________________
બીજો સવાલ આવ્યો પૈસા વધ્યા તેની સાથે અનિષ્ટ પણ વધવા લાગ્યું. ટંટા વધ્યા, જમીનોના પ્રશ્ન આવ્યા. તેમાંથી લવાદોનો સિદ્ધાંત આવ્યો. ને નીતિ દરેકને ગમે છે પણ તેમને તક મળતી નથી. તે તક ઊભી કરી. જ્યાં અનૈતિક તત્ત્વો વધવા લાગ્યાં. પોલીસ બળથી સિદ્ધાંત ન જળવાઈ શકે. ધ્રુવ કાંટો હાથ ઉપાડો તો હતો ત્યાંનો ત્યાં એટલે અમે એવા તત્ત્વો સામે શુદ્ધિપ્રયોગનું શસ્ત્ર વાપર્યું. સહકારી મંડળીમાં પૈસા ના ભરાય તો પણ શુદ્ધિપ્રયોગ થાય. આની ભારે સફળતા અમને મળી છે. પાલનપુરનો પ્રસંગ તમે જાણ્યો હશે. એમાં પણ સમજ-ગેરસમજ ઊભી થાય છે, પણ ધીમે ધીમે સમજાઈ જશે.
પ્રાયોગિક સંઘ બધાં નૈતિક મૂલ્યોનું સંચાલન કરે છે. પ્રયોગ કરે છે માટે પ્રાયોગિક સંઘ નામ પાડ્યું. ખેડૂતો, મજૂરો, ગોપાલકોની વાત આવી. એટલે મજૂર મહાજન અને ઈન્ફક આપોઆપ આવી જાય છે. બંધારણ જ લખાયું છે, ઇન્દુક સાથે સમન્વય રાખવો. મને સંતોષ થાય છે કે તમે બધાં એ પ્રશ્નોમાં રસ લઈ રહ્યા છો. ઇન્કનું વાર્ષિક અધિવેશન થયું ત્યારે પ્રમુખ તરીકે વસાવડાએ બે પાયાના ઠરાવો મૂક્યા. ગામડાંના ધિરાણનો પ્રશ્ન બીજો ઠરાવ ગામડાંના ઉત્પન્નના પોષણ જેટલા ભાવો મળવા જોઈએ. શોષણ કરવા માટે નહિ પણ પોષણ જેટલા ભાવો મળવા જોઈએ. ખેડૂત ટકશે તો બીજા વર્ગો ટકશે અને ગામડાં વિકાસ પામશે તો દેશ વિકાસ પામશે. કસ્તૂરબા ફાળામાં મજૂરોએ ફાળો આપ્યો. ૧૯૪રમાં ભોગ આપ્યો. આ બધી વાતો મહત્ત્વની છે. તેના કરતાં કદાચ કારખાનાં બંધ થાય, છતાં ગ્રામઉદ્યોગો ચાલે, તેને માટે મજૂર મહાજન પ્રયત્ન કરે છે. તેની કિંમત મારે મન ખરેખર મોટી છે. આ કામ સારું છે તે તમારા માટે કે ગામડા માટે જ નહિ, દેશ માટે સારું છે. એટલું જ નહિ નીતિ માટે સારું છે. નીતિ હશે તો જ લોહી પવિત્ર થશે. એ પવિત્ર વિચાર કરી શકશે. બેકારી રાખીને મૂડીની વહેંચણી કરવી તેના કરતાં ધંધો આપીને મૂડીની વહેંચણી કરવી તે જ ઉચિત વાત છે. કારણ કે તેમાં નીતિ છે.પરદેશના લોકો વખાણ કરે છે તેનું કારણ નીતિ છે. દરેક માણસને રોજી મળે નીતિથી મળે, છતાં સ્વમાન હણાય નહિ, સત્ય સચવાય. આ દૃષ્ટિ ધ્યાનમાં રાખીને પ્રયોગ ચાલે છે. આમાંથી જ ગણોતધારાનો પ્રશ્ન ઉદ્ભવ્યો. બેકારી સાધુતાની પગદંડી
૧૬૩