________________
મો વધારે ઉત્સુક છો એમ કહ્યું છું એટલે મારા સાથી ભાઈ ઝવેરભાઈ જ કહેશે. સઘનક્ષેત્રની યોજના અખિલ ગ્રામઉદ્યોગ બોર્ડ તરફથી ચાલે છે. ભરી નમ્ર બુદ્ધિ મુજબ આવા પરિશ્રમાલયોનું સ્થાન આવા ગામડાંમાં અત્યંત પહત્ત્વનું છે. એ મહત્ત્વનું ક્યારે બને કે ત્યાં કેવી જાતનું કામ ચાલુ કરવામાં આવશે. ત્યારે આવા સ્થાનો આપણા ગામડાંના જીવનકલ્યાણ માટે ઉપયોગી હશે. મારી માન્યતા મુજબ આપણા દેશમાં સૌથી વિકટ પ્રશ્ન વધતી જતી ધકારીનો છે. આ બેકારી આપણે નજરે જોઈ શકતા નથી. મોસમ આવે હિરે ખેડૂતોને લાગતું હશે કે, ખેતરમાં કામ કરનારા મળી શકતા નથી. સૌપણ આખા ભારતનો ચિતાર જોઈશું તો ભાગ્યે જ એક વરસના ૧૭૫ દિવસનું કામ ખેડૂત પ્રજાને મળે છે. મજૂરવર્ગની સંખ્યા બહુ મોટી છે. એમને વરસના અડધા ભાગનું કામ મળે છે અને ગુજરાન કરવાનું આખા હરસનું હોય છે. તે તમે મારા કરતાં વધારે સમજી શકો છો. તમારો શાધાર ખેતી પર છે. ખેતીનો વિસ્તાર વધી શકતો નથી. મેઘવાળ પ્રજાને બીજા સાધનો ગુજરાતમાં મળતાં હતાં. તે હવે કારખાનાં વધતાં બંધ થઈ ગયાં છે. આવા ઉદ્યોગો બંધ થતા જશે તેમ તેમ બેકારી વધતી જશે અને ગરીબાઈ અને દારિત્ર્ય પણ વધતાં જશે. ! પૂ. ગાંધીજીએ આપણને કહ્યું હતું કે ગામડાંમાં બંધ પડેલા ઉદ્યોગોને સજીવન કરવા એમને આ બાબતનો ઉપદેશ આપો. એટલું જ નહિ એવું જીવન જીવવાનું ગોઠવતા હતા. એ બાપુના શ્રાદ્ધદિને આમ સર્વોદય મેળો ભરીને તેમના જીવનકાર્યને તાજો કરીએ.
અહીં પ૬ એકર ભૂદાન મળ્યું છે. તેની વૈકુઠભાઈના હાથે ભંગી કુટુંબોને વહેંચણી થઈ.
પ્રદર્શનની ઉદ્ઘાટન વિધિ શ્યામપ્રસાદ વસાવડાને હાથે થવાની હતી પણ તેઓ નહિ આવી શકવાને કારણે ઝવેરભાઈ પટેલે કરી હતી.
સાંજના વૈકુંઠભાઈ અને ઝવેરભાઈ સાથે મહારાજશ્રીએ કેટલાક મુદ્દાની ચર્ચા વિચારણા કરી. ખાસ કરીને સહકારી મંડળીઓમાં ખેડૂતમંડળનું પ્રતિનિધિત્વ અને માતૃસંસ્થાને મદદ, ગામડાના યંત્રોને જ્યાં માગે ત્યાં સહકારી તંત્રને સોંપવા પંચાયતમાં નૈતિક પ્રતિનિધિત્વની મંજૂરી આપવી વગેરે વાતો કરી. સાધુતાની પગદંડી
૨૧૧