Book Title: Sadhuta ni Pagdandi Part 5
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 298
________________ ગુજરાતના ભૂદાન કાર્યકરો અને કોંગ્રેસીઓ શ્રી વજુભાઈ શાહ, મનુભાઈ પટેલ, માધવલાલ શાહ, ત્રિભુવનદાસ પટેલ વગેરે હતા. તેમને સૌને શુદ્ધિપ્રયોગની વાત ઠીક લાગી છે. માધવલાલ શાહે કહ્યું, ખેડા જિલ્લામાં ૮૦ હજાર ગણોતિયાના કબજા ઝૂટવાઈ ગયા છે. અમે જાણીએ છીએ સરકાર જાણે છે, છતાં કોઈ ઉપાય નથી દેખાતો. | (સારંગપુર શુદ્ધિપ્રયોગની પુસ્તિકા છવાઈ ગઈ છે. એટલે તેની વધુ વિગતો અહીં લખી નથી. તેમાંથી મળી રહેશે. -સંપાદક) તા. ૨૭-૭-૧૫૬ : આજે નવલભાઈ આવ્યા. તેમણે એક સલાહ માગી તે એ કે સરકાર તરફથી હમણા સર્વોદય યોજના ઉપર એક પત્ર આવ્યો છે. એમાં લખે છે કે હિસાબનીશ તમે રાખો છો. તેમને છૂટા કરી સરકાર નીમશે તેમને રાખવા. આમ કરવા પાછળ કારણ એ જણાય છે કે મહારાષ્ટ્રમાં કેટલાંક કેંદ્રમાં સંચાલક પોતે જ હિસાબનીસ નીમતા હોવાથી બંને મળી જઈને ગોલમાલ કરી છે. તેથી હવે સરકાર પોતાનો હિસાબનીસ મૂકવા માગે છે. પણ આથી તો એમ ફલિત થાય છે કે દરેક યોજનાના સંચાલક ઉપર અવિશ્વાસ છે. વળી સરકારી માણસ ઓછી ભાવના અથવા તો ભાવના વગરનો પણ હોઈ શકે. બીજું કામ તો કરશે નહિ અને એ જે કંઈ ગોટાળો કરે તેની જવાબદારી તો સંચાલક ઉપર છે. એટલે આ ન ચલાવી શકાય તેવી યોજના છે. તેનો વિરોધ કરવો જોઈએ. એમ નક્કી થયું. અને ગુજરાતના સર્વોદયથી મુખ્ય આગેવાનો શ્રી જુગતરામભાઈ, દિલખુશભાઈ વગેરેને લખવું એમ જણાવ્યું. તા.૨૮-૭-૧૯૫૬ : તા. ૨૮, ૨૯ના દિવસે એક વર્ગ રાખવામાં આવ્યો. તેમાં જેમણે ગણોતધારાના વિરોધમાં જમીન ત્યાગી હતી. તેમાંના મુખ્ય ત્યાગીઓ અને મુખ્ય કાર્યકરો એકત્ર થયા હતા. ખાસ કરીને તા. ૧લી ઓગસ્ટથી ગણોતધારા સુધારા બીલના વિરોધ અંગે જે શુદ્ધિપ્રયોગ થવાના છે. તેની સમજણ આપવા શુદ્ધિપ્રયોગનું તત્ત્વજ્ઞાન સમજાવવા અને આપણી ફરજો અંગે આ વર્ગ રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં અંબુભાઈએ કયા સાધુતાની પગદંડી ૨૬૫

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336