Book Title: Parshwanatha Charitra
Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 360
________________ - 344 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. પૂર્વ દેશમાં તામ્રલિપ્તિ નગરીમાં બંધુદત્ત નામે એક યુવા ન સાર્થવાહ રહેતું હતું, તે પૂર્વભવમાં વિપ્ર હતું. તે વખતમાં અન્ય પુરૂષમાં આસક્ત થયેલી તેની પત્નીએ તેને વિષ દઈને બહાર નાખી દીધા હતા. એ વખતે એક દયાળુ ગોવાલણે તેને જીવાડ્યો હતું. તે વૈરાગ્યથી સંન્યસ્ત દીક્ષા લઈ મરણ પામીને સાગરદત્ત નામે શ્રેષ્ઠીપુત્ર થયે. તેને જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી તે સર્વ સ્ત્રી ઓથી સર્વથા વિરક્ત રહેતું હતું. હવે પેલી ગોવાલણ મરણ પામીને તેજ નગરમાં એક મહત્યની રૂપવતી કન્યા થઈ. તેને તેના બંધુઓએ સાગરદન વેરે વરાવી, (વેવિશાળ કર્યું.) તે કન્યામાં પણ તેનું મન ન હતું. સ્ત્રી માત્રને તે કલેજાની કટારી સમાન માનતો હતો. એટલે તે કન્યાએ તેને તથાવિધ સમજીને કાગળમાં એક લોક લખીને કર્યો. તે લેક આ પ્રમાણે હતો. “ીના રજવ, ૐિ હ્વીં યજ્ઞાતિ જોવા कौमुद्या हि शशी भाति, विद्युताब्दो गृही स्त्रिया " // હે ચતુર ! કુલીન અને અનુરક્ત એવી સ્ત્રીને ત્યાગ શામાટે કરો છે? કારણ કે જેમ ચાંદનીથી ચંદ્ર અને વિજળીથી મેઘ શોભે તેમ સ્ત્રીથી પુરૂષ શોભે છે.” આ પ્રમાણેને લોક વાંચીને સાગરદત્તે તેના જવાબમાં એકલેક લખી મેકલ્યા કે - " स्त्री नदीवत्स्वभावेन, चपला नीचगामिनी / उत्ता च जडात्मासौ, पक्षद्वयविनाशिनी" // સ્ત્રી સ્વભાવથીજ નદીની જેમ ચપળ તેમજ નીચગામિની હોય છે અને ઉદ્દવૃત્ત થયેલી જડાત્મા (જલાત્મા) એવી તે પક્ષદ્રયને (બે કાંઠાન- સ્ત્રીપક્ષે સ્વસુર ને પિતા બંને પક્ષનો વિનાશ કરનારી હોય છે. આ લેક વાંચીને તે કન્યાએ મનમાં વિચાર કર્યો કે - ખરેખર! એ પૂર્વ જન્મના સ્ત્રી દોષને સંભારતા જણાય છે. પછી તે કન્યાએ પુન: લેક લખી મેકલ્યા–તે આ પ્રમાણે હતે: "एकस्या दूषणे सर्वा, तज्जाति व दुष्यति / अमावास्येव रात्रित्वा-त्याज्येदोः पूर्णिमापि किम् ?" // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384