SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ભૂદાન કાર્યકરો અને કોંગ્રેસીઓ શ્રી વજુભાઈ શાહ, મનુભાઈ પટેલ, માધવલાલ શાહ, ત્રિભુવનદાસ પટેલ વગેરે હતા. તેમને સૌને શુદ્ધિપ્રયોગની વાત ઠીક લાગી છે. માધવલાલ શાહે કહ્યું, ખેડા જિલ્લામાં ૮૦ હજાર ગણોતિયાના કબજા ઝૂટવાઈ ગયા છે. અમે જાણીએ છીએ સરકાર જાણે છે, છતાં કોઈ ઉપાય નથી દેખાતો. | (સારંગપુર શુદ્ધિપ્રયોગની પુસ્તિકા છવાઈ ગઈ છે. એટલે તેની વધુ વિગતો અહીં લખી નથી. તેમાંથી મળી રહેશે. -સંપાદક) તા. ૨૭-૭-૧૫૬ : આજે નવલભાઈ આવ્યા. તેમણે એક સલાહ માગી તે એ કે સરકાર તરફથી હમણા સર્વોદય યોજના ઉપર એક પત્ર આવ્યો છે. એમાં લખે છે કે હિસાબનીશ તમે રાખો છો. તેમને છૂટા કરી સરકાર નીમશે તેમને રાખવા. આમ કરવા પાછળ કારણ એ જણાય છે કે મહારાષ્ટ્રમાં કેટલાંક કેંદ્રમાં સંચાલક પોતે જ હિસાબનીસ નીમતા હોવાથી બંને મળી જઈને ગોલમાલ કરી છે. તેથી હવે સરકાર પોતાનો હિસાબનીસ મૂકવા માગે છે. પણ આથી તો એમ ફલિત થાય છે કે દરેક યોજનાના સંચાલક ઉપર અવિશ્વાસ છે. વળી સરકારી માણસ ઓછી ભાવના અથવા તો ભાવના વગરનો પણ હોઈ શકે. બીજું કામ તો કરશે નહિ અને એ જે કંઈ ગોટાળો કરે તેની જવાબદારી તો સંચાલક ઉપર છે. એટલે આ ન ચલાવી શકાય તેવી યોજના છે. તેનો વિરોધ કરવો જોઈએ. એમ નક્કી થયું. અને ગુજરાતના સર્વોદયથી મુખ્ય આગેવાનો શ્રી જુગતરામભાઈ, દિલખુશભાઈ વગેરેને લખવું એમ જણાવ્યું. તા.૨૮-૭-૧૯૫૬ : તા. ૨૮, ૨૯ના દિવસે એક વર્ગ રાખવામાં આવ્યો. તેમાં જેમણે ગણોતધારાના વિરોધમાં જમીન ત્યાગી હતી. તેમાંના મુખ્ય ત્યાગીઓ અને મુખ્ય કાર્યકરો એકત્ર થયા હતા. ખાસ કરીને તા. ૧લી ઓગસ્ટથી ગણોતધારા સુધારા બીલના વિરોધ અંગે જે શુદ્ધિપ્રયોગ થવાના છે. તેની સમજણ આપવા શુદ્ધિપ્રયોગનું તત્ત્વજ્ઞાન સમજાવવા અને આપણી ફરજો અંગે આ વર્ગ રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં અંબુભાઈએ કયા સાધુતાની પગદંડી ૨૬૫
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy