________________
છે ત્યારે ચોંકીએ છીએ. વળી ફરી પાછું ઝોકું આવી જાય છે. આપણે વધારે જાગ્રત રહેવું પડશે. અનિષ્ટ સામે આવી અહિંસક પ્રયોગ કરીને આ રીતે આગળ વધજો. ઈશ્વર આપણને બળ આપે. તા. ૨૨, ૨૩-૨-૧૯૫૬ : મોટીબોરુ
નાની બોરુથી નીકળી મોટી બોરુ આવ્યા. અંતર દોઢ માઈલ હશે. ઉતારો ભીખાભાઈની મેડી ઉપર રાખ્યો. ગામે સ્વાગત કર્યું. રાત્રે જાહેર સભા સારી થઈ હતી. સાબરમતી નદી ગામને પાદરે જ વહે છે. ભરતી આવે છે, ત્યારે પાણી ખારું થઈ જાય છે.
સભા પછી ગામના ત્રણ આગેવાનોએ મુખી, વેપારી અને ખેડૂત ત્રણે જણાએ અફીણ અને દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા કરી. તા. ૨૪-૨-૧૫૬ : વારણા
મોટીબોરુથી નીકળી વારણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો. આ બાજુ ઘઉંની સિઝન સારી છે. સેંકડોની સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ચરોતરના મજૂરો મજૂરી માટે આવે છે. તા. ૨૫-૨-૧૯૫૬ : વટામણ
વારણાથી નીકળી વટામણ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. લોકો કામમાં હોવાથી જાહેરસભા રાખી નહોતી.
શાળાના બાળકોને મહારાજશ્રીએ જણાવ્યું કે, ગામડાનો ભાર ઓછો કેમ થાય ? તે માટે ચા, બીડી છોડવા અને નવડા જેવા થવા જણાવ્યું હતું. નવડો સંખ્યામાં સૌથી મોટો આંક છે. તેને એકથી નવ સુધી ગુણો તો સંખ્યા નવની જ થાય. જેમ કે ૧૪૯=૯, ૨૪૯=૧૮ (૮+૧), ૩૪૯=૨૭ (૨+૭), ૪૪૯=૩૬ (૩૬, ૯૪૯=૮૧ (૮+૧) સાર એ કે સુખમાં છકી જતો નથી. દુ:ખમાં હારી જતો નથી. બાકીની સંખ્યા વધઘટ થાય છે. દા.ત., ૮૪૧૮, ૮૪૨=૧૬ (૧+૭), ૮૪૩=૨૪ (૨+૪) ૬૪૮=૪૮ (૪+૮) આમ વધઘટ થયાં કરે છે. એટલે નવ જેવા સરળ થવા સમજાવ્યું હતું. તા. ૨૬-૨-૧૯૫૬ : ગાણોલ વટામણથી ગાણોલ આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો
સાધુતાની પગદંડી
૨ ૧૭