________________
અંગ છે. સમાજમાં ક્રોધ, માન, માયા, લોભ પડેલાં છે. તે સમાજમાં નીડર રહેવાવાળાને તો સમાજના જેવું જ આર્ષદ્રષ્ટા હોય છે. તે સમાજને અનુકૂળ નિયમો ઘડી આપે છે. આપણે ત્યાં સ્મૃતિઓ છે તે જુદી જુદી વાતો કરે છે. આનું કારણ સમાજ જે કક્ષાનો છે તેને ધક્કો આપવા માટે જુદા જુદા નિયમો બનાવી આપ્યા. સ્ત્રી તરફ અન્યાય થયો, પછાતો તરફ અન્યાય થયો ત્યારે તેમને સૂત્રો આપ્યાં. પણ મનુષ્ય સમાજની નબળાઈઓ સિદ્ધાંતના નામે ઠગી જાય છે. આનો ઉકેલ એ આવ્યો કે વ્યક્તિ નવું સર્જન કરે છે અને સમાજે સ્વીકૃત કર્યું છે. જો એમ હોય તો વાંધો નથી. ભગવાન રામને એક દષ્ટિએ જોઈએ તો જીવન કેટલું ઉચ્ચકોટિનું લાગે. પણ બીજી બાજુ જોઈએ તો સામાન્ય મનુષ્યની જેમ જ તેઓ વર્તતા હોય છે. લક્ષ્મણની મૂછ વખતે રડે છે. સીતા હરણ, સીતા વનવાસ આ બધા પ્રશ્નોમાં તેઓ નરમ-ગરમ થાય છે. બીજી બાજુ કોઈપણ સમાજ મૂલ્યની નાની વાતને પણ છેવટ સુધી વળગી રહે છે.
દશરથે કૈકેયીને બે વચન આપેલાં. પણ જ્યારે મોહ આવ્યો ત્યારે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા. કૈકેયીએ કહ્યું તમે એમ સમજતા હતા કે વચન પાળવા માટે કંઈ કિંમત નહિ ચૂકવવી પડે. રાજા ધારે તો વચન ફેરવી શકતા હતા. પણ મંથનમાં બેશુદ્ધ બને છે. આ સ્થિતિમાં રામ આવે છે. તેઓ વિચારે છે કે વચન ન જવું જોઈએ. એ તો સમાજની સ્થાપના છે. સ્મૃતિ કહે છે સમાજ જો ગમે તેટલો વિરોધી હોય તો પણ અંતરતમ સત્ય પાળવું જોઈએ.
રામના મનમાં એ બે વાતો એકી સાથે હતી. પિતાનો વિયોગ કેટલો અઘરો હતો. બીજી બાજુ વચનનું મૂલ્ય હતું. વચન માટે પિતાનો વિયોગ સહન કરવો જોઈએ. અયોધ્યાવાસીઓ ઘણે દૂર સુધી સાથે આવ્યા છે. પિતાએ પણ કહ્યું હતું. હવે વચન પૂરું થયું. રામને કૈકેયી પણ વિનવે છે. છતાં રામ બધો વિચાર કરીને પણ પાછા ફરતા નથી.
આ ઉપરથી ખ્યાલ એ આવે છે કે કૈકેયીને વચન શા માટે માગવું પડ્યું. માત્ર ભરતને ગાદી ને રામને વનવાસ એટલી જ વાત આમાં હવે નથી રહેતી. વચન એ હવે સિદ્ધાંત બની જાય છે. આ વચનભંગની દૂરગામી અસરો સમાજ ઉપર થાય છે. એટલે મુખ્યનાયકે આ બધો વિચાર કરીને વચનનું મૂલ્ય સ્થાપવું જોઈએ. એ પણ બલિહારી છે કે ૧૪ વરસ પૂરા
સાધુતાની પગદંડી
૨૫૬