SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક | સનુવાદ તેમની પાસે જઈ તેમને નમસ્કાર કરી આત્મ-હિતનો માર્ગ બતાવવા તેણે વિનતિ કરી. રામ્યક વ પૂર્વક હિંસાને ત્યાગ એ આત્મહિત છે; અને વીતરાગ દેવ અને એફ-માર્ગના પ્રરૂપક બ્રહ્મચારી મુનિ સિવાય અન્ય કોઈને ન નમવું એ સમ્યકત્વ છે એ ઉત્તર મળે. આ સાંભળી રાજાએ એ નિયમ લીધો કે વીતરાગ દેવ અને સાચા મુનિ સિવાય મારે કેઈને નમવું નહિ. મહેલે પાછા આવતાં તેને વિચાર થયે કે હું તે “અવંતી’ નગરીના સિંહરથ રાજાને ખંડણી મરું એટલે મારે તેને નમસ્કાર કરે પડશે, અને એમ કરવાથી તે આ નિયમ સચવાઈ નહિ રહે વાતે મારે શું કરવું? આથી તેણે પિતાની વીંટીમાં સુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવી તેને વંદન કરવા પૂર્વક જરૂરી પ્રસંગે સિંહને નમસ્કાર કરે એ તેડ કાઢયો. - એક વખત કોઈ એક જાણભેદુએ આ પડદે ચીરી નાંખે. આથી સિંહ તેના ઉપર ચઢાઈ કરી. સિંહરથ રાજા આવી પહોંચે છે એવા, ખબર અગાઉથી વકર્ણને “કુંદનપુર ના વૃશ્ચિક નામના એક શ્રાવક મારફતે મળી હતી. પ્રસંગ કેમ બન્યું હતું કે આ શ્રાવક માલ વેચવા “અવંતી” ગયો હતે. ત્યાં અનંગલા નામની વેશ્યાને જોઈ મેહમુગ્ધ બની તેના યારમાં તે સપડાઈ ગયે. તે પણ વળી એટલે સુધી કે તેના કહેવાથી રાજ્યમહેલમાં ચોરી કરવાને પણ તે ગયે. ત્યાં આગળ તેણે રાજા અને રાણીને વાતચિત કરતાં સાંભળ્યાં. રાજા ઉદાસ હતા એટલે રાણીએ પૂછયું કે હે પ્રાણનાથ! આજે ચિંતાતુર કેમ છે ? રાજાએ જવાબ આપે કે વજકર્ણ મારો તાબે દાર હોવા છતાં મારે ચરણે કપટથી મસ્તક નમાવે છે; શ્રાવકપણાને ડાળ કી તે વીતરાગ સિવાય અન્ય કોઈને નમત નથી, વાતે એને જ્યારે હું ડાર કરીશ ત્યારે મારું કાળજું ટાઢે થશે. આ વેર લેવા હું હવે ટૂંક સમયમાં પ્રયાણ કરનાર છું. આ સાંભળી વૃશ્ચિકને બુદ્ધિ સૂઝી. તેણે વિચાર કર્યો કે ધન્ય છે વજકર્ણ કે જે પિતાના નિયમ ઉપર મુસ્તાક છે, જ્યારે મને ધિકાર છે કે હું શ્રાવક-કુલમાં અવતરી શ્રાવક હોવાને દાવે કરતે છતો વેશ્યાના પાકમાં સપડાઈ ચેરી કરવા નીકળ્યો છું. આમ વિચારી જાનંગલા પાસે પાછા આવી તેનાથી તે ટ થયો, જોકે એ વેશ્યાએ તે વેળા કામા પૂરેપૂરાં અજમાવી જેવાં. આ શ્રાવકે આવી વજકને આગળથી ચેતા. ચડી આને ચગ્ય સિરપવ આપી વિજ કર્ણ પિતાના ગામની પાસેના પર વગેરેના માહ ને પાતાના ગામમાં બોલાવી લઈ દરવાજા બંધ કરી અંદર ભરાઈ બેઠે. એને બીજે દિવસે સિંહરથ અહીં આવી ચડે અને તેણે ગામને ઘેરે ઘાલ્યું. પછી દ્વિત મોકલી રજકણુને કહેવડાવ્યું કે રાજ્ય ભોગવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy