________________
રીતે બીજાં કામોમાં રસ લેવાય છે ત્યારે કુદરતી રીતે જ આવી ઉદારતા આવે છે. આ ઉદારતા સાચી છે કે ખોટી ? તેની ખરી ખબર જ્યારે કોઈ ક્રાંતિકારી પગલું ભરવાનું આવે છે ત્યારે તમે તમારા વેપારી જીવનમાં કેવું પગલું ભરો છો, તે ઉપર આચરણનો આધાર રહે છે.
અમદાવાદ શહેર સમિતિએ વાડજથી સ્વાગત કર્યું ત્યારથી આજે સાત દિવસ થયા ભરચક કાર્યક્રમો ચાલતા હતા. આજનો દિવસ શાંતિનો રહ્યો. હવે ત્રણ દિવસ રોકાઈને હું પ્રયાણ કરીશ. આ દિવસોમાં મુખ્યવાતો મેં ગણોતધારો અને શુદ્ધિપ્રયોગની કરી છે. છતાં જુદી જુદી સંસ્થામાં જુદું જુદું કહ્યું છે.
કહેવત છે કે, ધરતીનો છેડો ઘર. ભજનમાં હમણાં ગાયું અમે તો મુસાફરી કરવા નીકળ્યા છીએ. જવાનું લક્ષ બહુ દૂર દૂર છે. શાહજહાંની એક વાત છે. એક ફકીર તેમના મહેલમાં પેસી ગયો. દરવાજે નોકરે રોક્યા. ક્યાં જાઓ છો ? તો કહે, મુસાફરખાનામાં. સિપાઈ કહે, ‘યહાં મુસાફરખાના નહિ હૈ નવાબનો મહેલ છે.' ફકીર કહે ભાઈ હું તો મુસાફરખાના સમજું છું. પછી નવાબ આવે છે. ક્યા યહ તુમ્હારા મહેલ હૈ? હા, તો યહ મહેલ કિસને બનાયા ? પિતાને. એ કેમ ના રહ્યા તો તું શું કાયમ રહીશ ? એક જાય, બીજો રહે એમ ક્રમ ચાલુ રહે તેનું નામ મુસાફરખાનું. આપણું ઘર કયું ? ત્યારે મને લાગે છે ભારતની પ્રજાને ત્રણ વસ્તુ મળી છે. તું વ્યક્તિ નથી. સંસ્થા સાથે તારો સંબંધ છે. સંસ્થા એટલે કુટુંબ. કુટુંબમાં તારી જાતને ભૂલતો નહિ. ત્રીજો વિચાર એ આવ્યો કે જાતને ભૂલતો નહિ. એટલે શરીરને ભૂલતો નહિ. એમ નહિ પણ તારા ચૈતન્યને ભૂલતો નહિ. એમ કહ્યું. આ ત્રણ વાતો યાદ રાખીએ તો બધા ઝંઝાવાત દૂર થઈ જાય. જૈનો ચાર મંગલ કહે છે, ત્રણ વિચારની સાથે પ્રેરકબળ કયું છે ? એનો વિચાર પણ કહ્યો. ધક્કો કોને લાગે છે તે જુઓ. નવ્વાણુંનો ધક્કો લાગવો અને પછી ગમે તેટલી સેવા કરો, તોપણ ફોગટ છે. પ્રેરકબળ સત્તા અને ધન હોય તો એકડા વગરના મીંડા જેવું છે. ત્રણ વ્યક્તિ એક ચીજને જોતી હતી. એક સૌંદર્યવાન યુવાન સ્ત્રીનું શબ હતું. ઘરેણાંગાંઠાં પહેરેલાં હતાં. એક જણ જોતો હતો. બીજે જોયું અને ત્રીજાએ પણ એકાગ્રતાપૂર્વક જોયું. ત્રણેના પ્રેરકબળ જુદાં હતાં. એટલે વિચારો જુદા
૧૮૬
સાધુતાની પગદંડી