Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક] સાનુવાદ
૨૦૦ ક્ષે – “વૈયાવૃત્ત, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, કાર્યોત્સર્ગ અને પ્રાયશ્ચિત્ત એને (આભ્યન્તર) તપ જાણ”-૧૫૮
आन्तरिका इमे भेदाः, तपसां षट् सतां मताः।
पूर्वोक्तैर्मिलने जाता, द्वादश सौख्यकारकाः॥ १५९ ॥ તપના કુલ બાર ભેદ–
શ્લો–“તપના આ છે અત્યન્તર પ્રકારે સજજોએ માન્યા છે. એ પૂર્વોક્ત બાહ્ય તપના બે પ્રકારો સાથે મળી સુખાકારી બાર તપ બને છે.”—૧૫૯ તપની વિવિધતા–
સ્પષ્ટી–જેના દર્શન પ્રમાણે તપના બાર ભેદ આપણે જોયા. અન્ય વિવક્ષા પ્રમાણે તેના ત્રણ ભેદો પણ પાડી શકાય છે. આ પ્રયત્ન ભગવદ્ગીતામાં થયેલું જોવાય છે. એના ૧૭ મા અધ્યાયમાં શારીરિક, વાચિક અને માનસિક એમ ત્રિવિધ તપનાં લક્ષણો નીચે મુજબ આપવામાં આવ્યાં છેઃ
“સેવ-જિ-જુદાજ્ઞ – સામાનવ ! ત્રાર્થfક્ષા ૨, “સારી તપ ૪ -અનુવ अनुद्वेगकरं वाक्यं, सत्यं प्रियहितं च यत् । વાધ્યાયાસનું વૈવ, વામ તારે - मनःप्रसादः सौम्यत्वं, मौनमात्मविनिग्रहः।।
માવસંશુદ્રિતિત, તપો ‘માનમુકયતે ૨૬ – , અર્થાત્ દેવ, બ્રાહ્મણ, ગુરુ અને વિચક્ષણની પૂજા, મલ-શુદ્ધિ, બ્રહ્મચર્ય અને અહિંસા એ “શારીરિક તપ છે. અન્યને ઉગ ન ઉત્પન્ન કરે એવું, સાચું, પ્રિય અને હિતકારી વચન બોલવું તેમજ સ્વાધ્યાય–શાસ્ત્રાભ્યાસ કરે તે “વાચિક તપ છે. ચિત્તની પ્રસન્નતા, પ્રશાન્તતા, મન, આત્મ-સંયમ અને ભાવની વિશેષ શુદ્ધિ એ “માનસિક તપ છે.
૧ શાસ્ત્રમાં આને બદલે “બુત્સર્ગ” નો ઉલ્લેખ છે, પરંતુ તેના ગણ, શરીર, ઉપાધિ અને આહાર એમ જે ચાર ભેદે દર્શાવ્યા છે તે પૈકી અત્ર એક પ્રકારના નિર્દેશથી બાકીના સમજી લેવા.
૨ આ છે અન્યૂરિ તાપી વિશેષ માહિતી માટે જુઓ આહુતદર્શનનો છો
ઉલ્લાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org