Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ છિયે, તે પૃથ્વી ઉપરના સર્વે દ્વીપ અને સાગરને તેમજ સૂર્યાદિનાં વિમાનને ઝાલરની આકૃતિવાળા મધ્ય-લેકમાં સમાવેશ થાય છે. આની ઉપર ત્રાસનના આકારવાળો અને અર્ધ-લોકના જેટલી ઊંચાઈવાળો એટલે કે સાત રજજુમાં નવો યોજન ન્યૂન એટલી ઊંચાઈવાળે ઊર્ધ્વ–લેક છે. આનો આકાર મુરજ જેવું છે. આ ઊર્ધ્વ–લેકમાં વૈમાનિકે વાસ છે. પુરુષાકાર લેકનું ઉદર અને ઉર સ્થાન તે બાર પ્રકારના કલ્પપપન દેવેનું સ્થાન છે, જ્યારે કલ્પાતીત વૈમાનિકેમાંથી જે દેનાં વિમાન લેકની ડેક (ગ્રીવા)ને ઠેકાણે છે, તે “ગ્રેવેયક” કહેવાય છે. તેની ઉપરનાં પાંચ વિમાન સર્વોત્તમ હોવાથી “અનુત્તર” કહેવાય છે. આ વિમાને લેકના મુખસ્થાનમાં છે. આ પાંચમાં પણ ઉત્તમ અને “સર્વાર્થસિદ્ધના નામથી ઓળખાતા વિમાનથી બાર યેાજન ઊંચે “સિદ્ધિ-શિલા” છે. આ પણ એક પ્રકારની પૃથ્વી છે, જેને ઈષ-પ્રાશ્મારા” પણ કહેવામાં આવે છે. એ લેકના લલાટ-સ્થાને છે. એને વિસ્તાર–વિષ્કભ અને આયામ મનુષ્યલેકના જેટલે એટલે કે ૪૫ લાખ એજનને છે. આ પૃથ્વીને વેત ઊઘાડેલી ચત્તી (ઉત્તાન) છત્રીની ઉપમા આપવામાં આવે છે અને તે પરિમલથી પરિપૂર્ણ પવિત્ર, દેદીપ્યમાન, મધ્યમાં આઠ એજન જેટલા વિધ્વંભ અને આયામવાળી અને અંતમાં માખીની પાંખની જેમ પાતળી છે. આ સિદ્ધિ-શિલાની ઉપર એક યોજનાના અંતે લેકને અંત આવે છે. લેકના આ અગ્ર ભાગને સ્પશીને સિદ્ધના વસે છે. તેઓ આ જનના ચોવીસમા ભાગમાં વસે છે. આ રોજન પૂર્ણ થતાં અલોકાકાશનો પ્રારંભ થાય છે.
આ વિવેચન ઉપરથી કઈ એમ કહેવા તૈયાર થાય કે આ ભાગમાં જે જીવ વરસે તે મુક્ત યાને સિદ્ધ કહેવાય છે તે કથન અતિવ્યાતિ દોષથી દૂષિત છે. એનું કારણ એ છે કે આ સમગ્ર લેક સૂક્ષમ નિગેદથી પણ વ્યાપ્ત છે, એટલે કે સિદ્ધના જીવના પ્રદેશ ઉપર પણ આ છ વસે છે, તે પછી તેમના નિવાસ-સ્થાનમાં તેઓ રહે છે એમ કહેવામાં શી હરકત છે? આથી જ કરીને અનંતજ્ઞાનાદિથી અલંકૃત એવા જે જીવે આ સ્થાનમાં વસતા હોય તે “મુક્ત” કહેવાય એમ સુતરાં સમજાય છે અને ગ્રન્થકાર પણ સૂક્ષ્મ નિગોદરૂપે શિવા લયમાં રહેવાનું સૂચવતા નથી, પરંતુ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તે પ્રદેશને અલંકૃત કરવાનું નિર્દેશ છે.
૧ ૨૦૦૦ ધનુષ્યનો એક ગાઉ એવા ચાર ગાઉ મળીને એક યોજન થાય છે.
૨ મૂળ શરીર કરતાં બે તૃતીયાંશ જેટલી મોક્ષમાં અવગાહના હોય છે અને મુક્તિએ જનારને દેહની ઉત્કૃષ્ટ ઊંચાઈ ૫૦૦ ધનુષ્યની છે. એટલે આની અવગાહના ૧૦૦૦ ધનુષ્ય ' યાને ર યોજન છે, એ સહજ સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org