Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 464
________________ ગુચ્છક | સનુવાદ તેમની પાસે જઈ તેમને નમસ્કાર કરી આત્મ-હિતનો માર્ગ બતાવવા તેણે વિનતિ કરી. રામ્યક વ પૂર્વક હિંસાને ત્યાગ એ આત્મહિત છે; અને વીતરાગ દેવ અને એફ-માર્ગના પ્રરૂપક બ્રહ્મચારી મુનિ સિવાય અન્ય કોઈને ન નમવું એ સમ્યકત્વ છે એ ઉત્તર મળે. આ સાંભળી રાજાએ એ નિયમ લીધો કે વીતરાગ દેવ અને સાચા મુનિ સિવાય મારે કેઈને નમવું નહિ. મહેલે પાછા આવતાં તેને વિચાર થયે કે હું તે “અવંતી’ નગરીના સિંહરથ રાજાને ખંડણી મરું એટલે મારે તેને નમસ્કાર કરે પડશે, અને એમ કરવાથી તે આ નિયમ સચવાઈ નહિ રહે વાતે મારે શું કરવું? આથી તેણે પિતાની વીંટીમાં સુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવી તેને વંદન કરવા પૂર્વક જરૂરી પ્રસંગે સિંહને નમસ્કાર કરે એ તેડ કાઢયો. - એક વખત કોઈ એક જાણભેદુએ આ પડદે ચીરી નાંખે. આથી સિંહ તેના ઉપર ચઢાઈ કરી. સિંહરથ રાજા આવી પહોંચે છે એવા, ખબર અગાઉથી વકર્ણને “કુંદનપુર ના વૃશ્ચિક નામના એક શ્રાવક મારફતે મળી હતી. પ્રસંગ કેમ બન્યું હતું કે આ શ્રાવક માલ વેચવા “અવંતી” ગયો હતે. ત્યાં અનંગલા નામની વેશ્યાને જોઈ મેહમુગ્ધ બની તેના યારમાં તે સપડાઈ ગયે. તે પણ વળી એટલે સુધી કે તેના કહેવાથી રાજ્યમહેલમાં ચોરી કરવાને પણ તે ગયે. ત્યાં આગળ તેણે રાજા અને રાણીને વાતચિત કરતાં સાંભળ્યાં. રાજા ઉદાસ હતા એટલે રાણીએ પૂછયું કે હે પ્રાણનાથ! આજે ચિંતાતુર કેમ છે ? રાજાએ જવાબ આપે કે વજકર્ણ મારો તાબે દાર હોવા છતાં મારે ચરણે કપટથી મસ્તક નમાવે છે; શ્રાવકપણાને ડાળ કી તે વીતરાગ સિવાય અન્ય કોઈને નમત નથી, વાતે એને જ્યારે હું ડાર કરીશ ત્યારે મારું કાળજું ટાઢે થશે. આ વેર લેવા હું હવે ટૂંક સમયમાં પ્રયાણ કરનાર છું. આ સાંભળી વૃશ્ચિકને બુદ્ધિ સૂઝી. તેણે વિચાર કર્યો કે ધન્ય છે વજકર્ણ કે જે પિતાના નિયમ ઉપર મુસ્તાક છે, જ્યારે મને ધિકાર છે કે હું શ્રાવક-કુલમાં અવતરી શ્રાવક હોવાને દાવે કરતે છતો વેશ્યાના પાકમાં સપડાઈ ચેરી કરવા નીકળ્યો છું. આમ વિચારી જાનંગલા પાસે પાછા આવી તેનાથી તે ટ થયો, જોકે એ વેશ્યાએ તે વેળા કામા પૂરેપૂરાં અજમાવી જેવાં. આ શ્રાવકે આવી વજકને આગળથી ચેતા. ચડી આને ચગ્ય સિરપવ આપી વિજ કર્ણ પિતાના ગામની પાસેના પર વગેરેના માહ ને પાતાના ગામમાં બોલાવી લઈ દરવાજા બંધ કરી અંદર ભરાઈ બેઠે. એને બીજે દિવસે સિંહરથ અહીં આવી ચડે અને તેણે ગામને ઘેરે ઘાલ્યું. પછી દ્વિત મોકલી રજકણુને કહેવડાવ્યું કે રાજ્ય ભોગવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522