કહે છે.
હિંદુસ્તાનની ખેતીના સંબધ ઘણે અંશે ગેરસમજુતી થાય છે. બંગાળની ખેતી જે કે ઘણી સાદી અને જુની છે તે પણ લોકો ધારે છે તેટલી હલકી નથી, અને મને ઘણીવાર અનુભવ થયો છે કે અકસ્માત ફેરફાર કરવાથી તેમાં કાંઈ ફાયદા થયા નથી. બંગાળામાં યુરોપનાં લોખંડનાં હળ દાખલ કરવાનો પ્રયોગ મેં જોયા છે. હેતુ તો એ હતો કે સાધારણ બંગાળી હળથી ભૂમિ બહુ ઉપર ઉપરથીજ ખેડાતી અને કંટાળો ઉપજતો તેને બદલે જલદી અને ઊંડી ખેડ કરવી. પણ પરિણામ શું આવ્યું ? જમીન અત્યંત આછી હોવાથી ખેડ કરતાં નીચેની હલકી જમીન સાથે ભેળસેળ થઈ ગઈ અને ઉલટો વળ ઉતરી ગયે. બેશક હિંદુસ્તાનની ખેતીમાં ઘણા સુધારા થઈ શકે એમ છે, પરંતુ સામાન્ય રીતે મનાય છે તેટલો બધો સુધારો કરવા જેવું નથી. દાખલા તરીકે ડાંગરને પાક. આપણે એક હજાર વર્ષ પર્યત રહીએ તોપણ ધારું છું કે તેમાં આપણાથી કંઇ સુધારો થઈ શકશે નહિ.
Page #276
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઈતિહાસ. ૨૬૫ ૧૮૩૦ની સાલ આગમજ, ઈંગ્લંડમાં ચોખા ખાંડવાનું યંત્ર નીકળતાં, બંગાળામાંથી ડાંગરનો ફોતરાં સુધાંતને નિકાસ ૧૦૦૦ ટન સુધી પહોંચી ગયે હતો. પહેલાં ડાંગર ખંડાઈને જતી અને તેમાં ઘણી માટી ભળેલી હોય અને કણકી પણ ઘણી હોય.
ઉપરના યંત્રની શોધ થયા પછી તરાં સુતી ડાંગર ચઢવા માંડી, અને ઇંગ્લંડમાં ચોખા ખેડાતા, અમેરિકાના ચોખા જેવા તે પણ સ્વચ્છ દેખાતા. જે કેલિફોર્નિયાની પેઠે હિંદુસ્તાનમાં તે પ્રમાણે સ્વચ્છ થઈ શકતા હતા. તે વધારે નિકાસ થઈ શકત; કારણકે પેતરાં સુદ્ધાંત ચઢાવવામાં તે ભાડું પણ થતું અને જગા પણ બમણી રોકાતી.
ગળી. ' આ બાબતમાં કેટલાક પુરે અન્ય વિરૂદ્ધ છે. રામસેએ જાહેર કર્યું કે ગળીના ખેડુતો જેઓ ઈંગ્રેજ બગીચાવાળાઓની મજુરી કરે છે તેમની સ્થિતિ સાધારણ રૈયત કરતાં નબળી છે. યુરોપીયન માલીકે તેમને તેઓ પોતે જ જે. ટલી ગળી વાવે તેના કરતાં વધારે જમીનમાં ગળી વાવવાની ફરજ પાડે છે. અને તેવી રીતે તે ખેડુતોને પિતાની મરજી પ્રમાણે પિતાની જમીન વાવવાના હકમાં તેઓ વચમાં આવે છે. બીજા સાક્ષિઓએ તેના વિરૂદ્ધ પુરાવા આવે, પણ ૧૮૬૦ સુધી બંગાળાની સ્થિતિ જેમણે જોયેલી તેઓ રામસેની હકીકત ખરી હતી એમ તરત કહી શકશે.
યુરોપિયન વેપારીઓ આગળથી નાણાં ભરે અને ખેડુતો મુકરર કરેલી ગળી–અમુક દરથી આપવા બંધાય. જે બગીચાવાળા જુલમી હોય તે ખેડુને કોર્ટ સિવાય બીજે કંઈજ શરણ નહિ, અને ત્યાં તેનું સાંભળવાનો સંભવ બહુજ થડે. ઘણું કરીને બંગાળાના નીચાણના ભાગમાં જુલમ બહુ થાય છે કે જ્યાં ઘણા યુરોપિયન અને સંકર જાતિઓએ વસવાટ કર્યો છે. .
Page #277
--------------------------------------------------------------------------
________________
- કેટલાક સ્વદેશી ખેતી કરનારાને ત્યાં પણ કારખાનાં હતાં, પણ તેમની મળી યુરોપિયનની ગળી જેવી નીકળતી નહિ હવે સ્વદેશી ગળીને જો વધ. વા માંડ્યો હતો. ૧૫૦૦ યુરોપિયનો ગળીના ધંધામાં કામે લાગ્યા હતા. તેઓ યુરોપમાંથી કંઈ મુડી લાવેલા નહિ કલકત્તામાં દેશીઓ પાસેથી અથવા કમ્પનીના યુરોપીઅન નેકરે પાસેથી કે બીજા આરતીઓ પાસેથી વ્યાજે લેતા, અને તે વડે કારખાનાં ઉભાં કરતા. કોઈ મુડીવાળો વેપારી ગળીનું કારખાનું કાઢવા હિંદુસ્તાનમાં ગયાનો એક પણ દાખલે જાણ્યું નથી. '
હિંદુસ્તાનમાંથી ગળીનો નીકાસ ૧૭૮૦ થી શરૂ થયો, અને ચાળીશ વર્ષમાં એટલે બધે વધી ગયો હતો કે બીજી બધી તરેહની ગળી બંધ થઈ ગઈ. ધાકાથી દિલ્હી સુધી ગળીનું વાવેતર ચાલતું અને તેવું લાખ રતલ ગળા પરદેશ ચઢતી. બ્રિટીશ વેપારીઓ વર્ષે દહાડે જમીનના દરના અને મજુરોની દાડીના મેળ લાખ એંશી હજાર ૧૬૮૦૦૦૦ પ. આપતા. કલકત્તે આવતાં ગળીની કિંમત ૨૪૩૦૦૦ પં. થતી અને ઇંગ્લંડમાં તેની ૩૬૦૦૦૦૦ પિ. થતી. બંગાળામાં ત્રણસેથી ચારોં કારખાનાં હતાં તે જેસર, કૃષ્ણનગર અને તિતમાં, ગંગા નદીથી રેલાતી જમીન સારામાં સારી ગણાતી. ડીક ગળી મદ્રાસ અને મુંબઈમાં પણ પેદા થતી. ઘણે ભાગે વેપારીઓ કલકત્તાની પેઢી એમાંથી દસબાર ટકાના વ્યાજથી નાણાં કાઢતા અને પિતાની મીલકત ઘરેણે મૂક્તા. જોખમ વધારે હોવાથી વ્યાજ ઉંચું હતું. સ્વદેશી ખેડુતો પણ યુપિયન રીતનું અનુકરણ કરવા લાગ્યા હતા. ગળીના બનાવટ અને નિકાસ તે કાંઈ યુરોપિયનથી શરૂ થયેલાં ન હતાં, ગળી તે એક રંગ તરીકે પૂર્વમાં ઘણાં વર્ષથી જાણીતી હતી, અને હિંદુસ્તાનની બહાર ઘણું ચઢતી.
ગળી બનાવવાની પ્રાચીન રીત અપૂર્ણ હતી. ૧૮૧૯ થી ઇસ્ટ ઇન્ડિયા કર્મની યુરેપિયનને નાણાં ધીરીને તેમની પાસે ગળી બનાવરાવતી અને એને ઉઠંડફલતી. ગળીને વેપારની એકદમ આબાદી થ્રવાનું કારણ
Page #278
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૨૬૭ સેંટ ડોમિંગ જ્યાંથી ફેન્ચ રેવોલ્યુશન પહેલાં આખી દુનિયામાં ગળાં . પહોચતી તેનો નાશ થશે, અને ત્યાંની કાળી પ્રજા નષ્ટ થયા પછી ત્યાં એક રતલ પણ ગળી થતી નહિ, તે હતું.
ખાંડ, દક્ષિણના ઘણા ભાગોમાં શેલડીને પાક ઉતરતે. તેને પાણી પાવાની જરૂર હતી. ખાંડ તૈયાર કરવાની હિંદુસ્તાનની રીત ઘણી સાદી. તેમના અંગો અપૂર્ણ અને સુધારાને અવકાશ ઘણો. શેલડી વાવવાની કપાસ અને ગળીની પેઠે પૂર્ણ સ્વતંત્રતા હતી. અમેરિકાનાં વેસ્ટ ઈન્ડિયન યંત્ર દાખલ કર્યો, પણ તેનાથી હિંદુસ્તાનના સાદા સાંચામાંથી જેટલો રસ નીકળતો એટલે નીકળવા ન માંડ્યો અને સટોરીઆઓને નુકસાન થયું. બે યુરોપિયન મલબારમાં મોટા સટ્ટામાં પડ્યા હતા; અને બન્નેએ પાછળથી તે યોજના છોડી દીધી. ગંજમમાં શેલડીનું વાવેતર કરવાનું વિચાર ૧૭૯ ૬ થી ૧૮૦૩ સુધીમાં કર્યો હતો, પણ તેનું ફળ અસંતોષકારક એવ્યું
- યુરેપિયનની નજર જેટલી ગળીના ઉપર હતી તેટલી શેલડી ઉપર ન હતી. તેઓ બજાણ્યાંથી શેલડી લેતા અથવા ખેડુતને અગાઉથી નાણું આપીને ખરીદતા. વેસ્ટ ઇન્ડિસમાં જે સાંચા વપરાતા તેના કરતા અહીંના સાંચા હલકા પ્રકારના હતા. અને અહીં શેલડીનાં મોટાં વાવેતર થતાં ન હતાં. અહીંની શેલડી પણ ત્યાંની શેલડી કરતાં હલકા દરની હતી. બંગાળાતી શેલડી વેસ્ટ, ઇન્ડિસના જેવી જ હતી. ખાસ તજવીજ પછી થોડી ઉંચી ખાંડ પણ પેદા થતી, પણ તેનું ખરચ એટલું ભારે અવતું કે પિસારું થાય નહિ. બંગાળાની ખાંડની કિંમત ઉપર ૧૨૦ એટલે બેઠેલ ખરચ ઉપર ર૦૦ ટકા જેટલી જકાત નાંખવામાં આવી હતી.
શેલડીને લાયક જમીન હિંદુસ્તાનમાં પુષ્કળ છે, પણ પેદા કરવાની રીત બહુજ અપૂર્ણ છે. શેલડી પસંદ કરવામાં વધારે વિવેક વપરાય, રસ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પ્રકરણ : હું
કાઢવામાં અને રસની ખાંડ બનાવવામાં જરા કસ વધારે કઢાય તો માગણી વધે. કમ્પનીને બનારસમાં એક ખાંડનું કારખાનું હતું. આરતીઆઓ મુલકમાંથી શેલડી ખરીદ કરી આવતા પણ હાલમાં ખાંડની આયાત બંધ કરવાનો હુકમ કાઢવામાં આવ્યા છે.
તમાકુ, રંગ, સુરોખાર, બુનદાણા અને ચાહ, હિંદુસ્તાનની તમાકુ અમેરિકાની તમાકુના પ્રમાણમાં ત્રીજા ભાગની પણ સારી નથી. કારણકે તેને વાવવામાં અને તૈયાર કરવામાં ચતુરાઈની ખામી છે, બી પસંદ કરવામાં બહુ વધારે ધ્યાન આપવું જોઇએ, તેમજ જમીને પસંદ કરવામાં નીંદવામાં, લણવામાં, તૈયાર કરવામાં જૂડા બાંધવામાં પણ હિંદુસ્તાન અમેરિકાની સાથે હરીફાઈ કરી શકે તેમ નથી; પણ જે વધારે કુશળતા, વાપરવામાં આવે અને કંઈક મુડી વધારે નખાય તે હિંદુસ્તાનની તમાકુની માગણી ઘણી થાય.
યુરોપિયન તમાકુને વેપાર કરતા નહિ, અને મુલકી વેપારમાં તેમને હાથ ઘાલવા દેતા નહિ. મુંબઇના ઉત્તર પ્રાંતોમાં તમાકુની ખેતી બહુ હતા. ત્યાંની તમાકુ બહુ ઉંચા વડની થાય છે. તેનો એક જ ઈંગ્લેંડ આવેલો તેની કિંમત અમેરિકાની તમાકુ કરતાં વધારે ઉપજી હતી, પણ પ્રયાગ ખાતર મેકલાવેલી તમાકુ સરાસરી કેળવવામાં ખામીવાળી નીવડી. બંગાળા અને મુંબઇથી જે તમાકુ ઈગ્લેંડ ગઈ તે નિષ્ફળ નીવડી. ગુજરાતની તમાકુની જમીન બહુખી અને સારી છે. મદ્રાસમાં કેઇમતુરની તમાકુ બહુ કિંમતી છે.
તમાકુને સ્વદેશી નામ નથી, તેથી તે હિંદુસ્તાનને સ્વદેશી છોડ નથી, પણ હિંદુસ્તાનમાં પુરાણું વખતથી વવાય છે. તેની ખેતી બહુ ઓછી છે અને ઘણું કરીને ઘરના ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે. હિંદુસ્તાનમાં ગોળ, મશાલ અને ફળના મિશ્રણ સાથે તે વપરાય છે. બહુ ઉંચી જમીનમાં એક
Page #280
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ
૨૬૮
રની ૬૦ રતલ નીપજે છે. સરાસરી જમીનમાં લીલી તમાકુ ૮૦ રતલ નીપજે તો બહુ ઠીક ગણાય. સામાન્ય રીતે હિંદી તમાકુ ખરાબ ગણાય છે. પણ તેમાં સુધારો થઈ શકે તેમ છે. ઉત્તર સિરકારની તમાકુની મસલીપટનમાં છીંકણી થાય છે તે ઇંગ્લંડમાં બહુ વખણાય છે. બંગાળામાં ભાગલપુરમાં હવાનાની ઉત્તમ તમાકુ ઉગાડવામાં આવી હતી.
લાખના રંગ ઘણું જથામાં વિલાયત ચઢાવાતા. ગુંદરની અંદર જીવડું અથવા ઈંડુ હોય તેનો રંગ થાય. રંગના રજકણે જુદા પાડી તેમાંથી રંગ બનાવાય, અને ગુંદરની લાખ જુદી પડે. લાલ રંગનાં કાપડ કરવામાં આ રંગ વપરાતો. પણ બહુ સારો રંગ કરવામાં તે વપરાતો નહિ. લાખ-લાખ તરીકે કામ આવતી.
જીવડાં દક્ષિણમાં મદ્રાસમાં એકઠાં કરાતાં, અને મેકિસકોના પ્રમાણમાં હલકા દરજ્જાનાં હતાં. આની કિંમત ૧૮૨૦ પછી ચોથા ભાગની ઉતરી ગઈ હતી. આ ફેરફાર લાખના રંગથી થયો હશે. બંગાળામાંથી આ જીવડાં ચઢાવાતાં નહિ.
ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીએ ૧૮૧૪ માં સુરોખાર ૧૪૦૦૦ હંદવેટ બંગાળામાંથી બ્લડ ચઢાવ્યો હતો. પણ ૧૮૩૨ માં માત્ર ૩૭૩૦૦ હદરટ ચઢાવ્યો હતો. ખાનગી વેપારીઓ ચઢાવવા લાગ્યા તેથી એની કિંમત એટલી હલકી પડી ગઈ કે પછી ખાતર તરીકે ઉપયોગમાં લેવાવા માંડ્યો ૧૮૧૪ માં તેની કિંમત ૮ શી. ૪ પેન્સ ફંદરવેટ દીઠ હતી. ૧૮૭૨ માં માત્ર ૩૨ શ. હતી. ૧૮૧૪ પહેલાં કમ્પનીને તે વેપારમાં ફાયદો હતો. તે પછી નફો મળતો બંધ થઈ ગયો.
૧૮૨૩ પછીજ બુદાણાની ખેતી પુષ્કળ થવા માંડી તે પછી સરકારે બુદાણાની ખેતી કરવાની રજા આપી અને વાવવાવાળાઓને જમીનને લાંબો પટો આપે. આવી રીતની મહેરબાની બીજા કોઈ ખેડુત ઉપર સરકારે
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૦
કરેલી ન હતી. બંગાળામાં બુદાણાના વાવેતરની ૪૦૦૦ એકર જમીન હતી. બેંગલોરના બુનદાણ ઘણું સારા હતા, અને જે કે ચોખા જેવો તે નહિ તે પણ તેને પ્રચાર વધતો હતો. આર્કટમાં બુન વાવવાને પ્રયોગ નિષ્ફળ ગયો તેજ પ્રમાણે ગંજામમાં કોકે વાવવાનો. બંગાળાને તાપ બુન માટે બહુ આકરો ગણાયો પણ કોઈમટુરમાં બુદાણાને પાક બહુ સારે ઉતર્યો.
હજી સુધી ચાહની ખેતી દાખલ થઈ ન હતી. પણ ડોકટર વાલિકે આ વખતે હિંદુસ્તાનના ડુંગરી ભાગોમાં ચાહાનું વાવેતર કરવામાં બહુ ફાયદે ભળવાનો સંભવ છે એ બાબત એક નિબંધ રજુ કર્યો હતો તેમાંથી કેટલાક ઉતારા નીચે આવ્યા છે.
ચીનમાં ૨૭ થી તે ૩૦ અક્ષાંશની વચમાં ચાહનું વાવેતર થાય છે તેજ પ્રમાણે દક્ષિણમાં કેન્ટનના દરીઆ કીનારાની નજીક પણ થાય છે. - મામ કાળો ચાહ ત્યાંથી તૈયાર થાય છે.
પનાન્સમાં મિ. બ્રાઉને તે ટાપુની હવામાં ચાહનો છોડ ઠીક રહ્યું હતું તેથી દેરાઇને ચાહ ઊગાડવાનો પ્રયોગ કર્યો હત; એકંદર છોડ ઠીક ઉગ્યા. પણ જ્યારે લણવાનો વખત આવ્યો ત્યારે એમ માલુમ પડ્યું કે ચહા બહુ નબળા વડની નીવડી. - જાવામાં પણ એવા પ્રયોગો ઘણા કર્યા, નિષ્ફળ ગયા અને પાછળથી છોડી દેવામાં આવ્યા. તે જ પ્રમાણે ડચ સરકારે સિલોનના કેટલાક ભાગોમાં પ્રેગો કરેલા પણ તે વધારે ફતેહમદ થયા હતા.
વીશ વર્ષ ઉપર એ જનેરમાં ચાલુ વાવેતર શરૂ કર્યું હતું. પણ તે પાક સુગંધમાં એ તે ખરાબ નીવડે કે પાછળથી મૂકી દેવું પડ હતે. બ્રાઝીલમાં ઉગાડેલે ચહા જેવાનું મને મળ્યું હતું, પણ તેને સ્વાદ અત્યંત ખરાબ લાગ્યો.
Page #282
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક પ્રતિહાસ.
૨૦૧
હિંદુસ્તાનમાં એવા પ્રદેશ છે કે જે ચઢાના પ્રદેશાની સાથે મળતા આવે છે. તેથી ઉંચામાં ઉંચી ચીનાઇ ચહા જેવી ઉંચી ચાહ ત્યાં ઉત્પન્ન થઇ શકરો એમાં શંકા રહે તેવું નથી. કુમાએન, ગઢવા અને સિલરમેારના મુલકમાં ચીન અને જપાનમાં જ્યાં પુષ્કળ ચહા તૈયાર થાય છે તેવી જમીન છે.
મેં જોયું છે કે કેમેલીયાની એક જાત નેપાલમાં ઉગે છે. ૧૮૧૮માં તેને હેવાલ આપતાં મે... બતાવ્યુ` હતુ` કે ખટમ ડુના એક બગીચામાં ચાહના છેડ બહુ આબાદ જણાયા હતા, ને દશ પીટ ઉંચા વધેલા, અને વર્ષના છેલ્લા ચાર મહીનામાં તેના ઉપર પુષ્કળ ફૂલકુળ બેઠેલાં હતાં. કેટલાક વર્ષ પછી હું ત્યાં ગયા ત્યારે મેં તે છેડ પાછે જોયા અને તે વખતે મને ખબર મળી કે તેનું ખી ગુરખા સરકાર દર ત્રીજે વર્ષે ચીનમાં એલચીએ મેાકલે છે એમાંના એકાદા એલચી ખાતાએ પૈકીગમાંથી આણેલુ હતુ.
આ બધા મળતા સંયોગા આપણે ધ્યાનમાં લઇએ તે જો રીતસર ગઢવણુ કરવામાં આવે અને સારી દેખરેખ હાય તા ચેાડા વખતમાં ચહાના ખેડનુ ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના મુલકમાં પુષ્કળ વાવેતર થવા સભવ છે. અને તેમ થાય તા સુધરેલી જીંદગીની એક મોટામાં મેાટી પ્રજાના સબંધમાં આપણે આપખુદી પ્રજાના તાર ઉપર જે અત્યારે આધાર રાખીને બેઠા છીએ તેમાંથી મુક્ત થઇ શકીએ.’
ડા. વાલિકને આ પત્ર ૧૮૩૨ ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખનેા હતેા અને આ ગૃહસ્થને ચાના ઉદ્યાગના એક મેાટા આચાર્ય જેવા ગણાય. એશક ગુરખા એલચીએ જે નેપાળમાં ચહા લઇ આવ્યા તેમને 3. વેલિફ ઉપરજ મૂકવા જોઇએ.
સોનુ, લેખ‘ૐ અને તાંબુ.
નીલગીરીમાં સેાનું માલુમ પડયુ હતુ તે શુદ્ધ જણાયુ હતુ અને પર્વેતૃની ખીણમાં વાઇનાડના જીલ્લામાંથી કેટલાક જથા એકઠા પશુ કર્યાં હતા.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રકરણ કહ્યું.
લેખંડ હિંદુસ્તાનના ઘણા ભાગોમાં હતું. રામનામાં બ્રિટિશ અથવા સ્વીડીશ લોખંડના કરતાં તેને ભાવ ઉંચે આવતે. તે બહુજ નરમ હતું. પણ તૈયાર કરેલું હિંદનું લેખંડ વિલાયતી લોખંડ કરતાં ઉતરતું નીવડતું કારણ કે માલ તૈયાર કરવામાં કુચ બહુ પડતો હતો, એટલે તૈયાર કરવાની રીતમાં ફેર હતો. બંગાળામાં બર્દવાનની પડોશમાં ઊંચું લોખંડ માલમ પડતું હતું. પણ મદ્રાસના કીનારા તરફ જે મળતું તે તેના કરતાં ઊંચું હતું. તેની ગજવેલ કરવામાં મુશ્કેલી પડતી પણ જ્યારે બનતી ત્યારે ગજવેલ બહુ ઊંચા પ્રકારની બનતી. મિ. હીથે મદ્રાસ આગળ એક લેખંડનું કારખાનું કાઢયું હતું. તેણે યુરોપિયન સાંચા આપ્યા હતા અને
જ્યાં સુધી કમ્પનીને પટો ચાલે ત્યાં સુધી તેને અનન્યાધિકાર આપવામાં આવ્યો હતા. આ લોખંડ બીજા કોઈ સ્વદેશી લોખંડ કરતાં ઉંચું હતું એટલું જ નહિ પણ સ્વીડિશ લોખંડ કરતાં પણ ઉંચું હતું. કચ્છનું લોખંડ ખાસ કરીને ઊંચું હતું. ત્યાં તે જમીન ઉપર પડેલું જણાતું. ટોપલીઓમાં તે વીણીને એક કરવામાં આવતું અને કાલસામાં પકવવામાં આવતું. આખા હિંદુસ્તાનમાં સારામાં સારી ગજવેલ કચ્છમાં બનતી, અને તેમાંથી તલવાર બસ્તર વિગેરે બનતાં. હિંદુસ્તાનના વાયવ્ય પ્રાંતમાં તાંબુ જડી આવતું.
કેલર્સ અને સાગવાન. બંગાળામાં બર્ડવાનમાં કોલસાની મોટી ખાણ હતી. અને ૧૮૩૨ માં વર્ષે દહાડે ૧૪૦૦૦ થી ૧૫૦૦૦ ટન કોલસો કાઢવામાં આવતો. આ ખાણો ઉપયોગમાં લેવાની શરૂવાત ૧૮૧૪ થી થઈ પણ વિશાળ કારખાનાં ૧૮૨૫ થી ચાલવા માંડયાં. સપાટીથી ૯૦ ફીટ નીચે આશરે નવ ફીટનો થર જણાય હતું. અને મહિને ૬ શિલિંગથી આઠ શિલિંગની દાડીથી બેથી ત્રણ હજાર ભાણસે કામે લાગ્યાં હતાં, કેલસ ઘણે ભાગે અંજીનમાં વપરાતો. સિંગાપુર તેજ
Page #284
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક તિહાસ,
ઉપયોગ માટે ચઢાવાતાં, અને ઇંટા પકવવામાં કામે લાગતા. પુ દેલખંડમાં પણ કાલસા માલમ પડશે। હતા, અને કચ્છમાં પુષ્કળ
૨૭૩
કચ્છના કાલસે એન્જીન માટે સારા નહતા. મુંબઇમાં વિલાયતી કાલસે સસ્તા પડતા. બહૂઁવાનનેા કાલસા હિંદુસ્તાનમાં સહુથી સારા હતા, અને કલકત્તામાં તે તેજ વપરાતા. યુોલના દસ આના એની કિ`મત હતી. લોખંડ પકવવામાં તે વિલાયતી કાલસા જેટલા સારા ગણાતા ન હતા. શ્રેષ્ઠ વિલાયતી કાલસા અને શ્રેષ્ઠ બંગાળાના કાલસા, એ વચ્ચે સરસાનું પ્રમાણ ૫ અને ૩ તુ હતુ.
હિંદુસ્તાનનાં જંગલોમાં જગતમાં જેટલાં સાગવાન લાકડાં થાય છે તેટલાં અથવા તેને ઠેકાણે કામ આવે તેવાં થાય છે. મુખ્ય જાત, શેગુણુ, શાલ, સિસમ, તુન, નીરૂલ, આંખેા-સાલ ધર અને વહાણ બાંધવામાં વપરાતું, અને લશ્કરી કામમાં ઉપયાગમાં આવતું પણ ખરાબ અને ખરચાળ વહીવટથી શાલ સિસમ અને વાંસ ઉતરી ગયા હતા. પાઇન અને એક પણ પુષ્કળ હતાં. હિંદુસ્તાનનાં સાગવાનને પરદેશ સાથે વેપાર થઇ શકે એમ છે.
અફીણ અને મીડું.
આ બે બાબતામાં ઇસ્ટ ઇન્ડિયા કમ્પની જે અત્યારે હિંદુસ્તાનની સરકાર જેમ અનધિકાર રાખે છે તેમ તે વખતે પણ રાખી રહી હતી. હાલ્ટ મેકેન્ઝી જેમને પુરાવા ૧૮૩૨ માં લેવાયા હતા તે કહે છે કે અણુ અને મીઠાને પાક ઉપજને માટે લેવાય છે, વેપારને માટે નહિ. મારા અભિપ્રાય એવા છે. આ બન્ને ચીજોના સંબંધમાં સૂચવેલા ફેરફારામાં એક પણ એવે નથી કે જેથી ઉપજને નુકસાન ન થાય. મીઠાના પાકમાં હું નથી ધારતા કે જકાત નાંખવાથી આપણે અત્યારે જાહેર વેચાણથી જે ઉપજ મેળવીએ છીએ તે ઉપજ આપણને મળી શકે.
18
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૪
પ્રકરણ ૬ હું.
'
અફીણમાંથી પણ આપણને માટી ઉપજ મળે છે; અને ખરચના પ્રમાણમાં વેચાણ એટલે ઉંચે ભાવે થાય છે કે હું નથી ધારો કે તેટલે ન આપણને બીજી કોઈ રીતે મળી શકે. અને જે કે વેપારની દષ્ટિએ જોતાં આ રીતની સામે ઘણુ વાંધા છે તે પણ ઉપજની જરૂર તે બધા વાંધા સામી તળવા જેવી છે, અને મારો મત એવો છે કે બીજી કોઈ રીતે તેટલી જ ઉપજ આપણને મળી શકે તેમ નથી.
ઉપસંહાર.
આ ઉપરથી જણાશે કે ૧૮૩૦-૩૨ ની તજવીજ દરમીયાન જે પુરાવો એકઠા કરવામાં આવ્યા છે તે તે વખતની આપણી ઔદ્યોગિક સ્થિતિ બતાવવા માટે બહુ કિંમતી છે. ૧૮૦૦ અને ૧૮૧૫ ની વચ્ચેની સ્થિતિ માટે મિ. બુકાનનો પુરાવે એટલેજ કિંમતી છે; પણ પાર્લામેન્ટને પુરાવો છે. બુકનનની તજવીજ કરતાં બહુ અધુરે છે. લોર્ડસ અને કોમન્સની કમિટીને તે ઈગ્રેજી મુડી જેમાં રોકાયેલી હતી અથવા રોકાવાને સંભવ હતા, તેવા ઉદ્યોગ સંબંધે તજવીજ કરવાની જરૂર હતી. હિંદુસ્તાનના ગરીબ લોક જેમાંથી રોજી કમાતા હતા તે ધંધા, જેવા કે કડીયા સુતારનાં કામ, પથર વડવાને, વહાણ બાંધવાને, ઘરનો સરસામાન બનાવવાનો, તાંબા પીતળનાં વાસણે બનાવવા, લોખંડકામને, સોના રૂપાના કામને, રંગવાને, ચામડા કેળવવાને, અને હિંદુસ્તાનના ગગડી પડતા વણવા કાંતવાના વધાઓ; તે સંબંધે આ કમિટીને કંઈ લેવાદેવા નહતી.
પડેલા પુરાવા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ખેતીવાડીની બાબતમાં ઇગ્રેજો આપણને કંઈ શીખવી શકે તેમ નહતું. પણ અનાજને સાફ કરવામાં અને ખાંડવાની બાબતમાં, કાંતવા વણવાની બાબતમાં, ગાળી, તમાકુ અને ખાંડ તૈયાર કરવાની બાબતમાં, બુનવાણું અને ચાહે ઉગાડવામાં, લોખંડ ઘડવામાં
Page #286
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
ર૭પ
કેસા અને સોનાની ખાણોના ઉદ્યોગોમાં, મતલબ જે બધાને સાંચાકામ ઉપર આધાર હોય તે બધા ધન્ધાઓના સંબંધમાં ૧૪૩૦ માં યુરોપે વધારે પૂર્ણ રીતે દાખલ કરેલી હતી. જે આપણી સરકાર આપણી પ્રજાનાજ લાલ તરફ નજર રાખીને કામ કરતી હોય તે હિંદુસ્તાનના સ્વાભાવિક કૌશલ્યવાળા લકામાં તેમણે આ ઉંચી રીત દાખલ કરી હત, આપણા પિતાના વખતમાં જાપાનમાં દાખલ થયેલી આપણે પોતે જોઈ તેમ. પણ એક પરદેશી, પિતાના લાભ માટે મન્થન કરતા વેપારી અને હરીફ બંધાધારીઓ પાસે આવી આશા રાખવી એ ફેકટ હતું. ઉલટું એનાથી ઉલટી જ નીતિ, હિંદુસ્તાનના માલને બદલે પિતાને માલ દાખલ કરવાની નીતિ અંગિકાર કરવામાં આવી હતી. ૧૮૩રની પાર્લમેન્ટની તજવીજ પછી તરતજ મોન્ટગોમરિ માર્ટિન લખે છે કે
આપણું લેભ અને ક્વાર્થીપણાથી જે લેકેને નુકસાન થયું છે તેમને કંઈ લાભ આપવાને માટે આ બધી બાબતની ખબર પડ્યા પછી ઈäછે કંઈ પગલાં લીધાં છે ? કંઇજ નહિ ઉલટું આપણા વેપારના સૂર સાથેના અમલ નીચે આવેલી આ કમનસીબ પ્રજાને વધારે દરિદ્ર કરવા માટે જેટલું બની શકે તેટલું આપણે કર્યું છે. આ પુસ્તક ઉપરથી સુતર કાંતવા વણવાથી નિર્વાહ ચલાવનારા લોકોની સંખ્યા કેટલી છે તે જણાઈ આવશે. અપ્રતિબંધ વ્યાપાર ”ને બહાને ઈંગ્લંડે હિંદુઓને લેન્કેશીયર યોર્કશાયર અને ગ્લાસગોની વરાળથી ચાલતી સાળોનો માલ, નામની જકાત નાંખીને લેવાની ફરજ પાડી છે. અને બંગાળા અને બહારનો હાથકારીગરીને માલ-સુંદર, સારો અને ટકાઉ, તેના ઉપર વિલાયત ઉતરતાં પ્રતિબંધક જકાતે નાખવામાં આવી છે !
કેમન્સની કમિટિએ હોલ્ટ કેઝીને સવાલ કરેલે કે જે ભાગમાં બ્રિટિશ લોકોની વધારેમાં વધારે સંખ્યા જોવામાં આવે છે ત્યાં લેકમાં વિલાયતી રીતભાત, વિલાયતી શોખ અને વિલાયતી ટેવોમાં વધારે થયેલો
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૬
પ્રકરણ } છું.
જોવામાં આવે છે ? હાલ્ટ મેકેન્ઝિ જવાબ દે છે કે કલકત્તા ઉપરથી જોતાં તે તેવા વધારા થયેલા છે. એમાં કાંઇ શક નથી કે વિલાયતી મેાજશેખની ચીજેમાં મીઠાશ માણવા તરફ લેાકેાનુ ં વલણ સ્પષ્ટ દેખાય છે. તેમનાં ધરામાં સારા શણગાર દાખલ થઇ ગયા છે, ઘણા ધડીઆળેા રાખે છે, ગાડીઓને શાખ વધતા જાય છે અને દારૂ પીએ છે, એમ સર્વ માને છે.
હિંદુસ્તાનમાં પશ્ચિમના સુધારાના પ્રચારમાં આ અર્થગર્ભ પુરાવેા સાંભ ળીને ઇંગ્લેંડના ગ ંભીર અને પૂજ્ય કૅામનર્સના ચહેરા ઉપર આસુર સાષને આનન્દ ફેલાઇ રહ્યા હશે !
પરદેશી વેપાર.
સન ૧૮૧૩ માં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને મુલકી હિસાબ વેપારી હીસાબથી જુદો રાખવાના એક કાયદો કરવામાં આવ્યા હતા. તેમાં
મુલકી હીસાબમાં લશ્કરી ખરચ (૨) વહીવટ અને વેપારી તેાકરાનું ખરચ (૩) હિંદુસ્તાનના કરજના વ્યાજનું ખરચ એ ત્રણને સમાવેશ કર્વાના વેપારી નક્ા જે આવે તેમાંથી હુંડીમણુનું ખરચ અને ખીજા કરજ પેટે વસુલ આપવું, અને કમ્પનીનું વ્યાજ અને ઇન્ડિયાનું અને વિલાયતનુ કરજ આપવુ : આવે! બંદોબસ્ત કર્યાં હતા.
૧૮૧૩ થી ૧૮૨૮ સુધી મુલકી ઉપજ નીચે પ્રમાણે હતી.
અંગાળા
£
૧૯૬, ૧૨૧, ૯૮૩,
મદ્રાસ
૮૨ ૦૪૨ ૯૬૭.
મુંબઇ
૩૦ ૯૮૬ ૮૭૦.
અયેાધ્યા અને ખીજા તાબાના પ્રાંતા ૧૯૩૧ ૪૮૦.
કુલ. ૩૧૧૦, ૮૩, ૩૦૦,
.
Page #288
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
२७७
આ ઉપરથી મુલકી ઉપજની સરાસરી વાર્ષિક બે કરોડ પાઉન્ડની આવે છે. આ મુલકી ઉપજમાંથી વિલાયતનું ખર્ચ સરાસરી ૧૬૯૩૪૭ર સાળ લાખ તાણુ` હજાર ચારસે મ્હોતેર પાઉન્ડનું આવે છે; અને કુલ મુલકી ઉપજ અને મુલકી ખર્ચના હિસાબમાં £ ૧૨૨૭૩૪૩ પાઉન્ડને તા દેખાય છે. પંદર વર્ષના આ અરસામાં મુલકી કરજ ત્રણ કરોડથી વધીને સુડતાળીસ કરોડ થયું છે. નીચેના કાઠાના આંકડા ઉપરથી તે કરજના વધારાની ગતિ સમજાઈ જશે.
£
સ. ૧૭૯૨
૧૮૦૯
૧૮૧૪
૧૮૨૯
',
,,
..
,,
..
૯૧૪૨૭૨૦
૩૦૮૧૨૪૪૧
૩૦૯૧૯૬૨૦
૪૭૨૫૫૩૯૪
વેસલી અને હેસ્ટિંગ્સની યુદ્ધપ્રધાન કાર્કીર્દિમાં કરજ ધણું થયલું છે. વેપારી ઉપજના વધારા હિંદુસ્તાનનું અને બીજું દસ્તાવેજી કરજ આપવામાં વાપરવાને હતા. પણ આ નક્ા જે પ્રથમ દશ લાખ પાઉન્ડ સુધી પહાંચતા હતા તે જેમ જેમ કમ્પનીને મુલક વધતા ગયા તેમ એછે થતા ગયા અને આખરે ૧૯૨૮-૩૦ માં ૩૦૦૦ થી ૪૨૦૦ પાઉન્ડ જેટલા થઇ ગયા હતા. ૧૮૨૪ પછી કમ્પની હિંદુસ્તાન તરફ્ માલ ચઢાવતી બંધ થઈ હતી. માત્ર લશ્કરી અને રાજ્યનીતિના સંબધમાંને ક ંઇક સામાન ચઢાવતી. હિંદુસ્તાનના વેપાર બંધ કરવાનું કારણ એ હતુ` કે ત્યાંથી કાંઇ બદલામાં લે એવી ચીજ મળી શકતી ન હતી. હિંદુસ્તાનના ઉદ્યાગેા નષ્ટ થયા હતા, અને હિંદુસ્તાનમાં કાચુ રેશમ, કાંઇક રેશમી કાપડ અને ગળા સિવાય બીજી કષ્ટજ વિલાયત ચઢી શકે તેવું ન હતું. ગળીની ખરિદી કલકત્તામાંથી થતી, રેશમ વગેરે પોતાનાં કારખાનામાં તૈયાર થતું હતુ; અને રેશમી કાપડ સાળવી લેાકેા પાસેથી અગાઉ નાણાં ભરીને તૈયાર કરાવાતા હતા. હિંદુસ્તાનની ખાંડ પણ વિલાયત તરફ્ ચઢતી બંધ થઇ હતી, આમ ક્રમે ક્રમે ઉતરતા
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૮
પ્રકરણ ૬ ઠું.
આવેલે વેપાર ૧૮૩૩ માં કમ્પનીને પટે તાજે થયો તે વખતે કેવળ નષ્ટ થઈ ગયા હતા.
ફમ્પનીને વેપાર જેમ જેમ કમી થતા ગયા તેમ તેમ ખાનગી વેપારીઓના હાથમાં જતે ગયે. સને ૧૮૧૩ માં ખાનગી વેપારીઓને માટે હિંદનો વેપાર ખુલ્લું મુકાયો હતો. તે પછી પંદર વર્ષના અરસામાં કમ્પનીના વેપારની વાર્ષિક સરાસરી ૧૮૮૨૭૧૮ ની હતી ત્યારે ખાનગી વેપારીઓની ૫૪૫૧૪૫૨ ની આવે છે એટલે કમ્પનીના કરતાં ખાનગી વેપારીઓને વેપાર ત્રણ ગણે થયો એટલે ખાનગી વેપારીઓ વેપાર ચલાવવાને કમ્પની કરતાં વધારે લાયક નીવડ્યા. પણ કમ્પનીના વેપારનો ક્ષયજ વધતો ચાલ્યો. ૧૮૧૩ કલકત્તથી વીસ લાખ પાઉન્ડનો સુતરાઉ માલ ચઢયો હતો; ૧૮૩૦ માં કલકત્તેથી વીસ લાખ પાઉન્ડનો સુતરાઉ માલ વિલાયત ઉતર્યો. ૧૮૨૩ માં પહેલું બ્રિટિશ સુતર ઈન્ડિયામાં આવ્યું.૧૮૨૪ માં ૧૨૧૦૦૦ પાઉન્ડનું અને ૧૮૨૮માં તે તે ૪૦૦૦૦૦૦૦ ચાળીસ લાખ સુધી પહોંચી ગયું. ઊનનો માલ, તાંબુ, સીસું, લોખંડ, કાચ, અને માટીને સામાન પણ વિલાયતથી ચઢતે હતો. હિંદુસ્તાનમાં વિલાયતી માલ ઉપર ૨ ટકાની નામની જકાત હતી, અને વિલાયત સારૂ હિંદુસ્તાનને માલ જે ચઢે તો તેના ઉપર કિંમતના ૪૦૦ ટકા સુધી પહોંચેલી પ્રતિબંધક જકાત નાંખવામાં આવી હતી. નીચેના કેઠામાં તે પ્રતિબંધક જકાતને ફેડ આપવામાં આવેલ છે. | કિંમત ઉપર ટકા.
૧૮૧૨ નેતરકામ-શણગારનું. [ ૭૧ મઝલીન.
૨૭ [ ૩૭ કેલીકો. | ૭૧ | ક | ૧૦
માલ.
૧૮૨૪
૧૮૩૨
૫૦
Page #290
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઈતિહાસ.
२७८
| ૧૮૨૪ [ ૧૮૩૨
માલ બીજો સુતરાઉ માલ. બકરાના ઊનની સાલે. લાખોટેલો સામાન.
૧૮૧૨ ૨૭ ૭૧ ૭૧
સાદડી.
રેશમ કાચું.
પા. શિ. પે. | ૨-૧૩-૪ કિંમત ઉ૪ શિલિંગ ૧ પેની રતલ પર અને તે ઉપરાંત ર- રતલ ઉપર. ઉપર. તલ ઉપર ૪ શિલિંગ.]
રેશમી માલ.
પ્રતિબંધ.
પ્રતિબંધ. | ૨૦ ટકા
[કિંમત ઉપર
દફાટી અથવા બીજોઆન વિા નકસી માલ.
પ્રતિબંધ.
| પ્રતિબંધ. | ૩૦ ટકા
| કિંમત ઉપર.
રેશમનો બીજો માલ. |
પ્રતિબંધ.
| પ્રતિબંધ. | ૨૦ ટકા
કિંમત ઉપર
પા. શિ.
] પા. શિ. ' પા. શિ. ખાંડ ખરચ ૧ હદવેટી ૧-૧૩ ઉંદરનેટ ઉપર, ૩-૩ સુંદર ૧-૧૨. ઉંદર ને ૧ પાઉન્ડ,
વિટ ઉપર. રવેટ ઉપર.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રકરણ ૬ ઠું.
માલ.
૧૮૧૨
અર્ક.
૧૮૨૪ ૧૮૩૨ ૧ શિ. ૮ પેગેલન દીઠીર શિ. ૧પ. ૧૫ શિલિંગ ઉપરાંત ૧૯ શિ. ૧૫. ઉપરાંત ૧૭ ગેલન. એકસાઈજ જકાત. શી. રૂપેન્સ
એિકસાઈજ.
1.
1 ૨૦ ટકા,
૧૬ શિ. ૧૧ પેન્સ | ૬ ટકા. સે પાઉન્ડ ઉપર.
આ અન્યાયી અને અસાધારણ જકાત માટે હાઉસ ઓફ કોમન્સને અરજીઓ કરવામાં આવી હતી પણ કેણ સાંભળે ? ખંડ અને અર્ક ઉપરની જકાત સંબંધી અરજી ઉપર તો ૪૦૦ યુરોપિયન અને ઈન્ડિયન વેપારીઓની સહીઓ હતી; સુતરાઉ અને રેશમી કાપડ ઉપરની જકાતના સંબંધમાં એક અરજી ઘણું આબરૂદાર વેપારીઓની સહીની હતી, પણ બધું નિષ્ફળ છે.
નીચેના કોઠા ઉપરથી આ જકાતની હિંદુસ્તાનના વેપાર ઉપર શી અસર થઈ તે જણાશે.
સાળ અને સાલ. સુતર.
રેશમી સુતરાઉ
સાળોટી, ગળી પેટી. માલ.
માલ.
માલ. |
રેશમ.
૧૮૦૦
૧૨૮૧૧
૯૯૨૮
૧૮૦૧ ૧૮૨ /
૨૦૭૨ ૧૪૮૧૭ |
૮૮૬૪
Page #292
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૨૮૧
૧૮૦૩ |
૨૪૨૦૩૬૪૯ | ૧૨૩૨
૧૨૯૬૮
१८०४
| -૬૩૧ | ૧૯૨૬
૧૮૩૩૯
૨૪૫૩
૧૩૨૭,
૧૩૪૮૬
૭૩૧૫
૧૭૫૪૨
૧૮૦૭
૩૭૧૭
૧૯૪૫ર
૧૮ ૦૮
૨૦૧૬
१९१२२
૧૮૦૯
૪૦૭૮૧
૧૦૪
૧૧૨૪
૮૮૫ર
૧૮૧૦ |
૩૪૭૭ | ૧૧૬૭
૧૪૯
૧૩૨૬૪
૧૮૧૧ ,
૧૬૦ |
૯૫૫
૧૪૩૬૫
૧૮૧૨ |
-
૧૪૭૧
૧૩૭૦ ૩
૧૮૧૩
૧૧૭૦૫
૫૫૭
૨૬૬૭૨
૧૮૧૪
૨૧૫૮૭
૯૧૯ | ૧૭૮૬
૧૬૫૪૪
૧૭૨૮
૩૮૪૨
૨૦૯૬
૨૬૨૨૧
૮૫૦૨૪
૨૭૧૧
૮૮૮૪
૧૫૭૪૦
૧૮૧૭
૫૦૧૭૬ | ૧૯૦૪
૨૨૬૦
૧૫૫૮૪
૧૮૧૮ | ૧૨૭૧૨૪
૬૬૬ | ૨૦૬૬
૧૩૦૪
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રકરણ કર્યું.
૩૦૬૮૩
LI ૬૯૯૮ માં
૪૬૮ |
૧૬ ૬૭૦
૧૨૯૩૯
૩૧૮૬
૬૮૦૫
૧૨૫૨૬
૫૪૧૫
૨૧૩૦
૬૯૭૭
૧૨૬૩૫
૬૫૪૪] ૧૬૬૮
૭૮૯૩
૧૯૭૫૧
૧૮૨૩
૧૧૭૧૩ | ૧૩૫૪
૬૩૫૭ |
૧૫૮૭૮
૧૮૨૪
૧૨૪૧૫] ૧૩૩૭
७०६८
૧૧૦૫ ૧૭૬૦૭
૨૨૪૭૨
૧૮૨૫
૧૫૮૦૦ / ૧૮૭૮ | | ૮૦૬૧ ૧૫૫૮ ૩૪૯૧
२१८३७
૧૫૧૦૧ | ૧૨૫૩ [ ૬૮૫૬
૧૪૮૦૪
૭૩૫
૫૪૧ | ૭૭૧૯
૩૦૭૬૧
૧૮૨૮
૪૧ ૦૫ 1
૭૩૬ ૧૦૪૩૧
૫૫૦ ૧૫૩૭૯ |
૧૯૦૪૧
૧૮૨૯
૪૩૩ | ઉ૦૦૦ |
'!
- | ૮૨૫૧
| ર૭૦૦૦
ઉપરના આંકડા ઉપરથી જણાશે કે યુરોપીયન વેપારીને ગળીના માલ વધવા માંડયો. કાચા રેશમને માલ ચઢતે કાયમ રહ્યા, પણ રેશમન પાકે માલ ગગડી પડયે. રૂની રવાનગી પણ ગગડવા માંડી, પણ સુતરનું પડ અત્યંત ગગડી ગયું. ઓગણીસમા સૈકાનાં પહેલાં ચાર વર્ષોમાં બધા પ્રતિબંધ છતાં કલકત્તાથી ઈંગ્લંડ ઉપર પંદર હજાર ધોકડાં ચઢતાં હતાં. પણ ૧૮૧૩ થી આ આંકડા ગગડવા માંડયા. વળી ખાનગી વેપારીઓને માટે વેપાર
Page #294
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. २६३ ખુલ્લું મુકાયાથી વળી આંકડા ચઢવા લાગ્યા, પણ તે થોડો વખત જ ચાલ્યું. ૧૮૨૦ પછી સૂતરાઉ માલને ધંધો અને વિલાયતનું ચઢાણ ક્રમે ક્રમે ઉતરવા માંડયું તે પાછું વધવા પામ્યું નહિ. તે જ પ્રમાણે અમેરિકા, ડેન્માર્ક, સ્પેન, પોર્ટુગલ, મોરિશ્યસ અને એશિયાનાં બીજાં બજારોમાં હિંદુસ્તાનનું સુતરાઉ કાપડ ચઢતું તેના આંકડા પણ ગગડવા લાગ્યા. અમેરિકામાં જ્યારે ૧૮૦૧ માં ૧૩૬૩૩ ધેકડાં મોકલ્યાં હતાં, ત્યારે ૧૮૨૯માં ૨૫૮ ધોકડાં થઈ ગયાં. ડેન્માર્ક ૧૮૦૦ માં ૧૪૫૭ કડાં લેતું હતું, તેના ૧૮૨૦માં ૧૫૦ધકડાં થઈ ગયા. પોર્ટુગલ ૧૭૮૯ માં ૧૭૧૪ કડાં લેતું હતું, તે ૧૮૨૫ પછી એક હજારથી વધારે કદી લેતું નહીં. અને ૧૮૧૦ અને ૧૮૨૦ના ગાળામાં અરેબિયા અને ઇરાની અખાતનો વેપાર જ્યારે ચારથી સાત હજાર ધોકડાં સુધી પહોંચ્યો હતો તે ૧૮૨૫ પછી બે હજાર ઉપર ચઢજ નહિ.
બીજી તરફ જેમ હિંદુસ્તાનને ઉગ પડી ભાગ્યો, તેમ વિલાયતી અને બીજા દેશનો પરચુરણ માલ વધારે ને વધારે આવવા માંડ્યો. નીચેના આંકડા ઉપરથી તે જણાઈ આવશે.
મદ્રાસ ઈલાકામાં આવેલા પરદેશી સામાનની યાદી.
૧૮૨૪] ૧૮૨૫
૧૮૨૮
૧૮૩૦
LI
+
+
૩૫ર.
૩૭૨
+
+
३४८
+
+
૫૯૮
૨૨૪
| ૯T ૫૩૬
૫૮ |
૭૪ [ ૧૧૨૧
+
+
Page #295
--------------------------------------------------------------------------
________________
૪
+
+
+
+
+
+
+
+
૧૮૧ ૯૨૦ ૧૧૫૯
અનાત
તાકા.
૩૧
૧૮૧૩ ૩૩૮૧
+
૧૮૧૪ ૪૬૩૫
૧૮૧૫ ૩૯૦૨
૧૮૧૬ ૩૭.૭
૧૮૧૭ ૨૩૫૫
૧૮૧૮ ૫૬૩૩
+
૬૧૪
૮૩૫ ૨૧૭૬ ૯૧૫
સુતર
પૈાંડ.
...
:
...
:
પ્રકરણ .
...
૬૩૭
...
+
૬૦૧
૭૫૪ ૧૧૧૫
:
...
૯૧૫ ૧૩૧૦
...
કલકત્તા મારફત બંગાળામાં ઉતરેલા બ્રિટિશ અને પરદેશીમાલ,
કાટન | મ્યુલ ટ્વી
વર્ષ.
ટ્વીસ્ટ.
સ્ટ.
:
૧૯૩
:
...
+
:
...
૪૮૧
...
8.0
:
...
...
...
૮૧૩
...
૬૪૪
૧૪૧૭
૪૦૯
૫૮૧
૮૪૪
સુતરાઉ તાકા.
...
:
...
...
૫૭૪
...
૧૩૬
૧૧૫૮
૪૭૬
૩૬૫
૪૫૭
દારૂ.
૫૨૨૫૩
૫૦૨૦૧
૫૪૬૨
૫૬૪૧૧
૧૩૧૫૭
૩૬૭૧૨
Page #296
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઈતિહાસ,
૨૮૫
૧૮૧૮ | ૯૨૪૪
૨૯૮૮
૧૮૨૦, ૫૫૪૬
૨૬૦૪૮
૧૮૨૧ | ૭૫૦
૩૦૩૮
૧૮૨૨ | ૫૧૦૮
૪૬૨૩૫
૧૮૨૩ | ૭૩૪૬
૧૮૨૪ ૫૪૦૧
૪૩૦૩૦
૩૦૧૨૯ ૨૨૪૩૯ ૧૪૨૨૩
૧૮૨૫ ૧૩૯૮૧
૧૫૮૦૭૬
૧૮૨૬] ૪૬૨૯ |
••
૧૭૮૪૮૧
૫૦૫૮.
૮૦૫૯૫
૧૮૨૭ ૫૪૩૦ ૮૨૭૩૮ ૪૩૨૮૩ર૩૪ રહ૬૧૦૭ ૧૮૨૮ | ૭૬૯ ૪૯૦૭૧૪૨૩૪૬૪૭ ૨૭૫૮૩૭ ૧૮૨૮૧૧૮૩૮ | ૯૮૧૫૪૩૯૮૮૩૧૧૮૬૪૬ ૧e૭૨૯૦
૪૧૧૪૨ ૩૧૩૧૧
૧૮૧૩ માં કેમન્સની કમિટિ રૂબરૂ પુરાવો આપતાં ટૅમસમાએ હિંદુસ્તાનની શાળોને બદલે વિલાયતી શાલે દાખલ થઇ શકે -એ સવાલ હસી કહાડે હતો. ૧૮૨૪ માં જ્યારે તે મદ્રાસને ગવર્નર હતો, ત્યારે યુરોપિયન શાલે હિંદુસ્તાનમાં ઉતરતી જોઈ અને હિંદુસ્તાનના માલને બદલે મસ્લીન બનાત અને બીજો ઉનનો માલ દાખલ થતા જોઈ તે ઘણું આશ્ચર્ય થયું હેવું જોઈએ.
૧૮૩૦ માં સરજેન મકમ-મુંબઈના ગવર્નર તેમને પણ હિંદુસ્તા
Page #297
--------------------------------------------------------------------------
________________
Let
પ્રકરણ ૬ કે.
નની કારીગરીના નાશ અને હિંદુસ્તાનના લેકાની વધતી જ્તી દરિદ્રતા જોઇને બહુ ચિંતા થઇ હતી.
66
ગ્રેટબ્રિટનને કાચા માલ માટે પરરાજ્ય ઉપર આધાર રાખવા પડે છે તે મટાડી તેવા ભાલ હિંદુસ્તાનમાંથીજ મળી શકે એવી સ્થિતિ સંપાદન કર્વાની બહુ જરૂર છે; કારણ કે તેવા કાચા માલ ઉપર ગ્રેટબ્રિટનનાં ઘણા કિંમતીમાં કિ ંમતી કારખાનાંઓને આધાર છે. આ બાબત ઉપર કાર્ટ ઓફ ડિરે ફૅટરેાનુ ધ્યાન ખેંચાયલુ' અમારા જોવામાં આવે છે.
મારે ઉમેરવુ જોઇએ કે, રેશમ જેવી ચીજોનેા ઉદ્યોગ દાખલ કરવાથી, રૂની જાત સુધારવાથી અને ખાંડ સાફ કરવાના ઉદ્યોગમાં તેડુ મેળવવાના યત્ના કરવાથી આપણે આપણા દેશના હૃદયને કઇંક સત્ય આપી શકીશુ. અને આપણા મહેાળા મુલકનાં સાધને નભાવી શકીશું. દાણાદ્ગુણી સિવાયની ઉપર ગણાય તેવી ઉંચી પેદાશોને ઉત્તેજન આપવાથી, વ્યાપારને સજીવન ફર્વાથી, અને શ્રીમંત અને હૅત્સાહી રૈયતને અંદરના ભાગેામાં વસવાની અથવા ધંધા કરવાની લાલચ આપવાથી આપણા દેશને આપણે સત્વ આપી શકીશું અને આપણી ઉપજ ઉધરાવી શકીશું. આપણા રાજ્ય અને અમલ નીચે રહેતી દેશી રૈયતમાં બુદ્ધિ કે સત્વ એમાંથી એકેની ખામી નથી, પણ તે બહાર કડુાડવાની જરૂર છે. આપણે આપણી પોતાની વિભૂતિ આપણી સત્તા નીચે રહેતી પ્રજાના અભ્યુદયની સાથે કેવી રીતે જોડવી તે સમજીએ છીએ, અને તે સારૂં આપણું વિશાળ નીતિ, ઉત્સાહ અને પ્રવૃત્તિ હાથ ધરવાની જરૂર છે. સર જાન માલ્કમને પણ એટલી સમજણ ન પડી કે જે તાબાના દેશના રાજ્યકર્તાઓની નીતિ-પેાતાના દેશના ઉદ્યાગાને માટે જોઇતા કાચા માલ પૂરા પાડવા સારૂ તે દેશના ઉપયાગ કરવાને હાય તે દેશની આબાદી કાષ્ઠ દિવસ થઇ શકે નહિ. હિંદુસ્તાનમાં હાથ ધરાયેલી આ નીતિના સ ંબંધમાં ઇંગ્લેંડના જાહેર રાજ્યપુરુષો અથવા લેખકા કંઇ પણ ખેાલતા વા બળતા નહિ. રીકાર્ડ વગેરે
Page #298
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
મોટા મેટા અર્થશાસ્ત્રવેત્તાઓને પણ આ સમ્બન્ધમાં ક ંઇજ ખાલવાનું નહતું. કર્નલેાસ વિરૂદ્ધ લડત ચલાવનારા અગ્રેસર-જેમણે ઇંગ્લેન્ડના જમીનદારે વિરૂદ્ધ કૃતેહ સાથે લડત ચલાવી ઈંગ્લેંડના મજુર વર્ગ માટે રોટલા સસ્તા કર્યાં, તેઓ પણ હિંદુસ્તાનના લાખા સાળવી અને બીજા કારીગરાને રોટલે ખુ’ચાવી લેનાર આ રાજ્યનીતિ સામે કઇજ ખેલ્યા નથી. કોબ્ડન અને બ્રાઈટ કાનલાસની વિરૂદ્ધ લડત ચલાવી તેહ મેળવી સર રાખઢે પીલે તે કાયદા રદ કરી લાકને સપ્તે અને ન્યાયપુરઃસર હોવાથી વધારે મીઠે લાગે તેવા રોટલે! સંપાદન કરી આપ્યો; પણ આપણા દેશના કારીગરીના રોટલા ઉપર હજી અન્યાય ચેપડેલા છે, અને કોઇ પણ રાજપુરુષે તે સવાલ હાથ ધર્યાં નથી; હિંદુસ્તાનના પાયમાલ થયેલા હુન્નરોનુ રક્ષણ કરવા, કેળવવા અને સજીવન કરવાના ઉદ્યાગ કર્યો નથી.
રાહ
કૃષ્ણ યુરોપ ખડના બીજા ભાગના અર્થશાસ્ત્રીએ આ બાબતમાં વધારે ન્યાયી વિચાર બાંધી શકયા હતા, અને છૂટથી ખેાલતા હતા; ૧૮૪૪ માં જર્મનીમાં લખાયલા અર્થશાસ્ત્રના એક મોટા ગ્રંથમાં આ બાબતનું નીચે પ્રમાણે વિવેચન કર્યું છે.
જો ઈંગ્રેજોએ હિ ંદુસ્તાનના સુતરાઉ અને રેશમી માલનું નિર્ષોંધ આગમન મંજીર રાખ્યું હત તે ઇંગ્રેજનાં સુતર અને રેશમનાં તમામ કારખાનાં તરત જ અવશ્યમેવ બંધ થયાં હેાત. હિંદુસ્તાનને સસ્તી મજુરી અને કાચા માલનું સાન્નિધ્ય એ એ લાભા તેા હતા જ અને તેની સાથે સેંકડા વર્ષને અનુભવ અને કુશળતાને પણ તેને સરંગીન લાભ હતા. નિર્બોધ હરીફ્રાઇની પદ્ધતિમાં આવા લાભાની અસર જણાયા વિના કદી રહે નહિ.
પણ પાકા માલ બનાવવાના ઉદ્યાગમાં હિંદુસ્તાનથી હલકી સ્થિતિમાં રહેવા માટે ઇંગ્લÝ એશિયામાં મુલક કર્યાં નહાતા. અને વ્યાપારી અધિષ્ઠાતાપણ... જોઇતું હતુ; અને તે બરાબર સમજાતું હતું કે નિર્ભ્રાધ હરીા
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પ્રકરણ ૬ ડું.
વાળા બે દેશોમાં જે દેશ કાચો માલ પુરો પાડે તે હમેશાં તાબામાં રહે અને જે પાકો માલ તૈયાર કરે તે સર્વોપરિ થાય. ઉત્તર અમેરિકાનાં સંસ્થાનમાં ઈગ્લડે આ ધોરણે કામ લેતાં તે સંસ્થાનોમાં એક ઘોડાની નાળ સરખી પણ ચીજ બનવા દીધેલી નહિ, એટલું જ નહિ પણ ત્યાંની એક નાળ પણ ઇંગ્લંડમાં ઉતરવા દીધી નહિ. એવી કેમ આશા રાખી શકાય કે પિતાની ભવિષ્યની મહત્તાના પાયા રૂપ પોતાના માલની બજાર હિંદુઓ જેવા સંખ્યાબંધ, કરકસરીઆ,અનુભવી અને માલ બનાવવાની પ્રાચીન રીતિઓમાં પૂર્ણતા પામેલા લેકના તાબામાં રહેવા દે !
તેથી ઈંગ્લ જે માલ પોતાનાં કારખાનાંમાં બનતો તે-એટલે સુતર અને રેશમનાં કાપડ-હિંદુસ્તાનમાંથી ઇંગ્લેંડ આવતાં બંધ કર્યા. આ બાધ પૂર્ણ અને અચૂક હતો. આ સુંદર અને સસ્ત માલ તેને બીલકુલ જોઈએ નહિ, અને પોતાને હલકો અને વધારે મે માલ વાપરવાનું તેણે પસંદ કર્યું હતું, પરંતુ યુરોપની પ્રજાને હલકી કિંમતે હિંદુસ્તાનને સુંદર માલ પુરો પાડવામાં અને તે સસ્તાપણાને લાભ યુરોપના લોકોને રાજી થઈને આપવામાં તેને હરકત નહતી.
આમ કરવામાં ઈંગ્લડ મૂર્ખાઈ કરતું હતું ? એડસ્મિથ, અને સે, વગે૨ના સિદ્ધાન્ત પ્રમાણે તો બેશક જ. કારણ કે તે પ્રમાણે તો ઈંગ્લંડે જે જોઈએ તે સસ્તામાં સસ્તી બજારમાંથી જ લેવું જોઈતું હતું. પોતાને માટે જે માલ બીજે ઠેકાણેથી સસ્ત મળે તેવા માલના પોતે વધારે પૈસા ખરચવા અને સસ્તાપણાને તમામ લાભ બીજાને આપી દેવા તે મૂર્ખાઈ જ છે.
અમારા સિદ્ધાન્ત પ્રમાણે ઉલટોજ પ્રકાર છે. આ સિદ્ધાન્તને અમેં “પેદાશની સત્તા ” એવું નામ આપીએ છીએ; અને આજ સિદ્ધાન્ત અંગ્રેજ પ્રધાનમંડળે શાસ્ત્રસિદ્ધ કર્યા વિના પણ વ્યવહારમાં હિંદુસ્તાનની સાથેના સંબંધમાં–કાચો માલ ઉતારવા અને કાપડ ચઢાવવું-એ નીતિ સ્વીકારમાંગ્રહણ કર્યા હતા.
Page #300
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઈતિહાસ. ૨૮૯ ઈગ્રેજ પ્રધાનમંડળને હલકી કિંમતને નશ્વર માલ સંપાદન કરવાની દરકાર ન હતી પણ વધારે કિંમત આપીને “માલ તૈયાર કરવાની સત્તા ” સંપાદન કરવાની જરૂર હતી.
ઉપરથી જણાશે કે બ્રિટિશ અર્થશાસ્ત્રીઓ નિબંધ વ્યાપારની નીતિની હિમાયત ઘણા વખતથી કરતા આવતા હતા છતાં બ્રિટિશ પ્રજાએ હિંદુસ્તાનની “માલ પકવવાની સત્તા 'ને નાશ કર્યા પછી અને પિતાની તેવી સત્તા ઉછેર્યા પછી જ તે નીતિ સ્વીકારી. તે પછી બ્રિટિશ પ્રજા નિબંધ વ્યાપારી બની અને બીજી પ્રજાઓને તે નિબંધ વ્યાપાર સ્વીકારવાને આમંત્રણ કર્યો. બીજી પ્રજાઓ તેમજ બ્રિટિશ સંસ્થાને પિતાને સ્વાર્થ વધારે સારી રીતે સમજતાં હતાં, તેઓ અત્યારે પિતાની સત્તા ” રક્ષક નીતિ (Protection) નીતિથી ઉછેરે છે પણ હિંદુસ્તાનની તે સત્તા પ્રથમ બાધક નીતિથી નષ્ટ કરવામાં આવી છે, અને તેનું સંજીવન થતું અટકે તેવી રીતે તેના ઉપર નિબંધ વ્યાપારની નીતિની ફરજ પાડવામાં આવી છે.
મુલકી વેપાર નહેર અને રે.
૧૮૧૩-૧૮૩૫. પાછલા સૈકામાંથી ચાલી આવેલા ચીલાને લીધે મુલકી વેપાર હજી મંદજ હતે. અત્રે યાદ કરવું જોઈએ કે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ મુલકી વેપારને જે જકાતો લાગુ હતી તેમાંથી પિતાના વેપારને બાતલ કરવાની મહેરબાની મેળવી આપણા દેશમાં પિતાને પાયો રોપ્યો હતે. આપણે એ પણ યાદ કરવું જોઈએ કે બંગાળામાં જ્યારે કમ્પનીના નેકરોએ પિતાના ખાનગી વિપારને માટે આ હક માગ્યો ત્યારે નવાબ મીર કાસીમે ઉદારતાના તોરમાં તમામ ચલાવેરો એકદમ બંધ કર્યો; અને આ ઉદારતાને લીધે તેણે પિતાની ગાદી એઈ. અને આખરે જ્યારે ૧૭૬૫ માં ઇસ્ટ ઇન્ડિયા કમ્પની બંગાળાની
19.
Page #301
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ કું.
ધણી થઇ તે વખતે નવાબ મીર કાસીમનું અનુકરણ કરીને મુલકી વેપારને કચરી નાંખતા આ ચીલાવેરે। કાઢી નાખી વેપારને મુક્ત કરવાની કમ્પનીને તક મળી. પણ આ વેરાથી થેાડી પણ ઉપજ આવતી હતી; અને ઇસ્ક્ર ઇન્ડિયા કમ્પની જરા પણ ઉપજ ખાવાને તૈયાર ન હતી.
२८०
ચીલાવેરે બ્રિટિશ અમલ નીચે પ્રથમ કરતાં વધારે જુલમી થયા. કારણ કમ્પનીની સત્તા વધારે ઘેરી સ્વચ્છંદી અને નિઃસ દેહ હતી, અને ચેકી ઉપરના દરેક હલકા પગારના મહેતાને વધારે જુલમ કરવાનાં સાધન આપનારી હતી. આ અનિષ્ટતા ૬૦ વર્ષ સુધી વધતી ચાલી, પણ આખરે ૧૮૨૫ માં હાલ્ટમેકેન્ઝીએ તે વેરા પેાતાની નાપસંદગી જાહેર કરી. તેઓ લખે છે કે,
“કેટલીક ચીજોને દસ દસ ચેાકીઓમાંથી પસાર થવું પડે છે. અને આ દેસની મુખ્ય પેદાશમાંની કોઇ પણ ચીજ એવી નથી કે જેની વારંવાર આ કારણથી અટકાયત નહિ થતી હોય. એમ માનીએ કે આ ચેકીમાં કઇ અટકાયત થતી નથી તેમ કાંઇ પૈસા કાઢવા પડતા નથી તેપણુ દેશના વ્યાપારને આથી ઘણી અટકાયત થાય છે, કારણકે ચાકીરૂપી દીવાલવાળા દેશેા વચ્ચે, ૫ થી ૭ ટકા જેટલી સરકારી જકાત અને લાવવા લઇજવા વગેરે વાણિજ્યના ખીર્જા ખર્ચે- તે બધાં પાસાઈ શકે તેટલા ભાવના ફેર ન ઢાય તો, વેપાર સ ંભવી શકે જ નહિ. બીજી આથી ભાવના સ્વાભાવિક ફેરફારમાં વધારા થાય છે અને ઉપલેાગ બિલના ધારણ વિરૂદ્ધ, જે લોકોને ઉપભાગને માટેજ, જકાત બાદ કરતાં પણુ, સહુથી વધારે આપવું પડે છે, તેમના ઉપર આ વેરે। પડેછે. “ વળી સરકારી જકાતમાં જ્યારે આપણા ચાકીવાળાનાં પાનસેાપારી ઉમેરીએ ત્યારે આપણને ખાત્રી થાય છે કે થોડી મુડીથી ચાલતા તમામ વેપાંર્ અટકતાજ હાવા જોઇએ. શ્રીમંત વેપારીને ભારે પાનસેાપારી આપવામાં અડચણ આવે નહિ; કારણ કે તેના જથાબંધ વેપારના પ્રમાણમાં ખર્ચ પાસાણ જેટલું જ આવે, અને તેની પાતાની
Page #302
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
૨૯૧
પ્રતિષ્ઠાને લીધે તેની પાસેથી જુલમી પાનસોપારી લેવાય પણ નહીં. પણ નાના વેપારીને તે સહેજ સાજ પાનસોપારીમાં પણ તેના સાહસને નફો હજમ થઈ જાય, અને તેની પાસે વિવેકથી પાન સોપારી લેવાશે તેને માટે કંઈપણ ખાત્રી નહીં.” “અત્યાર સુધી ઈગ્લંડમાં સત્તાધીશેનું તેમજ વ્યાપારી મંડળનું ચિત્ત યુનાઇટેડ કિંગડમના માલને માટે બજાર શોધવામાં જ રોકાયું હોય એમ જણાય છે. તેથી તેમણે હિંદુસ્તાનના આયાત વેપાર ઉપર નિકાસ વેપાર કરતાં વધારે નજર રાખી જણાય છે. ૧૮૧૦ ના નવમાં ધારાથી જે જકાત નાંખવામાં આવી હતી તેથી ઇગ્લેંડથી અહીં આવતો કેટલોક માલ બંધ થઈ ગયો છે, અને નિકાસમાં ગળી, કપાસ, ઉન, અને શણુએટલાને નિબંધ કર્યો છે, તે પણ હું ધારૂછું કે ઈન્ડિયાના હિત કરતાં ઇગ્લેંડના હિત માટે.
કલકત્તાના વેપારની ચીજો ઉપર કાળજીથી વિચાર કરતાં મને એમ જણાયું છે કે મુલકી વેપાર ઉપરનો વેરો લાંબા નુકસાન વિના આપણે કાઢી શકીશું, જે આપણી પશ્ચિમની સીમા ઉપર મીઠા ઉપર જે કર નાંખવામાં આવ્યા છે તે કાયમ રાખીએ તે.
“ આયાત નિકાસ જકાતમાં કોઈ ફેરફાર કર્યા વિના-જે આપણે મુલકી વેરો કાઢી નાંખીએ તે ૩૭ લાખનું નુકસાન થાય છે અને મીઠાને વેરે કાયમ રાખીએ તે બાવીસ લાખનું હું ધારું છું. આ તમામ નુકસાન દરીઆઈ વેપાર ઉપર નવી જકાત તરતમાં નાંખવાથી પુરી શકાશે નહીં, પણ કેટલાક તે ખાડે નિશ્ચયથી પુરી શકાય; અને આ સૂચનાથી વેપાર વધશે, અને ખરચ ઓછું થશે તેથી સરવાળે નુકશાન નહીં આવે એમ હું ધારું છું.”
પણ હૅલ્ટમેડેન્ઝીનું કહેવું કેઇએ સાંભળ્યું નહીં. ઇસ્ટ ઇન્ડિયા કમ્પની હિંદુસ્તાનના વેપારની આબાદી માટે બાવીસ લાખનું પણ નુકશાન તરતને માટે કે નહીં. હિંદુસ્તાનના લેકની આબાદી માટે અમને ઘણી ચિંતા છે એમ હેડેથી કહેતાં છતાં એક પાઈનું પણ નુકશાન ખમવાને કમ્પા
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પ્રકરણ છે હું.
તૈયાર થાય નહીં. જે મુલકી જકાત રદ કરવાનું કમ્પનીના જ હાથમાં હોય તે તેમના અમલ દરમીયાન તે કદી પણ રદ થઈ ન હોત.
પણ સદ્દભાગ્ય કમ્પનીના પોતાનાજ નાકરેએ ફરજ પાડી. કમ્પનીએ પિતાના મોટામાં મોટા અને સારામાં સારા ગવર્નર-જનરલ લોર્ડવિલ્યિમ બેન્કિને મોકલ્યા. તેમણે સરચાર્લ્સ વેલ્યનને આ ચીલા વેરાના સંબંધમાં તપાસ કરવા ઉપર નીમ્યા. વેલ્યને એક પ્રખ્યાત રિપોર્ટમાં તે રીતનાં અનિષ્ટો દયાવિના ખુલ્લાં ક્ય. તેમાં બતાવ્યું હતું કે બંગાળાના નવાબના વખત કરતાં આ વખતમાં આ ચીલા વેરાનાં દુ:ખોમાં વધારો થયો છે. ચોકીદારના પગાર એટલા હલકા છે કે તેઓ પાન સેપારી વિના નથી શકે જ નહીં. તેને લીધે તમામ પેદાશ મરી ગઈ છે અને મુલકી વેપાર પક્ષાઘાતમાં પડેલો છે. મુસાફરોને હેરાન કરવામાં આવે છે અને ચેકીએથી પસાર થતી સ્ત્રીઓની આબરૂ પણ નિર્ભય નથી; અને જુલમની આ વિશાળ પદ્ધતિ નજીવી ઉપજ માટે દેશમાં રાખવામાં આવી છે. લેવિલ્યમ બેન્કિ વેલ્યનનો રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો અને મુલકી વેપાર ઉપરની જકાતના બાર વગાડ્યા.
ઈગ્લેંડમાં લેડ એલનબરોએ આ રિપોર્ટ ઉપાડી લીધો અને ૧૮૩૫ માં આ રીતની અનિષ્ટતા વજનદાર ભાષામાં ઈસ્ટ ઈન્ડિયા કમ્પની આગળ રજુ કરી લખ્યું કે –
“ઇગ્લેંડના સુતરાઉ માલ ઉપર હિંદુસ્તાનમાં ફક્ત રાા ટકા જકાત લેવાય છે, ત્યારે હિંદુસ્તાનના માલ ઉપર નીચે પ્રમાણે જકાતે લેવાય છે. કાચા રૂ ઉપર
૫ ટકા સુતર છે
૭ , કાપડ ઉપર
અને જે પરવાને સફેત કાપડનો લઈને પછી તેને રંગવામાં આવ્યું હોય તે બીજા
૨ ,
Page #304
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૨૯૩ ~ ~~~ ~
~ ~ આમ એકંદર હિંદુસ્તાનને હિંદુસ્તાનમાં જ સુતર-કાપડ ઉપર ૧૭ ટકા દાણ લેવાય છે.
વગર કેળવેલાં ચામડાં ઉપર પાંચ ટકા જકાત છે તેને કેળવીને તૈયાર કરે ત્યારે બીજા પાંચ ટકા, અને જ્યારે તેના જોડા બને ત્યારે બીજા પાંચ ટકા; આમ હિંદુસ્તાનમાં ચામડાના માલ ઉપર હિંદુસ્તાનમાંજ વપરાય છતાં ૧૫ ટકા જેટલું દાણ છે.
અને એમની પિતાની ખાંડ ? શહેરમાં આવે ત્યારે ૫ ટકાનું દાણ અને પાંચ ટકા પાછી તે ઉપર જકાત અને જે ગામમાંથી બહાર જાય ત્યાં પાછા પ ટકા આમ હિંદુસ્તાનની ખાંડ હિંદુસ્તાનમાં જ વપરાય ત્યાં પણ ૧૫ ટકાનું દાણ લેવાય છે.
આમ કંઈ થેડીને ઘણી ૨૩૫ ચીજે ઉપર દેશદાણ છે. એમના પિતાના ઘરના વપરાશમાં આવતી દરેક ચીજ ઉપર દાણ છે અને તે તથા જડતી લેવાની રીતથી ઉપજમાં કંઈપણ વધારે ન થતાં લોકને ઘણી હેરાનગતી અને દુઃખ છે. જડતીની સત્તાને જે દરેક ધણી અમલ કરે તો તેના વિલંબથીજ માત્ર દરેક તરેહનો વેપાર પડી ભાગે પણ જબરાઈથી નાણું કઢાવવાં હેય ત્યારે જ તેને અમલ કરવામાં આવે છે.
આપણે આપણી સત્તાથી કરેડ માણસને મુલકી વેપારમાં પૂર્ણ સ્વતંત્રતા આપી શકીએ છીએ. હું ધારું છું કે આ પ્રાતના લોકો ઉંઘમી છે, જમીન ફલકૂપ છે, નૈકાને સંચાર થઈ શકે તેવી નદી તેના એક છેડાથી બીજા છેડા સુધી આવેલી છે; અને નિષ્પક્ષપાત કાયદાઓથી તેમના માલનું રક્ષણ થાય છે. તે, જો સરકાર પોતાની રાજ્યનીતિ ઊંચા પ્રકારની રાખે તે જગતની કોઈ પણ પ્રજા કરતાં બંગાળાના લેકોને આબાદીનાં વધારે સાધને મળી શકે.”
પણ લેર્ડ એલનબરોને કોણ સાંભળે ? અધિષ્ઠાત્રી સભાએ જવાબ દીધો કે આ બાબતની અનિષ્ટતાઓ હિંદુસ્તાનની સરકાર સમજે છે, અને
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પ્રકરણ ૬ ડું.
જ્યારે અનુકૂલ જણાશે ત્યારે આ મુલકી જકાત કહાડી નાંખવાની તેમની ઇચ્છા છે. સ્થાનિક સરકારને આવા વિષયમાં જહાંગીરી હુકમ આપવા, એ અમને કવખતનું અને અનિષ્ટ જણાય છે. બીજા શબ્દોમાં ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ હિંદની સરકારને આગળ ધરીને સુધારો કરવાની પોતાની ફરજની અવગણના કરી. આ રીતે દુર્ભાગ્યે બહુ સાધારણ થઈ પડી હોય એમ જણાય છે.
પણ ભાવીની વક્રતાથી આ વખતે એમનું ચાલ્યું નહિ. ટ્રેવેલ્યનના રિપોર્ટથી હિંદુસ્તાનને પ્રજા મત હાલી ઉઠયો હતો; અને ઉત્તર પ્રાંતમાં મિ. રેસે પિતાની હકૂમતમાં પિતાની જવાબદારીથી મુલકી જકાત કહાડી નાંખી અને લોર્ડ વિલ્યમ બેન્ટિકની પછીના અધિકારીએ એજ પ્રમાણે ૧૮૩૬ ના માર્ચની પહેલી તારીખે બંગાળાની દાણુની ચેકીઓ બંધ કરી, અને એ મહીનાથી દરવાજાની જકાત પણ કહાડી નાંખી. અધિષ્ઠાત્રી સભાને આ પગલાં પસંદ કરવાની તો ફરજ પડી પણ “ઉપજના નુકશાનનો બદલે લેવાની કંઇ પણ યોજના ઘડ્યા વિના આપ નામદારને આ કામ એકદમ કરવાની જરૂર પડી” તેથી પોતાની દીલગીરી બતાવી.
હવે આપણે મહારાણી વિકટેરીઆના રાજ્યારોહણના સમય સુધી આવી પહોચ્યા છીએ, પણ મુલકી દાણની બાબત પુરી કરવા સારૂ જરાક આગળ જઈએ. લોર્ડ કલંડ ૧૮૩૬ માં મહારાણીના પહેલા ગવર્નર જનરલ થઇને આવ્યા. પણ આનો અમલ એક મોટા મુમ્બઈના કામથી આરંભાયો. લોર્ડ વિલ્યમ બેટિકની શાન્તિ કરકસર અને સુધારાની રાજ્યનીતિનો અનાદર કરીને આપણે અફઘાન યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામ એ આવ્યું કે એક મિત્ર જેવી લડાયક પ્રજાને શત્રુ બનાવી. ૧૮૪૨ માં ૪૦૦૦ સૈનિકો અને ૧૨૦૦૦ અનુયાયિઓ ખાઈને આપણે પાછા આવવું પડયું. અને હિંદુસ્તાન નની સરહદ બહારની લડાઇમાં હિંદુસ્તાનની ઉપજનો ભોગ અપાયો.
Page #306
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૨૯૫ પછી લોર્ડ એલનબરો જેમણે આપણે ઉપર જોયું તે પ્રમાણે દેશ દાણ કહાડી નાંખવા પ્રથમ મેહેનત કરી હતી તેઓ ૧૮૪ર માં ગવર્નર જનરલ થઈને આવ્યા. તેમણે ૧૮૪૩ માં સિંધમાંથી, અને ૧૮૪૪ માં એક કાયદે કરીને મદ્રાસમાંથી દેશ દાણ રદ કર્યું.
૧૮૫૩ માં હાઉસ ઓફ કોમન્સની સિલેકટ કમિટિમાં લોર્ડ એલનબરો. જે એક સભાસદ હતા તેમણે મિ. વેલ્યન જેઓ સાક્ષિ થઈને આવ્યા હતા તેમને આ બાબતમાં સવાલ પુછયો હતો. જવાબમાં તેમણે કહ્યું કે જે મારો રિપોર્ટ પ્રસિદ્ધ ન થયું હતું અને હમેશની રીત મુજબજ તેની ચર્ચા થઈ હતી તે હું ધારું છું વર્ષોનાં વર્ષો નીકળી ગયાં હત; પણ તે રિપોર્ટ પ્રસિદ્ધ થયા અને સહુને આ દેશ દાણની રીત સિંઘ જણાઈ,
આ વખતે હિંદુસ્તાનમાં એક સરખો સિદ્ધ ન હતે કલકત્તાના સિક્કા મદ્રાસના કરતાં ૬ ટકા જેટલું વધારે કિંમતી હતી. મહેર સેળ રૂપીઆ . માટે લેવાતી. પણ સોનાના ભાવ રૂ. ૧૮ સુધી પહોંચતાં તેનો ઉપયોગ બંધ થઈ ગયો. બેન્ક ઓફ ઈગ્લેંડના ગવર્નરે ૧૮૩૨ માં પોતાની જુબાનીમાં કહ્યું હતુ કે -
હિંદુસ્તાનમાં વાસ્તવિક ચલણ રૂપાનું હેવાથી સેનાને સિકો ચાલતો નથી તેમ ચાલશે પણ નહિ. સેનાનુ ચલણ હિંદુસ્તાનમાં અમલમાં મુકવાની બાબતમાં હું વિરૂદ્ધ છું.
રાતા સમુદ્ર દ્વારા ઈગ્લેંડ અને હિંદ વચ્ચે આગબોટને વહેવાર શરૂ થઈ ગયા હતા. પણ હજી તેમાં ખરચ બહુ પડતું. તે વખતે મુંબઈથી સ્વેઝ જતાં તેત્રીસ દિવસ થતા. અત્યારે તેના ચોથા ભાગને જ વખત લાગે છે,
બંગાળાની નદીઓમાં આગબોટના વહેવાર શરૂ કરવાની અને પ્રયાગ
Page #307
--------------------------------------------------------------------------
________________
२८१
પ્રકરણ ૬ હું,
અને કલકત્તા વચ્ચે એક પ્રયોગયાત્રા કરવાની ચર્ચા ચાલી હતી. મિ. પિન્સેપે આ બાબતમાં છેક ૧૮૨૮ માં એક યોજના રજુ કરી હતી. તેણે લખ્યું છે કે ચીનની નદીઓ સિવાય આખા જગતમાં બીજી કઈ નદી નથી કે જ્યાં ગંગા નદી જેવો વ્યવહાર ચાલતો હોય. ૧૭૮૦ માં માત્ર આ નદીમાં વહાણ ચલાવવાના ધંધામાં ત્રીસ હજાર માણસોને નિર્વાહ થતો હતો. તે પછી આ સંખ્યામાં વધારે થયો હતો. એક ક્ષણ પણ એવી નથી જણાતી કે જે વખતે આ નદીમાં વહાણોની પરંપરા આવજા કરતી ન હોય. આ વ્યવહાર મુસાફરી અને વેપારની કેટલી સેવા કરે છે તેની ગણત્રી પણ થઈ શકતી નથી.” અત્યારની રેલવે વેપારની વધારે સંગીન સેવા બજાવે છે. પણ તે પરદેશી મુડીથી બંધાયેલી છે, અને પરદેશી ભાગીદારોને વ્યાજ આપે છે. અને લાખો ખલાસીઓ વહાણ બાંધનારાઓ ગાડાંવાળાંઓ અને બળદની પોઠા રાખનારાએનો પિતાને ધંધે ગુમ થયેલ છે.
આ અરસામાં નહેર રેલ્વેના સવાલની ચર્ચા થઈ હતી. નહેર અને એક સડકની રે વે બાંધવાનું ખરચ સરખુ થશે એવી ગણત્રી કરવામાં આવી હતી. આશરે માઇલ એકના ૯૦૦ પાઉંડ. અને નહેરમાંથી ૧૯૦ પાઉંડ ઉપજે અને રેલવેમાંથી ૧૭૫ પાઉંડની ઉપજ થાય.
વ્યવહારની નહેરમાં પાણી પાવા માટે હેર બાંધવી પડે તેના જેવા કામની જેમ જરૂર નથી તેમ તે કામ તેથી બહુ જુદા પ્રકારનું પણ નથી. પણ જાનવરથી ચાલે તેવી રેલવે બાંધવી એ સાદામાં સાદુ કામ છે; અને તેમાં હેરેના પ્રમાણમાં કંઈ મુશ્કેલી નથી. તેમજ રેવે હેર કરતાં વધારે પસંદ કરવા લાયક છે, કારણકે તેમાં પાણી જોઇતું નથી. પણ સવાલ એ છે જે અંદરના વ્યવહાર સુધારવામાં જે ખરચ કરવામાં આવે તેના કરતાં પાણી પાવાની જે નહેરો અત્યારે છે તે અથવા નવી બાંધવામાં આવે તેને ઉપર ખર્ચ કરવામાં વધારે ફાયદો છે કે નહિ તે જોવાનું છે. અહીં જે
Page #308
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૨૯૭
રેલ રસ્તાઓની વાત કરીએ છીએ તે જાનવરની શક્તિથી વાપરવાના રસ્તાઓનેજ માટે. કારણ કે એન્જિનના વપરાશના રતાની વાત કરીએ તેમાં તે કામનો ફેર પડી જાય છે. અને ખરચ પણ ઘણું જ વધી જાય છે, કેમકે જે ઢોળાવ અને વાંક જાનવરના રસ્તામાં રાખી શકાય તે એન્જિનમાંરાખી શકાય નહિ. મેન્ચેસ્ટર અને લીવરપુર વચ્ચે એન્જિનની રેલમાં માઈલના ૨૫૦૦૦ પાઉંડ ખરચ થયું હતું. જ્યારે ઇંગ્લંડમાં જાનવરની રેલવેની બેવડી સડકમાં માત્ર ૫૦૦૦ પાઉડજ ખરચના આવ્યા હતા. હમણાં તળાવ ખાતામાં જે કામ ચાલે છે તેમાં થોડાંક ગાડાં અને સલેપાટ મોકલી દીધા હોય તે મને યોગ્ય જણાય છે. એક હજાર વાર જેટલા બેવડા સલેપાટ તાત્કાલિક ઉપયોગ સારૂ ઈગ્લાંડમાં જેવા વપરાય છે તેવા ૨૫૦ પાઉંડમાં મોકલાવી શકાય.”
* રેલવે અને હેર વચ્ચેની જબરી ચર્ચાને આમાં આરંભ થાય છે. આ ચર્ચા પછીના દસકાઓમાં ચાલી હતી. અને રેલવેને પસંદ કરવામાં આવી, અને હિંદુસ્તાનની ખેતીને ફાયદો કરે તેવી નહેર બંધ રહી. બ્રિટિશ વેપારીઓની હિંદુસ્તાનની સરકાર ઉપર એટલી વગ હતી કે હિંદુસ્તાનની સરકારે હિંદમાં રેલવે બાંધવા સારૂ જામીનગીરીઓ આપી. ૧૯૦૦ ની સાલ સુધી ૨૨૫૦૦૦૦૦૦ પાઉડ રેલવે પાછળ ખરચાયા તેમાં હિંદુસ્તાનને કાંઈપણ નકે તે મળ્યો નહિ, પણ ઉલટો ૪૦૦૦૦૦૦૦ નું નુકસાન લખાયું. અને હિંદની ખેતીના હિતની તુલના એટલી થેડી હતી કે નહેરો પાછળ ૧૯૦૦ સુધી માત્ર ૨૫,૦૦૦૦૦૦ પાઉંડ ખર્ચાયા હતા અને હિંદુસ્તાનમાં જ્યારે વીસ કરોડ એકર જમીન વર્ષોવર્ષ ખેડાય છે ત્યારે આવી રીતની હેરથી માત્ર બે કરોડ એકર જમીનનુંજ રક્ષણ થાય છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પ્રકરણ ૭ મુ’.
પ્રકરણ ૭ સુ’.
રાજ્યવ્યવસ્થા.
વારન હેસ્ટિંગ્સ અને લા કાર્નવાલિસે વહીવટી અને ઇન્સારી ખાતાના રાજ્યકારભાર માટે જે પગલાં ભર્યાં હતાં, તે સબંધી વિવેચન પૂર્વે આવી ગયું છે. એમાં ધણું સારૂ હતુ. પણ તેની સાથે કેટલાંક દૂષણા પણ હતાં અને તે દૂષણા વખત જતે વૃદ્ધિ પામ્યાં. ન્યાયખાતાની જે રચના કરી હતી તે ક ્ નીની દસ કરોડ રૈયત માટે પુરતી ન હતી; તેમજ આ મેટી સુધરેલી વસતિના જાનમાલના રક્ષણની ગઠવણમાં તેમની પોતાની સહાયતાને અસ્વીકાર પણ તેની નિષ્ફળતાનું કારણ હતું,
યુરેપિયન ન્યાયાધીશોને લેાકની ભાષાનું જ્ઞાન ન હતું તેમજ તેમના રીતવાજની પણ ખબર ન હતી. તેમના તાબાના દેશી અધિકારીએ હલકા પગારના હતા તેથી રૂસ્વતીયા હતા અને ઇન્સાફ વેચાવા લાગ્યો. અધુરામાં પુરૂ મુકદ્દમાની સંખ્યા એટલી બધી વધી પડી અને નિય આપતાં એટલા વિલબ થવા માંડયા કે ઇન્સાફનાં દ્વાર બંધ થઇ ગયા જેવુ જ થઇ પડયુ, સાક્ષીએનાં લશ્કરાને દૂરની કોર્ટમાં હાજર રહેવા સારૂ ખેંચાવું પડે, અને તે એટલે સુધી કે આખરે હિંદુ મુસલમાન, સહુ સાક્ષી તરીકે કાઇ ખેલાવે તેા પેાતાનેજ એક મેટી શિક્ષા થઇ એમ માનવા લાગ્યા. ઇન્સાપૂ વધારે ખર્ચાળ કરવા માટે જુદી જુદી તરેહની રીએ લેવા માંડી. ન્યાયાધીશોને વધારાની સત્તાએ આપવામાં આવી અને કામ ઓછુ કરવા માટે અપીલના હુક્કા ઓછા કરવામાં આવ્યા, આવી અનિષ્ટતા દૂર કરવા સારૂ દરેક સંતાપજનક ઉપાયા અજમાવી જોયા. જ્યારે ઉપાય માત્ર એકજ હતા કે લેાકાની સહાયતા સ્વીકારવી અને ઇન્સાફનુ કામ તેમને પોતાને સેવું, મિલના ઇતિહાસના અનુસંધાનમાં વિલ્સન લખે
Page #310
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક પ્રતિહાસ,
૨૯૯
છે કે-યુરેપિયા આવ્યા પહેલાં સેંકડા વર્ષોં સુધી ન્યાયવ્યવસ્થા લેાકેા પોતેજ ફરતા; સમાજ એકઠો રહી શકયા હતા અને મુસાફરે અને ઇતિહાસકારા જણાવે છે તે પ્રમાણે એવા પણુ વખત હતા કે જ્યારે હિંદુસ્તાનમાં પુષ્કળ વસ્તી હતી, લેાકેા બાદ અને સુખી હતા.
.
ઓગણીસમા સૈકાની શરૂઆતમાં દીવાની ઇન્સાફના ખાતામાં આવી ખામીઓ હતી; પણ ફેાજદારી ઇન્સાફના ખાતાની ખામીએ એથી પણ વધારે હતી. બંગાળામાં ડંકાઇટ એ નામના લુટારાની ટાળીઓ ઉભરાતી હતી, અને હલકા પગારની અને રૂસ્વતીઆ પોલીસની મદદવાળા માજીસ્ટ્રેટા તેમને અંકુશમાં લાવી શકતા ન હતા. મેટા શહેશમાં અને વેપારના મથકામાં માથા વિનાના થઈને આ લેકે લૂટા ચલાવતા ગામડાંઓતા સતત ત્રાસમાંજ રહેતાં, અને લૂટારાઓની ટોળીના પ્રખ્યાત મુખીને પાળ આપતાં. સને ૧૮૦૦ થી ૧૮૧૦ સુધી આ દેશમાં અવિચ્છિન્ન ત્રાસ વર્તી રહ્યા હતા. બંગાળાના રાબરાયનાં પરાક્રમાનાં બજારોમાં વર્ણન થતાં. મેજીસ્ટ્રેટ અને પોલીસ અશક્ત હતી અને લોકા દૈવને શરણ થયા. લોર્ડમિન્ટેન્ટે એક મિનિટમાં લખે છે કે સર્વે -પરિસત્તાની નજર નીચેજ તેમની રાજધાનીમાંજ, જ્યાં લાકા રક્ષણની સહુથી વધારે આશા રાખી શકે, ત્યાં, આવી રાક્ષસી અને અત્યન્ત અવ્યસ્થિત વસ્તુસ્થીતિ ચાલતી હતી. આ અવ્યવસ્થાને દૂર કરવા ધીમા ઉપાયેા કામે લગાડવાનું બની શકે તેમ ન હતું. આપણી નજર નીચેજ લાકા મરતા હતા. જેટલા વિલંબ થાય છે એટલા પુષ્કળ વસતિવાળા દેશેાના રક્ષણહીન લોકેાના દુવને નજીક લાવે છે.
આ દુઃખ દૂર કરવા જે ઉપાયે! યેાજવામાં આવ્યા તે દરદ કરતાં વધારે ખરાબ હતા. ગુન્હાને દાખી દેવામાં એ મેજીસ્ટ્રેટાની સાથે રહીને કામ કરવા સારૂ એ યુરેપિયન પોલિસ સુપ્રિન્ટેન્ડેન્ટ નીમ્યા; લૂંટફાટ બંધ પાડવા સારૂ ખાસ સત્તાવાળા ખાસ મેજીસ્ટ્રેટને નીમવામાં આવ્યા. તેમણે શકદાર માબ્રુસ વિરૂદ્ધ બાતમી આપવા સારૂ બાતમીદારા નીમ્યા, અને આરીતે ગુન્હાની
Page #311
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું.
ખરાબીમાં બાતમીદારોનાં દુઃખો ભળ્યાં. ખોટી ફરીયાદો ઉપરથી ગામડાઓના લોકોને વિવેકવિના પકડવા માંડવા; મહીનાઓ સુધી અને વખતે વર્ષોનાં વર્ષો સુધી જેલમાં રહે તે પછી તેમના ઉપર કામ પણ ચાલતાં અને કેટલીક વાર તે જેલમાં પૂરી થતા. બંગાળાની પ્રત્યેક જેલો સેંકડે અને હજારો નિર્દોષ માણસોથી ઉભરાતી હતી; અને ગામડાના લોકોને માજીસ્ટ્રેટના કરતાં બાતમીદારના ઠેષને વધારે ભય રહે.
૧૮૧૩ માં અધિષ્ઠાત્રી સભાએ ઈંગ્લંડમાં વસતા અધિકારીઓને ન્યાયખાતા સંબંધે કેટલાક પ્રશ્નો પૂછ્યા તેમાંનો મોટો ભાગ હજી દેશીઓ ઇન્સાફના કામને માટે ના લાયક છે એ જૂના વિચારને જ વળગી રહ્યા. આ વિચારમાં એક ગુણ એ હતો કે ઇન્સાફની મેટી જગાઓ પોતાના ભાઈ ભત્રીજા અને સગાંવહાલાં માટે બેટાઈ રખાતી હતી. પણ કમ્પનીના
કરમાંના ડાહ્યા અને વિચારવાન નેકરે આ મતનું પિકળપણું સમજી શકતા હતા, અને તેઓએ સ્પષ્ટ અભિપ્રાય આપે કે હિંદુસ્તાનને લેકની પિતાની સહાયતા વિના વ્યવસ્થામાં રાખવું મુશ્કેલ છે. આ અભિપ્રાય તે વખતે હી મનાતો હતો.
બંગાળાવાળા સરહનિસ્ટ્રેચિ, મદ્રાસના ટોમસ મને અને મુંબઈના કર્નલ વૈકરનાં મુબારકનામ આ અભિપ્રાયને માટે સ્મરણમાં રાખવા જેવાં છે.
મ–મદ્રાસ, આ અભિપ્રાયોની અસર ઈગ્લેંડના પ્રજામત ઉપર થઈ, અને હિંદુસ્તાનના ઇન્સારી ખાતામાં સુધારા કરવાનો અધિષ્ઠાત્રી સભાએ વિચાર કર્યો. તેમણે આ બાબતની તપાસ કરવા સરટોમસ મનના પ્રમુખપણ નીચે એક ખાસ કમિશન નીમ્યું તે સને ૧૮૧૪ ના જૂનમાં ઇંગ્લેડથી ચાલ્યો, અને ચાર મહીનામાં મદ્રાસ ઉતર્યો. નાતાલ શરૂ થતાં પહેલાં તે તેણે પોતાની સૂચનાઓ સરકાર આગળ રજુપણ કરી, જે નીચે મુજબ હતી.
Page #312
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને ૧ કલેક્ટરને મેજીસ્ટ્રેટની સત્તા આપવી; અને ગામડાંઓની પોલિસની વ્યવસ્થા ગામડાંઓમાંના મુખીઓને જ સોંપવી.
(૨) ગ્રામ પંચાયતનું પુનઃ સ્થાપન કરવું. (૩) દેશી ડિસ્ટ્રિકટ જજે અને કમિશનરો નીમવા. (૪) પિટા કાયદાઓનો અમલ કરવાની કલેકટરને સતા આપવી. (૫) જમીનદારની માલ જપ્ત કરવાની સત્તા ઉપર અંકુશ મૂકવા. (૬) સીમાની તકરારોના નીકાલ કલેકટરે કરવા.
આ છ સૂચનાઓમાં બે મુખ્ય તર જોવામાં આવે છે. પહેલું એ કે ન્યાય ખાતું, ગામના મુખી, ડિસ્ટ્રિકટ જજ અને કમિશનર તરીકે દેશીઓના હાથમાં રાખવું. અને બીજુ કે વસુલાતી અધિકારીનું મેજીસ્ટ્રેટનું અને પોલીસનું એ ત્રણે કામે એક અધિકારીની એટલે ડિસ્ટકટ કલેકટરના હાથમાં એકત્ર કરવું. પહેલે વિચાર માત્ર અંશતઃ અમલમાં મૂકાય છે અને હજી ડિસ્ટ્રિકટ
જૂની જગાઓ યુરોપિયનને માટે બેટી રાખવામાં આવી છે. એને બીજે વિચાર તે વખતની અવ્યવસ્થા અને અરાજ્યને માટે ન્યાયયુક્ત હશે, પણ તે દુર્ભાગ્યે અત્યાર સુધી અમલમાં છે.
આ કમિશને કેટલી મહેનત અને પત્રવ્યવહાર પછી મદ્રાસની સરકાર આગળ સાત કાયદાઓ રજુ કર્યા. અધિષ્ઠાત્રી સભાના પત્રો પણ ૧૮૧૫ ના ડિસેમ્બર સુધીમાં આવી પહોંચ્યા, મદ્રાસ સરકારની અને મુખ્ય અદાલતની સૂચનાનુસાર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા; અને આખરે ૧૮૧૬ માં સેળ કાયદાઓ પસાર થયા.
આ કાયદાઓની તાત્કાલિક અસર એ થઈ કે મદ્રાસમાં દેશીઓને મોટી સંખ્યામાં જવાબદારીની નોકરીઓ મળી અને ન્યાયખાતાનું ઘણું કામ એમના હાથમાં આવ્યું. આ સુધારે કમ્પનીના વિચારવંત મેકરેએ ઘણું વર્ષથી ધારી મુક્યો હતો. અને તે રાજ્ય વહીવટને સારા પાયા ઉપર મૂકવા માટે જરૂરને હતિ. ટોમસ મને એ પહેલવહેલેએ અમલમાં મૂક્યો.
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પ્રકરણ ૭ મુ.
આ સેવા બજાવવા માટે કૈં ઓફ ડિરેક્ટરોએ મદ્રાસ સરકાર રૂબરૂ સરટામસ મનાની ઘણી પ્રશ ંસા કરી અને હિ ંદુસ્તાનના પ્રજામતે તે પ્રશંસાને પૂર્ણ અનુમેદન આપ્યું. તાપણ કહેવુ જોઇએ કે મનેાના કેટલાક હેતુ હજી સફળ થયા નથી. ગામડાંઓની પોલિસ ગ્રામણીઓના હાથમાં મૂકવાને તેને યત્ન છેડી દેવામાં આવ્યા અને અત્યારે આખા હિંદુસ્તાનને માટે પેલિસનુ એક જુદુજ દળ છે. તેમજ પંચાયતની યાજના સજીવન કરવાના યત્ન પણ નિષ્ફળ ગયેા. તેનાં કારણે ખીજે ઠેકાણે આપ્યાં છે વધારે સારી તજવીજથી ગામ પાંચાની યેાજના કરવાને વખત હવે આવી પહેાંચ્યા છે જ્યાં સુધી સરકાર એ યોજના અમલમાં નહી મૂકે ત્યાં સુધી લેાક સાથે ઇષ્ટ સંબંધમાં આવી શકશે નહી.
બીજી તરફ મનાએ કરેલી ભૂલ-કલેકટર મેજીસ્ટ્રેટ અને પેાલીસના આધકાર એકજ હાથમાં મૂકવાની ભૂલ-કાયમ થઇ ગઇ છે. આ ભૂલ થઇ તે વખત સને ૧૮૧૫-૧૬ માં પણ મદ્રાસની સરકારે સખ્ત વાંધા લીધે હતા તે સંબંધે મદ્રાસ સરકારના સભાસદ મિ. ઝુલરટન એ બાબતમાં સ્પષ્ટ શબ્દમાં લખે છે કેઃ—
“ મને ખાત્રી છે કે કલેકટરના હાથમાં મેજીસ્ટ્રેટને અધિકાર મૂકવાથી એવા સયાગ આવશે કે જે ન્યાયપદ્ધતિ દાખલ કરવાથી જે ફાયદો થશે તેને રદ કરશે. કારણ કે તેથી વહીવટી અધિકારીઓના હાથમાં વધારે પડતી સત્તા આવશે અને ન્યાયખાતાના રક્ષણમાં લેકને જે શ્રદ્ધા બેસવા માંડી છે તે ઓછી થશે. ”
મદ્રાસ સરકારના પણ એજ અભિપ્રાય હતા. તેમનુ ધારવું એવું હતુ કે કલેકટરના હાથનાં પેાલીસની દેખરેખ રાખવામાં વાંધે નથી પણ મેજીસ્ટ્રેટના અધિકાર તે તેના હાથમાં રહેવું નજ જોઇએ. આ સવાલ છેક અધિાત્રી સભાની પાસે ગયા અને તેમને મદ્રાસની સરકારને મત રદ કરી વહીવટી અને મેજીસ્ટ્રેટની સત્તા એક હાથમાં રાખવાનું મજુર કર્યું.
Page #314
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
મદ્રાસની સરકારે આ હુકમ માન્ય તો રાખ્યો પણ બહુજ દીલગીરી સાથે રોબર્ટ ફુલરટને ફરીથી નોંધ કરી કે,
મને બહુ શોક થાય છે કે મારા અભિપ્રાય ઉપરી સત્તાના હુકમ અને અભિપ્રાયોથી જૂદા નીવડે છે; પરંતુ તે કારણથી હું તે બદલી શકતા નથી. વચમાં વિચાર કરવાની તક મળતાં અને તે પછી મળેલા દસ્તાવેજોનું મનન કરતાં મારા પૂર્વના અભિપ્રાય દઢતર થાય છે. અને મને વધારેને વધારે ખાત્રી થતી જાય છે કે એક જીલ્લાની તમામ મેજીસ્ટ્રેટને અધિકાર એકલા કલેકટર નાજ હાથમાં રાખવાથી–જેમાંનો ઘણો ભાગ દેશી મદદનીશને સંપ પડશે અને જેના ઉપર જીલ્લાના જજજની કોઈકવાર મુલાકાત થાય તે પ્રસંગ સિવાય બીજી રીતને અંકુશ રહેવાનો નથી-પરિણામ એ આવશે કે વહીવટી ખાતામાં એટલી બધી સત્તા આવશે કે જેના દુરૂપયોગ સામે કોઈ પણ કાયદે સર અને અસરકારક ઉપાય રહેશે નહિ.”
મુંબઈ હવે આપણે મુંબઈ, તરફ વળીએ. મુંબઈ,બંગાળા અને મદ્રાસબ્રિટિશ સરકારના હાથમાં આવ્યાં તે પછી અર્ધા સૈકા પછીથી આવ્યું હતું. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી બંગાળામાં બ્રિટિશ સત્તાને દઢ અમલ બેસી ગયા હતા, અને ૧૭૬૧ માં વૅન્ડિવંશનું યુદ્ધ થયા પછી મદ્રાસમાં પણ પશ્ચિમ હિંદુસ્તાનમાં હજી વોરન હેસ્ટિંગ્સ અને લોડ વેસ્લીનાં યુદ્ધ છતાં મરાઠાઓ પોતાની મહત્તા જાળવી રહ્યા હતા. બ્રિટિશ આયુધની મદદથી ૧૮૦૨ માં છેલ્લા પેશ્વાને પુનાની ગાદીએ બેસાડવામાં આવ્યા હતા, અને તહનામાની રૂઇએ પિતાના રાજ્યની હદમાં એક બ્રિટિશ સૈન્ય તે રાખતા હતા. અહીંઆ પેશ્વાઈન અંતની શરૂઆત થઈ. પિતાના નવા મળતીયાનું સત્તાનું બળ પેશ્વાને તરતજ જણાયું; અને તેના અંકુશ નીચે અસ્વસ્થ રહેવા લાગ્યા. આખરે તેણે બુરખે કહાડી નાંખ્યો. એક લડાઈમાં તેમણે હાર ખાધી; અને ૧૮૧૭ માં પેશ્વાને મુલક બ્રિટિશ ખાલસા કર્યો..
Page #315
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મુ
મદ્રાસને રાજ્યવહીવટ સુસ્થિત કરવામાં જે કામ મન્રાએ કરેલું' તે સુબઇના સંબંધમાં એલ્ફિન્સ્ટને. એલ્ફિન્સ્ટન સત્તર વર્ષની ઉમરે ૧૭૯૬ ની સાલમાં હિંદુસ્તાનમાં આવ્યા હતા. સાત વર્ષ પછી પાછળથી ડયુક એક્ વેલિંગ્ટન તરીકે પ્રસિદ્ધ થયેલા સર આર્થરવેસ્લીના ખાનગી કારભારી તરીકે નાકરી કરવાની તેને તક મળી. સને ૧૮૦૩ માં એસેના યુદ્ધમાં તે ડયુકની તહેનાતમાં હતા. અને નાગપુરના રેસિડન્ટ તરીકે ૧૮૦૪ થી ૧૮૦૮ સુધીમાં તેને મરાઠા કારભારનું રહસ્ય સમજવાના પ્રસંગ મળ્યે હતેા. તે પછી તેને કાબુલ મેાકલવામાં આવ્યા હતા અને તે પ્રસંગમાં ત્યાંના લેાક અને સ ંસ્થાએ સંબંધે એક બહુજ સારૂ પુસ્તક તેણે રચ્યું. ત્યાંથી પાછા આવ્યા પછી ૧૯૧૬ માં તેને પુનાના રેસિડન્ટ તરીકે નીમવામાં આણ્યે. અને ત્યાં જે રાજ્યક્રાન્તિ થઇ તેમાં તેને અગત્યને ભાગ બજાવવાનેા હતેા. ૧૮૧૭ માં આ રાજ્યક્રાન્તિ આવી; છેલ્લા પેશ્વા બાજીરાવને ઉરાડી મૂક્ચે; અને દક્ષિણ બ્રિટિશ હાથમાં સર થયું .
૩૦૪
ચ્યા નવા મુલકના એક્િન્સ્ટનને હેબા અનુભવ હોવાથી તેના વહીવટ સારૂ તે સર્વથી વધારે લાયક હતા. ૧૮૧૮ ના જાન્યુઆરીમાં તેને દક્ષિણના કમીશનર તરીકે નીમ્યા. ૧૮૧૯ માં તે મુંબઇના ગવર્નર નીમાયા. આ અધિકાર તેણે આઠ વર્ષ સુધી ભાગબ્યા અને તે દરમીયાન તેણે પશ્ચિમ હિંદુસ્તાનના બ્રિટિશ વહીવટના પાયેા નાંખ્યા.
આ ઉદાર રાજપુરુષ ત્રણ મેાટાં કામેથી પ્રખ્યાત થયા છે. કાયદાના સ ંગ્રહ, તે વખતે જેટલું શક્ય હતુ તેટલે સુધી ભારતવાસીઓને રાજ્યવ્યવ સ્થાના અધીકાર આપ્યા તે, અને લેકેમાં સંગીન ફળવીને પસાર, તે એવા હેતુથી કે ભવિષ્યમાં તેએ પાતાની બાબતમાં વધારે જવાબદારીવાળા
ભાગ લઇ શકે,
પહેલું કામ તેણે બહુ સારી અને સાષકારક રીતે બજાવ્યું. મુંબઇના
Page #316
--------------------------------------------------------------------------
________________
* બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૭૦૫ mannammmmmmmm તમામ કાયદાઓનો વિષયવાર ગોઠવણવાળો એક સંગ્રહ કર્યો. આ સંગ્રહમાં ૨૭ નાના મોટા કાયદાઓ છે તેમાં પ્રકરણે પાડેલાં અને કલમે ઘડેલી છે. તે બંગાળાના કાયદા જેવાજ વિષયોના કાયદા છે પણ ફેર એટલે છે કે તેમાં
જદારી કાયદાને સમૂહ આવી જાય છે. આ ઉપરાંત એલફિન્સ્ટને લોકોના પિતાના કાનુનો અને રીતરિવાજોને સંગ્રહ કરાવ્યું. તેણે એક ઠેકાણે લખ્યું છે કે જેને આપણે “હિંદુ શાસ્ત્ર” એ નામ આપીએ છીએ તે માત્ર બ્રાહ્મણોને જ લાગુ પડે છે. દરેક નાતના કાયદા અને રિવાજે જુદા જુદા છે. પ્રત્યેક જ્ઞાતિસમુદાય અને કેમેકેમના કાયદા કાનુને સંગ્રહ કરવાન એલફિન્સ્ટનને ઇરાદે હતો. આ ઇરાદે તેના સ્વભાવને અનુસાર હતું, પણ તેને અમલમાં મૂકવાનું અસંભવિત હતું. અને તે સંગ્રહ અપૂર્ણ રા.
હિંદુસ્તાનમાં ઉત્તમ રાજ્ય પુરુષ ઈગ્લેંડના ઊંચામાં ઊંચા વિચારો અને વિદ્યાના સંબંધમાં હમેશાં રહે છે તેનું એરિફન્સટન એક દષ્ટાન્ત છે. અહીં
જ્યારે કાયદાઓને સંગ્રહ કરાવતો હતો ત્યારે જેરેમિ બેન્યામના પુસ્તકોને તે અભ્યાસ કરતો હતો, તેના સંબંધમાં તે સ્ટ્રેચિને લખે છે કે –
જેરેમિ બેન્જામ સંબંધે તમે જે હેવાલ આપે છે તેથી મને ઘણો આનંદ થયો, અને તેમના સંબંધમાં મટી જીજ્ઞાસા હતી તે આજે તપ્ત થઈ. ખરેખર તે પહેલા વર્ગની બુદ્ધિનો માણસ છે પણ તેની સાથે પહેલા વર્ગની વિલક્ષણતાને પણ તે માણસ છે અને હું ધારું છું કે તેને સિદ્ધાંતો અને તેની રીતભાતમાં આ અસ્થિરતા આવવાનું કારણ જગત સાથે તેનો સંબંધ બહુ અ૯પ છે એ હશે. તેણે મને પિતાનાં પુસ્તક ભેટ મોકલ્યાં તેથી મને ઘણું સારું લાગ્યું હતું. ખરેખર આ માન બીજા ક્યા ગ્રંથકાર પાસેથી મળ્યું હોય તો તેની વધારે કિંમત કરવી તેની મને ખબર નથી. આજ પત્રમાં તે લખે છે કે,
જ્યારે મેં તમને પ્રથમ લખ્યું હતું ત્યારે બંગાળાના કાઉન્સેલરોને
20
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પ્રકરણ ૭ મુ.
કામે લગાડી બ્રાહ્મણોના વખતના હિંદુ કાયદા અને મહારાષ્ટ્રના રિવાજોને સંગ્રહ કરવા માટે ઇરાદે હતા પણ મળે તેવા કામ કરનારા મળ્યા નહિ, અને આ રાદો બર લાવવાના મેં જેમ જેમ વધારે વિચાર કર્યા તેમ તેમ મને તે વધારે ને વધારે ભારે જણાયા.
હિંદના ઇતિહાસકારાએ આ વાત સ્પષ્ટ કરીને તાવી નથી કે છેલ્લા ૧૫૦ વર્ષમાં હિંદુસ્તાનના રાજ્યવહીવટની ગતિ હુંમેશાં યુરોપના ઇતિહાસના પ્રભાવથી રચાયે ગઇ છે. ક્રેડ્રિક ધિગ્રેટનાં યુદ્દોથી જ ઇંગ્લંડ અને ફ્રાન્સ વચ્ચે લડાઇઓ થઇ, જેના પરિણામમાં ફ્રેન્ચના પગ હિંદમાંથી ટળ્યા. નેપેલિયનના યુદ્ઘાએજ વેલ્લી અને લેર્ડ હેસ્ટીંગ્સે વ્હેરી લીધેલાં યુદ્ધેાને જન્મ આપ્યા હતા. તે પછી ઇંગ્લંડમાં ન્યાયના વહીવટી અને ખીન્ન આંતર સુધારાઓના યત્ને શરૂ થયા, અને તેણે હિંદુસ્તાનમાં તેવા સુધારાઓને જન્મ આપ્યો; અને મદ્રાસ મુંબઇ અને બંગાળામાં લેાકને રાજ્યકાર્યમાં વધારે ભાગ મળ્યા. તે પછીના ૭૦ વર્ષની દરમિયાન પણ ઇંગ્લાંડમાં જ્યારે જ્યારે શાન્તિ અને સુધારાના યુગ પ્રવર્તો હતા, ત્યારે હિંદમાં પણ કાષ્ઠ પ્રકારના સુધારા થતા હતા, અને જ્યારે જ્યારે ત્યાં યુદ્ધ તરફ વલણ દેખાતું ત્યારે અહીં પણ મ્હારી તૃષ્ણાવાળી ચેાજનાએ અને વખતે મૂર્ખાઇભરી લડાઇને જન્મ મળતા. આપણા દેશમાં લોકપ્રતિનિધિ જેવું કાંઇ ન હાવાથી દેશ અનેક અર્થમાં ઇંગ્લેંડને આધીન રહે છે; અને હિંદુસ્તાનના લેાકેાને ઘણી વાર ઈંગ્લેંડના લેાકની ક્ષણિક ધેલછાને લીધે અકુશલ રાજ્ય કારભાર ને મૂર્ખાક ભરેલી લડાઇનાં ખરચાને તાબે થવુ પડયુ છે.
જે સમયની વાત આ પ્રકરણમાં ચાલે છે તે વખતે ઇંગ્લાંડમાં બહુ તન્દુરસ્ત પ્રકારની નીતિ ચાલતી હતી; અને તેને લઇને મના, એલ્ફિન્સ્ટન અને એન્ટિન્કને હિંદુસ્તાનમાં કાયદાઓના સુધારા કરવાનું મન થયું એટલું જ નહિ પણુ રાજ્ય વહીવટમાં યેાગ્ય ભાગ માગવાના લોકોના ઉપક્રમ ઉપર અનુગ્રહની દૃષ્ટિથી જોવાયું; એલ્ફિન્સ્ટનના અભિપ્રાયા પણ મનાના જેવાજ સ`ગીન અને તલસ્પર્શ
Page #318
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩.૦
હતા, અને તે વિચારે જ્યારે ત્યારે તે સવાલની ચર્ચા થતી ત્યારે ત્યારે તેણે પદ્મામાં અને નોંધામાં બતાવ્યા છે. ૧૮૮૨ માં મના ઉપર લખેલા પત્રમાંના નીચેના ઉતારા એક ઉદાહરણ રૂપે અહીં આપ્યા છે.
46
મેં સાંભખ્ખુ` છે કે તમે એક સ્વદેશી સભા જેવુ કાંઇક મદ્રાસમાં સ્થાપ્યું છે. તે યે।જનાના સ્વરૂપતી. મને માહિતી . આપશે તે તમાશ ઘણા ઉપકાર માનીશ. મને તેને એક લાભ એ જણાયા છે. કે તેથી દેશીઆને ઊંચી અને જવાબદારીવાળી જગ્યાઓના અધિકાર આપવાની તક અપાય છે; એ યેાજના ન્યાય અથવા ખીજા કોઇ ખાતામાં અમલમાં મૂકી શ ક્રાય એવી છે કે કેમ તે બાબતમાં તમારે અભિપ્રાય જાણવાની મને ઇચ્છા છે. દેશીઓ ઉપર રાજ્ય ચલાવવા સારૂ સારા દેશી સલાહકારા આવશ્યક છે તે ને સ્પષ્ટ છે, પણ તે ઉપરાંત દેશીઓને પેાતાના દેશના રાજ્યવહીવટમાં કાંઈ ભાગ આપવાને રસ્તો સરળ કરવા તે પણ જરૂરતું છે. આ પ્રમાણે કરવાતી આપણને ફરજ પડવાને હજી વખતે પચાસ વર્ષની વાર છે, પણુ રાજ્યની અને કેળવણીની જે પદ્ધતિ આપણે સ્થાપિત કરી છે, તે લેના મનમાં કાઇક દહાડા પણ એવા ફેરફાર કરશે કે જેથી માત્ર તાબાની નેકરીઓમાં તેમને પૂરી રાખવા એ વખતે સ ંભવિત નહિ રહે; અને જો આપણે પ્રથમથી તેમના સામર્થ્ય અને અભિલાષાને માટે યાગ્ય દ્દાર નહિ પૂરાં પાડ્યાં હોય તા એવા ધડાકા થશે કે જે આપણા રાજ્યને વખતે ઉથલાવી નાંખે, ચાર વર્ષે પછી હેન્રિ એલિસ ઉપર લખેલા એક પત્રમાં એલ્ફિન્સ્ટન આ બાબતમાં પરિવ થયેલા પોતાના અભિપ્રાય વધારે જોરદાર ભાષામાં લખે છે.
હંમેશાં મને એમ સૂઝે છે કે આપણે જેવા ચીનાઓ અને ટાર્ટારના સબંધ છે તેવી રીતને સંબધ, હિંદુસ્તાનની રૈયત સાથે હાવા જોઇએ. સર્વોપરિ રાજ્યસત્તા અને લશ્કરી સત્તા આપણા હાથમાં રાખવી અને આખા ય ત્રને ગતિ અને તેજ આપી શકાય એટલા કાબુ રાખીને બાકીની
*
Page #319
--------------------------------------------------------------------------
________________
૮
પ્રકરણ ૭ મું.
બધી વહીવટી સત્તા ધીમે ધીમે છેડી દેવી. આ સ્થિતિ એવી ધીમી ધીમી આવવાની કે તેથી પેાતાના લાગતાવળગતાઓને જગાએ આપવાના સ ધમાં ડાઇરેકટરોને ખવાને કાંઇ કારણ નથી પણ આ ધ્યાનમાં રાખવું જોઇએ અને આપણે જે પગલાં લઇએ તે બધાની ગતિ તે તરફ હાવી જોઇએ.
,,
એલ્ફિન્સ્ટને આ અભિપ્રાય પેાતાની જીંદગી પર્યંત કાયમ રાખ્યો અને ઉપદેશ્યા. હિં દુસ્તાનમાંથી ઉપરામ લીધાને વીસ વર્ષ થઇ ગયા પછી જ્યારે તે સરેમાં પેાતાના મકાનમાં પેાતાનાં પુસ્તકાના સહવાસમાં શાન્ત અને નિવૃત્તિપરાયણ જીવન ગાળતા હતા તે વખતે પણ તેના પત્રમાં આજ અભિપ્રાયઃ દૃષ્ટિગોચર થાય છે. આ વખતે હિ ંદુસ્તાન સંબધી બાબતમાં તેમને પ્રમાણ ગણવામાં આવતા હતા અને અનેકવાર ગવર્નર-જનરલના અધિકાર ઉપર જવાને તેમને દબાણે કરવામાં આવી ચૂક્યાં હતાં.‘આપણા તેમજ તેમના અને માકીના બધા જગતના સ્વાર્થને લાભ થાય તેવી રીતે દેશી રાજ્ય ચલાવતા ચાય તેટલે સુધીની સ્થિતિમાં તેમને લાવી મૂકવા તરફ આપણે શ્રમ કરવેશ જોઇએ, અને આપણા શ્રમના ફળ તરીકે આ મેટું પરાક્રમ કર્યાનેા યશ અને આપણી કરજ બજાવ્યાનેા સ તાષજ ગણવા જોઇએ”; આ તેમના મત હતેા. પેાતાના રાજ્ય વહીવટ દરમિયાન આ સિદ્ધ કરવા માટે એલ્ફન્સ્ટને એનાથી બન્યું તેટલુ કર્યું હતુ. અને મનાએ મદ્રાસને દાખલા ખેસાડયે હતા તેને લઇને મુંબઇ ઇલાકામાં ન્યાયખાતામાં દેશીઓને માટે ભાગ આપવાને તે શક્તિવાન થયા હતા.
એલ્ફિન્સ્ટનના રાજ્ય વહીવટને ત્રીજો અને સહુથી મેટ હેતુ લેકમાં કેળવણીના પ્રચાર કરવાના હતા. આ વખતે મુંબઈ કેળવણીની બાબતમાં સર્વ કરતાં વધારે પછાત હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ધર્મગુરુએ થેાડી ધર્માદાની શાળા ઉપર દેખરેખ રાખતા, અને મિશનરીઓના પ્રયત્ન પણ ૧૮૧૪ માં જે થાડા મિશનરીએ મુંબઇમાં આવેલા તેમના હાથમાંજ સમાઈ
રહ્યા હતા.
Page #320
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૮
એલિફન્સ્ટને ૧૮૨૦ માં એક જાહેર સભાનું પ્રમુખ પદ સ્વીકારી નિર્ધનને કેળવણીનું ઉત્તેજન આપવાને માટે એક સભા સ્થાપી. તેણે પુસ્તકો છપાવવા અને ઇનામો આપવામાં ૫૦૦૦૦ પાઉંડની બક્ષિસ આપી અને તે પછીનાં સોળ વર્ષ સુધી આજ સભા મારફત દેશી ભાષામાં કેળવણી અપાઈ. પ્રાથમિક કેળવણીના સંબંધમાં પણ સવિસ્તર તપાસ કરવી શરૂ કરી અને આ તપાસનું પરિણામ જે ૧૮૭૨ માં પ્રસિદ્ધ થયું હતું તેમાંથી માલૂમ પડી આવ્યું કે મુંબઈ ઇલાકામાં ૧૭૦૫ શાળાઓ હતી અને ૩૫૧૪૩ વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરતા હતા. ત્યારે વસતિ લગભગ પચાસ લાખની હતી.
ઊંચી કેળવણીનો પ્રચાર કરવાના યનમાં એલ્ફિન્સ્ટનને પોતાની જ રાજ્યસભાની અને અધિષ્ઠાત મંડળની પ્રતિકૂળતા હતી. જાવાન સિવિલ્યાને માટે અને દેશી અમલરોને કેળવણી આપવાના ખાસ હેતુથી મુંબઈમાં એક મોટી પાઠશાળા સ્થાપવા એલ્ફિન્સ્ટનની ઇચ્છા હતી. એની રાજ્યસભાએ આ ખાસ હેતુની બાબતમાં પ્રતિકૂલતા બતાવી; અને આખી યેજના અધિષ્ઠાતુ મંડળે મંજુર કરી નહિ.
સામાન્ય કેળવણી માટે એલ્ફિન્સ્ટને એવી દરખાસ્ત કરી કે - (૧) દેશી નિશાળો સુધારવા અને વધારવી; (૨) તેમને માટે શાળા ગ્રંથો પૂરા પાડવા; (૩) હલકી કેમેને કેળવણુ લેવાને ઉત્તેજન આપવું (૪) યુરોપીયન વિદ્યા શીખવવાને નવી શાળાઓ સ્થાપવી; (૫) દેશી ભાષામાં નીતિ અને શારીરિક વિદ્યાનાં પુસ્તક તૈયાર કરવાં; (૬) ઈંગ્રેજી ભણાવવા સારૂ નવી નિશાળો સ્થાપવી. . (૭) અને લેકોને દરેક રીતે વિઘાની બાબતમાં ઉત્તેજન આપવું.
અધિષ્ઠાતૃ મંડળનું સમાધાન કરવા માટે એલિફન્ટને એવી દલીલ કરી કે આ નવી નિશાળોનું ખરચ ઘણું વેડું થશે અને તેના ભાગ ગામડાંઓ
Page #321
--------------------------------------------------------------------------
________________
- ૧
પ્રકરણ ૭ મું.
ઉઠાવી લેશે. પરંતુ આ યોજનાઓને પણ તેણે હિંદુસ્તાન છોડયું તે પહેલાં મંજુરી મળી નહિ. મુંબઈમાં પહેલી અંગ્રેજી નિશાળ ૧૮૨૮ માં ઉઘડી. આ વખતે એલિફન્સ્ટનને મુંબઈ છે એક વર્ષ થઈ ગયું હતું. તે જ વર્ષમાં પૂનાની સંસ્કૃત પાઠશાળાની સાથે એક અંગ્રેજી ખાતું જેડયું અને મુંબઈવાળી મહાન એલિફન્સ્ટન પાઠશાળા તો ૧૮૩૪ પહેલાં સ્થપાઈ ન હતી.
એલિફન્સ્ટનના આ કાર્યના હેવાલને અંતે. ૧૮૨૪ ના તેના દફતરી લેખમાંથી થોડાક ફકરા આપીએ. તે લખે છે કે –
આપણા હિંદી રાજ્યના સંબંધમાં એમ કહેવામાં આવે છે કે આપણે પૂર્વનાં રાજ્યને ઉથલાવી નાંખ્યાં અને દેશની ધનાઢયતાનાં સર્વ સાધનો બંધ કર્યા; અને તેની સાથે આપણે પોતે એક પણ કામ ઉપયોગનું કે ભપકાનું કરી બતાવ્યું નથી. પણ હું ધારું છું કે આ ન્યાયસર નથી, વધારે ન્યાય પુર:સર તો એમ કહી શકાય એવું છે કે આપણે તદેશીય જનસમાજના બુદ્ધિના ઝરા સુકાવી નાંખ્યા છે, અને આપણા વિજયને સ્વભાવજ એવો છે કે જ્ઞાનના વધારાનું સર્વ પ્રકારનું ઉત્તેજન નષ્ટ થયું છે એટલું જ નહિ પણ આ લેકની વિદ્યમાન વિવા પણ ગુમ થઈ જવાને અને પૂર્વના મેધાવી પુરૂષોનાં પુસ્તકે ભુલાઈ જવાનો સંભવ છે. આ ઠબકાને દૂર કરવા ખરેખર કાંઈક કરવાની જરૂર છે.
તેજ વર્ષમાં તેઓ લખે છે કે
જે રાજાની નોકરીઓ માટે તદ્દેશીય લોકોને યોગ્ય કરવાની સંભાળ રાખવામાં આવે અને પછીથી તેમને નોકરી લેવાને ઉત્તેજન આપીએ તો
આ ચિત્ર તરતજ પલટાઈ જાય. પણ થોડી મુદતમાં જે રીતે અત્યારે યુરોપિયન જીલ્લાના વિભાગો ઉપર દેખરેખ રાખે છે તે પ્રમાણે દેશીઓને રાખતા પણ આપણે જોઇએ. આગળ જતાં તેઓ રજીસ્ટ્રાર અને સબકલેકટર અને લેટરઅને જજજ સુદ્ધાંતના અધિકાર ઉપર આવી શકે અને રાજ્યતંત્ર અને
Page #322
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
લશ્કરી સત્તા યુરેપિયનેના હાથમાં રહે અને વહીવટી વગેરે ખાતાની જગાઓને મોટે ભાગ, અને લશકરી ખાતાની તાબાની જગાઓમાંની ઘણી દેશીઓના હાથમાં રહે એવી, સ્થિતિ ચિનાઓ અને તાર્તરીને લોકો વચ્ચે જેવી છે તેવી, અંગ્રેજી અને દેશીઓ વચ્ચેના સંબંધની સ્થિતિનો વિચાર કરવો એ કેવળ સ્વપ્નવતું નહિ ગણાય.
એ જમાનાના બે મોટામાં મોટા રાજપુરુષ એકજ વર્ષમાં હિંદુસ્તાનમાંથી લુપ્ત થયા. સર ટોમસ મને ૧૮૨૭ માં મરણ પામ્યા અને એલિફન્સ્ટને ચાર માસ પછી હિંદુસ્તાન છેડ્યું. તે જ વર્ષમાં લેવિલ્યમ બેન્ટિક ગવર્નરજનરલના પદ ઉપર નીમાયા, અને મને અને એલિફન્સ્ટને શરૂ કરેલું કામ પૂર્ણ કરવાનું તેમને હાથ આવ્યું.
લેર્ડ વિલ્યમ બેન્કિ, - જે વખતે લોર્ડ વિલ્યમ બેન્કિ હિંદુસ્તાનમાં આવ્યો તે વખતે નેપનના વિગ્રહ પછી બંધાતા. તન્દુરસ્ત લોકમતને તેજસ્વી પ્રતાપ યુરોપમાં વર્તતે હો. બેન્ટિક ઓગણીસમા સૈકાના પ્રથમ ભાગમાં મદ્રાસનો ગવર્નર હતા, અને ત્યાં બળવો થવાથી તેને પાછો બોલાવી લેવામાં આવ્યો હતો. તે પછી તે યુરેપના રાજ્ય પ્રવાહમાં પડ્યો. એક વાર તે સિસિલિ અને ઇલિમાં ડયુક ઓફ એલિયાની સાથે ટલિની સ્વતંત્રતાને માટે પેજના કરવામાં સામેલ હ; અને ૧૮૧૪ માં ને આ સર કર્યા પછી તેણે નેઇઝને તેમનું જૂનું રાજ્ય બંધારણ પુનઃ સ્થાપી આપ્યું, અને
લિયનને એક સ્વતંત્ર પ્રજા થવાના યત્નો કરવાને આમવ્યા. તેર વર્ષ પછી જ્યારે ફ્રાન્સમાં રાજ્યપરિવર્તનની તૈયારી હતી, અને ઈંગ્લાંડમાં રિફોર્મ એની ચળવળ થઈ રહી હતી તે વખતે ૧૮૨૮માં લોર્ડ વિથમ બેન્ટિક હિંદુસ્તાનના ગવર્નર જનરલના અધિકાર ઉપર આવ્યા,
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૨
પ્રકરણ ૭ મુ
એના વહીવટી અને કેળવણી સંબ ંધના સુધારા મના અને એન્ક્રિ ન્સ્ટનના માર્ગો ઉપરજ હતા. ઈન્સારી કામમાં દેશી અધિકારીઓને મેગ ભાગ આપ્યા, અને સદરઅમીન એ હાદ્દાથી દેશી જન્નેની એક ઊંચી પાયરી આ ખાતામાં સ્થાપી. કારાબારી અને મ્હેસુલના ખાતામાં પણ કેટલું ક કામ તેમને સાંધ્યું, અને ડેપ્યુટિ લેટર એ હેાદ્દાથી આ ખાતામાં પણ એક ઊંચી પાયરી સ્થાપી. તે પછી ૭૦ વર્ષના અરસામાં હિંદુસ્તાનના કેળવાયેલા લાકે કઠણ અને જવાબદારીવાળા કારોબારી કામને માટે પેાતાની શકિત પ્રામાણિકતા અને લાયકાત સાખીત કરીછે.
ઉત્તર હિંદુસ્તાનમાં ૧૮૨૨ ની સાલમાં થયેલી જમાબંદી જેમાં ઉપજના (ચારમાંથી) ત્રણ ભાગ જેટલા રાજ્યહુ હરાવવામાં આવ્યા હતે, તે લોકોને અત્યંત જુલમી લાગ્યા હતા. લેર્ડ વિશ્વમ બેન્ટિકે તે રીત ફેરવી નાંખી, અને રાજ્ય હક્ક કમી કરીને જેટલા કર્યો. ૧૮૩૩ માં બર્ડની દેખરેખ નીચે નવીન જમાળદી કરવામાં આવી તેથી લોકોને બહુ કરાર થયા, અને જમીનની ઉપજમાં વધારા થયા.
એમનાજ અમલ દરમિયાન રાજા રામમેાહનરાયે સતીના રિવાજ બંધ કરવામાં મદદ કરી અને સ્લીમાને ઠંગીને નષ્ટ કરી,
કમ્પનીના ચાર્ટર ૧૮૩૩ માં તાજો થયા, અને કમ્પનીનેા વેપાર નાબુદ થયા. હવેથી તેઓ હિંદુસ્તાનના વહીવટ કરનારાજ માત્ર રહ્યા અને લેડુ વિ થમ મેન્ટિક આ કામ માટે બહુ સમર્થ મદદગાર નીવડયા, આજ વખતે ગવર્નર જનરલની સભામાં વ્યવહારમત્રીની એક જગ્યા નવી સ્થાપવામાં આવી અને વિખ્યાત મેકાલે હિંદુસ્તનના પહેલા વ્યવહારમન્ત્રી નીમાયા.
લેાર્ડ વિલ્યમ અન્ટિન્કને જેવા ઉત્સાહી મન્ત્રીએા હતા તેના કરતાં વધારે ઉત્સાહી મન્ત્રીએ ખીન્ન કૈાઇ ગવર્નર જનરલને નહાતા. ઉપર આવી ગયું' છે કે ટ્રેવેશ્યનને હિંદુસ્તાનના વેપારાને આટલા બધા વખત સુધી રોકી
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૧
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ રાખનાર મુલકી જકાત રદ કરવા તરફ પહેલું નિયત પગલું ભર્યું. મેકેલે તમામ
વ્યવહારના કામમાં મદદગાર થયા અને પીનલ કોડ જે દુનિયાના સાહસ કોશોમાં ઉત્તમ ગણાય છે તેનો મુસદો ઘડો. લેડ વિલ્યમ બેન્ટિન્કના ઉપરામ પછી મેટકાફે તેનીજ નીતિનું અનુકરણ કર્યું અને પિતાના ટુંકા અમલની દરમિયાન હિંદુસ્તાનને છાપાની સ્વતંત્રતા બક્ષી.
ખરા સુધારાથી હમેશાં ખરચમાં કરકસર થાય છે તે પ્રમાણે લેર્ડ વિયમ બેન્ટિન્કના સમયમાં ઘણા વખતની જુની ટને બદલે વધારો જણાય. ૧૮૧૪ થી ૧૮૨૮ સુધીમાં બે કરોડ પાઉંડ જેટલી કુલ ખોટ થતી હતી; અને છેલ્લાં છ વર્ષમાં વર્ષે દહાડે ત્રીસ લાખની ખોટ આવતી હતી. લોર્ડ વિલ્યમ બેન્ટિન્કને હાથે ખેટ તે ગઈ અને ઉલટો બે કરોડનો વધારો થયે.
હિંદના રાજ્યવહીવટનો કાંઈ ખરો સુધારક નિન્દાથી બચી શક્યો નથી. હિંદી અમલદારોની સત્તામાં વધારે કર્યો તેથી યુરોપીયનોને માઠું લાગ્યું અને જે કાયદાથી તેમણે દીવાની અપીલે કલકત્તાની સુપ્રિમ કોર્ટ આગળ લાવવાનો હક ખેંચી લેવામાં આવ્યો તેનું નામ “ કાળો કાયદે”પાડયું. અને મેકોલે અને બેન્ટિન્ક ઉપર ગાળોનો વરસાદ વળ્યું. ઈતિહાસકાર થોર્નન્ટન પણ આ જાતિપક્ષપાતને વશ થયો હતો. જે બ્રિટિશ રાજપુરુષોએ હિંદના લોકોના સ્વાર્થમાં સુધારો કર્યો છે તે બધાની આવીજ દશા થયેલી આપણે જોઇએ છીએ. કેનિન્ગ અને રિપન એ તાજા દાખલા છે.
મુંબઈ કરતાં કલકત્તામાં ઈંગ્રેજી કેળવણીનો પ્રચાર વધારે હતું. કલકત્તાના એક ઘડીઆળી ડેવિડ હેરે એક અંગ્રેજી નિશાળ માંડી તેનું નામ ઈંગ્રેજી કેળવણીના પિતા તરીકે હજી બંગાળામાં મશહૂર છે. તે પછી ૧૮૧૭ માં માવિસ ઓફ હેસ્ટિંગ્સ કલકત્તાની હિંદુ કોલેજ સ્થાપી. તે પછી તરતજ હિંદુસ્તાનમાં અંગ્રેજી ભાષાઢારા કેળવણું આપવી કે સંસ્કૃત અરેબિક અને દેશી ભાષાઓ દ્વારા આપવી તે સવાલ ઉપસ્થિત થયે. એમાં પ્રાચ પંડિત
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૪
પ્રકરણ ૭ મું.
જેમને આ તરફના સાહિત્યનું સારું અને ઊંચું જ્ઞાન હતું તેમજ ઉદાર તુલને હતી તેમણે દેશીઓને પોતાની ભાષા દ્વારા કેળવણી આપવાની ભલામણ કરી પણ મેકેલે અને ટેવેયન જેવા વધારે વ્યવહાર પુરૂષોએ એ વિચાર બાંધે કે અર્વાચીન વિદ્યાની કેળવણી અર્વાચીન ભાષાહારાજ આપી શકાશે. મેકોલેની સમર્થ યાદી જે એક ઐતિહાસિક દસ્તાવેજ થઈ પડે છે તેણે આ ચર્ચાને નિર્ણય કર્યો. તેમણે સંસ્કૃત સાહિત્યની તુલના કરવામાં તે ભૂલ કરી હતી તે પણ તેને નિર્ણય સાચો આવ્યો હતો. તેણે લખ્યું છે કે,
“આપણે એક એવા જનમંડળને કેળવણી આપવાની છે કે જેમને અત્યારે તેમની માતૃભાષામાં કેળવણી આપી શકાય તેમ નથી. તેમને કેઈક પરદેશી ભાષા તે ભણાવવી જ પડશે. આપણી પિતાની ભાષાના હક્ક સંબંધે ફરીથી કાંઈ બોલવા જરૂર નથી. પશ્ચિમની ભાષાઓમાં પણ એ સર્વોત્તમ સ્થિતિ ભોગવે છે એટલું જ નહિ પણ હિંદુસ્તાનમાં અંગ્રેજી ભાષા રાજ્યકર્તાની ભાષા છે. રાજ્યપાનીઓના શહેરમાં ઊંચા વર્ગને દેશીઓ પણ તેજ ભાષા બોલે છે. પૂર્વના તમામ સમુદ્રમાં વ્યાપારની પણ એજ ભાષા થશે એ સંભવ છે. બે મોટી યુરોપીયન પ્રજાઓ જે એક દક્ષિણ આફ્રિકામાં અને બીજી ઓસ્ટ્રેલિયામાં ઉત્પન્ન થાય છે તેની પણ તે ભાષા છે. આપણા માહિત્યની ખરી કિંમત ઉપર વિચાર કરીએ આપણા દેશની વિશેષ સ્થિતિ ઉપર વિચાર કરીએ તો પણ બીજી બધી પરદેશી ભાષાઓ કરતાં આપણી ઇગ્રેજી ભાષા આપણી દેશી રૈયતને વધારે ઉપયોગી થઈ પડશે એમ માનવાને બળવાન કારણો છે.” " મેકોલેની યાદીની અપ્રતિતતાએથી પ્રાચ્ય પંડિતોને નસાડી મૂક્યા. એ નિર્ણય થયો કે હિંદવાનોને ઇગ્રેજી ભાષા દ્વારા કેળવણી આપવી. આ બનાવ પછી ઓગણીસમે વર્ષ ૧૮૫૪ માં કેળવણી સંબંધી ખરતાથી આ વિચારની યે પરિપૂર્તિ થઈ તેમાં એવું શાસન કાઢવામાં આવ્યું કે પ્રાથમિક કેળવણી દેશી ભાષાઓદ્વારા આપવી, અને તેમાં થઈને ઇંગ્રેજી ભાષાધારા
Page #326
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૫
ઊંચી કેળવણી તરફ જવાય. અત્યારે હિંદુસ્તાનની કેળવણીના સંબંધમાં આ રાજ્યનીતિ વર્તે છે.
સાત વર્ષના પરગજુ અને ફતેહમંદ અમલ પછી ૧૮૭૫ ના માર્ચની ૨૦ મી તારીખે લેર્ડ વિલ્યમ બેન્કેિ હિંદુસ્તાન છોડયું. મેલેએ બેન્ટિન્કની પ્રતિમાની પીઠિકા ઉપર લખ્યું છે તે પ્રમાણે-“પ્રજાનું સુખ એ રાજ્યનું સાધ્ય છે ”એ એ કદી ચૂક્યો નહતો.
હિંદુસ્તાનમાંથી ઉપરામ લીધા પછી બેન્કિ ૧૮૩૭ માં લિબરલ પક્ષનો પાર્લમેન્ટને સભાસદ ગ્લાસગો શહેર તરફથી નિમાયે હતું પણ તેણે પિતાને ઘણે વખત ફ્રાન્સમાં-ત્યાં તે વખતનો રાજા લ્યુઇ ફિલિપ-એને મિત્ર હતું-ત્યાં ગાળે અને ૧૮૩૯ માં તે પારિસમાં મરણ પામે. યુરોપીયને તરફથી એના ઉપર જે નિન્દાના વર્ષાદો વરસાવ્યા હતા તે ભૂલાઈ ગયા, અને ચાર વર્ષ પછી વેલ્યને નીચેના શબ્દોમાં બેન્ટિન્કના અમલનું વર્ણન આપ્યું છે જેને હિંદુસ્તાનમાં સાર્વત્રિક અનુદન અપાય છે.
, “લેડ વિથમ બેટિન્કના સંબંધમાં મારે સાક્ષી પૂર્વી જોઈએ કે જોકે હિંદુસ્તાનમાં આપણું રાજ્ય સ્થાપન કરવાનું માન બીજાઓને ઘટે છે તો પણ તે રાજ્યને ખરા પાયા ઉપર મૂકવાને મોટો યશ બેન્ટિન્ટને ઘટે છે. આ પાયે એ કે હિંદનું રાજ્ય હિંદવાના ભલા માટે ચલાવવાનું છે, અને એમાંથી જે લાભ આપણને મળે તે તેને આનુષાંગિક લાભોજ લેવા જોઈએ.”
મને એલિફન્સન બેટિક વેલ્યન મેટાફ મેકેલે એમના જેવા પુરૂએ હિંદુસ્તાનના રાજ્ય વહીવટના સંબંધમાં બહુ ઉંચી ભાવના ધારણ કરી હતી અને જે એક પ્રજા બીજી પ્રજાના લાભસારૂ મહેનત કરે એવું શક્ય હેત તે આજે હિંદુસ્તાન ઉપર હિંદવાના હિત માટે રાજ્ય કરાતું હોત, પણ મનુષ્યસ્વભાવમાં જ એક કામ બીજી માટે મહેનત કરે એ અસંભવિત છે. અને, અત્યાર સુધી હિંદુસ્તાનના તમામ સ્વાર્થો વ્યાપાર વિષયક ઐગિક
Page #327
--------------------------------------------------------------------------
________________
३१६
પ્રકરણ ૮ મું.
આર્થિક અને નાણાં સંબંધી, તમારું સ્વાર્થો ઈગ્લેંડના સ્વાર્થને પોષક કરી નાંખવામાં આવ્યા છે એ વાતને ન સ્વીકારવી એ એક પ્રકારનો પ્રમાદ છે. મનુષ્યજાતિએ હજી સુધી એવી કોઈ પણ રાજ્યપદ્ધતિ શોધી કહાડી નથી કે જેમાં આધીને પ્રજાને પિતાના વહીવટમાં યોગ્ય ભાગ-કાંઈક પ્રતિનિધિઓની સગવડ અને કાંઈક સ્વરાજ્ય-આપ્યા વિના એક પર પ્રજા તેને લાભ થાય તેવી રીતે તેના ઉપર રાજ્ય ચલાવી શકે. અને જ્યાં સુધી હિંદુસ્તાનમાં આ નીતિ સ્વીકારાય નહિ ત્યાં સુધી હિંદુસ્તાન ઉપર “હિંદવાનોને લાભ થાય તેવી રીતે રાજ્ય ચલાવવું જોઈએ ' એ શબ્દો વ્યર્થ નહિ તે દૂર મશ્કરી જેવાજ રહેશે.
પ્રકરણ ૮ મું.
મુંબાઈમાં એલિફન્સ્ટન (૧૮૧૭ થી ૧૮ર૭.)
છેલ્લા પેશ્વા બાજીરાવનું રાજ્ય ૧૮૧૭ માં બ્રિટિશ ખાલસા કર્યું, અને વળતા વર્ષમાં તેને પિતાને પણ ઘણી મુશ્કીલી પછી કેદ કર્યો. પછી તેને પેન્શન આપી વાનપ્રસ્થ કર્યો, અને તેનું રાજય તે હાલનો મુંબઈ ઇલાકાને સહુથી વધારે સત્વવાળો ભાગ છે.
આ પ્રદેશની જમાબંધી નક્કી કરવાનું કામ કમ્પનીના એક ઉત્તમત્તમ નોકરના હાથમાં આવ્યું. અગીઆરમાં લોર્ડ એલિફન્ટનના એક પુત્ર માઉન્ટટુઅર્ટ એરિફન્સ્ટન ૧૭૯૬ માં હિંદુસ્તાનમાં આવ્યા અને વિવિધ અનુભવ મેળવ્યા પછી ૧૮૧૧ માં પુનામાં તેમની નિમણુક થઈ. ૧૮૧૮ માં આજીરાવના ખાલસા કરેલા મુલકના કમિશનર તરીકે તેઓ નીમાયા.
Page #328
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનની આર્થિક ઇતિહાસ.
૩૧૦
આના કરતાં વધારે સારી પસંદગી થઇ શકત નહિ, એલ્ફિન્સ્ટન મનેાથી લીસ વર્ષે નાના હતા; તેનામાં મ્હેસુલી કામ કરવાની તેમના જેવીજ શક્તિ હતી; લેકેાને માટે એમના જેટલાજ અનુરાગ હતા, તેમના જેવીજ સાક્ષરવૃત્તિ અને ભારતસામ્રાજ્યની આબાદી વધારવાની વિશાળ અને એક રાજપુરૂષને છાજે તેવી અભિલાષા હતી. ઓગણીસમા સૈકાના પહેલા ભાગમાં હિંદુસ્તાનને સદ્ભાગ્યે લેાકાનુરાગી અને કાર્યદક્ષ રાજ્યપુરૂષા મળી આવ્યા હતા પણ મદ્રાસમાં મા અને મુંબઇમાં એલ્ફિન્સ્ટન એ બન્ને કંપનીના ખીજા નાકરાને મુકાબલે ઘણાજ ઊંચા હતા એમ કહેવામાં તે નાકરાને ગેરઇનસાક્ નથી થતા. ઓગણીસમા સૈકાના પાછળના ભાગમાં આ વર્ગના રાજ્યપુરૂષે ટી ગયા એથી દરેક વિચારશીલ પુરૂષને શેાક થાય છે.
પેશ્વા પાસેથી જીતેલા મુલક સબધી એલ્ફિન્સ્ટને ૧૮૧૯ માં એક યાદી ગવરનર જનરલને મેકલાવી હતી તે યાદીમાં તે દેશના એક કુશલ કલમે લખાયલા હેવાલ છે; અને તેમાં જમાબંધી વગેરેને માટે લીધેલાં પગલાંનું વર્ણન છે. તે યાદી ઘણી લાંબી છે. અહીંઆં તેમાંથી ઘેાડાક ઉતારા લઇએ,
ગ્રામસ સ્થા.
આપણે જે દૃષ્ટિબિન્દુથી દક્ષિણના સ્વદેશી રાજ્યનું અવલેાકન કરીએ તેમાં પહેલી અગત્યની વાત ગ્રામસ ંસ્થા અને નગરત્વના વિભાગની યાજના છે. આ સંસ્થાએમાં એક નાની રાજ્યરચનાનાં સર્વ સાધતા વિદ્યમાન જણાય છે; અને તેમને બહારના રાજ્યતંત્ર અદશ્ય થાય તેપણુ પોતાનું રક્ષણ કરવાને તે શક્તિ ધરાવે છે. જોકે ઘણે અંશે એક સારી રાજ્યરચનાને તે અનુકૂલ ન હેાય, તાપણ નઠારી રાજ્યરચનાની ખામીઓને માટે તે તે ઉત્તમ ઉપાય છે. તેની ભેદરકારી અને નબળાઇની ખરાબ અસરેને તે અટકાવે છે અને વિશેષમાં તેના ત્રાસ અને જુલમને સામે ક ઇંક ટકાવ પણ કરી શકે છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૮
પ્રકરણ ૮ મું.
દરેક ગામની પાછળ અમુક જમીન નિર્માણ કરેલી હોય છે, જેની વ્યવસ્થા તે ગામની વસતિને સોંપવામાં આવેલી છે. સીમાઓનાં નિશાન બહુ કાળજીથી ઉભાં કરેલાં હોય છે, અને બહુ સંભાળથી તેનું રક્ષણ થાય છે. તે હદમાં જુદાં જુદાં ખેતરો પાડેલાં હોય છે, અને તે ખેતરના શેઢાઓ પણ બરાબર જાણી શકાય છે. દરેક ખેતરને પોતાનું નામ હોય છે, અને તેમાં ખેતી ઘણા વરસથી ન થતી હોય તો પણ તે બીજાથી જુદું જ રાખવામાં આવે છે. ગામ વાસીઓ ઘણું કરીને તમામ જમીનના ખેડુતોજ હેય છે; અને તેમની જરૂરીયાત પુરી પાડવા તેમાં કેટલાક દુકાનદારો અને કારીગરે. પણ હોય છે. ગામને એક પાટીલ-નામનો મુખી હોય છે, તેને ચાગુલા એ નામનો એક મદદગાર હોય છે અને કુલકર્ણ એ નામનો એક કારકુન હેય છે. તે સિવાય બીજા બાર કામ કરવાવાળા હોય છે જેમને બારાબલોતી એ નામથી ઓળખવામાં આવે છે. ગામના જોશી ગોર, સુથાર, હજામ વગેરે પણ ગામના વહીવટ સાથે સંબંધ ધરાવનારા અધિકારી તે સોનાર અથવા પોટદાર છે જે તેની અને નાણુંને પારખનાર છે; અને મહાર જેને બીજાં કેટલાંક કામ સાથે ગામની ચોકી કરવાનું કામ કરવું પડે છે. આ બધામાં મૂલ કુટુંબના વિસ્તારના પ્રમાણમાં એક અથવા વધારે વ્યક્તિઓ હોય છે.
હારની સંખ્યા ચાર અથવા પાંચ કરતાં ઓછી કવચિત્ હેાય છે, અને તેમના સિવાય જ્યાં રામોશીની સંખ્યા વધારે હોય છે ત્યાં તેમને પણ ચોકીના કામમાં સામેલ કરવામાં આવે છે, પણ તેઓને મહારનાં બીજાં કામ કરવાં પડતાં નથી.
પાટીલ–એ ગામના સહુથી વધારે મહત્વના અધિકારી છે અને તેઓને વર્ગ તે દેશમાં પણ સહુથી વધારે અગત્યને વર્ગ છે. તેમને અધિકાર રાજયના (મોઘલ બાદશાહના ) ફરમાનની રૂઇએ મળેલ છે, તે અધિકારને અંગે તેમને અમુક જમીન અને કઇક રકમો મળે છે, તે સિવાય તેમને બીજાં નાનાં મોટાં હોય અને આબરૂ છે, જેને માટે તેઓ જમીનના જેટલાજ ચુસ્ત છે. તેમને અધિ
Page #330
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૧.
કાર અને તે અધિકારની રકમો વંશપરંપરાની છે. સરકારની મંજુરીથી તેઓ તે વેચી શકે છે; પણ બહુ જરૂર વિના તેઓ તે વેચતા નથી, છતાં ઘણીવાર તેઓ ભાગદાર તરીકે કોઈને રાખે છે. પરંતુ જુના કબજેદારની મહતાને ખામી ન આવે તેવો બંદોબસ્ત કરવા તેઓ ચૂકતા નથી. પાટીલ એ પિલિસને મુખી છે, અને પિતાને ગામમાં ન્યાયના કામકાજને માટે પણ તેજ જવાબદાર છે, પણ અહીં તે મહેસુલી અધિકારી તરીકજ એનું. ઓળખાણ કરાવવા જરૂર છે.
આ દરજજામાં તે કલેકટર અથવા મામલતદાર મોટા પ્રમાણમાં જે કરે છે તે જ કામ ટુંકા પ્રમાણમાં કરે છે. જે ખેડુતને પિતાની જમીન ન હોય તેમને તે જમીન સંપી આપે છે, અને દરેકે શું આપવું તે તે ઠરાવે છે. તમામ રેયત પાસેથી સરકારને આપવાની મહેસુલ તે ઉઘરાવે છે. સરકાર . અને તેમના વચ્ચેની તમામ ગોઠવણે તેજ ચલાવે છે, અને ગામની ખેતીની અને સામાન્ય આબાદીને માટે શ્રમ લે છે. જોકે આરંભમાં તે તે સરકારને પ્રતિનિધિ હતો પણ હવે તે તે રેતનો પણ પ્રતિનિધિ લેખાય છે, અને સરકારના હુકમને અમલ કરવામાં તે જેટલો ઉપયોગી છે તેટલું જ તે રૈયતના હકકોનું રક્ષણ કરવામાં અથવા લેકની ફર્યાદે રજુ કરવામાં સરકાર આગળ પણ ઉપયોગી થાય છે.
મીરાઝદાર,
ખેડુતેનો મોટો ભાગ સરકારને તેમને હક આપવાની શરતે જમીનના માલીક છે. તેમની મિલકત વંશપરંપરા ઉતરી શકે છે અને ચહક્ક વાળી છે.
જ્યાં સુધી તેઓ સરકાર આપે જાય ત્યાં સુધી તેમને કબજે લઈ શકાતે નથી અને એટલું જ નહિ પણ કદાચ ન ભરાય તોપણ ત્રીસ વર્ષ સુધીમાં સરકારની લાગત ભરીદે તે પિતાની જમીન ફરીથી કબજે લેવાનો તેમનો હક ઉભો
Page #331
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું.
-
~
રહે છે. આ સરકાર હક નિયત છે, પણ મરાઠા રાજ્ય તેના ઉપર બીજા એટલા બજા મુક્યા છે કે જેથી આ લાભ હવે નામનો જ રહ્યા છે. છતાં આનાથી તેમની મીલકતની કિમત ઘટી નથી. જોકે સરકારે જમીન જપ્ત કરવાના હકનો અમલ કરીને તેમની પાસેથી નાણાં લેવામાં બાકી રાખી નથી અને ઘણા મિરાઝદારોને બીજાની વતી નાણાં આપવાં પડ્યાં છે તો પણ તેમની મીલકત વેચાણ થઈ શકી છે, અને તે દશ વર્ષની ઉપજ જેટલી કિમતે,
મહારાષ્ટ્રમાં એક એવો અભિપ્રાય ફેલાયો છે કે પ્રાચીન હિંદુરાજ્યમાં તમામ જમીન મિરાઝદરોના હાથમાંજ હતી અને જ્યારે જૂના માલકા મુસલેમાનના જુલમ નીચે આવ્યા ત્યારે ઉશ્રી દાખલ થઈ હતી. આ વાતને આટલાથી ટેકો મળે છે કે ઉઠીથી ખેડાતાં ઘણાં ખેતરો ગેરહાજર માલીકોનાં નામ ઉપર છે અને આની સાથે જ્યારે આપણે બીજ સંયોગોનો વિચાર કરીએ અને જોઈએ કે મનુએ ઘણોજ થોડે કર મુકરર કર્યો છે ત્યારે હિંદુઓને રાજ્યમાં (જે એક સરખી રીત સર્વત્ર હોય તે) જમીનમાં ખાનગી માલિકીના ધોરણે જમીનનો કર મુકરર કરવામાં આવ્યો હશે એવું સબળ અનુમાન થાય છે.
બ્રિટિશ રાજ્ય નીચે થયેલા ફેરફાર. આપણા હાથમાં આ મુલક આવ્યા પછી મહેસુલને માટે જે પદ્ધતિ અંગીકાર કરવામાં આવી છે તે મારા જુલાઈ દશ અને જુલાઈ ચંદના પત્રમાં જણાવવામાં આવી છે. આના મુખ્ય ધોરણો એ છે કે ઇજારો બંધ કરવા પણ તે સિવાય બીજી તમામ દેશી રીત કાયમ રાખવી. વાસ્તવિક રીતે જેટલી ખેતી થઈ હોય તેના ઉપરજ મહેસુલ લેવી; મહેસુલનો દર હલકો રાખ; નવા કર નાંખવા નહિ; અને જુના દેખીતી રીતે ગેરવાજબી હોય તે જ રદ કરવા, નહિતો નહિ; અને સહુ કરતાં વધારે અગત્યનું છે કે કોઈપણ નવીનતા કરવી નહિ, પરદેશીય રાજ્ય અને પરદેશી રાજાઓને લીધે ઘણું ફેરફાર થયેલા છે,
Page #332
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
૩૨૧
પણ મ્હેસુલી ખાતામાં તે ધણાખરા લાભાયક નીવડ્યા છે. પ્રથમ આ દેશ જુદાદ જુદા પ્રમાણુના તાલુકા ઉપર દેખરેખ રાખનારા ઘણા મામલતદ્મસના તાખામાં હતેા તેને બદલે મેં હવે પાંચ ગણી વધારે જવાબદારી અને આબરૂવાળા મુખ્ય અમલદારાના હાથમાં સાંપી દીધા છે. હવે મુખ્ય અધિકારી જીલ્લામાંજ રહે છે તેના આખા વખત તે જલ્લાના કામકાજમાંજ ગાળે છે અને તેના તામાના તમામ માણસાને તેવુ અનુકરણ કરવું પડે છે. મરાઠાઓના છૂટા છૂટા મ્હેસુલી વિભાગાને બદલે હવે મેં એકઠા તાલુકા કરી નાંખ્યા છે જે દરેકની વાર્ષિક ઉપજ ચાસથી સીત્તેર હજારની અને તે મામલતદારની દેખરેખમાં સાંપ્યા છે.
છે
પરરાજ્યની અનિષ્ટતાઓ.
આ દેશ હજી સુધી ઘણી અનિષ્ટતાઓમાંથી બચી ગયા છે, પણ પરરાજ્યના આવાગમનને લીધે હવે તે તેના ઉપર આવ્યા વિના રહેશે નહિ; તો પણ કદાચ એના માટે ભાગ બરાબર કાળજી રાખ્યાથી દૂર રાખી શકાશે. ઉપરની ઘણી ખરી જાતા મુકાબલે ગરીબ થઇ જવાની અને જે લેકે। દરબારમાં અને લશ્કરામાં નેાકરી કરી ખાતા હતા તેમાંના ઘણા રાટલા વિનાના થઈ જવાના. આ બે દુઃખા બાજીરાયના રાજ્યના આરંભમાંજ આવ્યાં હતાં, પણ રાજ્યતત્રનુ ં ચાકડું તેનું તે કાયમ હેાવાથી આની ખરાબ અસરો કેટલેક અંશે નષ્ટ થઇ શકી હતી. આપણે તેજ ચેાકઠું કાયમ રાખી શકીશું કે નહિ તે સવાલ હજી ચર્ચવા બાકી છે. ગામડાના સંબંધની ચાકીની પદ્ધતિ તો સહેલાઇથી રાખી શકાશે; પણ તે કાયમ રાખી મામલતદારના તાબામાં સાંપવાથી ચેાગ્ય થશે કે કેમ તે બાબતમાં મને શક છે. પટેલની આબરૂ અને લાગવગ એના ગામમાં સાચવી રાખવી જોઇએ; અને તેમ કરવા સારૂ ખર્ચની બાબતમાં અને નાના નાના ગુના ઉપર અંકુશ રાખવાની ક૪
21
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૨
"
પ્રકરણ ૮ મું.
સત્તા તેને આપવી જોઈએ. બધા ગુનાઓની તપાસ યુરોપિયન અમલદારોને હાથેજ થવી જોઈએ એવી મારી ઇચ્છા નથી એટલું જ નહીં પણ મારી એમ ઇચ્છા છે કે મામલતદારે પણ તે કેટલાક તે પટેલને માથે નાખવા જોઈએ કે જેથી જે સત્તાની મદદ ઉપર આપણા રાજ્યચક્રનો ઘણો આધાર છે તે બની રહે. પટેલની ઉમંગી મદદની મહેસુલના મુખ્યાધિકારીને જરૂર છે તેટલીજ દીવાની ફોજદારી ઈન્સાફ અને પોલિસ ખાતાને પણ જરૂર છે; અને હરેક રીતે તે મદદ સંભાળી રાખવી જોઈએ. તેમની ફરજ કઠણ ન થઈ પડે, અને તેમની લાગવગ વારંવાર ઉપરીઓની દરમિયાનગિરીથી નબળી ન પડી જાય તેને માટે પુરતી સંભાળ રાખવી જોઈએ. તેમની સામે જુલમની ફરિયાદ થાય તે તરતજ સાંભળવી, પણ અમુક રીતભાત ઉપર ધ્યાન ન આપ્યું તેટલા માટે તેમને હેરાન કરવા એ મને ઠીક લાગતું નથી; એટલું જ નહિ પણ નાની ફરિયાદ-જે કંઇપણ પક્ષકારને ગંભીર પ્રકારની શિક્ષા કરવામાં ન આવે તે તેઓ પોતાની રીત પ્રમાણે ચૂકવે એવી છૂટ પણ હું એમને આપું.
કેળવણી
ચોપડીઓ બહુ જૂજ છે, અને સામાન્ય વપરાશની ચોપડીઓની પસંદગી પણ ઠીક નથી; તે પણ હિંદુઓની ભાષામાં વાર્તાઓની એવી ઘણી ચોપડીઓ છે કે જે સામાન્ય રીતે વાંચી શકાય અને સારી નીતિ શીખવી શકે. એ ઉપરાંત તેજ અર્થ વધારે પ્રત્યક્ષ રીતે સાધી શકે તેવી ધાર્મિક ચોપડીઓ પણ જોઈએ. જો આવી પડીઓ છપાઈને સસ્તે ભાવે વેચાય અથવા મફત વહેંચાય તે બેશક બહુ મોટી અને સારી અસર થાય; પણ એટલું અવશ્યનું છે કે તે શુદ્ધ હિંદુ પુસ્તક હોવાં જોઇએ. શકપડતી નીતિના ઉપદેશે આપણે મૂકી દઈએ, ૫ણ ધાર્મિક વિષયમાં વિવાદાસ્પદ વિષયને જરાપણ સમાવેશ કરવામાં આવે છે આખી જના રદ જશે.
Page #334
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ
૩૩
હિંદુઓને સુધારવા સારૂ તેમના વહેમનો ઉપયોગ કરે અને ધર્મના બંધનથી તેમના દુર્ગુણ ઉપર અંકુશ મૂકે તે વધારે સારું છે; કારણ કે કાયદા કરતાં તે વધારે બલવાન છે. એમના હમણાંના સિદ્ધાન્ત સાચવી રાખ્યાથી અને શુદ્ધ કર્યાથી અને તેની સાથે તેમની બુદ્ધિને પ્રકાશ આપ્યાથી આપણે પૂર્ણતાના ધોરણ ઉપર તેમને લાવવા ઇચ્છીએ છીએ તેની નજીક આપણે લાવી શકીશું; પણ તેમના ધર્મના સિદ્ધાન્ત ઉપર કોઈ પણ પ્રકારને હુમલો થાય અને તે જે ફતેહમંદ થાય તે જેમ વ્યવહારમાં આપણે જોઈએ છીએ તેમ સિદ્ધાન્તમાં પણ ધર્મ માટે તેમનું તમામ માન નષ્ટ થઈ જાય, અને હેમી સિદ્ધાતે પણ કામ ક્રોધાદિક ઉપર જે અંકુશ મૂકે છે તે ઉપયોગી અંકુશમાંથી તેઓ કેવળ નિર્મુક્ત થઈ જાય એ સંભવિત છે.”
ગામ પંચાત
આ બધી ખામીઓ છતાં મરાઠાને મુલક આબાદ રહ્યા, અને આપણા વધારે સારા રાજ્યતંત્રમાં કેટલાક દુકામાંથી લેક પણ મુક્ત હતા, તેથી તે પદ્ધતિની દેખીતી ખામીની સામે કંઈ ફાયદા હેવા જોઈએ. મને એમ લાગે છે કે તે ફાયદા એવા હશે કે જેકે રાજ્યતંત્ર લેકને ન્યાય મળે તેને માટે કંઈ કરૂં નહિ પણ તે ન્યાય પોતે પોતાની મેળે મેળવી લે એટલી એમને
સ્ટ આપતું. આને શાયદો હલકી જતોમાં બહુ જણા; જે જાતો ઉપર રાજ્યતંત્ર પહેાંચી શકે નહિ અને પ્રત્યેક રાજ્યતંત્રમાં જે જાતે વિસરાઈ જવાનો સંભવ પણ છે, તેમાં ખાસ કરીને.
પંચાયતના સાધનથી તેઓ પિતતામાં ઈન્સાફ કરી શકતા. આ પદ્ધતિની સામે જે વાંધા લેવામાં આવે છે તે વાંધાઓને તેમના સંબંધમાં અવકાશ બડુ થોડે જણાય છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
उ२४
પ્રકરણ ૮ મું.
એટલા માટે મારી દરખાસ્ત છે કે આ દેશી પદ્ધતિ સાચવી રાખવી; અને તેને દુરુપયોગ બંધ કરે અને તેના સત્ત્વનું સંજીવન કરવાનાં પગલાં લેવાં. આ પ્રયોગ દેશીઓને પણ કોઈ મોટા ફેરફાર કરતાં વધારે પસંદ પડશે, અને જો તે નિષ્ફળ થાય તો આપણી અદાલત દાખલ કરતાં કંઈ વાર નહિ લાગે.
આપણાં મુખ્ય સાધન તરીકે પંચાયત રહેવી જ જોઈએ; અને તેના સંબંધમાં કાંઈ નવા કાયદા કાનુન કે દરમિયાનગિરી આપણા તરફની હવે જોઈએ નહિં.”
ઉપરના ઉતારુઓ ઉપરથી જણાશે કે એલ્ફિન્સ્ટનનો વિચાર મરાઠા એની સંસ્થાઓમાં જેટલું સારું હોય તેટલું સાચવી રાખવાનો હતે. એલ્ફિર
ન્ટનની પછી આવનારા અમલદારો ફેરફારો દાખલ કરવામાં આટલાજ સાવધાન રહ્યા હોત તો આપણા દેશને માટે ઘણું સારું હતું, પણ તે પછીના અધિકારીઓના વહીવટ નીચે ગામાતો અદશ્ય થઈ ગઈ છે અને વધતી જતી મહેસુલની માંગણીથી ખેડુત માલીકોના મુકરર રાજ્યહકકે આપે જવાની શરતે પોતાની જમીન ધારણ કરવાના હકકો નાબુદ થઈ ગયા છે.
એલિફન્સ્ટનની મોટી શક્તિને લીધે રાજ્યચક્રના સર્વોપરિ અધિકારી થવાની તેની યોગ્યતા સ્પષ્ટ જણાઈ આવી; અને સર ટોમસ મનની મદ્રાસના ગવર્નર તરીકે નિમણુક થઈ તેની અગાઉ એક વર્ષ ઉપર એટલે ૧૮૧૯ માં મુંબઈના ગવર્નર તરીકે એલિફન્સ્ટનની નિમણુક થઈ. એના આઠ વર્ષના અમલ દરમિયાન મુંબઈ ઇલાકામાં વાજબી જમાબંદી કરવાના તેના પ્રયત્નોને ટુંકે હેવાલ આપવાની જરૂર છે.
ભરૂચ,
૧૮૨૧ માં ગવર્નરે ભરૂચની મહેસુલના સંબંધમાં એક યાદી લખી છે
Page #336
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનનો આર્થિક ઇતિહાસ ૩૨૫ તેમાં બ્રિટિશ સામ્રાજ્ય નીચે જમીન મહેસુલને જે વધારો શરૂ થયો હતો તે બાબતનો પોતાની નાખુશીની નોંધ કરી છે. લખે છે કે –
મહેસુલને અાંકડે ગામે ગામ આખા ગામને માટે મુકરર થાય છે અને વ્યકિતઓની સ્થિતિની તપાસ થતી નથી. વર્ષોવર્ષ, ઉપજ લેવાને વખતે એકાદ વંશપરંપરાના મહેસુલી અધિકારીને મોલની તજવીજ કરવા મોકલે છે. તે એક પત્રક બનાવે છે. તેમાં જમીનની જાત પાક વગેરેની નોંધ કરેલી હોય છે અને ખેતરવાર અંદાજ ઉપજના આંકડા ભર્યા હોય છે. આને સરવાળો કર્યો એટશે તે ગામની કુલ દાણાની ઉપજનો આંકડો નીકળી આવે છે. સાધારણ ધોરણ એ છે કે દાણાના વેચાણની જે પેદાશ આવે તેનું અરધ સરકારે લેવું અને અરધ રૈયતને રહે.
હમેશાં કોઇપણ આંકણી ભારે છે કે હલકી તે સમજવું મુશ્કેલ છે. પણ અહીં જે એજના અમલમાં છે તે ઉપરથી તે અશક્ય છે. આ વર્ષમાં સાડા ચાર લાખનો વધારો થયેલ છે અને આ બાબતનો વિચાર કરવાથી મને આનંદ થતો નથી.
અમદાવાદ,
એજ દિવસે ખેડા અને અમદાવાદની જમીનની મહેસુલના સંબંધમાં તેણે એક યાદી લખી છે, અને તેમાં પણ તેજ સાવધાની અને તેજ આનકાની જણાય છે.
અમદાવાદ જીલ્લામાં ગામડાંનાં ગામડાં સહુથી વધારે માગણી કરના રને આપવામાં આવે છે. આથી ઉપજનાં સર્વ સાધના મેદાનમાં આવે છે તેમજ ઈજારદારની સૂચનાથી પંચાયત દ્વારા વિટીના આંકડા વધારી દેવામાં આવે છે. આ બધાથી મહેસુલનો આંકડો બહુ ભારે થઈ જવા સંભવ છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ મુ.
સુરત.
૧૮૨૧ ના મે માસમાં એલ્ફિન્સ્ટને સુરતના સંબંધમાં એક યાદી લખી છે, તેમાં પણ જમીનની મ્હેસુલના ભારેપણુા માટે એજ દીલગીરી બતાવી છે.
૩૨૬
આ જીલ્લામાં લેાકેાની જે સ્થિતિ છે તે ઉપર જો મારે નિર્ણય કરવાના હાય તે હું એમ કહું કે અત્યારે આ જીલ્લે અત્યંત ચૂસાઇ ગયેલે છે. રૈયત કપડાં અને ઘર બન્નેમાં બહુ દુઃખ વેઠે છે, અને જો કે આ જીલ્લાના કેટલાક ભાગમાં બહુ સારી ઉપજ થઇ શકે તેમ છે. તાપણુ ખીન્ન ભાગામાં ખેતી અહુજ અપૂર્ણ છે એમ કહેવુ જોઇએ. આ દુઃખ અત્યારની પદ્ધતિનાં છે એમ નથી. એથી ઉલટું અત્યારે જે પગલાં લેવામાં આવે છે, તેથી તે તેને બહુ સુખ થવા સંભવ છે. મેટામાં મોટું વિઘ્ન એ છે કે જમાબન્દી બહુ ભારે છે અને વખતે અનિયમિત છે.
કાકણ,
ઉત્તર કાકણમાં પણ સ્થિતિ અસ્વસ્થ હતી. દેશપતિએ એવી ભલામણ કરી કે રાજ્ય હકક કુલ ઉપજતા એક તૃતીયાંશ જેટલા રાખવા જોઇએ; હલકા પ્રકારની જમીનને માટે એથી હલકા દર રાખવે.—જમીનના ત્રણ અથવા ચાર પ્રકાર પાડવા; વજેને રિવાજ કહ્રાડી નાંખવા કારણ ક્રુ સરકારને એમાં ખરચ ઘણું પડે છે; અને હલકા દરજ્જાના દેશી અમલદારને નાણાં ઉચાપત કરવાની તક મળે છે. તેને બદલે જે રકમ ઠરાવવામાં આવે તે છ વર્ષને માટે મુકરર કરવી, અને જમાબન્દીને દુર હમેશને માટે ન ઠરાવતાં ખાર વર્ષને માટે ઠરાવવે.
દક્ષિણ કાકને માટે તેજ વર્ષમાં એક બીજી યાદી લખાઇ હતી; તેમાં ખાટ અને ખેડુતના સામાન્ય હકકાની નાંધ કરેલી છે,
Page #338
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ. ૨૭ ગામડાઓ કુલાર્ગો કે બેટગી કહેવાય છે, પહેલી તરેહનાં ગામમાં ખેડુતને મુકરર વજેભાગ આપ પડે છે, અને તે સિવાય તેની પાસે બીજું કંઇ લેવાતું નહિ. પણ ખોટી ગામમાં ખોટ અથવા મુખી અમુક અનેક પ્રકારની રૈયત પાસેથી અમુકજ લઈ શકે પણ બીજા ખેડુતો પાસેથી અથવા પિતાની જમીન ખેડવાવાળા પાસેથી તેઓ નજરમાં આવે તે રીતે સારું કરી શકે છે. અને તેથી આ જીલ્લામાં બે જ પ્રકારના ખેડ હકની રીત છે. ધરકરી અને અર્જેલી તેને ખુલાસે મળી શકે છે.
પહેલી તરેહ દક્ષિણના મિરાસી હક્કના જેવી છે; કારણ કે જ્યાં સુધી દેશરીવાજ પ્રમાણે એ આપ્યાં કરે ત્યાં સુધી તેને કબજે છોડાવી શકાતો નથી. અને જો કે તે વેચાણ કરી શકતા નથી તે પણ તે બેશક ઘરેણે મુકી શકે છે. અને એમ મનાય છે કે તેને તેની વ્યવસ્થા કરવાને સર્વ હક્ક છે.
અર્ધલી રૈયત બીજે ઠેકાણે ઉપ્રી છે તેના જેવા હકવાળી છે. તે પેટ અથવા બીજા કોઈ ધારણ કરનારની ખેડ હેય છે, તેનાથી તેની જમીન વેચી શકાય નહિ, તેમ ઘરેણે મુકી શકાય નહિ; કારણ કે તે જમીન ઉપર હક્ક તે બીજાજ છે; અને એ માત્ર રજામંદીથી કબજો ભોગવે છે. જો માલીક પિતાના હાથમાં જમીન રાખવાને વિચાર કરે અથવા બીજા કોઈને સાંથવાનો વિચાર કરે તો તે કબજેદારના કબજે છોડાવી શકે છે. જો કે બીજાને આપવામાં જે કબજેદાર નિયમસર વસુલ આપે જતો હોય તેના ઉપર એક પ્રકારની કૂરતા થઈ મનાય, વસુલના કરાર ઘણું કરી વર્ષો વર્ષ નવા થાય છે, એટલે માલીકની જે જમીન છોડાવવાની મરજી હોય તે તેને હકક એટલે સુધી વધારી મુકે કે જમીન ખેડવી પિસાય નહિ. અર્ધલી હકક વાળી જે યિત ક્યારીની જમીન વાવે છે તે ઘણે ભાગે માલીકને વજેને અરધ ભાગ આપે છે.
આ ઉપરથી આપને જણાશે કે ખોટ બંગાળાના નાના જમીનદાર જેવા છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રકરણ 2 મું.
દક્ષિણ દક્ષિણમાં મિ. ચેપ્લિન એલ્ફિન્સ્ટન પછી કમિશનરના અધિકાર ઉપર આવ્યા. તેના ૧૮૨૧ ના નવેમ્બર અને ૧૮૨૨ ના ઓગસ્ટના રિપોર્ટનાં બીજા પાંચ પાનાં ભરાયાં છે.
પુના, અહમદનગર, ખાનદેશ, ધારવાડ, સતારા અને દક્ષિણની જાગીરોની વસ્તિ ચાળીસ લાખની અડસટવામાં આવી હતી. પ્રથમ જે જમાળન્દી થઈ તેમાં મનની તૈયતવારી અને મદ્રાસ રવિન્ય સભાએ યોજેલી ગ્રામસંસ્થાની રીતિને સંયોગ કરવામાં આવ્યો હતે. જે જમાબન્દી થઈ તે યિતવારી પદ્ધતિની કહેવામાં તેમજ વાસ્તવિક રીતે હતી. પણ જૂદા જૂદા ખેડુતોને વહેંચી આપવાની બાબતમાં ગામના અધિકારીઓને સારી છૂટ આપી હતી. નાના ફડનવિસના વખતમાં જે રીત ચાલતી હતી, તેનાથી આ નવી રીત વસ્તુતાએ જુદી ન હતી; ફેર એટલો જ કે મામલતદારને એમાં વધારે ઘટાડે કરવાનો હકક ડે હતે. રૈયત આપવાની રકમ, ખેતી તથા પ્રથમ જે લેવામાં આવતી રકમ, એ બેને હિસાબે મુકરર કરવામાં આવતી; અને રાજ્યકક વસુલ કરવામાં પ્રથમ કરતાં સખ્તાઈ વધારે રહેતી. ૧૮૧૭ માં નવા પ્રાંતની ઉપજ ૮,૦૦,૦૦૦ પાઉંડ હતી, તે ૧૮૧૫ માં ૧૧૫૦૦૦૦ પાઉંડ જેટલી થઈ અને તે પછી થોડા વર્ષના અરસામાં ૧૫૦૦૦૦૦ પાઉંડ સુધી પહોંચી. ગામડાંઓના સ્થાનિક અધિકારીઓની સત્તા કમી કરવા માંડી. કમ્પનીના નોકરોને દરેક શખસ જેડે વધારેને વધારે સંબંધમાં આવવાનું ગમવા લાગ્યું; અને તે પછી થોડા જ વખતમાં મદ્રાસની પેઠે મુંબાઈમાંથી પણ ગ્રામસંસ્થાઓ વસ્તુતાએ નાબુદ થઈ ગઈ.
ખાનદેશ, આ છેલ્લા કેપ્ટન બ્રિગ્સના વહિવટ નીચે હતો. આ ગૃહસ્થ તે હિંદુસ્તાનના ન્ડ ટેકસ” ( જમીનને હ૪ ) એ પુસ્તકનો કર્તા અને પાછળથી ફેરીસ્તાના
Page #340
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનના આર્થિક પ્રતિહાસ.
કરદ
હિંદુસ્તાનના ઇતિહુાસનેા ભાષાન્તરકાર. ખાનદેશમાં ઉદાર અને તેજસ્વી રાજ્યનીતિવાળા પ્રથમના મુસલમાન રાજાઓના વખતમાં ઘણે ખરચે બંધાયલા બધા અને ન્હેરેની પાયમાલીની નિશાનીએ આ ગૃહસ્થને માલુમ પડી પણ તેના વખતમાં ખાનદેશ ઉજ્જડ અને ગરીબ થઇ ગયા હતા. વારવાર થતી લડાખ, ભીલ લકાની લૂંટફાટ અને અધુરામાં પૂરૂ વાધના દરાડા-જેનાથી ત્રણ મહિનામાં પાંચસે' માણસા અને વીરા હજાર ઢારના ઘાણ વળી ગયો હતા, તેનાથી આ જીલ્લાના દુ:ખાની અવિધ હતી, અને લેાકની સ ંપત્તિનું પ્રમાણભૂત દફતર ન હોવાથી કેપ્ટન થિંગ્સને ઊંચા નીચા દર વચ્ચે નિર્ણય કરવાનું કંઈ સાધન નહતું.
પુના
પુના જીલ્લે કૅપ્ટન શબર્ડ્સનના વિહવટમાં હતો. અને ક્રુમીશનરેએ પૂછેલા સવાલેના જવાથ્યામાં દક્ષિણના ખેડ્તાના રીતરિવાજો અને તેમની સ્થિતિ ઉપર પુષ્કળ પ્રકાશ પડે છે. દક્ષિણના મિરાસી ખેડૂ વાસ્તવિકરીતે માલી કવાળા ખેડૂત જ છે. સરત માત્ર એટલી કે તેણે સરકારને કર આપે જવા કેપ્ટન રોબર્ટસન લખે છે કે તેના હર્ષક અસલ રીત પ્રમાણે ઇંગ્લેંડના ક્રિહાલ્ડ ખેડૂતથી જરાપણ જાટ્ટો નથી. દક્ષિણના અત્યારના ખેડૂતનાં પૂર્વજોમાંના ઘણા ખરા તા મુસલમાનોના પ્રવેશ પહેલાંના કબજેદાર ખેડૂતો છે અને તે વખતથી જમીતની ઉપજના છઠ્ઠા ભાગ જેટલા રાજ્યહકક આપે જવાની સરતે તેમને બન્ને ચાલ્ઝા આવે છે. દક્ષિણના મિરાસદારે શું આપે છે તે બાબતમાં વાસ્તવિક રીતે કંઇ કહેવાતું હોય તો હું એમ કહું છું કે તે કર આપે છે; ભાડું નદ્ધિ, દક્ષિણ હિંદુસ્તાનમાં ખેડુતેાના જમીત ઉપરના હકક અને ઉત્તરના જમીનદારના તેવા હકક બ્રિટિશ કાયદાની રૂઇએ ઉત્પન્ન થયેલા છે એમ જે હાલના રાજપુરૂષા કહે છે તેમને જૂના વખતના રાજપુરૂષાના સખ્યાળ ધરપોર્ટો વાંચવાથી ખાત્રી થશે કે બ્રિટિશોના આવાગમન પહેલાં વંશજે ભાગવી શકે અને વેણુ થઈ
Page #341
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ મું.
સકે એવા જમીન ઉપરના હકો અમારા ખેડુતોને બળવાન ભોગવટો છે. ‘જમીન પ્રજાની છે, રાજ્યની નહિ; અને રાજ્યને મિરાસદાર પાસેથી કર રૂપે નિયત રાજહક લેવાને જ હક બીજા કશાને નહિં.
કેપ્ટન રેબન કુટુંબના સહીયારા કબજા ભગવટાનાં ગામડાંઓ સંબંધમાં જે લખે છે તે પણ સમજવા જેવું છે.
મિશસી હકની બાબતમાં જે કાગળ અને પત્રકો માટે જોવામાં આવ્યાં છે, તે ઉપરથી આટલું નિઃશંક જણાય છે કે, પૂર્વના કાળમાં ગામનાં ગામ અમુક કુંટુંબોમાં વહેંચાયેલાં હતાં. એમના વંશજોના સમૂહને “જૂથ' કહે છે અને મૂળની જમીન તેઓ પોતે અત્યારે સહીયારી ભગવે છે, એવું અનુમાન થાય છે. અને તેઓ, સંયુકત કબજેદાર તરિકે, જે જમીન તેમના કબજામાં હોય તે ઉપરના રાજ્ય અને બીજા હક્ક આપવાને પાત્ર છે. સરકાર અથવા બીજા જૂથે એક જૂથને સરકાર હક્ક વગેરે ઉઘરાવવાના કામ સારૂ, મોટપના ધેરણસર પસંદ કરે છે; અને તેજ તમામ હક આપવાને સરકાર વગેરેને જવાબદાર ગણાય છે. અને આ રીતે તેઓ હક્ક અને જવાબદારી બન્ને સંયુક્ત વ્યવહારથીજ ભોગવે છે. આવી રીતે પસંદ કરાયેલા જૂથના શખસ પાટીલ એ નામથી ઓળખાય છે, અને મૂળથી એ અથવા બીજું કઈ ઓળખાણનું નામ એમને મળેલું હેય છે. અને આ બધામાંથી મોટપના હઝવાળી શાખાઓને જે પુરૂષ વસ્તુતાએ અધિકાર ભોગવતે હોય તે મુકાદમ એ નામથી ઓળખાય છે, તે, ગામ લેકની મરજીથી અને સરકારની નિમણુંકથી એક મેજીસ્ટ્રેટ છે. ઈંગ્લંડમાં જે કાયદાઓને એક કેરીપોરેશનના કહીએ, તેવા કાનુનને અમલ કરાવવાની તેની સત્તા છે; પહેલાં તે આખા ગામરૂપ સંસ્થાના સંસ્થા તરિકેનાં જે ખરચ થાય તે ખરચ માટે અને પટેલ તરીકે પોતાને મોભો સાચવી રાખવા માટે જે રકમ જોઈએ, તે બાબત ઉઘરાણું કરી
Page #342
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક પ્રતિદ્વાસ.
Th
શકતા; આખા ગામને નફે થાય તેવા સુધારાની તે સૂચનાઓ કરતા; અને જાહેરશાન્તિ સાચવી રાખીને ગામ લેાકેાને એકઠા કરી શકતા. હજી સુધી પંચ તરિકે જે લેાક એને કામ સાંપે તેમના દિવાની કજીઆ પશુ તે ચુકવે છે અને પ્રથમ પણ ચુકવતા, અથવા પોતે ન ચૂકવે તે બીજા લાકાને પાંચ તરિકે પોતે નીમ્યા હાય અથવા પક્ષકારાએ નીમ્યા હોય તેના પ્રમુખ તરીકે કામ કરતે.
આ સિવાય બીજાને માટે કેપ્ટન રાખટ્સને તે મિરાસદાર છે એવું ઘણા દસ્તાવેજોથી સાબિત કરેલું છે. અને લખે છે કે, આ જીલ્લામાં બધા ગામામાં મિરાસી રિવાજ અત્યારે ચાલે છે, અને હમણા નથી એવાં ગામ તે થાડાંજ છે. ' ૧૮૨૧ માં આ પ્રમાણે તેણે લખ્યું હતું. મરાઠા રાજ્યમાં મુ ંબઇના ખેડૂતને મેળે અને હુ સા હતા તેને આ દસ્તાવેજ આપણને સારા ખ્યાલ આપે છે.
અર્હમદનગર.
આ જીલ્લામાં કૅપ્ટન પેફ્રિજરને વહિવટ હતો. તે લખે છે કે જે ખેડુતા મિરાસદાર છે, તે પેાતાની જમીનની જ્યારે નજરમાં આવે ત્યારે અને જેમ નજરમાં આવે તે પ્રમાણે વ્યવસ્થા કરી શકે છે અને ધરેણે મૂર્છા શકે છે. હિંદુસ્તાનના આ ભાગમાં ( જેમ બધામાં છે તેમ) મિરાસી હક પરાપૂર્વથી ચાલ્યેા આવે છે તે એ યારથી શરૂ થયે એમ પૂછવામાં આવે તે સવાલને જવાબ જમીન કયારથી થઈ એ સવાલના જવાબ માગવા સરખું છે. હું જોઉં છું કે મિ. એલિસ મિરાસીના સબંધમાં પોતાના અસ`ખ્ય જવાખેામાં એક નેાંધ કરીને લખે છે કે, 241 ભૂમિના કાયદા ઘડનારાઓએ જ્યારથી લખવાનું શરૂ કર્યું. તે વખતથી મિરાસી હુ આ દેશમાં વિદ્યમાન છે, અને હુઈ ધારૂં છુ કે એમને આધાર સંશય રહિત છે.’
Page #343
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું.
ધારવાડ, આ જીલ્લે મિ. રોટ સેન્ટ થેકરીના વહિવટમાં હતો. તેઓ એક અનુભવી રેવિન્યુ અમલદાર હતા, લેકા સાથે બહુ મળતા, અને તેમણે પૂછેલા જવાબના કેટલાક લાક્ષણિક ઉત્તરો મોકલ્યા છે. રવિન્યુ અમલદારે ખેતી સુધારવા સારૂ જાત મહેનતથી શ્રમ લે છે કે નહિ, તેના સંબંધમાં મારો જવાબ એવો છે તે તેઓ ખેડુતને ઉત્તેજન આપવાને બદલે હેરાન કરે છે, અને તેમને હતુ કાગળીઓ ઉપર ખેતીનો વધારે બતાવવાનો હોય એમ જણાય છે. દેશની સાધનસંપત્તિ વધારવા તરફ કંઇ લય હોય એમ જણાતું નથી. ખેડુ પિતાના નફા માટે ખેડે છે, અને જ્યાં આ નફે પૂરત હોય છે ત્યાં તેને બીજી આરની જરૂર નથી.
દક્ષિણ (સામાન્ય)
આ અને બીજા જીલાઓના રિપોર્ટ સામેલ રાખીને મિ. ચેપ્લિને દક્ષિણની જમાબન્દી સંબંધી એક ખુલાસાવાર રિપોર્ટ કર્યો હતો તેના ઉપર હવે આપણે આવીએ. દક્ષિણમાં પહેલાં મલેક અમ્બરે એક જમાબન્દી કરી હતી તે ઉત્તર હિંદુસ્તાનમાં ટોડરમલવાળી જમાબન્દીના જેવી જ પ્રખ્યાત હતી; મલેક અમ્બરની જમાબદી દરેક ગામ માટે નિયત નાણાંની રકમના રૂપમાં હતી. અને તેનું ધોરણ પ્રાચીન મિરાસી હક્કને કાયમ કરવા ઉપર હતું. જેથી દેશની ખેડવાણ જમીન માલિકી હકની મિલકતના તમામ ગુણો વાળી થઈ શકે.
નવા સ્થપાયેલા બ્રિટિશ રાજ્ય સારૂ હક મુકરર કરવા ઉપર આવતાં તે લખે છે કે, “હું ધારું છું કે મધ્યમ સ્થિતિના ખેડુત પાસે દશ એકર આકાશી અને એકાદ વિશે વાડીની જમીન હોય છે; અને તેની પાસે બે હળ અને
Page #344
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઈતિહાસ
૩૩૩
ચાર બળદ હોય છે, જેની મદદથી એ વરસ દહાડે ૧૨ પાઉન્ડ જેટલી ઉપજ કરે છે,”તેના ખરચ અડસટ્ટો નીચે પ્રમાણે.
પા. શિ.પે. જમીનને કર.
. ૪-૪-૦ બળદનું ખરચ-એક જેડ આઠ વરસ સુધી ચાલે એ ગણત્રીએ.
૧-૫-૦
હળ અને વખતો વખત સાથી વગેરે મજુર રાખવા પડે તેનું ખરચ.
--
બી.
૦-૧૨–૦
અધિકારીઓની કામદારી અને . ગામ ઝાંપા વિગેરે. ખોરાકને માટે દાણો. કપડાં, પરચુરણ જરૂરી ખરચ
૨-૪-૦. ૦-૧૦-૦૦
–૧૨–૦.
કુલ. પા.શિ.પે.
૧૨-૨-૦ ઉપરથી જણાશે કે બાર પાઉંડની અરજી ઉપજમાંથી ૪ પાઉંડ ૪ શીલીંગને સરકાર હક નીપજના ૪૫ થી ૫૦ ટકા જે માસ અને મુંબઇના ખેડૂત પાસે સરકારે મૂળ માગેલું તેના કરતાં ઓછો છે પણ આટલા ૪ પાઉંડ ૪ શી. ના કરે પણ ખેડુતને કંઇ રહેતું નથી; આટલું સ્પષ્ટ સમજાય છે કે અધિકાત મંડળને રૈયતવારી રીતે પસંદ પડવાનું
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૪
પ્રકરણ ૮ મુ.
કારણ એ છે કે સરકાર અને ખેડૂતની વચ્ચે વચમાંથી નફે લઇ જનાર કાઇ ગામખાતુ કે ગામધણી આમાં રહેતા નથી. એક ગુલામના માલીકને ગુલામ ઉપર જેટલા કાબુ હોય છે તેટલા જ કામુકમ્પનીને પેાતાના ખેડુ ઉપર હતા; જેથી એના નિર્વાહ માટે પૂરતું થાય તે ઉપરાંતનું તમામ કમ્પની લઇ શકતી. અધિષ્ઠાતૃ સભાના એક સભાસદ તા કહેછે કે રૈયતવારી રીતના હેતુ એ છે કે સરકાર રૈયત પાસેથી ભાડાના રૂપમાં વધારેમાં વધારે લઇ શકાય એટલું લઈ શકે.
મિરાસી હક્કના સંબંધમાં ચેપ્લિન લખે છે કે આ હક્ક નવા જીતાયેલા પ્રદેશમાં કૃષ્ણાથી ઘાટ સુધી વર્તે છે. એક વાર ખેડૂતને કબજો મળ્યા એટલે તે વંશપરંપરા વેચાણુ બક્ષીસ કે ઘરેણાના હકથી ભગવી શકે છે, અને દક્ષિણના રિવાજ પ્રમાણે તેમાં સરકારની અગાઉથી પરવાનગી જોતી નથી, મિરાસદારને ગામની બાબતની દરેક વાતમાં ખેાલવાને હક્ક છે, ગામના ગોચરમાં તેમજ ગામાત જમીનમાં ઘર બાંધવાને અને તે ધરની વેચાણુથી વ્યવસ્થા કરી નાખવાના હક્ક છે. પૂનામાં મિરાસદાર અને ઉપ્રી ( માલકી હક વિનાના ) ખેડૂતનું પ્રમાણ ત્રણ અને એક જેટલુ હશે. ગેાદાવરીની પેલી પાસ ઉત્તર તરફ મિરાસી દુ ઓછા થતા જાય છે અને તે અને ઉદ્ધિની રીતમાં બહુ ફેર જોવામાં આવતા નથી. દક્ષિણુ મરાઠા પ્રદેશમાં મિરાસી હુ ખીલફૂલ જોવામાં આવતા નથી. તાપણુ યાવચ્ચ દ્રદિવાકરા વંશપરંપરાને કબજો સ્વીકારાય છે. સતારાના મિરાસદારાના હક્ક દક્ષિણના ખીજા ભાગમાં જેવા છે તેવાજ છે.
જૂનાના ક્લેક્ટર મિરાસી હક્કના બહુ વ્યાજખ્ખી રીતે વકીલ થઇને બેઠા છે. અને તે ણે ઠેકાણે આ ધારણ સ્વીકારવાની આગ્રહથી ભલામણ કરે છે. ત્રણ આ હુક્ક ઉપર હુમલા કરવાનેા કાષ્ઠનેા ઇરાદા છેજ નહિ, અને તેથી આ આાબતની લંબાણથી ચર્ચા કરવી નિરર્થક છે. મિ. ચેપ્લિનને એટલું અગાઉથી
Page #346
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ ૩૩ ન સડેલું કે તેના પછીની બ્રિટિશ સરકાર વરસુતાએ દક્ષિણના ખેડૂતોને મિરાસી હજત કરશે. મિ. ચેપ્લિને પોતાના લાંબા રિપોર્ટના છેવટના ભાગમાં લોકો સાથે હળી મળીને ચાલવાની બાબતમાં તાબાના ધગ્રેજ અમલદારોને ઉદ્દેશીને એક મોટું ભાષણ કર્યું છે.
આ કિમતી રિપેર્ટ મળ્યા પછી મુંબઇના ગવર્નર માઉન્ટટુઅર્ટ એલ્ફિન્સટને તમામ જીતાયેલા પ્રદેશની માપણી અને જમાબંદી કરવાના હુકમ કહાષા. દરેક ગામમાં પાટીલની સત્તા સાચવી રાખવાનો આગ્રહ કર્યો, જમાબન્દી હલકી રાખવાની અને સરખી રીતે વહેંચી આપવાની ભલામણો કરી અને દરેક પ્રકારના કબજા, ભોગવટા, ખેડૂત હકે કાયમ રાખવાની સલાહ આપી. સામાન્ય માપણી કરવાના હુકમે અધિષ્ઠાતમંડળને પણ સતિષ આપે.
દક્ષિણના કમિશનરે ૧૮૨૪ માં અને પછીથી ૧૮૨૫ માં માપણીના કાનના મુસદ્દા મોકલ્યા. મદ્રાસમાં સર ટોમસમોએ જમીનના કરનું પ્રમાણ ઘટાડીને ઉપજ નીપજનો ત્રીજો ભાગ નથી કર્યો હતે; અને ચેપ્લિને દક્ષિણ માટે સુધારેલા સર્વે કાનુને સાથે રવાના કરેલા સરકયુલરમાં તે જ પ્રમાણ રાખ્યું. આ સખ્ત સરકાર હકને લીધે દક્ષિણ હિંદુસ્તાનમાં ખેતીની આબાદીની પાયમાલી થઈ છે. મદ્રાસમાં રાજ્ય હકની વધારેમાં વધારે હદ તરીકે આ નિયમ હજુ કાયમ છે. મુંબઈમાં હદ મુકરર કરવાનો વિચાર જ માંડી વાળવામાં આવ્યું છે, અને જે જમાબંદી બીજી ગણત્રીથી ઠરાવવામાં આવી છે તે ઘણીવાર ઉપજ નિપજના ત્રીજા ભાગ જેટલી અથવા વધારે થવા જાય છે.
સામાન્ય માપણી કરવાની દરખાસ્ત હજુ લટકે છે. માઈસ્યુઅર્ટ એલ્ફિન્ટને દક્ષિણમાં ગામત રીવાજ કાયમ રાખવાનો પ્રયત્ન કર્યો. ઉપર જણ
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૬
પ્રકરણ ૮ મું.
વાયું તે પ્રમાણે રૈયતવારી રીત અને ગામાતની રીતને સંગ કરવાને તેને ઇરાદે હતે. માપણી કર્યા પછી દરેક ખેડૂતને શું આપવાનું આવે છે, તે નક્કી કરવું, અને પછી તે પાટીલની માર્કત દરેક ગામમાંથી ઉઘરાવવું; આવે તેને ઇરાદો હતો. “માપણીથી પ્રત્યેક ખેડૂતના હક્ક અને જવાબદારી નક્કી થશે, અને તે પછી અમુક વર્ષને માટે ગામ પાટીલને ઈજારે આપી શકાશે.”
કબૂલ કરવું જોઈએ કે આ દરખાસ્તમાં એક આરંભની જ ભૂલ હતી. જે માપણી કરીને ગામના પટેલનો અને પંચને ખેડૂતોમાં જમા બદીની વહેંચણ કરવાને હક લઈ લેવાનું હતું તે, પટેલ અને પંચ કાયમ રાખવાનો શો અર્થ હતે? પૂર્વે સેંકડો વર્ષોથી ચાલતે આવેલ પટેલનો અધિકાર લઈ લેવાની ઇચ્છા હતી તે ઈજારા તરીકે તેમને કાયમ રાખવાની શી જરૂર હતી ?
મદ્રાસે આ સવાલની બાબતમાં તાત્વિક સિદ્ધાન્તને ઘારણે લડાઈ કરીને નિશ્ચય કર્યો હતો. મદ્રાસની રવિન્યસભા ( Board of Revenue) તદન સંયુકત વ્યવહારના સિદ્ધાન્તને અનુમોદન આપનારી હતી; અને ગામાત સંસ્થા અને તેની સત્તા તેવી ને તેવી બળવાન રાખવાની તેમની ઇચ્છા હતી. ટોમસમ તદન વ્યક્તિવાદી હતા, અને રાજ્યનો દરેક ખેડૂત સાથે પ્રત્યક્ષ વ્યવહાર રહે એમાં આગ્રહી હતી. એટલે જમીનની મહેસુલના સંબંધમાં ગામાતના અધિકારીઓની કંઈપણ દરમિયાનગિરી જોઈએ નહિ એવા અભિપ્રાયો હતો. ટૅમસમન ફાવ્યો, અને મદ્રાસની ગામાતે એકદમ નિર્જીવ થઈ ગઈ અને તેમને બીજી સત્તા આપીને જીવતી રાખવાની મનની ધારણા નિષ્ફળ ગઈ.
આ પ્રયોગ અને પરિણામોને બોધ સ્પષ્ટ હતો. હિંદુસ્તાનમાં ગામાત કાયમ રાખવાનું મૂળથી જે સાધન હતું; તે જ એક સાધન હતું એટલે ગામની અંદરની મહેસુલની વહેંચણું ગામપંચના હાથમાં જ રાખવી. જમીનની ઉપ
Page #348
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ.
૩૩૭.
જના પ્રમાણમાં વધારે પડતી મહેસુલ કેઈને ન આપવી પડે તે બાબતમાં થોડાક કાનુને સરળતાથી થઈ શકત; અને તે કાનુનને તાબે રહીને ગામડાંઓના ઘરડાઓને લેક પાસેથી છૂટક છૂટક ઉઘરાવીને રાજ્યને સમગ્ર મહેસુલ આપવાનો તેમનો મૂળ અધિકાર કાયમ રાખી શકાય હોત. આ રીતથી હિંદુસ્તાનની પ્રાચીન રીત સતત ચાલ્યા કરત એ એક ઑટો ફાયદો દેખીતેજ થાત, અને દરેક ગામમાં સુસ્થાપિત લેકમંડળ બન્યું રહેત. પણ આવી ગોઠવણ કમ્પનીના રાજ્યના અંતસ્તત્વથીજ વિરુદ્ધ હતી. કમ્પનીની નીતિ દરેક ખેડૂતની સાથે પ્રત્યક્ષ સંબંધ બાંધવાની અને તે એટલે આપી શકે તેટલ કરે તેની પાસેથી લેવાની હતી. આ વિચારથી એલ્ફિન્સ્ટન પડે પણ એટલે સુધી દોરવાઈ ગયો હતો કે તેણે પણ સામાન્ય માપણી કરી દરેક ખેડુતની જવાબદારીના નિર્ણય કરવાનું મંજુર કર્યું અને આટલું કર્યા છતાં જ્યારે પટેલની મારફત સમગ્રતાથી ખેડત સાથે વ્યવહાર પાડવાની તેની ઈચ્છા થઈ ત્યારે પટેલનો અધિકાર નષ્ટ થયે, એ ટીકાને તેની ઈચ્છા ઉઘાડી રીતે પાત્ર હતી.
એલિફન્ટને ૧૮૨૭ માં હિંદુસ્તાન છોડયું તે વર્ષમાં અધિષ્ઠાતસભાએ એલિફન્સ્ટનની દરખાસ્તની નબળાઈ પકડી કહાડી અને તેને લાભ લીધો. લખે છે કે, “જો માપણીથી દરેક ખેડુતના હક્કનો અને જવાબદારીનો નિર્ણય ખરેખરી રીતે થઈ શકે અને તેના હક્કનો ભંગ થતાં ખેડૂત તાત્કાલિક પ્રત્યક્ષ ઉપાય લઈ શકે, એવી પદ્ધતિ બંધાય, તે આ લેખના એક પૂર્વની કલમમાં લખ્યા પ્રમાણે પટેલનો ઉપયોગ થઈ શકે. માજી પેસ્વાઈના વખતમાં ઇજારા આપવાથી જે અનિષ્ટો ઉત્પન્ન થયાં હતાં તેનો આપને અનુભવ છે તે આપે જેમને સત્તાને દુરૂપયોગ કરવાની આદત પડી છે, તેમના હાથમાં દુરુપયોગ થઈ શકે. એવી સત્તા સોંપતાં પહેલાં બહુ સાવધાની રાખવી જોઈએ. તેમજ ઇજારદાર સાથે આપણે માફકસર મહેસુલ લેવાનો ઠરાવ કરીએ તેથી પણ તે.લોક પાસે, જુલમ કરીને વધારે નહિ કઢાવે એ પણ ભરૂસો અમને રહેતો નથી.
ગામાતના તંત્રના અંતનો આ આરંભ હતે. 22
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૮
પ્રકરણ ૮ મું.
મુંબઇમાં રૈયતવારી મહેસુલ, - એલિફન્સ્ટન ૧૮૨૭ માં વિલાયત ગયો તે વખતે દરેક પ્રજામાં મહેસુલ આકરી છે એમ લોકમાં સામાન્ય રીતે મનાતું હતું અને કમ્પનીના નોકર તથા મહેસુલના અધિકારીઓ પણ તેમજ માનતા હતા. મદ્રાસમાં ડે. કાન્સિસબુકનની તપાસ દરમિયાન મહેસુલી અધિકારીઓએ જમીનનો વેરો બહુ ભારે હોવાનું અને તેથી લોકની આબાદીમાં હરકત આવવાનું કબૂલ કર્યું હતું અને તેથી મનાએ અરધને બદલે ત્રીજો ભાગ સરકાર હકકને કરી નાંખ્યો હતો; છતાં તે પણ હજી ભારે જ હતે. ઉત્તર હિંદુસ્તાનમાં સરએડવર્ડ કલાક અને એક પછી એક ગવર્નર જનરલોએ બ્રિટિશ સરકારે આપેલું વચન પાળીને જમીનની મહેસુલને અચલ આંકડે કરવાને માટે અધિષ્ઠાતૃ સભા સાથે બહુ માથાકુટ કરી, પણ તેમાં તેઓ ફાવ્યા નહિ. આ પ્રમાણે જમાબ દી હલકી કરવાને તેમને હેતુ એ હતો કે લેકને પસે એકઠા કરવાનું અને પોતાની સ્થિતિ સુધારવાનું બની આવે. મુંબઈમાં પણ એલિફન્સનને મહેસુલ વધતી જતી જોઇને ચિંતા ઉત્પન્ન થઈ હતી અને ચેપ્લિને નીપજને એક તૃતીયાંશ સરકાર હકનો મુકરર કર્યો તેથી રૈયતને કંઇક શાંતિ થશે એમ મનાયું હતું. આખા હિંદુસ્તાનમાં જ્યાં યાવચ્ચન્દ્રદિવાકર જમાબંદી ન હતી ત્યાં નવા રાજાના હકનો બેજે રૈયતને બહુ ભારે પડે હતે. અધિષ્ઠાતાઓ ફરિયાદ સાંભળે જ નહિ અને કમ્પનીના જે નકરોને લોકને થતા ગેરઇન્સાફનું ભાન હતું તેઓ પોતાના અભિપ્રાયો રીતસર રજુ કરતા પણ કંઇ ઉપાય કરવાને તેઓ અશકત હતા.
આ વખતે પ્રખ્યાત અંગ્રેજ બિશપ હેબર હિંદુસ્તાનમાં હતા એમણે ૧૯૨૪-૨૫-૨૬ માં આખા હિંદુસ્તાનમાં મુસાફરી કરી અને આ મુસાફરી દરમિયાન જુદા જુદા પ્રાન્તના લેકેની સ્થિતિની બારીકાઈથી નિરીક્ષા કરી. તેને લેકની નિર્ધનતા જોઈને અને ઈસ્ટઇન્ડિયા કમ્પનીએ
Page #350
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનનો આથક ઈતિહાસ.
૩%
તેમના ઉપર મુકેલે મહેસુલરૂપી ભારે બેજે જોઇને બહુ દીલગીર થઈ. તેમણે આ વાત સ્પષ્ટ શબ્દોમાં પિતાની નંધમાં લખેલી નથી કારણ કે તે નોંધ પ્રસિદ્ધ કરવાના હેતુથી લખાઈ હતી. પરંતુ ખાનગી પત્રમાં એણે પોતાનું હૃદય ખુલ્લા શબ્દોમાં અને છૂટથી ખાલી કર્યું છે. રાઈટ ઓનરેબલ ચાર્લ્સ વિલ્યમ વિનના ઉપર ૧૮૨૬ માં કર્ણાટકથી લખેલો પત્ર દાખલા તરીકે નીચે ટાંકીશું.
હું ધારું છું કે કરના આ દરે દેશી કે યુરોપીયન ખેડુ આબાદ થઈ શકે નહિ. 'જમીનની નીપજને અડધ ભાગ સરકાર માગે છે, અને જ્યાં અચળ જમાબદી નથી ત્યાં આ દર એટલે તો ભારે પડે છે કે લેક આટલે કરકસરીઓ છે છતાં હમેશની ચાલતી જરૂરીયાતો માટે પણ પુરૂં થાય એટલું તેને રહેતું નથી. તે તો તે લોકો જમીન બહુ જ સસ્તી અને સાદી રીતે ખેડે છે. વળી કોઈ પ્રકારના સુધારાને માટે તો આ દરથી પૂરી અટકાયત થાય છે. સારાં વર્ષોમાં પણ લોકો અત્યંત નિર્ધન દશામાં રહે છે અને જે જરાક પણ દુર્મિક્ષ જેવું જણાય તો તે સરકારને લાખો રૂપિયાની ઉપજની નુકશાની અને તગાવી વગેરેનું ખરચ થાય છે; અને તે છતાં સંખ્યાબંધ સ્ત્રી પુરુષ અને બાળકે ભુખમરાથી મરણ પામે છે અને શેરીઓમાં રસ્તા ઉપર મુડદાં રખડતાં રહે છે. બંગાળી અત્યંત ફલપ હોવાની સાથે અચળ આકાર વાળે છે તેથી ત્યાં દુષ્કાળ અજ્ઞાત છે બીજી તરફ ઉત્તરહિંદુસ્તાનમાં સરકારી નોકરો સામાન્ય રીતે એમ માને છે અને હું પણ એમની સાથે એકમત થાઉં છું કે કમ્પનીના પ્રાંતમાં રૈયતની સ્થિતિ દેશી રજવાડાંઓની રૈયતની સ્થિતિ કરતાં ખરાબ અને નબળી છે, અને અહીં મદ્રાસમાં જ્યાં જમીન હલકા દરની છે ત્યાં તો આ ફેરફાર બહુ સ્પષ્ટ માલુમ પડી આવે છે. હકીકત એ છે કે કઈ દેશી રાજ્ય આપણે જેટલે હક્ક માગીએ છીએ તેટલો હક્ક માગતું નથી અને આપણું પદ્ધતિના નિયમિતપણાને માટે યોગ્ય માન રાખતાં પણ મને એવા માણસો બહુ થાડા મળ્યા છે કે જેઓ એમ નથી માનતા કે આપણી રૈયત ઉપર મજા
Page #351
--------------------------------------------------------------------------
________________
•
પ્રકરણ ૮ મુ.
ઉપરાંત બે છે અને તે ધીમે ધીમે ધનહીન થતી જાય છે. કલેકટરને આ હકીકત જાહેર રીતે સ્વીકારવાનું ગમતું નથી. વખતો વખત કઈ બહુ સમર્થે કલેકટર આવે છે તે લોકો ઉપરથી બીજે કમી કરવાની સાથે પિતાના ઉદ્યોગ અને હું શીઆરીથી રાજ્યને ઉપજ વધારી આપે છે, પણ સામાન્ય રીતે શોકપ્રદ ચિત્ર આપવાનું તેઓ દૂર જ રાખે છે. કારણ કે એમ મનાય છે કે તેથી તેમની પિતાની નાલાયકી જણાય છે અને મદ્રાસ અને કલકત્તેથી સેક્રેટરીઓના ઠબકાને તેઓ પાત્ર થાય છે. અને આ કલકત્તા અને મદ્રાસવાળાઓને ખુ લાસા આપવાની ફરજ પડે છે ત્યારે તેઓ સર્વાધિષ્ઠાતાઓ વધારે ને વધારે પૈસાની માગણી કરે છે એ નિમિત્ત લાવે છે.
મને ખાત્રી થઈ છે કે આપણું સામ્રાજ્ય સુખી અને ટકાઉ કરવા માટે લેક પાસેથી નાણાં ઓછાં લેવાની, જે લેવાય તેમાંથી દેશમાંને દેશમાં વધારે ખરચ કરવાની, હિંદુરતાનના ઉદ્યોગો માટે યુરોપમાં કંઈ માગણી ઉત્પન્ન કરવાની, અને પિતાના જ લોક ઉપર અધિકાર ભોગવવામાં લોકોને વધારે ભાગ આપવાની જરૂર છે.
ઉપરથી જણાશે કે અમલદાર વર્ગ લેકના ઉપર ગજા ઉપરાંત બને છે એમ જાણતા હતા, છતાં તેઓ ઉઘાડી રીતે તે પ્રમાણે કહેવાને નારાજ હતા. પણ આ અમલદારોને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાના અભિપ્રાયો સ્પષ્ટ શબ્દોમાં અને ભાર દઈને કહી બતાવ્યા, એથી એમને માન ઘટે છે.
આવા અમલદારોમાં એક રોબર્ટ રીચર્ડ હતા. તેમના જવાબોમાંના થડા નીચે આપ્યા છે.
જ્યારે હિંદુસ્તાનમાં લેવાય છે તે પ્રમાણે ઉપજ નિપજને અડ ભાગ રૈયત પાસેથી રાજ્ય લે, અને જેમના ઉપર અંકુશ રાખવાનું અશક્ય થઈ પડે તેવા સંખ્યાબંધ અમલદાર આ ઉપજ ઉઘરાવવામાં નીમાય, ત્યારે
Page #352
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનનો આર્થિક ઇતિહાસ.
૨૪૧
કોઈપણ લોક એવો નથી કે જેમની સાથે સારો વેપાર થઈ શકે એવી તેમની આબાદી થાય.
“પરદેશ મોકલવા જેવી વસ્તુઓ પેદા કરવાનું ત્યાંજ બની શકે છે જ્યાં આજે ભારે કરે ન હોય. બંગાળા કે જ્યાં અચળ જમાબંદી થઈ છે, અને જ્યાં પ્રથમની ભારે લેતરીની અસર હવે દેખાતી નથી ત્યાં તે બની શકે.. પણ જયાં રૈયતવારી કર લેવાય છે, અથવા જ્યાં ઉપજ નિપજના ૪૫ થી ૫૦ ટકા રાજ્ય હકના લેવાય છે ત્યાં તે બનવું અત્યંત મુશ્કેલ છે.
એવા દાખલાની મને તે માહિતી છે કે જ્યાં લેક પાસે ઉપજી નીપજ કરતાં વધારે મહેસુલ લેવાઈ છે. મને એવી પણ ખબર છે કે કેટલેક ઠેકાણે મહેસુલનો આકાર કયારીની જમીન, અથવા બગીચાની જમીન, કે મારી દ્રાક્ષ અને બીજી ઉંચી પેદાશની જમીન તરીકે મુકરર કરેલ હોય, અને તેનું કારણ ખાસ નોંધેલું હાથ; પરંતુ જ્યાં તે જમીન આપણે જોઈએ ત્યાં આપણને માલુમ પડે કે જે જગાનું આવું ઉંચું વર્ણન આપેલું હોય ત્યાં માણસની યાદદાસ્તમાં જંગલ કરતાં બીજું કાંઈ જ ન હોય.”
હિંદુસ્તાનમાં મહેસુલના આકાર સંબંધી આ લાગણી એક પ્રસિદ્ધ પુસ્તકમાં આખર પ્રકટ થઈ. લેફટનન્ટ કર્નલ બ્રિસે આ બાબતની પ્રાચીન રીત રીવાજોની સવિસ્તર તપાસ કરી હિંદુસ્તાનની જમીનની મહેસુલનું
સ્વરૂપ એક પુસ્તકમાં નિરૂપણ કર્યું છે. અત્યાર સુધી ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીએ હિંદુસ્તાનને પિતાની માલિકીના મુલક તરીકે જ લેખ્યું હતું, અને પ્રાચીન હક્ક અને રીત રીવાજોની કંઈપણ દરકાર કર્યા વિના તેમાંથી જેમ બને તેમ વધારે ઉપજ લેવાના યત્નો કર્યા હતા, આ રીત વિરુદ્ધ જેન બ્રિગ્સ મોટું યુદ્ધ ઉપસ્થિત કર્યું. પિતાના મહાન અને પ્રમાણભૂત ગ્રંથદ્વારા તેણે પોતાના કાળના અને ભવિષ્યના અંગ્રેજોને સ્પષ્ટ સમજાવ્યું કે હિંદુસ્તાનમાં જમીન ઉપર રાજ્યની માલકી કદી પણ ન હતી. જમીન બધે ઠેકાણે સુધરેલી પ્રજાઓમાં છે. .
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૪ર
પ્રકરણ ૮ મુ.
તે પ્રમાણે હિંદુસ્તાનમાં પણ ખાનગી મીલકતજ હતી; અને જેમ ખીજી ખાનગી મીલકત ઉપર દર લેવાને સરકારને હક હતા; તેમ જમીન ઉપર પણ દર લેવાને જ સરકારને હક હતેા.
પાંચસે` પાનાના મેટા પુસ્તકના સાર માત્ર આપવા એ પણ અત્રે બની સૂકે તેમ નથી. પણ તેમનાં ચેડાંક સિદ્ધાંતાની નેાંધ કરવાની જરૂર છે. કારણ કે તે વખતે પણ તે કિંમતી હતા અને અત્યારે પણ તેટલા જ કિમતી છે. જોન બ્રિગ્સે બતાવ્યું છે કે પ્રાચીન પ્રજાએમાં-એટલે ગ્રીક, રામન, પર્શ્વન, અને ચીનાઓમાં રાજ્ય હુક નીપજને દશાંશ લેવાના હતા. પ્રાચીન હિંદુએમાં જમીનની ગુંજાસ અને પડતી મહેનતના પ્રમાણમાં દાણાને આઠમે છઠ્ઠા અથવા બારમે ભાગ લેવાતા હતા. અને તે પછીના કાળના વ્યવહારની વિગતવાર તપાસ કરીને બ્રિગ્સ લખે છે કેઃ—
*
જમીનને કબજેદાર જ તેને સ્વતંત્ર માલેક છે. એના ઉપર જે રાજ્યન હૂક લેવામાં આવે તે એક પ્રકારના ઉપજ ઉપરના કર હતો, એટલે નીપજતે અમુક મર્યાદિત અંશ. આ હક શાન્તિના વખતમાં મુકરર કરેલે, પણુ લડાઇના વખતમાં વધારાઇ શકાય તેવા; અને ગમે તે પ્રસંગ હોય પણ તેમાંથી માલીકને અમુક નફે! રહેતેાજ. જે Rent કહી શકાય. હું એમ મારૂ છું કે ઉપરથી હું એટલુ` બતાવી શકયા છુ' કે ' રાજ્યે ' કદી જમીનના માલેક હોવાના દાવા રાખ્યા નથી; તેતે હમેશાં નિયત કર લેવાના જ ધણી છે. ઉપજ ખેડુતને ભાગ્યે પુરૂ થાય તેટલુ` રાખીને બાકીની લઇ જવામાં સમાયલી ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીની આ મુખ્ય ધારણની ખેદરકારી, જમીનમાંથી જેટલી ઉપજ થાય તેટલી તમામ ધસડી લઇ જવાના તેમના પ્રયત્ને, એજ બ્રિટિશ છત્ર નીચે લાકની થયેલી નિર્ધનતાનું જોન બ્રિગ્સ મુખ્ય કારણ માનતા હતા.
ܝ
“ જો હું એમ બતાવી શક્યા હાઉ કે આપણી પૂર્વના વ્યવહારથી આપણે જુદો વ્યવહાર દાખલ કર્યો છે, અને તે કરતાં વધારે સખ્તાઇ
Page #354
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ.
વાળી રીત આપણે હાથ કરી છે, તે। હું ધારૂં છું કે તેમાં સુધારા કરવાનાં પુરતાં કારણા છે, અને તપાસ થશે એવી આશા તેા અવશ્ય રાખી શકાય.
જય
ધર્મ પ્રમાણે વર્તનારી હિંદુ અથવા મુસલમાની રાજ્ય પદ્ધતિમાં આપણા જેવી, લેકની આબાદીને તદન ઉથલાવી રાખનારી પતિ હશે નહિ.
આપણે દરેક ઠેકાણે કબુલ કરીએ છીએ કે કરના ખેાજાના ભાર એ એમના ઉપર એક ક્રૂરતા છે, તેપણ એક પણ શખસને તે ખેાજામાંથી આપણે છુટકારો કર્યો નથી. એટલુ જ નહિ પણુ કરતુ ધારણ પણ આપણે ખાટું દાખલ કર્યું છે; ઉપજ ને બદલે નાણાંનું ખીજા વર્ગો ઉપરના નાના કરેા નાબુદ કરવાનું આપણે મિત્ર કર્યું છે પણ તે તમામ કરીને ખો જમીનદાર વર્ગ ઉપર જ આપણે નાંખ્યા છે; અને દરેક શખસની સ્થિતિની બારીક તપાસ કરીતે, આપણને પેાતાને ઇન્સાફ કરવાને મ્હાને, જે સાધનેથી તેઓ આપણને ભારે કર આપતા હતા તે સાધને પણુ આપણે તેમની પાસેથી લઇ લીધાં છે; અને વધારે ને વધારે સખ્તાઇ કરીને આપણે આપણી ઉપજ વધારી છે અને લોકોને મજુરની સ્થિતિમાં લાવી મુકયા છે. આપણા અમન લનું આ ઉધાડુ ધારણુ છે, અને તે જમીનમાંથી ઉત્પન્ન થતા તમામ નફો ધસડી જવાનું નિશ્ચિત અને અનિવાર્ય લ છે.
46
સરકાર જમીનના સ્વત ંત્ર માલીક છે એવા સ્વીકાર કરીને આપણી સરકાર એમ ધારે છે કે જમીન એ ઉપજને માટે સર્વથી વધારે ફાયદા આપનાર સાધન છે. તેથી ખેડુત ઉપર દેખરેખ રાખવાને તે સરકારી તેાકરનુ એક લશ્કર રાખે છે; અને ઉઘાડી રીતે તમામ નફા લેવાનું કબુલ કરે છે. જે પ્રકારની લેતરી ( જમીનદાર પાસેથી ) હમણાં હિંદુસ્તાનમાં ચાલે છે, તેવી કદી પણ યુરેપ કે એશિયાનાં કાઇ પણ રાજ્યમાં હોય એવું જાણું વામાં નથી. ’’
જગમાં બીજા કોઇ દેશમાં આવા મોટા અને વિચારવાળા પુસ્તકે તે
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૪૪
પ્રકરણ ૮ મું.
કંઈ ઉથલ પાથલ કરી મૂકી હોત, પણ હિંદુસ્તાનમાં મુંબઈના વસુલાતી અધિકારોના આચાર વિચારમાં તેણે કંઇ પણ ફેરફાર કર્યો નહિ. એલિફન્સ્ટને આદરેલી માપણી અને જમાબન્દી ૧૮૨૪-૨૮ માં મુંબઈના સિવિલ સર્વિસ વાળા મિ. પ્રિન્ગલે શરૂ કરી હતી અને જમીનની ઉપજના ખોટા અને વધારે પડતા અંદાજ ઉપર આંકણું કરી હતી જેથી બહુ માઠાં પરિણામો આવ્યાં.
કિંગલની આંકણીનો પાયો જમીનની માપણી, જુદી જુદી જમીનની ઉપજનો અંદાજ અને ખેતીનું ખરચ; એ ઉપર રચાયો હતો. અને સરકાર હક મુકરર કરવાનું ધોરણ આ રીતે કાઢેલી ખખી ઉપજના ૫૫ ટકાનું રાખવામાં આવ્યું હતું. માપણીના પહેલાં જ કામમાં બહુ ભલે હતી અને ઉપજનો અંદાજ જે આ કામમાં મુખ્ય બાબત હતી અને જે બહુ વિચાર અને શ્રમ પૂર્વક કાઢવામાં આવ્યો હતો, તેમાં એટલી તો ભૂલો હતી કે કંઈ કસર નહિ. પહેલેથી જ ભર આકાર જેવું કાંઈ લઈ શકાશે એ અશકયજ માલમ પડયું. કેટલાક જીલ્લાઓમાં અરધ પણ વસુલ થઈ શક્યું નહિ. દિવસે દિવસે મામલે વધતો ગયો. વર્ષોવર્ષ બાકાત વધારે રહેતી ગઈ અને ટીમલ થતે જ ગયે. તેમને તેમ મહેસુલ દરમાં ફેરફારો કરવા પડ્યા અને મારીઓ આપવાની જરૂર પડતી ગઈ. લાચાર ખેડુત પાસેથી જેમ બને તેમ વધારે નાણું કાઢવાના યત્નો કાયદેસર, ગેરકાયદે, એમ થવા લાગ્યા. જે તેઓ આપે નહિ અથવા આપી શકે નહીં તો તેમને દેહદંડ થાય, અને તેના કેટલાક દાખલા તો બહુજ ક્રૂર અને અવર્ણનીય. સંખ્યાબંધ લેક પિતાનાં ઘર છોડી પડોશના દેશી રાજ્યોમાં ચાલ્યા ગયા; પ્રદેશોના પ્રદેશ ઉજડ થઈ ગયા, અને કેટલેક ઠેકાણે તે ખેડવાણ જમીનના ત્રીજા ભાગની જમીન અત્યારે ખેડાય છે.
આ પદ્ધતિ છેવટે તજાઈ. મુંબઈની સિવિલ સર્વિસવાળા મી. ગોલ્ડસ મીડે અને લેફટનન્ટ વિગેટે સન ૧૮૩૫માં નવી માપણી શરૂ કરી; આ લેફટેનન્ટ વિગેટ પાછળથી સરજર્જવિગેટ થયા.
Page #356
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનના આર્થિક ઇતિહાસ,
“ જમીનમાંથી કેટલી ઉપજ થાય છે. તેનેા અંદાજ કાઢવાના પ્રયત્ન બાજુ ઉપર મૂકીને માપણીમાં કલાસ વારીની રીત દાખલ કરી. એટલે જમીનને કસ અને માટીની ઊંડાણ તપાસી તે પ્રમાણે વર્ગો પાડવામાં આવ્યા. આ કામ સારૂં નવ વર્ષાં પાડવામાં અને આકારના દર મુકરર કરવામાં જમીનના કસ ઉપર અને જીલ્લાની સામાન્ય સ્થિતિ ઉપર જ તેમણે નજર રાખી હતી.
૩૫
આ પદ્ધતિ અમલદારોએ પસંદ કરેલી છતાં વાંચનાર જોઈ શકશે કે તે ખાટા ધેારણ ઉપર ઘડાયલીછે, ખેતરની સરાસરી ઉપજને હીસાબે આકાર મુકરર કરવા એ ધારણ ધણું જુનુ છે; અને એમાં પ્રિન્ગલ નિષ્ફળ થયે તેનું કારણ એ કે તેણે તે ધેારણ બરાબર લાગુ પાડયુ નહિ.
જમીનના કસ અને ઉંડાણુ ઉપર આકાર દોરવા એ દેખીતે જ ખાટા રસ્તા છે; પણ આમાં વિન્ગેટ સલ થયા કારણ કે તેણે પેાતાના સ્વભાવગત વિવેક અને નરમાસથી એ ધારણના ઉપયાગ કર્યાં; જમીનની ભૂસ્તરશાસ્ત્રની રીતે તપાસ કરવાથી તેની ઉપજતું ખરૂ ધારણ હાથ ન આવી શકે; અને આ ધારણ ઉપર ઘડાયેલી હેસુલ પદ્ધતિમાં ઉત્તરાત્તર હેસુલમાં જે વધારા થયા, તેણે કરીને અત્ય ંત નિર્ધનતા અને કષ્ટ આખા પ્રાન્તમાં ફેલાઇ ગયાં છે.
સને ૧૮૩૫ માં જે માપણી શરૂ થઇ, તેથી અત્યારની મુંબઇની જમીન મ્હેસુલની પદ્ધતિની શરૂવાત થઇ. અને તે પ્રાંતમાં, મહારાણી વિારિયા ગાદીએ બેઠાં તેજ સાલમાં પહેલી નિયમસર જમાન્દી આકારાઈ. આ પદ્ધતિને બારીકીથી તપાસવાની જરૂર છે, કારણ તેજ પદ્ધતિ પ્રમાણે મ્હેસુલ લેવાય છે,
અત્યાર સુધી મુખઇમાં
જમાબન્દીનુ કામ ઘણાં વર્ષ સુધી ચાલ્યું અને ધીમે ધીમે આખાં ઇલાકામાં ફેલાયુ'. જેમ જેમ અનુભવ વધતા ગયા તેમ તેમ ભવિષ્યની સગવડ માટે કાનુને બાંધવાને માટે અનુભવ એકત્ર કરવાનું યેાગ્ય જણાયું.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પ્રકરણ ૮ મું.
૧૮૪૭ માં ગેઇસમિડ, વિગેટ અને ડેવિડસનના સંયુક્ત રિપોર્ટથી આ અનુભવ એકત્રિત થયો.
સંયુક્ત રિપોર્ટમાં સમજાવ્યું છે તે પ્રમાણે આ જમાઇન્દીનાં નીચેનાં ધોરણે હતાં.
૧. આ જમાઇન્દી ખેતરવાર આકારથી મુકરર કરવામાં આવી હતી. આખી સીમ અથવા ખાતાના સમગ્ર આકારથી નહીં.
૨. તેને આધારે મુકરર કરેલી સાથે ત્રીસ વર્ષના લાંબા પટા કરી આપવામાં આવ્યા હતા; પ્રથમ જે ટુંકી મુદતના પટા હતા તેને બદલે.
૩. ઉપજના અંદાજનું ધોરણ બાજુ ઉપર મૂકી જમીનના કસ અને ગુંજારના ધોરણ ઉપર જમીનની કિંમત આકારીને આંકણું થઈ હતી. આ બાબત સંયુક્ત રિપોર્ટમાંથી થોડા ઇન્તખાબથી સ્પષ્ટ થશે.
જ્યાં સુધી ખેડૂત પિતાના ખાતાને આકાર ભરે જાય ત્યાં સુધી તેના ખાતાની જમીન ઉપર તેને હક અક્ષર છે. એની સાથે સાથનો કરાર વર્ષોવર્ષ નો થાય છે એ વાત છે કે સાચી છે તે પણ અને ખેતર દીઠ આકાર મુકરર કરવાથી એક એ સગવડ થઈ છે કે જ્યારે તેને જરુર પડે ત્યારે જે ખેતર મૂકવાં હોય તે મૂકી શકે છે, અને વળી ઈચ્છા થાય ને પડતર પડેલાંમાંથી બીજા લેવાં હોય તે લઈ શકે છે, એટલે એની સ્થિતિના પ્રમાણમાં પિતાના ખાતાની જમીનમાં ઈષ્ટ ઘટાડે વધારો કરવાનું તેને બની આવે છે. ત્રીસ વર્ષને માટે લાંબા પટા કર્યાથી આપણી માપણીએ ખેડુતને ફાયદો એટલો કરી આપ્યો છે કે ત્રીસ વર્ષના પટાને તમામ નફે તેને મળે, છતાં ખાતામાં વર્ષોવર્ષ ફેરફાર થઈ શકે; એટલે જે વર્ષે જેટલી જમીન તેના હાથમાં હોય તેટલી જમીનને આકાર તે વર્ષે તેને સરકારને ભાર પડે, તે સિવાય બીજી કોઈ બંધણીમાં તેને પડવાનું નહિ.
Page #358
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિદુસ્થાનના આર્થિક પ્રતિહાસ.
જમીનના નવ પ્રકાર પાડવાના એના ધેારણની વાત ઉપર આવી ગઇ છે; અનુભવથી એમ માલુમ પડયુ` છે કે વ્યવહાર માટે આટલા પ્રકાર પુરતા છે. પણ પ્રકાર નિર્ણય કરનાર અમલદારનાજ નિર્ણય ઉપર આધાર રાખીને મેસી રહેવાને બદલે કેવી જમીન કેવા વર્ગમાં મૂકવી જોઈએ એ બાબતના અમે કેટલાક નિયમા બાંધ્યા છે. આ પ્રાન્તમાં અથવા જે પ્રાંતામાં અમે માપણી કરી છે તે તમામ પ્રાંતામાં જમીનની લઙ્ગપતા, પાણી ચૂસવાની તેની શક્તિ ઉપર રહેલી છે અને આ શક્તિ તેની ઉંડાણ ઉપર આધાર રાખે છે, તેથી આ ઉંડાણને અમે મુખ્ય ધારણુ તરીકે સ્વીકારી છે.
જો સરખી ઉંડાણુની બધી જમીન એક સરખી લકુપ હોય તે આ એક ધારણ બસ થાય; પણ તેમ નથી. અમે જમીનની લક્રુપતાના ધેારણે તેના ત્રણ મુખ્ય વર્ગ પાડયા છે; અને ઉંડાણુનું ધારણ તેની સાથે જોડથાથી અમારા નવ વર્ષ ઉપજે છે. નીચેના કાકથી જણાશે.
વર્ગ.
૧
3
વર્ગની આનાની ઝીણી એક સર ખીકાળી યુનિટ પહેલાં કરતાં જા ઉડાણ. ડી અને ત્સુ ખરી.
કિમત.
૧૬
૧૪
ર
૧૦
૪
૧
૧
૧
૧૩
a
બીજા કરતાં જાડી ર ંગે આછી સુખ
રી.
...
...
880
800
૩૪૦
9.0
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૮
પ્રકરણ ૮ મું.
દરેક પ્રકારની જમીનમાંથી જે જે રીતે ઉપજ આવી હોય તે બધાનું એક પત્રક બનાવવું જોઈએ.
આવી રીતે માહિતી એકઠી કર્યા પછી તે જીલ્લાનો પૂર્વનો ઈતિહાસ જેવો અને તેથી તેની પૂર્વની સ્થિતિની ખબર પડશે. અને આ બધાના જ્ઞાનની સાથે સાથેના જીલ્લાઓને મુકાબલે તેની શું જાસનો પણ વિચાર થાય ત્યારે શે આકાર મુકરર કરે તેને સંતોષકારક નિર્ણય થઈ શકે.
પણ આખા જીલ્લાને માટે એક સામટી રકમ નક્કી કરવાને બદલે, જુમલે તે રકમ થાય તે રીતે દરેક ખેતરની આંકણી કરવી તે વધારે સગવડ પડતું છે. અને આને માટે જુદી જુદી જાતની ખેતીને માટે જૂદા જૂદા ઉંચામાં ઉંચા દર નક્કી કરવા. એટલે હલકા દર વર્ગદારીના આપણું ધરણ પ્રમાણે એની મેળે નકકી થઈ જશે.
આ ઉપરના ઈન્તખાબથી મુંબઈ ઇલાકાની મહેસુલના ધોરણને ખ્યાલ આપણને થાય છે. તે ધારણ ખેતની પિતાના ખેતર ઉપર વંશપરંપરાને માલકી હક સ્વીકારે છે; પણ મરાઠા રાજ્ય નીચે મિરાસી કબજેદારને અચલ આકડાનો જે પ્રાચીન હક હતો તે લઈ લે છે. લાખો ખેતરોમાંથી ક્યા ખેતર ઉપર કેટલે આકાર લે તેને માટે ભારે શ્રમ લઈને એક ધોરણ નકકી કરે છે, પણ તે આકારની કઈ હદ તે મુકરર કરતું નથી. જમીનની ઉપજના
Page #360
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ. ૩૪ ઈન્સાફી ધેરણને બદલે આકારને માટે કેવળ અવ્યાવહારિક-ભૂસ્તર શાસ્ત્રનું ધોરણ દાખલ કરે છે અને જમીનની વર્ગવારી કરવા સારૂ દસ બાર શિલિંગના પગારદાર કલાસરોનાં ટોળેટોળાં ખેડૂત ઉપર છોડી મૂકે છે. વળી આ રીતે ચેકસ નિયમો પ્રમાણે ખેતરવાર આકાર આકાર, પણ આખા જીલ્લા ઉપર કેટલી રકમ મૂકવી તેને નિર્ણય તે જીલ્લાની પૂર્વની સ્થિતિ અને તેના પૂર્વના ઈતિહાસ ઉપરથી કરે. આમ જે એક બાબતમાં લોકો સરકાર પાસેથી ત્રીસ વર્ષ પછી શું થશે તે બાબતમાં તસલ્લી માગે તે બાબતમાં તો તેમને કંઈપણ તસલ્લી મળી નહિ. ઇસ્ટ ઇનિયા કમ્પનીના નેકરે પિતાની હકની કાંઈ પણ મર્યાદા બાંધે નહિ. દરેક નવી જમાબન્દીને ટાંકણે લેકેની સ્થિતિ પ્રમાણે પોતાનો હક વધારવા ફેરવવા તેઓએ સત્તા રાખી. દરેક નવી જમાબન્દીને ટાંકણે વસુલાતી અધિકારીઓને આકાર વધારવાની નિરંકુશ સત્તા આપવી એના જેવી ખેડૂતને હમેશને માટે ગરીબ અને સાધન રહિત રાખવાની બીજી રીત યોજવી મુશ્કેલ છે. જમીનનો કર મુકરર કરવામાં ખેડૂતને કંઈજ અવાજ નથી. કર મુકરર કરતી વખતે તેને પુછવામાં આવતું નથી. પણ તે મુકરર કર્યા પછી એને એમ કહેવામાં આવે છે કે અમે મુકરર કરેલો કર તારે આપ, અથવા તારી બાપ દાદાની જમીન છેડી દેવી અને ભુખે મરવું.
આ જમાબન્દીના કામમાં જેમણે ભાગ લીધે છે તેમના શબ્દોથી આ વાત જરાપણ વધારીને કરવામાં આવે છે એમ નથી. એમ સહજ સમજાશે. ૧૮૫૩ માં કમ્પનીને પટો તાજો કરવાનું હતું, તે વખતે હમેશની રીત પ્રમાણે પાર્લામેન્ટરી કમિટિ નીમાઈ, અને હિંદુસ્તાનના રાજ્યના દરેક ખાતાની તપાસ થઈ ૧૮૫૨ માં દિવાને આમ અને દિવાને ખાસની સભાઓની કમિટિએ પુરાવો લઇ રિપોર્ટ ઘડ્યો. વળી ૧૮૫૩ માં પણ તેમણે બીજે પુરાવો લીધે; ઉમરાવોએ છ રિપોર્ટો કર્યા, અને આમની સભાની કમિટિએ ત્રણ. આ દરીઆમાંથી આપણે મિ. ગોલ્ડફિન્ચ નામને એક અમલદારને
Page #361
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું.
પુરાવા ટાંકીશુ. એમણે મુ ંબઇની જમાયન્દીના કામમાં ભાગ લીધા હતા અને ૧૮૫૩ ના જીનની ૨૦ મી તારીખે પોતાની જુબાની આપી હતી.
સવાલ ૬૭૧૪. તમે એમ સમજો કે એક ખેતર પાંચ વીદ્યાનું લીધું અને તે કાઈએક કબજેદારના કબજામાં છે; પછી તે ખેતર ઉપર કલેકટર પાતાની મરજી મુજબ આકાર મુકરર કરે ! કે તે માલીક અથવા કબજેદારને તમે આટલું આપવાને ખુશી છે કે કેમ ? એમ પુછે ?
જવાબ. આકાર–સર્જે સુપ્રિન્ટેન્ડેન્ટ ખેડુતને પુછ્યા ગાયા વિનાજ મુકરર કરે છે. અને જ્યારે નવા આકાર દાખલ થાય ત્યારે લેટર દરેક ખાતાના કબજેદારને તેડાવીને તેને કહે કે હવેથી તમારા ખેતરને અમુક આકાર વસુલ કરવામાં આવશે. જો એ સરતે રાખવાને તે કબુલ હોય તે તે તેના હાથમાં રહે નહિ તે તે માધુરી આપે.
સ. ૬૭૨૦, તે જીલ્લામાં ચાખ્ખી ઉપજ અને આકાર વચ્ચે સર્વત્ર એક જ પ્રમાણ છે કે જજૂદાં જૂદાં ?
જ. આ સવાલના જવાબ હું આપી શકતે નથી હું માત્ર અટકળ કરી કુ` કે ચેોખ્ખી ઉપજ અને આકાર વચ્ચે શું પ્રમાણ રખાય છે.
સ. ૬૭૨૨. આખા જીલ્લાની માપણી ઉપર દેખરેખ રાખવાનુ કામ એક જ અધિકારીતુ છે ?
જ. હા.
સ. ૬૭૨૩. એટલે એમ ખરૂં તે, કે આકારનું ધારણ આખા ઇલાકામાં એક સરખું' છે !
જ. બેશક.
સ. ૬૭૨૪. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સન્હેં,એ અમલદાર કયા ખાતામાંથી આવે છે
Page #362
--------------------------------------------------------------------------
________________
- બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક
— જ. તે ઇજનેરી ખાતામાંથી કેપ્ટન વિગેટ. મિ. ગોāચિને એમ જણાયું હતું કે જમીનની મહેસુલ ખેડૂતને પુછયા ગાયા વિના મુકરર કરવી અને પછીથી તે જમીનને તે સરતે તેને રાખવા ઈચ્છા હોય તે રાખે, અને નહિ તો માધુરી આપે; એ રીત વાજબી હતી. તેને એમ નહીં લાગેલું કે જમીન તો ખેડુતના બાપની છે, અને તેના પૂર્વજો ચોકસ કર આપીને વંશપરંપરાથી ભગવતા આવ્યા છે; અને માધુરી આપવાની તક આપવી એને અર્થ તે એની વંશપરંપરાની જમીન જપ્ત કરવા બરાબર છે અને તેમ કરવાથી ઘણું કરીને ભુખમરે અને મરણ એ જ પરિણામને અવકાશ રહેવાને.
કેપ્ટન વિગેટને ઇન્સાફ કરવા માટે એટલું કહેવું જોઈએ કે આ ખરાબ પદ્ધતિને તેણે બહુ વિવેક અને રહેમદીલીથી અમલમાં મૂકી અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ઈન્સાફ કરવા સારૂ કહેવું જોઈએ કે આ રીતમાં રહેલો અન્યાય તે સમજતી હતી, અને આકારની મર્યાદા બાંધવાને તેમણે યત્ન કર્યો હતે. કમ્પનીને પટે તાજો થયા પછી ત્રણે વર્ષે એટલે ૧૮૫૬ માં તેમણે દફતર ઉપર મૂકયું છે કે સરકારને હક તે જમીનનું ભાડું એટલે ખેતીનું ખર્ચ અને ખેતીવાડીનાં સાધનો ઉપર નફો-એ બાદ કરતાં જે રહે તે બધું રાજ્યનું, એમ નથી; પણ માત્ર જમીન ઉપર અમુક મહેસુલ લેવાને હક જ
છે. અને ઈસ્ટ ઈન્ડિયા કમ્પની રદ થયા પછી સેક્રેટરી ઓફ સ્ટેટ સરચાર્લવુડે (પાછળથી લેડહેલિફિકસ ) એમણે ૧૮૬૪ના પ્રખ્યાત ખરીતામાં એવો ઠરાવ કર્યો કે ભાડાને માત્ર અંશ જ અને તે અર્ધ અંશજ લેવાનો અમારો ઇરાદો છે.
પણ આ બધી ધાર્મિક વૃત્તિઓને અમલ થઈ શક નથી. મુંબઈની પદ્ધતિમાં ખેતરની ઉપજ અને ઉપર કહ્યું તેવું ભાડું-એનો નિર્ણય કરવામાં આવ્યો નથી. માત્ર લેકો ભૂતકાળમાં કેટલું આપતા અને ભવિષ્યમાં કેટલું આપી શકશે તેને ખ્યાલ કરીને જ ત્યાં અગાડી ખાતાની મહેસુલો આ - કારાઈ છે, જ્યાં ખેડુતોને પૂછવામાં આવે નહિ અને જે આકાર મુકરર થાય તે
Page #363
--------------------------------------------------------------------------
________________
પર
પ્રકરણ ૮ મુ.
ઉપર કાર્ટને અપીલ કરવાને હક નહિ, ત્યાં દરેક નવી જમાબન્દી વખતે હે સુલતા આંકડા વધતાજ ગયા અને ખેડુ ગરીબ અને સાધનહીન થતા ગયા. લેર્ડ કેનિન્ગ જેઓ ૧૮૫૮ થી ૧૯૬૨ સુધી વાઇસરોય હતા તેમણે મુંબઇ ઇલાકામાં અચળ આકાર દાખલ કરવાની દરખાસ્ત કરી; પણ ૧૮૮૩ માં ઇન્ડિયા એસેિ એ દરખાસ્ત નામંજુર કરી. માર્વેસ એક્પન જે ૧૮૮૦-૮૪ સુધી આપણા વાઇસરાય હતા તેમણે જમીનની હેસુલ ભાવમાં અમુક વધારા થાય તે। જ વધારવી એવા ચેોખ્ખા નિયમ કરવાની દરખાસ્ત કરી. પણ તે દરખાસ્ત ઇન્ડિયા ઓફિસે ૧૮૮૫ માં રદ કરી.
જમીનના કરના સંબંધમાં જે ન્યાયી અને સમજી શકાય તેવી મર્યાં. દાએ મૂકવાની દરખાસ્ત વખત વખત થઇ તે તમામ દરખાસ્તા ૨૬ ગઇ; અને મુંબઇની પદ્ધતિ ખેડુતને જાણે દરિદ્ર અને સાધનહીન રાખવાના હેતુથીજ નિર્માંઇ હેાય તેવી થઇ રહી છે. એને લીધે ખેડુત શાહુકારના પંજામાં વધારેતે વધારે સપડાતા જાય છે. અને મુંબઇમાં ઓગણીસમા સૈકાની પૂર્ણાહુતિ એક સર્વવ્યાપી ત્રાસદાયક દુષ્કાળથી થઇત્યારેવિવેકી અને વિચારશીલ માણસો એમ ધારતા કે લાર્ડ હૅલિફેકસની મર્યાદાને અમલમાં મૂકવાનાં લેર્ડ રિપનની દરખાસ્ત પ્રમાણે મર્યાદા બાંધવાનાં ક ઇ પગલાં લેવાશે. પણ તેવાં કાંઈ પગલાં લેવાયાં નથી; અને એથી ઉલટું લોડૅ કર્ઝને હમણાં એક એવા નવા કાયદ્વાને મંજુરી આપીછે, કે જેથી મરાઠા રાજ્યે પણ સ્વીકારેલા, અને એલ્ફિન્સ્ટન અને વિન્ગેટના વખતમાં બ્રિટિશ સરકારે મંજુર રાખેલા માલકી હકકા મ્હેસુલમાં ન ભરાયાના કારણથી જ્યારે ખેડુતની જમીન જપ્ત કરવામાં આવે ત્યારે લઇ લેવા એવે ઠરાવ કરવામાં આવ્યા છે. પરિણામ એ આવ્યું છે કે જ્યારે મુંબઇના ખેડુતે રાજ્ય હક્કની મર્યાદા બાંધવાની અરજ કરી ત્યારે દુનિયામાં તેની જે કાંઇ મીલકત-જમીન-જેની જે કાંઇ બજારમાં કિમત હતી તે લઇ લઈને તેને દુઃખમુક્ત કર્યાં.
Page #364
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૫૩
પ્રકરણ ૯ મું
નાણાં પ્રકરણ અને આર્થિક અપવાહ
ઇસ્ટ ઇન્ડિયા કમ્પજીને પટ ૧૮૩૩ માં ૧૮૦૪ થી ૨૦ વર્ષ માટે તાજે થયો. આ વખતે નાણાં સંબંધી જે ગોઠવણ થઈ તે હવે સમજીએ.
એઠરાવ કરવામાં આવ્યો કે તે તારીખથી ઇસ્ટ ઇન્ડિયા કમ્પની એપાર તમામ બંધ કરવો, અને માત્ર રાજ્યકર્તા અને કારભારી તરીકે જ રહેવું. કમ્પનીના સરહદી તેમજ બીન્ન કરજે હિંદુસ્તાનની જાહેર ઉપજમાંથી ભરવી; અને કમ્પનીને તેજ ઉપજમાંથી ભાગીદારોએ ભરેલી મુડી ઉપર દર વર્ષે ૧૦ પાઉન્ડ દરે વ્યાજ આપવું; ૧૮૪ પછી કમ્પનીને વ્યાજ લેવાને આ હક્ક દર સે પાઉ બસે પાઉંડ આપીને સરકારની મરજી થાય તે રદ કરવાને પાત્ર ઠરાવ્ય; અને છેવટે એમ કરાવ્યું કે જે કપની ૧૮૫૪ પછી બંધ થાય અથવા પાર્લમેન્ટની સત્તાથી તેમની પાસેથી હિંદુસ્તાનને રાજ્યકારભાર લઇ લેવામાં આવે તે ઉપરનાં નાણાં તે તારીખથી એક વર્ષની અંદર સરકાર પાસે માગવાને કમ્પનીને હક થાય છે; અને આવી રીતે કરેલી માગણીનાં નાણું ત્રણ વર્ષમાં પુરાં પાડવાની સરકાર એકવણુ કરશે. સને ૧૮૩૩ ના કાયદામાં આ પ્રમાણે મુખ્ય કરાવે થયા.
આ ગોઠવણના સંબંધમાં ટીકા કરવાની જરૂર નથી. બ્રિટિશપ્રજાએ જ. શહૂના બીજા ભાગોમાં રાજ્યો મેળવવાને માટે કરોડ નાણાં ખરચ્યાં હતાં, પણ હિંદુસ્તાનમાં એક સામ્રાજ્ય સાંપડવું, લાઇઓ લડાઈ, અને રાજયવહીવટ ચાશે, તે બધું હિંદુસ્તાનને જ ખરચે બ્રિટિશ પ્રજાએ એક કટિ બદામ સરખી ઋણ પેલી નહિ. વળી જે વેપારની કમ્પનીએ આ રાજ્ય મેળવ્યું તેણે બે
3
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૧૪
પ્રકરણ ૯ મુ .
જમાના સુધી પોતાની મુડીનું વ્યાજ અને નફે પણ આ રાજ્યની ઉપજમાંથીજ પેદા કર્યાં. જ્યારે ૧૮૩૪માં વેપાર બંધ કર્યો ત્યારે પણ હિંદુસ્તાનના લેાકેાના ઉપર નાખેલા કરની ઉપજમાંથી તેમનું વ્યાજ તે। તેમને મળે એવી ગેાઠવણુ કરી લીધી અને છેવટે, જ્યારે ૧૮૫૮ માં કમ્પની બંધ થઇ ત્યારે તેમની મુડીનાં નાણાં હિંદુસ્તાનને ખાતે કરજ કાઢીને આપી દેવામાં આવ્યાં. આ પ્રમાણે સામ્રાજ્ય કમ્પની પાસેથી સરકારમાં ગયુ, પણ્ અવેજ હિંદુસ્તાનના લોકોએ આપ્યા; અને હજી આજે પણ હિં દનિવાસીઓજ કરજના વ્યાજના સ્વરૂપમાં કૈલાસવાસી કમ્પનીને વ્યાજ આપે જાય છે.
૧૭૯૨ થી મહારાણી વિક્ટેરીયા ગાદીએ આવ્યાં ત્યાં સુધી સ્ટડ ઇન્ડિયા કમ્પનીના ઉપજના આંકડા જોઇએ.
પ્રાંત. જમીનની મહેસુલ. કુલ મહેસુલ. દ
ખગાળા
સામ
સુબઇ
કુલ
૩૦૯૧૬૧
૭૪૨૭૬૦
૦૯૦૨૫
૩૮૧૩૪૦૧
૧૭૯૨-૯૩
૫૫૧૨૭૬૧
૨૪૭૬૩૧૨
૨૩૬૫૫૫
૮૨૨૫૬૨૮
કુલ ખર્ચા દ
૩૮૭૩૮૧૯
૨૨૨૨૮૭૮.
૮૪૪૦૯૬
૬૯૪૦૮૩૩
Page #366
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ
૧૭૮૩-૮૪
બંગાળા
| ૩૧૭૭૦૨૮
૫૮૭૧૯૪૫ -
૩૭૧૪૧૬૦
મદ્રાસ,
૭૮૯૦૫૦
૨૧૧૦૦૮૯
૧૯૭૨૨૨૪
મુંબઈ
૮૨૫૦
२८४७७९
८०९७४५
કુલ
૪૦૪૮૧૨૮
( ૮૨૭૬૭૭૦: છે ૬૫૯૭૧૨૯
૧૭૯૪-૯૫ ૫૯૩૭૯૩૧
folkeho
૩૨૩૫૨૫૯
૩૮૬૩૫૬૬
મદ્રાસ
૮૯૧૬૪૦
૧૭૭૫૭૮૨
/ ૧૮૮૦૭૭૨ ,
Pohoda
T:
૭૦૨૩૮
૩૧૨૪૮૦ :
૮૨૭૯
૪૧૯૭૧૩૭
૮૦૨૬૧૯૩
1. ૨૫૬૭૮૮
૧૭૯૫-૯૬ . ૫૬૯૪૧૮૪
Mollc. he
૩૧૩૦૬૯૭)
૩૯૮૬૭૪૪
મદ્રાસ
૮ર૦ર૦૦
, ૧૮૯૪૩૦૪
૨૧૧૯૧૯
Pihak
૬૪૦૮૫.
૨૭૭૫૮૬
૭૮૭૦૫૭
કુલ
૪૧૨૩૯૮૨
| ૭૮૬૬૯૪ -
: ૬૮૮૮૯૮૭.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ખમાળા
મદ્રાસ
મુ બન્ન
કુલ
બંગાળા
મામ
મુંબ′
કુલ
ભગાળા
મદ્રાસ
મુખપ્રુ
કુલ
૩૧૧૮૫૫૬
૨૦૦૫૩૪
૩૯૭૨૪
૪૦૫૮૮૧૪
૩૦૮૭૪૪૩
૭૩૨૯૮૩.
પ્રકરણ ૯ મુ
૩૮૮૭૨
૩૮૬૯૨૯૮
૩૦૭૨૭૪૩
૫}}}}
३७००७
૩૯૬૬૪૧૬
૧૭૯૬-૯૭
૫૭૦૩૯૦૬
૧૯૯૬૩૨૮
૩૧૫૯૩૭
૮૦૧૬ ૧૦૧
૧૭૯૭-૯૮
૫૭૮૨૭૪૧
૧૯૩૮૯૧૦
૭૩૮૧૩
૮૦૫૯૮૮૦
૧૭૯૮-૯૯
૬૧૫૩૬૧૫
૨૧૨૩૮૩૧
૩૭૪૫૮૭
૮૬૫૨૦૩૩
૪૧૨૬૬૪૪
૨૪૪૯૦૦૦
૨૯૩૨૩૯૪
*
૭૫૦૨૦૩૮
૪૩૫૧૯૨૬
૨૬૬૫૨૩૨
૨૫૮૧૬૯
૮૦૧૫૩૨૭
૪૪૧૯૫૪
૩૪૪૨૦૯૪
૧૨૮૦૩૧૫
૯૧૩૯૩૬૩
Page #368
--------------------------------------------------------------------------
________________
ગાળા
મદ્રાસ
મુખમ
કુલ
અગાળા
મદ્રાસ
મુંબઈ
કુલ
બંગાળા
મદ્રાસ
મુંબઇ
કુલ
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૦૯૪-૧૮૦૦
૬૪૮૪૭૩
૩૨૧૩૨૭૦
૮૮૩૫૩૯
૩૧૩૬૪
૪૧૨૮૧૩૩
૩૨૧૮૭૬૬
૯૫૭૭૯૯
૪૫૧૩૦
૪૨૨૧૬૯૫
૩૨૯૧૩૦૩
૧૦૯૫૯૭૨
૫૪૫૧
૪૪૪૬૮૪૬
૨૪૨૨૫૩૬
૪૧૫૬૬૩
૯૭૩૬૭૨
૧૮૦૦-૧
૬૫૮૩૩૪
૩૫૪૦૨૬૮
૨૮૬૪૫૭
૧૦૪૮૫૦૫
૧૭૦૧-૨
૭૧૨૭૯૮૮
૪૭૨૯૬૦૯
૩૫૯૨
૧૨૧૬૩૫૮૯
૫૦૫૮૬૬૧
૩૩૧૯૫૪૦
૧૫૭૭૧૮૨
૯૯૨૫૩૯૦
૩૫
૨૪૨૦૯}}
૪૬૧૪૩૮૭
૧૪૩૨૮૩૨
૧૧૪૬૮૧૮૫
૧૬૪૭૪૧૫
૫૩૪૭૮૦૫
૧૪૧૪૮૨૫
૧૨૪૧૦૦૪૫
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ગાળા ૩૨૯૫૭૬૧
૮૩૩૧૦૮
મદ્રાસ
મુંબઇ
કુલ
મગાળા
મદ્રાસ
મુંબઇ
કુલ
બગાળા
મદ્રાસ
મુંબઇ
કુલ
૮૦૧૫
૪૨૯૬૮૫૪
૩૨૫૨૬૨૧
૯૨૧૬૪૬
૩૦૫૮૬૧
૪૪૮૧૨૮
૩૨૨૫૪૩૬
૨૯૩૮૪૯
૩૮૪૭૪૦
૪૬૦૪૦૨૫
પ્રકરણ ૯ મુ.
૧૮૦૨-૩
૮૩૮૦૦૨૭
૪૭૨૪૯૦૪
૩૫૯૫૪૬
૧૩૪૬૪૫૩૭
૧૮૦૩૪
૮૦૬૦૯૯૩
૪૬૫૧૭૪૪
૫૫૮૬૪
૧૩૨૭૧૩૮૫
૧૮૦૪-૫
૮૩૩૬૭૦૭.
૪૮૫૭૧૪૦
૭૧૫૫૪૮
૧૪૯૪૫૩૯૫
૫૭૦૮૮૫૮
૫૧૧૭૭૬૯
૧૪૧૦૨૫૩
૧૨૨૩૬૮૮૦
૧૯૩૬૩૮
૬૩૦૬૨૮૪
૧૮૮૫૪૮૩
૧૪૩૯૫૪૦૫
૭૪૬૪૨૯૧
૬૩૧૨૧૩
૨૩૩૮૨૭૯
૧૬૧૧૫૧૮૩
Page #370
--------------------------------------------------------------------------
________________
બંગાળા
સાસ
મુંબમ
કુલ
મ ગાવા
મદ્રાસ
મુંબઈ
કુલ
ગાળા
મદ્રાસ
મુંબઇ
કુલ
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૮૦૫-૬
૩૩૧૧૭૩
૧૦૦૪૧૬
૪૭૧૩૪૪
૪૮૮૦૪૩૩
૩૨૯૬૬૮૪
૯૬૩૪૪૦
૩૮૨૫૩૬
૪૬૪૮૬૬૦
૩૭૨૯૦૫
૧૦૩૯૬૭૧
૪૧૭૧૮૬
૫૧૮૫૯૫૫
૨૫૪૨૪૩૦
૫૦૧૪૪૯૩
૮૪૬૪૮૬
૧૫૪૦૩૪૨૯
૧૮૦૬-૭
૨૧૬૦૧૪૯
૪૬૦૨૭૨૧
૭૦૨૮૬૯.
૯૨૯૧૮૨૬
૫૭૪૨૮૨૯,
૨૪૭૪૨૦૯.
૧૪૫૩૫૭૩૯ ૧૭૫૦૮૮૬૪
પર
૮૯૩૧૮૫૨
૫૭૨૮૧૬૪ -
૨૭૬૧૨૯૬
૧૭૪૨૧૪૧૮
૧૮૦૭-૨
૨૯૭૧૬૯૫ Co૬૦૮૨•
૪૯૨૭૫૧૯
૭૭૦૬૯૧
૧૫૬૬૯૯૦૫
૫૭૧૭૨૨૮૨
૨૩૭૨૧૪૨
૧૫૮૫૦૨૯૦
Page #371
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ મું.
૧૮-૮-૦૯ ૯૮૧૬૪૫૮
બંગાળા
૩૮૫૧૧૨૮
૭૮૮૮૯૨૪
મદ્રાસ
૧૦૫૭૬૨૮
૪૯૬૮૩૨
૫૪૧૧પt
મુંબઈ
૪ર૭૦૩૩
૭૪૦૨૭૬
ર૦૬ર૮૧૪
કુલ
[ ૫૩૩૫૭૮૯
| ૧૫૫૫૫૫
૧૫૩૯૨૮૮૯
-
- - -
-
- -
-
૧૮૦૯-૧૦
બંગાળા
3७० १२००
૯૫૯૮૮૦
૭૮૧૫૬૭૫
મદ્રાસ
૧૧૮૪૨૫૩
૫૩૭૩ ૧૮૨
૫૬૪૭૩૬૫
I
મુંબઈ
૩૯૬૪૪૨
૬૯૧૧૪
૨૦૮૧૬૭૧
પર૮૬૯૩૫ ) ૧૫૬૫૫૮૮૫
૧૫૫૩૪૭૧૧
-
-
-
-
-
- -
૧૮૧૦-૧૧
બંગાળા
| ૧૦૬૮૨૨૪૦
૭૨૪૧૮૩૮
૩૨૮૫૩૮૨ ૧૦૬૬૬
મદ્રાસ
પર૩૮૫૭૬
૫૧૧૦૯૭૭
મુંબઈ
૪૩૭૧૦૮
૭૫૮૩૭૨
૧૫૫૭૧૬૫
-
કુલ
: ૪૮૦૪૧૫૬
૧૬૬૭૮૧૮૭
૧૩૮૦૮૯૮૧
Page #372
--------------------------------------------------------------------------
________________
અગાળા
મદ્રાસ
મુંબઇ
કુલ
ભગાળા
માસ
મુંબ
કુલ
ખગાળા
મદ્રાસ
મુટ્ઠ
કુલ
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
૩૨૯૬૯૦૫
૧૪૨૪૪
૪૩૩૭૮૫
૪૭૭૫૩૪
૩૩૧૦૮૭૪
૧૧૫૯૭૭૮
૪૨૦૩૨૩
૪૮૦૭૫
૩૩૧૦૬૧૭
૨૨૨૭૯૩
૪૦૮૦૨
૪૬૦૪૨ ૨
૧૮૧૧–૧૨
૧૦૭૦૬૧૭૨
૫૧૫૬૭૧૭
૭૪૨૭૨૬
૧૬૬૦૫૬૧૫
૧૭૧૨-૧૩
૧૦૩૯૦૨૫૭
પર૫૮૨૪૪
}9922
૧૬૩૩૬૨૯૦
૧૮૧૩-૧૪
૧૧૧૭૨૪૭૧
૫૨૯૭૦૮૮
૩૫૯૧૫૨
૧૭૨૨૮૭૧૧
૭૦૫૮૮૯૧ :
૪૬૧૯૬૧૯
૧૫૪૨૪૮૫
૧૩૨૨૦૯૬૬
૩૬૧
૭૨૨૨૯૩૬
૪૦૯૯૬૩૦
૧૪૯૩૨૬૨ :
૧૨૮૧૫૮૨૮
૭૧૩૫૧૭૨
૪૮૯૩૨૨૪,
૧૫૮૯૩૨૯
૧૩૬૧૭૭૨૫
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૬૨
પ્રકરણ ૯ મું.
૧૮૧૪-૧૫ ૧૧૧૫૫૮૧૨
બંગાળ
૭૩૭૦૭૪૧
૮૧૪૫૫૬૦
મદ્રાસ
૩૮૮૯૫૫૫
૫૩૨૨૧૬૪
૫૧૩૪૨૪૬
મુંબઈ
૪૮૮૯૮૮
૮૧૮૨૦૪
૧૬૭૫૨૦૦
T
-
-
૧૧૭૪૯૨૯૪
૧૭૨૯૭૨૮૦
૧૫૮પપ૦૦૬
---
-----
---
---
૧૮૧૫-૧૬ ૧૧૩૧૨૮૯૬
will ha
૭૫૬૬૪૩૮
૯૮૩૩૮૬૨
મદ્રાસ
३९ ८१५८
૫૧૦૬૧૦૭
૫૨૮૮૪૭૬ -
મુંબઈ
૪૬૭૭૭૭
૮૧૮૮૧૬
૧૯૩૭૪૩૦
કુલ
1 ૧૧૬૪૩૮૮૪
૧૭૨૩૭૮૧૮
૧૭૦૫૮૯૬૮
૧૭૧૬-૧૭ ૧૧૮૫૬૯૫૩
બંગાળા
૭૮૭૫૬૪૭
૧૦૨૦૦૩૦૩
મદ્રાસ
૩૮૨૬૧૦૭
૫૩૬ ૦૨૨૦
પર૦૧૩૯૯
- મુંબઈ
૪૯૮૧૦૨ *
૮૬૦૪૦૫
૧૯૦૨૪૬૦
J.
કુલ " | ૧૨૧૮૮૮૫૬
/ ૧૮૦૭૭૫૭૮
૧૭૩૦૪૧૬૨
Page #374
--------------------------------------------------------------------------
________________
બંગાળા
મદ્રાસ
મુંબઇ
કુલ
ખગાળા
મદ્રાસ
મુંબઇ
કુલ
અંગાળા
માસ
મુંબઇ
કુલ
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૭૬ ૩૯૧૫૪
૩૮૫૬૪૩૩
૮૬૮૦૪૭
૧૨૩૬૩૬૩૪
૮૫૪૮૧૩૮
૩૭૮૯૪૧૦
૧૧૪૩૦૪૧
૧૩૪૯૦૫૮૯
૨૧૬૩૯૧૯
૩૭૯૧૯૩૧
૧૦૭૮૧૪
૧૩૦૩૪૦૬૪
૧૨૧૭-૧૮
૧૧૬૯૨૦૬૮
૧૩૮૧૩૦૭
૧૩:૨૪૪૫
૧૮૩૭૫૮૨૦
૧૮૧૮-૧૯
૧૨૪૩૭૩૮૫
૫૩૬૧૪૩૨
૧૬૬૦૨૦૦
૧૯૪૫૨૦૧૭
૧૮૧૯-૨૦
૧૨૨૪૫૫૨૬ .
૫૪૦૭૦૦૪
૧૫૭૭૯૩૨
૧૯૨૩૦૪૬૨
૩૬૩
૧૦૬૮૫૧૫૪ .
૫૪૭૫૨૫૪
૧૮૮૫૦૮૬
૧૮૦૪૬૧૯૪
૧૧૯૨૫૩૪૯.
૫૨૭૪-૪૫ .
૨૪૯૨૧૯૩
૨૦૩૯૬૫૮૭
૧૧૫૯૮૪૧૨
૫૬૯૪૮૪.
૨૩૯૫૮૪૪
૧૯૬૮૯૧૦૭
Page #375
--------------------------------------------------------------------------
________________
ક૬૪
-
પ્રકરણ ૭ મું.
૧૮૨૦-૨૧ ૧૫૪૭૨૩
બંગાળા
૮૧૩૯૪૧૫
| ૧૨૨૮૭૩૮૭ :
મદ્રાસ
૩૭૩૮૪
૫૪૦૩૫૦૬
પપ૭૨૪૮૯
મુંબઈ
૧૮૧૮૩૧૪
૨૪૦૧૩૧૨
૩૧૯૭૩૬૬
૧૭૬૯૬૧૮૯
૨૧૩૫૨૨૪૧
૨૧૦૫૭૨પર
૧૮૨૧-૨૨
Iblle ha
૮૨૫૮૮૦૩
૧૩૩૯૦૩૩૯
૧૦૮૪૧૦૦૩
મદાસ
३७०८४०४
૫૫૫૭૦૨૮
પ૪૦૫૫ટર
મુંબઈ
1
૧૭૬ ૧૯૧૦
૨૮૫૫૭૪૦
૩૬૦૯૮૯૪
૧૩૭૨૯૨૧૭
૨૧૮૦૩૧૦૮
૧૯૮૫૬૪૮૮
ક --
૧૮૨૨-૨૩
બંગાળા
૮૨૬૧૮૪૩
૧૪૩૧૨૦૪
૧૦૭૪૬૩૦૧
ભકાસ
३७१८३९५
૫૫૮૫૨૧૦
૫૦૭૨૯૯૨
મુંબઈ
| ૧૫૫૧૫૯૨
૦૨૭૪૪૪૭
I
४२१४४४८
કુલ
| ૧૩પ૮૨૮૪ ૨૩૧૭૧૭૦૧
| ૨૦૦૮૩૭૪૧
Page #376
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૮૨૩-૨૪ ૧૨૯૯ર૦૬૯
બંગાળા
૧૧૩૯૭૦૨૪
૮૨૧૧૨૫૧ ૩૭૪૧૧૦૦
મદ્રાસ
૫૪૪૮૭૬૫
૬૨૨૮૮૨૩
મુંબઈ
૧૬૦૭૮૮
૨૭૮૯૫૫૦
૩૨૨૮૧૫૦
* કુલ
! ૧૩૫૫૯૪૩૯
૨૧૨૮૦૩૮૪ U૨૦૮૫૩૯૯૭
૧૯૨૪-૨૫ [ ૧૩૫૨૪૨૨૩
બંગાળા
૮૦૮૧૪૬૨
L૧૩૫૦૯૮૧૦
મહાસ.
૩૭૬૫૨૧૨
૫૪૪૦૭૪૩
પ૭૧૪૮૪૮,
મુંબઈ
૧૨૮૭૫
૧૭૮૫૨૧૭
૨૭૯૩૮ ;
સલ
૧૩૦૫૫૪૦૯
૨૦૭૫૦૧૮૩
૨૫૪૧૫૬
-
-
૧૮૨૫-૨૬ [ ૧૩૧૫૧૦૮૦
બંગાળા | ૮૧૩૩૬૨૫
| L૧૪૪૫૬૧૬૪
મદ્રાસ
| ૩૯૭૮૬૮૨
૫૭૧૪૯૧૫
૫૭૦૪૮૨૯, ,
મુંબઈ, તે ૧૬૨૭૨૩૭ 1. ૨૨૬૨૩૬૩
૪૦૭૦૨૦
કુલ
| ૧૩૭૩૯૫૪૪ J૨૧૧૨૮૩૮૮ : ૨૪૧૬૮૦૧૩
Page #377
--------------------------------------------------------------------------
________________
.'
આ
પ્રકરણ ૯ મું. '
૧૮૨૬-૨૭ ૧૪૮૧૨૮૩૩
બંગાળા
૮૩૫૫૮••
૧૩૮૨૪૩૨૨
મદ્રાસ
૩૬૬૯૩૨
૫૮૮૧૬૮૧
૫૪૩૨૫૬૨
મુંબઈ
| ૧૮૭૩૪૨૭
૨૧૮૮૯૮૩
૩૯૭૫૪૧૧
૧૩૮૯૮૫૩૮
૨૨૩૮૩૪૯૭.
૨૩૩૧૨૨૯૫
બંગાળા
૧૮૨૭-૨૮ ૧૪૮૭૩૧૧
૮૩૩૧૬૦૪
૧૪-૧૨૭૬૩
મદ્રાસ
૩૬૦૫૨૨૬
૫૩૪૭૮૨૮
| ૬૦૦૭૫૯૭
મુંબઈ.
૧૮૧૭૮૭૩
૨૫૪૨૩૨૫
I
૪૦૩૩૪૭૭
૧૩૭૫૪૭૦૩
૨૨૮૬૩૨૬૩
૨૪૦૫૩૮૩૭
૧૮૨૮-૨૯ ૧૪૮૩૩૮૪૦
બંગાળા
૮૨૦૦૭૭૯
૧૨૫૬૩૫૫
મદ્રાસ
૩૬૪૯૦૧૨
પપ૭૫૦૪૮
૫૫૦૨૨૨૪
મુંબઇ
૧૭૨૨૩૩૫
૨૩૩૧૮૦૨
૩૬૫ર૭૮૬
૧૩૫૭૨૧૨૬
1 ૨૨૭૪૦૬૯૧
૨૧૭૧૮૫૬૦
Page #378
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૮૨૯-૩૦ ૧૩૮૫૮૧૭૮
બંગાળા
૮૧૮૭૫૬૩
૧૧૭૧૦૮૭૦
ભદ્રાસ
૩૫૨૨૧૦૦
૫૪૧૫૫૮૭
૫૨૫૬૬૪૭
*
*
મુંબાઈ
૧૫૮૫૪૩૨
૨૪૨૧૪૪૩
૩૬૦૦૦૪૧
- -
-
૧૩૩૦૫૦૮૫
૨૧૬૮૫૨૦૮
૨૦૫૬૮૩૫૮
૧૮૩૦-૩૧ ૧૪૧૧૯૯૧૪
બંગાળા
૮૨૨૮૧૬૧
૧૧૫૩૨૩૯૮
મદ્રાસ
૩૪૬૩૨૮
૫૩૫૮૨૬૦
૫૧૭૦૨૦
મુંબઈ
૧૬૫૦૦૬૧
૨૫૪૧૧૩૬
૩૫૮૪૪૭૨
૧૩૩૩૮૫૫૧
૨૨૦૧૯૩૧૦
૨૨૭૩૮૮૦
૧૮૩૧-૩૨ .
બંગાળા
| ૬૯૪ર૩૨૪
૧૧૭૪૮૭૫૭
૧૩૪૬૪૫૦
મદ્રાસ
૩૨૫૨૧૧૭
૪૪૭૨૧૩૭
૨૧૬૭૫૭૪
મુંબઈ
૧૩૯૫૮૯૧.
૨૦૯૬૩૪૩
૧૪૬૦૭૯
૧૧૫૯૦૩૩૨
) ૧૮૩૧૭૨૭૭
૭૦૪૮૧૭૩,
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પ્રકરણ ૮ મું.
૧૮૩૨-૩૩ | ૧૨૨૪૪૫૨૩
10011c. La
૭૦૯૯૨૪૯
૧૦૫૩૯૫૨૭
મદ્રાસ
૪૦૭૦૩
૪૧૦૮૦૬૧
૪૩૧૨૪૫ર
મુંબઈ
૧૪૪૧૯૮૬
૨૧૨૫૩૪૦
૨૬૬૨૭૪૧
૧૧૪૮૧૮૩૮
૧૮૪૭૭૮૨૪
૧૭૫૧૪૭૨૦
૧૮૩૩-૩૪ ૧૧૬૧૬૯૫૪
lollow
૬૬૩૭૯૬૧
૯૮૮૧૯૨૭
મદ્રાસ
૩૧૭૬૭૦૮
૪૩૫૮૨૦૭
૪૩૮૨૩૬૮
મુંબઈ
૧૬૨૯૫૮૦
२२४२२०७
२९९००३७
| ૧૬૯૨૪૩૩૨
૧૧૪૪૪૨૪૯ [ ૧૮૨૬૭૩૬૮
૧૮૩૪-૩૫. ३२३४३७९ ૧૫૨૯૦૪૧૪
બંગાળા
८४७०४७२
વાયવ્યપ્રાન્ત
૨૦૧૮૩૪૪
૪૮૯૯૨૭૪
૧૪૮૪૦૨૭
મુકાસ
૩૨૫૬૮૫૫
૪૪૮૦૦૨૫
૪૧૨૮૭૫૩
મુંબઈ
૧૫૪૪૧૮૩
૨૧૮૬૯૩૪
૨૫૮૧૨૪૪
- કુલ
૧૨૦૫૩૭૧૮
| ૨૬૮૫૬૬૪૭ ૧૬૬૮૪૪૯
Page #380
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
૩૬૯
~~
~
૧૮૩૫-૩૬ ૮૨૮૧૨૮૭
બંગાળ.
-
૭૮૪૨૫૦૧ ૧૬૪૦૪૭૮
૪૮૩૮૧૩૩
વાવ્ય પ્રાન્ત મદ્રાસ. મુંબઈ.
૩૩૦૪૨૮૪ ૪૩૧૭૯૮૧ ૩૨૯૭૬ ૨ ૧૭૧૯૮૮૫
૩૮૩૮૭૫૮
૪૫૯૯૨૬૧ ૨૪ર૪૪૪૪
૨૫૭૨૦૬૭
કુલ.
૧૨૫૩૮૭૭૨
૨૦૧૪૮૧૨૫
૧૫૯૯૪૮૦૪
૮૪૫૫૨૮૭
બંગાળા. વાવ્ય પ્રાન્ત. મદ્રાસ. મુંબઈ.
૩૫૭૫૦૫૮ ૪૪૭૮૪૧૭ ૩૧૬૧૪૯૦
૧૮૩૬-૩૭ ૬૮૧૮૪૭૦ ૫૦૫૬૪૮૯ ૪૬૧૮૩૦૯ ૨૭૦૫૬૮૨
૧૭૩૫૪૧૯ ૪૧૭૨૭૮૪
૧૮૪ર૭૫e
૨૯૯૯૮૭૮
૧૩૦૫૭૭૨૫
૧૮૧૮૮૮૫૦
૧૭૩૬૩૩૬૮
બંગાળા.
૩૬ ૧૫૯૭૫ ૩૭૬૫૮૭૩
વાયવ્ય પ્રાતા.
૧૮૩૭-૩૮ ૮૦૮૧૦૧૪ ૪૩૬૯૩૫૧ ૪૮૧૯૮૯૦ ૨૫૮૮૫૬૫
૮૫૩૬૪૨૩ ૧૮૦૭૨૯ ૪૨૯૫૦૩૬ ૨૯૧૪૮૫૭
મદ્રાસ
૩૪૩૧૨૦૦
મુંબઈ
૧૮૫૮૫૨૫
૧૨૬૭૧૬૭૩
૨૦૮૫૮૮૨૦
૧૫૫૩૫૨૫
-
-
24
Page #381
--------------------------------------------------------------------------
________________
३७०
પ્રકરણ ૯ મું.
આ નીરસ આંકડાઓનાકાષ્ટકમાં જે આપણે તે કાળને ઇતિહાસ વાંચીએ તે ઘણો અર્થ સમાયેલે માલુમ પડશે. કમ્પની સરકારની રાજ્યનીતિમાં જ્યાં જ્યાં ફેરફાર થયા છે, જ્યારે જ્યારે યુદ્ધ તરફ વલણ થયું છે, અથવા શાન્તિ અને કરકસર તરફ વલણે થયાં છે, ત્યારે ત્યારે હિંદુસ્તાનના રાજ્યકોષ ઉપર તેની અસર જણાયા વિના રહી નથી. ઉપરના આંકડા કોર્નવોલિસ અને બાલેંથી-બેન્ટિક અને મેટાફના વખત સુધીના વહિવટી સુધારાની સાક્ષી પૂરે છે.
૧૭૯૩ માં જ્યારે લોર્ડ કોર્નવોલિસે હિંદુસ્તાન છોડયું ત્યારે તેણે ૭૦ લાખની અંદર ખરચ રાખી પંદર લાખનો વધારે રહે એવી ગોઠવણ કરી હતી. આ તારીખથી બાર વર્ષની અંદર માર્વસ આંફ વેલીની યુદ્ધપરાયણ રાજ્યનીતિથી ખરચ દોઢ કરોડ સુધી પહોંચ્યું હતું; અને ૨૦ લાખ ઉપરાંત દરવર્ષ નુકશાની આવતી હતી. આ સ્થિતિથી અધિષ્ઠાતૃસભાને માઠું લાગ્યું હતું. એક વેપારી પેઢીના નિયંતાને જ્યાં સુધી નફે મળે જાય ત્યાં સુધી હિંદુસ્તાનમાં લડાઈ ચાલે છે કે શાન્તિનો સમય છે તે જોવાની જરૂર ન હતી; રાજ્યવહિવટ કે ચાલે છે તેને ખ્યાલ જે નાણાં તેમના ઉપર બીડાતાં તે ઉપરથી જ તેઓ કરી લેતા અને જ્યારે સરવૈયામાં નફાને બદલે નુકશાની જણાઈ ત્યારે તે કદી શાન્તિ રાખી શકતા નહિ. વેસ્લીની યુદ્ધપરાયણનીતિ તેઓને નાપસંદ પડી કારણ કે તેની નીતિ ખરચાળ હતી; અને તે મોટા અધિકારીને તેમણે હિંદુસ્તાનમાંથી બેઆબરૂ કરીને પાછો બોલાવી લીધે.
૧૭૯૫ થી ૧૮૧૦ દરમિયાનનાં પંદર વર્ષમાં બંગાળામાં ન હતો, પણ મદ્રાસ અને મુંબઈમાં નુકશાન હતું. અચળ આકારની પદ્ધતિથી નિયત અને એકસરખી ઉપજ આપવાથી બંગાળાએ બ્રિટિશ પ્રજાને હિંદનું સામ્રાજ્ય સ્થાપી આપવાની તક આપી એમ કહેવું એ વધારીને કહ્યું એમ ગણાશે નહિ. ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનની ખરચાળ લડાઈઓનાં નાણું બંગાળાએ પુરાં પાડ્યાં અને આ વર્ષોમાં મદ્રાસ અને મુંબઈમાંથી વહિવટ પુરતાં નાણાં
Page #382
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૭૧
પણ વસુલ થતાં નહિ અને હિંદુસ્તાનનું સામ્રાજ્ય સંપાદન કરવામાં ગ્રેટશ્ચિટને એક અરધી પણ આપી નથી.
લે સ્લીના સિધાવ્યા પછી પાછું સરવૈયું સરભર થવા માંડયું. અને ૧૮૧૩ અને ૧૮૧૪ ની વચમાં હિંદુસ્તાનના શાન્તિને ચાલનારા કાર્યભારીઓએ એક કરોડ ત્રીસ લાખમાં ખરચ લાવી મૂકયું; એટલે વર્ષે દહાડે વીસથી ચાળીસ જેટલી પુરાંત બતાવાઈ; તેથી નિયંતાઓના આત્માને કરાર થયે. પણ વળી મકસ ઑફ હેસ્ટિંગ્સના યુદ્ધપરાયણ કારભારમાં આ પુરાંત પાછી અદૃશ્ય થઈ અને ૧૮૧૮ માં જ્યારે છેલ્લું મરાઠા યુદ્ધ પુરૂં થયું, ત્યારે વળી પાછી નુકશાની જણાઈ. પણ ૧૮૨૨ માં વીસ લાખની પુરાંત બતાવીને હેસ્ટિંગ્સ નિયંતાઓને કંઈક શાન્ત કર્યા. હજી સુધી મુંબાઈ પિતાનું ખરચ આપતું નહતું. દસ લાખની ખોટ પેશ્વાનો મુલક ખાલસા કર્યો પાંચ વર્ષ થયાં પછી પણ મુંબઈમાં જણાતી; અને બંગાળામાં ત્રીસ લાખની સીલક રહેતી. એટલે શુદ્ધ સત્ય પરાયણતાથી કહી શકાય કે વેલીના યુધ્ધોથી માંડીને માકેર્નેસ હેસ્ટિંગ્સના યુધ્ધનાં નાણાં પણ અચળ આકાર વાળા બંગાળામાંથી પુરાં પડતાં.
લે એહર્ટના બ્રહ્મદેશના યુધે વળી સરવૈયું ફેરવી નાંખ્યું અને ૧૮૨૪ થી ૧૮૨૭ સુધી પાછી ખેટ જણાઈ. આ વખતે હિંદુસ્તાનની ઉપજ બે કરાડ વીસ લાખ સુધી પહોંચી હતી, કારણ કે સામ્રાજ્યની સીમામાં વધારો થયો હતો, અને જમીનની મહેસુલ સખ્તાઈથી ઉઘરાવાતી હતી. પણ એ અરસામાં ખરચ પણ એક કરોડ ઉપર ત્રીસથી ચાળીસ લાખ સુધી પહોંચ્યું હતું.
તે પછી લૉર્ડ વિલ્યમ બેન્ટિકે દાખલ કરેલી શાન્તિ કરકસર અને સુધારાની રાજ્યનીતિના આશ્ચર્યકારક પરિણામો જણાયાં. રાજ્યકોષના સુધારક તરીકે પણ બેન્કિ હિંદુસ્તાન આવેલા કાર્યભારીઓમાં અનન્ય છે. હિંદુસ્તાનમાં રાજ્યકોષના સુધારાનો સમાવેશ કરકસરમાં જ થાય છે, કર લેવાના સાધન શોધવામાં નહિ; કેમ કે તેવાં સાધનો વિદ્યમાન નથી. જમીનની વધુ
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૭૨
પ્રકરણ ૯ મું.
nonamna
પડતી મહેસુલ સર્વત્ર કમી કરવામાં આવી, અને ૧૮૨૫ થી ૧૯૩૧ દરમિયાનનાં છ વર્ષમાં ૧ કરોડ ત્રીસ લાખ ઉપરથી ખસીને એક કરોડ સાડા અગ્યાર લાખ સુધી ઉતરી આવી. પણ ખરચમાં કરકસર કરવાથી આ ખાટ પુરી પડી ગઈ. ૧૮૨૮ માં જ્યારે બેન્કિ હિંદુસ્તાનમાં આવ્યો ત્યારે બે કરોડ ચાળીસ લાખ જેટલું ખરચ હતું; જ્યારે તેણે ૧૮૩૫ માં હિંદુસ્તાન છેડયું ત્યારે એક કરોડ સાઠ લાખ જેટલું ખરચ થઈ ગયું હતું અને ચાળીસલાખ જેટલી પુરાંત પડી રહેવા માંડી હતી.
હિંદુસ્તાનમાં આ તરેહના કાર્યભારીઓની પરંપરા આવી હતી તે હિંદુસ્તાનને બહુ સુખ હતું. પણ ખર્ચમાં જેટલી કરકસર કરવામાં આવે તેટલા બધાની ઈંગ્લંડના ઉપરના વર્ગ ઉપર અવળી અસર થવા લાગી; અને કપની સરકારની નીચેના કોઈ પણ ગવર્નર જનરલની નિન્દા નથી થઈ તેવી લેર્ડ વિલ્યમ બેટિન્કની નિંદા થઈ. હિંદુસ્તાનના લેકનાં હિત સાચવવામાં પોતાના દેશબંધુ. ઓનો કોપ હેરી લે એ મનુષ્યસ્વભાવમાં નથી. રાજ્યના અત્યારના તંત્રમાં ખરચમાં વધારો કરવાને હમેશાં દબાણ ચાલુ જ રહે છે, પણ કરકસર કરવા તરફ કાંઈ પણ સૂચના થતી નથી. લૈર્ડ વિલ્યમ બેન્ટિકના વખત પછી જાહેર કરજ કુદકા મારતું વધ્યું છે; અને આને માટે લેકને પિતાના વહિવટમાં કાંઈ ભાગ આપ્યા સિવાય બીજું કાંઈ જ ઉપાય નથી. જ્યારે ખરચ કરૂ નારના હાથમાં જ તમામ લગામ હોય છે ત્યારે સ્વાભાવિક રીતે ખરચે વચ્ચે જાય છે. જ્યારે કર ભરનારાઓને કંઈ હાથ હોય છે, ત્યારે અવશ્ય ખરચ ઉપર કંઇક અંકુશ મૂકાય છે. આ પ્રમાણે આખી દુનિયામાં નિયમ છે, અને હિંદુસ્તાન અપવાદ નથી .
ઉપર કહેવાઈ ગયું છે કે હિંદુસ્તાનની લડાઈઓનાં તમામ ખર્ચ તેમજ વહિવટનાં ખરચ પણ હિંદની ત્રિજોરીમાંથી જ કાઢવામાં આવેલાં છે. અહીંઆ એટલું નોંધવું જોઈએ કે આ બધાં ખરચ કાઢતાં મહારાણી
Page #384
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૭૩
વિકટોરિયા ગાદીએ બેઠાં તે તારીખે પાછલાં વેંતાળીસ વર્ષના હિસાબમાં સંગીન વધારો દેખાય છે.
ઉપર જે આંકડા આપવામાં આવ્યા છે તે ઉપરથી જણાશે કે ચાદ વર્ષ ખોટનાં હતાં તો બત્રીસ વર્ષ નફાનાં હતાં; અને જ્યારે કુલ બોટ એક કરોડ શીતેર લાખની હતી ત્યારે નફો ચાર કરોડ નવ લાખનો અથવા લગભગ પાંચ કરોડનો હતો એટલે આ છે તાળીસ વર્ષમાં ત્રણ કરોડ બે લાખને નફો થયો હતો. પણ આ ધન હિંદુસ્તાનમાં સંચિત થયું નહીં, તેમજ જલાશય કે એવાં બીજા સુધારાનાં કામ પાછળ વપરાયું પણ નહીં. પણ કમ્પનીના ભાગીદારોને વ્યાજમાં આપવા માટે વર્ષોવર્ષ ઇંગ્લંડને જમા તરીકે આપવામાં આવતું. વળી વિશેષમાં હિંદુસ્તાનમાંથી જે ના આવી રીતે જતાં તે આ વ્યાજ પુરતાં ન હોવાથી હિંદને હિસાબે કરજ થતાં; જેનું નામ હિંદુસ્તાનનું જાહેર કરજ' અને તે પણ હિંદની રૈયત ઉપર જ બોજો, કારણ કે તે કરજ,”નું વ્યાજ તેમને જ આપવું પડતું. હિંદુસ્તાનના દુઃખદ નાણાં પ્રકરણ ઇતિહાસમાં આ બીના દુઃખદમાં દુઃખદ છે.
આ વ્યાજ કરજ ૧૭૮૨ માં શિત્તેર લાખથી સહેજ વધારે હતું; ૧૮૯ માં એક કરોડ સુધી પહોંચ્યું; વેસ્લીના યુધ્ધોને લીધે ૧૮૦૫ માં તો બે કરોડ એક લાખ સુધી થઈ ગયું, અને તેમાં ૧૮૦૭ સુધીમાં વળી છ લાખ ઉમેરાયા; અને ૧૮૨ માં ત્રણ કરોડ સુધી પહોંચ્યું. લોર્ડ વિલ્યમ બેન્ટિન્કના ભલા રાજ્ય વહિવટથી આ કરજ ધીમે ધીમે ઓછું થતું ગયું, અને ૧૮૩૬ માં બે કરોડ સાત લાખ સુધી આવ્યું હતું.
હિંદ અને ઈંગ્લંડની પ્રજાઓ વચ્ચે જે ન્યાયી ગોઠવણ હોય તે હિંદુસ્તાને તમામ વહિવટી ખરચ આપવું જોઈએ; અને ઇંગ્લેંડે સામ્રાજ્ય
સ્થાપવાનું–જેનાથી પિતાની સત્તા અને વેપારને આટલો લાભ થશે, અને જે પિતાના છોકરાઓને માટે રોજગારનું એક મોટું સાધન છે તે સ્થાપવાનું –
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પ્રકરણ - મું.
તમામ ખરચ ભરી આપવું જોઈએ. જે હિંદમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપનાથી બન્ને પ્રજાઓને લાભ થયે છે એમ ધારીએ તે બન્નેએ ખરચના હિસ્સો આપવો જોઈએ. હિંદુસ્તાને હિંદુસ્તાનમાં જે વહિવટી ખરચ થાય તે તમામ આપવું, અને ઇંગ્લડે ઈંગ્લંડમાં જે નાણાં આપવાં પડે છે તે આપવાં. પણ હિંદુસ્તાનમાં બ્રિટિશ રાજયની સ્થાપનાના કાળથી જ જુદું ધોરણ હાથ ધરવામાં આવ્યું હતું અને પરિણામે હિંદુસ્તાનમાંથી સતત અપવાહ ચાલ્યાં કર્યો. જેમ જેમ વર્ષો જતાં ગયાં તેમ તેમ વધવા માંડે અને તેણે એકવાર આ બાદી ભોગવતી ઉદ્યમી અને શાન્તિને ચાહનારી પ્રજાને નિર્ધન કરી નાંખી. આ પરિણામ તે વખતે પણ વિચારશીલ અંગ્રેજ દીર્ધ દષ્ટિથી જોઈ શક્યા હતા.
૧૮૩૯માં મોન્ટગેમરિમાર્ટિન લખે છે કે “બ્રિટિશ હિંદુસ્તાનમાંથી આ અપવાહ જે અત્યારે ૩૦ લાખ પાઉંડ જેટલું છે તે બાર ટકાને ચક્રવૃદ્ધિ વ્યાજે ત્રીશ વર્ષમાં બે કરોડ ઓગણચાળીસ લાખ સત્તાણું હજાર નવસે સત્તર પાઉંડ જેટલે થાય; અને વ્યાજનો દર હલકે ગણીએ તો પણ પચાસ વર્ષમાં આઠ અજ ચાળીસ કરોડ જેટલો થાય. આ સતત અને વધતો જતો અર્થશેષ ઈગ્લેંડ જેવા દેશને પણ પાયમાલ કરી નાખે તો હિંદુસ્તાન કે જ્યાં એક મજુરની રોજી બે પેન્સથી ત્રણ પેન્સ જેટલી જ છે, ત્યાં તેની કેવી અસર થતી હોવી જોઈએ ?
પચાસ વર્ષ થયાં આપણે વર્ષોવર્ષ વીસથી ત્રીસ અને ચાળીસ લાખ સુધી હિંદુસ્તાનમાંથી ઘસડતા ચાલીએ છીએ; અને તે ઈગ્લંડમાં વેપારીની ખોટો પૂરી પાડવામાં, કરજના વ્યાજ તરિકે, ઈંગ્લેંડના હિંદના ખાતાના અધિકારીઓના પગાર માટે, અને જેમનાં જીવનો હિંદુસ્તાનમાં ગયાં છે, તેમના સંચયને ઇંગ્લંડની ભૂમિમાં વિનિયોગ કરવા માટે આવી રીતનો આવો માટે સતત શેષ, જે કાંઇપણ આકારમાં હિંદને પાછો મળતો નથી તેની માઠી અસરને પ્રતિકાર કરે અશકય છે.”
Page #386
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
આ અર્થશેષના સંબંધે જે જે લખાયું છે તે બધું ઉતારવા જતાં ગ્રંથોના ગ્રંથો ભરાઈ જાય, એટલે હિંદુસ્તાનને ચારે ખુણે અમલ ભગવનાર ચાર પ્રખ્યાત કાર્યભારીઓના અભિપ્રાયે ટાંકીને આપણે સંતોષ માનીશું.
પહેલો આપણે એ. જેન શેરને અભિપ્રાય લઇએ. આ પુરુષ ઈતિહાસપ્રસિદ્ધ છે. તેમણે હિંદુસ્તાનના સંબંધમાં એક પુસ્તક લખ્યું છે તેમાં પિતાના અવલોકનો સ્પષ્ટતાથી અને વિસ્તારથી નોંધ્યા છે.
લખે છે કે
“હું આ દેશમાં આવ્યો તેને સત્તર વર્ષ થઈ ગયાં છે. પણ હું આવ્યો તે વખતે અને તે પછી એક વર્ષ હું કલકત્તામાં રહ્યા તે દરમિયાન અંગ્રેજોના મનની હિંદુસ્તાનમાં બ્રિટિશ રાજ્યની સ્થાપના કર્યાથી હિંદીઓ ઉપર આપણે મોટો ઉપકાર કર્યો છે, તે વાતની શાન્ત, સુખી અને નિશ્ચિત બુદ્ધિ માર જોવામાં આવી તે મને બરાબર યાદ આવે છે. તે વખતે જે દેશી રાજ્યોને ઉત્થાપીને આપણે આપણું સ્થાપન કર્યું, તે દેશી રાજ્યોને મુકાબલે આપણી શ્રેષ્ઠતા; આપણે જે ન્યાયપદ્ધતિ દાખલ કરી છે તેની ઉત્તમતા; આપણો વિવેક; લોકનું ભલુ કરવાની આપણી ચિંતા; ટુંકામાં આપણા દરેક તરેહના સગુણોની સુસ્થાપિત સત્ય તરીકે જ વાત થતી અને તેના વિરૂદ્ધ કોટિ કરવી એ પાપ જેવું મનાતું. કોઈકવાર દેશના અંદરના ભાગમાં રહેનારા કોઈક પાસેથી જુદો હેવાલ સાંભળવામાં આવતો; પણ એવી વાત આવવાની સાથે જે તેફાન ઉઠતું તે જોતાં અત્યંત છાતીદારને પણ એ કહેતાં પાછા હઠવું પડતું. આથી બ્રિટિશ ઇન્ડિયન રાજ્યપદ્ધતિનાં ધારણ અને રીતરીવાજની તપાસ કરવાની મને ઈચ્છા થઈ આવી. અને જેમ હું આમાં આગળ વધતો તેમ તેમ આપણી સરકાર તરફ અને આપણું પોતાના તરફ લેકની
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પ્રકરણ ૯ મુ.
લાગણી શી છે તે સમજવામાં મને કઇ મુશ્કેલી જણાઇ નાંહે. મને જે જણાયું તેથી ખીજી રીતનું હેત તો ખરેખર મને આશ્ચર્ય થાત. અંગ્રેજને મુખ્ય સિ ધાન્ત આકે દરેક રીતે હિંદી પ્રજાને પોતાના સ્વાર્થને તાબે કરવી, અને પોતાને લાભ થાય તેવી રીતે તેમને રાખવી. તેમના ઉપર હદ ઉપરાંત કર નાખવામાં આવ્યા છે; જેમ જેમ પ્રાન્તા આપણા હાથમાં આવતા ગયા તેમ તેમ વધારેને વધારે નાણાં લેવાનાં તે ક્ષેત્રે બન્યાં છે; અને દેશી રાજ્યાધિકારીએ જે નાણાં લઈ શકતાં તેના કરતાં આપણે કેટલાં વધારે લેવા શક્તિમાન થયા છીએ એવુ આપણે હમેશાં ગુમાન કરીએ છીએ. દેશીને નથી માન, નથી અધિકાર અને હલકામાં હલકા ઇંગ્રેજોને ખપે તેવી એક જગ્યા પણ નથી.” ખીજે સ્થળે અર્થશાષના સબંધમાં ખેલતાં શાર લખે છે કે “ હિંદુસ્તાનને ચઢતીના દહાડા ભરાઇ રહ્યા છે. તેના ધનના ઘણા ભાગને શેષ થઇ ગયા છે; અને થાડાના લાભને માટે લાખાના ભલાને ભેગ આપનાર દુર્વ્યવસ્થાથી તેમને ઉત્સાહ પણ ઢીંગરાઇ ગયેા છે.
જન સુલિવાન ૧૮૦૪ માં ઇન્ડિયામાં આવેલા અને ૧૮૪૧ સુધી રહ્યા હતા. તે દરમિયાન તેમણે સ્પૈસૂરના રેસિડન્ટનેા, કામયુરના કલેક્ટ રા, મદ્રાસ રવિન્યુ સભાના સદસ્યને, અને મદ્રાસના મંત્રી મંડળના સભાસદનેા, એવા જોખમદારીના હાદાએ ભોગવ્યા હતા. કમ્પનીને પટે તાજો કરવા વખતે તેમની જુથ્થાની થઇ હતી; અને લોકોને ઉંચી નેકરીમાંથી ખાતલ કરવાની બાબતમાં તે લાગણીથી નીચે પ્રમાણે ખેલ્યા હતા.
સ૦ ૫૦૩ બ્રિટિશ સરકાર સાથેના સંબંધમાં દેશીઓને શાં શાં નુક સાન જણાય છે ?
જ॰ વિશ્વાસ અને મેટા પગારની તમામ જગાએમાંથી અને દેશી રાજાએના વખતમાં હવટી અને લશ્કરી ખાતામાં જે મેટા હાદા તેમને મળતા તે બધામાંથી તેમને બાતલ કરવામાં આવ્યા છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૭૭
સ, ૫૦૯ જે રાજ્યપદ્ધતિ બ્રિટિશ સરકારે દાખલ કરી છે તેના ફાયદા, એ આ મોટી જગાઓ જેને માટે તેઓ પ્રથમ હકદાર ગણાતા તેમાંથી તેમને બાતલ કરવામાં આવ્યા, તેને, પુરત બદલો નથી ?
જ હું એમ કહી શકું છું કે આવી રીતે જ્યાં તેમને બાતલ કરવામાં આવ્યા હોય ત્યાં બદલાનું કામ કોઈ પણ વસ્તુ સારી શકે નહિ. ”
આજ સાક્ષીની વીસ વર્ષ પછી ૧૮૫૩ માં ફરીથી જુબાની લેવામાં આવી હતી. અને આ વખતે તેમણે વધારે ભાર દઈને જુબાની આપી હતી.
સ૦ ૪૮૬૬ તમે એમ ધારે છે કે તેમનામાં એવી કર્ણ પરંપરા ચાલે છે કે પ્રથમ દેશી રાજ્યાધિકાર નીચે જ્યારે તેઓ હતા ત્યારે તેમની આર્થિક સ્થિતિ અત્યાર કરતાં સારી હતી ?
જ હું ધારું છું કે, સામાન્ય રીતે બેલતાં, આ વાત ઇતિહાસ જ કહે છે. ઇતિહાસ કહે છે તે પ્રમાણે છેક જુના વખતથી તેઓ હટી આબાદી ભોગવતા હતા.
૪૮૬૯ સર તેઓ અત્યારના કરતાં વધારે પૈસે નિરર્થક ખરચતા હતા અને અત્યારના કરતાં યુદ્ધમાં તેમનાં વધારે માણસો માર્યા જતાં હતાં, છતાં તેમની લડાઈઓ પરમુલકની છત કરવાની નહિ પણ પોતાના દેશમાંજ થતી એ વાત ધ્યાનમાં લેતાં, તેઓ અત્યારે છે તેનાં કરતાં વધારે સારી આર્થિક સ્થિતિ ભોગવતા હતા, અને ડેરો, કુવા અને તળાવ પાછળ નાણાં ખરચવાની તેમનામાં શકિત હતી તેને તમે શું ખુલાસે આપ છો?
જ આપણું વહિવટમાં એક ખરચનું મોટું ખાતું છે જેમાંથી તેઓ મુક્ત હતા. તે ખાતું તે આપણું રેપિયનનું તત્વ; જે વહિવટી તેમજ લશ્કરી ખાતામાં ઉપજને મોટો ભાગ ગળી જાય છે તે. તે કારણથી આપણે વહિવટ વધારે ખર્ચાળ છે. અને તેજ મોટું કારણ છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૮
પ્રકરણ ૯મું.
જ્યારે તેને પૂછવામાં આવ્યું હિંદના સામ્રાજ્યનો લશ્કરી કાબુ બ્રિટિશના હાથમાં રાખીને બાકીની બધી બાબતમાં તમામ મુલક દેશી રાજાઓને સોંપી દેવાનું તમે ગ્ય ધાર? એ સવાલ જ્યારે તેને પૂછવામાં આવ્યો. ત્યારે ન્યાય પુરસર જવાબ આપતાં તેમણે આંચકો ખાધો નહિ.
૪૮૯૦ સ ઇન્સાફના કરવાના હેતુ માટે તમે ઘણેખરો મુલક દેશી રાજ્યાધિકારીઓને પાછો સોંપી દે ?
જ હા. કારણ કે ઘણેખરે મુલક વાજબી હકક વગર માત્ર બલાત્કારથી જ આપણે કબજે કર્યો છે. હું ઇન્સાફ કરવાને માટે તેમજ આર્થિક હેતુ માટે તે મુલક પાછી સોંપી દઉં.”
ન સુલિવાનના સમકાલીનેમાંના કેઈએ એમના જેવો અભિપ્રાય આપ્યો ન હતો. પણ ઘણાખરા હિંદુસ્તાનના લેકેને રાજ્ય વ્યવહારમાંથી તદન બાતલ કરવામાં થતો ગેર ઈન્સાફ બરાબર સમજતા હતા.
હલ્ટ મેકેન્ઝી-જેમના કામની નોંધ ઉત્તર હિંદુસ્તાનમાં જમાબન્દીના પ્રકરણમાં આપણે લીધી છે તેમણે ૧૮૩૦ના નિવેદનપત્રમાં નીચે પ્રમાણે લખ્યું છે. (આ લેખ ૧૮૩૩ની સિલેકટ કમિટિના નિવેદનપત્રમાં સામીલ કરવામાં આવી છે ).
પરગજુ માણસે પણ દેશીઓના ઉપર તિરસ્કારની નજરથી જુવે છે, કારણ કે જગત નિર્માયું ત્યારથી તે આજ સુધી વહિવટી બાબતમાં આવી આપખુદીને દાખલો હજી સુધી મળ્યો નથી. આપણા રાજ્યને આપણે ભલે દિવાની અથવા વહિવટી કહીએ પણ વાસ્તવિક રીતે તેનું બંધારણ લશ્કરીદેર ઉપર જ છે. લશ્કરી બાબતોમાં તે હજી સિપાઈની જરૂર પડે છે, પણ રાજ્ય વ્યવહારમાં લેકીને તદ્દન બાતલ કરવામાં આવ્યા છે. આજ ધારણ દરેક કામકાજમાં ચાલ્યું આવે છે; છેક કાયદા બાંધવાની સત્તાથી તે અધિકારની હલકામાં હલકી જગા ઉપર નીમણુક કરવા સુધી.
Page #390
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઋતિહાસ.
સરકારી અમલદારને લાકના કામકાજની ઝીણી ઝીણી બાબતમાં વચમાં પડવાની જરૂર પડે તેવી પદ્ધતિ આપણે એકવાર રાખીએ તે પછી કોઇપણ કાયદા લાકને કનડગત અને ખરચમાંથી બચાવી શકે નહીં. છતાં કમનસીબે આપણે વિરૂદ્ધ ધેારણે જ કામ લીધું છે, અને લગભગ દરેક વસ્તુમાં આપણે વચમાં પડીએ છીએ; લોકાભિમત સ ંસ્થાએ જ્યાં છે ત્યાં તેની બેદરકારી કરીએ છીએ, અને જ્યાં જરૂરી છે ત્યાં નવી સ્થાપવાની પરવા રાખતા નથી.”
૩૦૯
પણ સહુથી વધારે વજનદાર પુરાવા સરજ્જૈન માલ્કમના છે. આ માકસ્ તે તેજ કે જેનું નામ મના અને એલ્ફિન્સ્ટનની સાથે હિંદનું સામ્રાજ્ય સ્થા પનાર તરીકે જાણીતું છે. આ ગૃહસ્થ એગણીસમી સદીના પહેલા ભાગમાં થઇ ગયેલા અમલદારામાં સાથી વધારે સમર્થ અને માયાળુ અમલદાર હતા. એ મરાઠા યુધ્ધામાં હિંમતથી ફતેહમદ થઇને તે પ્રખ્યાતિ પામ્યા હતા; અને વિનય અને માયાળુપણાથી હિંદી લશ્કર અને રૈયતનેા પ્રેમ સંપાદન કરવા તે શક્તિવાન થયા હતા. અને એ રીતે પચીસ વર્ષ સુધી નેાફરી કર્યાં પછી એન્સ્ટિનની જગાએ ૧૮૨૭ માં મુંબઇના ગવર્નર તરીકે નીમાયેા હતેા. એટલે જ્યારે ૧૮૩૨ માં દિવાને-આમની કમિટિ આગળ તેની જુબાની થઇ ત્યારે બ્રિટિશ છત્ર નીચે રહેતા. હિંદી રૈયતના સંબંધમાં તેણે જે જ્ઞાન અને પ્રામાણિકપણાથી જુબાની આપી હતી તે જ્ઞાન અને પ્રામાણિકતામાં તે વખતે કે માં બીજા થાડા સરખાઇ ધરાવતા હશે, સરસાઇ તા કાઈજ કરી શક્યું નથી.
૨૭૮ તમારા અભિપ્રાય પ્રમાણે પૂર્વની દેશીરાજાની ગેરવ્યવસ્થાને ઠેકાણે આપણે અમલ દાખલ થયાથી ખેડુત અને વેપારી વર્ગને ફાયદો થયેલા કે નહિ ?
જ॰ આ સવાલને ઉત્તર હું હિંદુસ્તાનના દરેક પ્રાન્તને માટે આપી શકું તેમ નથી. પણ મારા અનુભવ યાંના છે તેના સ ંબંધમાં આપીશ. હું
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૮૦
પ્રકરણ ૯ મું.
નથી ધારતો કે તે ફેરફારથી દેશી રજવાડાઓની રૈયતને, વેપારી, શાહુકાર કે ખેડુતને, કેાઈને, ફાયદો થયો હોય, કે થઈ શકે; વખતે તે સિવાય બીજાને થયો હોય. જ્યારે ૧૮૦૩ માં નામદાર (હાલના) કુંક ઓફ વેલિંગટનની સાથે દક્ષિણ મહારાષ્ટ્રમાં ગયે હતા ત્યારે ખેતીમાં અને ખેતીની ઉપજમાં કે વેપારના ધનમાં મને એ દેશ જે સમૃદ્ધ લાગ્યો હતો, તેવો સમૃદ્ધ દેશ હું ફરી જોઈ શક્યો નથી. વિશેષ કરીને કૃષ્ણ નદીના કિનારા ઉપરના દેશે પેશ્વાઈની રાજધાનીનું શહેર પૂના–તે બહુ ધનવાન અને આબાદ વેપારવણજનું શહેર હતું, અને દક્ષિણ જેવા સુકા દેશમાં જેટલી ખેતી હોઈ શકે તેટલી ખેતી ત્યાં જોવામાં આવતી હતી.
માળવાના સંબંધમાં પણ મને માહિતી છે, કારણ કે તે દેશનો કબજે કરવાનું અને ત્યાંનો દિવાની લશ્કરી અને રાજ્ય પ્રકરણી વહિવટ ચલાવવાનું મને સોંપવામાં આવ્યું હતું એટલે સરકારી દફતર વગેરે માહિતીનાં બીજાં સાધને મને ઉપલબ્ધ હતાં. મેં જ્યારે અધિકાર ધારણ કર્યો ત્યારે મારા મનમાં એવી સંપૂર્ણ ખાત્રી હતી કે અહીં તો સર્વે વેપારથી અજ્ઞાન જ હશે અને આંટનું નામ પણ નહિ હોય; પણ જ્યારે મેં જોયું કે ઉજજન અને બીજા શહેરો કે જ્યાં આબરૂદાર શાહુકારો અને શરાફે વેપાર ચલાવતા હતા તેમની સાથે રજપુતાના બુંદેલખંડ હિંદુસ્તાન (ઉત્તર) અને ગુજરાતના વિપારીઓ ધમધેકાર વેપાર ચલાવતા; અને આખા પ્રદેશમાં માલની આવ જા એમને એમ ચાલતી એટલું જ નહિ પણ વીમાવાળાઓએ આ ભયના કાર
થી દર બહુ ચડાવી દીધા હતા તો પણ તેમાંના કોઈએ વીમાનાં નાણાં આપવાં બંધ કર્યા ન હતાં. ( હિંદુસ્તાનના આ આખા ભાગમાં વીમા સુદ્ધાંતની ગોઠવણ છે એ વાત પણ નોંધવા જેવી છે.) હું નથી ધારતો કે એ પ્રદેશમાં, આપણ પ્રત્યક્ષ અમલથી–પૂર્વના રાજા રજવાડાઓના વખત કરતાં, વેપાર વાણિજ્યના અને ખેતીના સંબંધમાં આપણે કાંઈ પણ વધારો કરી શકીએ.
Page #392
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૮૧
દક્ષિણ મહારાષ્ટ્રના સંબંધમાં મારે કહેવું જોઈએ કે પટવરધન અને બીજા કેટલાંક કુટુંબના હાથમાં જે મુલક છે તેમાં ખેતી અને વેપારની જે આબાદી છે તેવી મેં બીજે કોઇ ઠેકાણે જોઈ નથી. આનું કારણ વહિવટની પદ્ધતિ છે એમ હું માનું છું; આ પદ્ધતિમાં જો કે કેટલીક વખતે નાણું કઢાવવામાં આવતાં હશે પણ તે ઘણે ભાગે માયાળું અને વત્સલતા વાળી છે. બીજા કારણે મને એ લાગે છે કે ફેરફાર બહુ ઓછા થાય છે. ખેતીના કામમાં હિંદુ પૂર્ણ જ્ઞાન ધરાવે છે એટલુજ નહિ પણ તેની પાછળ તેઓ તનમનથી લાગેલા છે; વહિવટી કામની અને ખાસ કરીને ઉજજડ થઈ ગયેલાં ગામડાં અને શહેરોને આબાદ કરવામાં તેની સમજણ આપણા કરતાં વધારે સારી છે, અને વ્યાવહારિક કુશળતા તે વધારે છે જ, પૈસાદાર માણસને ઉત્તેજન અપાય છે અને મુડીને ઉપયોગ થાય છે; જાગીરદારે પિતાની જાગીરોમાં જ રહે છે; અને સામાન્ય રીતે તમામ વહિવટ ઇજત આબરૂ વાળા અધિકારીઓ ચલાવે છે, જે પિતાતાના અધિકારના સ્થળોમાં જીવે ત્યાં સુધી રહે છે, અને જેમની પાછળ તે અધિકાર તેમના પુત્ર અથવા નજીકના સગાંઓને જ મળે છે. આ લેકો કઈવાર મરજી મુજબ પૈસા કઢાવતા હશે તે પણ તેમના તમામ ખરચ અને તમામ ઉપજ તેજ મુલકમાં રહે છે. પણ આબાદીનું સહુથી વધારે સંગીન કારણ જે મને માલુમ પડયું છે તે એ છે કે ગાંમડાઓને તેમ જ બીજી બધી વર્તમાન સંસ્થાઓને પૂર્ણ અધિકાર આપવામાં આવે છે, અને આપણી પદ્ધતિથી જેનો સંભવ જ નથી એવી રીતે તમામ વર્ગની રૈયતને રોજગાર મળે છે.” .
આ રીતે ઊચી નોકરીમાંથી લેકને બાતલ કરવામાં આવે છે તે અને વર્ષોવર્ષ મોટી રકમ હિંદુસ્તાનની બહાર ઘસડાઈ જાય છે, તે બે દરદ સર જોન માલ્કમ અને બીજા સાક્ષીઓએ સિલેક્ટ કમિટિ રૂબરૂ રજુ કર્યા હતાં. ઉપાય બિશપ હીબરે પ્રથમ બતાવ્યું હતું. તે એજ કે દેશીઓને વધારે
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૮૨
પ્રકરણ ૯ મુ.
સંખ્યામાં પેાતાના દેશના ર્વાહવટમાં રોજી આપવી; અને હિંદુસ્તાનની સર્વે ઉપજ હિંદુસ્તાનમાં જ ખર્ચવી. પહેલી બાબતમાં મન્રા, એલ્ફિન્સ્ટન અને એન્ટિન્યું કંઇક નિવારણ કર્યુ હતુ અને ૧૮૩૩ માં કમ્પનીને પા તાજી કરતી વખતે બ્રિટિશ પાર્લમેન્ટે એક કલમ એવી ઉમેરી કે જેથી નાત જાત અને ધર્મના ભેદને બાજુ ઉપર મૂકી હિંદુસ્તાનની સમસ્ત રૈયતને સમસ્ત અધિકારને માટે યોગ્ય ઠરાવી; પણ્ મીજી બાબતમાં પાર્લમેન્ટે કંઇ પણ નિવારણ કર્યું નથી એટલું જ નહિ પણ ૧૮૩૪ થી તેમણે કમ્પનીને વેપાર બંધ કર્યાં છતાં ઉપર કહ્યું છે તે પ્રમાણે સાડા દસ ટકા વ્યાજ હિંદુસ્તાનની ત્રિોરીમાંથી કમ્પનીની મુડી ઉપર કમ્પનીને આપવાનેા ઠરાવ કર્યો છે. આ હિંદુસ્તાનને એક ગેરઇન્સા હતા; અને તે સામે એક બીજા ઈંગ્રેજે જ્યારે ૧૮૫૮ માં કમ્પનીના હાથમાંથી તાજતા હાથમાં હિંદુસ્તાનની માલકી ગઇ ત્યારે મજબૂત વાંધા ઉઠાવ્યા હતા.
ઉપરના પ્રકરણમાં આપણે જોઇ ગયા છીએ કે સરજાન વિગેરે મુબઇની જમાઅધીના કામમાં નામના મેળવી હતી. તેમને ખાટી પદ્ધતિ પ્રમાણે કામ કરવાનું હતું, પણ માયાળુપણાથી અને વિવેકથી કામ લઇને તેમણે તે ખાટી પતિને પણ સફળ બનાવી હતી. ત્રીસ વર્ષ સુધી હિંદુસ્તાનના લાકામાં હેનત કરી તેમણે ઉપરામ લીધા હતે; તેને હિંદના કામકાજની પૂરી અને પાકી વાકેફગારી હતી; તે સરકારનાં માન અકરામ પામ્યા હતા, અને મુંબઇની મ્હેસુલ પદ્ધતિના પિતા તરીકે તેમની નામના થઇ હતી. પણ હિંદુસ્તાન અને ઇંગ્લાંડ વચ્ચેનાં નાણાં પ્રકરણી સંબધથી તેમને ચિંતા અને દુઃખ ઉત્પન્ન થયાં હતાં; અને જ્યારે હિંદુસ્તાનને વહિવટ કમ્પનીના હાથમાંથી તાજના અમલમાં ગયા ત્યારે તેમણે તે વખતે જે નવી ગાઠવણુ કરવામાં આવે તેમાં હિંદુસ્તાનને વધારે ઇન્સા કરવા પોતાના સ્વદેશી જતેને વિનતિ કરી હતી. તેઓએ લખ્યુંછે કે,
Page #394
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૮૩
ત્યારે જે આપણે હિંદુસ્તાન ઉપર માત્ર દેશીઓને માટે નહિ પણ આપણું પિતાના સ્વાર્થ સારૂ પણ રાજ્ય કર્યું છે અને કરીએ છીએ, તે તેના રાજ્ય વહિવટના ખર્ચમાં કંઈ ભાગ આપણે ન આપીએ તે પરમેશ્વર અને માનવ જાતિની નજરમાં આપણે ઠપકાને પાત્ર છીએ. જે બ્રિટિશ સ્વાર્થોની ગણતરીથી આપણું હિંદ સંબંધી રાજ્યનીતિ ઘડાઈ હોય તેના પ્રમાણમાં આપણે આપણે વાજબી હિસ્સો ન્યાયની રીતે આપ જોઈએ. પણ આ હિસ્સો આપણે કદી આપ્યું નથી, અને અત્યારે ઘણા વર્ષથી ચઢયે જતું એક મોટું કરજ આપણા સામું એકઠું થયું છે. ઇંગ્લાંડ સત્તાધીશ છે, હિંદુસ્તાન તેને પગે પડયું છે, અને સબળા પાસે નબળાનું કંઈ જોર ચાલે નહિ એ સ્વભાવિક છે.
હિંદુસ્તાનને જે જમા આપવી પડે છે તેની આર્થિક અસર ઉપર વિચાર કરીએ તે તે અત્યંત વાંધા ભરેલી છે એમ તરત સમજાશે. જે દેશમાંથી કર લેવામાં આવે તે દેશમાંજ તે કરો ઉપયોગ થાય એ એક જુદી વાત છે, અને તે કરને બીજા દેશમાં ઉપયોગ થાય એ જુદું છે. પહેલા પ્રસંગમાં લોકો પાસે ઉઘરાવેલાં નાણાં સરકારની નોકરીના માણસોના હાથમાં જાય છે, અને તેમના ખરચ ખુટણ દ્વારા તે નાણાં પાછાં ઉગી પ્રજાના હાથમાં આવે છે. તેમાં માત્ર માલિકીને ફેરફાર થાય છે, પણ સમગ્રતાએ પ્રજાને ગેરલાભ નથી; અને તેથી, સુધારામાં આગળ વધેલા દેશે કે જ્યાં યાંત્રિક યોજનાઓ અને કુદરતની શકિતઓના વિવેકી ઉપયોગથી દ્રવ્યત્પાદક શકિતમાં ઘણો વધારો થયેલ છે ત્યાં લોક ઉપર ભૂજ બોજાથી કરની ઘણી મોટી રકમ પેદા કરી શકાય છે. પણ જ્યાં જે દેશમાંથી કર લેવામાં આવ્યા હોય તે દેશ સિવાય બીજા દેશમાં તે કરતાં નાણાં ખર્ચાતાં હોય ત્યાં તે જુદે જ પ્રસંગ છે. ત્યાં અગાડી એક વર્ગની રૈયત પાસેથી રૈયતના બીજા વર્ગ પાસે નાણું જાય છે એમ નથી, પણ કર આપનાર દેશમાંથી કેટલું નાણું કેવળ
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૮૪
પ્રકરણ ૯ મું.
અદશ્ય થાય છે, એટલે તે દેશને તેટલુ નુક્સાન જ છે. સમગ્ર પ્રજાની દ્રત્પાદનની શકિત ઉપર આની શી અસર થાય છે તેનો વિચાર કરીએ તો એમાં અને એ તમામ નાણ દરીઆમાં નાખી દેવામાં આવે તે બેમાં કંઈ જ ફેર નથી કારણ કે એ નાણુનો કંઈ પણ અંશ મૂળ દેશમાં કોઈ પણ આકારમાં પાછો આવવાનો નથી. હિંદુસ્તાનમાંથી આપણે જે જમા આટલા લાંબા કાળથી લેતા આવ્યા છીએ તેનું આ સ્વરૂપ છે.
આ જમા ઇન્સાફના તાજવામાં તળતાં, કે આપણું સ્વાર્થના દષ્ટિ બિંદુથી તપાસતાં, માનવ હિતની સ્વભાવિક અકલની અને અર્થશાસ્ત્રના સુસ્થાપિત સિધ્ધાન્તની વિરૂદ્ધ જણાશે. તેથી હિંદી સરકારને માટે આપણે અહીંઆ જે કાંઈ ખરચ કરવાનું હોય તે ઇગ્લેંડની બાદશાહી ત્રિજોરીમાંથી આપવાની ગોઠવણ કરવી એમાં ડહાપણ સમાયેલું છે. આ ખરચ આટલા પ્રકારનું છે (૧) ઇસ્ટ ઇન્ડિયાની મુડીનું વ્યાજ. (૨) ઈગ્લંડમાં થયેલા કરજનું વ્યાજ. ૩) હિંદી સરકાર સંબંધી કામકાજ કરવા માટે ઇંગ્લ. ડમાં જે અધિકારીઓ અને તેમના હાથ નીચે માણસો રાખવા પડે તેનું તેમજ મકાન વગેરેનું ખરચ (૪) હિંદુસ્તાનના લશ્કરી અને વહિવટી અધિકારીઓ અહીં રજા ઉપર હેય ત્યારે અથવા ઉપરામ લઈને આવે તે વખતે તેમને પગાર ભથ્થુ વગેરે આપવું પડે તે (૫) હિંદુસ્તાનમાં નોકરી ઉપર ગયેલા બ્રિટિશ સૈનિકોને માટે ઇંગ્લંડમાં જેને ખર્ચ કરવું પડે તે તમામ અને (૬) બ્રિટિશ લશ્કરને હિંદુસ્તાનથી લાવવા લઈ જવામાં જે ખરચ થાય તેના અમુક હી.
જે ઇન્ડિઆ ઉપરથી આ ક્રૂર બોજો ઓછો થાય અને હિંદુસ્તાનની વિત પાસેથી જે કર લેવાય તે બધા તે દેશમાં જ ખરચવામાં આવે તો તે દેશની ઉપજમાં એવી સ્થિતિસ્થાપકતા આવે કે જેને આપણને અત્યારે ખ્યાલ પણ આવી શકે નહીં,
Page #396
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિકા
પણ આ વિનંતિ નિષ્ફળ નીવડી. આ “ખરચ ”જે મહારાણી વિકટ. રિયા ગાદી ઉપર બેઠાં તે વખતે ત્રીસ લાખ જેટલું હતું, તે તેઓ સદ્દગત થયાં ત્યારે એક કરોડ ૭ લાખ સુધી વધી ગયું હતું. આ અર્થશેષ દુનીઆમાંના આબાદમાં આબાદ દેશને પણ પાયમાલ કરવા સમર્થ છે; તેણે હિંદુસ્તાનને એક દુષ્કાળની ભૂમિ બનાવી મૂકી છે, જ્યાં, જેવા વારંવાર દુકાળ આવે છે, જેવા વિસ્તારમાં આવે છે, અને જેવા હાનિકારક આવે છે તેવા દુષ્કાળ હિંદુસ્તાનના પૂર્વના ઈતિહાસમાં અથવા જગતુના ઇતિહાસમાં અજ્ઞાત છે.
પ્રકરણ ૧૦ મું.
મહારાણી વિકટેરિયાનું રાજ્યારોહણ,
૧૮૩૩ માં કપનીનો પટ તાજો કરવા બાબત જે કાયદો થયો તેમાંના નાણાં સંબંધી ઠરાવ ઉપર આવી ગયા, પણ તે સિવાય બીજી પણ કેટલીક ગોઠવણો તેમાં થયેલી તેના ઉપર હવે આવીએ.
૧૮ ૦૨ અને ૧૮૦૩ માં લે વેલીનાં ઉત્તર હિંદુસ્તાનનાં યુધ અને મુલ ખાલસા કરવાની નીતિથી બંગાળાની સરહદમાં મોટો વધારો થયો હતો. ઉત્તર હિંદુસ્તાનના મુલકનો હવે જુદો પ્રાન્ત બનાવ્યો. આ વખતથી ત્રણને બદલે ચાર મુખ્ય ઇલાકાઓમાં હિંદુસ્તાન વહેંચાયું અને તેજ કાર
થી છેલા પ્રકરણમાં જે કાષ્ટક આપવામાં આવ્યાં છે તેમાં ત્રણને બદલે ચાર પાન્તો આ તારીખથી બતાવવામાં આવ્યા છે.
મી. વોરન હેસ્ટિંગ્સના વખતથી ગવર્નર જનરલની “બંગાળાના ગવર્નર 25
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પ્રકરણ ૧૦ મું.
જનરલ” એ પદવી હતી; અને તેને બીજા પ્રાતો પર દેખરેખ રાખવાને અધિકાર હતા. ૧૮૩૪ માં આ અધિકારીને “હિંદુસ્તાનના ગવર્નર જનરલ” એ પદવી મળી એટલે લોર્ડ વિલ્યમ બેન્ટિન્ક હિંદુસ્તાનનો પહેલો ગવર્નર જનરલ થયે. અત્યાર સુધી દરેક ઇલાકાઓમાં પોતપોતાના બંદોબસ્ત સારૂ જુદાજુદા કાયદા થતા. હવે હિંદુસ્તાનના ગવર્નર જનરલને આખા હિંદુસ્તાનને લાગુ પડે તેવા કાયદા પસાર કરવાની સત્તા આપવામાં આવી. ગવર્નર જનરલના મંત્રીમંડળમાં અત્યાર સુધી ચાર સભાસદો હતા તેમાં હવે એક ઉમેરીને પાંચ કર્યા; અને આ પાંચમા સભાસદને વ્યવહાર (legal) મંત્રી એ સંજ્ઞા આપવામાં આવી અને હિંદુસ્તાનના પહેલા વ્યવહારમંત્રી તરીકે મેકોલેને નીમ્યા. વળી ગવર્નર જનરલને હિંદુસ્તાન માટે કાયદા ઘડવા સારૂ ખાસ અધિકારીઓ નીમવાની સત્તા આપવામાં આવી. અને આ અધિકારવાળી સભાના પ્રમુખ તરિકે કોલેએ પીનલ કોડ ઘડશે, જેને પ્રખ્યાત મુદ્દે વીસ વર્ષ પછી કાયદો થયો.
વળી યુરોપિયનેને હિંદુસ્તાનમાં વસવાટ ન કરવા દેવાના તમામ અંકુશો દૂર કર્યા. કલકત્તાના ધર્માધ્યક્ષની જૂની જગાના જેવી બીજી બે જગાઓ નવી કહાડી અને કમ્પનીના નિયંતાઓએ પસંદ કરેલા હિંદની સિવિલ સરવીસના ઉમેદવારોને કેળવણી લેવા સારૂ હેઈલિબરીમાં એક કોલેજ સ્થાપી. સને ૧૮૮૪ ના પિટ્ટના પ્રબંધે સરકારી અધિકારીઓનું જે
મંડળ કપનીના વહિવટ ઉપર દેખરેખ રાખવા સારૂ નીમ્યું હતું તે - કાયમ રાખ્યું.
કમ્પનીના વધારેમાં વધારે સમર્થ નોકરોને પણ લેકેની સહાયતા વિના રાજ્ય વહિવટ ગ્ય રીતે ચલાવવાનું અશક્ય જણાતું હતું, અને મને એલિફન્સ્ટન અને બેકિટકે ઉપર જણાવાઈ ગયું છે તે પ્રમાણે ન્યાયખાતામાં કેટલીક જવાબદારીવાળી જગાઓ ઉપર દેશીઓને દાખલ કર્યા હતા. આ
Page #398
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિં’દુસ્તાનના આર્થિક ઇતિહ્રાસ.
૩૨૭
ઉદ્દાર નીતિના આ કાયદાની એક કલમમાં સબળ રીતે ઉદ્યાષ કર્યાં, જે નીચે પ્રમાણે તેઃ—
“ અને એવા કાયદા કરીએ છીએ કે ઉપર લખેલા મુલકના કોઈ વતની, અથવા જન્મથી જ મહારાજાધિરાજની રૈયત થયેલા તે મુલકમાં રહેનાર, કોઈપણ, માત્ર ધર્મ, જન્મસ્થળ, કુલ, વર્ણ કે એમાંના કોઇ એક કારણથી કમ્પનીના તાબામાં કોઈ પણ જગા અધિકાર અથવા રાજગારી મેળવવા માટે નાલાયક ગણાશે નહિં.
આ કાયદો પસાર થયા તે વખત મેકાલે હાઉસ આ કામન્સમાં હતા; અને આ કલમ ઉપર તેનું પ્રખ્યાત ભાષણ ધણીવાર પ્રમાણ તરીકે ઉચ્ચા રવામાં આવેલું છે તે પણ વળી એકવાર આપણે યાદ કરીએ.
પરંતુ આ પ્રબંધને એક ભાગ એવા છે કે જેના સંબધમાં ખીજે ઠેકાણે જે વ્યાપાર ચાલી રહ્યા છે તેને લઇને એ શબ્દ માલવાના મારા વેગને અટકાવવાને હું અસમર્થ છું. જે કલમ ઉપર હું આપનું ધ્યાન ખેંચવા માગુ છુ તે એ ડાહી, પરહિતેચ્છુ, અને અમીરી કલમ છે, જેમાં આપણે એવા ઠરાવ કર્યો છે કે આપણા ભારત સામ્રાજ્યને કાષ્ઠ વતની તેના વર્ણ, કુલ કે ધર્મ માત્રના કારણથી અધિકાર મેળવવાને નાલાયક ગણાશે નહિ. સ્વાર્થી હૃદય અને સાંકડા સનવાળા મનુષ્યાને જે નામ બહુ અપમાનકારક લાગે છે તેવુ - વેદીએ ’ એવું નામ પડવાનું જોખમ વેઠીને પણ હું કહું છું અને મારે કહ્યા વિના ચાલે એમ નથી કે મારા જન્મ પર્યન્ત આ કાયદો ઘડવામાં હું સામેલ હતા એ વાતનું મને અભિમાન રહેશે.
"
"<
બયરે કહ્યુ છે કે, હિંદુસ્તાનમાં કેટલાક જુલમી રાજાને એવી ટેવ હતી કે જ્યારે પેાતાની રૈયતમાંના કાઇ મેટા અને પ્રખ્યાત માણસની શક્તિ
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૮
પ્રકરણ ૧૦ મું.
mannammann,
અને તેજનો એમને ડર લાગે છતાં તેમને મારી નાંખી શકે નહિ, ત્યારે તેનો હમેશાં “પુસ્ત” એ નામની અફીણની એક દવા આપે,જેની અસર એવી થાય કે છેડા મહીનામાં એ બીચારાની તમામ શારીરિક અને માનસિક શકિત નષ્ટ થઈ જાય અને તે પોતે એક લાચાર ઘેલા જેવો થઇ રહે. આ ધિ કારવા લાયક યુકિતની સ્થિતિમાં એક આખી પ્રજાને મુકતાં આપણે આનાકાની ન કરીએ તે. આપણી રવતંત્રતા અને સુધારો કાંઈ જ કામનાં નથી. આપણે હિંદુસ્તાનના લેકીને આપણા તાબામાં રાખી શકીએ તેટલા માટે શું તેમને અજ્ઞાન રાખીશું ? અથવા આપણે એમ માનીએ છીએ કે એમને જ્ઞાન આપ્યા છતાં તેમનામાં અધિકાર લેભ જાગ્રત નહિ થાય ? અથવા આપણે તેવી રીતે અધિકાર લેભા જાગ્રત કરીને તેને માટે કંઈ માર્ગ નહીં કરી આપીએ ? આમાંના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર “હ કારમાં કોણ આપી શકશે ? છતાં જે લોકો હમેશને માટે ત્યાંના વતનીઓને ઊંચા અધિકારમાંથી બાતલ રાખવાને માગે છે તેમને આમાંના એકાદ પ્રશ્નનો જવાબ હકારમાં આપ્યા વિના ચાલે તેમ નથી. મને કોઈ પણ પ્રકારનો ભય નથી. ધર્મને માર્ગ આપણી આગળ સ્પષ્ટ છે અને તેજ ડહાપણને માર્ગ છે, આપણી પ્રજાની સમૃદ્ધિને અને આપણું પ્રજાની પ્રતિષ્ઠાને પણ માર્ગ છે.
આપણા ભારત સામ્રાજ્યનું ભવિષ્ય ઘાઢ અંધકારમાં વીંટાયેલું છે. રાજકીય સૃષ્ટિમાં નવા પ્રકારના પ્રસંગે રૂપ, જેના સરખું ઇતિહાસમાં બીજું એક સામ્રાજ્ય હજી સુધી થયું નથી, તેનું ભવિષ્ય શું થશે તેને તર્ક કરો અશક્ય છે. એના અદયના નિયમે અજ્ઞાત છે. એમ પણ બને કે હિંદુસ્તાનના જન મંડળનું આંતર જીવન આપણી રાજ્ય પદ્ધતિ નીચે વૃદ્ધિ પામતાં પામતાં એટલે સુધી વધે કે પછી તેને માટે આપણી પદ્ધતિ અયોગ્ય થઈ જાય; તેમના ઉપર સદ્દરાજ્ય કર્યાથી આપણે તેમને વધારે સારા રાજ્યતંત્રને માટે કેળવી શકીએ; તેમને યુરોપિયન જ્ઞાન આપ્યાથી તેમનામાં ભવિષ્યમાં યુરોપિયન સમાજ સંસ્થાઓની માગણીઓ કરવાની ઇચ્છા થાય.
Page #400
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ દ્વિ`દુસ્તાનના આર્થિક પ્રતિદ્રાસ
૩૮૯
આવેા દિવસ કાઇ દિવસ આવશે કે નહિ તે હુ' જાણતા નથી. પણ એવા દિવસને પાછે વાળવા કે વિલખિત કરવાનો યત્ન હું કદી કરવાનેા નથી. એ જ્યારે આવશે ત્યારે ઈંગ્લેડના ઇતિહાસમાં મ્હોટામાં મ્હોટા દિવસ ગણાશે. ગુલામગિરી અને વ્હેંમના ઊંડામાં ઊંડા ખાડામાં પડેલી એક પ્રજા ઉપર એવી રીતે રાજ્ય કરવું કે નાગરિક તરીકેના હકકને માટે તેમને ઇચ્છા થાય અને તે હુ ભોગવવા તેએા લાયક થાય, એવું બને તે તે નિર્વિરોષ કñનુ કારણ થશે. આપણા હાથમાંથી કદાચ રાજદડ જતા રહે; રાજ્ય નીતિની ગંભીર યાજનાએ અણુધાર્યાં કારણેાને લીધે અસ્તવ્યસ્ત થઇ જાય; આપણાં આયુધાને હમેશાં યશ ન મળે; એ બધું બને; પણ કેટલાંક એવાં પરાક્રમેા છે કે જેના પછી કાષ્ઠ વિપરીત પ્રસંગ આવવા સંભવે જ નહિ. એક એવુ સામ્રાજ્ય છે કે જેને ક્ષયનાં કુદરતી કારણેા સ્પર્શ કરી શકતાં નથી. તે સામ્રાજ્ય તે આપણી કલાઓનું, આપણા નીતિ સિદ્ધાન્તનું, આપણા સાહિત્યનુ અને આપણા કાયદાઓનું અક્ષય સામ્રાજ્ય છે.’
મેકાલેની રીત પ્રમાણે ઉપરના ભાષણમાં રંગ ઘેરા પૂરેલા છે. જ્યારે હૃદ બહારની આકરી ભાષા વપરાય છે, ત્યારે આપણે એમજ માનવું જોઈએ કે ઈંગ્રેજોનામાં પેાતાના દેશ બહારની પ્રજાએનાં સપત્તિઓ અને રીતરીવાજોની પૂરતી તુલનાશક્તિ નથી અને મેકલા એ ખામીને લીધે જ મેઘલેને નિંદાપાત્ર જુલમગાર કહે છે, અને બ્રાહ્મણ વર્ગની ગુલામંગરી અને વ્હેમના ઉંડામાં ઉંડા ગર્તની વાતા કરે છે.
તાપણુ ઉપર મેકાલેએ જે ઊચી રાજ્યનીતિની હિમાયત કરી છે, તેજ રાજ્યનીતિ ૧૮૩૩ માં ઈંગ્લ ંડની રાજ્યનીતિ હતી; અને એ જ રાજ્યનીતિ હિંદુસ્તાનમાં દાખલ કરવાની અને અમલમાં મૂકવાની જંગ્રેગ્નેને ઇચ્છા હતી. તે વખતના ઈંગ્રેજોને એકલહથ્થા અધિકાર અને અતડાપણું ગમતું ન હતું. જેમણે પાતે લોકાના પ્રતિનિધિએ મોકલવાના અધિકારમાં ડુમણાં જ વિસ્તાર
Page #401
--------------------------------------------------------------------------
________________
* ૩૮૦
પ્રકરણ ૧૦ મ.
કર્યો હતો તેમને એક આખી પ્રજાને ઊંચા અધિકારમાંથી બાતલ કરવાનું ગમતું ન હતું; એક તાબાની પ્રજાની સાથે પણ ન્યાયથી વર્તવું એ સમગ્ર સાચા સુધારકોનો તેમજ બ્રિટિશ ટાપુઓની વસ્તિનો વિચાર હત; અને ઉપર જે કલમ આપણે ટાંકી છે તે તે વખતના જીવનતત્વનું જ પરિણામ હતું, હિંદુસ્તાનને માટે બ્રિટિશ પ્રજાની ઈષ્ટ નીતિનું દૃશ્ય સ્વરૂપ હતું. ' તે પછીના શીર વર્ષમાં તેજ ડહાપણભરી અને ઉદાર નીતિ એકસરખી રીતે ચાલી હતી તે હિંદુસ્તાન અત્યારે ઘણું સુખી હેત. જે વસ્તિને રાજ્ય વહિવટમાં યોગ્ય ભાગ આપ્યા હતા તે બ્રિટિશ સામ્રાજ્ય આજ વધારે ( જોકપ્રિય અને વધારે ફતેહમંદ હેત. અને હિંદુસ્તાનની રાજકીય ઉપજને મેટો
ભાગ લેકોના વેપાર ઉદ્યોગને ફલિત કરવા સારૂ પાછો લેકોમાં જ વહેંચાયો હત તે લેકેની આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હોત. પણ જે દેશમાં લોકોને કાંઈ હક નથી તે દેશમાં અન્યાધિકારને નાશ પામતાં વાર લાગે છે; અને આ શીત્તેર વર્ષમાં મેકોલે જેને “ડાહી, પરહિતેચ્છું અને અમીરી” કલમ કહે છે તેને વાસ્તવિક રીતે બાજુ ઉપર રાખવામાં આવી છે.
આ કલમ ઘડાયા પછી પચાસ વર્ષે હિંદુસ્તાનના એક હાઇસરોય લખે છે કેઃ-ઉપરનો કાયદે પસાર થતાની સાથેજ સરકાર તેને પરિપૂર્ણ કરવાનું બાજુ ઉપર રાખવાની ભારે જનાઓ કરવા લાગી. આ કાયદે, જે, કેળવાચલા વર્ગની વૃદ્ધિના ઉપાય બતાવે છે પણ જેમના વિદ્યમાન વર્ગની ઇચ્છાઓને પરિપૂર્ણ કરવાની જેનામાં શક્તિ નથી, તેને હમેશા વધતા જતા કેળવાયેલા વર્ગ ગેખી રાખ્યો છે ને હૃદયમાં જડી રાખ્યો છે; તે કાયદા પ્રમાણે
કેબિનેટે નોકરોને માટે બેટી મુકેલી જગામાંથી કોઈ પણ જગા ઉપર કોઈ દેશી દાખલ થયો તો પછી તે નોકરીની ઊંચામાં ઊંચી જગા ઉપર જવાની આશા વાજબી નિયમો પ્રમાણે રાખવાને હકદાર થાય છે. આપણે બધા જાણીએ છીએ કે આ દવે અને આ આશા કદી પરિપૂર્ણ થવાનાં નથી,
Page #402
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૩૧ આ પ્રસંગમાં એક તેમને નિષેધ કરવાનો અને બીજો તેમને છેતરવાને એ બે માર્ગે આપણું પાસે હાજર હતા; એ બેમાંથી અજુ માર્ગ આપણે પસંદ કરે છે. ઇંગ્લંડની તીવ્ર પરીક્ષાની પદ્ધતિ દેશીઓને લાગુ પાડવી, અને પરીક્ષામાં બેસવાની ઉમરમાં હાલમાં ઘટાડો કર્યો છે તે આ કાયદાને નિરર્થક કરવાની પાકી અને પારદર્શક યુકિતઓ માત્ર જ છે. અને હું આ ખાનગીમાં લખું છું એટલે મને કહેવાને માટે કાંઈ સકેચ નથી કે અત્યાર સુધી તે ઈંગ્લેંડ અને હિંદી સરકારે “બોલવું કંઈક ને ચાલવું કંઇક” એ તહેમતને પાત્ર થવાને જે જોઈએ તે કર્યું છે, અને તેને સંતોષકારક ખુલાસો આપી શકે તેમ નથી.”
૧૮૩૭ના કાયદાની જે કલમનાં આટલી વાગ્મિતાની હાઉસ ઓફ કોમન્સમાં વખાણ થયાં હતાં, અને જે બ્રિટિશ પ્રજાએ આટલી સબળ રીતે પસંદ કર્યો હતો, તે કલમ નિરર્થક થશે એમ કોઇના ધારવામાં તે વખતે ન હતું. એથી ઉલટું તે વખતે હિંદુસ્તાનમાં કેળવણી વધારવી અને કેળવાયેલા વતનીઓને પોતાના દેશની નોકરીમાં વધતે વધતે ભાગ આપે એવી સબળ ઈચ્છા હતી. અંગ્રેજોન્યાયી થવાની ઈચ્છા રાખતા હતા, અને ભારતીય પ્રજાને મનમાં ન્યાયી અને સત્યાચરણવાળા સામાજ્યના છત્ર નીચે સમુક અને સ્વરાજ્યની ઊંચી આશાઓ આનંદ સાથે ઉત્પન્ન થઈ હતી.
આ બીના પછી ચાર વર્ષે મહારાણી વિકટોરીઆ ગાદીએ બેઠાં. આ વખતે ઇંગ્લંડન હિંદુસ્તાનનો રાજ્ય તત્ર જેવો લેકાનુરાગી અને લેક હિતેચ્છુ હતા, અને લેકનામાં તે રાજ્ય માટે એવું માન અને જેવી રાજ્યભકિત હતી તેના કરતાં વધારે બીજી કોઈ ક્ષણે બતાવી શકાય તેમ નથી. લેર્ડ વેલી, હેસ્ટિંગ્સ અને લોર્ડ એ મહેર્ટે આદરેલાં યુદ્ધ પૂરાં થઈ ગયાં હતાં અને ભૂમિમાં શાતિ પથરાઈ હતી. કાર્યભારના વહિવટની ભૂલો પણું ઘણુંખરી સુધરી ગઈ હતી. કેને, પોતાના દેશના કાર્યભારમાં કંઈક ભાગ
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પ્રકરણ ૧૦ મું. ~~~
~~ ~ આપવામાં આવ્યું હત; મદ્રાસમાં મનના મુંબાઈમાં એલિફન્સ્ટનના અને બંગાળામાં બેટિન્કના રાજ્યોનાં શુભસ્મરણો હજી લેકના મનમાં તાજાં હતાં. હિંદુસ્તાનમાં અંગ્રેજી કેળવણીનો પ્રચાર કરવાનો નિશ્ચય થયો હતે. ઉડાઉ ખરચ કમી કરવામાં આવ્યું હતું, અને બજેટમાં વધારો દેખાયો હતો. ક્રૂર અને જુલમી જમીનની મહેસુલ ઘટાડી નાંખવામાં આવી હતી, અને ઉત્તરમાં બર્ડ અને મુંબઈમાં વિગેટ લાંબા પટાની વધારે માયાળુ જમાદી કરવામાં ગુંથાયા હતા. ઇસ્ટ ઇન્ડિડ્યા કમ્પની વેપાર કરતી બંધ થઈ અને હવેથી વહિવટને કાબુ ધરાવનાર તરીકે જ રહી. બ્રિટિશ પાર્લમેન્ટ નાત જાત કે ધર્મના તફાવત વિના લોકોને રાજ્યની ઊંચામાં ઊંચી નોકરીઓમાં દાખલ કરવાનું વચન આપ્યું હતું; એક બાળ મહારાણી બ્રિટિશ સામ્રાજ્યના સિંહાસન ઉપર આરૂઢ થયાં હતા; અને નારીજાતિની માયાળ ઉપરીપણાથી જેવી આશાઓ પૂર્વ તરફના લોકોમાં ઉત્પન્ન થાય છે તેવી ઊચી આશાઓ હિંદુસ્તાનના લોકોના મનમાં તે બનાવે ઉત્પન્ન કરી હતી.
વળી વહિવટી સુધારામાં જેમ આ સમય તેજસ્વી હતો તેમજ સાક્ષરવ્યાપારમાં પણ તેજસ્વી હતે. સાહિત્ય જ મનની જે વિશાળતા ઉત્પન કરી શકે છે તે વિશાળતા મેકેલેએ હિંદુસ્તાનમાં દાખલ કરી હતી. હેરેસ હેમેન વિલ્સન આરંભમાં એક પ્રખ્યાત પ્રાચ્યવિદ્યાનિપુણ પંડિત હતા, અને પાછળથી પ્રસિદ્ધ ઇતિહાસકાર થયો. એલિફન્સ્ટન પણ એક વિદ્વાન હતો અને પિતાનો “હિંદુસ્તાનનો ઇતિહાસ” પ્રસિદ્ધ કરવાની તૈયારીમાં હતો. બ્રિગ્સ પિતાનું “જમીન મહેસુલ” ઉપરનું મહાન પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું, અને તે ફેરીસ્તાને નામી તરજુમો તૈયાર કરતો હતો. કર્નલ ટોડ જે અનુરાગમાં લગભગ રજપૂત જ હતો, તેણે રાજસ્થાનને કરિપતકથાના કરતાં પણ વધારે હૃદયસ્પર્શી અને ચિત્તાકર્ષક એક રજપૂતનો ઈતિહાસ લખ્યો. ગ્રાન્ટ ડફ મરાઠાના સ્કૃતિહાસનું અચળ મૂલ્યવાળું મોટું પુસ્તક રચતા હતા. આ વખતે હિંદુસ્તાનમાં આવેલા જે સાહિત્યપરાયણતા અને સાક્ષરતા બતાવી હતી તેવી કદી
Page #404
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૩૯૩
પણ બતાવી નથી. જે સાચે કાનુરાગ આ વખતે તેઓ બતાવતા તે લેકાનુરાગ કદી જોવામાં આવ્યું નથી. ૧૮૩૧-૩૨ ની પાર્લામેન્ટની કમિટિ રૂબરૂ પડેલી જુબાની વાંચીને આપણને એવું લાગ્યા વિના રહેજ નહિ કે તે લેકે તે વખતે હિંદુસ્તાનના લોકોને માટે માન ધરાવતા અને તેમના સદ્દગુણ અને લાયકાતની તુલના કરી શકતા.
ચેપ્લિન કહે છે કે સામાન્ય રીતે ભારતવાસીને શિલસ્વરૂપનો મને સારો અભિપ્રાય છે. હું ધારું છું કે દુનીઆના કોઈપણ દેશના વતનીઓ સાથે મુકાબલો કરીશું તો પણ તેઓ ચઢી જશે. આ એપ્લિન તે છે કે જેના મુંબઈ ઈલાકાના મહેસુલી કામકાજનું નિરીક્ષણ આપણે પૂર્વના એક પ્રકરણમાં કર્યું છે.
મદ્રાસ સિવિલ સર્વિસવાળા જોન સુલિવાનને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે તમારા સ્વદેશીઓ ઉપર જેટલો વિશ્વાસ મૂકે, તેટલો વિશ્વાસ હિંદુસ્તાનના વતનીઓ ઉપર મૂકે કે નહિ ? સુલિવાને જવાબ દીધે કે “હા. જે તેઓની સાથે આપણે તેટલી જ સારાઈથી વર્તીએ તે.”
અને જેમ્સ સધન્ડ જે કલકત્તાના એક ઉત્તમ પંકિતના બંગાલ નામના વર્તમાનપત્રના કેટલાંક વર્ષ સુધી તંત્રી હતા તેમણે કેળવાયેલા હિંદીઓ માટે કહ્યું હતું કે તેઓ જગતમાં કોઈ પણ મનુષ્ય જેટલાજ વિશ્વાસપાત્ર છે.'
લોક ઉપર વિશ્વાસ રાખવાની આ વૃત્તિથી લોકનાં મન બહુ સંતુષ્ટ થયાં. હતાં. ભારતીય જન સમાજના અગ્રણીઓ, હિંદુસ્તાનના સાંસારિક અને ધાર્મિક સુધારકે, કલકત્તાની હિંદુ કોલેજમાં કેળવણી પામેલા પ્રખ્યાત વિદ્યાર્થીઓ; એ સર્વેના મનમાં ઇંગ્લિશ સાહિત્ય અને ઈંગ્લિશ વિચારસરણીને માટે તુલના થઈ, અને બ્રિટિશ જનસમાજના શીલસ્વરૂપને માટે અને બ્રિટિશ સામ્રાજ્યને માટે ઉડે ભકિતભાવ ઉત્પન્ન થયો. રાજા રામમોહનરાય, તે યુગના સર્વથી વધારે તેજસ્વી પુરુષ, બ્રહ્મ સમાજ સ્થા, અને તે કાલના સર્વ સાંસારિક અને ધાર્મિક સુધારાઓમાં મદદ કરી; અને “સતી ને કર રીવાજ નાબુદ કર
Page #405
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મુ.
વામાં એમણે કરેલી નિષ્ઠાપૂર્વકની મદદતે માટે સર વિલ્યમ બેન્ટિકે તેમને સારે। સત્કાર કર્યાં. તે પછી રાજા રામ મેાહનરાય ઇંગ્લેંડ ગયા, અને લેડું વિધ્યમ એન્ટિન્યુના આ પગલાની સામેની એક અરજ ઉપર ચર્ચા થતી હતી તે વખતે હાઉસ આક કામન્સમાં હાજર હતા, અને હિંદુસ્તાનની સરકારના ઠરાવ ઉપર બ્રિટિશ પાર્લમેન્ટને મજુરી આપતી નજરે જોવાને તેને સ ંતેષ થયું. અને જે સુધારકન્રુત્તિ, પશ્ચિમના સાહિત્ય અને વિચારતન્ત્રતે માટે જે પ્રેમ અને બ્રિટિશ સામ્રાજ્ય ઉપર જે શ્રદ્દા, રાજા રામમેાહનરાયના જીવનને પ્રેરતાં હતાં, તેજ વૃત્તિ, તેજ પ્રેમ અને તેજ શ્રદ્ધાએ અંગ્રેજી નિશાળા અને કાલેજામાંથી તરતજ નીકળેલા હજારા જુવાન ઇન્ડિયનેાનાં મનમાં ઘર કર્યું.
આ પ્રમાણે જ્યારે મહારાણી વિકટેરીયા બ્રિટિશ સામ્રાજ્યની ગાદીએ બેઠાં તે વખતે તેમની ભારતીરૈયતના મનમાં તેમને માટે ઊંડા, વિશાળ અને ભક્તિયુક્ત પ્રેમ હતા; કારણ કે ઇંગ્લંડની રાજ્યનીતિ ઉદાર અને વિશ્વાસુ હતી. એ મહારાણીશ્રીના લાંબા રાજ્યના અંત સુધી એજ ઔદાર્ય અને વિશ્વાસની નીતિ ચાલુ રહી હત તેા હિંદુસ્તાનને ધણું ઠીક હતું. હિંદુસ્તાનના રાજ્ય વહિવટનું કામ બ્રિટિશ પ્રજાએ માથે લીધેલા કામમાં સાથી વધારે વિકટ અને અગત્યનું છે, અને તે કામ લેાકેાની સહાયતા વિના, અને તેમના ઉપર વિશ્વાસ મૂક્યા વિના કદી પણ પાર પાડી શકાય તેમ નથી.
૩૯૪
મહારાણીશ્રી ગાદીએ આવ્યાં તેજ વર્ષમાં બ્રિટિશ વહિવટનુ કામ કેટલું કાણુ છે તે પ્રત્યક્ષ થયું. ૧૮૦૩ અને ૧૮૦૪ લાર્ડ વેસ્સીના યુઘ્ધાના રિણામમાં મેટા દુકાળા મુંબઇ અને ઉત્તર હિંદુસ્તાનમાં પડ્યા હતા. ૧૯૧૩ માં એક ખીજો દુકાળ મુંબાઇમાં પડયા હતા અને જુલમી જમાબન્દીથી પીડાતા મદ્રાસમાં ૧૮૦૭–૧૮૨૭ અને ૧૮૩૩ માં મેટા દુકાળા પડથા હતા. તે અત્યારે મહારાણીના અમલના પહેલાજ વર્ષમાં તેમજ જુલમી જમાબન્દીથી
Page #406
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ.
૩૭૫
પીડાતા ઉત્તર હિંદુસ્તાનમાં આ બધા દુકાળો કરતાં વધારે સબળ દુકાળ પશે. બર્ડની નવી જમાબન્દી હજી પૂરી થઈ ન હતી. લોકો સાધનહીન થઈ ગયેલા અને કરજમાં ડુબી ગયા હતા, અને ૧૮૩૭ માં વરસાદની ખામીથી ત્રાસદાયક દુષ્કાળના પંજામાં સપડાયા.
જોન લોરેન્સ (જેઓ પાછળથી લૈર્ડ લોરેન્સ થયા) લખે છે કે હાડાલ અને પાવલના પરગણામાં અત્યારે જે પીડા જોવામાં આવે છે તેવી મેં મારી જીંદગીમાં કદી જોઈ નથી. અસંખ્ય માણસો મરતાં જેની ગણત્રી પણ થતી નહિ. કાનપુરમાં, શહેરમાં અને નદી ઉપર મુડદાં ઠેકાણે કરવા માટે માણસને ફરતા રાખવાની જરૂર પડી હતી. ફતેહપુર અને આગ્રામાં પણ એવાંજ પગલાં ભરવાની જરૂર જણાઈ હતી. લાખો માણસ અપ્રસિદ્ધ ગામડાઓમાં મરણ પામ્યાં જેની કોઈ દરકારે કરતું નહિ. જે બાબત કાંઈ જાણવામાં પણ ન આવતી. રસ્તા ઉપર વગર બાળેલાં વગર દાટેલાં મુડદાં પડ્યાં રહેતાં અને આખરે જંગલી પ્રાણીઓ તેમને ઠેકાણે કરતાં.
આમ નવા અમલની શરૂવાતમાંજ હિંદુસ્તાનની સરકારની મુશ્કેલીઓની, દેશમાં ફેલાયેલ દુઃખ અને નિર્ધનતાની, સૂચના આપવામાં આવી હતી. મહારાણી વિકટોરીઆના રાજ્યમાં ઘણું ફેરફારો હિંદુસ્તાનમાં થયા છે. સિંધ, પંજાબ, અધ્યા, મધ્યપ્રાન્ત, બ્રહ્મદેશ અને બલુચિસ્તાનના પ્રદેશો ખાલસા થયાથી સામ્રાજ્યની સીમાનો વિસ્તાર વધે છે. આખો ભરતખંડ, રેલ્વે અને તારથી છવાઈ રહ્યો છે. જુદા જુદા પ્રાતમાં હાઈ કોર્ટ અને યુનિહર્સિટિઓની સ્થાપનાઓ થઈ છે, શહેરો વધ્યાં છે, અને ઘણો મુલક ખેડવાણુ કરવામાં આવ્યો છે. લેજીસ્ટેટિવ કાઉન્સિલે, અને ડિસ્ટ્રિકટ અને મ્યુનિસિપલ સભાઓની રચનાઓ થઈ છે. શહેરોમાં અંગ્રેજી કેળવણી અને ગામડાં અને કરબાઓમાં સ્વદેશી ભાષામાં અપાતી કેળવણીને વિસ્તાર પણ ઘણો થયે છે, પણ આ રાજ્યમાં બે મોટા સુધારા જોવામાં આવ્યા નથી. .
Page #407
--------------------------------------------------------------------------
________________
- પ્રકરણ ૧૦ મું.
- આ બે સુધારા તે આ છે, આ રાજ્યમાં હજી કોને રાજ્યની કાર્યભાર સભાઓમાં ભાગ અપાયું નથી. અને આ રાજ્યમાં લોકની સાંપત્તિક સ્થિતિ સુધરી નથી, આ લોકોની સહાયતા વિના કદી થવાનું નથી. જેને ટુઅર્ટ મિલ કહે છે કે બીજાનાં હિત સાચવવા ગમે તે સાચો ઇરાદે હોય, પણ તે ઇરાદા સામે તે બીજાઓના હાથપગ બાંધી લેવાની રીત કદી સહીસલામત કે સારી અસર કરે તેવી નથી. જીવનમાં જે કાંઈ સ્થાયી સુધારા કરવા હોય તે પિતાનાજ શ્રમથી થઈ શકે છે, પણ હવે મહારાણી વિકટોરિયાનાઅમલને ભારતવર્ષના આર્થિક ઇતિહાસ સાથે સવિસ્તર પરિચય કરીએ.
ssss
વિભાગ ૧ સમાસ હ
* હાલ લોર્ડ મેલેના રાજ્યકીય સુધારામાં આ અગત્યના સુધારાને સ્થાન :યું છે, એ બહુ ખુશીની વાત છે.
Page #408
--------------------------------------------------------------------------
_