Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩ર વૈરાગ્ય સમજી
[પચમ કહેવા તૈયાર થાઓ કે ઉપદર્શિત પદાર્થની પ્રાપકતાના અભાવને લઈને ચંદ્ર, સૂર્ય, તારા ઇત્યાદિ વિષયક જ્ઞાનમાં અસત્યપણાને પ્રસંગ આવશે તે એ કથન ઠીક નથી, કેમકે પ્રાપ્તિની ગ્યતા અને પ્રમાતાની ઈચ્છા પણ હોવા છતાં ઉપદશિત અર્થની પ્રાપ્તિ નહિં કરાવવાવાળા જ્ઞાનને અસત્ય માનવામાં આવે છે. તેમજ વળી અર્થને નહિ પ્રાપ્ત કરાવનારા એવા ચન્દ્રાદિના જ્ઞાનમાં સત્યતા જરૂર છે જ, કેમકે વિપકર્ષ વગેરે દ્વારા પ્રાપ્તિની યોગ્યતાના અભા. વને લઈને તેના અર્થરૂપ ચંદ્ર વગેરેની અપ્રાપ્તિ ઘટી શકશે. વાતે બાધક જ્ઞાનની સત્યતાના અભિલાષીએ બાહા અર્થની સિદ્ધિ જરૂર જ સ્વીકારવી જોઈએ.
હવે જે બાધક જ્ઞાનને અસત્ય કહેશે તે સ્વપ્રમાં જોયેલા પદાર્થ-સમૂહમાં સત્વને પ્રસંગ જરૂર જ ખડે થવાને, અને આ વાત તે આપને પણ ઈષ્ટ નથી. વળી જ્ઞાન વિના સ્વપ્નમાં બીજું શું પ્રકાશિત થાય છે એમ કહેવામાં તે દિવસના અનુભવેલા અને સાંભળેલા જે પદાર્થો છે તેના અનુભવજન્ય અતિશય સંસ્કારના આવેશથી ત્યાં પ્રકાશ પડતે હેવાથી અને અત એવ અનુભવરૂપ સ્મૃતિના વિપર્યાસ વડે સ્વમ-જ્ઞાનમાં સત્યતા કેટલેક અંશે રહે. મિથ્યાત્વથી વાસિત અંત:કરણવાળા પુરુષને જોયેલા, સાંભળેલા અને અનુભવેલા જ પદાર્થોના મરણને વિષે પ્રાપ્ત કાલમાં અનુભવ, અભ્યાસ, લાંબા વખતને પરિચય ઇત્યાદિ દ્વારા ઉત્પન્ન થયેલા સંસ્કારની જાગૃતિથી સાક્ષાત્ અનુભવરૂપે જ પ્રતિભાસ થાય છે. વિશેષમાં સ્વ-જ્ઞાન સર્વથા અસત્ય છે એમ તે કહેવાય તેમ નથી જ. કેમકે જોયેલા પદાર્થોનું અદષ્ટ વગેરે સામગ્રી દ્વારા જાગૃત અવસ્થામાં અજાપાણીય સંવાદનું દર્શન થાય છે. તેમજ વળી સ્વપ્રમાં જોયેલા પદાર્થમાં બાધક જ્ઞાનની ઉત્પત્તિથી. અભાવસિદ્ધિ દ્વારા જ્ઞાનપણનું પ્રતિપાદન અસંગત છે, કેમકે જાગૃત દશામાં તે ઠેકાણે વિસંવાદ નહિ હેવાથી સાક્ષાત્ પદાર્થની પ્રાપ્તિ દ્વારા જ્ઞાનની અસિદ્ધિ છે.
વિશેષમાં બાહ્ય અર્થ સિવાય સ્વરૂપથી જ્ઞાનમાં રાયતા અસત્યતાને વિભાગ પણ ઘટી શકે તેમ નથી, કેમકે પ્રમાતાઓને બતાવેલ અર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ વડે જ જ્ઞાનની સત્યતા અસ :ચતાને વ્યવહાર સિદ્ધ થાય છે. વળી સ્વમમાં જોયેલ દષ્ટાંત દ્વારા અસત પ્રકાશના સ્વભાવ વડે સ્વ-જ્ઞાનની માફક વિવક્ષિત જ્ઞાનમાં પણ અસતુ નીલાદિને ઉલ્લેખ કરવા વડે અસત્યપણું આવવાનું એમ કહેવું પણ ઉચિત નથી, કેમકે જેમ અસત પ્રકાશ વડે અસની આપત્તિ કહે છે તેમ સત્ પ્રકાશ વડે સતની આપત્તિ કેમ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org