SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ દ્વિ`દુસ્તાનના આર્થિક પ્રતિદ્રાસ ૩૮૯ આવેા દિવસ કાઇ દિવસ આવશે કે નહિ તે હુ' જાણતા નથી. પણ એવા દિવસને પાછે વાળવા કે વિલખિત કરવાનો યત્ન હું કદી કરવાનેા નથી. એ જ્યારે આવશે ત્યારે ઈંગ્લેડના ઇતિહાસમાં મ્હોટામાં મ્હોટા દિવસ ગણાશે. ગુલામગિરી અને વ્હેંમના ઊંડામાં ઊંડા ખાડામાં પડેલી એક પ્રજા ઉપર એવી રીતે રાજ્ય કરવું કે નાગરિક તરીકેના હકકને માટે તેમને ઇચ્છા થાય અને તે હુ ભોગવવા તેએા લાયક થાય, એવું બને તે તે નિર્વિરોષ કñનુ કારણ થશે. આપણા હાથમાંથી કદાચ રાજદડ જતા રહે; રાજ્ય નીતિની ગંભીર યાજનાએ અણુધાર્યાં કારણેાને લીધે અસ્તવ્યસ્ત થઇ જાય; આપણાં આયુધાને હમેશાં યશ ન મળે; એ બધું બને; પણ કેટલાંક એવાં પરાક્રમેા છે કે જેના પછી કાષ્ઠ વિપરીત પ્રસંગ આવવા સંભવે જ નહિ. એક એવુ સામ્રાજ્ય છે કે જેને ક્ષયનાં કુદરતી કારણેા સ્પર્શ કરી શકતાં નથી. તે સામ્રાજ્ય તે આપણી કલાઓનું, આપણા નીતિ સિદ્ધાન્તનું, આપણા સાહિત્યનુ અને આપણા કાયદાઓનું અક્ષય સામ્રાજ્ય છે.’ મેકાલેની રીત પ્રમાણે ઉપરના ભાષણમાં રંગ ઘેરા પૂરેલા છે. જ્યારે હૃદ બહારની આકરી ભાષા વપરાય છે, ત્યારે આપણે એમજ માનવું જોઈએ કે ઈંગ્રેજોનામાં પેાતાના દેશ બહારની પ્રજાએનાં સપત્તિઓ અને રીતરીવાજોની પૂરતી તુલનાશક્તિ નથી અને મેકલા એ ખામીને લીધે જ મેઘલેને નિંદાપાત્ર જુલમગાર કહે છે, અને બ્રાહ્મણ વર્ગની ગુલામંગરી અને વ્હેમના ઉંડામાં ઉંડા ગર્તની વાતા કરે છે. તાપણુ ઉપર મેકાલેએ જે ઊચી રાજ્યનીતિની હિમાયત કરી છે, તેજ રાજ્યનીતિ ૧૮૩૩ માં ઈંગ્લ ંડની રાજ્યનીતિ હતી; અને એ જ રાજ્યનીતિ હિંદુસ્તાનમાં દાખલ કરવાની અને અમલમાં મૂકવાની જંગ્રેગ્નેને ઇચ્છા હતી. તે વખતના ઈંગ્રેજોને એકલહથ્થા અધિકાર અને અતડાપણું ગમતું ન હતું. જેમણે પાતે લોકાના પ્રતિનિધિએ મોકલવાના અધિકારમાં ડુમણાં જ વિસ્તાર
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy