Book Title: Parshwanatha Charitra
Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 354
________________ . 338 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. . પછી-નીકળ, બહાર નીકળ, કિલ્લામાં ભરાઈને શુબેઠે છે? અરે અધમાધમ ! દેશવિધ્વંસના પાપનું ફળ લે.” આ પ્રમાણેને તુમુલ કેળાહળ સાંભળીને સામંત રાજા પણ સજજ થઈ નગરમાં રહીને યુદ્ધ કરવા લાગ્યું. એ વખતે બહાર રહેલા રાજસુભટેએ યંત્રથી છુટતા પાષાણના ગેળાથી તથા વજીના સંપાત સમાન ભયંકર એવા ગોફણના ગેળાથી સામંતનો કિલ્લો તોડીને તેના નગરને હતપ્રહત કરી મૂકયું. વનરાજે તે સામંતને પકડી બાંધીને નૃસિંહકુમારને ; એટલે–“અહો ધૈર્ય ! અહે છે !" એવી વનરાજની સર્વત્ર ખ્યાતિ વિસ્તાર પામી. એવામાં રાજા પણ પાછળથી ત્યાં આવી પહૈયે. અને વનરાજની ખ્યાતિ સાંભળીને તે ચકિત થઈ ગયે. રાજાએ વિચાર્યું કે “સંગ્રામમાં પણ આ મરણ ન પામ્ય, માટે કાંઈક બીજો ઉપાય કરું.” એમ ચિંતવી કંઈક કાર્ય બતાવીને નૃસિંહકુમાર સાથે વનરાજને પોતાના નગરમાં મોકલ્યો, અને રાજા પતે ત્યાં જ રહ્યા. એક દિવસ રાજાએ વનરાજને વિષ આપજે.” એ સ્પષ્ટ લેખ લખીને આષ્ટ્રિક દ્વારા એનૃસિંહકુમારને મોકલ્યો એટલે ઐષ્ટ્રિકે ત્યાંથી સત્વર રવાના થયે અને સુંદર યક્ષથી અધિષ્ઠિત પેલી એટવીમાં થાકી જવાથી યક્ષના ભવન પાસેજ રાત રહો. અને તે લેખ પાસે રાખીને યક્ષના મંદિરમાં સુઈ ગયેા. એ વખતે યક્ષે અવધિજ્ઞાનથી જાણ્યું કે -અરે ! મારા વનરાજ પુત્રના વધને માટે આ પ્રયત્ન લાગે છે માટે જેમ એનો વિનાશ ન થાય અને લાભ થાય તેમ કરું.” પછી તે લેખ લઈ દેવશક્તિથી “વિષ આપજે” એ અક્ષરે માં એક કાને વધારીને “વિષા આપજે” એવું કરી દીધું. વિષા એ તે રાજાની પુત્રીનું નામ હતું. એટ્રિકે પ્રભાતે ઉઠીને નગરમાં જઈ નૃસિંહકુમારને તે લેખ આપે. એટલે તે લેખ વાંચીને અને વનરાજને તે વૃત્તાંત કહીને કુમારે સત્વર વિવાહની સામગ્રી તૈયાર કરાવી. પછી ઉછળતા વાજીત્રના નાદ અને ધવળમંગળથી વનરાજ વિષા રાજપુત્રીને પર, અને તે વિષા રાજપુત્રીની સાથે બહુ શોભવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384