________________
જાણે વાત કરી કે એક ભાઈને ડાબા અંગમાં કળતર થતું ત્યારે તે કહેતો કે ી મારું ડાબું અંગ છે તે દવા પીવે તો મારું દર્દ જાય.ડાહ્યી સ્ત્રી હોય તો કહેત કે જમણા અંગે દવા પીવો તો તમને દર્દ મટશે અને સાથે મારું દર્દ પણ જશે. પણ હજુ સમાન કક્ષા આવી નથી.
બાપુએ બાને પ્રતિષ્ઠા આપી. કેટલીક બાબતોમાં તેમણે ગુરુ માન્યાં, માત્ર બોલવાની વાતો નહિ. આચરણ કરીને બતાવ્યું. બાપુને બા જે લાગે તે કહી શકતાં.
બીજી વાત ગામડાંની છે. ગામડાંની બેકારી માટે એમણે રેંટિયો શોધ્યો. અદાલતમાં નાત પૂછી તો કહ્યું, ધંધે વણકર જાતે હિરજન. રોટલો નહિ મળે તો સેવા ટકશે નહિ.
ત્રીજી વાત અસ્પૃશ્યતાની કરી. આ હિરજન સવર્ણ એ ભેદ શા ? એક જ આંખો, એક શરીર, એક જ લોહી છતાં ભેદ એટલે એમણે શબ્દો પણ એવા જ શોધ્યા. તલવારનું નામ લે તો તેની સાથે બચાવની વાત નહિ આવે. દુષ્ટનું નામ લઈને દુષ્ટને મારવાનું હથિયાર કહેશે. બાપુએ અસ્પૃશ્યોને હરિજન નામ આપ્યું. હિરને ગમે તે હરિજન. વર્ગમાં છેલ્લો બેસનાર એક બાજુથી પહેલો જ છે. એ રીતે બાપુએ કહ્યું. હવેની સમાજ રચના નીચેથી ઉપર જશે. તમારો નંબર પહેલો હશે. બાપુ કહેતા મને ફરી જન્મ મળે તો હું હરિજનને ત્યાં જન્મ લેવાનું પસંદ કરીશ. એક હરિજન સેવક કહેતા હું હરિજન વાસમાં જાઉં છું. એટલા માટે કે કદાચ બાપુનાં દર્શન થઈ જાય. સેવા-બેવા હજુ નથી આવડતી.
બાપા જંગલમાં ભટકતી કોમો પાસે ગયા. તેમના ઝૂંપડાંમાં બેઠા. તેમનું નામ આપ્યું આદિવાસી. ભીલ નહિ. હું સાબરકાંઠામાં ગયો તો ભીલ લોકો કહે, અમે ગરાસિયા છીએ. કારણ કે ગરાસની પ્રતિષ્ઠા થઈ. આદિવાસી એટલે પ્રથમ વંશના. પહેલો નંબર તેમનો હશે. આવા લોકોની આજીવન સેવા કરનાર પુરુષનો આજે શ્રાદ્ધદિન છે. શ્રદ્ધાથી જોડાયેલ શ્રદ્ધાદિન.
સ્ત્રીઓનું માન જરૂર જાગ્યું છે. પણ સરોજબહેન, ચારુમતીબહેન કહેતાં હતાં, સ્રીના પ્રશ્ન અનેક છે. કાયદા પાંગળાં છે. સાથ મળતો નથી. સ્ત્રીઓમાં શક્તિ નથી. શું કરે ? હિરજનોની પણ એ જ દશા છે. હું લાઠીમાં હતો ત્યારે પોરબંદર તાલુકામાં એક કિસ્સો બન્યો, ભંગીને માર સાધુતાની પગદંડી
૧૯૩