Book Title: Parshwanatha Charitra
Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 370
________________ પ " શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. બાલ્ય કેતે દેવ કેવા છે અને કયાં છે? બંધુદત્ત બોલ્યા કે તે શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઇંદ્રાદિ દેવો અને નરેંદ્રો સેવે છે. તે ત્રણ પ્રાકાર અને છત્રથી બિરાજમાન અને સચ્ચામરેથી સુશોભિત એવા ભગવાન અત્યારે નાગપુરમાં વિચરે છે. તે અનંત કટિભવના સંદેહો પણ ભાંગે છે. તેમના નામ તથા પ્રસાદથી મનવાંછિત પદાર્થ પ્રાપ્ત થાય છે. તે સાંભળીને પશ્વિપતિ બે કે –“તેમના દર્શન મને કરાવે, કે જેથી હું કૃતાર્થ થાઉં” બંધુદા બે કે –“બહુ સારૂં.” પછી પશ્વિપતિ, સ્ત્રી સહિત બંધુદત્ત તથા બંધુદત્તના મામા ધનદત્ત એ ચારે જણ મેટા આડંબરથી ચાલ્યા અને અનુક્રમે નાગપુરીમાં આવ્યા. ત્યાં ત્રિભુવનપતિ પાર્શ્વનાથના સમવસરણમાં જઈને તેમણે ભગવંતને વંદન કર્યું. પછી ભગવંતે આપેલ દેશના સાંભળીને બંધુદત્તે ભગંતને પૂછયું કે;–“હે ભગવન ! કયા કર્મથી પરણુતા માત્રમાં મારી છે સ્ત્રીઓ મરણ પામી અને સાતમીને વિ. રહ થયે.” ભગવંત બોલ્યા કે - “તારા પૂર્વકૃતકર્મને સંબંધ સાંભળ વિધ્યાચળ પર્વત પર હિંસામાં તત્પર એ શિખરસેન નામે પલિપતિ રહેતો હતો. તેને ચંદ્રાવતી નામે સ્ત્રી હતી. તે પલિપતિ સાતે વ્યસનને સેવનાર હતું અને અનેક પાપકર્મ કરતો હતે. એકદા માર્ગભ્રષ્ટ થયેલ સાધુસમુદાય ત્યાં આવી ચડયો. તે મુનિવરેને જોઈને પલિપતિએ પૂછયું કે –“તમે કોણ છે?” તે બેલ્યા કે –“અમે સાધુઓ માર્ગભ્રષ્ટ થયેલા અહીં આવ્યા છીએ.” એટલે તેની પ્રિયા ચંદ્રાવતી બોલી કે –“હે સ્વામિન ! એમને ફળાદિકનું ભોજન કરાવીને માર્ગે ચઢાવે. એટલે મુનિઓ બોલ્યા કે —-અમે ઘણા કાળનું, વર્ણ અને ગંધાદિ રહિત થયેલું ફળ ગ્રહણ કર્યું છે, માટે ઈતર કલ્પિત ફળેથી અમારે કાંઈ પ્રજન નથી, પણ એક ક્ષણભર તું અહીં સ્થિત થઈને અમારું કથન સાંભળ.” પછી તે બેઠે, એટલે સાધુઓએ નમસ્કારમંત્ર સંભળાવ્યું અને કહ્યું કે –“આ નમસ્કારનું તારે નિરંતર સ્મરણ કરવું અને સંગ્રામવિના તારે કઈ P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384