Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક]
સાનુવાદ અર્થાત્ દેવેને જે સુખ હોય છે તે સમગ્ર સુખને સર્વ કાળના સમયે વડે ગુણ્યા બાદ તેને અનન્ત ગુણું કરતાં જેટલું સુખ થાય તેના અનન્ત વર્ગો કરતાં વળી તે જેટલું થાય તેના કરતાં પણ મોક્ષનું સુખ અનન્ત ગુણું છે. વળી જેમ કોઈ પ્લેચ્છ નગરના અનેકવિધ ગુણોને જાણતા હોવા છતાં તેનું વર્ણન કરવા અસમર્થ છે, કેમકે ઉપમાને અભાવ છે (તેમ મોક્ષને માટે પણ સમજવું). જેમ સર્વે કામથી ઉતેજીત ભોજન કર્યા બાદ કઈ પુરુષ તૃષા અને સુધાથી મુક્ત થઈ અમૃતથી તૃપ્ત બની રહે તેમ (સ્વ સ્વભાવમાં રહેલા હોવાથી) સર્વદા તૃત, અપ્રતિમ નિર્વાણને પામેલા શાશ્વત અને અવ્યાબાધ સુખ પામીને સુખી બની રહે છે ( નહિ કે કેવળ દુઃખના અભાવથી યુક્ત બની રહે છે).
આ સંબંધમાં શ્રીહરિભદ્રસૂરિ આવશ્યકની ટીકાના ૪૭મા પત્રમાં અવતરણરૂપે નિમ્નલિખિત પદ્ય રજુ કરે છે –
" वेणुवीणामृदङ्गादि-नादयुक्तेन हारिणा । શ્રાધ્યક્ષ જયા-તેર હિતfમતઃ સા અતુલ कुटिमादौ विचित्राणि, दृष्ट्वा रूपाण्यनुत्सुकः । ઢોરનાનાથીનિ, સાર્વત્તિ વનિ ૬ -અનુ. अम्बरागुरुकपूर-धूपगन्धानितस्ततः । પટવાલાસિઘાંચ, ચમાઘાત નિવૃત્ત -અનુવ नानारससमायुक्तं, भुक्त्वाऽन्नमिह मात्रया। વીત્યો હતમાં, સવારનું વાવ શુષ li-અનુ.
૧ કઈ એક રાજા વિપરીત શિક્ષા પામેલા અશ્વ ઉપર આરૂઢ થવાથી પિતાના સૈન્યથી વિખૂટો પડી વનમાં આવી ચડ્યો. ત્યાં તે સુધા અને તૃષાથી આકુળ વ્યાકુળ બની ગયે. એવામાં કોઈ પુલિંદે એને ખાવા માટે ફાળો આપ્યાં અને પીવા માંટે શીતળ જળ આપ્યું. આથી રાજા સ્વસ્થ થયો અને થોડા વખતમાં તે પોતાના સૈન્ય ભેગો થઈ ગયો. રાજા કૃતજ્ઞ હોવાથી તે પુલિંદને નગરમાં લઈ ગયો. ત્યાં નાન, વિલેપન, ઈષ્ટ ભજન, સુંદર વસ્ત્રોનું પરિધાન, મનહર ગીતનું શ્રવણ, નાટકનું દર્શન વગેરે ઉત્તમ ભોગો વડે એને તેણે સત્કાર કર્યો. કાલાંતરે પુલિદને પિતાના કુટુંબને મળવાની ઇચ્છા થઈ અને તે સ્વસ્થાનકે ગયે. કુટુંબીઓએ તેને નગરનાં સુકેવો હોય તે પૂછ્યું, પરંતુ તેનો તેને સાક્ષાત્ અનુભવ થયેલો હોવા છતાં તે વર્ણવી શકો નહિ. તેવી જ રીતે સર્વજ્ઞ સિહના સુખથી પરિચિત હોવા છતાં તેનું વર્ણન કરવા સમર્થ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org