________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ^^ ^^ હે ભીમ ! હે પરાક્રમથી પરોપકારક! સાંભળ-મારી પાસે ભવન. ક્ષેમિણ નામે એક શ્રેષ્ઠ વિદ્યા છે. તેની બાર વર્ષ થયા મેં પૂર્વસાધના કરી છે, હવે તેની ઉત્તરસાધના પ્રેતવન (સ્મશાનમાં) માં જઈ આવતી કૃષ્ણચતુર્દશીના દિવસે કરવાની છે. માટે હે મહાસત્ત! જે તું ઉત્તરસાધક થા, તે મારી વિદ્યા સિદ્ધ થાય.” આ પ્રમાણે સાંભળીને રાજકુમાર મનમાં વિચારવા લાગ્યા કે:-“આ વિનશ્વર અને અસાર દેહથી જે કઈને પણ ઉપકાર થતો હોય તે શા માટે ન કરે?” એમ વિચારીને કુમારે તેનું વચન કબુલ રાખ્યું. એટલે પુન: તે પાખંડી બોલ્યા કે:-“હે કુમાર ! દશ દિવસ પછી કૃષ્ણ ચતુર્દશી આવશે, તે તેટલા દિવસ મારે તારી પાસે રહેવું છે.' કુમારે તેની પણ પરવાનગી આપી, એટલે તે ત્યાં રહ્યો, અને કુમારની સાથે ભોજન અને ગેઝી (વાતચીત) કરવા લાગ્યા. આથી મંત્રિપુત્રે તેને એકાતમાં કહ્યું કે:-“હે સ્વામિન્ ! આ પાખંડીની સાથે તમારે વાતચીત કરવી યુક્ત નથી. દુર્જનને સંગ વિષની જેમ મનુષ્યને મારે છે.” કુમાર બે કે:-“હે મિત્ર! તારું કહેવું સત્ય છે, પરંતુ દાક્ષિણ્યથી મેં તેનું વચન અંગીકાર કર્યું છે, તેથી તેને નિર્વાહ કરે એજ શ્રેયસ્કર છે. આ પ્રમાણેનો ઉત્તર સાંભળી મંત્રીપુત્રે તેને પુનઃ પુન: વાર્યો, છતાં કુમારે પોતાને કદાગ્રહ મૂક્યું નહિ. એવામાં અનુક્રમે કૃષ્ણ ચતુર્દશી આવી, એટલે રાત્રિના એક પ્રહર પછી વીરવેષને ધારણ કરી નિર્ભય થઈને કુમાર તે કાપાલિકની સાથે સ્મશાન તરફ ચાલ્યો. ત્યાં મંડળ આળેખી કેાઈ દેવતાનું મરણ કરીને કાપાલિક કુમારને શિખાબંધ કરવા લાગ્યો, એટલે ભીમ કુમાર બોલ્યા કે –“મારે શિખાબંધ કેવો? મારે તે સર્વે એજ શિખાબંધ છે.” એમ કહી ભીમ ખર્શને સજજ કરી અને સાહસમાં રસિક થઈ સિંહની જેમ તેની પાસે ઉભે રહ્યો. એટલે પાખંડીએ ચિંતવ્યું કે-આને શિખાબંધન છળ તે વ્યર્થ થ; હવે તે પરાક્રમથીજ એનું શિર લેવું.” એમ વિચારી હાથમાં કાતી લઈને 1 નાની તરવાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust