________________ وے એક નાપિતની ક્યા. -~~~ - ~ ~ ~- મૃષાવાદના સંબંધમાં વિશેષ પુષ્ટિ માટે બીજું દષ્ટાંત આપે છેકેઈ સંન્યાસી વિદ્યાબળે આકાશમાં અધર વસ્ત્ર રાખતાં બહુ માન પામ્યો, પણ મૃષાવાદ બેલી વિદ્યાગુરૂને ઓળવતાં તે પતિત થયે અને લઘુતા પામ્યું. તેનું દષ્ટાંત આ પ્રમાણે છે - સુદર્શનપુરમાં કઈ હજામ રહેતું હતું. તેણે કોઈ યેગીની સેવા કરીને તેની પાસેથી એક વિદ્યા મેળવી, તેથી તે વસ્ત્રો જોઈને ગગનમાં નિરાધાર રાખી શકો હતો. એકદા કેઈ સંન્યાસીએ તેની પાસે યાચના કરી કે –“હે ભદ્ર! એ સદ્વિદ્યા તું મને આપ.” પેલા નાપિતે તેને સત્પાત્ર જાણીને તે વિદ્યા આપી. પછી તે સંન્યાસી વિઘા લઈને દેશાંતરમાં ભમવા લાગ્યો. તે સર્વત્ર પોતાનાં વસ્ત્રો ધોઈને ઉંચે આકાશમાં નિરાધાર રાખતા હતા. તેથી લોકેએ આશ્ચર્ય પામીને એકદા તેને પૂછયું કે:-“હે સ્વામિન્ ! આવી મહાવિદ્યા તમે ક્યાંથી મેળવી?” એટલે તે બોલ્યો કે:-“હે લેકેજુઓ, જુઓ, આ સર્વ મારા તપનો પ્રભાવ છે! એમાં ગુરૂને કે વિદ્યાને પ્રભાવ નથી.” એમ બોલતાં જ તેનાં વસ્ત્રો નીચે પડ્યાં અને તેની વિદ્યા નષ્ટ થઈ ગઈ. એ કારણ માટે હે ભવ્ય જ ! મૃષાવાદના પ્રભાવથી વિદ્યા પણ અવિદ્યા થઈ જાય છે, માટે મૃષાવાદ સર્વથા વજનીય છે. - હવે ત્રીજુ અણુવ્રત અદત્તાદાનવિરમણ છે. તેના પણ પાંચ અતિચાર વર્જવા ગ્ય છે તે આ પ્રમાણે:-“ચેરને અનુજ્ઞા આપવી, તેને ચેરીને માલ લે, રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, વસ્તુમાં ભેળસેળ કરીને વેચવી અને તેલ માપમાં દગલબાજી કરવી.” પડી ગયેલ, વિસરી ગયેલ, ખોવાઈ ગયેલા રહી ગયેલ, સ્થાપન કરેલ યા રાખેલ-પરકીય ધન જે અદત્ત ગણાય છે તે સુજ્ઞ જનોએ કદાપિ ન લેવું. જે અદત્તને ગ્રહણ કરતું નથી તેની સિદ્ધિ અભિલાષા કરે છે, સમદ્ધિ તેને વરે છે, કીતિ તેની સન્મુખ આવે છે, ભવની પીડા તેને તજી દેશે, સુગતિ તેની સ્પૃહા કરે છે, દુર્ગતિ તેને જોતી પણ નથી 1 અન્યત્ર પોતાના અસ્ત્રા અધર રાખતા હતા એમ કહેવું છે. 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust