________________
સૌના મિત્ર છીએ. સૌ આપણા મિત્ર છે. અમે અમારું અલગ અસ્તિત્વ સાચવીશું. છતાં પ્રેમ રાખીશું. ગાંધીજીના જીવન ઉપર શ્રીમજીની ભારે અસર હતી. લોકો ગૌરવ લે છે પણ તેઓ કહેતા કે એ મારા ગુરુ નહોતા.
ભૂતકાળમાં જૈનો માનતા હતા કે અમારો ધર્મ સર્વશ્રેષ્ઠ છે. અમારો ધર્મ એટલે અહિંસા ધર્મ. આપણે થોડો ફેર ર્યો. અમે જે માનીએ છીએ તે ધર્મ. જયાં જયાં સત્ય છે, ત્યાં ત્યાં જૈનો છે. અહિંસા છે ત્યાં મહાવીર છે. આપણે ઊલટું કર્યું. અમારા મહાવીર હોય ત્યાં જૈન ધર્મ. તારંગાજીમાં જોયું એક આંખવાળા અને એક આંખ વગરના કેટલીકવાર મુહપત્તિવાળા મહાવીર બની જાય છે. તો કયા મહાવીર સાચા ? ચિહ્નો તો પ્રતીક છે. મહાવીર શરીર નથી. મહાવીર તો એક પ્રકારનું સૈદ્ધાંતિક બળ છે. ગૌતમ, મહાવીરના શરીરને મહાવીર માને છે. પણ નિર્વાણ પછી સમજાય છે કે મહાવીર બધે છે. જ્યાં જ્યાં સત્ય અને અહિંસા છે ત્યાં બધે મહાવીર છે. છતાં ગૂંચ ક્યાં છે ? તે સમજાતું નથી. મેં પૂછયું અમદાવાદમાં જૈનો કેટલા? ૧૦ ટકા છે. એમાં ભાગ અને જાત કેટલી ? ભલે એ પોતાની રીતે પણ ઉદાર થઈને રહે તો વાંધો નથી. પણ એમની જવાબદારી ખરી કે નહિ ? પ્રભુદાસ પટવારીજી મળ્યા હતાં. તેમને મેં કહ્યું, રાજ સમાજ આગળ નીચું છે. સમાજલક્ષી રાજ બનવું જોઈએ. સમાજની અસર ત્યારે થશે કે એ ધર્મલક્ષી હશે. ધર્મમાં વેવલાપણું હોય નહિ. આજે અશુદ્ધિઓ કેટલી વધી છે. સાબરમતીમાં સાંભળ્યું કે જૈનો પણ ટીંચરથી વંચિત નથી. આથી હું નિરાશ થતો નથી. પણ એ વિચારું છું કે જૈનત્ત્વ ગયું ત્યાં આવા અનિષ્ટ પેસવાના છે. નથી પેઠું તે જ નવાઈ છે. સેંકડો સાધુ સાધ્વીઓ ઉપદેશ આપ્યા કરે છે. થોકબંધ સાહિત્ય બહાર પડે છે. પૈસાથી પણ કદાચ જૈનો આગળ હશે. પ્રભાવ પણ પડતો હશે. છતાં આગેકૂચ કરવામાં એક ટકો પણ કેમ આગળ આવતા નથી. વ્યક્તિગત રીતે કોઈ આગળ આવે છે પણ સામુદાયિક રીતે આગળ આવતા નથી.
ભાઈઓ અને બહેનો આજે ભારતમાં જે સ્થિતિ આવી છે તેમાં ધર્મનો ફેલાવો થશે, તો સમાજ અને રાષ્ટ્ર આગળ જશે. રાજયે કોઈ ઇતિહાસમાં ક્રાંતિ કરી નથી. અહિંસક ક્રાંતિ જોઈતી હોય તો ધર્મે જાગવું પડશે અને તો
સાધુતાની પગદંડી
૧૭૭