Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ] સાનુવાદ
૨૨૭ આ વૃત્તાન્તથી વાસુદેવ વાકેફગાર થતાં દૈપાયન ઋષિને શાંત કરવા તેઓ બળરામ સહિત તેમની પાસે આવ્યા. તેમણે આ ઋષિને ઘણું એ સમજાવ્યા, પરંતુ એ કષિએ જવાબ આપ્યો કે તમારા પુત્રોએ મને માર્યો ત્યારે મેં સર્વ લેક સહિત “દ્વારકાને બાળી મૂકવાનું નિયાણું બાંધ્યું છે એટલે તમારા સાંત્વનથી સ; તમે બે જણા જ બચી જશે.
સમય જતાં કૈપાયન મરણ પામી અગ્નિકુમાર-નિકાયમાં દેવ થયે પૂર્વેનું વેર યાદ આવતાં તે સત્વર દ્વારકામાં આવ્યું, પરંતુ ત્યાં લેકે દાહને અટકાવવા ધર્મ-કિયા કરતા હતા એટલે તે કંઈ કરી શક્યો નહિ; આથી લાગે મળે તે લાભ લેવા તે ઉત્સુક રહેવા લાગે. આ પ્રમાણે લગભગ અગીયાર વર્ષ વીતી ગયાં એવામાં બારમે વર્ષે જ્યારે લોકો સ્વેચ્છાચારી બની ધર્મ-માર્ગથી ભ્રષ્ટ થયા, ત્યારે છિદ્રને શોધી રહેલા દ્વૈપાયનને પિતાનું પિત પ્રકાશવાને પ્રસંગ પ્રાપ્ત થયે.
તેણે નગરીમાં અનેક ઉપદ્રવે કરવા શરૂ કર્યા. ચારે બાજુથી લાકડાં અને ઘાસને લાવી લાવીને તેણે નગરીમાં મેટે ઢગલે કર્યો. સાથે સાથે બાળી મૂકવાને માટે ૬૦ કુળકોટિ બહાર રહેનારા અને ૭૨ કુલકેટિ દ્વારકામાં રહેલા યાદવેને એકઠા કરી તેણે ભયંકર આગ લગાડી. આમાં બાળકોને કે વૃદ્ધોને બળતાં જોઈને પણ આ અસુરને દયા ન આવી. કૃષ્ણ અને બળરામે, વસુદેવ, દેવકી અને રોહિણને બચાવી લેવા માટે રથમાં બેસાડ્યા, પરંતુ બળદેએ એક ડગલું પણ આગળ ભર્યું નહિ. એટલે વાસુદેવ અને બળરામ પિતે તે રથને ખેંચવા લાગ્યા. મહામુસીબતે તેઓ નગરીના દરવાજા પાસે આવી શક્યા. એટલામાં દ્વાર બંધ થઈ ગયાં, પરંતુ વાસુદેવે પગની પાનીના પ્રહારથી તેને ભાંગી નાંખ્યાં. રથને આગળ ખેંચી જવા બન્ને ભાઈઓએ પૂર્ણ પ્રયાસ કર્યો, પરંતુ તેમનું કશું વન્યું નહિ. તે વખતે પાયને આવીને તેમને કહ્યું કે તમારા બે જણ સિવાય આ આગમાંથી કેઈ બચી શકે તેમ નથી, વાસ્તે મહેનત કરવી માંડી વાળો. નિરાશ થઈ આખરે માબાપને મૂકીને તેમની રજા પૂર્વક તેઓ અન્યત્ર ચાલ્યા ગયા. દ્વૈપાયને તે પિતાનું જોર પૂરેપૂરું અજમાવ્યું. છ મહિના સુધી નગરીને બાળી અને તેમાં પૂર્વોક્ત યાદવને ભસ્મીભૂત કર્યા ત્યારે એને ટાઢક વળી.
આ પ્રમાણે દ્વૈપાયને નગરીને બાળી તે દરમ્યાન બલરામને પુત્ર કુ વારક કે જે ચરમશરીરી હતી તે મહેલના અગ્ર ભાગે જઈ એમ બેલવા લાગે કે આ વખતે હું શ્રીનેમિનાથને વ્રતધારી શિષ્ય છું, વળી હું આ ભવને અંતે મેક્ષે જનાર છું, તે હું અગ્નિથી કેમ બળી મરું? તે આ પ્રમાણે છેલતે હતે એવામાં એક ઉભક દેવતા ત્યાં આવી તેને પ્રભુ પાસે લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org