________________
ક્યારે છોડું ? આ જૈન પરિભાષા છે. વૈદિક ધર્મમાં દાન, દમ, દયા આપી. જૈનોમાં અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ આપ્યો. આ ત્રણમાંથી જેટલો સાર કાઢીએ તેટલો કાઢી શકાય. જિજ્ઞાસા હોય તો બીજા પડી શકે. ધરતી સુંદર હોય, વરસાદ હોય, જમીન ખેડી હોય તો બી ઊગી શકે. અહિંસાની કસોટી એ છે કે તું નિર્ભય કેટલો ? સિદ્ધાંત આવે ત્યારે ભૂસેટીને ભાગે છે કે કેમ ? ગોળના માટલાનું લેબલ એટલા માટે છે કે, અંદર ગોળ કેટલો છે, તે જાણી શકાય. ગોળ ના હોય તો લેબલ નકામું. માણસ મરવા તૈયાર થયો કે પછી મારનાર કોઈ નહિ મળે. હાઈડ્રોજન બોમ્બ ભોગ માગે છે. જો ભોગ દેનાર નહિ મળે તો નિર્દોષના ભોગ લેવાશે.
આજે આપણે કોની પૂજા કરીએ છીએ ? મંદિર, ઉપાશ્રયમાં દરેક ઠેકાણે ધનની પૂજા થાય છે. વ્યવસ્થા માટે નાણાની જરૂર પડે. પણ જ્યારે તે સાધ્ય બની જાય ત્યારે માણસ જડ બની જાય છે. અણુ બોમ્બ કાઢવા માટે સ્વાવલંબન શીખવું જોઈએ. પરિગ્રહને છોડવો જોઈએ. દાંત આપ્યા છે તો ચાવણું મળવાનું છે. ગમે તે મહેનત કરો. શરીરને અનુકૂળ મહેનત ગોઠવી લો. બીજી વાત ધંધાની મર્યાદા નક્કી કરવાની છે. ભીમો વાણિયો માત્ર સાત દમડી લઈને શેત્રુંજયના ઉદ્ધાર માટે દોડે છે. બહાડમંત્રી તેને ભેટી પડે છે અને સૌથી પહેલું નામ ભીમાનું લખે છે. આ જોઈ બીજા હસવા લાગ્યા કે સાત દમડીથી કામ અટકી જવાનું હતું ! પણ જયારે મંત્રીએ ખુલાસો કર્યો કે તમે બધાએ તો થોડો થોડો ભાગ આપ્યો છે જ્યારે એણે તો સર્વસ્વ આપ્યું છે. પરિગ્રહનો ત્યાગ કર્યો છે. આપણે આજે ભગવાનની મશ્કરી કરી રહ્યા છીએ. આટલા માટે ભૂમિદાન આવ્યું છે. ભૂમિદાન પછી સંપત્તિદાન, હવે જીવનદાન માગે છે. બધા જયારે ભેગાં મળીને માગે છે ત્યારે ઓર આનંદ આવે છે. ૭૨ કરોડ હાથ અને ૩૬ કરોડ માથાં જયાં એક થયાં ત્યાં વિરાટ શક્તિ ઉત્પન્ન થવાની છે. સંખ્યા પરાધની છે. પણ ૩૬ એકઠા સાથે બેસે તો એ ગણી ગણાય નહિ એટલો આંકડો થાય. મહાવીરની જીવન શિક્ષા બાપુએ જીવનમાં ઉતારી.
કેટલાક કહે છે જૈનોની સંખ્યા ઘટી ગઈ છે. પણ સિંહોનાં ટોળાં હોય જ નહિ. આજે તો આપણે ક્યારે પૈસાદાર થાઉં ? ક્યારે સંકટ આવે ત્યારે ભાગવું. ક્યારે મોટો મિલનો માલિક થાઉં. યંત્રો વસાવું અને હજારોના
સાધુતાની પગદંડી
४८