________________
કોંગ્રેસને નથી ટકાવતા પોતાનાથી તૂટે છે. દીવેલ ખૂટશે અને દીવો બુઝાઈ જશે. એટલે એ જનતારૂપી દીવેલ એને મળ્યા કરે તો દીવો જલતો રહે. હું માનું છું કે કોંગ્રેસને મન સત્તા દ્વારા સેવા કરવાની નથી. તેના મનમાં એક વાત છે કે જનતા દ્વારા ક્રાંતિ થાય, તે પહેલાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મજબૂતાઈ કરો. અને એમ કરવું હોય તો રાજ પોતાના હાથમાં હોવું જોઈએ. અને રાજ લેવું હોય તો ચૂંટણી જીતવાની ખેવના પણ રાખવી જોઈએ, પરિણામે અશુદ્ધ સાધનોનો ઉપયોગ પણ કરવો પડે.
એટલે તેને જનતાનું બળ મળે એ માટેની પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. તમને લોકો તૈયાર નથી એમ લાગે છે. પ્રશ્ન સાચો લાગે છે. જનતામાં તો ભરતી-ઓટ ચાલવાનાં જ. ગુજરાત પ્રાંતિક સમિતિને ગણોતધારાની ક્રાંતિની વાત ગળે ઊતરી નથી. કાર્યકરો જનતાના બળે ચાલનારા નથી. સંસ્થાના બળે ચાલનારા છે. એટલે તેજ નહિ વધે.
ગ્રામ કોંગ્રેસ બનશે ત્યારે હવા જુદી હશે. જનતાની સામુદાયિક ક્રાંતિ જીવંત રાખવી હોય તો સંસ્થાનો મોહ છોડવો જોઈએ. એથી સંસ્થા તૂટશે નહિ. વ્યક્તિનો વિચાર, વ્યક્તિના વિચારમાંથી આવેલું સામુદાયિક સ્વરૂપ એણે તમે તમારી નબળાઈથી તોડી નાખશો તો કાળી ટીલી લાગશે.
....નું રાજ્ય થશે, તો કદાચ કાયદો બદલવો પણ પડે. કચ્છ, સૌરાષ્ટ્રના જુદા કાયદા છે. સિલિંગનો પ્રશ્ન, રૈયતવાળીનો પ્રશ્ન સૌરાષ્ટ્રમાં ઊભા છે. જો આપણો શુદ્ધિપ્રયોગ ચાલુ હશે તો તે મૂલ્યો નવા રાજના કાયદામાં માર્ગદર્શક બનશે. ગુજરાત પ્રાંતિક સમિતિ આજે ગણોતિયાના પ્રશ્નો અંગે સજાગ બની છે. તેનું કારણ પણ જનતાની જાગૃતિ છે. તે જો આ પ્રશ્નો ના લે તો ખોવાઈ જાય.
ગણોતધારા શુદ્ધિપ્રયોગ અંગે કાર્યકરોમાં ચાલતા મંથનો અંગે પોતાના વિચારો દર્શાવતાં પ્રાતઃ પ્રવચનમાં બોલતાં જણાવ્યું કે કોઈ દિવસ સમાજિક મૂલ્ય અને વ્યક્તિના મૂલ્ય વચ્ચે તફાવત ન હોવો જોઈએ. બે ને બે ચાર એ તાળો છે. તેમાં વ્યક્તિ સમાજના અંગ તરીકે જીવે છે. તે સમાજનું માપકયંત્ર બતાવે છે જયારે આમાં વિસંવાદ થાય છે ત્યારે મહાપુરુષોએ નિયમો બતાવ્યા છે. તેમણે કહ્યું દુનિયાની બીજી વ્યક્તિઓ એ માર્ગે ન જાય તોપણ તું તો તારા પંથે ચાલ્યો જજે. પરંતુ વ્યક્તિ છેવટે તો સમાજનું સાધુતાની પગદંડી
૨ પપ