________________
તા. ૧૧-૫-૧૫૪ : ચોક
ભંડારિયાથી નીકળી ચોક આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ગેસ્ટહાઉસમાં રાખ્યો હતો. ગામે ઢોલ-તાંસાં સાથે સ્વાગત કર્યું. રાત્રિ સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે, આજે દેશમાં એક જાતની લડત ચાલે છે. એ લડત કઈ ? ગાંધીજી આ દેશમાં આવ્યાં, ત્યારે તેમણે એક નવી વાત મૂકી, તલવાર, ભાલાથી લડી શકાય. પણ જે હથિયારો ઋષિમુનિઓએ આપ્યાં તે અહિંસક હથિયારોથી મારે તો લડત લડવી છે. માણસજાતમાં શેતાન છે તેમ ઈશ્વર પણ છે. જયારે ઈશ્વર જાગે ત્યારે તે કરુણા દર્શાવી શકે છે. અહિંસક લડતનો મોરચો સાચવી રાખવો જોઈએ. પણ તે લડત કોની સામે ? જો કોઈ એમ વિચાર કરે કે, આ સરકારને કાઢો તો પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવું થશે. ત્યારે આ ભૂખમરો, બેકારી જાય શી રીતે ? આજે સૌના મનમાં એમ છે કે હું સત્તાવાળો કેમ બનું. ધારાસભ્ય બનું, આગેવાન બનું, પંચાયત પ્રમુખ બનું. બીજો લોભ પૈસા કેવી રીતે મેળવું ? આ સત્તા અને લોભ જાય નહિ ત્યાં સુધી ગમે તે સરકાર આવે તોપણ ફાયદો કરી શકે નહિ. એટલે આપણે હવેનું પગલું લાંબી દષ્ટિએ વિચારીને ભરવું જોઈએ. તા. ૧૨-૫-૧૯૫૪ : રાજપરા
ચોકથી નીકળી રાજપરા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અહીં નિસ્તેજતા લાગી. ગિરાસદારના છોકરા બોલવામાં બહુ તોફાની લાગ્યા. તા. ૧૩, ૧૪-૫-૧૯૫૪ ઃ જેસર
ચોકથી નીકળી રાજપરા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો. એક વખત અમે એક ખેડૂતની વાડી જોવા ગયા. ખેડૂતે ડુંગરામાં બહુ મહેનત કરીને જમીન તૈયાર કરી છે. ૧૦ વીઘામાં કુવો ક્ય છે. મકાન બાંધ્યું છે. વૃક્ષો ઉછેર્યા છે. તેની સાથે વાતો કરી ગોળ સારો પાક્યો. પણ ૩ રૂપિયે વેચાઈ ગયો. કારણ કે વેપારીને પૈસા આપવાના હતા. રૂપિયાએ એક આનો વ્યાજ હોય છે. બાજુમાં બેઠેલા ડૉક્ટરે કહ્યું અમારી પાસે ગોળના સત્તર રૂપિયા લે છે. કહીએ ત્યારે કહે છે. તમે ક્યાં
પ૬
સાધુતાની પગદંડી