________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર ક્ષેત્ર, યંત્ર, વહાણ, વધૂ, હળ, બળદ, અશ્વ, ગાય, ગંત્રી (ગાડી), દ્રવ્ય, હાથી, હવેલી અને બીજા પણ જે પદાર્થથી મન આરંભયુક્ત થાય અને જેનાથી કર્મ બંધાય તેનું સુજ્ઞજનેએ દાન લેવું કે દેવું નહિ.” જેનાથી અનર્થદંડ થાય તેને પણ ત્યાગ કરવો. દુષ્ટ જીવે જાગૃત થતાંજ આરંભ કરવા માંડે છે. તે આ પ્રમાણે–પનીયારી, દળનારી, કારક, કર્ષક, અરઘટ્ટિ, કુંભાર, ધોબી, લુહાર, મચ્છીમાર, શિકારી, જાળ નાખનાર, ઘાતક, ચેર, પરદારલંપટ, અને અવસ્કંદદાયક–એમની પરંપરાએ કુવ્યાપારમાં પ્રવૃત્તિ થતાં મહાન અનર્થદંડ થાય છે. શ્રી ભગવતીસૂત્રમાં કૌશાંબી નગરીમાં રહેલા શતાનીક રાજાની બહેન અને મૃગાવતીની નણંદ જયંતિએ શ્રી વીરપરમાત્મા પાસે પ્રશ્ન કરેલો છે કે - હે ભગવન ! આ પ્રાણ સુતે સારે કે જાગૃત સારે?” ઉત્તર-જયંતિ! કેટલાક સુખ હોય તે સારા અને કેટલાક જાગૃત હોય તે સારા.” જયંતિ-હે ભગવન ! એ શી રીતે સમજવું ?" ઉત્તર-“હે જયંતિ ! જે જીવે અધમી હોય, અધર્મપ્રિય હેય, અધર્મ બેલતા હય, અધર્મનાજ જેનારા હિય, અધર્મને વખાણનારા હેય, અધર્મશીલ હોય, અધર્મ આચરનારા હોય અને અધર્મથીજ પિતાની વૃત્તિ ચલાવતા હોયએવા જ સુતા સારા. એ જીવે સુતેલા હોય ત્યાં સુધી બહુ જીને, પ્રાણુને, સને તે દુઃખ આપી શકતા નથી અથવા તેમને વાત કરી શકતા નથી. વળી પોતાના આત્માને યા પરને વા ઉભયને બહુ અધર્મમાં જોડી શકતા નથી. માટે એ જીવો સુતા હોય તે સારા. વળી જયંતિ! જે જીવે ધમી હોય, ધર્મપ્રિય હોય, યાવત ધર્મથી પોતાનું ગુજરાન ચલાવનારા હોય, તે જીવે જાગતા સારા, કારણ કે એ જી જાગતા હોય તે સ્વપરને ધર્મમાં જેડે છે અને ધર્મજાગરિકાવડે પિતે જાગૃત રહે છે. એ જ પ્રમાણે બલવત્વ ને દુર્બલત્વ, દક્ષત્વ અને મૂત્વ, તેને માટે પણ પ્રશ્નને ને ઉત્તરે જાણું લેવા.” એ પ્રમાણે જાણીને પ્રમાદાચરણને ત્યાગ કરે. વળી જે કાર્ય કરવાથી આરંભ વધે, તેને પણ ત્યાગ કર. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust