________________ 388 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. // इति तपागच्छीय श्रीपूज्य श्री जगचंद्रसूरिपट्टपंरपरालंकार श्री हेमविमलमूरिसंतानीय श्रीपूज्य गच्छाधिराज . हेमसोमसूरिविजयराज्ये पूज्य पंडित संघवीरगणिशिष्यपडितउ. दयवीरगणिविरचिते पार्श्वनाथ गद्यबंध चरित्रे भगवद्विहार . वर्णन निर्वाणमहोत्सव वर्णनो नामाष्टमः सर्गः // 8 // प्रशस्ति. શ્રી વીરશાસનરૂપ સરેવરમાં હંસ સમાન, સત્ત્વની અધિકતાથી સર્વ ગુણેને સંગ્રહ કરનાર અને ચંદ્રગચ્છરૂપ કમળમાં ભ્રમર સમાન એવા શ્રી પૂજ્ય સેવિમલ નામે ગુરૂ થયા. જેમના ચરણ પ્રક્ષાલનના જળથી સર્પ વિષ તથા જ્વરાદિ રેગ શાંત થતા હતા. તે પ્રગટ પ્રભાવી અને ગચ્છાધિરાજ ગુરૂમહારાજ જયવંતા વર્તો. તેમના પટ્ટરૂપ પૂવોચલપર સૂર્ય સમાન, ભાગ્યવંત, જંગમ ક૯પવૃક્ષ સદશ, સાધુઓમાં પ્રધાન અને ગ૭ના સ્વામી એવા શ્રીહેમમ સૂરીશ્વર થયા. તેમના ગચ્છમાં સંઘવીર પ્રમુખ ઘણા ગીતાણે થયા, કે જેમના હસ્તસ્પર્શથી મૂખ પણ સકળ કળામાં પ્રવીણ અને પ્રાજ્ઞ થઈ જતા હતા. તેમના શિષ્ય ઉદયવીર થયા કે જેમણે પિતાના ગુરૂના પ્રસાદવડે કથાપ્રબંધથી સરસ અને પ્રધાન એવું ગદ્યબંધ આ ચરિત્ર રચ્યું છે. પ્રાચીન શાસ્ત્રાનુસારે આ ગ્રંથ રચેલ હોવા છતાં તેમાં ન્યૂનાધિક્ય હોય તો તેને માટે મિથ્યાદુકૃત . આ પાશ્વનાથ ચરિત્રનું ગ્રંથમાન સાડાપાંચ હજાર લેક પ્રમાણ છે, અને સંવત (1954) ના વર્ષે જયેષ્ઠ માસની શુકલ સપ્તમીએ આ ગ્રંથની આનંદપૂર્વક સમાપ્તિ કરવામાં આવી છે. - આ ગ્રંથ સુજ્ઞ જનોથી સદા વાગ્યમાન થઈ યાવચંદ્રદિવાકરૉ જયવંત રહે, અને શ્રી પાર્શ્વનાથના પ્રસાદથી તેના વક્તા-શ્રેતાદિના મનવાંછિત સિદ્ધ થાઓ. . તમાડવં પંથક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust