________________ ત્રણ વ્યવહારીની કથા. 141 થયે અને પાછા તેણે કરી દીધેલા માગે તે બહાર નીકળી ગયે. માટે હે મિત્રો ! કાંઈ પણ ઉદ્યમ ન કરતાં સ્વસ્થ થઈને બેસી રહે, કેમકે વૃદ્ધિ અને ક્ષયમાં–લાભ અને હાનિમાં કારણભૂત એક દૈવજ છે. વિધાતાએ લલાટપટ્ટપર જે અ૫ કે બહુ ધન લખ્યું છે, તે મારવાડમાં જતાં પણ અવશ્ય મળવાનું છે, અને તે કરતાં અધીક મેરૂ પર્વત પર જતાં પણ મળવાનું નથી માટે હે બંધુઓ ! ધીરજ ધરે અને વૃથા કૃપણ સવભાવ ન રાખે. કેમકે કુવામાં કે સમુદ્રમાં જ્યાં જઈને ભરશે ત્યાંથી ઘડામાં સરખું જ જળ સમાશે. (આટલી હકીકત પ્રસંગે પાત કહેવામાં આવી છે.) - હવે ત્રીજો બંધુ ધનપાલ ભજન કરી પ્રમાદથી ત્યાં જ સુઈ ગયે. નિદ્રા લઈને સંધ્યા વખતે તે નગરમાં પેઠે. ત્યાં નગરના મુખ્ય દ્વાર આગળ ઘણી વેશ્યાઓ તેના જેવામાં આવી. તેમાં એક વેશ્યાને ઘણું નટવિટ પુરૂષો સાથે જોઈ. એકે તેને હાથ પકડી રાખ્યું હતું, એક તેને તાંબુલનું બીડું આપતા હતા અને એક તેને હાસ્યકરાવતા હતા. એવામાં એક લંપટ પુરૂષ ધનપાલને આવતો જોઈને બેલ્યો કે –“હે પરદેશી પુરૂષ! શું જુએ છે? મનુષ્ય ભવનાં આવાં ખરેખરાં મીઠાં ફળને ગ્રહણ કર.” એટલે તે ધનપાલ તે વેશ્યાને ઘરેજ ગયે અને વિવિધ નાટક જેતે તથા ગીત ગાન સાંભળો આખી રાત ત્યાંજ રહ્યો. પછી તેના હાવભાવથી મેહિત થઈ તેની સાથે ભોગ ભોગવવા લાગ્યા. તે નેહ વચનથી તેને પૂછવા લાગી કે:-“હે સ્વામિન ! અહીં તમે શા કામે આવ્યા છે?” તે વિસ્મય પામીને બોલ્યા કે વેપાર કરવા.” પુનઃ તેણે પૂછયું કે - હે સ્વામિન્ ! તમારી પાસે દ્રવ્ય કેટલું છે?” તેણે કહ્યું કે:-“સવા સવા કેટી મૂલ્યના ત્રણ રત્ન છે.” તે બોલી કે મને બતા” એટલે તેણે તેને બતાવ્યાં તેથી તે હર્ષિત થઈ. તે રને લઈને વેશ્યા તેને મુખથી ચુંબન અને હૃદયથી આલિંગન દેવા લાગી. પછી તે બોલી કે:-“સ્વામિન્ ! એ તને મારા ઘરમાં જાળવી રાખું છું, તમારે જરૂર પડે ત્યારે પાછા લેજે. આ ઘર તમારૂંજ છે. તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust