SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રકરણ ૫મું. પાયાદાર છે એમ માની લઈએ તો એમ નીકળે છે કે જ્યારે પ્રતિકૂલ જણાતી રીતભાતનેજ એમને અનુભવ મળે છે, અને જે વરદાન તેઓ ચાહે છે તે આપતાં આપણે હાથ ધ્રુજાવીએ છીએ, ત્યારે જમીનના માલિક અને તેમની સાથે લોક વર્ગ પણ જે આશાઓ આપણે તેમને આપી હતી અને જેને માટે નૈરાશ્ય અનુભવવાનો તેમને વખત આવશે, તે આશા નિરાશાના પ્રમાણમાં વિધારે ને વધારે સરકારથી અપરત રહેશે. . . હું કમિશનરના આ અભિપ્રાયને મળું છું કે દઢતા, નિર્લોભતા અને ન્યાય એ સરકારનાં વહિવટનાં ખાસ લક્ષણો હોવાં જોઈએ. પણ હું માનું છું કે પુખ્ત વિચાર પછી નક્કી કરેલું રૈયતને ફાયદાકારક પગલું છોડી દેવાથી આપણી દઢતા આપણે સાબિત કરી શકીશું નહિ. ઊંચામાં ઊંચા દરની લાલચ રાખ્યાથી અને ખેડુત પાસેથી વધારામાં વધારે સાથે લેવાથી આપણે આપણી નિભતા સિદ્ધ કરી શકીશું નહિ. તેમ આપણા તાબાના જમીનના માલિકના દીકરાઓના લઈને અવતરેલા હકે પડાવી લઇને આપણે આપણી ન્યાય બુદ્ધિની ખાત્રી કરી શકીશું નહિ. આ મિનિટ તેમજ તેવા અર્થની બીજા સભાસદ મિ. લમ્સડનની મિનિટ લોર્ડ મિન્ટો જે તે વખતે ગવર્નર જનરલ હતા તેમણે અધ્યક્ષસભાને મોકલાવી દીધી. લૉર્ડ મિન્ટોએ પડે પણ આ બાબતમાં સ્પષ્ટ અભિપ્રાય નિધ્યો હતે. . . . - અચળ જમાબન્દીના સંબંધના જુદા જુદા પ્રાન્તના તમામ કાગળો વાંચીને મને તે નીતિના સંગીનપણાની અથવા તેની અનિવાર્ય આવશ્યકતાની ખાત્રી થઈ છે. પણ અધ્યક્ષસભાએ પિતાને અભિપ્રાય બાંધી દીધો હતો. સંયોગ બળથી જ એક પ્રજાના કલ્યાણ માટે ભાવ સુધારાના લાભનો ભોગ આપવા , એકવાર તેઓ પ્રવૃત્ત થયા હતા. લોર્ડ કોર્નવોલિસ બેહસ્તનશીન થયા હતા,
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy