________________
જુદાં ગણતો નથી. બાપુના અવસાન પછી તેમાં થોડો ફેર પડ્યો છે. એ રીતે આજનું સંમેલન રચનાત્મક કાર્યકરોનું સંમેલન છે. અંજારમાં કોંગ્રેસ કાર્યકરોનું મિલન હતું. તેમાં આવરી કોંગ્રેસને ટેકો આપતો ઠરાવ કર્યો હતો. અને પ્રાયોગિક સંઘનો બીજો ઠરાવ થયો હતો. બીજા ઠરાવનો વિચાર કરવા આપણે ભેગા થયા છીએ. આ સંમેલનમાં હું કંઈક કહું તેના કરતાં તમોજ તમારી વાતો રજૂ કરો એમ ઇચ્છું છું. સર્વ સેવાસંઘ કડી છે. એના કાર્યકરો રાજકારણથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. પણ વ્યવહારમાં એમ બનતું નથી. એવું હું જોઈ રહ્યો છું. ગુજરાતના બધી જાતના કાર્યકરો અરસપરસ બધાં કામો જોડીને ચાલતા હોય છે. સામાજિક કામ અને રાજકારણ અલિપ્ત રહી શકતાં નથી. પ્રાયોગિક સંઘમાં બધાં કાર્યો, સામાજિક, આર્થિક, રાજકીય આવી જાય છે.
કચ્છ જિલ્લા પ્રા. સંઘની છેલ્લી વિચારણા કરવા સંમેલન મળ્યું હતું. પ્રેમજીભાઈ, કાંતિભાઈ, કુંદનલાલભાઈ પ્રભુલાલભાઈ વગેરે કાર્યકરો આવ્યા હતા. સવારમાં મુક્ત કંઠે દરેકને પોતપોતાની મુશ્કેલીઓ એકબીજાના સંબંધો વિશે ચર્ચાનો સમય આપ્યો હતો. દરેકનો ભાર હળવો થયો હતો. કોંગ્રેસ અને રચનાત્મક કાર્યકરો જુદા નથી. એ સાર હતો.
મહારાજશ્રીએ પ્રાયોગિક સંઘની જરૂરિયાત કેમ ઊભી છે. તેનો ખ્યાલ આપ્યો હતો. અને કચ્છના પ્રવાસના પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. કચ્છમાં બધે ચાર આની મહેસૂલ રાહતની જાહેરાત થઈ. પણ રાપર તાલુકામાં છ આની મહેસૂલ રાહત થવી જોઈએ. એ વિશે પોતાની ચિંતા પ્રેમજીભાઈ મહેસૂલમંત્રી આગળ રજૂ કરી. સરકારે કોંગ્રેસે અને વિઘોટી કમિટીએ પૂર્ણ પ્રયત્ન કર્યો છે. લોકસભાના સભ્યો પણ પ્રયત્ન કરે છે. તેમ છતાં જો પોતે કચ્છ છોડે તે પહેલા છ આનાની જાહેરાત ન થાય તો અન્યાય થાય છે. અને પોતાના સમાધાન માટે કંઈક પ્રાયશ્ચિત કરવું જોઈએ એમ મહારાજશ્રીએ કહ્યું હતું. પ્રેમજીભાઈએ આ વસ્તુ વાજબી નથી, અમને શરમાવનારું છે. માટે થોડી રાહ જોવા આગ્રહ કર્યો હતો.
અહીંના મુખ્ય કાર્યકર મગનભાઈ સોની છે. તા. ૮-૫-૧૯૫૫ : ભીમાસર
વલ્લભપુરથી નીકળી ભીમાસર આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો સાધુતાની પગદંડી
૧ ૨ ૩