________________
છે. કારણ કે વાસુદેવનો વિયોગ તેનાથી સહન થતો નથી. આવો નિર્વ્યાજ પ્રેમ આજે ગામડાઓમાં દેખાય છે ખરો ? છે ખરો, પણ લુપ્ત થઈ ગયો છે. આજે ભાઈ-ભાઈ, સીમ-શેઢા માટે લડે છે. ટૂંકા સ્વાર્થ માટે આમ બને છે. જ્યાં નંદરાજ યશોદાએ પોતાની પુત્રી આપી દીધી. ભલે એનું ગમે તે થાય. પણ મારે તો લાલજીને બચાવવા છે. ત્યાગથી જ આ વસ્તુ બની શકે. જ્યાં સુધી લાવ, લાવની વાત હશે ત્યાં સુધી સ્નેહ અને પ્રેમ જાગવાનો નથી. આજે તો ગાયોની કિંમત નથી. સ્ત્રીઓની કિંમત નથી. ભેસની કિંમત વધી છે. આપણા મન જાડાં થઈ ગયાં છે. આના માટે વિચાર કરવો જોઈએ. દુર્યોધન ઉપર પ્રેમ થાય તેવું નહોતું. છતાં અર્જુન અને તે બંને વાસુદેવની મદદ લેવા ગયા ત્યારે વાસુદેવે બંનેની પીઠ થાબડી. બંનેએ કહ્યું અમને મદદ કરો. જે દુર્યોધને વાસુદેવનું અપમાન કર્યું હતું. એકતનું જમીન આપવાની ના પાડી છતાં વાસુદેવને મન સૌ સરખા હતા. એટલા માટે જ આપણે તેમને યાદ કરીએ છીએ. આખા મહાભારતના યુદ્ધમાં વાસુદેવનો સમભાવ સ્પષ્ટ નજરે આવે છે. એક સૈન્ય માંગ્યું, બીજાએ સ્વયં કૃષ્ણ માગ્યા. સત્ય એકલું હોય, નાનું હોય, તોપણ જીતે છે. આ બધું ભજનમાં અને ગરબીમાં તો ગાઈએ જ છીએ. પણ હવે તે આપણા વહેવારમાં અને આચરણમાં કેમ આવે તેને માટે પ્રયત્ન કરવાનો છે. તા. ૨૬-૧૯૫૪ : ચપાથળ
ખંભાળિયાથી નીકળી ચપાથળ આવ્યા. અંતર દોઢ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામે મોટી સંખ્યામાં આવી ભજન-મંડળી સાથે સુંદર સ્વાગત કર્યું. ગામે અગતો પાળ્યો હતો. મુકામે આવ્યા ત્યારે બહેનો ગીત ગાતી ગાતી કળશ લઈને સ્વાગત માટે આવી હતી. બપોરના અને સવારે મહારાજશ્રીએ પ્રવચન કર્યું હતું. રાત્રે જાહેરસભા થઈ હતી. બે નદીને કિનારે આ ગામ છે. અમરેલી જિલ્લા ખેડૂતમંડળના પ્રમુખ નાનજીભાઈ અહીં જ રહે છે. બાબુભાઈ જશભાઈ પટેલ. નાયબ પ્રધાન અહીં મહારાજશ્રીને મળવા આવ્યા હતા. ચાલુ પ્રશ્નોની ચર્ચા થઈ હતી. તા. ૨૮-૬-૧૯૫૪ : ચ ગઢ ચપાથળથી નીકળી ચકરગઢ આવ્યા. અંતર બે માઈલ. ઉતારો નિશાળમાં
સાધુતાની પગદંડી