Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[પ્રથમ અર્થાત્ ત્રૈલોક્યમાં જે અત્યંત દુઃખ તેમજ ઉત્તમ સુખ છે તે સર્વ કષાયની વૃદ્ધિ અને ક્ષયને અનુક્રમે આભારી છે, એમ જાણ.
આ ઉપરથી કષાયની કલુષતાનું મનન કરી એનાથી દૂર રહેવા મથતા આત્માના ઉદ્ગારે, એવા સંભવે કે"बन्धो ! क्रोध ! विधेहि किञ्चिदपरं स्वस्याधिवासास्पदं
भ्रातर्मान ! भवानपि प्रचलतु त्वं देवि ! माये ! व्रज । हो लोभ ! सखे ! यथाऽभिलषितं गच्छ द्रुतं वश्यतां ની શાન્તાય સMતિ ત્રણવા ગુરામ ૮૭ી–શાર્દૂલ૦
––શ્રીપદ્યાનન્દ કવિકૃત વૈરાગ્યશતક અર્થાત્ હે બાન્ધવ ધ ! તું તારું નિવાસસ્થાન (મારા સિવાય) બીજું કોઈ બનાવ. હે ભાઈ અભિમાન ! આપ પણ ચાલવા માંડે. હે માયા દેવી ! તું પણ સિધાવ. હે મિત્ર લેભ ! તું પણ તારી ઈચ્છામાં આવે ત્યાં સત્વર જા. કેમકે) હું અત્યારે ગુરુઓની શાંત રસથી શોભતી વાણને વશ થયે છું.
હવે આગળ ઉપર જાણવા લાયક અનન્તાનુબન્ધી આદિ ચારે પ્રકારના કોની સ્થિતિને વિચાર કરી આ પ્રકરણ પૂર્ણ કરીશું
અનન્તાનુબન્ધી ઈત્યાદિ ચાર પ્રકારના કોઇને પર્વતને વિષે, ભૂમિમાં, રેતીમાં અને જળમાં પાડેલી રેખા સાથે સરખાવવામાં આવ્યા છે. તેમાં સૌથી ઉગ્રમાં ઉગ્ર એ અનન્તાનુબંધી કોઇ મરણ પર્યત રહે છે. આવા કોઇ પૂર્વક મરણ પામનાર જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. અપ્રત્યાખ્યાન કોધની આઠ માસની સ્થિતિ છે. એવા ક્રોધમાં જે મરણ પામે તે તિર્ય–ગતિમાં જન્મે છે. પ્રત્યાખ્યાન કોઇની એક દિવસ, પખવાડિયા, મહિના કે ચાતુર્માસ જેટલી સ્થિતિ છે. મરણ-સમયે આ કોઈ ઉદયમાં આવ્યો હોય તે તે મનુષ્ય તરીકે જન્મે. સંજવલન કોધી મરીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે. એના કોની સ્થિતિ અતિશય ઓછી છે. જુઓ તસ્વાથધિંગામસૂત્ર (અ. ૮, સૂ. ૧૦)નું પણ ભાષ્ય (પૃ. ૧૪૪–૧૪૫).
अनिरुद्धा वचःश्रेणी, महाऽनर्थविधायिनी। निरपेक्षा भवत्येव, तत् तस्याः संयमं कुरु ॥ ११ ॥ વાણુને સંયમ–
પ્લેટ—“ નહિ રેકવામાં આવેલી એવી અપેક્ષા વિનાની વચનની શ્રેણિ મોટા અનર્થને કરનારી થાય છે જ, વારતે તેના ઉપર (હે જીવ!) તું કાબુ રાખ.”—૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org