________________
એ પછી અમને જુદાં બેસાડે કે ભેગાં તેનો આગ્રહ નહિ રાખતાં જે ગોઠવે તે પ્રમાણે અનુસરવું. હરિજન આપણી સાથે હોય તો આપણું જૂથ તેમનાથી જુદું પણ સાથે બેસે એવો વિચાર કરી અમે નવ જણ ગયા હતા.
આજે મહારાજશ્રીએ શહિદી કોને કહેવાય તે અંગે બોલતાં જણાવ્યું કે હું જ્યારે પાણીસણા ગયો ત્યારે કરસન પગીનો પાળિયો જોયો. બહાર હોત તો લોક નાળિયેર વધેરત, ધૂપ, દીપ કરત આને માટે શહીદ માનવો ?
સાધનાને માટે જે બંધન આપે તે શહીદ, ઈસુ ખ્રિસ્તને શહીદ કહી શકાય. મારા નિવેદનનો સારો પ્રચાર થયો. બધાં જયારે શહીદ, શહીદની બૂમો મારે ત્યારે મારે શહીદોની વ્યાખ્યા સ્પષ્ટ આપવી જોઈએ. મારા બધાં નિવેદનો જો સમયસર આપ્યાં હોત તો ગેરસમજ ના થાત. સાતમીનું નિવેદન બારમીએ આવ્યું. સંદેશમાં અધૂરું બીજા નામે આવ્યું. છાપાવાળાઓ જાણી જોઈને કાં તો બળથી એ ન છાપ્યાં. અનુભવો હોય તે જાણી શકે. રાજકોટનું આંદોલન મેં જોયું છે. નાના બાળકોને એકવાર ઉશ્કેરો પછી બીજા ઉકેરાય. તો દેશનું સત્યાનાશ થશે. શહેરો તો ઠીક છે. પણ એ તોફાનોનો ચેપ ગામડામાં ફેલાય તો ટકશે શી રીતે ? કોંગ્રેસને તોડનારા અને પરદેશની દોરીસંચારવાળાં તત્ત્વો જ બખેડા કરાવે છે. તેને આપણે સમજીએ. ગામડાંવાળાને ઉદ્ધારવાનો કયો રસ્તો છે ? કોઈપણ એક સંસ્થા હોવી જોઈએ, અને તે કોંગ્રેસ છે. તેને માટે ગામડાંએ પ્રાણ આપવાની તૈયારી રાખવી જોઈએ. જે લોકો આટલી બધી પોલીસ હોવા છતાં આવું કરી શકે તો તે લોકો ગામડાંમાં શું નહિ કરી શકે ? મોરારજીભાઈના ઉપવાસ થાય, અને હું પારણું કેવી રીતે કરું? ઉપવાસ લંબાવવાનો વિચાર આવેલો. કોઈ માણસ નિર્ભયતાથી ફરી શકે નહિ તે કોઈ ધર્મપુરુષ કેમ જોઈ શકે ? કોંગ્રેસ સિવાય આ દેશ ટકવાનો નથી. કોંગ્રેસની અશુદ્ધિઓ માટે તો શુદ્ધિપ્રયોગ ચાલે છે. આ શુદ્ધિપ્રયોગ સામાન્ય વસ્તુ નથી. મોરારજીભાઈએ શું કર્યું ? હમણાં હરિપ્રભાવ ચટ્ટોપાધ્યાયે શાંતિસેનાની વાત મૂકી છે. એ બધાં શુદ્ધિપ્રયોગનાં અંગો છે. એક બાજુ તોફાન થાય બીજી બાજુ પોલીસ બળ વાપરે તો લાઠીગોળીની સરકાર નહિ ચલેગી ? સરકાર તો ચાલવાની છે, તમો નહિ ચાલી શકો. ૧૯મીની સભામાં પોલીસ
સાધુતાની પગદંડી
૨૭૯