Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક]
સાનુવાદ એની તૃષ્ણા ઓછી ન થઈ. આશા તે આકાશની સમાન અનંત છે, વાસ્ત મમત્વ ત્યજી દઈને આત્મ-રમણતા કેળવવી એ જ સાચું ધ્યેય છે.
આ પ્રમાણેની વાતચિતથી ઈન્દ્રને ઘણો આનંદ થયો અને તેણે પિતાનું રૂપ પ્રકટ કર્યું. પછી નમિ રાજર્ષિની નમરકારપૂર્વક ભૂરિ ભૂરિ પ્રશંસા કરી તે સ્વસ્થાનકે ગયે.
નમિ રાજર્ષિએ જીવન પર્યંત શુદ્ધ ચારિત્રનું આરાધન કરી એ જ ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ મોક્ષપદના અધિકારી બન્યા.
આ નમિ રાજર્ષિ પ્રત્યેકબુદ્ધ દઢધમી સાધુરત્ન થયા. ઈન્દ્ર પણ એમને જરાએ ચલિત કરી શક્યો નહિ. આવા મુનિશેખરને આપણે જેટલા પ્રણામ કરીએ તેટલા ઓછા છે. એમના જેવા પુણ્યશ્લોકના પ્રતાપે તે આ મનુષ્યલેકની ઉત્કૃષ્ટતા સિદ્ધ થાય છે.
मूलं द्वार तथा पीठ-माधारो भाजनं निधिः।
सम्यक्त्वं शुद्धधर्मस्य, षडेता भावना मताः ॥ १४९ ॥ સમ્યકત્વની છ ભાવનાઓ–
–“સમ્યક્ત્વ એ શુદ્ધ ધર્મનું મૂળ, દ્વાર, પીડ, આધાર, ભાજન અને ભંડાર છે. આ જ પ્રકારની) ભાવને મનાય છે.”—૧૪૯
जैनधर्मतरोर्मूलं, द्वारं शिवपुरस्य च ।। धर्मप्रासादपीठं चा-धारोऽस्ति विनयादिषु ॥१५॥ सार्वधर्मसुधाया हि, भाजनं निधिरुच्यते ।
ज्ञानादिभावरत्नानां, चिन्तयेविक्रमो यथा ॥१५१॥-युग्मम् પ્રસ્તુતનું સ્પષ્ટીકરણ–
- સમત્વ એ જૈન ધર્મરૂપ વૃક્ષનું મૂળ છે, નિર્વાણનગરનો દરવાજો છે, ધર્મરૂપ મહેલની પીઠ છે, વિનય વગેરેને આધાર છે, સર્વજ્ઞના ધર્મરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org