________________
આવ્યા હતા ત્યારે વાતો થઈ હતી. છેવટે બિલ સિલેક્ટ કમિટિને સોંપાયું. કમિટિએ દ્વિલક્ષી લાવવાનું લાભકારક માન્યું અને કેટલાક સુધારા સૂચવ્યા.
મહારાજશ્રીને સૈદ્ધાંતિક રીતે આ વાત ગળે ઊતરી નહિ. ત્યારે શું કરવું? જ્યારે લોકો મૂંગા હોય અને લોકશાહી મૂડીવાદીના હાથમાં રમી જાય નહિ ત્યારે એ મૂંગાને વાચા આપવા કોઈકે તો પ્રયત્ન કરવો જોઈએ. એમ માની સાતેક ઉપવાસ કરવાનું વિચાર્યું હતું. મોરારજીભાઈ અને બીજા સાથીઓને આની ચિંતા હતી. બાબુભાઈએ એ વાત સમજાવી કે સરકારે વચલી કડીઓ ઓછી થશે માટે બહુલક્ષી લાવવો છે. એ વાત બરાબર નથી. કરચોરી થાય નહિ છતાં જોઈતી રકમ મળે. વેપારીઓને મુશ્કેલી ન પડે. એ દૃષ્ટિ રાખીને એ વેરો લાવે છે અને આજે એ જ હેતુથી બદલી રહી છે. વળી આમાં માત્ર જીવરાજભાઈ એલાની જવાબદારી નથી. આખું પ્રધાનમંડળ સાથે બેસીને પાયાના પ્રશ્નો વિચારે છે. સરકાર ગામડાના અર્થતંત્ર માટે શક્ય તે કરે છે. જાગ્રત છે. માટે ઉપવાસનું પગલું યોગ્ય નથી.
આટલી વાત પછી મહારાજશ્રીએ વિચાર્યું કે લોકોના માટેનું આ કામ છે તેવે વખતે કમમાં કમ નજીકના સાથીઓ પણ જો ઉપવાસમાં સહમત ન થાય તો મારે અટકવું જોઈએ. કુરેશીભાઈ અને અંબુભાઈ બીજે દિવસે રોકાયા હતા અને શુદ્ધિ પ્રયોગો અંગે વાતચીત થઈ હતી. આ ગામમાં ૧૮ વીઘા ભૂદાન મળ્યું હતું. તા. ૪,૫-૧૨-૧૫૩ : બોરીંગડા
લીલીઆથી નીકળી બોરીંગડા આવ્યા. આઠ માઈલ. ઉતારો મહાદેવજી દાદાની મેડી ઉપર રાખ્યો હતો. અહીંયાં ૧૬ વીઘાં ભૂદાન મળ્યું હતું. તા. ૬-૧૨-૧૯૫૩ : તાણાં
બોરીંગડાથી કુતાણા આવ્યા. અંતર બે માઈલ. અમારે જવું હતું પાંચતલાવડાં પણ ગામનો પ્રેમ અને ભૂદાનની સારી જાહેરાત થવાની હતી. તેથી થોડું નિશાળમાં રોકાયા. અહીં ૨૭૬ વીઘા જમીન મળી હતી. તા. ૬-૧૨-૧૯૫૩ : પાંચતલાવડાં
કુતાણાથી પાંચતળાવડાં આવ્યા. અંતર સાડાપાંચ માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો. નાયબ કલેક્ટર, મામલતદાર ગામલોકો વગેરે મળી ૧૦
સાધુતાની પગદંડી