Book Title: Jain Kavya Sahitya Jain History Series 6
Author(s): Gulabchandra Chaudhary
Publisher: 108 jain Tirth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/001316/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેo] માહિત્યનો બૃહદ ઈતિહાણા ભJJ - 9 fજી પી હતું જેને કાવ્ય સાહિ : પ્રકાશક : શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઈ th Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ अशावतापश्यदासिवनामिकाशिाकानरपानखसीदवायवर्मिमावाद मारवधाययचिरमाच्यवाविवमाराचा समावनामाडिकायादववव मामधीमधिगतवमविकासचनाबादिनानिमायावसापनाविजय पिसायाविनामाशिमानयाडियामासयकामाशायस्पशाखि दिपिकासानन्चमायापिविकाशनांशापविशनिधारिकार्यवावयालय स्फाटिकाव नमसन नपावले दीनालाकणलालयादवहीनमपियंचवसविनानियताधि कनिर्मचावलावालयनवालाबालानीयाएवामादसवासननेयवध गनधिवदामि दसॉलगधाजनिसिछातानमनताकाटी सालायवलगीकारणासामधिकसमावथनार युवमाविसुरव कोगनवान कमायनासननायनाचिरासंचमंगमाविधात्यायोयनामसंवर्मयानगर लिपिक्चातम्याटोमाडाइखामियाजदेमावनिवियनारवलिबासनाकमाया मापातामगन्यापासवनिताधामयानानालामारयाचकामारा सानधारकारानाज्ञानचकापायाधिजगावसादनम्यानपाराश्यत्कासिताक वंगमानश्चयाविषययामासाडीशागवणयमाधानवविवाजिन नाभिकमानाडिमानानानादरसानासयमाकाम्मानिधन निकायागिमायानगगन्मानझिनीनामापनिावसमानिाशवधायर माधासुजननमुद्यानापरवंशाणसविधानाधनधादिमावनादवामन न्यनमनिलामपनिकितवानदिनशिवप्रश्चियवांचासुबनायायनामय शादा समयानधनामयामुपाकमतचकमानाउनावमानिकधिमानशामाद अन्यमधिगाकार्यनाराणा उच्छादनमानचालायशमलवचिकनाही सिमणिदावासाकसमाकलापका विवादायारामपञ्चासमजाम निादबावन्नामवणीनारखानामायिकत्रियविसिनर्वसनुबयासक वापदावायमगंलमसरवानि विधायमामलणावतारामविलास कमान्यपनीवावासमामता सुवासिमावदिनादाविधाकानकााधना कक्षावारूवासिानातिनाशयनिमानियाजियाधीशरामायबाट मलादनासवानाखामाक्ष्यामिवासालवसवाचावयानिमतिमयात सान।यनाशि Page #3 -------------------------------------------------------------------------- ________________ JanManामाला निकायागिनाचानवान्मानेपझिन साधासुमनननुद्यानगरविवाad न्यन्नमनिलीमजयनिकस्यानदिनीय झियमसमापिएमदाजनाथ आपसदिखानामासुमा. ददायखालथामकारकाक्षा सेकत्यिसमानामयियालार्मनाक यासुबारसमावसपनायधुम ममयातमामयाशुपाक्रमनय अनामधिकार्यांना विसमशिदीवबालाजल जराकर नाहगवन्नाननगमंशावसानच्या पापदायमगंजममखासनि लायवक्षागनामासवर्वेद भादवाविदयमाछाधान विवनसिकभिवश्वास पानालियानास्वाधर बैंकमाइल्यपीवावासमामदतान किसागसवामानातिनावपनिया सार्यभवाना खानदिद्यानिवामासिव मानाजतियारनावदादी सुनायज्ञहिनावमाकाद्यावार्षिबाड सुनावनानासाधरवासायलिममा सलीलनवनानामयानान्मियविदायमा मल्लकानिमालयपनन्नयामाग्राम प्राण्याशियमादायकोनयनयममान नासनकाऊयानिनिमायामाकर फसवायूमानवमानाडामा केसम्मानजनाानकादवनानव मुझगाइसवाट्याजोनवमहाया नेविटनाचक्षमडमनासस्वाऊम मिटायशियानाधाकपमिनिमा बनधिटाययुबमावानजालिममा यघाधिचिलयम्यानजिकमान नस्वामिकमाझौचानकङम वचिावनलोमिमाझिमम वसभिववादडिनावासा यकवाणमिडियायनलममा मिकमेडलाउडायशिवाय अधरमपावधियावशमाउ४५ मनाशास्वामिताकतन॥30HF नामायावादिननाकचानाशाजा नलागाराचनानिकितावशा कामनासमिनिट माववाटरमधिया।व्यानिकल साकसमासादयशवयोगनाकरी दाशामदीनारणानलसानियत निकाशाविनमानारनकार पाजासुजनाइसन्मादविवाद अटागमभकारयुम्माजमइमरयाद मानियमावबमप्यावासिमराjिevatearersonal use only HonaarimmsEिmaसस www.janellbrecycore Prepe Page #4 -------------------------------------------------------------------------- ________________ पानीमयमाकाम्मामिट्यावर यदीनिावसमानिाखवधायनामा शानावनधादिगाववादवानववानि यवोधासुमनायायनामयनार्थ मिडायशियानाधकपमिनिमा बनधियायियुग्मावानजालिममा यघाविधिलयन्यानncfarmपानि यः हावसानिकर्तिमानधामादायसमंद सकलायझपकनवविक्राईडतालमरिक विवादायावयमपानमधासविधापय यथामिनसानज्यामकुंडेरावडऊँ मलवणावनाचामपिलासगावकल नासुमपानयुधियावश्मा ४१ मनशास्वामिनाकन।277 नामावदितन कश्यालायााडा नलीबारायनानिलकिनधिशा खाननामिनानि EEEE विनादानविधकिालकानमंड नवाशानातायवायुवेलियतमा यानिमणिणिमयानिमामि संश्यकिणयामासकशायासद मानिनावरमालवणसेमारान पराजावाजानाइसन्मभुवनाविवाद अटावामर्कशेकापश्यमादिमकमयाद नानिमायावचमटावासिमरामद अवसायाशायकिणकनीसयर प्पटामिपटिनीनामाप्रवकतामा लोगनानटनटनटीपावयीनानकमा मिक्षकाबलामामझानामावण्यदा अकिसामतिनाशकवणागिता मञ्चसायनुसामावकम्माणिमिति एका अशाधिमर्यायामाममार 111०चनिकलाननामचरिमतिः यिमन विमास्वापारिवानिसमार अमाद्यविपकनका सरसायक्षिणामिपकमगिरवामपटि मणावसशालिनकिलकामानिमग दिइववाजमखमएसवीजावानसिका अमावाकड्यामदनदासदेवगंधा पास्वायनामिकसदेवमफानपानर सानाभूिवाधाकालिनानामिव मिसमिद्यपदनानारूने मिवझालाकिकसन्याशामाया नपात नखटापानवान व्यायामाताकायदाणगांच नहलिपराजमघालापमानायतार्थपाना यसिसवामधवालयशास्त्राणाम वमनाचाकुरायाचामडाव किंवा नापजिवानिामसाविषिश्वात्मयादि यधारापकोणाच्छयानमाला जमवाजहराकाजावामाग्रता मिशयाउमछानधातागिरदार मयानिशयाखानामा S u manilathemational Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી નં. ૨૨ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ : ભાગ - ૬ જૈન કાવ્યસાહિત્ય (સંસ્કૃત તથા પ્રાકૃત) શુભાશિષ ૫. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ મૃતોપાસના પૂ. આચાર્ય શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ સહયોગ શ્રી સાંતાક્રુઝ જૈન તપાગચ્છ જૈન સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ પ્રકાશક . શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ (શ્રી સમવસરણ મહામંદિર) પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ સહયોગ દાતા શ્રી સાંતાક્રુઝ જૈન તપાગચ્છ જૈન સંઘ સાંતાક્રુઝ, મુંબઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસઃ ગ્રન્થ ૬ જૈન કાવ્યસાહિત્ય (સંસ્કૃત તથા પ્રાકૃત) લેખક ગુલાબચન્દ્ર ચૌધરી અનુવાદક નગીન જી. શાહ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ અમદાવાદ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ'ની ગુજરાતી આવૃત્તિના સંપાદકો ડૉ. નગીન શાહ ડૉ. ૨મણીક શાહ પ્રકાશકઃ શ્રી અનિલભાઈ ગાંધી, ટ્રસ્ટીશ્રી શ્રી૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, ૧૧૦, મહાકાન્ત, વી.એસ.હોસ્પીટલ પાસે, અમદાવાદ-૬. પ્રકાશન વર્ષ : ગુજરાતી આવૃત્તિ : પ્રથમ સંસ્કરણ ઈ.સ.૨૦૦૬ મૂલ્ય ઃ રૂા. ૫૦૦/ મુદ્રાંકનઃ મયંક શાહ, ઈમ્પ્રેશન્સ ૨૧૫, ગોલ્ડ સૌક કોમ્પ્લેક્ષ, સેફાયર બિલ્ડીંગની પાછળ, સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯. મુદ્રકઃ કે. ભીખાલાલ ભાવસાર માણિભદ્ર પ્રિન્ટર્સ ૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, શાહીબાગ, અમદાવાદ-૪. ફોન : ૨૫૬૨૬૯૯૬ . Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ अन श्रुत नलोभऽणना। छन्द्रधनुषी सप्तरंगोनी ज्ञान नियाभा.. सुटर मामा प्रसरावता, प्रभु वयनो मने प्रभु Gघटेशोना प्रभाराभूत सप्त ग्रंथोना पावन प्रेरड सूरिजांधव... પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્ય શ્રી વિચઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ श्री १०८ फैन तीर्थदर्शन भवन ट्रस्ट Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ शलाशिप . न साEिRm मा UFAel aci रास Rampratiradarn and 13८१HERIFIEst रवाना भोनिन५३vHmatijFARH "ONERgcsURER"MR१७ मा Ramniinfo. YAA RApnea in पटना-१८ERE MAR HAMAmjytu Hamamu are al भारमPIMURE HAIRAT #हिन्यनाट. UNELH"M- 1 fINARRyfitो MAAnantHAR Inme राय aluनयाfuarynamiti 24 HURRAZTUA Irger Frank wuf Grafien 440. RE- RERविध in HuaR GIRधारा ray Raut - - - - Earti Fer-tref het-2-13 yhure watiav - Page #12 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ સ્તાશ્ચિયની સ્થિય મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ જૈનશાહમચંદસૂરિનું ચિત્ર છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કવિતા અને વ્યાજણ, ઇતિહાસ અને પુરાણ, યોગ અને અધ્યાત્મ, કોશ અને અલંકાર, ત્યાગ અને તપશ્ચર્યા, સંયમ અને સ%ાચાર, રાજકલ્યાણ અને લોકકલ્યાણ એવાં અનેકવિધ ક્ષેત્રોમાં સાત દાયકા જેટલા દીર્ધકાળ સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સાધુતા અને સાહિત્યના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની સાથે તુલના કરી શકાય તેવી કોઈ બીજી વિભૂતિ નજરે પડતી નથી. - ઈ.સ. ૧૨મી સદીમાં થઈ ગયેલા આચાર્ય હેમચંદ્રતત્કાલીન સોલંકી રાજા સિદ્ધરાજ અને કુમારપાળના ગુરુ સમાન હતા.તેમના ઉત્કટ પ્રભાવથી અહિંસાનો જે પ્રચાર પશ્ચિમ ભારતમાં થયો તેના સુપરિણામ આજદિન સુધી મળી રહ્યા છે. જ્ઞાનના ક્ષેત્રે તેમણે એટલું બધું કામ કર્યુ છેકેતેઓ કલિકાલસર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ થયા. સંસ્કૃત ભાષાના તેમણે રચેલા અદૂભુત વ્યાકરણ “સિદ્ધહેમશબ્દાનુશાસન”ની હાથીની અંબાડી પર મુકી ધામધૂમપૂર્વક પાટણમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રસ્તુત ચિત્રમાં ચિત્રકારે આ પ્રસંગને તાદશ કરી બતાવ્યો છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સાહિત્યમાં જૈન ધર્મનું પ્રદાન ભારતીય વામને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે. આગમ, જૈનદર્શન કે પ્રકરણો જ નહિ પરંતુ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, જયોતિષ, વૈદ્યક આદિ એવો કોઈ વિષય બાકી નહિ હોય કે જેને તે મહાપુરુષોએ પોતાની અનોખી કલમથી કંડાર્યો નહીં હોય... આવા અણમોલ ગ્રંથોની નામાવલિની, તેમાં નિરૂપિત વિષયોની, તેના કર્તા, તેનો રચનાકાળ, તે ગ્રંથોનું શ્લોકપ્રમાણ વગેરેની સંપૂર્ણ કહી શકાય તેવી નોંધ તૈયાર કરી આજથી ૩૮ વર્ષ પૂર્વે કેટલાક સાક્ષરોએ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસના નામે સાત ભાગમાં પ્રકાશિત કરી. - પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.) એ વિચાર્યું કે આ સાતે ભાગ જો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય તો ખૂબ જ ઉપયોગી થશે.. તેથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી – મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજ્યશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ સાતે ભાગ ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે. ભાગ-૧,૨ અને ૪ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ સાથે ભાગ-૬ જૈન કાવ્યસાહિત્ય રજૂ થઈ રહ્યો છે. આ ભાગમાં જૈનાચાર્યો અને ઈતર જૈન લેખકોએ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચેલા પુરાણો, ચરિતકાવ્યો, મહાકાવ્યો ઇત્યાદીનો પરિચય આપવામાં આવ્યો છે. શ્વેતાંબર અને દિગંબર અને પરંપરાના આવા અનેક ગ્રંથોનો પરિચય અહીં આપવામાં આવ્યો છે. એ જ વિ.સં. ૨૦૬૨, અષાઢ સુ.૧૫, મંગળવાર પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મુંબઈ મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ચરણકિંકર સોમચંદ્ર વિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય (ગુજરાતી આવૃત્તિ) શાસનસમ્રાટ્ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ રહેલ જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસનો છઠ્ઠો ભાગ વાચકોના ચરણકમલમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ભાગ ૧, ૨ અને ૪ના ગ્રંથો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. પ્રસ્તુત ભાગ છઠ્ઠામાં જૈન કાવ્ય સાહિત્યનો પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રસંગે અમે પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભગવંતોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. ગુજરાતી આવૃત્તિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આ અનુવાદ કાર્ય હાથ ધ૨વા માટે આભાર માનીએ છીએ. શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસી તથા તેના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈનનો અનુવાદનું પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે આભાર માનીએ છીએ. ભાગ-૬ના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી સાંતાક્રુઝ જૈન તપાગચ્છ જૈન સંઘ, સાંતાક્રુઝ, મુંબઈનો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇમ્પ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૧-૭-૨૦૦૬ અમદાવાદ —અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ Page #15 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય (ગુજરાતી આવૃત્તિ) જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના ભાગ-૧,૨ અને ૪નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યો છે. પ્રસ્તુત ભાગ ૬ “જૈન કાવ્ય સાહિત્ય”નો અનુવાદ ડૉ. નગીન શાહે કરેલ છે. આ ભાગના મૂળ લેખક ડો. ગુલાબચંદ્ર ચૌધરી હતા. આ મહાનુભાવનું ઋણ સ્વીકારી તેમના પ્રત્યે સાદર કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ. આધુનિક ભારતીય સાહિત્યમાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રસ્તુત ગ્રંથરાજનો ગુજરાતી અનુવાદ ગુજરાતના વિશાળ જૈન અને જૈનેતર સમાજને જૈન * સાહિત્યનો સર્વાગપૂર્ણ પરિચય આપવા સમર્થ છે. આવા મહત્ત્વપૂર્ણ અને બૃહત્કાય ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે પ્રેરક આચાર્ય ભગવંત શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા.નો જૈન સમાજ સદાકાળ ઋણી રહેશે. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો અને પ્રકાશન કાર્ય અંગેની સઘળી વ્યવસ્થા કાળજીપૂર્વક ગોઠવી આપનાર મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ગાંધીનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમદાવાદ તા. ૧૫-૬-૨૦૦૬ નગીન શાહ રમણીક શાહ (ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો) Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પુસ્તકમાં ૧. પ ૨. ૩૫ ૪૩ પ્રાસ્તાવિક ૩-૩૦ જૈન કાવ્યસાહિત્ય તત્કાલીન પરિસ્થિતિઓ જૈન કાવ્યસાહિત્યના સર્જનમાં મૂળ પ્રેરણાઓ ભારતીય કાવ્યસાહિત્ય અને જેન કાવ્યસાહિત્ય ૧૯ જૈન મહાકાવ્યોનું અન્ય સાહિત્યમાં સ્થાન પૌરાણિક મહાકાવ્ય ૩૧-૨૩૦ જૈન પૌરાણિક મહાકાવ્યોની પ્રમુખ વિશેષતાઓ અને પ્રવૃત્તિઓ ૩૧ પ્રતિનિધિ રચનાઓ અને તેમના ઉપર આધારિત સંક્ષિપ્ત કૃતિઓ ૩૩ રામવિષયક પૌરાણિક મહાકાવ્ય મહાભારતવિષયક પૌરાણિક મહાકાવ્ય (સંસ્કૃત) ત્રેસઠ શલાકા મહાપુરુષવિષયક પૌરાણિક મહાકાવ્ય પપ ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિતથી પ્રભાવિત રચનાઓ ત્રેસઠ શલાકાપુરુષોનાં સ્વતંત્ર પૌરાણિક મહાકાવ્ય આદિનાહચરિયા ૮૦ સુમઈનાહચરિય ૮૦ પઉમપહચરિય સુપાસનાહચરિય ચંદપ્પહચરિય સેકંસચરિય વસુપુચરિય અનન્તનાચરિય સંતિનાહચરિય મુનિસુવયસામિચરિય નેમિનાહચરિય ८७ પાસનાચરિય મહાવીરચરિય પદ્માનન્દમહાકાવ્ય ૯૩ ૮૧ 10 ૮૨ ૮દ ८८ ૮૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ (11) શ્ર ૭ પ્રથમુત્તીર્થર ઉપર અન્ય રચનાઓ અજિતનાથપુરાણ ચમભચરિત શ્રેયાંસનાથચરિત વાસુપૂજ્યચરિત વિમલનાથચરિત શક્તિનાથપુરાણ શાંત્તિનાથચરિત સેલિનાથચરિત ઍનિસુવ્રતચરિત નેમિનાથમહાકાવ્ય નેમિનાથચરિત પાર્શ્વનાથચરિત મહાવીરચરિત વર્ધમાનચરિત અમમસ્વામિચરિત બાર ચક્રવર્તી તથા અન્ય શલાકાપુરુષો ઉપર સ્વતંત્ર રચનાઓ પ્રત્યેકબુદ્ધચરિત કેવલિચરિત પ્રકીર્ણક પાત્રોનાં ચરિત્રો મહાવીરકાલીન શ્રેણિકપરિવારનાં ચરિત્રો મહાવીરકાલીન અન્ય પાત્રોનાં ચરિત્રો પ્રભાવક આચાર્યવિષયક કૃતિઓ ખરતરગચ્છીય આચાર્યોનાં જીવનચરિત્રો કુમારપાલચરિત વસ્તુપાલ-તેજપાલચરિત વિમલમંત્રિચરિત જગડૂચરિત સુકૃતસાગર પૃથ્વીપરપ્રબંધ નાભિનન્દનોદ્ધારપ્રબંધ જાવડચરિત્ર અને જાવડપ્રબંધ ૧૦૧ ૧૦૨ ૧૪ ૧૦૫ ૧૧) ૧૧૩ ૧૧૬ ૧૧૬ ૧૧૮ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૬૦ ૧૭૭ ૧૭૮ ૧૯) ૧૯૪ ૨૦૨ ૨૨૦ ૨૨૩ ૨૨૬ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૨૮ ૨૨૯ ૨૨૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ૨૨૯ ૨૩૦ ૨૩૧-૩૯૧ ૨૩૩ ૨૬૫ ૨૬૬ ૩૧૭ ૩૩૪ ૩૬૦ ૩૬૫ ૩૭૧ ૩૭૪ કર્મવંશોત્કીર્તનકાવ્ય ક્ષેમસૌભાગ્યકાવ્ય કથાસાહિત્ય ઔપદેશિક કથાસંગ્રહ ધર્મકથાસાહિત્યની સ્વતંત્ર રચનાઓ પુરુષપાત્રપ્રધાન મુખ્ય રચનાઓ પુરુષપાત્રપ્રધાન લઘુ કથાઓ સ્ત્રીપાત્રપ્રધાન રચનાઓ તીર્થમાહામ્યવિષયક કથાઓ તિથિ-પર્વ-પૂજા-સ્તોત્રવિષયક કથાઓ તિથિ, વ્રત, પર્વ તથા પૂજાવિષયક અન્ય કથાઓ અદ્ભુતકથાઓ મુગ્ધકથાઓ નીતિકથાસાહિત્ય ઐતિહાસિક સાહિત્ય ઐતિહાસિક મહાકાવ્યોની મુખ્ય પ્રવૃત્તિઓ ગુણવચનદ્ધાત્રિશિકા યાશ્રયમહાકાવ્ય વસ્તુપાલ-તેજપાલનું કીર્તિકથાસાહિત્ય સુકૃતસંકીર્તન વસત્તવિલાસ કુમારપાલભૂપાલચરિત હમ્મીરમહાકાવ્ય કુમારપાલચરિત વસ્તુપાલચરિત જગડૂચરિત સુકૃતસાગર અમરનામ પેથડચરિત પ્રબંધસાહિત્ય પ્રબંધાવલિ પ્રભાવક ચરિત પ્રબંધચિન્તામણિ ૩૮૬ ૩૮૭ ૩૯૨-૪૭૪ ૩૯૩ ૩૯૪ ૩૯૬ ૪૦૩ ૪૩ ૪૦૫ ૪૧૦ ૪૧૧ ૪૧૫ ૪૧૬ ४१७ ૪૧૮ ૪૧૮ ૪૧૯ ૪૨૧ ૪૨૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૩) વિવિધતીર્થકલ્પ પ્રબન્ધકોશ પુરાતનપ્રબન્ધસંગ્રહ વિવિધ પ્રકારના જૈન ગ્રંથોમાં ઐતિહાસિક સામગ્રી તુગલક વંશના જૈન સ્રોતો નાભિનન્દનોદ્ધારપ્રબન્ધ અપરનામ શત્રુંજયતીર્થોદ્ધારપ્રબન્ધ માલવાના પ્રાંતીય મુસ્લિમ શાસકો મુગલકાળના જૈન સ્રોતો પ્રશસ્તિઓ વસ્તુપાલ અને તેજપાલનાં સુકૃતોની સ્મારક પ્રશસ્તિઓ સુકૃતકીર્તિકલ્લોલિની વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ વસ્તુપાલપ્રશસ્તિ ગ્રંથ, દાતા તથા લિપિકાર-પ્રશસ્તિઓ મુનિસુવ્યયસામિચરિયની પ્રશસ્તિ સુપાસનાહચરિયની પ્રશસ્તિ નેમિનાચરિઉની પ્રશસ્તિ અમમસ્વામિચરિતની પ્રશસ્તિ પટ્ટાવલી અને ગુર્વાવલિ વિચારશ્રેણી અથવા સ્થવિરાવલી ગણધરસાર્ધશતક ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલિ વૃદ્ધાચાર્યપ્રબંધાવલિ ખરતરગચ્છપટ્ટાવાલીસંગ્રહ ગુર્વાવલિ ગુર્નાવલિ અથવા તપાગચ્છપટ્ટાવલી સૂત્ર સેનપટ્ટાવલી બલાત્કારગણની પટ્ટાવલીઓ કાષ્ઠાસંઘ-માથુરગચ્છપટ્ટાવલી કાષ્ઠાસંઘ-લાડબાગડ-પુત્રાટગર૭પટ્ટાવલી તીર્થમાલાઓ વિજ્ઞપ્તિપત્ર • ૪૨૬ ૪૨૭ ૪૨૯ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૧ ૪૩૨ ૪૩પ ४३७ ૪૩૭ ૪૩૮ ૪૩૯ ૪૪૧ ૪૪૨ ૪૪૩ ૪૪૩ ૪૪૪ ૪૪૯ ૪પ૧ ૪૫૨ ૪૫ર ૪૫૩ ૪૫૪ ૪૫૫ ૪૫૬ ૪૫૬ ૪૫૬ ૪૫૯ ૪૫૯ ૪૫૯ ૪૬૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ અભિલેખસાહિત્ય : પ્રતિમા યા મૂર્તિલેખસંગ્રહ લલિત વાય પ્રદ્યુમ્નચરિતકાવ્ય નેમિનિર્વાણમહાકાવ્ય ચન્દ્રપ્રભચરિતમહાકાવ્ય વર્ધમાનચરિત ધર્મશર્માલ્યુદય સનકુમારચરિત જયન્તવિજય નરનારાયણાનન્દ મુનિસુવ્રતકાવ્ય શ્રેણિકચરિત શાન્તિનાથચરિત જયોદયમહાકાવ્ય બાલભારત લધુકાવ્ય શ્રીધરચરિતમહાકાવ્ય જૈનકુમારસંભવ કાદમ્બરીમંડન ચન્દ્રવિજયપ્રબંધ કાવ્યમંડન સંધાન અથવા અનેકાર્થક કાવ્યો સિન્ધાનમહાકાવ્ય સપ્તસંધાન ગદ્યકાવ્ય તિલકમંજરી તિલકમંજરીકથાસાર ગદ્યચિન્તામણિ ચખૂકાવ્ય કુવલયમાલા યશસ્તિલકચેમ્પ ૪૬૫ ૪૭૧ ૪૭૫-૬૦૭ ૪૭૬ ૪૭૭ ૪૮૧ ૪૮૫ ૪૮૬ ૪૯૨ ૪૯૫ ૪૯૯ ૫૦૩ ૫૦પ ૫૦૮ ૫૧૧ ૫૧૨ ૫૧૫ ૫૧૫ ૫૧૬ ૫૧૯ ૫૧૯ પર૦ પર૧ પ૨૪ પર પ૩૧ પ૩૧ ૫૩૬ ૫૩૬ ૫૩૮ પ૩૯ પ૩૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ જીવન્ધચમ્પૂ પુર્દેવમ્પૂ ચઘૂમંડા ગીતિકાવ્ય રસમુક્તક પાઠ્ય તિકાવ્ય-દૂત યા સંદેશાવ્યો (ખંડકાવ્યો) પાર્વાભ્યુદય નૈમિદૂત જૈનમેઘદૂત શીલદૂત પવનત ૧૭–૨૦મી શતાબ્દીનાં દૂતકાવ્યો જૈન પાદપૂર્તિસાહિત્ય ગીતવીતરાગપ્રબન્ધ સુભાષિત વાલગ સ્તોત્રસાહિત્ય દશ્યકાવ્ય નાટક કવિ રામશ્ચન્દ્ર સત્ય હરિશ્ચન્દ્ર નલવિલાસ મલ્લિકામકરન્દ કૌમુદીમિત્રાનન્દ રવિલાસ નિર્ભયભીમવ્યાયોગ રોહિણીમૃગાંક રાઘવાભ્યુદય યાદવાભ્યુદય વનમાલા (૧૫) ચન્દ્રલેખાવિજયપ્રકરણ પ્રબુદ્ધૌહિણેય દ્રૌપદીસ્વયંવ૨ મોહરાજપરાજય ૫૪૧ ૫૩ a પામ્ય ૪૬ ૫. [૪૯ O ૫૫૧ ૫૫૨ ૫૫૪ ૫૫૬ ૫૫૯ ૫૦ ૫૬૩ ૫૭૨ ૫૭૪ ૫૭૫ ૫૭૬ ૫૭૭ ૫૭૮ ૫૭૯ ૫૮૧ ૫૮૧ ૫૮૧ ૫૮૨ ૫૮૨ ૫૮૨ ૫૮૩ ૫૮૪ ૫૮૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫૮૭ ૫૮૯ ૫૮૯ પ૯૦ પ૯૨ પ૯૫ પ૯૬ ૫૯૬ મુદ્રિતકુમુદચન્દ્ર ધર્માલ્યુદય શમામૃત હમ્મીરમદમર્દન કરુણાવાયુધ અંજનાપવનંજય સુભદ્રાનાટિકા વિક્રાન્તકૌરવ મૈથિલીકલ્યાણ જ્યોતિષ્મભાનાટક રજ્જામંજરી જ્ઞાનચન્દ્રોદયનાટક જ્ઞાનસૂર્યોદયનાટક સાહિત્યિક ટીકાઓ શબ્દાનુક્રમણિકા સહાયક ગ્રંથોની સૂચી પ૯૭ પ૯૮ પ૯૯ ૬૦૧ ૬૦૨ ૬૦૨ ૬૦૯ ૦૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્યથી અમારું તાત્પર્ય પેલા વિશાળ સાહિત્યથી છે જે કાવ્યશાસ્ત્રસમ્મત નિયમોનું યથાસંભવ અનુસરણ કરીને મહાકાવ્ય, કથા (પ્રાકૃતમાં કાવ્યને કથા નામથી ઓળખવામાં આવે છે) તથા કાવ્યના અનેક પ્રકારોમાં અર્થાત્ દૃશ્યકાવ્ય અને શ્રવ્યકાવ્ય શાસ્ત્રીયકાવ્ય, ગદ્યકાવ્ય, ચમ્પકાવ્ય, દૂતકાવ્ય, ગીતિકાવ્ય વગેરે રૂપમાં જૈનો દ્વારા રચાયું હોય. તેને અમે મુખ્ય ત્રણ ખંડોમાં વિભક્ત કરીને વિવેચન કરીશું. પહેલા ખંડમાં પૌરાણિક મહાકાવ્ય અને બધી જ જાતની કથાઓનો સમાવેશ થશે. બીજા ખંડમાં ઐતિહાસિક સાહિત્ય જેમ કે ઐતિહાસિક કાવ્ય, પ્રબન્ધસાહિત્ય, પ્રશસ્તિઓ, પટ્ટાવલિઓ, પ્રતિમાલેખ, અન્ય અભિલેખ, તીર્થમાલાઓ, વિજ્ઞપ્તિપત્રો વગેરેનું વિવેચન કરવામાં આવશે. ત્રીજા ખંડમાં લલિત વાક્રય અર્થાત્ શાસ્ત્રીય મહાકાવ્ય, ગદ્યકાવ્ય, ચમ્પૂ, નાટક વગેરે અલંકાર તથા રસશૈલીથી શોભતું સાહિત્ય સમાવિષ્ટ થશે. આ વિશાળ સાહિત્ય અનેક ભાષાઓમાં જૈનોએ રચ્યું છે પરંતુ પ્રસ્તુત ભાગમાં ભાષાની દૃષ્ટિએ અમે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ઉપલબ્ધ સાહિત્યને જ લીધું છે. અપભ્રંશ યા અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ આ પ્રકારનું સાહિત્ય અન્ય ભાગોનો વિષય બનશે. – પ્રકરણ ૧ પ્રાસ્તાવિક સૌપ્રથમ જૈનોના પરંપરાસમ્મત વાક્રયમાં કાવ્યસાહિત્યની શું સ્થિતિ છે તે જાણી લેવું ખૂબ જ આવશ્યક છે. ભગવાન મહાવીરના સમયથી લઈને વિક્રમની ૨૦મી શતાબ્દીના અંત સુધી લગભગ ૨૫૦૦ વર્ષોના દીર્ઘ કાળમાં જૈન મનીષીઓએ પ્રાકૃત અને સંસ્કૃતના જે વિપુલ વાક્રયનું નિર્માણ કર્યું છે તેને સુવિધાની દૃષ્ટિએ આધુનિક વિદ્વાનોએ પ્રાચીન પરિભાષાઓને ધ્યાનમાં રાખી મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચ્યું છે ઃ પહેલો ભાગ આગમિક, બીજો અનુઆગમિક અને ત્રીજો આગમેતર. આગમિક સાહિત્ય આજ આપણને આચારાંગ વગેરે ૪૫ આગમોના રૂપમાં તેમ જ તેમના ઉપ૨ લખાયેલ વિશાળ ટીકાસાહિત્ય - નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓના રૂપમાં મળે છે. અનુઆગમ સાહિત્ય દિગંબરમાન્ય શૌરસેની આગમો કસાયપાğડ, ષટ્યુંડાગમ તથા કુન્દકુન્દના ગ્રંથોના રૂપમાં પ્રાપ્ત છે. આ બંને પ્રકારના સાહિત્યનું નિરૂપણ આ બૃહદ્ ઈતિહાસના પૂર્વેના ગ્રંથોમાં પ્રકાશિત થઈ ગયું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૪ આગમેતર સાહિત્યથી અમારું તાત્પર્ય તે સાહિત્યથી છે જે જૈનાગમોની, વિષય અને શૈલીની દૃષ્ટિએ, અનુયોગ નામની એક વિશેષ વ્યાખ્યાનપદ્ધતિના રૂપમાં ઈસ્વી સનની પ્રારંભિક શતાબ્દીઓથી રચાવા માંડ્યું હતું. તેના આવિષ્કારક આચાર્ય આર્યરક્ષિત મનાય છે. અનુયોગપદ્ધતિ ચાર પ્રકારે બતાવવામાં આવી છે ઃ ૧. ચરણકરણાનુયોગ, ૨. ધર્મકથાનુયોગ, ૩. ગણિતાનુયોગ, ૪. દ્રવ્યાનુયોગ. તેમનું વિશેષ વિવેચન ન કરતાં માત્ર એટલું જ સૂચિત કરીશું કે ચરણકરણાનુયોગવિષયક સાહિત્ય ઔપદેશિક પ્રકરણોના રૂપમાં અને ગણિતાનુયોગ તથા દ્રવ્યાનુયોગવિષયક સાહિત્ય આગમિક પ્રકરણોના રૂપમાં જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના પૂર્વ ગ્રંથોમાં નિરૂપાયું છે. અહીં ધર્મકથાનુયોગના વિશે જ કંઈક કહેવું જરૂરી છે. જૈન કાવ્યસાહિત્ય ધર્મકથાનુયોગનો વિષય વિશુદ્ધ આચરણ કરનારા મહાપુરુષોની જીવનકથાઓ છે. આમાં સમાવિષ્ટ વિષયવસ્તુ એક વખતે જૈન આગમના ૧૨મા અંગ દૃષ્ટિવાદના ચોથા વિભાગ અનુયોગની વિષયવસ્તુ હતી, ત્યાં તે બે ઉપવિભાગોમાં વિભક્ત હતી : ૧. મૂલ પ્રથમાનુયોગ અને ૨. ગંડિકાનુયોગ. મૂલ પ્રથમાનુયોગમાં અરિહંતોનાં ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને નિર્વાણ સંબંધી ઇતિવૃત્ત તથા શિષ્યસમુદાયનાં વર્ણનો સમાવવામાં આવ્યાં છે અને ગંડિકાનુયોગમાં કુલકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વગેરે અન્ય મહાપુરુષોનાં ચરિત્ર હતાં. માન્યતા અનુસાર દૃષ્ટિવાદ અંગનો વિચ્છેદ થઈ ગયો હતો તેથી તેના એક વિભાગ અનુયોગનો પણ વિચ્છેદ મનાયો હતો. આર્યરક્ષિતે તેનો ઉદ્ધાર ધર્મકથાનુયોગ અંતર્ગત કર્યો, પણ ઈસ્વી સનો પ્રારંભ થતાં થતાં તે પણ વિશીર્ણ થઈ ગયો. પંચકલ્પભાષ્ય અનુસાર શાલિવાહન રાજાના સમકાલીન આચાર્યકાલકે (વીર. નિ. ૬૦૫ લગભગ) જૈન પરંપરાગત કથાઓના સંગ્રહ રૂપે પ્રથમાનુયોગ નામથી આ વિશીર્ણ સાહિત્યનો કર્યો. વસુદેવહિંડી, પુનરુદ્ધાર ૧. સમવાયાંગ, સૂ. ૧૪૭; નસૂિત્ર, સૂ. ૫૬ ૨. ગા. ૧૫૪૫-૧૫૪૯ 3. तत्थ ताव सुहम्मसामिणा जंबूनामस्स पढमाणुओगे तित्थयरचक्रवट्टिदसारवंसपरूवणागयं वसुदेवचरियं कहियं ति । -વસુદેવહિંડી, પ્રથમ ખંડ, પૃ. ૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક આવશ્યકચૂર્ણિ, આવશ્યકસૂત્ર અને અનુયોગદ્વારની હારિભદ્રીય વૃત્તિ તથા આવશ્યકનિર્યુક્તિમાં પ્રથમાનુયોગ નામથી જે સાહિત્યનો ઉલ્લેખ છે તે પુનરુદ્ધાર પામેલા પ્રથમાનુયોગને લક્ષીને છે. દિગંબર પરંપરામાં અનુયોગ યા ધર્મકથાનુયોગનું સામાન્ય નામ પ્રથમાનુયોગ આપવામાં આવ્યું છે. સંભવતઃ તેની વિશાલતા, ઉપાદેયતા અને લોકપ્રિયતાના કારણે તેને પ્રથમઅનુયોગ કહેવામાં આવેલ છે. કેટલાક વિદ્વાનોનું અનુમાન છે કે આ સાહિત્યનું વાસ્તવિક નામ તો પ્રથમાનુયોગ હતું કારણ કે આ નામથી એના અનેક ઉલ્લેખો છે. પરંતુ તેના લુપ્ત થવાને કારણે આચાર્ય કાલક દ્વારા પુનરુદ્ધાર પામેલા પ્રથમાનુયોગથી ભેદ દર્શાવવા માટે આગમસૂત્રો – સમવાયાંગ અને નન્ટિસૂત્રમાં સમાગત પ્રથમાનુયોગને “મૂલપ્રથમાનુયોગ' નામ આપવામાં આવે છે. યદ્યપિ ઉક્ત આગમસૂત્રો અનુસાર મૂલપ્રથમાનુયોગનો વિષય કેવળ તીર્થકરો અને તેમના શિષ્યસમુદાયોનું ચરિત્રચિત્રણ છે પરંતુ ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ સાહિત્ય અનુસાર પ્રથમાનુયોગમાં તીર્થકરોનાં ચરિત્રો સાથે ચક્રવર્તી, નારાયણ વગેરેનાં ચરિત્રોનાં વર્ણનો હોવાની વાત પણ લખી છે. આનો અર્થ એ સમજવો જોઈએ કે તીર્થકરોનાં ચરિત્રોની સાથે અનિવાર્યપણે સંબંધ રાખનાર ચક્રવર્તી, વાસુદેવ વગેરેનાં ચરિત્રો પણ પ્રથમાનુયોગનો વિષય છે. જો આ અર્થ ન હોત તો આગમસૂત્રોની વ્યાખ્યા કરનાર સાહિત્યમાં આવી વાત ન લખી હોત. આર્ય કાલક દ્વારા પુનરુદ્ધાર કરવામાં આવેલ પ્રથમાનુયોગમાં ગંડિકાનુયોગની વાતો પણ સમ્મિલિત સમજવી જોઈએ. ઉક્ત આગમસૂત્રો અને પંચકલ્પભાષ્યમાં ઉલિખિત ગંડિકાનુયોગની વર્ણ વસ્તુને જોતાં એ નક્કી કરવું મુશ્કેલ છે કે એનો વિષય १. एते सव्वं गाहाहिं जहा पढमाणुओगे तहेव इहइपि वन्निज्जति वित्थरतो । - આવશ્યકચૂર્ણિ, ભા. ૧, પૃ. ૧૬૦ ૨. પૂર્વબવા: ઉત્ત્વમીષાં પ્રથમનુયોતિોડવયા: I - આવશ્યકતારિભદ્રીયવૃત્તિ, પૃ. ૧૧૧-૧૧૨ ૩. અનુયોગદ્વારહારિભદ્રીયવૃત્તિ, પૃ. ૮૦ ४. परिआओ पव्वज्जा भावाओ नत्थि वासुदेवाणं । होइ बलाणं सो पुण पढमाणुओगाओ णायव्वो ॥ - આવશ્યકનિર્યુક્તિ, ગા. ૪૧૨ ૫. વિજયવલ્લભસૂરિસ્મારકગ્રન્થ, પૃ. ૫ર : પ્રથમાનુયોગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્યકાલક (લેખક મુનિ પુણ્યવિજયજી) . Page #28 -------------------------------------------------------------------------- ________________ જેન કાવ્યસાહિત્ય વાસ્તવમાં કયો હતો. પંચકલ્યભાષ્ય અનુસાર આર્ય કાલક પ્રથમાનુયોગ, લોકાનુયોગ અને સંગ્રહણીઓના પ્રણેતા હતા. લોકાનુયોગ અષ્ટાંગ નિમિત્તવિદ્યાનો ગ્રન્થ હતો. તેનો નાશ થઈ જતાં ગંડિકાનુયોગની રચના કરવામાં આવી. સાચું ગમે તે હો પણ આજે તો પ્રથમાનુયોગ આપણી આગળ નથી અને ગંડિકાનુયોગ પણ નથી. તેથી પ્રથમાનુયોગની ભાષાશૈલી, વર્ણનપદ્ધતિ, વિષયવસ્તુ, છન્દ વગેરેમાં કઈ કઈ વિશેષતાઓ હતી એ જાણવા માટે આપણી પાસે અત્યારે કોઈ સાધન નથી. પ્રથમાનુયોગવિષયક આપણને જે પ્રતિનિધિરૂપ રચનાઓ મળે છે – જેમકે વિમલસૂરિનું પમિચરિયું, જિનસેનનું હરિવંશપુરાણ, જિનસેનનું મહાપુરાણ, શીલાંકનું ચઉપગ્નમહાપુરિસચરિયું, ભદ્રેશ્વરકૃત કહાવલિ અને હેમચન્દ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત – તે બધી રચનાઓમાં તેમને પ્રથમાનુયોગ વિભાગની રચનાઓ કહેવામાં આવી છે અને પ્રથમાનુયોગના આધારે રચાયેલી અનેક પ્રાચીન રચનાઓને (જમાંની અનેક અનુપલબ્ધ છે) પોતાનો સ્રોત માનવામાં આવી છે. પ્રથમાનુયોગ અને તેના આધારે રચાયેલી પ્રાચીન કૃતિઓ (જે ઈસ્વી સન્ની પ્રારંભિક શતાબ્દીઓમાં રચાઈ હતી) ભલે ન મળતી હોય, પરંતુ પ્રથમાનુયોગ અને એતદ્વિષયક પશ્ચાત્કાલીન સેંકડો રચનાઓ તથા અન્ય અનુયોગો (ચરણકરણ, ગણિત અને દ્રવ્યાનુયોગ)ની પણ રચનાઓ આગમેતર સાહિત્યની વિશાળતા, વ્યાપકતા અને લોકપ્રિયતાની અવશ્ય દ્યોતક છે. આગમિક સાહિત્ય બહુ પાછળથી (ઈ.સ. ૪પ૩-૪૬૬માં) લિપિબદ્ધ થયું હતું તેથી આગમિક અને આગામેતર સાહિત્ય વચ્ચે નિશ્ચિત ભેદરેખા ખેંચવી સંભવ નથી. તેમ છતાં આગમિક સાહિત્ય પૂર્ણ થતાં પહેલાં જ આગમેતર સાહિત્યની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો અને ત્યારથી આજ સુધી આગમેતર સાહિત્યની કૃતિઓની રચનાઓ ચાલુ જ છે. અમે ઉપર એ પણ દર્શાવ્યું છે કે આગમેતર ૧. પછી તે કુત્તે પકે ડિયાનુયોગ યા ! ૨. વિમલસૂરિએ પૂર્વગતમાંથી નારાયણ અને બલદેવચરિત્ર સાંભળી પઉમચરિયની રચના કરી. ચઉપન્નમહાપુરિસીરિયં નિબદ્ધ નામાવલિઓના (સમવાયાંગ, સૂત્ર ૧૩૨) આધારે લખાયું છે, પદ્મચરિત અનુત્તરવામ્પી કીર્તિધરની રચનાના આધારે રચાયું છે, અને જિનસેનના આદિપુરાણનો આધાર કવિ પરમેષ્ઠીકૃત વાગર્થસંગ્રહ જણાવવામાં આવ્યો છે. 3. પાદલિપ્તસૂરિકૃત તરંગલોલા (ઈ. બીજી શતાબ્દી), ભદ્રબાહુકૃત વાસુદેવચરિત આદિ. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક સાહિત્ય આગમિક સાહિત્યથી એકદમ સ્વતંત્ર નથી. તેણે પ્રાચીન આગમોમાંથી જ બીજસૂત્રોને લીધાં છે અને બાહ્ય ઉપાદાનો તથા નવીન શૈલીઓ દ્વારા તે બીજસૂત્રોને પલ્લવિત કરી એક નવું રૂપ ધારણ કરી લીધું છે. આગમેતર સાહિત્યની પ્રથમાનુયોગવિષયક સામગ્રીનું નવીન કાવ્યશૈલીઓમાં પ્રસ્તુતીકરણ જ આપણું જૈન કાવ્યસાહિત્ય છે. જૈન કાવ્યસાહિત્ય : જૈન વિદ્વાન નૂતન કાવ્યશૈલીમાં ઈસ્વી ત્રીજી ચોથી શતાબ્દીથી જ રચનાઓ કરવા લાગ્યા હતા. આ શૈલીમાં રચાયેલી કૃતિઓમાં કાવ્યના અનેક પ્રકારો અને કથાઓનાં બહુરંગી રૂપોનાં દર્શન થાય છે. તેમણે વિશાળકાય પૌરાણિક મહાકાવ્યો, સામાન્ય કાવ્યો, શાસ્ત્રીય મહાકાવ્યો, ખંડકાવ્યો, ગદ્યકાવ્યો, નાટક, ચમ્પ વગેરે વિવિધ કાવ્યપ્રકારોની તથા રમન્યાસ, ઉપન્યાસ, દૃષ્ટાન્તકથા, નીતિકથા, પુરાણકથા, લૌકિકકથા, અભુતકથા અને નાનાવિધ કૌતુકવર્ધક કથાઓની રચના કરી જૈન કાવ્યસાહિત્યની વિષયવસ્તુ વસ્તુતઃ વિશાળ છે. તેમાં ઋષભ વગેરે ૨૪ તીર્થકરોનાં સમુદિત તથા પૃથક પૃથકુ ચરિત્ર, ભરત, સનકુમાર, બ્રહ્મદત્ત, રામ, કૃષ્ણ, પાંડવ, નલ વગેરે અને ચક્રવર્તી જેવી પ્રસિદ્ધિ પામનાર અનેક નરેશોનાં વિવિધ પ્રકારનાં આખ્યાન, નાના પ્રકારના સાધુ અને સાધ્વીઓ, રાજા-રાણીઓ, બ્રાહ્મણો અને શ્રમણો, શેઠ અને શેઠાણીઓ, ધનિકો અને ગરીબો, ચોર અને જુગારીઓ, ધૂર્તો અને ગણિકાઓ, ધર્મીઓ અને અધર્મીઓ, પુણ્યાત્માઓ અને પાપાત્માઓ તથા નાના પ્રકારના માનવોને વિષય બનાવીને લખાયેલા કથાગ્રંથો જૈન કાવ્યસાહિત્યની ઈસ્વી સની શરૂઆતની શતાબ્દીઓથી પાંચમી સુધીમાં રચાયેલી કેટલીક કૃતિઓના તો માત્ર ઉલ્લેખો જ મળે છે. પાંચમીથી દસમી સુધીમાં લખાયેલી સર્વાગપૂર્ણ, વિકસિત અને આકરગ્રંથરૂપ વિશાળ રચનાઓ મળે છે; તેમને આપણે પ્રતિનિધિરૂપ રચનાઓ ગણી શકીએ પરંતુ તે રચનાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ છે. તેથી ઊલટું, અગીઆરમીથી અઢારમી શતાબ્દીઓમાં લખાયેલી એતદ્વિષયક રચનાઓ વિશાળ ગંગાની ધારાની જેમ પ્રચુર પ્રમાણમાં મળે છે, અને અત્યારે પણ મંદ અને ક્ષીણ ધારાના રૂપમાં પ્રવાહિત છે. ભાષાના ક્ષેત્રમાં, જેન કાવ્યસાહિત્ય કોઈ એક જ ભાષામાં કદી બદ્ધ રહ્યું નથી. જૈનોએ એક બાજુ માંજલ, પ્રૌઢ, ઉદાત્ત સંસ્કૃતમાં તો બીજી બાજુ સર્વગ્રાહ્ય Page #30 -------------------------------------------------------------------------- ________________ ८ - સરલ સંસ્કૃતમાં તથા પ્રાકૃત, અપભ્રંશ અને વિવિધ જનપદીય ભાષાઓ – તમિલ, કન્નડ, મરાઠી, ગુજરાતી, રાજસ્થાની, હિન્દીમાં વિશાળ કાવ્યસાહિત્યનું સર્જન કર્યું છે. જૈન કાવ્યસાહિત્ય પ્રસ્તુત ભાગમાં અમે સંસ્કૃત અને પ્રાકૃતમાં રચાયેલ એતદ્વિષયક સાહિત્યનું વિવરણ કરીશું. તત્કાલીન પરિસ્થિતિ કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના વિશિષ્ટ સાહિત્યનું અધ્યયન કરવા માટે તે યુગની રાજનૈતિક, ધાર્મિક, સામાજિક અને સાહિત્યિક પરિસ્થિતિઓનો પરિચય કરી લેવો જરૂરી ગણાય. જૈનોના કાવ્યસાહિત્યની ઉપલબ્ધ સામગ્રીના આધારે આપણે કહી શકીએ કે તેનું નિર્માણ ઈસ્વી સન્ની પાંચમી શતાબ્દીથી શરૂ થઈ ગયું હતું. રાજનૈતિક દૃષ્ટિએ આ ગુપ્તવંશની રાજયસત્તાના અસ્તનો કાળ હતો. ઉત્તર ભારતમાં સન્ ૪૫૦ આસપાસ હૂણોનું આક્રમણ થયું હતું. ભારતમાં કેન્દ્રીય શાસનનો અભાવ થઈ ગયો હતો અને ભારત અનેક સ્વતંત્ર સંઘર્ષરત રાજવંશોમાં વિભક્ત થઈ ગયું હતું, અને આ સ્થિતિ પ્રાયઃ અંગ્રેજી શાસનની સ્થાપના થઈ ત્યાં સુધી બરાબર બની રહી. (૧) રાજનીતિક પરિસ્થિતિ જૈન ધર્મે ગુપ્તકાળના સમયમાં યા તેનાથી કંઈક વહેલા પશ્ચિમ અને દક્ષિણ ભારતને પોતાની વિશિષ્ટ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું હતું. જૈનધર્મના અનુયાયીઓ મધ્યકાળમાં બંગાળ, ઓરિસ્સા, બિહાર અને ઉત્તર પ્રદેશનાં કેટલાંક સ્થાનોમાં બરાબર સ્થિર રહ્યા હતા પરંતુ તેમની તત્કાલીન સાહિત્યિક પ્રવૃત્તિઓ વિશે આપણે કંઈ જાણતા નથી. મધ્યકાળમાં માળવા, રાજસ્થાન, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ભારતના કર્ણાટક વગેરે પ્રાન્તોમાં જૈનધર્મનો સારો સમાદર રહ્યો અને તેની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં જૈન જનતા ઉપરાંત રાજવર્ગ તરફથી તેને સંરક્ષણ અને પ્રેરણા મળતી રહી. દક્ષિણના પૂર્વમધ્યકાલીન રાજવંશોએ, જેવા કે ગંગ, કદમ્બ, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોએ, અને તેમને અધીન અનેક સામન્તો, મંત્રીઓ અને સેનાપતિઓએ જૈનધર્મને માત્ર આશ્રય જ ન આપ્યો પરંતુ તેઓ પોતે જૈન વિધિનિયમો અનુસાર ચાલવા પ્રવૃત્ત પણ થયા. માન્યફૂટના કેટલાક રાષ્ટ્રકૂટ રાજાઓ તો પાકા જૈન હતા અને તેમના સંરક્ષણમાં કળા અને સાહિત્યના ૧. વિમલસૂરિષ્કૃત પઉમચરિયું (૫૩૦ વિ.સં.) તથા સંઘદાસ-ધર્મદાસગણિકૃત વસુદેવદિંડી (છઠ્ઠી શતાબ્દી પહેલાં). Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક નિર્માણમાં જૈનોનો ફાળો ઘણો મહત્ત્વનો છે. આ યુગના પ્રમુખ કવિઓ અને ગ્રન્થકારોનું એક મંડળ હતું જેમની રચનાઓ મહાન પાંડિત્યનાં ઉદાહરણો છે. વીરસેન, જિનસેન, ગુણભદ્ર, શાકટાયન, મહાવીરાચાર્ય, સ્વયંભૂ, પુષ્પદન્ત, મલ્લિષેણ, સોમદેવ, પમ્પ વગેરે આ યુગના છે. તેમની સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને કન્નડ ભાષાઓમાં રચાયેલી કાવ્યસાહિત્યની કૃતિઓ તેમ જ લાક્ષણિક સાહિત્યની અર્થાત્ ગણિત, વ્યાકરણ, રાજનીતિ વગેરે વિષયની કૃતિઓ સ્થાયી મહત્ત્વ ધરાવે છે. રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષ (લગભગ સન્ ૮૧૫-૮૭૭ ઈ.સ.) જિનસેનના ભક્ત હતા અને પોતાના જીવનના અંતિમ ભાગમાં તેમણે જૈનધર્મ સ્વીકાર્યો હતો તથા કેટલાક જૈન ગ્રંથો રચ્યા હતા. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય(૧૪-૧૫મી શતાબ્દી)ના પતન પછી પણ કેટલાય જૈન સામન્ત રાજાઓ હતા જે અંગ્રેજી શાસનના આગમન વખતે પણ સ્થિર હતા. ઉત્તરમધ્યકાળમાં જૈનોની સાહિત્યિક પ્રવૃત્તિઓનાં કેન્દ્રો ગુજરાતમાં અણહિલપુર, ખંભાત અને ભરૂચ, રાજસ્થાનમાં ભિન્નમાલ, જાબાલિપુર, નાગપુર, અજયમેરુ, ચિત્રકૂટ અને આઘાટપુર, તથા માલવામાં ઉજ્જૈન, ગ્વાલિયર અને ધારાનગર હતાં. તે સમયે ગુજરાતમાં ચૌલુક્ય અને વાઘેલા, રાજસ્થાનમાં ચાહમાણ, પરમાર વંશની શાખાઓ અને ગુહિલૌત તથા માલવા અને પડોશમાં પરમાર, ચંદેલ અને કહ્યુરિ રાજાઓ રાજ્ય કરતા હતા. આ શાસક વંશોએ જૈનધર્મ અને જૈન સમાજની સાથે બહુ સહાનુભૂતિભર્યો અને સમાદરપૂર્ણ વ્યવહાર કર્યો, તેથી જૈન સાધુઓ અને ગૃહસ્થોને નિર્વિઘ્ન સાહિત્યસેવા અને જીવનયાપન કરવામાં ઘણી સફળતા મળી તેમ જ તેમણે તેમાં ઘણી પ્રગતિ પણ કરી. ગુજરાતમાં ચૌલુક્ય નરેશોના, ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના, આશ્રયમાં જૈનધર્મે પોતાના પ્રતાપી દિવસો જોયા અને તે યુગમાં કલા અને સાહિત્યના સર્જનમાં જૈનોએ આપેલા ફાળાએ ગુજરાતને મહાન બનાવી દીધું, જે આજ પણ છે. આ સમયથી ગુજરાતમાં સાહિત્યિક પ્રવૃત્તિના એક યુગનો પ્રારંભ થયો અને એનું શ્રેય હેમચન્દ્ર અને એમના પછી થનાર અનેક જૈન કવિઓને ફાળે જાય છે. રાજદરબારોમાં જૈનાચાર્યો અને વિદ્વાનોના ત્યાગી જીવનની અને તેની સાથે તેમની વિદ્યોપાસનાની મોટી પ્રતિષ્ઠા હતી અને અનેક રાજવંશી લોકો પણ તેમના ભક્ત અને ઉપાસક બનવામાં પોતાનું કલ્યાણ સમજતા હતા. ૯ મુસ્લિમ શાસનકાળમાં જો કે જૈન મંદિરોનો જ્યાંત્યાં નાશ ક૨વામાં આવ્યો પરંતુ સંભવતઃ એટલા મોટા પ્રમાણમાં નહિ. તે કાળમાં પણ જૈનાચાર્યો અને ૧. ડૉ.દશરથ શર્મા, અર્લી ચૌહાણ ડાયનેસ્ટી, પૃ. ૨૨૭-૨૨૮. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગૃહસ્થોની પ્રતિષ્ઠા કાયમ હતી. દિલ્હીના સુલતાન મુહમ્મદ તુગલક જિનભદ્રસૂરિનો ખૂબ આદર કરતા હતા. મુગલ સમ્રાટ અકબર અને જહાંગીરે આચાર્ય હીરવિજય, શાન્તિચન્દ્ર અને ભાનુચન્દ્રના ઉપદેશોથી પ્રભાવિત થઈ જીવરક્ષા માટે ફરમાનો કાઢ્યાં હતાં. અકબરે આચાર્ય હીરવિજયજીને જગદ્ગુરુની ઉપાધિ આપી હતી અને એમના અનુરોધથી પજૂસણના જૈન વાર્ષિક પર્વના સમયે એ સ્થાનોમાં પ્રાણીહિંસાની મનાઈ ફરમાવી હતી જ્યાં જૈન લોકો રહેતા હતા. આ રાજનૈતિક સ્થિતિનો પ્રભાવ જૈન કાવ્યસાહિત્ય ઉપર વિવિધ રૂપે પડ્યો અને ઈસ્વી સન્ની પાંચમી શતીથી અનવરત જૈન કાવ્યસાહિત્યનું સર્જન થતું રહ્યું. (૨) ધાર્મિક પરિસ્થિતિ ગુપ્તકાળથી આજ સુધીમાં ભારતમાં ધાર્મિક પરિસ્થિતિમાં અનેક ઉથલપાથલ થઈ છે. ગુપ્તયુગમાં એક નવીન બ્રાહ્મણધર્મનો ઉદય થઈ રહ્યો હતો જેનો આધાર વેદોની અપેક્ષાએ પુરાણો વધુ મનાતા હતા. બ્રાહ્મણધર્મમાં અનેક અવતારોની પૂજા અને ભક્તિ પ્રધાન હતી. ગુપ્ત નરેશ પોતે જ ભાગવત ધર્મના અનુયાયી હતા અર્થાત્ વિષ્ણુપૂજક હતા પરંતુ તે ઘણા જ ધર્મસહિષ્ણુ હતા અને અન્ય ધર્મોને આશ્રય આપતા હતા. બૌદ્ધધર્મના મહાયાન સંપ્રદાયનો ગુપ્ત રાજ્યોના આશ્રયે સારો પ્રચાર હતો. નાલન્દા અને પશ્ચિમમાં વલભી બૌદ્ધધર્મનાં નવાં કેન્દ્રોના રૂપમાં વિકસી રહ્યાં હતાં. જૈનધર્મ પણ વિકસિત સ્થિતિમાં હતો. વલભીમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે પાંચમી શતાબ્દીમાં જૈન આગમોનું સંકલન કર્યું. આ યુગની સૌથી મોટી વિશેષતા એ છે કે વિભિન્ન ધર્મોમાં પરસ્પર આદાનપ્રદાન અને સંમિશ્રણ અધિક પ્રમાણમાં વધવા લાગ્યું હતું. જૈન તીર્થંકર ઋષભદેવ અને ભગવાન બુદ્ધે હિન્દુ અવતારોમાં ગણાવા લાગ્યા હતા. તે સમયના અનેક ધાર્મિક વિશ્વાસોમાં ઉથલપાથલ થઈ રહી હતી, ધાર્મિક જીવનમાં વિધર્મી તત્ત્વો પ્રવેશવા લાગ્યાં હતાં અને એક જ કુટુંબ કે રાજવામાં વિભિન્ન ધર્મોની એક સાથે ઉપાસના થવા લાગી હતી. તાંત્રિક ધર્મનો વિસ્તાર વધવા લાગ્યો હતો. હિન્દુધર્મના ભાગવત, શાક્ત અને શૈવ સંપ્રદાયોમાં તથા બૌદ્ધધર્મમાં તાંત્રિક ધર્મનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. જૈનધર્મમાં તે મન્ત્રવાદના રૂપમાં પ્રવેશી રહ્યો હતો. તાંત્રિક દેવીદેવતાઓના રૂપમાં ચમત્કારપ્રદર્શન માટે કે વાદવિવાદમાં સામાને પરાજિત કરવા માટે કેટલીક દેવીઓ જેવી કે જવાલામાલિની, ચક્રેશ્વરી, પદ્માવતી વગેરેનો આવિષ્કાર થવા લાગ્યો હતો. તેમની સ્વતન્ત્ર મૂર્તિઓનું કે તેમનાં સ્વતન્ત્ર મંદિરોનું નિર્માણ થવા લાગ્યું હતું અને તેમનાં સ્તોત્રો-પૂજાઓ રચાવાં લાગ્યાં હતાં. શૈવ અને વૈષ્ણવ ધર્મોના પ્રભાવના કારણે જૈન તીર્થંકરોને કર્તા-હર્તા માની તેમનાં ભક્તિપરક સ્તોત્રો લખાવા લાગ્યાં હતાં. જૈન કાવ્યસાહિત્ય -- Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક જૈન આચાર્યોએ આવા લૌકિક ધર્મોને પણ પોતાના ધર્મમાં સ્થાન આપ્યું; આ લૌકિક ધર્મો જૈનધર્મસમ્મત ન હોવા છતાં પણ લોકમાં તેમનો પ્રભાવ હતો. અનેક જાતનાં પર્વો, તીર્થો, મન્ત્રો વગેરેનું માહાત્મ્ય મનાવા લાગ્યું અને એના નિમિત્તે અનેક પ્રકારનું કથાસાહિત્ય લખાવા લાગ્યું. આ યુગમાં સંઘ સાથેની તીર્થયાત્રાને મહત્ત્વ અપાવા લાગ્યું. જૈન શ્રમણસંઘની વ્યવસ્થામાં પણ અનેક પરિવર્તનો થવા લાગ્યા હતા. મહાવીરનિર્વાણના લગભગ ૬૦૦ વર્ષ પછી જૈન મુનિઓ વન-ઉદ્યાન અને પર્વતોપત્યકાનો નિવાસ છોડી ગામ-નગરોમાં રહેવાનું ઉચિત સમજવા લાગ્યા હતા. આને ‘વસતિવાસ' કહે છે. જે ગૃહસ્થવર્ગ પહેલાં ‘ઉપાસક' નામથી સંબોધાતો હતો તે ધીમે ધીમે નિયત રૂપે ધર્મશ્રવણ કરવા લાગ્યો અને હવે તે ઉપાસક-ઉપાસિકાને બદલે શ્રાવક-શ્રાવિકા કહેવાવા લાગ્યો. વસતિવાસને કારણે મુનિઓ અને ગૃહસ્થ શ્રાવકોની વચ્ચે નજીકનો સંપર્ક થવાથી જૈન સંઘમાં અનેક મતભેદ થયા અને આચારવિષયક શિથિલતાઓ આવવા લાગી. ઈસ્વી સન્ની પ્રારંભિક શતાબ્દીઓમાં મૂર્તિ અને મંદિરોનું નિર્માણ શ્રાવકનો પ્રધાન ધર્મ બની ગયો. મુનિઓનું ધ્યાન પણ જ્ઞાનારાધનાથી હટી મંદિરો અને મૂર્તિઓની દેખભાળમાં લાગવા માંડ્યું. તેઓ પૂજા અને જીર્ણોદ્ધાર માટે દાનાદિ ગ્રહણ કરવા લાગ્યા. પરિણામે સાતમી શતાબ્દી પછીથી જિનપ્રતિમા, જિનાલયનિર્માણ અને જિનપૂજાના માહાત્મ્ય ઉપર વિશેષપણે સાહિત્યનિર્માણ થવા લાગ્યું. ૧૧ ઈસ્વી સન્ની પ્રારંભિક શતાબ્દીઓમાં મુનિસમુદાય કુલ, ગણ અને શાખાઓમાં વિભક્ત હતો, તેમાં મુનિઓનું જ પ્રાબલ્ય હતું. પરંતુ પછી ધીમે ધીમે ગૃહસ્થ શ્રાવકોના પ્રભાવને કારણે નવાં નામવાળા સંઘો, ગણો, ગચ્છો અને અન્વયો ઉદયમાં આવવા લાગ્યા તથા કેટલીય ગચ્છ-પરંપરાઓ નીકળી પડી. પહેલાં જૈન આગમસૂત્રોનું પઠનપાઠન જૈન સાધુઓ માટે જ નિયત હતું પણ દેશકાળના પરિવર્તનની સાથે સાથે શ્રાવકોના પઠનપાઠન માટે તેમની રુચિને ધ્યાનમાં લઈ આગમિક પ્રકરણો અને ઔપદેશિક પ્રકરણોની સાથે નૂતન કાવ્યશૈલીમાં પૌરાણિક મહાકાવ્ય, બહુવિધ કથાસાહિત્ય અને સ્તોત્રો તથા પૂજાપાઠોનું સર્જન થવા લાગ્યું. પાંચમીથી દસમી શતાબ્દી સુધીમાં જૈન મનીષીઓએ એવી અનેક વિશાળ અને પ્રતિનિધિરૂપ રચનાઓ કરી જેમને ઉત્તરકાલીન કૃતિઓનો આધાર માની શકાય. ઈસ્વી સન્ની ૧૧મી અને ૧૨મી શતાબ્દીમાં દેશની રાજનૈતિક અને સામાજિક શ્વેતાંબર પરિસ્થિતિમાં આવેલ પરિવર્તનની સાથે જૈન સંઘના બંને સંપ્રદાયો -- Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧ ર જૈન કાવ્યસાહિત્ય અને દિગંબરના આંતરિક સંગઠનોમાં નવાં પરિવર્તનો થયાં જેને કારણે જૈન સાહિત્યના ક્ષેત્રમાં એક નવી જાગૃતિ આવી. દિગંબર સંપ્રદાયમાં ત્યાં સુધીમાં અનેક સંઘ, ગણ અને ગચ્છ બની ચૂક્યા હતા અને તેમના અનેક માન્ય આચાર્ય મઠાધીશ જેવા બની ગયા હતા અને ધીરે ધીરે એક નવું સંગઠન ભટ્ટારક કે મહંત વર્ગના રૂપમાં ઉદયમાં આવી રહ્યું હતું જે સંગઠનમાં બધા પાકા ચૈત્યવાસી બનવા લાગ્યા હતા. તેવી જ રીતે શ્વેતાંબર સંપ્રદાય ચૈત્યવાસ અને વસતિવાસના પરિણામે અનેક ગણો અને ગચ્છોમાં વિભાજિત થવા લાગ્યો હતો અને વિભિન્ન ગચ્છપરંપરાઓ ફૂટી નીકળી હતી. ગણ અને ગચ્છના નાયકોએ પોતપોતાના જૂથની પ્રતિષ્ઠા માટે અને અનુયાયીઓની સંખ્યા વધારવા માટે જુદા જુદા પ્રદેશો અને નગરોમાં પરિભ્રમણ કરવા માંડ્યું. તે લોકોએ પોતાના વિદ્યાબળ અને પ્રભાવી શક્તિસામર્થ્યથી રાજકીય વર્ગ અને ધનિક વર્ગને પોતાના તરફ આકર્ષા અને વધતા જતા શિષ્યવર્ગને કાર્યક્ષમ અને જ્ઞાનસમૃદ્ધ બનાવવા અનેક જાતની વ્યવસ્થા કરી. તેના પરિણામે દક્ષિણ અને પશ્ચિમ ભારતનાં અનેક સ્થાનોમાં જ્ઞાનસત્ર અને શાસ્ત્રભંડારોની સ્થાપના કરવામાં આવી. ત્યાં આગમ, ન્યાય, સાહિત્ય અને વ્યાકરણ આદિ વિષયોના નિષ્ણાત વિદ્વાનોની વ્યવસ્થા કરવામાં આવી, સ્વાધ્યાયમંડળો ખોલવામાં આવ્યાં અને અધ્યાપક તથા અધ્યયનાર્થીઓના માટે આવશ્યક અને ઉપયોગી સામગ્રીની જોગવાઈ કરવામાં આવી. “વિદાન સર્વત્ર પૂગ્યતે” એ યુક્તિને મહત્ત્વ આપી જૈન સાધુ અને ગૃહસ્થ વર્ગ પોતાની વિદ્યાવિષયક સમૃદ્ધિ વધારવા તરફ વિશેષ ધ્યાન આપવા લાગ્યા. જૈન સિદ્ધાન્તના અધ્યયન પછી અન્ય દાર્શનિક સાહિત્યનું તથા વ્યાકરણ, કાવ્ય, અલંકાર, છંદશાસ્ત્ર અને જયોતિશાસ્ત્ર વગેરે સાર્વજનિક સાહિત્યનું પણ વિશેષ રૂપે અધ્યયન થવા લાગ્યું અને આ વિષયના નવા નવા ગ્રંથો રચાવા લાગ્યા. (૩) સામાજિક પરિસ્થિતિ – અમારા આ આલોચ્ય યુગના પૂર્વમધ્યકાળમાં સામાજિક બંધિયારપણું - જડતા ધીમે ધીમે વધતાં જતાં હતાં. ભારતીય સમાજ જાતિપ્રથાથી જકડાઈ રહ્યો હતો અને ધાર્મિક તથા રીતરિવાજનાં બંધનો દઢ બની રહ્યાં હતાં. ઉત્તરમધ્યકાળ (૧૧-૧૨મી શતાબ્દી) આવતાં આવતાં સમાજ અનેક જાતિઓ અને ઉપજાતિઓમાં વિભાજિત થવા માંડ્યો હતો. ધીરે ધીરે પ્રગતિશીલતા, સમન્વય અને સહિષ્ણુતાના સ્થાને સ્થગિતતા, રૂઢિપરતા અને કઠોરતાએ પગદંડો જમાવી દીધો હતો. સમાજમાં મન્નતન્ન, ટોણાટુચકા, શકુન-મુહૂર્ત વગેરે અંધવિશ્વાસોએ અશિક્ષિત અને શિક્ષિત બંનેમાં ઘર કર્યું હતું. ધાર્મિક તેમ જ સામાજિક ક્ષેત્રોમાં ઉત્તરોત્તર ભેદભાવ વધતો જતો હતો. ક્રિયાકાંડ અને શુદ્ધિ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક અશુદ્ધિને કારણે બ્રાહ્મણવર્ગમાં છૂતાછૂતનો વિચાર વધી રહ્યો હતો. જાતિઓ ઉપજાતિઓમાં વિભક્ત થવાથી તેમનામાં ખાનપાન અને રોટીબેટીનો વ્યવહાર બંધ થવા લાગ્યો હતો. ક્ષત્રિય અને વૈશ્ય વર્ગમાં પણ આ નવાં પરિવર્તનોનો પ્રભાવ પડવા લાગ્યો હતો. ક્ષત્રિય વર્ગના રાજવંશો પાસેથી શાસનકાર્ય પ્રાયઃ છિનવાઈ રહ્યું હતું. આ કાળના અનેક રાજવંશ પ્રાયઃ અક્ષત્રિય વર્ગના હતા. ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્પભૂતિ વૈશ્ય હતા. મૌખરી અને પશ્ચાત્કાલીન ગુપ્તરાજા અક્ષત્રિય જ હતા. બંગાળના પાલ અને સેન શૂદ્ર હતા. કનોજના ગુર્જરપ્રતિહાર વિદેશી હતા જેમને પાછળથી ક્ષત્રિય બનાવવામાં આવ્યા હતા. પરમાર અને ચૌહાણની બાબતમાં પણ આવું જ હતું. તાત્પર્ય એ કે ક્ષત્રિયવર્ગમાં અનેક તત્ત્વોનું સંમિશ્રણ થઈ રહ્યું હતું. સામાન્ય ક્ષત્રિયો વ્યાપાર કરી વૈશ્યવૃત્તિ અપનાવી રહ્યા હતા અને ધાર્મિક દૃષ્ટિએ તેઓ કોઈ એક ધર્મમાં માનતા ન હતા તથા પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં તો બહુ સંખ્યામાં ક્ષત્રિયો જૈનધર્માવલંબી પણ બની રહ્યા હતા. આ સમયમાં વૈશ્યવર્ગમાં પણ નવું પરિવર્તન આવ્યું. ૬ઠ્ઠી શતાબ્દી આસપાસ વૈશ્યો જૈન અને બૌદ્ધ ધર્મના પ્રભાવના કારણે ખેતી છોડી ચૂક્યા હતા; વળી તે સમયમાં ઉત્તર ભારતમાં ખેડૂતોની અપેક્ષાએ વેપારીવર્ગ સમ્માનનીય મનાતો હતો. આ સમયે અનેક ક્ષત્રિયો વૈશ્યવૃત્તિ સ્વીકારવા લાગ્યા હતા. કેટલાય જૈન સ્રોતોમાંથી જાણવા મળે છે કે કેટલાક ક્ષત્રિયો અહિંસાના પ્રભાવ નીચે શસ્ત્રજીવિકા છોડી વેપાર અને લેવડ-દેવડનું કામ કરવા લાગ્યા હતા. આ યુગમાં વૈશ્ય લોકો અનેક જાતિઓ અને ઉપજાતિઓમાં વહેંચાઈ ગયા હતા. આ સમયનો જૈન ધર્મ અધિકાંશતઃ વેપારીવર્ગના હાથમાં હતો. દક્ષિણ ભારતમાં જૈનધર્માનુયાયીઓમાં આજ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય છે પરંતુ પ્રાયઃ બધા જ વેપાર કરે છે. દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ધનિક વેપારીવર્ગના આશ્રયમાં જૈનધર્મ બહુ જ ફુલ્યોફાલ્યો. અનેક જૈન વૈશ્યોને રાજ્યનાં કામોમાં સક્રિય સહયોગ આપવાનો અવસર મળ્યો હતો અને તેઓ રાજ્યના નાનામોટા અધિકારપદોને શોભાવતા હતા. અનેક જૈન વિભિન્ન રાજયોનાં મહામાત્ય અને મહાદંડનાયક જેવાં પદો ઉપર પણ પ્રતિષ્ઠિત થયા હતા. દક્ષિણ અને પશ્ચિમ ભારતના અનેક શિલાલેખો તેમની અમર ગાથાઓ ગાતા મળ્યા છે. મુસ્લિમ કાળમાં પણ જૈન ગૃહસ્થોના કારણે જૈનાચાર્યોની પ્રતિષ્ઠા કાયમ હતી. દિલ્હી, આગ્રા અને અમદાવાદના જૈન પરિવારોનો, તેમના વ્યાપારિક સબંધો અને વિશાળ ધનરાશિના કારણે, મુગલ દરબારોમાં મોટો પ્રભાવ હતો. રાજપૂત રાજયોમાં પણ અનેક જૈન Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સેનાપતિ અને મંત્રીઓનાં મહત્ત્વપૂર્ણ પદો પર હતા. મુગલો સાથે દઢતાપૂર્વક લડનાર રાણા પ્રતાપના સમયના ભામાશાહ, આશાશાહ અને ભરમલ વગેરે પ્રસિદ્ધ છે. ઈસ્ટ ઈણ્ડિયા કંપનીના સમયમાં જગત શેઠ, સિંધી વગેરે વિશિષ્ટ પરિવાર હતા જે રાજશેઠ મનાતા હતા અને રાજ્યશાસનમાં તેમનો મોટો પ્રભાવ હતો. રાજકીય પ્રતિષ્ઠાની સાથે સાથે આ સમયમાં જૈન વૈશ્ય ઘણો જ સુપતિ અને પ્રબુદ્ધ હતો. જૈનાચાર્યોની જેમ તે પણ સાહિત્યસેવામાં રત હતો. આ સમયમાં જૈન ગૃહસ્થોએ અનેક ગ્રંથોનું સર્જન કર્યું છે. અપભ્રંશ મહાકાવ્ય પદ્મચરિતના સર્જક સ્વયંભૂ, તિલકમંજરી જેવા પુષ્ટ ગદ્યકાવ્યના પ્રણેતા ધનપાલ, કન્નડ ચામુણ્ડરાયપુરાણના લેખક ચામુણ્ડરાય, નરનારાયણાનન્દ મહાકાવ્યના રચનાર વસ્તુપાલ, ધર્મશર્માભ્યુદયકાર હરિશ્ચન્દ્ર, પંડિત આશાધર, અર્હદ્ઘાસ, કવિ મંડન વગેરે અનેક જૈન ગૃહસ્થો જ હતા. જૈનાચાર્યો દ્વારા અનેક ગ્રંથોના સર્જનમાં, તેમની પ્રતિઓ લખાવી વિતરણ કરવામાં અને અનેક શાસ્ત્રભંડારોના નિર્માણમાં જૈન વૈશ્યવર્ગનો મુખ્ય હાથ રહ્યો છે. જૈન કાવ્યસાહિત્ય (૪) સાહિત્યિક અવસ્થા આલોચ્ય યુગ પહેલાં ગુપ્તકાળ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ કહેવાય છે. તે સમય સુધીમાં વાલ્મીકિરામાયણ, મહાભારત, અશ્વઘોષનાં કાવ્યો બુદ્ધચરિત અને સૌન્દરનન્દ તથા કાલિદાસનાં રઘુવંશ, કુમારસંભવ વગેરે અને પ્રાકૃત કાવ્યો ગાથાસપ્તશતી અને સેતુબંધ રચાઈ ચૂક્યાં હતાં અને એક વિશિષ્ટ કાવ્યાત્મક શૈલીનો પ્રાદુર્ભાવ થઈ ચૂક્યો હતો તથા સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં ઉત્તરોત્તર ઉચ્ચ કોટિની રચનાઓ થવા લાગી હતી. ત્યાં સુધીમાં બ્રાહ્મણોનાં મુખ્ય પુરાણો પણ અંતિમ રૂપ ધારણ કરી રહ્યા હતા. આ યુગમાં કાવ્યોને શાસ્ત્રીય પદ્ધતિ ઉપર રચવા માટે ભામણ, ઠંડી, રુદ્રટ વગેરે વિદ્વાનોએ કાવ્યાલંકાર, કાવ્યાદર્શ વગેરે કાવ્યશાસ્ત્રોના ગ્રંથો રચ્યા. રીતિબદ્ધ શૈલી ઉપર આ યુગમાં અનેક કાવ્યોનું સર્જન થવા લાગ્યું હતું જેમાં ભારવિકૃત કિરાતાર્જુનીય, માઘકૃત શિશુપાલવધ, શ્રીહર્ષકૃત નૈષયચરિત બૃહત્રયીના નામથી પ્રસિદ્ધ છે. શાસ્ત્રીય પદ્ધતિ ઉપર કાવ્યના અનેક પ્રકારોનું અર્થાત્ ગદ્યકાવ્ય, ચમ્પૂ, દૂતકાવ્ય, અનેકાર્થકાવ્ય, નાટક વગેરેનું સર્જન આ યુગમાં થયું. - જૈન વિદ્વાનોએ પણ આ યુગની માંગ જાણી. એમનો ધર્મ એમ તો ત્યાગ અને વૈરાગ્ય ઉપર પ્રધાનપણે ભાર આપે છે. તેમના શુષ્ક ઉપદેશોને પ્રભાવોત્પાદક લલિત શૈલી વિના સાંભળવા કોણ તૈયાર હતો ? જૈન મુનિઓને શૃંગાર વગેરે કથાઓ સાંભળવા અને સંભળાવવાની મના હતી, પરંતુ શ્રાવકવર્ગને સાધારણપણે Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક આ પ્રકારની કથાઓમાં વિશેષ રસ પડતો હતો. યુગની માંગને અનુરૂપ જૈન વિદ્વાનોએ કેવળ સંસ્કૃતમાં જ નહિ પણ પ્રાકૃત અને અપભ્રંશમાં પણ અનેક પ્રકારની રચનાઓ કરી. જૈન વિદ્વાન સ્વભાવતઃ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના વિદ્વાન હતા. પ્રાકૃત તેમના ધર્મગ્રંથોની ભાષા હતી અને જનસામાન્ય સુધી પહોંચવા માટે તેઓ અપભ્રંશમાં રચનાઓ કરી તેનો વિકાસ કરી રહ્યા હતા તથા પંડિત અને અભિજાત વર્ગ સાથે સંપર્કમાં રહેવા માટે સંસ્કૃતમાં પણ તેઓ નિષ્ણાત હતા. સંસ્કૃત ખરેખર તે કાળ સુધીમાં પાંડિત્યપૂર્ણ વિવેચનો અને રચનાઓની ભાષા બની ગઈ હતી. તે ખાતર જૈનોએ ન્યાય, વ્યાકરણ, ગણિત, રાજનીતિ અને ધાર્મિક-ઉપદેશપ્રદ વિષયોના ગ્રન્થો ઉપરાંત આલંકારિક શૈલીમાં પુરાણો, ચિરતો અને કથાઓનું ગદ્યાત્મક અને પદ્યાત્મક કાવ્યના રૂપમાં સંસ્કૃતમાં સર્જન કર્યું. સાહિત્યસર્જનના ક્ષેત્રમાં જૈનોનું સૌપ્રથમ ધ્યાન લોકરુચિ તરફ રહ્યું છે, એટલે જ એમણે લોકભોગ્ય પ્રાકૃત, અપભ્રંશ ઉપરાંત અનેક પ્રાન્તીય ભાષાઓ – કન્નડ, ગુજરાતી, રાજસ્થાની અને હિન્દી વગેરેમાં ગ્રંથોનું પ્રચુર પ્રમાણમાં સર્જન કર્યું. જૈનોના સાહિત્યસર્જનના કામમાં રાજવર્ગ અને ધનિકવર્ગે ઘણું પ્રોત્સાહન અને પ્રેરણા આપી. તેની ચર્ચા આપણે કરી ગયા છીએ. ૧૫ (૫) લેખનકાર્યમાં સુવિધા – જૈન વિદ્વાનોને લેખનકાર્યમાં સાધુવર્ગ અને સમાજ તરફથી પણ અનેક સુવિધાઓ મળતી હતી. જ્યારે કોઈ વિદ્વાન નવો ગ્રંથ રચવાનો પ્રયત્ન કરતા તો તે તેને માટે બનાવેલી લાકડાની પાટી કે કપડા ઉપર શબ્દોને લખતા અને તે શબ્દોની વ્યુત્પત્તિ ઉપર આપસમાં વિચારવિમર્શ કરતા. શબ્દોના યોગ્ય પ્રયોગોને માટે પ્રાચીન કવિઓના ગ્રંથોમાંથી નમૂનાઓ લેવામાં આવતા અને ભાવાનુકૂલ રચનાનું સર્જન કરી સંશોધનકર્તાઓ પાસે તેનું સંશોધન કરી લેવાતું. આ રીતે ગ્રન્થના સંશોધિત રૂપને પત્થર-પાટી-સ્લેટ અથવા લાકડીની પાટી વગેરે ઉપર લખીને તેને સારા લહિયાઓ પાસે ગ્રંથરૂપમાં લખાવી લેવામાં આવતું. ગ્રંથરચના કરતી વખતે ખાસ ખાસ સૂચના દેવા માટે વિદ્વાન શિષ્ય અને સાધુગણ તત્પર રહેતા અને એ રીતે સહાય કરતા. કેટલીક વાર વિદ્વાન ઉપાસક પણ આ જાતની સહાય કરતા હતાં.૧ જૈન કાવ્યસાહિત્યના સર્જનમાં મૂળ પ્રેરણાઓ (૧) ધાર્મિક ભાવના – પૂર્વ અને ઉત્તર મધ્યકાળની રાજનૈતિક, ધાર્મિક, સામાજિક અને સાહિત્યિક પરિસ્થિતિઓ તથા લેખનકાર્યની સુવિધાઓનો પ્રભાવ ૧. પ્રભાવકચરિત – હેમચન્દ્રાચાર્યચરિત. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આપણા આલોચ્ય યુગના જૈન કાવ્યસાહિત્ય ઉપર વિશેષ રૂપે પડ્યો છે. જૈન કાવ્યકારોનો દૃષ્ટિકોણ, આ સાહિત્યને જોવાથી સ્પષ્ટ જણાય છે કે ધાર્મિક હતો. જૈનધર્મના આચાર-વિચારોને રમણીય રીતે અને રોચક શૈલીમાં રજૂ કરી ધાર્મિક ચેતના અને ભક્તિભાવનાને જાગ્રત કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ હતો.. જૈન કવિઓએ જૈન કાવ્યોનું સર્જન એક બાજુ સ્વાન્તઃસુખાય કર્યું છે તો બીજી બાજુ કોમલમતિ જનતા સુધી જૈનધર્મના ઉપદેશોને પહોંચાડવા માટે કર્યું છે. આના માટે તેમણે ધર્મકથાનુયોગ યા પ્રથમાનુયોગનો સહારો લીધો છે. સામાન્ય જનતાને સુગમ રીતે ધાર્મિક નિયમો સમજાવવા માટે કથાત્મક સાહિત્યથી વધુ પ્રભાવશાળી બીજું સાધન નથી. તેમની કેટલીક રચનાઓને છોડી અધિકાંશ કૃતિઓ વિદ્વન્દ્વર્ગને માટે નહિ પરંતુ સામાન્ય કક્ષાના જનસમૂહને માટે છે. આ કારણે જ તેમની ભાષા અધિક સરળ રાખવામાં આવી છે. જનતાને પ્રભાવિત કરવાને માટે અનેક પ્રકારની જીવનઘટનાઓ ઉપર આધારિત કથાઓ અને ઉપકથાઓની યોજના આ કાવ્યગ્રંથોની વિશેષતા છે. આ વિદ્વાનોએ પ્રેમાખ્યાનક કાવ્ય રચ્યું હોય કે ચરિતાત્મક પરંતુ બધાંમાં ધાર્મિક ભાવનાનું પ્રદર્શન અવશ્ય કરવામાં આવ્યું છે. આ ધાર્મિક ભાવનાને અભિવ્યક્ત કરવામાં તેમણે જૈનધર્મના જટિલ સિદ્ધાન્તો અને મુનિધર્મ સંબંધી નિયમોને એટલા અધિક નિરૂપિત નથી કર્યા જેટલા જ્ઞાન-દર્શન-ચારિત્રના સામાન્ય વિવેચન સાથે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહસ્વરૂપ સાર્વજનિક વ્રતો, દાન, શીલ, તપ, ભાવ, પૂજા, સ્વાધ્યાય વગેરે આચરણીય ધર્મોને નિરૂપિત કર્યા છે. જૈન કાવ્યસાહિત્ય (૨) વિભિન્ન વર્ગોના અનુયાયીઓની પ્રેરણા ત્યાગીવર્ગ - ચૈત્યવાસી, વસતિવાસી, યતિ, ભટ્ટારક – માં ક્રિયાકાંડવિષયક ભેદોને કારણે નવા નવા ગણગચ્છોનો પ્રાદુર્ભાવ થયો. તેમના નાયકોએ પોતપોતાના ગણની પ્રતિષ્ઠા માટે અને અનુયાયીઓની સંખ્યા વધારવા માટે જુદાં જુદાં ક્ષેત્રોમાં વિશેષ રૂપે ભ્રમણ કરવા માંડ્યું. તે લોકો પોતાના ઉચ્ચ-ચારિત્ર્ય, પાંડિત્ય તથા જ્યોતિષ, મંત્રમંત્રાદિથી તેમ જ અન્ય ચમત્કારોથી રાજવર્ગ અને ધનિકવર્ગને પોતાની તરફ આકર્ષિત કરવા માંડ્યા અને જુદાં જુદાં સ્થળો ઉપર ચૈત્ય, ઉપાશ્રય વગેરે ધર્માયતનોની સ્થાપના કરવા માંડ્યા અને પોતાના વધતા જતા શિષ્યસમુદાયની પ્રેરણાથી તેમ જ પોતાના આશ્રયદાતાઓના અનુરોધથી વ્રત, પર્વ, તીર્થ વગેરેનું તથા વિશિષ્ટ પુરુષોના ચરિત્રોનું વર્ણન ક૨વા કથાત્મક ગ્રંથોના સર્જનમાં વિશેષ ધ્યાન આપવા લાગ્યા. આ યુગના અનેક જૈન કવિઓને કાં તો રાજ્યાશ્રય મળ્યો હતો યા તો તેઓ પોતે જ મઠાÖશ હતા. રાષ્ટ્રકૂટ અમોઘવર્ષ અને તેના ઉત્તરાધિકારીઓના Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૧૭ આશ્રયમાં જિનસેન અને ગુણભદ્ર મહાપુરાણ, ઉત્તરપુરાણની, કુમારપાળના ગુરુ હેમચંદ્ર ત્રિષષ્ટિશલાકાપુરષચરિતની રચનાઓ કરી તથા વસ્તુપાળના આશ્રમમાં પશ્ચાત્કાલીન કેટલાય આચાર્યોએ અનેક રીતે કાવ્યસાહિત્યની સેવા કરી. અનેક કાવ્યગ્રંથોમાં જુદા જુદા સ્રોતોમાંથી મળેલી પ્રેરણાઓનો સાભાર ઉલ્લેખ પણ મળે છે. (૩) ગચ્છીય સ્પર્ધા – યદ્યપિ ત્યાગી વર્ગને રાજ્યાશ્રય અને ધનિકોનો આશ્રય મળતો હતો તથાપિ તેમને ધનની ઈચ્છા હતી નહિ. તેમની પાસેથી મળતી સગવડોનો ઉપયોગ તેઓ પોતાની ગચ્છીય પ્રતિષ્ઠા વધારવામાં અને સાહિત્યનું સર્જન કરવામાં કરતા હતા. કાળની દૃષ્ટિએ પાંચમીથી દસમી શતાબ્દીઓમાં કાવ્યગ્રન્થોનું સર્જન એટલી તીવ્ર ગતિથી અને એટલી પ્રચુર માત્રામાં ન થયું જેટલી તીવ્ર ગતિથી અને જેટલી પ્રચુર માત્રામાં અગીઆરમીથી ચૌદમી શતાબ્દીઓમાં થયું. દસમી શતાબ્દી પહેલાં જો કેટલીક વિશાળ અને પ્રતિનિધિરૂપ રચના લખવામાં આવી હતી તો દસમી શતાબ્દી પછી ત્રણ સો વર્ષોમાં આ સંખ્યા વધીને સેંકડોની સંખ્યામાં પહોંચી ગઈ. જૈન વિદ્વાનોમાં જાણે કે એ સમયે કથાસાહિત્યનું સર્જન કરવા માટે અંદરોઅંદર મોટી સ્પર્ધા ચાલી રહી હતી. અમુક ગચ્છવાળા અમુક વિદ્વાને અમુક નામના કથાગ્રંથનું સર્જન કર્યું છે એ જાણીને કે વાંચીને બીજા ગચ્છવાળા વિદ્વાનો પણ આ પ્રકારના બીજા કથાગ્રંથો સર્જવા ઉત્સુક બની જતા હતા. આ રીતે ચન્દ્રગચ્છ, નાગેન્દ્રગચ્છ, રાજગચ્છ, ચૈત્રગચ્છ, પૂર્ણતલ્લગચ્છ, વૃદ્ધગચ્છ, ધર્મઘોષગચ્છ, હર્ષપુરીયગચ્છ વગેરે વિભિન્ન ગચ્છ, જે તે શતાબ્દીઓમાં વિશેષ પ્રસિદ્ધ અને પ્રભાવશાળી હતા, તેમાંથી પ્રત્યેક ગચ્છના વિદ્વાનોએ આ જાતના કથાગ્રંથોનું સર્જન કરવા સબળ પ્રયત્નો કર્યા. આ યુગમાં એક જ પેઢીના વિભિન્ન ગચ્છીય બે બે, ત્રણ ત્રણ વિદ્વાનોએ ત્રેસઠ શલાકા મહાપુરુષોનાં ચરિત્રો તથા વ્રત, મંત્ર, પર્વ, તીર્થમાહાભ્યના પ્રસંગોને લઈને એક જ નામની બે બે, ત્રણ ત્રણ રચનાઓ કરી છે. લોકકથા, નીતિકથા, અભુત કથા તથા પશુપક્ષી વગેરેની હજારો કથાઓને લઈને તેમણે વિશાળકાય કથાકોષ ગ્રંથો પણ લખ્યા. (૪) ઐતિહાસિક અને સમસામયિક પ્રભાવક પુરુષોનાં આદર્શ જીવન – જો કે જૈન કવિ ધન વગેરેની ભૌતિક ઈચ્છાઓથી પર હતા તો પણ કથાત્મક સાહિત્ય ઉપરાંત તેમણે યુગની પરિણતિને અનુકૂળ ઐતિહાસિક અને અર્ધઐતિહાસિક કૃતિઓનું સર્જન કર્યું. આ કૃતિઓમાં પ્રાયઃ એવા જ રાજવંશ કે પ્રભાવક પુરુષની ૧. પ્રાકૃતમાં કથા અને કાવ્ય પ્રાયઃ એક અર્થમાં પ્રયુક્ત થયાં છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રશંસા કે ઇતિવૃત્ત લખાયાં છે જેમણે જૈનધર્મની પ્રભાવના માટે પોતાનાં તન, મન અને ધનને લગાવી દીધાં હતાં. સિદ્ધરાજ જયસિંહ, ૫રમાર્હત કુમારપાળ, મહામાત્ય વસ્તુપાલ, જગશાહ અને પેથડશાહ વગેરે ઉદારમના ધર્મપરાયણ વ્યક્તિઓ હતી, જે કોઈ પણ દેશ, સમાજ, જાતિ માટે પ્રતિષ્ઠાની વસ્તુ હતી. જૈન સાધુઓએ તેમના જૈનધર્માનુકૂળ જીવનથી પ્રભાવિત થઈને તેમને પોતાનાં કાવ્યોના નાયકો બનાવ્યા અને તેમની પ્રશસ્તિઓ લખી. આચાર્ય હેમચન્દ્ર કુમારપાળના વંશની કીર્તિગાથા ગાવા ‘ચાશ્રયકાવ્ય'નું સર્જન કર્યું, બાલચન્દ્રસૂરિએ વસ્તુપાલના જીવન ઉપર ‘વસન્તવિલાસ' કાવ્યની અને ઉદયપ્રભસૂરિએ ‘ધર્માભ્યુદય’ કાવ્યની રચના કરી. આ જ રીતે પ્રભાવક આચાર્યો અને પુરુષોના વિશે લઘુ નિબંધોના રૂપમાં પ્રબંધસંગ્રહ, પ્રબંધચિન્તામણિ, પ્રભાવકરત વગેરે લખવાની પ્રેરણા મળી. આ કૃતિઓ નજીકના ભૂતમાં થઈ ગયેલા કે સમસામયિક ઐતિહાસિક પુરુષોનાં જીવન ઉપર આધારિત હોવાથી તત્કાલીન ઇતિહાસ જાણવા માટે બહુ ઉપયોગી છે. (૫) અન્ય મહાકવિઓની શૈલી વગેરેનું અનુકરણ સંસ્કૃત સાહિત્યની કેટલીક ખ્યાતિપ્રાપ્ત કાવ્યકૃતિઓમાંથી પ્રેરણા પામીને જૈન કવિઓએ તેમનું અનુકરણ કરીને કે તેમની શૈલીમાં અનેક કાવ્યોનું સર્જન કર્યું. આમ આપણે જોઈએ છીએ કે બાણની કાદમ્બરીની શૈલીનું અનુસરણ કરીને ધનપાલે ‘તિલકમંજરી'નું અને ઓડયદેવ વાદીભસિંહે ‘ગદ્યચિન્તામણિ'નું સર્જન કર્યું, ‘કિરાતાર્જુનીય’ અને ‘શિશુપાલવધ’ની શૈલીનું અનુસરણ કરીને હરિચન્દ્રે ‘ધર્મશર્માભ્યુદય', મુનિભદ્રસૂરિએ ‘શાન્તિનાથચરિત્ર', વસ્તુપાલે ‘નરનારાયણાનન્દ’ અને જિનપાલ ઉપાધ્યાયે ‘સનત્કુમારચરિત' જેવાં પ્રૌઢ કાવ્યોનું સર્જન કર્યું. આ રીતિબદ્ધ શાસ્ત્રીય મહાકાવ્યોના સર્જન પાછળ કાલિદાસ, ભારવિ, બાણ વગેરે મહાકવિઓના સમકક્ષ બનવાની કે તેમના જેવો યશ પ્રાપ્ત કરવાની કે વિદ્વત્તા પ્રદર્શિત કરવાની ભાવના પ્રગટ થતી લાગે છે. જૈન કાવ્યસાહિત્ય (૬) ધાર્મિક ઉદારતા, નિષ્પક્ષતા અને સહિષ્ણુતા સાહિત્યસેવાના ક્ષેત્રમાં જૈનાચાર્યોની નીતિ નિષ્પક્ષ હતી તથા ધાર્મિક ઉદારતાથી પ્રેરિત હતી. તેમણે અનેક કૃતિઓ આ ભાવનાથી પ્રેરાઈને લખી, વાંચી અને તેમને સાચવી. આમ આપણે જોઈએ છીએ કે અમરચંદ્રસૂરિએ વાયડનિવાસી બ્રાહ્મણોની વિનંતીથી ‘બાલભારત’ની તેમ જ નયચન્દ્રસૂરિએ ‘હમ્મીરમહાકાવ્ય’ની રચના કરી. માણિક્યચન્દ્રે કાવ્યપ્રકાશ ઉપ૨ સંકેત ટીકા લખી તથા અનેક જૈનેતર મહાકાવ્યો ઉપર જૈન વિદ્વાનોએ પંચતંત્ર, પ્રામાણિક ટીકાઓ લખી, અને અનેક જૈનેતર કથાગ્રંથોનું - - - Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક વૈતાલપંચવિંશતિકા, વિક્રમચરિત, પંચદંડછત્રપ્રબંધનું – પ્રણયન કર્યું. એટલું જ નહિ, તેમની ઉદાર સાહિત્યસેવાથી પ્રભાવિત થઈ અન્ય ધર્મ અને સંપ્રદાયના અનુયાયીઓ તેમની પાસે પોતાના દેવમંદિરો માટે કાવ્યમય અભિલેખો લખાવી તે સ્થાનોમાં લગાવતા હતા. ઉદાહરણાર્થ, ચિત્તોડના મોકલજી મંદિર માટે દિગંબરાચાર્ય રામકીર્તિ (વિ.સં. ૧૨૦૭) પાસે પ્રશસ્તિ લખાવવામાં આવી હતી. તેવી જ રીતે, રાજસ્થાનની સુગંધ પહાડીના ચામુંડાદેવીના મંદિર માટે બૃહદ્ગચ્છીય જયમંગલસૂરિ પાસે અને ગ્વાલિયરના કચ્છવાહોના મંદિર માટે યશોદેવ દિગંબર પાસે અને ગુહિલોત વંશના ઘાઘસા અને ચિર્વા સ્થાનો માટે રત્નપ્રભસૂરિ પાસે શિલાલેખો લખાવવામાં આવ્યા હતા. આમ આપણે આ આલોચ્ય યુગમાં (પાંચમીથી આજ સુધી) જૈન કાવ્યસાહિત્યના સર્જનમાં અનેક પ્રકારની પ્રેરણાઓ જોઈએ છીએ, તેમાંથી કેટલીક પ્રધાન છે – (૧) ધર્મોપદેશ અને ધાર્મિક ભાવના ૧૯ (૨) ગચ્છીય અનુયાયીઓનો અનુરોધ (૩) ગચ્છીય સ્પર્ધા (૪) ઐતિહાસિક અને સમકાલીન પ્રભાવક પુરુષોનાં આદર્શ જીવનનું ચિત્રણ કરવાની પ્રેરણા (૫) જૈનેતર મહાકવિઓ અને કાવ્યોની સમકક્ષતાએ પહોંચવાની કે તેમની શૈલીનું અનુકરણ કરવાની ભાવના (૬) ધાર્મિક ઉદારતા, નિષ્પક્ષતા અને સહિષ્ણુતા ભારતીય કાવ્યસાહિત્ય અને જૈન કાવ્યસાહિત્ય સાહિત્ય ‘સાહિત્ય’શબ્દ સહિતમાંથી નિષ્પન્ન થયો છે. સાહિત્યમાં સામૂહિકતાનો ભાવ છે. તેમાં શબ્દ અને અર્થના સહભાવ દ્વારા આ લોક, ૫૨ લોક, મિત્ર, શત્રુ, સજ્જન, દુર્જન બધાન! સમાન હિતનું પ્રતિપાદન થાય છે. ‘સાહિત્ય' શબ્દનો પ્રયોગ વ્યાપક અને સંકુચિત બંને અર્થમાં થાય છે. કેટલીક ઉપાધિઓ સાથે તે વ્યાપક અર્થમાં પ્રયોજાય છે, જેમ કે ભારતીય -- ૧. જૈન શિલાલેખ સંગ્રહ, ત્રીજા ભાગની પ્રસ્તાવના (મા. દિ. જૈ. ગ્ર.), મુંબઈ, ૧૯૫૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ २० સાહિત્ય, બ્રાહ્મણ-જૈન-બૌદ્ધ સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, પ્રાકૃત સાહિત્ય ઈત્યાદિ. આ વ્યાપક અર્થમાં પણ ઉપાધિઓ દ્વારા સાહિત્યના અર્થનો ઉત્તરોત્તર સંકોચ કરવામાં આવ્યો છે, પરંતુ સાહિત્યકાર, સાહિત્યાચાર્ય વગેરે શબ્દોમાં સાહિત્યનો પ્રયોગ અતિ સંકુચિત અને એક વિશિષ્ટ દિશા ભણી થયો છે. અહીં સાહિત્ય લેખકના વ્યક્તિત્વને પ્રગટ કરે છે. સાહિત્ય કેવળ સિદ્ધાન્ત, દર્શન, તર્ક આદિ જ્ઞાનાત્મક અને ગણિત, જ્યોતિષ, આયુર્વેદ આદિ વિજ્ઞાનાત્મક જ નહિ કિન્તુ સંવેગાત્મક, રાગાત્મક અને કલ્પનાત્મક પણ હોય છે. સાહિત્યકાર યા સાહિત્યાચાર્યની દૃષ્ટિએ સાહિત્ય તે ગ્રંથોમાં નથી જે સ્થાયી બૌદ્ધિક રુચિના તથ્યો અને સત્યોથી વ્યાપ્ત છે પરંતુ તેમનામાં છે જે પોતે જ સ્થાયી રુચિના છે. આમ સાહિત્યમાં ત્રણ તત્ત્વો પ્રધાનપણે દેખાય છે : ૧. જીવન અને જગતની પ્રખર અનુભૂતિ, ૨. સાહિત્યકારનું સંવેગસંવલિત વ્યક્તિત્વ અને ૩. લલિતપ્રેરક શાબ્દિક અભિવ્યક્તિ. બીજા શબ્દોમાં આમ કહી શકાય કે જીવન અને જગતના પ્રખર અનુભવોની સંવેગસંવલિત શાબ્દિક અભિવ્યક્તિ સાહિત્ય છે. અંગ્રેજીમાં ‘લિટરેચર' અને ઉર્દૂમાં ‘અદબ' શબ્દ સાહિત્યના અર્થને પ્રગટ કરે છે. અંગ્રેજીનો લિટરેચર તો Letter (અક્ષર)થી બન્યો છે. તદનુસાર સમસ્ત અક્ષરજ્ઞાનનો વિસ્તાર જ સાહિત્ય છે. પરંતુ તેના વ્યાપક અર્થને સંકુચિત કરતા બ્રિટેનિકા વિશ્વકોષમાં Literatureનો અર્થ ‘The best expression of the best thoughts reduced to writing' સ્વીકારી ઉત્કૃષ્ટ વિચારની ઉત્કૃષ્ટ લેખનમાં અભિવ્યક્તિને સાહિત્ય માનવામાં આવ્યું છે. ઉર્દૂમાં કોમળતા, કલા, શિષ્ટતા અને અદાને અધિક મહત્ત્વ મળ્યું છે, તેથી ‘અદબ' શબ્દનો સાહિત્ય માટે પ્રયોગ થયો છે. કાવ્ય સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં ઉપર્યુક્ત સાહિત્યનો પર્યાયવાચી શબ્દ કાવ્ય છે કારણ કે સુદીર્ઘ કાળ સુધી સાહિત્યસર્જન કવિતામાં જ થતું રહ્યું છે. આચાર્ય ભામહે (છઠ્ઠી શ.) ‘શાર્થી સહિત ાવ્યમ્' કહીને શબ્દ અને અર્થના સાહિત્ય(સંમિલન)ને કાવ્ય ગણ્યું છે અને પછી તેની પરિભાષા કરતાં પંડિતરાજ જગન્નાથે કહ્યું છે ‘મળીયાર્થપ્રતિપાવ: શબ્દ: ાવ્યમ્'. આ — ૧. કાવ્યાલંકાર ૨. રસગંગાધર જૈન કાવ્યસાહિત્ય --- Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૨૧ પરિભાષામાં રમણીય અર્થ અને શબ્દ બંને દ્વારા કાવ્યમાં રસ, અલંકાર અને ધ્વનિનો સમન્વય નિહિત છે. પંડિતરાજ જગન્નાથથી બહુ જ પહેલાં જૈનાચાર્ય જિનસેને “કાવ્ય' શબ્દની વ્યુત્પત્તિ કરતાં તેની પરિભાષા નીચે મુજબ કરી છે – कवेर्भावोऽथवा कर्म काव्यं तज्झै निरुच्यते । तत्प्रतीतार्थमग्राम्यं सालङ्कारमनाकुलम् ॥ કવિના ભાવ અથવા કર્મને કાવ્ય કહે છે. કવિનું કાવ્ય સર્વસમ્મત અર્થથી સહિત, ગ્રામ્યદોષથી રહિત, અલંકારથી યુક્ત અને પ્રસાદ વગેરે ગુણોથી શોભિત હોય છે; અર્થાત્ શબ્દ અને અર્થનું તે સમુચિત રૂપ જે દોષરહિત અને ગુણઅલંકાર સહિત (રમણીય) હોય તે કાવ્ય છે. જિનસેને અર્થ અને શબ્દ બંનેના સૌન્દર્યને કાવ્ય માટે ગ્રાહ્ય દર્શાવતાં તે લોકોની આલોચના કરી છે જેઓ બેમાંથી કોઈ એકના સૌન્દર્યને ઉપાદેય માને છે. તેમનું કહેવું છે કે અલંકાર સહિત, શૃંગાર વગેરે રસથી યુક્ત, સૌન્દર્યથી ઓતપ્રોત અને ઉચ્છિષ્ટતારહિત મૌલિક કાવ્ય સરસ્વતીના મુખ સમાન શોભાયમાન હોય છે. જેમાં રીતિની રમણીયતા નથી, પદોનું લાલિત્ય નથી અને રસનો પ્રવાહ નથી તે અણઘડ કાવ્ય છે, તે તો કર્ણકટુ ગ્રામીણ ભાષા સમાન છે.' જિનસેન પ્રતિપાદિત ઉક્ત પરિભાષાને જોતાં જણાઈ આવે છે કે આચાર્યે કાવ્યમાં બહિરંગ તત્ત્વ – રીતિ, પદલાલિત્ય (ગુણ અને શબ્દાલંકાર) – તથા અન્તરંગ તત્ત્વ – રસ, ભાવ, અર્થાલંકાર અને મૌલિકતા – બંનેનું હોવું આવશ્યક માન્યું છે. પરંતુ કાવ્યની પરિધિને વિસ્તરતી જોઈને કાવ્યશાસ્ત્રીઓએ તેની પરિભાષામાં આવશ્યક સંશોધન કર્યું. આચાર્ય મમ્મટે પોતાના કાવ્યપ્રકાશમાં (સન્ ૧૧૦૦ લગભગ) કાવ્યમાં અલંકારના અભાવમાં પણ કાવ્યત્વને સુરક્ષિત માન્યું છે. તેણે દોષરહિત, ગુણવાળી, અલંકારયુક્ત તથા કોઈ કોઈ વાર અલંકારરહિત શબ્દાર્થમયી રચનાને કાવ્ય કહેલ છે. આ રીતે પોતાના યુગની રચનાઓને ધ્યાનમાં રાખીને આચાર્ય હેમચન્દ્ર કાવ્યની પરિભાષા “મોષી સળી સત્તા . ૨ શબ્દાથ માનવા છતાં સૂત્રની વૃત્તિમાં “વારો નિરાલ્તારોરપિ ૧, આદિપુરાણ, ૧. ૯૪ ૨. એજન, ૧. ૯પ-૯૬ 3. तददोषौ शब्दार्थों सगुणावनलंकृती पुनः कपि । Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન કાવ્યસાહિત્ય શબ્દાર્થોઃ વિત વ્યત્વ સ્થાપના ૧ લખ્યું છે અને બીજા જૈન સાહિત્યશાસ્ત્રી વાલ્મટ (૧૨મી શ.) પણ “શબ્દાથ નિર્દોષ સાળી પ્રાયઃ સન્નારી વ્યિમ્' કહે છે અને આ સૂત્રની વૃત્તિમાં “પ્રાયઃ સાતંજાર રૂતિ નિરી«રોપ શબ્દાર્થ: વત્ કાવ્યત્વવ્યાપાર્થPકહીને નિરાલંકાર શબ્દાર્થને પણ કાવ્ય માનેલ છે. પછી ૧૫મી શતાબ્દીના કવિ નયચન્દ્રસૂરિએ પોતાના હમ્મીરમહાકાવ્ય (વિ.સં.૧૪૫૦ લગભગ)માં અપશબ્દ શબ્દ (વ્યાકરણની દૃષ્ટિએ સદોષ)ના પ્રયોગને પણ સ્થાન આપતાં કહ્યું છે – “પ્રાયોડપર ન વ્યહાંનિઃ સમર્થતાડથું રસસંમશે અર્થાત જો કોઈ કૃતિમાં રસમન્ન કરવાની ક્ષમતા હોય તો પછી તેમાં કેટલાક અપશબ્દ (સદોષ શબ્દ) હોય તો પણ તેમને કારણે કાવ્યત્વની હાનિ થતી નથી. આ રીતે આપણે જોઈએ છીએ કે કાવ્યની પરિભાષા યુગની આવશ્યકતા અનુસાર બદલાતી રહી છે અને વિશાળ અને બહુવિધ કાવ્યરાશિને જોતાં તેમના કાવ્યત્વને માપવાનો એક માપદંડ નક્કી કરવો મુશ્કેલ છે. ખરેખર નિરંશ વય:' એ લોકોક્તિ કવિઓ માટે ચરિતાર્થ છે. કાવ્યના પ્રકાર – સાધારણતઃ કાવ્યના ત્રણ પ્રકાર છે – ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. ઉત્તમ કાવ્ય વ્યંજનાપ્રધાન હોય છે, મધ્યમ લક્ષણાપ્રધાન હોય છે અને અધમ અભિધાપ્રધાન હોય છે. કાવ્યવિધાની દૃષ્ટિએ કાવ્યના બે પ્રકાર છે – ૧. પ્રેક્ષ્ય કાવ્ય અને ૨. શ્રવ્ય કાવ્ય. જે રંગમંચ ઉપર અભિનય કરવા માટે રચાયાં હોય તે પ્રેક્ષ્ય કાવ્ય છે. તેમનો અભિનય આંખો દ્વારા જોવાય છે. જે કાવ્યો કાન વડે સંભળાય છે તેમને શ્રવ્ય કાવ્ય કહે છે. પ્રાચીન કાળમાં કાવ્ય અધિકતર સાંભળવામાં આવતાં હતાં, તેમનો પ્રચાર ગાન દ્વારા થતો હતો. વાંચવા માટે પુસ્તકો બહુ ઓછાં મળતાં હતાં. આચાર્ય હેમચન્દ્ર પ્રેક્ષ્ય કાવ્યના બે ભેદ કર્યા છે - ૧. પાક્ય અને ૨. ગેય. પાક્યમાં તેમણે નાટક, પ્રકરણ, નાટિકા, સમવતાર, વ્યાયોગ, પ્રહસન, સટ્ટક વગેરેનો સમાવેશ કર્યો છે, જયારે ગેયમાં રાસક, શ્રીગદિત, રાગકાવ્ય વગેરેનો સમાવેશ કર્યો છે. શ્રવ્ય કાવ્યના તેમણે ત્રણ પ્રકાર માન્યા છે – ૧. ગદ્ય, ૨. પદ્ય અને ૩. ૧. કાવ્યાનુશાસન ૨. એજન ૩. સર્ગ ૧૪. ૩૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૨૩ મિશ્ર. ગદ્યનો અર્થ છે જે બોલચાલને યોગ્ય હોય તેમ છતાં કાવ્યના રૂપમાં છન્દોયોજનાથી રહિત પરંતુ કાવ્યોના આવશ્યક ગુણોવાળી રચનાને જ ગદ્ય કાવ્ય કહેવાય. ગદ્ય કાવ્યને આખ્યાયિકા અને કથા એ બે ભેદોમાં વિભક્ત કરવામાં આવેલ છે. આખ્યાયિકા તે છે જેમાં ધીરાદાત્ત નાયક પોતાના મુખે પોતાના મિત્રોને પોતાનું જીવનવૃત્તાન્ત અનેક રોમાંચક તત્ત્વો સાથે કહેતો હોય. સંસ્કૃતમાં બાણરચિત હર્ષચરિત જેવા ગ્રંથો આખ્યાયિકામાં સમાવેશ પામે છે. કથા તેને કહે છે જેમાં કવિ પોતે નાયકના જીવનવૃત્તાન્તનું વર્ણન ગદ્યમાં કરે. આ વર્ગમાં દશકમારચરિત, કાદમ્બરી વગેરે આવે છે. - છન્દોબદ્ધ રચનાને પદ્ય કાવ્ય કહે છે. પદ્ય કાવ્યના બે ભેદ છે – ૧. પ્રબન્ધ કાવ્ય અને ૨. મુક્તક કાવ્ય. પ્રબન્ધ કાવ્યમાં એક કથા હોય છે અને તેનાં બધાં પદ્યો એક બીજા સાથે સમ્બદ્ધ હોય છે. પ્રબન્ધ કાવ્યમાં વર્ણન, પ્રાકકથન, પારસ્પરિક સંબંધ અને સામૂહિક પ્રભાવની પ્રધાનતા હોય છે. જિનસેન અનુસાર પૂર્વીપરાર્થધટનૈ પ્રવન્ધઃઅર્થાત્ પૂર્વાપર સંબંધના નિર્વાહપૂર્વકની કથાત્મક રચના પ્રબન્ધ કાવ્ય છે. મુક્તક કાવ્યનું પ્રત્યેક પદ્ય સ્વતઃ પૂર્ણ હોય છે. તેમાં પ્રત્યેક પદ્યની સ્વતંત્ર સત્તા હોય છે. સ્ફટ કવિતાઓ આ પ્રકારમાં સમાવેશ પામે છે. સુભાષિતો અને સ્તોત્રોના રૂપમાં આ પ્રકાર અભિપ્રેત છે. પ્રબન્ધ કાવ્ય બે રૂપમાં મળે છે – ૧. મહાકાવ્ય અને ૨. કથાકાવ્ય. મહાકાવ્યમાં જીવનનું સર્વાગીણ ચિત્રણ હોય છે; વળી, તે સર્ચબદ્ધ રચના હોય છે અને તેનું કદ પણ મોટું હોય છે. જિનસેન અનુસાર મહાકાવ્ય તે છે જે ઐતિહાસિક અને પૌરાણિક પાત્રના ચરિતનું રસાત્મક ચિત્રણ કરતું હોય અને ધર્મ, અર્થ તથા કામના ફળને દર્શાવતું હોય. કથાકાવ્ય તે છે જેમાં રસાત્મક તેમ જ આલંકારિક શૈલીમાં રોમાંચક તત્ત્વોનો સમાવેશ કરીને કથાવર્ણન કરવામાં આવ્યું હોય. આ રચના છન્દોબદ્ધ હોવાથી આખ્યાયિકા અને ગદ્ય કથાથી ભિન્ન છે પરંતુ તત્ત્વોની દષ્ટિએ એક છે. હેમચન્દ્ર કથાકાવ્યના આખ્યાન, મજ્જલિકા, અભુત કથા, ઉપકથા, સકલકથા, ખંડકથા વગેરે અનેક ભેદોનું વર્ણન કર્યું છે. આમાં બે ભેદો મુખ્ય છે – ૧. સકલકથા અને ૨. ખંડકથા. સકલકથા કાવ્યમાં મહાકાવ્યની જેમ જીવનના પૂર્ણ ભાગનું ચિત્રણ હોય છે. તેનું કથાનક વિસ્તૃત હોય છે અને તેમાં અવાન્તર કથાઓની યોજના પણ હોય છે પરંતુ મહાકાવ્યાય બન્ધનો(સર્ગબદ્ધતા, છન્દપ્રયોગ, ભાષાની ગુરુતા વગેરે)ના અભાવમાં સકલકથા કાવ્ય મહાકાવ્યથી જુદા પ્રકારનું કાવ્ય છે. જૈનોનાં અધિકાંશ ચરિતકાવ્યો આ ૧. આદિપુરાણ, ૧. ૧૦૦. ૨.એજન, ૧. ૧૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રકારમાં સમાવેશ પામે છે; ઉદાહરણાર્થ સમરાદિત્યચરિત (પ્રદ્યુમ્નસૂરિકૃત), નિર્વાણલીલાવતી (જિનેશ્વરસૂરિષ્કૃત) વગેરે.' ખંડકથા કાવ્યમાં જીવનના કોઈ એક પક્ષનું ચિત્રણ હોય છે, અથવા કોઈ એક જ ધટનાને મહત્ત્વ આપવામાં આવ્યું હોય છે. અવાન્તર કથાઓની યોજના તેમાં પ્રાયઃ નથી હોતી. તેને ખંડકાવ્ય નામે પણ ઓળખવામાં આવે છે. કાલિદાસનું મેઘદૂત અને જૈન વિદ્વાનોએ રચેલાં આ પ્રકારનાં અનેક કાવ્યો કાવ્યના આ પ્રકારમાં સમાવેશ પામે છે. - મુક્તક કાવ્યના પણ બે પેટાભેદ છે · પાઠ્ય અને ગેય. ભર્તૃહરિનું નીતિશતક વગેરે પાઠ્ય મુક્તકનાં ઉદાહરણ છે જ્યારે જયદેવનું ગીતગોવિંદ ગેય મુક્તકનું ઉદાહરણ છે. પદ્મોની સંખ્યા અનુસાર પણ મુક્તકના અનેક ભેદ છે જેમકે એક પઘની સ્ફુટ કવિતા મુક્તક, બે પદ્યવાળું યુગ્મ યા સન્દાનિતક, ત્રણ પઘવાળું વિશેષક, પાંચ પઘવાળું કલાપક, પાંચથી બાર કે ચૌદ સુધી કુલક, શત પઘવાળું શતક, વગેરે. જૈન કાવ્યસાહિત્ય મહાકાવ્યોના પ્રકાર પાશ્ચાત્ય સમીક્ષાશાસ્ત્રીઓએ મહાકાવ્યનાં બે રૂપો સ્વીકાર્યાં છે ઃ ૧. સંકલનાત્મક મહાકાવ્ય (Epic of growth) અને ૨. અલંકૃત મહાકાવ્ય. સંકલનાત્મક એ તે વિકસનશીલ મહાકાવ્યો છે જેમને અનેક વિદ્વાનોએ વખતોવખત શણગાર્યાં છે, સંભાળ્યાં છે, પરિષ્કૃત કર્યાં છે, પરિવર્ધિત કર્યાં છે અને યુગો પછી તેમનું વર્તમાન રૂપ બન્યું છે. તે મહાકાવ્યો પ્રાચીન કેટલીક ગાથાઓના આધારે પલ્લવિત થયાં છે. ઉદાહરણ તરીકે રામાયણ અને મહાભારતનાં નામ તરત જ યાદ આવે છે. -- અલંકૃત મહાકાવ્યની રચના વ્યક્તિવિશેષ દ્વારા કરવામાં આવે છે. તેમાં કવિ કલાપક્ષ અને ભાષાશૈલી ઉપર વિશેષ ધ્યાન આપે છે. અલંકૃત મહાકાવ્યોનો પ્રાદુર્ભાવ રામાયણ અને મહાભારત પછી જ થયો છે. તેમનામાં એ બંનેની સ્વાભાવિકતા મળતી નથી. તેમનામાં કલાત્મકતા અને કૃત્રિમતાની તરફ વિશેષ ઝોક છે. અલંકૃત મહાકાવ્યોનાં કથાનકો અને શૈલી ઉપર રામાયણ અને મહાભારતનો પ્રભાવ પણ પ્રાયઃ જણાય છે, તેથી તેમને અનુકૃત મહાકાવ્ય પણ કહેવામાં આવે છે. જૈન કાવ્યસાહિત્યમાં વિકસનશીલ મહાકાવ્ય નથી. અલંકૃત યા અનુકૃત મહાકાવ્યોનું જ બાહુલ્ય છે. અલંકૃત મહાકાવ્યોને શૈલીની દૃષ્ટિએ ત્રણ ભેદોમાં ૧. જૈનોનાં વિશાળ કથાકાવ્યો(કથાસાહિત્ય)નું વિવેચન મહાકાવ્યોના વર્ણન પછી આપવામાં આવશે. Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક વિભક્ત કરી શકાય છે ૧. શાસ્ત્રીય મહાકાવ્ય, ૨. ઐતિહાસિક મહાકાવ્ય, ૩. પૌરાણિક મહાકાવ્ય. કેટલાંક મહાકાવ્યો એવાં છે જેમાં મિશ્ર શૈલીના પણ દર્શન થાય છે. એક તરફ શાસ્ત્રીય શૈલી તો બીજી તરફ ઐતિહાસિક શૈલી, જેમ કે હેમચન્દ્રકૃત કુમારપાલચિત. તેવી જ રીતે એક તરફ પૌરાણિક અને બીજી બાજુ ઐતિહાસિક, જેમ કે ઉદયપ્રભસૂરિનું ધર્માભ્યુદયકાવ્ય. કેટલાક વિદ્વાનો કેટલાંક પૌરાણિક મહાકાવ્યોમાં પ્રેમતત્ત્વ અને લૌકિક આખ્યાનોની પ્રુચરતા હોવાને કારણે તેમને રોમાંચક મહાકાવ્ય કહે છે પરંતુ ખરેખર જોઈએ તો ભારતીય કવિઓએ જે કથાઓ કદાચિત્ લૌકિક પ્રેમકથાઓ છે તે કથાઓને પણ સરસ રીતે પૌરાણિક રૂપમાં પ્રસ્તુત કરી છે, તેથી તે પૌરાણિક મહાકાવ્યો જ છે ૧. શાસ્ત્રીય મહાકાવ્ય તે ત્રણ રૂપોમાં મળે છે. પ્રથમ તો તે શાસ્ત્રીય મહાકાવ્ય જે ભામહ, દણ્ડી વગેરે અલંકારશાસ્ત્રીઓ દ્વારા નિર્મિત લક્ષણગ્રન્થો પહેલાં રચાયાં છે. તેમનામાં લક્ષણશાસ્ત્રીઓ દ્વારા પ્રતિપાદિત મહાકાવ્ય સંબંધી બધી રૂઢિઓ અને નિયમોનું અન્ધાનુકરણ કરવામાં આવ્યું નથી. તેમાં કવિએ પોતાની પ્રતિભાનો સ્વાભાવિક ઉપયોગ કર્યો છે, તેથી સ્વાભાવિકતાની સાથે કલાત્મકતાને પણ સ્થાન મળ્યું છે. આ શાસ્ત્રીય મહાકાવ્યો કાવ્યશાસ્ત્રની રીતિઓથી બંધાયેલા ન હોવાને કારણે રીતિમુક્ત શાસ્ત્રીય મહાકાવ્ય કહેવાય છે. આ પ્રકારના મહાકાવ્યોમાં અશ્વઘોષકૃત બુદ્ધચરિત અને સૌન્દરનન્દ, તથા કાલિદાસકૃત રઘુવંશ અને કુમારસંભવ ઉલ્લેખનીય છે. ૨૫ ― બીજા પ્રકારના શાસ્ત્રીય મહાકાવ્ય રીતિબદ્ધ છે. આ મહાકાવ્યો કાવ્યશાસ્ત્રીઓ દ્વારા પ્રણીત રીતિઓથી બદ્ધ છે. તેમનામાં કૃત્રિમતા, દુરુહતા અને પાંડિત્યપ્રદર્શનની પ્રચુરતા હોય છે. આવાં મહાકાવ્યોમાં કથાવસ્તુની ઉપેક્ષા હોય છે અને અલંકાર, વાક્ચાતુર્ય, પાંડિત્યપ્રદર્શન અને કલ્પનાઓનું વધુ પડતું બાહુલ્ય હોય છે. ભાવિકૃત કિરાતાર્જુનીયમ્, માઘકૃત શિશુપાલવધ, વસ્તુપાલકૃત નરનારાયણાનન્દ વગેરે આ પ્રકારનાં મહાકાવ્ય છે. ત્રીજા પ્રકારનાં શાસ્ત્રીય મહાકાવ્યોને આપણે શાસ્રકાવ્ય અને બહ્રર્થક કાવ્યના રૂપમાં જોઈએ છીએ. શાસ્રકાવ્યમાં કાવ્યની સાથે સાથે વ્યાકરણશાસ્ત્રના નિયમોનું પ્રદર્શન હોવાને કારણે તેને ઉક્ત નામ અપાયું છે. આનાં ઉદાહરણો છે ભટ્ટિકાવ્ય, હેમચન્દ્રકૃત ચાશ્રયકાવ્ય આદિ. બહ્રર્થક મહાકાવ્યોમાં બે કે બેથી વધારે કથાનકોને વિવિધ અલંકારો દ્વારા એવાં તો વણી લેવામાં આવ્યાં હોય છે કે વાચકને ચમત્કાર જેવું લાગે છે. આવાં મહાકાવ્યોમાં ધનંજયકૃત દ્વિસન્માન અને હેમચન્દ્રે તથા મેઘવિજયે રચેલાં સપ્તસંધાન વગેરે અનેક કાવ્યો છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨. ઐતિહાસિક મહાકાવ્ય રોમ, યૂનાન, ચીન જેવી ઈતિહાસલેખનની પરંપરા ભારતીય ઈતિહાસમાં દેખાતી નથી છતાં ભારતીય કવિ એ શૈલીથી તદન અપરિચિત હતા એવું નહિ કહી શકાય. ઈતિહાસને જાળવવાની વિવિધ શૈલીઓ - અભિલેખ, ગ્રન્થપ્રશસ્તિઓ, પ્રતિમાલેખ, પટ્ટાવલીઓ, તીર્થમાલાઓ વગેરેનું દર્શન આપણને ભારતીય સાહિત્યમાં પ્રચુરપણે થાય છે. ઐતિહાસિક મહાકાવ્યના રૂપમાં ગૌડવહો, ભુવનાભ્યુદય, નવસાહસાંકચરિત, વિક્રમાંકદેવચરિત, રાજતરંગિણી, દ્વયાશ્રયમહાકાવ્ય, સુકૃતસંકીર્તન વગેરે મળે છે. આ ઐતિહાસિક મહાકાવ્યો ઉપર કવિઓએ અનેક પૌરાણિક, કાલ્પનિક અને અનૈતિહાસિક ઘટનાઓનો રંગ ચડાવ્યો છે, તેથી તેમને વિશુદ્ધ ઐતિહાસિક મહાકાવ્ય ન કહી શકાય. . ૩. પૌરાણિક મહાકાવ્ય - પૌરાણિક મહાકાવ્યોનાં આદિ ઉદાહરણ રામાયણ અને મહાભારત છે. રામાયણની રચનાની ઉત્તરાવિધ ઈ.સ. બીજી શતાબ્દી મનાય છે. અને મહાભારતે અંતિમ રૂપ ધારણ ક૨વાની ઉત્તરાધિ ઈ.સ.પાંચમી શતાબ્દી મનાય છે. તેના પછી જ છઠ્ઠી શતાબ્દીમાં વિમલસૂરિની પ્રાકૃત કૃતિ પઉમચરિઉ, ૭મી શતાબ્દીમાં વિષેણનું સંસ્કૃત પદ્મપુરાણ તથા પછીની શતાબ્દીઓમાં સેંકડો રચનાઓ આ શૈલીમાં કરવામાં આવી છે. જૈન કવિઓએ મધ્યકાળમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં અનેક પૌરાણિક મહાકાવ્યોનું સર્જન કર્યું છે. આ ભાષાઓમાં રચાયેલાં મહાકાવ્યોએ પોતાનાં સમકાલીન અન્ય ભાષાઓનાં મહાકાવ્યોને પ્રભાવિત કર્યાં છે. અપભ્રંશનાં પ્રેમાખ્યાનક કાવ્યોમાં જે રોમાંચક તત્ત્વો મળે છે તેમનો સમાવેશ પણ આ પૌરાણિક મહાકાવ્યોમાં અહીંતહીં થયો છે. જૈન કાવ્યસાહિત્ય જૈન મહાકાવ્યોનું અન્ય સાહિત્યમાં સ્થાન વિશ્વસાહિત્યની શ્રેણીમાં જૈન મહાકાવ્યોની સ્થિતિ જાણવા માટે તથા ભારતીય મહાકાવ્યોની પ્રમુખ પ્રવૃત્તિઓમાં તેમનો ફાળો જાણવા માટે એ જરૂરી છે કે પાશ્ચાત્ય અને ભારતીય મહાકાવ્યોની પ્રમુખ પ્રવૃત્તિઓ ઉપર આપણે એક નજર નાખી લઈએ. પાશ્ચાત્ય સાહિત્યમાં મહાકાવ્યને ‘એપિક' કહેવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચીન કાવ્યવિવેચકોએ અર્થાત્ અરસ્ક્રૂ, કેમ્સ, હાલ્સ, વિલિયમ રોજ ઐનિટ, વૉલ્ટેર, એમ. ડિક્સન, એબરક્રોમ્બી, ટિલયાર્ડ, સી. એમ. બાબરા, ડબલ્યૂ, પી. કેર વગેરે વિદ્વાનોએ મહાકાવ્યની જે વ્યાખ્યાઓ અને પરિભાષાઓ નક્કી કરી છે તેમના દ્વારા નીચે જણાવેલાં પ્રમુખ તત્ત્વોની જાણકારી મળે છે Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક (૧) મહાકાવ્યનો ઉદ્દેશ મહાન હોય છે, તે આધ્યાત્મિક તથા ભૌતિક બંને ક્ષેત્રોને સ્પર્શે છે. તેનો ઉદ્દેશ કથાનકના માધ્યમથી ઉપદેશ દેવો, આનન્દ આપવો અને નવીન માનવસત્યોને પ્રગટ કરી નવીન માનવ સમાજનું નિર્માણ કરવું એ છે. ૨૭ (૨) આ ઉદ્દેશ પાર પાડવા માટે પ્રખ્યાત, વિશાળ અને મહત્ત્વપૂર્ણ કથાનક પસંદ કરવું જોઈએ જે પરંપરાપ્રાપ્ત કથાઓ કે ઐતિહાસિક ઘટનાઓ ઉપર આધારિત હોય. (૩) ઉક્ત ઉદ્દેશોનું પ્રતિનિધિત્વ એવા નાયક દ્વારા થાય છે જે મહાપુરુષ, શૂરવીર અને વિજેતા હોવો જોઈએ. તે માટે એ આવશ્યક નથી કે તે માનવ જ હોય, દેવતા વગેરે અલૌકિક વ્યક્તિ પણ નાયક હોઈ શકે છે. (૪) મહાકાવ્યમાં જીવનનાં વિવિધ રૂપો વડે જીવનનું સમગ્ર ચિત્રણ હોવું જોઈએ. આ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે મહાકાવ્યમાં ગૌણ પાત્રોની અવતારણા, વિવિધ ઘટનાઓની સૃષ્ટિ, અવાન્તર કથાઓની યોજના વગેરે તત્ત્વોના સમ્મિશ્રણથી સંઘટિત કથાનકનું સર્જન કરવું જોઈએ. (૫) મહાકાવ્યના કથાનકની પૂર્વ અને અ૫૨ ઘટનાઓ એકબીજી સાથે સમ્બદ્ધ હોવી જોઈએ. કથાનક અન્વિતિપૂર્ણ, ગતિશીલ અને સુસંગઠિત હોવું જોઈએ. (૬) મહાકાવ્યમાં અતિપ્રાકૃત અને અલૌકિક તત્ત્વોનો સમાવેશ હોવો સંભવે છે. ઈલિયડ, ઓડિસી, પેરેડાઈઝ લૉસ્ટ જેવાં મહાકાવ્યોમાં ભૂત, પ્રેત, દેવતા વગેરે અતિપ્રાકૃત પાત્રો અને એમનાં અલૌકિક કાર્યોનો સમાવેશ થયો છે. (૭) મહાકાવ્યની શૈલી ઉદાત્ત, ગંભીર અને મનોહારી હોવી જોઈએ. (૮) મહાકાવ્ય છંદોબદ્ધ રચના હોવી જોઈએ. છંદનો પ્રયોગ વર્જ્ય વિષયને અનુકૂળ હોવો જોઈએ તથા આદિથી અન્ત સુધી એક જ છંદનો પ્રયોગ હોવો જોઈએ. ભારતીય કાવ્યશાસ્ત્રીઓ અનુસાર મહાકાવ્યમાં નીચે જણાવેલાં તત્ત્વો હોવા જોઈએ. (૧) તે સર્ગ, આશ્વાસ કે લંભકોથી બદ્ધ હોવું જોઈએ. સર્ગો ન તો અધિક લાંબા જોઈએ કે ન તો અધિક ટૂંકા હોવા જોઈએ મહાકાવ્યમાં ઓછામાં ઓછા આઠ સર્ગ હોવા જોઈએ. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જેન કાવ્યસાહિત્ય (૨) મહાકાવ્યનો ઉદેશ ધર્મ, અર્થ અને કામનાં ફળને પ્રદર્શિત કરવાનો છે.' તેથી તેનું કથાનક વિશાળ હોવું જોઈએ અને કોઈ મોટી ઘટના ઉપર આશ્રિત હોવું જોઈએ. (૩) મહાકાવ્યમાં ઇતિહાસ અને પુરાણ સાથે સંબદ્ધ અથવા પરંપરાની દષ્ટિએ પ્રખ્યાત મહાપુરુષોનું ચરિત્રચિત્રણ હોવું જોઈએ. કથાનક અનુત્પાદ્ય (ઇતિહાસપુરાણાશ્રિત) તથા ઉત્પાદ્ય (કવિકલ્પનાજન્ય) એમ બે પ્રકારનું હોય છે. અનુત્પાદ્યનું . કેવળ માળખું લઈ કવિ પોતાની કલ્પનાથી મહાકાવ્યનું સર્જન કરે છે. (૪) કથાનકનો વિસ્તાર સંગઠિત અને વ્યવસ્થિત રૂપે કરવા માટે પાંચ નાટ્યસંધિઓની યોજના કરવી જોઈએ. (૫) જીવનના વ્યાપક અને ગંભીર અનુભવોનું ચિત્રણ કરવા માટે મહાકાવ્યમાં અવાન્તર કથાઓની યોજના કરવી જરૂરી છે. (૬) નાયક ઉપરાંત પ્રતિનાયક અને ગૌણ પાત્રોની અવતારણા પણ મહાકાવ્યમાં હોવી જોઈએ. (૭) મહાકાવ્યમાં અતિપ્રાકૃત અને અલૌકિક તત્ત્વોનું હોવું આવશ્યક છે. અલૌકિક કાર્ય દેવતા, રાક્ષસ, યક્ષ, વ્યત્તર આદિ દ્વારા જ નહિ પરંતુ મનુષ્યો અને મુનિઓ દ્વારા પણ દેખાડવું જરૂરી છે. (૮) મહાકાવ્યમાં કવિસંપ્રદાયસમ્મત રાત્રિ, પ્રાત:કાલ, મધ્યાહ્ન, સંધ્યા, ષડ્રઋતુ, પર્વત, વન, ઉદ્યાનક્રીડા, જલક્રીડા તથા અન્ય બાબતોનાં વર્ણન હોવાં જોઈએ. (૯) કાવ્યના આરંભમાં મંગલાચરણ, વસ્તુનિર્દેશ, સજ્જનપ્રશંસા અને ર્જનનિન્દા હોવાં જરૂરી છે. કાવ્યના અંતમાં હેમચન્દ્રાચાર્યના મતે કવિએ પોતાનો ઉદેશ પ્રગટ કરવો જોઈએ. (૧૦) મહાકાવ્યના મૂળ તત્ત્વના રૂપમાં રસનું સ્થાન પ્રમુખ છે. બધા આચાર્યોએ મહાકાવ્યમાં નવ રસોનું વિધાન અનિવાર્ય માન્યું છે. વિશ્વનાથે રસનું ક્ષેત્ર સીમિત કરતાં કહ્યું છે કે શૃંગાર, વીર અને શાન્તમાંથી કોઈ એક રસ પ્રધાન તથા અન્ય રસો ગૌણ હોવા જોઈએ. ૧. મહાપુરાણનૃશ્વિમહાનાય%ોવરમ્ | त्रिवर्गफलसन्दर्भ महाकाव्यं तदिष्यते ॥ आदिपुराण, १. ९९. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ૨૯ (૧૧) મહાકાવ્યનાં અનિવાર્ય તત્ત્વોમાં અલંકારની ગણના કરવામાં બધા આચાર્યો એકમત નથી. (૧૨) મહાકાવ્ય છંદોબદ્ધ હોવું જરૂરી છે. કેટલાક આચાર્યોના મતે સર્ગના અંતે ભિન્ન છંદનો પ્રયોગ કરવો જોઈએ. (૧૩) મહાકાવ્યમાં ઉદાત્ત ભાષાનો પ્રયોગ હોવો જોઈએ. તે બધી રીતિઓ, ગુણો અને અલંકારોથી યુક્ત હોવી જોઈએ. મહાકવિનું ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ હોવું જોઈએ. (૧૪) વિશ્વનાથ અનુસાર મહાકાવ્યનું શીર્ષક કવિ, કથાવસ્તુ કે ચરિતનાયકના નામ ઉપરથી રાખવું જોઈએ. (૧૫) વાલ્મટ અનુસાર પ્રત્યેક સર્ગનું છેલ્લું પદ્ય કવિ દ્વારા અભિપ્રેત શ્રી, લક્ષ્મી આદિ પદોથી અંકિત હોવું જોઈએ. પાશ્ચાત્ય અને ભારતીય મહાકાવ્યવિષયક માન્યતાઓ ઉપર વિચાર કરીશું તો જણાશે કે તેમની વચ્ચે ખાસ અંતર નથી. તેમ છતાં ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ મહાકાવ્યને કવિપરંપરાસખ્ખત નિયમોથી કસીને બાંધવાની કોશિશ કરી છે. તેઓ માને છે કે મહાકાવ્યમાં સુનિશ્ચિત વણ્ય વિષયોનાં વર્ણનો અવશ્ય હોવાં જોઈએ. મહાકાવ્યના આરંભમાં મંગલાચરણ, વસ્તુનિર્દેશ, સજ્જન-દુર્જન ચર્ચા, કવિ દ્વારા આત્મલાઘવ પ્રદર્શન વગેરે તથા મહાકાવ્યના અંતમાં ગુરુપરંપરાની પ્રશસ્તિ હોવી જોઈએ. મહાકાવ્ય સર્ચબદ્ધ હોવું જોઈએ અને સર્ગોની સંખ્યા ઓછામાં ઓછી આઠ હોવી જોઈએ તથા સર્ગના અંતિમ પદ્યમાં કવિએ અભિપ્રેત શબ્દની મુદ્રા લગાવવી જોઈએ. મહાકાવ્યનાં ઉપર્યુક્ત તત્ત્વોના પ્રકાશમાં જૈન મહાકાવ્યોમાં જે સમાનતા અને વિશેષતા છે તેને નીચે જણાવવામાં આવી છે – (૧) જૈન મહાકાવ્ય સર્ગના વિકલ્પ આશ્વાસક, કાંડ, પરિચ્છેદ, ઉત્સાહ, પર્વ, લંભક, પ્રકાશ વગેરેમાં વિભક્ત હોય છે. (૨) લગભગ બધાં જૈન મહાકાવ્યોનો પ્રારંભ મંગલાચરણ, વસ્તુનિર્દેશ, સજ્જનદુર્જનચર્ચા, આત્મલઘુતા, પૂર્વાચાર્યના સ્મરણથી થાય છે અને અધિકાંશ જૈન મહાકાવ્યોના અંતમાં કવિનો પરિચય અને તેમની ગુરુપરંપરા આપવામાં આવી હોય છે. (૩) તેમનું કથાનક ઇતિહાસ, પુરાણ, દન્તકથા, પ્રાચીન મહાકાવ્ય, સમસામયિક ઘટના કે વ્યક્તિ ઉપર આધારિત હોય છે. તેમનું કથાનક વ્યાપક અને સુસંગઠિત હોય છે. અધિકાંશ જૈન મહાકાવ્યોમાં પાંચ નાટ્યસંધિઓની યોજના દ્વારા કથાનકનો વિસ્તાર કરવામાં આવ્યો હોય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૦ (૪) કર્મ-ફલનો સંબંધ દર્શાવવા માટે પ્રાયઃ બધાં જૈન મહાકાવ્યોમાં પૂર્વભવની કથાઓ અને અવાન્તર કથાઓની યોજના કરવામાં આવી છે. જૈન કાવ્યસાહિત્ય (૫) જૈન મહાકાવ્યોમાં કવિસમયસમ્મત વર્જ્ય વિષયોનાં વર્ણનો અર્થાત્ સંધ્યા, રાત્રિ, સૂર્યોદય, ઋતુ, વન, પર્વત, જલક્રીડા વગેરેનાં વર્ણનો કોઈ વાર મૂળ કથામાં તો કોઈ વાર અવાન્તર કથાઓમાં આપવામાં આવે છે. અમરચંદ્રસૂરિએ તો વર્જ્ય વિષયોના ઉપવર્જ્ય વિષયોને બતાવીને વસ્તુવર્ણનને વધારી દીધું છે. (૬) જૈન મહાકાવ્યોએ રસને મૂળ તત્ત્વ માન્યું છે. અધિકાંશ જૈન મહાકાવ્યોમાં શાન્ત રસની જ પ્રધાનતા છે; શૃંગાર, વીર વગેરેને ગૌણ સ્થાન અપાયું છે. (૭) જૈન મહાકાવ્યોમાં આવશ્યકતા અનુસાર અલંકારોનો ઉપયોગ થયો છે. વાગ્ભટે અલંકારોને મહાકાવ્યનાં પ્રમુખ લક્ષણોમાં સ્થાન આપ્યું નથી. (૮) જૈન મહાકાવ્યોમાં અનેકની ભાષાશૈલી પ્રૌઢ છે પરંતુ અધિકાંશ પૌરાણિક મહાકાવ્યોની ભાષા ગરિમાપૂર્ણ નથી. તેમની અંદર પ્રાકૃત, અપભ્રંશ, દેશી શબ્દોના સંમિશ્રણો જણાય છે. (૯) જૈન મહાકાવ્યોનો ઉદ્દેશ ખાસ કરીને ધર્મના ફળને દર્શાવવાનો છે તો પણ તેમાં ત્રિવર્ગનાં અર્થાત્ ધર્મ, અર્થ અને કામનાં ફળોની ચર્ચા છે અને છેવટનું ફળ મોક્ષપ્રાપ્તિ છે એમ દર્શાવ્યું છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ પૌરાણિક મહાકાવ્ય જૈન પૌરાણિક મહાકાવ્યોની પ્રમુખ વિશેષતાઓ અને પ્રવૃત્તિઓ (૧) જૈન પૌરાણિક મહાકાવ્યોની કથાવસ્તુ જૈનધર્મના શલાકાપુરુષો – તીર્થકર, રામ, કૃષ્ણ વગેરે ૬૩ મહાપુરુષોનાં જીવનચરિતોને લઈને નિબદ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય ધાર્મિક પુરુષોનાં જીવનચરિતો પણ તેમાં વર્ણવવામાં આવ્યાં છે. કોઈ કોઈ વાર વ્રત, તીર્થ, પંચ નમસ્કાર વગેરેનું માહાભ્ય દર્શાવવા માટે પણ મહાકાવ્યની રચના કરવામાં આવી છે. આ મહાકાવ્યોને પુરાણ, ચરિત કે માહાભ્ય મહાકાવ્યના નામથી પણ ઓળખવામાં આવે છે. (૨) આ જીવનચરિતોનાં મૂળ જૈન આગમો અને ભાષ્યો તથા પ્રાચીન પુરાણોમાં છે. કથાનકમાં કલ્પના દ્વારા પણ પરિવર્તન કરવાની ચેષ્ટા કરવામાં આવી નથી. (૩) આ બધાં મહાકાવ્યો ધાર્મિક છે. કથાના માધ્યમથી ધર્મોપદેશ આપવાનો તેમનો ઉદ્દેશ છે. તેથી તેમનામાં કાવ્યરસ ગૌણ અને ધર્મભાવ પ્રધાન છે. આત્મજ્ઞાન, સંસારની નશ્વરતા, વિષયત્યાગ, વૈરાગ્યભાવના, શ્રાવકોના આચાર વગેરેનું પ્રતિપાદન તથા નૈતિક જીવનની ઉન્નતિ માટે આદર્શોની યોજના આ કૃતિઓના મુખ્ય વિષયો છે. (૪) કર્મફળની અનિવાર્યતા દેખાડવા માટે ચરિતનાયકો અને અન્ય પાત્રોના પૂર્વભવોની કથા મૂલ કથાના આવશ્યક અંગ રૂપે કહેવામાં આવે છે. (૫) અનેક મહાકાવ્યોમાં સ્તોત્રોની યોજના કરવામાં આવી છે. સ્તોત્રોમાં તીર્થકરો કે પૌરાણિક પુરુષો કે મુનિઓની સ્તુતિ કરવામાં આવી છે. કોઈ કોઈ મહાકાવ્યમાં તીર્થસ્થાનો અને વ્રતોનું માહાભ્ય વર્ણવવામાં આવ્યું છે. (૬) કેટલાંય મહાકાવ્યોમાં બ્રાહ્મણ, બૌદ્ધ, ચાર્વાક વગેરે દર્શનના સિદ્ધાન્તોનું ખંડન અને જૈન દર્શનનું સ્થાપન કરવામાં આવ્યું છે. (૭) કેટલાંક મહાકાવ્ય ભાવાત્મક કામ, મોહ, અહંકાર, અજ્ઞાન, રાગ વગેરે તત્ત્વોને પ્રતીકયોજના દ્વારા પાટાના રૂપમાં પ્રસ્તુત કરે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન કાવ્યસાહિત્ય (૮) અધિકાંશ મહાકાવ્યોમાં મૂળ કથાની સાથે અનેક અવાન્તર કથાઓ આપવામાં આવી છે, આ કારણે કથાનકમાં શિથિલતા જણાય છે. તેમ છતાં આ અવાન્તર કથાઓમાં પ્રચલિત લોકકથાઓનું પ્રચુર માત્રામાં દર્શન થાય છે. આ અવાન્તર કથાઓ કોઈ કોઈ વાર તો એક તૃતીયાંશ કે અડધાથી પણ અધિક ભાગને રોકે છે. (૯) રચનાવિન્યાસમાં પ્રારંભ પ્રાયઃ એકસરખો દેખાય છે – જેમ કે તીર્થકરોની સ્તુતિ, પૂર્વકવિઓ અને વિદ્વાનોનું સ્મરણ, સજ્જન-દુર્જન ચર્ચા, દેશ, નગર, રાજા, રાણીનું વર્ણન, તીર્થકર કે મુનિનું નગરની બહાર ઉદ્યાનમાં આગમન, રાજા કે નગરજનોનું ત્યાં આગમન, ઉપદેશ સાંભળવો અને સંવાદરૂપ પુકથાનું વર્ણન. (૧૦) શાસ્ત્રીય મહાકાવ્યોચિત વર્યુ વિષયોમાં નદી, પર્વત, સાગર, પ્રાતઃ, સંધ્યા, રાત્રિ, ચંદ્રોદય, સુરાપાન, સુરતિ, જલક્રીડા, ઉદ્યાનક્રીડા, વસન્ત વગેરે ઋતુ, શારીરિક સૌન્દર્ય, જન્મ, વિવાહ, યુદ્ધ અને દીક્ષા વગેરેના વર્ણન દ્વારા સમગ્ર જીવનનું ચિત્ર ઊભું કરવામાં આવે છે. (૧૧) આ મહાકાવ્યોમાં અલૌકિક અને અપ્રાકૃત તત્ત્વોની પ્રધાનતા જણાય છે. તેઓ દિવ્યલોકો, દિવ્યપુરુષો, દિવ્યયુગોની કલ્પનાથી ઉભરાય છે, સાથે સાથે જ સમયે સમયે વિદ્યાધર, યક્ષ, ગન્ધર્વ, દેવ, રાક્ષસ વગેરેની ઉપસ્થિતિથી પાત્રોને સહાય કરવામાં આવી છે. તેમની ઉપસ્થિતિનો સંબંધ પૂર્વભવોનાં કર્મો સાથે જોડી તે અસ્વાભાવિકતાને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (૧૨) આ મહાકાવ્યોમાં અનેક પ્રેમાખ્યાનક કાવ્યો છે જેમની અંદર પ્રેમ, મિલન, દૂતપ્રેષણ, સૈનિક અભિયાન, નગરાવરોધ, યુદ્ધ અને વિવાહને મહત્ત્વ આપવામાં આવ્યું છે. (૧૩) પૌરાણિક મહાકાવ્યોમાં મહાકાવ્યની પરંપરાથી વિપરીત ક્યાંક ક્યાંક ક્ષત્રિયકુલોત્પન્ન ધીરાદાત્ત રાજાને નાયક ન બનાવી તેના બદલે મધ્યમ શ્રેણીના વણિકુ આદિ પુરુષોને અને ક્યાંક સ્ત્રીને પ્રમુખ પાત્રના રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. (૧૪) આ મહાકાવ્યો રસની દૃષ્ટિએ અધિકાંશ શાન્તરસપર્યવસાયી છે. તથાપિ તેમનામાં આવશ્યકતા અનુસાર શૃંગાર, વીર, રૌદ્ર, ભયાનક રસોનું વર્ણન છે, પરંતુ પ્રધાનતા તો શાન્તરસને જ આપવામાં આવી છે. જીવનની અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી અન્ને કોઈ મુનિનો ઉપદેશ સાંભળી જીવન અને સંસારથી વિરક્તિ દર્શાવવી, સંક્ષેપમાં આ જ બધા પૌરાણિક મહાકાવ્યોનું લક્ષ્ય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૩૩ (૧૫) શાસ્ત્રીય નિયમો અનુસાર “વલ્પો મહાવ્યમ્' અર્થાત્ મહાકાવ્ય સર્ચબદ્ધ હોવું જોઈએ. અધિકાંશ પૌરાણિક મહાકાવ્ય સર્ચબદ્ધ છે, પરંતુ કેટલાંક મહાકાવ્યોની કથાનું વિભાજન ઉત્સાહ, પર્વ, લંભક વગેરે નામોવાળા વિભાગોમાં થયું છે. (૧૬) આ પૌરાણિક મહાકાવ્યો શિક્ષિત અને પંડિત વર્ગની અપેક્ષાએ વિશેષતઃ જનસાધારણને ધ્યાનમાં રાખી રચાયાં છે. તેથી તેમની ભાષા સરલ અને સ્વચ્છંદી છે. ૧૩મી-૧૪મી શતાબ્દી તથા તેના પછીના સમયનાં મહાકાવ્યોમાં કહેવતો, લોકોક્તિઓ તથા દેશી શબ્દોના પ્રયોગોથી ભાષા વ્યાવહારિક અને બોલચાલની ભાષા જેવી બની ગઈ છે. (૧૭) આ મહાકાવ્યોમાં અનુષ્પ છંદનો પ્રયોગ અધિક થયો છે. અન્ય છંદોમાં ઉપજાતિ, માલિની, વસન્તતિલકા, વગેરે મુખ્ય છંદોનો પ્રયોગ બહોળો થયો છે. તેમાં અનેક પ્રકારના અર્ધસમ અને વિષમ વર્ણિક છંદો તથા અપ્રચલિત છંદોનો પ્રયોગ પણ થયો છે, જેમાં ષટ્રપદી, કુંડલિક, આખ્યાનકી, વૈતાલીય, વેગવતીનાં નામો ઉલ્લેખનીય છે. વણિક છંદોમાં છંદશાસ્ત્રના નિયમ અનુસાર જ્યાં જ્યાં યતિનું વિધાન છે ત્યાં અત્યાનુપ્રાસના પ્રયોગ વડે છંદને નવીન રૂપ આપવામાં આવ્યું છે. કેટલાંક મહાકાવ્યોમાં માત્રિક છંદોનો પ્રયોગ અધિક થયો છે, પરંતુ ક્યાંક ક્યાંક આ છંદોમાં અત્યાનુપ્રાસના પ્રયોગથી છંદોમાં ગેયતા ગુણ અધિક . આવ્યો છે અને લયમાં ગતિશીલતા પણ આવી છે. આ અન્યાનુપ્રાસ પ્રત્યેક ચરણના અંતમાં જ નહિ પરંતુ ચરણના મધ્યમાં પણ મળે છે. પ્રતિનિધિ રચનાઓ અને તેમના ઉપર આધારિત સંક્ષિપ્ત કૃતિઓ જૈન પૌરાણિક મહાકાવ્યોનો પરિચય દેવાના ક્રમમાં અમારી પદ્ધતિ નીચે મુજબ રહેશે. સૌપ્રથમ અમે તે પ્રતિનિધિ રચનાઓનું વિવેચન કરીશું જે ઉત્તરવર્તી પૌરાણિક કાવ્યોનો આધાર છે, સ્રોત છે, ઉપાદાન છે. પ્રત્યેક પ્રતિનિધિ રચનાની સાથે તેના આધાર ઉપર રચાયેલી સંક્ષિપ્ત કૃતિઓનું પણ વિવરણ આપવામાં આવશે, જેથી એક એકનું ચિત્ર સામે આવતું જાય. ત્યાર પછી અલગ અલગ તીર્થકરો અને અન્ય શલાકાપુરુષોનાં ચરિતોનું વિવરણ આપવામાં આવશે અને એ જ રીતે અન્ય પ્રભાવક આચાર્યો અને પુરુષોનાં ચરિતોનાં વિવરણ પણ. જૈન મહાકાવ્યોની અનેક પ્રતિનિધિ રચનાઓ આજ સુધી અનુપલબ્ધ છે. દાક્ષિણ્યાંક આચાર્ય ઉદ્યોતનસૂરિએ પોતાની કુવલયમાલા’ કથાની પ્રસ્તાવનામાં પાદલિપ્તની તરંગવતી, પપર્ણક કવિઓની રચના ગાથાકોશ, વિમલાંકનું Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન કાવ્યસાહિત્ય પઉમરિયમ્, દેવગુરૂનું સુપુરુષચરિત, હરિવર્ષની હરિવંશોત્પત્તિ, સુલોચનાકથા, રાજર્ષિ પ્રભંજનનું યશોધરચરિત વગેરે અનેક કવિઓ અને રચનાઓનો ઉલ્લેખ કર્યો છે, તેમાંથી અમુક જ મળી શકી છે જ્યારે અનેક મળી શકી નથી. તેવી જ રીતે સંપદાસગણિનો વસુદેવહિડી ગ્રન્થ ખંડિત મળ્યો છે. ભદ્રબાહુકૃત વસુદેવચરિતનો કેવળ ઉલ્લેખ જ મળે છે. કવિ પરમેષ્ઠિકૃત “વાગર્થસંગ્રહ' તથા ચતુર્મુખનું “પહેમચરિલ' અને હરિવંશપુરાણ આજ સુધી અનુપલબ્ધ છે. જે ઉપલબ્ધ છે તેમનો જ પરિચય આપવામાં આવશે. ભારતીય સાહિત્યમાં કેટલાંક એવાં રાષ્ટ્રીય ચરિત્ર છે જે બધા જ વર્ગોને રુચિકર છે. રામ અને કૃષ્ણ તથા કૌરવ-પાંડવોનાં ચરિત્ર આ પ્રકારનાં છે. તેમની કથાવસ્તુને લઈને રામાયણ, મહાભારત અને હરિવંશપુરાણનું સર્જન થયું છે. વાલ્મીકિ રામાયણ આદિકાવ્ય મનાય છે. જૈનોનાં પૌરાણિક મહાકાવ્ય પણ આ રાષ્ટ્રીય ચરિત્રોને લઈને શરૂ થાય છે. આ ક્રમમાં વિ.સં.પ૩૦માં રચાયેલું વિમલસૂરિનું પઉમચરિયું પ્રાકૃતમાં લખાયેલું પ્રથમ જૈન મહાકાવ્ય છે. તેના આધારે કેટલીક સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ પણ થઈ છે. તેવી જ રીતે કૌરવ-પાંડવોના ચરિતને લઈને જિનસેને શક સં. ૭૦પમાં હરિવંશપુરાણની રચના કરી. તેના અનુકરણ રૂપે પછીની શતાબ્દીઓમાં પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃતમાં કેટલીય કૃતિઓનું સર્જન થયું. રામાયણ અને મહાભારત વિષયક રચનાઓ પછી કાળની દૃષ્ટિએ મહાપુરાણોનો ક્રમ આવે છે જેમાં ત્રિષષ્ટિશલાકા પુરુષોનાં ચરિતો વર્ણિત છે. તેમનો પ્રારંભ જિનસેન-ગુણભદ્રનાં મહાપુરાણ-ઉત્તરપુરાણથી (૯મી શતાબ્દીનો ઉત્તરાર્ધ) થાય છે. તેમનો આધાર લઈને કેટલીય રચનાઓ એ નામે કે પુરાણસારસંગ્રહ ૧. તેમનો ઉલ્લેખ જૈન આગમોમાં અર્થાત્ સમવાયાંગ, જ્ઞાતાધર્મકથા, કલ્પસૂત્ર, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, ત્રિલોકપ્રજ્ઞપ્તિ, આવશ્યકનિયુક્તિચૂર્ણિ, વિશેષાવશ્યકભાષ્ય અને વસુદેવહિડીમાં મળે છે. ત્યાં તેમને “ઉત્તમ પુરુષ'ની સંજ્ઞા આપી છે. પરંતુ પછી “શલાકાપુરુષ' સંજ્ઞા રૂઢ થઈ. આ શલાકાપુરુષોની સંખ્યા જિનસેન અને હેમચન્દ્ર ૬૩ આપી છે. સમવાયાંગ (સૂ. ૧૩૨)માં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ નારાયણ, ૯ બલદેવને જ “ઉત્તમ પુરુષ માની ૫૪ સંખ્યા આપી છે પરંતુ તેમાં ૯ પ્રતિનારાયણોને ઉમેરતાં ૬૩ સંખ્યા થાય છે. ભદ્રેશ્વરે પોતાની “કહાવલિ'માં ૯ નારદોની સંખ્યા ઉમેરી શલાકાપુરુષોની સંખ્યા ૭ર આપી છે. હેમચન્દ્ર “શલાકાપુરુષ'નો અર્થ “નાતરેરવા.” કર્યો છે અને ભદ્રેશ્વરસૂરિએ “સમ્યક્તરૂપ શલાકાથી યુક્ત' એવો અર્થ કર્યો છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય યા ચતુર્વિંશતિજિનેન્દ્રચરિત્ર, ત્રિષષ્ટિસ્મૃતિ આદિ નામે રચાઈ. આ વિષયનો પ્રાકૃત ગ્રન્થ ‘ચઉપન્નમહાપુરિસરિય’ અને ‘કહાવલિ' પણ ઉલ્લેખનીય છે. સંસ્કૃતમાં વિરચિત હેમચંદ્રાચાર્યનું ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' મહાન આકર ગ્રંથ છે. તેમાં જ અનેક પૌરાણિક મહાકાવ્યોનો સમાવેશ છે. તેના લધુસંસ્કરણરૂપ કેટલીક રચનાઓ મળી છે. તેમનું ક્રમશઃ વિવેચન કરવામાં આવશે. રામાયણ, મહાભારત તથા મહાપુરાણો પછી અલગ અલગ તીર્થંકરોના જીવનચરિતો અધિક સંખ્યામાં મળે છે, જેમની રચના ૧૦મીથી ૧૮મી શતાબ્દી સુધીમાં થઈ છે. તેમનું વિવેચન પણ ક્રમશઃ કરવામાં આવશે. ૩૫ રામવિષયક પૌરાણિક મહાકાવ્ય પઉમચરિય – પ્રાકૃત ભાષામાં નિબદ્ધ આ કૃતિ જૈન પુરાણસાહિત્યમાં સૌથી પ્રાચીન કૃતિ છે. તેમાં જૈન માન્યતા અનુસાર રામકથાનું વર્ણન છે. આ ગ્રંથ ૧૧૮ અધિકારોમાં વિભક્ત છે. તેમાં કુલ ૮૬૫૧ ગાથાઓ છે. તે બાર હજાર શ્લોકપ્રમાણ છે. તેમાં રામનું નામ પદ્મ છે. તેમાં રામ નામનો પ્રયોગ પણ દેખાય છે. આ ગ્રંથ રચવામાં ગ્રંથકારનો મૂળ ઉદ્દેશ એ હતો કે તે પ્રચલિત રામકથાના બ્રાહ્મણ રૂપ સમાન પોતાના સંપ્રદાયના લોકો માટે રામકથાનું જૈન રૂપ રજૂ કરે. ઘણી બાબતોમાં તેમની રામકથા વાલ્મીકિ રામાયણથી ભિન્ન છે. લાગે છે કે વિમલસૂરિની સમક્ષ રામકથા સંબંધી કેટલીક એવી સામગ્રી પણ હતી જે વાલ્મીકિ રામાયણમાં ઉપલબ્ધ ન હતી કે કંઈક જુદી હતી, જેમકે રામનો સ્વેચ્છાપૂર્વક વનવાસ, સ્વર્ણમૃગની અનુપસ્થિતિ, સીતાનો ભાઈ ભામંડલ, રામ અને હનુમાનના અનેક વિવાહ, સેતુબંધનો અભાવ વગેરે. આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં રાવણ, કુંભકર્ણ અને સુગ્રીવ, હનુમાન વગેરે રાક્ષસો અને વાનરોને દૈત્યો અને પશુઓના રૂપમાં ચીતરવામાં નથી આવ્યા પરંતુ તેમને સુસંસ્કૃત મનુષ્યોના રૂપમાં આલેખવામાં આવ્યા છે. ૧. પ્રાકૃત ગ્રન્થ પરિષદ્, વારાણસી, ૧૯૬૨. ગ્રંથનું નામ પ્રત્યેક સર્ગના અંતે ‘પઉમરિયમ્’ આપવામાં આવ્યું છે. તેને ક્યારેક ક્યારેક રાઘવચરિત, રામદેવરત અને રામારવિન્દચરિત પણ કહેવામાં આવેલ છે. આ ઉપરાંત તેને પુરાણ સંજ્ઞા પણ આપવામાં આવી છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જેન કાવ્યસાહિત્ય ગ્રંથકર્તાએ પોતાના પૂર્વ સ્રોતોને સૂચિત કરતાં કહ્યું છે કે તેમને આ કથાનક પૂર્વ' નામના આગમમાં કથિત અને નામાવલિનિબદ્ધ તથા આચાર્યપરંપરાગત રૂપમાં મળ્યું હતું. જે સૂત્રોને આધારે આ ગ્રંથ રચવામાં આવ્યો છે તેમનો નિર્દેશ ગ્રન્થના પ્રથમ ઉદેશમાં કરવામાં આવ્યો છે, તો પણ ગ્રંથરચનાની પ્રેરણા અંગે જે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે તેમાંથી સંકેત મળે છે કે લેખકની સમક્ષ વાલ્મીકિ રામાયણ અવશ્ય હતું અને તેમાંથી પ્રેરણા લઈને તેમણે પોતાના “પૂર્વ સાહિત્ય અને ગુરુપરંપરાથી પ્રાપ્ત સૂત્રોને પલ્લવિત કરી આ ગ્રન્થનું સર્જન કર્યું છે. લેખક અનુસાર ગ્રંથની કથાવસ્તુ સાત અધિકારમાં વિભક્ત છે – સ્થિતિ, વંશોત્પત્તિ, પ્રસ્થાન, રણ, લવકુશોત્પત્તિ, નિર્વાણ અને અનેક ભવ. કથાનક જૈન માન્યતા અનુસાર સૃષ્ટિના વર્ણનથી શરૂ થાય છે અને પ્રથમ ૨૪ ઉદેશોમાં ઋષભ વગેરે તીર્થકરોના વર્ણન સાથે ઈક્વાકુવંશ, ચંદ્રવંશની ઉત્પત્તિ દર્શાવતાં વિદ્યાધરવંશોમાં રાક્ષસવંશ અને વાનરવંશોનો પરિચય આપ્યો છે. રામના જન્મથી લંકાથી પાછા ફર્યા પછી તેમનો અભિષેક થયો ત્યાં સુધી અર્થાતું રામાયણનો મુખ્ય ભાગ રૂપથી ૮૬ સુધીના ૬૧ ઉદ્દેશો કે પર્વોમાં આપવામાં આવ્યો છે. ગ્રંથના શેષ ભાગમાં સીતાનિર્વાસન, લવાંગકુશની ઉત્પત્તિ, દેશવિજય અને સમાગમ, પૂર્વભવોનું વર્ણન આદિ વિસ્તારપૂર્વક નિરૂપી અંતે રામને કેવળજ્ઞાન થવું અને નિર્વાણ પ્રાપ્ત થવું એ ઘટનાઓ સાથે ગ્રંથ સમાપ્ત થાય છે. રામચરિત ઉપર આ એક એવી પ્રથમ જૈન રચના છે જેમાં યથાર્થતાનું દર્શન થાય છે અને જેમાં અનેક ઉટપટાંગ તથા અતાર્કિક વાતોનું નિરસન થયું છે. તેમાં પાત્રોના ચરિત્રચિત્રણમાં પરિસ્થિતિવશ ઉદાત્ત ભૂમિકા રજૂ કરવામાં આવી છે, અને પુરુષ તથા સ્ત્રી ચરિત્રને ઊંચે ઉઠાવવામાં આવ્યાં છે. તેમાં કૈકેયીને ઈર્ષા જેવી દુર્ભાવનાના કલંકમાંથી બચાવવામાં આવી છે. દશરથે વૃદ્ધત્વને કારણે જ્યારે રાજ્ય છોડી વૈરાગ્ય ધારણ કરવાનો વિચાર કર્યો ત્યારે ગંભીર પ્રકૃતિવાળા ભરતને પણ વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. કૈકેયીની સમક્ષ પતિ અને પુત્ર બંનેના વિયોગની સમસ્યા ખડી થઈ અને તેણે ભરતને ગૃહસ્થ જીવનમાં બાંધી રાખવાની ભાવનાથી ભરતને રાજ્યપદ દેવા માટે દશરથ પાસે વર માગ્યો. રામ સ્વેચ્છાએ (દશરથની આજ્ઞાથી નહિ) વનમાં જાય છે. રામને પાછા લાવવા માટે કૈકેયી પોતે વનમાં જાય છે અને રામને કહે છે કે ભરતે હજુ ઘણું બધું શીખવાનું છે. રાજય તો તમારે જ કરવાનું છે. અકસ્માત મારાથી જે થયું તેનો વિચાર ન કરો, ક્ષમા કરો અને અયોધ્યા પાછા ચાલો. આ રીતે બાલિ અને રાવણના ચરિત્ર પણ અહીં ઉદાત્ત દર્શાવ્યાં છે. રાવણને ધાર્મિક અને વ્રતી પુરુષના રૂપમાં આલેખવામાં Page #59 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૩૭ આવેલ છે. તે સીતાનું અપહરણ તો કરી જાય છે પણ તેણે તેની ઈચ્છા વિરુદ્ધ બલાત્કાર કરવાનો વિચાર કે પ્રયત્ન કર્યો નહિ કારણ કે તેણે કોઈ પણ સ્ત્રી સાથે તે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સંભોગ ન કરવાનું વ્રત લઈ રાખ્યું હતું. તે સીતાને પાછી મોકલી દેવા ઈચ્છતો હતો પરંતુ લોકોની નજરમાં પોતે ડરપોક તરીકે ખપે એવા ભયને કારણે તેણે તેમ ન કર્યું. તેનો વિચાર યુદ્ધમાં રામ-લક્ષ્મણ ઉપર વિજય મેળવીને પછી વૈભવ સાથે સીતાને પાછી સોંપવાનો હતો. પઉમચરિયું રામચરિત ઉપરાંત અનેક કથાઓનો આકર છે. તેમાં અનેક અવાન્તર કથાઓ આપવામાં આવી છે તથા પરંપરાગત અનેક કથાઓને યથોચિત પરિવર્તન સાથે પ્રસંગનુકૂળ બનાવવામાં આવેલ છે અને કેટલીક નવી જ કથાઓનું સર્જન કરવામાં આવ્યું છે. જો વાલ્મીકિ રામાયણ સંસ્કૃત સાહિત્યનું આદિકાવ્ય છે તો પઉમચરિયું પ્રાકૃત સાહિત્યનું. તેની ભાષા મહારાષ્ટ્ર પ્રાકૃત છે. તેમાં દેશ, નગર, નદી, સમુદ્ર, અટવી, ઋતુ, શરીરસૌન્દર્યનાં વર્ણનો મહાકાવ્યોચિત છે. શૃંગાર, વીર અને કરુણ રસોની સુચારુ અભિવ્યક્તિ પણ સ્થાને સ્થાને થઈ છે તથા ઉચિત સ્થાનો ઉપર ભયાનક, રૌદ્ર, બીભત્સ, અદ્ભુત અને હાસ્ય રસનાં ઉદાહરણો પણ મળે છે. વર્ણનને અનુરૂપ ભાષા ઓજ, માધુર્ય અને પ્રસાદ ગુણોથી યુક્ત બનતી ગઈ છે. ઉપમા વગેરે અલંકારોનો પ્રયોગ પણ પ્રચુર માત્રામાં દેખાય છે તથા ગાથા છંદ ઉપરાંત ઉદેશોના મધ્યમાં સંસ્કૃતના છન્દો ઉપજાતિ, ઈન્દ્રવજા, ઉપેન્દ્રવજા, માલિની, વસન્તતિલકા, રુચિરા, શાર્દૂલવિક્રીડિત વગેરેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પઉમચરિયના અન્ત પરીક્ષણ દ્વારા આપણને ગુપ્ત-વાકાટક યુગની અનેક પ્રકારની ઐતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રી મળે છે. તેમાં વર્ણિત અનેક જનજાતિઓ, રાજ્યો અને રાજનૈતિક ઘટનાઓનો તત્કાલીન ભારતીય ઈતિહાસ સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના કિલકિલો અને શ્રીપર્વતીયોનો ઉલ્લેખ છે તથા આનન્દવંશ અને ક્ષત્રપ રુદ્રભૂતિનો પણ ઉલ્લેખ છે. ઉજ્જૈન અને દશપુરના રાજાઓ વચ્ચેના સંઘર્ષનું તથા ગુપ્ત રાજા કુમારગુપ્ત અને મહાક્ષત્રયો વચ્ચેના સંઘર્ષનું સૂચન પણ તેમાં મળે છે. તેમાં નંદ્યાવર્તપુરનો ઉલ્લેખ છે જેનું સામ્ય વાકાટકોની રાજધાની નન્દિવર્ધન સાથે સ્થાપવામાં આવે છે. ૧ ૧. આ આધારો ઉપરથી તેના રચનાકાળનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કાવ્ય-સાહિત્ય જૈનધર્મના સિદ્ધાન્તોના નિરૂપણની દૃષ્ટિએ પઉમચરિયું એવી રચના છે જે સામ્પ્રદાયિકતાથી પર છે. ગ્રંથમાં વર્ણવવામાં આવેલાં અનેક તથ્યોના વિશ્લેષણથી જણાય છે કે તેમાં શ્વેતાંબર, દિગંબર અને યાપનીય બધા સંપ્રદાયોનો સમાવેશ થઈ ગયો છે. સંભવતઃ વિમલસૂરિ એ યુગના હતા જ્યારે જૈનોમાં સાંપ્રદાયિકતાના વિભાગો ઊંડા થઈ શક્યા ન હતા. તેમના ઉપર સાંપ્રદાયિકતાનો કોઈ પ્રભાવ નથી. તેમણે પરંપરાથી જે સાંભળ્યું, વાંચ્યું અને દેખ્યું તેનું વર્ણન કર્યું છે પછી ભલે તે શ્વેતાંબર કે દિગંબર બંને પરંપરાઓને પ્રતિકૂલ હોય. રચનાર અને રચનાકાલ – ગ્રંથના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી આપણે જાણીએ છીએ કે તેના કર્તા નાઈલકુલ વંશના વિમલસૂરિ હતા, તે રાહુના પ્રશિષ્ય અને વિજયના શિષ્ય હતા. આ સિવાય કવિના જીવન વિશે વધુ માહિતી નથી મળતી. પ્રશસ્તિની એક ગાથામાંથી જાણ થાય છે કે આ કૃતિ પ૩૦ વીરનિર્વાણ સંવતમાં અર્થાત્ ઈ.સ.૪માં રચાઈ હતી. પરંતુ આના ઉપર પાશ્ચાત્ય વિદ્વાન હ. યાકોબી અને જૈન વિદ્વાન મુનિ જિનવિજય, મુનિ કલ્યાણવિજય અને ૫. પરમાનન્દ શાસ્ત્રી તથા જૈનેતર વિદ્વાન કે. એચ. ધ્રુવે શંકા પ્રગટ કરી છે. સૌથી મોટી વાત તો એ છે કે જે નાઈલ કુલના તે આચાર્ય છે તેને નાઈલી શાખાના રૂપમાં વીર નિ. સં. પ૮૦ કે ૬૦૦ લગભગ વજ(વીર નિ. સં. પ૭૫)ના શિષ્ય વજસેને સ્થાપેલ, અને તે શાખામાં ઉત્પન્ન થયા હોવાથી તે અવશ્ય કેટલીક પેઢીઓ પછી થયા છે. તેથી વર્ષ પ૩૦, વીર નિ. સં. ન હોતાં પછીનો કોઈ સંવત હોવો જોઈએ. યાકોબીએ તેને તૃતીય શતાબ્દીની રચના માની છે, અને ડૉ. કે. આર. ચન્ટે તેને વિ.સં. પ૩૦ની કૃતિ ગણી છે. પઉમચરિયું ઉપરાંત વિમલસૂરિની કેટલીક અન્ય રચનાઓ જણાવવામાં આવે છે. પરંતુ તે કૃતિઓનું કર્તુત્વ વિવાદાસ્પદ છે. “પ્રશ્નોત્તરમાલિકા' એક એવી રચના છે જેને બૌદ્ધ, બ્રાહ્મણ અને જૈન પોતપોતાના મતની બતાવે છે. હરિદાસ શાસ્ત્રી અને કેટલાક અન્ય વિદ્વાનો માને છે કે આ કૃતિ વિમલસૂરિની છે. કેટલાક વિદ્વાન તેને રાષ્ટ્રકૂટ નરેશ અમોઘવર્ષ (૯મી શતાબ્દી)ની રચના માને છે. ૧. પઉમરિયમ્, પ્રાકૃત ગ્રન્થ પરિષદુ, વારાણસી, ૧૯૬૨, જુઓ ડૉ. વી. એમ. કુલકર્ણીએ લખેલી પ્રસ્તાવના, પૃ. ૮-૧૫. ૨. એ ક્રિટિકલ સ્ટડી ઓફ પમિચરિયું, પૃ. ૧૭ ૩. પઉમચરિયની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૧૭, પ્રાકૃત ગ્રન્થ પરિષદુ, વારાણસી, ૧૯૬ ૨. Page #61 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય કુવલયમાલાની પ્રસ્તાવનારૂપ ગાથાઓમાં વિમલાંક વિમલસૂરિને યાદ કરવામાં આવ્યા છે અને તેમની ‘અમૃતમય સરસ પ્રાકૃત ભાષા'ની પ્રશંસા કરવામાં આવી છે (કૃતિ પઉમચયનો ઉલ્લેખ નથી પણ લક્ષ્ય તે જ છે). એક અન્ય ગાથા જે નીચે પ્રમાણે છે बुहयणसहस्सदयियं हरिवंसुप्पत्तिकारयं पढमं । वंदामि वंदियंपि हु हरिवरिसं चेय विमलपयं ॥ (જેનો અર્થ ડૉ. આ. ને. ઉપાધ્યેએ આ પ્રમાણે કર્યો છે પ્રથમ હરિવંશોત્પત્તિકા૨ક હરિવર્ષ કવિની બુધજનોમાં પ્રિય અને વિમલ અભિવ્યક્તિ (પદાવલી)ને કારણે વંદના કરું છું.') તેમાં કેટલાક શબ્દોમાં પરિવર્તન કરીને કેટલાક વિદ્વાનો કલ્પના કરે છે કે એમાંથી ‘હિરવંશચરિયના પ્રથમ રચિયતા વિમલસૂરિ’ એવો ધ્વનિ નીકળે છે. પરંતુ ઉક્ત ગાથાથી વિમલસૂરિનું હરિવંશકર્તૃત્વ સિદ્ધ થતું નથી. ડૉ. ઉપાધ્યેએ ઉક્ત ગાથાની બીજી પંક્તિમાં ‘વિસિં ચેય વિમત્તપર્યં’ના સ્થાને ‘રિવર્સ ચેય વિમતપયં' પરિવર્તિત કરવામાં આપત્તિ આપી છે કે તેમ કરતાં ઉક્ત ગાથામાં ‘હરિવંશ' શબ્દની પુનરાવૃત્તિ થાય છે. બીજી વાત એ છે કે ઉદ્યોતનસૂરિએ પ્રસ્તાવનારૂપ ગાથાઓમાં કાલક્રમથી અજૈન અને જૈન (ધે. તથા દિગં.) કવિઓને યાદ કર્યા છે. ઉક્ત ક્રમમાં વિમલાંક વિમલની પછી તિપુરિસયસિદ્ધ ‘સુપુરુષચરિત'ના સર્જક ગુપ્તવંશી દેવગુપ્ત, પછી પ્રથમ હરિવંશોત્પત્તિકારક હરિવર્ષ, તેના પછી સુલોચનાકથાકાર, યશોધરચરિતકાર પ્રભંજન, વરાંગચરિતકાર જટિલ, પદ્મચરિતકાર રવિષેણ તથા સમરાદિત્યકથાકાર અને પોતાના ગુરુ હિરભદ્રનું સ્મરણ કર્યું છે. જો વિમલસૂરિની હિરવંસ નામની કોઈ રચના હોત તો તેનો ઉલ્લેખ વિમલના ક્રમમાં હોત, પરંતુ એવું નથી. ત્યાં તો એક કવિ અને તેની રચનાના અંતરાળ પછી હિરવંશનો ઉલ્લેખ આવે છે. આ ‘હરિવંસુષ્પત્તિ’ ગ્રન્થ પ્રાકૃતમાં કે સંસ્કૃતમાં પણ હોઈ શકે છે કારણ કે પ્રસ્તાવનારૂપ ગાથાઓમાં પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષાઓના કવિઓનું સ્મરણ કરવામાં આવ્યું છે, તેથી ઉક્ત ગાથામાંથી વિમલસૂરિ કૃત ‘હરિવંસચિરયં' એવો ધ્વનિ કાઢવો સંભવ દેખાતો નથી. ૩૯ સીતારિત આમાં ૪૬૫ પ્રાકૃત ગાથાઓમાં ભુવનતુંગસૂરિએ સીતાનું ચરિત્ર લખ્યું છે. સીતાચરિત્ર ઉપર પ્રાકૃતમાં અજ્ઞાતકર્તૃક બે વધુ રચનાઓ મળે ૧. કુવલયમાલા (સિં. જૈ. ગ્રં. ૪૫), પૃ. ૩ ૨. એજન, ભાગ ૨, પ્રસ્તાવના, પૃ. ૭૬, અને નોટ્સ, પૃ. ૧૨૬ ૩. જિનરત્નકોશ, પૃ. ૪૪૨. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૦ છે. એકનો ગ્રંથાત્ર ૩૧૦૦ કે ૩૪૦૦ છે. બીજીની હસ્તપ્રતમાં સં. ૧૬૦૦ આપવામાં આવેલ છે. રામલક્ષ્મણચરિત્ર સીતાચરિત્રના રચનાક્રમમાં લખ્યું છે. પદ્મરિત યા પદ્મપુરાણ આ ચરિતની કથાવસ્તુ આઠમા બલભદ્ર પદ્મ (રામ), આઠમા નારાયણ લક્ષ્મણ, પ્રતિનારાયણ રાવણ તથા તેમના પરિવારો અને સંબદ્ધ વંશોનું ચરિતવર્ણન છે. આ રચના સંસ્કૃત છે. તેમાં ૧૨૩ પર્વ છે જેમાં અનુષ્ટુપના પ્રમાણથી ૧૮૦૨૩ શ્લોકો છે. સંસ્કૃત જૈન કથાસાહિત્યમાં આ સૌથી પ્રાચીન ગ્રંથ છે. – જૈન કાવ્યસાહિત્ય આને પણ ૨૦૮ ગાથાઓમાં ભુવનતુંગસૂરિએ આમાં અધિક પ્રમાણમાં અનુષ્ટુલ્ છન્દનો પ્રયોગ થયો છે. પ્રત્યેક પર્વના અંતે છંદમાં પરિવર્તન કરી વિવિધ વૃત્તોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ૪૨મા પર્વની રચના નાના છંદોમાં કરવામાં આવી છે. ૭૮મા પર્વની વિશેષતા એ છે કે તેમાં વૃત્તગન્ધિ ગદ્યનો પણ પ્રયોગ થયો છે, જેમાં ભુજંગપ્રપાત છન્દનો આભાસ મળે છે. ગ્રંથકારે રચનાના આધાર અંગે સૂચવ્યું છે કે તેનો વિષય શ્રી વર્ધમાન તીર્થંક૨ પાસેથી ગૌતમ ગણધરને અને તેમની પાસેથી ધારિણીના સુધર્માચાર્યને પ્રાપ્ત થયો. પછી પ્રભવને અને તેના પછી શ્રેષ્ઠ વક્તા કીર્તિધર આચાર્યને પ્રાપ્ત થયો. ત્યાર પછી તેમના લખાણને આધાર બનાવીને રવિષેણે આ ગ્રન્થ પ્રગટ કર્યો.૪ અપભ્રંશ પઉમચરિઉના સર્જક સ્વયંભૂએ પણ અનુત્તરવાગ્મી કીર્તિધરનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમની કૃતિ આજ સુધી મળી નથી અને તેમની આચાર્યપરંપરા પણ મળતી નથી. પ્રાકૃતમાં ‘પઉમરિયમ્'ની કથાવસ્તુના વિન્યાસ સમાન જ આ કૃતિમાં વસ્તુવિન્યાસ દેખાય છે. વિષય અને વર્ણન પ્રાયઃ જેમનાં તેમ તથા પર્વ-પ્રતિપર્વ અને પ્રાયઃ એકધારા અનેક પદ્યપ્રતિપદ્ય મળી જાય છે. તેથી લાગે છે કે આ ગ્રંથ વિમલસૂરિકૃત પઉમચરિયુંને સામે રાખી રચાયો હશે અને અનેક અંશોમાં ૧. એજન, પૃ. ૪૪૨ ૨. એજન, પૃ. ૩૩૧ ૩. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી ત્રણ ભાગમાં સાનુવાદ પ્રકાશિત, સન્ ૧૯૫૮-૫૯; મૂલ - મા. દિ. જૈ. ગ્રંથમાંલા, મુંબઈ, ૩ ભાગ, સન્ ૧૯૮૫; જિનરત્નકોશ, પૃ. ૨૩૩ ૪. પર્વ ૧૨૩, ૫. ૧૬૬. Page #63 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૪૧ તેનો છાયાનુવાદ હશે. તેમ છતાં બંને ગ્રંથોના તુલનાત્મક અધ્યયન દ્વારા વિદ્વાનોએ અનેકવિધ વ્યતિક્રમ, પરિવર્તન, પરિવર્ધન, વિભિન્ન સૈદ્ધાત્તિક માન્યતાઓ વગેરે તથ્યો તરફ ધ્યાન ખેંચ્યું છે. તે ઉપરાંત રવિણનાં કેટલાંય વિવેચનો એટલા તો પલ્લવિત અને પરિવર્ધિત છે કે સંસ્કૃતની આ કૃતિ પ્રાકૃત પઉમરિયમથી દોઢ ગણી કરતાં પણ વધારે છે. તેમ છતાં વિષયની દૃષ્ટિએ તેમાં કોઈ નવીન કથાવસ્તુનો સમાવેશ નથી." આ બંનેની તુલનાથી જે નિષ્કર્ષ નીકળે છે તે એ છે કે રવિષેણે આ કૃતિને પૂર્ણતઃ દિગંબર પરંપરાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે પઉમરિયમ્ સાંપ્રદાયિકતાથી પર છે યા શ્વેતાંબર-દિગંબર માન્યતાથી અલગ કોઈ ત્રીજી પરંપરા યાપનીયની કૃતિ છે. જૈન સાહિત્યમાં રામકથાના બે રૂપ મળે છે. એક રૂપ તો વિમલસૂરિના પઉમરિયમાં, પ્રસ્તુત પદ્મચરિતમાં અને હેમચન્દ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં, તથા બીજું રૂપ ગુણભદ્રના ઉત્તરપુરાણમાં, પુષ્પદન્તના મહાપુરાણમાં અને કન્નડ ' ચામુંડરાયપુરાણમાં. પહેલું રૂપ અધિકાંશતઃ વાલ્મીકિ રામાયણના જેવું છે જ્યારે બીજું રૂપ વિષ્ણુપુરાણ તથા બૌદ્ધ દશરથજાતક સાથે મળતું આવે છે. ગ્રન્થકારપરિચય અને રચનાકાળ – આ કૃતિના સર્જકનું નામ રવિષેણ છે. તેમણે પદ્મચરિતના ૧૨૩મા પર્વના ૧૬૭માં પદ્યના ઉત્તરાર્ધમાં પોતાની ગુરુપરંપરાનો ઉલ્લેખ આ રીતે કર્યો છે – ઇન્દ્રગુરુના શિષ્ય દિવાકર યતિ, દિવાકર યતિના શિષ્ય અહમ્મુનિ, અહમ્મુનિના શિષ્ય લક્ષ્મણસેન અને તેમના શિષ્ય રવિષેણ. પરંતુ રવિષેણે પોતાના સંઘ યા ગણગચ્છનો કોઈ ઉલ્લેખ કર્યો નથી કે ન તો તેમણે સ્થાનાદિની માહિતી આપી છે. પરંતુ સેનાન્સ નામથી અનુમાન થાય છે કે તે સંભવતઃ સેન સંઘના હોય. તેમના ગૃહસ્થજીવન અને તેમની અન્ય રચનાઓના વિષયમાં પણ કંઈ જાણ નથી. નસીબયોગે ગ્રંથકારે તેની રચનાનો સંવત આપી દીધો છે. તે મુજબ મહાવીરનિર્વાણના ૧૨૦૩ વર્ષ ૬ મહિના વીત્યા પછી આ કૃતિ રચાઈ છે. આ સૂચના અનુસાર તેની રચના વિ.સં. ૭૩૪ યા સન્ ૬૭૬ ઈ. માં થઈ છે. ૧. પં. ના. રા. પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૮૭-૧૦૮; પદ્મપુરાણ, પ્રસ્તાવના, પૃ. ૨૧-૩ર ૨. એજન, પૃ. ૯૩-૯૮ ૩. પર્વ ૧૨૩. ૧૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જૈન કાવ્યસાહિત્ય પરવર્તી આચાર્યોએ રવિષેણ અને તેમની કૃતિનો સમ્માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. ઉદ્યોતનસૂરિએ કુવલયમાલામાં અને જિનસેને (દ્ધિ.) હરિવંશપુરાણમાં તેમને યાદ કર્યા છે. રવિષેણે સુધર્માચાર્ય, પ્રભવ અને કીર્તિધર સિવાય કોઈ પૂર્વાચાર્ય યા પૂર્વવર્તી કૃતિનો ઉલ્લેખ કર્યો નથી. આ પદ્મચરિત ઉપર રાજા ભોજ (પરમાર)ના રાજ્યકાલ સં. ૧૮૮૭માં ધારાનગરીમાં શ્રીચન્દ્ર મુનિએ એક ટિપ્પણ લખ્યું છે.' રામાયણ – આ સરલ સંસ્કૃત ગદ્યમાં લખાયેલી રચના છે. કોઈ પૂર્વવર્તી પદ્યાત્મક કૃતિનું આ પરિવર્તિત રૂપ છે. તેને જૈન રામાયણ પણ કહે છે. રચયિતા અને રચનાકાળ – આની રચના તપાગચ્છીય વિજયદાનસૂરિના પ્રશિષ્ય અને રામવિજયના શિષ્ય દેવવિજયે વિ.સં. ૧૬પ૨માં કરી હતી. તેનું સંશોધન ધર્મસાગરગણિના શિષ્ય પદ્મસાગરે કર્યું હતું. પદ્મપુરાણ નામની અન્ય કૃતિઓ (સંસ્કૃત) – ૧. પદ્મપુરાણ – જિનદાસ (૧૬મી શતાબ્દી). તે ભટ્ટારક સકલકીર્તિના શિષ્ય હતા. તેમાં તેમણે રવિષેણના પદ્મપુરાણનું અનુસરણ કર્યું છે. તેનું બીજું નામ રામદેવપુરાણ છે. ૨. પદ્મપુરાણ (રામપુરાણ) – સોમસેન (સં. ૧૬૫૬) – ધર્મકીર્તિ (સં. ૧૬૬૯) – ચન્દ્રકીર્તિ ભટ્ટારક – ચન્દ્રસાગર – શ્રીચન્દ્ર – શુભવર્ધનગણિ (પ્રકાશિત - હીરાલાલ હંસરાજ કામનગર, સદ્. ૧૯૧૭) ૮. રામચરિત્ર – પદ્મનાભ ૯. પદ્મપુરાણપંજિકા – પ્રભાચન્દ્ર યા શ્રીચન્દ્ર જે ૪ % $ ૧. પૃ. ૪ (સિંઘી જૈન ગ્રંથમાલા, ૪૫) ૨. સર્ગ ૧. ૩૬ 3. પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૨૮૬-૨૯૦ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૩૧ - ૫. એજન, પૃ. ૨૩૪, ૩૩૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૪ ૩ રામકથાથી સંબદ્ધ અન્ય રચનાઓ (સંસ્કૃત) – ૧. સીતાચરિત્ર – આ કાવ્યમાં ૪ સર્ગ છે, જેમાં ક્રમશઃ ૯૫, ૯૯, ૧૫૩ અને ૨૦૯ પદ્ય છે. આ અપ્રકાશિત છે. તેની હસ્તલિખિત પ્રતિમાં સં. ૧૩૩૯ આપ્યો છે. ૨. સીતાચરિત્ર – શાન્તિસૂરિ ૩. ” – બ્રહ્મ. નેમિદત્ત – અમરદાસ મહાભારતવિષયક પૌરાણિક મહાકાવ્ય (સંસ્કૃત) : હરિવંશપુરાણ – મહાકાવ્યની શૈલીમાં રચાયેલું બ્રાહ્મણ પુરાણોનું અનુકરણ કરતું આ એક પુરાણ છે. આ ગ્રંથનો મુખ્ય વિષય હરિવંશમાં ઉત્પન્ન થયેલા ૨૨મા તીર્થંકર નેમિનાથનું ચરિત્ર છે. તેનું બીજું નામ અરિષ્ટનેમિપુરાણસંગ્રહ પણ છે જેનો ઉલ્લેખ પ્રત્યેક સર્ગની પુષ્યિકાના વાક્યમાં કરવામાં આવ્યો છે. ગ્રંથકારે આઠ અધિકારોમાં તેના વિષયનું પ્રતિપાદન કર્યું છે. તે આઠ અધિકારો છે – લોકના આકારનું વર્ણન, રાજવંશોની ઉત્પત્તિ, હરિવંશનો અવતાર, વસુદેવની ચેષ્ટાઓ, નેમિનાથનું ચરિત, દ્વારિકાનું નિર્માણ, યુદ્ધવર્ણન અને નિર્વાણ. આ ગ્રંથમાં ૬૬ સર્ગો છે. તેનો કુલ વિસ્તાર બાર હજાર શ્લોકપ્રમાણ છે. આ ગ્રંથ નેમિનાથપુરાણ જ નથી પરંતુ તેને કેન્દ્ર બનાવી તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, ધર્મનીતિ વગેરે અનેક વિષયો તથા અનેક ઉપાખ્યાનોનું નિરૂપણ થયું છે. લોકસંસ્થાનના રૂપમાં સૃષ્ટિવર્ણન ૪ સર્ગોમાં આપવામાં આવેલ છે. રાજવંશોત્પત્તિ અને હરિવંશાવતાર નામના અધિકારોમાં ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી, નવ નારાયણ વગેરે ત્રેસઠ શલાકાપુરુષોનાં અને સેંકડો અવાન્તર રાજાઓ અને વિદ્યાધરોનાં ચરિતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે તે એક મહાપુરાણને પણ પોતાનામાં ગર્ભરૂપે સમાવે છે. હરિવંશના પ્રસંગમાં ઐલ અને યદુવંશોનું પણ વર્ણન આપવામાં આવ્યું છે. ૧. એજન, પૃ.૪૪૨ ૨. મા. દિ. જૈ. ગ્રંથમાળા, મુંબઈ, ૨ ભાગ, સન્ ૧૯૩૦-૩૧; ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, ૧૯૬૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય પ્રાચીન જૈન સાહિત્યમાં કૃષ્ણના પિતા વસુદેવનું ચિરત બહુ રોચક અને વ્યાપક રૂપમાં આલેખાયું છે. આ આલેખનમાં ૧-૨ નહીં પણ ૧૫ સર્ગ (૧૯-૩૩ સર્ગ) રોકાયા છે. આ મોટો ભાગ ગ્રંથનો ચતુર્થાંશ જેટલો છે. આ ગ્રંથ પહેલાં ભદ્રબાહુકૃત ‘વસુદેવચરિત' (અનુપલબ્ધ) અને વસુદેવર્ષિડી (સંઘદાસગણિકૃત)માં વસુદેવની કૌતુકપૂર્ણ કથા કહેવામાં આવી છે. વસુદેવના ચરિત સાથે સંબદ્ધ શ્રી કૃષ્ણ, બલરામ તથા અન્ય યદુવંશી પુરુષો – પ્રદ્યુમ્ન, સામ્બ, જરકુમાર આદિનાં ચિરતો અને રાજગૃહના રાજા જરાસંધ અને મહાભારતના નાયકો કૌરવ-પાંડવોનું વર્ણન પણ જૈન માન્યતા અનુસાર રજૂ કરવામાં આવ્યું છે. ગ્રંથના ઉત્તરાર્ધને આપણે યદુવંશચિરત અને જૈન મહાભારત પણ કહી શકીએ. ૪૪ નેમિનાથનું આટલું વિસ્તૃત વર્ણન આના પહેલાં અન્યત્ર ક્યાંય સ્વતંત્ર રૂપે જોવા નથી મળતું. કેવળ ઉત્તરાધ્યયનસૂત્રના ‘રહનેમિજ્જ' નામના ૨૨મા અધ્યયનમાં તે ચરિત્ર અંશ રૂપે ૪૯ ગાથાઓમાં આપવામાં આવ્યું છે. ગ્રંથમાં ચારુદત્ત અને વસંતસેનાનો વૃત્તાંત વિસ્તારથી આપવામાં આવ્યો છે. આના પહેલાં વસુદેવદિંડી અને બહત્કથાશ્લોકસંગ્રહમાં પણ આ કથાનક આવ્યું છે જેનો સ્રોત ગુણાત્મ્યની બૃહત્કથા મનાય છે. મૃચ્છકટિકમાં આ કથાનકને નાટકનું રૂપ આપવામાં આવ્યું છે. હિરવંશપુરાણ કેવળ એક કથાગ્રન્થ જ નથી પરંતુ મહાકાવ્યના ગુણોથી ગૂંથવામાં આવેલું એક ઉચ્ચ કોટિનું કાવ્ય પણ છે. આમાં બધા રસોનો સારો પરિપાક થયો છે. યુદ્ધવર્ણનમાં જરાસંધ અને કૃષ્ણની વચ્ચેનું રોમાંચકારી યુદ્ધ વી૨૨સનો પરિપાક છે. દ્વારિકાનિર્માણ અને યદુવંશીઓનો પ્રભાવ અદ્ભુતરસનો પ્રકર્ષ છે. નેમિનાથનો વૈરાગ્ય અને બલરામનો વિલાપ કરુણરસથી ભરપૂર છે. આ કાવ્યનો અંત શાન્તરસમાં થાય છે. પ્રકૃતિચિત્રણરૂપ ઋતુવર્ણન, ચન્દ્રોદયવર્ણન આદિ અનેક ચિત્ર કાવ્યશૈલીમાં આલેખવામાં આવ્યાં છે. ગ્રંથની ભાષા પ્રૌઢ અને ઉદાત્ત છે તથા અલંકાર અને વિવિધ છંદોથી વિભૂષિત છે. રેસના આલેખનને અનુકૂળ જ કવિએ છંદો પસંદ કર્યા છે. પંચાવનમો સર્ગ યમકાદિ અલંકારોથી સુશોભિત છે. નેમિનાથના સ્તવનરૂપ પૂરો ૩૯મો સર્ગ વૃત્તાનુગન્ધી ગદ્યમાં લખાયો છે. પદ્યમય રચનાઓમાં આ પ્રકારનો પ્રયોગ રવિષેણના પદ્મચરિત ઉપરાંત કેવળ અહીં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતો નથી. કવિની વર્ણનશૈલી અપૂર્વ છે. વસુદેવની સંગીતકલાના વર્ણનમાં ૧૯મા સર્ગના ૧૨૦ શ્લોક રચાયા છે. તે વર્ણન ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી અનુપ્રાણિત છે. આ ગ્રંથગત લોકવિભાગનું વર્ણન Page #67 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૪૫ અને શલાકાપુરુષોનું વર્ણન “તિલોયપષ્ણત્તિ સાથે અને દ્વાદશાંગનું વર્ણન રાજવાર્તિક સાથે મેળ ખાય છે. વ્રતવિધાન, સમવસરણ અને જિનેન્દ્રવિહારવર્ણન પણ ખૂબ જ પરિપૂર્ણ છે. ઐતિહાસિક દૃષ્ટિએ હરિવંશપુરાણ પોતાના સમયની કૃતિઓમાં નિરાળી કૃતિ છે. તેના કર્તાએ પોતાનો પરિચય સારી રીતે આપ્યો છે. તેમણે પોતાની રચના શક સંવત ૭૦પમાં સૌરાષ્ટ્રના વર્ધમાનપુરમાં પૂરી કરી હતી અને ગ્રંથસમાપ્તિવર્ષના કાળમાં પોતાની ચારે તરફ ભારતવર્ષની રાજનૈતિક સ્થિતિનું દિગ્દર્શન કરાવતાં જિનસેને કહ્યું છે કે તે સમયે ઉત્તર દિશામાં ઈન્દ્રાયુધ, દક્ષિણ દિશામાં કૃષ્ણનો પુત્ર શ્રીવલ્લભ અને પૂર્વમાં અવન્તિનરેશ વત્સરાજ અને પશ્ચિમમાં સૌરોના અધિમંડલ સૌરાષ્ટ્રમાં વીર જયવરાહ રાજય કરતા હતા. આટલું જ નહિ પણ આ રચનામાં ઐતિહાસિક ચેતનાનું અધિક દર્શન પણ થાય છે, જેમકે તેમાં ભગવાન મહાવીરના સમયથી શરૂ કરી ગુપ્તવંશ અને કલ્કિના સમય સુધી મધ્યદેશ ઉપર શાસન કરનાર પ્રમુખ રાજવંશોની પરંપરાનો ઉલ્લેખ છે, તથા અવન્તીની ગાદી પર આવનાર રાજવંશ અને રાજવંશ (જેમાં પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્ય થયા છે)નો ક્રમ આપ્યો છે, સાથે જ જૈન ઈતિહાસની દૃષ્ટિએ ભગવાન મહાવીરથી શરૂ કરી ૬૮૩ વર્ષની સર્વમાન્ય ગુરુપરંપરા અને તેનાથી આગળ પોતાના સમય સુધીની અન્યત્ર અનુપલબ્ધ એવી અવિચ્છિન્ન ગુરુપરંપરા પણ આપી છે, અને પોતાના પૂર્વવર્તી અનેક કવિઓ અને કૃતિઓનો પરિચય પણ કરાવ્યો છે. આ રીતે આપણે હરિવંશપુરાણમાં પુરાણ, મહાકાવ્ય, વિવિધ વિષયોનું પ્રતિપાદન કરનાર વિશ્વકોશ તથા રાજનૈતિક અને ધાર્મિક ઇતિહાસનો સ્રોત આદિનું એક સાથે દર્શન કરીએ છીએ. ગ્રંથકારે પોતે પોતાના આ ગ્રંથના સંબંધમાં આ રીતે કહ્યું છે કે આ હરિવંશને જે શ્રદ્ધાથી વાંચશે તેની પોતાની ૧. વર્ધમાનપુર કર્યું અને આ પ્રશસ્તિમાં ઉલ્લિખિત નરેશો કયા એ બાબતે વિદ્વાનોમાં મોટો મતભેદ છે. આ બધાની સમીક્ષા ડૉ. આ. કે. ઉપાધ્યેએ કુવલયમાલા (સિ.જૈ.2.૪૬) ભાગ ૨ની અંગ્રેજી પ્રસ્તાવનાના પૃ. ૧૦૫-૧૦૭માં વિસ્તારથી કરી છે. ૨. સર્ગ ૬૬, પર-પ૩ ૩. સર્ગ ૬૦. ૪૮૭-૪૯૨ ૪. સર્ગ ૬૬, ૨૧-૩૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ४६ જૈન કાવ્યસાહિત્ય કામનાઓ અલ્પ યત્ન પૂરી થશે તથા ધર્મ, અર્થ અને મોક્ષને તે પ્રાપ્ત કરશે.' અત્તે ગ્રંથકારે હરિવંશને સમીહિત સિદ્ધિ માટે શ્રીપર્વત કહ્યો છે. આ શ્રીપર્વત આધ્રપ્રદેશનો નાગાર્જુનીકોપ્ટા છે જે જિનસેનના સમયે પણ ઋદ્ધિ-સિદ્ધિના માટે દેશપ્રસિદ્ધ કેન્દ્ર મનાતું હતું. - ગ્રંથકારપરિચય અને રચનાકાલ – આ ગ્રંથની સમાપ્તિમાં ૬૬મા સર્ગમાં એક મહત્ત્વપૂર્ણ પ્રશસ્તિ આપવામાં આવી છે. તેમાંથી જાણવા મળે છે કે પ્રસ્તુત કૃતિના સર્જક પુન્નાટસંઘીય જિનસેન છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ જિનસેન મહાપુરાણ (આદિપુરાણ)ના કર્તા મૂલસંઘીય સેનાન્વયી જિનસેનથી ભિન્ન છે. આ જિનસેનના ગુરુનું નામ કીર્તિષણ અને દાદાગુરુનું નામ જિનસેન હતું, જ્યારે બીજા જિનસેનના ગુરુનું નામ વીરસેન અને દાદાગુરુનું નામ આર્યનજિ હતું. પુત્રાટ કર્ણાટકનું પ્રાચીન નામ છે, અને આ દેશમાંથી નીકળેલા મુનિસંઘનું નામ પુત્રાટસંઘ પડ્યું. હરિવંશના ૬૬માં સર્ગમાં મહાવીરથી શરૂ કરી લોહાચાર્ય અર્થાત્ વી.નિ. ૬૮૩ વર્ષ પછીના વર્ષ સુધીની આચાર્યપરંપરા આપવામાં આવી છે, જે પરંપરા શ્રુતાવતાર આદિ અન્ય ગ્રંથોમાં મળે છે. ત્યારબાદ જે આચાર્યપરંપરા આપવામાં આવી છે તેમાં પુન્નાટસંઘના પૂર્વવર્તી અનેક આચાર્યોનાં નામો આપવામાં આવ્યાં છે, જેમકે વિનયધર, શ્રુતિગુપ્ત, ઋષિગુપ્ત, શિવગુપ્ત (જેમણે પોતાના ગુણોથી અહિંદુબલિપદ પ્રાપ્ત કર્યું હતું), મન્દરાય, મિત્રવીર, બલદેવ, બલમિત્ર, સિંહબલ, વીરવિતુ, પદ્મસેન, વ્યાધ્રહસ્તિ, નાગહસ્તિ, જિલદંડ, નષેિણ, દીપસેન, ધરસેન, ધર્મસેન, સિંહસેન, નદિષેણ, ઈશ્વરસેન, અભયસેન, સિદ્ધસેન, અભયસેન, ભીમસેન, જિનસેન, શાન્તિણ, જયસેન, અમિતસેન (પુત્રાટસંઘના અગ્રણી અને સો વર્ષ જીવનાર), તેમના મોટા ગુરુભાઈ કીર્તિષેણ અને તેમના શિષ્ય જિનસેન (ગ્રન્થકર્તા). આમાં અમિત સેનને પુન્નાટસંઘના અગ્રણી કહેવામાં આવ્યા છે. તેથી પ્રતીત થાય છે કે તેઓ જ પુન્નાટસંઘને છોડી સૌપ્રથમ ઉત્તર તરફ ગયા હશે અને તેમની પહેલાં જયસેન ગુરુ સુધી આ સંઘ પુત્રાટ દેશમાં જ વિચરણ કરતો રહ્યો હશે – અર્થાત જિનસેનથી ૫૦-૬૦ વર્ષ પહેલાં જ કાઠિયાવાડમાં આ સંઘનો પ્રવેશ થયો હશે. જિનસેને આ ગ્રંથની રચના શક સં. ૭૦૫ (સન્ ૭૮૩) અર્થાત વિ.સં. ૮૪૦માં કરી હતી. ઉપર્યુક્ત ગુર્નાવલીથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ ૧. સર્ગ ૬૬. ૪૬ ૨. સર્ગ ૬૬-૫૪ : ચં રિવંશપુખ્યવરિત: શ્રીપર્વતઃ સર્વતો | ૩. સર્ગ ૬૬, ૨૨-૩૩ ૪. સર્ગ દદ, પદ્ય પર : શાર્વશતે સમુ દિશ વોત્તરપૂત્તર ... ! Page #69 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય છીએ કે વીર નિર્વાણ પછીથી વિક્રમ સં. ૮૪૦ સુધીની અવિચ્છિન્ન ગુરુપરંપરા આ ગ્રંથમાં સુરક્ષિત છે જે અન્યત્ર જોવા મળતી નથી અને આ દૃષ્ટિએ આ પ્રશસ્તિ મહત્ત્વપૂર્ણ છે. જાણવા મળે છે કે પુન્નાટસંઘની પરંપરા વર્ધમાનપુર (વઢવાણ – કાઠિયાવાડ)માં જિનસેન પછી લગભગ ૧૫૦ વર્ષો સુધી ચાલતી રહી. તેનું પ્રમાણ આપણને હરિષણના “કથાકોશ'માં મળે છે. હરિષણ પણ પુન્નાટસંઘના હતા અને તેમના કથાકોશની રચના જિનસેને હરિવંશ રચ્યો પછી ૧૪૮ વર્ષે અર્થાત વિ.સં. ૯૮૯ (શક સં. ૮૫૩)માં થઈ હતી. હરિજેણે પોતાના ગુરુ ભીમસેન, તેમના ગુરુ હરિષણ અને તેમના ગુરુ મૌનિભટ્ટારક સુધીનો ઉલ્લેખ કર્યો છે. જો એક ગુરુનો સમય ૨૫-૩૦ વર્ષ ગણવામાં આવે તો આ અનુમાનથી હરિવંશકર્તા જિનસેન, મૌનિભટ્ટારકના ગુરુના ગુરુ હોઈ શકે યા એકાદ પેઢી વધુ પહેલાના. જો જિનસેન અને મૌનિભટ્ટારકની વચ્ચેના એકબે આચાર્યોનાં નામ બીજે ક્યાંકથી જાણી શકાય તો પછી આ ગ્રંથોથી વીર નિથી શક સં. ૮૫૩ સુધીની એક અવિચ્છિન્ન ગુરુપરંપરા તૈયાર થઈ શકે.' પુન્નાસંઘનો ઉલ્લેખ આ બે ગ્રંથો સિવાય બીજે ક્યાંય હજુ સુધી મળ્યો નથી. વિદ્વાનોનું અનુમાન છે કે પુત્રાટ(કર્ણાટક)ની બહાર નીકળ્યા પછી જ આ સંઘ પુત્રાટસંઘ કહેવાયો જેમ આજકાલ કોઈ એક સ્થાન છોડી બીજા સ્થાનમાં જઈ રહે છે ત્યારે તે પૂર્વ સ્થાનવાળો કહેવાવા લાગે છે. આ ગ્રંથની રચના નન્નરાજવસતિ પાર્શ્વનાથ મંદિરમાં બેસી કરવામાં આવી હતી. ૨ જો કે ગ્રંથકર્તા દિગંબરસંપ્રદાયના હતા છતાં પણ હરિવંશના અંતિમ સર્ગમાં ભગવાન મહાવીરના વિવાહની વાત લખી છે જે દિગંબર સંપ્રદાયના અન્ય ગ્રંથોમાં જણાતી નથી. લાગે છે કે આ માન્યતા શ્વેતાંબર યા યાપનીય સંપ્રદાયના કોઈ ગ્રંથમાંથી લેવામાં આવી છે. ૧. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૧૨૦-૧૨૧. ૨. હરિવંશપુરાણ, સર્ગ ૬૬. પર-પપ ૩. એજન, સર્ગ દ૬. ૮ : યશોયાચાં સુતા યશોદ્રા પવિત્રય વીરવિવાદિમૉંન્નમ્ | Page #70 -------------------------------------------------------------------------- ________________ ४८ જેને કાવ્યસાહિત્ય જિનસેને પોતાના પૂર્વવર્તી જે વિદ્વાનોનો ઉલ્લેખ કર્યો છે તે છે – સમન્તભદ્ર, સિદ્ધસેન, દેવનન્ટિ, વજસૂરિ, મહાસન (સુલોચનાકથાના કર્તા), રવિષેણ (પદ્મપુરાણના કર્તા), જટાસિંહનન્ટિ (વરાંગચરિતના કર્તા), શાન્ત (કોઈ કાવ્ય ગ્રંથના કત), વિશેષવાદિ (ગદ્યપદ્યમય વિશિષ્ટ કાવ્યના સર્જક), કુમારસેન, વીરસેન (કવિઓના ચક્રવર્તી), જિનસેન (પાર્વાક્યુદયના કર્તા) તથા એક અન્ય કવિ (વર્ધમાનપુરાણના કર્તા).૧ ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા (શ. સ. ૭૦૦ = વિ. સં. ૮૩૫ = સન્ ૭૭૮ ઈ.)માં પોતાના પૂર્વવર્તી અનેક જૈન (જે. અને દિગં.) અને અજૈન કવિઓને યાદ કર્યા છે. કેટલાક વિદ્વાન રવિષેણના પાચરિત અને જટાનદિના વરાંગચરિતની જેમ એક ગાથા વડે આ હરિવંશની સ્તુતિની પણ કલ્પના કરે છે જે સંભવિત નથી કારણ કે હરિવંશ કુવલયમાલા પછીની (૫ વર્ષ પછીની) રચના છે. પૂર્વવર્તી રચનામાં પરવર્તી રચનાના ઉલ્લેખની ઓછી જ સંભાવના રહે છે. બીજી વાત એ છે કે કુવલયમાલાના નીચે આપેલા પદ્યમાં પ્રથમ હરિવંશોત્પત્તિના કર્તા હરિવર્ષ કવિની, બુધજનપ્રિય હોવાને કારણે અને વિમલ અભિવ્યક્તિને કારણે, વંદના કરવામાં આવી છે : बुहयणसहस्सदयियं हरिवंसुप्पत्तिकारयं पढमं । वंदामि वंदियंपि ह हरिवरिसं चेय विमलपयं ॥ આનાથી જાણ થાય છે કે તે હરિવંશ અન્ય કવિની કૃતિ હતી, આ ન હતી. કેટલાક વિદ્વાન ઉક્ત ગાથાથી વિમલસૂરિકત હરિવંશચરિયું હોવાની સંભાવના સ્વીકારે છે અને માને છે કે સંભવતઃ જિનસેનનો હરિવંશ વિમલસૂરિના પ્રાકૃત હરિવંશચરિયની છાયા છે. આ વિષયમાં અમે પઉમરિયના પ્રસંગે ઉક્ત સંભાવનાનું ખંડન કરી દીધું છે. હા, હરિવર્ષકૃત પ્રાકૃત કે સંસ્કૃતમાં કોઈ હરિવંસુપ્પત્તિ ઉપલબ્ધ થાય તો જિનસેનના હરિવંશનું મૂળ શું હતું એ વિષય ઉપર કંઈક પ્રકાશ પડી ૧. સર્ગ ૧. ૩૧-૪૦; આમાં વિશેષવાદિથી શું ઉદ્યોતનસૂરિ તો અભિપ્રેત નથી ને ? તેમની કુવલયમાલી ગદ્યપદ્યમય ઉક્તિવિશેષોથી ભરપુર એવું કાવ્ય છે. ૨. કુવલયમાલા સિંઘી જૈન. ગ્રન્થમાલા, ૪૫), પૃ. ૩; એજન, દ્વિતીય ભાગ, પ્રસ્તાવના, - પૃ. ૭૬ અને નોટ્સ પૃ. ૧૨૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૪૯ શકે અને ભગવાન મહાવીરના વિવાહના તદ્ગત ઉલ્લેખની સંગતિ બેસી શકે. પાંડવચરિત – આ સર્ચબદ્ધ કૃતિ છે. તેમાં ૧૮ સર્ગ છે. તેનું કથાનક લોકપ્રસિદ્ધ પાંડવોના ચરિત્ર ઉપર આધારિત છે પરંતુ કથાનક જૈન પરંપરા અનુસાર વર્ણિત છે, અને સાથે સાથે નેમિનાથનું ચરિત સ્વતઃ આવી ગયું છે. આ કાવ્યના નાયક પાંચ પાંડવ ધીરાદાત્ત અને ઉદાત્ત ક્ષત્રિય કુલોત્પન્ન છે. આ કાવ્ય વીરરસપ્રધાન છે પરંતુ તેનું પર્યવસાન શાન્તરસમાં થયું છે. શૃંગાર, અદ્ભુત અને રૌદ્ર રસોની યોજના પણ આમાં અંગરૂપ બની છે. આમાં કાવ્યપરંપરાને અનુકૂળ પ્રત્યેક સર્ગમાં એક છંદનો પ્રયોગ થયો છે તથા સર્વાન્ત છંદપરિવર્તન કરવામાં આવ્યું છે. આમાં મહાકાવ્ય માટે જરૂરી વણ્ય વિષયો – નગરી, પર્વત, વન, ઉપવન, વસંત, ગ્રીષ્મ વગેરેનો સમાવેશ યથાસ્થાન થયો છે. તેના સર્ગોનું નામકરણ પણ વણ્ય વિષયના આધારે કરવામાં આવ્યું છે. જો કે તેમાં મહાકાવ્યોચિત બધા જ ગુણ છે પરંતુ ભાષાશૈલીગત પ્રૌઢતાના તેમ જ ઉદાત્ત કાવ્યકલાના અભાવમાં તે એક સામાન્ય પૌરાણિક કાવ્ય જ બની રહે છે. પૌરાણિક કાવ્યોની જેમ તેમાં અનેક વાતો કલ્પનાપૂર્ણ અને અતિશયોક્તિભરી છે. વર્ણનમાં અનેક અલૌકિક અને અપ્રાકૃતિક શક્તિઓનો આશરો લેવામાં આવ્યો છે. અહીં તહીં અવાન્તર કથાઓની યોજના પણ કરવામાં આવી છે, જેમકે નલકુબેરની કથા. ભવાન્તરોના કથનમાં પણ અનેક અવાન્તર કથાઓ કહેવામાં આવી છે. પાંડવચરિતના કથાનકનો આધાર “ષષ્ઠાંગોપનિષદૂ તથા હેમચન્દ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' તથા કેટલાક અન્ય ગ્રંથ છે. આ વાતને ગ્રંથકર્તાએ પોતે નીચેના શ્લોકમાં પ્રગટ કરી છે : षष्ठांगोपनिषत्रिषष्टिचरितानालोक्य कौतूहला- । देतत् कन्दलयांचकार चरितं पाण्डोः सुतानामहम् ॥ પાંડવચરિતનું ગ્રંથપ્રમાણ લગભગ આઠ હજાર શ્લોક છે. તેના બધા સર્ગોમાં અનુષ્ટ્રમ્ છંદનો પ્રયોગ થયો છે. સર્ષાન્તોમાં પ્રયુક્ત અન્ય છંદોની સંખ્યા ૪૦ છે. તેમાં મુખ્ય વસંતતિલકા, શિખરિણી, શાર્દૂલવિક્રીત અને માલિની છે. ગ્રંથકારે ભાષાની પ્રૌઢતાના અભાવને અલંકારોના પ્રયોગ દ્વારા કંઈક અંશે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ, યમક તથા વીસાનો પ્રયોગ બહુ અનક ૧. કાવ્યમાલા સિરિઝ, મુંબઈ, ૧૯૧૧, જિ. ૨. કો., પૃ. ૨૪૨ ૨. પાંડવચરિત, સર્ગ ૧૮, પદ્ય ૨૮૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ૦ જેન કાવ્યસાહિત્ય કરવામાં આવ્યો છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉન્મેલા અને રૂપક અલંકારનાં યષ્ટિ પ્રયોગ દર્શનીય છે. આ કાવ્યમાં કવિએ પોતાના યુગના સમાજનું ચિત્ર આલેખ્યું છે. તેમાં તે યુગના અનેક રીતરિવાજ, વિવાહસંસ્કાર તથા પ્રચલિત અન્યવિશ્વાસોની સારી ઝાંખી કરાવવામાં આવી છે. પાંડવચરિત એક ધાર્મિક કાવ્ય પણ છે. તેમાં સ્થળે સ્થળે ધાર્મિક ઉપદેશની યોજના કરવામાં આવી છે જેમાં દયા, દાન, શીલ, તપ તથા સંસારની અનિત્યતા પ્રતિપાદિત છે. સર્જક અને રચનાકાળ – પાંડવચરિતમાં આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી કવિનો વિશેષ પરિચય નથી મળતો. તેમાંથી કેવળ એટલું જાણવા મળે છે કે પાંડવચરિતના કર્તા દેવપ્રભસૂરિ મલધારી ગચ્છના હતા. તેમણે આ ગ્રંથની રચના હર્ષપુરીય ગચ્છના હેમચન્દ્રસૂરિ-વિજયસૂરિ-ચન્દ્રસૂરિ-મુનિચન્દ્રસૂરિ-ના શિષ્ય દેવાનન્દસૂરિના અનુરોધથી કરી હતી. પ્રશસ્તિમાં રચનાકાલ આપ્યો નથી પરંતુ દેવાનન્દસૂરિ, જેમના અનુરોધથી આ ગ્રંથ રચવામાં આવ્યો તે, પ્રમુખ ગ્રંથસંશોધક પ્રદ્યુમ્નસૂરિના ગુરુ કનકપ્રભના ગુરુ હતા. પ્રદ્યુમ્નસૂરિનો સાહિત્યિક કાલ સં. ૧૩૧પથી સં. ૧૩૪૦ સુધી ૨૫ વર્ષનો માની શકાય કારણ કે તેમણે સં. ૧૩૨૨માં શ્રેયાંસનાથચરિત માનતુંગસૂરિકૃત) તથા તે જ વર્ષે મુનિદેવકૃત શાન્તિનાથચરિતનું સંશોધન કર્યું અને સં. ૧૩૨૪માં પોતાના કાવ્ય સમરાદિત્યચરિતની રચના કરી તથા સં. ૧૩૩૪માં પ્રભાચન્દ્રકૃત પ્રભાવકચરિતનું સંશોધન કર્યું. જો આ કાળથી પહેલાં ૨૫ વર્ષ સુધી પ્રદ્યુમ્નસૂરિના ગુરુ કનકપ્રભનો સાહિત્યિક કાળ અને તેમનાથી ૨૫ વર્ષ પૂર્વ સુધી કનકપ્રભના ગુરુ દેવાનન્દનો સાહિત્યિક કાળ માનવામાં આવે તો કનકપ્રભનું સાહિત્યિક જીવન સં. ૧૨૯૦થી પછી અને દેવાનન્દનું સાહિત્યિક જીવન સં. ૧૨૬૫ પછી માનવું જોઈએ. આ અનુમાનથી દેવાનન્દસૂરિનો સાહિત્યિક કાળ સં. ૧૨૬૫ લગભગ સ્થિર થાય છે. એટલે દેવપ્રભસૂરિની કૃતિ પાંડવચરિતનો રચનાકાલ સં. ૧૨૬૫થી કંઈક પછીનો હોવો જોઈએ. બીજા અનુમાનથી પણ આપણે આ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ. તે છે દેવપ્રભસૂરિના શિષ્ય નરચન્દ્રસૂરિનો સમય. નરચન્દ્રસૂરિ પણ પાંડવચરિતના સંશોધકોમાંના એક હતા. આ નરચન્દ્રસૂરિએ ઉદયપ્રભસૂરિકૃત ધર્માલ્યુદય મહાકાવ્ય (સં. ૧૨૭૭-૧૨૯૦)નું સંશોધન કર્યું હતું. આ ઉપરથી પણ તે કાળની આસપાસ ૧. પાંડવચરિત, પ્રશસ્તિ, પદ્ય ૮-૯ ૨. પાંડવચરિત, પ્રશસ્તિ, પદ્ય ૧૦-૧૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૫૧ પાંડવચરિતના રચનાકાળ હોવો જોઈએ એમ નિશ્ચિત જણાય છે. પાંડવચરિતના સંપાદકોએ તેનો રચનાકાળ વિ.સં. ૧૨૭૦ માન્યો છે", જે ઉક્ત અનુમાનો સાથે લગભગ બંધ બેસે છે. હરિવંશપુરાણ – જિનસેનના હરિવંશપુરાણના આધાર પર રચાયેલી આ કૃતિમાં ૪૦ સર્ગ છે, તેમાં હરિવંશકુલોત્પન્ન ૨૨મા તીર્થંકર નેમિનાથ અને શ્રીકૃષ્ણ તથા તેમના સમકાલીન પાંડવો અને કૌરવોનું વર્ણન છે. તેના પ્રથમ ૧૪ સર્ગોની રચના ભટ્ટારક સકલકીર્તિ અને બાકીના સર્ગોની રચના તેમના શિષ્ય બ્રહ્મ. જિનદાસે કરી છે. તેમાં રવિણ અને જિનસેનનો ઉલ્લેખ છે. કર્તા અને રચનાકાળ – આ ગ્રંથના પ્રથમાંશના કર્તા ભટ્ટારક સકલકીર્તિ છે. મધ્યકાલીન ઉત્તર ભારતમાં સકલકીર્તિ નામના અનેક ભટ્ટારક થઈ ગયા છે પરંતુ તેમાંના સર્વપ્રથમજ્ઞાત સકલકીર્તિએ અનેક શાસનપ્રભાવ કાર્યો કર્યા હતાં અને વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું. તેમની કૃતિઓ સંસ્કૃત અને રાજસ્થાની બંને ભાષાઓમાં મળે છે. તેમના સમયના સંબંધમાં વિવાદ છે. ડો. કસ્તુરચંદ કાસલીવાલ તેમનો જન્મ વિ.સં. ૧૪૪૩માં અને સ્વર્ગવાસ ૧૪૯૯માં માને છે, જ્યારે ડૉ. જ્યોતિ પ્રસાદ જૈને તેમનો જન્મ ૧૪૧૮માં અને સ્વર્ગવાસ ૧૪૯૯માં માન્યો છે. આ બંને મત અનુસાર ડૉ. વિનન્ટનિસ્તે નક્કી કરેલો સ્વર્ગવાસનો સમય (સં. ૧૫૨૧) બરાબર નથી અને ન તો ડૉ. જોહરાપુરકરે નિર્ણત કરેલો કાલ સં. ૧૪૫૦-૧૫૧૦ બરાબર છે. આ સકલકીર્તિ ડુંગરપુર (ઈડર) પટ્ટના સંસ્થાપક હતા તથા બાગડ (સાગવાડા) બડસાજન પટ્ટના પણ સંસ્થાપક હતા. તેમણે લગભગ ૩૪ ગ્રન્થો લખ્યા છે જેમાં ૨૮ તો સંસ્કૃત ભાષામાં અને ૬ રાજસ્થાની ભાષામાં છે. સંસ્કૃત ભાષામાં રચેલા ગ્રંથો – ૧. મૂલાચારપ્રદીપ, ૨. પ્રશ્નોત્તરોપાસકાચાર, ૩. આદિપુરાણ, ૪. ઉત્તરપુરાણ, ૫. શાન્તિનાથચરિત્ર, ૬. વર્ધમાનચરિત્ર, ૭. મલ્લિનાથચરિત્ર, ૮. યશોધરચરિત્ર, ૯, ધન્યકુમારચરિત્ર, ૧૦. સુકુમાલચરિત્ર, ૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (મો. દ. દેસાઈ)માં પાંડવચરિતનો રચનાકાળ સં. ૧૨૭૦ લગભગ માનવામાં આવ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૪૬૦; રાજસ્થાન કે જૈન સંત વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૨૭ ૩. રાજસ્થાન કે જૈન સત્ત: વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧-૨૧; જૈન સદેશ, શોધક ૧૬, પૃ. ૧૮૧-૧૮૮ તથા ૨૦૮-૨૦૯. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ૧૧. સુદર્શનચરિત્ર, ૧૨. સદ્ભાષિતાવલી, ૧૩. પાર્શ્વનાથપુરાણ, ૧૪. સિદ્ધાન્તસારદીપક, ૧૫. વ્રતકથાકોષ, ૧૬. પુરાણસારસંગ્રહ, ૧૭. કર્મવિપાક, ૧૮. તત્ત્વાર્થસા૨દીપક, ૧૯. પરમાત્મરાજસ્તોત્ર, ૨૦. આગમસાર, ૨૧. સારચતુર્વિશતિકા,. ૨૨. પંચપરમેષ્ઠીપૂજા, ૨૩. અષ્ટાહ્નિકાપૂજા, ૨૪. સોલહકારણપૂજા, ૨૫. જમ્બુસ્વામિચરિત્ર, ૨૬. શ્રીપાલચરિત્ર, ૨૭. દ્વાદશાનુપ્રેક્ષા, ૨૮. ગણધરવલયપૂજા. તેમનો સ્વર્ગવાસ ગુજરાતના મહેસાણા નામના ગામમાં સં. ૧૪૯૯માં થયો હતો, ત્યાં તેમની સમાધિનિષદ્યા આજ સુધી વિદ્યમાન દર્શાવવામાં આવે છે. ઉત્તર પુરાણના દ્વિતીયાંશના કર્તા બ્રહ્મ. જિનદાસ છે, તે સકલકીર્તિના શિષ્ય અને નાના ભાઈ હતા. તેમનું સંસ્કૃત અને રાજસ્થાની ઉપર સમાન પ્રભુત્વ હતું પરંતુ રાજસ્થાની ઉપર તેમને વિશેષ અનુરાગ હતો. તેમની સંસ્કૃત રચનાઓ સંખ્યામાં બહુ જ ઓછી છે જ્યારે રાજસ્થાની રચનાઓ તો ૫૦થી પણ વધુ છે. બ્રહ્મ. જિનદાસની નિશ્ચિત જન્મતિથિ સંબંધમાં તેમની રચનાઓને આધારે કોઈ જાણકારી મળતી નથી. તે ક્યાં સુધી ગૃહસ્થ રહ્યા અને ક્યારથી સાધુજીવન શરૂ કર્યું એ બાબતે પણ કંઈ સૂચન મળતું નથી. તેમની માતાનું નામ શોભા અને પિતાનું નામ કર્ણસિંહ હતું. તે પાટણના રહેવાસી હૂંબડજાતિના શ્રાવક હતા. તેમનો જન્મ ભટ્ટારક સકલકીર્તિ પછી થયો છે કારણ કે સકલકીર્તિ તેમના અગ્રજ હતા. બ્રહ્મ. જિનદાસે પોતાની કેવળ બે રચનાઓમાં સંવત્ આપ્યો છે, બાકીમાં નથી આપ્યો. તદનુસાર રામરાજ્યરાસમાં વિ.સં. ૧૫૦૮ તથા હિરવંશપુરાણમાં વિ.સં. ૧૫૨૦ આપ્યો છે. સંભવતઃ રિવંશપુરાણ તેમની અંતિમ કૃતિ છે. અન્ય સંસ્કૃત રચનાઓ આ છે જમ્બુસ્વામિચરિત્ર, રામચરિત્ર (પદ્મપુરાણ) તથા પુષ્પાંજલિવ્રતકથા અને લગભગ આઠ જેટલી પૂજાવિષયક લઘુકૃતિઓ. પાંડવપુરાણ આ પૌરાણિક કાવ્યમાં પાંડવોની રોચક કથાનું આલેખન કરવામાં આવ્યું છે. તેમાં ૨૫ પર્વો છે. તેની શ્લોકસંખ્યા ૬૦૦૦ છે. આ પુરાણની રચનામાં ગ્રંથકર્તાએ જિનસેનના હરિવંશપુરાણ વગેરે અને ઉત્તરપુરાણ તથા શ્વેતાંબર રચના દેવપ્રભસૂરિકૃત પાંડવચરિતનો પર્યાપ્ત ઉપયોગ કર્યો છે. ગ્રંથના આન્તરિક પરીક્ષણથી આ વાત સિદ્ધ થાય છે. તેમ છતાં આ પુરાણની કથામાં અન્ય જૈન પુરાણકારોની કૃતિઓથી ભેદ છે. આ જૈન હાભારત પણ કહેવાય જૈન કાવ્યસાહિત્ય - ૧. જીવરાજ જૈન ગ્રંથમાલા, સં. ૩, સોલાપુર, ૧૯ ૨. એજન, પ્રસ્તાવના, પૃ. ૧-૪૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય પ૩ છે. પર્વોની રચના અનુષ્ટ્રમ્ છંદમાં કરવામાં આવી છે પરંતુ પર્વાન્ત છન્દમાં પરિવર્તન કરવામાં આવેલ છે. પ્રત્યેક પર્વનો આરંભ તીર્થંકરની સ્તુતિથી થાય છે. તૃતીય પર્વથી શરૂ કરી પચીસમા પર્વ સુધી ઋષભથી ૨૩મા તીર્થંકર પાર્શ્વની ક્રમશઃ સ્તુતિ કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભ વગેરે ચોવીસ તીર્થંકરોની અને બીજા પર્વમાં મહાવીરની સ્તુતિ છે. ગ્રંથરચના સરસ, સરલ સંસ્કૃતમાં છે. ગ્રંથકર્તા અને રચનાકાલ – પ્રસ્તુત ગ્રંથના કર્તા ભટ્ટારક શુભચન્દ્ર છે. તે ભટ્ટારક વિજયકીર્તિના શિષ્ય અને જ્ઞાનભૂષણના પ્રશિષ્ય હતા. તેમના શિષ્ય શ્રીપાલ વર્મી હતા. તેમની સહાયથી ભટ્ટારક શુભચ વાગ્યર (વાગડ) પ્રાન્ત અન્તર્ગત (સાગવાડા) નગરમાં વિ.સં. ૧૬૦૮ ભાદ્રપદ દ્વિતીયાના દિને આ પાંડવપુરાણની રચના કરી છે. પચીસમા પર્વના અંતે એક કવિપ્રશસ્તિ છે. તેમાં ગુરુપરંપરાનો પરિચય આપ્યો છે અને સાથે સાથે તેમણે રચેલી ૨૫-૨૬ ગ્રંથકૃતિઓની સૂચી આપી છે.' ભટ્ટારક શુભચન્દ્ર મોટા વિદ્વાન હતા. ત્રિવિધવિદ્યાધર (શબ્દાગમ, યુજ્યાગમ અને પરમાગમના જ્ઞાતા) અને ગર્ભાષાકવિચક્રવર્તી એ તેમની ઉપાધિઓ હતી. તેમણે સર્જેલા કાવ્યગ્રન્થ – ચન્દ્રપ્રભચરિત, પદ્મનાભચરિત, જીવન્ધરચરિત, ચન્દનાકથા, નન્દીશ્વરકથા. આ ઉપરાંત તેમણે પૂજાવિધાન, પ્રતિષ્ઠા વગેરે વિષયના અન્ય ગ્રંથો લખ્યા છે. પાંડવપુરાણ – આ પૌરાણિક કાવ્યમાં ૧૮. સર્ગ છે. કર્તા અને રચનાકાળ – આના કર્તા ભટ્ટારક વાદિચન્દ્ર હતા. તે મૂલસંઘના ભટ્ટારક જ્ઞાનભૂષણના પ્રશિષ્ય અને પ્રભાચન્દ્રના શિષ્ય હતા. તેમની ગાદી ગુજરાતમાં કોઈક સ્થળે હતી. તેમણે અનેક ગ્રંથો લખ્યા છે, જેમકે પાર્શ્વપુરાણ, જ્ઞાનસૂર્યોદયનાટક, પવનદૂત, શ્રીપાલઆખ્યાન (ગુજરાતીહિન્દી), યશોધરચરિત્ર, સુલોચનાચરિત્ર, હોલિકાચરિત્ર અને અંબિકાકથા. પાંડવપુરાણની રચના સં. ૧૯૫૪માં નોધકનગરમાં થઈ હતી. ૧. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૩૮૩-૩૮૪ ૨. જયપુરના તેરાપંથી બડા મંદિરમાં આ કૃતિની એક પ્રતિ છે. જિ. ૨. કો., પૃ. ૨૪૩; જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૩૮૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૪ જેન કાવ્યસાહિત્ય પાંડવપુરાણ – આ જિનસેન, સકલકીર્તિ અને અન્ય ગ્રંથકર્તાઓની રચનાઓને આધારે રચાયેલી સરલ સંસ્કૃત પદ્યાત્મક કૃતિ છે. કર્તા અને રચનાકાળ – આના કર્તા કાઠાસંઘીય નન્દીતટ ગચ્છના ભટ્ટારક શ્રીભૂષણ છે. તેમણે રચેલાં શાન્તિનાથપુરાણ, પાંડવપુરાણ અને હરિવંશપુરાણ ઉપલબ્ધ છે. બધા ગ્રંથોની પ્રશસ્તિઓમાં રચનાસંવત આપવામાં આવ્યો છે. પાંડવપુરાણનો રચનાસમય વિ.સં. ૧૬૫૭ પોષ સુદ ત્રીજ રવિવાર આપ્યો છે.' તેઓ ભટ્ટારક હતા અને સોજિત્રા (ગુજરાત)ની ગાદી પર બિરાજમાન હતા. પ્રશસ્તિમાં ગુરુપરંપરા પણ આપવામાં આવી છે. પ્રસ્તુત પુરાણની રચના સૌર્યપુર અર્થાત્ સૂરતમાં થઈ છે. પાંડવચરિત્ર – આ કાવ્યગ્રંથ દેવપ્રભસૂરિકૃત પાંડવચરિત્રનું સરળ સંસ્કૃતમાં રૂપાન્તર છે. તેમાં અહીં-તહીં દેવપ્રભની રચનામાંથી તથા બીજેથી કેટલાંક પદ્ય ઉદ્ધત કરવામાં આવ્યાં છે. તેમાં પણ ૧૮ સર્ગ છે. ગ્રંથકાર અને રચનાકાળ – લેખકે ગ્રંથના અંતે એક ટૂંકી પ્રશસ્તિમાં પોતાના વંશ અને ગુરુ આદિનો પરિચય આપ્યો છે. તેમાંથી જાણવા મળે છે કે તેના કર્તા દેવવિજયગણિ છે, તે તપાગચ્છના વિજયદાનસૂરિના શિષ્ય રામવિજયના શિષ્ય હતા. તેમણે અમદાવાદમાં રહી આ ગ્રંથ સં. ૧૯૬૦માં રચ્યો હતો. તેનું સંશોધન શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચન્દ્ર કર્યું હતું. હરિવંશપુરાણ – તેની રચનાનો આધાર જિનસેન, સકલકીર્તિ વગેરેએ રચેલાં હરિવંશપુરાણો છે. તેને સોજિત્રાના ભટ્ટારક શ્રીભૂષણે સં. ૧૬૭૫ ચૈત્ર સુદી ૧૩ના દિને પૂર્ણ કરેલ. પાંડવચરિત્ર – શુભવર્ધનગણિકૃત આ ગ્રંથને હરિવંશપુરાણ પણ કહેવામાં આવે છે. આ ગ્રંથ સત્યવિજય ગ્રંથમાળા અમદાવાદ તરફથી બાલાભાઈ મૂળચંદે પ્રકાશિત કરેલ છે. ૧. પરમાનંદ શાસ્ત્રી, પ્રશસ્તિસંગ્રહ, પૃ. ૯૬; જૈન સાહિત્ય ઔર ઇતિહાસ (પ્રમો), પૃ. ૩૮૯, જિ. ૨. કો., પૃ. ૨૪૩ ૨. યશોવિજય જૈન ગ્રંથમાળા, સં. ૨૬, વારાણસી, વી.સં. ૨૪૩૮ ૩. રાજસ્થાન કે શાસ્ત્રભંડારોં કી સૂચી, દિ. ભા., પૃ. ૨૧૮: પરમાનન્દ શાસ્ત્રી, પ્રશસ્તિસંગ્રહ, પૃ. ૪૯ ૪. જિનરત્નકોશ, પૃ. ૨૪૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય હરિવંશપુરાણ અને પાંડવપુરાણ વિષયક અન્ય રચનાઓ ૧. પાંડવચરત્ર (લઘુપાંડવચરિત્ર) અજ્ઞાત ૨. પાંડવપુરાણ કવિ રામચન્દ્ર (સં. ૧૫૬૦ પહેલાં) ૩. હિરવંશપુરાણ ધર્મકીર્તિ ભટ્ટારક (સં. ૧૬૭૧) ૪. હિરવંશપુરાણ શ્રુતકીર્તિ પ. હિરવંશપુરાણ જયસાગર ૬. હિરવંશપુરાણ ૭. હિરવંશપુરાણ - - - જયાનન્દ મંગરસ - ત્રેસઠ શલાકા મહાપુરુષવિષયક પૌરાણિક મહાકાવ્ય મહાપુરાણ ઃ આદિપુરાણ – મહાપુરાણ જિનસેન અને ગુણભદ્રની વિશાલ રચનાનું નામ છે. તે ૭૬ પર્વોમાં વિભક્ત છે. ૪૭ પર્વ સુધીની રચનાનું નામ આદિપુરાણ છે અને તેના પછી ૪૮થી ૩૬ પર્વોની રચનાનું નામ ઉત્તરપુરાણ છે. આ બૃહત્કાય ગ્રંથનું પરિમાણ અનુષ્ટુભના ૧૯૨૦૭ શ્લોકપ્રમાણ છે. તેમાંથી આદિપુરાણ ૧૧૪૨૯ શ્લોકપ્રમાણ છે અને ઉત્તરપુરાણ ૭૭૭૮ શ્લોકપ્રમાણ છે. ૫૫ જિનર્સને ૬૩ શલાકા પુરુષોના ચરિતોને બૃહપ્રમાણમાં લખવાની પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ અત્યંત વૃદ્ધ હોવાને કારણે તે કેવળ આદિપુરાણનાં ૪૨ પર્વ અને ૪૩મા પર્વનાં ત્રણ પદ્ય અર્થાત્ ૧૦૩૮૦ શ્લોકપ્રમાણ રચી સ્વર્ગવાસી થઈ ગયા. ત્યાર પછી તેમના સુયોગ્ય શિષ્ય બાકીની કૃતિને અપેક્ષાકૃત સંક્ષેપ રૂપમાં પૂર્ણ કરી. આદિપુરાણમાં પ્રથમ તીર્થંક૨ ઋષભના દશ પૂર્વભવો અને વર્તમાન ભવનું તથા ભરત ચક્રવર્તીના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ બે પર્વો તો પ્રસ્તાવનારૂપ છે, ત્રીજામાં કાલ અને ભોગભૂમિઓ અને પાંચથી અગીઆર પર્વોમાં ઋષભદેવના દશ પૂર્વભવોનું સવિસ્તર આલેખન છે. બારથી પંદર એ ચાર પર્વોમાં ઋષભદેવનાં ગર્ભ, જન્મ, બાલ્યાવસ્થા, યૌવન તથા વિવાહનું વર્ણન છે. સોળમા પર્વમાં ભરતાદિ સંતાનોની ઉત્પત્તિ, પ્રજાને ૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૨-૨૪૩, ૪૬૦ ૨. સ્યાદ્વાદ ગ્રંથમાલા, ઈન્દોર, વિ.સં. ૧૯૭૩-૭૫, હિન્દી અનુવાદ સહિત, ભારતીય જ્ઞાનપીઠ, કાશી, ભાગ ૧-૩, ૧૯૫૧-૫૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જૈન કાવ્યસાહિત્ય માટે અસિ, મષિ, કૃષિ, વાણિજય, સેવા અને શિલ્પ એ છે આજીવિકાનું પ્રતિપાદન છે તથા ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ત્રણ વર્ગોની સ્થાપનાનું વર્ણન સત્તરમા પર્વમાં વૈરાગ્ય, દીક્ષા, અઢારમામાં ૬ માસની તપસ્યા, ઓગણીસમામાં ધરણેન્દ્ર દ્વારા નિમિ-વિનમિના માટે વિજયાર્ધની નગરીઓનું પ્રદાન, વીસમામાં તપસ્યા પછી ઈશુરસના આહારનું ગ્રહણ વર્ણિત છે. એકવીસમા પર્વમાં ધ્યાનનું અને બાવીસથી પચીસમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ, સમવસરણ, પૂજા-સ્તુતિ વગેરેનું વર્ણન છે. છવ્વીસથી આડત્રીસ આ તેર પર્વોમાં ભરત ચક્રવર્તીને ચક્રરત્નની પ્રાપ્તિથી શરૂ કરી દિગ્વિજય, તથા નગરપ્રવેશ પહેલાં ભારત-બાહુબલિ યુદ્ધ, બાહુબલિનો વૈરાગ્ય તથા દીક્ષા, અને ભરત દ્વારા બ્રાહ્મણ વર્ણની સ્થાપનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઓગણચાલીસથી એકતાલીસ આ ત્રણ પર્વોમાં ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયાઓ અને સંસ્કારોનું વર્ણન છે. બેતાલીસથી છેતાલીસ આ પાંચ પર્વોમાં જયકુમાર અને સુલોચનાની રોચક કથા આપવામાં આવી છે, અને છેતાલીસના અંત ભાગમાં જયકુમારનો વૈરાગ્ય, દીક્ષા, ગણધરપદની પ્રાપ્તિ તથા ભરતની દીક્ષા અને કેવલજ્ઞાનપ્રાપ્તિ અને ઋષભદેવની કૈલાસ પર્વત ઉપર નિર્વાણપ્રાપ્તિની કથા આપવામાં આવી છે. જિનસેને પોતાની કૃતિને “પુરાણ” અને “મહાકાવ્ય' બંને નામે ઓળખાવ્યું છે. વાસ્તવમાં તે ન તો બ્રાહ્મણોના વિષ્ણુપુરાણ વગેરે જેવું પુરાણ છે કે ન તો તે શિશુપાલવધ વગેરે સમાન મહાકાવ્ય છે. તે મહાકાવ્યનાં બાહ્ય લક્ષણોથી સમ્પન્ન એક પૌરાણિક મહાકાવ્ય છે. આચાર્યે પુરાણ અને મહાકાવ્ય બંનેની પરિભાષાને પરિમાર્જિત કરતાં લખ્યું છે – જેમાં ક્ષેત્ર, કાલ, તીર્થ, સપુરુષ અને તેમની ચેષ્ટાઓનું વર્ણન હોય તે પુરાણ છે. આ પ્રકારના પુરાણમાં લોક, દેશ, પુર, રાજ્ય, તીર્થ, દાનતપ, ગતિ અને કૂળ આ આઠ બાબતોનું વર્ણન હોવું જોઈએ.' પુરાણનો અર્થ છે “પુરાતનું પુરાણમ્' – અર્થાત્ પ્રાચીન હોવાથી પુરાણ કહેવાય છે. પુરાણના બે ભેદ છે – પુરાણ અને મહાપુરાણ. જેમાં એક મહાપુરુષના ચરિતનું વર્ણન હોય તે પુરાણ છે, અને જેમાં ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિતોનું વર્ણન હોય ૧. પર્વ ૧, ૨૧-૨૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય - તે મહાપુરાણ કહેવાય છે. જે પુરાણનો અર્થ છે તે જ ધર્મ છે स च धर्मः પુરાળાર્થ: અર્થાત્ પુરાણમાં ધર્મકથાનું પ્રરૂપણ હોવું જોઈએ. મહાકાવ્યની વ્યાખ્યા કરતાં જિનસેન કહે છે કે જે પ્રાચીન કાળના ઈતિહાસ સાથે સંબંધ રાખતું હોય, જેમાં તીર્થંકર, ચક્રવર્તી વગેરે મહાપુરુષોનું ચરિત્રચિત્રણ હોય તથા જે ધર્મ, અર્થ અને કામનાં ફળોને દર્શાવતું હોય તેને મહાકાવ્ય કહે છે. આ રીતે પરિમાર્જિત પરિભાષા દ્વારા પુરાણ અને મહાકાવ્ય વચ્ચે સમન્વય સ્થાપવામાં આવ્યો છે. આદિપુરાણના વિસ્તૃત માળખામાં આપણે પુરાણ, મહાકાવ્ય, ધર્મકથા, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, આચારશાસ્ત્ર અને યુગની આદિવ્યવસ્થાનું સૂચન કરનાર એક બૃહત્ ઈતિહાસનું દર્શન કરીએ છીએ. આ આદિપુરાણ દિગંબર જૈનોનો એક વિશ્વકોશ છે તથા એક પ્રકારે તેમાં બધું જ છે જે તેમણે જાણવું જોઈએ. તેમાં અનેક પ્રકારનાં ભૌગોલિક નામ, બહુરંગી સમાજરચના, સાંસ્કૃતિક જીવનનાં ચિત્રો, નાના ગોષ્ઠિઓ, વિવિધ પ્રકારની કલાઓ, આર્થિક અને રાજનૈતિક સિદ્ધાન્ત, દાર્શનિક તથા ધાર્મિક વાતોની સવિસ્તર માહિતી મળે છે. આ પૌરાણિક મહાકાવ્યમાં જ સૌપ્રથમ ગર્ભાદિ સોળ સંસ્કારોનો ઉલ્લેખ આવે છે. સંભવતઃ બ્રાહ્મણ સંપ્રદાયના અનુકરણમાં તેમણે પોતાના મતના અનુયાયીઓ માટે તેમને વિકલ્પ રૂપે આપ્યા છે. ૫૭ સાહિત્યિક ગુણોની દષ્ટિએ તેના અનેક ખંડ સંસ્કૃત કાવ્યનાં સુંદર ઉદાહરણ છે. મહાકાવ્યના નાયકના રૂપે ઋષભદેવ ઉપરાંત ભરત, બાહુબલિ આદિ અનેક પાત્ર છે, તેમનામાંથી અનેક ચરિત્રોનો સારો વિકાસ થયો છે. પૂર્વભવોના નિમિત્તે અનેક અવાન્તર કથાઓ આપવામાં આવી છે; તેમનાં કેટલાંય પાત્રોનાં ચરિત્રોનું સરસ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રકૃતિચિત્રણ આ કાવ્યમાં પૃષ્ઠભૂમિના રૂપમાં પ્રચુર માત્રામાં કરવામાં આવ્યું છે. ક્યાંક લતાઓનું વર્ણન છે તો ક્યાંક સરિતાઓ અને પર્વતમાલાઓનું પઋતુવર્ણન, ચન્દ્રોદય, સૂર્યોદય, જલવિહાર વગેરે પ્રસંગોમાં પ્રકૃતિચિત્રણ બહુ સ્વાભાવિક થયું છે. સૌન્દર્યવર્ણનમાં કવિએ શાસ્ત્રીય પદ્ધતિ અપનાવી છે અને મરુદેવી તથા શ્રીમતી વગેરેનું નખશિખ સુંદર વર્ણન કર્યું છે. ૧. એજન, ૧. ૧૯ ૨. એજન, ૯. ૧૧, ૧૨, ૧૭; ૨૬. ૧૪૮ ૩. એજન, ૩ ૪. એજન, ૬. ૬૯, ૭૦. ૭૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જેન કાવ્યસાહિત્ય રસયોજનાની દૃષ્ટિએ તેમાં શૃંગાર, કરુણ, વીર, રૌદ્ર અને શાન્તરસનું મુખ્યપણે દર્શન થાય છે. મરુદેવી-નાભિરાય, શ્રીમતી-વજઅંધ, જયકુમારસુલોચના વગેરેના પ્રસંગમાં સંયોગશૃંગારનું સાંગોપાંગ ચિત્રણ કરવામાં આવ્યું છે. આ જ રીતે લલિતાંગ, શ્રીમતી-વજજંઘના પ્રસંગમાં વિયોગશૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે. શાન્તરસ તો આ પુરાણનો પ્રધાન રસ છે. ભરત-બાહુબલિ અને જયકુમાર અને અર્જકીર્તિના પ્રસંગમાં વીરરસનું પણ પ્રતિપાદન થયું છે. આ કાવ્યમાં ભાવ અને ભાષાને સજાવવા માટે અલકારોની યાજના બહુ ચાતુરીથી કરવામાં આવી છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉગ્રંક્ષા, રૂપક, પરિસંખ્યા, અર્થાન્તરન્યાસ, કાલિંગ, વ્યતિરેક વગેરેનો પ્રચુર પ્રયોગ થયો છે. જ્યાંત્યાં કવિએ ચિત્રકાવ્ય તથા યમકાદિ શબ્દાલંકારોનો પ્રચુર પ્રયોગ કર્યો છે. ભાષા તો પ્રાંજલ છે જ, તેને વ્યાવહારિક બનાવવા માટે અનેક સુભાષિતોથી વિભૂષિત કરવામાં આવી છે. આ મહાકાવ્ય કલ્પનાપ્રકર્ષ, ચિત્રણપ્રાચુર્ય, પદ્યરચનાની ધારાવાહિકતા, શૈલીની પ્રાસાદિકતા, આદિ ગુણોને કારણે અનેક વિદ્વાનોની પ્રશંસાને પામ્યું છે. આદિપુરાણની રચના અધિકાંશતઃ અનુષ્ટ્રમ્ છંદમાં થઈ છે, પરંતુ પર્વોત્તે અનેક છંદોનો પ્રયોગ થયો છે. કેટલાંય પર્વોમાં વિવિધ છંદોનો પ્રયોગ હૃદયંગમ છે. આ દૃષ્ટિએ ૨૮મા પર્વનું વિશેષ મહત્ત્વ છે. કવિનું છંદો ઉપર પૂર્ણ પ્રભુત્વ હતું. તેમણે ૬૭ વિભિન્ન છન્દોનો પ્રયોગ આ કાવ્યમાં કર્યો છે.' આ કૃતિની પશ્ચાદ્વર્તી અનેક રચનાઓએ તેનું અનુકરણ કર્યું છે. આ મહાપુરાણ ઉપર ભટ્ટારક લલિતકીર્તિએ રચેલું સંસ્કૃત ટિપ્પણ મળે છે; તે પ્રકાશમાં આવેલ છે. લલિતકીર્તિ સંભવતઃ ૧૮મી-૧૯મી સદીના ભટ્ટારક હતા. ૧. ઉત્તરપુરાણની પ્રસ્તાવના (ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી), પૃ. ૧૧-૧૩ ૨. ભારતીય જ્ઞાનપીઠ કાશીથી પ્રકાશિત સંસ્કરણમાં આ ટિપ્પણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ ખેદ છે કે સંપાદકે તેનો પરિચય નથી આપ્યો. આ ગ્રંથનો પં. દૌલતરામજી, ૫. લાલારામજી તથા પંપન્નાલાલજી સાહિત્યાચા હિંદી અનુવાદ કર્યો છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય પ૯ કવિ પરિચય અને રચનાકાલ – આ મહાપુરાણના કર્તા બે વ્યક્તિઓ છે – જિનસેન અને તેમના શિષ્ય ગુણભદ્ર. જિનસેનને આદરપૂર્વક ભગવર્જિનસેન પણ કહેવામાં આવે છે. મહાપુરાણના અંતે કોઈ પ્રશસ્તિ નથી પરંતુ ઉત્તરપુરાણના અંતે જે પ્રશસ્તિ છે તેમાંથી આ કવિના જીવનનો થોડો પરિચય મળે છે. તેમની બીજી કૃતિ જયધવલા ટીકાથી આપણે જાણીએ છીએ કે તે બાળપણમાં જ દીક્ષિત થઈ ગયા હતા, સરસ્વતીના મહાન આરાધક હતા તથા શરીરે દુબળી પાતળા અને દેખાવમાં ભવ્ય અને રમ્ય ન હતા. કુશાગ્ર બુદ્ધિ, જ્ઞાનારાધના અને તપશ્ચર્યાથી તેમનું વ્યક્તિત્વ મહનીય થઈ ગયું હતું. તેમણે બ્રાહ્મણ સ્મૃતિઓનું ઘણું અધ્યયન કર્યું હતું, તેથી યા તો સ્વયં બ્રાહ્મણ હોવાને કારણે મૃતિઓના પ્રભાવથી જૈનાચારને નવો વળાંક આપ્યો. જિનસેન મૂલસંઘના પંચસ્તૂપાન્વયના આચાર્ય હતા. તેમના ગુરુનું નામ વીરસેન હતું અને દાદાગુરુનું નામ આર્યનક્ટિ હતું. વીરસેનના એક ગુરુભાઈ જયસેન હતા. જિનસેને પોતાના આદિપુરાણમાં તેમનું સ્મરણ કર્યું છે. જિનસેનના સધર્મી યા સતીર્થ દશરથ મુનિ હતા. જિનસેન અને દશરથના શિષ્ય ગુણભદ્ર થયા, આ ગુણભદ્ર મહાપુરાણના શેષાંશની અને ઉત્તરપુરાણની રચના કરી.' પોતાના સાહિત્યિક જીવનમાં જિનસેનનો ત્રણ સ્થાનો સાથે સંબંધ હતો – ચિત્રકૂટ, બંકાપુર અને વાટગ્રામ. ચિત્રકૂટમાં એલાચાર્યનો નિવાસ હતો, જેમની પાસે તેમના ગુરુ વીરસેને સિદ્ધાન્તગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. ચિત્રકૂટ વર્તમાન ચિત્તોડ છે. વાટગ્રામમાં રહીને તેમના ગુરુએ ધવલા ટીકા લખી. વાટગ્રામ, વટપદ્ર નામોનું સામ્ય વિદ્વાનોએ વડોદરા સાથે સ્થાપ્યું છે. બંકાપુરમાં રહીને જિનસેન અને ગુણભદ્ર મહાપુરાણની રચના કરી હતી. તત્કાલીન રાષ્ટ્રકૂટ નરેશ અમોઘવર્ષ (ઈ.સ.૮૧૫-૮૭૭) જિનસેનનો મોટો ભક્ત હતો. તે વખતે અમોઘવર્ષનું રાજ્ય કેરલથી ગુજરાત, માળવા અને ચિત્રકૂટ સુધી વિસ્તરેલું હતું. જિનસેનનો સંબંધ ચિત્રકૂટ વગેરે સાથે હોવાથી તથા અમોઘવર્ષનું તે સમ્માન પામ્યા હોવાથી તેમનું જન્મસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકના સીમાવર્તી પ્રદેશમાં હોવાનું અનુમાન કરી શકાય. ૧. ઉત્તરપુરાણ, પ્રશસ્તિ, પદ્ય ૧-૨૦. ૨. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ (પં. નાથુરામ પ્રેમી), પૃ. ૧૨૭-૧૫૪; મહાપુરાણ, પ્રસ્તાવના, પૃ. ૩૧-૩૨ ૩. ઉત્તરપુરાણ પ્રશસ્તિ, પદ્ય ૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય આદિપુરાણની ઉત્થાનિકામાં જિનસેને પોતાના પૂર્વવર્તી સુપ્રસિદ્ધ કવિઓ અને વિદ્વાનોનું, તેમની વિશેષતા સાથે, સ્મરણ કર્યું છે – ૧. સિદ્ધસેન, ૨. સમન્તભદ્ર, ૩. શ્રી દત્ત, ૪. પ્રભાચન્દ્ર, પ. શિવકોટિ, ૬, જટાચાર્ય, ૭. કાણભિક્ષુ, ૮. દેવ (દેવનન્ડિ), ૯. ભટ્ટાકલંક, ૧૦. શ્રીપાલ, ૧૧. પાત્રકેસરી, ૧૨. વાદિસિંહ, ૧૩. વીરસેન, ૧૪. જયસેન, ૧૫. કવિ પરમેશ્વર. આ ગ્રંથ ઉપરથી તેના રચનાકાળની ખબર પડતી નથી, છતાં અન્ય પ્રમાણો દ્વારા જાણવા મળે છે કે તે હરિવંશપુરાણકાર દ્વિતીય જિનસેનના ગ્રંથકર્તુત્વકાળમાં (શક સં. ૭૦૫ સન્ ૭૮૩) જીવિત હતા. તેમની ખ્યાતિ પાર્વાન્યુદયના સર્જક તરીકે ફેલાયેલી હતી. જિનસેને પોતાના ગુરુ વીરસેનની અધૂરી કૃતિ જયધવલાને શક સં. ૭પ૯ (સન્ ૮૩૭)માં સમાપ્ત કરી હતી. ત્યારપછી વૃદ્ધાવસ્થાકાળમાં જ આદિપુરાણની રચના શરૂ કરી હતી, પણ તેને પૂર્ણ કરતાં પહેલાં તે દિવંગત થઈ ગયા. સ્વ. પં. નાથુરામ પ્રેમીએ અનુમાન કર્યું છે કે તેમનું આયુષ્ય ૮૦ વર્ષ રહ્યું હશે અને તેઓ શક સં. ૬૮૫ (સન્ ૭૬૩)માં જન્મ્યા હશે. જિનસેન દ્વિતીયના કાળમાં (શક સં. ૭૨૫) તે ૨૦-૨૫ વર્ષ લગભગ રહ્યા હશે, જયધવલાની સમાપ્તિ વખતે ૭૪ વર્ષના અને પ્રસ્તુત પુરાણની લગભગ ૧૦ હજાર શ્લોકોની રચનાના સમયે ૮૦ કે તેનાથી થોડા વધુ વર્ષના હશે. તેમની ઉપર્યુક્ત ત્રણ રચનાઓ ઉપરાંત બીજી કોઈ કૃતિ મળતી નથી. ઉત્તરપુરાણ – આ પુરાણ મહાપુરાણનો પૂરક ભાગ છે. તેમાં અજિતનાથથી શરૂ કરી ૨૩ તીર્થકર, સગરથી શરૂ કરી ૧૧ ચક્રવર્તી, ૯ બલદેવ, ૯ નારાયણ અને ૯ પ્રતિનારાયણ તથા તેમના કાળમાં થનારા જીવન્ધર આદિ વિશિષ્ટ પુરુષોનાં કથાનક આપવામાં આવ્યાં છે. અવાન્તર કથાનકોમાં કેટલાંક બહુ રોચક રીતે લખાયાં છે અને પશ્ચાદ્વર્તી અનેક કાવ્યોનાં ઉપાદાન બન્યાં છે. તેમાં આઠમા, સોળમા, બાવીસમા, તેવીસમા અને ચોવીસમા તીર્થંકરોને છોડીને બાકીના તીર્થકરોનાં ચરિત્રો અત્યંત સંક્ષેપમાં આપવામાં આવ્યાં છે, પરંતુ વર્ણનશૈલીની મધુરતાને કારણે તે ચરિત્રો પણ રોચક બની ગયાં છે. અવાન્તર કથાઓમાં રાજા વસુ અને ૧. હરિવંશપુરાણ, ૧. ૪૦ ૨. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૧૪૧ ૩. સ્યાદ્વાદ ગ્રંથમાલા, ઈન્દોર, સં. ૧૯૭૩-૭૫, હિ. અ. ન. : ભારતીય જ્ઞાનપીઠ, કાશી, ૧૯૫૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૬૧ પર્વતનાં આખ્યાન, અભયકુમારનું ચરિત્ર તથા જીવન્ધરચરિત્ર અત્યંત મનોહર ઉત્તરપુરાણનાં ૬૭ અને ૬૮મા પર્વોમાં જે રામકથા આપવામાં આવી છે તે પઉમચરિય (પ્રા.) અને પદ્મચરિત્ર (સં.)માં આલિખિત રામકથાથી અનેક બાબતોમાં ભિન્ન છે. આ પુરાણમાં રાજા દશરથ વારાણસીના રાજા હતા. રામની માતાનું નામ સુબાલા અને લક્ષ્મણની માતાનું નામ કૈકેયી હતું. સીતાને મંદોદરીના ગર્ભમાંથી જન્મતી બતાવવામાં આવી છે, તેને અનિષ્ટકારિણી જાણી રાવણે પેટીમાં મૂકી મિથિલામાં જમીનમાં દાટી દેવરાવી હતી અને ત્યાંથી તે જનકને મળી. દશરથ પાછળથી પોતાની રાજધાની અયોધ્યા લઈ ગયા હતા અને ત્યાંથી રામે દશરથનું નિમંત્રણ મળતાં સીતા સાથે વિવાહ કર્યો. રામના વનવાસનો કોઈ ઉલ્લેખ નથી. રામ સીતા સાથે પોતાના પૂર્વજોની ભૂમિના દર્શન કરવા બનારસ ગયા અને ત્યાંના ચિત્રકૂટ વનમાંથી રાવણે સીતાનું અપહરણ કર્યું. અહીં સીતાના આઠ પુત્રોનો ઉલ્લેખ છે પરંતુ લવ-કુશનો ઉલ્લેખ નથી. લક્ષ્મણનું મરણ એક અસાધ્ય રોગને કારણે થયું. રામે લક્ષ્મણના પુત્રને રાજા બનાવ્યો અને પોતાના પુત્રને યુવરાજ બનાવી પોતે દીક્ષા લીધી, વગેરે. આ કથા પાલિ “દશરથજાતક” તથા અદ્ભુત રામાયણ સાથે કંઈક સમાનતા રાખતી લાગે છે, પરંતુ તેની અન્ય વિશેષ વાતોના સ્રોતોની જાણકારી મેળવવી કઠિન છે. આ જ રીતે ૭૧મા પર્વમાં બલરામ, શ્રીકૃષ્ણ, તેમની આઠ રાણીઓ તથા પ્રદ્યુમ્ન વગેરેના ભવાન્તર આલેખવામાં આવેલ છે. આમાં જિનસેન (દ્વિતીય)ના હરિવંશપુરાણમાં આપવામાં આવેલાં કેટલાંય સ્થાનોનાં નામો તથા કથાનક વગેરેમાં તફાવત જોવામાં આવે છે. આ ઉત્તરપુરાણમાં ૪૮થી ૭૬ સુધી એમ કુલ ૨૯ પર્વો છે. અતિવિસ્તાર થઈ જવાના ભયથી, થોડામાં જ કથાઓ પૂરી કરી દેવાનું વિચારીને કવિએ પોતાના કવિત્વનું પ્રદર્શન નથી કર્યું અને કેવળ પોણા આઠ હજાર શ્લોકોમાં કથાભાગ પૂરો કર્યો છે. તો પણ વચ્ચે વચ્ચે કેટલાંય સુભાષિતો આવી ગયાં છે. આના પ્રતિપર્વની રચના અનુષ્ટ્રમ્ છંદમાં કરવામાં આવી છે અને સર્વાન્ત છન્દ બદલવામાં આવ્યો છે. આમાં કુલ ૧૬ પ્રકારના છંદોનો પ્રયોગ થયો છે. અનુછુભના પ્રમાણથી આનું ગ્રન્થપ્રમાણ ૭૭૭૮ શ્લોક છે. કર્તા અને રચનાકાળ – ગ્રંથના અંતે ૪૩ પદ્યોની વિવિધ છંદોમાં રચાયેલી પ્રશસ્તિ છે, તેના બે ભાગ છે. પ્રથમ ભાગ ૧-૨૭ પદ્યોનો છે, તેના રચનાર ગુણભદ્ર છે. બીજા ભાગમાં બાકીનાં પડ્યો છે, તેના રચનાર ગુણભદ્રશિષ્ય લોકસેન Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય છે. પ્રથમ ભાગમાં ગ્રંથકર્તાએ પોતાની ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો છે. તદનુસાર તે મૂલસંઘ સેનાન્વયમાં થયેલ વીરસેન મુનિના પ્રશિષ્ય અને જિનસેનના શિષ્ય હતા. ઉક્ત પ્રશસ્તિ દ્વારા જાણવા મળે છે કે અમોઘવર્ષ જિનસેનના મોટા ભક્ત હતા. આ પ્રશસ્તિમાં મહાપુરાણ અને ઉત્તરપુરાણનો આધાર કવિ પરમેશ્વરકૃત ‘ગદ્યકથાગ્રન્થ’૧ છે એમ કહ્યું છે. ગુણભદ્રે લખ્યું છે કે અતિવિસ્તારના ભયથી અને અતિશય હીન કાળના અનુરોધથી અવશિષ્ટ મહાપુરાણને આટલા સંક્ષિપ્ત રૂપમાં રચવામાં આવેલ છે. ૬૨ ગ્રંથકર્તાએ ક્યાંય પણ ગ્રન્થસમાપ્તિનો કાળ આપ્યો નથી. પ્રશસ્તિના બીજા ભાગમાં તેમના શિષ્ય લોકસેને લખ્યું છે કે જ્યારે રાષ્ટ્રકૂટ અકાલવર્ષનો સામન્ત લોકાદિત્ય બંકાપુર રાજધાનીથી સંપૂર્ણ વનવાસ દેશનું શાસન કરતો હતો ત્યારે શક સં. ૮૨૦ની શ્રાવણ વદ પાંચમના દિવસે આ પુરાણની ભવ્ય જનોએ પૂજા કરી. આજ સુધી વિદ્વાનોએ શક સં. ૮૨૦ને ગ્રન્થસમાપ્તિનો સંવત માન્યો હતો પણ તે ભૂલ હતી. સ્વ. પં. પ્રેમીનાં મતે ઉત્તરપુરાણની સમાપ્તિ જિનસેનના દિવંગત થવાના વર્ષ શક સં. ૭૬૫ પછી અન્નતિકાલ બાદ પાંચસાત વર્ષમાં અર્થાત્ ૭૭૦ કે ૭૭૨માં થઈ હોવી જોઈએ. ૨ ગુણભદ્રની અન્ય કૃતિઓમાં ૨૭૨ પઘોમાં રચાયેલો આત્માનુશાસન નામનો ગ્રન્થ મળે છે. આ ગ્રંથ વૈરાગ્યશતકની શૈલીમાં લખાયો છે. કેટલાક વિદ્વાનો જિનદત્તચરિત્ર (૯ સર્ગ)ને પણ તેમની રચના ગણે છે. પરંતુ લાગે છે કે તે પશ્ચાત્કાલીન ભટ્ટારક ગુણભદ્રની રચના છે. પુરાણસાર તેમાં ચોવીસ તીર્થંકરોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. આ સંક્ષિપ્ત રચનાઓમાં પ્રાચીન રચના છે. BUTOR કર્તા અને રચનાકાલ તેના કર્તા લાટ વાગડસંઘ અને બલાત્કાર ગણના આચાર્ય શ્રીનન્દિના શિષ્ય મુનિ શ્રીચન્દ્ર છે. તેમણે આ ગ્રંથની રચના વિ.સં. ૧૦૮૦માં પૂરી કરી હતી. તેમની અન્ય કૃતિઓમાં મહાકવિ પુષ્પદન્તના મહાપુરાણ ઉપરનું ટિપ્પણ તથા શિવકોટિની મૂલારાધના ઉપરનું ટિપ્પણ છે. -- ૧. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૧૪૧-૧૪૨ ૨. એજન, પૃ. ૫૬૫ ૩. એજન, પૃ. ૨૮૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૬૩ આ ગ્રંથોના અંતે પ્રશસ્તિ આપવામાં આવી છે. તેના ઉપરથી જાણ થાય છે કે આ બધા ગ્રંથો પ્રસિદ્ધ પરમાર નરેશ ભાજદેવના સમયમાં તેમણે ધારાનગરીમાં રહી લખ્યા હતા. ( પુરાણસારસંગ્રહ – પ્રસ્તુત ગ્રંથમાં આદિનાથ, ચંદ્રપ્રભ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનાં ચરિત્રો આલેખવામાં આવ્યાં છે. આદિનાથ ચરિત્રે ૫, ચન્દ્રપ્રભચરિત્રે ૧, શાન્તિનાથચરિત્ર ૬, નેમિનાથ ચરિત્રે ૫, પાર્શ્વનાથચરિત્રે ૫ અને મહાવીરચરિત્રે ૫ સર્ગો રોક્યા છે. આમ આ કૃતિમાં કુલ ૨૭ સર્ગ છે. આમાંથી કેવળ ૧૦ સર્ગોના અંતે પુષ્યિકામાં ગ્રંથનું નામ પુરાણસારસંગ્રહ આપ્યું છે, ૧૨ સર્ગોની પુષ્યિકામાં પુરાણસંગ્રહ, બે સર્ગમાં મહાપુરાણ-પુરાણસંગ્રહે, એક સર્ગમાં મહાપુરાણસંગ્રહ અને એક સર્ગમાં કેવળ મહાપુરાણ અને ત્રણમાં કેવળ અર્થાખ્યાનસંગ્રહ આપવામાં આવેલ છે. તેના કર્તા દામનદિની અનેક કૃતિઓમાં ચતુર્વિશતિતીર્થંકરપુરાણ નામની એક કૃતિ શ્રવણબેલગોલાના ભટ્ટારકના અંગત ભંડારમાં છે. લુઈ રાઈસે પોતાની મૈસૂર અને દુર્ગની હસ્તલિખિત ગ્રંથસૂચીમાં પ્રસ્તુત રચના અને ઉક્ત પુરાણ બંને રચનાઓ એક જ છે એવું સૂચવ્યું છે. પ્રસ્તુત ગ્રંથની ઉક્ત પુષ્મિકાઓ ઉપરથી જણાય છે કે લેખકે જુદા જુદા સમયોમાં ધીમે ધીમે ચોવીસ તીર્થંકરોના ચરિત્રો રચ્યાં હતાં. તેમની રચનાના સમયે પૂરા ગ્રંથનું કોઈ એક નામ નક્કી કર્યું ન હતું, તેથી કોઈ સર્ગના અંતે કોઈ નામ આપ્યું છે અને કોઈ સર્ગના અંતે કોઈ, તેથી લાગે છે કે ગ્રંથ પૂર્ણ થતાં પૂરા ગ્રંથનું નામ ચતુર્વિશતિતીર્થંકરપુરાણ કે મહાપુરાણ પ્રસિદ્ધ થયું હશે અને સર્માન્ત પુષ્મિકાઓના આધારે તે અર્થાખ્યાનસંગ્રહ, અર્થાખ્યાનસંયુત, પુરાણસારસંગ્રહ, કે પુરાણસંગ્રહ પણ કહેવાતો રહ્યો. કોઈક કારણે ઉક્ત પૂરા ગ્રંથમાંથી ઉક્ત છ ચરિત્રો કાઢી કરવામાં આવેલું તેમનું પૃથફ સંકલન પણ પ્રચારમાં આવ્યું હશે અને તેની પ્રસિદ્ધિ “પુરાણસંગ્રહ' નામથી જ પ્રાયઃ થઈ હશે. કર્તા અને રચનાકાલ – આ ગ્રંથના કર્તા દામનદિ આચાર્ય છે, એવું અનેક સર્ગોના અંતે આપવામાં આવેલી પુષ્પિકાઓ ઉપરથી જણાય છે. સાહિત્ય અને ૧. ભારતીય જ્ઞાનપીઠ, કાશીથી ૧૯૫૪માં બે ભાગોમાં પ્રકાશિત (સંપાદક અને અનુવાદક ડૉ. ગુલાબચંદ્ર ચૌધરી). ૨. જિનરત્નકોશ, પૃ. ૨પર ૩. એજન, પૃ. ૧૫૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શિલાલેખ આદિ દ્વારા દામનન્દિ નામના કેટલાય આચાર્યો થયા હોવાનું જણાય છે. બધાનો સમય ૧૧મીથી ૧૩મી શતાબ્દી વચ્ચે છે. કર્ણાટક પ્રદેશના ચિક્કહનસોગે તાલુકામાં પ્રાપ્ત અનેક શિલાલેખોમાં દામનન્દિનો ઉલ્લેખ મળે છે. તે શિલાલેખોમાંથી જાણવા મળે છે કે દામનન્દ્રિ ભટ્ટારકનો તથા તેમની શિષ્યપરંપરાનો હનસોગે (પનસોગે)ના ચંગાલ્વ તીર્થની સમસ્ત વસદિઓ (જિનાલયો)માં તથા આજુબાજુની વસદિઓમાં પૂર્ણ એકાધિકાર હતો. હનસોગેમાં ચાર પ્રસિદ્ધ વસદિઓ હતી આદીશ્વર, શાન્તીશ્વર, નેમીશ્વર અને જિનવદિ. અંતિમ જિનવસદિમાં ત્રણ સ્વતન્ત્ર ખંડ હતા, તે ત્રણમાં ક્રમશઃ ચન્દ્રપ્રભ, પાર્શ્વનાથ અને વર્ધમાન પ્રતિમાઓ મૂળ નાયકના સ્થાને પ્રતિષ્ઠિત હતી. અનુમાન કરવામાં આવે છે કે આ દામનન્દ્રિ ભટ્ટારક જ ઉક્ત ચતુર્વિશતિતીર્થંકરપુરાણના કર્તા હતા અને સ્થાનીય મહત્ત્વની દૃષ્ટિએ આ મહાપુરાણમાંથી ઉપર્યુક્ત છ તીર્થંકરોનાં ચરિત્રો સંકલિત કરીને એક પૃથક્ ગ્રંથના રૂપમાં તેમણે કે તેમના શિષ્યોએ પ્રસિદ્ધ કરી દીધા. સંભવતઃ આ જ પેલો કહેવાતો પુરાણસારસંગ્રહ છે. શાન્તિનાથચરિત્રના અપેક્ષાકૃત અધિક વિસ્તારને અને સર્ગાન્ત પુષ્પિકાઓને તથા તેના અંતિમ સર્ગના અંતિમ પદ્યને જોવાથી એવું લાગે છે કે ગ્રંથકર્તાનો સ્થાયી નિવાસ હમસોગે (પનસોગે)ની શાન્તીશ્વર વદિ જ હતો. ત્યાં જ તેમણે ગ્રંથરચના કરી. ભગવાન શાન્તિનાથના તે વિશેષ ભક્ત જણાય છે. આ દામનન્દનો સમય ૧૧મી શતાબ્દીના મધ્યમાં લગભગ પડેલો છે. જૈન કાવ્યસાહિત્ય ડૉ. જયોતિપ્રસાદના મતે આ દામન્દિ એક બીજા દામન્દિ અર્થાત્ રવિચન્દ્રના શિષ્ય પણ હોઈ શકે, જેમનો સમય લગભગ ઈ.સ. ૧૦૨૫ છે. તે ચતુર્વિંશતિપુરાણ, જિનશતક (શ્લોક સં. ૪૦૦૦) નામક સ્તુતિસ્તોત્રસંગ્રહ, નાગકુમારચરિત્ર, ધન્યકુમારચરિત્ર તથા દાનસાર (શ્લોક સં. ૩000) પાંચ ગ્રન્થોના કર્તા છે. ડૉ. જૈને અનુમાન કર્યું છે કે આ જ દામનન્દ્રિ એક મહાવાદી વિષ્ણુભટ્ટને પરાજિત કરનાર હતા તથા આયજ્ઞાનતિલકના કર્તા ભટ્ટ વોસિરના ગુરુ હતા તથા પોતાના સમયના પ્રભાવક આચાર્ય હતા. આ પુરાણસાર નામવાળી કેટલીક અન્ય રચનાઓ મળે છે જેમાં ભ. સકલકીર્તિકૃત ગઘાત્મક છે અને બીજી અજ્ઞાતકર્તૃક છે. ૧. જૈ. શિ. લે. સં., ભાગ ૨, નં. ૨૨૩, ૨૩૯, ૨૪૧ ૨. જૈન સન્દેશ, શોધાંક ૨૨, ભા. દિ. જૈન. સં. મથુરા, ઑક્ટોબર, ૧૯૬૫ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૧૬, ૨૫૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૬૫ મહાપુરાણ – તેનું બીજું નામ “ત્રિષષ્ટિમહાપુરાણ” કે “ત્રિષષ્ટિશલાકાપુરાણ' છે. તેનું પરિમાણ બે હજાર શ્લોકપ્રમાણ છે. તેમાં ત્રેસઠ શલાકા પુરુષોની સંક્ષિપ્ત કથા છે. રચના સુંદર અને પ્રસાદ ગુણથી યુક્ત છે. કર્તા અને રચનાકાલ – આના કર્તા મુનિ મલ્લિષણ છે. મહાપુરાણમાં રચનાનો સમય શક સં. ૯૬૯ (વિ.સં.૧૧૦૪) જેઠ સુદ પાંચમ જણાવ્યો છે. તેથી મલ્લિષેણ વિક્રમની ૧૧મી સદીના અંત અને ૧૨મી સદીના પ્રારંભના વિદ્વાન છે. મલ્લિષણની ગુરુપરંપરા નીચે મુજબ છે : અજિતસેન (ગંગનરેશ રાયમલ્લ અને સેનાપતિ ચામુંડરાયના ગુરુ)ના શિષ્ય કનકસેન, કનકસેનના શિષ્ય જિનસેન અને જિનસેનના શિષ્ય મલ્લેિષણ. તે એક મોટા મઠપતિ હતા અને કવિ હોવાની સાથે સાથે મોટા મંત્રવાદી હતા. ધારવાડ જિલ્લાના મુલગુન્દમાં તેમનો મઠ હતો, ત્યાં જ તેમણે ઉક્ત મહાપુરાણની રચના કરી હતી. તેમની અન્ય કૃતિઓમાં નાગકુમારકાવ્ય, ભૈરવપદ્માવતીકલ્પ, સરસ્વતીમંત્રકલ્પ, જવાલિનીકલ્પ અને કામચાંડાલીકલ્પ મળે છે. ત્રિષષ્ટિસ્મૃતિશાસ્ત્ર – આમાં ૬૩ શલાકા મહાપુરુષોનાં જીવનચરિતો અતિ સંક્ષિપ્ત રૂપમાં આલેખવામાં આવ્યાં છે. આ ભગવદ્ જિનસેન અને ગુણભદ્રના મહાપુરાણનો સાર છે. આ ગ્રંથ ખાંડિલ્યવંશી જાજાક નામક પંડિતની પ્રાર્થના અને પ્રેરણાથી નિત્ય સ્વાધ્યાય કરવા માટે રચવામાં આવ્યો છે. આને વાંચવાથી મહાપુરાણનો આખો કથા ભાગ સ્મૃતિપટ પર આવી જાય છે. ગ્રંથકારે ટિપ્પણી રૂપે તેના ઉપર સ્વોપજ્ઞ “પંજિકા' લખી છે. સંપૂર્ણ રચનાને ૨૪ અધ્યાયોમાં વિભક્ત કરવામાં આવી છે. આ ગ્રંથ ૪૮૦ શ્લોકપ્રમાણ છે. આખા ગ્રંથની રચના સુલલિત અનુષ્ટ્રમ્ છન્દમાં કરવામાં આવી છે. ' ગ્રંથકર્તા અને રચનાકાલ – આ ગ્રંથના કર્તા પ્રસિદ્ધ પં. આશાધર છે. તે વધેરવાલ જાતિના જૈન હતા અને પ્રસિદ્ધ ધારાનગરીની સમીપ આવેલા નલકચ્છપુર (નાલછા)ના નિવાસી હતા. તેમણે લગભગ ૧૯ ગ્રંથો રચ્યા છે, તેમાંથી કેટલાક ઉપલબ્ધ અને પ્રકાશિત છે અને કેટલાક આજ સુધી અનુપલબ્ધ છે. કાવ્યગ્રંથોમાં ૧. જિનરત્નકોશ, પૃ. ૧૬૩-૩૦૫; જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૩૧૪-૩૧૯ ૨. માણિજ્યચંદ્ર દિ. જૈ. ગ્રંથમાલા, મુંબઈ, ૧૯૩૭; જિનરત્નકોશ, પૃ. ૧૬૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ જેન કાવ્યસાહિત્ય તેમની નીચેની કૃતિઓ છે – ૧. ભરતેશ્વરાભ્યદય કાવ્ય સ્વપજ્ઞ ટીકા સહિત, ૨. રાજીમતીવિપ્રલંભ તથા ૩. ત્રિષષ્ટિમૃતિશાસ્ત્ર. બાકીની કૃતિઓમાં શ્રાવકમુનિ આચાર, સ્તોત્ર, પૂજા, વિધાન અને ટીકાઓ છે. - તેમના ગ્રન્થોના અંતે જે પ્રશસ્તિઓ આપવામાં આવી છે તે પરમાર રાજાઓના ઈતિહાસકાલને જાણવા બહુ ઉપયોગી છે.' આ ગ્રંથના અંતે જે પ્રશસ્તિ છે તે ઉપરથી જણાય છે કે તેની રચના પરમાર નરેશ જૈતુગિદેવના રાજકાળમાં વિક્રમ સં. ૧૨૯૨માં નલકચ્છપુરના નેમિનાથ મંદિરમાં થઈ હતી. આદિપુરાણ-ઉત્તરપુરાણ – આદિપુરાણને “ઋષભદેવચરિત' તથા ઋષભનાથચરિત' નામે પણ જાણવામાં આવે છે. તેમાં ૨૦ સર્ગો છે. ઉત્તરપુરાણનું વિશેષ વિવરણ નથી મળી શક્યું. કર્તા અને રચનાકાળ – આ બંને કૃતિઓના લેખક ભટ્ટારક સકલકીર્તિ છે. તેમનો પરિચય તેમની અન્યતમ કૃતિ હરિવંશપુરાણના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. ત્રેસઠ મહાપુરુષોનાં ચરિતોથી સંબંધિત કેશવસેન (સં. ૧૯૮૮) અને પ્રભાચન્દ્રનું કર્ણામૃતપુરાણ પણ ઉલ્લેખનીય છે. રાયમલ્લાન્યુદય – આમાં ચોવીસ તીર્થકરોનાં ચરિત્રો મહાપુરાણ અનુસાર આપવામાં આવ્યાં છે. આ આજ સુધી અપ્રકાશિત છે તથા તેની હસ્તપ્રતિ ખંભાતના કલ્યાણચંદ્ર જૈન પુસ્તક ભંડારમાં છે. પત્ર સંખ્યા ૧૦૫ છે. આ ગ્રંથ અકબરના દરબારી શેઠ ચૌધરી રાયમલ્લ (અગ્રવાલ દિગંબર)ની વિનંતી અને પ્રેરણાથી રચાયો છે, તેથી તેનું નામ “રાયમલ્લાલ્યુદય' રાખવામાં આવ્યું છે." રચયિતા અને રચનાકાલ – તેના રચયિતા ઉપાધ્યાય પદ્મસુંદર છે. તે નાગોર તપાગચ્છના બહુ મોટા વિદ્વાન હતા. તેમના ગુરુ પદ્મમેરુ અને પ્રગુરુ આનન્દમેરુ હતા. પદ્મસુંદર પોતાના યુગના પ્રભાવક આચાર્ય હતા. બાદશાહ અકબરના ૧. વિશેષ પરિચય માટે જુઓ જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૩૪૩-૩૫૮. ૨. જિનરત્નકોશ, પૃ. ૨૮ ૩. એજન, પૃ. ૪૨ ૪. એજન, પૃ. ૬૮ ૫. આનો પરિચય પ્રો. પીટર પીટર્સને જર્નલ ઓફ રૉયલ એશિયાટિક સોસાયટી, બોમ્બે બ્રાંચ (એક્સ્ટ્રા નં. સં. ૧૮૮૭)માં વિસ્તારથી આપ્યો છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય દરબારમાં ૩૩ હિન્દુ સભાસદોના પાંચ વિભાગોમાંથી તેમનું નામ પ્રથમ વિભાગમાં હતું. તેમણે અકબરના દરબારમાં એક મહાપંડિતને વાદવિવાદમાં પરાસ્ત પણ કર્યા હતા અને તેથી સમ્માન પામ્યા હતા. જોધપુરના હિન્દુ નરેશ માલદેવે પણ તેમનું સન્માન કર્યું હતું. “અકબરશાહિશૃંગારદર્પણ'ની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે પદ્મસુંદરના દાદાગુર આનન્દમેરુનું અકબરના પિતા હુમાયૂ અને પિતામહ બાબરના દરબારમાં મોટું સમ્માન હતું. પાસુંદર ઘણા જ ઉદાર બુદ્ધિવાળા હતા. તેમણે દિગંબર સંપ્રદાયના રાયમલ્લની વિનંતીથી ઉક્ત ગ્રંથની જ નહિ પરંતુ પાર્શ્વનાથકાવ્યની પણ રચના કરી છે. ઉક્ત બંને ગ્રંથોની પ્રશસ્તિઓમાં રાયમલ્લના વંશનો પરિચય તથા કાષ્ઠાસંઘના આચાર્યોની ગુરુપરંપરા આપી છે. પદ્મસુંદરે કેટલાય ગ્રંથોનું સર્જન કર્યું છે. ભવિષ્યદત્તરચિત, રાયમલ્લાલ્યુદય, યદુસુન્દરમહાકાવ્ય, પાર્શ્વનાથમહાકાવ્ય, પ્રમાણસુન્દર, સુન્દરપ્રકાશશબ્દાર્ણવ (કોષ), શૃંગારદર્પણ, કબૂચરિત (પ્રાકૃત), હાયનસુંદર (જ્યોતિષ) અને કેટલીય લધુ કૃતિઓ. આ બધી રચનાઓ તેમણે વિ.સં. ૧૬૨૬ અને ૧૬૩૯ની વચ્ચે રચી છે. તેમનો સ્વર્ગવાસ વિ.સં. ૧૬૩૯માં થયો હતો.' ચઉપન્નમહાપુરિસચરિય – આ ચરિતમાં કેવળ ૫૪ મહાપુરુષોનાં ચરિતોનું આલેખન છે. જૈન સાહિત્યમાં મહાપુરુષોના સંબંધમાં બે માન્યતાઓ છે. સમવાયાંગસૂત્રના ૨૪૬થી ૨૭૫ સૂત્રોમાં ૬૩ શલાકાપુરુષોનાં નામ આપ્યાં છે પણ ૯ પ્રતિવાસુદેવોને છોડી બાકીના પ૪ને જ સૂત્ર ૧૩૨માં “ઉત્તમપુરુષ' કહેવામાં આવ્યા છે. આ ગ્રંથમાં પણ ૯ પ્રતિવાસુદેવોને છોડી બાકીના પ૪ને જ “ઉત્તમપુરુષ' કહેવામાં આવ્યા છે. પરંતુ ચરિત્ર આલેખનની દૃષ્ટિએ તો તેમાં ૫૧ મહાપુરુષોના ચરિત્રોનું જ આલેખન છે કારણ કે શાન્તિ, કુન્થ અને અરનાથ એ ત્રણ નામ તીર્થકર અને ચક્રવર્તીઓ બંનેમાં સામાન્ય છે. એટલું જ નહિ પણ વિષયસૂચી જોવાથી જાણવા મળે છે કે વાસ્તવિક ચરિત્ર ૪૦ જ રહે છે કારણ કે પિતાપુત્ર, અગ્રજ-અનુજના સંબંધને લીધે કેટલાંક ચરિત્રો સાથે સાથે જ આપવામાં આવ્યાં છે, એટલે વિશિષ્ટ ચરિતોની સંખ્યા ૪૦ જ બાકી રહે છે. ૧. અનેકાન્ત, વર્ષ ૪ અંક ૮; અગરચંદ નાહટા – ‘ઉપાધ્યાય પદ્મસુંદર ઔર ઉનકે ગ્રન્થ” તથા એજન, વર્ષ ૧૦ અંક ૧ “કવિ પદ્મસુન્દર ઔર શ્રાવક રાયમલ્લ'; નાથુરામ પ્રેમી – જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૩૯૫-૪૦૩. ૨. પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, વારાણસી, સન્ ૧૯૬૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જેન કાવ્યસાહિત્ય મહાપુરુષોનાં સમુદિત ચરિત્રોનું પ્રાકૃત ભાષામાં આલેખન કરનારા ઉપલબ્ધ ગ્રંથોમાં આ ગ્રંથનું સ્થાન સૌપ્રથમ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં એકકકની દૃષ્ટિએ પણ આ ગ્રંથ સર્વપ્રધાન છે. સંસ્કૃતમાં આના પહેલાં મહાપુરાણ' મળે છે પરંતુ તે પણ એકકર્તુક નથી. તેની પૂર્તિ જિનસેનના શિષ્ય ગુણભદ્રાચાર્યે કરી છે. આ ગ્રંથ ૧૦૮૦૦ શ્લોકપ્રમાણ છે. આ એક ગદ્યપદ્યમિશ્રિત રચના છે. પ્રારંભમાં ઋષભદેવ ચરિતના મધ્યમાં એક “વિબુધાનન્દનાટક (સંસ્કૃત-પ્રાકૃત મિશ્રિત) આવે છે અને અત્ર-તત્ર અપભ્રંશમાં રચાયેલાં સુભાષિતો પણ આવે છે. દેશી શબ્દોનો પ્રયોગ પણ ઉચિત માત્રામાં થયો છે. " લેખકે કથાવસ્તુના પૂર્વોતોના રૂપમાં આચાર્યપરંપરાથી પ્રાપ્ત પ્રથમાનુયોગનો નિર્દેશ કર્યો છે પરંતુ તેમની સમક્ષ ભાગ્યે જ પ્રથમાનુયોગ હશે. ગ્રંથકારે પૂર્વવર્તી રચનાઓમાંથી કથાવસ્તુ લીધી છે પરંતુ તેમાં પણ કેટલીય બાબતોમાં ભિન્નતા જણાય છે. ઉદાહરણ તરીકે રામકથાને જ લો. અધિકાંશ વર્ણન તો વિમલસૂરિ રચિત પમિચરિય સમાન છે પણ કેટલીક વાતોમાં ભેદ છે, જેમકે રાવણની બહેનને પઉમરિયમાં ચન્દ્રનખા કહી છે જ્યારે અહીં તેનું નામ સૂર્પનખા છે, પઉમરિયમાં રાવણ લક્ષ્મણના સ્વરમાં સિંહનાદ કરીને રામને ધોખો દે છે, પરંતુ અહીં સુવર્ણમય માયામૃગનો પ્રયોગ કરીને ધોખો દે છે, અહીં રામના હાથે બલિનો વધ થતો બતાવ્યો છે જ્યારે પહેમચરિયમાં બલિ દીક્ષા લે છે. આ બધી વાતો ઉપરથી લાગે છે કે આ રચના ઉપર વાલ્મીકિ રામાયણનો અધિક પ્રભાવ છે. ગ્રંથના અંતે શીલાંકે તો સ્પષ્ટ કહ્યું છે કે રામલક્ષ્મણનાં ચરિત્ર પઉમરિયમાં વિસ્તારથી આલેખવામાં આવ્યાં છે. આ ગ્રંથનાં ૪૦ ચરિત્રોમાં ૨૧ ચરિત્રો તો કથાઓની અતિ સંક્ષિપ્ત નોંધ જેવાં લાગે છે. કેટલાંક તો ૫-૭ પંક્તિઓમાં કે અડધા-પોણા પૃષ્ઠમાં અને વધુમાં વધુ એક કે સવા પૃષ્ઠમાં સમાપ્ત કરવામાં આવ્યાં છે. માત્ર ૧૯ ચરિત્ર અનેક વિશેષતાઓના કારણે વિસ્તાર પામ્યાં છે – જેમકે મહાપુરુષના ક્રમથી ૧-૨. ઋષભ-ભરત ચરિત, ૩૦-૩૧. શાંતિનાથચરિત (તીર્થંકર-ચક્રવર્તી), ૪૧. મલ્લિસ્વામી અને પ૩. પાર્થસ્વામીચરિત – આ ચાર કથાનાયકના પૂર્વભવોનું વિસ્તારથી વર્ણન છે. ૭. સુમતિસ્વામચરિત પૂર્વભવની કથા તથા શુભાશુભ કર્મવિપાકના લાંબા ઉપદેશના કારણે વિસ્તારથી આલિખિત છે. ૪. સગરચરિત, ૨૯. સનકુમારચરિત, ૩૮. સુભૂમચરિત, ૪૯-૫૦-૫૧. Page #91 -------------------------------------------------------------------------- ________________ . પૌરાણિક મહાકાવ્ય ૫૪. નેમિનાથ-કૃષ્ણ-બલદેવચરિત, ૫૨. બ્રહ્મદત્તચક્રવર્તી, તથા વર્ધમાનસ્વામીચરિત આ છ ચરિત્રોમાં કથાનાયકોના વિવિધ પ્રસંગોનો વિસ્તાર છે. ૩. અજિતસ્વામીચરિત, ૧૭-૧૮. દ્વિપૃષ્ઠ-વિજયચરિત, ૨૦-૨૧. સ્વયંભૂ-ભદ્રબલદેવચરિત્ર, ૩૪-૩૫. અરસ્વામી(તીર્થંકર-ચક્રવર્તી)ચરિત આ ચાર ચરિત્રોમાં અવાન્તર કથાઓના કારણે વિસ્તાર કરવામાં આવ્યો છે. ૧૪૧૫. ત્રિપૃષ્ઠઅચલચરિત્રમાં સિંહવધઘટના ઉપરાંત મુખ્યપણે પૂર્વભવોના વૃત્તાંતના કારણે વિસ્તાર થયો છે. ૫. સંભવચરત, ૮. પદ્મપ્રભચરિત અને ૧૦. ચન્દ્રપ્રભચરિત આ ત્રણ ચરિતોમાં ક્રમશઃ કર્મબન્ધ, દેવ-નરક ગતિ તથા નરકોથી સંબદ્ધ ઉપદેશ જ અધિક છે, ચરિતો તો એક તાલિકા માત્ર બની ગયાં છે. - આમાં આવેલી વરુણવર્મકથા, વિજયાચાર્યકથા અને મુનિચન્દ્રકથા આ ત્રણ અવાન્તર કથાઓની તેમ જ બ્રહ્મદત્તચક્રવર્તીચરિતના મોટા ભાગની રચનાશૈલી આત્મકથાત્મક છે. અન્ય ચરિતગ્રંથોથી આની વિશેષતા એ છે કે આમાં સૌપ્રથમ આપણને નાટકના રૂપમાં અવાન્તર કથા રચવાનો નમૂનો મળે છે. આ કાવ્યનો પશ્ચાત્કાલીન સંસ્કૃત-પ્રાકૃત કેટલાંક કાવ્યો ઉપર પ્રભાવ છે. ૬૯ - સાંસ્કૃતિક સામગ્રીની દૃષ્ટિએ આમાં યુદ્ધ, વિવાહ, જન્મ અને ઉત્સવોનાં વર્ણનોમાં તત્કાલીન પ્રથાઓ અને રીતરિવાજોનાં નોંધપાત્ર ઉલ્લેખો મળે છે. આમાં ચિત્રકલા અને સંગીતકલાની સારી સામગ્રી આપવામાં આવી છે. આની ભાષા, શૈલી આદિ મહાકાવ્યને અનુરૂપ છે. ૧. પ્રસ્તાવના, પૃ. ૫૨-૫૪. ગ્રન્થકાર અને તેમનો સમય આ ચરિતગ્રંથના કર્તાએ પોતાની ઓળખાણ ત્રણ નામોથી આપી છે ૧. શીલાંક યા સીલંક, ૨. વિમલમતિ અને ૩. સીલાચરિય. ગ્રંથના અંતે પાંચ ગાથાઓની પ્રશસ્તિ છે. તે ઉપરથી જાણ થાય છે કે તે નિવૃત્તિકુલના આચાર્ય માનદેવસૂરિના શિષ્ય હતા.' લાગે છે કે આચાર્ય પદની પ્રાપ્તિ પૂર્વે અને ત્યાર પછી ગ્રંથકારનું નામ ક્રમશઃ વિમલમતિ અને શીલાચાર્ય રહ્યું હશે. ‘શીલાંક' તો ઉપનામ જેવું લાગે છે અને તે સંભવતઃ તેમની અન્ય રચનાઓમાં પણ પ્રયુક્ત થયું છે. દેશીનામમાલામાં હેમચંદ્રે આપેલાં કેટલાંક ww Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ઉદ્ધરણો દ્વારા જાણ થાય છે કે શીલાંકે રચેલી કોઈ ‘દેશીનામમાલા' કે દેશીશબ્દકોશની કોઈ ટીકા હશે. એમ તો શીલાંક નામના અન્ય આચાર્ય પણ થઈ ગયા છે પણ તેમની રચનાઓ આગમવિષયક જ છે. બૃહટ્ટિપ્પનિકામાં ‘ચઉપન્નમહાપુરિસરિયં’ની રચનાનો સમય વિ.સં. ૯૨૫ આપ્યો છે. આ શીલાચાર્ય પોતાના સમકાલીન શીલાચાર્ય અ૫૨નામ તત્ત્વાદિત્યથી ભિન્ન છે. તત્ત્વાદિત્યે આચારાંગ તથા સૂત્રકૃતાંગ ઉપર વૃત્તિ લખી છે. - કહાવલિ આ ગ્રંથમાં ત્રેસઠ મહાપુરુષોના ચરિત્રોનું આલેખન છે. તેની રચના પ્રાકૃત ગદ્યમાં કરવામાં આવી છે પણ અહીં-તહીં પદ્ય પણ મળે છે. ગ્રંથમાં કોઈ પણ પ્રકારના અધ્યાયોનો વિભાગ નથી. કથાઓના આરંભમાં મા મળ', ‘વાળા મળ' ઇત્યાદિ રૂપે નિર્દેશ માત્ર કરી દેવામાં આવ્યો છે. આ કૃતિ પશ્ચાત્કાલીન ત્રિષષ્ટિશલાકપુરુષચરિત (હેમચન્દ્ર) આદિ રચનાઓનો આધાર છે. તેના ઐતિહાસિક ભાગ ‘થેરાવલીરિયં’ની સામગ્રીનો હેમચન્દ્ર ‘પરિશિષ્ટપર્વ’ અપરનામ ‘સ્થવિરાવલીરિત'માં ઉપયોગ કર્યો છે. આમાં રામાયણની કથા વિમલસૂરિકૃત ‘પઉમચરિય'ને અનુસરે છે પણ અહીંતહીં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જેમકે સીતાના ગૃહનિર્વાસના પ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે સીતા ગર્ભવતી થઈ ત્યારે તેણે સ્વપ્રમાં જોયું કે તેને બે પરાક્રમી પુત્ર થશે. સ્વપ્રની આ વાત સપત્નીઓ માટે ઈર્ષ્યાનો વિષય બની અને તેમણે છલથી રામની આગળ તેને બદનામ કરવા ઈછ્યું. તેમણે સીતાને રાવણનું ચિત્ર બનાવવાનો આગ્રહ કર્યો. પોતે રાવણનાં મુખ આદિ અંગોને જોયાં જ નથી એમ કહી સીતાએ રાવણના કેવળ પગોનું ચિત્ર બનાવ્યું. એટલે સપત્નીઓએ લાંછન લગાવ્યું કે સીતા રાવણ ઉપર અનુરક્ત છે અને તેનાં ચરણોને વંદન કરે છે. રામે જો કે તેના ઉપર તત્કાલ કોઈ ધ્યાન આપ્યું નહિ પણ સપત્નીઓએ જનતામાં જ્યારે અપવાદ ફેલાવવો શરૂ કર્યો ત્યારે રામે વિવશ બનીને સીતાને નિર્વાસિત કરવી પડી. જૈન કાવ્યસાહિત્ય રાવણના ચિત્રની આ ઘટના હેમચન્દ્રે પણ પોતાના ત્રિષષ્ટિશલાકપુરુષચરિતમાં આપી છે. ૧. આનું સંપાદન ઉ. પ્રે. શાહ ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ માટે કરી રહ્યા છે. (પરંતુ તે કરી શક્યા નથી. એટલે હવે પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીએ ડૉ. રમણીકભાઈ મ. શાહને આ કામ સોંપ્યું છે. બેએક વર્ષમાં પ્રકાશિત થઈ જવાની ધારણા છે. – અનુ.) Page #93 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૭૧ કર્તા અને રચનાકાલ – આ મહત્ત્વપૂર્ણ કૃતિના સર્જક ભદ્રેશ્વરસૂરિ છે. તે અભયદેવસૂરિના ગુરુ હતા. અભયદેવના શિષ્ય આષાઢનો સમય વિ.સં. ૧૨૪૮ છે. તેથી ભદ્રેશ્વરનો સમય ૧૨મી શતાબ્દીનાં મધ્યની આસપાસ માની શકાય. પરંતુ આ ગ્રંથની ભાષા ચૂર્તિઓની ભાષાની બહુ જ નજીક છે. સંપાદકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે કહાવલિ ગ્રંથ ૧૨મી શતાબ્દીથી બહુ જ પહેલાનો છે. જુઓ ઉક્ત ગ્રંથની સ્થવિરાવલીના અંશમાંથી નીચેનું અવતરણ : “કો ૩ મઝિવા पुव्वगयावगही खमापहाणो समणो सो खमासमणो नाम जहा आसी इह संपयं देवलाय (देवलोयं) गओ जिणभद्दि(छ)गणि खमासमणो त्ति रयियाइं च तेण विसेसावस्सय विसेसणवई सत्थाणि जेसु केवलनाणदस्सणवियारावसरे पयडियाभिप्पाओ सिद्धसेन વિવાયરો |' આ અવતરણ ઉપરથી જણાય છે કે જિનભદ્ર ક્ષમાશ્રમણ સંપર્ય (આ સમયે) દેવલોક ગયા છે. તેથી કહાવલિને જિનભદ્રથી એકદમ છ છ શતાબ્દીઓ પાછળ ન મૂકી શકાય. જિનભદ્ર બહુ જ ખ્યાતિપ્રાપ્ત હોવાથી તેમના માટે “સાંપ્રત શબ્દ બે શતાબ્દીઓ પાછળ એ અર્થમાં લઈ શકાય. તેથી કહાવલિને આઠમી શતાબ્દી પછીની રચના ગણવી ઉચિત નથી. ૧ ચઉપમહાપુરિસચરિયઆ પ્રાકૃત ભાષામાં રચાયેલો ગ્રંથ ૧૦૩ અધિકારોમાં વિભક્ત છે. તેનો મુખ્ય છંદ ગાથા છે. તે ૧૦૦૫૦ શ્લોકપ્રમાણ છે. તેમાં ૮૭૩૫ ગાથાઓ અને ૧૦૦ ઈતર વૃત્ત છે. આ ગ્રંથ હજુ સુધી અપ્રકાશિત છે. તેમાં પણ ચોપ્પન મહાપુરુષોનાં ચરિત્રોનું આલેખન છે. ગ્રંથ પૂરો થયા પછી ઉપસંહારમાં કહેવામાં આવ્યું છે કે પ૪માં ૯ પ્રતિવાસુદેવો ઉમેરવાથી ત્રેસઠ શલાકાપુરુષો બને છે. આમાં તીર્થકરોના યક્ષ-યક્ષિણીઓના ઉલ્લેખો છે, આ ઉલ્લેખો પ્રાચીનતમ ગ્રંથોમાં નથી મળતા, તેથી સંભાવના કરી શકાય કે આ ગ્રંથ શીલાંકના ચઉપૂત્રમહાપુરિસચરિય પછી રચાયો હશે. કર્તા અને રચનાકાળ – આના કર્તા આગ્ર કવિ છે. ગ્રંથના પ્રારંભ અને અંતમાં ગ્રંથકારે પોતાના માટે “અમ્મ' શબ્દ ઉપરાંત કોઈ વિશેષ પરિચાયક સામગ્રી આપી ૧. જૈન સત્યપ્રકાશ, ભાગ ૧૭, સં. ૪, જાન્યુઆરી ૧૯૫૯માં ઉ. પ્ર. શાહનો લેખ; ઑલ ઈન્ડિયા ઓરિ. કૉ. વર્ષ ૨૦ ભાગ ૨ના મૃ. ૧૪૭માં પણ સંપાદકનો ઉક્ત અભિપ્રાય Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જૈન કાવ્યસાહિત્ય નથી. કેટલાક વિદ્વાનોનું અનુમાન છે કે વિ.સં. ૧૧૯૦માં રચાયેલી “આખ્યાનકમણિકોશ'ની વૃત્તિના કર્તા આગ્રદેવ અને આ ચરિતના કર્તા એક જ છે, પરંતુ ઉક્ત વૃત્તિમાં અમ્મ અને આગ્રદેવના એક હોવા અંગેનો કોઈ જ આધાર મળતો નથી.' આ ગ્રંથની અનુમાનતઃ ૧૬મી શતાબ્દીની હસ્તલિખિત પ્રતિ ખંભાતના વિજયનેમિસૂરીશ્વરશાસ્ત્રસંગ્રહમાં ઉપલબ્ધ છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત – આ મહાચરિતમાં જૈનોનાં કથાનક, ઈતિહાસ, પૌરાણિક કથાઓ, સિદ્ધાન્ત અને તત્ત્વજ્ઞાનનો સંગ્રહ છે. આ આખો ગ્રંથ ૧૦ પર્વોમાં વિભક્ત છે. પ્રત્યેક પર્વ અનેક સર્ગોમાં વિભક્ત છે. આ ગ્રંથનું પરિમાણ ૩૬૦૦૦ શ્લોકપ્રમાણ છે. મહાસાગર સમાન વિશાલ આ ગ્રંથની રચના હેમચન્દ્રાચાર્યે પોતાની ઉત્તરાવસ્થામાં કરી હતી. તેમની સુધાવર્ષિણી વાણીનું ગૌરવ અને માધુર્ય આ કાવ્યમાં સ્વયં અનુભવી શકાય છે. સમકાલીન સામાજિક, ધાર્મિક અને દાર્શનિક પ્રણાલિઓનું પ્રતિબિંબ આ વિશાલ ગ્રંથમાં અનેક સ્થળે જોઈ શકાય છે. આ રીતે આમાં ગુજરાતનો તે સમયનો સમાજ અને તેનું માનસ સારી રીતે પ્રતિબિંબિત થયાં છે. આ દૃષ્ટિએ આ રચનાનું મહત્ત્વ હેમચન્દ્રાચાર્યની કૃતિઓમાં વિશિષ્ટ છે. તેમના “જ્યાશ્રય'માં જેટલું વૈવિધ્ય દેખાય છે તેનાથી અધિક આ ગ્રંથમાં દેખાય છે. ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિતો ૧૦ પર્વોમાં આ રીતે સમાવિષ્ટ છે : ૧લા પર્વમાં આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી. રજા પર્વમાં અજિતનાથ તથા સગરચક્રી. ૩જા પર્વમાં સંભવનાથથી શરૂ કરી શીતલનાથ સુધીના આઠ તીર્થકરોનાં ચરિતો. ૧. પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, વારાણસીથી પ્રકાશિત “આખ્યાનકમણિકોશ'ની ભૂમિકા, પૃ. ૪૨ ૨. જૈન આત્માનન્દસભા, ભાવનગર, ૧૯૦૬-૧૩ ૩. જિનમંડને ‘કુમારપાલચરિત'માં આને ૩૬૦૦૦ શ્લોકપ્રમાણ કહ્યું છે, મુનિ પુણ્યવિજય ૩૨૦૦૦ શ્લોકપ્રમાણ દર્શાવે છે, પ્રો. યાકોબી ૩૭૦૦૦ શ્લોકપ્રમાણ બતાવે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૭૩ ૪થા પર્વમાં શ્રેયાંસનાથથી ધર્મનાથ સુધીના પાંચ તીર્થકર, પાંચ વાસુદેવ, પાંચ પ્રતિવાસુદેવ અને પાંચ બલદેવ તથા બે ચક્રવર્તી મઘવા અને સનકુમાર આમ કુલ ૨૨ મહાપુરુષોનાં ચરિતો છે. પમા પર્વમાં શાન્તિનાથનું ચરિત છે. તે એક જ ભવમાં તીર્થકર અને ચક્રવર્તી બંને હતા. તેમનાં બે ચરિતો ગણવામાં આવ્યાં. ૬ઠ્ઠા પર્વમાં કુંથનાથથી મુનિસુવ્રત સુધીના ચાર તીર્થકર, ચાર ચક્રવર્તી, બે વાસુદેવ, બે બલદેવ તથા બે પ્રતિવાસુદેવ આ ચૌદ મહાપુરુષોનાં ચરિતો છે. તેમાં પણ કુંથુનાથ અને અરનાથ તે જ ભવમાં ચક્રવર્તી બન્યા હતા. તેમની બે ચક્રવર્તી તરીકે ગણતરી કરવામાં આવે છે. ૭મા પર્વમાં નેમિનાથ, ૧૦મા-૧૧માં ચક્રવર્તી હરિફેણ અને જય તથા આઠમા બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ - રામ, લક્ષ્મણ તથા રાવણ - નાં ચરિતો એમ કુલ મળીને છ મહાપુરુષોનાં ચરિતો છે. ૮મા પર્વમાં નેમિનાથ તીર્થકર તથા નવમા વાસુદેવ, બદલેવ અને પ્રતિવાસુદેવ - કૃષ્ણ, બલભદ્ર અને જરાસંધ એમ કુલ મળીને ચાર મહાપુરુષોનાં ચરિતો છે. પાંડવ-કૌરવ પણ નેમિનાથના સમકાલીન હતા. તેમનાં ચરિતો પણ આ પર્વમાં આવ્યાં છે. આ પર્વની કથાવસ્તુ જૈન હરિવંશપુરાણના રૂપમાં પણ કહેવામાં આવે છે. દિગંબર આચાર્ય જિનસેનનું સંસ્કૃતમાં રચાયેલું હરિવંશપુરાણ ખૂબ પ્રખ્યાત છે. આ ઉપરાંત સ્વયંભૂ, ધવલ વગેરે કવિઓએ પણ પોતાની કુશલ કલમ આ વિષય ઉપર ચલાવી છે. ( ૯મા પર્વમાં પાર્શ્વનાથ તીર્થકર અને બ્રહ્મદત્ત નામના બારમા ચક્રવર્તીનાં ચરિતો છે. ૧૦મા પર્વમાં ભગવાન મહાવીરનું જીવનચરિત છે. અન્ય પર્વોની અપેક્ષાએ આ પર્વ ઘણું જ મોટું છે. આખા પર્વમાં કુલ ૧૩ સર્ગો છે અને ગ્રન્થકારની પ્રશસ્તિ છે. આ પર્વમાં શ્રેણિક, કોણિક, સુલસા, અભયકુમાર, ચેટકરાજ, હલ્લવિહલ, મેઘકુમાર, નર્દિષેણ, ચેતના, દુર્ગન્ધા, આર્દ્રકુમાર, ઋષભદત્ત, દેવનન્દા, જમાલિ, શતાનીક, ચંડપ્રદ્યોત, મૃગાવતી, યાસાસાસા, આનન્દ આદિ દશ શ્રાવક, ગોશાલક, હાલીક, પ્રસન્નચન્દ્ર, ક્રાંકદેવ, ગૌતમસ્વામી, પુંડરીકકંડરીક, અંબડ, દશાર્ણભદ્ર, ધન્ના-શાલિભદ્ર, રૌહિણેય, ઉદયન શતાનીકપુત્ર, અન્તિમ રાજર્ષિ ઉદાયન, પ્રભાવતી, કપિલકેવલી, કુમારનદિ સોની, ઉદાયિ, Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય કુલવાલુક અને કુમારપાલ રાજા વગેરેનાં ચરિત્ર અને પ્રબન્ધ બહુ જ પ્રભાવક રીતે આલેખાયાં છે. તેમાં પણ શ્રેણિક, કોણિક, અભયકુમાર, આર્દ્રકુમાર, દર્દુરાંકદેવ, અંતિમ રાજર્ષિ ઉદાયન અને ગોશાલક વગેરેનાં વૃત્તાન્તો બહુ જ વિસ્તારથી આપવામાં આવ્યાં છે. આમાંથી કેટલાય અંશો બીજા ગ્રંથોમાં અલભ્ય છે. પાંચમા અને છઠ્ઠા આરાનો (કાલનો) વૃત્તાન્ત તથા ઉત્સર્પિણી કાળમાં આવનારો વૃત્તાન્ત પણ ખૂબ વિસ્તારથી આપ્યો છે. આ અને બીજી અનેક બાબતોથી પરિપૂર્ણ આ ચરિત ઘણું મહત્ત્વ ધરાવે છે. આ ચરિતગ્રંથમાં તત્કાલીન અનેક સામાજિક ચિત્ર દૃષ્ટિગોચર થાય છે, જેમકે ઋષભદેવના વિવાહના પ્રસંગમાં હેમચન્દ્રાચાર્યે સમકાલીન પ્રથાઓ અને રીતરિવાજો વર્ણવ્યાં છે.૧ ૭૪ ધાર્મિક દૃષ્ટિએ તેની મહત્તા દસ પર્વોમાં અલગ અલગ તીર્થંકરોની દેશના દ્વારા જૈન સિદ્ધાન્તોના વિવેચનમાં છે. તેમાં નયોનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસારથી વિરક્તિ વગેરેનું સરળ અને ચિત્તાકર્ષક ભાષામાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ પણ આ ચરિતગ્રંથના દસમા પર્વના બે વિભાગ અત્યન્ત ઉપયોગી છે. એક તો કુમારપાલના ભવિષ્યકથનના રૂપમાં લખાયેલું ચરિત અને બીજો ગ્રંથની અંતિમ પ્રશસ્તિ. અન્ય પ્રશસ્તિમાં કેટલીય વાતો તો પ્રકરણના પ્રારંભમાં આપવામાં આવી છે, પરંતુ અખિલ પ્રશસ્તિ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે. ૧૦મા પર્વના ૧૨મા સર્ગમાં કુમારપાલના ચરિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં પાટણનું, કુમારપાળનું, તેના રાજ્યવિસ્તારનું, જિનપ્રતિમાના પ્રાસાદનું તથા બીજી અનેક બાબતોનું વર્ણન છે. રાજ્યવિસ્તારનું વર્ણન કરતાં લખ્યું છે કે 'स कौबेरीमातुरूकमैन्द्रीमात्रिदशापगाम् । याम्यामाविन्ध्यमाम्भोधिं पश्चिमां साधयिष्यति' ॥ ૧. પર્વ ૧, સર્ગ ૨, શ્લો. ૭૯૬-૮૦૪ ૨. ગુજરાતી ભાષાન્તર પર્વ ૧-૨ની પ્રસ્તાવના, પૃ. ૩ ૩. પર્વ ૧૦, સર્ગ ૧૨, શ્લો. ૩૭-૯૬ ૪. એજન, શ્લો. ૫૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૭૫ અર્થાત્ તે રાજા ઉત્તર દિશામાં તુરુષ્ક દેશ સુધી, પૂર્વમાં ગંગા નદી સુધી, દક્ષિણમાં વિધ્યગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીનું શાસન કરશે. કાવ્ય અને શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ પણ કાવ્ય અતિ મહત્ત્વનું છે. તે પ્રસાદગુણથી વ્યાપ્ત છે. અલંકારો અને કવિકલ્પનાઓ તથા શબ્દમાધુર્યથી પણ વ્યાપ્ત છે. તેની ભાષા સરળ કિન્તુ ગૌરવપૂર્ણ છે. આ ગ્રંથ વાંચવાથી શબ્દશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, પૌરાણિક કથા, ઈતિહાસ વગેરે અનેક બાબતોની ઉપલબ્ધિ એક સાથે થાય છે. હેમચન્દ્રની સાથે કુમારપાળનું પ્રથમ મિલન નીચે પ્રમાણે વર્ણવવામાં આવ્યું છે – એક વખત વજશાખા અને ચન્દ્રકુલમાં થયેલા આચાર્ય હેમચન્દ્ર તે રાજાની દૃષ્ટિમાં આવશે. જયારે આચાર્ય જિનચૈત્યમાં ધર્મદેશના દેતા હશે ત્યારે તેમની વંદના કરવા પોતાના શ્રાવક મંત્રી સાથે તે રાજા આવશે. તત્ત્વને ન જાણતા હોવા છતાં શુદ્ધ ભાવથી આચાર્યને વંદના કરશે. પછી તેમના મુખે શુદ્ધ ધર્મદેશના પ્રીતિપૂર્વક સાંભળી તે રાજા સમ્યક્તપૂર્વક અણુવ્રતો સ્વીકારશે અને પૂર્ણ રીતે બોધ પામી શ્રાવકોના આચારના પારગામી થશે. સોમપ્રભકૃત કુમારપાલપ્રતિબોધના આરંભના કથાનક સાથે આ વર્ણન બહુ જ મળતું છે. તેથી ઐતિહાસિક સત્યની દૃષ્ટિએ પણ આચાર્યની સાથે કુમારપાળનો સંબંધ વાડ્મટ જેવા જૈન મંત્રીઓની પ્રેરણાથી બહુ જ ગાઢ થયો અને જૈનધર્મ પ્રતિ કુમારપાળનો આધ્યાત્મિક ભાવ હેમચન્દ્રાચાર્યના સહૃદય ઉપદેશોથી અત્યંત વૃદ્ધિ પામ્યો. - કર્તા અને રચનાકાલ – આ ચરિતગ્રંથના કર્તા પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્ર છે, તેમના જીવનચરિત વિષયક બહુવિધ સામગ્રી ઉપલબ્ધ છે. તેમના જીવનચરિત ઉપર આ “જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના પૂર્વ ભાગોમાં પર્યાપ્ત પ્રકાશ ફેંક્યો છે. આ ચરિતગ્રંથમાં મોટી પ્રશસ્તિ આપી છે, તેમાંથી જાણવા મળે છે કે આ ગ્રંથની રચના હેમચન્દ્ર ચૌલુક્ય નરેશ કુમારપાળની વિનંતીથી કરી હતી. સંભવતઃ કુમારપાળે જૈનધર્મ સ્વીકાર્યા પછી તેની વિનંતીથી હેમચન્દ્ર પોતાના જીવનના ૧. પર્વ ૧૦, પ્રશસ્તિ, પદ્ય ૧૬-૨૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૬ અંતિમ વર્ષોમાં આ ગ્રંથની રચના કરી હતી. ડૉ. બૂલ્હરે તેની રચનાનો સમય વિ.સં. ૧૨૧૬-૧૨૨૮ માન્યો છે. વિ.સં. ૧૨૨૯માં હેમચન્દ્રનો સ્વર્ગવાસ થયો હતો. ૧ જૈન કાવ્યસાહિત્ય પ્રશસ્તિમાંથી એ પણ જાણવા મળે છે કે તેની રચના યોગશાસ્ત્રની રચના પછી ક૨વામાં આવી હતી. યોગશાસ્ત્રની વૃત્તિમાં કેટલાય શ્લોકો ત્રિષ્ટિશલાકાપુરુષચરિતમાંથી ઉતારવામાં આવ્યા છે. આ ઉપરથી આપણે માની શકીએ કે ઉક્ત વૃત્તિ અને આ ચિરતની રચના એક સાથે થઈ હતી. આટલું જ નહિ પરંતુ પરિશિષ્ટપર્વની યોજના પણ તે જ સમયે બની ગઈ હતી, તેનાં પણ કેટલાંક પ્રમાણો મળે છે. જો કે હેમચન્દ્રે પૂર્વાચાર્યો કે તેમની કૃતિઓનો ઉલ્લેખ કર્યો નથી છતાં તેમણે અનેક પૂર્વાચાર્યોની કૃતિઓનો ઉપયોગ કર્યો છે. તેમના પહેલાં દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાયોના કવિઓએ આ વિષયને લઈને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં રચનાઓ કરી છે. તેમના સમય સુધીમાં તીર્થંકરોનાં અલગ અલગ અનેક આખ્યાનો પણ લખાયાં હતાં. વિમલસૂરિ, રવિષેણ, શીલાંક, જિનસેન પ્રથમ, દ્વિતીય, સ્વયંભૂ, પુષ્પદન્ત, ધવલ વગેરેની કૃતિઓ ઉપરાંત આવશ્યકસૂત્ર તેમ જ બીજા સૂત્રો ઉપર રચાયેલી ચૂર્ણિઓ તથા હરિભદ્રસૂરિની ટીકાઓ વગેરેમાં આવતી કથાઓ પણ હેમચન્દ્રાચાર્યની સામે હતી જ. પૂર્વવર્તી આચાર્યોની અનેક કૃતિઓનો હેમચન્દ્રાચાર્યે પોતાની આ કૃતિમાં વત્તોઓછો ઉપયોગ કર્યો છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતથી પ્રભાવિત રચનાઓ : ચતુર્વિંશતિજિનેન્દ્રસંક્ષિપ્તચરિતાનિ (અમરચંદ્રસૂરિ) - ઈ.સ. ૧૩૨૮ પહેલાં રચાયેલી આ કૃતિમાં ૨૪ અધ્યાય અને ૧૮૦૨ પદ્ય છે. આમાં ૨૪ તીર્થંકરોનાં સંક્ષિપ્ત જીવનચરિતો આપવામાં આવ્યાં છે. કર્તાનો આશય બધા જિનોનાં ચરિત્રો ટૂંકમાં લખવાનો હોવાથી તેમને કાવ્યકલા દર્શાવવાનો કોઈ અવકાશ મળ્યો નથી. પ્રત્યેક અધ્યાયમાં મુખ્ય વિષયોની ચર્ચા આ પ્રમાણે છે ૧. પૂર્વભવ, ૨. વંશપરિચય, ૩. તીર્થંકરને વિશેષ નામ આપવાની વ્યાખ્યા, ૪. ચ્યવન, ગર્ભ, જન્મ, દીક્ષા અને મોક્ષના દિવસો, ૫. ચૈત્યવૃક્ષની ઊંચાઈ, ૬. ગણધર, સાધુ, સાધ્વી, ચૌદપૂર્વી, અવધિજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની, કેવલી, વિક્રિયા ઋદ્ધિધારી ૧. વિશેષ જીવનચરિત્રને માટે જુઓ હેમચંદ્રાચાર્યજીવનચરિત્ર (કસ્તૂરમલ બાંઠિયા), ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી ૧. પરિશિષ્ટ ‘’ અને ‘વ’માં ગ્રંથસૂચી આપવામાં આવી છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૭૭ ન્યાયવાદી, શ્રાવક અને શ્રાવિકા પરિવાર, ૭. આયુ, શૈશવાવસ્થા, રાયાવસ્થા (જો હોય તો), છબસ્થાવસ્થા અને કેવલી અવસ્થાનું વર્ણન. ગ્રંથકર્તા પોતાના સમયના બહુ મોટા કવિ હતા. તેમની અન્ય કૃતિઓ છેઃ પદ્માનન્દ, બાલભારત વગેરે ૧૩ ગ્રંથ. બાલભારતના પરિચય સાથે આ કવિનો વિશેષ પરિચય આપવામાં આવ્યો છે. મહાપુરુષચરિત – આ રચનામાં પાંચ સર્ગો છે. ઋષભ, શાન્તિ, નેમિ, પાર્થ અને વર્ધમાન એ પાંચ તીર્થકરોનું આલેખન છે. આના ઉપર એક ટીકા પણ છે, તે સંભવતઃ સ્વોપજ્ઞ છે. તેમાં ઉક્ત કૃતિને કાવ્યોપદેશશતક યા ધર્મોપદેશશતક પણ કહેવામાં આવી છે. તેના કર્તા મેરૂતુંગ છે. તેમની અન્ય રચના પ્રબંધચિન્તામણિ (સન્ ૧૩૦૬) છે. કવિનો વિશેષ પરિચય પ્રબંધચિન્તામણિના પ્રસંગે આપવામાં આવશે. લઘુષિષ્ટિશલાકાપુરુષચરિત – આ ગ્રંથ હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનું અનુસરણ કરી તેના આધારે રચાયો છે. તેમાં ૧૦ પર્વો છે પરંતુ તેની વર્ણનશૈલી અલગ લાગે છે. તેમાં કોઈ તીર્થંકરના ચરિત્રમાં દિકુમારીઓનો મહોત્સવ વિસ્તારથી વર્ણવાયો છે, તો કોઈમાં દીક્ષા મહોત્સવ, તો કોઈમાં સમવસરણની રચના અતિ વિસ્તારથી નિરૂપિત છે. સર્વત્ર ઈન્દ્રોની સ્તુતિ અને તીર્થકરોની દેશના સંક્ષેપમાં આપવામાં આવી છે. અવાન્તર કથાઓ પણ સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવી છે. જો કે આ ગ્રંથ હેમચન્દ્રના બૃહત્કાય ગ્રંથને અનુસરી રચાયો છે તેમ છતાં તેમાં શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનાં ચરિત્રોના સંકલનમાં ૧. ગાયકવાડ ઓર. સિરિઝ સં. ૧૮, વડોદરા, ૧૯૩૨, પરિશિષ્ટ “'; જિનરત્નકોશ, પૃ. ૨૩૪માં પધાનન્દકાવ્યના પરિચય સાથે. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૦૫. ૩. જિનરત્નકોશ, પૃ. ૩૩૫; તેનો ગુજરાતી અનુવાદ ૫. મફતલાલ ઝવેરચંદકૃત છોટાલાલ મોહનલાલ શાહ, ઉનાદા (ઉત્તર ગુજરાત) દ્વારા વિ.સં. ૨૦૦૫માં પ્રકાશિત થયો છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ७८ ગ્રંથકારે ત્રિષષ્ટિશલાકાપુરુષચરતની અપેક્ષાએ ઉક્ત તીર્થંકરો ઉપર લખાયેલી સ્વતંત્ર રચનાઓનો વિશેષ ઉપયોગ કર્યો છે, તેથી તેમાં અનેક પ્રસંગો નવા આવી ગયા છે જે ત્રિષષ્ટિશલાકાપુરુષચરતમાં નથી. આ કૃતિ નાની હોવા છતાં તેમાં અનેક વાતોનો સંગ્રહ થયો છે. તીર્થંકરચરિત, રામાયણ, મહાભારત, ચક્રવર્તિચરિત્ર, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને તેમના અનેક કથાપ્રસંગો અને ઐતિહાસિક પ્રસંગો તેમાં ભરપૂર છે. જૈન કાવ્યસાહિત્ય એક તો - આ કૃતિના નામની પાછળ બે વાતોનું અનુમાન કરી શકાય છે એ કે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતને સામે રાખીને આ કૃતિ રચાઈ હોય યા તો ઉક્ત કૃતિમાં જે અનેક પ્રસંગ નથી તેમનો સમાવેશ કરવા છતાં પણ આકારની દૃષ્ટિએ લઘુત્રિષષ્ટિશલાકાપુરુષચરત નામ રાખવામાં આવ્યું હોય. આ કૃતિ સંક્ષેપમાં રુચિ ધરાવનારાઓ માટે બહુ ઉપકારક છે. તેનો ગ્રન્થાગ્ર પ૦૦૦ શ્લોકપ્રમાણ છે. કર્તા અને રચનાકાળ તેના કર્તા મેઘવિજય ઉપાધ્યાય છે. તેમના ગૃહસ્થ જીવનનો ઈતિહાસ તો ક્યાંયથી જાણવા મળતો નથી પરંતુ તેમના અનેક ગ્રંથોમાં જે પ્રશસ્તિઓ છે તેમાં તેમણે પોતાનાં નામનો, પોતાના ગુરુ કૃપાવિજયનો અને ઉપાધ્યાય વિજયપ્રભસૂરિના નામનો ઉલ્લેખ કર્યો છે. તે પ્રસિદ્ધ સમ્રાટ અકબરના કલ્યાણમિત્ર તપાગચ્છીય હીરવિજયસૂરિજીની પરંપરામાં થયા છે. તેમના ગ્રંથોમાં જે પ્રશસ્તિઓ છે તેમાં કેટલીકનો રચનાકાળ આપવામાં આવ્યો છે, જે વિ.સં. ૧૭૦૯થી ૧૭૬૦ સુધીનો છે. પ્રસ્તુત રચનાનો સમય જણાવ્યો નથી. આમ તેમણે ૫૦ વર્ષ સુધી સતત સાહિત્યસેવા કરી હતી. જો ૨૦-૨૫ની ઉંમરથી સાહિત્યરચનાનો પ્રારંભ કર્યો હોય તો તેમનું આયુ ૮૦ વર્ષનું અનુમાની શકાય. - તેમણે અનેક કાવ્યગ્રંથ રચ્યા છે. તેમણે કિરાતાર્જુનીય, શિશુપાલવધ, નૈષધીય, મેઘદૂતનો સારો અભ્યાસ કર્યો હતો. તેમણે નૈષધીયની સમસ્યાપૂર્તિ ઉપર શાન્તિનાથચરિત્ર', ‘શિશુપાલવધ'ની સમસ્યાપૂર્તિ ઉપર ‘દેવાનન્દમહાકાવ્ય’, ‘કિરાતસમસ્યાપૂર્તિ’ તથા ‘મેધદૂતસમસ્યાલેખ’ આમ પાંચ સમસ્યાપૂર્તિકાવ્યોનું સર્જન કર્યું છે. વળી, તેમણે સમસંધાનમહાકાવ્ય, દિગ્વિજયમહાકાવ્ય, લધુત્રિષષ્ટિશલાકાપુરુષચરિત, ભવિષ્યદત્તકથા, પંચાખ્યાન, વિજયદેવમાહાત્મ્યવિવરણ, યુક્તિપ્રબોધનાટક (ન્યાયગ્રંથ), ધર્મમંજૂષા, ચન્દ્રપ્રભા (હેમકૌમુદી), હૈમશબ્દચન્દ્રિકા, હૈમશબ્દપ્રક્રિયા, વર્ષપ્રબોધ (જ્યોતિષગ્રંથ), રમલશાસ્ત્ર, હસ્તસંજીવન, ઉદયદીપિકા, પ્રશ્નસુન્દરી, વીસાયાવિધિ, Page #101 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય માતૃકાપ્રસાદ, બ્રહ્મબોધ, અર્હદ્ગીતા વગેરે સંસ્કૃત ગ્રંથોની તથા અનેક ગુજરાતી ગ્રંથોની પણ રચના કરી છે. લઘુત્રિષષ્ટિ સોમપ્રભકૃત આ ગ્રંથનો ઉલ્લેખ મેઘવિજયકૃત લઘુત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની ગુજરાતી પ્રસ્તાવનામાં પં. મફતલાલે કર્યો છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત અને મહાપુરાણ પર આધારિત કેટલીક અન્ય ૧. લઘુમહાપુરાણ યા લઘુત્રિષષ્ટિલક્ષણમહાપુરાણ – ચંદ્રમુનિકૃત. ૨. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર – વિમલસૂરિ રચનાઓ ૨ ૩. વજ્રસેન ૪. ત્રિષષ્ટિશલાકાપંચાશિકા (૫૦ પઘોમાં) - કલ્યાણવિજયના શિષ્ય ૫. ત્રિષષ્ટિશલાકાપુરુષવિચાર (૬૩ ગાથાઓ) અજ્ઞાત ત્રેસઠ શલાકાપુરુષોનાં સ્વતંત્ર પૌરાણિક મહાકાવ્ય રામકથા, મહાભારતકથા તથા સમુદિત ત્રેસઠ શલાકાપુરુષોનાં પૌરાણિક મહાકાવ્યો (મહાપુરાણો) અને તેમનાં સંક્ષિપ્ત રૂપો પછી સ્વતંત્રરૂપે તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો વગેરેનાં જીવનચરિતો પણ ઘણાં લખાયાં. ૧૦મી સદીથી ૧૮મી સદી સુધી આ રચનાઓ નિર્બાધ ગતિથી લખાતી રહી. ૧૨મી સદી અને ૧૩મી શતાબ્દીમાં આ રચનાઓ પ્રચુર માત્રામાં લખાઈ પણ આગળની શતાબ્દીઓમાં પણ તેમનો ક્રમ ચાલુ રહ્યો. તીર્થંકરોમાં સૌથી વધુ મહાકાવ્યો શાન્તિનાથ ઉપર મળે છે. તે ચક્રવર્તી પદધારી પણ હતા. બીજી શ્રેણીમાં ૨૨મા તીર્થંકર નેમિનાથ અને ૨૩મા પાર્શ્વનાથ ઉપર કેટલાંય કાવ્યો રચાયાં. ત્રીજા ક્રમમાં આદિજિન વૃષભ, આઠમા ચન્દ્રપ્રભુ અને અંતિમ મહાવીર ઉપર પણ ચરિતકાવ્યોનું સર્જન થયું છે. એમ તો અન્ય તીર્થંકરો અને અન્ય મહાપુરુષો ઉપર ચરિતગ્રંથો લખાયા હોવાના છૂટક છૂટક ઉલ્લેખો મળે છે. - ,, 37 - ૭૯ સૌપ્રથમ પ્રાકૃતમાં - વિશેષતઃ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલા ગ્રંથોનો પરિચય આપવામાં આવશે અને પછી સંસ્કૃતમાં રચાયેલા ગ્રંથોનો. ૧. દિગ્વિજયમહાકાવ્ય અને દેવાનન્દમહાકાવ્ય (સિ. જૈ, ગ્ર.)ની પ્રસ્તાવના. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૬૩, ૩૦૫. ૩. એજન, પૃ. ૧૬૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જેન કાવ્યસાહિત્ય આદિનાહચરિય ઋષભદેવના ચરિતનું વિસ્તારથી આલેખન કરનારો આ પ્રથમ ગ્રંથ છે. આમાં પાંચ પરિચ્છેદ છે. ગ્રંથાગ ૧૧૦૦૦ શ્લોકપ્રમાણ છે. આ ગ્રંથનું બીજું નામ ઋષભદેવચરિત પણ છે. આની રચના ઉપર “ચઉપમહાપુરિસચરિયેનો પ્રભાવ છે. ઉક્ત ગ્રંથની એક ગાથા આમાં ગાથા સં. ૪પના રૂપમાં જેમની તેમ ઉદ્ધત કરવામાં આવી છે. અપભ્રંશની ગાથાઓ પણ આમાં મળે છે. આ હજુ સુધી અપ્રકાશિત છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા નવાંગી ટીકાકાર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાનાચાર્ય છે. તેમની બીજી રચનાઓ છે - ૧૫000 ગાથા પ્રમાણ મનોરમાચરિયું (સં. ૧૧૪૦) તથા ધર્મરત્નકરંડવૃત્તિ (સં. ૧૧૭૨) પણ. આદિનાહચરિયનો રચનાકાળ સં. ૧૧૬૦ આપવામાં આવ્યો છે. પ્રથમ તીર્થંકર ઉપર રિસભદેવચરિય નામે ૩૨૩ ગાથાઓની એક રચના વધુ મલે છે, તેનું બીજું નામ ધર્મોપદેશશતક પણ છે. તેના કર્તા ભુવનતુંગસૂરિ છે. ૨ બીજા અને ત્રીજા તીર્થકર ઉપર પ્રાકૃતમાં કોઈ રચના ઉપલબ્ધ નથી. ચોથા અભિનન્દનનાથ ઉપર કેવળ એક રચનાનો ઉલ્લેખ મળે છે.' સુમઈનાહચરિય પાંચમા તીર્થંકર સુમતિનાથના ચરિતનું વર્ણન કરનારો પ્રાકૃત અને સંસ્કૃતમાં આ પહેલો ગ્રંથ છે. તે ૧૬૨૧ શ્લોકપ્રમાણ છે. તેમાં અનેક પૌરાણિક કથાઓ આપવામાં આવી છે. પાટણના ગ્રંથભંડારોની સૂચીમાં તેનો નિર્દેશ છે. કર્તા અને રચનાકાળ – તેના કર્તા વિજયસિંહસૂરિના શિષ્ય સોમપ્રભાચાર્ય છે. તે બૃહગચ્છના હતા. તેમનો પ્રસિદ્ધ ગ્રંથ “કુમારપાલપ્રતિબોધ' પ્રકાશિત થઈ ગયો છે. તેમનો વિશેષ પરિચય ઉક્ત પ્રસંગે દઈશું. આ ગ્રંથ તેમણે કુમારપાળ રાજાના રાજ્યકાળમાં રચ્યો હતો. સંભવતઃ આ આચાર્યની પ્રથમ કૃતિ છે, તેથી એને કુમારપાળના રાજ્યારોહણ વર્ષ સં. ૧૧૯૯માં લખી હોવી જોઈએ. તેમની ૧. જિનરત્નકોશ, પૃ. ૨૮ અને પ૭ ૨. એજન, પૃ. ૫૭ ૩. એજન, પૃ. ૧૪ ૪. એજન, પૃ. ૪૪૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય અન્ય કૃતિઓમાં શતાર્થકાવ્ય, શૃંગા૨વૈરાગ્યતરંગિણી, સૂક્તિમુક્તાવલી અને કુમારપાલપ્રતિબોધ છે. પઉમપહચરિય આમાં છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભનું ચરિત આલેખાયું છે. આ રચના અપ્રકાશિત છે. કર્તા અને રચનાકાળ – તેના કર્તા દેવસૂરિ છે. તેમની બીજી કૃતિ સુપાર્શ્વચરિત (પ્રાકૃત)નો પણ ઉલ્લેખ મળે છે. તેમનો અલ્પ પરિચય મળે છે. તે જાલિહરગચ્છના સર્વાનન્દના પ્રશિષ્ય તથા ધર્મઘોષસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. ગ્રંથકારે દર્શાવ્યું છે કે પ્રાચીન કોટિક ગણની વિદ્યાધર શાખામાંથી જાલિહર અને કાસદ્રહગચ્છ એક સાથે નીકળ્યા હતા. અન્ય વાત જે તેમણે સૂચવી છે તે એ છે કે તેમણે દેવેન્દ્રગણિ પાસે તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને હરિભદ્રસૂરિ પાસે આગમનો. તેમના દાદાગુરુ સર્વાનન્દ પાર્શ્વનાથચરિતના કર્તા હતા. એક સર્વાનન્દસૂરિના પાર્શ્વનાથચરિતનો સંસ્કૃત ચરિતોમાં પરિચય આપવામાં આવ્યો છે પરંતુ તે પોતાને સુધર્માગચ્છીય કહે છે, અને તેમના પાર્શ્વનાથચરિતનો રચનાકાળ સં. ૧૨૯૧ છે જ્યારે પ્રસ્તુત પ્રાકૃત કૃતિનો સમય સં. ૧૨૫૪ દર્શાવવામાં આવ્યો છે. સુપાસનાહચરિય આ એક સુવિસ્તૃત અને ઉચ્ચ કોટિની રચના છે. તેમાં લગભગ આઠ હજાર ગાથાઓ છે. આખો ગ્રંથ ત્રણ પ્રસ્તાવોમાં વિભક્ત છે. નામથી સ્પષ્ટ થાય છે કે તેમાં સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથનું જીવનચરિત્ર આલેખાયું છે. પ્રથમ પ્રસ્તાવમાં સુપાર્શ્વનાથના પૂર્વભવોનું વર્ણન છે અને બાકીના બે પ્રસ્તાવોમાં તેમના વર્તમાન જન્મનું. પ્રથમ પ્રસ્તાવમાં સુપાર્શ્વનાથના મનુષ્ય અને દેવભવોનું વિસ્તારપૂર્વક વર્ણન કરતાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેમણે અનેક ભવોમાં સમ્યક્ત્વ અને સંયમના પ્રભાવથી પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરીને તીર્થંકર પ્રકૃતિનો બંધ કરી સાતમા તીર્થંકરનું પદ પામ્યા. બીજા પ્રસ્તાવમાં તેમનાં જન્મ, વિવાહ અને નિષ્ક્રમણનું વર્ણન કરવામાં આવ્યું છે, જે અન્ય તીર્થંકરોનાં જન્માદિના વર્ણન જેવું જ છે. અહીં મેરુપર્વત ઉપર દેવોએ કરેલા જન્માભિષેકનું સરસ વર્ણન છે. ત્રીજા પ્રસ્તાવમાં કેવલજ્ઞાનના વર્ણનપ્રસંગે અનેક આસનો અને વિવિધ તપોનું ૧. જિનરત્નકોશ, પૃ. ૨૩૪ ૨. એજન, પૃ. ૪૪૫ ૮૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૨ વર્ણન ક૨વામાં આવ્યું છે. આ રીતે ગ્રંથમાં વિવિધ ધર્મોપદેશ અને કથાપ્રસંગોની વચ્ચે સુપાર્શ્વનાથનું સંક્ષિપ્ત જીવન વિખરાયેલું ફેલાયું છે. અધિકાંશ ભાગમાં સમ્યગ્દર્શનનું માહાત્મ્ય, શ્રાવકના બાર વ્રત, તેમના અતિચાર તથા અન્ય ધાર્મિક વિષયોને લઈને અનેક કથાઓ આપવામાં આવી છે, આ કથાઓમાં તત્કાલીન બુદ્ધિવૈભવ, કલાકૌશલ, આચાર-વ્યવહાર, સામાજિક રીતરિવાજ, રાજકીય પરિસ્થિતિ અને ભૌતિક જીવન વગેરેનાં ચિત્રો આલેખવામાં આવ્યાં છે. ૧ જૈન કાવ્યસાહિત્ય આ ચિરતની ભાષા ઉપર અપભ્રંશનો પૂરો પ્રભાવ છે. આમાં અપભ્રંશનાં લગભગ ૫૦ પો પણ સમાવેશ પામેલાં મળે છે. સંસ્કૃતની પદાવલી પણ અપનાવવામાં આવી છે. - કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તાનું નામ લક્ષ્મણણિ છે. તેમના ગુરુનું નામ હેમચન્દ્રસૂરિ હતું, તે હર્ષપુરીયગચ્છના હતા, તે જયસિંહસૂરિના પ્રશિષ્ય અને અભયદેવસૂરિના શિષ્ય હતા. તેમના ગુરુભાઈઓમાં વિજયસિંહસૂરિ અને શ્રીચન્દ્રસૂરિ હતા. આ ગ્રંથની રચનાનો પ્રારંભ તેમણે ધંધુક નગરમાં કર્યો હતો અને તેની સમાપ્તિ મંડલપુરીમાં કરી. તેમણે તેને વિ.સં. ૧૧૯૯ના માઘ સુદ ૧ ગુરુવારે સમાપ્ત કર્યો હતો. તે વર્ષે ચૌલુક્ય નરેશ કુમારપાળનો રાજ્યાભિષેક પણ થયો હતો.૨ સુપાર્શ્વનાથચરિત ઉપર પ્રાકૃતમાં જાહિલરગચ્છના દેવસૂરિ તથા કોઈ વિબુધાચાર્યની રચનાઓનો ઉલ્લેખ મળે છે. ચંદપ્પહચરિય પ્રાકૃત ભાષામાં આઠમા તીર્થંકર ચંદ્રપ્રભ ઉપર કેટલાય કવિઓએ રચનાઓ કરી છે. તેમાં પ્રથમ રચના સિદ્ધસૂરિના શિષ્ય વીરસૂરિએ સં. ૧૧૩૮માં કરી હતી. ૪ જિનેશ્વરસૂરિકૃત દ્વિતીય ચરિતમાં ૪૦ ગાથાઓ છે, જે ખૂબ સરસ છે. તેમાં ચન્દ્રપ્રભ નામની સાર્થકતા દર્શાવતા કવિ કહે છે કે માતાને ગર્ભકાળમાં ચંદ્રયાનનો ૧. જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા, બનારસ, સન્ ૧૯૧૮; જિનરત્નકોશ, પૃ. ૪૪૫; તેનો ગુજરાતી અનુવાદ - જૈન આત્માનંદ સભા, ભાવનગરથી સન્ ૧૯૨૫માં પ્રકાશિત થયો છે. ૨. વિશ્વમસ, કામેફ્રિ નવનવવાસ ગજ્જરૢ - પ્રશસ્તિ, ગા. ૧૫-૧૬ • ૩. જિનરત્નકોશ, પૃ. ૪૪૫ ૪. એજન, પૃ. ૧૧૯ ૫. આનું પ્રકાશન મહાવીર ગ્રંથમાલાથી વિ.સં. ૧૯૯૨માં થયું છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૮૩ દોહદ થયો હતો એ કારણે તેમનું નામ ચન્દ્રપ્રભ રાખવામાં આવ્યું (ગાથા ૧૨). જિનેશ્વરસૂરિ નામના કેટલાય આચાર્ય થઈ ગયા. એક તો વર્ધમાનસૂરિના શિષ્ય અને ખરતરગચ્છના સંસ્થાપક (૧૧મી સદીના ઉત્તરાર્ધ) હતા, અને તેમના ગ્રંથો જાણીતા છે. એવું લાગે છે કે ચંદપ્પહચરિયના કર્તા બીજા જિનેશ્વરસૂરિ છે. એક જિનેશ્વરસૂરિએ સં. ૧૧૭૫માં પ્રાકૃત મલ્લિનાચરિયું (ગ્રંથાગ્ર ૫૫૫૫) તથા નેમિનાહચરિયની રચના કરી હતી. સંભવતઃ આ જિનેશ્વરસૂરિ જ ઉક્ત ચંદષ્પહચરિયના કર્તા છે. ત્રીજું ચંદષ્પહચરિયર પણ છે જેના કર્તા ઉપકેશગચ્છીય યશોદેવ અપર નામ ધનદેવ છે જે દેવગુપ્તસૂરિના શિષ્ય હતા. તેમણે ગ્રંથાગ ૬૪૦૦ શ્લોકપ્રમાણ કાવ્યની રચના સં. ૧૧૭૮માં કરી હતી. તેમની બીજી કૃતિઓ છે નવપદપ્રકરણ બુ. ની બૃહદ્રવૃત્તિ અને નવતત્ત્વપ્રકરણની વૃત્તિ. ચોથું ચંદખેંહચરિયું છે જેના કર્તા વડગચ્છીય હરિભદ્રસૂરિ છે. તેમની આ રચનાની એક પ્રતિ પાટણના ભંડારમાં છે, તેનો ગ્રંથાગ્ર ૮૦૩૨ શ્લોકપ્રમાણ છે. ગ્રંથકારના દાદાગુરુનું નામ જિનચન્દ્ર હતું અને ગુરુનું નામ શ્રીચન્દ્રસૂરિ હતું. કહેવાય છે કે સૂરિએ સિદ્ધરાજ અને કુમારપાળના મહામાત્ય પૃથ્વીપાલની વિનંતીથી ચોવીસ તીર્થકરોનું જીવનચરિત લખ્યું હતું પરંતુ તેમાં પ્રાકૃતમાં લખાયેલાં ચંદપ્પહચરિયું અને મલ્લિનાચરિયું અને અપભ્રંશમાં લખાયેલું સેમિસાહચરિઉ જ ઉપલબ્ધ છે. સૂરિ પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. તેમનો સમય ૧૨મીનો ઉત્તરાર્ધ અને ૧૩મીનો પૂર્વાધ હતો. પાંચમું ચંદપ્પહચરિયું પણ છે જેના કર્તા ખરતરગચ્છીય જિનવર્ધનસૂરિ છે. તેમનો આચાર્યપદે આરૂઢ થવાનો સમય છે સં. ૧૪૬૧તે પિપ્પલક નામની ખરતર શાખાના સ્થાપક હતા. આ ચંદખેંહચરિયું ઉપર ખરતરગચ્છીય જિનભદ્રસૂરિના પ્રશિષ્ય અને સિદ્ધાન્તરુચિના શિષ્ય સાધુસોમગણિએ ગ્રન્થાગ્ર ૧૩૧૫ શ્લોકપ્રમાણ ટીકા લખી છે. ટીકામાં સૂચવ્યું છે કે જિનવર્ધનસૂરિએ આ ચરિત ઉપરાંત બીજાં ચાર ચરિતોની પણ રચના કરી છે, પરંતુ તે ચરિતોનાં ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૧ ૨. એજન, પૃ. ૧૧૯ ૩. અનેકાન્ત, વર્ષ ૧૭, કિ. ૫, પૃ. ૨૩૨ ૪. પટ્ટાવલીપરાગ, પૃ. ૩૬૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જેન કાવ્યસાહિત્ય નામ આપ્યાં નથી. અન્ય રચનાઓમાં મહારાજ શાસ્ત્ર ભંડાર નાગોરમાં દામોદર કવિકૃત પ્રાકૃત ચંદ્રપ્રભચરિત ઉપલબ્ધ છે. ચન્દ્રપ્રભ ઉપર નાગેન્દ્રગચ્છના વિજયસિંહસૂરિના શિષ્ય દેવેન્દ્રમણિએ સં. ૧૨૬૪માં પ૩૨૫ શ્લોકપ્રમાણવાળી કૃતિને સંસ્કૃતપ્રાકૃત ઉભયમિશ્ર ભાષામાં રચી છે. અપભ્રંશમાં યશ-કીર્તિની રચના ૨૪૦૯ શ્લોકપ્રમાણવાળી ૧૧ સંધિઓમાં રચાયેલી મળે છે. નવમા અને દશમા તીર્થંકર પુષ્પદંત અને શીતલનાથ ઉપર પ્રાકૃતમાં લખાયેલાં ચરિતોના કેવળ ઉલ્લેખો મળે છે. નદિતાત્યકત ગાથાલક્ષણના ટીકાકાર રત્નચંદ્ર તેમાં આવતાં બે પદ્યોની ટીકામાં દર્શાવ્યું છે કે આ બે પદ્ય એક પ્રાકૃત રચના પુષ્કૃદંતચરિયમાંથી લેવામાં આવ્યાં છે. અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથ ઉપર બે પ્રાકૃત પૌરાણિક કાવ્ય મળે છે. એક તો બૃહદ્રગથ્વીય જિનદેવના શિષ્ય હરિભદ્ર સં. ૧૧૭૨માં રચેલું છે. તેનો ગ્રંથાગ્ર ૬૫૮૪ શ્લોકપ્રમાણ છે. બીજું ચન્દ્રગથ્વીય અજિતસિંહસૂરિના શિષ્ય દેવભદ્ર રચેલું છે, તેનો ગ્રંથાઝ ૧૧૦૦૦ શ્લોકપ્રમાણ છે. તેનો રચનાસમય જ્ઞાત નથી, પરંતુ તે વિ.સં. ૧૩૩૨ પહેલાં રચાયું છે કારણ કે માનતુંગસૂરિએ પોતાના સંસ્કૃત શ્રેયાંસચરિત(સં. ૧૩૩૨)નો આધાર આ કૃતિ છે એમ કહ્યું છે. આ રચનાનો ઉલ્લેખ પ્રવચનસારોદ્ધારટીકામાં તેમના શિષ્ય સિદ્ધસેને કર્યો છે. દેવભદ્રની અન્ય રચનાઓમાં તત્ત્વબિંદુ અને પ્રમાણપ્રકાશ પણ છે. વસુપુજચરિય બારમા તીર્થંકર વાસુપૂજ્ય ઉપર ચન્દ્રપ્રભની ૮૦૦૦ શ્લોકપ્રમાણ રચના મળે છે. તેનો પ્રારંભ “સુહસિવિદુવીર’ શબ્દોથી થાય છે. પ્રત્યે પોતાના ૧. જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૨. આત્મવલ્લભસિરિઝ સં. ૯, અંબાલા; જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૫૩; ભાંડારકર ઓરિએંટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ પૂનાની પત્રિકા, ભાગ ૧૪, પૃ. ૩ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૯૯ ૫. એજન, પૃ. ૪૦૦ ૬. એજન, પૃ. ૩૪૮. Page #107 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૮૫ પૂર્વવર્તી આચાર્યોમાં પાદલિપ્ત, હરિભદ્ર અને જીવદેવનો તથા ગ્રંથોમાં તરંગવતીનો ઉલ્લેખ કર્યો છે. કેટલાય ગચ્છોમાં ચન્દ્રપ્રભ નામના અનેક આચાર્યો થઈ ગયા છે. ૧૨મી શતાબ્દીમાં એક ચન્દ્રપ્રભ મહત્તરે સં. ૧૧૨૭-૩૭માં વિજયચન્દ્રચરિત્રની રચના કરી હતી અને બીજા ચન્દ્રપ્રભસૂરિએ પૌષ્ટ્રમાસિક ગચ્છની સ્થાપના સં. ૧૧૪૯માં કરી હતી તેમ જ પ્રમેયરત્નકોશ, દર્શનશુદ્ધિની રચના કરી હતી. કહી નથી શકાતું કે પ્રસ્તુત રચનાના કર્તા કયા ચન્દ્રપ્રભ છે. ૧૩મા તીર્થંકર ઉપર પણ પ્રાકૃતમાં વિમલચરિયું લખાયાનો ઉલ્લેખ મળે છે.' અનંતનાહચરિય આમાં ચૌદમા તીર્થંકરનું ચરિત આલેખાયું છે. તેમાં ૧૨૦૦ ગાથાઓ છે. ૨ ગ્રંથકારે તેમાં ભવ્યજનોના લાભાર્થે ભક્તિ અને પૂજાનું માહાભ્ય વિશેષ રૂપે ગાયું છે. તેમાં પૂજાન્ટક ઉદ્ધત કરવામાં આવ્યું છે, જેમાં પુષ્પપૂજા વગેરેનાં ઉદાહરણો દઈને જિનપૂજાને પાપને હરનારી, કલ્યાણનો સંચય કરનારી અને દારિત્ર્યને દૂર કરનારી કહી છે. તેમાં પૂજાપ્રકાશયા પૂજાવિધાન પણ આપ્યું છે, જે સંઘાચારભાષ્ય, શ્રાદ્ધદિનકૃત્ય વગેરેમાંથી ઉદ્ધત કરવામાં આવ્યું છે. કર્તા અને રચનાકાળ- આના કર્તા આગ્રદેવના શિષ્ય નેમિચન્દ્રસૂરિ છે. તેમણે તેની રચના સં. ૧૨૧૬ આસપાસ કરી છે. સંભવતઃ આખ્યાનકમણિકોશ, મહાવીરચરિયું (સં. ૧૧૩૯) વગેરેના કર્તા નેમિચન્દ્રસૂરિથી આ નેમિચન્દ્ર કાલની દષ્ટિએ ભિન્ન છે. ઉક્ત નેમિચન્દ્રનો સમય ૧૨મી શતાબ્દીનો પૂર્વાર્ધ છે. પંદરમા તીર્થંકર ધર્મનાથ ઉપર પ્રાકૃત રચનાનો ઉલ્લેખ મળે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૫૮ ૨. એજન, પૃ. ૭ ૩. ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર જૈન સંસ્થા, રતલામ, સન ૧૯૩૯; પ્રાકૃત સાહિત્ય . કા ઈતિહાસ, પૃ. પ૬૯-૫૭૦. ૪. જિનરત્નકોશ, પૃ. ૨૫૫ પ. એજન, પૃ. ૧૮૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય સંતિનાહચરિય આ ગુણસેનના શિષ્ય અને હેમચન્દ્રાચાર્યના ગુરુ પૂર્ણતલગચ્છીય દેવચન્દ્રાચાર્યક્ત સોળમા તીર્થંકર શાંતિનાથનું ચરિત છે. તેનો ગ્રંથા ૧૨૦૦૦ શ્લોકપ્રમાણ છે. તેની રચના સં. ૧૧૬૦માં થઈ હતી. તે પ્રાકૃત ગદ્યપદ્યમય છે. વચ્ચે વચ્ચે અપભ્રંશ ભાષાનો પણ પ્રયોગ થયો છે. તેની રચના ખંભાતમાં કરવામાં આવી હતી. તેની પ્રસ્તાવનામાં નીચે જણાવેલા આચાર્યોનો ઉલ્લેખ છેઃ ઇન્દ્રભૂતિ (કવિરાજ ચક્રવર્તી), ભદ્રબાહુ જેમણે વસુદેવચરિત લખ્યું (સવાયતમë વહુતિય), સમરાદિત્યકથાના સર્જક હરિભદ્ર, કુવલયમાલાના દાક્ષિણ્યચિહ્નસૂરિ, તથા ઉપમિતિભવપ્રપંચાક્યાના કર્તા સિદ્ધર્ષિ. હજુ સુધી અપ્રકાશિત છે. - તેમની એક અન્ય કૃતિ મૂલશુદ્ધિપ્રકરણટીકા (અપરના સ્થાનકપ્રકરણટીકા) છે. તેના ચોથા અને છઠ્ઠા સ્થાનકમાં આવેલ ચન્દનાકથાનક તથા બ્રહ્મદત્તકથાનકને જોવાથી જાણવા મળે છે કે તેમની અધિકાંશ ગાથાઓ તથા કેટલાક નાનામોટા ગદ્યસંદર્ભ શીલાંકાચાર્યના ચઉપન્નમહાપુરિસચરિયમાં આવેલા “વસુમસંવિહાણય' અને “બંભાયત્તચક્કવચિરિયની સાથે અક્ષરશઃ મળે છે. આ કથાઓના અવશિષ્ટ ભાગોમાંથી પણ કેટલાય ભાગો અલ્પાધિક શાબ્દિક પરિવર્તન સાથે ચઉપન્નમહાપુરિસચરિયના જ જણાય છે. અનુમાન છે કે સંતિનાહચરિયું ઉપર પણ ચઉપમહાપુરિસચરિયેનો પ્રભાવ હશે. તે અપ્રકાશિત હોઈ આનાથી વિશેષ કહેવું કઠિન છે. શાન્તિનાથ ઉપર આ વિશાળ રચના ઉપરાંત પ્રાકૃતમાં એક લઘુ રચના ૩૩ ગાથાઓમાં જિનવલ્લભસૂરિ રચિત તથા બીજી સોમપ્રભસૂરિ રચિતનો ઉલ્લેખ મળે છે. સંસ્કૃતમાં તો શાન્તિનાથ ઉપર અનેક રચનાઓ થઈ છે. સત્તરમા તીર્થંકર કુંથુનાથ અને અઢારમા તીર્થંકર અરનાથ ઉપર પ્રાકૃતમાં કોઈ રચના મળતી નથી. ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ ઉપર પ્રાકૃતમાં ૩-૪ રચનાઓ મળે છે. તેમાં જિનેશ્વરસૂરિની કૃતિનું પ્રમાણ પપપપ ગ્રન્યાગ્ર છે. તેની રચના સં. ૧૧૭૫માં થઈ હતી. જિનેશ્વરસૂરિના પ્રાકૃત ચરિતો ચન્દર્પોહચરિયું અને ૧. એજન, પૃ. ૩૭૯; શ્રેષ્ઠિ હાલાભાઈના પુત્ર ભોગીલાલના અણહિલપુરસ્થિત ફોફલિયાવાડા આગલીશેરી ભાંડાગાર, પાટણ. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૮૦ ૩. એજન, પૃ. ૩૦૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય નેમિનાહચરિયું પણ લગભગ આ જ સમયે રચાયાં હતાં. બીજી કૃતિ ચન્દ્રસૂરિના શિષ્ય વડગચ્છીય હરિભદ્રસૂરિની છે. તેનું પ્રમાણ ૯૦૦૦ ગ્રન્થાઝ છે. તે ત્રણ પ્રસ્તાવોમાં વિભક્ત છે. તેની રચનામાં સર્વદેવગણિએ સહાય કરી હતી. ગ્રંથના અંતે આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેમણે કુમારપાળના મંત્રી પૃથ્વીપાલની વિનંતીથી આ ચરિતની તથા બીજા ચરિતગ્રંથોની રચના કરી હતી, તેમાંથી કેવળ ચન્દષ્પહચરિયું અને અપભ્રંશમાં સેમિસાહચરિઉ મળે છે. ત્રીજી કૃતિ ભુવનતુંગસૂરિની રચના છે. તેનું પ્રમાણ ૫૦૦ ગ્રન્થાઝ છે. જેસલમેરના ભંડારોમાં તેની તાડપત્રીય હસ્તપ્રતિ મળે છે. ચોથી કૃતિ ૧૦૫ પ્રાકૃત ગાથામાં રચાયેલી અજ્ઞાતકર્તક છે. તેની હસ્તલિખિત પ્રતિ ઉપર સં. ૧૩૪૫ લખેલ છે. મુનિસુવ્યસામિચરિય વીસમા તીર્થંકર ઉપર પ્રાકૃતમાં શ્રીચન્દ્રસૂરિની એક માત્ર રચના મળે છે. તેમાં લગભગ ૧૦૯૯૪ ગાથાઓ છે. તે અપ્રકાશિત છે. કર્તા હર્ષપુરીય ગચ્છના હેમચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમની બીજી કૃતિઓમાં સંગ્રહણીરત્ન અને પ્રદેશવ્યાખ્યાટિપ્પન (સં. ૧૨૨૨) મળે છે. પ્રસ્તુત ચરિતનો સમય નિશ્ચિત નથી પરંતુ એક હસ્તલિખિત પ્રતિ અનુસાર સં. ૧૧૯૩ છે. આ ગ્રન્થની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે લેખકે આસાપલ્લિપુરી (વર્તમાન અમદાવાદ)માં શ્રીમાલ કુળના શ્રેષ્ઠ શ્રાવક શ્રેષ્ઠિ નાગિલના સુપુત્રના ઘરમાં રહીને ગ્રન્થ લખ્યો હતો. ૨૧મા તીર્થંકર નમિનાથ સંબંધી એક પ્રાકૃત રચનાનો ઉલ્લેખ મળે છે." નેમિનાહચરિય બાવીસમા તીર્થંકર નેમિનાથ ઉપર પ્રાકતમાં ત્રણ રચનાઓ મળે છે. એક રચના જિનેશ્વરસૂરિની છે, તે સં. ૧૧૭પમાં રચાઈ છે. બીજી રચના માલધારી હેમચન્દ્ર (હર્ષપુરીય ગચ્છના અભયદેવના શિષ્ય)ની છે, તેનું પ્રમાણ ૫૧૦૦ ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૨; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૭૯ ૨. એજન ૩. એજન ૪. એજન, પૃ. ૩૧૧ ૫. એજન, ૫. ૨૦૨ ૬. ભારતીય સંસ્કૃતિ મેં જૈનધર્મ કા યોગદાન, પૃ. ૧૩૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન કાવ્યસાહિત્ય ગ્રન્થાઝ છે (સમય ૧૨મીનો ઉત્તરાર્ધ). અને ત્રીજી રચના બૃહગચ્છના વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિની છે, આ રચના વિશાળ છે, તેનો રચનાસંવત ૧૨૩૩ છે, તે ગદ્યપદ્યમયી છે, તે છ અધ્યાયોમાં વિભક્ત છે, અને તેનું પ્રમાણ ૧૩૬૦૦ ગ્રન્થાઝ છે. ૧ પાસનાચરિય આમાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથનું ચરિત વિસ્તારથી આપ્યું છે, તે પાંચ પ્રસ્તાવોમાં વિભક્ત છે. તે પ્રાકૃત ગદ્યપદ્યમાં લખાયેલી સરસ રચના છે. તેમાં સમાસાન્ત પદાવલી અને છન્દની વિવિધતા જોવા મળે છે. તેમાં સંસ્કૃતના અનેક સુભાષિતો પણ ઉદ્ધત છે. તેનું પ્રમાણ ૯000 ગ્રન્થાઝ છે. આ ગ્રન્થને તેની પોતાની વિશેષતા છે. અન્ય ગ્રન્થોમાં પાર્શ્વનાથના દસ ભવોનું વર્ણન મળે છે. ત્રીજા, પાંચમા, સાતમા અને નવમા ભવોમાં દેવલોકમાં અને નવ રૈવેયકમાં દેવ રૂપે પાર્શ્વનાથ ઉત્પન્ન થયા હતા. આ ચાર ભવોની ગણના આ ચરિત્રના લેખકે કરી નથી, તેથી બાકીના છ ભવોનું વર્ણન જ આપવામાં આવ્યું છે. પહેલા પ્રસ્તાવમાં પાર્શ્વનાથના બે પૂર્વભવોનો ઉલ્લેખ છે. પહેલા ભવમાં મરુભૂતિ નામે મંત્રીપુત્ર થયા. તેમાં કમઠ નામના પોતાના ભાઈથી મૃત્યુ પામ્યા. બીજા ભવમાં મરુભૂતિ અને કમઠ ક્રમશઃ હાથી અને કુલ્લુટસર્પ થયા. બીજા પ્રસ્તાવમાં ત્રીજા ભવમાં બંને ક્રમશ: કનકવેગ વિદ્યાધર અને સર્પ થયા. ચોથા ભવમાં તેઓ વજનાભ રાજા અને ભીલના રૂપે હોય છે. ભીલના બાણથી ઉક્ત રાજા મરણ પામે છે. પાંચમા ભવમાં તે બંને ક્રમશઃ કનક ચક્રવર્તી અને સિંહ થયા. મુનિ અવસ્થામાં ચક્રવર્તીને સિંહે મારી નાખ્યા. ત્રીજા પ્રસ્તાવમાં છઠ્ઠા ભવમાં મરુભૂતિ વારાણસીના રાજા અશ્વસેન અને વામાના પુત્ર ૨૩મા તીર્થંકર પાના રૂપમાં જન્મ લે છે અને કમઠ કઠ નામનો તાપસ તથા મેઘમાલી નામનો દેવ બને છે. આ પ્રસ્તાવમાં પાર્શ્વનાથની દીક્ષા અને તપસ્યાનું વર્ણન છે તથા મેઘમાલી દેવ દ્વારા ઉપસર્ગનું વર્ણન છે. ચોથા પ્રસ્તાવમાં પાર્શ્વનાથને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તથા તેમણે આપેલ ઉપદેશના પ્રસંગમાં પોતાના પિતાએ કરેલા પ્રશ્નને લઈને દશ ગણધરોના તેમણે કહેલા પૂર્વભવોનું વર્ણન છે. પાંચમાં પ્રસ્તાવમાં મથુરા, કાશી, આમલકલ્પા વગેરે નગરોમાં પાર્શ્વનાથે કરેલા વિહાર અને ધર્મોપદેશનું વર્ણન છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૨૧૭ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૪૪; પ્રકાશિત - અમદાવાદ, ૧૯૪૪; ગુજરાતી અનુવાદ – જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૨૦૦૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૮૯ અંતે સમેતશિખર ઉપર પહોંચી તેમના મોક્ષ પામવાનું વૃત્તાન્ત છે. આ પ્રાકૃત ચરિતમાં ગુણભદ્ર રચેલા સંસ્કૃત ઉત્તરપુરાણમાં વર્ણવેલા પાર્શ્વનાથચરિતથી કેટલીક બાબતોમાં અંતર છે જેમકે મરુભૂતિની પત્ની વસુન્ધરા કમઠ પ્રત્યે સ્વયં આકર્ષાઈ. તેમાં છઠ્ઠા ભવના વજનાભના વિવાહના પ્રસંગમાં જે યુદ્ધનું વર્ણન છે તે રઘુવંશના ઈન્દુમતી-અજના સ્વયંવરમાં થયેલા યુદ્ધની યાદ અપાવે છે. તેવી જ રીતે આઠમા ભાવમાં કનકબાજુ ચક્રવર્તીના, ખેચરરાજની પુત્રી પદ્મા સાથેના વિવાહનો પ્રસંગ અભિજ્ઞાનશાકુન્તલગત દુષ્યત-શકુન્તલાન વિવાહના પ્રસંગની યાદ અપાવે છે. રચયિતા અને રચનાકાળ – આ ચરિતના રચયિતા દેવભદ્રાચાર્ય છે. તે વિક્રમની બારમી શતાબ્દીના મહાન વિદ્વાન અને ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમનું નામ આચાર્ય પદવીની પ્રાપ્તિ પહેલાં ગુણચન્દ્રગણિ હતું. તે વખતે સંવત ૧૧૩૯માં શ્રી મહાવીરચરિયું નામનો વિસ્તૃત ૧૨૦૨૪ શ્લોકપ્રમાણ ગ્રંથ તેમણે રચ્યો. તેમનો બીજો ગ્રંથ કથારત્નકોષ છે, આ તેમણે આચાર્ય બન્યા પછી વિ.સં. ૧૧૫૮માં રચ્યો. પ્રસ્તુત પાસનાહચરિયની રચના તેમણે વિ.સં. ૧૧૬૮માં ગોવર્ધન શ્રેષ્ઠિના વંશજ વીરશ્રેષ્ઠિના પુત્ર યશોદેવ શ્રેષ્ઠિની પ્રેરણાથી કરી હતી. આ ગ્રંથની પ્રશસ્તિમાં લેખકની ગુર્નાવલી આ પ્રમાણે આપવામાં આવી છેઃ ચન્દ્રકુલ વજશાખામાં વર્ધમાનસૂરિ થયા. તેમને બે શિષ્યો હતા - જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ. જિનેશ્વરસૂરિના શિષ્ય અભયદેવસૂરિ અને તેમના શિષ્ય પ્રસન્નચંદ્ર થયા. પ્રસન્નચંદ્રના શિષ્ય સુમતિવાચક અને તેમના શિષ્ય હતા દેવભદ્રસૂરિ. ૧. મહાવીરચરિય અંતિમ તીર્થંકર મહાવીરના જીવન ઉપર જે પ્રાકૃત રચનાઓ મળે છે તેમાં આ સર્વપ્રથમ છે. આ એક ગદ્યપદ્યમય કાવ્ય છે જે આઠ પ્રસ્તાવો (સર્ગો)માં વિભાજિત છે અને જેનું પરિમાણ ૧૨૦૨૫ શ્લોકપ્રમાણ છે. તેના પ્રારંભના ચાર સર્ગોમાં ભગવાન મહાવીરના પૂર્વ ભવોનું વર્ણન છે અને છેલ્લા ચારમાં તેમના વર્તમાન ભવનું. તેના ઉપર અને તેમની અન્ય કૃતિ પાસનાચરિયું પર કાલિદાસ, ભારવિ અને માઘના સંસ્કૃત કાવ્યોનો પૂર્ણ પ્રભાવ જણાય છે. આ મહારાષ્ટ્રી પ્રાકૃતપ્રધાન રચનામાં અહીં-તહીં સંસ્કૃતનાં તથા અપભ્રંશનાં પદ્યો ઉદ્ભત છે. તેમાં છંદોની વિવિધતા છે. પ્રચુર માત્રામાં તદ્દભવ અને તત્સમ શબ્દોનો ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૬; પ્રકાશિત – દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્ ૧૯૨૯, ગુજરાતી અનુવાદ – જૈન આત્માનન્દ સભા, વિ.સં. ૧૯૯૪. Page #112 -------------------------------------------------------------------------- ________________ ८० પ્રયોગ દેશી શબ્દોના બદલે થયો છે. પ્રથમ પ્રસ્તાવમાં સમ્યક્ત્વપ્રાપ્તિનું વર્ણન છે. બીજામાં પ્રથમ પૂર્વભવના પ્રસંગમાં ઋષભ, ભરત, બાહુબલિ અને મરીચિના ભવોનું નિરૂપણ છે. ત્રીજામાં વિશ્વભૂતિની વસન્તક્રીડા, રણયાત્રા અને વૈરાગ્યનું વર્ણન છે. આમાં નારાયણ ત્રિપૃષ્ઠના પ્રતિનારાયણ અશ્વગ્રીવ સાથેના યુદ્ધનું અને ચક્રવર્તી પ્રિયમિત્રના દિગ્વિજય તેમ જ યાનું વર્ણન છે. ચોથા પ્રસ્તાવમાં પ્રિયમિત્રનો જીવ નન્દન નામનો રાજા થાય છે અને તે રાજા પ્રોઠિલ મુનિને નરવિક્રમનું ચરિત પૂછે છે. આ ચરિત ઘણું જ રોચક છે. નન્દન નૃપનો જીવ જ ક્ષત્રિયકુંડના નરેશને ત્યાં ત્રિશલાની કૂખે મહાવીર તરીકે જન્મ લે છે. આ પ્રસ્તાવમાં મંત્ર, તંત્ર, વિદ્યાસાધના તથા વામમાર્ગના તેમ જ કાપાલિકોના ક્રિયાકાંડનું વર્ણન છે. આ જ પ્રસ્તાવમાં ભગવાન મહાવી૨ના ૨૮મા વર્ષે તેમના માતાપિતાના સ્વર્ગવાસનું, મોટા ભાઈ નન્દિવર્ધનના રાજ્યાભિષેકનું અને મોટા ભાઈની અનુમતિથી મહાવીરના દીક્ષાગ્રહણનું વર્ણન છે. જૈન કાવ્યસાહિત્ય પાંચમા પ્રસ્તાવમાં શૂલપાણિ યક્ષ અને ચંડકૌશિક સર્પને પ્રબુદ્ધ કરવાનો વૃત્તાન્ત છે. છઠ્ઠા પ્રસ્તાવમાં આજીવક મતના પ્રવર્તક મંખલીપુત્ર ગોશાલના મહાવીર સાથેના સંબંધનું નિરૂપણ છે. સાતમામાં મહાવીરે સહન કરેલા પરીષહોનું તેમ જ તેમની કેવળજ્ઞાનપ્રાપ્તિનું વર્ણન છે. આઠમા પ્રસ્તાવમાં મહાવીરનિર્વાણનું નિરૂપણ છે. તેમાં મહાવીરનો ઉપદેશ છે, ગણધરોનું વર્ણન છે, ચતુર્વિધ સંઘની સ્થાપનાનું નિરૂપણ છે, મહાવીરના જમાઈ જામાલિની દીક્ષાનું વર્ણન છે, જમાલિ દ્વારા નિહવનું પ્રતિપાદન છે, ગોશાલકે શ્રાવસ્તીમાં છોડેલી તેજોલેશ્યાનું આલેખન છે, તથા બીજી બાબતોનું પણ વિસ્તારથી વર્ણન છે. આ કાવ્યમાં અનેક અવાન્તર કથાઓ આપવામાં આવી છે તથા નગર, વન, અટવી, વિવાહવિધિ, ઉત્સવ, વિદ્યાસિદ્ધિ વગેરેનાં વર્ણનો દ્વારા કાવ્યને બહુ જ રોચક બનાવ્યું છે. આ રચના ગદ્યપદ્યમયી છે. વર્ણનને અનુકૂળ જ્યારે જેવી જરૂર પડી ત્યારે તે મુજબ ગદ્ય કે પદ્યનો પ્રયોગ કરવાની સ્વતન્ત્રતા કવિને રહી છે. રચિયતા અને રચનાકાળ આ મહત્ત્વપૂર્ણ કૃતિની રચના ગુણચંદ્રસૂરિએ કરી છે. આ ગુણચંદ્ર આચાર્ય પદવી મળ્યા પછી દેવભદ્રસૂરિ કહેવાતા હતા. તેમણે પોતાના છત્રાવલી (છત્રાલ) નિવાસી શેઠ શિષ્ટ અને વીરની વિનંતીથી આ ગ્રન્થ વિ.સં. ૧૧૩૯ જેઠ સુદી ત્રીજ સોમવારના દિવસે રચ્યો હતો. પ્રશસ્તિમાં શિષ્ટ અને વીરના પરિવારનો પરિચય આપ્યો છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય તેમની ત્રણ વિશાળ કૃતિઓના અંતે આપવામાં આવેલાં પ્રશસ્તિપઘો ઘણા મહત્ત્વનાં છે. તેમના દ્વારા દેવભદ્રસૂરિની ગુરુપરંપરા તથા રચનાઓના સંવનું જ્ઞાન થાય છે. તે મુજબ આચાર્ય દેવભદ્ર સુમતિવાચકના શિષ્ય હતા, આચાર્ય પદ મળ્યા પહેલાં તેમનું નામ ગુણચન્દ્રગણિ હતું. આ નામથી તેમણે વિ.સં. ૧૧૨૫માં સંવેગરંગશાલા નામના આરાધનાશાસ્ત્રનો સંસ્કાર કર્યો હતો અને વિ.સં. ૧૧૩૯માં મહાવીરચરિયુંનું સર્જન કર્યું હતું. સંવેગરંગશાલાની પુષ્પિકામાં 'तद्विनेय श्री प्रसन्नचन्दसूरि समभ्यर्थितेन गुणचन्द्रगणिना तथा तव्वयणेणं गुणचंदेणं' પદો દ્વારા જાણવા મળે છે કે આચાર્ય પ્રસન્નચન્દ્ર અને દેવેન્દ્રસૂરિનો પારસ્પરિક સંબંધ દૂરનો હતો અને બંને પરસ્પર અનુરાગી હતા. ગુણચન્દ્ર તેમને ઘણા આદરથી જોતા હતા એ વાત કથારત્નકોશ અને પાર્શ્વનાથની પ્રશસ્તિમાં આવતાં ‘તસ્સેવોદિ’ અને ‘યપણ્ડમલેવદિ’ પદોથી જણાય છે. પ્રસન્નચંદ્રે ગુણચંદ્રના ગુણોથી આકર્ષાઈને તેમને આચાર્ય પદે આરૂઢ કર્યા હતા. તેમણે પોતાના નામ સાથે કોઈ ગણ-ગચ્છનો ઉલ્લેખ કર્યો નથી પણ વિસ્તૃત પ્રશસ્તિઓમાં પોતાનો સંબંધ વજ્રશાખા, ચંદ્રકુલની પરંપરા સાથે દર્શાવ્યો છે. આ કૃતિઓ ઉપરાંત બીજી કેટલીક કૃતિઓ પણ મળે છે : પ્રમાણપ્રકાશ, અનન્તનાથસ્તોત્ર, સ્તંભનકપાર્શ્વનાથ તથા વીતરાગસ્તવ.૧ ૨. મહાવીરચરિય મહાવીર ઉપર પ્રાકૃતમાં આ બીજી રચના છે. તે પદ્યબદ્ધ છે. તેનું પ્રમાણ ૩૦૦૦ ગ્રન્થાગ્ર છે. તેમાં કુલ ૨૩૮૫ ૫ઘ છે. ૨ ૯૧ તેનો પ્રારંભ મહાવીરના ૨૬મા પૂર્વભવમાં ભગવાન ઋષભના પૌત્ર મરીચિના પૂર્વજન્મમાં એક ધાર્મિક શ્રાવકની કથાથી થાય છે. તેણે એક આચાર્ય પાસે આત્મશોધન માટે અહિંસાવ્રત ધારણ કરી પોતાનું જીવન સુધાર્યું અને આયુના અંતે ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ નામે તેમનો જન્મ થયો. એક સમય ભરત ૧. આત્માનન્દ જૈન ગ્રન્થમાલા તરફથી પ્રકાશિત અને સ્વ. મુનિ પુણ્યવિજયજી દ્વારા સંપાદિત કહારયણકોસો (૧૯૪૪)ના અન્તે આ બધી લઘુ કૃતિઓ પ્રકાશિત છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૦૬; પ્રકાશિત - જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૧૯૭૩. Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય ચક્રવર્તીએ ભગવાન ઋષભના સમવસરણમાં આગામી મહાપુરુષોના સંબંધમાં તેમનાં જીવનોનો પરિચય સાંભળતાં પૂછ્યું – ભગવન્, તીર્થંકર કોણ કોણ થશે? શું આપણા વંશમાં પણ કોઈ તીર્થંકર થશે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન્ ઋષભે કહ્યું કે ઈક્ષ્વાકુવંશના મરીચિ અંતિમ તીર્થંકરનું પદ પ્રાપ્ત કરશે. ભગવાનની પોતાના વિશેની આ ભવિષ્યવાણીને સાંભળી મરીચિ પ્રસન્નતાથી નાચવા લાગ્યા અને અહંભાવથી વિવેક તથા સમ્યક્ત્વની ઉપેક્ષા કરી તપભ્રષ્ટ થઈ મિથ્યામતનો પ્રચાર કરવા લાગ્યા. તેના પરિણામે તે અનેક જન્મોમાં ભટક્યા. ૯૨ આ રચનામાં ભગવાન મહાવીરના ૨૫ પૂર્વભવોનું વર્ણન રોચક રીતે થયું છે. ભાષા સરળ અને પ્રવાહી છે. ભાષાને પ્રભાવક બનાવવા માટે અલંકારોની યોજના પણ કરવામાં આવી છે. રચયિતા અને રચનાકાલ આ કૃતિના રચિયતા બૃહદ્ગચ્છના આચાર્ય નેમિચન્દ્રસૂરિ છે. તેમનો સમય વિક્રમની ૧૨મી સદી મનાય છે. તેમની નાનીમોટી પાંચ રચનાઓ મળે છે ૧. આખ્યાનકમણિકોશ (મૂળ ગાથા પર), ૨. આત્મબોધકુલક અથવા ધર્મોપદેશકુલક, ૩. ઉત્તરાધ્યયનવૃત્તિ (પ્રમાણ ૧૨૦૦૦ શ્લોક), ૪. રત્નચૂડકથા (પ્રમાણ ૩૦૮૧ શ્લોક) અને ૫. મહાવીરચરિયું (પ્રમાણ ૩૦૦૦ શ્લોક). પ્રસ્તુત રચના તેમની અંતિમ કૃતિ છે અને તેનો રચનાકાળ સં. ૧૧૪૧ છે. — ww તેમની અંતિમ ત્રણ કૃતિમાં આપવામાં આવેલ પ્રશસ્તિપદ્યોમાંથી તેમની ગુરુપરંપરાનો પરિચય આ મુજબ મળે છે : બૃહદ્ગચ્છ (પ્રા. વડુ, વડગચ્છ)માં દેવસૂરિના પટ્ટધર નેમિચન્દ્રસૂરિ થયા, તેમના પટ્ટધર ઉદ્યોતનસૂરિના શિષ્ય આદ્રદેવ ઉપાધ્યાયના શિષ્ય નેમિચન્દ્રસૂરિ થયા. રચયિતાના દીક્ષાગુરુ તો આમ્રદેવ ઉપાધ્યાય હતા પરંતુ તે આનન્દસૂરિના મુખ્ય પટ્ટધર તરીકે સ્થાપિત થયા હતા. પટ્ટધર થયા તે પહેલાં તેમની સામાન્ય મુનિ અવસ્થા (વિ.સં. ૧૧૨૯ પહેલાં)નું નામ દેવિંદ (દેવેન્દ્ર) હતું. પછી તેમનાં બંને નામો મળે છે – દેવેન્દ્રગણિ અને નેમિ- દ્રસૂરિ. તેમના વિશે વધુ માહિતી મળતી નથી. મહાવીરચરિત ઉપર બીજી બે પ્રાકૃત રચનાઓનો ઉલ્લેખમાત્ર મળે છે. તે બે છે – માનદેવસૂરિના શિષ્ય દેવસૂરિની રચના અને જિનવલ્લભસૂરિની રચના. અન્તિમ કૃતિ ૪૪ ગાથાઓમાં રચાઈ છે. તેનું બીજું નામ દુરિયરાયસમી૨સ્તોત્ર. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૬ Page #115 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૯૩ સંસ્કૃતમાં તીર્થકરોના જીવનચરિત સંબંધી અનેક જુદી જુદી કાવ્યરચનાઓ મળે છે. તેમનો પરિચય હવે આપવામાં આવે છે. પધાનન્દમહાકાવ્ય આ મહાકાવ્ય પ્રથમ તીર્થકર ઋષભદેવના ચરિત્ર સંબંધી છે. તેની રચના પદ્મમંત્રીની વિનંતીથી કરવામાં આવી હોવાથી તેનું નામ પદ્માનન્દ મહાકાવ્ય રાખવામાં આવ્યું. આ કાવ્યનું બીજું નામ જિનેન્દ્રચરિત્ર પણ છે. કવિની બીજી કાવ્યકૃતિ બાલભારતની જેમ આ કૃતિ પણ “વીરાંક' ચિહ્નથી વિભૂષિત છે. તેમાં ૧૯ સર્ગ છે અને અનુષ્ટ્રભુ પ્રમાણથી શ્લોકસંખ્યા ૬૩૮૧ છે. તેની કથાનો આધાર ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર' છે. કવિએ પરંપરાગત કથાનકમાં કંઈ પણ ફેરફાર કર્યા વિના તેને શ્રેષ્ઠ મહાકાવ્યના ગુણોથી અલંકૃત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પ્રથમ સત્રે પ્રસ્તાવનારૂપ છે. બીજાથી છઠ્ઠા સર્ગ સુધી ઋષભદેવના ૧૨ પૂર્વભવોનું વર્ણન છે. સાતમામાં જન્મ, આઠમામાં બાળલીલા, યૌવન, વિવાહ; નવમામાં સંતાનોત્પત્તિ, દશમામાં રાજ્યાભિષેક, અગિયારમા–બારમામાં જતુક્રીડા અને દીક્ષાગ્રહણ, તેરમામાં કેવળજ્ઞાનપ્રાપ્તિ, ચૌદમામાં સમવસરણ - દેશના વગેરે, પંદર-સોળ-સત્તરઅઢારમામાં ભરત-બાહુબલિ-મરીચિના વૃત્તાન્ત સાથે અંતે ઋષભદેવ અને ભરતના નિર્વાણનું વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં કથા ૧૮મા સર્ગમાં જ સમાપ્ત થઈ જાય છે પરંતુ ઓગણીસમા સર્ગમાં કવિએ પ્રશસ્તિરૂપે પોતાની ગુરુપરંપરા, કાવ્યરચના, ઉદેશ્ય, પ્રેરણાદાયક પદ્યમંત્રીની વંશાવલીનું વિવરણ આપ્યું છે. આમ આદિ અને અંતના સર્ગ પ્રસ્તાવના તથા પ્રશસ્તિરૂપે છે, બાકીના ૧૭ સર્ગમાં કથાવર્ણન છે. આ કાવ્યમાં ઋષભદેવ, ભરત અને બાહુબલિના ચરિત્રને જ વિકસિત રૂપ આપવામાં આવ્યું છે, બાકીનાને નહિ. પ્રકૃતિચિત્રણ પણ ભવ્યરૂપે કર્યું છે. સૌન્દર્યચિત્રણમાં બાહ્યની અપેક્ષાએ આંતરિક સૌન્દર્યનું આલેખન કરવામાં વિશેષ ધ્યાન અપાયું છે. ૧. ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, વડોદરા, ૧૯૩૨; જિનરત્નકોશ, પૃ. ૨૩૪. વિશેષ પરિચય ડૉ. શ્યા. શ. દીક્ષિત લિખિત “૧૩મી-૧૪મી શતાબ્દીમાં જૈન સંસ્કૃત મહાકાવ્ય'ના અપ્રકાશિત ભાગમાં આપવામાં આવ્યો છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈન કાવ્યસાહિત્ય આ કાવ્યના પરિવેશમાં કવિએ પોતાના સમયનાં પ્રચલિત રીતરિવાજો, અંધવિશ્વાસો, વિવાહવિધિ વગેરેનું નિરૂપણ કરી તત્કાલીન સમાજનો પરિચય આપ્યો છે. ૧, કવિને પોતાની બીજી કૃતિ “બાલભારતમાં જૈનધર્મના સિદ્ધાંતો-નિયમોનું નિરૂપણ કરવાનો અવસર મળ્યો ન હતો પણ આ કાવ્યમાં તેમના નિરૂપણને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે. ધાર્મિક ચર્ચા દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને તેરમા સર્ગમાં આવે છે. કાવ્યમાં વિવિધ રસ અને અલંકારની યોજના અનેક સ્થળે સુંદર રીતે કરવામાં આવી છે. ભાષાપાંડિત્યને પ્રગટ કરવા માટે યમક અને અનુપ્રાસનો પ્રયોગ અધિક માત્રામાં થયો છે. અર્થાલંકારોમાં માલોપમા, અર્થાન્તરન્યાસ અને રૂપકની યોજના અનેક સ્થળે થઈ છે. અન્ય અલંકારોમાં અસંગતિ, મુદ્રાદીપક, વિષમ, સહોક્તિ, વિરોધ, પરિવૃત્તિના પણ સુંદર પ્રયોગો થયા છે. - આ કાવ્યમાં અધિકાંશ સર્ગોમાં એક છંદનો પ્રયોગ થયો છે અને સર્વાન્ત છંદ બદલાય છે. ૧૪-૧૫માં સર્ગોમાં વિવિધ છન્દોનો પ્રયોગ પણ થયો છે. પઘાનન્દ કાવ્યમાં ૩૪ છંદોનો પ્રયોગ થયો છે, તેમાંથી અનેક એવા છંદ છે જેમનો પ્રયોગ અન્યત્ર ઓછો થયો છે જેમકે સુન્દરી, મેઘવિહૂર્જિતા, ચન્દ્રિણી, - પ્રબોધિતા, ઉત્થાપિની, આદિ. રચયિતા અને રચનાકાલ – આ કાવ્યના સર્જક સુપ્રસિદ્ધ કવિ અમરચન્દ્રસૂરિ છે. આ કાવ્યની એક હસ્તલિખિત પ્રાચીન પ્રતિ સં. ૧૨૯૭ની મળે છે. આ પ્રતિ ઉપરથી સિદ્ધ થાય છે કે કૃતિ એ સમય પહેલાં રચાઈ છે. આ કાવ્યની રચના વીસલદેવ (સં. ૧૨૯૪-૧૩૩૮)ના રાજ્યકાળમાં તેમના મંત્રી પદ્મની વિનંતીથી કરવામાં આવી હતી. તેથી વીસલદેવના પ્રથમ રાજ્યવર્ષ સં. ૧૨૯૪ ૧. સર્ગ ૯. ૭૧, ૭૩-૧૦૨; ૨. ૧૭૭ ૨. એજન, સર્ગ ૨. ૧૭; ૧૪. ૬૭, ૭૩-૭૪, ૧૦૬-૧૦૭ આદિ. ૩. એજન, સર્ગ ૨.૨૪, ૭૩, ૧૬૯; ૪. પ૭, ૫૮, ૧૦૦, ૧૮૫, ૨૧૬, ૨૪૦; ૬. ૧૦૩; ૧૨. ૬૭; ૧૬. ૭૧ આદિ. ૪. પીટર્સનનો પ્રથમ રિપોર્ટ, પૃ. ૫૮ તથા પધાનન્દની અંગ્રેજી ભૂમિકા, પૃ. ૩૪ ૫. પદ્માનન્દ, સર્ગ ૧૯, શ્લોક ૬૦-૬૧. Page #117 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય પછી તેની રચના થઈ હશે એમ જણાય છે. આમ તેનો રચનાકાળ સં. ૧૨૯૪ અને ૧૨૯૭ વચ્ચે હોવો જોઈએ. તેની રચના બાલભારત પછી કરવામાં આવી હતી. પ્રથમ તીર્થંકર ઉપર અન્ય રચનાઓ આદિનાથ ચરિત ઉપર બીજી રચના વિનયચંદ્રની છે. તેનો રચનાકાળ વિ.સં. ૧૪૭૪ છે. વિનયચંદ્ર નામ ધરાવતા અનેક વિદ્વાનો થયા છે પરંતુ આ વિનયચંદ્ર કોણ છે એ જ્ઞાત નથી. એક વિનયચંદ્ર (રવિપ્રભસૂરિશિષ્ય)નાં રચેલાં ત્રણ ચરિતો - મલ્લિનાથચરિત, મુનિસુવ્રતનાથચરિત અને પાર્શ્વનાથચરિત મળે છે, પરંતુ તેમનો સમય વિ.સં. ૧૩૦૦ આસપાસ છે. તેથી સ્પષ્ટ છે કે આદિનાથચરિતના કર્તા આ વિનયચંદ્રથી ભિન્ન છે. સકલકીર્તિ (૧૫મી શતી) દ્વારા રચિત આદિનાથપુરાણમાં ૨૦ સર્ગ છે અને શ્લોકસંખ્યા ૪૬૨૮ છે. તેની વર્ણનશૈલી સુંદર અને સરસ છે. તેનું બીજું નામ વૃષભનાથચરિત્ર પણ છે. ભટ્ટારક સકલકીર્તિનો પરિચય તેમના હરિવંશપુરાણના પ્રસંગે આપી દીધો છે. આ જ વિષયની અન્ય રચનાઓમાં ચન્દ્રકીર્તિ (૧૭મો શતક), શાન્તિદાસ અને ધર્મકીર્તિ આદિની રચનાઓનો ઉલ્લેખ મળે છે. નેમિકુમારના પુત્ર વાલ્મટે કાવ્યમીમાંસામાં પોતાના ઋષભદેવચરિતનો ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત સંસ્કૃત નાટકકાર હસ્તિમલકત કન્નડ ગદ્યમાં આદિપુરાણ અને શ્રીપુરાણ મળે છે; તેના ઉપર જિનસેનના આદિપુરાણનો સ્પષ્ટ પ્રભાવ છે. અજિતનાથપુરાણ બીજા તીર્થકર અજિતનાથ ઉપર કાણસિંહના પુત્ર અરુણમણિ અપરનામ લાલમણિએ અજિતનાથપુરાણ લખ્યું છે. પાકુર ભાગના લેખકે તેની હસ્તપ્રત જૈન સિદ્ધાન્ત ભવન, આરામાં જોઈ હતી. બે કૃતિ મૌલિક નથી પરંતુ જિનસેનના આદિપુરાણ તથા હરિવંશપુરાણ વગેરે ગ્રંથોમાંથી વિસ્તૃત અંશોને ઉદ્ધત કરીને ૧. જિનરત્નકોશ, પૃ. ૨૮ ૨. એજન, પૃ. ૨૮; પ્રકાશિત – જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા, ૧૯૩૭ ૩. એજન, પૃ. ૨૮-૨૯ . ૪. એજન, પૃ. ૫૭ ૫. એજન, પૃ. ૨ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન કાવ્યસાહિત્ય અને ઉક્ત તીર્થંકરનું કંઈક ચરિત્ર આપીને રચવામાં આવી છે. - રચયિતા અને રચનાકાળ – આ કૃતિના કર્તા અરુણમણિ ગૃહસ્થ જણાય છે કારણ કે તેમણે પોતાના પિતાનું નામ આપ્યું છે. તેમણે પોતાને કાષ્ઠાસંઘ, માથુરગચ્છ, પુષ્કરગણના અનુયાયી કહ્યા છે તેમ જ શ્રુતકીર્તિશિષ્ય બુધરાઘવના શિષ્ય પણ કહ્યા છે. આ ગ્રન્થને તેમણે જહાનાબાદના પાર્શ્વનાથ મંદિરમાં બેસીને લખ્યો હતો. જહાનાબાદ બિહારમાં છે અને કૃતિની હસ્તલિખિત પ્રતિ આરામાં મળી છે. ત્રીજા તીર્થકર સંભવનાથ ઉપર સંસ્કૃતમાં સંભવનાથચરિત્રનો ઉલ્લેખ મળે છે. તેના રચયિતા કોઈ મેરૂતુંગસૂરિ મનાય છે. આ કાવ્યની રચના સં. ૧૪૧૩માં થઈ હતી. તેમની અન્ય કૃતિ કામદેવચરિત્ર (સં. ૧૪૦૯)નો ઉલ્લેખ મળે છે. મેરૂતુંગ નામના ત્રણ સૂરિ થયા છે. તેમનામાં આમનો કોઈ વિશેષ પરિચય નથી મળતો. ચોથા અને પાંચમા તીર્થંકર ઉપર પણ સંસ્કૃત રચનાઓના ઉલ્લેખ મળે છે. છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભ ઉપર પણ અનેક સંસ્કૃત કાવ્યરચનાઓના ઉલ્લેખો મળે છે. તેમાં સૌપ્રથમ સં. ૧૨૪૮માં લખાયેલી પોતાની પ્રવચનસારોદ્ધારટીકામાં સિદ્ધસેનસૂરિએ પોતે રચેલા પાપ્રભચરિતનો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધસેન ચન્દ્રગચ્છ સાથે સંબંધ ધરાવતા રાજગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય હતા.* ભટ્ટારકયુગમાં પદ્મનાભ (ભાવી પ્રથમ તીર્થંકર)ના ચરિત ઉપર અનેક રચનાઓ થઈ છે. તેમાં ભ. સકલકીર્તિકૃત પાનાથચરિતનો ઉલ્લેખ મળે છે, તથા ભ. જ્ઞાનભૂષણના શિષ્ય ભ. શુભચન્દ્ર (૧૭-૧૮મો શતક)ના ગ્રન્થાઝ ૨૪૦૫ શ્લોકપ્રમાણ અને ભ. વિદ્યાભૂષણ (સં. ૧૬૮૦) તથા સોમદત્ત (સં. ૧૯૬૦)ના પદ્મનાભપુરાણો ગ્રન્થભંડારોમાં મળે છે." સાતમા તીર્થંકર સુપાર્શ્વ ઉપર સંસ્કૃતમાં કોઈ કાવ્યરચના મળતી નથી. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૨૨ ૨. એજન, પૃ. ૮૪ ૩. એજન, પૃ. ૪૪૬ ૪. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૩૮; જિનરત્નકોશ, પૃ. ૨૩૪ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૩૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ચન્દ્રપ્રભચરિત આઠમા તીર્થંકર ચન્દ્રપ્રભ ઉપર અનેક સંસ્કૃત કાવ્યો મળે છે. તેમાં સૌપ્રથમ આચાર્ય વરનન્ટિ(૧૧મી સદીનો પ્રારંભીકૃત ચન્દ્રપ્રભ મહાકાવ્ય છે. તેનો વિસ્તારથી પરિચય મહાકાવ્યોના પ્રસંગે કરાવ્યો છે. બીજી કૃતિ અસગ કવિ (સં. ૧૦૪૫ લગભગ)ની હોવાનો ઉલ્લેખ મળે છે. અસગ કવિએ રચેલાં શાન્તિનાથચરિત અને વર્તમાનચરિત પણ ઉપલબ્ધ છે. - ત્રીજી રચના પ૩૨૫ શ્લોકપ્રમાણ છે. તેમાં વજાયુધ નૃપની કથા બહુ વિસ્તારથી આપી છે, તેનો ઉત્તરભાગ નાટકશેલીમાં રચાયો છે. કૃતિના કર્તા નાગેન્દ્રગથ્વીય વિજયસિંહસૂરિના શિષ્ય દેવેન્દ્ર યા દેવચન્દ્રસૂરિ છે. રચનાસંવત ૧૨૬૦ આપવામાં આવ્યો છે. ચોથી કૃતિનો સંક્ષિપ્ત પરિચય નીચે આપ્યો છે : તેર સર્ગોનું આ કાવ્ય હજુ સુધી અપ્રકાશિત છે. તેમાં જૈનોના આઠમા તીર્થંકર ચન્દ્રપ્રભનું ચરિતવર્ણન છે. સર્ગોનાં નામ વર્ય વસ્તુના આધારે રાખવામાં આવ્યાં છે, જેમકે પ્રથમ સર્ચ દાનવર્ણન, બીજો શીલવર્ણન અને ત્રીજો તપોવર્ણન. કુતિમાં ચન્દ્રપ્રભના પૂર્વભવોનું વર્ણન છે જ, સાથે સાથે વિવિધ સ્તોત્ર અને ધર્મોપદેશ સમસ્ત કાવ્યમાં ફેલાયેલાં છે અને કોઈ પણ સર્ગ અવાન્તર કથાઓથી ખાલી નથી. અવાન્તર કથાઓમાં કલાવાનુ-કલાવતી, ધનદત્ત-દેવકી, ચારિત્રરાજ, સમરકેતુ વગેરેની કથાઓ મુખ્ય છે. મૂલકથા અને અવાજોરકથાઓ અનેક ચમત્કારપૂર્ણ ઘટનાઓથી ભરપૂર છે. જો કે આ કાવ્ય તેર સર્ગોમાં છે છતાં તેની કથા તો પહેલા, છઠ્ઠા અને સાતમા આ ત્રણ સર્ગોમાં જ વર્તમાન છે. બાકીના સર્ગોમાં વિભિન્ન દેશનાઓ અને અવાન્તર કથાઓ છે. બીજથી પાંચમા સર્ગ સુધી યુગન્ધર મુનિની દેશનાઓ તથા આઠમા સર્ગથી તેરમા સુધી ચન્દ્રપ્રભ તીર્થંકરની દેશનાઓ છે. વિભિન્ન અવાજો કથાઓ અને ધર્મદશનાઓને કારણે મૂળ કથાનક અતિ શિથિલ બની ગયું જણાય ૧. જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૨. આત્મવલ્લભ ગ્રન્ય. સં. ૯, મુનિ ચરણવિજય દ્વારા સંપાદિત, અંબાલા, ૧૯૩૦; જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૧૯; હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, સં. ૭૮, ગ્રંથ સં. ૧૮૮૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન કાવ્યસાહિત્ય કથા અને ઉપકથાઓનાં અનેક પાત્રોનું ચરિત્રચિત્રણ કૃતિમાં થયું છે પરંતુ પ્રકૃતિવર્ણન અને કલાત્મક સૌન્દર્યચિત્રણ અલ્પ પ્રમાણમાં જ છે. આ કાવ્યમાં ધર્મોપદેશને વધુ પડતું સ્થાન આપવામાં આવ્યું છે. કૃતિની ભાષા સરળ તથા વૈદર્ભી રીતિથી યુક્ત છે. તેમાં પદે પદે અનુપ્રાસમંડિત પદવિન્યાસ મળે છે. કહેવતો, લોકોક્તિઓ અને સૂક્તિઓનો આ ચરિતની ભાષામાં અભાવ છે. તેમાં દેશી ભાષાના શબ્દોનો પ્રયોગ પણ નથી થયો તથા સમસ્ત પદાવલીનો પ્રયોગ પણ ઓછો થયો છે. સાદશ્યમૂલક અલંકારોમાં ઉત્વેક્ષા અને રૂપકનો પ્રયોગ અધિક થયો છે. આ કૃતિની રચના અનુષ્ટ્રમ્ છંદમાં થઈ છે પરંતુ સર્ગજો અન્ય છંદોનો પ્રયોગ થયો છે. કવિએ કૃતિનું પરિમાણ ૯૧૪૧ શ્લોકપ્રમાણ દર્શાવ્યું છે. : કવિ પરિચય અને રચનાકાળ- આ કાવ્યના અને પ્રશસ્તિ છે. તેમાં ગુરુપરંપરા આપી છે. તે અનુસાર સર્વાનન્દસૂરિ સુધર્માચરચ્છના હતા. સુધર્માગચ્છમાં જયસિંહ નામના એક પ્રસિદ્ધ વિદ્વાન થયા. તેમની પટ્ટપરંપરામાં ક્રમશઃ ચન્દ્રપ્રભસૂરિ, ધર્મઘોષસૂરિ અને શીલભદ્રસૂરિ થયા. શીલભદ્રસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિ થયા. આ ગુણરત્નસૂરિ પ્રસ્તુત કાવ્યના કર્તાના ગુરુ હતા. સર્વાનન્દસૂરિએ આ કાવ્યની રચના વિ.સં. ૧૩૦રમાં કરી હતી. તેમની બીજી કૃતિ પાર્શ્વનાથચરિત (સં. ૧૨૯૧) ઉપલબ્ધ છે. પાંચમી કૃતિ ભટ્ટારક શુભચન્દ્રત છે. તેમાં ૧૨ સર્ગો છે. તે ઉપલબ્ધ છે. અન્ય કવિઓએ રચેલાં ચંદ્રપ્રભચરિતકાવ્યોના ઉલ્લેખો મળે છે. તે કવિઓમાં પંડિતાચાર્ય (અજ્ઞાત સમય), આંચલિકગચ્છના એક સૂરિ, પં. શિવાભિરામ (૧૭મી સદી) તથા ધર્મચન્દશિષ્ય દામોદર (સં. ૧૭૨૭)નાં નામો જાણમાં આવ્યાં છે. દામોદરની કૃતિ જયપુરના પટોદી મંદિરમાં છે. - નવમા તીર્થંકર પુષ્પદન્ત વિષયક કોઈ એક સંસ્કૃત રચના જ્ઞાત છે. દસમા તીર્થંકર શીતલનાથ ઉપર એક કૃતિનો ઉલ્લેખ મળે છે.* ૧. પ્રશસ્તિ શ્લોક ૭– શ્રી સર્વાનન્દષુિનાનપીળાર્પશુપાંશુવર્ષે (૨૩૦૨). ૨. રાજસ્થાન કે સંત : વ્યક્તિ એવં કૃતિત્વ, પૃ. ૧૦0; જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૧૯ ૪. એજન, પૃ. ૩૮૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય શ્રેયાંસનાથચરિત અગીઆરમા તીર્થંકર ઉપર સંસ્કૃતમાં બે રચનાઓ મળે છે. તેમાં પ્રથમ છે માનતુંગસૂરિષ્કૃત'. આ કાવ્યમાં ૧૩ સર્ગ છે. તે ૫૧૨૪ શ્લોકપ્રમાણ છે. સર્ગોનાં નામ વર્જ્ય વિષયના આધારે છે. પ્રત્યેક સર્ગમાં એક જ છંદનો પ્રયોગ થયો છે, અને સર્ગાન્તે છંદ બદલાય છે. પ્રત્યેક સર્ગના અંતિમ પદ્યમાં તે સર્ગના કથાનકને પ્રસ્તુત કરવું એ શ્રેયાંસનાથચરિતની વિશેષતા છે. આમાં શ્રેયાંસનાથના કેવળ બે ભવોનું --નલિનીંગુલ્મ અને મહાશુક્રદેવનું - જ વર્ણન છે. કાવ્યમાં રત્નસાર, સત્યકિશ્રેષ્ઠી, શ્રીદત્ત, કમલા આદિ અનેક અવાન્તર કથાઓ છે. તે કથાઓમાં ભવાન્તરવર્ણનોની પ્રધાનતા છે. સ્થાને સ્થાને જૈનધર્મના સિદ્ધાંતો, ઉપદેશો અને સ્તોત્રોનું વર્ણન છે. કથાનકમાં અનેક અપ્રાકૃત અને અલૌકિક તત્ત્વોનો સમાવેશ છે. તેમ છતાં આ કાવ્યમાં કથાનકના પ્રવાહમાં ગતિ અને પ્રબન્ધાત્મકતા છે. કેટલીક અવાન્તર કથાઓ હોવા છતાં પણ શ્રેયાંસનાથચરિતના કથાનકમાં શૈથિલ્ય આવતું નથી. ee આ ચરિતનાં મુખ્ય પાત્રોમાં ભુવનભાનુ, નલિનીગુલ્મ અને શ્રેયાંસનાથ છે. નલિનીગુલ્મ અને ભુવનભાનુનાં ચરિત્રોમાં તો કંઈક વિકાસ થયો છે. શ્રેયાંસનાથના ચરિત્રમાં કોઈ સ્વતન્ત્ર વ્યક્તિત્વનું દર્શન થતું નથી. તેમનો જન્મ અને અન્ય મહોત્સવો અન્ય તીર્થંકરોની જેમ જ દર્શાવાયા છે. વિવિધ ઉપદેશોમાં તેમનું ઉપદેશકસ્વરૂપ દેખાય છે. કથાનકની પૃષ્ઠભૂમિ અને ઘટનાઓ તેમ જ ચરિત્રને અનુરૂપ વાતાવરણ નિર્માણ કરવા માટે પ્રકૃતિચિત્રણ કરવામાં આવ્યું છે. પાત્રોના રૂપવર્ણનમાં કવિએ વિશેષ રસ લીધો છે. જૈન ધર્મના અતિ પ્રચલિત નિયમોનું જ વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. કવિએ કઠિન દાર્શનિક સિદ્ધાન્તોના પ્રતિપાદન પ્રતિ પોતાની રુચિ દેખાડી નથી. સાહિત્યશાસ્ત્રમાન્ય વિવિધ રસોની યોજનામાં આ ચરિતના સર્જકને પર્યાપ્ત સફળતા મળી છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૦૦; જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિશેષ પરિચય ડૉ. શ્યા. શં. દીક્ષિતલિખિત ‘૧૩-૧૪મી શતાબ્દીનાં જૈન સંસ્કૃત મહાકાવ્ય'માં આપવામાં આવ્યો છે. ૨. એજન, સર્ગ ૧. ૩૬-૩૭; ૫. ૨૫-૨૬, ૨૮, ૨૯; ૧૦. ૩૪-૩૬, ૫૫-૫૬ ૩. એજન, સર્ગ ૭: ૧૭૬, ૧૭૭, ૧૭૯, ૧૮૩, ૨૫૦, ૨૫૫ ૪. એજન, સર્ગ ૧. ૨૧૬-૨૨૦, ૪૬૮-૭૦, ૨. ૨૩૩-૨૩૬; ૬. ૨૪૮-૨૫૧, ૨૫૩૨૫૪; ૧૦. ૮૭-૯૦, ૨૩૮-૨૪૦: Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આ ચિરતની ભાષા સરળ, સુંદર અને મધુર છે. સર્વત્ર પ્રસંગાનુરૂપ અને ભાવાનુકૂલ છે. કહેવતોનો પ્રયોગ ઓછો થયો છે. અલંકારોનો સમુચિત પ્રયોગ કરાયો છે. અનુપ્રાસ અને યમકના પ્રયોગથી ભાષા શ્રુતિમધુર અને પ્રવાહિત બની ગઈ છે. અર્થાલંકારોમાં સાદશ્યમૂલક ઉપમા, ઉત્પ્રેક્ષા અને રૂપકનો પ્રયોગ ઘણો થયો છે. તેમની સાથે અતિશયોક્તિ, દૃષ્ટાન્ત, પરિસંખ્યા, વ્યતિરેક, બ્રાન્તિમાન્ વગેરે અલંકારોનો સુંદર પ્રયોગ અહીં-તહીં મળે છે. સમસ્ત શ્રેયાંસનાથચરિત અનુષ્ટુપ્ છંદમાં નિબદ્ધ છે, કેવલ પ્રત્યેક સર્ગના અંતિમ બે પદ્ય અન્ય છંદોમાં છે. આમ આ ચિરતમાં અનુષ્ટુપ્, ઉપજાતિ, લક્ષ્મી, વસંતતિલકા, આર્યા, સ્વાગતા તથા શાર્દૂલવિક્રીડિત આ સાત છંદોનો પ્રયોગ થયો H કવિપરિચય અને રચનાકાલ આ ચરિતના અંતે કવિએ પ્રશસ્તિ આપી છે. તેના અનુસાર ગ્રન્થકાર માનતુંગસૂરિ કોટિકગણની વૈરિશાખાગત ચન્દ્રગચ્છ સાથે સંબંધ ધરાવતા હતા. ચન્દ્રગચ્છમાં શીલચન્દ્ર આચાર્યને પાંચ શિષ્યો હતા - ચન્દ્રસૂરિ, ભરતેશ્વરસૂરિ, ધનેશસૂરિ, સર્વદેવસૂરિ અને ધર્મઘોષસૂરિ. તેમાંથી ધર્મઘોષસૂરિ ગચ્છાધિપતિ થયા. સર્વદેવસૂરિની શિષ્યપરંપરામાં ક્રમશઃ ચન્દ્રપ્રભસૂરિ, જિનેશ્વરસૂરિ, રત્નપ્રભસૂરિ થયા. આ રત્નપ્રભસૂરિના શિષ્ય માનતુંગસૂરિ પ્રસ્તુત કાવ્યના સર્જક છે. આ કાવ્યની રચના વિ.સં. ૧૩૩૨માં થઈ છે. આ કાવ્યનો આધાર દેવભદ્રાચાર્યવિરચિત પ્રાકૃત શ્રેયાંસનાથરિત છે. આ વાત કવિએ પોતે જ પ્રથમ સર્ગના ૧૩મા અને ૧૮મા પદ્યમાં સૂચવી છે. આ કાવ્યનું સંશોધન પ્રસિદ્ધ સંશોધક પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે. જૈન કાવ્યસાહિત્ય ― શ્રેયાંસનાથ ઉપર બીજી રચના ભટ્ટારક સુરેન્દ્રકીર્તિ (સં. ૧૭૨૨-૨૩)ની હોવાનો ઉલ્લેખ મળે છે. ૧. એજન, સર્ગ ૧. ૧૭૦, ૨૫૧, ૪૨૭, ૪૨૮; ૨. ૩૨૯-૩૩૦; ૭. ૬૧ ૨..એજન, પ્રશસ્તિ, શ્લોક ૧૨. ૩. પુંડરીકચરિત, સર્ગ ૧૩. ૧૪૪-૧૪૫ ૪. જિનરત્નકોશ, પૃ. ૪૦૦ Page #123 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય વાસુપૂજ્યચરિત બારમા તીર્થંકર ઉપ૨ સંસ્કૃતમાં કેવળ એક જ કાવ્યરચના મળે છે. તેનું વિવેચન નીચે આપ્યું છે. ૧ આ કાવ્યમાં વાસુપૂજ્યના ચરિતનું વર્ણન છે. જો કે આ કૃતિ ચાર જ સર્ગમાં વિભક્ત છે છતાં તેનું પરિમાણ સાડા પાંચ હજાર શ્લોકપ્રમાણ છે. આ કાવ્યના કથાનકનો આધાર પ્રાચીન જૈન પુરાણગ્રન્થો છે. આ કાવ્ય આહ્લાદનાંકિત છે. સર્ગોનાં નામ વર્જ્ય વિષયના આધારે રાખવામાં આવ્યાં છે. કૃતિમાં વાસુપૂજ્યના પૂર્વભવોનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. સમસ્ત કથાનકમાં સ્તોત્રો અને ધર્મોપદેશ વ્યાપ્ત છે. તેમાં તે સમયે રચાયેલાં કાવ્યોની અપેક્ષાએ વધારે અવાન્તરકથાઓ આપવામાં આવી છે. પુણ્યાઢવ, હંસકેશવ, ૨તિસાર, વિદ્યાપતિ, સનત્કુમાર, શૃંગારસુંદરી, સંવર, ચન્દ્રોદર, સૂરચન્દ્ર, વિક્રમ, હંસ, લક્ષ્મીકુંજ, નાગિલ, સિંહ, ધર્મ, સુરસેન-મહાસેન, કેશરી, સુમિત્ર, મિત્રાનન્દ અને સુમિત્રા આ ઓગણીસ અવાન્તરકથાઓની યોજના આ કાવ્યમાં કરવામાં આવી છે. આ કથાઓમાં પણ ઉપકથાઓ છે. કથાઓમાં અનેક ચમત્કારી તત્ત્વો દાખલ કરવામાં આવ્યાં છે. ૧૦૧ ચરિત્રચિત્રણની દૃષ્ટિએ કાવ્યમાં તીર્થંકર વાસુપૂજયના ચરિત્રનો પૂર્ણ વિકાસ દર્શાવાયો છે. બાકીનાં પાત્રો - વિમલબોધિ, વજ્રનાભ, જયા વગેરે થોડા સમય માટે જ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. કવિનાં પ્રકૃતિવર્ણનો અને સૌન્દર્યવર્ણનો પ્રાયઃ ધાર્મિકતાથી ઓતપ્રોત છે અને જે છે તે ઓછાં જ છે. ધાર્મિક અને દાર્શનિક તત્ત્વોની ચર્ચા અહીં-તહીં ખૂબ કરવામાં આવી છે. કાવ્યના અન્તિમ બે સર્ગોમાં સામાજિક રીત-રિવાજો, પરંપરાઓ અને શ્રદ્ધાઓનું સુંદર ચિત્રણ થયું છે. વાસુપૂજ્યના જન્મથી માંડી દીક્ષાના અવસર સુધી લૌકિક રીત-રિવાજોના ઉલ્લેખો આવે છે. આ ચરિતની સંસ્કૃત ભાષા સરસ અને સરળ છે. તેના અનુષ્ટુપ્ છંદોમાં મધુરતા અને લાલિત્ય ભરપૂર છે. ક્યાંક ક્યાંક ૮-૧૦ શ્લોકોનાં કુલકોમાં લાંબા લાંબા સમાસોથી યુક્ત પદાવલીઓનો પ્રયોગ થયો છે. પરંતુ કવિએ પ્રાયઃ અસમસ્ત શૈલીનો જ પ્રયોગ કર્યો છે. આ ચિરતની ભાષામાં આલંકારિકતા સર્વત્ર ૧. જૈનધર્મપ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૬૬; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૮૩૦; જિનરત્નકોશ, પૃ. ૩૪૮ ૨. એજન, ૩. ૩૫૦-૪૦૦, ૫૪૦-૫૯૬ ૩. એજન, ૨. ૯૯૧; ૩. ૪૦૬-૪૦૯. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન કાવ્યસાહિત્ય વિદ્યમાન છે. અનુપ્રાસ અને યમક જેવા અલંકારોનો પ્રયાગ બહુ જ થયો છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉપ્રેક્ષા, દષ્ટાન્ન અને અર્થાન્તરન્યાસ વગેરે સાદશ્યમૂલક અલંકારોની યોજના પણ અહીં-તહીં થઈ છે. આ રીતે વિવિધ અલંકારોનો પ્રયોગ કરી કવિએ પોતાના કાવ્યના કલાપક્ષને સમૃદ્ધ કર્યો છે. પ્રસ્તુત કાવ્યમાં અનુષ્ટ્રમ્ અને વસંતતિલકા કેવળ આ બે છંદોનો જ પ્રયોગ થયો છે. આખા સર્ગોમાં અનુષ્ટ્રમ્ છંદનો પ્રયોગ છે અને બધા સર્ગોને અંતે અંતિમ બે પદ્યોમાં વસંતતિલકાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ચરિતનું પરિમાણ ૫૪૯૪ શ્લોકપ્રમાણ છે. આ વાત કવિએ પોતે જ પ્રશસ્તિમાં કહી છે. કવિ પરિચય અને રચનાકાળ – કાવ્યના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાં કવિની ગુરુપરંપરાનો પરિચય છે. તે મુજબ, ગ્રન્થકર્તા વર્ધમાનસૂરિ નાગેન્દ્રગથ્વીય હતા. નાગેન્દ્રગચ્છમાં વીરસૂરિના શિષ્ય પરમારવંશીય વર્ધમાનસૂરિ થયા. તેમના પટ્ટધર ક્રમશઃ શ્રીરામસૂરિ, ચન્દ્રદેવસૂરિ, અભયદેવસૂરિ, ધનેશ્વરસૂરિ અને વિજયસિંહસૂરિ થયા. વિજયસિંહસૂરિના શિષ્ય જ પ્રસ્તુત કાવ્યના સર્જક વર્ધમાનસૂરિ છે. તેમણે અણહિલપુરમાં આ કાવ્યનું સર્જન સં. ૧૨૯૯માં કર્યું હતું. વિમલનાથચરિત તેરમા તીર્થંકર વિમલનાથ ઉપર સંસ્કૃતમાં ચાર રચનાઓ મળે છે. તેમાં પહેલી છે પાંચ સર્ગોમાં રચાયેલું સુંદર ગદ્ય ચરિતકાવ્ય. તેનું નામ તો વિમલનાથચરિત છે પરંતુ તેના પ્રથમ ત્રણ સર્ગોનાં નામ ક્રમશઃ દાનધર્માધિકાર, શીલ-તપાધિકાર અને ભાવાધિકાર છે, બાકીના બે સર્ગોમાં તીર્થંકર વિમલનાથનાં ગર્ભ, જન્મ, તપ, કેવળજ્ઞાન, દેશના વગેરેનું વર્ણન છે. પહેલા દાનધર્માધિકારમાં વિમલનાથના પૂર્વભવના જીવ રાજા પધસેનના વર્ણનના પ્રસંગે ધર્મની શ્રેષ્ઠતા ઉપર સુબુદ્ધિની કથા, કદાગ્રહ ઉપર કુલપુત્રની કથા, દાનધર્મ ઉપર રત્નચૂડની કથા (આમાં બાલક ૧. એજન, સર્ગ ૧.૧, ૪૪; ૨. ૭૬૨, ૭૬૩, ૨૦૦૬; ૩. ૯, ૨૦, ૪૩૩, ૪૩૪, ૬૫૬ ૨. એજન, પ્રશસ્તિ, શ્લોક ૨૮-૩૧ 3. ततोऽसौ निधिनिध्यर्कसंख्ये (१२९९) विक्रमवत्सरे। आचार्यश्चरितं चके वासुपूज्यविभोरिदम् ।। ૪. હીરાલાલ હંસરાજ, જામગનર, સન્ ૧૯૧૦; આ કૃતિનો ગુજરાતી અનુવાદ જૈન આત્માનન્દ સભા, ભાવનગરથી સં. ૧૯૮૫માં પ્રકાશિત થયો છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૦૩ રોહકની અવાન્તર કથા), અતિ લોભ ઉપર સોમશર્માની કથા, તથા વાણીથી જીતનારી શેઠાણીની કથા આપવામાં આવી છે. બીજા શીલતપધર્માધિકારમાં શીલના માહાભ્ય ઉપર શીલવતીની કથા, તપ-ધર્મ ઉપર નિર્ભાગ્યની કથા, જિનપૂજા ઉપર દેવપાલની કથા, ગુરુભક્તિ ઉપર શ્રેષ્ઠિપુત્ર મુગ્ધની કથા, ધર્મભક્તિ ઉપર અમરસિંહ અને પૂર્ણકલશની કથા, તથા પ્રમાદ ઉપર વિષ્ણુશર્માની કથા આપવામાં આવી છે. ત્રીજા ભાવાધિકારમાં ભાવધર્મના ઉપર ચન્દ્રોદરની કથા તથા વિલમનાથના પૂર્વભવના જીવ પધસેન રાજાએ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કર્યું હતું તેનું વર્ણન છે; આ પ્રસંગે પાંચ સમિતિ અને ત્રણ ગુમિમાંથી પ્રત્યેકનું માહાભ્ય એક એક કથા દ્વારા સમજાવ્યું છે. ત્યાર પછી પાસેન રાજાએ વીસ સ્થાનકની આરાધના કરી તીર્થંકર પ્રકૃતિ બાંધી અને અવસાન પામી સહમ્રાર લોકમાં ગયા. ચોથા સર્ગમાં સહસ્ત્રાર સ્વર્ગથી શ્રુત થઈ વિમલનાથના ગર્ભમાં આવ્યા તેનું વર્ણન, તથા વિમલનાથનાં જન્મમહોત્સવ, વ્રતગ્રહણ, કેવળજ્ઞાનનું વર્ણન છે. વચમાં વરુણશેઠના ચાર પુત્રોની કથા અને લોભાકર લોભાનન્દીની કથાઓ આવે છે. પાંચમા સર્ગમાં શ્રાવકધર્મના ઉપદેશમાં ૧૨ વ્રતો ઉપર ક્રમશઃ નૃપશેખર, વિમલકમલ, સુરદત-કમલસેન, ચન્દ્રસુરેન્દ્રદત્ત, દેવદત્ત-જયદત્ત, રૌહિણેય અને તેના પિતા, સ્વર્ણશેખર-મહેન્દ્ર, વીરસેનપદ્માવતી, વાનર-અરુણદેવ, કાકજંઘ, મલયકેતુ, શાન્તિમતી-પપ્રલોચનાની કથાઓ તથા સમ્યક્ત ઉપર કુલધ્વજની કથા આપી છે. પછી ગણધરની ધર્મદેશના આવે છે અને વિમલનાથના નિર્વાણગમનનું વર્ણન આવે છે. ગ્રન્થકાર અને રચનાકાળ – ગ્રન્થના અંતે પ્રશસ્તિ છે. તેમાંથી જ્ઞાત થાય છે કે સ્તંભતીર્થ (ખંભાત)માં બહત્તપાગચ્છના રત્નસિંહના શિષ્ય જ્ઞાનસાગરે સંવત ૧૫૧૭માં શ્રાવણ વદ પાંચમના દિવસે શાણરાજ શેઠની વિનંતીથી આ કૃતિ રચી. શાણરાજ શેઠે રત્નસિંહસૂરિના ઉપદેશથી ગિરનાર પર્વત ઉપર વિમલનાથનું મંદિર બનાવ્યું હતું અને સંભવ છે કે વિમલનાથનું ચરિત લખવા માટે શેઠે તેમને વિનંતી પણ કરી હશે. જ્ઞાનસાગરની બીજી રચના શાન્તિનાથચરિત મળે છે. અન્ય રચનાઓમાં બ્રહ્મચારી કૃષ્ણજિષ્ણુ યા કૃષ્ણદાસનું વિમલપુરાણ મળે છે. તેને ૧૦ સર્ગો અને કુલ ૨૩૬૪ શ્લોકો છે. કર્તાએ પોતાને ભટ્ટારક શ્રી રત્નભૂષણના આમ્નાયના અને ઉભયભાષાચક્રવર્તી કહ્યા છે. તેમણે પોતાના ૧. મૂળ અને પં. ગાધરલાલકૃત અનુવાદ – જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા, સં. ૧૯૮૧; શ્રીલાલ શાસ્ત્રીકૃત અનુવાદ – ભા. જૈ. સિ. પ્ર. કલકત્તા તથા જૈન ગ્રન્થ રત્નાકર કાર્યાલય, કલકત્તા. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જેન કાવ્યસાહિત્ય પિતાનું નામ હર્ષદવ અને માતાનું નામ વીરિકા આપ્યું છે. આ કૃતિની રચના તેમણે પોતાના અનુજ બ્ર. મંગલદાસની સહાયતાથી કરી હતી. આ પ્રસાદપૂર્ણ અને ચિત્તાકર્ષક રચના છે. અન્ય બે રચનાઓ વિમલનાથ ઉપર મળે છે - એક રચના સં. ૧૭૫૮માં ઈન્દ્રરંસગણિએ રચેલી છે, બીજી રત્નદિગણિએ રચેલી છે અને કેટલીક અજ્ઞાતકર્તક રચનાઓ પણ મળે છે. ચૌદમા તીર્થંકર ઉપર વાસવસેનકત અનન્તનાથપુરાણ નામની રચનાનો ઉલ્લેખમાત્ર મળે છે.૨ પંદરમા તીર્થંકર ધર્મનાથ ઉપર કેટલીક સાધારણ કક્ષાની અને કેટલીક મહત્ત્વપૂર્ણ રચનાઓ મળે છે. સં. ૧૨૧૬માં નેમિચન્દ્ર રચેલું ધર્મનાથચરિત મળે છે. સંભવતઃ આ નેમિચન્દ્ર તે જ છે જેમણે સં. ૧૨૧૩માં પ્રાકૃતમાં અનન્તનાથચરિતની રચના કરી હતી. બીજી રચના મહાકવિ હરિશ્ચન્દ્રકૃત ધર્મશર્માલ્યુદય મહાકાવ્ય છે. આનું વર્ણન અમે શાસ્ત્રીય મહાકાવ્યોના પ્રસંગમાં કરીશું. ત્રીજી રચના ભટ્ટારક સકલકીર્તિ (૧પમી સદી)ની છે. સોળમા તીર્થંકર શાન્તિનાથ, તીર્થંકર ઉપરાંત પાંચમા ચક્રવર્તી તથા કામદેવોમાંથી એક કામદેવ પણ હતા. તેમનું ચરિત જૈન લેખકોને ઘણું રોચક લાગ્યું, તેથી તેના ઉપર અનેક કાવ્યો સંસ્કૃતમાં લખાયાં છે. અહીં તેમનો પરિચય આપીએ છીએ. શાન્તિનાથપુરાણ આ ચરિતમાં ૧૬ સર્ગ છે અને કુલ ૨૫૦૦ પદ્ય છે. તેની રચના શક સં. ૯૧૦ આસપાસ થઈ છે. કર્તા અસગ કવિ છે. આ કવિનાં જ ચન્દ્રપ્રભચરિત અને મહાવીરચરિત પણ મળે છે. પ્રસ્તુત કાવ્યના સાતમા સર્ગમાં નાસિક્યનગરની બહાર આવેલા ગજધ્વજ શૈલનો ઉલ્લેખ છે. તેને ગજપંથ તીર્થની આસપાસના ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવેલ છે. આ ઉક્ત તીર્થની પ્રાચીનતા દર્શાવે છે.* કવિ અસગની એક અન્ય કૃતિ લઘુશાન્તિપુરાણ પણ મળે છે. તેમાં ૧૨ સર્ગ છે. એવું લાગે છે કે કવિના ૧૬ સર્ગવાળા શાન્તિપુરાણનું આ લઘુ રૂપ છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૫૮ ૨. એજન, પૃ. ૭ ૩. એજન, પૃ. ૧૮૯ ૪. સર્ગ ૭. ૯૮; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૩૨ ૫. જિનરત્નકોશ, પૃ. ૩૩૬ Page #127 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૦૫ ૧. શાન્તિનાથચરિત મમ્મટકત કાવ્યપ્રકાશના ટીકાકાર માણિક્યચન્દ્રસૂરિની આ બીજી રચના છે. તેની એક તાડપત્રીય પ્રતિ મળે છે. તેમાં આઠ સર્ગ છે. તેનું પરિમાણ ૫૫૭૪ શ્લોકપ્રમાણ છે. તેનો નિર્દેશ કવિએ પોતે કર્યો છે. તેનો આધાર હરિભદ્રસૂરિકૃત સમરાઈઐકહા મનાય છે. તેમાં એમ તો મહાકાવ્યનાં પ્રાયઃ બધાં બાહ્યલક્ષણો છે પરંતુ ભાષાશૈથિલ્ય, સર્વાગીણ જીવનનું ચિત્ર ઉપસ્થિત કરવાની અક્ષમતા અને માર્મિક સ્થાનોની અત્યલ્પતા તેને મહાકાવ્ય માનતા રોકે છે. સર્ગોનાં નામ વર્ણિત ઘટનાઓના આધારે રાખવામાં આવ્યાં છે. તેમાં પદે પદે જૈનધર્મસંબંધી ઉપદેશ છે. સાતમો સર્ગ તો જૈનધર્મના સિદ્ધાન્તોથી પૂરો ભરેલો છે. કાવ્યમાં વૈરાગ્યમૂલક શાન્તરસ પ્રધાન છે. તેનું કથાનક શિથિલ છે પરંતુ તેમાં પ્રબન્ધરૂઢિઓનું પાલન થયું છે. મંગલાચરણ પરમબ્રહ્મની સ્તુતિથી શરૂ થાય છે. ચરિતમાં અવાન્તર કથાઓની ભરમાર છે. છઠ્ઠા, સાતમા અને આઠમા સર્ગમાં વિવિધ આખ્યાનો દાખલ કરવામાં આવ્યાં છે. કેટલાંક સ્થાને સ્વમતપ્રશંસા અને પરમતખંડન આવે છે. કાવ્યમાં સ્તોત્રો અને માહાલ્યવર્ણનોની પ્રચુરતા દેખાય છે. છઠ્ઠા અને આઠમા સર્ગમાં શાન્તિનાથનાં સ્તોત્રો તથા કેટલાંય તીર્થોનાં માહાભ્યોનું વર્ણન છે. આ શાન્તિનાથનું કથાનક બરાબર તે જ છે જે મુનિભદ્રસૂરિકૃત શાન્તિનાથ મહાકાવ્યનું છે, પરંતુ પ્રસ્તુત કાવ્યમાં કથાનકનું વિભાજન નવીન રીતે કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ સર્ગમાં શાન્તિનાથના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ભવનું વર્ણન છે,. બીજા સર્ગમાં ચોથા અને પાંચમા ભવનું, ત્રીજા સર્ગમાં છઠ્ઠા અને સાતમા ભવનું, ચોથા સર્ગમાં આઠમા અને નવમા ભવનું અને પાંચમાસર્ગમાં દસમા અને અગીઆરમા ભવનું વર્ણન છે. છઠ્ઠા સર્ગમાં શાન્તિનાથનાં જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા, કેવલજ્ઞાનોત્પત્તિ અને દેશનાનું વર્ણન છે. સાતમા સર્ગમાં દેશના અન્તર્ગત દ્વાદશ ભાવના તથા શીલના મહિમાનું વર્ણન છે અને છેલ્લા આઠમા સર્ગમાં શાન્તિનાથના નિર્વાણનું વર્ણન છે. કથાનકવિભાજનની દૃષ્ટિએ જ નહિ પરંતુ નવીન અવાન્તર ૧. જિનરત્નકોશ, પૃ. ૩૮૦; હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પ્રતિ ૪૬,૮૬૫ ૨. તુ સતસંયુછે પંરપરાશતા ફતો (?) I પ્રત્યક્ષર/ના પ્રસ્થાને મરિદ II અભ્યાઇ પવઝ | પ્રશસ્તિ, શ્લોક ૨૦. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જેન કાવ્યસાહિત્ય કથાઓની યોજનામાં પણ માણિજ્યચન્દ્રસૂરિએ પોતાની મૌલિકતા દર્શાવી છે. આ કાવ્યમાં કેવળ ચાર જ પાત્રોનું ચરિત્રચિત્રણ કરવાનો કવિએ પ્રયાસ કર્યો છે. બાકીનાં પાત્રોનું ચરિત્ર પરંપરાસમ્મત છે, તેનો વિકાસ નથી થયો. કાવ્યની ભાષા સરળ અને પ્રસાદગુણયુક્ત છે. તેમાં અધિકતરનાનાસમાસોવાળી કે સમાસરહિત પદાવલીનો પ્રયોગ થયો છે. શબ્દાલંકારમાં યમક અને અનુપ્રાસના પ્રયોગથી ભાષામાં પ્રવાહિતા અને માધુર્ય આવ્યું છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉàક્ષા, રૂપક અને વિરોધાભાસ આદિ અલંકારોની સુંદર યોજના કરવામાં આવી છે. કાવ્યમાં પ્રાય: અનુષ્ટ્રમ્ છંદનો પ્રયોગ થયો છે પરંતુ પ્રત્યેક સર્ગના અંતે છંદ બદલાય છે અને માલિની, વસન્તતિલકા, શાર્દૂલવિક્રીડિત આદિ કેટલાક છંદો પ્રયુક્ત થયા છે. કવિ પરિચય અને રચનાકાલ – કાવ્યના અંતે પ્રશસ્તિ છે. તેમાં ગુરુપરંપરાનું જે વર્ણન મળે છે તે કવિકૃત પૂર્વરચના પાર્શ્વનાથચરિતની પ્રશસ્તિના વિવરણ સાથે પૂરેપૂર મેળ ખાય છે. તે ઉપરથી એ નિર્વિવાદ છે કે આ કૃતિના સર્જકમાણિજ્યચન્દ્રસૂરિ છે. આ કાવ્યની સમાપ્તિ કસામ્બિતિનગરમાં દીપાવલીના દિવસે સોમવારે થઈ હતી, કવિ પોતે જ પ્રશસ્તિમાં કહે છે : दीपोत्सवे शशिदेने श्रीमन्माणिक्यसूरिभिः । कसामिवत्यां महापुर्यां श्रीग्रन्थोऽयं समर्थितः ॥ પરંતુ આનાથી આ કૃતિનો રચનાસંવત જ્ઞાત થતો નથી. માણિક્યચન્દ્રની અન્ય કૃતિ પાર્શ્વનાથચરિતનો રચનાકાલ તેની પ્રશસ્તિમાં વિ.સં. ૧૨૭૬ આપવામાં આવ્યો છે. સં. ૧૨૭૬માં જ વસ્તુપાલને મંત્રીપદ મળ્યું હતું અને જિનભદ્રકૃત પ્રબન્ધાવલીમાં વસ્તુપાલ અને માણિક્યચન્દ્રની વચ્ચેના સારા સંપર્કોનું વિવરણ આપવામાં આવ્યું છે. તેથી તેમનું વિ.સં. ૧૨૭૬ પછી જીવિત હોવું સનિશ્ચિત છે. માણિક્યચન્દ્રની એક અન્ય કૃતિ કાવ્યપ્રકાશ સંકેતટીકા છે, તેની પ્રશસ્તિ ઉપરથી આ ટીકાની રચના સં. ૧૨૪૬ અથવા સં. ૧૨૬૬માં થઈ હોવાનું સ્પષ્ટ સૂચવાય છે, તેથી સંભવ છે કે પ્રસ્તુત કૃતિ સંકેતટીકા અને પાર્શ્વનાથચરિતની વચ્ચે કે કેટલાક સમય પછી અવશ્ય રચાઈ હોવી જોઈએ. સામાન્યતઃ આ શાન્તિનાથચરિતની રચના વિક્રમની તેરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ એમ માનવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. અનુમાન કરવામાં આવે છે કે કવિની વૃદ્ધાવસ્થામાં રચાયેલી આ કૃતિ હોવી જોઈએ કારણ કે કવિ કૃતિમાં પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવામાં ઉદાસીન છે જ્યારે કાવ્યપ્રકાશસંકેતમાં તેમના પ્રૌઢ પાંડિત્યનું અને તેમની અસામાન્યબુદ્ધિનું દર્શન થાય છે. કવિએ આ કાવ્યની રચના ધર્મભાવનાથી પ્રેરાઈને Page #129 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૦૭ વાતા: સુવાય કરી છે.' કવિનો વિશેષ પરિચય તેમની અન્ય કૃતિ પાર્શ્વનાથચરિતના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. ૨. શાન્તિનાથ ચરિત આ કૃતિ ૬ સર્ગાત્મક છે. તેમાં ૫૦૦૦ શ્લોક છે. તેના કર્તા પૌમિકગચ્છીય અજિતપ્રભસૂરિ છે. તે વીરપ્રભસૂરિના શિષ્ય છે. તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે : પર્ણમિકગચ્છમાં ચન્દ્રસૂરિ, તેમના શિષ્ય દેવસૂરિ, તેમના શિષ્ય તિલકપ્રભ અને તેમના શિષ્ય વીરપ્રભ થયા. આ કૃતિની રચના સં. ૧૩૦૭માં થઈ છે. અજિતપ્રભસૂરિની એક અન્ય કૃતિ ભાવનાસાર પણ મળે છે. આ કૃતિ શાન્તિનાથચરિત પહેલાં તેમણે રચી હતી.' ૩. શાનિાનાથ ચરિત આ સાત સર્ગોનું કાવ્ય છે. તે ૪૮૫૫ શ્લોકપ્રમાણ છે. આ કાવ્યના કથાનકનો આધાર પ્રાચીન ચરિત ગ્રન્થ છે. સર્ગોનાં નામ વર્ણનીય કથાંશ પર આધારિત છે. એક સર્ગમાં એક જ છંદનો પ્રયોગ કરાયો છે પરંતુ સર્ગાત્તે વિભિન્ન છંદો દ્વારા કથાપરિવર્તનનો કંઈક સંકેત કરાયો છે. કાવ્યમાં શાન્તિનાથ, વજાયુધ, અશનિઘોષ, સુતારા આદિના ભવાન્સરોનું વર્ણન કરવામાં આવ્યું છે. અન્ય પુરાણોની જેમ આમાં પણ અલૌકિક અને અતિપ્રાકૃતિક ઘટનાઓની ભરમાર છે. મંગલકુંભ ધનદ, અમરદત્ત નૃપ વગેરે અનેક અવાન્તર કથાઓની યોજનાને કારણે કથાપ્રવાહમાં શિથિલતા આવી ગઈ છે. ૧. શાન્તિનાથચરિત, સર્ગ ૧, શ્લોક ૩૩-૩૪: प्रक्रान्तोऽयमुपक्रमः खलु मया कि तयगर्यक्रमः । स्वस्यानुस्मृतये जडोपकृतये चेतो विनोदाय च ॥ ૨. જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૭૩; જિનરત્નકોશ, પૃ. ૩૭૯; બિલ્ફિયો. ઈન્ડિકા. તેનો ગુજરાતી અનુવાદ પણ મળે છે, તે જૈન આત્માનંદ સભા, ભાવનગરથી સં. ૨૦૦૩માં પ્રકાશિત થયો છે. ૩. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૧૦ ૪. હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, હસ્ત. ક. ૪૨૯ તથા ૬૮૪૦. આ કૃતિનો પરિચય ડૉ. શ્યામશંકર દીક્ષિતે પોતાના શોધપ્રબંધ “તેરમી-ચૌદમી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય'ના અપ્રકાશિત અંશમાં વિસ્તારથી આપ્યો છે, તે જોવો જોઈએ. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન કાવ્યસાહિત્ય પ્રસ્તુત કાવ્ય મુનિભદ્રસૂરિકૃત શાન્તિનાથચરિત મહાકાવ્યની પહેલાં રચાયું છે. બંનેમાં કથાનક અને અવાન્તર કથાઓની બાબતે પૂર્ણ સામ્ય છે. કથાઓનો ક્રમ પણ બંનેમાં એક સરખો છે. તેથી મુનિભદ્રસૂરિની કૃતિનો આધાર પ્રસ્તુત કાવ્ય જ છે. પરંતુ મૂલ કથાના વિભાજનમાં બન્ને મૌલિક છે. મુનિભદ્રસૂરિએ કથાને ૧૯ સર્ગોમાં વિભાજિત કરી છે જ્યારે પ્રસ્તુત કાવ્યમાં કથાનકનું વિભાજન ૭ સર્ગોમાં જ થયું છે. તેના પ્રથમ સર્ગમાં શાન્તિનાથના પ્રારંભના ત્રણ ભવોનું, બીજામાં ચોથા અને પાંચમા ભવનું, ત્રીજામાં છઠ્ઠા અને સાતમા ભવનું, ચોથામાં આઠમા અને નવમા ભવનું, અને પાંચમામાં દસમા અને અગીઆરમા ભવનું વર્ણન છે. છઠ્ઠા સર્ગમાં શાન્તિનાથના જન્મથી માંડી દીક્ષા સુધીનું વર્ણન છે તથા સાતમા સર્ગમાં તેમના મોક્ષગમનનું વર્ણન છે. વિભિન્ન અવાન્તર કથાઓને કારણે કથાપ્રવાહમાં શિથિલતા આવી ગઈ છે. તેમાં શાન્તિનાથ, તેમના પુત્રો ચક્રાયુધ અને અશનિઘોષ અને સુતારા આ ચાર પાત્રો જ મુખ્ય છે. પ્રકૃતિચિત્રણ અને સૌન્દર્યચિત્રણ, કાવ્ય ધાર્મિકતાથી અનુપ્રાણિત હોવાને કારણે, વ્યાપકરૂપે સ્થાન પામી શક્યાં નથી. જૈનધર્મના સિદ્ધાન્તો અને નિયમોનું વિવેચન અનેક સ્થાને થયું છે. આ કાવ્યની ભાષા સરળ અને પ્રસાદગુણપ્રધાન છે અને ભાવ વ્યક્ત કરવામાં સક્ષમ છે. અલંકારોની યોજના કરવામાં કવિનો વિશેષ આગ્રહ જણાતો નથી, તો પણ કેટલાક અલંકારો તો ભાષાપ્રવાહમાં આવી ગયા છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ અને યમકનો પ્રયોગ અધિક થયો છે અને અર્થાલંકારમાં ઉપમા, ઉન્મેલા અને રૂપકનો. કાવ્યમાં અનુષ્ટભુ છંદનો પ્રયોગ થયો છે અને સર્વાન્ત છંદપરિવર્તન થયું છે જેમાં શાર્દૂલવિક્રીડિત, આર્યા, શિખરિણી, વસંતતિલકા તથા ઉપજાતિ છંદોનો પ્રયોગ થયો છે. કવિએ આ કાવ્યનું પરિમાણ ૪૮૫૫ શ્લોકપ્રમાણ કહ્યું છે.' કર્તા અને રચનાકાલ – કાવ્યાત્તે પ્રશસ્તિ આપીને કવિએ પોતાનો પરિચય આપ્યો છે. તેમાંથી જ્ઞાત થાય છે કે મુનિદેવસૂરિ બૃહદ્રગચ્છીય હતા. તેમણે ગુરુપરંપરા પણ આપી છે. તે મુજબ, આ ગચ્છમાં મુનિચન્દ્ર નામના વિદ્વાન સૂરિ ૧. એજન, પ્રશસ્તિ, શ્લોક ૧૮: प्रत्यक्षरं च संख्यानात् पंचपंचाशताधिका । अस्मिन्ननुष्टुभामष्टचत्वारिंशच्छतीत्येव ॥ Page #131 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૦૯ થયા. તેમની પટ્ટપરંપરામાં ક્રમશઃ દેવસૂરિ, ભદ્રેશ્વરસૂરિ, અભયદેવસૂરિ, મદનચન્દ્રસૂરિ થયા. પ્રસ્તુત કૃતિના કર્તા મુનિદેવસૂરિ મદનચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમણે આ કૃતિની રચના સં. ૧૩૨૨માં કરી હતી. આ કાવ્યના સંશોધક શ્રી પ્રદ્યુમ્નસૂરિ હતા. પ્રસ્તુત શાન્તિનાથચરિતનો આધાર હેમચન્દ્રાચાર્યના ગુરુ દેવચન્દ્રસૂરિ કૃત પ્રાકૃતમાં રચિત બૃહત્ શાન્તિનાથચરિત છે. સંભવતઃ તે કારણે મુનિદેવસૂરિએ પ્રત્યેક સર્ગના અને દેવચન્દ્રસૂરિની સ્તુતિ કરી છે. મુનિદેવસૂરિના ઉક્ત ચરિતને આધાર બનાવીને શાસ્ત્રીય મહાકાવ્યની શૈલીમાં ૧૯ સર્ગોવાળા શાન્તિનાથચરિતની રચના બૃહદ્ગચ્છીય મુનિભદ્રસૂરિએ સં. ૧૯૧૦માં કરી હતી, જેનું વિવરણ શાસ્ત્રીય મહાકાવ્યોના પ્રસંગમાં પ્રસ્તુત કરવામાં આવશે. ૪. શાત્તિનાથચરિત આમાં સોળમા તીર્થંકર શાન્તિનાથનું ચરિત્રવર્ણન છે. તે તીર્થકર ઉપરાંત ચક્રવર્તી અને કામદેવ પણ હતા. તેમની આ બધી વિશેષતાઓનું આ કાવ્યમાં નિરૂપણ છે. કાવ્ય સોળ અધિકારોમાં વિભક્ત છે. તેનો ગ્રન્થાઝ ૪૩૭૫ શ્લોકપ્રમાણ છે. તેની ભાષા આલંકારિક તથા તેનાં વર્ણનો રોચક અને પ્રભાવક છે. પ્રારંભમાં શૃંગાર રસને બદલે શાન્ત રસ તરફ પ્રવૃત્ત થવા બાબતે કવિએ સારો પ્રકાશ ફેંક્યો છે. આના કર્તા ભટ્ટારક સકલકીર્તિ છે, તેમનો પરિચય આપી દીધો છે. ૫. શાન્તિનાથચરિત - આ કૃતિને સરળ સંસ્કૃત ગદ્યમાં સં. ૧૫૩૫માં ભાવચન્દ્રસૂરિએ રચી છે." તે પૂર્ણિમાગચ્છના પાર્શ્વચન્દ્રના પ્રશિષ્ય અને જયચન્દ્રના શિષ્ય હતા. કૃતિ ૬૫૦૦ ૧. એજન, પ્રશસ્તિ, શ્લોક ૧૧. ૨. એજન, સર્ગ ૧, શ્લોક ૧૭: ", . श्रीप्रद्युम्नश्चिरं नन्द्यात् ग्रन्थस्यास्य विशुद्धिकृत् । ૩. એજન, સર્ગ ૧, શ્લોક ૩૫૭ ૪. દુલીચન્દ્રપન્નાલાલ દેવરી, ૧૯૨૩; હિન્દી અનુવાદ સહિત–જિનવાણી પ્ર. કા. કલકત્તા, - ૧૯૩૯. તેનો અનુવાદ સૂરતથી પ્રકાશિત છે અને પંડિત લાલારામ શાસ્ત્રીએ કર્યો છે. ૫. જિનરત્નકોશ, પૃ. ૩૭૯; જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૫૧૬; જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ૧૯૧૧; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૪; ક્ષાન્તિસૂરિ જૈન ગ્રન્થમાલા, અમદાવાદ, સં. ૧૯૯૫; ગુજરાતી અનુવાદ, ભાવનગર, સં. ૧૯૭૮. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્લોકપ્રમાણ છે. આ કૃતિના કર્તાએ લખેલી સં. ૧૫૩૫ની એક પ્રતિ લાલબાગ, મુંબઈના એક ભંડારમાંથી મળી છે. તેના છ પ્રસ્તાવોમાં શાન્તિનાથ તીર્થંકરના બાર ભવોનું વર્ણન છે. વર્ણનક્રમમાં અનેક ઉપદેશાત્મક વાર્તાઓ પણ આવી ગઈ છે. તેથી કૃતિનો આકાર બહુ જ વધી ગયો છે. વચ્ચે વચ્ચે પ્રસંગવશ બીજી કૃતિઓમાંથી લીધેલાં પ્રાકૃત અને સંસ્કૃત પદ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કૃતિના અંતભાગમાં રત્નચૂડની સંક્ષિપ્ત કથા પણ આપવામાં આવી છે. શાન્તિનાથવિષયક અન્ય રચનાઓમાં આપણને મળે છે - જ્ઞાનસાગર (સં. ૧૫૧૭), અંચલગચ્છના ઉદયસાગર (ગ્રન્થાગ્ર ૨૭૦૦), વત્સરાજ (હીરાલાલ હંસરાજ, જામનગર ૧૯૧૪ પ્રકાશિત), હર્ષભૂષણગણિ, કનકપ્રભ (ગ્રન્થાગ્ર ૪૮૫), રત્નશેખરસૂરિ (ગ્રન્થાત્ર ૭000), ભટ્ટા. શાન્તિકીર્તિ, ગુણસેન, બ્રહ્મદેવ, બ્રહ્મજયસાગર અને શ્રીભૂષણ (સં. ૧૬૫૯), વગેરેની કૃતિઓ મળે છે. ધર્મચન્દ્રગણિએ શાન્તિનાથરાજ્યાભિષેક અને હર્ષપ્રમોદના શિષ્ય આનન્દપ્રમોદે શાન્તિનાથવિવાહ નામની રચનાઓ કરી છે. કેટલીક અજ્ઞાતકર્તૃક રચનાઓ પણ મળે છે. મેઘવિજયગણિ (૧૮મી સદી)નું શાન્તિનાથચરિત કાવ્ય મળે છે, તે નૈષધીયચરિતના પાદોના આધારે શાન્તિનાથનું જીવનચરિત પ્રસ્તુત કરે છે. તેનું વિવેચન પાદપૂર્તિ-સાહિત્યના આલેખનમાં કરવામાં આવશે. જૈન કાવ્યસાહિત્ય સત્તરમા તીર્થંકર કુંથુનાથ ઉપર પદ્મપ્રભશિષ્ય વિબુધપ્રભસૂરિની (૧૩મી સદી) કૃતિ (ગ્રન્થાત્ર ૫૫૫૫)નો ઉલ્લેખ મળે છે. અઢારમા તીર્થંકર અરનાથ ઉપર આજ સુધી કોઈ રચના મળી નથી. મલ્લિનાથચરિત ૩ ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ ઉપર અનેક સંસ્કૃત રચનાઓ મળે છે. તેમાં સૌપ્રથમ છે આઠ સર્ગોનું ‘વિનયાંકિત’ મહાકાવ્ય. સર્ગોનાં નામ વર્ણ વિષયના આધારે રાખવામાં આવ્યાં છે. આ કાવ્યમાં મિથિલાની રાજકુમારી મલ્લિ ઉપરાંત સાકેતના રાજા પ્રતિબુદ્ધ, ચંપાના રાજા ચન્દ્રછાય, શ્રાવસ્તિનરેશ રુક્ષ્મી, વારાણસીભૂપ શંખ, હસ્તિનાપુરનરેશ અદીનશત્રુ, કાંપિલ્લરાજ જિતશત્રુના ભવાન્તરોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રત્યેકબુદ્ધ રત્નચન્દ્રકથા, સત્ય હરિચન્દ્ર ૧. જિનરત્નકોશ, પૃ. ૩૮૦-૩૮. ૨. એજન, પૃ. ૯૧ ૩. યશોવિજય જૈન ગ્રન્થમાલા, સં. ૨૯, વી. સં. ૨૪૩૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૧૧ કથા વગેરે અનેક અવાન્તર કથાઓની યોજના પણ આમાં કરવામાં આવી છે. આ અવાન્તર કથાઓના કારણે કથાવસ્તુમાં શિથિલતા આવી ગઈ છે. પ્રથમ ત્રણ સર્ગોમાં કથા કુતગતિથી આગળ વધે છે પરંતુ ચોથા સર્ગથી ગતિ મન્થર થઈ જાય છે. છઠ્ઠા સર્ગથી તો કથાની ગતિ બહુ જ મંદ પડી જાય છે. આ કાવ્યમાં શ્વેતાંબર જૈન માન્યતા અનુસાર મલ્લિનાથને સ્ત્રી માનવામાં આવ્યા છે. આ કાવ્યમાં અનેક પાત્રો છે પરંતુ મલ્લિના ચરિત્ર સિવાય અન્ય કોઈના ચરિત્રનો વિકાસ થયો નથી. પ્રકૃતિવર્ણનો પણ ખૂબ કરવામાં આવ્યાં છે. તેમાં પર્વત, સમુદ્ર, ષતુ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ઉદ્યાનક્રીડા વગેરેનાં વર્ણનો સ્વાભાવિક અને ભવ્ય છે. પૌરાણિક મહાકાવ્ય હોવાથી આ ચરિતમાં અલૌકિક અને ચમત્કારિક તત્ત્વોને પણ દાખલ કરવામાં આવ્યાં છે. અહીં તહીં ધાર્મિક તત્ત્વો તથા વિવિધ જ્ઞાનો પણ કવિએ કાવ્યમાં પ્રદર્શિત કર્યા છે. આ કાવ્યની ભાષા પ્રસાદગુણમયી, સરળ અને ભાવપૂર્ણ છે. ભાષા ઉપર કવિનું સારું પ્રભુત્વ દેખાય છે. પ્રસંગો અનુસાર તે ક્યાંક મધુર અને સ્નિગ્ધ છે તો ક્યાંક ઓજપૂર્ણ છે તો વળી ક્યાંક ગંભીર છે. અહીં ભાષાનું વ્યાવહારિક રૂપ દેખાય છે. તેમાં દેશી ભાષાથી પ્રભાવિત શબ્દોનો પ્રયોગ થયો છે. કાવ્યમાં જનપ્રચલિત લોકોક્તિઓ અને સૂક્તિઓનો પ્રયોગ પણ પ્રચુર માત્રામાં થયો છે. આ ચરિતની રચના અનુષ્ટ્રમ્ છંદમાં કરવામાં આવી છે પરંતુ સર્ગાને છંદને બદલવામાં આવ્યો છે. આખા કાવ્યમાં અનુષ્ટ્રભુ, શાર્દૂલવિક્રીડિત, માલિની, ઈન્દ્રવજા અને શિખરિણી - આ પાંચ છંદોનો પ્રયોગ થયો છે. અલંકારની યોજનામાં કવિએ કોઈ વિશેષ પ્રયાસ કર્યો નથી છતાં ક્યાંક ક્યાંક ઉપમા અને રૂપક અલંકારોનાં સારાં ઉદાહરણો મળે છે. કવિનો શબ્દાલંકારો પ્રત્યે ઝોક વધુ છે. પ્રસ્તુત મલ્લિનાથચરિતનું પરિમાણ પ્રકાશિત પ્રતિ અનુસાર ૪૩૫૫ શ્લોકપ્રમાણ છે. જિનરત્નકોશમાં તેનું પરિમાણ ૪૨૫૦ શ્લોકપ્રમાણ જણાવ્યું છે.' ૧. એજન, સર્ગ ૧. ૧૧૬-૧૮; ૭. ર૪૦-૨૪૩; ૮. ૧૨૭ આદિ. ૨. એજન, ૧. ૫૧; ૨.૬૧; ૨. ૩૯૦; ૨.૪૧૮; ૭.પ૬૩; ૮. ૩૦૬ ૩. એજન, સર્ગ ૭. ૧૬૪; ૨. ૪૦૩; ૨.૪૧૨; ૭. ૨૩૩; ૮, ૩૩૬૯. ૨૮૭ ૪. એજન, સર્ગ ૮. પ૩૭; ૭. ૧૦૨૫; ૩.૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન કાવ્યસાહિત્ય કર્તા તથા રચનાકાળ – આના કર્તા વિનયચન્દ્રસૂરિ છે. તેમના વિશે તેમની અન્ય કૃતિ પાર્શ્વનાથચરિતના નિરૂપણમાં કહેવામાં આવ્યું છે. મલ્લિનાથચરિતની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કૃતિની રચના રવિપ્રભસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભ અને નરસિંહસૂરિના અનુરોધથી કરવામાં આવી હતી. તેનું સંશોધન કનકપ્રભસૂરિના . શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ કર્યું હતું.' અન્ય કૃતિઓમાં શુભવર્ધનગણિ, વિજયસૂરિ (રચના ૪૬૨૦ ગ્રન્થાપ્રમાણ), ભટ્ટારક સકલકીર્તિ અને પ્રભાચન્દ્રની મલ્લિનાથચરિતની રચનાઓ મળે છે. ભટ્ટારક સકલકીર્તિકૃત મલ્લિનાથચરિતમાં ૭ સર્ગો છે અને કુલ મળીને ૮૭૪ શ્લોકો છે. વીસમા તીર્થંકર મુનિસુવ્રતનાથ ઉપર પણ લગભગ આઠ સંસ્કૃત કાવ્યોનું સર્જન થયું છે. તેમાં અમસ્વામિચરિત વગેરેના કર્તા પૌર્ણમિકગચ્છીય મુનિરત્નસૂરિની રચના (લગ. સં. ૧૨૫૨) ૬૮૦૬ શ્લોકપ્રમાણ છે. આ કાવ્ય ૨૩ સર્ગોમાં વિભક્ત છે. આજ સુધી તે અપ્રકાશિત છે. સૂરિનો પરિચય તેમની પ્રકાશિત કૃતિ અમમસ્વામિચરિતની સાથે આપવામાં આવશે. મુનિસુવ્રતચરિતની બીજી કૃતિ વિબુધપ્રભના શિષ્ય પદ્મપ્રભસૂરિએ સં. ૧૨૯૪માં રચી હતી. તેનું પરિમાણ પપપપ શ્લોકપ્રમાણ છે. કર્તાની અન્ય રચના કુંથુચરિત સં. ૧૩૦૪ની છે, તે મળે છે. આ જ કર્તા પાર્થસ્તવ, ભુવનદીપક આદિના કર્તા પણ છે કે કોઈ બીજા પાપ્રભ એ વાતનો નિર્ણય હજુ સુધી થઈ શક્યો નથી. ૧. એજન, પ્રશસ્તિ, શ્લોક ૯ ૨. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૩૦ ૩. જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા, સં. ૧૯૭૯; હિન્દી - ગાધરલાલ શાસ્ત્રી. તેની પ્રાચીન હ, લિ. પ્રતિ સં. ૧૫૧૫ની મળે છે. ૪. જિનરત્નકોશ, પૃ. ૩૦૩ ૫. એજન, પૃ. ૩૧૦ ૬. એજન ૭. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૯૬ Page #135 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૧ ૩ ત્રીજી રચના વિશેષ ઉલ્લેખનીય છે. તેથી તેનો પરિચય આપવામાં આવે મુનિસુવ્રતચરિત વિનય’ શબ્દાંકિત આ કાવ્યમાં આઠ સર્ગો છે. તેના કર્તા વિનયચન્દ્રસૂરિ છે. આખા કાવ્યમાં ધાર્મિક રૂઢિઓ અને ગતાનુગતિકતાનું પૂર્ણપણે નિરૂપણ થયું છે. મુનિસુવ્રતસ્વામીના પૂર્વભવોના વર્ણનને કારણે તેમ જ અવાન્તર અને પ્રાસંગિક કથાઓને કારણે મૂળ કથાનક શિથિલ બની ગયું છે. પહેલા સર્ગમાં જ ત્રણ અવાન્તર કથાઓ - મેઘવાહન, સંકાશઋવિક અને અત્યંકર ચક્રવર્તીની કથાઓની યોજના કરવામાં આવી છે. અન્ય સર્ગોમાં વિવિધ કથાઓની યોજના કરવામાં આવી છે. કાવ્યમાં અનેક અલૌકિક અને અપ્રાકૃત તત્ત્વોને દાખલ કરવામાં આવ્યાં છે. આમ તો મુનિસુવ્રતચરિતનું કથાનક લઘુ છે પરંતુ અવાન્તર કથાઓના ઉમેરાને કારણે તેનો મહાકાવ્યોચિત વિસ્તાર થઈ ગયો છે. અવાન્તર કથાઓના બાહુલ્યને કારણે કથાપ્રવાહ મંદ પડી ગયો છે અને અનેક સ્થળે તેમાં બાધા પડી છે. કાવ્યમાં અનેક પાત્રો છે પરંતુ કેવલ મુનિસુવ્રતના ચરિતનો જ વિકાસ થઈ શક્યો છે. બાકીનાં પાત્રો તો તેની છાયામાં જતાં આવતાં જણાય છે. કવિ પ્રકૃતિચિત્રણ પ્રતિ ઉદાસ જણાય છે. કેટલાંક જૂજ સ્થાનોએ જ પ્રકૃતિચિત્રણ કરવામાં આવ્યું છે. પ્રકૃતિચિત્રણની જેમ સૌન્દર્યચિત્રણ પણ બહુ જ ઓછું કરવામાં આવ્યું છે. પરંતુ જૈન ધર્મના નિયમો અને સિદ્ધાન્તોનું પ્રતિપાદન મુખ્યપણે કર્યું આ ચરિતની ભાષા સરળ છે. ક્યાંક ક્યાંક સમાસપ્રધાન ભાષાનો પ્રયોગ થયો છે. કવિએ પોતાની ભાષાને વિવિધ સૂક્તિઓ અને કહેવતોથી શણગારી છે. તેનાથી ભાષા સજીવ અને ભાવમયી બની ગઈ છે. તત્કાલીન પ્રચલિત દેશી ભાષાના શબ્દોને પણ કાવ્યમાં સ્થાન મળ્યું છે. ઉદાહરણાર્થ, કન્દુકના સ્થાને ગેન્દુક અને શુંડાના સ્થાને સૂંઢ, અજના સ્થાને બક્કર, વગેરે શબ્દો મળે છે. ૧. લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા, છાણી (વડોદરા), વિ.સં. ૨૦૧૩; જિનરત્નકોશ, પૃ. ૩૧૧ ૨. સર્ગ ૧, ૨૨૩; ૧. ૨૬૪-૨૬૫; ૫.૧; ૬. ૭૫; ૬. ૧૪૩, ૧૪૭; ૭. ૪૪૧-૪૪૩ વગેરે. ૩. સર્ગ ૨. પ૩૪; ૬. ૨૫૦; ૭.૪00; ૮.૨૮૪; ૮. ૩૩૧, ૯. ૪૧૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન કાવ્યસાહિત્ય કાવ્યની રચના સંસ્કૃત હોવા છતાં ક્યાંક ક્યાંક પ્રાકતનો પ્રયોગ પણ જોવા મળે છે.' અલંકારોમાં કવિને બહુ રુચિ જણાતી નથી. તેમ છતાં કેટલાક અલંકારો સ્વતઃ જ ભાષાપ્રવાહમાં આવી ગયા છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસનો પ્રયોગ પદ્યોમાં દેખાય છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉલ્ટેક્ષા અને સદેહનો પ્રયોગ અધિક થયો છે. કાવ્યમાં પ્રત્યેક સર્ગમાં અનુષ્ટ્રનો પ્રયોગ થયો છે અને સર્વાન્ત છંદમાં પરિવર્તન થયું છે. કુલ મળીને અગીઆર છંદો કાવ્યમાં મળે છે. તે છે – અનુષ્ટ્રભુ, શાર્દૂલવિક્રીડિત, આર્યા, માલિની, ઉપજાતિ, સ્રગ્ધરા, મજાક્રાન્તા, હરિણી, શિખરિણી, ઈન્દ્રવજા અને વંશસ્થ. કૃતિ ૪પપર શ્લોકપ્રમાણ છે, આ માહિતી આઠમા સર્ગની પુષ્યિકામાં આપવામાં આવી છે. કવિ પરિચય અને રચનાકાળ – આ કાવ્યના કર્તા તે જ વિનયચન્દ્રસૂરિ છે જેમણે મલ્લિનાથચરિત અને પાર્શ્વનાથચરિત રચ્યાં છે. પ્રસ્તુત કાવ્યની રચના ક્યારે કરવામાં આવી એનો ઉલ્લેખ કવિએ કર્યો નથી પરંતુ તે મલ્લિનાથચરિતના રચાયા પછી રચાયું છે એવું સૂચન એક પદ્યમાં મળે છે. આ કાવ્યની રચના કવિએ પુણ્યાર્જનની કામનાથી કરી છે. ૩ કવિનો વિશેષ પરિચય તેમના પાર્શ્વનાથચરિતના પ્રસંગમાં આપવામાં આવશે. - અન્ય કૃતિઓમાં અહંદસ કવિકૃત મુનિસુવ્રતકાવ્યનું વર્ણન વિશિષ્ટ મહાકાવ્યોના પ્રસંગમાં કરવામાં આવશે. આ ઉપરાંત કૃષ્ણદાસકૃત મુનિસુવ્રતકાવ્ય છે, તે ૨૩ સર્ગો ધરાવે છે અને તેનું સર્જન કલ્પવલ્લીમાં સં. ૧૬૮૧માં થયું છે. ૫ કેશવસેન, ભટ્ટારક સુરેન્દ્રકીર્તિ (વિ.સં. ૧૭૨૨-૧૭૩૩) અને હરિષણે રચેલાં મુનિસુવ્રત કાવ્યોના ઉલ્લેખો મળે છે. ૧. સર્ગ ૪. ૩૫૮-૩૫૯ ૨. સર્ગ ૧.૭. ૩. સર્ગ ૮.૩૯૪ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૧૨ ૫. એજન, પૃ. ૩૧ ર દ, એજન, પૃ. ૩૧૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧ ૧૫ એકવીસમા તીર્થંકર નેમિનાથ ઉપર એક ચરિતકાવ્યનો ઉલ્લેખમાત્ર મળે છે.' બાવીસમા તીર્થંકર નેમિનાથ ઉપર અનેક કાવ્યાત્મક રચનાઓ મળે છે. તેમાં પ્રથમ રચના સૂરાચાર્યત નેમિનાથચરિત છે. તે દ્વિસંધાનાત્મક છે અને પ્રથમ તીર્થકર ઋષભ ઉપર પણ તેનો અર્થ ઘટિત થાય છે. આનું વર્ણન બલ્બર્થક કાવ્યોમાં કરવામાં આવશે. આવી જ બીજી રચના અજિતદેવના શિષ્ય હેમચન્દ્રસૂરિની છે, તેનું નામ નેમિદ્વિસંધાન છે, તેનું વર્ણન પણ બહ્યર્થક કાવ્યોમાં કરવામાં આવશે. સોમના પુત્ર વાટ (૧૨મી સદી)નું નેમિનિર્વાણકાવ્ય ૧૫ સર્ગોમાં વિભક્ત છે, તે શાસ્ત્રીય મહાકાવ્યની શૈલીનું છે, તેથી તેનું વર્ણન ત્યાં કરવામાં આવશે. સામાન્ય કક્ષાની કેટલીક કાવ્યરચનાઓનો સંક્ષિપ્ત પરિચય અહીં આપવામાં આવશે. - તિલકમંજરીસારોદ્ધારના કર્તા (લઘુ) ધનપાલ (સં. ૧૨૬૧)ના પિતા કવિ રામને નેમિચરિત મહાકાવ્ય લખ્યું હતું. તિલકમંજરીસારોદ્ધારમાં તેને સુશ્લિષ્ટ શબ્દોથી પૂર્ણ, અભુત અર્થ અને રસોથી તરંગિત મહાકાવ્ય કહ્યું છે. કવિ રામન અણહિલ્લપુરનિવાસી પલ્લીવાલકુલીન તથા અશેષ શાસ્ત્રોના જ્ઞાતા હતા. વિ.સં. ૧૨૮૭માં કવિ દામોદરે સલ્લખણપુર (માલવા)માં પરમારવંશી રાજા દેવપાલના રાજ્યકાળમાં એક નેમિનાથચરિતની રચના કરી હતી. કવિના પિતાનું નામ કવિ માલ્હણ અને કવિના મોટા ભાઈનું નામ જિનદેવ હતું. આ જ દામોદર કવિનું એક અન્ય કાવ્ય ચન્દ્રપ્રભચરિત પણ મળે છે. લગભગ સન્ ૧૨૯૯માં નાગેન્દ્રગચ્છના વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભ પણ ૨૧૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ નેમિનાથચરિતની રચના કરી હતી. (આ તો તેમના જ ધર્માલ્યુદયકાવ્યનો ભાગ છે.) આ જ ઉદયપ્રભ સં. ૧૨૯૯માં ઉપદેશમાંલા ઉપર ટીકા પણ લખી હતી.' વિ. ચૌદમી સદી આસપાસ સાંગણના પુત્ર વિક્રમે નેમિચરિતડાવ્ય રચ્યું હતું. તેની રચના મેઘદૂતના પાદોને લઈને કરવામાં આવી હતી. તેનું વર્ણન સમસ્યાપૂર્તિકાવ્યના પ્રસંગે કરવામાં આવશે ૧. એજન, પૃ. ૩૦૧ ૨. તિલકમંજરીસારોદ્ધાર, પ્રશસ્તિ, પદ્ય ૧-૨ ૩. ધારા ઔર ઉસકે જૈન સારસ્વત, ગુરુ ગોપાલદાસ બરૈયા સ્મૃતિ-ગ્રન્થ, પૃ. ૫૪૩ ૪. જિનરત્નકોશ, પૃ. ૨૧૭ ૫. એજન, પૃ. ૨૧૭; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૫૯-૩૬૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૬ જૈન કાવ્યસાહિત્ય નેમિનાથમહાકાવ્ય કા મક દૃષ્ટિએ આ કૃતિ મહત્ત્વપૂર્ણ છે. તેમાં ૧૨ સર્ગ છે અને ૭૦૩ પદ્ય છે. સર્ગોના નિર્માણમાં વિવિધ છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સર્ગ ૧, ૪, ૭ અને ૯માં અનુષ્ટ્રમ્ છંદ, પ-૬માં ઉપેન્દ્રવજા, ૩માં ઈન્દ્રવજા, ૮માં દ્રતવિલંબિત, ૧૧માં વિયોગિની તથા ૨,૧૦ અને ૧૨માં તેમ જ પ્રત્યેક સર્ગને અત્તે વિવિધ છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાષા માધુર્ય અને પ્રસાદગુણથી યુક્ત છે. ૧૨મા-સર્ગના અંતે શબ્દાલંકારની છટા જોવા જેવી છે. આ કાવ્યમાં પૂર્વભવોનું વર્ણન એકદમ છોડી દેવામાં આવ્યું છે. સર્ગ પ્રથમમાં ચ્યવનકલ્યાણક, બીજામાં પ્રભાત, ત્રીજામાં જન્મકલ્યાણક, ચોથામાં દિકકુમારીઓનું આગમન, પાંચમામાં મેરુવર્ણન, છઠ્ઠામાં જન્માભિષેક, સાતમામાં જન્મોત્સવ, આઠમામાં પઋતુઓ, નવમામાં કન્યાલાભ, દસમામાં દીક્ષાવર્ણન, અગીઆરમામાં મોહસંયમયુદ્ધવર્ણન અને બારમામાં જનાર્દનનું આગમન, તેના દ્વારા સ્તુતિ તથા નેમિનાથના મોક્ષનું વર્ણન આપવામાં આવેલ છે. આ લઘુ કાવ્યને પ્રભાતવર્ણન, મેરુવર્ણન, ષઋતુવર્ણન આદિ દ્વારા મહાકાવ્યોચિત લક્ષણોથી વિભૂષિત કરવાને કારણે તેને મહાકાવ્યની સંજ્ઞા પણ આપવામાં આવી છે. કર્તા અને રચનાકાળ – કાવ્યના કર્તાનું નામ કીર્તિરાજ ઉપાધ્યાય છે (જ પછી કીર્તિરત્નસૂરિ થયા). આનું સૂચન ૧૨માં સર્ગના અંતિમ પદ્યમાં છે. ઉક્ત પદ્યમાં કવિએ આ કાવ્યને “વ્યાખ્યાનિમિત્તમ્' લખ્યાનું જણાવ્યું છે પરંતુ આ કાવ્યની પ્રૌઢતા જોઈ એવું નથી લાગતું. આ કાવ્યના પઠનથી તો એવું લાગે છે કે કવિ વ્યાકરણ, છંદ, અલંકાર અને શબ્દપ્રયોગના વિશારદ હતા. કવિ ક્યાં અને ક્યારે થયા અને કઈ આચાર્ય પરંપરાના હતા એ બાબતે ઉક્ત કૃતિમાંથી જાણવા મળતું નથી. આ કાવ્યની એક હસ્તલિખિત પ્રતિમાં એક બાજુ ઉપર લખ્યું છે કે “. ૧૪૨૧ વર્ષે શ્રી યોગિનીપુરે (દિલ્હી) નિશ્વિતમ્'. સંભવતઃ આ કે આના પૂર્વેનો કવિનો સમય હશે. એક અનુમાન છે કે કવિ ખરતરગચ્છના હતા. નેમિનાથચરિત આચરિત્ર સંસ્કૃત ગદ્યના ૧૩વિભાગોમાં વિભક્ત છે. ગ્રન્થપ૨૮૫શ્લોકપ્રમાણ ૧. જિનરત્નકોશ, પૃ. ૨૧૭; યશોવિજય જૈન ગ્રન્થમાલા (સં. ૩૮), ભાવનગર, વી.સં. ૨૪૪૦ ૨. દેવચન્દ્ર લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ, સૂરત, ૧૯૨૦; ગુજરાતી અનુવાદ - જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૧૯૮૦; જિનરત્નકોશ, પૃ. ૨૧૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૧૭ આમાં નેમિનાથના નવ પૂર્વભવોનું, નેમિનાથ અને રામતીના નવ ભવોમાં ઉત્તરોત્તર આદર્શ પ્રેમનું, પતિપત્નીના અલૌકિક સ્નેહનું, રામતીના વૈરાગ્યનું, તેમના સાધ્વીજીવનનું, નેમિનાથનીબાલક્રીડાનું, દીક્ષાનું, કેવળજ્ઞાનનું અને મોક્ષગમનનું સુંદર વર્ણન છે. સાથે સાથે કાવ્યમાં વસુદેવ રાજાના ચરિત્રનું અને ઉચ્ચ શ્રેણીનાં પુણ્યફલો અને મધુરફલોનું વર્ણન, શ્રીકૃષ્ણનાં ચરિત્ર, વૈભવ, પરાક્રમ અને રાજ્યનું વર્ણન, પ્રતિનારાયણ જરાસંધના વધનું વર્ણન, નેમિનાથ પ્રતિ શ્રીકૃષ્ણની અપૂર્વ ભક્તિનું વર્ણન, તદ્દભવ મોક્ષગામી શ્રીકૃષ્ણના શામ્બ અને પ્રદ્યુમ્નનું જીવનવૃત્તાન્તવર્ણન, નલદમયન્તીના જીવનચરિત્રનું નિરૂપણ, નલરાજાની પોતાના બંધુ કુબેરથી જુગારમાં હારનું વર્ણન, નલરાજાના રાજત્યાગનું વર્ણન, દમયન્તીના પતિવિયોગનું, તેને પડેલાં કષ્ટોનું, તેના અદૂભુત પૈર્યનું, તેની શીલરક્ષાનું વર્ણન, પાંડવોના ચરિત્રનું નિરૂપણ, દ્રૌપદીના સ્વયંવરનું વર્ણન, તેની પતિસેવાનું વર્ણન અને દ્વારિકાદહનનું વર્ણન આવે છે. કવિ અને રચનાકાળ – કાવ્યના કર્તા તપાગચ્છના હીરવિજયસૂરીશ્વરના પટ્ટધર કનકવિજય પંડિતના પ્રશિષ્ય અને વાચક વિવેકહર્ષના શિષ્ય ગુણવિજયગણિ છે. તેમણે સૌરાષ્ટ્રના સુરપત્તન શહેર પાસે આવેલા દંગબંદરમાં સં. ૧૬૬૮ના આષાઢ મહિનાની પાંચમે કૃતિનો પ્રારંભ કર્યો અને શ્રાવણ મહિનાની છટ્ટે કૃતિ પૂર્ણ કરી. તેમણે કૃતિની રચના જીતવિજયગણિના અનુરોધથી કરી હતી. કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી આ વાતો જાણવા મળે છે. અન્ય અપ્રકાશિત નેમિચરિતના કર્તાઓ છે તિલકાચાર્ય (ગ્રન્થાગ્ર ૩૫૦૦ શ્લોકપ્રમાણ), નરસિંહ, ભોજસાગર, હરિણ, મંગરસતથા મલ્લિભૂષણશિષ્ય બ્રહ્મ. નેમિદત્ત; આ બધાં નેમિચરિતોના ઉલ્લેખો મળે છે. બ્રહ્મ. નેમિદત્તની કૃતિનું નામ નેમિનિર્વાણકાવ્ય તથા નેમિપુરાણ પણ છે. તેની રચના સં. ૧૯૩૬માં થઈ હતી. તેમાં ૧૩ સર્ગ છે. કર્તાએ પોતાને મૂલસંઘ સરસ્વતીગચ્છના કહ્યા છે. શાસ્ત્રીય મહાકાવ્યની શૈલીમાં રચાયેલ, નેમિનાથવિષયક એક મહાકાવ્યનો નિર્દેશ કરવો રહી ગયો. તે છે પાસુન્દરે રચેલું યદુસુન્દર મહાકાવ્ય. તેનું પ્રકાશન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદથી થયું છે. તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથનું ચરિત્ર ઘટનાપ્રધાન અને ચમત્કારી હોવાને કારણે જૈન લેખકોએ પ્રાકૃત, ૧. જિનરત્નકોશ, પૃ. ૨૧૭-૨૧૮ ૨. આનો હિન્દી અનુવાદ પં. ઉદયલાલ કાસલીવાલે કર્યો છે - દિગમ્બર જૈન પુસ્તકાલય, સૂરત, સં. ૨૦૧૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૮ જૈન કાવ્યસાહિત્ય અપભ્રંશ અને સંસ્કૃતમાં ૨પથી પણ વધુ પાર્શ્વનાથ ચરિતો અને અન્ય કાવ્યપ્રકારોની રચનાઓ કરી છે. તેમાં સંસ્કૃતમાં જિનસેન પહેલાએ (૯મી સદી) રચેલું પાર્વાક્યુદય ઉત્તમ કોટિનું સમસ્યાપૂર્તિકાવ્ય છે. તેમાં મેઘદૂતનાં બધાં જ પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વર્ણન અન્યત્ર કરવામાં આવશે. તેના પછી કેટલીય ઉલ્લેખનીય કૃતિઓ ઉપલબ્ધ છે. તેમાંથી કેટલીકનો પરિચય અહીં આપીએ છીએ. ૧. પાર્શ્વનાથ ચરિત આ કૃતિમાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના જીવનનું કાવ્યાત્મક શૈલીમાં આલેખન છે.' કાવ્ય ૧૨ સર્ગોમાં વિભક્ત છે. પ્રત્યેક સર્ગનું નામ વર્ણ વસ્તુના આધારે રાખવામાં આવ્યું છે. પહેલા સર્ગનું નામ અરવિન્દમહારાજસંગ્રામવિજય, બીજાનું નામ સ્વયંપ્રભાગમન, ત્રીજાનું નામ વજઘોષસ્વર્ગગમન, ચોથાનું નામ વજનાભચક્રવર્તિપ્રાદુર્ભાવ, પાંચમાનું નામ વજનાભચક્રવર્તિચક્રપ્રાદુર્ભાવ, છઠ્ઠાનું નામ વજનાભચક્રવર્તિપ્રબોધ, સાતમાનું નામ વજનાભચક્રવર્તિદિગ્વિજય, આઠમાનું નામ આનન્દરાજયાભિનન્દન, નવમાનું નામ દિગ્દવીપરિચરણ, દસમાનું નામ કુમારચરિત, અગીઆરમાનું નામ કેવલજ્ઞાનપ્રાદુર્ભાવ અને બારમાનું નામ ભગવત્રિર્વાણગમન છે. - કવિએ આ કાવ્યને પાર્શ્વનાથ જિનેશ્વરચરિત મહાકાવ્ય કહ્યું છે. મહાકાવ્યની શૈલીને અનુરૂપ પ્રત્યેક સર્ગની રચના જુદા જુદા છંદમાં કરવામાં આવી છે અને સÍત્તે વિવિધ છંદોની યોજના કરવામાં આવી છે. પહેલા, સાતમા અને અગીઆરમા સર્ગમાં અનુષ્ટ્રમ્ છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના સર્ગોમાં બીજા છંદો પ્રયોજાયા છે. સાતમા સર્ગમાં યૂહરચનાના પ્રસંગે માત્રાટ્યુતક, બિન્દુચ્યતક, ગૂઢચતુર્થક, અક્ષરટ્યુતક, અક્ષરવ્યત્યય, નિરોક્ય વગેરેનું પ્રદર્શન અનુષ્ટ્રમ્ છંદોમાં જ કરવામાં આવ્યું છે. છઠ્ઠા સર્ગમાં વિવિધ છંદોની છટા જોવા જેવી છે. આ કાવ્યની ભાષા માધુર્યગુણપૂર્ણ છે. કવિનું ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ છે. તે મનોરમ કલ્પનાઓને સાકાર કરવામાં પૂરેપૂરી સમર્થ છે. કવિએ ભાવ અને ભાષાને વિભૂષિત કરવા અલંકારોનો પ્રયોગ કર્યો છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસનો પ્રયોગ અધિક થયો છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉલ્ટેક્ષા, અર્થાન્તરન્યાસ વગેરેનો પ્રયોગ સ્વાભાવિકરૂપે કરવામાં આવ્યો છે. ૧. માણિકચન્દ્ર દિગમ્બર જૈન ગ્રન્થમાલા, મુંબઈ, સં. ૧૯૭૩; જિનરત્નકોશ, પૃ. ૨૪૬; હિન્દી અનુવાદ (પં. શ્રીલાલકૃત) – જયચન્દ્ર જૈન, કલકત્તા, ૧૯૨૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧ ૧૯ કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા વાદિરાજસૂરિ દ્રવિડસંઘના નસિંઘ (ગચ્છ) અને અર્ગલ અન્વય (શાખા)ના આચાર્ય હતા. તેમની ઉપાધિઓ પતંકષમુખ, સ્યાદ્વાદવિદ્યાપતિ અને જગદેકમલવાદી હતી. તે શ્રીપાલદેવના પ્રશિષ્ય, અતિસાગરના શિષ્ય અને રૂપસિદ્ધિ (શાકટાયન વ્યાકરણની ટીકા)ના કર્તા દયાપાલ મુનિના સતીર્થ યા ગુરુભાઈ હતા. વાદિરાજ પણ એમની એક પદવી કે ઉપાધિ જણાય છે, તેમનું વાસ્તવિક નામ કોઈ બીજું જ હશે પરંતુ નામના બદલે આ ઉપાધિના વિશેષ પ્રચલનથી આ ઉપાધિ જ તેમનું નામ બની ગઈ. શ્રવણબેલગોલાથી મળેલ મલ્લિષણપ્રશસ્તિમાં વાદિરાજની મોટી પ્રશંસા કરવામાં આવી છે. વાદિરાજે પાર્શ્વનાથચરિતની રચના સિંહચક્રેશ્વર યા ચૌલુક્ય ચક્રવર્તી જયસિહદેવની રાજધાની કટ્ટગરીમાં રહીને શક સં. ૯૪૭ના કારતક સુદ ત્રીજના દિવસે કરી હતી. પાર્શ્વનાથચરિતની પ્રશસ્તિના છઠ્ઠા પદ્ય ઉપરથી એવું જણાય છે કે તે રાજધાની લક્ષ્મીનું નિવાસસ્થાન હતું અને સરસ્વતી દેવી (વાગ્વધૂ)ની જન્મભૂમિ હતી. પોતાની બીજી કૃતિ યશોધરચરિતના ત્રીજા સર્ગના અન્તિમ (૮૫મા) પદ્યમાં અને ચોથા સર્ગના ઉપાજ્ય પદ્યમાં કવિએ ચતુરાઈથી જયસિંહનો ઉલ્લેખ કર્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે યશોધરચરિતની રચના પણ જયસિંહના રાજ્યમાં થઈ હતી. દક્ષિણના ચાલુક્ય નરેશ જયસિંહદેવની રાજસભામાં તેમનું બહુ સમ્માન હતું અને તે પ્રખ્યાતવાદી ગણાતા હતા. મલ્લિષણપ્રશસ્તિ અનુસાર ચાલુક્યચક્રવર્તીના જયકટકમાં વાદિરાજે જયલાભ કર્યો હતો. જગદેકમલ્લવાદી ઉપાધિ પણ જયસિંહદેવે તેમને આપી હતી અને તેમની પૂજા પણ કરી હતી – सिंहसमर्च्य पीठविभवः । વાદિરાજનો યુગ જૈન સાહિત્યના વૈભવનો યુગ હતો. તેમના સમયમાં સિદ્ધાન્તચક્રવર્તી નેમિચન્દ્ર, ઈન્દ્રનદિ, કનકનદિ, અભયનદિ તથા ચન્દ્રપ્રભચરિત કાવ્યના કર્તા વીરનન્ટિ, કર્ણાટકદેશીય કવિ રન્ન, અભિનવ પમ્પ અને નયસેન વગેરે થયા. ગદ્યચિન્તામણિ તથા ક્ષત્રચૂડામણિના સર્જક ઓયદેવ વાદીભસિંહ અને તેમના ગુરુ પુષ્પસેન, ગંગરાજ રાયમલ્લના ગુરુ વિજયભટ્ટારક તથા મલ્લિષણપ્રશસ્તિના લેખક મહાકવિ મલ્લિષણ અને રૂપસિદ્ધિના કર્તા દયાપાલ મુનિ તેમના સમકાલીન હતા. ૧, સિદે પતિ નયાદ્દેિ વસુમત !' ૨. “ચીતન્વMસિદતાં રામુરલી ધ ધારિતમ્ તથા “રાપુર9 નસદો રાખ્યત્સર્ગી વાર ' Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ જૈન કાવ્યસાહિત્ય આ કાવ્ય ઉપર ભટ્ટારક વિજયકીર્તિશિષ્ય શુભચન્દ્ર પંજિકા લખી છે. તેનો ઉલ્લેખ પાંડવપુરાણની પ્રશસ્તિમાં ભટ્ટારક શુભચન્દ્ર સ્વયં કર્યો છે. તેની રચના તેમણે ભટ્ટારક શ્રીભૂષણના અનુરોધથી કરી હતી અને તેની પહેલી પ્રતિ શ્રીપાલ વર્ણીએ તૈયાર કરી હતી.' તેરમી શતાબ્દીના પ્રારંભમાં એક સર્વાનન્દસૂરિ (જાલિહરગચ્છ)એ પાર્શ્વનાથચરિતની રચના કરી હતી. આ ઉલ્લેખ તેમના પ્રશિષ્ય દેવસૂરિએ પોતાની રચના પઉમપભચરિયમાં કર્યો છે. ૨. પાર્શ્વનાથચરિત મમ્મટાચાર્યના કાવ્યપ્રકાશની પ્રથમ ટીકા સંકેતના કર્તા માણિક્યચન્દ્રસૂરિની આ કૃતિ છે, તે હજુ સુધી અપ્રકાશિત છે. તેમાં દસ સર્ગ છે. તેનું પરિમાણ ૬૭૭૦ શ્લોકપ્રમાણ છે. પ્રત્યેક સર્ગની પુષ્યિકામાં તેને મહાકાવ્ય કહેલ છે. મહાકાવ્યોચિત અધિકાંશ લક્ષણોનો સમન્વય તેમાં થયો છે. તેમાં શાન્તરસ પ્રધાન છે અને અન્ય રસો પણ ગૌણ રૂપે વિદ્યમાન છે. પ્રત્યેક સર્ગમાં એક જ છંદ પ્રયુક્ત છે પરંતુ સર્માન્ત છંદપરિવર્તન કરવામાં આવેલ છે. તેમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, ચન્દ્રોદય, ઋતુ, વન વગેરેનાં વર્ણનો મળે છે. સર્ગોનાં નામ વર્ણિત ઘટનાઓના આધારે રાખવામાં આવ્યાં છે. મહાકાવ્ય હોવા છતાં તેમાં પ્રમુખ મહાકાવ્યોને અનુરૂપ ભાષાશૈલી અને પ્રૌઢ કવિત્વકલાનો અભાવ છે, તેથી તેની ગણના સામાન્ય મહાકાવ્યોમાં માનવી જોઈએ. તે એક પૌરાણિક મહાકાવ્ય છે. તેનો પ્રારંભ તીર્થકરોની સ્તુતિથી થાય છે, તેમાં ભવાન્તરો અને અનેક અવાન્તર કથાઓની યોજનાઓ કરવામાં આવી છે તથા પાર્શ્વનાથનાં જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણ કલ્યાણકોનું વર્ણન અલૌકિક ઘટનાઓથી ભરપૂર છે. તેનું કથાનક સંપૂર્ણપણે પરંપરાસંમત છે. પૌરાણિક કાવ્યને અનુરૂપ તેની રચના અનુષ્ટ્રમ્ છંદમાં થઈ છે પરંતુ સર્વાન્ત માલિની, શાર્દૂલવિક્રીડિત, સ્રગ્ધરા વગેરે છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ક્યાંક ક્યાંક સર્ગમળે પણ ચારપાંચ પદ્ય અન્ય છંદોમાં રચાયાં છે. આ કાવ્યમાં કવિની અભિરુચિ અલંકારોમાં જણાતી નથી તથા ભાષાના સહજ પ્રવાહમાં અને ભાવોની ૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૬ ૨. એજન, પૃ. ૪૪૫ ૩. તાડપત્રીય પ્રતિ – શાન્તિનાથ ભંડાર, ખંભાત, ગ્રન્થ સં. ૨૦૭; જિનરત્નકોશ, પૃ. ૨૪૪ Page #143 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૨૧ સ્વાભાવિક અભિવ્યક્તિમાં અલંકાર સ્વતઃ આવી ગયા છે. ભાષા સરળ અને પ્રસાદગુણયુક્ત છે. ક્લિષ્ટ અને અપ્રચલિત શબ્દોનો પ્રયોગ નહિવત્ છે. સૂક્તિઓ અને લોકોક્તિઓનો વિશેષ પ્રયોગ કવિએ કર્યો નથી. કવિ પરિચય અને રચનાકાલ – ચંન્યાન્ત કવિએ પ્રશસ્તિ આપી છે. તેમાં તેમણે પોતાની ગુરુપરંપરા જણાવી છે. તેથી જાણવા મળે છે કે આ કૃતિના કર્તા માણિક્યચન્દ્રસૂરિ રાજગચ્છના હતા. રાજગચ્છમાં ભરતેશ્વરસૂરિ, તેમના શિષ્ય વીરસ્વામી, તેમના શિષ્ય નેમિચન્દ્રસૂરિ, અને તેમના શિષ્ય સાગરચન્દ્ર થયા. સાગરચન્દ્રના શિષ્ય પાર્શ્વનાથચરિતના કર્તા માણિક્યચન્દ્રસૂરિ હતા. તે મહામાત્ય વસ્તુપાલના સમકાલીન હતા. ઉદયપ્રભસૂરિના શિષ્ય જિનભદ્ર પોતાની પ્રબન્ધાવલીમાં (સં. ૧૨૯૦) માણિજ્યચન્દ્ર અને વસ્તુપાલના સંપર્કનું વિવરણ આપ્યું છે. પાર્શ્વનાથચરિતનો રચનાકાલ કવિએ આ પ્રમાણે જણાવ્યો છે : रसपिरवि (१२७६) संख्यायां सभायां दीपपर्वणि । समर्थितमिदं वेलाकूले श्रीदेवूपके ॥ અર્થાત્, સં. ૧૨૭૬માં દિવાળીના દિવસે વેલકૂલ શ્રીદેવકૂપકમાં આ કાવ્યની રચના થઈ. તેની રચના ભિલ્લમાલવંશીય શેઠ દેહડની વિનંતીથી કરવામાં આવી. કવિની અન્ય કૃતિઓમાં શાન્તિનાથચરિત તથા કાવ્યપ્રકાશની સંકેત ટીકા છે. ૩. પાર્શ્વનાથચરિત આ મહાકાવ્ય “વિનય' શબ્દાંકિત છે. તેનામાં છ સર્ગો છે. તે હજુ સુધી અપ્રકાશિત છે. તેનું પરિમાણ ૪૯૮૫ શ્લોકપ્રમાણ છે. સર્ગોનાં નામ વર્યુ વસ્તુના આધારે રાખવામાં આવ્યા છે. તેનું કથાનક પરંપરાસમ્મત છે. તેમાં કવિએ કોઈ પરિવર્તન કર્યું નથી. પૂર્વભવોના વર્ણનમાં અનેક અવાન્તર કથાઓની યોજના કરવામાં આવી છે. કૃતિની રચનાનો ઉદેશ ધાર્મિક સ્થાનો અને સભાઓમાં શ્રદ્ધાળુ શ્રાવકો દ્વારા તેનું પારાયણ થાય અને બીજાઓને તેઓ સંભળાવે એ છે. આ પાર્શ્વનાથચરિતનું કથાનક પરંપરાસંમત હોવા છતાં પૂર્વવર્તી પાર્શ્વનાથચરિતોથી ૧. એજન, પ્રશસ્તિ ૨. હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, હસ્તલિખિત પ્રતિઓ, ક્ર. સં. ૧૯૧૮ અને ૧૯૬૮. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જેન કાવ્યસાહિત્ય ભિન્ન છે. તેના પ્રથમ ત્રણ સર્ગોમાં જ પાર્શ્વનાથના બધા જ પૂર્વભવોનું નિરૂપણ પૂરું થઈ જાય છે. આગળના સર્ગોમાં દાન, શીલ, તપ અને ભાવનાના માહાલ્યવર્ણનમાં નવાં કથાનકોની યોજના કરવામાં આવી છે. અન્ય બાબતોમાં પણ કવિની નવીનતા અને મૌલિકતા સ્પષ્ટ પ્રગટે છે. આ કાવ્યની ભાષા સરળ અને પ્રસાદગુણયુક્ત છે. તેમાં ક્લિષ્ટ અને અપ્રચલિત શબ્દોનો સંપૂર્ણ અભાવ છે. સમાસયુક્ત પદાવલીનો પ્રયોગ બહુ ઓછો થયો છે. ભાષાપ્રવાહમાં અનુપ્રાસોની ઝંકૃતિ પ્રાય: સ્વતઃ અને પ્રચુરમાત્રામાં પ્રાપ્ત થાય છે. ક્યાંક ક્યાંક મધુર સૂક્તિઓનો પણ પ્રયોગ થયો છે. અલંકારોનો પ્રયોગ પ્રચુર થયો છે અને તેમાં સ્વાભાવિકતાનું પૂરું ધ્યાન રખાયું છે. કવિએ અનુષ્ટ્રમ્ છંદનો પ્રયોગ કર્યો છે પરંતુ સર્વાન્ત છંદમાં પરિવર્તન કરી ઈન્દ્રવજા, શિખરિણી, માલિની અને ઉપજાતિ છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કવિ પરિચય અને રચનાકાળ – કાવ્યાન્ત કવિએ પ્રશસ્તિ આપી છે. તેમાંથી જણાય છે કે તેના કર્તા વિનયચન્દ્રસૂરિ ચન્દ્રગચ્છના હતા. ચન્દ્રગચ્છમાં શીલગુણસૂરિ નામના પ્રસિદ્ધ વિદ્વાન થયા હતા. તેમના શિષ્ય માનતુંગસૂરિ અને માનતુંગના શિષ્ય રવિપ્રભસૂરિ થયા, તે મોટા વિદ્વાન હતા. તેમના શિષ્યોમાં નરસિંહસૂરિ, નરેન્દ્રપ્રભસૂરિ અને વિનયચન્દ્રસૂરિ થયા. વિનયચન્દ્રસૂરિએ જ વિનયાંક પાર્શ્વનાથચરિતની રચના કરી છે. તે ઉપરાંત કવિએ મલ્લિનાથચરિત, મુનિસુવ્રતસ્વામિચરિત, કલ્પનિરુક્ત, કાવ્યશિક્ષા, કાલિકાચાર્યકથા (પ્રાકૃત) તથા દીપાવલીકલ્પની પણ રચના કરી છે. તેમણે ગુજરાતી ભાષામાં પણ કેટલાંય કાવ્યો રચ્યાં છે, તેમાંથી નેમિનાથચઉપઈ અને ઉપદેશમાલાકથાનકછપ્પય મળે છે. પાર્શ્વનાથચરિતના રચનાકાળ બાબતે નિશ્ચિતરૂપે કોઈ ઉલ્લેખ નથી. પરંતુ વિનયચન્દ્રસૂરિના સત્તાકાળ ઉપર તેમની અન્ય રચનાઓ પ્રકાશ પાડે છે. તેમણે સં. ૧૨૮૬માં ઉદયપ્રભસૂરિએ રચેલી ધર્મવિધિવૃત્તિનું સંશોધન કર્યું હતું તથા કલ્પનિરુક્ત સં. ૧૩૨૫માં અને દીપમાલિકાકલ્પ સં. ૧૩૪પમાં તેમણે રચ્યાં હતાં. આ ઉપરથી વિનયચન્દ્રસૂરિનો સાહિત્યિક કાળ સં. ૧૨૮૬થી લઈને ૧. એજન, સર્ગ ૧. ૬૫, ૯૧, ૧૮૬, પ૨૪; ૨. ૮૨, ૧૨૬ વગેરે. ૨. ધર્મવિધિપ્રશસ્તિ, શ્લોક ૧૧-૧૨, ૧૭ 3. મુનિસુવ્રતસ્વામિચરિત, પ્રાસ્તાવિક, પૃ. ૪ (પ્રકાશક - લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા, છાણી) . Page #145 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૩૪૫ સુધીનો તો નિશ્ચિત થાય છે જ. તેની વચ્ચે તેમણે પાર્શ્વનાથચરિત અને અન્ય કૃતિઓ રચી હશે. ૪. પાર્શ્વનાથચરિત આ કાવ્ય પાંચ સર્ગોનું છે. તેની એક માત્ર તાડપત્રીય પ્રતિ મળે છે, પરંતુ તે અતિ જીર્ણ છે. પ્રારંભનાં ૧૫૬ પૃષ્ઠ લુપ્ત છે. કુલ પૃષ્ઠસંખ્યા ૩૪૫ છે. તેના કર્તા સુધર્માગચ્છના ગુણત્નસૂરિના શિષ્ય સૂર્યાનન્દસૂરિ છે. તેમની બીજી રચના ચન્દ્રપ્રભચરિત સં. ૧૩૦૨માં રચવામાં આવી છે. જિનરત્નકોશ અનુસાર પ્રસ્તુત કૃતિનો રચનાકાળ ૧૨૯૧ છે. આ કાવ્યનું પરિમાણ ૮૦૦૦ શ્લોકપ્રમાણ સિદ્ધ થાય છે. ૫. પાર્શ્વનાથચરિત ૧૨૩ 3 આ કાવ્યમાં આઠ સર્ગો છે. આ ભાવાંકિત મહાકાવ્ય છે. સર્ગોનાં નામ વર્ણ વિષયના આધારે રાખવામાં આવ્યાં છે. આમ તો આ ચરિતમાં મહાકાવ્યનાં બધાં જ બાહ્ય લક્ષણો વિદ્યમાન છે છતાં તેમાં ઉદાત્ત ભાષા-શૈલી તથા ઉત્કૃષ્ટ કવિત્વકલાનો અભાવ છે, તેથી તેને પ્રમુખ મહાકાવ્યોની પંક્તિમાં સ્થાન મળી શકતું નથી. તેને એક પૌરાણિક મહાકાવ્ય માનવામાં આવેલ છે. તેનો પ્રારંભ રૂઢિપ૨ક મંગલાચરણથી કરવામાં આવ્યો છે. કથાનક પરંપરાસંમત છે અને કવિએ તેમાં કોઈ પરિવર્તન કર્યું નથી. તેમાં પાર્શ્વનાથના પૂર્વભવો અને વચ્ચે વચ્ચે અનેક કથાઓ તથા ધર્મોપદેશો અને સ્તોત્રોની યોજના કરવામાં આવી છે. પુરાણોને અનુરૂપ અલૌકિક અને ચમત્કારી ઘટનાઓ પ્રસ્તુત કાવ્યમાં આવે છે. કાવ્ય વૈરાગ્યભાવનાથી ઓત-પ્રોત છે. તેની રચના અનુટુમ્ વૃત્તમાં થઈ છે. પરંતુ સર્ગાન્તે અન્ય છંદમાં પદ્યરચના છે – પહેલા, છઠ્ઠા અને આઠમા સર્ગના અન્તે વસન્તતિલકાનો; બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને સાતમા સર્ગના અન્વે શાર્દૂલવિક્રીડિતનો પ્રયોગ થયો છે. વળી, સાતમા સર્ગના મધ્યમાં પદ્ય ૩૫૯થી ૩૬૬ સુધી વસંતતિલકા છંદનો પ્રયોગ થયો છે. પ્રશસ્તિમાં ઉપર્યુક્ત છન્દોના ૧. સંધવીપાડા ભંડાર, પાટણ, સં. ૨૦ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૪૫ ૩. યશોવિજય જૈન ગ્રન્થમાલા, સન્ ૧૯૧૨; આનો સારાનુવાદ અંગ્રેજીમાં બ્લૂમફીલ્ડે બાલ્ટીમોરથી સન્ ૧૯૧૯માં પ્રકાશિત કરાવ્યો હતો. ४. समीक्ष्य बहुशास्त्राणि श्रुत्वा श्रुतधराननात् । ग्रन्थोऽयं ग्रथितः स्वल्पसूत्रेणापि मया रसात् ॥ सर्ग १, श्लोक ११ Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય પ્રયોગ સાથે માલિની, ઉપેન્દ્રવજ્રા, ઈન્દ્રવજ્રા અને શિખરિણી છંદોનો પ્રયોગ થયો છે. કાવ્યની ભાષા સરળ અને પ્રસાદગુણયુક્ત છે. ક્લિષ્ટ શબ્દોનો અને સમાસાન્ત પદાવલીનો પ્રયોગ ઓછો થયો છે. ભાષા પ્રસંગાનુકૂળ અને ભાવાનુરૂપ છે. લોકોક્તિઓ અને સૂક્તિઓનો પ્રયોગ પણ અહીં-તહીં મળે છે. તેનાથી ભાષા મધુર અને જીવન્ત બની ગઈ છે. ૧૨૪ કૃતિનું પરિમાણ અનુષ્ટુના માપથી ૬૦૭૪ શ્લોકપ્રમાણ છે. આ કાવ્યની કથા માણિક્યચન્દ્રસૂરિ, સર્વાનન્દસૂરિ આદિનાં પાર્શ્વનાથચરતો સાથે મળતી છે પરંતુ અવાન્તર કથાઓની યોજના અને કથાવસ્તુના સર્ગોમાં વિભાજનની દૃષ્ટિએ આ કાવ્ય બીજાં પાર્શ્વનાથચરિતોથી ભિન્ન છે. આ કાવ્યમાં કથાવસ્તુનું વિભાજન આઠ સર્ગોમાં કરવામાં આવ્યું છે. પહેલા સર્ગમાં પાર્શ્વનાથના પહેલા, બીજા અને ત્રીજા ભવનું, બીજા સર્ગમાં ચોથા અને પાંચમા ભવનું, ત્રીજા સર્ગમાં છઠ્ઠા અને સાતમા ભવનું, ચોથા સર્ગમાં આઠમા અને નવમા ભવનું વર્ણન કરવામાં આવ્યું છે. પાંચમા સર્ગમાં પાર્શ્વનાથનાં ચ્યવન, જન્મ, જન્માભિષેક, કૌમાર તથા વિજયયાત્રાનાં વર્ણનો છે. છઠ્ઠા સર્ગમાં તેમનાં વિવાહ, દીક્ષા, કેવલજ્ઞાન, સમવસરણ અને દેશનાનાં વર્ણન છે. સાતમા સર્ગમાં જિન-ગણધરદેશનાનું અને આઠમા સર્ગમાં પાર્શ્વનાથના વિહાર અને નિર્વાણનું વર્ણન છે. આમ આ કાવ્ય વિભાજનમાં પૂર્વ ચરિતોથી પૂર્ણરૂપથી ભિન્ન છે. અનેક અવાન્તર કથાઓને દાખલ કરવાને કારણે કાવ્યનું કથાનક શિથિલ બની ગયું છે. કવિપરિચય અને રચનાકાળ • આ કાવ્યના અંતે કવિએ પ્રશસ્તિ આપી છે. તેમાંથી જાણવા મળે છે કે આચાર્ય કાલિકના અન્વયમાં સંડિલ્લ નામના ગચ્છમાં ચન્દ્રકુલમાં એક ભાવદેવસૂરિ નામના વિદ્વાન થયા હતા. તેમની પરંપરામાં ક્રમશઃ વિજયસિંહસૂરિ, વીરસૂરિ અને જિનદેવસૂરિ થયા. જિનદેવસૂરિ પછી પૂર્વાંગત નામક્રમથી (ભાવદેવ, વિજયસિંહ, વીર તથા જિનદેવ) શિષ્યપરંપરા ચાલતી રહી જેમાંથી એક જિનદેવસૂરિના શિષ્ય ભાવદેવસૂરિ થયા, આ ભાવદેવસૂરિ આ પાર્શ્વનાથચરિતના કર્તા છે. તેમણે આ કૃતિની રચના સં. ૧૪૧૨માં પાટણનગરમાં કરી હતી. ૧. ગ્રન્થ: સર્વાશ્રમનેન પ્રત્યે વસંથા। વતુ: સતત્યુપેતાનિ ષટ્સહસ્રાયનુઠ્ઠમામ્ । પ્રશસ્તિ, શ્લોક ૩૦ २. तेषां विनेय विनयी बहु भावदेवसृरिः प्रसन्नजिनदेवगुरुप्रसादात् । श्रीपत्तनाख्यनगरे रविविश्ववर्षे (१४१२) पार्श्वप्रभोश्चरितरत्नमिदं ततान ॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ પર ગક મહાકાવ્ય ૧૨૫ પાર્શ્વનાથચરિત નામની કેટલીય અન્ય કવિઓની રચનાઓ મળે છે. તેમાં ભટ્ટારક સકલકીર્તિ (૧પમી સદી) કૃત કાવ્યમાં ૨૩ સર્ગ છે.' તેની ભાષા સીધી, સરળ અને અલંકારમયી છે. તેમાં કમઠનું નામ વાયુભૂતિ આપ્યું છે. સં. ૧૬૧૫, અગહન સુદી ૧૪ના દિને નાગૌરી તપાગચ્છના વિદ્વાન ઉપાધ્યાય પદ્મસુંદરે પણ સાત સર્ગોવાળા પાર્શ્વનાથકાવ્યની રચના કરી છે. તે આનન્દમેરુના પ્રશિષ્ય અને પામેરુના શિષ્ય હતા. આનન્દમેરુ અને પાસુન્દર અકબર બાદશાહ દ્વારા સમ્માનિત હતા. પદ્મસુન્દરનું આ પાર્શ્વનાથચરિત મહાકાવ્ય અમદાવાદથી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરે પ્રકાશિત કર્યું છે. સં. ૧૬૩૨માં તપાગચ્છીય કમલવિજયના શિષ્ય હેમવિજયે ગ્રન્થાગ્ર ૩૧૬૦ પ્રમાણવાળા પાર્શ્વનાથચરિત્રની રચના કરી હતી. કૃતિના અન્તરંગ અવલોકનથી જાણવા મળે છે કે તે હેમચન્દ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરષચરિતમાં આપવામાં આવેલા પાર્શ્વનાથચરિતની પ્રતિલિપિ માત્ર છે. સં. ૧૬૪૦ કારતક સુ. પના દિવસે ભટ્ટારક વાદિચન્દ્ર ૧૫૦૦ શ્લોકપ્રમાણ પાર્શ્વપુરાણની રચના વાલ્મીકિનગરમાં કરી હતી. તેમણે પવનદૂત, પાર્શ્વપુરાણ વગેરે કેટલીય રચનાઓ કરી છે. તેમના ગુરુનું નામ ભટ્ટારક પ્રભાચન્દ્ર હતું અને દાદાગુરુનું નામ જ્ઞાનભૂષણ હતું. સં. ૧૬૫૪માં તપાગચ્છના હેમસોમના પ્રશિષ્ય અને સંઘવીરના શિષ્ય ઉદયવીરગણિએ ૫૫૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ ધરાવતા પાર્શ્વનાથચરિતની રચના કરી હતી, તે સંસ્કૃત ગદ્યમાં છે અને તેમાં આઠ વિભાગો છે. તે જ સંવત ૧૬૫૪માં વૈશાખ સુદ સાતમ ને ગુરુવારના દિને દેવગિરિ (દોલતાબાદ)ના પાર્શ્વનાથ મંદિરમાં ભટ્ટારક શ્રીભૂષણના શિષ્ય ચન્દ્રકીર્તિએ પણ પાર્શ્વનાથપુરાણની રચના કરી. તેમાં ૧૫ સર્ગ છે. તેનું પ્રમાણ ૨૭૧૦ ગ્રન્થાઝ છે. છેલ્લા તીર્થંકર મહાવીર ઉપર પ્રાકૃત-અપભ્રંશ અને દેશી ભાષાઓમાં જેટલી કૃતિઓ મળે છે તેની અપેક્ષાએ સંસ્કૃતમાં સ્વતંત્ર રચનાઓ ગણીગાંઠી છે. તેમાંથી ૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૬; રાજસ્થાન કે જૈન સત્ત, પૃ. ૧૧. ૨. જિનરત્નકોશ, પૃ. ૨૪૪; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૯૫-૩૯૮ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૪૫; પ્રકાશિત – ચુન્નીલાલ ગ્રન્થમાલા, મુંબઈ, સં. ૧૯૭૨ ૪. જિનરત્નકોશ, પૃ. ૨૪૬; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૮૫ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૪૫; પ્રકાશિત – જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૭૦. ૬. જિનરત્નકોશ, પૃ. ૨૪૬-૪૭; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૯૦; તેની હસ્તલિખિત પ્રતિ ઔલક પન્નાલાલ સરસ્વતી ભવન, મુંબઈમાં છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય કેવળ બેના જ કંઈક પરિચય મળ્યો છે, બાકીની રચનાઓના કેવળ ઉલ્લેખો મળે છે. ૧૨૬ મહાવીરચરિત છેલ્લા તીર્થંકર મહાવીર ઉપર લખવામાં આવેલાં સ્વતંત્ર ચરિતોમાં આ પ્રાચીન છે. તેનું બીજું નામ વર્ધમાનચરિત કે સન્મતિચરિત્ર છે. તેમાં ૧૮ સર્ગો છે. આ કૃતિનો ઉલ્લેખ ધવલ વિના હિરેવંશપુરાણમાં થયો છે. કવિપરિચય અને રચનાકાળ આ કૃતિની હસ્તલિખિત પ્રતિઓમાં એકની પ્રશસ્તિમાં કહેવામાં આવ્યું છે કે તેના કર્તા અસગ કવિ છે જેમણે શક સં. ૯૧૦ (વિ.સં. ૧૦૪૫ લગભગ)માં આઠ અન્ય ચરિત્રોની રચના કરી હતી. તેમણે રચેલાં ચન્દ્રપ્રભચરિત્ર અને શાન્તિનાથચરિત્ર જ પ્રસ્તુત કૃતિ ઉપરાંત ઉપલબ્ધ છે. વર્ધમાનચરિત આમાં કુલ ૨૦ અધિકાર છે. તેમાંથી પ્રથમ ૬માં મહાવીરના પૂર્વભવોનું નિરૂપણ છે પરંતુ બાકીના ૧૪માં ગર્ભકલ્યાણથી માંડી નિર્વાણપ્રાપ્તિ સુધીનું ચરિત્ર વિસ્તારથી નિરૂપાયું છે. તેની ભાષા સરળ અને કાવ્યમય છે. વર્ણનશૈલી પ્રવાહમય છે. તેનું પરિમાણ ૩૦૬૫ શ્લોકપ્રમાણ છે. તેનું બીજું નામ મહાવીરપુરાણ કે વર્ધમાનપુરાણ પણ છે. કર્તા સકલકીર્તિનો પરિચય પહેલાં કરાવી દીધો છે. ર મહાવીરના અન્ય ચરિતકારોમાં પદ્મનન્દિ, કેશવ અને વાણીવલ્લભ છે. તેમની કૃતિઓના ઉલ્લેખ મળે છે. જૈન કવિઓએ કેવળ પુરાતન તીર્થંકરોનાં જ સ્વતન્ત્ર ચરિતો લખ્યાં નથી પરંતુ આગામી તીર્થંકરોમાંથી એક ઉપર પણ કાવ્ય લખ્યું, તેનો પરિચય નીચે આપ્યો છે. ભટ્ટારક યુગમાં પ્રથમ ભાવી તીર્થંકર પદ્મનાભ ઉપર કેટલીય કૃતિઓ રચાઈ છે. ૧. પં. ખૂબચન્દ્રકૃત હિન્દી અનુવાદ સહિત - મૂલચન્દ કિસનદાસ કાપડિયા, સૂરત, ૧૯૧૮; મરાઠી અનુવાદ, સોલાપુર, ૧૯૩૧ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૪૩; રાજસ્થાન કે જૈન સન્ત, પૃ. ૧૩; નન્દલાલ જૈનકૃત હિન્દી અનુવાદ - જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા ૩. જિનરત્નકોશ, પૃ. ૩૪૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય અમમસ્વામિચરિત આ વિશાળ કૃતિમાં ભાવિતીર્થંકર અમમસ્વામીનું ચરિત ૨૦ સર્ગોમાં નિરૂપવામાં આવ્યું છે. તેમાં દસ હજારથી પણ વધુ શ્લોકો છે. તેમાં શ્રીકૃષ્ણનો જીવ આવનારી ઉત્સર્પિણીના ચોથા આરામાં અમમ નામના તીર્થંકર બનવાનો છે,એની કથા છે. પ્રસંગવશ પ્રથમ છ સર્ગોમાં જીવદયા ઉપર દામજ્ઞકકથા, તેની શિથિલતા ઉપર શૂદ્રકમુનિકથા, તેના ત્યાગ ઉપર નિમ્બકમુનિકથા, રહસ્યભેદ ઉપર કાકબંધકથા, મિત્રકાર્ય ઉપર દૃઢમિત્રકથા, પાંડિત્ય ઉપર સુન્દરી-વસન્તસેનાકથા તથા અવાન્તરમાં લોભનન્દી, સર્વાંગિલ, સુમતિ, દુર્મતિ, ધૂતકારકુન્દ, કમલશ્રેષ્ઠી, સતી સુલોચના, કામાંકુર, લલિતાંગ, અશોક, બ્રહ્મચારિભ⟩-ભાર્યા, દુર્ગવિપ્ર, તોલ રાજપુત્રની કથાઓ કહેવામાં આવી છે. તે પછી હિરેવંશની ઉત્પત્તિ, તેમાં મુનિસુવ્રત જિનેશ્વરના પૂર્વભવનું વર્ણન, ભૃગુકચ્છમાં અશ્વાવબોધતીર્થની ઉત્પત્તિ, મુનિસુવ્રતના વંશમાં ઈલાપતિરાજનું વર્ણન, ક્ષીરકદમ્બક-નારદ-વસુરાજ-પર્વતકથા, નન્દિષણકથા, કંસ તથા પ્રતિવાસુદેવ જરાસંધની ઉત્પત્તિ, વસુદેવચરિત્રકથા, ચારુદત્ત-રુદ્રદત્તકથા, તદન્તર્ગત મેષદેવકથિત યજ્ઞપશુહિંસાનો ઇતિહાસ, અથર્વવેદકર્તા પિપ્પલાદની ઉત્પત્તિ, નલદમયન્તીકથા, કુબેરદેવપૂર્વભવકથા – આ બધું પહેલા છ સર્ગોમાં આવે છે. તે પછી નેમિનાથનો જન્મ, કૃષ્ણજન્મ, દ્વારિકારચના, કૃષ્ણનો રાજ્યાભિષેક, ડુમિણીવિવાહ, પાંડવ-દ્રૌપદીસ્વયંવર, પ્રદ્યુમ્ન-શામ્બચરિત, જરાસંધવધ વગેરે, રાજીમતીવર્ણન, નેમિનાથદીક્ષા, દ્વારિકાદહન, કૃષ્ણમરણ, પાંડવશેષકથા, નેમિનાથમોક્ષગમન વગેરે; અવસર્પિણીથી ઉત્સર્પિણીનું આવવું, ભાવિજિન અમમનો જન્મ, બાલ્યાદિવર્ણન, વિવાહ-યૌવરાજ્ય, રાજ્યાભિષેક, સંમતિનૃપદીક્ષા, અમમદીક્ષા, કેવલજ્ઞાન, સમવસરણ, ધર્મદેશના, સમ્યક્ત્વ ઉપર સૂરરાજની કથા, ધર્મ ઉપર રાજપુત્ર પુષ્પસાર અને મંત્રીપુત્ર ક્ષેમંક૨ની કથા, અન્તે અમમસ્વામીના ગણધરોનું વર્ણન, તત્કાલીન સુન્દરબાહુ વાસુદેવ અને પ્રતિવાસુદેવ વજ્રબંધ પછી અમમસ્વામીના નિર્વાણનું વર્ણન છે. ૧૨૭ કર્તા - આ કૃતિના કર્તા ચન્દ્રગચ્છીય, પૂર્ણિમામતને પ્રગટ કરનાર શ્રીમાન્ ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિના શિષ્ય સમુદ્રઘોધસૂરિના શિષ્ય મુનિરત્નસૂરિ છે. તેમણે આ ગ્રન્થ કોષાધ્યક્ષમંત્રી યશોધવલના પુત્ર બાલકવિ મંત્રી જગદેવની વિનંતીથી વિ.સં. ૧૨૫૨ના વર્ષમાં પત્તનનગરમાં રચ્યો હતો. તેનું સંશોધન ૧. પંન્યાસ મણિવિજય ગ્રન્થમાલા, અમદાવાદ, વિ.સં. ૧૯૯૮, જિનરત્નકોશ, પૃ. ૧૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જેન કાવ્યસાહિત્ય કુમારકવિએ કર્યું હતું. પ્રથાજો મુનિરત્નના શિષ્ય જયસિંહસૂરિરચિત ૩૩ શ્લોકોની પ્રશસ્તિ આપવામાં આવી છે. પ્રારંભમાં ગ્રંથકર્તાએ પૂર્વવર્તી અનેક ગ્રન્થો અને ગ્રન્થકારોનો ઉલ્લેખ કર્યો છે, જેમકે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, વાચક ઉમાસ્વાતિ, સિદ્ધસેન દિવાકર, હરિભદ્ર (મહત્તરાપુરા), ભદ્રકીર્તિ, સિદ્ધષિ (ઉપમિતિભવપ્રપંચાકથાના કર્તા), તરંગવતીના કર્તા પાલિત્તસૂરિ, સાતવાહનના સભાસદ માનતુંગસૂરિ, ભોજના સભાસદ દેવભદ્રસૂરિ, ત્રિષષ્ટિશલાકાના કર્તા હેમચન્દ્ર, દર્શનશુદ્ધિના કર્તા ચન્દ્રપ્રભ અને તિલકમંજરીના સર્જક ધનપાલ. મુનિરત્નની અન્ય કૃતિ મુનિસુવ્રતચરિત છે. બાર ચક્રવર્તી તથા અન્ય શલાકાપુરુષો ઉપર સ્વતંત્ર રચનાઓ - ભરતેશ્વરાભ્યદયકાવ્ય – આ કાવ્યમાં ઋષભદેવના જયેષ્ઠ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી ભરતના ઉદાત્ત ચરિતનું આલેખન છે. આ કાવ્ય “સિદ્ધયંક-મહાકાવ્ય' પણ કહેવાય છે. તેના કર્તા મહાકવિ આશાધર (વિ.સં. ૧૨૩૭-૧૨૯૬) છે. તેમનો પરિચય ત્રિષષ્ટિમૃતિના પ્રસંગે આપવામાં આવ્યો છે. આ મહત્ત્વપૂર્ણ કૃતિ ઉપલબ્ધ નથી, છતાં તેની સુષમાને દર્શાવતાં કેટલાંક પદ્યો આશાધરે પોતે જ પોતાની કૃતિઓની ટીકાઓમાં ઉદ્ધત કર્યા છે : १. परमसमयसाराभ्याससानन्दसर्पत्, सहजमहसि सायं स्वे स्वयं स्वं विदित्वा । पुनरुदयदविद्यावैभवाः प्राणचारस्फुरदरुणविजृम्भा योगिनो यं स्तुवन्ति ॥२ सुधागर्वं खर्वन्त्यभिमुखहषीकप्रणयिनः, क्षणं ये तेऽप्युर्वं विषमपवदन्त्यंग ! विषयाः । त एवाविर्भूय प्रतिचितधनायाः खलु तिरो भवन्त्यन्धास्तेभ्योऽप्यहह किम कर्षन्ति विपदः ॥' આ કાવ્ય ઉપર કવિએ સ્વોપજ્ઞવૃત્તિ પણ લખી હતી. ભરત ઉપર અન્ય રચનાઓમાં જયશેખરસૂરિકૃત જૈનકુમારસંભવ મહાકાવ્ય (લગભગ ૧૪૬૪ વિ.સં.) છે, તેનું નિરૂપણ શાસ્ત્રીય કાવ્યોના પ્રસંગે કરવામાં ૧. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૪૬ ૨. અનગાર ધર્મામૃત-ટીકા, પૃ. ૬૩૩ ૩. મૂલારાધના-ટીકા, પૃ. ૧૦૬૫ ૪. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા, સૂરત, ૧૯૪૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧ ૨૯ આવશે. મુનિ પુણ્યકુશળે ભરતના ચરિત્ર ઉપર ‘ભરતેશ્વરબાહુબલિમહાકાવ્ય'ની રચના કરી છે, તે અપ્રકાશિત છે. ભરતચરિત્ર અને ભરતેશ્વરચરિત્ર નામની બે અન્ય રચનાઓના ઉલ્લેખ મળે છે પરંતુ તેમના કર્તાઓ અજ્ઞાત છે. બીજા ચક્રવર્તી સગરના જીવન ઉપર પ્રાકૃત કૃતિ “સગરચક્રિચરિત'નો ઉલ્લેખ મળે છે, તેનો પ્રારંભ “સુરવરHTvi નદૃનીસેસમi'થી થાય છે. હસ્તલિખિત પ્રતિનો સમય સં. ૧૧૯૧ આપવામાં આવ્યો છે, પરંતુ લેખકનું નામ અજ્ઞાત ત્રીજા ચક્રવર્તી મઘવાના જીવન ઉપર કોઈ સ્વતંત્ર ચરિત ઉપલબ્ધ નથી. સનકુમારચરિત (સર્ણકુમારચરિય) – ચોથા ચક્રવર્તી સનસ્કુમારના જીવન ઉપર પ્રાકૃત ભાષામાં રચાયેલી આ મોટી કૃતિ છે. તેનું પરિમાણ ૮૧૨૭ શ્લોકપ્રમાણ છે. આ ચરિતમાં ઉક્ત નાયકનાં અભુત કાર્યોના વર્ણનપ્રસંગે કહ્યું છે કે એક વાર તે એક ઘોડા ઉપર બેઠા તો ઘોડો ભાગીને તેને ગાઢ જંગલમાં લઈ ગયો, ત્યાં તેને અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો પરંતુ તે બધી ઉપર તેણે વિજય મેળવ્યો અને તેની વચમાં તેણે અનેક વિદ્યાધરપુત્રીઓ સાથે લગ્ન કર્યા. કર્તા અને રચનાકાળ – તેના કર્તા શ્રીચન્દ્રસૂરિ છે. તે ચન્દ્રગચ્છમાં સર્વદેવસૂરિના સન્તાનીય જયસિંહસૂરિશિષ્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. પ્રણેતાએ પોતાના ગુરુભાઈના રૂપમાં યશોભદ્રસૂરિ, યશોદેવસૂરિ અને જિનેશ્વરસૂરિનાં નામો આપ્યાં છે. કૃતિના પ્રારંભમાં કવિએ હરિભદ્રસૂરિ, સિદ્ધમહાકવિ અભયદેવસૂરિ, ધનપાલ, દેવચન્દ્રસૂરિ, શાન્તિસૂરિ, દેવભદ્રસૂરિ અને માલધારી હેમચન્દ્રસૂરિની કૃતિઓનું સ્મરણ કરી તેમના ગુણોની સ્તુતિ કરી છે. શ્રીચન્દ્રસૂરિએ ઉક્ત કૃતિની રચના અણહિલપુર (પાટણ)માં કર્પર પટ્ટાધિપપુત્ર સોમેશ્વરના ઘરના ઉપરના ભાગમાં સ્થિત વસતિમાં રહી ત્યાંના કુટુંબવાળાઓની ૧. વિજયધર્મસૂરિ જ્ઞાનમંદિર, આગ્રા ૨. જિનરત્નકોશ, પૃ. ૨૯૨ ૩. પાટણના ગ્રન્થોની સૂચી (ગાયકવાડ પ્રાપ્ય ગ્રન્થમાલા) ભાગ ૧, પૃ. ૧૮૨-૧૮૩ ૪. મોહનલાલ દ દેસાઈ – જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૨૭૭; જિનરત્નકોશ, પૃ. ૮૧૨; પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા -- પાઈય ભાષાઓ અને સાહિત્ય, પૃ. ૧૧દ. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન કાવ્યસાહિત્ય વિનંતીથી કરી હતી. તેની રચના સં. ૧૨૧૪ આસો વદ ૭ બુધવારે થઈ હતી. તેની પહેલી પ્રતિ હેમચન્દ્રમણિએ લખી હતી. સનકુમાર ચક્રવર્તીનું ચરિત એટલું રોચક છે કે તેના ઉપર બીજી અનેક રચનાઓ થઈ છે. સંસ્કૃતમાં ૨૪ સર્ગોવાળું એક ઉચ્ચ કોટિનું મહાકાવ્ય પણ રચાયું છે. તેના કર્તા કવિ જિનપાલ ઉપાધ્યાય (સં. ૧૨૬૨-૭૮) છે. ૧ તેનું વિવેચન મહાકાવ્યોના પ્રસંગે કરવામાં આવશે. અપભ્રંશ ભાષામાં નેમિનાહચરિકની અંદર હરિભદ્રસૂરિએ રડા છંદમાં સનસ્કુમારનું ચરિત્ર વિસ્તારથી આલેખ્યું છે; તેનું સંપાદન, જર્મન અનુવાદ સાથે, પ્રસિદ્ધ જર્મન વિદ્વાન હર્મન યાકોબીએ કર્યું છે. સંસ્કૃત ભાષામાં સનકુમારચરિત્ર નામની એક અજ્ઞાત કવિની રચના પણ જેસલમેરના ભંડારમાંથી મળી છે. - પાંચમાં, છઠ્ઠા એ સાતમા ચક્રવર્તી શાન્તિનાથ, કુન્થનાથ અને અરનાથ છે. અર્થાત સોળમા, સત્તરમા અને અઢારમા તીર્થકર છે. તીર્થકરચરિત્રોમાં તેમના વિષયની રચનાઓનો પરિચય આપી દીધો છે. સુભૌમચરિત – આમાં આઠમા ચક્રવર્તી સુભૌમના ચરિત્રનું આલેખન છે. આ સાધારણ કોટિની રચના છે. તે ૭ સર્ગોમાં વિભક્ત છે. કુલ ૮૯૧ શ્લોકો છે. પ્રત્યેક સર્ગમાં “૩$ વ’ કહીને અન્ય કૃતિઓમાંથી અનેક અંશો ઉદ્ધત કરવામાં આવ્યા છે. આ ચરિત્રમાં કવિએ કથાપ્રસંગો દ્વારા અભિમાન કરવાનું પરિણામ, નિદાનનું ફળ, અતિ લોભનું ફળ, અને નવકાર મંત્રનું માહાભ્ય દર્શાવ્યું છે. કર્તા અને રચનાકાળ – આના કર્તા ભટ્ટારક રત્નચન્દ્ર પ્રથમ છે. ગ્રન્થના અત્તે એક પ્રશસ્તિ છે, તેમાં તેમની ગુરુપરંપરા આપી છે. તે મુજબ ભટ્ટારક સકલકીર્તિની પરંપરામાં ભુવનકીર્તિ, તેમના શિષ્ય રત્નકીર્તિ, તેમના શિષ્ય યશ-કીર્તિ, તેમના શિષ્ય ગુણચન્દ્ર, તેમના શિષ્ય જિનચન્દ્ર, અને જિનચન્દ્રના શિષ્ય સકલચન્દ્ર થયા. સકલચન્દ્રના શિષ્ય રત્નચન્દ્ર હતા. તે મૂલસંઘના સરસ્વતીગચ્છના ભટ્ટારક હતા. કૃતિનો રચનાકાળ સં. ૧૬૮૩ ભાદરવા સુદ ૫ આપવામાં આવ્યો છે. આ રત્નચન્દ્રની અન્ય રચના “ચૌવીસી’ ગુજરાતીમાં છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૨ ૨. એજન ૩. એજન ૪. દિગંબર જૈન પુસ્તકાલય, સૂરત, વિ.સં. ૨૦૧૮, મૂલ અને પં. લાલારામ શાસ્ત્રીકૃત | હિન્દી અનુવાદ, જિનરત્નકોશ, પૃ. ૪૪૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્યા ૧૩૧ પંડિત જગન્નાથકૃત “સુભમચરિત્ર'' નામની એક રચનાનો ઉલ્લેખ મળે છે. નવમા ચક્રવર્તી મહાપદ્મના ચરિત્રનું આલેખન કરતી કોઈ પણ કૃતિનો ઉલ્લેખ નથી મળતો પરંતુ દસમા ચક્રવર્તી હરિપેણ ઉપર પ્રાકૃતમાં રચાયેલા હરિફેણચરિત્રનો ઉલ્લેખ મળે છે. તેવી જ રીતે, અગીઆરમાં ચક્રવર્તી ઉપર પ્રાકૃતમાં રચાયેલા જયચક્રીચરિત્રનો ઉલ્લેખ મળે છે. બારમા ચક્રવર્તી ઉપર બ્રહ્મદત્તચક્રવર્તિકથાનક યા બ્રહ્મદત્તકથાનામની રચનાનો ઉલ્લેખ મળે છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (હેમચન્દ્ર)ના નવમા પર્વમાં વિસ્તારથી બારમા ચક્રવર્તીનું ચરિત્ર આલેખાયું છે, તેનું નામ છે બ્રહ્મદત્તચક્રવર્તિકથાનક.૫ નવ અર્ધચક્રવર્તી કે નવ વાસુદેવો ઉપર કેવળ કૃષ્ણ સિવાય અન્ય કોઈ ઉપર સ્વતંત્ર રચના મળતી નથી. કૃષ્ણચરિત (કણહચરિય) – આ ચરિત શ્રાદ્ધદિનકૃત્ય નામની કૃતિમાં દૃષ્ટાન્ત રૂપે દેવામાં આવ્યું છે. ત્યાંથી લઈને સ્વતન્ત્ર રૂપે તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં ૧૧૬૩ પ્રાકૃત ગાથા છે. તેમાં વસુદેવચરિત, કંસચરિત, ચારુદત્તચરિત, કૃષ્ણ-બલરામચરિત, રાજીમતીચરિત, નેમિનાથચરિત, દ્રૌપદીહરણ, દ્વારિકાદાહ, બલદેવદીક્ષા, નેમિનિર્વાણ અને પછી કૃષ્ણ ભાવિતીર્થંકર અમમ નામે થવાના છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. આખી કથાનો આધાર વસુદેવહિપ્પી અને જિનસેનકૃત હરિવંશપુરાણ છે. આ રચના આદિથી અંત સુધી કથાપ્રધાન છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા તપાગચ્છના દેવેન્દ્રસૂરિ છે. તેમની બીજી રચના સુદંસણાચરિયું અર્થાત્ શકુનિકાવિહાર પણ મળે છે. તેમાં કર્તાએ પોતાનો પરિચય આ પ્રમાણે આપ્યો છે : ચિત્રાપાલકગચ્છમાં ભુવનચન્દ્ર ગુરુ થયા. તેમના શિષ્ય હતા દેવભદ્ર મુનિ. દેવભદ્રના શિષ્ય હતા જગચ્ચન્દ્રસૂરિ. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૬ ૨. એજન, પૃ. ૪૬૧ ૩. એજન, પૃ. ૧૩૩ ૪. એજન, પૃ. ૨૮દ ૫. એજન ૬. ઋષભદેવ કેશરીમલ શ્વેતાંબર સંસ્થા, રતલામ, સન્ ૧૯૩૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જેન કાવ્યસાહિત્ય અને આ જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય હતા દેવેન્દ્રસૂરિ. તેમના એક ગુરુભાઈ વિજયચન્દ્રસૂરિ હતા. તપાગચ્છ પટ્ટાવલી અનુસાર કર્તા દેવેન્દ્રસૂરિના દાદાગુરુ વસ્તુપાલ મહાઅમાત્યના સમકાલીન હતા. પ્રસ્તુત કૃષ્ણચરિત્રનો રચનાકાળ ચૌદમી શતાબ્દીનો ઉત્તરાર્ધ થાય છે. નવ પ્રતિવાસુદેવોના ચરિતો ઉપર કોઈ સ્વતંત્ર કાવ્યો રચાયાં નથી. તેવી જ રીતે નવ બલદેવોમાં રામ અને બલભદ્ર સિવાય બીજા કોઈ ઉપર કાવ્ય રચાયાં નથી. રામવિષયક રચનાઓનું વર્ણન અમે પહેલાં કરી દીધું છે. બલભદ્રચરિત્ર ઉપર શુભવર્ધનગણિએ કાવ્ય રચ્યું છે, તે પ્રકાશિત છે. - જૈનધર્મના ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ અર્ધચક્રવર્તી (નારાયણ), ૯ પ્રતિઅર્ધચક્રવર્તી (પ્રતિનારાયણ) અને ૯ બલદેવ મળી કુલ ૬૩ શલાકાપુરુષો ઉપરાંત ૨૪ કામદેવ (અતિશય રૂપવાન) છે, તેમાંથી કેટલાકનાં ચરિત્રો તો જૈન કવિઓને બહુ જ રોચક લાગ્યાં છે એટલે તેમણે તેમના ઉપર કાવ્યકૃતિઓનું સર્જન કર્યું છે. ૨ ૨૪ કામદેવ આ પ્રમાણે છે – બાહુબલિ, પ્રજાપતિ, શ્રીભદ્ર, દર્શનભદ્ર, પ્રસેનચન્દ્ર, ચન્દ્રવર્ણ, અગ્નિમુખ, સનકુમાર, વત્સરાજ, કનકપ્રભ, મેઘપ્રભ, શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ, વિજયચન્દ્ર, શ્રીચન્દ્ર, નલરાજા, હનુમાન, બલિરાજ, વસુદેવ, પ્રદ્યુમ્ન, નાગકુમાર, જીવન્ધર અને જમ્મુ. આમાં સનકુમારનું ચરિત્ર ચક્રવર્તીઓના પ્રસંગમાં આપવામાં આવ્યું છે. શાન્તિ, કુન્થ અને અર તીર્થકરોમાં આવે છે. બાકીનામાં બાહુબલિ, વિજયચન્દ્ર, શ્રીચન્દ્ર, નલરાજ, હનુમાન, બલિરાજ, વસુદેવ, પ્રદ્યુમ્ન, નાગકુમાર, જીવન્ધર અને જમ્બુનાં ચરિત્રો ઉપર જૈન કવિઓએ બહુવિધ રચનાઓ કરી છે. બાહુબલિના જીવનચરિત્રને ઋષભદેવ યા ભરત ચક્રવર્તીનાં ચરિત્રોની સાથે જ સમ્બદ્ધ સમજવામાં આવે છે અને તેમની સાથે જ આલેખવામાં આવે છે પરંતુ બાહુબલિચરિત્ર” નામે બે સ્વતંત્ર રચનાઓનો ઉલ્લેખ મળે છે. પ્રથમનો ગ્રન્થાગ્ર ૧. જિનરત્નકોશ, પૃ. ૨૮૨; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૨ ૨. કામદેવના જીવનની વિશેષતા એ છે કે તે અનેક આકર્ષણોથી ભરપૂર હોય છે. તેમાં માનવની દુર્બળતાઓ અને તેના ઉત્થાન-પતનનું ચિત્રણ દર્શાવવામાં આવે છે. બધા કામદેવ ચરમશરીરી (ત જ જન્મમાં મોક્ષે જનાર) હોય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૫૦૦ છે, તે સંસ્કૃતમાં છે પરંતુ તેના કર્તાનું નામ અજ્ઞાત છે. બીજી પણ સંસ્કૃતમાં છે અને તેના કર્તા ચારુકીર્તિ છે. વિજયચન્દ્રચરિત આમાં પંદરમા કામદેવ વિજયચન્દ્ર કેવલીનું ચિત્ર આલેખવામાં આવ્યું છે. તેને હરિચન્દ્રકથા પણ કહે છે કારણ કે તેમાં વિજયચન્દ્ર કેવલીએ પોતાના પુત્ર હરિચન્દ્વ માટે અષ્ટવિધ પૂજા જલ, ચંદન, અક્ષત, પુષ્પ, દીપ, ધૂપ, નૈવેદ્ય અને ફળનું માહાત્મ્ય આઠ કથાઓ દ્વારા દર્શાવ્યું છે. આ કૃતિના બે રૂપો મળે છે. લઘુ રૂપનો ગ્રન્થાગ્ર ૧૩૦૦ છે અને બૃહદ્ રૂપનો ગ્રન્થાત્ર ૪૦૦૦ (૧૧૬૩ ગાથાઓ) છે. આ બંને રૂપો પ્રાકૃત છે. - ૧૩૩ કર્તા અને રચનાકાળ આના કર્તા ખરતરગચ્છના અભયદેવસૂરિના શિષ્ય ચન્દ્રપ્રભ મહત્તર છે. તેમણે પોતાના શિષ્ય વીરદેવની વિનંતીથી વિ.સં. ૧૧૨૭માં કૃતિની રચના કરી હતી. ગ્રન્થના અન્તે આપવામાં આવેલી નીચેની પ્રશસ્તિમાંથી આ વસ્તુ જાણવા મળે છે ઃ મુળિમરુદંડ (૨૨૨૭) ગુપ્ ાતે સિરિવિક્રમસ વટ્ટો रइयं फुडक्खरत्थं चंदप्पहमहयरेणेयं । - સ્વ. દલાલે ચન્દ્રપ્રભ મહત્તરને અમૃતદેવસૂરિ (નિવૃત્તિવંશ)ના શિષ્ય માન્યા છે. આ માન્યતા જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા'માં પ્રકાશિત પ્રતિથી ખંડિત થાય છે. વિજયચન્દ્રકેવલીચરિત્ર ઉપર જયસૂરિ અને હેમરત્નસૂરિ તથા અજ્ઞાત લેખકની રચનાઓનો ઉલ્લેખ મળે છે પરંતુ તેમનું ગ્રન્થપરિમાણ કે તેમનો રચનાકાળ જ્ઞાત નથી.૫ શ્રીચન્દ્રકેવલિચરિત - આમાં સોળમા કામદેવ શ્રીચન્દ્રનું ચરિત્ર નિબદ્ધ છે. આ કથા આચામ્બવર્ધનતપના માહાત્મ્યને પ્રગટ કરવા રચવામાં આવી છે. તેમાં ૧. જિનરત્નકોશ, પૃ. ૨૮૩ ૨. એજન ૩. જૈનધર્મ પ્રસારક સભા, ગ્રન્થ સં. ૧૬, ભાવનગર, ૧૯૦૬; કેશવલાલ પ્રેમચન્દ્ર કંસારા, ખંભાત, વિ.સં. ૨૦૦૭; ગુજરાતી અનુવાદ - જૈનધર્મ પ્ર. સ., ભાવનગર, વિ.સં. ૧૯૬૨; જિનરત્નકોશ, પૃ. ૩૫૪ ૪. હીરાલાલ ૨. કાપડિયા – પાઈય ભાષાઓ અને સાહિત્ય, પૃ. ૧૧૧ ૫. જિનરત્નકોશ, પૃ. ૩૫૪ ૬. કુંવરજી આણંદજી, ભાવનગર, વિ.સં. ૧૯૯૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચાર અધ્યાય છે અને કુલ ૩૧૦૬ શ્લોક છે. કૃતિ પ્રસાદગુણથી ભરપૂર એવું એક સંસ્કૃત કાવ્ય છે. તેમાં જન્મથી જ ઓરમાન ભાઈઓની પજવણીથી કંટાળી શ્રીચન્દ્ર માતાપિતાને છોડી એક વિણના ઘરમાં ઉછરે છે, પછી યુવાન થયા પછી દેશદેશાન્તરોમાં તેનું ભ્રમણ, અનેક રૂપવતી કન્યાઓ સાથે તેનાં લગ્ન, અનેક અદ્ભુત કાર્યોનું તેનું પ્રદર્શન, અંતે માતાપિતા સાથે તેનું મિલન, સામ્રાજ્યપાલન વગેરેનું આલેખન તેમ જ તેની તપસ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. વચ્ચે વચ્ચે અનેક પ્રાકૃત પદ્યો ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. આ કૃતિનો આધાર કોઈ પ્રાચીન પ્રાકૃત રચના છે. જૈન કાવ્યસાહિત્ય કર્તા અને રચનાકાળ કૃતિના અંતે આપવામાં આવેલા નીચેના પઘથી જણાય છે કે સં. ૫૯૮માં સિદ્ધર્ષિએ કોઈ પ્રાકૃત ચરિત્રના આધારે આ કૃતિ સંસ્કૃતમાં રચી : वस्वंकेषुमिते वर्षे (५९८), श्रीसिद्धर्षिरिदं महत् । प्राक् प्राकृतचरित्राद्धि, चरित्रं संस्कृतं व्यवधात् ॥ પરંતુ આ રચના એટલી પ્રાચીન લાગતી તો નથી. આ કૃતિની અન્ય એક પ્રતિમાં તેને ગુણરત્નસૂરિની કૃતિ માનવામાં આવી છે. આપણને ગુણરત્નસૂરિનો વિશેષ પરિચય મળતો નથી. જો આ પ્રસિદ્ધ કૃતિ ઉપમિતિભવપ્રપંચાકથાના કર્તા સિદ્ધર્ષિ દ્વારા રચાઈ હોય તો તેનો ઉપર જણાવેલો સમય બરાબર નથી. સિદ્ધર્ષિ (ઈ.સ. ૯૦૬) દસમી શતાબ્દીના વિદ્વાન હતા. આ રચનામાં ઉપમિતિભવપ્રપંચા જેવી ઉદાત્તતા પણ નથી. ર શ્રીચન્દ્રચરિત્ર નામની બે અન્ય રચનાઓનો પણ ઉલ્લેખ મળે છે. એકના કર્તા અજ્ઞાત છે અને બીજીના કર્તા આગમગચ્છના જયાનન્દસૂરિના શિષ્ય ૧. ચોથો અધ્યાય; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૮૬ ૨. ઉક્ત શ્લોકમાં આપેલા સંવત્ને, ડૉ. મિરોનો (Mironow)એ પોતાના સન્ ૧૯૧૧માં સિદ્ધર્ષિ ઉ૫૨ લખેલા લેખમાં, ગુપ્ત સંવત્ માન્યો છે. તેથી વિ.સં. ૯૭૪ અને ઈ.સન્ ૯૧૭ આવે છે, અને આ રીતે તેની ઉપમિતિભવપ્રપંચાકથાની રચના (સં. ૯૬૨) સાથે સમકાલિકતા ઘટે છે. પરંતુ ગુપ્ત સંવત્નો આટલા પરવર્તી કાળ સુધી પ્રયોગ અન્યત્ર જોવા નથી મળતો. તેથી કૃતિને સિદ્ધર્ષિકૃત માનવી સંદેહગ્રસ્ત છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૩૫ શીલસિંહગણિ છે. આ બીજી કૃતિમાં ચાર અધ્યાય છે, તેનો ગ્રન્થાગ્ર ૩૭૦૦ શ્લોકપ્રમાણ છે અને રચનાકાળ સં. ૧૪૯૪ છે.* સત્તરમા કામદેવ નલ ઉપર જૈન કવિઓએ સંસ્કૃત અને પ્રાકૃતમાં અનેક કાવ્યો, કથાઓ અને પ્રબંધો લખ્યાં છે. તેમાં અનેક તો વિશાલ કૃતિઓના ભાગરૂપે છે જ્યારે કેટલાંક સ્વતન્ત્ર રચનાઓ રૂપે છે. આ બધાંમાં પ્રમુખ છે મહત્ત્વપૂર્ણ કાવ્ય નલાયન. નલાયન – આ કાવ્યમાં સત્તરમા કામદેવ નલ અને તેમની પતિવ્રતા પત્ની દમયન્તીનું ચરિત જૈન દષ્ટિએ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. નવ મંગલ' શબ્દાંકિત મહાકાવ્ય છે. તેની રચના દસ સ્કન્ધોમાં કરવામાં આવી છે. તેમાં કુલ ૧૦૦ સર્ગ અને ૪૦૫૬ શ્લોકો છે. નલાયનનું બીજું નામ “કુબેરપુરાણ” અને “શુકપાઠ” પણ છે. કવિએ નલના જન્મથી શરૂ કરી મૃત્યુ સુધીનું પૂરું વિવરણ આપ્યું છે, તેથી કાવ્ય વિસ્તૃત થઈ ગયું છે. આ કાવ્યની કથાને ત્રણ ભાગોમાં વિભક્ત કરી શકાય. પ્રથમ ભાગમાં નલના જન્મથી દમયન્તી સાથે તેના વિવાહ અને દમયન્તીને લઈને નિષધ દેશમાં આગમન સુધી, બીજા ભાગમાં નલની ધૂતક્રીડાથી દમયન્તીની પુનઃપ્રાપ્તિ સુધી તથા ત્રીજા ભાગમાં નલ દ્વારા શ્રાદ્ધધર્મ સ્વીકારથી મૃત્યુ પછી કુબેર બનવા સુધીની કથા આવે છે. પહેલા, બીજા અને ત્રીજા સ્કંધમાં પ્રથમ ભાગની કથાનું નિરૂપણ છે. ચોથાથી આઠમા સ્કંધ સુધીના સ્કંધોમાં બીજા ભાગની અને નવમા-દસમા સ્કંધોમાં ત્રીજા ભાગની કથાનું નિરૂપણ છે. નલાયનનું કથાનક જૈનચરિતકૃતિઓમાં ઉપલબ્ધ આખ્યાનો ઉપર આધારિત છે. તેથી વ્યાસકૃત મહાભારતમાં ઉપલબ્ધ નલોપાખ્યાન સાથે તેની તુલના કરતાં આપણને જાણવા મળે છે કે અનેક સ્થાને પરિવર્તન કરવામાં આવ્યું છે. પરંતુ આ પરિવર્તનો કવિએ પોતે નથી કર્યા પરંતુ તેણે તો જૈનપરંપરાગત નલચરિતની મૂળ કથાને જેવી છે તેવી જ ગ્રહણ કરી છે. છતાં, કાવ્યના અનેક અંશોમાં કવિની મૌલિકતા અને કાવ્યકુશળતા ઝળકે છે. હંસ-ભૈમી સંવાદ, દેવદૂત-નલ-ભૈમી સંવાદ, નલવિરહે દમયન્તીવિલાપ, વગેરે પ્રસંગોમાં પર્યાપ્ત મૌલિકતા છે. દેવદૂત, નલ અને દમયન્તીની વચ્ચે થયેલા વાર્તાલાપ અને સંવાદમાં શ્રીહર્ષકત ૧. જિનરત્નકોશ, પૃ. ૩૯૬ ૨. યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર, વિ.સં. ૧૯૯૪; જિનરત્નકોશ, પૃ. ૨૦૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જેન કાવ્યસાહિત્ય નૈષધીયચરિતનો પ્રભાવ દેખાય છે. આ પ્રસંગમાં અનેક ભાવસામ્ય અને શબ્દસામ્ય જણાય છે. આ નલાયન કાવ્યમાં બાર વર્ષ સુધીના નલદમયન્તી વિરહનું વર્ણન અતિ અદૂભુત છે. જુગારમાં આસક્ત લોકોની થતી દુર્દશાનું નિરૂપણ ખૂબ રોમાંચક છે. પ્રસંગે પ્રસંગે અનેક ચમત્કારી ઘટનાઓનું વર્ણન છે. આ કૃતિમાં શકુન્તલા, કલાવતી અને તિલકમંજરીની અવાન્તરકથાઓ પણ રોચક છે. આ બૃહત્ કથામાં અનેક પાત્રો છે પરંતુ નલ અને દમયન્તી સિવાય બીજા કોઈ પણ પાત્રના ચરિત્રનો વિકાસ નથી થયો. આમાં નાયક નલનું ચરિત્રનિરૂપણ અતિ ભવ્ય છે. નાયિકા દમયન્તીનું પણ પતિપરાયણ ભારતીય નારીના રૂપમાં ઉત્કૃષ્ટ ચિત્રણ કરવામાં આવ્યું છે. આ કાવ્યમાં પ્રકૃતિવર્ણન પણ વિવિધ રૂપે થયું છે. નલાયનની શ્રેષ્ઠતાનું મોટું શ્રેય તો પ્રકૃતિ અને માનવજીવનની વચ્ચેના તાદાભ્યની સ્થાપનાને જાય છે. પાત્રોનાં સૌન્દર્યચિત્રણમાં કવિએ દમયન્તીનું નખશિખ સુરેખ સુન્દર ચિત્તાકર્ષક વર્ણન કર્યું છે તથા નલના સમગ્ર સૌન્દર્યનું ઉદાત્ત-ભવ્ય ચિત્રણ કર્યું છે. આ પરંપરાગત કથાનકમાં કવિએ પોતાના સમયની રૂઢિઓ, પરંપરાઓ, માન્યતાઓ અને રીતિ-રિવાજોના પ્રસંગે પ્રસંગે ઉલ્લેખ કરીને સામાજિક અધ્યયન માટે પર્યાપ્ત સામગ્રી રજૂ કરી છે. પૌરાણિક કાવ્ય હોવા છતાં તેમાં બીજા પૌરાણિક કાવ્યોની જેમ જૈનધર્મના સિદ્ધાન્તો અને નિયમોના પ્રતિપાદનનું બાહુલ્ય નથી. તેમાં ધાર્મિક નિયમોનું વિવેચન સવિસ્તર ક્રમશઃ ક્યાંય આપ્યું નથી પરંતુ ક્યાંક ક્યાંક એટલું સંક્ષેપમાં આપ્યું છે કે કથાપ્રવાહ ક્યાંય મંદ કે શિથિલ બનતો નથી. આ કાવ્યમાં પ્રધાન રસ શાન્ત જ છે છતાં બાકીના બધા રસોની પણ સુંદર યોજના યોગ્ય પ્રસંગોએ થઈ છે. અલંકારોનો પ્રયોગ સ્વાભાવિક અને કાવ્યતત્ત્વને પોષક છે. શબ્દાલંકારોમાં યમક, અનુપ્રાસ અને વીસાનો પ્રયોગ અધિક થયો છે. તેમાં પાંડિત્યપ્રદર્શનાર્થે ક્લિષ્ટ, કૃત્રિમ અને શ્લેષયુક્ત પદોનો પ્રયોગ થયો ૧. સ્કન્ધ ૨, સર્ગ ૪. ૪-૫, સર્ગ ૮, ૪૪-૪૯; સ્કન્ધ ૧, સર્ગ ૨. ૩૦-૩૧, ૩૭-૩૯, સર્ગ ૧૨. ૧૪-૧૫ આદિ. ૨. સ્કન્ધ ૨, સર્ગ ૧૪. ૩૦-૩૧; સ્કન્ધ ૫, સર્ગ ૨૧. ૬૮, સર્ગ ૭.૨ ૩. સ્કન્ધ ૨, સર્ગ ૯.૮; સ્કન્ધ૩, સર્ગ ૯. ૨૨, ૨૭, ૩૪-૩૬; સ્કન્ધ ૪, સર્ગ ૧. ૭, ૮, ૧૦, સર્ગ ૬. ૬૫-૬૭, ૭૨-૭૩. ૪. સ્કન્ધ૪, સર્ગ ૫. પ૧-પર; સ્કન્ધ ૫, સર્ગ ૫. ૧૮ ૫. સ્કન્ધ ૧, સર્ગ ૧૪. ૪૯, સર્ગ ૭. ૩૨, ૩૮; સ્કન્ધ ૩, સર્ગ ૧૧.૧૩; સ્કન્ધ ૪, સર્ગ ૪. ૩૦-૩૩, Page #159 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય છે. અર્થાલંકારોના પ્રયોગમાં કવિએ સ્વાભાવિકતાનો પૂરો ખ્યાલ રાખ્યો છે. તેની ભાષા વૈવિધ્યપૂર્ણ છે. એક બાજુ તેમાં સરળ ભાષાનો પ્રયોગ થયો છે તો બીજી બાજુ પ્રૌઢ અને પાંડિત્યપૂર્ણ ભાષાનો પ્રયોગ થયો છે. ભાષા ઉ૫૨ કવિનું પૂર્ણ પ્રભુત્વ પ્રગટ થાય છે. ભાષા જાણે કવિની ઈચ્છા મુજબ નાચે છે. ભાષાનો એક પ્રધાન ગુણ અલંકૃતિ કાવ્યમાં સર્વત્ર નજરે ચડે છે. તેમાં અનુપ્રાસ અને યમકનો પ્રયોગ પદે પદે મળે છે. આ અલંકારો ભાષાને ભારરૂપ નથી પરંતુ ભાષાના સૌન્દર્યમાં વધારો કરે છે. અનુપ્રાસ અને યમકના પ્રયોગે કાવ્યની ભાષાને પ્રવાહી, ગતિમય, ચંચલ અને લલિત બનાવી દીધી છે. આ કાવ્યમાં પ્રસંગે પ્રસંગે કહેવતોનો પણ સુંદર પ્રયોગ થયો છે, તેને કારણે ભાષાની વ્યાવહારિકતા વધી છે. આ કાવ્યના પ્રત્યેક સર્ગમાં અનુષ્ટુપ્નો પ્રયોગ અધિક થયો છે. કેટલાક સર્ગોમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે, તેમાં છંદો બહુ જ જલ્દી જલ્દી બદલવામાં આવ્યા છે. અન્ય છંદોમાં માલિની, આર્યા, શાર્દૂલવિક્રીડિત, વસન્તતિલકા, મન્દાક્રાન્તા, શિખરિણી, પૃથ્વી, દ્રુતવિલમ્બિત, ઉપજાતિ, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, હરિણી, રથોદ્ધતા, સ્વાગતા, પુષ્પિતાગ્રા, મંજુભાષિણી, સ્રગ્ધરા, ભૃગ, તોટક, ભુજંગપ્રયાત, વંશસ્થ, સગ્વિણી, હરિણપ્લુતા તથા વિવિધ પ્રકારના અર્ધસમ વર્ણિક વૃત્તોનો પ્રયોગ થયો છે. સવૈયા અને ષટ્કદી જેવા સંસ્કૃતેતર છંદોનો પ્રયોગ પણ આ કાવ્યમાં થયો છે. કવિપરિચય અને રચનાકાળ આ કાવ્યના અંતે કોઈ પ્રશસ્તિ આપવામાં આવી નથી. તેથી કવિનો કોઈ વિશેષ પરિચય મળતો નથી. છતાં પ્રત્યેક સ્કન્ધના અંતે જે પુષ્પિકા આપવામાં આવી છે તેમાં કવિએ પોતાનું તેમ જ પોતાના ગચ્છનું નામ આપ્યું છે. તેથી જાણવા મળે છે કે વટગચ્છના સૂરિ માણિક્યદેવે તેની રચના કરી છે. ૧૩૭ --- ૧. સ્કન્ધ ૧, સર્ગ ૧. ૩૧, ૩૯, ૪૦, ૪૯; સ્કન્ધ ૨, સર્ગ ૫. ૩૩; સ્કન્ધ ૩, સર્ગ ૯. ૧૪, ૧૬; સ્કન્ધ ૪, સર્ગ ૬. ૧૬; સ્કન્ધ ૫, સર્ગ ૪. ૩-૪; સ્કન્ધ ૭, સર્ગ ૫. ૪૨ આદિ. ૨. સ્કન્ધ ૪, સર્ગ ૩. ૪, સર્ગ ૬.૫૧, સર્ગ ૯.૪૪, સર્ગ ૧૨.૪૦ 3. एतत् किमप्यनवमं नवमङ्गलाङ्कं माणिक्यदेवमुनिना कृतिनां कृतं यत् । एतत् किमप्यनवमं नवमङ्गलाङ्कं चक्रे यदत्र वटगच्छनभोमृगाङ्कः । प्रथम स्कन्ध । द्वितीय स्कन्ध Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન કાવ્યસાહિત્ય કવિએ તેની રચના ક્યારે કરી એ જાણવાનું વિશેષ સાધન ન હોવા છતાં કવિના સમય ઉપર કાશ ફેંકનાર કેટલીક બાબતો આપણને મળે છે. નલાયનના ત્રીજા સ્કન્ધના અંતિમ શ્લોકમાંથી જાણવા મળે છે કે કવિએ આ કાવ્ય પહેલાં યશોધરચરિત્ર નામના કાવ્યની રચના કરી હતી. બન્ને કાવ્યોમાં કેટલાક શ્લોકો સમાન રૂપમાં મળે છે. યશોધચરિત્રના પ્રારંભમાં મંગલાચરણનું નીચેનું પદ્ય હેમચન્દ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાંથી લીધેલું જણાય છે. તે પદ્ય છે – करामलकवद्विश्वं कलयन् केवलश्रिया । अचिन्त्यमाहात्म्यनिधिः सुविधिोधयेऽस्तु वः ॥' હવે હેમચન્દ્રનો સમય ઈ.સ.ની બારમી શતાબ્દી હોવાથી માણિજ્યસૂરિનો સમય તેના પછીનો હોવો જોઈએ. જૈન પ્રતિમાલેખસંગ્રહમાં સમાવિષ્ટ બે લેખોના આધારે એ કહી શકાય કે માણિક્યસૂરિ સં. ૧૩૨૭થી સં. ૧૩૭૫ની વચ્ચે જીવિત હતા. સં. ૧૩૨૭માં તેમણે મહાવીરપ્રતિમાની અને ૧૩૭૫માં પાર્શ્વપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ બે સંવતોની વચ્ચેના કાળમાં ગમે ત્યારે તેમણે પોતાનાં બન્ને મહાકાવ્યોની રચના કરી હશે, એમ આપણે માની શકીએ. નલાયનકાવ્યના અન્ય સ્કન્ધોની પુષ્પિકાઓમાં માણિજ્યસૂરિની બીજી રચનાઓનાં નામ મળે છે, જેમકે ૧. અનુભવસારવિધિ, ૨. મુનિચરિત, ૩. મનોહરચરિત, ૪, પંચનાટક. પરંતુ આ ગ્રંથોની ખોજ આજ સુધી થઈ નથી. જૈન વિદ્વાનોની નલવિષયક સંસ્કૃત-પ્રાકૃત અન્ય કૃતિઓ નીચે પ્રમાણે છે : ૧. નવવિલાસનાટક – રામચન્દ્રસૂરિકૃત ૨. નલચરિત – ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત અન્તર્ગત १. एतत् किमप्यनवमं नवमङ्गलाङ्कं श्रीमद्यशोधरचरित्रकृता कृतं यत् । - तृतीयस्कन्ध । ૨. સ્કન્ધ ૯, સર્ગ ૨, શ્લોક ૮ તથા યશોધરચરિત્ર, સર્ગ ૨, શ્લોક ૩૩; સ્કન્ધ ૯, સર્ગ ૨, શ્લોક ૨૬ તથા યશોધરચરિત્ર, સર્ગ ૨, શ્લોક ૩૪; સ્કન્ધ ૫, સર્ગ ૧, શ્લોક ર૯ તથા યશોધરચરિત્ર, સર્ચ ૧૩, શ્લોક ૭૮ ૩. ત્રિ. શ. પુ. ચ., પર્વ ૧.૧૧ 4. બુદ્ધિસાગરસૂરિ – જૈન પ્રતિમાલેખસંગ્રહ, પ્રથમ ભાગ, લેખ સંખ્યા ૧૩૭ અને ૯૮૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૩૯ ૩. નલચરિત - ધર્મદાસગણિવિરચિત વસુદેવહિડી અન્તર્ગત ૪, નલોપાખ્યાન – દેવપ્રભસૂરિવિરચિત પાંડવચરિત અન્તર્ગત ૫. નલચરિત – દેવવિજયગણિવિરચિત પાંડવચરિત અન્તર્ગત ૬. નલચરિત – ગુણવિજયગણિવિરચિત નેમિનાથચરિત અન્તર્ગત ૭. દવયંતીચરિત – સોમપ્રભાચાર્ય વિરચિત કુમારપાલપ્રતિબોધ અન્તર્ગત ૮. દવયન્તીકથા – સોમતિલકસૂરિવિરચિત શીલોપદેશમાલાવૃત્તિમાં ૯. દવયન્તીકથા - જિનસાગરસૂરિવિરચિત કપૂરપ્રકરટીકામાં ૧૦. દવયન્તીકથા – શુભશીલગણિવિરચિત ભરતેશ્વરબાહુબલિવૃત્તિમાં ૧૧. દવયન્તીપ્રબંધ – (ગદ્યરૂપ) ૧૨. દવયન્તીપ્રબંધ – (પદ્યરૂપ) જૈન ગ્રન્થાવલી ૧૩. દવયંતીચરિયર – પાટણભંડાર પ્રાકૃતસૂચીપત્ર હનુમાનચરિત- ચોવીસ કામદેવોમાં હનુમાન અઢારમા છે. રામચરિત્રકાવ્યોમાં તેમનું ચરિત્ર સારી રીતે આલેખાયું છે. છતાં તેમના ચરિત્રનું અવલંબન લઈને જૈન કવિઓએ સ્વતંત્ર કાવ્યકૃતિઓ રચી છે. તેમાં ૧૭મી શતાબ્દીના વિદ્વાન બ્રહ્મઅજિત ૧૨ સર્ગોવાળા એક હનૂમચ્ચરિત્રની રચના કરી છે. તેને અંજનાચરિત કે સમીરણવૃત્ત પણ કહે છે. તે તે સમયનું લોકપ્રિય કાવ્ય હતું. કર્તા અને રચનાકાળ- બ્રહ્મઅજિત સંસ્કૃતના સારા વિદ્વાન હતા. તે ગોલશૃંગાર જાતિના શ્રાવક હતા. તેમના પિતાનું નામ વીરસિંહ અને માતાનું નામ પીથા હતું. તે ભટ્ટારક સુરેન્દ્રકીર્તિના પ્રશિષ્ય અને ભટ્ટારક વિદ્યાનન્દિના શિષ્ય હતા. તેમણે ભૃગુકચ્છપુર (ભરૂચ)ના નેમિનાથ ચૈત્યાલયમાં હનૂમચ્ચરિત્રની રચના પૂરી કરી હતી. રચનાસંવત્ આપ્યો નથી. અન્ય હનૂમચ્ચરિત્રોમાં ૧૫મી શતાબ્દીના બ્રહ્મજિનદાસની એક ગુજરાતી રચના છે અને રવિણ અને બ્રહ્મદયાલની રચનાઓ પણ સંભવતઃ દેશી ભાષાઓમાં છે. હનુમાનની માતા અંજનાના નામથી પણ કેટલાંય ચરિતો લખાયાં છે, તેમનો પરિચય અલગ આપવામાં આવશે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૬૬ ૨. એજન ૩. જિનરત્નકોશ, પૃ. ૪૫૯; ડૉ. કસ્તુરચન્દ્રકાસલીવાલ - રાજસ્થાન કે જૈન સન્ત: વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧૯૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન કાવ્યસાહિત્ય બલિરાજચરિત – આમાં ૧૯મા કામદેવનું ચરિત્ર આલેખાયું છે. તેને બલિનરેન્દ્રકથાનક યા બલિનરેન્દ્રાખ્યાન પણ કહે છે. તેનું બીજું નામ ભુવનભાનુકેવલિચરિત્ર પણ છે. આના ઉપર અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. સંસ્કૃતમાં આ વિષય ઉપર મલધારી હેમચન્દ્ર તથા હરિભદ્રસૂરિકૃત કાવ્યોનો ઉલ્લેખ મળે છે. વિજયસિહસૂરિના શિષ્ય ઉદયવિજય તથા મલધારીગચ્છના વિજયચન્દ્રસૂરિની રચનાઓનો પણ નિર્દેશ મળે છે. આ બધી કૃતિઓનો રચનાકાળ અજ્ઞાત છે. બલિનરેન્દ્રકથાનક નામના સંસ્કૃતમાં ઉપલબ્ધ કાવ્યના કર્તા તપાગચ્છના ધર્મહંસગણિના શિષ્ય ઈન્દ્રરંસગણિ છે, તેમણે સંવત ૧૫૫૪માં આ રચના કરી હતી. આ જ ઈન્દ્રરંસગણિએ સં. ૧૫૫૭માં આ ચરિત્રને પ્રાકૃત ભાષામાં નિબદ્ધ કર્યું હતું. આ જ ચરિત્ર' હીરકલશગણિએ સં. ૧૫૭૨માં રચ્યું છે. બે અન્ય અજ્ઞાતકર્તક રચનાઓ મળે છે. વસુદેવચરિત – કૃષ્ણના પિતા વસુદેવ જૈન માન્યતા અનુસાર ૨૦મા કામદેવ હતા. તેમનું ચરિત જૈન સાહિત્યમાં ઘણા રોચક અને વ્યાપક રૂપમાં વર્ણવવામાં આવ્યું છે. આ સંબંધમાં સૌપ્રથમ જ્ઞાત રચના ભદ્રબાહુકૃત વસુદેવચરિત્ર" છે, તે આજ સુધી અનુપલબ્ધ છે. તેનો ઉલ્લેખ દેવચન્દ્રસૂરિ તથા માણિક્યચન્દ્રસૂરિના શાન્તિનાથચરિત્રમાં કરવામાં આવ્યો છે. વસુદેવહિપ્પી – આનો અર્થ વસુદેવની યાત્રાઓ છે. વસુદેવહિંડીમાં વસુદેવ ઘર છોડી દેશદેશાન્તરમાં ભ્રમણ કરે છે એની કથાઓ આપી છે. પોતાની ૧. જિનરત્નકોશ, પૃ. ૨૮૨ અને ૨૯૮ ૨. એજન, પૃ. ૨૯૮ ૩. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૯ ૪. જિનરત્નકોશ, પૃ. ૨૯૮ ૫. એજન ૬. પાટણ ગ્રન્થ સૂચીપત્ર, ભાગ ૧ (ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ સં. ૭૬), પૃ. ૨૦૪; જિનરત્નકોશ, પૃ. ૩૪૪ ૭. સંપાદક - મુનિ પુણ્યવિજયજી, આત્માનન્દ જૈન ગ્રન્થમાલા, ભાવનગર, ૧૯૩૧; ગુજરાતી અનુવાદ - ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા, આત્માનન્દ જૈન ગ્રન્થમાલા, ભાવનગર, વિ.સં. ૨૦૦૩; જિનરત્નકોશ, પૃ. ૩૪૪; આ ગ્રન્થનો પ્રથમ ખંડ જ હજુ સુધી પ્રકાશિત થયો છે. તેમાં પણ ૧૯-૨૦ સંભકો અનુપલબ્ધ છે તથા ૨૮મો અપૂર્ણ છે. સ્વીડીશ ભાષામાં પણ આનો અનુવાદ પ્રકાશિત થયો છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય યાત્રાઓમાં વસુદેવ કેવા કેવા લોકોને મળવાનો અવસર પામે છે, તેને કેવા કેવા અનુભવો થાય છે એ બધું વસુદેવદિંડીમાં વર્ણિત છે. આખી કૃતિ સો લંભકોમાં પૂરી થાય છે અને તે બે ખંડોમાં વિભક્ત છે. પ્રથમ ખંડમાં ૨૯ લંભકો છે અને તેનું પરિમાણ ૧૧ હજાર શ્લોકપ્રમાણ છે. આ ખંડના કર્તા સંઘદાસણ વાચક છે. બીજા ખંડમાં ૭૧ લંભકો છે, તેનું પરિમાણ ૧૭ હજાર શ્લોકપ્રમાણ છે અને તેના કર્તા ધર્મદાસણ છે. હકીકતમાં તો ધર્મદાસગણિએ પોતાના ૭૧ લંભકોના સંદર્ભને પ્રથમ ખંડના ૧૮મા લંભકની પ્રિયંગુસુંદરીકથા સાથે જોડ્યો છે યા તો કહેવાય કે એક રીતે ત્યાંથી કથાનો વિસ્તાર કર્યો છે અને આ રીતે સંઘદાસની વસુદેવહિંડી (પ્રથમ ભાગ)ના પેટમાં પોતાના અંશને ભરવા પ્રયત્ન કર્યો છે. કહેવાનું એ કે સંઘદાસગણિની ૨૯ લંભકોવાળી કૃતિ સ્વતંત્ર અને સ્વયં પૂર્ણ હતી. પણ પછીથી ધર્મદાસગણિએ પોતાની કૃતિનું સર્જન કરી સંઘદાસગણિની કૃતિના મધ્યમ અંશ (૧૮મા લંભક) સાથે જોડી દીધી. કથાનું વિભાજન છ પ્રકરણોમાં કરવામાં આવ્યું છે – કહુષ્પત્તિ (કથોત્પત્તિ), પીઢિયા (પીઠિકા), મુહ (મુખ), પદ્મિમુહ (પ્રતિમુખ), સરીર (શરીર), અને ઉવસંહાર (ઉપસંહાર). પ્રથમ કથોત્પત્તિમાં જમ્બુસ્વામિચરિત, કુબેરદત્તરિત, મહેશ્વરદત્તઆખ્યાન, વલ્કલચીરિ-પ્રસન્નચન્દ્ર આખ્યાન, બ્રાહ્મણદારકકથા, અણાઢિયદેવોત્પત્તિ વગેરેનું આલેખન કરી અન્ને વસુદેવચરિત્રની ઉત્પત્તિ દર્શાવી ૧૪૧ છે. પ્રથમ પ્રકરણ પછી ૫૦ પૃષ્ઠોનું એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ ધમ્મિલ્લહિંડી નામનું આવે છે. તેમાં ધમ્મિલ્લ નામના કોઈ સાર્થવાહપુત્રની કથા આપવામાં આવી છે. ધમ્મિલ્લ દેશદેશાન્તરમાં ભ્રમણ કરી ૩૨ કન્યાઓ સાથે લગ્ન કરે છે. આ પ્રકરણનું વાતાવરણ સાર્થવાહોની દુનિયાથી વ્યાપ્ત છે. આ પ્રકરણમાં શીલવતી, ધનશ્રી, વિમલસેના, ગ્રામીણ ગાડાવાળો, વસુદત્તા આખ્યાન, રિપુદમન નરપતિ આખ્યાન તથા કૃતઘ્ન કાગડો વગેરે સુન્દર લૌકિક આખ્યાનો અને કથાઓ મળે છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિ જાણવા માટે ધમ્મિલપિંડી પ્રકરણ બહુ જ મહત્ત્વનું છે. ઉક્ત પ્રકરણ પછી બીજા પ્રકરણની પીઠિકા આવે છે. તેમાં પ્રદ્યુમ્ન અને શમ્બુકુમારની કથા, બલરામ-કૃષ્ણની પટરાણીઓનો પરિચય, પ્રદ્યુમ્નકુમારનો જન્મ અને તેમનું અપહરણ વગેરે પ્રદ્યુમ્નચરિતમાં આપ્યું છે. ત્રીજા પ્રકરણ મુખમાં કૃષ્ણપુત્ર શામ્બ અને ભાનુની ક્રીડાઓનું વર્ણન છે. તે અનેક સુભાષિતોથી ભર્યું છે. ચોથા પ્રકરણ પ્રતિમુખમાં અન્ધકવૃષ્ણિનો પરિચય અને તેના પૂર્વભવોનું વર્ણન Page #164 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય છે. અન્યકવૃષ્ણિના પુત્રોમાં જ્યેષ્ઠ સમુદ્રવિજય હતો અને કનિષ્ઠ વસુદેવ. વસુદેવની આત્મકથા, પ્રધુમ્ને વ્યંગ કરવાથી, શરૂ થાય છે. પ્રસંગ એ છે કે સત્યભામાના પુત્ર સુભાનુના વિવાહ માટે ૧૦૮ કન્યાઓને એકત્ર કરવામાં આવી પરંતુ તેમને છીનવી લઈને રુકૃમિણીપુત્ર શામ્બે વિવાહ કરી લીધા. તેથી પ્રદ્યુમ્ને પોતાના દાદા વસુદેવને કહ્યું, ‘જુઓ ! શામ્બે તો કંઈ કર્યા વિના બેઠાબેઠા જ ૧૦૮ વધુઓ મેળવી લીધી જ્યારે આપ તો સો વર્ષ સુધી દેશદેશાન્તરમાં ભ્રમણ કરીને સો મણિઓને જ મેળવી શક્યા.' વસુદેવે ઉત્તર આપ્યો કે શામ્બ તો કૂપમંડૂક છે એટલે સરળતાથી પ્રાપ્ત ભોગોથી તે સંતુષ્ટ થઈ જાય છે. મેં તો પર્યટન કરી અનેક સુખદુઃખોનો અનુભવ કર્યો છે. પર્યટન દ્વારા વિવિધ પ્રકારના અનુભવો થાય છે અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ત્યાર પછી વસુદેવ પોતાના સો વર્ષોના ભ્રમણનું વિવરણ પ્રસ્તુત કરે છે. ૧૪૨ પાંચમું પ્રકરણ શરીર પહેલા લંભકથી શરૂ થઈ ૨૯મા લંભકમાં સમાપ્ત થાય છે. તેમાં જે કન્યાઓ સાથે લગ્ન થાય છે તે કન્યાઓનાં નામો ઉપરથી તે તે લંભકનું નામ રાખવામાં આવ્યું છે. આ લંભકોના કથાપ્રસંગોમાં જૈન પુરાણોમાં આવેલાં અનેક ઉપાખ્યાનો, ચરિતો, અર્ધ ઐતિહાસિક વૃત્તોનું સંકલન ક૨વામાં આવ્યું છે. આ સંકલન પશ્ચાદ્ભર્તી અનેક કાવ્યો અને કથાઓનું ઉપજીવ્ય છે. ગર્વદત્તા લંભકમાં વિષ્ણુકુમારચરિત, ચારુદત્તરિત આવે છે તથા જૂના જમાનામાં આપણા દેશમાં સાર્થ (કાફલો) કેવી રીતે ચાલતો હતો અને વ્યાપારી માલ લાદી સમુદ્રમાર્ગે દેશવિદેશ અર્થાત્ ચીન, સુવર્ણભૂમિ, યવદ્વીપ, સિંહલ, બર્બર અને યવન દેશની સાથે કેવી રીતે વેપાર કરતો હતો વગેરેનું જીવંત ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. આ જ ગર્વદત્તા લંભકમાં અથર્વવેદપ્રણેતા પિપ્પલાદની કથા આપવામાં આવી છે. નીલજલસા અને સોમિસિર આ બે લંભકોમાં આખું ઋષભદેવપુરાણ આપવામાં આવ્યું છે. તેમાં પર્વત-નારદ-વસુ ઉપાખ્યાન પણ આપવામાં આવ્યું છે. તેમાં જ કેટલાંય તીર્થોની ઉત્પત્તિકથાઓ પણ આપવામાં આવી છે. સાતમા લંભક પછી પ્રથમ ખંડનો બીજો અંશ શરૂ થાય છે. મદનવેગા લંભકમાં સનત્કુમાર ચક્રવર્તીની કથા તથા રામાયણની કથા આપવામાં આવી છે. અહીં નિરૂપિત રામકથા પઉમરિયની રામકથાથી કેટલીય વાતોમાં ભિન્ન છે. તે ૧. જર્નલ ઑફ ઑરિએન્ટલ ઈંસ્ટિટ્યૂટ, વડોદરા, વૉલ્યૂમ ૨, ભાગ ૨, પૃ. ૧૨૮માં પ્રો. વી. એમ. કુલકર્ણીનો લેખ - ‘વસુદેવહિંડીની રામકથા’. Page #165 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧ ૪૩ વાલ્મીકિ રામાયણ સાથે ઘણી બધી મળતી છે. સીતાને વિશે કહેવામાં આવ્યું છે કે તે મંદોદરીની પુત્રી હતી. તેને એક નાની પેટીમાં મૂકી રાજા જનકની ઉદ્યાનભૂમિમાં દાટી દીધી હતી, જ્યાંથી હળ ચલાવતી વખતે તે મળી હતી. ૧૮માં પ્રિયંગસુંદરી લંભકમાં સગરપુત્રોએ જયારે કૈલાશ પર્વતની ચારે તરફ ખાઈ ખોદી ત્યારે તેઓ બળીને ભસ્મ થઈ ગયા, તે કથાને વર્ણવી છે. ૧૯-૨૦ સંભકો નષ્ટ થઈ ગયા છે. તે પછી કેતુમતી લંભકમાં શાંતિ, કુંથુ, અર તીર્થકરોનાં ચરિતો તથા ત્રિપૃષ્ઠ વગેરે નારાયણો અને પ્રતિનારાયણોનાં ચરિતો પણ આલેખાયાં છે. પદ્માવતી લંભકમાં હરિવંશકુલની ઉત્પત્તિ દર્શાવી છે. દેવકીલંભકમાં કંસના પૂર્વભવોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આમ વસુદેવહિડીમાં અનેક આખ્યાન, ચરિતો, અર્ધ ઐતિહાસિક વૃત્તો આવે છે. તે બધાંને ઉત્તરકાલીન પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ કવિઓએ પલ્લવિત કરી અનેક કાવ્યોનું સર્જન કર્યું છે. આ ગ્રન્થ હરિભદ્રની સમરાઈઐકહાનો પણ સ્રોત છે. આમાંથી જ અગડદત્તના ચરિતને વિકસિત કરવામાં આવ્યું છે. જબૂચરિતોના સ્રોતો પણ આમાં મળે છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના બે ખંડોના બે ભિન્ન કર્તા છે. પહેલા ખંડના કર્તા સંઘદાસગણિ વાચક છે અને બીજાના કર્તા ધર્મદાસગણિ છે. પરંતુ તેમનાં જીવનવૃત્ત અંગે અને તેમની અન્ય કૃતિઓ અંગે કંઈ માહિતી મળતી નથી. આ કથા આગમેતર સાહિત્યમાં પ્રાચીનતમ ગણાય છે. આવશ્યકચૂર્ણિના કર્તા જિનદાસગણિએ તેનો ઉપયોગ કર્યો છે. નિશીથચૂર્ણિમાં સેતુ અને ચેટક કથાની સાથે તેનો “વસુદેવચરિત' નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પોતાની કૃતિ વિશેષણવતીમાં પણ તેનો નિર્દેશ કર્યો છે. આ ઉલ્લેખો ઉપરથી જણાય છે કે તેનો રચનાકાળ લગભગ પાંચમી શતાબ્દી હોવો જોઈએ. તેની ભાષા પણ પ્રાચીન મહારાષ્ટ્ર પ્રાકૃત છે જેની તુલના ચૂર્ણિ ગ્રન્થોની ભાષા સાથે કરી શકાય છે. દિલ્સો, ગચ્છીય, વહાએ, પિવ, ગેહેમ્પિ વગેરે રૂપો તથા દેશી શબ્દોના પ્રયોગો તેમાં મળે છે. આ કથાગ્રન્થ ગદ્યાત્મક સમાસાન્ત પદાવલીથી વિભૂષિત છે. વચ્ચે વચ્ચે પદ્યો પણ આવે છે. ભાષા સરળ, સ્વાભાવિક અને પ્રાસાદગુણયુક્ત છે. ૧. વસુદેવહિંડીની ભાપા વિશે ડૉ. આોનો લેખ “બુલેટિન ઑફ ધ સ્કૂલ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ’, વૉલ્યુમ ૮, તથા વસુદેવસિંડીના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવના. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જેન કાવ્યસાહિત્ય જર્મન વિદ્વાન આન્સ્ટોફ વસુદેવસિંડીની તુલના ગુણાઢ્યની પૈશાચી ભાષામાં રચાયેલી બૃહત્કથા સાથે કરે છે. સંઘદાસગણિની આ કૃતિને તે બૃહત્કથાનું રૂપાન્તર માને છે. બૃહત્કથામાં નરવાહનદત્તની કથા આપવામાં આવી છે અને તેમાં વસુદેવનું ચરિત છે. ગુણાઢ્યની ઉક્ત રચનાની જેમ આમાં પણ શૃંગારકથાની પ્રધાનતા છે પરંતુ અંતર એ છે કે જૈનકથા હોવાથી આમાં વચ્ચે વચ્ચે ધર્મોપદેશ વિખરાયેલો પડ્યો છે. વસુદેવહિંડીમાં એક બાજુ સદાચારી શ્રમણ, સાર્થવાહ અને વ્યવહારપટુ વ્યક્તિઓનાં ચરિતો આલેખાયાં છે તો બીજી બાજુ કપટી તપસ્વી, બ્રાહ્મણ, કુટ્ટની, વ્યભિચારિણી સ્ત્રીઓ અને હૃદયહીન વેશ્યાઓના ચરિતો આલેખાયાં છે. કથાનકોની શૈલી સરસ અને સરળ છે. વસુદેવહિંડીસાર – ૨૮ હજાર શ્લોકપ્રમાણ વિશાળ કથાગ્રન્થ વસુદેવહિંડીનો આ સારસંક્ષેપ છે, તે ૨૫૦ શ્લોકપ્રમાણ પ્રાકૃત ગદ્યમાં લખાયો છે. આ વસુદેવહિડીસારના કર્તા કોણ છે, તેમણે શા માટે સારોદ્ધાર કર્યો, એનો નિશ્ચય થઈ શક્યો નથી. ગ્રન્થના અંતે કેવળ એટલું જ લખ્યું છે કે “3 સંવે સિરિનિહાળસૂરો ઋણ હી દિયા' અર્થાત્ શ્રીગુણનિધાનસૂરિ માટે સંક્ષેપમાં કથા કહેવામાં આવી છે. પરંતુ કોણે કહી છે એ જણાવવામાં આવ્યું નથી. આ પ્રતિમાં તેનો સ્પષ્ટ કે અસ્પષ્ટ ઉલ્લેખ પણ નથી. તેના સંપાદક પં. વીરચન્દ્ર અનુસાર આ કૃતિ ત્રણ સો કે ચાર સો વર્ષોથી વધુ પ્રાચીન નથી. તેને વસુદેવહિડીઆલાપક' પણ કહે છે પરંતુ કૃતિના અંતે “વસુદેવદિંડી વક્રદી સત્તા લખ્યું છે તેથી તેનું “વસુદેવહિડીસાર' નામ બરાબર છે. પ્રદ્યુમ્નચરિત – વીસમા કામદેવ વસુદેવના પૌત્ર તથા નવમાં નારાયણ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન જૈનધર્મસંમત એકવીસમા કામદેવ (અતિશય રૂપવાન) હતા. પ્રદ્યુમ્નનું ચરિત જૈન કવિઓને એટલું તો રુચિકર હતું કે તેને સાધારણ પુરાણોમાં પર્યાપ્ત સ્થાન દેવા ઉપરાંત સ્વતંત્ર કાવ્યો પણ તેના ઉપર તેમણે રચ્યાં. આજ સુધી સંસ્કૃત, ૧. બૃહત્કથાનું સંસ્કૃત રૂપાન્તર સોમદેવકૃત કથાસરિત્સાગર મળે છે, તેમાં નરવાહનદત્ત સાથે વિવાહિત કન્યાઓનાં નામ ઉપરથી લંભકોનાં નામ રાખવામાં આવ્યાં છે. ૨. હેમચન્દ્રાચાર્ય ગ્રન્થાવલી (સં. ૪), પાટણ, સન્ ૧૯૧૭ ૩. વસુદેવહિડી, જિનસેનનું હરિવંશપુરાણ (સર્ગો ૪૭-૪૮), હેમચન્દ્રનું ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત, ગુણભદ્રનું ઉત્તરપુરાણ – આ બધાંમાં પ્રધુમ્નચરિત આપવામાં આવ્યું છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય અપભ્રંશ અને હિંદીમાં તેના ઉપર રચાયેલી ૨૫થી વધુ કૃતિઓ મળી છે. અહીં સંસ્કૃતમાં ઉપલબ્ધ કૃતિઓની સૂચી આપી કથાવસ્તુનો સંક્ષિપ્ત પરિચય આપીશું અને કેટલીક પ્રકાશિત કૃતિઓનો પણ. ૧. પ્રદ્યુમ્નચરિત મહાસેનાચાર્ય 11 ,, ૪. શામ્બપ્રદ્યુમ્નચરિત ૫. પ્રદ્યુમ્નચરિત "" ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. "" 33 33 "" 11 (૧૧મી સદી) (૧૫મી સદી) ભટ્ટારક સકલકીર્તિ ભટ્ટા. સોમકીર્તિ યા સોમસેન (સં. ૧૫૩૦) રવિસાગરણ શુભચન્દ્ર રત્નચન્દ્ર ભટ્ટા. મલ્લિભૂષણ ભટ્ટા. વાદિચન્દ્ર ભટ્ટા. ભોગકીર્તિ જિનેશ્વરસૂરિ યશોધર ૧૪૫ પ્રદ્યુમ્નની સંક્ષિપ્ત કથા – શ્રીકૃષ્ણની રાણી રુક્મિણીથી પ્રદ્યુમ્ન જન્મ્યા હતા. જન્મની છઠ્ઠી રાતે તેને ધૂમકેતુ રાક્ષસ અપહરણ કરી લઈ ગયો અને એક શિલા નીચે દબાવી ભાગી ગયો. તે વખતે કાલસંવર વિદ્યાધરે તેને ઉપાડી લીધો અને પોતાની પત્નીને પુત્રરૂપે ઉછેરવા આપી દીધો. જ્યારે પ્રદ્યુમ્ન યુવાન થયો ત્યારે તેણે કાલસંવરના શત્રુ સિંહરથને હરાવ્યો. પ્રદ્યુમ્નનું બળ અને તેનું પ્રતિભાચાતુર્ય જોઈ કાલસંવરના બીજા પુત્રો ઈર્ષાથી બળવા લાગ્યા. જિનદર્શનના બહાને તેઓ તેને વનમાં લઈ ગયા અને એક પછી એક અનેક વિપત્તિઓમાં તેને ફસાવતા ગયા પરંતુ પ્રદ્યુમ્ન તો નિર્ભયતાથી વિપત્તિઓ ઉપર વિજય મેળવી અનેક વિદ્યાઓ પામી સમૃદ્ધ બની ગયો. તેણે પોતાના બુદ્ધિકૌશલથી પાલક માતા કંચનમાલા પાસેથી પણ ત્રણ વિદ્યાઓ પ્રાપ્ત કરી. પરંતુ કંચનમાલા પોતાનો સ્વાર્થ સધાતો નથી એ જોઈ ગુસ્સે થઈ ગઈ. કાલસંવરના કાન ભર્યા. તે પ્રદ્યુમ્નને મારવા તૈયાર થયો. તે જ વખતે નારદે આવી પ્રદ્યુમ્નનો બચાવ કર્યો. પછીથી વાસ્તવિક સ્થિતિની જાણ થઈ. પ્રદ્યુમ્ન દ્વારિકા જવા નીકળ્યા. રસ્તામાં દુર્યોધનના વિવાહ માટે જઈ રહેલી કન્યાનું અપહરણ કરી વિમાન દ્વારા દ્વારિકા આવ્યા. દ્વારિકા પા આવ્યા પછી પોતાની બીજી માતાના પુત્ર ભાનુકુમાર અને સત્યભામાને પોતાની વિદ્યાઓથી ૧. જિનરત્નકોશ, પૃ. ૨૬૪ અને ૪૩૩ (સં. ૧૬૪૫) તપાગચ્છ (૧૭મી સદી) (સં. ૧૬૭૧) તપાગચ્છ (૧૭મી સદી) (૧૭મી સદી) અજ્ઞાત સમય અજ્ઞાત સમય અજ્ઞાત સમય I Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ચકિત કરી દીધા. ત્યાર બાદ બ્રહ્મચારીનો વેશ લઈ તે પોતાની માતા રુણિ પાસે ગયા. ત્યાં પોતાના કાકા બલરામ અને સત્યભામાની દાસીઓની પજવણી કરી. પછી પ્રદ્યુમ્ને માયામયી રુમિણીને શ્રીકૃષ્ણની સભા આગળથી હાથ પકડી ખેંચી લઈ જઈને શ્રીકૃષ્ણને લલકાર્યા. કૃષ્ણ અને પ્રદ્યુમ્ન વચ્ચે ખૂબ યુદ્ધ થયું. આની વચ્ચે નારદે આવીને પ્રદ્યુમ્નનો પરિચય આપ્યો. તેથી બધા ખૂબ રાજી થયા. પ્રધુમ્નનું સારું સ્વાગત કરવામાં આવ્યું અને નગરમાં ઉત્સવ કરવામાં આવ્યો. પ્રદ્યુમ્ને ઘણો સમય રાજસુખ ભોગવ્યા પછી દીક્ષા લીધી અને અંતે નિર્વાણ પ્રાપ્ત કર્યું. પ્રદ્યુમ્નચરિત્ર ઉપર રચાયેલી કૃતિઓના ઉપર આપેલા કોઠા પ્રમાણે એમ કહી શકાય કે આ ચરિત્રને સૌપ્રથમ સ્વતન્ત્ર ચરિત્ર અને કાવ્યના રૂપમાં પ્રસ્તુત કરવાનું શ્રેય પરમારવંશીય નરેશ સિન્ધુરાજ (ઈ.સ. ૯૯૫-૯૯૮)ના સમકાલીન આચાર્ય મહાસેનને જાય છે. આ કાવ્યનું વર્ણન શાસ્ત્રીય મહાકાવ્યોના પ્રસંગે કરવામાં આવશે. જૈન કાવ્યસાહિત્ય કાલક્રમે સંસ્કૃતમાં દ્વિતીય રચના ભટ્ટા. સકલકીર્તિ (૧૫મી સદી) દ્વારા નિર્મિત પ્રદ્યુમ્નચરિતનો ઉલ્લેખ મળે છે. પ્રધુમ્નરિત – ભટ્ટા૨ક સોમકીર્તિકૃત પ્રધુમ્નચરિત કાલક્રમમાં ત્રીજી રચના છે. તેનાં બે સંસ્કરણ છે : પહેલામાં ૧૬ સર્ગ છે, તેનું પરિમાણ ૬૦૦૦ શ્લોકપ્રમાણ છે, જ્યારે બીજામાં ૧૪ સર્ગ છે અને તેનું પરિમાણ ૪૮૫૦ શ્લોકપ્રમાણ છે. મૂલ કૃતિની ભાષા સંસ્કૃત બહુ જ સીધીસાદી છે. તેના પઠનથી જણાય છે કે કર્તાની આ પહેલી રચના હશે. તેમાં અર્થગાંભીર્ય, સૌન્દર્ય તથા શબ્દોનું સંગઠન ઉદાત્ત નથી. છતાં કથાપ્રબંધ સુન્દર તથા ચિત્તાકર્ષક છે. કર્તા અને રચનાકાલ ગ્રન્થના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાં કર્તાનો પરિચય આપવામાં આવ્યો છે. તે અનુસાર ભટ્ટારક સોમકીર્તિ કાષ્ઠાસંઘની નન્દીતટ શાખાના સંત હતા તથા દસમી શતાબ્દીના પ્રસિદ્ધ ભટ્ટારક રામસેનની પરંપરામાં તે થયા હતા. તેમના દાદાગુરુ લક્ષ્મીસેન હતા અને ગુરુ ભીમસેન હતા. સં. ૧૫૧૮ (સન્ ૧૪૬૧)માં રચાયેલી એક ઐતિહાસિક પટ્ટાવલીમાં તેમણે પોતાને કાષ્ઠાસંઘના ૮૭મા ભટ્ટારક કહ્યા છે. તેમના ગૃહસ્થજીવનનો કોઈ પરિચય મળતો 1 ૧. માણિક્યચન્દ્ર દિગ. જૈન ગ્રન્થમાળા, સં. ૮; પં. નાથૂરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૧૧; જિનરત્નકોશ, પૃ. ૨૬૪ ૨. ડૉ. ગુ. ચ. ચૌધરી, પોલિટિકલ હિસ્ટ્રી ઑફ નોર્ધન ઈંડિયા, પૃ. ૯૫ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૬૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય નથી પરંતુ સં. ૧૫૧૮માં તે ભટ્ટારક પદ ઉપર હતા. ઉક્ત ગ્રન્થની પ્રશસ્તિમાં રચનાકાળ સં. ૧૫૩૧ પોષ સુદ ૧૩ બુધવાર આપ્યો છે. આ કાવ્ય ઉપરાંત કવિએ સંસ્કૃતમાં યશોધરચરિત અને સપ્તવ્યસનકથા લખી હતી અને અનેક કૃતિઓ રાજસ્થાનીમાં પણ રચી હતી. ૧૪૭ સામ્ભપ્રદ્યુમ્નચરિત – આમાં પ્રદ્યુમ્ન અને તેના અનુજ સામ્બનાં લોકરંજક ચરિત્રોનું આલેખન ૧૬ સર્ગોમાં પ્રાંજલ સંસ્કૃતમાં કરવામાં આવ્યું છે. આ કાવ્ય ૭૨૦૦ શ્લોકપ્રમાણ છે. કથાના ઉપોદ્ઘાતમાં કહ્યું છે કે આ કથા અન્તકૃદશાંગના ચોથા વર્ગના આઠમા સૂત્રમાં આવે છે અને તેને સુધર્મા ગણધરે જમ્બુને કહી હતી. કર્તા અને રચનાકાળ કૃતિના અન્તે ૫૩ પઘોની એક પ્રશસ્તિ છે અને એક પુષ્પિકા પણ છે. તેમાંથી જાણવા મળે છે કે આ કૃતિના કર્તા નૂતનચરિત્રક૨ણપ૨ાયણ પંડિતચક્રચક્રવર્તી પં. શ્રી રવિસાગરગણિ છે. તેમણે આ કૃતિને સં. ૧૬૪૫માં પૂરી કહી હતી અને તેમના શિષ્ય જ્ઞાનસાગરે તેને લિપિબદ્ધ કરી હતી. તપાગચ્છના હીરવિજયસત્તાનીય રાજસાગર તેમના દીક્ષાગુરુ હતા અને સહજસાગર તથા વિનયસાગર તેમના અધ્યાપક હતા.૪ આ રચના તેમણે માંડિલ નગરમાં ખેંગાર રાજાના રાજ્યકાળમાં કરી હતી.પ પ્રદ્યુમ્નચરિત – આને મહાકાવ્ય પણ કહેવામાં આવ્યું છે. તે ૧૬ સર્ગોમાં વિભક્ત છે. તેનું પરિમાણ ૩૫૬૯ શ્લોકપ્રમાણ છે. તેમાં પ્રદ્યુમ્નને નિમિત્ત ૧. સર્ગ ૧૮, પદ્ય સં. ૧૬૯ ૨. ડૉ. કસ્તૂરચન્દ્ર કાસલીવાલ, રાજસ્થાન કે જૈન સન્ત : વ્યક્તિત્વ ઔર કૃતિત્વ, જયપુર, ૧૯૬૧, પૃ. ૪૩; જિનરત્નકોશ, પૃ. ૨૬૪; હિન્દી અનુવાદ - બુન્દૂલાલ પાર્ટની, જૈન ગ્રન્થ કાર્યાલય, મદનગંજ, રાજસ્થાન ૩. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૭; પં. મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, વિ.સં. ૨૦૦૮; જિનરત્નકોશ, પૃ. ૨૬૪ અને ૪૩૩ ૪. પદ્ય સં. ૪૮-૫૩ ५. तस्मिन् मांडलिनाम्नि चारुनगरे खेंगारराजोत्तमे, सम्पूर्णसमजायतोरुचरितं प्रद्युम्ननामानां । संख्यातश्च सहस्रसप्तकमिदं द्वाभ्यां शताभ्यां (७२००) शुभं, पंचांभोनिधिषनिशापतिमिते १६४५ वर्षे चिरं नंदतान् ॥ ૬. બી. બી. એન્ડ કું, ખારગેટ, ભાવનગર, વિ.સં. ૧૯૭૪; જિનરત્નકોશ, પૃ. ૨૬૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જેન કાવ્યસાહિત્ય બનાવીને સૌરાષ્ટ્ર વગેરે દેશો, દ્વારિકા વગેરે નગરીઓ, વિવિધ વન, નગ, સરોવર વગેરેનાં સરસ પ્રાકૃતિક વર્ણનો આપવામાં આવ્યાં છે. એક બાજુ રકૃમિણી, સત્યભામા વગેરે કૃષ્ણની પત્નીઓના જીવનાલેખન દ્વારા સ્ત્રીસ્વભાવનું, તો બીજી બાજુ પ્રવાસ, યાત્રાઓ વગેરેના સુયોગ્ય ચિત્રણ દ્વારા પ્રાચીન પુરુષોની પરદેશપ્રવાસકુશળતા અને યુદ્ધાદિ વર્ણનોમાં નીતિરીતિપરાયણતાનું દર્શન કરાવવામાં આવ્યું છે. કાવ્યમાં ક્યાંક ક્યાંક વસંત, કામકેલિ વગેરે દ્વારા યુવકોનું મનોરંજન કરવામાં આવ્યું છે તો ક્યાંક ક્યાંક આવતાં-જતાં પક્ષીઓ અને અંગફુરણ અને તેમનાં ફલાફલની સૂચના શકુનશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવી છે. આમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થોની સફળતા દર્શાવવામાં કવિએ પોતાની કુશળતા પ્રગટ કરી છે. કર્તા અને રચનાકાળ – કવિએ પોતાનો અતિ સંક્ષિપ્ત પરિચય પ્રત્યેક સર્ગમાં આપ્યો છે તથા અન્તમાં વિસ્તારપૂર્વક વંશાવલી આપી છે. તેમાંથી જાણવા મળે છે કે તે તપાગચ્છમાં હીરવિજયસન્સાનીય શાન્તિચન્દ્ર વાચકના શિષ્ય રત્નચન્દ્રગણિ થયા. આ કૃતિ તેમણે સૂરતમાં સં. ૧૬૭૪ના આસો મહિનાની વિજયાદસમીના દિવસે પૂર્ણ કરી હતી. ૧ રત્નચન્દ્રગણિએ નાની મોટી અનેક રચનાઓ કરી હતી એ વાત આ કૃતિના પ્રત્યેક સર્ગના સમાપ્તિવાક્યમાંથી જાણવા મળે છે. તે અનુસાર ભક્તામરસ્તવ, ધર્મસ્તવ, ઋષભવીરસવ, કૃપારસકોષ, અધ્યાત્મકલ્પદ્રુમ, નૈષધમહાકાવ્યવૃત્તિ, રઘુવંશકાવ્યવૃત્તિ આદિ અનેક કૃતિઓ તેમની છે. નાગકુમારચરિત – બાવીસમાં કામદેવ નાગકુમારનું ચરિત શ્રુતપંચમી વ્રતનું માહાસ્ય પ્રગટ કરવા માટે જૈન કવિઓએ કથાબદ્ધ કર્યું છે. આ ચરિત ઉપર મહાકવિ પુષ્પદન્તની અપૂર્વ કૃતિ નાયકુમારચરિઉ અપભ્રંશમાં છે પરંતુ સંસ્કૃતમાં પણ કેટલીય રચનાઓ થઈ છે જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે આપ્યું છે. ૧. રત્નયોગીન્દ્ર કે રત્નાકર પાંચ સર્ગ સમય અજ્ઞાત ૨. શિખામણિ સમય અજ્ઞાત ૩. જિનસેનશિષ્ય મલ્લેિષણ ૫૦૦ શ્લોકપ્રમાણ ૧૧-૧૨મી સદી ૪. ધર્મધર કે ધર્મવીર પ૩ પત્ર, પ્રત્યેકમાં સમય અજ્ઞાત ૧૦ પંક્તિ અને પ્રત્યેક પંક્તિમાં ૩૨ અક્ષર ૧. યુગમુનિસશશિવર્ષે (૨૬૭૪) મારી વિનયવિવસે . सूरतबन्दरे महोपाध्यायश्रीरत्नचन्द्रगणिभिः विरचितम् ॥ त्रिसहस्रा पंचशती पुनरेकोनसप्ततिः श्लोकानाम् (३५६९) ૨. જિનરત્નકોશ, પૃ. ૨૦૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૪૯ ૫. દામનન્ટિ સમય અજ્ઞાત ૬. વીરસેનશિષ્ય શ્રીધરસેન સમય અજ્ઞાત સ્થાન ગોનર્દ ૭. વાદિરાજ સમય અજ્ઞાત ૮. અજ્ઞાતકર્તક કથાસાર – કનકપુરના રાજા જયંધર અને રાણી પૃથ્વીને નાગકુમાર નામનો પુત્ર થયો. બાળપણમાં નાગોએ તેની રક્ષા કરી હોવાથી તેનું નામ નાગકુમાર પાડવામાં આવ્યું. નાગદેશથી જ તે અનેક વિદ્યાઓ શીખી યુવાન થયો હતો અને ત્યાંની સુંદર કિન્નરીઓ સાથે તેણે લગ્ન કર્યા હતાં. નાગકુમારનો ઓરમાન ભાઈ શ્રીધર તેના ઉપર ઈષદ્વિષ કરતો હતો. એક વાર જ્યારે નાગકુમાર નગરના એક મદોન્મત્ત હાથીને વશ કરવામાં સફળ થઈ ગયો ત્યારે શ્રીધર ખૂબ જ ક્રોધે ભરાયો. નાગકુમાર પોતાના પિતાના આગ્રહને વશ થઈ કેટલાક સમય માટે વિદેશભ્રમણ માટે ગયો. સૌપ્રથમ તે મથુરા પહોંચ્યો અને ત્યાંના રાજાની કન્યાને બન્દીગૃહમાંથી બહાર કાઢી તે કાશ્મીર ગયો. ત્યાં વીણાવાદનમાં ત્રિભુવનરતિને પરાજિત કરી તેની સાથે લગ્ન કર્યા. રમ્યફવનમાં કાલગુફાવાસી ભીમાસુર સાથે પ્રત્યક્ષ મેળાપ થયો. કાંચનગુફામાં પહોંચી તેણે અનેક વિદ્યાઓ અને અપાર સંપત્તિ પ્રાપ્ત કરી. પછી ગિરિશિખરવાસી રાજા વનરાજ સાથે એનો મેળાપ થયો અને તેની પુત્રી લક્ષ્મી સાથે લગ્ન કર્યા. ત્યાંથી તે ગિરનાર પર્વત તરફ ગયો. ત્યાં તેણે સિંધના રાજા ચંડપ્રદ્યોતની સામે ગિરિનગરના રાજાની – પોતાના મામાની – રક્ષા કરી અને તેના બદલામાં તેની પુત્રી સાથે લગ્ન કર્યા. તે પછી તેણે અબંધનગરના અત્યાચારી રાજા સુકંઠનો વધ કર્યો અને તેની પુત્રી રૂકમિણી સાથે લગ્ન કર્યા. છેવટે તેણે પિહિતાવ મુનિ પાસેથી પોતાની પ્રિયા લક્ષ્મીમતીના પૂર્વભવની કથા સાંભળી તથા શ્રુતપંચમીના ઉપવાસનું ફળ સાંભળ્યું. આ બાજુ તેના ઓરમાન ભાઈ શ્રીધરે દીક્ષા લઈ લીધી એટલે તેના પિતાએ તેને બોલાવી તેનો રાજ્યાભિષેક કર્યો અને પિતાએ દીક્ષા લઈ લીધી. નાગકુમારે પણ રાજસુખ ભોગવી દીક્ષા ગ્રહણ કરી અને અન્ત તે મોક્ષે ગયા. નાગકુમારચરિત – આ પાંચ સર્ગોનું લઘુકાવ્ય છે. તેમાં ૫૦૭ શ્લોકો છે. તેમાં શ્રુતપંચમી યા શ્રીપંચમીના માહાભ્યને દર્શાવવા માટે વીસમા કામદેવના ચરિત્રનું આલેખન છે. તેને શ્રુતપંચમીકથા પણ કહેવામાં આવે છે. તેના પ્રારંભમાં ૧. જિનરત્નકોશ, પૃ. ૨૦૯; નાથુરામ પ્રેમી - જૈન સાહિત્ય ઔર ઈતિહાસ બીજું સંસ્કરણ), પૃ. ૩૧૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કહેવામાં આવ્યું છે કે જયદેવ વગેરે કવિઓએ જે ગદ્યપદ્યમયી કથાઓ રચી છે તે મંદબુદ્ધિઓને માટે કઠણ છે. હું મલ્લિષેણ વિદ્વજ્જનોના મનને હરનારી તે કથાને પ્રસિદ્ધ સંસ્કૃત વાક્યોમાં પદ્યપદ્ધ કરું છું.' આ કાવ્ય બહુ સરલ, સુગમ અને સુંદર છે. કર્તા અને રચનાકાળ ! – આ કૃતિના કર્તા મલ્લિષેણ છે. ગ્રન્થના અન્તે આપેલી પ્રશસ્તિમાંથી કવિ અને કાવ્ય વિશે પર્યાપ્ત માહિતી મળે છે. તેના અનુસાર, તે પેલા અજિતસેનની શિષ્યપરંપરામાં થયા છે જે અજિતસેન ગંગનરેશ રાયમલ્લ અને તેમના મંત્રી તથા સેનાપતિ ચામુંડરાયના ગુરુ હતા અને જેમને નેમિચંદ્ર સિદ્ધાન્તચક્રવર્તીએ ‘ભુવનગુરુ’ કહ્યા છે. અજિતસેનના શિષ્ય કનકસેન, કનકસેનના શિષ્ય જિનસેન, અને જિનસેનના શિષ્ય મલ્લિષેણ. મલ્લિષેણે જિનસેનના અનુજ યા સતીર્થ નરેન્દ્રસેનને પણ ગુરુરૂપે યાદ કર્યા છે. તે ન્યાયવિનિશ્ચયવિવરણકાર વાદિરાજના સમકાલીન હતા. તેમનો સમય અગીઆરમી સદીનો અંત કે બારમીનો પ્રારંભ હોઈ શકે. તેમની અનેક રચનાઓ મળે છે, જેમકે મહાપુરાણ, ભૈરવપદ્માવતીકલ્પ, સરસ્વતીમન્ત્રકલ્પ, જ્વાલિનીકલ્પ, કામચાંડાલીકલ્પ. આમાંથી કેવળ મહાપુરાણનો રચનાકાળ જેઠ સુદ ૫, શકસંવત્ ૯૬૯ (વિ.સં. ૧૧૦૪) આપવામાં આવ્યો છે. અન્ય કૃતિઓનો રચનાકાળ આપવામાં આવ્યો નથી. જીવન્ધરચરિત જૈનમાન્ય કામદેવોમાં જીવન્ધર તેવીસમા કામદેવ હતા. તેમના ચરિતને આધારે સંસ્કૃત અને તમિલમાં કવિઓએ ગદ્યકાવ્ય, ચમ્પકાવ્ય તથા સામાન્યકાવ્યોની રચના કરી છે. ગુણભદ્રકૃત ઉત્તરપુરાણના ૭૫મા અધ્યાયમાં જીવન્ધરની કથા સૌપ્રથમ જોવા મળે છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ થયેલી કૃતિઓની સૂચી નીચે આપી છે — ૧. ક્ષત્રચૂડામણિ યા જીવન્ધરચરિત (લઘુકાવ્ય) ૨. ગદ્યચિન્તામણિ (ગદ્યકાવ્ય) १. कविभिर्जयदेवाद्यैः गद्यैर्पद्यैर्विनिर्मितम् यत्तदेवास्ति चेदत्र विषमं मन्दमेधसाम् । प्रसिद्धैः संस्कृतैर्वाक्यैर्विद्वज्जनमनोहरम् यन्मया पद्यबन्धेन मल्लिषेणेन रच्यते ॥ * * * * * જૈન કાવ્યસાહિત્ય तेनैषा कविचक्रिणा विरचिता श्रीपंचमी सत्कथा । ૨. જિનરત્નકોશ, પૃ. ૧૪૧ વાદીભસિંહ ઓડયદેવ .. ,, Page #173 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૩. જીવન્ધરચમ્પૂ (ચમ્પકાવ્ય) ૪. જીવન્ધરચરિત ૫. ૬. ૭. '' ,, "" બ્રહ્મય્ય શુભચન્દ્ર (સં. ૧૬૦૩) જીવન્ધરની કથાનો સાર રાજપુરનો રાજા સત્યંધર વિષયાસક્ત થઈ રાજકાજથી વિમુખ બની ગયો અને રાજ્યભાર પોતાના મંત્રી કાઠાંગારને સોંપી દીધો. પોતાની રાણીના પ્રસવકાળમાં વિશ્વાસઘાતી મંત્રી ષડ્યન્ત્ર રચી રાજાને મારી નાખે છે. પટરાણી વિજયા અને અન્ય બે રાણીઓએ તથા રાજાના ચાર અન્ય વિશ્વાસુ મિત્રોની પત્નીઓએ ગુપ્તરૂપે જન્મેલા પુત્રને એક વિણા ઘરે ઉછેર્યો. રાણી વિજયાના એ પુત્રનું નામ જીવન્ધર પાડવામાં આવ્યું. તે બચપણથી જ સૂઝબૂઝવાળો અને ચમત્કારી હતો. આગળ ઉપર પોતાના અસાધારણ બુદ્ધિચાતુર્ય અને શૌર્યનો તેણે પરિચય કરાવ્યો. તેણે એક સાધુને પોતાના હાથે જમાડી તેનો ભસ્મક રોગ દૂર કર્યો. યુવાનીમાં પ્રવેશતાં તેણે એક પછી એક એમ આઠ સુન્દરી કન્યાઓ સાથે લગ્ન કર્યાં. પ્રત્યેક લગ્નપ્રસંગે પોતાની વિવિધ કલાઓનું પ્રદર્શન કરી તેણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. તે પોતાની જાદુઈ વીંટીની મદદથી વેશપલટો પણ કરી શકતો હતો. છેલ્લા લગ્નપ્રસંગે તેણે પોતાનો સાચો પરિચય અન્ય રાજાઓને આપ્યો અને તેમની મદદથી વિશ્વાસઘાતી મંત્રીનો વધ કરી રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. એક વાર બગીચામાં તેણે વાંદરાઓના ઝૂંડને ક્રોધમાં લડતું જોયું. તેથી તેને સંસાર પ્રત્યે ધૃણા થઈ ગઈ અને તે ભગવાન મહાવીરના સમવસરણમાં દીક્ષા લઈ તપસ્યા કરી મોક્ષે ગયા.૧ - ૧૫૧ મહાકવિ હરિચન્દ્ર ભાસ્કર કવિ સુચન્દ્રાચાર્ય ક્ષત્રચૂડામણિ – જીવન્ધરને ક્ષત્રિયોમાં ચૂડામણિતુલ્ય માની આ કાવ્યનું નામ ક્ષત્રચૂડામણિ રાખવામાં આવ્યું છે. તેનું બીજું નામ જીવન્ધરચરિત પણ છે. ૧. વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૦૦-૧૦૩. ૨. રાખતાં યુનાનોઽયં રચનાનો મહોયૈઃ । तेजसा वयसा शूरः क्षत्रचूडामणिर्गुणैः ॥ ૩. સંપાદક - ટી. એ. કુપ્પુસ્વામી, તંજોર, ૧૯૦૩; હિન્દી અનુવાદ, દિગંબર જૈન પુસ્તકાલય, સૂરત; જિનરત્નકોશ, પૃ. ૯૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧પર જૈન કાવ્યસાહિત્ય તેની રચના આદિથી અંત સુધી અનુષ્ટ્ર, છંદમાં થઈ છે. તેમાં કુલ મળીને ૭૪૬ શ્લોક છે. તે ૧૧ લમ્બ (લક્ષ્મ)માં વિભક્ત છે. તે પૂર્વવર્તી રચના ગદ્યચિન્તામણિથી એ અર્થમાં ભિન્ન છે કે ગદ્યચિન્તામણિ તો સંસ્કૃત ગદ્યમાં ઓજપૂર્ણ ભાષામાં શૃંગાર આદિ રસોથી ભરપૂર રચાઈ છે અને પ્રૌઢમતિ જનો દ્વારા પઠનીય છે જ્યારે પ્રસ્તુત કૃતિ બહુ જ સરળ અને પ્રસાદગુણયુક્ત શૈલીમાં રચાઈ છે અને તેને સુકુમારમતિવાળા જનો બહુ જ સારી રીતે વાંચી સમજી શકે છે. આ કૃતિની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કથાની સાથે સાથે નીતિ અને ઉપદેશ પણ સમાન્તર ચાલે છે. કવિ પ્રાયઃ શ્લોકના પૂર્વાર્ધમાં કથા કહેતા રહે છે અને સાથે સાથે ઉત્તરાર્ધમાં અર્થાન્તરન્યાસ દ્વારા કોઈ ને કોઈ નીતિ કે શિક્ષાની સુન્દર સૂક્તિ રજૂ કરે છે. ઉદાહરણાર્થ – अबोधयच्च तां पत्नी लब्धबोधो महीपतिः । . तत्त्वज्ञानं हि जागति विदुषामातिसम्भवे ॥ ૧. ૧૭ पराजेष्ट पुनस्तेन गवार्थं प्रहितं बलम् । स्वदेशे हि शशप्रायो बलिष्ठः कुञ्जरादपि ॥ २. ६४ मत्सरी कौरवेणायं भर्त्सनादयुयुत्सत । मत्सराणां हि नोदेति वस्तुयाथात्म्यचिन्तनम् ।। ૨૦. રૂબ કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા ઓડયદેવ વાદીભસિંહ છે. ગદ્યકાવ્ય ગદ્યચિન્તામણિના કર્તા અને આ કાવ્યના કર્તા એક જ હોવાનું અનુમાન છે. કેટલાક વિદ્વાન રચનાશૈલી અને શબ્દયોજનાની ભિન્નતાને કારણે બંને કૃતિઓના કર્તા એક હોવાની બાબતમાં સંદેહ કરે છે. કવિના ક્ષેત્ર અને સમય અંગે પણ વિવાદ છે. વી. શેષગિરિરાવના મતે કવિ કલિંગના ગંજામ જિલ્લાના રહેવાસી હતા. ગંજામ જિલ્લો તમિલનાડુની ઉત્તરે છે અને ઉડીસા પ્રાન્ત અન્તર્ગત છે. ત્યાં ઓડેય અને ગોડેય બે જાતિઓ રહે છે. સંભવતઃ કવિ ઓડેય જાતિના સરદારકુમાર ૧. ડૉ. હીરાલાલ જૈન, ભારતીય સંસ્કૃતિ મેં જૈનધર્મ કા યોગદાન, પૃ. ૧૭૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૫૩ હતા કારણ કે તેમનું નામ ઓડયદેવ પણ મળે છે. ઉડીસા અને તમિલદેશમાં લોકકથાઓમાં આજ પણ જીવન્ધરની કથા મળે છે. કવિના જીવન અંગે કંઈ જાણકારી મળતી નથી. તેમણે પોતાના ગુરુનું નામ પુષ્પસેન બતાવ્યું છે. વિદ્વાનોનું અનુમાન છે કે વાદીભસિંહ તેમની ઉપાધિ હતી કારણ કે તેમણે વાદી રૂપી સિંહોને જીત્યા હતા. કવિના સમય અંગે પણ વિદ્વાનો એક મત નથી. પરંતુ અધિકાંશ મતો અનુસાર તે કાં તો ૧૧મી સદીના પ્રારંભના કવિ હતા કાં તો ઉક્ત સદીના અંતના. કવિની અન્ય રચનાઓમાં ગદ્યચિન્તામણિ અને સ્યાદ્વાદસિદ્ધિ પ્રકાશિત છે. એક અન્ય જીવન્ધરચરિતના કર્તા ભટ્ટારક શુભચન્દ્ર છે. તેમાં ૧૩ સર્ગ છે. કવિએ તેને ધર્મકથા કહી છે. તેની રચના સં. ૧૬૦૩માં નવીનનગરના ચન્દ્રપ્રભ જિનાલયમાં થઈ છે. કર્તાનો વિશેષ પરિચય અને તેમની રચનાઓનો નિર્દેશ અમે તેમની અન્ય રચના પાંડવપુરાણના પ્રારંભમાં આપ્યો છે. જીવન્તર સંબંધી ગદ્યાત્મક કૃતિ ગદ્યચિન્તામણિનો પરિચય ગદ્યકાવ્યોમાં અને જીવન્યરચમ્પનો પરિચય ચમ્મકાવ્યોમાં કરાવવામાં આવશે. બાકીની જીવન્ડર સંબંધી રચનાઓનો તો ઉલ્લેખમાત્ર મળે છે. જબૂસ્વામિચરિત – જમ્બુ ભગવાન મહાવીરના અન્તિમ ગણધર તથા જૈનમાન્ય ૨૪ કામદેવોમાં અંતિમ કામદેવ હતા. આ ચરિત પણ જૈન કવિઓને ૧. સમયનિર્ણય માટે જુઓ ન્યાયકુમુદચન્દ્ર (મા. દિ. પ્રથ.), પ્રસ્તાવના, પૃ. ૧૧૧; સ્યાદ્વાદસિદ્ધિ (મા. દિ. ગ્રન્થ.), પ્રસ્તાવના, પૃ. ૧૧; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, મુંબઈ, ૧૯૫૬, પૃ. ૩૨૪-૩૨૮; ગદ્યચિન્તામણિ, શ્રીરંગમ્, ૧૯૧૬, પ્રસ્તાવના, પૃ. ૭-૮; જૈન સિદ્ધાન્ત ભાસ્કર, આરા, ભાગ ૬, કિરણ ૨, પૃ. ૭૮-૮૭ તથા ભાગ ૭, કિરણ ૧, પૃ. ૧-૮; હિસ્ટ્રી ઓફ ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર (એમ. કૃષ્ણમાચારી), મદ્રાસ, ૧૯૩૭, પૃ. ૪૭૭; ગઘચિન્તામણિ (ભારતીય જ્ઞાનપીઠ વારાણસી), પ્રસ્તાવના ૨. રાજસ્થાન કે જૈન સન્ત: વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧OO; પ્રશસ્તિ, પદ્ય ૭માં રચનાકાળ આપ્યો છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન કાવ્યસાહિત્ય એટલું બધું રોચક લાગ્યું કે તેના ઉપર તમ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં ૧૦૦થી વધુ રચનાઓ કરી છે, ૧૦૦થી વધુ રચનાઓ તો ઉપલબ્ધ છે. અહીં કાળક્રમે સંસ્કૃત, પ્રાકૃતમાં ઉપલબ્ધ સામગ્રી તથા સ્વતન્ત કાવ્યોની સૂચી નીચે આપી છે." ૧. સંઘદાસગણિ (૫-૬ સદી) વસુદેવહિંડીનું કથાત્પત્તિપ્રકરણ (પ્રાકૃત) ૨. ગુણભદ્રાચાર્ય (લગભગ સન્ ૮૫૦) ઉત્તરપુરાણનું ૭મું પર્વ – ૨૧૩ શ્લોક (સંસ્કૃત) ૩. જયસિંહસૂરિ (સનું ૮૫૮) ધર્મોપદેશમાલા વિવરણમાં સંક્ષિપ્ત રૂપે કેટલીક પંક્તિઓ અને જબૂચરિત સાથે સંબંધ ધરાવતી ચાર કથાઓ પ્રકીર્ણ રૂપમાં (પ્રાકૃત) ૪. ભદ્રદેવસૂરિ (૧૦-૧૧મી સદી) કહાવલી અન્તર્ગત (પ્રાકૃત) ૫. ગુણપાલમુનિ (વિ.સં. ૧૦૭૬ પૂર્વ) જબૂચરિય ૧૬ ઉદેશક (પ્રાકૃત) ૬. રત્નપ્રભસૂરિ (વિ.સં. ૧૨૩૮) ઉપદેશમાલા ઉપર વિશેષ વૃત્તિ અન્તર્ગત (સંસ્કૃત) ૭. જિનસાગરસૂરિ-પ્રતિષ્ઠાસોમ – કપૂરપ્રકરટીકા અંતર્ગત (સંસ્કૃત) ૮. હેમચન્દ્રાચાર્ય (વિ.સં. ૧૨૧૭-૧૨૨૯) પરિશિષ્ટપર્વ- ૪ પર્વ (સંસ્કૃત) (ગુણપાલકૃત જબૂચરિય અનુસાર) ૯. ઉદયપ્રભસૂરિ (વિ.સં. ૧૨૭૯-૯૦) ધર્માલ્યુદય મહાકાવ્ય ૮ સર્ગ (સંસ્કૃત) ૧૦. જયશેખરસૂરિ (વિ.સં. ૧૪૩૬) જબૂસ્વામિચરિત્રકાવ્ય ૬ પ્રક. (સંસ્કૃત) ૧૧. રત્નસિંહશિષ્ય - નામ અજ્ઞાત (વિ.સં. ૧૫૧૬) જમ્બસ્વામિચરિત (સંસ્કૃત) ૧૨. બ્રહ્મજિનદાસ (વિ.સં. ૧૫૨૦) જબૂસ્વામિચરિત્ર ૧૧ સંધિ (સંસ્કૃત) ૧. જિનરત્નકોશ, પૃ. ૧૨૯-૧૩૨; ડૉ. વિમલપ્રકાશ જૈન દ્વારા સંપાદિત જમ્બુસામિચરિલની પ્રસ્તાવના, ભારતીય જ્ઞાનપીઠ વારાણસી. Page #177 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૩. ભુવનકીર્તિશિષ્ય સકલચન્દ્ર (વિ.સં. ૧૫૨૦) જમ્બુચરિય (પ્રાકૃત) ૧૪. ઉપા. પદ્મસુંદર નાગૌરી (વિ.સં. ૧૬૨૬-૨૯) જમ્બુચરિય (પ્રાકૃત) ૧૫. પં. રાજમલ્લ (વિ.સં. ૧૬૨૨) જમ્બુસ્વામિચરિત્ર (સંસ્કૃત) ૧૬. વિદ્યાભૂષણ ભટ્ટારક (વિ.સં. ૧૬૫૩) જમ્બુસ્વામિચરિત્ર (સંસ્કૃત) ૧૭. જિનવિજય (વિ.સં. ૧૭૮૫-૧૮૦૯) જમ્બુસ્વામિચરિત્ર (પ્રાકૃત) ૧૮. અજ્ઞાતકર્તૃક - જમ્બુસ્વામિચરિત્ર (સંસ્કૃત ગઘ) ૧૯. પદ્મસુન્દર - જમ્બુસ્વામિચરિય ૭૫૦ ગાથા (પ્રાકૃત) ૨૦. સકલહર્ષ - જમ્બુસ્વામિચરિત્ર (૧૧ પત્ર, સંસ્કૃત) ૨૧. માનસિંહ જમ્બુસ્વામિચરિત્ર ગન્ધાગ્ર ૧૩૦૦ (સંસ્કૃત) ૨૨. અજ્ઞાત જમ્બુસ્વામિચરિત્ર (૧૪ પત્ર, સંસ્કૃત) ૨૩. અજ્ઞાત જમ્બુસ્વામિચરિત્ર ગ્રન્થાગ્ર ૮૧૭ (સંસ્કૃત ગદ્ય) ૨૪. અજ્ઞાત - જમ્બુસ્વામિચરિત્ર ગ્રન્થાગ્ર ૧૬૪૪ (સંસ્કૃત) જમ્બુસામિચરિય (પ્રાકૃત) ૨૫. અજ્ઞાત - ૧૫૫ જમ્બુસ્વામીનું સંક્ષિપ્ત કથાનક – ભગવાન મહાવીરના સમયમાં જમ્બુ રાજગૃહના એક શેઠના પુત્ર રૂપે જન્મ્યા. તે અતિશય રૂપાળા હતા, અને અનેક કળાઓમાં પ્રવીણ હતા. એક વાર સુધર્માસ્વામીનો ઉપદેશ સાંભળ્યા પછી તેમણે બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરી લીધું અને વૈરાગ્યવૃત્તિ ભણી આગળ વધ્યા. તેમને રોકવા માટે માતાપિતાએ તેમના લગ્ન આઠ સુન્દર કન્યાઓ સાથે કરી નાખ્યા પરંતુ તે કન્યાઓ પણ તેમના મનને સાંસારિક સુખોમાં વાળી ન શકી. દીક્ષાની આગલી રાતે તેમના ઘરમાં મોટો ડાકૂ ચોરી કરવા ઘુસ્યો પરંતુ જમ્મૂ તો આખી રાત પોતાની પત્નીઓને સંસારના દુ:ખોનું જ્ઞાન કરાવવા દૃષ્ટાન્તરૂપે અનેક કથાઓ એક પછી એક કહેતા રહ્યા અને પત્નીઓની દલીલોને તોડતા રહ્યા. પેલો ડાકૂ પણ જમ્મૂના ઉપદેશો સાંભળી સંસારથી વિરક્ત થઈ ગયો. પરિણામે, જમ્બુ, તેમની પત્નીઓ અને પેલો ડાકૂ પોતાના સાથીઓ સાથે દીક્ષિત થઈ ગયા. જમ્બુસ્વામી તપસ્યા કરી સુધર્માસ્વામી પછી શ્રમણસંઘના નેતા - ગણધર બન્યા. તે છલ્લા કંવલી હતા અને વીરનિર્વાણ સંવત ૬૪માં તે નિર્વાણપદને પામ્યા. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧ પ૬ જૈન કાવ્યસાહિત્ય જબૂચરિય – મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલું આ કાવ્ય ૧૬ ઉદ્દેશોમાં વિભક્ત છે. પ્રથમ બે ઉદેશોમાં “સમરાઈઐકહાની જેમ કથાઓના ચાર ભેદ – અર્થકથા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણકથા – બતાવી ધર્મકથાને જ કાવ્યનો પ્રતિપાદ્ય વિષય કહ્યો છે અને ત્રીજા ઉદેશથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોથા અને પાંચમા ઉદેશોમાં જબૂસ્વામીના પૂર્વભવોનું આલેખન કરવામાં આવ્યું છે. છઠ્ઠા ઉદેશમાં જબૂનાં જન્મ, શિક્ષા, યૌવન વગેરેનું વર્ણન છે. સાતમા ઉદેશમાં જબૂની વૈરાગ્ય તરફ ગતિનું તેમ જ માતાપિતાએ તેને સંસારમાં બાંધી રાખવા માટે તેના આઠ કન્યાઓ સાથે કરાવેલા લગ્નનું વર્ણન છે. આગળના ઉદેશોમાં • તેમણે તેમની પત્નીઓને સંભળાવેલાં આખ્યાનો, દૃષ્ટાન્તો અને કથાઓ, ચોરે પણ તે ઉપદેશોનું સાંભળવું, તે સૌએ સાથે દીક્ષા લેવી, જબૂને કેવળજ્ઞાનપ્રાપ્તિ અને તેમનું મોક્ષગમન આ બધી બાબતોનું આલેખન છે.' આ કાવ્યમાં કર્તાએ કથાક્રમને એવો તો વ્યવસ્થિત બનાવ્યો છે કે વાચકની જિજ્ઞાસા તથા કુતૂહલ આદિથી અંત સુધી જળવાઈ રહે છે. તેમાં વર્ણનોનું વૈવિધ્ય છે. આ કાવ્ય પ્રાકૃત ગદ્ય અને પદ્યના સુંદર નમૂના રજૂ કરે છે. કાવ્ય ધાર્મિક કથાનું આદર્શ રૂપ રજૂ કરે છે. નાયકને પોતાની વીરતા પ્રગટ કરવાની કોઈ તક જ આવતી નથી. આ કૃતિ પરવર્તી કવિઓનો આદર્શ રહી છે. કર્તા અને રચનાકાળ – આના કર્તા નાઈલગચ્છના ગુણપાલ મુનિ છે. તે વીરભદ્રસૂરિના પ્રશિષ્ય અને પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. સંભવતઃ કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિના સિદ્ધાન્તગુરુ વીરભદ્રાચાર્ય અને ગુણપાલ મુનિના દાદાગુરુ વીરભદ્રસૂરિ બંને એક જ છે. કૃતિની શૈલી ઉપર હરિભદ્રની સમરાઈશ્ચકહા અને ઉદ્યોતનસૂરિની કુવલયમાલાનો પ્રભાવ દેખાય છે. ઉક્ત કથાઓની જેમ જ આ કૃતિ પણ ગદ્યપદ્યમિશ્રિત છે. - કર્તાના તેમ જ કૃતિના કાળના સંબંધમાં ક્યાંય કોઈ ઉલ્લેખ નથી મળતો પરંતુ રચનાશૈલી વગેરે ઉપરથી અનુમાન થાય છે કે તે ૧૦-૧૧મી સદી આસપાસની ૧. સિંઘી જૈનશાસ્ત્ર વિદ્યાપીઠ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, ૧૯૫૯; જિનરત્નકોશ, પૃ. ૧૩૦. Page #179 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૫૭ રચના હોવી જોઈએ. તેની એક તાડપત્રીય હસ્તપ્રત જેસલમેર જૈન ભંડારમાંથી મળે છે, તે ૧૪મી સદી પહેલાંની છે. જબૂસ્વામિચરિત – સંપૂર્ણ કાવ્ય ૧૧ સર્ગોમાં વિભક્ત છે. આ કાવ્ય સરળ સંસ્કૃતમાં રચાયું છે. કાવ્યમાં સુભાષિતોનો પ્રયોગ ખૂબ થયો છે. કાવ્યની સં. ૧૫૩૬ની હસ્તપ્રત મળે છે. કર્તા અને રચનાકાલ – આના કર્તા ભટ્ટારક સકલકીર્તિના અનુજ અને શિષ્ય બ્રહ્મચારી જિનદાસ છે. તેમણે આ કાવ્ય સં. ૧૫૦૮-૧૫૨૦માં રચ્યું હતું. તેમનો વિશેષ પરિચય તેમની અન્ય કૃતિ હરિવંશપુરાણના પ્રસંગમાં કરાવી દીધો છે. જબૂસ્વામિચરિત – સંસ્કૃતમાં રચાયેલું આ કાવ્ય ૬ સર્ગો ધરાવે છે. તેમાં કુલ ૭૨૬ શ્લોક છે. તેમાં પૂર્વોક્ત ગુણપાલ વગેરે દ્વારા વિરચિત કથાઓમાં કેટલુંક પરિવર્તન કરવામાં આવ્યું છે. તેના કર્તા જયશેખરસૂરિ છે. તે અંચલગચ્છના હતા. આ કાવ્યનો રચનાકાળ વિ.સં. ૧૪૩૬ છે. જંબૂચરિય – આ કાવ્યમાં ૨૧ ઉદેશ છે. તેને આલપકસ્વરૂપજબૂદષ્ટાન્ત કે જબૂઅધ્યયન પણ કહે છે. આ રચના પ્રાકૃતમાં છે. પ્રારંભ “તેમાં ઋત્તેિ'થી થાય છે. તેને “પ્રકીર્ણક” પણ કહે છે. કર્તા અને રચનાકાળ – આના કર્તા નાગૌરીગચ્છના પાસુન્દર ઉપાધ્યાય છે. તે તપાગચ્છના મોટા વિદ્વાન હતા. અકબરના હિન્દુ સભાસદોમાં એક તે હતા, તેના પાંચ વિભાગોમાંથી તે પ્રથમ વિભાગમાં હતા. તેમનો તથા તેમની રચનાઓનો પરિચય “રાયમલ્લાબ્યુદય'ના પ્રસંગમાં કરાવવામાં આવશે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૩૨; રાજસ્થાન કે જૈન સન્ત: વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૨૬; આ કાવ્ય ઉપર કવિ વીરકૃત અપભ્રંશ કૃતિ “જખુસામિચરિલ’નો પૂર્ણ પ્રભાવ જણાય છે. ૨. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સં. ૧૯૬ ૮-૭૦; ગુજરાતી અનુવાદ ત્યાંથી જ, ૧૯૭૦; જિનરત્નકોશ, પૃ. ૧૩૨ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૨૯ ૪. નાથુરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઇતિહાસ (દ્ધિ. સં.), પૃ. ૩૯૫-૯૬. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન કાવ્યસાહિત્ય જબૂસ્વામિચરિત – આ કાવ્યમાં ૧૩ સર્ગો છે અને ૨૪૦૦ પદ્ય છે. કથાવસ્તુ બે ભાગોમાં વિભક્ત છે. પહેલા ભાગમાં પૂર્વભવોનું આલેખન છે અને બીજા ભાગમાં વર્તમાન ભવનું આલેખન છે. પહેલા ચાર સર્ગોનાં બધાં આખ્યાનો પૂર્વભવોથી સંબદ્ધ છે અને પાંચમા સર્ગથી જબૂના આ ભવની કથા શરૂ થાય છે. તે શેઠનો પુત્ર હોવા છતાં પરાક્રમી અને વીર હતો. તેણે એક મદોન્મત્ત હાથીને વશ કર્યો હતો. તેથી પ્રભાવિત થઈ ચાર શ્રીમંત શેઠોએ પોતાની કન્યાઓના લગ્ન તેની સાથે કર્યાં હતાં. બાકીની કથા પૂર્વોક્ત પ્રકારે છે. આ કાવ્યને અનુષ્ટ્ર, છંદમાં જ રચીને કવિએ કાવ્યચમત્કૃતિ ઉત્પન્ન કરવામાં કોઈ કમી રાખી નથી. કવિ યુદ્ધક્ષેત્રનું વર્ણન કરતી વખતે વીર અને ભયાનક રસોનું જીવન્ત આલેખન કરે છે (૭મો સર્ગ). અગીઆરમા સર્ગમાં સૂક્તિઓનો સુંદર રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. - કર્તા અને રચનાકાળ – આના કર્તા કવિ પં. રાયમલ્લ છે. તેમની અન્ય કૃતિઓમાં પંચાધ્યાયી, લાટીસંહિતા અને અધ્યાત્મકમલમાર્તડ મળે છે. પ્રસ્તુત કૃતિની રચના આગ્રાનગરમાં સં. ૧૬૩૨ ચૈત્ર વદ આઠમે પુનર્વસુ નક્ષત્રમાં કરવામાં આવી હતી. કાવ્યના પ્રારંભમાં કવિએ આગ્રા (અર્ગલપુર)નું સુંદર વર્ણન આપ્યું છે. ત્યાં એ સમયે જજિયાવેરો નાબૂદ કરનાર અને મદ્યપાન ઉપર પ્રતિબંધ મૂકનાર અકબર બાદશાહ રાજ કરતા હતા. આ કાવ્ય ગર્ગગોત્રના સાહુ ટોડર અગ્રવાલ માટે રચાયું હતું. કવિએ સાહુ ટોડરના પરિવારનો પૂરો પરિચય આપ્યો છે. સાદુ ટોડરે મથુરાની યાત્રા કરી હતી અને ત્યાં જબૂસ્વામીના નિર્વાણ સ્થાન ઉપર અપાર ધન ખર્ચે અનેક સ્તૂપોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમની વિનંતીથી કવિએ આગ્રામાં રહેવાસ દરમ્યાન આ કાવ્યની રચના કરી હતી. પછી કવિ આગ્રા છોડી વૈરાટનગરમાં રહેવા ગયા અને બાકીની સાહિત્યરચનાઓ ત્યાં કરી. જંબુસામિચરિય – આ કાવ્યની રચના પ્રાકૃત ગદ્યમાં થઈ છે પણ ક્યાંક ક્યાંક સુભાષિતોના રૂપમાં પ્રાકૃત પદ્યો પણ ઉદ્ધત કરવામાં આવ્યાં છે. તેમાં ૧. મા. દિગ. જૈન ગ્રન્થમાલા, સં. ૩૫, મુંબઈ, ૧૯૩૬; જિનરત્નકોશ, પૃ. ૧૩૨ ૨. કવિ વીરકૃત અપભ્રંશ જખુસામિચરિઉનો આ કાવ્ય ઉપર પ્રભાવ જણાય છે. ૩. જૈન સાહિત્ય વર્ધક સભા, ભાવનગર, વિ.સં. ૨૦૦૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૫૯ જબૂસ્વામીના ચરિત્રનું સંક્ષિપ્ત વર્ણન છે. જબૂસ્વામીએ પોતાની પત્નીઓને કહેલી પ્રાયઃ બધી જ દષ્ટાન્તકથાઓ આ કાવ્યમાં આપવામાં આવી છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિ પ્રાકૃત ચરિતોમાં પોતાની વિશેષતા ધરાવે છે કારણ કે તેની રચના બરાબર તેવી અર્ધમાગધી પ્રાકૃતમાં તેવી જ ગદ્યશૈલીમાં કરવામાં આવી છે જેવી કે આગમોની. વર્ણનોને સંક્ષેપમાં દર્શાવવા માટે અહીં પણ “ભાવ” “વફા” વગેરેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેથી આ રચના આગમોના સંકલનકાળ (પમી સદી) આસપાસની જણાય છે પરંતુ કૃતિના અંતે એક પ્રાકૃત પદ્યમાં સૂચવવામાં આવ્યું છે કે આ કૃતિને વિજય દયાસૂરીશ્વરજીના આદેશથી જિનવિજયે લખી છે, અને આ કૃતિની પ્રતિ સં. ૧૮૧૪ના ફાગણ સુદ ૯ શનિવારના દિવસે નવાનગરમાં લખાઈ છે. પરંતુ વાસ્તવિક રચનાકાળ વિ.સં. ૧૭૭૫ અને ૧૮૦૯ની વચ્ચે આવે છે કારણ કે તપાગચ્છપટ્ટાવલીમાં ૬૪મા પટ્ટધર વિજય દયાસૂરિનો આ જ સમય આપવામાં આવ્યો છે. જિનવિજય નામના અનેક મુનિ થયા છે. તેમાં એક ક્ષમાવિજયના શિષ્ય હતા અને બીજા હતા માણવિજયના શિષ્ય. આ બીજા માણવિજયશિષ્ય વિજય દયાસૂરિના સમકાલીન જણાય છે. અને તે જ વધારે સંભવિત જણાય છે કારણ કે તેમની શ્રીપાલચરિત્રરાસ, ધન્નાશાલિભદ્રરાસ આદિ રચનાઓ મળે છે. આ કૃતિના કર્તાએ ૧૮મી શતાબ્દીમાં પણ આગમશૈલીમાં આ કૃતિ રચીને એક અસાધારણ કાર્ય કર્યું છે. અત્યાર સુધી અમે પ્રાકૃત-સંસ્કૃતમાં રચાયેલાં તે પૌરાણિક કાવ્યોનો પરિચય આપ્યો જે તેસઠ શલાકા મહાપુરુષો તથા ચોવીસ કામદેવોના ચરિતોની વિષયવસ્તુવાળાં હતાં. ઉક્ત પુરાણપુરુષો ઉપરાંત જૈનધર્મ અને સિદ્ધાન્તોને મહત્તા પ્રદાન કરનાર તેમજ ઉક્ત મહાપુરુષોમાંથી અનેકોના સમકાલીન તથા મહાવીર પછી થયેલા અનેક અદ્ભુત સંતો, મહર્ષિઓ, સાધ્વીઓ, સતીઓ, રાજર્ષિઓ, વ્યાપારવીર શ્રાવકોનાં જીવન ઉપર પણ પુરાણશૈલીમાં કાવ્યો રચાયાં છે. ભગવાન ઋષભના સમકાલીન ભરત ચક્રવર્તીના સેનાપતિ જયકુમાર અપર નામ મેઘેશ્વર અને તેમની સતી રાણી સુલોચનાનાં ચરિત્રો મળે છે. તેવી જ રીતે ઋષભદેવના १. विजयदयासूरीसर आएसं लहिअ बोहणट्ठाए जिणविजयेण य लिहिअं जम्बूचरित्तं परमरम्मं ।। इति श्री जम्बूस्वामिचरित्रं सम्पूर्णम् । सं. १८१४ वर्षे फाल्गुण सुदि ९ शनौ श्रीनवानगरे श्रीआदिजिनप्रासादात् शुभं भवतु लेखकपाठकयोः । ૨. પ્રવેશદ્વાર, પૃ. ૪ ૩. ભારતીય સંસ્કૃતિ જૈનધર્મ યોનિ , પૃ. ૧૪૮ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન કાવ્યસાહિત્ય પ્રથમ ગણધર ઉપર પુંડરીક ચરિત, ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઉપર ગૌતમચરિત્ર અને ગૌતમીયકાવ્ય વગેરે તથા મહાવીરના સમકાલીન રાજા શ્રેણિક અને તેના પુત્ર અભયકુમાર વગેરે ઉપર પણ ચરિત્રકાવ્યો રચાયાં છે. મહાવીર પછી થયેલા યુગપ્રભાવક આચાર્યો ભદ્રબાહુ, સ્થૂલભદ્ર, પાદલિપ્ત, કાલિક, હરિભદ્ર, હેમચન્દ્ર વગેરે ઉપર પણ ચરિત્રકૃતિઓ લખાઈ છે. એ જ રીતે સતી સ્ત્રીઓમાં અંજના, દ્રૌપદી, દમયન્તી, રાજીમતી, ચન્દનબાળા, મૃગાવતી, જયન્તી વગેરે ઉપર અનેક ચરિતકાવ્યો રચાયાં છે. અહીં અમે સુવિધાની દૃષ્ટિએ પહેલાં પ્રત્યેકબુદ્ધો ઉપર રચાયેલી કેટલીક કૃતિઓનો પરિચય આપીશું અને પછી યથાસંભવ અન્ય રચનાઓનો પરિચય આપીશું. પ્રત્યેકબુદ્ધચરિત જૈન આચાર્યોએ, વિશેષતઃ શ્વેતાંબર આચાર્યોએ, બૌદ્ધોની જેમ પ્રત્યેકબુદ્ધોની કલ્પના કરી છે. પ્રત્યેકબુદ્ધો તેમને કહેવામાં આવે છે જેઓ ગૃહસ્થાશ્રમમાં રહેતાં જ કોઈક નિમિત્ત પામી બોધિ પ્રાપ્ત કરી લે છે અને અપને આપ દીક્ષિત થઈ ઉપદેશ દીધા વિના જ શરીરનો અત્ત કરી મોક્ષે જાય છે. પ્રત્યેકબુદ્ધ પ્રાય: એકલવિહારી હોય છે. તે ગચ્છવાસમાં રહેતા નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં ચાર પ્રત્યેકબુદ્ધોનો ઉલ્લેખ છે : કરકંડુ, નગ્નઈ, નમિ અને દ્વિમુખ. શ્વેતાંબર સંપ્રદાયમાં તેમની કથાઓ ઉપર ઘણું સાહિત્યનિર્માણ થયું છે. બૌદ્ધોના પાલિસાહિત્યમાં પણ આ ચારેને પ્રત્યેકબુદ્ધ ગણી તેમની કથાઓ આપી છે. બૌદ્ધ તેમને મહાત્મા બુદ્ધના પહેલાં થયેલા માને છે અને જૈન તીર્થંકર પાર્શ્વના તીર્થકાળમાં. પરંતુ તેમનાં જીવનચરિત્રો ઉપર વિચાર કરતાં જણાય છે કે તે ચારે પ્રત્યેકબુદ્ધ ભગવાન મહાવીરની દીક્ષા પહેલાં પ્રવ્રુજિત થયા હતા અને મહાવીરના શાસનકાળમાં પણ જીવિત હતા. પ્રત્યેકબુદ્ધોની સંખ્યામાં વિવાદ છે. ઋષિભાસિતમાં ૪૫ પ્રત્યેકબુદ્ધના ઉપદેશો સંગૃહીત છે, તેમાંથી ૨૦ નેમિનાથના, ૧૫ પાર્શ્વનાથના અને ૧૦ મહાવીરના તીર્થકાળમાં થયા હતા એમ જણાવ્યું છે. નન્દિસૂત્રમાં ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી, પારિણામિની બુદ્ધિથી યુક્ત જે મુનિઓ હોય છે તે બધા પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. આમ માનીને પ્રત્યેકબુદ્ધોની સંખ્યાની અવધિ નિશ્ચિત ૧. ૧૮. ૪૫ ૨. કુમ્ભકાર જાતક (સં. ૪૦૮) 3. ઋષિભાષિતસૂત્ર, અનુવાદક - મનોહર મુનિ, મુંબઈ, ૧૯૬૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૬૧ કરવામાં આવી નથી. જે હો તે, પરંતુ શ્વેતાંબર જૈનાચાર્યોએ ઉત્તરાધ્યયનમાં ઉલ્લિખિત ચાર પ્રત્યેકબુદ્ધો ઉપર ઘણું સાહિત્ય રચ્યું છે. તે ચાર ઉપરાંત, અંબા, કુમ્માપુત્ત તથા શાલિભદ્ર વગેરે પ્રત્યેકબુદ્ધો ઉપર પણ કેટલીય રચનાઓ મળે છે. ઉત્તરકાળે તેમનામાંથી અનેક કથાનકોમાં પરિવર્તન થવાથી તેમનો પ્રત્યેકબુદ્ધના રૂપે ઉલ્લેખ થયો નથી. દિગંબર માન્યતામાં પ્રત્યેકબુદ્ધોનો સ્વીકાર છે. પરંતુ તેમનો ઉલ્લેખ કેવળ પૂજાઓમાં જ થયો છે. ઉત્તરાધ્યયનના ઉક્ત ચાર પ્રત્યેકબુદ્ધોમાંથી કેવળ કરકંડ ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં દિગંબર સંપ્રદાયોના વિદ્વાનોએ કાવ્યકૃતિઓનું સર્જન કર્યું છે પરંતુ તેમણે ક્યાંય કરકંડુને પ્રત્યેકબુદ્ધ કહ્યા નથી. ઉત્તરાધ્યયનમાં આવેલા પ્રત્યેકબુદ્ધો ઉપર સમષ્ટિરૂપે કેટલીક રચનાઓ થઈ છે. તેમાં શ્રીતિલક (પ્રાકૃત), જિનરત્ન અને લક્ષ્મીતિલક (સંસ્કૃત), જિનવર્ધનસૂરિ (સંસ્કૃત), સમયસુંદરગણિ (સંસ્કૃત), ભાવવિજયગણિ (સંસ્કૃત) તથા ત્રણ અજ્ઞાતકર્તક (ર અપભ્રંશ અને ૧ પ્રાકૃત) કાવ્યો ઉપલબ્ધ છે. અહીં કેટલાંક કાવ્યોનો પરિચય નીચે આપ્યો છે. ૧. પ્રત્યેકબુદ્ધચરિત – આ પ્રાકૃત ભાષામાં રચાયેલું કાવ્ય છે. તેનો ગ્રન્થાગ્ર ૬૦૫૦ શ્લોકપ્રમાણ છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર તેની રચના સં. ૧૨૬૧માં શ્રીતિલકસૂરિએ કરી હતી. શ્રીતિલકસૂરિ ચન્દ્રગચ્છના શિવપ્રભસૂરિના શિષ્ય હતા. કૃતિ આજ સુધી અપ્રકાશિત છે." ૨. પ્રત્યેકબુદ્ધચરિત – આ કાવ્ય સંસ્કૃતમાં રચાયું છે. તેનું પૂરું નામ પ્રત્યેકબુદ્ધમહારાજર્ષિચતુષ્કચરિત્ર છે. તેના પ્રત્યેક પર્વમાં ચાર સર્ગ છે, અને અંતે એક ચૂલિકા સર્ગ છે. આમ કાવ્યમાં કુલ ૧૭ સર્ગો છે. તેનું પરિમાણ ૧૦૧૩૦ શ્લોકપ્રમાણ છે. કાવ્ય જિનલક્ષ્મી શબ્દાંકિત છે, તે તેના બે કિર્તાઓને જણાવે છે. કાવ્યમાં આલિખિત ચારે ચરિત્ર એકબીજાથી સંપૂર્ણપણે પૃથફ છે. તેથી કાવ્યમાં ધારાવાહિકતાનો અભાવ છે. છતાં, તેને એક સારા પૌરાણિક મહાકાવ્યનું રૂપ આપી શકાયું છે. કવિએ તેમાં પ્રકૃતિચિત્રણ અને સૌન્દર્યવર્ણનમાં પર્યાપ્ત રુચિશક્તિ દર્શાવી છે. પુરુષપાત્રોમાં સિંહરથ અને સ્ત્રીપાત્રોમાં મદનરેખાનું રૂપવર્ણન કલ્પનાદષ્ટિએ સરસ છે. જૈનધર્મના સાધારણ સિદ્ધાન્તો અને નિયમોનું કાવ્યમાં સારું પ્રતિપાદન છે. ૧. જૈન સાહિત્ય સંશોધક, ભાગ ૧, અંક ૨, પૂના ૧૯૨૫; જિનરત્નકોશ, પૃ. ૨૬૩ ૨. જેસલમેર બૃહભંડાર, પ્રતિ સં. ૨૭૨, ૨૭૩; જિનરત્નકોશ, પૃ. ૨૬૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ જૈન કાવ્યસાહિત્ય કાવ્યની ભાષા સરળ અને સ્વાભાવિક છે. ઘટનાઓ અને પરિસ્થિતિઓને અનુકૂળ શબ્દયોજના કરવામાં કવિ સફળ છે. કાવ્યનો પ્રધાન રસ શાન્તરસ છે પરંતુ અન્ય રસોની નિષ્પત્તિ પણ બરાબર કરવામાં આવી છે. કાવ્ય ઉપર વ્યર્થ શબ્દાલંકારો લાદવાનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો. અર્થાલંકારોમાં ઉપમા, રૂપક અને ઉન્ઝક્ષાના રોચક પ્રયોગો દેખાય છે. સર્ગાત્તે અન્ય ઇન્દોનો પ્રયોગ થયો છે. ક્યાંક ક્યાંક સર્ગની વચ્ચે પણ અન્ય વૃત્તોનો પ્રયોગ થયો છે. કથાવસ્તુ – ઉપર્યુક્ત રચનાઓમાં પ્રત્યેકબુદ્ધ કરકંડુ, દ્વિમુખ, નમિ અને નગ્નતિનાં જીવનચરિત્રો આલિખિત છે. તે ચાર સમકાલીન હતા. તેમની કથા સંક્ષેપમાં નીચે મુજબ છે : ૧. ચંપાનગરીના રાજા દધિવાહન હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી. એક વાર દુષ્ટ હાથી રાણીને ઉપાડી ગયો. રાણી ગર્ભવતી હતી. તેણે એક નગર સમીપ મશાનભૂમિમાં પુત્રને જન્મ આપ્યો. રાણી સાધ્વી બની જાય છે અને બાળકને એક માતંગ ઉછેરે છે અને શિક્ષણ આપે છે. બાળકનું નામ અવકર્ણક રાખવામાં આવ્યું. તેના દેહ ઉપર રુક્ષકંડૂ હતું. રમતમાં તે રાજા બની પોતાના સાથીઓને પ્રજા બનાવી તેમની પાસે કરના રૂપમાં પોતાનું શરીર ખંજવાળાવતો હતો, તેથી લોકો તેને કરકંડુ કહેતા. કાંચનપુરના રાજાના મૃત્યુ પછી દૈવયોગે કરકંડુને ત્યાંનો રાજા બનાવવામાં આવ્યો. એક વાર તેણે ચંપાપુરના રાજા દધિવાહનને પત્ર લખ્યો, તેમાં એક બ્રાહ્મણને ગામ દેવાની વાત હતી. પરંતુ દધિવાહને તેનો અસ્વીકાર કર્યો. આથી કુપિત થઈ કરકંડુએ દધિવાહન ઉપર આક્રમણ કર્યું. તે વખતે સાધ્વી પદ્માવતીએ ત્યાં આવી પ્રગટ થઈ યુદ્ધનું નિવારણ કર્યું અને બાપ-દીકરાને એકબીજાની ઓળખાણ કરાવી. રાજા દધિવાહન ખૂબ ખુશ થયો અને વૃદ્ધાવસ્થાને કારણે કરકંડુને રાજયભાર સોંપી પોતે દીક્ષા લઈ લીધી. એક વાર પોતાની આજ્ઞાથી પુષ્ટ કરવામાં આવેલ બળદને વખત જતાં વૃદ્ધ થયેલો જોઈ રાજા કરકંડુ સંસારથી વિરક્ત થઈ ગયા, તેઓ મુનિ બન્યા અને ભ્રમણ કરવા લાગ્યા. ૨. પાંચાલ દેશના કાંપિલ્યપુરના રાજાને સભાભવનનું નિર્માણ કરતી વખતે એક ચમકદાર મુકુટ મળ્યો, તેને ધારણ કરવાથી તે દ્વિમુખ બે મુખવાળો) દેખાવા લાગ્યો અને તેથી તેનું નામ દ્વિમુખ પડી ગયું. પછી મુકુટના પ્રભાવથી તે ઉજ્જયિનીના રાજા ૧. સર્ગ ર. ૧૨૮; ૧૧. ૧૨૭-૧૨૮, ૩૬૫, ૯. ૩પ આદિ. Page #185 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૬૩ ચંડપ્રદ્યોતને હરાવી તેને બંદી બનાવે છે પરંતુ પોતાની પુત્રી તે રાજાના પ્રેમમાં પડે છે એટલે તેના લગ્ન તે રાજા સાથે કરાવી રાજાને તેનું રાજ્ય પાછું આપી દે છે. એક વાર કાષ્ઠના સ્તંભને લોકોએ ઈન્દ્રધ્વજ બનાવી બહુમૂલ્ય વસ્ત્રાભૂષણોથી તેની પૂજા કરી, પછી ઉત્સવ પૂરો થયો એટલે લોકોએ તેને નીચે પાડી દીધો અને ઘસડીને લઈ જવા લાગ્યા એટલે તે રસ્તામાં પડેલાં મળમૂત્રથી લેપાઈ ગયો. આ જોઈ દ્વિમુખને વૈરાગ્ય જભ્યો અને તેણે સંસાર છોડી દીક્ષા લઈ લીધી. ૩. સુદર્શનપુરના રાજા મણિરથ હતા. તે પોતાના નાના ભાઈ યુગબાહુની પત્ની મદનરેખા ઉપર આસક્ત થઈ જાય છે. મણિરથ મદનરેખાને મેળવવા પોતાના ભાઈ યુગબાહુને મારી નાખે છે. મદનરેખા ભાગી જાય છે. તે ગર્ભવતી હતી. તે રંભાગૃહમાં બાળકને જન્મ આપે છે. સરોવરમાં કપડાં ધોવા ગઈ હોય છે ત્યારે તેનું અપહરણ થઈ જાય છે. આ બાજુ રંભાગૃહમાંથી બાળકને મિથિલાનરેશ પદ્મરથ લઈ જાય છે અને તેને ઉછેરી મોટો કરે છે. બાળકનું નામ નમિ રાખવામાં આવ્યું. તે યુવાન થયો એટલે પારથે તેને રાજ્ય સોંપી દીધું અને પોતે દીક્ષા ગ્રહણ કરી. એક દિવસ નમિના શરીરમાં ભયંકર દાહની પીડા થઈ. રાણીઓ તેના માટે ચંદન ઘસવા લાગી પણ તેમની બંગડીઓના અવાજથી તેને બહુ પીડા થવા લાગી. તેથી રાણીઓએ એક સિવાય બાકીની બધી બંગડીઓ હાથમાંથી કાઢી નાખી, પરિણામે અવાજ બંધ થઈ ગયો અને શાન્તિ થઈ ગઈ. તેથી નમિએ વિચાર્યું કે સંગ - સૌથી દુઃખદાયક છે, આ બંગડીઓ બીજી બંગડીઓના સંગમાં અવાજ કરતી હતી અશાંતિ પેદા કરતી હતી, પરંતુ એકલી રહેવાથી તે શાન્ત થઈ ગઈ. એટલે સાત્તિ માટે એકાકી જીવન જ સર્વશ્રેષ્ઠ છે. આમ તેનામાં વૈરાગ્ય જભ્યો અને તેણે દીક્ષા લઈ લીધી. ૪. ગાંધાર દેશનો રાજા સિંહરથ હતો. તે વનવિહાર માટે વનમાં ગયો. ત્યાં તેણે એક સુંદર કન્યા જોઈ. તેણે તેની સાથે લગ્ન કરી લીધા. પછી તેણે તે સુંદરીને પોતાની જીવનકથા સંભળાવવા કહ્યું. તે સુંદરી પોતાના પૂર્વભવની કથા શરૂ કરે છે અને કહે છે: હું પૂર્વભવમાં કનકમંજરી નામની એક ચિત્રકારની પુત્રી હતી અને આપ આપના પૂર્વભવમાં તે વખતે રાજા જિતશત્રુ હતા. કનકમંજરીના જિતશત્રુ સાથે લગ્ન થયા. કનકમંજરી મૃત્યુ પછી સ્વર્ગમાંથી આવી રાજા દઢરથની પુત્રી કનકમાલા થઈ અને આપ જિતશત્રુ મરીને સિહરથ થયા. એક દેવતાના આદેશથી હું કનકમાલા અહીં બેસીને તમારી જ પ્રતીક્ષા કરી રહી હતી જેથી હું તમને પતિના રૂપમાં પામી શકું. રાજા સિંહરથ પત્ની કનકમાલાની રજા લઈ ઘરે ગયો અને પ્રાય: દરેક બીજે ત્રીજે દિવસે પ્રિયા કનકમાલાને યાદ કરી નગ ઉપર જાય છે, એટલે પ્રજાએ તેનું નામ નગ્ગતિ પાડી દીધું. એક વાર તે સૈન્ય સાથે ઉપવનમાં જાય છે. ત્યાં તે આંબાની એક મંજરી તોડે છે. દરેક Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન કાવ્યસાહિત્ય સૈનિક પણ એક એક મંજરી તોડે છે. પરિણામે આંખ નું વૃક્ષ ટૂંઠું થઈ ગયું. સુંદર વૃક્ષની થોડા જ વખતમાં આવી દુર્દશા થયેલી જોઈ નગ્નતિ સંસારથી વિરક્ત થઈ ગયા અને તેમણે દીક્ષા અંગીકાર કરી. ચારે પ્રત્યેકબુદ્ધ મુનિવિહાર કરતાં કરતાં ક્ષિતિપ્રતિષ્ઠિતપુર નગરમાં આવે છે અને એક યક્ષમન્દિરમાં એકબીજાને મળે છે. અહીં કરકંડ પોતાના કાન ખંજવાળે છે. તે જોઈ દ્વિમુખ કહે છે, “તમે રાજય વગેરે બધું ત્યાગી દીધું તો પછી આ કંડૂને સાથે લઈ કેમ ફરો છો?” સાંભળી નમિ દ્વિમુખને કહે છે, “તમે પણ રાજ્ય ત્યાગી મુનિ બન્યા છો એટલે હવે તમારે પણ બીજાના દોષો જોવા ઉચિત નથી.” આ સાંભળી નમ્નતિ નમિને કહે છે, “બધું છોડી મોક્ષમાર્ગ ગ્રહણ કરનારે પરનિંદા ન કરવી જોઈએ.” આ સાંભળી કરકંડુ કહે છે, “દુષ્ટબુદ્ધિથી કરવામાં આવેલું પરદોષકથન જ નિંદા છે, હિતબુદ્ધિથી કરવામાં આવેલું પરદોષકથન અનુચિતનહિ પણ ઉચિત છે. નમિ, દ્વિમુખઅને નગ્ગતિએ જે કંઈ કહ્યું તે અહિતનિવારણ માટે જ હતું માટે તે દોષ નથી.”કરકંડુ વગેરે પછી તપ કરી, મરીને પુષ્પોત્તર વિમાનમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી ટ્યુત થઈ મનુષ્યભવ પામ્યા. મનુષ્યભવમાં તપસાધના કરી મોક્ષે ગયા. કવિ પરિચય અને રચનાકાળ – કાવ્યના અંતમાં આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે કાવ્યરચનાર જિનરત્નસૂરિ અને લક્ષ્મીતિલકગણિ એ બે વ્યક્તિઓ છે. તે સુધર્માગચ્છમાં થયા હતા. તેમના પહેલાં આ ગચ્છમાં ક્રમશઃ જિનચન્દ્રસૂરિ, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, જિનચન્દ્રસૂરિ, જિનપતિસૂરિ, જિનેશ્વરસૂરિ થયા હતા. પ્રસ્તુત બંને કર્તાઓ જિનેશ્વરસૂરિના જ શિષ્યો હતા. ખરતરગચ્છખૂહગુર્નાવલિ અનુસાર જિનેશ્વરસૂરિએ પોષ સુદ ૧૧ સંવત ૧૨૮૮ના દિને જાવાલિપુર (જાલોર - રાજસ્થાન)માં લક્ષ્મીતિલકને દીક્ષા આપી હતી. સં. ૧૩૧૨ની વૈશાખી પૂનમના દિવસે લક્ષ્મીતિલકને વાચનાચાર્યનું પદ અને સં. ૧૩૧૭ના માઘ સુદ ૧૨ના દિને ઉપાધ્યાયની ઉપાધિ મળી હતી. જિનરત્નસૂરિનું પહેલાનું નામ જિનવર્ધનગણિ હતું. તેમને સં. ૧૨૮૩ની માઘવદ ૬ના દિને વાડ્મટમેરુ (બાડમેર)માં જિનેશ્વરસૂરિ દ્વારા દીક્ષા મળી હતી. સં. ૧૩૦૪ વૈશાખ સુદ ચૌદસના દિને તેમને આચાર્ય પદ મળ્યું હતું. આ અવસર ઉપર જ જિનેશ્વરસૂરિએ તેમનું નામ જિનરત્નસૂરિ રાખ્યું. આ કૃતિની રચનામાં પાલનપુર નિવાસી જગધરના પુત્રભુવનપાલ અને પદ્માકના પુત્ર સાઢલે પ્રેરણા આપી હતી. આ કાવ્યની રચના સં. ૧૩૧૧માં થઈ હતી અને તેનું ૧. ખરતરગચ્છખૂહગુર્નાવલિ, પૃ. ૪૯-૫૧ ૨. પ્રત્યેકબુદ્ધચરિત્ર, પ્રશસ્તિ, શ્લોક ૨૮-૩૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય સંશોધન જિનેશ્વરસૂરિ તથા અન્ય સાહિત્યિક વિદ્વાનોએ કર્યું હતું. દિગંબર સાહિત્યમાં ઉક્ત ચાર પ્રત્યેકબુદ્ધોમાંથી કેવળ એક કરકંડુના ચિરત્ર ઉપર કેટલીક રચનાઓ કરવામાં આવી છે પરંતુ તેમાં કરકંડુને પ્રત્યેકબુદ્ધ કહ્યા નથી અને તેમના ચરિત્રને ચમત્કારી તથા કૌતૂહલવર્ધક ઘટનાઓથી ભરી દેવામાં આવ્યું છે. આ ચિરત ઉપર એક પ્રાચીન કૃતિ અપભ્રંશમાં ‘કરકંડુચરઉ’ ઉપલબ્ધ છે, તેની રચના કનકામર મુનિએ અગીઆ૨મી સદીના મધ્યભાગમાં કરી છે. તેનું અનુસ૨ણ ક૨ીને પછી ઉત્તરકાળમાં આ કથાનું સંક્ષેપ રૂપ શ્રીચન્દ્રકૃત કથાકોષમાં, રામચન્દ્ર મુમુક્ષુકૃત પુણ્યાશ્રવકથાકોષમાં અને નેમિદત્તકૃત આરાધનાકથાકોષમાં આપવામાં આવ્યું છે. સ્વતન્ત્ર કાવ્ય રૂપમાં રચાયેલાં રઈ, જિનેન્દ્રભૂષણ ભટ્ટારક અને શ્રીદત્તપંડિતકૃત કરકંડુરિતોનો પણ ઉલ્લેખ ભંડારોની સૂચીઓમાં મળે છે. શુભચન્દ્ર ભટ્ટારકકૃત સંસ્કૃતમાં ૧૫ સર્ગોવાળું કાવ્ય પણ ઉપલબ્ધ છે. અપભ્રંશના મર્મજ્ઞ ડૉ. હીરાલાલ જૈને કરકંડુચરિઉની ભૂમિકામાં ઉક્ત કથાનકની પૂર્વકથાઓ સાથે તુલના આપી છે તથા તેનાં વિવિધ તત્ત્વોની ખોજ કરી છે તથા અવાન્તરકથાઓના અધ્યયનની સાથે સાથે પરવર્તી સાહિત્ય રયણસેહરીકહા (જિનહર્ષગણિકૃત) અને હિન્દી કાવ્ય પદ્માવત (મલિક મુહમ્મદ જાયસીકૃત) ઉપ૨ ઉક્ત કથાનકનો પ્રભાવ દર્શાવ્યો છે. અહીં ઉક્તવિષયક સંસ્કૃત ઉપલબ્ધ કૃતિઓનો પરિચય નીચે આપ્યો છે. ૧. કરકંડુચરિત આમાં ૧૫ સર્ગ છે. તેમાં કકંડુની દક્ષિણ દેશમાં વિજયયાત્રા, તેરાપુરમાં જૈન ગુફાઓનું નિર્માણ, તેની રાણીનું અપહરણ, પછી સિંહલયાત્રા, પાછા ફરતાં વિદ્યાધરો દ્વારા કરકંડુનું અપહરણ અને વિદ્યાધર કન્યાઓ સાથે તેના લગ્ન, વગેરે ઘટનાઓનું રોમાંચક રીતે આલેખન છે. જો કે આ કાવ્યના રચયિતાએ તેને એક સ્વતંત્ર કૃતિના રૂપે રચવાનો દાવો કર્યો છે છતાં કૃતિને મેળવવાથી એ સિદ્ધ થાય છે કે તે કનકામર મુનિએ રચેલા ‘કરકંડુર’નો અનુવાદમાત્ર છે. મૂલકથાની સાથે સાથે બધી જ અવાન્તરકથાઓ પણ તેમાંથી જેમની તેમ ઉપાડી લીધી છે. – ૧. એજન, પ્રશસ્તિ, શ્લોક ૩૨. ૨. જિનરત્નકોશ, પૃ. ૬૭ ૩. ભારતીય જ્ઞાનપીઠ વારાણસી, ૧૯૬૪, ભૂમિકા, પૃ. ૧૩-૩૦ ૪. કરકણ્ડુચરિઉ, પ્રસ્તાવના, પૃ. ૨૯ ૧૬૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય કર્તા અને રચનાકાળ – આ કાવ્યના રચયિતા (અનુવાદક) ભટ્ટારક શુભચન્દ્ર છે. તેમનો પરિચય પાંડવપુરાણના પ્રસંગમાં આપી દીધો છે. કૃતિના અંતે આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કાવ્ય જવાછપુરના આદિનાથચેત્યાલયમાં સં. ૧૬૧૧માં રચાયું છે. આ કાવ્ય પૂરું કરવામાં કર્તાના શિષ્ય સકલભૂષણ સહાયક હતા.' ૨. કરકંડુચરિત – આ કાવ્ય ૪ સર્ગનું છે. તેમાં કુલ ૯૦૦ શ્લોક છે. તેના કર્તા ભટ્ટારક જિનેન્દ્રભૂષણ છે. તે વિશ્વભૂષણના પ્રશિષ્ય તથા બ્રહ્મ. હર્ષસાગરના શિષ્ય હતા. આમાં અવાન્તરકથાઓ બહુ જ સંક્ષેપમાં આપવામાં આવી છે. આ જ કર્તાની કૃતિ “જિનેન્દ્રપુરાણનો એક ભાગ પણ આ કૃતિને માનવામાં આવે કુમ્માપુત્તરિય – ઋષિભાષિતસૂત્રના સાતમા અધ્યયનમાં કુમ્માપુરૂ પ્રત્યેકબુદ્ધ વિશે વાત છે. તેમના ચરિત્ર ઉપર પણ બે કાવ્ય મળે છે. પહેલું કાવ્ય પ્રાકૃત છે, તેમાં ૨૦૭ ગાથાઓ છે. કથાનક સંક્ષેપમાં નીચે મુજબ છે. એક વખત ભગવાન મહાવીરે પોતાના સમવસરણમાં દાન, તપ, શીલ અને ભાવના રૂપ ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપી, કુમ્માપુરૂ (કૂર્માપુત્ર)નું ઉદાહરણ આપી કહ્યું કે ભાવશુદ્ધિને કારણે તે ગૃહવાસમાં પણ કેવળજ્ઞાન પામ્યા હતા. કુષ્માપુત્ત રાજગૃહના રાજા મહિન્દસીહ અને રાણી કુમ્ભાનો પુત્ર હતો. તેનું અસલ નામ ધર્મદેવ હતું પરંતુ તેને કુમ્માપુરૂ નામથી પણ સૌ બોલાવતા. તેણે બચપણમાં જ વાસનાઓને જીતી લીધી હતી અને પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જો કે તેને ઘરમાં રહેતાં રહેતાં જ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી લીધું હતું છતાં માતાપિતાને દુઃખ ન થાય એ ખાતર દીક્ષા ન ગ્રહણ કરી. તેને ગૃહસ્થાવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું કારણ એ હતું કે તેણે પૂર્વભવોમાં પોતાના સમાધિમરણની ક્ષણોમાં ભાવશુદ્ધિ જાળવવાનો અભ્યાસ કર્યો હતો. આ કૃતિમાં પર, ૧૧૨, ૧૬૦ સંસ્કૃત પદ્ય, ૧૨૦-૧૨૧ અપભ્રંશમાં તથા બે ગદ્ય ભાગ અર્ધમાગધીમાં આવે છે. ૧. પદ્ય સં. ૫૪-૫૬; રાજસ્થાન કે જૈન સન્ત: વ્યક્તિત્વ ઔર કૃતિત્વ, પૃ. ૯૮ ૨. જિનરત્નકોશ, પૃ. ૬૭ ૩. જિનરત્નકોશ, પૃ. ૯૫; જૈન વિવિધ શાસ્ત્ર સાહિત્યમાલા, સં. ૧૩૧, વારાણસી, ૧૯૧૯; ડૉ. ૫. લ. વૈદ્ય, પૂના અને કે. વી. અભ્યકર, અમદાવાદનું સંસ્કરણ (૧૯૩૧) પ્રસ્તાવના, ટિપ્પણ આદિ સહિત, એ. ટી. ઉપાધ્ય, બેલગાંવ, ૧૯૩૬ - ભૂમિકા, અનુવાદ, ટિપ્પણ સહિત. ૪. આ કૃતિમાં કુમ્માપુત્તના પૂર્વભવોની પણ કથા આપવામાં આવી છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૬૭ કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા તપાગચ્છના આચાર્ય હેમવિમલના શિષ્ય જિનમાણિક્ય યા જિનમાણિક્યના શિષ્ય અનન્તહસ છે. કેટલાક વિદ્વાન અનન્તહંસને જ વાસ્તવિક કર્તા માને છે જ્યારે કેટલાક તેમના ગુરુને. કૃતિમાં રચનાકાળ જણાવ્યો નથી પરંતુ તપાગચ્છપટ્ટાવલીમાં હેમવિમલને પપમા આચાર્ય મનાયા છે અને તેમનો સમય ૧૬મી સદીનો પ્રારંભ બરાબર બંધ બેસે છે. તેથી પ્રસ્તુત કાવ્યનો કાળ ૧૬મી સદીનો પૂર્વાર્ધ માની શકાય. બીજી રચના પૂર્ણિમાગચ્છના વિદ્યારત્ન કરી છે. તેમનો સમય સં. ૧૫૭૭ છે. કર્તાની ગુરુપરંપરા આ પ્રમાણે છે – જયચન્દ્ર, ભાવચન્દ્ર, ચારિત્રચન્દ્ર, મુનિચન્દ્ર (ગુરુ). અમ્બડચરિત્ર- ઋષિભાષિતસૂત્રમાં અમ્બડને પ્રત્યેકબુદ્ધ કહી તેમના ઉપદેશોનું સંકલન કરવામાં આવ્યું છે. પ્રથમ ઉપાંગ ઔપપાતિકસૂત્રમાં અમ્બડ પરિવ્રાજકની કથા આપી છે. સંભવતઃ તેમના ચરિત્રના આધારે ઉત્તરકાલીન કવિઓએ પોતાની અભુત કલ્પનાઓને જોડીને ૪-૫ કૃતિઓ રચી છે. તેમાં મુનિરત્નસૂરિકૃત કાવ્યનો ગ્રન્યાગ્ર ૧૨૯૦ છે. રચનાકાળ જ્ઞાત નથી. અન્ય રચનાઓમાં અમરસુન્દર (૧૪૫૭), હર્ષસમુદ્ર વાચક (સં. ૧૫૯૯), જયમેરુ (સં. ૧પ૭૧) તથા એક અજ્ઞાત કર્તાની કૃતિઓ મળે છે. અહીં કેવળ એક કૃતિનો પરિચય આપીશું. અમ્બડચરિત – આને અમ્બડકથાનક પણ કહે છે. આમાં અમ્બડની કથા ઘણી જ વિચિત્રતાથી વર્ણવવામાં આવી છે. પહેલાં તે એક તાંત્રિક હતા અને તેમણે યંત્ર-મંત્રના બળે, ગોરખાદેવી દ્વારા નિર્દિષ્ટ સાત દુષ્કર કાર્યો પાર પાડી દેખાડ્યાં. તેણે ૩૨ સુંદરીઓ સાથે લગ્ન કર્યા અને અપાર ધન તથા રાજય પ્રાપ્ત કર્યું. છેવટે તેણે પ્રવ્રજિત થઈ સંલેખનામરણથી દેહત્યાગ કર્યો. આ કથા સંસ્કૃતમાં છે. તેમાં કવિએ પોતાની વિલક્ષણ પ્રતિભા દર્શાવી છે અને કથાને સિંહાસન દ્વાત્રિશિકામાં આલિખિત વિક્રમાદિત્યના ઘટનાચક્ર જેવા ઘટનાચક્ર સાથે જોડી છે. ૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૨, પૃ. ૨૫-૩૦, અમ્બડચરિત્ર ૨. જિનરત્નકોશ, પૃ. ૧૫; અમદાવાદથી સન્ ૧૯૨૩માં પ્રકાશિત ૩. એજન, પૃ. ૧૫ ૪. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૦; તેનો જર્મન અનુવાદ ચાર્લ્સ ક્રાઉસે કર્યો છે, તે લીપઝીગથી પ્રકાશિત થયો છે (૧૯૨૨), વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૩૪૦માં તેને કૌતુકપૂર્ણ લોકકથા કહી છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન કાવ્યસાહિત્ય કર્તા અને રચનાકાળ – કૃતિના કર્તા અમરસુંદરસૂરિ છે. તેમનું નામ સોમસુંદરગણિના (વિ.સં. ૧૪૫૭) શિષ્યોમાં આવે છે. અમરસુંદરને સંસ્કૃતજલ્પપટુ' કહેવામાં આવ્યા છે. રચનાકાળ જ્ઞાત નથી. ધન્યશાલિચરિત – પોતાના વિવેકથી પાત્રદાનરૂપી ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા જીવનને ઉચ્ચ સાધનાપથ ઉપર લઈ જવા માટે, શ્રેણિક અને મહાવીરના સમકાલીન રાજગૃહના બે શ્રેષ્ઠિપુત્ર ધન્યકુમાર અને શાલિભદ્રનાં ચરિત્રો જૈન કવિઓને બહુ પ્રિય થઈ પડ્યાં છે. ધન્યકુમારની કથા અનુત્તરોવવાઈયદસાઓમાં આવે છે. સમાધિમરણ નામના પ્રકીર્ણ કમાં ધન્ય અને શાલિભદ્રનાં કથાનકો (પ્રાયોપગમનસમાધિનાં ઉદાહરણના રૂપે) આવે છે. આ બંને પણ પ્રત્યેકબુદ્ધોની શ્રેણીમાં આવે છે. આ બંનેને એક સાથે રાખીને ધન્યકથા, ધન્યચરિત્ર, ધન્યકુમારચરિત્ર, ધન્યનિદર્શન, ધન્યરત્નકથા, ધન્યવિલાસ, ધન્યશાલિભદ્રચરિત્ર, ધન્યશાલિચરિત્ર અને શાલિભદ્રચરિત્ર નામથી અનેક કૃતિઓ રચાઈ છે, તેમનું વિવરણ નીચે પ્રમાણે છે. ૧. ધન્યકુમાર યા શાલિભદ્રયતિ ગુણભદ્ર (૧૨મી સદી) ૨. ધન્યશાલિચરિત્ર પૂર્ણભદ્ર (સં. ૧૨૮૫) ૩. શાલિભદ્રચરિત્ર ધર્મકુમાર (સં. ૧૩૩૪). ૪. ધન્યશાલિભદ્રચરિત્ર ભદ્રગુપ્ત (સં. ૧૪૨૮) ૫. દયાવર્ધન (સં. ૧૪૬૩) ૬. ધન્યકુમારચરિત્ર સકલકીર્તિ (સં. ૧૪૬૪) ૭. ધન્યશાલિચરિત્ર (દાનકલ્પદ્રુમ) જિનકીર્તિ (સં. ૧૨૯૭) જયાનન્દ (સં. ૧૫૧૦) ૯. ધન્યકુમારચરિત્ર યશ-કીર્તિ ૧૦. ધન્યકુમારચરિત્ર મલ્લેિષણ (૧૬મીનો પ્રારંભ) ૧૧. ધન્યકુમારચરિત્ર . . નેમિદત્ત (સં. ૧૫૧૮-૨૮) ૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૧, પૃ. ૨૪૩ ૨. ગાથા ૧૨૨; ભારતીય સંસ્કૃતિ મેં જૈનધર્મ કા યોગદાન, પૃ. ૧૭૨, વિન્ટરનિત્ય, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૧૮; બંને સગાસંબંધી હતા અને દીક્ષામાં એકબીજાથી પ્રભાવિત હતા. ૩. જિનરત્નકોશ, પૃ. ૧૮૭ અને ૩૮૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૬૯ ૧૨. શાલિભદ્રચરિત્ર વિનયસાગર (સં. ૧૬૨૩) ૧૩. '' પ્રભાચન્દ્ર ૧૪. ” (પ્રાકૃત) અજ્ઞાત ૧૫. ” (પ્રાકૃત) ૧૬. ધન્યવિલાસ ધર્મસિંહસૂરિ (સં. ૧૬૮૫) ૧૭. ધન્યચરિત્ર ઉદ્યોતસાગર (લગભગ સં. ૧૭૪૨) ૧૮. ” બિલ્પણ કવિ (?) - કથાનો સાર–પ્રતિષ્ઠિતનગરમાં નૈગમશેઠ અને લક્ષ્મી શેઠાણીને ધનચન્દ્રવગેરે પાંચ પુત્રો હતા. ધન્યકુમાર તેમાં પાંચમો હતો. પૂર્વભવમાં તે પિતાના મરી જવાથી નિર્ધન થઈ ગયો હતો અને વાછરડાંને ચરાવી દિવસો પસાર કરતો હતો. એક ઉત્સવના દિવસે નગરનાં બાળકોને ખીર ખાતાં જોઈ તેણે પોતાની માતા પાસે ખીર માંગી. માતાએ પાડોશીઓ પાસેથી દૂધ, સાકર, ચોખા માંગી લાવી ખીર બનાવી અને ગરમ ગરમ ખીર કાઢી બાળકને આપી તે કોઈ કામે બહારગઈ. તેવામાં એક મુનિરાજ આવ્યા અને બાળકે પ્રસન્ન મનથી આહારદાનમાં ખીર આપી દીધી. માતા પાછી આવી પણ બાળકે માતાને કંઈ ન કહ્યું. માતા સમજી કે બાળકે ખીર ખાઈ લીધી છે અને તેને બીજી જોઈએ છે એટલે માતાએ તેને બીજી ખીર આપી, બાળકને ખાઈને સૂઈ ગયો. તેથી તેનાં કેટલાંય વાછરડાં પાછાં ન આવ્યાં. ઊઠીને તે તેમને શોધવા નીકળ્યો. રસ્તામાં તેને એક મુનિ મળ્યા. તેમની પાસેથી તેણે શ્રાવકવ્રત ગ્રહણ કર્યા. રાત્રે વાછરડાંની શોધ કરતો હતો ત્યારે એક સિંહે તેને મારી નાખ્યો. મુનિદાનના પ્રભાવે તે ધન્યકુમાર થયો અને થોડા જ સમયમાં તે સકલ કલાઓમાં પારંગત બની ગયો. તેના મોટા ભાઈઓ તેની ઈર્ષા કરતા હતા. તેણે જીવનની શરૂઆત કરતાં જ અનેક આશ્ચર્યજનક કામો કરી બતાવ્યાં. તેણે પાડાઓ સાથે લડીને હજાર દીનાર મેળવી, મૃતક પશુ ખરીદી તેમાંથી કીમતી રત્નો મેળવ્યાં, વગેરે. ભાઈઓમાં વધતી ઈર્ષાને કારણે તે ઘર છોડી ગયો અને બુદ્ધિવૈભવથી અનેક ચમત્કારોનું પ્રદર્શન કરી તેણે રાજગૃહમાં અનેક કન્યાઓ સાથે તથા ગોભદ્ર શેઠની પુત્રી (શાલિભદ્રનીબેન) સાથે લગ્નો કર્યા અને સુખે જીવવા લાગ્યો. આ બાજુ માતાપિતા તથા ભાઈઓની હાલત ખરાબ ને ખરાબ થતી ગઈ, તેમને આજીવિકા માટે મજૂરી કરવી પડતી હતી. તેણે તેમને મદદ કરી અને બહુ જખ્યાતિ અને પ્રતિષ્ઠા તેને મળી. શાલિભદ્ર પૂર્વભવમાં ગરીબ વિધવાના પુત્ર હતા. તેમનું નામ સંગમક ગોવાળ હતું. તે ગાયબળદ ચરાવતો હતો. ચરાવતી વખતે સામાયિકમાં તેને ખૂબ આનંદ થતો હતો. એક ઉત્સવના દિવસે બધાં ઘરોમાં મિષ્ટાન્ન તૈયાર થતું જોઈ તેણે પોતાની Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ માતાને મિષ્ટાન્ન બનાવવાનું કહ્યું. તે ગરીબ માતા મહામુશ્કેલીથી મિષ્ટાન્ન બનાવી શકી અને પછી બાળકને પીરસી બહાર કામે ગઈ. તે જ વખતે પારણા માટે એક મુનિ આવી ચડ્યા. સંગમકે પોતાનું ભોજન તેમને આપી દીધું. રાતે ભૂખને ારણે તેને એટલી બધી વેદના થઈ કે તે મરી ગયો પરંતુ આહારદાનરૂપી પુણ્યફળથી રાજગૃહમાં શેઠ ગોભદ્ર અને શેઠાણી ભદ્રાને ત્યાં તે જન્મ્યો. તેનું નામ શાલિભદ્ર પાડવામાં આવ્યું. તે ખૂબ સુંદર અને ગુણવાન હતો. જ્યારે તે યુવાન થયો ત્યારે તેના પિતાએ ૩૨ કન્યાઓ સાથે તેના લગ્ન કરાવ્યા અને આ રીતે તે આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યો. તેના પિતા મુનિ બની ગયા અને સમાધિમરણપૂર્વક સ્વર્ગે ગયા. દેવતા બની તેમણે પોતાના પુત્ર શાલિભદ્ર માટે પ્રચુર ધનસંગ્રહ કર્યો. તેથી તે સમયે એટલો ધની કે જાણે શાલિભદ્ર' એવી લોકોક્તિ પ્રચલિત થઈ ગઈ. એક દિવસ તેની માતાએ તેની વહુઓ માટે ૩૨ બહુમૂલ્ય રત્નકમ્બલ ખરીદી. તેમાંની એકને પણ ખરીદવાનું સામર્થ્ય રાજા શ્રેણિકમાં ન હતું. એક દિવસ પોતાના વૈભવને જોવા માટે રાજા શ્રેણિકને સાધારણ મનુષ્યના વેશમાં આવેલા જોઈ અને પોતાના ઉપર પણ કોઈ છે એ સમજીને શાલિભદ્ર સંસારથી વિરક્ત થઈ ગયા અને પ્રત્યેકબુદ્ધ બની ગયા અને દીક્ષા ગ્રહણ કરી તપ કરવા લાગ્યા. પોતાના સાળાના આ ચરિત્રને જોઈ ધન્યકુમાર પણ બધો વૈભવ છોડી દીક્ષિત થઈ ગયા. બંને ઘોર તપ કરી મોક્ષે ગયા. જૈન કાવ્યસાહિત્ય ધન્યકુમારચરિત આ સંસ્કૃત લઘુકાવ્ય છે. તેમાં ૭ સર્ગો છે. કાવ્યની ભાષા સરળ અને સરસ છે. આ કથાનો આધાર ગુણભદ્રનું ઉત્તરપુરાણ જણાય છે. એ વાત નોંધપાત્ર છે કે ધન્યકુમારવિષયક સ્વતન્ત્ર ચરિત્રોમાં આ કૃતિ સૌપ્રથમ છે અને આ કૃતિમાં કોઈ પણ પૂર્વવર્તી ધન્યકુમારચરિત્રનો કે તેના લેખકનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. – કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા માથુરસંઘના આચાર્ય માણિક્યસેનના પ્રશિષ્ય અને નેમિસેનના શિષ્ય ગુણભદ્ર મુનિ છે. તેમણે આની રચના મહાંબેના ચન્દેલનરેશ પરમર્દિદેવના શાસનકાળમાં મધ્યપ્રદેશના વિલાસપુરનગરમાં લંબકંચુક શ્રાવક બલ્હણની પ્રેરણાથી સં. ૧૨૨૭ અને ૧૨૫૭ની વચ્ચે કોઈ સમયે કરી હતી. કર્તાની અન્ય કૃતિમાં બિજોલિયા પાર્શ્વનાથનો સ્તંભલેખ અને ગુણભદ્રપ્રતિષ્ઠાપાઠ પણ છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૭ ૨. કર્તાના વિશેષ પરિચય માટે જુઓ જૈન સન્દેશ, શોધાંક ૮, પૃ. ૨૭૪-૭૬ અને પૃ. ૩૦૧. Page #193 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૭૧ ધન્યશાલિભદ્રકાવ્ય – આ કાવ્યમાં ૬ પરિચ્છેદ છે. ૧ ગ્રન્થાઝ ૧૪૬૦ અને તેમાં પ્રશસ્તિનાં પદ્યો ઉમેરતાં કુલ પરિમાણ ૧૪૯૦ શ્લોકપ્રમાણ છે. કૃતિના અંતે વિવિધ છન્દોમાં ૧૫ પદ્યોની પ્રશસ્તિ આપવામાં આવી છે. કૃતિને મહાકાવ્ય કહેવામાં આવી છે કારણ કે તેમાં અનેક રસો, અલંકારો અને વિવિધ છંદોનો પ્રયોગ થયો છે તથા સંક્ષેપમાં નગરો, ઉપવનો, વગેરેનાં વર્ણનો પણ છે. કથાનો મૂળ ઉદ્દેશ દાનધર્મનું માહાભ્ય દર્શાવવાનો છે, તેથી અહીંતહીં સુલલિત પદોમાં ધાર્મિક ઉપદેશો આવે છે. કાવ્યમાં વચ્ચે વચ્ચે આવતાં ઉખાણાઓ અને સંવાદોએ કથાનકને બહુ જ સજીવ અને રોચક બનાવી દીધું છે. કતો અને રચનાકાળ – આ કાવ્યના પ્રણેતા જિનપતિસૂરિના શિષ્ય પૂર્ણભદ્રસૂરિ છે. તેમણે જેઠ સુદ ૧૦, વિ.સં. ૧૨૮૫માં જેસલમેરમાં રહીને આ કૃતિ પૂરી કરી હતી. તેમાં તેમને સર્વદેવસૂરિની સહાયતા મળી હતી. પ્રશસ્તિમાં કર્તાએ પોતાની ગુરુપરંપરા જિનેશ્વરસૂરિથી શરૂ કરી છે. કર્તાની અન્ય રચનાઓ છે અતિમુક્તકચરિત્ર (સં. ૧૨૮૨) તથા કૃતપુણ્યચરિત્ર (સં. ૧૩૦૫). શાલિભદ્રચરિત – આ લઘુકાવ્ય છે. તે સાત પ્રક્રમોમાં વિભક્ત છે. એક આલંકારિક કાવ્યની બધી વિશેષતાઓથી તે યુક્ત છે. હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના ૧૦મા પર્વનો પ૭મો અધ્યાય પ્રસ્તુત કાવ્યનો આધાર છે. આ કાવ્યનું નામ દાનધર્મકથા પણ છે. અનેક સૂક્તિઓ, નીતિ અને વ્યાવહારિક કહેવતોથી તેને સુંદર બનાવાયું છે. કર્તા અને રચનાકાળ – આ કાવ્યની રચના ધર્મકુમારે સં. ૧૩૩૪માં કરી છે. ધર્મકુમાર નાગેન્દ્રકુળના આચાર્ય સોમપ્રભના શિષ્ય વિબુધપ્રભના શિષ્ય હતા. કાવ્યની રચનામાં કનકપ્રભના શિષ્ય અને અનેક ગ્રંથોના સંશોધક આચાર્ય પ્રદ્યુમ્ન ૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૮; જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સૂરત, વિ.સં. ૧૯૯૧ ૨. પ્રશસ્તિ, પદ્ય સં. ૧૧-૧૨. ૩. જિનરત્નકોશ, પૃ. ૩૮૨; તેની કથાનો સંક્ષેપ અંગ્રેજીમાં વિન્ટરનિટ્સે પોતાના ગ્રંથ હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૧૮માં આપ્યો છે. આ કૃતિ યશોવિજય ગ્રન્થમાલા, વારાણસીથી પ્રકાશિત (૧૯૧૦) છે. બ્લમફીલ્ટે અમેરિકન ઓરિએન્ટલ સોસાયટીની પત્રિકા, ભાગ ૪૩, પૃ. ૨૫૭ આદિ ઉપર વિસ્તૃત પરિચય આપ્યો છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન કાવ્યસાહિત્ય સહાયતા કરી હતી. પ્રદ્યુમ્નના પહેલાં પ્રભાચન્દ્ર (પ્રભાવક ચરિત્રકારે) તેનું સંશોધન કર્યું હતું. ધન્યશાલિભદ્રચરિત – આના કર્તા રુદ્રપલ્લીયગચ્છના દેવગુપ્તના શિષ્ય ભદ્રગુપ્ત છે. કાવ્યનો રચનાકાળ સં. ૧૪૨૮ આપવામાં આવ્યો છે. ધન્યશાલિચરિત – આનું બીજું નામ ધન્યનિદર્શન પણ છે. તેની રચના દયાવર્ધનસૂરિએ સં. ૧૪૬૩માં કરી છે. તેમના ગુરુનું નામ જયપાંડુ યા જયચન્દ્ર યા જયતિલક છે. કર્તાની બીજી મહત્ત્વની કૃતિ રત્નશેખરરત્નવતીકથા (સં. ૧૪૬૩) છે, તે જાયસીના હિન્દી મહાકાવ્ય પદ્માવતનો સ્રોત મનાય છે. કર્તા વિશે વધુ માહિતી મળતી નથી. ધન્યકુમારચરિત – આ કાવ્ય ૭ સર્ગનું છે. ભાષા સરળ અને સુન્દર છે. ગ્રન્થાગ્ર ૮૫૦ શ્લોકપ્રમાણ છે. તેના કર્તા ભટ્ટારક સકલકીર્તિ છે, તેમનો પરિચય પહેલાં આપી દીધો છે.' ધન્યશાલિચરિત – આ કાવ્યનું બીજું નામ “દાનકલ્પદ્રુમ' પણ છે. આ સંસ્કૃત પદ્યબદ્ધ રચના છે. તેના કર્તા તપાગચ્છીય સોમસુન્દરના શિષ્ય જિનકીર્તિ છે. તેમણે આ કાવ્ય સં. ૧૪૯૭માં રચ્યું છે. તેમની બીજી કૃતિઓ છે - નમસ્કારસ્તવ સ્વપજ્ઞવૃત્તિ સાથે (વિ.સં. ૧૪૯૪); શ્રીપાલગોપાલકથા, ચમ્પકશ્રેષ્ઠિકથા, પંચજિનસ્તવ તથા શ્રાદ્ધગુણસંગ્રહ (વિ.સં. ૧૪૯૮). ૧. ધન્યકુમારચરિત – આ કાવ્યમાં પાંચ સર્ગ છે અને કુલ ૧૧૪૦ શ્લોક છે. તેની રચના ખરતરગચ્છીય જિનશેખરના પ્રશિષ્ય અને જિનધર્મસૂરિના શિષ્ય જયાનન્દ સં. ૧૫૧૦માં કરી હતી. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૮. ૨. એજન, પૃ. ૧૮૭-૧૮૮; જૈન આત્માનન્દ સભા (ગ્રં. ૪૩), ભાવનગર, ૧૯૭૧ ૩. એજન, પૃ. ૧૮૭; રાજસ્થાન કે જૈન સન્ત: વ્યક્તિત્વ ઔર કૃતિત્વ, પૃ. ૧૧, હિન્દી અનુવાદ – જૈન ભારતી, બનારસ, ૧૯૧૧. ૪. પૃ. ૫૧ ૫. જિનરત્નકોશ, પૃ. ૧૭૨, ૧૮૭; દેવચંદ લાલભાઈ ગ્રન્થમાલા, સં. ૯, મુંબઈ, ૧૯૧૯ ૬. એજન, પૃ. ૧૮૭; જિનદત્તસૂરિ પુસ્તકોદ્ધાર ફંડ, સૂરત, ૧૯૩૮ Page #195 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૭૩ યશ-કીર્તિ અને મલ્લિભૂષણના ધન્યકુમારચરિત્રનો કેવળ ઉલ્લેખ જ મળે છે. તેવી જ રીતે બિલ્ડણકવિકૃત ધન્યકુમારચરિતનો કેવળ ઉલ્લેખ જ મળે છે.' ૨. ધન્યકુમારચરિત - આ પાંચ સર્ગનું કાવ્ય છે. તેની રચના ભટ્ટારક વિઘાનદિ અને મલ્લિભૂષણના શિષ્ય બ્રહ્મ. નેમિદત્ત કરી હતી. બ્રહ્મ. નેમિદત્તનો સાહિત્યકાળ સં. ૧૫૧૮-૨૮ મનાય છે. શાલિભદ્રચરિત – આ કાવ્યની રચના વિનયસાગરગણિએ સં. ૧૬૨૩માં કરી હતી. આ રચના અને તેના કર્તાના સંબંધમાં વિશેષ કંઈ જાણવા મળ્યું નથી. પ્રભાચન્દ્રકૃત શાલિભદ્રચરિતનો પણ ઉલ્લેખ મળે છે. પ્રાકૃતમાં પણ કેટલાંક શાલિભદ્રચરિત્રોની ભાળ મળી છે. એકમાં ૧૭૭ ગાથાઓ છે. પ્રારંભ “સુરવરયાનું નક્નીસેલમાનંથી થાય છે. બીજાંઓનો કેવળ ઉલ્લેખ જ મળે છે.* ધન્યવિલાસ – આનો ગ્રન્યાગ્ર ૧૧૦૦ શ્લોકપ્રમાણ છે. આ કૃતિ સંસ્કૃત છે. તેના કર્તા ધર્મસિંહસૂરિ છે. તેની એક હસ્તપ્રત મળી છે.' ધન્યચરિત – આ “સંસ્કૃતાભાસજલ્પમય' વિશાળ ગદ્યરચના છે. તેનો ગ્રન્થાગ્ર ૯OOO શ્લોકપ્રમાણ છે. આ કાવ્ય નવ પલ્લવોમાં વિભક્ત છે. આમાં ધન્યકુમાર અને શાલિભદ્ર બન્નેનાં ચરિત્રો છે. આ કૃતિનો આધાર જિનકીર્તિની ઉપર જણાવેલી કૃતિ દાનકલ્પદ્રુમ અપરનામ ધન્યશાલિચરિત્ર છે. કૃતિની વચ્ચે અનેક અવાન્તર કથાઓ આવે છે. આ કૃતિ ૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૭ ૨. એજન ૩. એજન, પૃ. ૩૮૨ ૪. એજન ૫. એજન, પૃ. ૧૮૭ ૬. એજન; પોપટલાલ પ્રભુદાસ, સિહોર દ્વારા વિ.સં. ૧૯૯૬માં પ્રકાશિત. ७. इति श्री जिनकीर्तिविरचितस्य पद्यबद्ध श्रीधन्यचरित्रशालिनः. महोपाध्यायश्रीज्ञानसागरगणिशिष्याल्पमतिग्रथितगद्यरचनाप्रबन्धे इत्येवं मया धन्यमुनेः शालिभद्रमुनेः चरितं संस्कृताभासजल्पमयं गद्यबन्धेन लिखितम् । Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અનેક લૌકિક શિક્ષાઓની ભરેલી છે. વચ્ચે વચ્ચે દેશી ભાષાઓનાં અનેક પદ્યો ઉદ્ધૃત છે. કર્તા અને રચનાકાળ કર્તાએ આટલો મોટો ગ્રન્થ લખવા છતાં પોતાનું નામ આપ્યું નથી. કેવળ જ્ઞાનસાગરશિષ્ય અલ્પમતિ એટલું જ કહ્યું છે. જ્ઞાનસાગરના શિષ્યે પ્રાચીન ગુજરાતીમાં ૨૧ પ્રકારી અને અષ્ટપ્રકારી પૂજાની રચના કરી છે. અષ્ટપ્રકારી પૂજાની રચનાના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાં સં. ૧૭૪૩ આપ્યો છે. અને કર્તાના નામ તરીકે ‘જ્ઞાન-ઉદ્યોત' એવું શ્લિષ્ટપદ આપ્યું છે. સંભવ છે કે ગુરુનું નામ જ્ઞાનસાગર અને શિષ્યનું નામ ઉદ્યોતસાગર હોય.૧ પૃથ્વીચન્દ્રચરિત્ર – પૃથ્વીચન્દ્ર રાજાની કથા પણ પ્રત્યેકબુદ્ધચરિતોની શ્રેણીમાં આવે છે કારણ કે તેમણે સમ્યગ્દર્શનના પ્રભાવથી પોતાનો એટલો તો આધ્યાત્મિક વિકાસ કર્યો હતો કે તેમને ગૃહસ્થાવસ્થામાં જ કોઈના ઉપદેશ વિના જ કેવળજ્ઞાન થઈ ગયું અને મોક્ષ પણ મળી ગયો. ઉક્ત કથાને લઈને જૈન કવિઓએ પ્રાકૃત, સંસ્કૃત તથા લોકભાષાઓમાં અનેક કૃતિઓ રચી છે. તેમાંથી જે કૃતિઓ જ્ઞાત છે તેમની માહિતી નીચે આપી છે : - ૧. પૃહવીચન્દ્રચરિય ૨. પૃથ્વીચન્દ્રચરિત્ર ૩. ૪. ૫. ૬. ૭. અજ્ઞાત ૮. પૃથ્વીચન્દ્રગુણસાગરચરિત્ર અજ્ઞાત ૯. પૃથ્વીચન્દ્રચરિત્ર અજ્ઞાત સંસ્કૃત ગદ્ય ૧૦. અજ્ઞાત કથાસાર રાજા પૃથ્વીચન્દ્ર અને વિષ્ણપુત્ર ગુણસાગર આ ભવ પહેલાંના દસ ભવોમાં ૧. રાજા શંખ અને રાણી કલાવતીના રૂપે જન્મ લઈ સમ્યક્ત્વ અને શીલના પ્રભાવથી ઉત્તરોત્તર વિકાસ કરી પછીના ભવોમાં ૨. રાજા કમલસેન ૧. વધુ માટે જુઓ ઉક્ત ગ્રન્થની પ્રસ્તાવના. "" ,, જૈન કાવ્યસાહિત્ય '' ,, ,, સત્યાચાર્ય (સં. ૧૧૬૧) પ્રાકૃત માણિક્યસુન્દર (સં. ૧૪૭૮)જૂની ગુજરાતી જયસાગરગણિ (સં. ૧૫૦૩) સત્યરાજગણિ (સં. ૧૫૩૪) લબ્ધિસાગર (સં. ૧૫૫૮) રૂપવિજય (સં. ૧૮૮૨) . Page #197 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૭૫ અને રાણી ગુણસેના, ૩. દેવસિંહ રાજા અને રાણી કનકસુંદરી, ૪. દેવરથ અને રત્નાવલી, ૫. પૂર્ણચન્દ્ર અને પુષ્પસુન્દરી, ૬. શૂરસેન અને મુક્તાવલી, ૭. પદ્મોત્તર અને હરિવેગ (વિદ્યાધર રાજા), ૮. ગિરિસુન્દર અને રત્નસાર (વૈમાતૃક ભાઈ), ૯. કનકધ્વજ અને જયસુન્દર (સહોદર ભાઈ), ૧૦. કુસુમાયુધ અને કુસુમકેતુ (પિતા-પુત્ર) અને ૧૧. અન્ને મહારાજા પૃથ્વીચન્દ્ર અને શ્રેષ્ઠિપુત્ર ગુણસાગર થયા. બન્નેના મનોભાવો એટલા નિર્મળ હતા કે બન્ને ગૃહસ્થાવસ્થામાં જ કેવળજ્ઞાની બની ગયા અને મોક્ષે ગયા. પૃથ્વીન્દ્રના પ્રથમ ભવ શંખ-કલાવતીને લઈને સ્વતંત્ર કથાકૃતિઓ પણ રચાઈ. અહીં પૃથ્વીચન્દ્ર રાજર્ષિની કથા સંબંધી કેટલીક કૃતિઓનો પરિચય આપીએ છીએ. પુવીચંદરિય – આ કૃતિ પ્રાકૃત છે. તેમાં ૭૫૦૦ ગાથાઓ છે. કૃતિ વિશાળ છે. તે અનેક અવાજોરકથાઓથી ભરેલી છે. તેની રચના બૃહદ્ગથ્વીય સર્વદેવસૂરિના પ્રશિષ્ય અને નેમિચન્દ્રના શિષ્ય સત્યાચાયૅ મહાવીર સં. ૧૬૩૧ અર્થાત્ વિ.સં. ૧૧૬૧માં કરી હતી. તેની હસ્તપ્રતો મળે છે. તેના ઉપર ૧૧૦૦ શ્લોકપ્રમાણ કનકચન્દ્રસૂરિકૃત ટિપ્પણ તથા રત્નપ્રભસૂરિકૃત ચરિત્રસંકેત ટિપ્પણ (૫૦૦ શ્લોકપ્રમાણ) પણ મળે છે. ૧. પૃથ્વીચન્દ્રચરિત – આ ૧૧ સોંવાળી સંસ્કૃત રચના છે. તેનું પરિમાણ ૨૬૫૪ શ્લોકપ્રમાણ છે. તેની રચના ખરતરગચ્છના જિનવર્ધનસૂરિના શિષ્ય જયસાગરગણિએ પાલનપુરમાં સં. ૧૫૦૩માં કરી હતી. તેમની બીજી કૃતિ પર્વરત્નાવલી છે. ૨. પૃથ્વીચન્દ્રચરિત – આ સંસ્કૃત કાવ્ય અનુરુપ છંદમાં રચાયું છે. તેમાં ૧૧ સર્ગ છે. તેનો ગ્રન્થાઝ ૧૮૪૬ શ્લોકપ્રમાણ છે. તેમાં સર્ગોનાં નામ પૃથ્વીચન્દ્ર અને ગુણસાગરના ૧૧ પૂર્વ મનુષ્યભવોનાં નામ ઉપરથી રાખવામાં આવ્યાં છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૨૫૫-૨૫૬ ૨. એજન, પૃ. ૨પ૬ ૩. યશોવિજય જૈન ગ્રન્થમાલા (સં. ૪૪), ભાવનગર, વિ.સં. ૧૯૭૬; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૫૧૬માં આને જોયા વિના જ ગદ્યપદ્યમય શ્લેષગ્રન્થ કહેવામાં આવેલ છે. ૪. પ્રશસ્તિ, પદ્ય ૧૦. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જેન કાવ્યસાહિત્ય કાવ્ય અનેક અદ્ભુત ઘટનાઓથી ભર્યું છે. તેમાં સરળ અને પ્રસાદપૂર્ણ રીતે અનેક અવાજોરકથાઓ કહેવામાં આવી છે. આ કાવ્યનો આધાર પૂર્વાચાર્યોની પ્રાકૃત કૃતિઓ છે. ૧ કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા સત્યરાજગણિ છે. તેમણે કૃતિના અન્ત ૧૦ પદ્યોની પ્રશસ્તિમાં પોતાનો પરિચય આપ્યો છે. તેમાંથી જાણવા મળે છે કે તે પૂર્ણિમાગચ્છના પુણ્યરત્નસૂરિના શિષ્ય હતા. આ કૃતિ અમદાવાદમાં વિ.સં. ૧૫૩૫માં રચાઈ છે. રચના સમયે તેમના ગુરુની વિદ્યમાનતા માંડલ પત્તનના ઋષભદેવ મંદિરમાંથી મળેલ એક ધાતુપ્રતિમાલેખ (વિ.સં. ૧૫૩૧)માંથી જાણવા મળે છે. ૩. પૃથ્વીચન્દ્રચરિત – વૃદ્ધતપાગચ્છના ઉદયસાગરના શિષ્ય લબ્ધિસાગરે આ સંસ્કૃત કાવ્યને સં. ૧૫૫૮માં રચ્યું હતું. તેમની બીજી રચના શ્રીપાલકથા સં. ૧૫૫૭માં લખાઈ હતી. ૪. પૃથ્વીચન્દ્રચરિત – આ સંસ્કૃત ગદ્યમયી ૧૧ સર્ગો ધરાવતી બૃહત કૃતિ છે. તેનો ગ્રન્થાઝ ૫૯૦૧ શ્લોકપ્રમાણ છે. ગદ્ય સરળ છે અને વચ્ચે વચ્ચે સંસ્કૃત અને પ્રાકૃત પદ્યો પણ ઉદ્ધત છે. કવિએ પોતાની રચનાનો આધાર કોઈ પ્રાકૃત કૃતિને માન્યો છે : ઋવિના પ્રાકૃતી પ્રવ્રુતપૃથ્વીન્દ્રવતિર્થ સાધવર્ધમાયા किञ्चित् लिख्यते । કર્તા અને કૃતિકાળ – કૃતિના અંતે ૧૧ પદ્યોની પ્રશસ્તિ આપી છે. તેમાંથી જાણવા મળે છે કે તેના કર્તા તપાગચ્છની સંવિગ્નશાખાના પદ્મવિજયગણિના શિષ્ય રૂપવિજયગણિ છે. તેમણે આ કાવ્ય અમદાવાદ નગરમાં વિ.સં. ૧૮૮૨ શ્રાવણ માસમાં નેમિનાથના જન્મદિને રચ્યું હતું.' આ જ વિષયની અન્ય કૃતિઓના કર્તાઓનાં નામ અજ્ઞાત છે. તેમાં એક કૃતિ સંસ્કૃત ગદ્યમાં પણ મળે છે." ૧. પ્રશસ્તિ , પદ્ય ૪ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૫૬; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૮ ૩. એજન, પૃ. ૨પ૬ ૪. જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, ૧૯૧૮; મેસર્સ એ. એમ. કંપની, ભાવનગર, ૧૯૩૬, પ્રશસ્તિ, પદ્ય ૫-૧૧. ૫. જિનરત્નકોશ, પૃ. ૨૫૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય આર્દ્રકકુમારચરિત – ઋષિભાષિતસૂત્રમાં આર્દ્રકને ૨૮મા પ્રત્યેકબુદ્ધ માન્યા છે. તેમણે કામવાસનાની નિંદા કરી હતી. સૂત્રકૃતાંગ અનુસાર આર્દ્રક એક અનાર્ય દેશના રાજકુમાર હતા', શ્રેણિકપુત્ર અભયકુમાર સાથે તેમને મૈત્રી હતી. આર્દ્રકકુમારે અભયકુમા૨ને ભેટો મોકલાવી હતી. અભયકુમારે પણ તેમને ધર્મોપકરણો ભેટ મોકલ્યાં હતાં, તેમને મેળવીને આર્દ્રકકુમાર પ્રતિબુદ્ધ થયા. જાતિસ્મરણજ્ઞાન થવાથી આર્દ્રકકુમારે દીક્ષા લઈ લીધી અને ત્યાંથી ભગવાન મહાવીર ભણી વિહાર કર્યો. આર્દ્રકકુમારચરિત્ર ઉપર અજ્ઞાતકર્તૃક કેટલીય રચનાઓ મળે છે. તેમાં એકમાં ૧૫૯ પ્રાકૃત પો છે, અને બીજી એકમાં ૧૭૦ પ્રાકૃત પદ્યો છે. તેમની પત્ની શ્રીમતી ઉપર પણ શ્રીમતીકથા' નામની અજ્ઞાતકર્તૃક રચના મળી છે. કેવલિચરિત પ્રત્યેકબુદ્ધોનાં ચરિતોની જેમ જ વિભિન્ન કાળે થયેલા કેટલાક કેવલીઓનાં (કેવળજ્ઞાનીઓનાં) ચિરતોને પણ રોચકતાને કારણે જૈન કવિઓએ પોતાનાં કાવ્યોના વિષય બનાવ્યા છે. તેમાંથી કામદેવના ચરિતોના પ્રસંગમાં અમે વિજયચન્દ્રકેવલિચરિત્ર (પ્રાકૃત), સિદ્ધર્ષિકૃત શ્રીચન્દ્રકેવલિચરિત્ર, ભુવનભાનુકેલિ(બલિનરેન્દ્ર)ચરિત્ર, તથા જમ્મૂકેવલિચરિત વગેરે કેટલીક કૃતિઓનો પરિચય આપી દીધો છે. તે ઉપરાંત કેલિચરિત્ર ઉપર બીજી રચનાઓ પણ મળે છે. જયાનન્તકેવલિચરિત – આનો ગ્રન્થાગ્ર ૬૭૫ શ્લોકપ્રમાણ છે. તેની રચના તપાગચ્છના પ્રભાવક આચાર્ય સોમસુન્દરના શિષ્ય મુનિસુન્દરે (વિ.સં. ૧૪૭૮૧૫૦૩) કરી છે. ― ૧૭૭ ૧. ડૉ. જ્યોતિપ્રસાદ જૈને આર્દ્રકકુમારને ઈરાનના સમ્રાટ કુરુષ (ઈ.પૂ. ૫૫૮-૫૩૦)ના પુત્ર ગણ્યા છે. ભારતીય ઈતિહાસ : એક દૃષ્ટિ, પૃ. ૬૭-૬૮ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૪; પાટણ સૂચી, ભાગ ૧, પૃ. ૧૫૩ અને ૪૦૫ ૩. એજન, પૃ. ૩૯૮ ૪. જિનરત્નકોશ, પૃ. ૧૩૪; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૬૮ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન કાવ્યસાહિત્ય બીજી કૃતિ સંસ્કૃત ગદ્યમાં છે. તેની રચના તપાગચ્છના પ્રભાવક આચાર્ય યશોવિજયના ગુરુભાઈ પમવિજયે સં. ૧૮૫૮માં કરી છે. આ કૃતિનો આધાર મુનિસુન્દરકૃત રચના છે. પ્રકીર્ણક પાત્રોનાં ચરિત્રો ઉપર્યુક્ત શ્રેણીબદ્ધ (તીર્થંકર-ચક્રવર્તીથી શરૂ કરી પ્રત્યેકબુદ્ધ સુધી) ચરિત્રો અને પૌરાણિક કાવ્યો ઉપરાંત સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક પ્રકીર્ણક કાવ્યો મળે છે, તે કાવ્યોમાં એવાં પાત્રોનાં ચરિત્રો આલેખવામાં આવ્યાં છે જે ઉપર્યુક્ત તીર્થંકરચક્રવર્તી આદિનાં જીવનથી સંબદ્ધ હોય કે તેમના સમકાલીન હોય, અને એ પાત્રોનાં ભવ્ય જીવન પ્રત્યે કવિઓ અને શ્રોતાઓને વિશેષ અભિરુચિ હોય. અહીં અમે પહેલા તીર્થંકરથી અંતિમ તીર્થંકર સુધીના કાલખંડમાં થયેલાં પાત્રો ઉપર આધારિત મુખ્ય કાવ્યોનો પરિચય કરાવીએ છીએ. જયકુમાર-સુલોચનાચરિત – ભરત ચક્રવર્તીના સેનાપતિ અને હસ્તિનાપુરના રાજા જયકુમાર (મેઘેશ્વર) તથા તેમની રાણી સુલોચનાના કૌતુકપૂર્ણ ચરિતના ઉપર જૈન કવિઓએ સુલોચનાકથા યા ચરિત, જયકુમારચરિત, સુલોચનાવિવાહ નાટક (વિક્રાન્તકૌરવ નાટક) આદિ વિવિધ પ્રકારનાં કાવ્યો રચ્યાં છે. કથાપ્રસંગમાં કવિઓને ઉક્ત ચરિતની કેટલીય વાતો રોચક જણાઈ. જયકુમાર સૌન્દર્ય અને શીલનો ભંડાર હતા. એક વાર તે કાશીરાજ અકંપનની પુત્રી સુલોચનાના સ્વયંવરમાં આવ્યા. અનેક સુન્દર રાજકુમારો, એટલે સુધી કે ભરત ચક્રવર્તીના પુત્ર અર્કકીર્તિ તેમાં હોવા છતાં સુલોચનાએ વરમાળા જયકીતિને પહેરાવી. સ્વયંવર સમાપ્ત થતાં જ ભરતપુત્ર અર્કકીર્તિ અને જયકુમાર વચ્ચે યુદ્ધ શરૂ થયું પરંતુ વિજય જયકુમારનો થયો. આ અપ્રિય ઘટનાની ખબર ભરત ચક્રવર્તીને મોકલવામાં આવી. તે સાંભળી ચક્રવર્તી ભરતે જયકુમારની ભારે પ્રશંસા કરી. લગ્ન પછી વિદાય લઈને જયકુમાર ચક્રવર્તી ભરતને મળવા અયોધ્યા જાય છે અને ત્યાંથી પાછા વળી જ્યારે તે પોતાના પડાવ તરફ જાય છે ત્યારે માર્ગમાં ગંગા નદી પાર કરતી વખતે તેના હાથીને એક દેવી મગરનું રૂપ ધરી પકડી લે છે. તેથી જયકુમાર-સુલોચના હાથી સાથે ગંગા નદીમાં ડૂબવા લાગે છે. તે સમયે સુલોચના પંચનમસ્કારમંત્રની આરાધનાથી તે ઉપસર્ગને દૂર કરે છે. હસ્તિનાપુર પહોંચી ૧. જિનરત્નકોશ, પૃ. ૧૩૪; આ કૃતિ પાલીતાણાથી સન્ ૧૯૨૧માં પ્રકાશિત થઈ છે. ૨. એજન, પૃ. ૧૩૨ અને ૪૪૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય જયકુમાર અને સુલોચના અનેક સુખો ભોગવે છે. એક દિવસ મહેલની અટારીમાં બેઠાં બેઠાં બન્નેએ આકાશમાર્ગે જતું વિદ્યાધરદમ્પતી જોયું અને બન્નેને પૂર્વભવની ઘટનાનું સ્મરણ થતાં બન્ને મૂર્છિત થઈ ગયાં. મૂર્છા વળી જતાં ભવાવલિઓનું વર્ણન કરતાં કરતાં સુખે સમય પસાર કરવા લાગ્યાં. એક વાર એક દેવે આવી જયકુમારના શીલની પરીક્ષા કરી. પછી જયકુમાર સંસારથી વિરક્ત થઈ ગયા અને તેમણે ભગવાન ઋષભદેવ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. આ કથાનક ઉપર નીચેની કૃતિઓ આજ સુધીમાં મળી છે : ૧. મહાસેન (વિ.સં. ૮૩૫થી પહેલાં) ૨. ગુણભદ્ર (વિ.સં.૯૦૫ લગભગ) ૩. હસ્તિમલ્લ (૧૩મી સદી) ૪. વાદિચન્દ્ર ભટ્ટા. (વિ.સં. ૧૬૬૧) ૫. બ્ર. કામરાજ (૧૭મી સદીનો ઉત્તરાર્ધ) જયકુમારચરિત્ર 23 ૧૭૯ સુલોચનાકથા મહાપુરાણનાં અંતિમ પાંચ પર્વોમાં વિક્રાન્તકૌરવ યા સુલોચના નાટક સુલોચનારિત ૬. બ્ર. પ્રભુરાજ ૭. પં. ભૂરામલ જયોદયમહાકાવ્ય આ કૃતિઓમાંથી વિક્રાન્તકૌરવનો પરિચય નાટકોના પ્રસંગોમાં તથા જયોદયમહાકાવ્યનો પરિચય શાસ્ત્રીય મહાકાવ્યોના પ્રસંગમાં આપીશું. બાકીની કૃતિઓનો પરિચય નીચે આપ્યો છે. સુલોચનાકથા આનો ઉલ્લેખ જિનસેને પોતાના હરિવંશપુરાણમાં, ઉદ્યોતનસૂરિએ પોતાની કુવલયમાલામાં અને ધવલકવિએ પોતાના અપભ્રંશ હરિવંશરમાં ભારે પ્રશંસાભર્યા શબ્દોમાં કર્યો છે. કુવલયમાલામાં આ કથા વિશે નીચે મુજબ કહ્યું છે : सण्णिहियजिणवरिंदा धम्मकहाबंधदिक्खियणरिंदा । कहिया जेण सुकहिया सुलोयणा समवसरणं च ॥ ३९ ॥ અર્થાત્ જેણે સમવસરણ જેવી સુકથિતા સુલોચનાકથા કહી. જેમ સમવસરણમાં જિનેન્દ્ર શ્રોતાઓ સમક્ષ હોય છે અને તેમનો ધર્મોપદેશ સાંભળી રાજાઓ દીક્ષા લે છે, તેવી જ રીતે સુલોચનાકથામાં પણ જિનેન્દ્ર સન્નિહિત છે અને તેમાં રાજાએ દીક્ષા લીધી છે. કુવલયમાલા પછી પાંચ વર્ષે રચાયેલા હરિવંશપુરાણમાં ઉક્ત કૃતિ વિશે નીચે પ્રમાણે કહ્યું છે : ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૭; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૨૦-૪૨૧. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ महासेनस्य मधुरा शीलालंकारधारिणी । कथा न वर्णिता केन वनितेव सुलोचना ॥ અર્થાત્ શીલરૂપ અને મધુરા નિતા જેવી મહાસેનની સુલોચનાકથાની પ્રશંસા કોણે નથી કરી ? ધવલ મહાકવિએ રવિષેણના પદ્મચરિતની સાથે મહાસેનની સુલોચનાકથાનો ઉલ્લેખ કર્યો છે मुणि महसेण सुलोयणु जेण, पउमचरिउ मुणि रविसेणेण । કર્તા અને રચનાકાળ આ કાવ્યના કર્તા મહાસેન છે. તે વિ.સં. ૮૩૫થી વહેલા થયા છે. ઉદ્યોતનસૂરિ અને જિનસેન સમકાલીન તથા એકદેશસ્થ હતા. તેથી સંભાવના એ છે કે બન્ને દ્વારા પ્રશંસિત કથાગ્રંથ આ એક જ હતો. સંભવતઃ તે પ્રાકૃત રચના હતી. સુલોચનાચરિત આ કૃતિ ૯ પરિચ્છેદોમાં વિભક્ત છે. તેનો ગ્રન્થાગ્ર ૪૫૨૫ શ્લોકપ્રમાણ છે. પ્રશસ્તિ અનુસાર તે સુગમ સંસ્કૃતમાં રચાઈ છે. તેના કર્તા ભટ્ટારક વાદિચન્દ્ર છે. તેમની અન્ય કૃતિઓ છે - પાર્શ્વપુરાણ, જ્ઞાનસૂર્યોદય, પવનદૂત, યશોધરરિત, પાંડવપુરાણ, વગેરે તથા કેટલીક ગુજરાતી રચનાઓ પણ. પ્રસ્તુત કૃતિની એક પ્રત ઈડરના ભંડારમાં છે, તેને કર્તાના શિષ્ય બ્ર. સુમતિસાગરે બ્યારાનગરમાં વિ.સં.૧૬૬૧માં લખી હતી. તેથી કૃતિની રચના અવશ્ય તેની કેટલાંક વર્ષો પહેલાં થઈ હોવી જોઈએ. - - 3. ૪. એજન જૈન કાવ્યસાહિત્ય બ્ર. કામરાજની આ વિષયની રચનાનું નામ જયપુરાણ કે જયકુમારચરિત્ર છે. આ સંસ્કૃત કાવ્ય છે. તેમાં ૧૩ સર્ગ છે. પ્રભુરાજકૃત જયકુમારચરિત્રનો ઉલ્લેખ માત્ર મળે છે. આ ચિરત ઉપર અપભ્રંશમાં બ્ર. દેવસેન અને ૨ઈધૂની રચનાઓ પણ મળે છે. ભરતના ઉક્ત સેનાપતિના ચરિત્ર ઉપરાંત ભરતના એક પુત્ર અને ઋષભદેવના ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૭; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૮૮ ૨. વિહાય પાન્જિં મુમૈર્વવનો चकार चरितं साध्व्या वादिचन्द्रोऽल्पमेधसाम् ॥ જિનરત્નકોશ, પૃ. ૧૩૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૮૧ પ્રથમ ગણધર' પુંડરીકના ચરિત્રને લઈને પણ એક જૈન કવિએ પુંડરીક ચરિત્ર રચ્યું છે. તેનો પરિચય નીચે પ્રમાણે છે. પુંડરીકચરિત – આ મહાકાવ્ય આઠ સર્ગોમાં વિભક્ત છે. તેમાં ૨૮૩૦ શ્લોક છે. તેનું પરિમાણ ૩૩૦૦ શ્લોકપ્રમાણ છે. પૌરાણિક મહાકાવ્ય હોવાથી તેમાં અનેક અલૌકિક અને અપ્રાકૃત તત્ત્વોનો સમાવેશ થયો છે. સાથે સાથે સ્તોત્રો અને માહાભ્યોનું આલેખન પણ થયું છે. શત્રુંજયમાહાસ્યનું વર્ણન અનેક સ્થાને થયું છે. કાવ્યમાં અવાન્તર કથાઓની અંદર. અન્ય ભવોનું નિરૂપણ કરી કર્મફલ અને જૈનધર્મનું મહત્ત્વ દર્શાવ્યું છે. આ કાવ્યના નાયકનું કથાનક વાસ્તવમાં ત્રીજા સર્ગથી શરૂ થાય છે. પહેલા બે સર્ગોમાં ઋષભદેવ અને ભરત-બાહુબલિનું વર્ણન છે. પહેલાં કાવ્યમાં આઠ સર્ગો હોવાની વાત કહી છે પરંતુ આઠ સર્ગો પછી પણ ૧૦૦ પદ્યો આવે છે. પછી જ કાવ્ય સમાપ્ત થાય છે. હકીકતમાં આ ૧૦૦ પદ્યોનો નવમો સર્ગ મનાવો જોઈએ પરંતુ કવિએ ક્યાંય પણ તેને નવમો સર્ગ કહ્યો નથી. કાવ્યના નાયકની મોક્ષપદપ્રાપ્તિ આઠમા સર્ગના મધ્યભાગે જ દર્શાવવામાં આવી છે અને ત્યાં જ કથાની સમાપ્તિ સમજવી જોઈએ પરંતુ કવિએ આગળ કંઈક વધારીને ઋષભદેવ અને ભરત ચક્રવર્તીના નિર્વાણને દર્શાવવા માટે કથાક્રમ ચાલુ રાખ્યો છે. આ કાવ્યના નામ ઉપરથી સ્પષ્ટ છે કે પુંડરીક જ કાવ્યના નાયક છે. તેથી તેમાં તેનું વ્યક્તિત્વ સર્વાધિક પ્રભાવશાળી હોવું જોઈએ પરંતુ તેનું વ્યક્તિત્વ તો આ કાવ્યમાં ઋષભદેવ અને ભારતની આગળ કંઈક દબાયેલું જણાય છે અને તે કેવળ ઉપદેશકના રૂપમાં જ દેખાય છે. આમ આ કાવ્યમાં નાયકના રૂપમાં ઋષભદેવ, ભરત અને પુંડરીક ત્રણે પાત્ર આગળ આવે છે. પુંડરીકચરિતની ભાષા સરળ અને સરસ છે. તેમાં પ્રસંગાનુરૂપ ઓજ, પ્રસાદ અને માધુર્ય ગુણોવાળી ભાષાનો પ્રયોગ થયો છે. સામાન્યતઃ ભાષામાં પ્રસાદગુણની અધિકતા છે પરંતુ યુદ્ધ વગેરે પ્રસંગોમાં તે ઓજપૂર્ણ બની જાય છે. આ ચરિતની ભાષામાં યમક અને અનુપ્રાસનો આગ્રહ પ્રબળ છે, તેથી ભાષામાં ગતિ, પ્રવાહિતા અને ઝંકૃતિના ગુણો આવી ગયા છે. પુંડરીકચરિતમાં ક્યાંક ક્યાંક ગદ્યનો પણ ૧. શ્વેતાંબર માન્યતા અનુસાર ૨. શારદા વિજય જૈન ગ્રન્થમાલા દ્વારા પ્રકાશિત; જિનરત્નકોશ, પૃ. ૨૫૧ ૩. પુંડરીકચરિત, સર્ગ ૧, શ્લોક ૭૫-૭૬; સર્ગ ૫, શ્લોક ૧૯૫, ૩૩૭, વગેરે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રાકૃતનાં ગદ્ય-પદ્યની યોજના પણ આ ચિરતમાં કરવામાં આવી છે. તેમાં કેટલાંક પ્રાચીન અર્ધમાગધી આગમોમાંથી ઉદ્ધરણોના ૧ - રૂપમાં ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે જ્યારે કેટલાંકની રચના કવિએ પોતે કરી છે. આ કાવ્ય વિવિધ અલંકારોની યોજનાથી સમૃદ્ધ છે. શબ્દાલંકારોમાં યમક અને અનુપ્રાસનો પ્રયોગ તો પ્રચુર થયો છે પરંતુ અર્થાલંકારોમાં ઉપમા, ઉત્પ્રેક્ષા અને રૂપકનો અધિક પ્રયોગ થયો છે. આ ચિરતમાં વિવિધ છંદોનો પ્રયોગ નોંધપાત્ર છે. મહાકાવ્યના પરંપરાગત નિયમોનું પાલન ન કરીને પ્રત્યેક સર્ગમાં અનેક વૃત્તોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, છન્દ શીઘ્ર બદલવામાં આવ્યા છે. આમ તો કાવ્યમાં અનુષ્ટુપ્નો પ્રયોગ સૌથી વધુ થયો છે. તેના પછી ઉપજાતિ, વસંતતિલકા, વંશસ્થ અને શાર્દૂલવિક્રીડિતનો પ્રયોગ ક્રમશઃ આવે છે. અન્ય છંદોમાં સ્વાગતા, હરિણી, સ્રગ્ધરા, મન્દાક્રાન્તા, માલિની, આર્યા આદિ છંદોનો પ્રયોગ થયો છે. કવિપરિચય અને રચનાકાલ - આ ચરિતના અંતે કવિએ પોતાની ગુરુપરંપરા જણાવી છે. તેમાંથી જાણવા મળે છે કે આ મહાકાવ્યના કર્તા કમલપ્રભસૂરિ છે. તે ચન્દ્રગચ્છના હતા. તેમના પૂર્વવર્તી આચાર્યોમાં ચન્દ્રગચ્છમાં ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિ થયા, તેમનાં ચરણોની વંદના રાજા જયસિંહ પણ કરતા હતા. ધર્મઘોષસૂરિ પછી તેમના પટ્ટ ઉપર ક્રમશઃ કૂચલસરસ્વતીની ઉપાધિથી વિભૂષિત ચક્રેશ્વરસૂરિ વગેરે કેટલાય આચાર્યો થયા, તેમાં એક રત્નપ્રભસૂરિ હતા. પુંડરીકચરિતના કર્તા કમલપ્રભસૂરિ આ રત્નપ્રભસૂરિના શિષ્ય હતા. કમલપ્રભસૂરિએ આ કાવ્યની રચના ગુજરાતના ધવલક્ક (ધોળકા) નગરમાં વિ.સં ૧૩૭૨માં કરી હતી. પ્રસ્તુત કાવ્યના નિર્માણની પ્રેરણા કવિને મુનિઓએ આપી હતી. આ કાવ્યનો આધાર ભદ્રબાહુકૃત શત્રુંજયમાહાત્મ્ય, વજસ્વામીકૃત શત્રુંજયમાહાત્મ્ય અને પાદલિપ્તસૂરિકૃત શત્રુંજયકલ્પ હતા એમ દર્શાવવામાં આવ્યું છે. જૈન કાવ્યસાહિત્ય અન્ય મહાપુરુષોમાં ભગવાન મુનિસુવ્રતના તીર્થકાળમાં થયેલા રામચન્દ્રના ચરિત સાથે જોડાયેલાં સીતા અને લક્ષ્મણનાં ચરિત્રો ઉપરાંત સુગ્રીવ ઉપર સુગ્રીવરિત્ર' (પ્રાકૃત) મળે છે. ૧. પુંડરીકચરિત, સર્ગ ૩, શ્લોક ૧૦-૧૧ २. श्रीविक्रमराज्येन्द्रात् त्रयोदशशतमिते । द्वासप्तत्यधिके वर्षे विहितं धवलके ॥ ૩. જિનરત્નકોશ, પૃ. ૪૪૪ Page #205 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ' ૧૮૩ અંજનાસુંદરીચરિત – હનુમાનની માતા અંજનાસુંદરી ઉપર અંજનાસુંદરીચરિત નામનું ખરતરગચ્છના જિનચન્દ્રસૂરિની શિષ્યા ગુણસમૃદ્ધિમહત્તરાકૃત ૫૦૩ પ્રાકૃત ગાથાઓનું કાવ્ય (સં. ૧૪૦૬), જિનહંસના શિષ્ય પુણ્યસાગરગણિકૃત (૩૦૩ સંસ્કૃત શ્લોકોવાળું) કાવ્ય, ખરતરગચ્છના રત્નમૂર્તિના શિષ્ય મેરુસુન્દર ઉપાધ્યાયકૃત (૧૬મી સદી) કાવ્ય તથા બ્રહ્મ. જિનદાસકૃત કાવ્ય મળે છે. રાજીમતી-રૂકમિણી-સુભદ્રા-દ્રોપદીચરિત– ભગવાન નેમિનાથ અને કૃષ્ણકાલીન અનેક ધર્મપરાયણા સ્ત્રીઓનાં ચરિત્રો પણ જૈન કવિઓએ રચ્યાં છે, જેમકે નેમિનાથની સંસારી પત્ની રાજીમતી ઉપર આશાધરકૃત રાજીમતીવિપ્રલંભ (ખંડકાવ્ય) તથા યશશ્ચન્દ્રકૃત રાજીમતીપ્રબોધનાટક; કૃષ્ણની પત્ની રુકમિણી ઉપર રમિણીચરિત (જિનસમુદ્ર, ૧૮મી સદી), સમિણીકથાનક (છત્રસેન આચાર્ય); કૃષ્ણની બેન સુભદ્રા ઉપર સુભદ્રાચરિત્ર (ગ્રન્થાઝ ૧૫૦૦) તથા પાંડવપત્ની દ્રૌપદી ઉપર દ્રૌપદીસંહરણ (સમયસુંદર, ૧૭મી સદી), દ્રૌપદીહરણાખ્યાન (પંડિત લાલજી) તથા અજ્ઞાતકર્તક દ્રૌપદીચરિત. આ બધાં કાવ્યો ઉપલબ્ધ છે. વરાંગચરિત્ર – બાવીસમા તીર્થંકર નેમિનાથ અને શ્રીકૃષ્ણના સમકાલીન રાજા અને પુણ્યપુરુષ વરાંગનું કથાવસ્તુ, કાવ્યના માધ્યમથી ગૃહસ્થધર્મ (અણુવ્રતો) અને અધ્યાત્મધર્મ લોકોને સમજાવવા માટે, જૈન કવિઓમાં પ્રિય રહ્યું છે. વરાંગના ચરિતમાં ધર્મ-અર્થ-કામ-મોક્ષ ચતુર્વર્ગસમન્વિત ધર્મકથાનું દર્શન કાવ્યસર્જકોએ કર્યું અને તેમણે વાચકોને કરાવ્યું. આજ સુધી વરાંગચરિત શીર્ષકવાળાં ત્રણ સંસ્કૃત, એક કન્નડ અને બે હિન્દી કાવ્યો મળ્યાં છે. કેવળ સંસ્કૃત કાવ્યોનો જ પરિચય નીચે આપ્યો છે. ૧. વરાંગચરિત – જૈન ચરિતકાવ્યોમાં સંસ્કૃતમાં રચાયેલું મહત્ત્વપૂર્ણ સૌપ્રથમ ચરિતકાવ્ય જટાસિંહનદિનું વરાંગચરિત છે. જો કે તેના પહેલાંનું રવિષેણનું પદ્મચરિત ઉપલબ્ધ છે પરંતુ તે અધિકાંશ “પઉમચરિયની છાયારૂપ સિદ્ધ થયું છે અને વળી તે બહુનાયકવાળી રચના છે. પ્રસ્તુત કાવ્ય એક નાયકવાળી રચના ૧. એજન, પૃ. ૪ ૨. એજન, પૃ. ૩૩૧ ૩. એજન, પૃ. ૩૩ર ૪. એજન, પૃ. ૪૪૫ ૫. એજન, પૃ. ૧૮૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન કાવ્યસાહિત્ય છે. તેમાં ૩૧ સર્ગો છે અને કુલ મળીને વિવિધ વૃત્તોમાં રચાયેલા ૨૮૧૫ શ્લોકો કથાવસ્તુ – વિનીત દેશના ઉત્તમપુર નગરમાં રાજા ધર્મસેન હતા. તેમને રાણી ગુણવતી હતી. તેમને વરાંગ નામે રાજકુમાર થયો. યુવાન થયો એટલે તેનાં લગ્ન દસ રાજકુમારીઓ સાથે કરવામાં આવ્યાં. એક વાર તે નગરમાં ભગવાન નેમિનાથના પ્રધાન શિષ્ય વરદત્ત આવ્યા. તેમની પાસેથી રાજા ધર્મસેને અને રાજકુમાર વરાંગે ધર્મ સાંભળ્યો અને અંતે સમ્યક્ત-મિથ્યાત્વનું સ્વરૂપ સમજી વરાંગે તેમની પાસે અણુવ્રતો ગ્રહણ કર્યા અને બધાં પ્રાણીઓ પ્રત્યે મૈત્રી અને પ્રેમભર્યું આચરણ શરૂ કર્યું. રાજાને ત્રણ સો પુત્રો હોવા છતાં પણ વરાંગના ગુણોથી પ્રભાવિત થઈ તેને યુવરાજ પદ આપ્યું. તેને કારણે વરાંગની ઓરમાન માતા મૃગસેના અને તેનો પુત્ર સુષેણ ઈર્ષા કરવા લાગ્યાં અને વરાંગને ભગાડવા માટે તેમણે સુબુદ્ધિ નામના મંત્રીની મદદ મેળવી. એક વાર મંત્રી દ્વારા પળોટાયેલો દુષ્ટ ઘોડો વરાંગને સવારી કરવા આપ્યો. ઘોડો વરાંગને એક ગાઢ જંગલમાં લઈ ગયો અને ત્યાં તે ઘોડો વરાંગને પછાડી ભાગી ગયો. વરાંગને જંગલમાં અનેક કષ્ટ સહેવા પડ્યાં. એક વાર એક હાથીની મદદથી તેણે એક વાઘના મુખમાંથી પોતાની જાત બચાવી. તે જંગલમાં જ એક પક્ષીએ એક સુંદરીનું રૂપ ધારણ કરીને વરાંગને લલચાવવાની ઈચ્છા કરી પરંતુ સ્વદારસંતોષવ્રતમાં તે અડગ રહ્યો. ત્યાં ભ્રમણ કરતો હતો ત્યારે ભીલોએ તેને પકડ્યો પરંતુ ભીલોના મુખીના પુત્રને સર્પદંશથી સારો કરવાને કારણે તેને છોડી મૂકવામાં આવ્યો. એક વાર ભીલો સાથે લડીને તેણે વણિકોના સંઘની રક્ષા કરી અને તેમના મુખીની સાથે લલિતપુર આવીને “કશ્ચિદ્ભટ' નામ રાખીને રહેવા લાગ્યો. આ બાજુ વરાંગ અચાનક ગાયબ થઈ જવાથી તેના માતા-પિતા અને પત્નીઓ બહુ શોકાકુલ બની ગયાં પરંતુ એક મુનિએ તેમને સાત્ત્વના આપી એટલે તે બધાં ધર્મધ્યાનમાં સમય વીતાવવા લાગ્યા. એક વાર મથુરાના રાજાએ લલિતપુર ઉપર ચઢાઈ કરી પરંતુ કશ્ચિદૂભટ નામધારી વરાંગે લલિતપુરના રાજાને મદદ કરી દુશ્મન રાજાને હરાવી ભગાડી મૂક્યો. એટલે બદલામાં લલિતપુરના રાજાએ પોતાની કન્યાઓને તેની સાથે પરણાવી તેને અર્ધ રાજય આપ્યું. એક વખત વરાંગના પિતાના રાજ્ય ઉપર બકુલનરેશે આક્રમણ કર્યું કારણ કે વરાંગના ઓરમાન ભાઈ સુષેણે જયારથી રાજયનો ભાર સંભાળ્યો ત્યારથી શાસનકાર્ય બગડી ૧. જિનરત્નકોશ, પૃ. ૩૪૨; ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાધ્ધ (સં.), વરાંગચરિત, માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈ, ૧૯૩૮, Page #207 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૮૫ ગયું હતું. વરાંગના પિતાએ લલિતપુરના રાજા પાસે મદદની માગણી કરી. આ તકનો વરાંગે લાભ લીધો અને બકુલનરેશને પરાસ્ત કરી તે પોતાના પિતાના નગરમાં પ્રવેશ્યો. ઉત્તમપુરની જનતાએ વરાંગનું સ્વાગત કર્યું. પછી પોતાના વિરોધીને ક્ષમા આપી વરાંગ ત્યાંનું રાજ્યશાસન સંભાળવા લાગ્યો અને પિતાની આજ્ઞાથી નવા દેશો જીતવા નીકળી પડ્યો. પછી તેણે નવું રાજ્ય સ્થાપ્યું અને આનર્તપુરને પોતાની રાજધાની બનાવી. એક દિવસ પોતાની પટરાણીએ પૂછતાં તેણે ગૃહસ્થ ધર્મનો મર્મ સમજાવ્યો અને ત્યાં જિનગૃહ અને જિનપ્રતિમાની સ્થાપના કરી. એક દિવસે વરાંગે આકાશમાંથી એક તારો ખરતો જોયો. તેથી તેને વૈરાગ્ય જભ્યો અને તેણે પોતાના પુત્ર સુગાત્રને રાજ્યભાર સોંપી દીધો. વરાંગે વરદત્ત કેવલી પાસે જૈની દીક્ષા લીધી અને તપસ્યા કરી વરાંગ મોક્ષે ગયા. વરાંગચરિતના પ્રત્યેક સર્ગની પુષ્પિકામાં વરાંગચરિતને ધર્મકથા કહેવામાં આવી છે. જો કે કવિએ આ રચનાને મહાકાવ્યની ઉપાધિ નથી આપી તેમ છતાં તેમાં પૌરાણિક મહાકાવ્યની અનેક વિશેષતાઓ છે, જેમકે સર્ગોમાં વિભાજન, નગર, ઋતુ, કેલિ, વિરહ, વિવાહ, યુદ્ધ, વિજય વગેરેનાં મહાકાવ્યોચિત વર્ણનો, વિભિન્ન છંદોનો પ્રયોગ અને સર્વાન્ત છંદપરિવર્તન. કાવ્યનો નાયક વરાંગ ધર્મવીર અને યુદ્ધવીર છે. - વરાંગચરિતમાં જૈન સિદ્ધાન્તો અને નિયમોનું વર્ણન ઘણું છે. ચોથાથી દસમો સર્ગ તથા છવ્વીસમો અને સત્તાવીસમો સર્ગ આ નિમિત્તે જ રચવામાં આવેલા છે. જો આ સર્ગોને કૃતિમાંથી દૂર કરવામાં આવે તો તેથી ઘટનાઓના આલેખનમાં કોઈ ફેર પડતો નથી. આ કાવ્યમાં અનેક સ્થળે જીવ અને કર્મનો સંબંધ, સુખદુઃખનું કારણ, સમ્યક્ત અને મિથ્યાત્વ, સંસારનું સ્વરૂપ, ગૃહસ્થધર્મ, જિનપૂજા અને જિનમંદિરનિર્માણનું મહત્ત્વ, મહાવ્રત, ગુપ્તિ, સમિતિ વગેરેનું નિરૂપણ કર્યું છે. કવિએ અનેક પ્રસંગોએ અન્ય મતોની આલોચના કરી છે. તેમણે સંસારની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયનાં કારણ તરીકે પુરુષ, ઈશ્વર, કાલ, કર્મ, દૈવ, ગ્રહ, વગેરેનું ખંડન કર્યું છે. તેવી જ રીતે ક્ષણભંગવાદ, શૂન્યવાદ, વિજ્ઞાનવાદ અને પ્રતીત્યસમુત્પાદવાદ એ બૌદ્ધ સિદ્ધાન્તોનું ખંડન કર્યું છે. કવિએ રુદ્ર, અગ્નિ, બ્રહ્મા, વિષ્ણુ, ઈન્દ્ર, કુમાર અને બુદ્ધના દેવપણાની પણ સમીક્ષા કરી છે. કવિએ જન્મઆધારિત વર્ણવ્યવસ્થાનું ખંડન કર્યું છે અને પુરોહિતવર્ગની કટુ આલોચના १. इति धर्मकथोद्देशे चतुर्वर्गसमन्विते । स्फुटशब्दार्थसन्दर्भे वराङ्गचरिताश्रिते ।। Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જેન કાવ્યસાહિત્ય કરતી વખતે બ્રાહ્મણત્વનો ખરો આધાર તો વિદ્વત્તા, સત્યતા અને સાધુશીલતા છે એમ કહ્યું છે.' કવિએ પોતાના સમયમાં (બાદામીના ચાલુક્યવંશના રાજ્યકાળમાં) દક્ષિણ ભારતમાં જૈનધર્મનું સુંદર ચિત્ર રજૂ કર્યું છે. તેમણે જૈન મંદિરો, જૈન પ્રતિમાઓ અને જૈન મહોત્સવોનું રોચક વર્ણન કર્યું છે. રાજ્ય તરફથી જૈન મંદિરોને ગ્રામ વગેરેનું દાન આપવાના ઉલ્લેખો પણ તેમણે કર્યા છે. આનું સમર્થન કદમ્બ, ચૌલુક્ય અને રાષ્ટ્રકૂટવંશીય શિલાલેખો પણ કરે છે. આ કાવ્ય તત્કાલીન અન્ય સામાજિક અને રાજકીય પરિસ્થિતિનું પણ દિગ્દર્શન કરાવે છે. વિવિધ વર્ણનો અને ધાર્મિક ચર્ચાઓ હોવા છતાં કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ આ કાવ્યમાં કેટલીક વિશેષતાઓ અને ત્રુટિઓ પણ છે. કાવ્યનો પ્રધાન રસ શાન્તરસ છે; અને ઉચિત પ્રસંગોએ અન્ય રસોનું આલેખન પણ થયું છે, જેમકે વરાંગ અને તેની નવોઢા પત્નીઓના કેલિવર્ણનમાં સંયોગશૃંગારની, તેરમા સર્ગમાં પુલિન્દવસતીના ચિત્રણમાં બિભત્સ રસની અને ચૌદમા સર્ગમાં યુદ્ધવર્ણનમાં વીરરસની અભિવ્યક્તિ સુંદર રીતે કરવામાં આવી છે. વરાંગચરિતની શૈલી અસ્તવ્યસ્ત છે. તેમાં સંસ્કૃત ભાષાનો પ્રવાહ એટલો સારો નથી. તેમાં કેટલાય પ્રાકૃત શબ્દોનો સંસ્કૃતમાં પ્રયોગ થયો છે, જેમકે ગોણ, તુમ્બ, બર્કર, અદ્ધા વગેરે. કેટલાક સંસ્કૃત શબ્દોનાં લિંગ બદલી નાખવામાં આવ્યાં છે, જેમકે ગેહ, જાલ, ભૂષણ, ચક્ર શબ્દોને પુંલિંગી અને અક્ષત, વૃત્તાન્તને નપુંસકલિંગી બનાવી દેવાયા છે. અશ્વઘોષ, વાલ્મીકિ વગેરેની જેમ કવિએ ધાતુના અનિયમિત રૂપોનો પ્રયોગ કર્યો છે, જેમકે સસુજુને માટે સસછું, જુહુવાને માટે જુહા, સુસાધ્યને માટે સુસાધયિત્વા, વગેરે. અલંકારોના પ્રયોગમાં કવિ બહુ ઊતર્યા નથી, તો પણ તેમની અનેક ઉપમાઓ પ્રશંસાયોગ્ય છે. ઉદાહરણાર્થ – निदाघमासे व्यजनं यथैव करात्करं सर्वजनस्य याति । तथैव गच्छन् प्रियतां कुमारो वृद्धि च बालेन्दुरिव प्रयातः ।। २८. ६० ॥ વરાંગચરિતમાં વિવિધ છન્દોનો પ્રયોગ થયો છે. તેમાં ઉપજાતિનો પ્રયોગ સર્વાધિક થયો છે (૧૮૭૯) અને ક્રમમાં પછી આવે છે અનુષ્ટપુ (૪૬૯). અન્ય ૧. પ્રસ્તાવના, પૃ. ૩૨-૩૫, ૬૮-૭૦. ૨. એજન, પૃ. ૩૫-૩૯, ૭૦-૭૩ ૩. એજન, પૃ. ૪૨-૪૮, ૭૪-૭૬ ૪. એજન, પૃ. ૫૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય છંદોમાં ધ્રુવિલંબિત, ભુજંગપ્રયાત, વંશસ્થ, પુષ્પિતાગ્રા, પ્રહર્ષિણી, માલભારિણી, માલિની અને વસંતતિલકા ઉલ્લેખનીય છે. કાવ્યમાં છંદસંબંધી અનિયમિતતાઓ પણ દૃષ્ટિગોચર થાય છે, જેમકે અનુષ્ટુપ્ના કેટલાક શ્લોકોમાં નવ અક્ષર છે, એક ઉપજાતિમાં એક ચરણ વંશસ્થનું છે, એક ઉપજાતિમાં અક્ષરાધિક્ય છે. કર્તા અને રચનાકાળ આ કાવ્યમાં કર્તાના નામનો ક્યાંય ઉલ્લેખ નથી, અને કોઈ પ્રશસ્તિ આપવામાં આવી નથી. તેથી કર્તાના અંગે અંતરંગ સાથ્ય મૂક છે. પરંતુ બાહ્ય સાક્ષ્યો દ્વારા આપણને અવશ્ય સહાયતા મળે છે, જેમકે સૌપ્રથમ ઉદ્યોતનસૂરિએ પોતાના કાવ્ય કુવલયમાલામાં (ઈ.સ.૭૭૮) વાંગરિત અને તેના કર્તા જટિલનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી પાંચ વર્ષ બાદ જિનસેને પોતાના હરિવંશપુરાણમાં (ઈ.સ.૭૮૩) કેવળ વરાંગચરિતની પ્રશંસા કરી છે – “સુંદરી નારીના જેવી વરાંગચરિતની અર્થપૂર્ણ રચના પોતાના ગુણોથી કોના હૃદયમાં પોતાના પ્રત્યે ગાઢ અનુરાગ ઉત્પન્ન નથી કરતી ?”૩ એક અન્ય જિનસેનના આદિપુરાણમાં (લગભગ ઈ.સ.૮૩૮) કેવળ જટાચાર્યની પ્રશંસા કરવામાં આવી છે, તેમાં વરાંગચરિતમાંથી ઘણી સામગ્રી લેવામાં આવી છે. ધવલ કવિએ પોતાના અપભ્રંશ હરિવંશમાં (૧૧મી સદી) તો કર્તા અને કાવ્ય બન્નેનો એકસાથે ઉલ્લેખ કર્યો છે.પ કન્નડ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત(ચામુંડરાયપુરાણ)ના કર્તા મંત્રી અને સેનાપતિ ચામુંડરાયે પોતાના પુરાણના એક ગદ્યાંશમાં વરાંગચરિતના પ્રથમ સર્ગના છઠ્ઠા અને સાતમા શ્લોકને વ્યાખ્યાન રૂપે આપ્યા છે અને પ્રથમ સર્ગના ૧૫મા શ્લોકને ‘જટાસિંહનન્દાચાર્યવૃત્તમ્' કહીને ઉદ્ધૃત કર્યો છે. ઉક્ત ઉલ્લેખો ઉપરથી નિષ્કર્ષ નીકળે છે કે આ વરાંગચરિતના કર્તા જટિલ, જટાચાર્ય યા પૂર્ણ નામ જટાસિંહનન્દાચાર્ય છે. કન્નડ સાહિત્યના કવિઓ પમ્પ, ૧. એજન, પૃ. ૪૮-૪૯ २. जेहिं कए रमणिज्जे वरंगपउमाणचरियवित्थारे । कह व ण सलाहणिज्जे ते कइणो जडियरविसेणो ॥ वराङ्गनेव सर्वाङ्गैर्वराङ्गचरितार्थवाक् । कस्य नोत्पादयेद् गाढमनुरागं स्वगोचरम् ॥ १.३५ ४. काव्यानुचिन्तने यस्य जटाः प्रचलवृत्तयः । अर्थान्स्मानुवदन्तीव जटाचार्यः स नोऽवतात् ॥ १.२० ५. जिणसेणेण हरिवंसु पवित्तु जडिलमुणिणा वरंगचरित्तु । 3. = ૧૮૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન કાવ્યસાહિત્ય નયસેન, જન્ન, ગુણવર્મ, કમલભવ અને મહાબલિએ પોતાના પુરાણકાવ્યોમાં જટાસિંહનદિનો ઉલ્લેખ કર્યો છે. તેમનો સૌપ્રથમ ઉલ્લેખ ઉદ્યોતનસૂરિની કુવલયમાલામાં (શક સં. ૭૦૦ = ઈ.સ ૭૭૮) થયો છે, એટલે તે (જટાસિંહનન્ડિ) તેનાથી અવશ્ય પૂર્વવર્તી છે. કન્નડ સાહિત્યમાં તેમના વિવિધ ઉલ્લેખો ઉપરથી પ્રમાણિત થાય છે કે તે કર્ણાટકવાસી હતા. કર્ણાટક પ્રદેશના પલ્લક્કીગુંડ નામના ડુંગર ઉપર અશોકના શિલાલેખ નજીક બે પગલાં છે. તેની બરાબર નીચે કન્નડ ભાષામાં બે લીટીનો એક શિલાલેખ છે. તેમાં લખ્યું છે કે ચાવચ્ચે જટાસિંહનન્જાચાર્યનાં પગલાં તૈયાર કરાવ્યાં છે. સંભવતઃ કવિનું આ સમાધિસ્થળ છે. આ કાવ્યના સંપાદક ડૉ. આ. કે. ઉપાધ્યેએ જટાસિંહનદિનો સમય ઈ.સ. સાતમી સદીનો અન્ત દર્શાવ્યો છે. કવિના આ કાવ્યની તુલના અનેક દષ્ટિએ અશ્વઘોષના બુદ્ધચરિતની સાથે કરી શકાય. કાલિદાસ અને ભારવિની રચનાઓ અને વરાંગચરિત વચ્ચે કોઈ સામ્ય નથી.' વરાંગચરિત ઉપર અન્ય સંસ્કૃત રચનાઓ ૬ઠ્ઠી-૭મી શતાબ્દી પછીની છે. ૨. વરાંગચરિત – આ બીજી રચનામાં ૧૩ સર્ગ છે અને કાવ્યનું પરિમાણ ૧૩૮૩ અનુષ્ટશ્લોકપ્રમાણ છે. આ કૃતિનો આધાર પૂર્વોક્ત વરાંગચરિત છે. પરંતુ તેના કર્તાએ ઉક્ત કથાનકમાંથી વર્ણનો અને ધર્મોપદેશો ઓછા કરી નાખ્યા છે. ધાર્મિક અને દાર્શનિક ચર્ચાઓ પણ નામમાત્ર છે. કથાનકમાં કવિએ માત્ર એટલું પરિવર્તન કર્યું છે કે જ્યાં જટાસિંહનન્દિએ વરાંગના વૈરાગ્યનું કારણ આકાશમાંથી ખરતા તારાનું દર્શન જણાવ્યું છે ત્યાં પ્રસ્તુત કાવ્યમાં તેના વૈરાગ્યનું કારણ તેલ ઘટવાથી દીપકની ક્ષીણ થતી જ્યોતનું દર્શન કર્યું છે. આ કાવ્ય પૂર્વ વરાંગચરિતનું સંક્ષિપ્ત રૂપ હોવા છતાં પણ કવિએ પોતાના ભાવોને સુંદર રસો, અલંકારો અને છંદોમાં વ્યક્ત કરવામાં સફળતા મેળવી છે. ૧. પ્રસ્તાવના, પૃ. ૧૯ ૨. એજન, પૃ. ૨૨ ૩. એજન, પૃ. ૭૩ ૪. ૫. જિનદાસ પાર્શ્વનાથ ફડકુલ દ્વારા સંપાદિત અને મરાઠીમાં અનૂદિત, સોલાપુ, ૧૯૨૭. Page #211 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૮૯ તેમાં અનાવશ્યક વાતોને દૂર કરી દેવાથી કથાનકમાં પૂર્ણ ધારાવાહિકતા મળે છે. તેમાં બીજા સર્ગમાં શૃંગાર રસ, છઠ્ઠા અને આઠમા સર્ગમાં વીર રસ, સાતમા સર્ગમાં કરુણ અને શાન્ત રસની યોજના કરવામાં આવી છે. તેમાં પ્રચલિત બધા અલંકારોનો વ્યવહાર કરવામાં આવ્યો છે. વિવિધ છંદોના પ્રયોગમાં કવિ નિષ્ણાત છે. પ્રથમ સર્ગમાં વંશસ્થ, બીજા, છઠ્ઠા, નવમા અને તેરમા સર્ગમાં ઉપજાતિ તથા ચોથા, પાંચમા, સાતમા, આઠમા અને અગીઆરમાં સર્ગોમાં અનુષ્ટપુ, ત્રીજા સર્ગમાં સ્વાગતા, દસમા સર્ગમાં વસન્તતિલકા, તથા બારમા સર્ગમાં ગીતિ તથા આર્યા છંદનો પ્રયોગ છે. પ્રત્યેક સર્ગના અંતિમ બે શ્લોકોમાં છંદપરિવર્તન દેખાય છે. તેરમા સર્ગમાં વિવિધ છન્દોનો પ્રયોગ જોવા મળે છે. ચમત્કાર ઉપજાવવા કાવ્યમાં વચ્ચે વચ્ચે નીતિવચનોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. કત અને રચનાકાળ – કવિએ કાવ્યના અંતે એક પદ્ય દ્વારા પોતાનું નામ વર્ધમાન ભટ્ટારક તથા મૂલસંઘ, બલાત્કારગણ અને ભારતીગચ્છ સૂચિત કરેલ છે. પરંતુ તેમણે પોતાની ગુરુપરંપરા વગેરેનો ઉલ્લેખ કર્યો નથી. જૈન શિલાલેખમાંથી બલાત્કારગણના બે વર્ધમાનોનાં નામ જાણવા મળે છે. શક સં. ૧૩૦૭ (ઈ.સ. ૧૩૮૫)ના વિજયનગરથી મળેલા એક લેખમાં ધર્મભૂષણના ગુરુ તરીકે એક વર્ધમાનનો ઉલ્લેખ છે અને બીજા હુમ્મચ શિલાલેખના (ઈ.સ.૧૫૩૦) રચનાર તરીકે મનાય છે. વિજયનગરના ધર્મભૂષણ ન્યાયદીપિકાના કર્તા જ છે, તેમના સમયની પૂર્વ સીમા શક સં. ૧૨૮૦ (ઈ.સ.૧૩૫૮) માનવામાં આવી છે. તેથી તેમના ગુરુનો સમય તેની આસપાસનો હશે. શ્રવણબેલ્ગોલાથી મળેલા એક લેખમાં એક વર્ધમાનસ્વામીનો સમય શક સં. ૧૨૮૫ (ઈ.સ.૧૩૬૩) આપ્યો છે. જો આ વર્ધમાન જ કાવ્યના કર્તા હોય તો તેમને ઈ.સ.ની ૧૪મી સદીના १. स्वस्ति श्रीमूलसंघे भुवि विदितगणे श्रीबलात्कारसंज्ञे, श्रीभारत्याख्यगच्छे सकलगुणनिधिवर्धमानाभिधानः । आसीद् भट्टारकोऽसौ सुचरितमकरोच्छ्रीवराङ्गस्य राज्ञो, भव्य श्रेयांसि तन्वद् भुवि चरितमिदं वर्ततामार्कतारम् ।। १३. ८७ ૨. જૈન શિલાલેખ સંગ્રહ, ભાગ ૨, મા દિ. જૈન ગ્રન્થમાલા, લેખ સં. ૧૮૫ ૩. વી, લેખ સં. ૬૬૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જેન કાવ્યસાહિત્ય ઉત્તરાર્ધના વિદ્વાન ગણી શકાય. હુમ્મચના કન્નડ-સંસ્કૃત લેખના રચનાર વર્ધમાને પણ ધર્મભૂષણના ગુરુ રૂપે ઉક્ત વર્ધમાનની સ્તુતિ કરી છે.' જ્ઞાનભૂષણ ભટ્ટારકકૃત એક અન્ય વરાંગચરિતનો પણ ઉલ્લેખ મળે છે. મહાવીરકાલીન શ્રેણિકપરિવારનાં ચરિત્રો - ભગવાન મહાવીરના સમકાલીન રાજગૃહનરેશ શ્રેણિક જૈનધર્મના અનુયાયી હતા. જૈન આગમોમાં કેટલાંય સ્થાનો ઉપર તેમનું વર્ણન આવે છે. અહીં તેમનો વિશેષ પરિચય દેવાની જરૂર નથી. જૈન ચરિત્રકાવ્યોમાં તેમના ઉપર કેટલીય રચનાઓ મળે છે : ૧. શ્રેણિકચરિત્ર (શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ) – દેવેન્દ્રસૂરિ (સં. ૧૩૩૭ પહેલાં) ૨. શ્રેણિકયાશ્રયકાવ્ય - જિનપ્રભ (વિ.સં. ૧૩પ૬) ૩. શ્રેણિકપુરાણ યા ચરિત્ર – ભટ્ટારક શુભચન્દ્ર (વિ.સં.૧૬૧૨) ૪. શ્રેણિક રાજકથા (ગદ્ય) – ધર્મવર્ધન યા ધર્મસિંહ (વિ.સં.૧૭૩૬ આસપાસ) ૫. શ્રેણિકપુરાણ - બાહુબલિ ૬-૭. શ્રેણિકચરિત્ર – અજ્ઞાત શ્રેણિકચરિત – આ કાવ્યમાં ૭૨૯ અનુષ્ટ, પદ્ય છે. વચ્ચે વચ્ચે પ્રાકૃત પદ્ય પણ છે. આ કાવ્યને શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિથી અલગ કરી પ્રકાશિત કરવામાં આવ્યું છે. ત્યાં પ્રભાવનાના મહત્ત્વને દર્શાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. તેમાં સંક્ષેપમાં શ્રેણિક, તેની રાણીઓ, પુત્રો અને જીવનની અનેક ધાર્મિક ઘટનાઓનું વર્ણન છે. આ એક ધાર્મિક કાવ્ય છે. તેમાં શ્રેણિક રાજાના રાજનૈતિક જીવનનું કોઈ ચિત્રણ નથી. કર્તા અને રચનાકાળ – આના કર્તા જગન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિ છે. તેમનો સ્વર્ગવાસ વિ.સં.૧૩૨૭માં થયો હતો. તેમની અન્ય રચનાઓ મળે છે – પાંચ નવ્ય કર્મગ્રન્થ સટીક, ભાષ્યત્રય, શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ, ધર્મરત્નટીકા, સિદ્ધપંચાસિકા અને સુદર્શનચરિત્ર. ૧. જૈન શિલાલેખ સંગ્રહ, ભાગ ૨, પૃ. ૫૨૦ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૪૨ ૩. એજન, પૃ. ૩૯૯ ૪. ઋષભદેવ કેશરીમલ જે. જૈન સંસ્થા, રતલામ, સં. ૧૯૯૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય અન્ય શ્રેણિકચરિતોમાં જિનપ્રભના શ્રેણિકચાશ્રયકાવ્યનો પરિચય શાસ્ત્રીય કાવ્યોના પ્રસંગમાં કરાવીશું. ભટ્ટારક શુભચન્દ્રનું શ્રેણિકપુરાણ એક સાધારણ રચના છે, તે હિન્દી અનુવાદ સાથે પ્રકાશિત છે. બાકીનાંનો ઉલ્લેખ માત્ર મળે છે. જૈન આગમોમાં કેવળ શ્રેણિકનું ચરિત વર્ણિત નથી પરંતુ તેમના રાજકુમા૨ોનું ચરિતવર્ણન પણ છે. જૈન કવિઓએ જેમ શ્રેણિક ઉપર સ્વતંત્ર કાવ્યરચનાઓ કરી છે તેમ તેમના રાજકુમારો ઉપર પણ ચરિતકાવ્યો અને કથાકાવ્યો રચ્યાં છે. રાજા શ્રેણિકને અનેક રાણીઓ હતી અને અનેક રાજકુમારો હતા. તેમાંથી અશોકચન્દ્ર (આ રોહિણી-અશોકચન્દ્રનૃપકથાનું પાત્ર છે) અર્થાત્ કુણિક યા અજાતશત્રુ ઉપર, બીજા રાજકુમાર અભયકુમાર' ઉપર, તથા અન્ય રાજકુમારોમાં મેઘકુમા૨પ અને નન્દિષેણ ઉપર ચરિતકાવ્યો અને કથાઓ મળે છે. તે બધાંમાં અભયકુમારચરિત્ર ઉપર રચાયેલું એક કાવ્ય કંઈક મહત્ત્વપૂર્ણ છે, એટલે તેનો પરિચય અહીં આપીએ છીએ. અભયકુમારચરિત – અભયાંકચિહ્નિત આ કાવ્ય ૧૨ સર્ગો ધરાવે છે.° તેનું પરિમાણ ૯૦૩૬ શ્લોકપ્રમાણ છે. તેમાં રાજા શ્રેણિકના પુત્ર અભયકુમારનું વિસ્મયકારી ચરિત્ર આલેખાયું છે. સક્ષેપમાં તે આ પ્રમાણે છે રાજગૃહના રાજા પ્રસેનજિતને અનેક પુત્રો હતા. તેમાં ચાતુર્યગુણસંપન્ન એક પુત્ર શ્રેણિક હતો. પરંતુ પિતાની ઉપેક્ષાને કારણે તે પરદેશ જતો રહે છે જ્યાં તે શ્રેષ્ઠીપુત્રી નન્દાને પરણે છે. કેટલાક દિવસો પછી પિતાને રોગ થયાના સમાચાર મળે છે, એટલે તે રાજગૃહ પાછો ફરે છે. ત્યાં તેનું રાજતિલક કરી પ્રસેનજિત સ્વર્ગવાસી થઈ જાય છે. આ બાજુ પિતૃગૃહે નન્દાને પુત્ર જન્મે છે, તેનું નામ અભયકુમાર રાખવામાં આવે છે. ઉંમરલાયક થતાં અભયકુમાર પોતાની માતાને લઈને રાજગૃહ પોતાના પિતા પાસે આવે છે. પુત્રના ચાતુર્યથી પ્રસન્ન થઈને શ્રેણિક તેને પ્રધાનમંત્રી બનાવે છે. બીજા-ત્રીજા સર્ગમાં અભયકુમારની ચાતુરીથી શ્રેણિકનો વિવાહ વૈશાલીનરેશ ચેટકની પુત્રી ચેલ્લના સાથે થાય છે. ગર્ભવતી થતાં ચેલ્લનાને વિચિત્ર ૧. દિગ. જૈન પુસ્તકાલય, સૂરત ૨. જિનરત્નકોશ, પૃ. ૩૯૯ ૩. એજન, પૃ. ૧૭ ૪. એજન, પૃ. ૧૨-૧૩ ૫. એજન, પૃ. ૩૧૩ ૬. એજન, પૃ. ૧૯૯ ૭. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૧૭; જિનરત્નકોશ, પૃ. ૧૨ ૧૯૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન કાવ્યસાહિત્ય દોહદ થાય છે, તેને અભયકુમાર પોતાની ચાતુરીથી શાન્ત કરે છે. આ જ રીતે શ્રેણિકની બીજી રાણી ધારિણીના અકાલવર્ષ દોહદને પણ તે પોતાની ચાતુરીથી પૂરો કરે છે. ચોથા સર્ગમાં તેના અનેક વિસ્મયકારી કાર્યોનું નિરૂપણ છે. પાંચમાથી સાતમા સર્ગોમાં શ્રેણિક અને તેની રાણીઓ વિશેની કથાઓ છે. એક કથામાં ચેલનાનો ખોવાયેલો હાર અભયકુમાર પોતાની બુદ્ધિચાતુરીથી શોધી આપે છે. આ જ રીતે આઠમાંથી દસમા સર્ગોમાં અનેક કથાઓ કહેવામાં આવી છે, તે બધીમાં કોઈ ને કોઈ રીતે અભયકુમારની બુદ્ધિચાતુરીનું નિદર્શન-પ્રદર્શન કરાવવામાં આવ્યું છે. અગીઆરમાં સર્ગમાં મહાવીરસ્વામીનું રાજગૃહીમાં આગમન થતાં અભયકુમાર દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને બારમા સર્ગમાં તે દીક્ષા લઈ, તપ કરી, સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થાય છે. આ કાવ્યની કથા બહુ રોચક છે. તેમાં પ્રકૃતિનાં વિવિધ રૂપોના ચિત્રણમાં કવિને પર્યાપ્ત સફળતા મળી છે. અનેક સ્થળે કવિએ પ્રકૃતિનું સ્વાભાવિક ચિત્રણ કર્યું છે. પાત્રોનાં સૌન્દર્યવર્ણનો પ્રત્યે પણ કવિએ પૂરતું ધ્યાન આપ્યું છે. પરંતુ તે વર્ણનો પરંપરાગત ઉપમાનો દ્વારા કરવામાં આવ્યાં છે, સહજ રીતે કરવામાં નથી આવ્યાં. અભયકુમારચરિત્રમાં કવિએ પોતાના સમયના સમાજનું, સમાજમાં ફેલાયેલી ધારણાઓ, પ્રચલિત રીતરિવાજો, અન્ધવિશ્વાસ અને માન્યતાઓનું યથાર્થ ચિત્ર રજૂ કર્યું છે. આ કાવ્યમાં સામાજિક અધ્યયનની જેટલી સામગ્રી મળે છે તેટલી તે યુગનાં અન્ય કાવ્યોમાં મળતી નથી. ભાષાની દૃષ્ટિએ પણ આ કાવ્ય મહત્ત્વપૂર્ણ છે. અન્ય કાવ્યોની અપેક્ષાએ તેની ભાષા બહુ જ વ્યાવહારિક અને રૂઢિપ્રયોગો-કહેવતોથી ભરપૂર છે. તેમાં સરળતા અને સરસતા સર્વત્ર વ્યાપ્ત છે. સમસ્ત પદાવલીઓનો પ્રયોગ બહુ ઓછો થયો છે. ક્યાંક ક્યાંક અનુકૂલ શબ્દોના ચયનથી સુંદર ચિત્રો રજૂ કરવામાં આવ્યાં છે. આ કાવ્યમાં લોકોક્તિઓ અને કહેવતોનો અત્યધિક પ્રયોગ ૧. એજન, સર્ગ ૧. ૨૭૮-૨૮૨; ૨. ૭૮; ૩. ૨૦૪-૨૦૫, ૨૪૨-૨૪૩; ૬.૫૯-૬૨; ૮.૫ ૨. એજન, સર્ગ ૧.૧૯૭, ૨૦૧; ૨.૨ ૩. એજન, સર્ગ ૧. ૩૦૬-૩૩૪, ૩૯૨-૪૧૦, ૪૭૧-૪૯૬; ૨. ૧૦૧-૧૫૬; ૩. ૧૭૪ ૧૭૭, ૧૮૩-૧૮૫; ૪. ૧૦૮, ૧૬૮, ૨૫૮; ૫. ૨૨૯-૨૩૦, પ૬૯-૫૭૧; . ૯.૪૦-૪૭, ૫૦, ૫૧, પ૬, ૫૮, ૪૩૧, ૬૬૦-૬૬૮; ૧૧. ૨૬ ૨, ૯૦૩-૯૦૪, ૯૨૧-૯૨૨ ૪. એજન, સર્ગ ૧૦. પ૭-પ૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય થયો છે. તેમનો પ્રયોગ એવી કુશળતાથી કરવામાં આવ્યો છે કે તેમનું સ્વતન્ત્ર અસ્તિત્વ લુપ્ત થઈ ગયું છે અને તેઓ વાક્યનાં અંગભૂત બની ગયાં છે. આ કાવ્યમાં દેશી ભાષાથી પ્રભાવિત શબ્દોનો પણ બહુ જ પ્રયોગ થયો છે. કવિએ અનેક દેશી શબ્દોને જ સંસ્કૃત રૂપ આપી તેમનો પ્રયોગ કર્યો છે, જેમકે ડોંગર (ડુંગર-પર્વત), કેદારક (ક્યારી), હદતે (હગે છે), સિંધન (સૂચના), તાલુક (તાલા), વિભામણ (બિછાનું), પ્રોયિતું (પરોવવું), વગેરે. તેના ભાષાપ્રવાહમાં અલંકારોનો સ્વાભાવિક પ્રયોગ થયો છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસનો પ્રયોગ અધિક થયો છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અર્થાન્તરન્યાસનો પ્રયોગ બહુ જ થયો છે. કાવ્યના પ્રત્યેક સર્ચમાં એક જ છંદનો પ્રયોગ થયો છે અને સર્ગાન્તે છંદમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. ૧, ૩, ૫, ૭, ૯, ૧૧ અને ૧૨ સર્ગોમાં અનુષ્ટુલ્ છંદનો પ્રયોગ થયો છે. બીજા સર્ગમાં ઉપજાતિનો, ચોથામાં માધવનો, છઠ્ઠામાં રથોદ્ધતાનો, આઠમામાં વસન્તતિલકાનો પ્રયોગ થયો છે. દસમા સર્ગમાં અને પ્રશસ્તિમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. આ કાવ્યમાં કુલ ૧૫ છંદોનો પ્રયોગ થયો છે, તે છે અનુષ્ટુપ્, ઉપજાતિ, વસન્તતિલકા, રથોદ્ધતા, માધવ, તોટક, સ્રગ્વિણી, દોધક, દ્રુતવિલમ્બિત, સ્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત, માલિની, આર્ય, શિખરિણી અને મન્દાક્રાન્તા. કવિપરિચય અને રચનાકાળ – · ગ્રન્થના અન્તે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી કવિનો પરિચય મળે છે. તે અનુસાર આ કાવ્યના કવિ ચન્દ્રતિલક ઉપાધ્યાય છે. તે ચન્દ્રગચ્છના તા. આ જ ચન્દ્રગચ્છમાં પ્રસિદ્ધ વિદ્વાન વર્ધમાનસૂરિ થયા હતા. તેમના પછી ક્રમ જિનેશ્વરસૂરિ, અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, જિનચન્દ્રસૂરિ, જનપતિસૂરિ અને જિનેશ્વરસૂરિ થયા. કવિ ચન્દ્રતિલક ઉપાધ્યાય જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. કવિએ જેમની પાસેથી વિભિન્ન શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું તે બધા મુનિઓનો સાભાર ઉલ્લેખ તેમણે પ્રશસ્તિમાં કર્યો છે. આ કૃતિની રચના કવિએ જિનપાલ ઉપાધ્યાયની પ્રેરણાથી કરી હતી. તેનું સંશોધન લક્ષ્મીતિલકગણિ અને અભયતિલકગણિએ કર્યું હતું. કૃતિની રચનાનો પ્રારંભ વાગ્ભટ્ટમેરુ (બાડમેર) નગરમાં થયો હતો અને તેની સાતિ ગુજરાતના ૧૯૩ ૧. એજન, સર્ગ ૧.૧૩૦; ૪. ૩૯૪; ૫.૪૪૨, ૭૦૨; ૭. ૬૯૦; ૮ ૨૮, ૧૫૩; ૯.૮૪, ૧૭૨, ૪૩૦, ૪૮૬, ૬૮૫, ૯૨૨, ૯૨૩; ૧૧.૭૨૧; ૧૬ ૧૭૧ વગેરે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જેન કાવ્યસાહિત્ય ખંભાતનગરમાં વાઘેલા રાજા વસલદેવના રાજયમાં વિ.સં.૧૩૧૨માં દીવાળીના દિવસે થઈ હતી. અભયકુમારચરિત નામની રચનાઓમાં એક ભટ્ટારક સકલકીર્તિની રચનાનો અને એક અજ્ઞાતકર્તક રચનાનો ઉલ્લેખ મળે છે.' મહાવીરકાલીન અન્ય પાત્રોનાં ચરિત્ર - ભગવાન મહાવીરના સમકાલીન અનેક સન્તો, રાજાઓ, ધાર્મિક રાજકુમારો, રાજકુમારીઓ તથા શેઠો, ગૃહસ્થ અને અન્ય વર્ગોના લોકોનાં ચરિત્રો ઉપર પણ જૈન કવિઓએ કાવ્યો રચ્યાં છે. રાજન્યવર્ગમાં રાજગૃહના રાજા શ્રેણિક અને તેના રાજકુમારો ઉપરાંત કૌશામ્બીના રાજા ઉપર ઉદયનચરિત્ર, ઉજ્જૈનીના રાજા ઉપર પ્રદ્યોતકથા, સિન્ધસૌવીર રાજા ઉપર ઉદાયનરાજકથા, દશાર્ણભદ્ર દેશના રાજા ઉપર દશાર્ણભદ્રચરિત' (પ્રાકૃત) તથા હસ્તિનાપુરના રાજા ઉપર શિવરાજર્ષિચરિત રચાયાં છે. એવી જ રીતે રાજકુમારોમાં પૃષ્ઠચંપાના રાજકુમાર મહાશાલ, અતિમુક્તક અને મૃગાપુત્ર ઉપર રચાયેલાં ચરિતકાવ્યો ઉપલબ્ધ છે. ધાર્મિક શેઠોમાં ધન્યકુમાર-શાલિભદ્ર ઉપરાંત સુદર્શન શેઠ૧૦ ઉપર પણ કેટલાંય કાવ્યો રચાયાં છે. ધની ગૃહસ્થોમાં કામદેવ શ્રાવકનું ચરિત્ર ઉલ્લેખનીય છે. એ જ રીતે આનન્દ વગેરે દસ શ્રાવકો ઉપર પણ ચરિતકાવ્યો રચાયેલાં મળે ૧. જિનરત્નકોશ, પૃ. ૧૩ ૨. એજન, પૃ. ૪૬ ૩. એજન, પૃ. ૨૬૪ ૪. એજન, પૃ. ૪૬ ૫. એજન, પૃ. ૧૭૧ ૬. એજન, પૃ. ૩૮૪ ૭. એજન, પૃ. ૩૦૭ ૮. એજન, પૃ. ૪ ૯. એજન, પૃ. ૩૧૩ ૧૦.એજન, પૃ. ૪૪૪ ૧૧.એજન, પૃ. ૮૪ ૧૨.એજન, પૃ. ૩૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૯૫ છે. સામાન્ય વર્ગમાંથી માલાકાર અર્જુન ઉપર તથા ચૌરકર્મનિરત વ્યક્તિઓમાં વિદ્યુચ્ચર, રૌહિણેય અને દઢપ્રહારિ ઉપર ચરિતકાવ્યો મળે છે. મહાસન્તોમાં ગૌતમ ગણધર અને જબૂસ્વામી ઉપરાંત અંબડ પરિવ્રાજક અને ગાંગેય મુનિ ઉપર રચાયેલાં ચરિતકાવ્યો ઉપલબ્ધ છે. ભક્ત સ્ત્રીઓમાં ચન્દના, મૃગાવતી, જયન્તી, પ્રભાવતી, શ્રીમતી (આર્દ્રકુમારની રાણી), સુલસા અને રેવતી શ્રાવિકા વગેરે પર કૃતિઓ લખાઈ છે. અહીં અમે કેટલીક રચનાઓનો પરિચય આપીશું. ' ગૌતમચરિત – ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ ઉપર કેટલાંય કાવ્યો રચાયાં છે, તેમાંથી આ પ્રસ્તુત કાવ્યમાં પાંચ સર્ગ છે. તેનું સર્જન મંડલાચાર્ય ધર્મચન્દ્ર (દિગમ્બર) કર્યું છે. ધર્મચન્દ્ર ભટ્ટારક યશકીર્તિના શિષ્ય ભાનુકીર્તિના પ્રશિષ્ય અને શ્રીભૂષણના શિષ્ય હતા. આ કાવ્યનો સમય સં. ૧૭૨૬ છે. ભટ્ટારક યશકીર્તિકૃત એક રચનાનો નિર્દેશ મળે છે." ત્રીજી રચનાનો સંક્ષિપ્ત પરિચય નીચે આપીએ છીએ. ગૌતમીયકાવ્ય – આ કાવ્ય ૧૧ સર્ગોમાં વિભક્ત છે. પ્રારંભમાં શ્રોતાઓના મનોરંજન માટે ઉપવનશોભા, પઋતુવર્ણન, સમવસરણશોભા વગેરેનું વર્ણન છે. આ કાવ્યકૃતિમાં ગૌતમ ઈન્દ્રભૂતિના સંશયનું નિવારણ કરવા માટે અને તેમને ચારિત્રમાં પ્રવેશ કરાવવા માટે ભગવાન મહાવીર ઉપદેશ દે છે. ઉપદેશમાં જૈનધર્મનાં ગૂઢ ને ગૂઢ તથ્યો આવી ગયાં છે, જેમકે તર્કો દ્વારા આત્મસિદ્ધિ વગેરે. ઈન્દ્રભૂતિ પછી અગ્નિભૂતિ, વ્યક્તાચાર્ય, સુધર્મા, મંડિત, મેતાર્ય વગેરેના સંદેહોના નિરાકરણનું અને જૈનધર્મની દીક્ષાનું નિરૂપણ છે. આમ આ કાવ્યમાં પ્રારંભિક જૈનસંઘનો એક નાનકડો ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. કવિએ ખૂબ કૌશલપૂર્વક ક્લિષ્ટ અને નીરસ વિષયને પણ રોચક રીતે કાવ્યમય શૈલીમાં રજૂ કર્યો છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩પ૬ ૨. એજન, પૃ. ૩૩૪ ૩. એજન, પૃ. ૧૧૭ ૪. એજન, પૃ. ૧૧૧ ૫. એજન . ૬. એજન, પૃ. ૧૧૨; દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ સિરીઝ (સં. ૯૦), ૧૯૪૦, વ્યાખ્યા સહિત. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કવિપરિચય અને રચનાસમય ખરતરગચ્છ અંતર્ગત દત્તગચ્છના પાઠક રૂપચન્દ્રગણિએ સં. ૧૮૦૭માં આ કાવ્ય રચ્યું. કૃતિના અંતે ચાર શ્લોકોમાં કવિની પ્રશસ્તિ આપી છે. તેમાંથી જાણવા મળે છે કે તેમણે જોધપુર નગરમાં રાજા અભયસિંહના રાજ્યકાળમાં આ કૃતિ રચી હતી. આ કાવ્ય ઉપર વિ.સં.૧૮૫૨માં અમૃતધર્મના શિષ્ય ઉપાધ્યાય ક્ષમાકલ્યાણગણિએ ગૌતમીયપ્રકાશ નામની વ્યાખ્યા લખી હતી. ભગવાન મહાવીરના ૧૧ ગણધર હતા પરંતુ ગૌતમ સિવાય બીજા કોઈ ગણધર ઉપર સ્વતન્ત્ર રચનાઓ ઉપલબ્ધ નથી. ગાંગેયભંગપ્રકરણ ભગવાન મહાવી૨ અને પાર્શ્વનાથ સત્તાનીય મુનિ ગાંગેય વચ્ચે નારક જીવો વગેરે વિશે થયેલી ચર્ચાનું વર્ણન ભગવતીસૂત્રના ૯મા શતકના ૩૨મા ઉદ્દેશમાં આપવામાં આવ્યું છે. તેની સ્મૃતિ તાજી રાખવા માટે ગાંગેય મુનિના જીવન ઉપર પદ્મવિજયે સં. ૧૮૭૮માં ૫૪ પ્રાકૃત ગાથાઓમાં તથા મેધમુનિના શિષ્ય શ્રીવિજયે ૨૩ ગાથાઓમાં સ્વોપજ્ઞ અવસૂરિ સાથે રચના કરી છે. ઉત્તમવિજયના શિષ્ય ધર્મવિજય દ્વારા નિર્મિત ગાંગેયભંગપ્રકરણનો પણ ઉલ્લેખ મળે છે. જૈન કાવ્યસાહિત્ય —- ઉદાયનરાજકથા તથા પ્રભાવતીકથા – સિન્ધુ-સૌવીર મહાવીર-બુદ્ધના સમયમાં એક વિશાળ રાજ્ય મનાતું હતું. ત્યાંના રાજાનું નામ ઉદાયન હતું. તે પોતાના સમયનો મહા પરાક્રમી અને પ્રભાવક રાજા હતો. તેની રાણીનું નામ પ્રભાવતી હતું. તે વૈશાલીના રાજા ચેટકની પુત્રી હતી. પ્રભાવતી નિર્ગન્ધ શ્રાવિકા હતી, પરંતુ ઉદાયન તાપસભક્ત હતો. પ્રભાવતી મૃત્યુ પામી સ્વર્ગે ગઈ. તેણે પોતાના પતિને પ્રતિબોધિત કર્યો અને તેને દઢ નિષ્ઠાવાળો શ્રાવક બનાવ્યો. પછી તેણે પોતાના ભાણેજ કેશીને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી લીધી. જૈન કવિઓને ઉદાયન રાજર્ષિ અને પ્રભાવતીનાં ચરિતો રોચક લાગ્યાં અને તેમણે ૧. તેમનું બીજું નામ રામવિજયોપાધ્યાય છે અને તેમને દયાસિંહના શિષ્ય કહેવામાં આવ્યા છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૦૪; આત્મવીર ગ્રન્થમાલામાં ૧૯૧૭માં પ્રકાશિત ૩. જૈન આત્માનન્દ સભા, ભાવનગરથી પ્રકાશિત; તેની હસ્તપ્રત સં. ૧૬૭૨ની મળી છે. ૪. જિનરત્નકોશ, પૃ. ૧૦૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૯૭ ઉદાયનનૃપપ્રબન્ધ, ઉદાયનરાજકથા અને ઉદાયનરાજચરિત્ર નામે ત્રણચાર કાવ્યો રચ્યાં તથા રાણી પ્રભાવતી ઉપર પ્રભાવતીકથા, પ્રભાવતીકલ્પ, પ્રભાવતીચરિત્ર (સંસ્કૃત), પ્રભાવતીદષ્ટાન્ત (પ્રાકૃત) નામની કૃતિઓ રચી. મૃગાપુત્રચરિત – આ પ્રાકૃત કૃતિ ઉત્તરાધ્યયનના ૧૫મા અધ્યયન પર આધારિત છે. તેના કર્તાનું નામ મળતું નથી. વિપાકસૂત્રમાં પણ એક મૃગાપુત્રનું વર્ણન મળે છે, તેના દ્વારા દુઃખવિપાકનું રોમાંચક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. અતિમુક્તકચરિત – અન્તગડદસાઓમાં બે અતિમુક્તકોનું વર્ણન મળે છે : તેમાં એક છે નેમિ અને કૃષ્ણના સમયના અતિમુક્તક, તે હતા કંસ અને દેવકીના અગ્રજ અને કુમારાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરનાર. બીજા છે મહાવીરકાલીન રાજકુમાર, તે આધ્યાત્મિક સમસ્યાઓનું સમાધાન કરવા કુમારાવસ્થામાં ભિક્ષુ જીવન સ્વીકારી મોક્ષે ગયા. અતિમુક્તકના ચરિત્રને લઈને સંસ્કૃતમાં ત્રણ રચનાઓ મળે છે. તેમાંથી એક ૨૧૧ સંસ્કૃત પઘોમાં જિનપતિના શિષ્ય પૂર્ણભદ્રગણિએ સં. ૧૨૮૨માં પાલનપુરમાં રહી લખી હતી. પૂર્ણભદ્રગણિની બીજી કૃતિઓ છે ધન્યશાલિભદ્રચરિત્ર (સં. ૧૨૮૫) તથા કૃતપુણ્યચરિત્ર (સ. ૧૩૦૫). બીજી કૃતિ પણ સંસ્કૃતમાં છે અને તેની રચના અંચલગચ્છના શાલિભદ્રના શિષ્ય ધર્મઘોષે સં. ૧૪૨૮માં કરી છે. એક અજ્ઞાતકર્તક અતિમુક્તચરિત્રનો પણ ઉલ્લેખ મળે છે. સુદર્શનચરિત- આ કૃતિમાં સુદર્શન મુનિનું ચરિત્ર આલેખાયું છે. જૈન પરંપરા તેમને મહાવીરસમકાલીન અન્તઃકૃત કેવલી માને છે. તેમનું સંક્ષિપ્ત આલેખન અન્તગડદસાઓ તથા ભત્તપણામાં થયું છે. ભત્તપઈચ્છા અને મૂલારાધના (ભગવતી આરાધના)માં તેમને મોકાર મન્ત્રના પ્રભાવથી મૂર્ખ ગોવાળના જીવનમાંથી ઉત્કર્ષ કરી સુદર્શન શેઠ થનારા અને તે જ જન્મમાં મોક્ષફળ પ્રાપ્ત ૧. જિનરત્નકોશ, પૃ.૪૬ ૨. એજન, પૃ. ૨૬૬ ૩. એજન, પૃ. ૩૧૩ ૪. એજન, પૃ. ૪; જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ, સૂરત, ૧૯૪૪ ૫. એજન, પૃ. ૪ ૬. એજન Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન કાવ્યસાહિત્ય કરનારા તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કથાનો વિસ્તાર હરિષેણાચાર્યના બૃહત્કથાકોશમાં, શ્રીચન્દ્રકૃત અપભ્રંશ કહાકોસુમાં, તથા રામચન્દ્ર મુમુક્ષુકૃત પુણ્યાશ્રવકથાકોશમાં આપવામાં આવ્યો છે. આ વિષયનું સૌપ્રથમ સ્વતંત્ર કાવ્ય અપભ્રંશમાં નયનશ્વિનું સુદંસણચરિઉ (સં.૧૧૦૦) છે. તે પછી આપણને ત્રણ સંસ્કૃત રચનાઓનો ઉલ્લેખ મળે છે. તેમનો સંક્ષિપ્ત પરિચય નીચે આપ્યો છે. ૧. ભટ્ટારક સકલકીર્તિ (૧૫મીનો ઉત્તરાર્ધ) કૃત કાવ્યમાં આઠ પરિચ્છેદ છે.' તેની પ્રાચીન હસ્તપ્રત સં. ૧૬૫૪ની મળી છે. સકલકીર્તિ અને તેમની કૃતિઓનો પરિચય પહેલાં આપી દીધો છે. ૨. ભટ્ટારક મુમુક્ષુ વિદ્યાનબ્દિકૃત કાવ્ય ૧૨ અધિકારોમાં વિભક્ત છે. તેનું પરિમાણ ૧૩૬૨ શ્લોકપ્રમાણ છે. જે પ્રથમ અધિકારમાં મહાવીરસમાગમ, બીજામાં શ્રાવકાચાર અને તત્ત્વોપદેશ, આઠમામાં સુદર્શનના પૂર્વભવો, તથા નવામામાં દ્વાદશ અનુપ્રેક્ષાઓનું વર્ણન છે. બાકીના અધિકારોમાં સુદર્શનના વર્તમાન ભવનું વર્ણન છે. આખી કૃતિ અનુરુપૂ છંદમાં નિર્મિત છે પરંતુ અધિકારના અન્ને છંદ બદલાય છે. કૃતિમાં “કરૂં ' કહીને અન્ય કૃતિઓમાંથી પ્રાકૃત અને સંસ્કૃત શ્લોકો ઉદ્ધત કરવામાં આવ્યા છે. પ્રસ્તુત કાવ્યના પ્રત્યેક અધિકારની અન્તિમ પુષ્પિકા તથા કૃતિના અંતે આપેલી પ્રશસ્તિમાં કર્તાએ પોતાના નામનો નિર્દેશ કર્યો છે અને ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો છે. તેમાંથી જાણવા મળે છે કે કર્તા મુમુક્ષુ વિદ્યાનદિ છે. તે મૂલસંઘના ભારતીયગચ્છના બલાત્કારગણના ભટ્ટારક પ્રભાચન્દ્રના પ્રશિષ્ય તથા ભટ્ટારક દેવકીર્તિના શિષ્ય હતા. વિદ્યાનન્દિના શિષ્ય મલ્લિભૂષણ, શ્રુતસાગર અને બ્રહ્મ. નેમિદત્ત પણ સારા કવિ અને લેખક હતા. વિદ્યાનદિનો કાર્યકાળ વિ.સં. ૧૪૮૯થી ૧૫૩૮ મનાય છે. પ્રસ્તુત કાવ્યની રચના તેમણે ગન્ધારપુરી (ભરૂચ ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૪; રાજસ્થાન કે જૈન સન્ત : વ્યક્તિત્વ એવં કૃતિત્વ, મરાઠી અનુવાદ સાથે સોલાપુરથી સન્ ૧૯૨૭માં પ્રકાશિત; ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૫૪-૫૬માં વિશેષ પરિચય આપવામાં આવ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૪૪૪; ભારતીય જ્ઞાનપીઠ વારાણસી, વિ.સં. ૨૦૨૭, ડૉ. હીરાલાલ જૈન દ્વારા સંપાદિત, પ્રસ્તાવના જોવી. Page #221 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય પાસેનું નગર)માં સં. ૧૫૧૩ લગભગ કરી હતી. આ કાવ્યની પ્રાચીન હસ્તપ્રત સં. ૧૫૯૧ની મળે છે. વિદ્યાનન્દિકૃત ઉક્ત કાવ્યને જ ભૂલથી તેમના શિષ્ય બ્રહ્મ. નેમિદત્તકૃત,મલ્લિભૂષણકૃત કે વિશ્વભૂષણકૃત માનવામાં આવ્યું છે. કામદેવચરિત – મહાવીરના જીવનપ્રસંગમાં ધનવાન ગૃહસ્થ કામદેવનું વર્ણન આવે છે. તેને લઈને રોચક કાવ્યની રચના અંચલગચ્છના મેરુતંગસૂરિએ વિ.સં.૧૪૦૯માં કરી છે. ૧૯૯ આનન્દસુન્દરકાવ્ય મહાવીરકાલીન દસ શ્રાવકોના સમુદિત ચરિતના રૂપમાં સંસ્કૃત આનન્દસુન્દરકાવ્ય અપરનામ દશશ્રાવકચરિતની રચના સર્વવિજયગણિએ કરી છે. ઉક્ત ગણિએ તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિના પટ્ટધર સુમતિસાધુના પટ્ટકાળમાં માળવાના ગ્યાસુદીન ખિલજીના રાજકર્મચારી જાવડની વિનંતીથી આ કાવ્ય રચ્યું છે. આ કૃતિની પ્રાચીન હસ્તપ્રત સં. ૧૫૫૧ની મળી છે. સર્વવિજયગણિની બીજી રચના સુમતિસમ્ભવ પણ મળે છે, તેમાં સુમતિસાધુ અને જાવડનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. દશશ્રાવકોનાં ચરિતો ઉપર પ્રાકૃતમાં જિનપતિના શિષ્ય પૂર્ણભદ્રગણિએ સં. ૧૨૭૫માં ઉપાસકદશાકથા અપરનામ દશશ્રાવકચરિત અને સાધુવિજયના શિષ્ય શુભવર્ધને સં. ૧૫૪૨માં ગ્રન્થાગ્ર ૮૦૦ શ્લોકપ્રમાણ દશશ્રાવકચરિત (પ્રાકૃત) રચેલું છે. અજ્ઞાતકક આનન્દાદિશ્રાવકચરિત તથા દશશ્રાદ્ધચરિત નામની કૃતિઓ પણ મળે છે. અર્જુન માલાકાર – અર્જુન માળી ઘટનાવિશેષના પ્રભાવથી આખી માનવજાતિ પ્રતિ વિદ્રોહી બની જાય છે અને રોજ સાત વ્યક્તિઓને મારી નાખવાનો મોટો — ૧. પ્રસ્તાવના, પૃ. ૧૩-૧૭ ૨. જિનરત્નકોશ, પૃ. ૮૪; હેમચન્દ્ર સભા, પાટણ, ૧૯૨૮ ૩. દશશ્રાવક : આનન્દ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદૃાલપુત્ર, મહાશતક, નન્દિનીપિતા, સાલિહીપિતા. ૪. જિનરત્નકોશ, પૃ. ૩૦ ૫. એજન, પૃ. ૫૬, ૧૭૧ ૬. એજન, પૃ. ૧૭૧ ૭. એજન, પૃ. ૩૦ ૮. એજન, પૃ. ૧૭૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જેન કાવ્યસાહિત્ય હિંસક સંકલ્પ કરી બેસે છે. કાલાન્તરે બીજી ઘટનાના પ્રભાવથી તે પ્રતિબદ્ધ થઈ ભગવાન મહાવીરનો શિષ્ય બની આત્મકલ્યાણ કરે છે. આ ચરિત્ર ઉપર ખરતરગચ્છના ગુણશેખરના શિષ્ય નયરંગે સં. ૧૬૨૪ લગભગ અર્જુનમાલાકાર કર્તવ્ય રચ્યું છે. આ ચરિત્ર ઉપર વર્તમાન યુગમાં તેરાપંથી આચાર્ય કાલૂગણિથી દીક્ષિત અને તુલસીગણિના શિષ્ય ચન્દન મુનિએ સુલલિત સંસ્કૃત ગદ્યમાં અર્જુનમાલાકાર કૃતિ રચી છે. તેનો રચનાકાળ સં. ૨૦૨૫ છે. કાવ્યમાં સાત સમુચ્છવાસ છે. ચન્દન મુનિની અનેક સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ મળે છે. સંસ્કૃતમાં છે પ્રભવપ્રબોધકાવ્ય, અભિનિષ્ક્રમણ, જ્યોતિસ્કુલિંગ, ઉપદેશામૃત, વૈરાગ્યેકસપ્રતિ, પ્રબોધ પંચપંચાશિક, અનુભવશતક, પંચતીર્થી, આત્મભાવધાઝિશિકા, પથિકાંચદશક અને પ્રાકૃતમાં છે રાયણવાલકહા, જયચરિયું તથા સીઈધમ્મસુત્તીઓ. રૌહિણેયકથા – મહાવીરકાલીન પ્રસિદ્ધ ચોર હતો. મહાવીરના ઉપદેશથી તેનો ઉદ્ધાર થયો હતો. તેના પર રામચન્દ્રસૂરિએ પ્રબુદ્ધરૌહિણેય નામનું સંસ્કૃત નાટક રચ્યું છે. તે ઉપરાંત કામદ્રહગચ્છના દેવચન્દ્રના શિષ્ય ઉપાધ્યાય દેવમૂર્તિએ આ પ્રસ્તુત કૃતિ રચી છે. ઉપાધ્યાય દેવમૂર્તિની અન્ય રચનાઓમાં વિક્રમચરિત મળે છે. - વિદ્યચ્ચરચોર પછીથી મુનિ બની ગયો હતો. તેના ઉપર ભટ્ટારક સકલકીર્તિએ રચેલી કૃતિ મળે છે.* - ચન્દનાચરિત – મહાસતી ચન્દના ભગવાન મહાવીરના સાધ્વીસંઘની પ્રમુખ હતી. તેના ચરિત્ર ઉપર ભટ્ટારક શુભચન્દ્ર કાવ્યનું સર્જન કર્યું છે. આ કાવ્યમાં પાંચ સર્ગ છે. તેની રચના વાગડ પ્રદેશના પૂંગરપુર નગરમાં થઈ હતી. આ વિષયની અન્ય સ્વતંત્ર રચનાઓ સંસ્કૃત કે પ્રાકૃતમાં થઈ નથી. ૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૫૮૪ ૨. રામલાલ હંસરાજ ગોલછા, વિરાટનગર (નેપાલ) દ્વારા પ્રકાશિત. તેનો હિન્દી અનુવાદ છોગમલ ચોપડાએ કર્યો છે. ૩. જિનરત્નકોશ, પૃ. ૩૩૪; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૮ તથા જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૧૬; આનો અંગ્રેજી અનુવાદ ન્યૂ હેવન (અમેરિકા)થી સન્ ૧૯૩૦માં એચ. જોન્સને “સ્ટડીઝ ઈન ઓનર ઓફ બ્લમફીલ્ડ'માં પ્રકાશિત કર્યો છે. ૪. જિનરત્નકોશ, પૃ. ૩પ૬ ૫. સર્ગ ૫, પદ્ય સં. ૨૦૮; રાજસ્થાન કે જૈન સન્ત : વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧૦૦ Page #223 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૨૦૧ મૃગાવતીચરિત – કૌશામ્બીનો મહાવીરકાલીન રાજવંશ જૈનેતર અને જૈન સાહિત્યમાં કવિઓને વિવિધ પ્રકારના કથાનકોના ચયન માટે આકર્ષક રહ્યો છે. મહાવીરના સમયમાં કૌશામ્બીના રાજા શતાનીકનો પરિવાર પ્રબુદ્ધ પરિવાર હતો. તેની રાણી મૃગાવતી અને બેન જયન્તી તથા પુત્ર ઉદયનને જૈન કવિઓએ પોતાનાં ચરિતકાવ્યો અને કથાકાવ્યોના વિષય બનાવ્યાં છે. મૃગાવતી ઉપર હીરવિજયસૂરિકૃત મૃગાવતીઆખ્યાન ગ્રન્થાઝ ૮૦૦ શ્લોકપ્રમાણ મળે છે. અન્ય કૃતિઓમાં મૃગાવતીકુલક (પ્રાકૃત) તથા અજ્ઞાતકર્તૃક મૃગાવતીકથાનો ઉલ્લેખ મળે છે. માલધારી દેવપ્રભસૂરિકૃત મૃગાવતીચરિત્ર પાંચ સર્ગોનું એક લઘુકાવ્ય છે, તે અનુષુપ છંદમાં રચાયું છે. સર્વાન્ત છન્દ બદલાય છે. તેમાં કુલ મળીને ૧૮૪૮ શ્લોકો છે. આ કાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉજ્જયિનીના રાજા પ્રદ્યોત મૃગાવતીને તેના અતિશય સૌન્દર્યના કારણે મેળવવા ઈચ્છતા હતા અને એટલે તેણે કૌશામ્બીને ઘેરો નાંખ્યો. મૃગાવતીએ પોતાના બુદ્ધિકૌશલથી તેને સફળ ન થવા દીધો. અત્તે મૃગાવતીએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. મહાવીરે પ્રદ્યોતને પરસ્ત્રીવર્જનનો ઉપદેશ આપ્યો. દેવપ્રભસૂરિની અન્ય રચનાઓમાં પાંડવપુરાણ, સુદર્શનાચરિત તથા કાકુકેલિકાવ્ય મળે છે. મૃગાવતીચરિત્રમાં મૃગાવતીના સતીત્વ અને બુદ્ધિકૌશલનું તથા તેની જૈન દીક્ષાનું રોચક વર્ણન કરવામાં આવ્યું છે. જયન્તીચરિત– આ કૃતિને સિદ્ધજયન્તીચરિત્ર, જયન્તી પ્રશ્નોત્તરસંગ્રહ કે કેવળ પ્રશ્નોત્તરસંગ્રહ પણ કહેવામાં આવે છે. આ કૃતિ પ્રાકૃતમાં રચાઈ છે. તેમાં મૂળ ૨૮ ગાથાઓ છે. તેનો આધાર ભગવતીસૂત્રના ૧૨મા શતકનો દ્વિતીય ઉદેશક છે. તેની રચના પૂર્ણિમાગચ્છના માનતુંગસૂરિએ કરી છે. તેના ઉપર તેમના શિષ્ય મલયપ્રભસૂરિએ એક વિશાળ વૃત્તિ લખી છે. વૃત્તિનો ગ્રન્થાગ્ર ૬૬૦૦ શ્લોકપ્રમાણ છે. આ વૃત્તિમાં પ્રાકૃત ભાષામાં જ લગભગ ૫૬ કથાઓ આપવામાં આવી છે અને આ રીતે તે એક સારો કથાકોશ બની ગઈ છે. તેમાં કૌશામ્બીની રાજકુમારી તથા મૃગાવતીની નણંદ તેમ જ ઉદયનની ફોઈની પણ કથા છે, તે ભગવાન મહાવીરના શાસનકાળમાં નિરૈન્ય સાધુઓને વસતિ દેવાને કારણે પ્રથમ શય્યાતરી ૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૩ ૨. હીરાલાલ હંસરાજ, જામનગર, સં. ૧૯૬૬ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૩૩, ૨૭૭ ૪. પંન્યાસ મણિવિજય ગ્રન્થમાલા, લીંચ (મહેસાણા), વિ.સં. ૨૦૦૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન કાવ્યસાહિત્ય તરીકે પ્રસિદ્ધિ પામી હતી. જયન્તીએ મહાવીરને જીવ અને કર્મ વિશે અનેક પ્રશ્નો પૂક્યા હતા. વૃત્તિકારે અભયદાનમાં મેઘકુમારકથા, કરુણાદાનમાં સમ્મતિનૃપકથા, શીલપાલન ઉપર સુદર્શન શેઠ-મનોરમા કથા, માનમાં બાહુબલિની કથા તથા અન્ય પ્રસંગોમાં બપ્પભટ્ટસૂરિ, આર્યરક્ષિત આદિની કથાઓ અને અન્તમાં જયન્તીની કથા આપી છે. કર્તા અને રચનાકાળ – કૃતિના અંતે ૨૦ શ્લોકોમાં કૃતિના કર્તાની તથા ૧૮ શ્લોકોમાં કૃતિલેખકની પ્રશસ્તિ આપવામાં આવી છે. તેમાંથી જાણવા મળે છે કે વટગચ્છમાં ક્રમશઃ સર્વદેવસૂરિ, જયસિંહસૂરિ, ચન્દ્રપ્રભસૂરિ, ધર્મઘોષસૂરિ, શીલગુણસૂરિ થયા. તે જ ગચ્છની પૂર્ણિમા શાખાના ગચ્છપતિ માનતુંગસૂરિએ જયન્તી પ્રશ્નોત્તરપ્રકરણનું નિર્માણ કર્યું અને તેમના શિષ્ય મલયપ્રભે વિ.સં. ૧૨૬૦ (જેઠ વદ ૫)માં તેના ઉપર વૃત્તિ રચી. આ કૃતિ સં. ૧૨૬૧માં ચૌલુક્ય રાજા ભીમદેવ બીજાના રાજ્યમાં પ્રાગ્વાટવંશી શેઠ ધવલની પુત્રી નાઉ શ્રાવિકાએ પંડિત મુંજાલ પાસે લખાવી અંકુશિલા સ્થાનમાં અજિતદેવને સમર્પિત કરી. માનતુંગની અન્ય રચનાના વિષયમાં કંઈ જાણકારી નથી પરંતુ મલયપ્રત્યે સ્વપ્રવિચારભાષ્ય નામની કૃતિ રચી હતી. - સુલસાચરિત – ભગવાન મહાવીરના શ્રાવિકાસંઘની પ્રમુખા સુલસા પોતાના દઢ સમ્યક્ત માટે પ્રસિદ્ધ હતી. તેના ચરિત્ર ઉપર આગમગચ્છીય જયતિલકસૂરિએ આઠ સર્ગોવાળું આ કાવ્ય રચ્યું છે. તેમાં ૫૪૦ સંસ્કૃત શ્લોકો છે. તેની અનેક હસ્તપ્રતો મળે છે. પ્રાચીનતમ સં. ૧૪પ૩ની છે. મહાવીરકાલીન અન્ય શ્રાવિકાઓમાં રેવતીના ચરિત ઉપર રેવતીશ્રાવિકા કથા (સંસ્કૃત) મળે છે. પ્રભાવક આચાર્યવિષયક કૃતિઓ જૈન કવિઓએ તીર્થંકર વગેરે મહાપુરુષોના સમુદિત ચરિતો - મહાપુરાણ યા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત આદિની જેમ સમુદિત રૂપમાં આચાર્યો મુનિઓનાં ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૭ ૨. એજન, પૃ. ૩૩૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૨૦૩ ચરિત ઉપર પણ રચનાઓ કરી છે. અનેક મુનિઓનાં નામોનું સંકલન નિર્વાણકાર્ડ' વગેરે નિત્યપાઠ કરાતાં સ્તોત્રોના રૂપમાં મળે છે, પરંતુ સાથે સાથે તેમનાં જીવન ઉપર કેટલાંક મહત્ત્વપૂર્ણ કાવ્યો પણ રચાયાં છે. આ વિષયનો ભદ્રેશ્વરસૂરિકૃત કહાવલિનો ઘેરાવલીચરિય” ભાગ ઉલ્લેખનીય છે. આમાં સૌપ્રથમ યુગપ્રધાન આચાર્યોના સંપૂર્ણ ઈતિહાસની સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં કાલકાચાર્યથી શરૂ કરી હરિભદ્રસૂરિ સુધીના આચાર્યોનાં ચરિત્રો આપવામાં આવ્યાં છે. આ વિષયની અન્ય રચનાઓ પરિશિષ્ટપર્વ વગેરે માટે આ કૃતિ આદર્શ રહી છે. સ્થવિરાવલીચરિત અથવા પરિશિષ્ટપર્વ – હેમચન્દ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રના ૧૦ પર્વોના પરિશિષ્ટના રૂપમાં રચાયું હોવાથી તેને પરિશિષ્ટપર્વ કહેવામાં આવે છે. त्रिषष्टिशलाकापुंसां दशपूर्वी विनिर्मिता । इदानीं तु परिशिष्टपर्वास्माभिर्वितन्यते ॥ તેમાં જબૂસ્વામીથી શરૂ કરી વજસ્વામી સુધીના પ્રભાવક આચાર્યોનાં વિસ્મયકારી ચરિત્રો આલેખવામાં આવ્યાં છે. જર્મન વિદ્વાન હર્મન યાકોબી તેને વિરાવલિચરિત કહે છે, તેમ કહેવા માટે બે આધાર છે. પહેલો એ કે ઉક્ત ગ્રન્થના પ્રથમ સર્ગનો છઠ્ઠો શ્લોક છે : “સત્ર ૨ નવૂવાધ્યલિસ્થવિરાજ થોચતે'.બીજો એ કે પ્રત્યેક પર્વના અંતે આવતી પુષ્યિકાઓમાં “વિવર્તીત મહાકાવ્ય નામોલ્લેખ મળે છે : ચારાર્યશ્રીરવિરત પરિશિષ્ટપવા વરાવિત્રીવત્તેિ મહાવિદ્યાન્સે... ! આ ગ્રન્થમાં ૧૩ પર્વો છે, તેમનું પરિમાણ ૩પ૦૦ શ્લોકપ્રમાણ છે. આ ગ્રન્થનો ઉદેશ્ય ધર્મોપદેશ છે. હેમચન્દ્ર તેને પ્રાચીન દષ્ટાન્ત, ઉપદેશપૂર્ણ કથાઓ અને પૂર્વવર્તી યુગપ્રધાન પુરુષોનાં કથાનકો આપીને રોચક અને રમ્ય બનાવી દીધો છે. આમાં સંગ્રહ રૂપે અનેક પૌરાણિક કથાઓ, નીતિકથાઓ તથા પ્રાચીન સ્થવિરોનાં જીવનવૃત્તાન્તો મળે છે. ધર્મના પરંપરાગત વિસ્તારમાં જે ૧. યાકોબી, સ્થવિરાવલીચરિત અથવા પરિશિષ્ટપર્વ, બિલ્ફિયોથેકા ઈન્ડિકા (સં. ૯૬), કલકત્તા, ૧૮૯૧; બીજું પરિવર્ધિત સંસ્કરણ, ભૂમાન અને ટાવને દ્વારા સંપાદિત, ૧૯૩૨; ૫. હરગોવિન્દદાસ દ્વારા સંપાદિત, જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, સં. ૧૯૬૮; આના અનેક ઉદ્ધરણોનો અનુવાદ જે. હર્ટલે જર્મનમાં કર્યો હતો, લીઝીગ, ૧૯૦૮. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન કાવ્યસાહિત્ય પ્રાચીન પૂર્વધરોએ ભાગ લીધો તેમનાં કથાનકો શ્રમણવર્ગમાં ગુરુશિષ્યપરંપરાથી જીવિત છે. પ્રથમ, દસ આગમો ઉપર ભદ્રબાહુએ નિર્યુક્તિઓ લખી હતી, તેમાં આ કથાનકોનો સાધારણ ઉલ્લેખ છે. તે નિર્યુક્તિઓમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ ન થઈ શક્યો કારણ કે તે તો ગાથાઓ અને સૂત્રોનો અર્થ જ દર્શાવે છે. તે પછી સૂત્રો અને નિર્યુક્તિઓને વિસ્તારથી સમજાવવા માટે પ્રાકૃત ચૂર્ણિઓ રચાઈ. આ ચૂર્ણિઓમાં આ કથાનકો વિસ્તારથી ઉલ્લિખિત છે. આ ચૂર્ણિઓને પણ વિસ્તારથી સમજાવતી ટીકાઓ હરિભદ્રસૂરિ વગેરે આચાર્યોએ લખી. આ વિપુલ કથાનકોના સમુદાયનો ઉપયોગ હેમચન્દ્રાચાર્યે પરિશિષ્ટપર્વનું નિર્માણ કરવામાં કર્યો છે. પ્રો. યાકોબીએ પરિશિષ્ટપર્વની સંપૂર્ણ સામગ્રીનું વિશ્લેષણ કર્યું છે અને દર્શાવ્યું છે કે હેમચંદ્ર પોતાની આ કૃતિમાં પ્રાયઃ પૂરેપૂરી સામગ્રી પ્રાચીન સ્રોતોમાંથી લીધી છે. તેમ છતાં હેમચન્દ્રની આ કૃતિ ખરેખર શ્લાઘનીય છે કારણ કે તે વિખરાયેલી સામગ્રીને ઐતિહાસિક ક્રમમાં જોડે છે અને ઓજસ્વી કાવ્યશૈલીમાં પ્રસ્તુત કરે. છે. કાવ્યની દૃષ્ટિએ તે કથાનકોને કલ્પના અને કાવ્યમાધુર્ય આપીને હેમચન્દ્ર ખૂબ શણગાર્યા છે અને આવશ્યક વિસ્તાર તથા ભાષાપરિવર્તન દ્વારા પ્રાચીન પરંપરાના ઈતિહાસને સચ્ચાઈથી રજૂ કર્યો છે. પ્રથમ પર્વથી પાંચમા પર્વ સુધીમાં જબૂસ્વામીથી શરૂ કરીને ભદ્રબાહુ સુધીનો વૃત્તાન્ત છે. તેમાં બીજું અને ત્રીજું પર્વ અનેક પ્રકારની પ્રાણીકથાઓ, લોકકથાઓ અને નીતિકથાઓથી ભરેલું છે. પાંચમા પર્વના મધ્ય ભાગથી આઠમા પર્વ સુધી આપણને ભારતના પ્રાચીન રાજનૈતિક ઈતિહાસ માટેની અદૂભુત સામગ્રી પ્રાપ્ત થાય છે, જેમકે પાટલિપુત્રની સ્થાપના, નન્દ રાજાઓનું આખ્યાન, મૌર્ય ચન્દ્રગુપ્ત અને તેમના મંત્રી ચાણક્ય, વરરુચિ, શકટાલ, પછી બિન્દુસાર, અશોક, સમ્મતિ વગેરેના વિશે મહત્ત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે. આ ભાગ ભારતીય ઈતિહાસ માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે. નવમાથી તેરમા પર્વ સુધીના આ અન્તિમ ભાગમાં સ્થૂલભદ્રથી શરૂ કરી વજસ્વામી સુધીની જૈન પરંપરાનો ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. આમ પ્રસ્તુત કૃતિમાં જબૂસ્વામીથી વજસ્વામી સુધીના પટ્ટધરોનાં જીવનો અને તેમના દ્વારા ઐતિહાસિક કથાનકોનો સારો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ કૃતિ પૂર્વે ભદ્રેશ્વરની કહાવલીમાં ૬૩ શલાકાપુરુષો ઉપરાંત સંક્ષેપમાં પટ્ટધરો તથા કાલભાચાર્યથી હરિભદ્રસૂરિ સુધીના યુગપ્રધાનોની કથાઓ કેવળ સંગ્રહરૂપમાં આપી છે. કહાવલીથી પરિશિષ્ટપર્વમાં એ વિશેષતા છે કે પરિશિષ્ટપર્વમાં એકસૂત્રતા, પ્રવાહિતા, પ્રસાદ અને સુશ્લિષ્ટતા વગેરે ગુણો અધિક છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય આ કૃતિ અનુરુભ્ છંદમાં રચાઈ છે. કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા પ્રસિદ્ધ હેમચન્દ્રાચાર્ય છે. તેમનો પરિચય અગાઉ આપી દીધો છે. આ કૃતિ તેમના જીવનના ઉત્તરકાળની રચના છે, તેથી પદ્યરચનામાં તેમનું અદ્ભુત કૌશલ જણાય છે. પ્રભાવકચરિત આને ‘પૂર્વર્ષિચરિત’પણ કહે છે. આ કૃતિ એક રીતે પરિશિષ્ટપર્વની પૂરક છે. પરિશિષ્ટપર્વમાં જમ્બુથી વજ્રસ્વામી સુધીનાં ચિરતો આપવામાં આવ્યા છે જ્યારે પ્રસ્તુત કૃતિમાં લેખકે વજસ્વામીથી હેમચન્દ્ર સુધીના આચાર્યોનાં જીવનચરિતો આપ્યાં છે. બીજા શબ્દોમાં, તેમાં વિક્રમની પહેલી શતાબ્દીથી ૧૩મી શતાબ્દી સુધીના આચાર્યોનાં ચરિતો આલેખવામાં આવ્યાં છે. તેમનામાં પ્રાચીન આચાર્યોમાં પાદલિપ્ત, સિદ્ધસેન, મલ્લવાદી, હરિભદ્રસૂરિ તથા બપ્પભટ્ટનાં ચરિતો ઉલ્લેખનીય છે. ચૌલુક્ય રાજાઓના સમકાલીન વીરસૂરિ, શાન્તિસૂરિ, મહેન્દ્રસૂરિ, સૂરાચાર્ય, અભયદેવ, વીરદેવ અને હેમચન્દ્રસૂરિનાં ચિરતો તો ગુજરાતના ઈતિહાસ માટે ઘણાં જ મહત્ત્વપૂર્ણ છે. આ ચરિતોની ઐતિહાસિક વિશેષતાને અમે ઐતિહાસિક કાવ્યોના પ્રસંગે દર્શાવીશું. કર્તા અને રચનાકાલ - આ કૃતિની રચના ચન્દ્રકુલના રાજગચ્છના ચન્દ્રપ્રભના શિષ્ય આચાર્ય પ્રભાચન્દ્રે વિ.સં.૧૩૩૪માં કરી હતી. કૃતિના અંતે એક સારી પ્રશસ્તિ આપી છે. તેમાંથી કવિનો પરિચય મળે છે. આ કૃતિનું સંશોધન પ્રસિદ્ધ સંશોધક આચાર્ય પ્રદ્યુમ્નસૂરિએ કર્યું છે. કર્તાએ પોતાના સંક્ષિપ્ત વિષયપ્રવેશમાં લખ્યું છે કે તેમણે આ કૃતિની સામગ્રી પોતાના પૂર્વવર્તી આચાર્યોની કૃતિઓમાંથી તથા પોતાના સમયમાં પ્રચલિત આખ્યાનોમાંથી લીધી છે. તેમાં હેમચન્દ્રાચાર્યના વિષયમાં આપવામાં આવેલું ચરિત તેમના વિષયમાં ઉપલબ્ધ બધાં ચિરતોમાં સૌથી પ્રાચીન ગણાય છે. આ કૃતિ હેમચન્દ્રના સ્વર્ગવાસ પછી ૮૦ વર્ષ બાદ લખાઈ - છે. 1 - ૨૦૫ આ મહત્ત્વપૂર્ણ કૃતિ ઉપરાંત કર્તાની અન્ય કૃતિ મળતી નથી. પ્રભાચન્દ્ર ધર્મકુમારરચિત ધન્યશાલિભદ્રચરિતનું (સં.૧૩૩૮) સંશોધન પણ કર્યું હતું. ૧. પં. હરિનન્દ શર્મા દ્વારા સંપાદિત, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૯; મુનિ જિનવિજય દ્વારા સંપાદિત, સિંઘી જૈન ગ્રન્થમાલા, ૧૯૪૦; જિનરત્નકોશ, પૃ. ૨૬૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રભાવકચરિત્ર ઉપરાંત જૈન આચાર્યોના સમૂહરૂપ ચરિત્રોનું આલેખન કરનારી કૃતિઓ મળે છે, તે છે – પ્રબંધાવલિ, પ્રબંધચિન્તામણિ અને પ્રબંધકોશ. જિનભદ્રની પ્રબંધાવલિમાં (સં. ૧૨૯૦) માનતુંગ, પાદલિપ્ત, હરિભદ્ર, અભયદેવ, સિદ્ધર્ષિ અને દેવાચાર્યનાં ચિરતો સંગૃહીત છે. પ્રબંધાવલિ વર્તમાન પુરાતનપ્રબંધસંગ્રહ' અન્તર્ગત પ્રકાશિત થઈ છે. મેરુતુંગકૃત પ્રબંધચિન્તામણિમાં (સં. ૧૩૬૧) સંક્ષેપ અને સામાસિક શૈલીમાં ભદ્રબાહુ, વૃદ્ધવાદી, મલ્લવાદી અને હેમચન્દ્રનાં જ ચરિત્રો આપવામાં આવ્યાં છે, જ્યારે રાજશેખરસૂરિષ્કૃત પ્રબન્ધકોશમાં (સં. ૧૪૦૫) ભદ્રબાહુ, નન્દિલ, જીવદેવ, આર્યખપટ, પાદલિપ્ત, સિદ્ધસેન, મલ્લવાદી, હરિભદ્ર, બપ્પભટ્ટ અને હેમચન્દ્રસૂરિનાં ચરિત્રો સંગૃહીત છે. પ્રભાવકચરિતમાં આપવામાં આવેલાં આ આચાર્યોનાં ચરિત્રો સાથે તુલના કરતાં જાણવા મળે છે કે રાજશેખરની સામે આ આચાર્યોનાં ચરિત્રો વિષયક અન્ય કોઈ સંગ્રહ પણ રહ્યો હશે જેમાંથી તેમણે આચાર્યવિષયક પ્રબંધો માટે કેટલીક સામગ્રી લીધી હશે કારણ કે આ આચાર્યોનાં ચરિત્રોમાં કેટલીય એવી વાતો છે જે પ્રભાવકચરતમાં નથી મળતી અને પ્રભાવકચરિતની કેટલીય વાતો આમાં નથી મળતી. તેમ છતાં પ્રબન્ધકોશની પ્રધાન સામગ્રી પ્રભાવકચરિત્રમાંથી જ લેવામાં આવી હોય એવું જણાય છે. પુરાતનપ્રબંધસંગ્રહ, પ્રબંધચિન્તામણિ અને પ્રબંધકોશનો વિશેષ પરિચય ઐતિહાસિક રચનાઓના પ્રસંગે દેવામાં આવશે.૪ પ્રભાવકકથા જૈન કાવ્યસાહિત્ય - · પ્રભાવકચરિતની જેમ જ કેટલાક પ્રભાવશાળી આચાર્યોનાં ૧. સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૨, ૧૯૩૬ ૨. એજન, ગ્રન્થાંક ૧, ૧૯૩૩ ૩. એજન, ગ્રન્થાંક ૬, ૧૯૩૫ ૪. પ્રબંધ તે અર્ધ-ઐતિહાસિક કથાનકને કહેવામાં આવે છે જે સરળ સંસ્કૃત ગદ્ય અને કોઈ કોઈ વાર પદ્યમાં પણ લખવામાં આવ્યું હોય છે. પ્રબંધકોશના કર્તા રાજશેખરસૂરિએ (૧૫મી સદી) ઉક્ત કોશના પ્રારંભમાં ચરિત્ર અને પ્રબંધનો ભેદ સમજાવવા પ્રયત્ન કર્યો છે. તેમના મતે તીર્થંકરો આદિ જૈનપુરાણના મહાપુરુષો અને પ્રાચીન રાજાઓ તથા આર્યરક્ષિતસૂરિ (મહાવીરનિર્વાણ ૫૫૭) સુધીના જૈનાચાર્યોનાં જીવનચરિત્રોને ચરિત્રકૃતિઓ કહેવામાં આવે છે, ત્યાર બાદ થનારા આચાર્યો અને શ્રાવકોનાં જીવનચરિતોને પ્રબંધ કહેવામાં આવે છે. રાજશેખરની આ માન્યતાનો પ્રાચીન આધાર માલૂમ નથી. જે હો તે, આ પ્રકારની નામપદ્ધતિના ભેદનું પાલન રચનાઓમાં સદા થયું નથી કારણ કે કુમારપાલ, વસ્તુપાલ, જગડૂ આદિ ૧૨મી-૧૩મી સદીના પુરુષોની Page #229 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૨૦૭ જીવનો ઉપર રચવામાં આવેલી આ એક કૃતિ છે. તેમાં કર્તાએ પોતાના છે ગુરુભાઈઓનાં – ઉદયનન્ટિ, ચારિત્રરત્ન, રત્નશેખર, લક્ષ્મીસાગર, વિશાલરાજ અને સોમદેવનાં – ચરિતો આપ્યાં છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા તપાગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલગણિ છે. કૃતિની રચના વિ.સં. ૧૫૦૪માં થઈ છે. આ વર્ષ પહેલાં કર્તાએ વિ.સં. ૧૪૯૦ અને ૧૪૯૯ની વચ્ચે વિક્રમચરિત્ર, અને પછી વિ.સં. ૧૫૦૯માં વિશાળ કથાગ્રંથ પંચશતીપ્રબોધપ્રબંધ અર્થાત ભરતેશ્વરબાહુબલિવૃત્તિની રચના કરી છે. પ્રભાવક આચાર્યોનાં સ્વતંત્ર ચરિત્રો પણ મળે છે. દિગંબર-શ્વેતાંબર સંઘના ઈતિહાસમાં ભદ્રબાહુનું મહત્ત્વનું સ્થાન છે. તે ચન્દ્રગુપ્ત મૌર્યના સમકાલીન મનાય છે. દિગમ્બર પરંપરા તેમને અત્તિમ શ્રુતકેવલી કહે છે. તેમનું ચરિત્ર પ્રાચીન કૃતિઓમાં આપવામાં આવ્યું છે. કેટલાય કથાગ્રંથોમાં તેમના ચારિત્રનું આલેખન છે. સ્વતંત્ર ચરિત્રના રૂપમાં પણ બેએક રચના મળે છે. ભદ્રબાહુચરિત – આ ચાર અધિકારોમાં વિભક્ત સંસ્કૃત કૃતિ છે. અધિકારોમાં ક્રમશઃ ૧૨૯, ૯૩, ૯૯ અને ૧૭૭ શ્લોકો છે. આમાં દિગંબર માન્યતા અનુસાર ભદ્રબાહુનું ચરિત્ર આલેખાયું છે. કર્તાએ પોતાના પૂર્વવર્તી દેવસેન અને હરિણ દ્વારા પ્રતિપાદિત કથાઓને જોડીને ચરિત્ર આલેખ્યું છે, તેથી બંનેના ચરિત્રોથી આમાં પરિવર્તન જણાય છે. કર્તાએ હરિફેણની પરંપરાથી પ્રાપ્ત અર્ધફાલક સંપ્રદાય જીવનકથાઓને પણ ચરિત્રો કહ્યાં છે. પ્રબંધોનો વિષય યદ્યપિ અર્ધ ઐતિહાસિક યા ઐતિહાસિક વ્યક્તિ જ છે તથાપિ તેમને રચવાનું ધ્યેય હતું “ધર્મશ્રવણ માટે ભેગા થયેલા સમાજને ઉપદેશ દેવો, જૈનધર્મના માહાત્મને દર્શાવવું, સાધુઓને સમયાનુકૂળ ઉપદેશની સામગ્રી આપવી અને શ્રોતાઓનો ચિત્તવિનોદ કરવો. તેથી પ્રબંધોને વાસ્તવિક ઈતિહાસ યા જીવનચરિત ન સમજવા જોઈએ. ૧. જિનરત્નકોશ, પૃ. ૨૬૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૯૧; જૈન ભારતી ભવન, બનારસ, વી.સં. ૨૪૩૭, ૫. ઉદયલાલ કાસલીવાલકૃત હિન્દી અનુવાદ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અને શ્વેતાંબરમતની ઉત્પત્તિ આપી છે. આમાં લુંકામતની ઉત્પત્તિ વિ.સં.૧૫૨૭માં દર્શાવી છે. જૈન કાવ્યસાહિત્ય – કર્તા અને રચનાકાલ આ કૃતિના કર્તા અનન્તકીર્તિના શિષ્ય લલિતકીર્તિના શિષ્ય રત્નનન્દિ છે. કૃતિના અંતે એક પદ્યમાં આ કહેવાયું છે તથા તેમાં લખ્યું છે કે હીરક આર્યના આગ્રહથી આ ચિરતની રચના કરવામાં આવી છે, પરંતુ કર્તાએ ક્યાંય પોતાના ગચ્છનું નામ કે કૃતિનો રચનાકાળ જણાવ્યો નથી. તેમ છતાં રચના સં. ૧૫૨૭ પછી થઈ છે કારણ કે ઉક્ત સંવતમાં લુંકામતની ઉત્પત્તિ કૃતિમાં જણાવી છે. કૃતિના સંપાદકે કર્તાનું રત્નનન્દ નામ દાદાગુરુના નામ અને ગુરુના નામ ઉપરથી રત્નકીર્તિ હોવાનું માન્યું છે અને સુદર્શનચરિતકાર વિદ્યાનન્દિ દ્વારા સ્તુત રત્નકીર્તિ સાથે કર્તાનું એકત્વ સ્થાપિત કર્યું છે, પરંતુ આ બરાબર નથી. વિદ્યાનન્દિના સુદર્શનચરિત્રનો સમય વિ.સં. ૧૫૧૩ છે, તેથી તેમના દ્વારા સ્તુત રત્નકીર્તિનો સમય તેના પહેલાંનો હોવો જોઈએ. પરંતુ પ્રસ્તુત કૃતિમાં કર્તાએ લંકામતની ઉત્પત્તિનો સમય સંવત્ ૧૫૨૭ આપ્યો છે, તેથી અવશ્ય તે આ સમય પછી થયા છે. કર્તાએ અનન્તકીર્તિને પોતાના દાદાગુરુ કહ્યા છે પરંતુ અનન્તકીર્તિના શિષ્ય કોઈ લલિતકીર્તિ (કર્તાના ગુરુ) વિશે કંઈ પણ જાણકારી કોઈ પણ અન્ય સાધનો દ્વારા આજ સુધી મળી નથી, તેથી કર્તાનો સમય નક્કી કરવો કઠિન છે. ભટ્ટારક રત્નચન્દ્રકૃત એક ભદ્રબાહુચિરત્રનો ઉલ્લેખ મળે છે. તેવી જ રીતે એક ભદ્રબાહુકથાનો પણ નિર્દેશ મળે છે. સ્થૂલભદ્રચરિત – શ્વેતાંબર સંઘના ઈતિહાસમાં આચાર્ય સ્થૂલભદ્રનું બહુ મોટું સ્થાન છે. તેમનું ચરિત્ર પ્રાચીન ગ્રન્થોમાં તો આપ્યું જ છે પરંતુ તેના ઉપર ચારપાંચ સ્વતંત્ર રચનાઓ પણ મળે છે. પહેલી રચનામાં ૬૮૪ સંસ્કૃત શ્લોકો છે. તેના કર્તા ચૌદમી સદીના જયાનન્દસૂરિ છે.” તે તપાગચ્છના સોમતિલકસૂરિના શિષ્ય હતા. તેમની અન્ય કૃતિ કાલકાચાર્યકથા ૧. ૪. ૧૫૭ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૯૧ ૩. એજન ૪. એજન, પૃ. ૪૫૫, પ્રકાશિત – હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૦; દેવચન્દ્ર લાલભાઈ પુસ્તકોદ્ધાર, ગ્રન્થાંક ૨૫, મુંબઈ, ૧૯૨૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૨૦૯ પ્રાકૃતમાં મળે છે. આ કાવ્ય ઉપર પદ્મનન્દનસૂરિએ ટીકા લખી છે. બીજી રચના પાસાગરની છે. તેને શીલપ્રકાશ પણ કહે છે. તેમાં સાત સર્ગ છે. તે સં. ૧૬૩૪માં રચાઈ છે. કર્તા તપાગચ્છના આચાર્ય વિમલસાગર અને ધર્મસાગરના શિષ્ય હતા. ત્રીજી રચના શીલદેવકૃતનો ઉલ્લેખ મળે છે. અજ્ઞાતકર્તક ચોથીનો પણ ઉલ્લેખ મળે છે. તેવી જ રીતે, કેશરિયાજી મંદિર જોધપુરમાં વીરકલશના શિષ્ય સૂચન્દ્ર રચેલા સ્થૂલભદ્રગુણમાલામહાકાવ્યનો ઉલ્લેખ મળે છે. કાલકાચાર્યકથા – કાલકાચાર્યને કાલિકાચાર્ય પણ કહેવામાં આવ્યા છે. યુગપ્રધાન આચાર્યોમાં તેમની જીવનકથા બહુ જ ચમત્કારપૂર્ણ મનાઈ છે. પ્રાચીન ગ્રન્થોમાં, જેમકે ઉત્તરાધ્યયનનિર્યુક્તિ તથા ચૂર્ણિ, બૃહત્કલ્પભાષ્ય તથા ચૂર્ણિ, પંચકલ્પભાષ્ય તથા ચૂર્ણિ, દશાશ્રુતસ્કંધચૂર્ણિ, નિશીથચૂર્ણિ, વ્યવહારચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ અને ભદ્રેશ્વરકૃત કહાવલીમાં તેમના જીવન સંબંધી અનેક ઘટનાઓનું વર્ણન મળે છે. તે ઘટનાઓમાં ઉજજૈનીના ગર્દભ રાજાનો ઉચ્છેદ, નિગોદની સૂક્ષ્મ વ્યાખ્યા, સુવર્ણભૂમિગમન, આજીવિકો પાસેથી નિમિત્તશાસ્ત્રનું અધ્યયન, અનુયોગોની રચના તથા સાતવાહન રાજાને મથુરાના ભવિષ્યનું કથન એ ઐતિહાસિક તત્ત્વવાળી ઘટનાઓ મનાય છે. તેમનો સમય ઈ.પૂર્વ દ્વિતીય અને ઈ.ની પ્રથમ સદી વચ્ચે મનાય છે. ડૉ. ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહે તેમની એકતા આર્ય શ્યામ સાથે સ્થાપી છે.* ૧. જિનરત્નકોશ, પૃ. ૩૮૪-૪૫૮; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૧ ૨. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, ખરતરગચ્છ સાહિત્ય સૂચી, પૃ. ૨૬ ૩. જિનરત્નકોશ, પૃ. ૮૬-૮૮; એન. ડબલ્યુ. બ્રાઉન, સ્ટોરી ઑફ કાલક, વોશિંગ્ટન, ૧૯૩૩; સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ દ્વારા પ્રકાશિત કાલકાચાર્ય કથા; પંજાબ વિશ્વવિદ્યાલય પત્રિકમાં ૬ કથાઓ મૂળ અને ડૉ. બનારસીદાસ જૈન કૃત હિન્દી અનુવાદ; કાલકાચાર્યકથાસંગ્રહ, ૧૯૪૫ ૪. ડૉ. શાહે પોતાના લઘુ ગ્રન્થ “સુવર્ણભૂમિમાં કાલકાચાર્યમાં પ્રાચીન અને અર્વાચીન સામગ્રીનું વિશ્લેષણ કરીને એ મત પ્રગટ કર્યો છે કે અર્વાચીન સામગ્રીમાં અનેક નામો વિકૃત છે તથા કાલ્પનિક વાતો જોડી દીધી છે. આ વાતોના આધારે એકાધિક કાલકાર્ય Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કાલકાચાર્યના કથાનક ઉ૫૨ ૧૧મી સદી પછી સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક રચનાઓ, કાં તો સ્વતન્ત્ર કાં તો કોઈ ને કોઈ કથાસંગ્રહ યા ચરિત અન્તર્ગત, કરવામાં આવી છે. તેમનો સંગ્રહ પોતે જ એક વિશાળ સાહિત્ય બની જાય છે. તેથી તેની રૂપરેખા જ માત્ર અહીં રજૂ કરીએ છીએ. ૧. કાલકાચાર્યકથા ૨. ૩. ૪. ૫. દેવચન્દ્રસૂરિ (સં. ૧૧૪૬) મલધારી હેમચન્દ્ર (૧૨મી સદી) અજ્ઞાતકર્તૃક બૃહદ્ રચના મહેન્દ્રસૂરિ' (સં. ૧૨૭૪ પહેલાં) વિનયચન્દ્રસૂરિ (સં. ૧૨૮૬) દેવેન્દ્રસૂરિ (૧૩મી સદી) રામભદ્રસૂરિ (૧૩મી સદી) ભાવદેવસૂરિ (સં. ૧૩૧૨) પ્રભાચન્દ્રસૂરિ (સં. ૧૩૩૪) ૬. ૭. ૮. ૯. "" 93 "" "" 71 "2 .. "" ૧. મૂલશુદ્ધિપ્રકરણ અન્તર્ગત ૨. પુષ્પમાલા અન્તર્ગત ૩. ૧૫૪ ગાથાઓ, ગ્રન્થાત્ર ૨૧૧ જૈન કાવ્યસાહિત્ય પ્રાકૃત પ્રાકૃત પ્રાકૃત સંસ્કૃત માનવા સંભવતઃ ઉચિત નથી. પ્રાચીન સામગ્રીના વિશ્લેષણથી એ સિદ્ધ થાય છે કે બધી ઘટનાઓ સાથે સમ્બદ્ધ એક જ કાલક હતા (જુઓ – જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, વારાણસીથી પ્રકાશિત તેમનો ઉક્ત ગ્રન્થ.) - પ્રાકૃત સંસ્કૃત સંસ્કૃત પ્રાકૃત સંસ્કૃત ૪. ૫૨ શ્લોક, લેખક પલ્લિવાલગચ્છના ૪૮મા પટ્ટધર ૫. ૭૪ ગાથા; કર્તા રવિપ્રભસૂરિના શિષ્ય અને પાર્શ્વનાથચરિત, મલ્લિનાથચરિત આદિના કર્તા ૬. ૮૪ શ્લોક; કર્તા જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય, શ્રાદ્ધદિનનૃત્ય સવૃત્તિ વગેરે બીજી અનેક તેમની કૃતિઓ. ૭. ૧૨૫ સંસ્કૃત પદ્ય; કર્તાની અન્ય રચના પ્રબુદ્ધૌહિણેય નાટક ૮. ૧૯ ગાથાઓ; ચન્દ્રકુલ ખંડિલગચ્છના યશોભદ્ર કર્તાના ગુરુ હતા, અન્ય રચના પાર્શ્વનાથચરિત ૯. ૧૫૬ સંસ્કૃત પદ્ય; કર્તાની પ્રસિદ્ધ કૃતિ પ્રભાવકચરિત અંતર્ગત Page #233 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૮. ૧૪૪ ગાથાઓ ૯. ૧૦૭ ગાથાઓ 33 19 "" 29 "2 "" "7 "" "3 "" 39 "" ધર્મપ્રભસૂરિ' (સં. ૧૩૯૮) પ્રાકૃત જયાનન્દસૂરિ (૧૪મી સદી) વિનયચન્દ્ર (૧૪મી સદી) જિનદેવસૂરિ* (૧૪મી સદી) રામચન્દ્રસૂરિ (સં. ૧૪૧૨) સોમસુન્દર (સં. ૧૪૫૮-૧૪૯૩) ધર્મઘોષસૂરિ (સં. ૧૪૭૩) અજ્ઞાતકર્તૃક (સં. ૧૪૯૦) અજ્ઞાતકર્તૃક અજ્ઞાતકર્તૃક૦ શુભશીલગણિ૧૧ (સં. ૧૫૦૯) દેવકલ્લોલ૧૨ (સં. ૧૫૬૬) પ્રાકૃત સંસ્કૃત સંસ્કૃત ૧. ૫૬ ગાથા; કર્તા અંચલગચ્છીય દેવેન્દ્રસૂરિ (સ્વર્ગ. ૧૩૨૦)ના શિષ્ય, ત્રૈલોક્યપ્રકાશ, ચૂડામણિસારોદ્ધારના સર્જક ૨. ૧૨૦ ગાથા; કર્તા તપાગચ્છના ધર્મસાગરના શિષ્ય સોમતિલકના શિષ્ય, તેમની અન્ય રચના સ્થૂલભદ્રચરિત્ર ૩. ૮૯ શ્લોક; કર્તા રત્નસિંહસૂરિના શિષ્ય અને પયૂષણાકલ્પ, દીપમાલિકાકલ્પના રચનાર ૪. ૯૭ પદ્ય; જિનપ્રભસૂરિના શિષ્ય ૫. ૧૭ સંસ્કૃત-પ્રાકૃત પદ્ય; કર્તા બૃહદ્ગચ્છીય દેવેન્દ્રસૂરિના શિષ્ય જિનચન્દ્રના શિષ્ય ૬. ઉપદેશમાલા અન્તર્ગત; ગુજરાતી પદ્ય, પોતાના યુગના પ્રભાવક આચાર્ય, તેમની ગુજરાતી અનેક કૃતિઓ ૭. ૧૦૫ ગાથાઓ; અપર નામ ધર્મકીર્તિ; દેવેન્દ્રસૂરિ (સ્વર્ગ. ૧૩૨૦)ના શિષ્ય, અનેક સ્તોત્રોના રચનાર. ૧૦.૬૫ શ્લોક, ગુજરાતી ટીકા સહિત ૧૧.સંક્ષિપ્ત કથા ૧૯ શ્લોકોમાં; શુભશીલગણિની ભરતેશ્વરબાહુબલિવૃત્તિમાંથી ૧૨.૧૦૪ શ્લોક; કર્તા ઉપકેશગચ્છના કર્મસાગર પાઠકના શિષ્ય હતા. ૨૧૧ સંસ્કૃત ગુજરાતી પ્રાકૃત પ્રાકૃત પ્રાકૃત સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૨. જૈન કાવ્યસાહિત્ય م ૨૩. પ્રાકૃત م م ૨૬. م م 2 , સંસ્કૃત م ૩૦. અજ્ઞાત સંસ્કૃત માણિજ્યસૂરિ (૧૬મી સદી) સંસ્કૃત કલ્યાણતિલક (૧૬મી સદી) કમલસંયમોપાધ્યાય (૧૬મી સદી) સંસ્કૃત ગુણરત્નસૂરિ (૧૬મી સદી) સંસ્કૃત જિનચન્દ્રસૂરિ (સં. ૧૬૧૨) સંસ્કૃત સમયસુન્દરોપાધ્યાય (સં. ૧૬૬૬) સંસ્કૃત જયકીર્તિ (૧૭મી સદી) કનકસોમ (સં. ૧૯૩૨) સંસ્કૃત જ્ઞાનમેરુ (૧૭મી સદી) શિવનિધાનોપાધ્યાય (૧૭મી સદી) સંસ્કૃત જિનલાભસૂરિ (સમય ?) સંસ્કૃત કીર્તિચન્દ્ર (સમય ?) સંસ્કૃત કુલમંડન (સમય ?) સંસ્કૃત કનકાનિધાન (૧૮મી સદી) સંસ્કૃત લક્ષ્મીવલ્લભ (૧૮મી સદી) સંસ્કૃત સુમતિહંસ૦ (સં. ૧૭૧૨) સંસ્કૃત ૩૧. સંસ્કૃત ૩૨. ૩૩. ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૧. ૬૭ વિવિધ છંદોનું સારું કાવ્ય, કર્તાના નામ વિબુધતિલકનું અનુમાન કરવામાં આવે છે. ૨. ૧૦૪ શ્લોક; માણિજ્યસૂરિ ૬-૭ થઈ ગયા છે, કર્તાનો નિર્ણય કરવો કઠિન છે. ૩. ૫૬ ગાથાઓ, ગુજરાતી ટીકા સહિત, ખરતરગચ્છીય જિનસમુદ્રસૂરિના શિષ્ય. ૪. પિપ્પલગચ્છીય, બીજું કંઈ જ્ઞાત નથી. જુઓ પિપ્પલગચ્છગુર્વાવલિ, આ. વિજયવલ્લભ સ્મારક ગ્રન્થ. ૫. બૃહમ્બરતરગચ્છના આચાર્ય ૬. ૩૭ સંસ્કૃત-પ્રાકૃત પદ્ય અને સંસ્કૃત ગદ્યમયી રચના, કર્તા બૃહખરતરગચ્છના સકલચન્દ્રના શિષ્ય અને ભાવશતકના સર્જક ૭. વાદિ હર્ષવર્ધનના શિષ્ય ૮. મહિસુન્દરના શિષ્ય ૯, લક્ષ્મીકીર્તિના શિષ્ય ૧૦. જિનહર્ષસૂરિ આદ્યપક્ષીયના શિષ્ય Page #235 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૨ ૧૩ એ સંભવ નથી કે ઉપર જણાવેલ બધી રચનાઓ તથા કર્તાઓનો પરિચય અપાય. તેમાંથી કેટલીય કૃતિઓનો પરિચય એન. ડબલ્યુ. બ્રાઉનના “સ્ટોરી ઑફ કાલકમાં તથા ૫. અંબાલાલ પ્રેમચંદ શાહે કાલકાચાર્યની પોતાની ગુજરાતી પ્રસ્તાવનામાં આપ્યો છે. તેમાં કેટલાંય સારાં આલંકારિક લઘુકાવ્યો છે. કથાનકનો સાર – ભારતવર્ષના ધારાવાસ નગરના રાજા વૈરસિંહનો પુત્ર કાલકકુમાર અનેક કલાઓમાં નિપુણ હતો. એક વાર ગુણાકરસૂરિનો ઉપદેશ સાંભળી તેણે જૈની દીક્ષા ગ્રહણ કરી લીધી. પછી પોતાના જ ગુરુના પટ્ટધર બની પાંચ સો શિષ્યો સાથે તે વિહાર કરવા લાગ્યા. કાલકની બેન સરસ્વતી પણ સાધ્વી બની ગઈ. પણ તેના સૌન્દર્યમાં મોહ પામી ઉજ્જૈનનો રાજા ગભિલ્લ તેને પોતાના અંતઃપુરમાં લઈ ગયો. ત્યારે કાલકે તેને બહુ જ સમજાવ્યો પરંતુ બધું વ્યર્થ જતાં કાલકે અપવાદમાર્ગ અપનાવી સાધુવેશ છોડી ગઈભિલ્લનો ઉછેદ કરવા નિશ્ચય કર્યો અને સિન્ડ્રદેશ પાર કરી શક રાજાને કાલક બોલાવી લાવ્યા. ગર્દભિલ્લ મરાયો અને શક રાજા ઉર્જનનો રાજા બન્યો. કાલાન્તરે તેના વંશનો ઉચ્છેદ કરી વિક્રમાદિત્ય રાજા બન્યા. આ બાજુ કાલકાચાર્યે પ્રાયશ્ચિત્ત કરી પુનઃ નિવેશ ધારણ કર્યો અને દેશદેશાન્તરોમાં ભ્રમણ કર્યું. દક્ષિણ દેશના સાતવાહન રાજાની વિનંતીથી તેમણે પર્યુષણની પંચમી તિથિ બદલીને ચતુર્થી કરી દીધી. એક વાર તેમણે ઈન્દ્રની નિગોદ વિશેની શંકાઓ દૂર કરી. તે પોતાના દુર્વિનીત શિષ્ય સાગરસૂરિને ઉપદેશ દેવા સુવર્ણભૂમિ પણ ગયા. પછી તેમનો સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. પરવર્તી રચનાઓમાં વર્ણવવામાં આવેલી અનેક ઘટનાઓને સત્ય માની કેટલાક વિદ્વાનોએ બે કાલકાચાર્યોની કલ્પના કરી છે.' - વજસ્વામિચરિત – વજસ્વામીના ચરિત્ર ઉપર વજસ્વામિકથા તથા વજસ્વામિચરિત્ર (પ્રાકૃત)ના ઉલ્લેખ મળે છે. જે બે અપભ્રંશ રચનાઓનો પણ આ સંબંધમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંની એક રચના જિનહર્ષસૂરિએ સં. ૧૩૧૯માં કરી હતી. ૧. દ્વિવેદી અભિનન્દન ગ્રન્થમાં મુનિ કલ્યાણવિજયજીનો લેખ. પ્રથમ કાલકાચાર્ય, મહાવીર નિર્વાણ સં. ૩00-૩૭૬માં તથા બીજા મહાવીર નિ.સં. ૪૨૫ લગભગ અને ૪૬૫ પહેલાં. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૪૦. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈન કાવ્યસાહિત્ય પાદલિપ્તસૂરિકથા – પાદલિપ્તસૂરિ તરંગવતીકથાના કર્તા મનાય છે. તેમનું એક ચરિત પ્રાકૃત ભાષામાં રચાયું છે. પ્રારંભ “ત્નિ રૂદ અરવલ' થી થાય છે. તેની પ્રાચીનતમ હસ્તપ્રત સં. ૧૨૯૧ની છે. બીજી પાદલિપ્તસૂરિકથા(સંસ્કૃત)નો પણ ઉલ્લેખ મળે છે. સિદ્ધસેનચરિત – સન્મતિતર્ક આદિ ગ્રન્થોના કર્તા સિદ્ધસેન ઉપર એક હસ્તલિખિત પ્રતિ ૧૨૯૧ની પાટણના ભંડારમાં મળે છે. તે પ્રાકૃતમાં છે. મલવાદિકથા - દ્વાદશાનિયચક્રના કર્તા મલ્યવાદી ઉપર પણ એક પ્રાકૃત રચના છે. તેની હસ્તલિખિત પ્રતિ સં. ૧૨૯૧ની મળી છે." મલયગિરિચરિત – આ કૃતિનો ઉલ્લેખ મળે છે. બપ્પભટ્ટિચરિત – ગૂર્જર પ્રતિહાર નરેશ આમનાગાવલોકગુરુ પાદલિપ્ત ઉપર કેટલીય રચનાઓ મળે છે. તેમાંથી એકનું બીજું નામ બપ્પભટ્ટસૂરિપ્રબન્ધ પુણ્યપ્રદીપ છે. તેમાં ૭૦૦ પદ્ય (સંસ્કૃત) છે. કર્તાનું નામ માણિજ્યસૂરિ છે. આ નામના ૬-૭ આચાર્ય થયા છે. તેમાંથી આ કૃતિના કર્તા કયા છે એ નિર્ણય કરવો મુશ્કેલ બીજી એક રચના “બપ્પભક્ટ્રિકથા ૬૮૫ પ્રાકૃત ગાથાઓમાં ઉપલબ્ધ છે. આની પ્રાચીનતમ પ્રતિ સં. ૧૨૯૧ની મળે છે. રાજશેખરસૂરિના પ્રબંધકોશમાંથી લઈને બપ્પભફિચરિત્ર અલગ પ્રકાશિત કરવામાં આવ્યું છે. બે અજ્ઞાતકર્તક રચનાઓની પણ ભાળ મળી છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૩; પાટણ સૂચી, ભાગ ૧, પૃ. ૧૯૪-૫ ૨. એજન ૩. એજન, પૃ. ૪૩૮; પાટણસૂચી, ભાગ ૧, પૃ. ૧૯૪-૫ ૪. એજન, પૃ. ૩૦૨; પાટણસૂચી, ભાગ ૧, પૃ. ૧૯૪-૫ ૫. એજન ૬. એજન, પૃ. ૨૮૨ ૭. એજન; પાટણસૂચી, ભાગ ૧, પૃ. ૧૯૫ ૮. આગમોદય સમિતિ ગ્રન્થમાલા, ગં. ૪૬, મુંબઈ, ૧૯૨૬ ૯. જિનરત્નકોશ, પૃ. ૨૮૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૨૧૫ હરિભદ્રસૂરિચરિત – હરિભદ્રસૂરિના ચરિત ઉપરની સ્વતંત્ર રચનાઓમાં ધનેશ્વરસૂરિકૃત (૧૨મી સદી) રચના ઉલ્લેખનીય છે. તેનું સંપાદન પં. હરગોવિન્દ દાસે વારાણસીમાં કર્યું હતું.' અન્ય બે રચનાઓનો – હરિભદ્રકથા અને હરિભદ્રપ્રબંધનો – પણ ઉલ્લેખ મળે છે. ૧૬-૧૭મી સદીના તપાગચ્છીય વિદ્વાન મુનિઓએ પોતાના ગચ્છના અનેક પ્રભાવક ગુરુજનોના ગુણકીર્તનમાં કાવ્યાત્મક શૈલીમાં મહત્ત્વપૂર્ણ ચરિત્રકૃતિઓ રચી છે. તે કૃતિઓ તે મહાપુરુષોનાં આધ્યાત્મિક જીવન અને ધાર્મિક કૃત્યોનું આલેખન કરે છે, તેથી તે કૃતિઓ પૌરાણિક કાવ્યોની શ્રેણીમાં આવે છે, તો પણ તેમનામાં તત્કાલીન રાજનૈતિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું સારું ચિત્રણ હોવાથી તે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં કાવ્યો પણ મનાય છે. - જૈન સાહિત્યમાં સં. ૧૪૫૬થી ૧૫૦૦ સુધી સોમસુન્દર યુગ, સં. ૧૬૦૧થી ૧૭૦૦ સુધી હૈરક યુગ તથા સં. ૧૭૦૧ થી ૧૭૪૩ સુધી યશોવિજય યુગમાં પ્રભાવક આચાર્યો ઉપર આ જાતની અનેક કૃતિઓ રચાઈ છે. તેમનો સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ. તેમના શાસ્ત્રીય મહાકાવ્યત્વનું તથા ઐતિહાસિક મહાકાવ્યત્વનું દિગ્દર્શન તે પ્રસંગોએ આગળ ઉપર કરીશું. સોમસૌભાગ્યકાવ્ય – તપાગચ્છના યુગપ્રધાન સોમસુન્દરસૂરિ ઉપર બેત્રણ જીવનચરિત્ર મળે છે. પહેલું તો ૧૦ સર્ગાત્મક સોમસુન્દરના જ શિષ્ય પ્રતિષ્ઠાસોમે સં. ૧૫૨૪માં (ગ્રન્થાઝ ૧૩૦૦ શ્લોકપ્રમાણ) રચ્યું છે. બીજું તપાગચ્છીયા લક્ષ્મીસાગરના શિષ્ય સુમતિસાધુએ રચ્યું છે. તેનો રચનાકાળ જ્ઞાત નથી. સુમતિસાધુનો સ્વર્ગવાસ સં. ૧૫૫૧માં થયો હતો. તેથી આ રચના તેના પહેલાંની અવશ્ય છે. સુમતિસાધુના ચરિત્ર ઉપર પણ એક સુમતિસંભવકાવ્ય સં. ૧૫૪૭૧૫૫૧ વચ્ચે રચાયું છે. એક અજ્ઞાતકર્તક ત્રીજા સોમસૌભાગ્યકાવ્યનો પણ ઉલ્લેખ મળે છે.* ૧. જિનરત્નકોશ, પૃ. ૪૫૯ ૨. એજન, પૃ. ૪૫૩; આનો સાર “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ', પૃ. ૪૫૧-૪૬૧માં આપ્યો છે. ૩. એજન ૪. એજન Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૬ જેન કાવ્યસાહિત્ય ગુરુગુણરત્નાકરકાવ્ય – આ કાવ્યમાં તપાગચ્છના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિ (સં.૧પ૧૭-૧૫૪૭ ગચ્છનાયકોનું જીવનવૃત્તાન્ત ચાર સર્ગોમાં નિરૂપાયું છે.' કાવ્ય સંસ્કૃતમાં છે. તેનું ઐતિહાસિક વિવેચન અન્યત્ર આપ્યું છે. - કર્તા અને રચનાકાળ – આનું સર્જન લીસાગરના પટ્ટકાળમાં જ સં. ૧પ૪૧માં સોમચરિત્રગણિએ કર્યું હતું. પ્રશસ્તિમાં ગ્રન્થકર્તાએ પરિચય દેતી વખતે પોતાની ગુરુપરંપરામાં લખ્યું છે કે પોતે તપાગચ્છના સોમસુન્દરસૂરિના શિષ્ય સોમદેવસૂરિ અને તેમના શિષ્ય ચરિત્રહંસગણિના શિષ્ય હતા. સુમતિસંભવ – આ કાવ્યમાં તપાગચ્છીય વિદ્વાન કવિ સુમતિસાધુનું જીવનચરિત લખવાનો ઉપક્રમ કરવામાં આવ્યો છે પરંતુ કાવ્યનાયકના વિષયમાં આનાથી વધુ જાણકારી નથી મળતી. તેમના કરતાં ઘણી અધિક ઉપયોગી સામગ્રી માંડવગઢના ધનાઢ્ય વેપારી સંઘપતિ જાવડની સામાજિક પ્રતિષ્ઠા તથા ધર્મનિષ્ઠાના વિષયમાં મળે છે. તેની ચર્ચા ઐતિહાસિક કાવ્યોના પ્રસંગમાં કરીશું. કર્તા અને રચનાકાળ – આ રચના સર્વવિજયગણિએ કરી છે. તે શિવહેમના શિષ્ય અને જિનમાણિક્યના છાત્ર હતા. કૃતિનો રચનાકાળ અજ્ઞાત છે પરંતુ પ્રાચીન પ્રતિલિપિ સં. ૧૫૫૪ની લખેલી મળી છે. તેમાં સં. ૧૫૪૭માં જાવડે કરેલી પ્રતિમાપ્રતિષ્ઠાનું વર્ણન છે. પરંતુ સુમતિસાધુના સ્વર્ગારોહણ (સં. ૧૫૫૧)નો - ઉલ્લેખ નથી. તે ઉપરથી લાગે છે કે આ કાવ્ય સં. ૧૫૪૭ પછી પરંતુ ૧૫૫૧ પહેલાં રચાયું હોવું જોઈએ. સર્વવિજયગણિની અન્ય રચના “દશશ્રાવકચરિત' મળે જગદગુરુકાવ્ય – આ કાવ્યનો ગ્રન્યાગ્ર ૨૩૩ શ્લોકપ્રમાણ છે. તેમાં સંસ્કૃત છંદોમાં તપાગચ્છના હીરવિજયસૂરિનું જીવનચરિત આલેખાયું છે. સં. ૧૬૪૧માં ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૬; યશોવિજય જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૨૪, વીર સં. ૨૪૩૭. તેના ચાર સર્ગોનો સાર “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ', પૃ. ૪૯૬-૫૦૨માં મો. દ. દેસાઈએ આપ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૪૪૬; આની એક માત્ર પ્રતિ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ, કલકત્તામાં સુરક્ષિત છે (પ્રતિસંખ્યા ૭૩૦૫). આ કાવ્યના પરિચય માટે ગંગાનગરના પ્રો. સત્યવ્રત તૃષિતનો હું આભારી છું. ૩. આને હર્ષકુલગણિએ ઈડરમાં લખાવી હતી : સંવત્ ૨૦૧૪ વર્ષે શ્રીફલ્મ હીનારે हर्षकुलगणयः सुमतिसम्भवमलीलिखल्लेखकेन । ૪. જિનરત્નકોશ, પૃ. ૧૨૮; યશોવિજય જૈન ગ્રન્થમાળા, સં. ૧૪, ભાવનગર. Page #239 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય બાદશાહ અકબરે હીરવિજયને જગદ્ગુરુની ઉપાધિ આપી હતી. આ કાવ્યની રચના વિમલસાગરગણિના શિષ્ય પદ્મસાગરગણિએ માંગરોળમાં (સૌરાષ્ટ્ર) રહી સં. ૧૬૪૬માં કરી હતી. પદ્મસાગરની અન્ય કૃતિઓમાં તિલકમંજરીવૃત્તિ, યશોધનચરિત્ર, ઉત્તરાધ્યયનકથાસંગ્રહ, પ્રમાણપ્રકાશ સટીક, ધર્મપરીક્ષા વગેરે મળે છે. કૃપારસકોશ આ કૃતિ પણ હીરવિજયસૂરિના જીવનસંબંધી છે. તેમાં હીરવિજયના ઉપદેશથી બાદશાહ અકબરે જે દયામય કાર્યો કર્યાં હતાં તેમનું નિરૂપણ છે. કાવ્યમાં ૧૨૮ શ્લોકો છે. તેની રચના તપાગચ્છીય સકલચન્દ્ર ઉપાધ્યાયના શિષ્ય શાન્તિચન્દ્ર ઉપાધ્યાયે સં. ૧૬૪૬-૪૮ વચ્ચે કરી હતી. - આના ઉપર તેમના શિષ્ય રત્નચન્દ્રગણિએ એક વૃત્તિ લખી હતી. તેનો ઉલ્લેખ વૃત્તિકારે અધ્યાત્મકલ્પદ્રુમ અને સમ્યક્ત્વસતિમાં કર્યો છે. હીરસૌભાગ્યમહાકાવ્ય - આ કાવ્યમાં હીરવિજયસૂરિનું જીવન તથા તેમનાં ધાર્મિક કાર્યો, પ્રભાવના, અકબર બાદશાહ સાથે સંપર્ક આદિ પ્રસંગો વિસ્તારથી આપવામાં આવ્યા છે. આ કાવ્ય ૧૭ સર્ગોનું બૃહત્કાવ્ય છે. તેના અધિકાંશ સર્ગોમાં સોથી વધારે શ્લોકો છે. ચૌદમા સર્ગમાં આ સંખ્યા ૩૦૦ સુધી પહોંચી જાય છે. આ કાવ્ય શ્રીહર્ષના નૈષધીયમહાકાવ્યને આદર્શ બનાવી રચવામાં આવ્યું છે પરંતુ તેના જેવું દુરૂષ અને દુર્બોધ નથી. તેના મહાકાવ્યત્વ અને તેની ઐતિહાસિકતા ઉપર પછી ઉક્ત પ્રસંગોએ પ્રકાશ નાખીશું. ― કર્તા અને રચનાકાળ આ કાવ્યની રચના તપાગચ્છીય સિંહવિમલગણિના શિષ્ય દેવવિમલે સુખબોધા નામની સ્વોપજ્ઞ વૃત્તિ સાથે કરી છે. તેની રચનાનો પ્રારંભ તો હીરવિજયસૂરિના સમયમાં જ થઈ ગયો હતો એવું ધર્મસાગરગણિની પટ્ટાવલિમાંથી જાણવા મળે છે પરંતુ તેની સમાપ્તિ વિજયદેવસૂરિના શાસનકાળમાં જ થઈ શકી હતી. તેથી આ કાવ્ય સં. ૧૬૭૨થી સં. ૧૬૮૫ વચ્ચે રચાઈ શકાયું છે. દેવવિમલના ગુરુ બહુ પ્રભાવક હતા. તેમણે સ્થાનસિંહ નામની અજૈન વ્યક્તિને જૈન ધર્મમાં દીક્ષિત કરી હતી. આ વ્યક્તિ પાછળથી આગ્રાના પ્રમુખ જૈનોમાં એક હતી. દેવિમલકૃત હીરસૌભાગ્યના આધારે ઋષભદાસ કવિએ સં. ૧૬૮૫માં ગુજરાતીમાં હીરવિજયસૂરિરાસની રચના કરી હતી. હીરસૌભાગ્યકાવ્યનું ૧. જિનરત્નકોશ, પૃ. ૯૫; કાન્તિવિજય ઈતિહાસમાલા; ભાવનગર, ૧૯૭૩ ૨. એજન, પૃ. ૯૫ ૩. એજન, પૃ. ૪૬૧; કાવ્યમાલા, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૦. ૨૧૭ · Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન કાવ્યસાહિત્ય સંશોધન ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય ધર્મવિજય વાચકે કર્યું હતું. | વિજયપ્રશસ્તિકાવ્ય – આ કાવ્યના ૧૬ સર્ગોની રચના કર્યા પછી કવિનો સ્વર્ગવાસ થઈ ગયો, એટલે ગુણવિજયે છેલ્લા પાંચ સર્ગો જોડી ૨૧ સર્ગમાં કૃતિ પૂર્ણ કરી. તેમાં કુલ મળીને ૧૭૦૯ શ્લોકો છે. આ શ્લોકો વિવિધ છંદોમાં રચાયા છે. તેમાં તપાગચ્છના હીરવિજય, વિજયસેન અને વિજયદેવસૂરિનાં ચરિતોનું કાવ્યમય શૈલીમાં આલેખન છે. આ કાવ્યના મહાકાવ્યત્વની અને તેના ઐતિહાસિક મહત્ત્વની ચર્ચા પછી કરવામાં આવશે. કાવ્યકર્તા અને રચનાકાળ – કાવ્યની રચના કમલવિજયગણિના શિષ્ય હેમવિજયગણિએ સં. ૧૬૮૧માં કરી છે. તે ૧૭મી સદીના મહાન લેખક હતા. તેમની અન્ય રચનાઓમાં પાર્શ્વનાથમહાકાવ્ય, કથાવત્નાકર, અન્યોક્તિમુક્તામહોદધિ, કીર્તિકલ્લોલિની, સૂક્તિરત્નાવલી, વિજયસ્તુતિ વગેરે મળે છે. બધી કૃતિઓના અંતે કવિએ પોતાનો તથા કૃતિનો પરિચય આપ્યો છે. વિજયપ્રશસ્તિના અંતે તો બધી કૃતિઓનો ઉલ્લેખ પદ્યોમાં કર્યો છે. આ કાવ્ય ઉપર કનકવિજયના શિષ્ય અને અંતિમ પાંચ સર્ગોના કર્તા ગુણવિજયે એક સંસ્કૃત ટીકા લખી છે, તેનું પરિમાણ ૧૦,૦૦૦ શ્લોકપ્રમાણ છે. આ ટીકા સં. ૧૬૮૮માં લખાઈ છે. વિજયદેવમાહાભ્ય – આ કાવ્યમાં ૧૯ સર્ગ છે. તેમાં વિવિધ છંદોમાં નિર્મિત ૧૭૯૫ પદ્યો છે. તેમાં હીરવિજયસૂરિના પ્રશિષ્ય અને વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવનું જીવનવૃત્ત કાવ્યમય શૈલીમાં આપવામાં આવ્યું છે. તેના ઐતિહાસિક મહત્ત્વની ચર્ચા ઉક્ત પ્રસંગમાં કરવામાં આવશે. કર્તા અને રચનાકાળ – આ કાવ્યના પ્રણેતા બૃહમ્બરતરગચ્છીય જિનરાજસૂરિસત્તાનીય પાઠક જ્ઞાનવિમલના શિષ્ય શ્રીવલ્લભ ઉપાધ્યાય છે. તેનો રચનાસમય અજ્ઞાત છે પરંતુ તેની પ્રાચીન હસ્તપ્રત સં. ૧૭૦૯ની મળે છે. તેનાથી જણાય છે કે ભૂલ કૃતિની રચના તે પહેલાં થઈ હશે. ૧. યશોવિજય જૈન ગ્રન્થમાલા, સં. ૨૩, ભાવનગર, વીર સં. ૨૪૩૦, ટીકા સહિત; જિનરત્નકોશ, પૃ. ૩૫૪-૩૫૫ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૫૪; જૈન સાહિત્ય સંશોધક સમિતિ, અમદાવાદ, ૧૯૨૮ 3. लिखितोऽयं ग्रन्थः पण्डित श्री५ श्रीरङ्गसोमगणिशिष्यमुनिसोमगणिना सं. १७०९ वर्षे Page #241 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૨૧૯ આના ઉપર તપાગચ્છના કૃપાવિજયગણિના શિષ્ય મેઘવિજયગણિએ વિવરણ લખ્યું છે, તેમાં અઘરા શબ્દોના અર્થને સ્પષ્ટ કર્યો છે. મેઘવિજયગણિનો પરિચય પહેલાં આપી દીધો છે. - ભાનુચન્દ્રગણિચરિત – વાચક સકલચન્દ્રના બે શિષ્ય હતા, તે સૂરચન્દ્ર અને શાન્તિચન્દ્ર. સૂરચન્દ્રના ભાનુચન્દ્ર નામના પ્રભાવક શિષ્ય હતા. ભાનુચન્દ્રના ચરિત્ર ઉપર આ કાવ્યનું નિર્માણ ચાર પ્રકાશોમાં થયું છે. આ પ્રકાશોમાં ક્રમશ: ૧૨૮, ૧૮૭, ૭૬ અને ૩૫૮ સંસ્કૃત શ્લોકો છે. આ ચરિતકાવ્ય અનુષ્ટ્ર, છન્દમાં રચાયું છે પરંતુ ક્યાંક ક્યાંક અન્ય છંદોનો પણ પ્રયોગ થયો છે. આ કાવ્ય મુગલ સમ્રાટ અકબરના અંતિમ વર્ષો અને જહાંગીરના સમયમાં (સનું ૧૬૨૫-૧૬૨૭) ભાનુચંદ્ર કરેલાં પ્રભાવનાકાર્યો તથા અન્ય વાતો ઉપર પ્રકાશ પાડે છે. આ વિશે ઐતિહાસિક કાવ્યોના પ્રસંગે ચર્ચા કરીશું. કાવ્યકર્તા અને રચનામય – આ કાવ્યની રચના ભાનુચન્દ્રના શિષ્ય તથા તેમના અનેક સાહિત્યિક અનુષ્ઠાનોના સહયોગી સિદ્ધિચન્દ્રગણિએ કરી હતી. કાવ્યની રચનાસંવત કોઈ ઉપલબ્ધ સાધનથી જ્ઞાત થતો નથી પરંતુ આ રચના સમકાલિક જણાય છે. પોતાના ગુરુની જેમ સિદ્ધિચન્દ્ર પણ પોતાના યુગના મહાન સાહિત્યકાર હતા. તેમની અનેક રચનાઓ મળે છે : કાદમ્બરીઉત્તરાર્ધટીકા, શોભનસ્તુતિટીકા, કાવ્યપ્રકાશખંડન, વાસવદત્તાટીકા વગેરે ૧૯ કૃતિઓ. સમ્રાટ જહાંગીરે સિદ્ધિચન્દ્રને ખુશ-સહમતીક્ષ્ણબુદ્ધિ)ની ઉપાધિ આપી હતી. દેવાનન્દ મહાકાવ્ય – માઘકૃત શિશુપાલવધ ઉપર આધારિત સાત સર્ગોવાળું આ પાદપૂર્તિકાવ્ય છે, તેનું વર્ણન પાદપૂર્તિકાવ્યોમાં કરીશું. તેમાં હીરવિજયના પ્રશિષ્ય વિજયદેવસૂરિનું જીવનચરિત્ર આલેખ્યું છે. તેની રચના કૃપાવિજયગણિના શિષ્ય મેઘવિજયગણિએ સં. ૧૭૫૫માં કરી છે. મેઘવિજયનો પરિચય અન્યત્ર આપ્યો છે. - દિગ્વિજયકાવ્ય – આમાં ૧૩ સર્ગો છે. તેમાં વિવિધ છંદોમાં રચાયેલા ૧૨૯૪ શ્લોકો છે. તેમાં તપાગચ્છના વિજયપ્રભસૂરિનું ચરિતવર્ણન છે. તેમાં પ્રારંભિક ૧. જિનરત્નકોશ, પૃ. ૨૯૪; સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્યાંક ૧૭, સં. ૧૯૯૭ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૭૯; યશોવિજય જૈન ગ્રન્થમાલા, ભાવનગર, સં. ૧૯૬૯; સિંધી જૈન ગ્રન્થમાલા, ઝળ્યાંક ૭, ૧૯૩૭ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૭૪; સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧૪, ૧૯૪૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જેન કાવ્યસાહિત્ય પાંચ સર્ગોમાં તેમના ગુરુ વિજયદેવનું ચરિત્ર પણ આપ્યું છે. આ પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું કાવ્ય છે. તેનું ઉક્ત પ્રસંગે વર્ણન કરીશું. તેના કર્તા ઉક્ત મેઘવિજયગણિ છે. રચનાકાળ જ્ઞાત નથી. વિજયોલ્લાસમહાકાવ્ય – આ એક અજ્ઞાત કૃતિ હતી, તેની અપૂર્ણ પ્રતિ સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરના જ્ઞાનભંડારમાંથી મળી છે. તેના કર્તા મહામહોપાધ્યાય યશોવિજય (૧૭-૧૮મી સદી) છે, તે અનેક કૃતિઓના સર્જક છે. તેમાં શ્રી હીરવિજયસૂરિની પરંપરામાં થયેલા વિજયદેવસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિનું જીવનવૃત્ત આલેખાયેલું છે. ગ્રંથનો પ્રારંભ “ નમ:થી થાય છે અને ત્રણ મંગલાચરણના શ્લોકોના પ્રારંભમાં “Úાર સાર', “જેન્દ્ર પ્રશિ' અને “જારમારાંધતા| શબ્દોનો પ્રયોગ થયો છે. ચોથા શ્લોકથી યમકાલંકારયુક્ત ભાષાનો પ્રયોગ થયો છે. તે પછી વિજયસિંહસૂરિના નામોલ્લેખપૂર્વક ચરિતનો પ્રારંભ થાય છે અને પહેલો સર્ગ ૧૦૨ શ્લોકોમાં પૂરો થાય છે. સર્વાન્તમાં કેટલાય શ્લોકો વિવિધ છન્દોમાં રચાયા છે. સર્ગના અંતે તિ શ્રીવિનયોસે વિનયાહૂમરાત્રે પ્રથમ: : ' આમ લખ્યું છે. ખરતરગચ્છીય આચાર્યોનાં જીવનચરિત્રો તેરમી-ચૌદમી શતાબ્દીના કેટલાય ખરતરગચ્છીય આચાર્યોના સમકાલિક ‘રચયિતાઓ દ્વારા રચાયેલાં લઘુચરિતો મળે છે, તે પ્રાકૃતભાષાનિબદ્ધ ધાર્મિક કાવ્યોના સારા નમૂના છે, સાથે સાથે તેમાંથી કેટલીક ઐતિહાસિક મહત્ત્વની વાતો પણ પ્રગટ થાય છે. જિનપતિસૂરિપંચાસિકા – આમાં મણિધારી જિનચન્દ્ર (૨)સૂરિના શિષ્ય જિનપતિનું ૫૫ ગાથાઓમાં માતાપિતા, નગર આદિનાં નામો સાથે જન્મ (સં. ૧૨૧૦), દીક્ષા અને આચાર્યપદ (સં.૧૨૨૩) સુધીનું ચરિત્ર આલેખાયું છે. કર્તાએ પોતાનું નામ જણાવ્યું નથી પરંતુ “fબળવો નિયમુરુગો’ પદોથી પોતે જિનપતિના શિષ્ય છે એટલું જ કહ્યું છે. જિનપતિ પત્રિશત્ વાદવિજેતા મનાય ૧. મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ, ખંડ ૨, મુંબઈ, ૧૯૬૮, પૃ. ૨૩૩ ૨૩૫ ૨. જિનભદ્રસૂરિસ્વાધ્યાયપુસ્તિકા (અપ્રકાશિત), અજીમગંજની બડી પોસાલમાં સં. ૧૪૯૦માં લખાયેલી પ્રતિ. Page #243 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૨ ૨ ૧ છે. તેમણે શાકંભરી રાજા(પૃથ્વીરાજ)ના દરબારમાં જયપત્ર મેળવ્યો હતો. - જિનેશ્વરસૂરિચતુઃસપ્તતિકાઆમાં ૭૪ ગાથાઓ છે. તેમાં જિનપતિના શિષ્ય જિનેશ્વરસૂરિના માતાપિતા, નગરનાં નામો સાથે જન્મ (સં. ૧૨૪૫), દીક્ષા અને આચાર્યપદ (સં. ૧૨૭૮)નું વર્ણન છે. જિનેશ્વરસૂરિ લક્ષણ, પ્રમાણ અને શાસ્ત્રસિદ્ધાન્તના પારગામી હતા. તેમને ૩૪ વર્ષની ઉંમરે ગચ્છાધિપતિપદ મળ્યું હતું. તેમણે શત્રુંજય આદિ અનેક તીર્થોની યાત્રા કરી હતી. આ અજ્ઞાતકર્તક રચના છે. જિનપ્રબોધસૂરિચતુઃસપ્તતિકાઆમાં ૭૪ ગાથાઓ છે. તેમાં જિનેશ્વરસૂરિના શિષ્ય જિનપ્રબોધનાં પૂર્વ ક્રમાનુસાર જન્મ (સં. ૧૨૮૫), દીક્ષા અને આચાર્યપદ (સં. ૧૩૩૧)નું વર્ણન છે. તે મહાન વિદ્વાન અને પ્રભાવક ગચ્છનાયક હતા. તેમણે કાતવ્યાકરણ ઉપર દુર્ગાદપ્રબોધટીકા વિ.સં. ૧૩૨૮માં રચી હતી અને વિવેકસમુદ્રગણિત પુણ્યસારકથાનું સંશોધન કર્યું હતું. તેમનો સ્વર્ગવાસ સં. ૧૩૪૧માં થયો હતો. આ ચરિત્રના કર્તા વિવેકસમુદ્રગણિ છે, તે તેમના સંઘમાં વાચનાચાર્ય હતા અને પુણ્યસારકથાના કર્તા હતા. જિનચન્દ્રસૂરિચતુઃ સપ્તતિકા – આમાં ૭૪ ગાથાઓ છે. તેમાં જિનપ્રબોધના શિષ્ય જિનચન્દ્ર (૩)ના ચરિતનું આલેખન છે. તે મહા પ્રભાવક આચાર્ય હતા. તેમણે પોતાના યુગના ચાર રાજાઓને પ્રતિબોધિત કર્યા હતા. તેમને સં. ૧૩૪૧માં આચાર્યપદ મળ્યું હતું તથા તેમનો સ્વર્ગવાસ સં. ૧૩૭૬માં થયો હતો. આ કાવ્યની રચના તેમના જ શિષ્ય જિનકુશલસૂરિએ કરી હતી. | જિનકુશલસૂરિચયુત્તરી – આમાં ૭૪ ગાથાઓ છે. તેમાં જિનચ(૩)ના શિષ્ય અને પટ્ટધર જિનકુશલસૂરિનાં જન્મ (વિ.સં.૧૩૩૭), દીક્ષા (સં. ૧૩૪૬), વાચનાચાર્યપદ (સં.૧૩૭૫) અને આચાર્યપદ (સં.૧૩૭૭)નું વર્ણન છે. તેમનો સ્વર્ગવાસ સં. ૧૩૮૯માં થયો હતો. તેમણે પોતાના પટ્ટકાળમાં અનેક નગરોદેશોમાં વિહાર કરી જૈન ધર્મને ખૂબ પ્રતિષ્ઠા અપાવી. આ કાવ્યની રચના તેમના જ શિષ્ય આચાર્ય તરુણપ્રભે કરી હતી. જિનલબ્ધિસૂરિચયુત્તરી – જિનલબ્ધિસૂરિ સંબંધી પ્રાપ્ત અદ્યાવધિ સામગ્રીમાં આ જ પ્રામાણિક અને વિસ્તૃત સામગ્રી છે. જિનલબ્ધિનો જન્મ સં. ૧૩૬૦માં ૧. દાદા જિનકુશલસૂરિના પરિશિષ્ટમાં શ્રી અગરચન્દ નાહટાએ પ્રકાશિત કરી છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૨ જેન કાવ્યસાહિત્ય થયો હતો અને દીક્ષા જિનચન્દ્રસૂરિ (૩) પાસે સં. ૧૩૭૦માં લીધી હતી, તેમનું નામ લબ્લિનિધાન હતું. સં. ૧૩૮૮માં જિનકુશલસૂરિએ તેમને ઉપાધ્યાયપદ આપ્યું. સં. ૧૩૮૯માં જિનકુશલસૂરિનો સ્વર્ગવાસ થયો અને સં. ૧૩૯૦માં તેમના સ્વર્ગવાસ પછી લગભગ સાડા ત્રણ મહિના બાદ પદ્મમૂર્તિ શુલ્લકને જિનપદ્મ નામથી પટ્ટપદ મળ્યું હતું. ૧૦ વર્ષ પછી સં. ૧૪૦૦માં આ જિનપદ્મસૂરિના પદ ઉપર લબ્લિનિધાનોપાધ્યાયને જિનલબ્ધિસૂરિ નામથી પટ્ટપદ મળ્યું હતું. તેમનો સ્વર્ગવાસ સં. ૧૪૦૪માં થયો હતો. આ ચરિતની રચના તેમના જ સતીર્થ્ય તરુણપ્રભસૂરિએ જ કરી છે. જિનલબ્ધિસૂરિ ઉપર ચાર ગાથાઓમાં જિનલબ્ધિસૂરિ-સ્તૂપનમસ્કાર અને આઠ ગાથાઓમાં જિનલબ્ધિસૂરિ-નાગપુર-સ્તૂપ-સ્તવન નામની સંક્ષિપ્ત કૃતિઓ પણ મળે છે, તે કૃતિઓમાં તેમના માતાપિતાનાં નામ, જન્મ, દીક્ષા, ઉપાધ્યાયપદ, આચાર્યપદ, સ્વર્ગવાસ આદિ વાતો ઉલિખિત છે. જિનલબ્ધિસૂરિ અનેક સ્તોત્રોના કર્યા હતા. જિનકૃપાચન્દ્રસૂરીશ્વરચરિત – આ કાવ્યમાં વીસમી શતાબ્દીના ખરતરગચ્છીય આચાર્ય કૃપાચન્દ્રસૂરિનું જીવનચરિત આપ્યું છે. તેમાં ૫ સર્ગ છે અને કુલ ૧૫૭૦ પદ્યો છે. પદ્યો વિવિધ છન્દોમાં છે. કૃપાચન્દ્રસૂરિનો જન્મ સં. ૧૯૧૩માં થયો હતો, દીક્ષા ૧૯૩૬માં, આચાર્યપદ ૧૯૮૨માં અને સ્વર્ગવાસ ૧૯૯૪માં થયો હતો. આ કાવ્ય વિવિધ છંદોથી વિભૂષિત છે. સર્ગોમાં વારંવાર છંદ પરિવર્તન કરવામાં આવેલ છે. ૧. જેમાંથી ઉપર્યુક્ત રચનાઓ પ્રાપ્ત થઈ છે તે “જિનભદ્રસૂરિસ્વાધ્યાયપુસ્તિકા પ્રભાવક અને સુપ્રસિદ્ધ આચાર્ય જિનભદ્રસૂરિ દ્વારા જ સંકલિત પુસ્તિકા છે. ઉક્ત સૂરિએ જ જેસલમેર, ખંભાત, પાટણ, જાલોર, નાગોર આદિ સ્થળે જ્ઞાનભંડારો સ્થાપિત કર્યા હતા અને અનેક તીર્થ-મંદિરોની પ્રતિષ્ઠા કરાવી હતી. તેની પુષ્પિકા આ મુજબ છે : સં. १४९० वर्षे मार्गशिर सुदि ७ गुरौ दिने शतभिषा नक्षत्रे हरषणयोगे श्रीविधिमार्गीय सुगुरु श्रीजिनराजसूरिदीक्षितेन परम भट्टारक प्रभु श्रीमज्जिनभद्रसूरि आत्मानमवबोधार्थ શ્રીસબ્સાયપુસ્તિ સંસ્થૂળ નાતા શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવગ્રન્થ, ખંડ ૧, મુંબઈ, ૧૯૬૮, પૃ. ૨૫-૨૬માં શ્રી અગરચન્ટ અને ભંવરલાલ નાહટાનો લેખ. ૨. જિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, પાલીતાણાથી સં. ૧૯૯૫માં પ્રકાશિત. Page #245 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૨ ૨૩ કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા કૃપાચન્દ્રના શિષ્ય જયસાગરસૂરિ છે. કૃતિના અંતે આપેલી પ્રશસ્તિમાં તેમણે પોતાનો જન્મ સં. ૧૯૪૩, દીક્ષા સં. ૧૯૫૬, ઉપાધ્યાયપદ સં. ૧૯૭૬ અને આચાર્યપદ સં. ૧૯૯૦ પાલીતાણામાં જણાવેલ છે. પ્રસ્તુત કાવ્યની રચના સં. ૧૯૯૪માં ફાગણ સુદ ૧૩ના દિને પાલીતાણામાં કરવામાં આવી છે. - વીસમી સદીના ઉપાધ્યાય લબ્ધિમુનિએ પોતાના ગચ્છના પૂર્વાચાર્યોના ચરિત્ર ઉપર આઠ સંસ્કૃત કાવ્યો રચ્યાં છે. તે નીચે મુજબ છે : ૧. યુગપ્રધાન જિનચન્દ્રસૂરિ (૬ સર્ગ, ૧૨૧૨ શ્લોક) સં. ૧૯૯૨ ૨. જિનકુશલસૂરિચરિત (૬૩૩ શ્લોક) સં. ૧૯૯૬ ૩. મણિધારી જિનચન્દ્રસૂરિ (૨૦૧ શ્લોક) સં. ૧૯૯૮ ૪. જિનદત્તસૂરિચરિત્ર (૪૬૮ શ્લોક) સં. ૨૦૦૫ ૫. જિનરત્નસૂરિચરિત્ર સં. ૨૦૧૧ ૬. જિનયશ સૂરિચરિત્ર સં. ૨૦૧૨ ૭. જિનઋદ્ધિસૂરિચરિત્ર સં. ૨૦૧૪ ૮. મોહનલાલજી મહારાજ સં. ૨૦૧૫ પ્રભાવક આચાર્યોની જેમ જ જૈનધર્મના પોષક અને સંવર્ધક રાજાઓ, મંત્રીઓ, ધની શેઠ-શાહૂકારો અને શ્રાવકોનાં ચરિતોને પણ જૈન કવિઓએ પોતાનાં કાવ્યોના વિષય બનાવ્યાં છે. તેમાંથી કેટલાંક કાવ્યોનો પરિચય આપીએ છીએ. કુમારપાલચરિત ગુજરાતના ચૌલુક્ય રાજા કુમારપાળ આમ તો શૈવધર્મી હતા પરંતુ આચાર્ય હેમચન્દ્ર અને તત્કાલીન અનેક જૈન ધનિકો અને વિદ્વાનોના કારણે તેમણે જૈનધર્મ અને સિદ્ધાન્તોને સમજવામાં, તેમનું અનુસરણ કરવામાં અને તેમનો પ્રચાર કરવામાં ઘણો જ ફાળો આપ્યો હતો. જૈન વિદ્વાનોએ તેમના ચરિત ઉપર મહાકાવ્ય, લઘુકાવ્ય, નાટક, પ્રબંધ, કથાગ્રંથ વગેરે રચ્યાં છે. તેમાંથી અનેક સમકાલિક હોવાથી ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને ઉત્તરકાળે શ્રોતાઓની રુચિ ૧. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થમાં આ રચનાઓનો ઉલ્લેખ છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ વધારવા માટે અને અહિંસા આદિનું મહત્ત્વ દર્શાવવા માટે કેવળ ધાર્મિક કાવ્યોના રૂપમાં રચાયેલાં છે જેમાં ચિત્તવિસ્મયોત્પાદક વાતો પણ સમાવિષ્ટ કરવામાં આવી 9. જૈન કાવ્યસાહિત્ય સમકાલિક વિશાલ રચનાઓમાં સૌપ્રથમ કુમારપાલ તથા તેમના વંશનું વર્ણન કરનારું ચરિત્ર હેમચન્દ્રાચાર્યકૃત દ્યાશ્રયમહાકાવ્ય (૧૦ સર્ગ સંસ્કૃત અને ૮ સર્ગ પ્રાકૃત)માં મળે છે. તેનું વિવેચન ઐતિહાસિક અને શાસ્ત્રીય મહાકાવ્યોના નિરૂપણમાં કરીશું. બીજું ચરિત્ર કુમારપાલપ્રતિબોધ છે, તે પ્રધાનતઃ કથાકોશ જ છે. તેનો પરિચય કથાકોશોના પ્રસંગમાં દઈશું. ઉત્તરકાલીન લઘુ રચનાઓનો સંગ્રહ મુનિ જિનવિજયજીએ ‘કુમારપાલચરિત્રસંગ્રહ'' નામે પ્રકાશિત કરાવી દીધો છે. તેમના સિવાય પંદરમી સદીના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં બે મોટી રિતકૃતિઓ પણ રચવામાં ‘આવી છે. તેમાં કુમારપાલભૂપાલચરિતની રચના મહેન્દ્રસૂરિના શિષ્ય જયસિંહસૂરિએ ૧૦ સર્ગો (અને ૬૦૫૩ શ્લોકોમાં) કરી છે. આ કાવ્યમાં ઐતિહાસિક અને પૌરાણિક બન્ને શૈલીઓનું સમ્મિશ્રણ થયું છે. પૌરાણિક શૈલીનાં મહાકાવ્યોની જેમ તેના પ્રારંભમાં નાયકની વંશપરંપરાનું વર્ણન તથા અંતિમ સર્ગમાં કુમારપાલના પૂર્વભવોનું વર્ણન આપ્યું છે. સ્થળે સ્થળે જૈનધર્મનો ઉપદેશ વિદ્યમાન છે. આ ઉપદેશોમાં અનેક અવાન્તર કથાઓ ગર્ભિત છે. મૂલ કથાનકમાં હેમચન્દ્ર અને કુમારપાલ સંબંધી અનેક અલૌકિક અને અતિપ્રાકૃતિક ઘટનાઓની યોજના કરવામાં આવી છે. સંભવતઃ હેમચન્દ્રના મૃત્યુ પછી તેમના વિશે અનેક અલૌકિક, ચમત્કારપૂર્ણ ઘટનાઓ શ્રદ્ધાળુઓમાં ફેલાઈ ગઈ હશે અને આ કિંવદન્તીઓનો ઉપયોગ કવિએ પોતાના આ કાવ્યનિર્માણમાં કર્યો હશે. આ કાવ્યમાંથી પ્રાપ્ત ઐતિહાસિક તથ્યોનું વર્ણન ઐતિહાસિક કાવ્યોના પ્રસંગે કરીશું. કાવ્યત્વની દૃષ્ટિએ કર્તાએ કુમારપાલભૂપાલચરિતને ઘટનાપ્રધાન કાવ્ય બનાવી દીધું છે. તેથી તેમાં વિવિધ રસોનો સારો પરિપાક મળે છે. કાવ્યની ભાષા સરળ અને પ્રવાહી છે. તેમાં દેશી ભાષાથી પ્રભાવિત શબ્દોનો પ્રયોગ અધિક થયો છે. તેમાં અલંકારોનો પ્રયોગ ઓછો થયો છે, તેમ છતાં સાદૃશ્યમૂલક ઉપમા, ઉત્પ્રેક્ષા ૧. સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૪૧, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, ૧૯૫૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૯૨; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૫; ગોડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ, ૧૯૨૬. Page #247 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય અને અર્થાન્ત૨ન્યાસ તો જ્યાંત્યાં જોવા મળે છે. અનુષ્ટુલ્ છંદોનો જ અધિક પ્રયોગ થયો છે. કેવળ ૧૧૬ શ્લોકો વિવિધ છંદોમાં છે. કુમારપાલભૂપાલચરિતના અંતે આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેના કર્તા જયસિંહસૂરિ છે, તે કૃષ્ણર્ષિગચ્છના હતા. પ્રશસ્તિમાં ગુરુપરંપરા પણું આપી છે. તે મુજબ કૃષ્ણર્ષિગચ્છમાં જયસિંહસૂરિ પ્રથમ થયા જેમણે સં. ૧૩૦૧માં મરુભૂમિમાં મન્ત્રના પ્રભાવથી વરસાદ લાવીને સંઘને નવજીવન આપ્યું. તેમના શિષ્ય પ્રસન્નચન્દ્ર થયા. તેમના શિષ્ય મહેન્દ્રસૂરિ થયા. મહેન્દ્રસૂરિનું સમ્માન બાદશાહ મુહમ્મદશાહે કર્યું હતું. પ્રસ્તુત કાવ્યના કર્તા જયસિંહસૂરિ (દ્વિતીય) તેમના શિષ્ય હતા. આ જયસિંહસૂરિના જ શિષ્ય નયચન્દ્રસૂરિ હતા જેમણે હમ્મીરમહાકાવ્ય જેવી ઐતિહાસિક કૃતિની રચના કરી હતી. નયચન્દ્રસૂરિએ ઉક્ત મહાકાવ્યની પ્રશસ્તિમાં જયસિંહસૂરિને ષટ્લાષાચક્રી સારંગને (હમ્મીરના રાજપંડિતને) હરાવનાર તથા ન્યાયસારટીકાના કર્તા તથા નવ્યવ્યાકરણના કર્તા માન્યા છે. આ જયસિંહસૂરિ હમ્મીરમદમર્દનના કર્તાથી જુદા છે. પ્રસ્તુત ચરિત વિ.સં.૧૪૨૨માં સમાપ્ત થયું હતું. ૨૨૫ પંદરમી સદીના ઉત્તરાર્ધનું કાવ્ય છે કુમારપાલપ્રબન્ધ. આ ગદ્યપદ્યમિશ્રિત રચના છે. તેને જિનમંડનગણિએ વિ.સં.૧૪૯૨માં પૂરી કરી હતી. તેમણે પોતાની આ કૃતિની સામગ્રી મુખ્યપણે પ્રબન્ધચિન્તામણિ અને કુમાલપાલભૂપાલચરતમાંથી લીધી છે અને કુમારપાલભૂપાલચિરતમાંથી તો ઉલ્લેખ કર્યા વિના અનેક પદ્યો ખુલ્લંખુલ્લા ઉઠાવ્યાં છે, યદ્યપિ પ્રસ્તુત કૃતિ ગદ્યમાં છે. ઉક્ત બે કૃતિઓ સિવાય જિનમંડને પ્રભાવકચરિત અને એક પ્રાકૃત કૃતિનો પણ ઉપયોગ કર્યો છે. કુમારપાલપ્રબંધ સાથે આ પ્રાકૃત કૃતિને મેળવી શકાઈ નથી. જિનમંડને મોહરાજપરાજ્યનો સાર પણ આપ્યો છે અને એવું સમજી લીધું છે કે ઉક્ત નાટક સાથે સંબદ્ધ ઘટના જાણે કે વાસ્તવમાં ઘટી હતી. જયસિંહસૂરિએ એને પહેલાં જ સારરૂપે આપેલ છે અને સંભવતઃ જયસિંહસૂરિની કૃતિમાંથી આમાં નકલ કરવામાં આવી છે. હકીકતમાં, જિનમંડનની આ રચના ઉપર નિર્દિષ્ટ કૃતિઓમાંથી ચૂંટેલા અંશોનો શિથિલ સંગ્રહ છે. એમ તો એક ઈતિહાસલેખક પણ નિઃસંદેહ ૧. શ્રી વિમરૃપાત્ દ્વિ દ્વિ મન્વન્કે (૧૪૨૨)ઽયમગાયત્ । ग्रन्थः ससप्तत्रिशती षट् सहस्राण्यनुष्टुभाम् ॥ ૨. જિનરત્નકોશ, પૃ. ૯૩; આત્માનન્દ જૈન સભા, ગ્રન્થાંક ૩૪, ભાવનગર, સં. ૧૯૭૧ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જૈન કાવ્યસાહિત્ય પોતાની સામગ્રી વિભિન્ન સ્રોતોમાંથી એકત્ર કરે છે, પરંતુ જિનમંડનમાં ગુણદોષવિવેકની યોગ્યતાનો અભાવ છે અને તેમના શ્રમનું ફળ તે બધી જ ત્રુટિઓથી ભરેલું છે જે ત્રુટિઓ અવિશ્વસનીય સ્રોતોથી એકઠી કરેલી સામગ્રીના સંગ્રહમાં હોય છે. આ કાવ્યમાં હેમચન્દ્રના વિશે કેટલીક કલ્પિત વાતો કહેવામાં આવી છે. જેમકે પહેલી હેમચન્દ્રસૂરિના સંગીતજ્ઞાનની, બીજી હેમચન્દ્રસૂરિના અજૈન શાસ્ત્રોના નક્કર જ્ઞાનની, ત્રીજી હેમચન્દ્રસૂરિએ પશુબલિદાનના અનૌચિત્યને કેવી રીતે સિદ્ધ કર્યું તેની, ચોથી હેમચન્દ્રના પ્રશંસકોને રાજા તરફથી બક્ષિસો મળતી હતી તેની." - આ કાવ્યના કર્તા જિનમંડનગણિ તપાગચ્છના પ્રભાવક આચાર્ય સોમસુદરસૂરિના શિષ્ય હતા. તેમણે આ કાવ્યની રચના સં. ૧૪૯૧-૯૨માં કરી હતી. તેમની બીજી રચનાઓ છે ધર્મપરીક્ષા અને શ્રાદ્ધગુણસંગ્રહવિવરણ (સં. ૧૪૯૮). , વસ્તુપાલ-તેજપાલચરિત ગુજરાતના વાઘેલાવંશીય રાજા વિરધવલના બે સહોદર મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલની કીર્તિગાથાઓ ઉપર તેમના સમકાલમાં અને ઉત્તરકાલમાં જેટલાં કાવ્ય, નાટક, પ્રબંધ અને પ્રશસ્તિઓ વગેરે લખવામાં આવ્યાં છે તેટલાં ભાગ્યે જ ભારતના કોઈ અન્ય રાજપુરુષ માટે લખાયાં હશે. તેમાં અનેક તો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને કેટલાંક શાસ્ત્રીય મહાકાવ્યોના રૂપમાં છે. અને તેમનું વિવેચન તે પ્રસંગોએ કરીશું. તેમનાં ધાર્મિક કાર્યોનું વર્ણન કરવા માટે સમકાલિક આચાર્ય ઉદયપ્રભે ધર્માલ્યુદયકાવ્ય અપરનામ સંઘપતિચરિત રચ્યું છે. આ એક પ્રકારનો કથાકોશ છે, તેથી તેનો પરિચય કથાકોશોના પ્રસંગમાં કરીશું. આ બંને મંત્રીભાઈઓના ચરિત્ર ઉપર ઉત્તરકાળે (અર્થાત ૨૦૦ વર્ષ પછી) એક સ્વતંત્ર રચના જિનહર્ષગણિકત વસ્તુપાલચરિત (સં. ૧૪૪૧) મળે છે. તેમાં વસ્તુપાલ-તેજપાલ સંબંધી ઉપલબ્ધ પૂર્વ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આની વિશેષ ચર્ચા ઐતિહાસિક કાવ્યોમાં કરીશું. વિમલમંત્રિચરિત આમાં ગુજરાતના ચૌલુક્ય ભીમ (પ્રથમ)ના નગરશેઠ અને પ્રધાન સેનાપતિ વિમલશાહ પોરવાડ (વિ.સં.૧૧મી સદીનો પૂર્વાર્ધ)નાં ધાર્મિક કાર્યોનું વર્ણન છે. ૧. કુમારપાલપ્રબંધ, પૃ. ૩૭, ૪૭, ૪૯. Page #249 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય કર્તા અને રચનાકાળ આની રચના પંડિત ઈન્દ્રહંસગણિએ સં. ૧૫૭૮માં કરી હતી. તેની રચનાનો આધાર આચાર્ય લાવણ્યવિજય દ્વારા સં. ૧૫૬૮માં ગુજરાતીમાં નિર્મિત વિમલપ્રબંધ છે. પરંતુ પ્રસ્તુત કાવ્યના કર્તાએ અન્ય બીજી સામગ્રીનો ઉપયોગ પણ આમાં કર્યો છે. વિમળશાહ સંબંધી જે પુરાણી પ્રશંસાઓ અજ્ઞાતપ્રાય છે અને જે કેટલીક પ્રશસ્તિઓમાં અવશિષ્ટ છે તેમાંથી કેટલીકનો ઉપયોગ કવિએ પ્રસ્તુત કૃતિમાં કર્યો છે. - વિમલ મંત્રી પર સં. ૧૫૭૮માં સૌભાગ્યનન્દિ દ્વારા વિરચિત કૃતિ નો પણ ઉલ્લેખ મળે છે. આનો પણ આધાર લાવણ્યસમયનો ગુજરાતી ગ્રન્થ છે. ૨૨૭ વિમલ મંત્રી ઉપર રચાયેલી આ કૃતિઓ સમસામયિક નથી, તેથી તેમનું ઐતિહાસિક મહત્ત્વ વિચારણીય છે. જગડૂચરિત આ કાવ્યમાં ૧૩-૧૪મી સદીમાં થયેલા પ્રસિદ્ધ જૈન શ્રાવક જગશાહનું ચરિત નિરૂપાયું છે. આ લઘુકાવ્યમાં ૭ સર્ગ છે અને કુલ ૩૮૮ શ્લોક છે. કાવ્યમાં જગડૂનાં અનેક ધાર્મિક કાર્યો તથા તેની પરોપકારિતાનું વર્ણન છે. તેમાં અનેક ઐતિહાસિક પ્રસંગો આવે છે, તેની ચર્ચા અન્યત્ર કરીશું. કવિપરિચય અને રચનાકાળ કાવ્યના પ્રત્યેક સર્ગના અન્તે આપેલી પુષ્ટિકામાંથી જાણવા મળે છે કે તેના કર્તા ધનપ્રભસૂરિના શિષ્ય સર્વાનન્દ હતા. કાવ્યના અંતે એવી કોઈ પ્રશસ્તિ નથી આપી જેમાંથી કવિનો વિશેષ પરિચય અને રચનાનો કાળ જાણી શકાય. તો પણ કાવ્યના પ્રારંભમાં કવિએ લખ્યું છે કે ‘ગુરુનાં વચનોનું સ્મરણ કરીને હું જગડૂના ઉત્તમ ચિરતની રચના કરું છું'. આ ઉપરથી જણાય છે કે કવિ જગડૂના સમકાલીન તો નથી. તેમણે જગડૂનાં પાવન કાર્યોનું વિવરણ ગુરુના મુખે સાંભળ્યું હતું. સંભવતઃ કવિના ગુરુ ધનપ્રભસૂરિ - ૧. જિનરત્નકોશ, પૃ. ૩૫૮; હીરાલાલ હંસરાજ, જામનગર. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૫૮; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૬૦ ઉપર ટિપ્પણ. ૩. જિનરત્નકોશ, પૃ. ૧૨૮; મ. દ. ખખ્ખર, મુંબઈ, ૧૮૯૬માં પ્રકાશિત, Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જેન કાવ્યસાહિત્ય જગડૂના સમકાલીન રહ્યા હશે અને તેમણે જગનાં પુણ્યકાર્યોનો આંખે દેખ્યો અહેવાલ પોતાના શિષ્યને સંભળાવ્યો હશે જેનાથી પ્રભાવિત થઈને કવિએ આ કાવ્યની રચના તત્કાલ અર્થાત્ સાંભળ્યા પછી તરત (મૂલ ઘટના પછી ૩૦-૪૦ વર્ષ પછી) સં. ૧૩૫૦ લગભગ કરી હશે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ આ કાવ્યનો રચનાકાળ વિક્રમની ચૌદમી સદી માન્યો છે.' જગડૂશાહ ઉપર એક અન્ય કૃતિ જગડૂશાહપ્રબંધનો પણ ઉલ્લેખ મળે છે. સુકૃતસાગર આ આઠ સર્ગોનું લઘુકાવ્ય છે. તેમાં કુલ મળીને ૧૩૭૨ શ્લોક છે. તેમાં માંડવગઢ (માળવા)ના ચૌદમી સદીના પૂર્વાર્ધમાં થયેલા પ્રસિદ્ધ જૈન વણિક પેથડ (પૃથ્વીધર) અને તેમના પુત્ર ઝાંઝણનાં સુકૃત કાર્યોનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. આ બન્ને પિતાપુત્રનો પરિચય ઉપદેશતરંગિણીમાં તથા પૃથ્વીરપ્રબંધમાં પણ સંક્ષેપમાં આપવામાં આવ્યો છે. આ કાવ્ય પોતાના યુગની ધાર્મિક પ્રભાવના બતાવવા માટે બહુ જ ઉપયોગી છે. તે તત્કાલીન જૈન તીર્થોના મહત્ત્વનું પણ દિગ્દર્શક છે. પૃથ્વીપરપ્રબંધ તેને ઝાંઝણપ્રબંધ કે પેથડપ્રબંધ' પણ કહે છે. તેમાં ઉક્ત પૃથ્વીધર અને તેમના પુત્ર ઝાંઝણનાં ધાર્મિક કાર્યોનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ આ જ વિષયના કાવ્ય સુકૃતસાગરનું જ સંક્ષિપ્ત રૂપ છે. પ્રસ્તુત પ્રબંધ ગદ્યપદ્યમય છે. ઉપર્યુક્ત સુકૃતસાગર અને પ્રસ્તુત કૃતિની રચના તપાગચ્છીય નદિર–ગણિના શિષ્ય રત્નમંડનગણિએ કરી છે. રત્નમંડનગણિની અન્ય કૃતિઓ ઉપદેશતરંગિણી તથા ભોજપ્રબંધ (સં.૧૫૧૭) મળે છે. ૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૩૪ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૨૮ ૩. જિનરત્નકોશ, પૃ.૪૪૩; જૈન આત્માનન્દસભા, ઝળ્યાંક ૪૦, ભાવનગર, સં. ૧૯૭૧; તેના વિશેષ પરિચય માટે જુઓ – મો. દ. દેસાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૦૪-૪૦૬ તથા ચિમનલાલ ભાઈલાલ શેઠ, જૈનિઝમ ઈન ગુજરાત, પૃ. ૧૫૮ ૧૬ ૨. ૪. નાથુરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૭૦-૪૭૧ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૫૬; અહીં પેથડ નામ પેઇડ એમ અશુદ્ધ છપાયું છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક મહાકાવ્ય ૨૨૯ પેથડ અપરના પૃથ્વી પરના ચરિત્ર ઉપર ૧૬મી સદીના કવિ રાજમલે પણ પૃથ્વીરચરિત લખ્યું છે. નાભિનન્દનોદ્ધારપ્રબંધ આનું બીજું નામ શત્રુંજય મહાતીર્થોદ્ધારપ્રબંધ પણ છે. તેમાં ગુર્જરાતના પાટનગરના પ્રસિદ્ધ ઝવેરી સમરસિંહ અમરનામ સમરાશાહના પરિવારનું તથા તેમનાં ધાર્મિક કાર્યોનું સરસ વર્ણન કરવામાં આવ્યું છે. સાથે સાથે તેમણે સં. ૧૩૭૫માં શત્રુંજય તીર્થ ઉપર કરેલાં ઉદ્ધારકાર્યોનું પણ પ્રચુર વર્ણન છે. આ પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી કૃતિ છે, તેનું વિવેચન પછી કરીશું. કર્તા અને રચનાકાળ – આની રચના ઉપકેશગચ્છીય સિદ્ધસૂરિના પટ્ટધર શિષ્ય કક્કસૂરિએ સં. ૧૩૯૨માં કરી હતી. લગભગ તે જ સમયે સમરસિંહનો સ્વર્ગવાસ પણ થયો હતો. જાવડચરિત્ર અને જાવડપ્રબંધ જાવડ (૧૬મી સદીના મધ્ય) માળવાના માંડવગઢના ધનાઢ્ય વેપારી હતા અને સાથે સાથે માળવાના તત્કાલીન રાજા ગ્યાસુદીન ખિલજીના રાજ્યાધિકારી પણ હતા. ઉક્ત કાવ્યોમાં જાવડના સંધપતિત્વનું તેમ જ તેમની સામાજિક પ્રતિષ્ઠા અને ધર્મનિષ્ઠાનું વર્ણન છે. જાવડ શ્રીમાલભૂપાલ અને લઘુશાલિભદ્ર કહેવાતા હતા. આ કાવ્યોના કર્તા કે રચનાકાળ વિશે કંઈ માહિતી મળતી નથી. જાવડનું ચરિત સર્વવિજયગણિએ સુમતિસંભવ નામના કાવ્યમાં વિસ્તારથી આપ્યું છે. આ કાવ્યનો રચનાકાળ સં. ૧૫૪૭થી ૧૫૫૧ વચ્ચે નિર્ધારિત કરવામાં આવ્યો છે. સંભવ છે કે ઉક્ત બન્ને કાવ્યો પણ લગભગ તે જ સમયની રચના હોય. કર્મવંશોત્કીર્તનકાવ્ય અકબરના સમયમાં બીકાનેરમાં કર્મચન્દ્ર મંત્રી ઓસવાળ જ્ઞાતિના મોટા શૂરવીર, બુદ્ધિશાળી અને દાનવીર પુરુષ થઈ ગયા. તે જૈન ભક્ત અને કુશળ રાજપ્રિય પુરુષ હતા. તેમની કીર્તિ રાજસ્થાનથી દિલ્હીના મુગલ દરબાર સુધી ૧. જિનરત્નકોશ, પૃ. ૨૧૦, ૩૭૨; પ્રકાશિત – હેમચન્દ્ર ગ્રન્થમાલા; મો. દ. દેસાઈ લિખિત જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૨૪-૪ર૭ અને ચિ. ભા. શેઠ લિખિત જૈનિઝમ ઈન ગુજરાત, પૃ. ૧૭૧-૧૮૦માં સમરસિંહનું ચરિત્ર વિસ્તારથી આપ્યું છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૩૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જેન કાવ્યસાહિત્ય ફેલાઈ હતી. તે ખરતરગચ્છના યુગપ્રધાન જિનચન્દ્રસૂરિનાં પ્રભાવનાકાર્યોમાં મોટા સહયોગી હતા. તેમના જીવન ઉપર સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લોકોનું ઉક્ત કાવ્ય ખરતરગચ્છની ક્ષેમશાખાના પ્રમોદમાણિક્યના શિષ્ય જયસોમ ઉપાધ્યાયે સં. ૧૯૫૦માં વિજયાદશમીના દિવસે લાહોરમાં રચ્યું છે. આ એક સમકાલિક રચના છે. આ કાવ્ય ઉપર તેમના જ શિષ્ય ગુણવિજયે સં. ૧૬પપમાં સંસ્કૃત વ્યાખ્યા લખી છે અને તે જ વર્ષમાં આ કાવ્યનો ગુજરાતી પદ્યાનુવાદ પણ કર્યો છે. ક્ષેમસૌભાગ્યકાવ્ય આ કાવ્યને પુણ્યપ્રકાશ પણ કહે છે. તેમાં મંત્રી ક્ષેમરાજનાં પુણ્યકાર્યોનું વર્ણન છે. તપાગચ્છના આનન્દકુશલના શિષ્ય રત્નકુશલે સં. ૧૯૫૦માં આ કાવ્યની રચના કરી છે. તેને ખીમસૌભાગ્યાખ્યુદય નામે પણ ઓળખવામાં આવે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૭૧; આનો સાર શ્રી દેસાઈએ પોતાના જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં પૃ. ૫૭૧-૫૭૫ ઉપર આપ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૦૦ ૩. આની હસ્તપ્રત વિજયધર્મસૂરિ જ્ઞાનમંદિર, આગ્રામાં ઉપલબ્ધ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ પુરાણસાહિત્યની જેમ જ જૈનોનું કથાસાહિત્ય પણ ખૂબ સમૃદ્ધ છે. વેદો અને પાલિ ત્રિપિટકોની જેમ જૈનોના અર્ધમાગધી આગમ ગ્રન્થોમાં પણ નાનીમોટી બધા પ્રકારની કથા-વારતાઓ મળે છે. તેમાં દૃષ્ટાન્ત, રૂપક, સંવાદ અને લોકકથાઓ દ્વારા સંયમ, તપ અને ત્યાગનું વિવેચન કરવામાં આવ્યું છે. જૈનાગમો ઉપર લખાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાગ્રન્થોમાં તો અપેક્ષાકૃત વિકસિત કથાસાહિત્યનું દર્શન થાય છે. તેમાં ઐતિહાસિક, અર્ધેતિહાસિક, ધાર્મિક અને લૌકિક વગેરે કેટલીય જાતની કથાઓ સંગૃહીત છે. વળી, જૈનોએ કથાઓના જ પૃથક્ ગ્રન્થોની રચના પણ મોટી સંખ્યામાં કરી છે. પ્રકરણ ૩ કથાસાહિત્ય કથાના ભેદોનું નિરૂપણ કરતાં આગમોમાં અકથા, વિકથા, કથા એ ત્રણ ભેદ કરવામાં આવ્યા છે. તેમાં કથા ઉપાદેય છે, શેષ ત્યાજ્ય છે. ઉપાદેય કથાનાં વિભિન્ન રૂપોનું વર્ગીકરણ વિષય, શૈલી, પાત્ર અને ભાષાના આધારે કરવામાં આવ્યું છે. વિષયની દૃષ્ટએ કથાના ચાર પ્રકાર છે - અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા. ધર્મકથાના ચાર ભેદ કરવામાં આવ્યા છે – આક્ષેપિણી, વિક્ષેપિણી, સંવેદની અને નિર્વેદની. જૈનાચાર્યોએ અધિકતર આ ચારેને ઉપાદેય માની છે. મિશ્રકથામાં મનોરંજક અને કૌતુવર્ધક બધી જ જાતનાં કથાનકો હોય છે. જૈન કથાકારોએ આ પ્રકારને પણ પ્રશંસનીય ગણ્યો છે. પાત્રોના આધારે દિવ્ય, માનુષ અને મિશ્ર કથાઓ કહેવાય છે. ભાષાની દૃષ્ટિએ સંસ્કૃત, પ્રાકૃત અને મિશ્ર રૂપમાં કથાઓ લખાઈ છે અને આ ત્રણે પ્રકારોને ખૂબ અપનાવવામાં આવેલ છે. આ જ રીતે શૈલીની દૃષ્ટિએ સકલકથા, ખંડકથા, ઉલ્લાવકથા, પરિહાસકથા અને સંકીર્ણકથા એમ પાંચ પ્રકારની કથા માનવામાં આવી છે. અહીં આ બધીનું વિસ્તારથી વિવેચન સંભવ નથી પરંતુ આ બધા પ્રકારોમાં મિશ્ર યા સંકીર્ણ નામના પ્રકારમાં અનેક તત્ત્વોનું મિશ્રણ હોવાથી તેમાં જનમાનસનું અનુરંજન કરવાની ક્ષમતા અધિક હોય છે. તે ગદ્યપદ્યમિશ્રિત તથા પ્રાકૃત-સંસ્કૃત મિશ્ર રૂપમાં પણ રચાઈ છે. જેમ આજ કથાસાહિત્યમાં પ્રયોજન, કથાનક, પાત્ર, અને શૈલી એ ચાર મૂળ તત્ત્વ છે તેમ કથાઓના ઉપર્યુક્ત ભેદોમાં આ તત્ત્વોનું દર્શન સુદૂર અતીતના સાહિત્યમાં પણ થઈ શકે છે. આજના કથાસાહિત્યનું પ્રયોજન કેવળ લોકચિનું Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨. જૈન કાવ્યસાહિત્ય મનોરંજન કરવાનું જ માત્ર નથી પરંતુ પાઠકો માટે કોઈ વિચારદર્શન પ્રસ્તુત કરવાનું પણ છે, તેવી જ રીતે જૈન કથાઓનું પ્રયોજન પણ જૈન આચાર-વિચાર અર્થાત્ કર્મવાદ તથા સંયમ, વ્રત, ઉપવાસ, દાન, પર્વ, તીર્થ આદિનું માહાભ્ય પ્રકટ કરવાનું છે. જો કે આ દૃષ્ટિએ જૈન કથાઓ આદર્શોનુખી છે પરંતુ તેમ હોવા છતાં પણ તે જીવનની વાસ્તવિક ભૂમિ ઉપર ખડી છે, તેથી તે કથાઓમાં સામાજિક જીવનનાં વિવિધ પાસાંઓનું દર્શન થાય છે. કથાનકની દષ્ટિએ આ કથાઓનું ક્ષેત્ર ઘણું વ્યાપક છે. તેમાં નીતિકથા, લોકકથા, પ્રાણિકથા, પક્ષિકથા, ભાવાત્મક ધ્વનિકથા, ધર્મકથા, પુરાતનકથા, દેવતકથા, દષ્ટાન્તકથા, પરીકથા, કલ્પિતકથા, વગેરે બધી જાતની કથાઓને સ્થાન મળ્યું છે. જો કે અધિકાંશ જૈન કથાનકો ઘટનાબહુલ છે છતાં તેમને ઘટનાપ્રધાન નહીં કહી શકાય. તેમનું પ્રયોજન પાત્રોની ચરિત્રગત વિશેષતાઓને ઉપસાવીને પાઠકને એક નિશ્ચિત લક્ષ્ય પહોંચાડવાનું છે. કથાનકોની જેમ જૈન કથાસાહિત્યનાં પાત્રોનું ક્ષેત્ર પણ ઘણું વ્યાપક છે. તેમાં રાજાથી રંક, બ્રાહ્મણથી ચાંડાલ, શાહુકારથી ચોર, પતિવ્રતાથી વેશ્યા સુધીના બધા જ વર્ગોનાં પાત્રો સમાવિષ્ટ છે. પુરુષ, સ્ત્રી, દેવ, યક્ષ, કિન્નર, વિદ્યાધર, મુનિ, બાલ, વૃદ્ધ, યુવા અને ત્યાં સુધી કે પશુ-પક્ષી પણ પાત્રના રૂપમાં વિદ્યમાન છે. આજના વાર્તાકારનું પ્રયોજન પોતાનાં પાત્રોનું ચારિત્રિક વિશ્લેષણ કરવાનું છે. તે તેમના માનસિક અત્તર્લૅન્ડને દર્શાવે છે, તેમના ચારિત્રિક મનોવિજ્ઞાનનું અધ્યયન રજૂ કરે છે અને તેમનાં અન્તર્તમ ગૂઢ રહસ્યોને પ્રગટ કરે છે પરંતુ પ્રાચીન કથાઓની જેમ જૈન કથાઓમાં પણ પાત્રો કેવળ નિમિત્ત છે. જૈન કથાઓમાં પાત્રોનું સર્જન વાસ્તવમાં બુરાઈનું ફળ બુરાઈ અને ભલાઈનું ફળ ભલાઈ છે એ દર્શાવવા કરવામાં આવ્યું છે. શૈલીની દૃષ્ટિએ પણ આધુનિક અને પ્રાચીન કથાઓ વચ્ચે મોટું અંતર છે. આજની કથાઓમાં વિભિન્ન શૈલીઓ દેખાય છે. ક્યાંક તેઓ કલાત્મક છે, તો ક્યાંક આત્મચરિત્રાત્મક શૈલીમાં છે તો ક્યાંક વળી અન્ય પ્રકારની શૈલીમાં છે. પરંતુ પ્રાચીન કથાઓની જેમ જૈન કથાઓ પણ ઈતિવૃત્તાત્મક શૈલીમાં અધિક છે, જેમકે અમુક નગરમાં અમુક રાજા કે વ્યક્તિ રહેતી હતી. અહીં અમે જૈન કથાસાહિત્યનાં કેટલાંક અમૂલ્ય રત્નો - કૃતિઓનો પરિચય આપીએ છીએ. એમ તો જૈન પુરાણોમાં ભારતીય કથાસાહિત્યનાં એવાં અનેક રત્નો મળ્યાં છે જે અન્યત્ર દુર્લભ છે, તો પણ પૃથક્ રૂપે અનેક પ્રકારની મોટી કૃતિઓ અને લઘુ કથાઓના સંગ્રહો બહુ સંખ્યામાં મળે છે. અહીં નિરૂપણક્રમમાં સૌપ્રથમ અમે તે કથાકોશોનો પરિચય આપીએ છીએ Page #255 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૩૩ જે આગમો, ચૂર્ણિઓ, ટીકાઓની પરંપરાને અનુસરી પ્રાચીન આદર્શોને દર્શાવનારી કથાઓના સંગ્રહો છે. તેમાં આવેલી અનેક કથાઓ પરવર્તી અનેક સ્વતંત્ર રચનાઓનો આધાર છે. ત્યાર પછી અમે તે મુખ્ય કથાગ્રન્થોનું વર્ણન કરીશું જે ધર્મ-અર્થ-કામ પુરુષાર્થોનું એક સાથે પ્રતિપાદન કરવામાં સક્ષમ છે અને પોતાની અંદર એક વિશાલ કથાજાલ ધરાવે છે. ક્રમમાં તે પછી નીતિકથા અર્થાત દાન, શીલ, અહિંસા આદિ વ્રતો, પર્વો, તીર્થો વગેરે સંબંધી કથાઓને વર્ણવી કલ્પિતકથા, લોકકથા અને પ્રાણિકથા વગેરે ઉપર ઉપલબ્ધ રચનાઓનું વિવેચન કરીશું. ઔપદેશિક કથાસંગ્રહ જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ ભાગ ૪માં આપણે જોઈ ગયા છીએ કે આગમિક પ્રકરણોનો ઉદ્દભવ અને વિકાસ કેવી રીતે થયો છે. અમે પ્રારંભમાં કહી ગયા છીએ કે ચરણકરણાનુયોગવિષયક સાહિત્ય ધર્મોપદેશ યા ઔપદેશિક પ્રકરણોના રૂપમાં ઉદ્દભૂત અને વિકસિત થયું છે. ધર્મોપદેશમાં સંયમ, શીલ, તપ, ત્યાગ અને વૈરાગ્ય વગેરે ભાવનાઓને મુખ્ય દર્શાવવામાં આવી છે. તેમનો ઉપદેશ કોમલમતિ શ્રોતાઓને કરવાને માટે કથાઓનું સરસ માધ્યમ પસંદ કરવામાં આવ્યું છે. પ્રવચનના પ્રારંભમાં પ્રવચનકાર જૈન સાધુ કેટલાક શબ્દો કે શ્લોકોમાં પોતાની ધર્મદેશનાનો પ્રસંગ દર્શાવે છે અને પછી એક લાંબી મનોરંજક વાર્તા કહેવી શરૂ કરે છે જેમાં અનેક રોમાંચક ઘટનાઓ બને છે અને અનેક વાર એક કથામાંથી બીજી કથાઓ ફૂટી નીકળે છે. આમ આ ઔપદેશિક પ્રકરણો અત્યન્ત મૂલ્યવાન કથાસાહિત્યથી ભરપૂર છે જેમાં દરેક જાતની કથાઓ – રમન્યાસ, ઉપન્યાસ, દૃષ્ટાન્તકથા, પ્રાણિકથા, નીતિકથા, પુરાણકથાઓ, પરીકથાઓ, લોકકથાઓ અને નાનાવિધ કૌતુકકથાઓ તથા અદ્ભુતકથાઓ મળે છે. જૈનોએ આ પ્રકારના વિશાળ ઔપદેશિક કથાસાહિત્યનું નિર્માણ કર્યું છે. જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસના ચોથા ભાગમાં ધર્મોપદેશપ્રકરણ અંતર્ગત જે ઉપદેશમાલા, ઉપદેશપ્રકરણ, ઉપદેશરસાયન, ઉપદેશચિન્તામણિ, ઉપદેશકન્દલી, ઉપદેશતરંગિણી, ભાવનાસાર વગેરે ૫૦-૬૦ રચનાઓ સંક્ષિપ્ત વિવરણ સાથે આપી છે તે અધિકાંશ ટકા અને વૃત્તિના રૂપમાં જૈન કથાઓના સંગ્રહો જ છે. ઉદાહરણ તરીકે ધર્મદાસગણિકૃત ઉપદેશમાલાપ્રકરણને લો. તેના ઉપર ૧૦મી સદીથી ૧૮મી સદી સુધીમાં લગભગ ૨૦ સંસ્કૃત ટીકાઓ લખાઈ છે. તેની ૫૪૨ ગાથાઓમાં દષ્ટાન્તસ્વરૂપ ૩૧૦ કથાનકોનો સંગ્રહ થઈ ગયો છે. તેવી જ રીતે હરિભદ્રસૂરિના ઉપદેશપદ ઉપરની વિવૃતિઓમાં કથાઓની એક વિશાળ જાલ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જેન કાવ્યસાહિત્ય ગુંથાઈ છે. જો કે આ કથાઓ પ્રાચીન જૈન કૃતિઓમાંથી લેવામાં આવી છે તો પણ તેમને કહેવાની રીત નિરાળી છે. તે જ રીતે જયસિંહસૂરિ (વિ.સં.૯૧૫)કૃત ધર્મોપદેશમાલાવિવરણમાં ૧પ૬ કથાઓ સમાવવામાં આવી છે જે સંયમ, દાન, શીલ વગેરેના માહાભ્યને અને રાગદ્વેષ આદિ કુભાવનાઓનાં દુષ્પરિણામોને વ્યક્ત કરે છે. વિજયલક્ષ્મી (સં. ૧૮૪૩) કૃત ઉપદેશપ્રાસાદમાં સૌથી વધુ ૩૫૭ કથાનકો મળે છે. તેવી જ રીતે ઔપદેશિક કથા સાહિત્યના સારા સંગ્રહરૂપે જયકીર્તિની શીલોપદેશમાલા, મલધારી હેમચંદ્રની વિભાવના અને ઉપદેશમાલાપ્રકરણ, વર્ધમાનસૂરિનું ધર્મોપદેશમાલાપ્રકરણ, મુનિસુંદરનો ઉપદેશરત્નકાર, આસડની ઉપદેશકંદલી અને વિવેકમંજરીપ્રકરણ, શુભવર્ધનગણિની વર્ધમાનદેશના, જિનચન્દ્રસૂરિની સંવેગરંગશાલા તથા વિજયલક્ષ્મીનો ઉપદેશપ્રાસાદ છે. જો કે દિગંબર જૈન સાહિત્યમાં આવાં ઔપદેશિક પ્રકરણોની કમી છે જેના ઉપર કથાસાહિત્યનું નિર્માણ થયું હોય, છતાં કુન્દકુન્દના પ્રાભૂતની ટીકામાં, વટ્ટકેરના મૂલાચારની, શિવાર્યની ભગવતીઆરાધનાની તથા રત્નકરંડશ્રાવકાચાર વગેરેની ટીકાઓમાં ઔપદેશિક કથાઓના સંગ્રહો મળે છે. ઔપદેશિક કથાસાહિત્યને અનુસરી અનેક કથાકોશો અને કથાસંગ્રહોનું પણ નિર્માણ થયું છે. તેમાં હરિષણનો બૃહત્કથાકોશ પ્રાચીન છે. બૃહત્કથાકોશ – ઉપલબ્ધ કથાકોશોમાં આ સૌથી પ્રાચીન છે. તેમાં નાનીમોટી બધી મળીને કુલ ૧૫૭ કથાઓ છે. ગ્રંથપરિમાણ સાડા બાર હજાર શ્લોકપ્રમાણ છે.આ કથાઓમાં કેટલીક તો ચાણક્ય, શકટાલ, ભદ્રબાહુસ્વીમી, કાર્તિકેય વગેરે ઐતિહાસિક-રાજનૈતિક પુરુષો અને આચાર્ય સંબંધી છે, જો કે તેમનું પ્રયોજન ૧. ડા. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૪૯૦-પ૨૪. તેમાં ઉક્ત સાહિત્યની અનેક કથાઓની વિશેષતાનું આલેખન છે. ૨. જૈનધર્મ પ્રસારક સભા (ગં.સં. ૩૩-૩૬), ભાવનગરથી ૧૯૧૪-૨૩માં પ્રકાશિત ત્યાંથી જ ૫ ભાગોમાં ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. ૩. જિનરત્નકોશ, પૃ. ૨૮૩; ડૉ. આ. કે. ઉપાધ્ય દ્વારા સંપાદિત, સિધી જૈન ગ્રન્થમાલા, Jળ્યાંક ૧૭; ૧૨૨ પૃષ્ઠોમાં લખાયેલી તેની અંગ્રેજી ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. ૪. સદઐશૈદ્ધો તૂને વંશતવિર્તક (૧ર૦૦), પ્રશસ્તિ, પદ્ય ૧૬ . Page #257 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ઈતિહાસની અપેક્ષાએ આરાધના-સમાધિમરણનું મહત્ત્વ દર્શાવવાનું અધિક છે. તેમાં ૧૩૧મી કથા - ભદ્રબાહુ - માં બે વાતો એવી કહેવામાં આવી છે જે અન્ય કથાગ્રન્થો અને શિલાલેખોથી વિપરીત છે. આ કથા અનુસાર ભદ્રબાહુનું સમાધિમરણ ઉજ્જયિની નજીક આવેલા ભાદ્રપદ દેશ (સ્થાન)માં થયું હતું અને બાર વર્ષના દુકાળના સમયે જૈનસંઘને દક્ષિણ દેશમાં લઈ જનારા તેમના શિષ્ય ચન્દ્રગુપ્ત અપરનામ વિશાખાચાર્ય હતા. અન્ય કથાઓ અને લેખો અનુસાર ભદ્રબાહુ પોતે જ દક્ષિણ સંઘ સાથે ગયા હતા અને તેમનું સમાધિમરણ શ્રવણબેલ્ગોલના ચન્દ્રગિરિ પર્વત ઉપર થયું હતું. ચન્દ્રગુપ્ત તેમની સાથે ગયા હતા અને તેમનું નામ પ્રભાચન્દ્ર હતું. આમાં અન્ય દિગંબર કથાકાશોની જેમ સમન્તભદ્ર, અકલંક અને પાત્રકેસરીની કથાઓ આપવામાં આવી નથી. આ કથાકોશની પ્રશસ્તિમાં આઠમા શ્લોકમાં તેને ‘આરાધનોદ્ભુત' કહેવામાં આવેલ છે. તેથી જણાય છે કે આરાધના નામની કોઈ કૃતિમાં જે ઉદાહરણરૂપ કથાઓ હતી તેમને અહીં ઉદ્ધૃત કરવામાં આવી છે. આ હકીકતના સૂચનરૂપે જ્યાંત્યાં શિવાર્યની ભગવતીઆરાધનાનું નામ આપવામાં આવ્યું છે. આ કૃતિના વિદ્વાન સંપાદક ડૉ. આદિનાથ ને. ઉપાધ્યેનો મત છે કે પ્રસ્તુત કૃતિના કેટલાક અંશો સંભવતઃ કોઈ પ્રાકૃત કૃતિમાંથી સંસ્કૃતમાં અનૂદિત થયા છે કારણ કે તેમાં ઘણાં પ્રાકૃત નામો જેમના તેમ રહી ગયાં છે, જેમકે મેદજ્જ (મેતાર્ય), ભારહેવાસે (ભારતવર્ષે), વાણારસી (વારાણસી), વિજ્જુદાઢ (વિદ્યુíષ્ટ્ર) વગેરે. પંયા, વિકુવ્વણા વગેરે કેટલાય શબ્દો સંસ્કૃત રચનાઓમાં દુર્લભ છે, પરંતુ પ્રાકૃત રચનાઓમાં સુલભ છે. આ બધું જોતાં ‘આરાધનોદ્ભુત'નો અર્થ આરાધના નામની પ્રાકૃત કૃતિમાંથી જ ઉદ્ધૃત કરવામાં આવેલ કે લેવામાં આવેલ એવો હોવો જોઈએ. કર્તા અને રચનાકાલ કૃતિના અંતે આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કૃતિના કર્તા આચાર્ય હરિષેણ છે. પ્રશસ્તિમાં તેમની પરંપરા આપવામાં આવી છે. તે મુજબ પુન્નાટ સંઘમાં મૌનિભટ્ટારક, તેમના શિષ્ય હરિષણ (પ્રથમ), તેમના શિષ્ય ભરતસેન (જે અનેક શાસ્ત્રોના જ્ઞાતા તથા કોઈ કાવ્યના કર્તા હતા) અને તેમના શિષ્ય પ્રસ્તુત હરિષેણ (આ કૃતિના કર્તા) હતા. આ કૃતિની રચના કાઠિયાવાડના વઢવાણ (વર્ધમાનપુર) નામના શહેરમાં વિ.સં. ૯૫૫માં થઈ હતી. આ વઢવાણમાં શક સં. ૭૦૫ (વિ.સં.૮૩૦)માં પુન્નાટ સંઘના એક આચાર્ય જિનસેને હરિવંશપુરાણની રચના કરી હતી. સંભવતઃ હરિષેણ પણ તેમની પરંપરાના હોય; જો આપણને જિનસેન અને હરિષણના પરદાદાગુરુ મૌનિભટ્ટારક વચ્ચેની બેત્રણ પેઢીઓની જાણ થઈ જાય તો તેની સ્થાપના નિશ્ચિતપણે થઈ શકે. ૨૩૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જેન કાવ્યસાહિત્ય જિનસેનના હરિવંશની પ્રશસ્તિની જેમ જ આ કથાકોશની પ્રશસ્તિ પણ ઘણું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. તેમાં લખ્યું છે કે આ કથાકોશ તે સમયે રચાયો હતો જયારે વર્ધમાનપુર વિનાયકપાલના રાજ્યમાં શામિલ હતું અને તે રાજય શક્ર કે ઈન્દ્રના જેટલું વિશાળ હતું. આ વિનાયકપાલ પ્રતિહારવંશનો રાજા હતો અને તેના સામ્રાજ્યની રાજધાની કનોજ હતી. તે મહેન્દ્રપાલનો પુત્ર હતો અને પોતાના ભાઈઓ મહીપાલ અને ભોજ (દ્વિતીય) પછી ગાદી પર આવ્યો હતો. ઉક્ત કથાકોશની રચનાના લગભગ એક વર્ષ પહેલાંનું આ રાજાનું એક દાનપત્ર મળ્યું છે. આ કથાકોશ તત્કાલીન સંસ્કૃતિના અધ્યયનની દષ્ટિએ ઘણો ઉપયોગી છે. ચાર આરાધનાઓના મહત્ત્વને દર્શાવનારા કેટલાક બીજા કથાકોશો રચાયા છે. તેમાં પ્રભાચન્દ્ર, સિંહનદિ, નેમિચન્દ્ર અને બ્રહ્મદેવના સંસ્કૃતમાં છે જ્યારે છત્રસેનનો પ્રાકૃતમાં છે. અહીં બે કથા કોશોનો પરિચય પ્રસ્તુત છે. ૧. કથાકોશ – આમાં ચાર આરાધનાઓનું ફળ પ્રાપ્ત કરનાર ધર્માત્મા પુરુષોની કથાઓ આપવામાં આવી છે. આ કથાકોશ સરળ સંસ્કૃત ગદ્યમાં રચાયો છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત-પ્રાકૃત ઉદ્ધરણો આપવામાં આવ્યાં છે. તેની બધી કથાઓ શિવાર્યની ભગવતીઆરાધનાથી સંબદ્ધ છે. આ કથાકોશ “આરાધના-સત્કથાપ્રબંધ' પણ કહેવાય છે. કૃતિ બે ભાગોમાં વિભક્ત છે પરંતુ વિષય અને શૈલી ઉપરથી જણાય છે કે તે બન્ને ભાગ એક જ કર્તાએ પોતાના જીવનના પૂર્વ અને ઉત્તર ભાગમાં લખ્યા હતા. પહેલા ભાગમાં ૯૦ કથાઓ છે અને બીજા ભાગમાં ૩૨. - કર્તા અને રચનાકાળ – આ કથાકોશની રચના પરમાર નરેશ ભોજના ઉત્તરાધિકારી જયસિંહદેવના રાજ્યકાળમાં પ્રભાચન્દ્ર ધારાનગરમાં કરી છે. પહેલા ભાગના અંતે પોતાને પંડિત પ્રભાચન્દ્ર અને બીજા ભાગના અંતે ભટ્ટારક પ્રભાચન્દ્ર કહે છે. તેમનો સમય વિ.સં.૧૦૩૭થી ૧૧૧૨ સુધીનો મનાય છે. તેમની અન્ય ૧. વિનાથifપાના રાજ્યે શોપમાન ૪૩ / આ પદ્યની વિશેષ વ્યાખ્યા માટે જુઓ – ડૉ. ગુ. ચ. ચૌધરી, પોલિટિકલ હિસ્ટ્રી ઓફ નોર્ધર્ન ઈંડિયા, પૃ. ૪૪; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૨૨૦-૨૩ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૨; વિશેષ પરિચય માટે જુઓ – ડૉ. ઉપાધ્ય દ્વારા લિખિત બૃહત્કથાકોશની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૬૦-૬૧ (સિંધી જૈન ગ્રન્થમાલા, ૧૭). Page #259 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૩૭ કૃતિઓ છે : પ્રમેયકમલમાર્તડ, ન્યાયકુમુદચન્દ્ર, તત્ત્વાર્થવૃત્તિપદવિવરણ, શાકટાયનન્યાસ, શબ્દામ્ભોજભાસ્કર, પ્રવચનસારસરોજભાસ્કર, મહાપુરાણટિપ્પણ, રત્નકરંડટીકા, સમાધિતત્રટીકા, વગેરે. ૨. કથાકોશ – આ રચના સંસ્કૃત શ્લોકબદ્ધ છે. એક રીતે પ્રભાચન્દ્રકૃત ગદ્યાત્મક કથાકોશનું જ પદ્યાત્મક અને વિસ્તૃત રૂપાન્તર છે. તો પણ તેમાં પ્રભાચન્દ્રના કથાકોશની ૧૭ કથાઓ નથી અને નવી નવ કથાઓ ઉમેરવામાં આવી છે. પ્રભાચન્દ્રકૃત રત્નકરંડટીકામાં આપવામાં આવેલી કેટલીય કથાઓ સાથે આ કથાકોશની કથાઓ મળતી આવે છે. આમાં ૧૦૦થી વધારે કથાઓ છે. તેના કર્તા બ્રહ્મ. નેમિદત્ત છે. તેમનો સમય ૧૬મી સદીનો પ્રારંભ છે. તેમણે પોતાના ગુરુભાઈ મલ્લિષણ ભટ્ટારકના અનુરોધથી આ કથાકોશની રચના કરી હતી. કેટલાક કથાકોશો વિભિન્ન નામે મળે છે. કથાકોશપ્રકરણ – આ કૃતિ મૂળ અને વૃત્તિ બન્ને રૂપમાં છે. મૂળમાં કેવળ ૩૦ ગાથાઓ છે અને આ ગાથાઓમાં જે કથાઓનો ઉલ્લેખ છે તે જ કથાઓ પ્રાકૃત વૃત્તિના રૂપમાં ગદ્યમાં વિસ્તારથી આપવામાં આવી છે. તેમાં મુખ્ય કથાઓ ૩૬ અને ૪-૫ અવાન્તર કથાઓ છે. તેમાં ઘણી કથાઓ પ્રાયઃ પ્રાચીન જૈન કૃતિઓમાંથી લેવામાં આવી છે પરંતુ અહીં કથાકારે તેમને નવીન શૈલીમાં અને નવીન રૂપમાં રજૂ કરી છે. તેમાં કેટલીક કથાઓ કલ્પિત પણ છે, તેમનો નિર્દેશ કવિએ પોતે જ કર્યો છે. આ કૃતિની રચના સામાન્ય શ્રોતાઓને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. તેની પ્રારંભની ૭ કથાઓમાં જિનપૂજાનું ફળ, ૮મીમાં જિનસ્તુતિનું ફળ, ૯મીમાં સાધુસેવાનું ફળ, ૧૦-૨પમાં (આ ૧૬ કથાઓમાં) દાનનું ફળ, તેનાથી આગળ ત્રણ કથાઓમાં જૈનશાસનપ્રભાવનાનું ફળ, ૨ કથાઓમાં મુનિનિંદાનું કુફળ, એક ૧. જિનરત્નકોશ, પૃ. ૩૨; બૃહત્કથાકોશ, પ્રસ્તાવના, પૃ. ૬૨-૬૩; તેનો હિન્દી અનુવાદ ત્રણ ભાગોમાં જૈનમિત્ર કાર્યાલય, હીરાબાગ, મુંબઈથી વીર સં. ૨૪૪૦માં પ્રકાશિત થયો છે. ૨. સિંધી જૈન ગ્રન્થમાલા, સં. ૨૫; જિનરત્નકોશ, પૃ. ૬૪ 3. जिणसमयपसिद्धाइं पायं चरियाई हंदि एयाई। વયા જુદદ્દા જ પરિવથિયારું f / ગાથા ૨૬ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન કાવ્યસાહિત્ય કથામાં મુનિઅપમાનનિવારણનું સુફળ, એક કથામાં જિનવચનમાં અશ્રદ્ધાનું કુફળ, એક કથામાં ધર્મોત્સાહ પ્રદાન કરવાનું સુફળ, એક કથામાં ગુરવિરોધનું ફળ, એક કથામાં શાસનોન્નતિ કરવાનું ફળ તથા અંતિમ કથામાં ધર્મોત્સાહ પ્રદાન કરવાનું ફળ વર્ણવાયું છે. જો કે આ કથાકોશની કથાઓ પ્રાકૃત ગદ્યમાં લખાઈ છે તો પણ પ્રસંગે પ્રસંગે પ્રાકૃત પદ્યોની સાથે સંસ્કૃત અને અપભ્રંશ પદ્યો પણ મળે છે. ભાષાની દૃષ્ટિએ કથાઓ સરળ અને સુગમ છે. તેમાં વ્યર્થ શબ્દાડંબર અને દીર્ઘસમાસોનો અભાવ છે. કથાઓમાં જ્યાં ત્યાં ચમત્કાર અને કૌતૂહલનાં તત્ત્વો વિખરાયેલાં પડ્યાં છે. ધાર્મિક કથાઓમાં શૃંગાર અને નીતિનું સંમિશ્રણ પ્રચુરપણે થયું છે, પરિણામે મનોરંજકતા વિપુલ માત્રામાં આવી ગઈ છે. આ કથાઓમાં તત્કાલીન સમાજ, આચારવિચાર, રાજનીતિ વગેરેની સરસ સામગ્રી વિદ્યમાન છે.' કર્તા અને રચનાકાળ – આ કૃતિના આદિ અને અંત ઉપરથી જાણવા મળે છે કે તેના કર્તા જિનેશ્વરસૂરિ છે. તેમનું શ્વેતામ્બર સંપ્રદાયમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે શિથિલાચારગ્રસ્ત ચૈત્યવાસી યતિવર્ગ વિરુદ્ધ આંદોલન ચલાવી સુવિહિત યા શાસ્ત્રવિહિત માર્ગની સ્થાપના કરી હતી અને શ્વેતાંબર સંઘમાં નૂતન સ્કૂર્તિ અને નૂતન ચેતના ઉત્પન્ન કરી હતી. તેમના ગુરુનું નામ વર્ધમાનસૂરિ હતું અને ભાઈનું નામ બુદ્ધિસાગરસૂરિ હતું. તે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા હતા પરંતુ - ધારાનગરીના શેઠ લક્ષ્મીપતિની પ્રેરણાથી વર્ધમાનસૂરિના શિષ્ય બન્યા હતા. તેમની વિશાળ અને ગૌરવશાળી શિષ્ય પરંપરા હતી, તે પરંપરાને કારણે શ્વેતાંબર સમાજમાં નૂતન યુગનો ઉદય થયો. તેમની શિષ્ય પરંપરામાં નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિ, સંવેગરંગશાલાના સર્જક જિનચન્દ્રસૂરિ, સુરસુન્દરીકથાના કર્તા ધનેશ્વરસૂરિ, જયન્તવિજયકાવ્યના રચયિતા અભયદેવ (દ્વિતીય), પાસનાહચરિય અને મહાવીરચરિયના પ્રણેતા ગુણચન્દ્રસૂરિ અપરનામ દેવભદ્રસૂરિ વગેરે અનેક વિદ્વાન, શાસ્ત્રકાર, સાહિત્ય ઉપાસક થઈ ગયા છે. તેમના શિષ્યપ્રશિષ્યોએ તેમને યુગપ્રધાન બિરુદથી સંબોધ્યા છે. પ્રસ્તુત કથાકોશપ્રકરણ ઉપરાંત તેમણે રચેલી બીજી ચાર કૃતિઓ છે : પ્રમાલક્ષ્મ, નિર્વાણલીલાવતીકથા, ષટ્રસ્થાનકપ્રકરણ, પંચલિંગીપ્રકરણ. તે ચારમાંથી નિર્વાણલીલાવતીકથા (પ્રાકૃત) આજ સુધી અનુપલબ્ધ છે. ૧. ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૪૨૧-૪૩૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૩૯ આ કથાકોશપ્રકરણની રચના વિ.સં. ૧૧૦૮ મગશર વદ પાંચમ રવિવારે થઈ છે. ૧. કથાનકકોશ – આને કથાકોશ યા કથાકોશપ્રકરણ પણ કહેવામાં આવે છે. બૃહટ્ટિપ્પણિકા અનુસાર આ પ્રાકૃત કૃતિ છે અને તેમાં ૨૩૯ ગાથાઓ છે.' કર્તાએ પ્રારંભમાં એક ગાથામાં કહ્યું છે કે આ કોશમાં કેટલાક નવો અને દૃષ્ટાન્તકથાઓ કહેવામાં આવી છે જેમને સાંભળવાથી મુક્તિ સંભવે છે. ગાથાઓમાં કથાઓનો આકર્ષક નામોથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્યાંક ક્યાંક એક જ દૃષ્ટાન્તની એકથી વધુ કથાઓ આપવામાં આવી છે. દાખલા તરીકે પૂજાની ભાવના માત્રથી સ્વર્ગસુખની પ્રાપ્તિ થાય છે, તેના માટે ચોથી ગાથામાં જિનદત્ત, સૂરસેના, શ્રીમાલી અને રોરનારીનાં નામો દષ્ટાન્ત તરીકે આપ્યાં છે. પ્રથમ ૧૭ ગાથાઓમાં બધી કથાઓ જિનપૂજા અને સાધુદાનથી સંબંધિત છે. ગાથાઓ ઉપર ગદ્યપદ્યમિશ્રિત એક સંસ્કૃત ટીકા છે પણ તેમાં દાત્તકથાઓ પ્રાકૃતમાં આપવામાં આવી છે. કથાકારે તેમાં આગમવાક્યો તથા સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનાં કેટલાંક પદ્યોને ઉદ્ધત કર્યા છે. કર્તા અને રચનાકાળ – આ કથાકોશમાં કર્તાનું નામ આપ્યું નથી પરંતુ જિનવિજયજીના મતે વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિએ જ આ ગાથાઓ રચીને તેમની સાથે સંબદ્ધ કથાઓની રચના વર્તમાન રૂપમાં કરી છે. સંભવ છે કે તેમણે તેમાં પ્રાચીન સામગ્રી પણ જોડી દીધી હોય. બૃહથ્રિપણિકા અનુસાર તેનો સમય સં. ૧૧૦૮ છે. શ્રી દેસાઈ અનુસાર આ કૃતિ સં. ૧૦૮૨થી ૧૦૯૫ વચ્ચે રચાઈ છે. તેને આમ ૧૧મી સદીના ઉત્તરાર્થની રચના માની શકાય. ૨. કથાનકોશ – આ રચના ગદ્યપદ્યમયી છે. તેમાં ગદ્ય સંસ્કૃતમાં છે અને પદ્ય ક્યાંક સંસ્કૃતમાં અને ક્યાંક પ્રાકૃતમાં છે. આમાં શ્રાવકોનાં દાન, પૂજા, શીલ, ૧. જિનરત્નકોશ, પૃ. ૬૫ (II); ડૉ. આ. કે. ઉપાધ્ય, હરિષણના બૃહત્કથાકોશની ભૂમિકા, પૃ. ૩૯ ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૦૮; વિન્ટરનિટ્સે પોતાના ગ્રંથ હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૪૩માં આ કથાકોશનો સમય ઈ.સ.૧૦૯૨ આપ્યો છે, ભૂલથી અહીં સંવના સ્થાને સન્ માની લીધો લાગે છે. ૩. ૫. જગદીશલાલ શાસ્ત્રી દ્વારા સંપાદિત, મોતીલાલ બનારસીદાસ દ્વારા ૧૯૪૨માં પ્રકાશિત; જિનરત્નકોશ, પૃ. ૬૫ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન કાવ્યસાહિત્ય કષાયદૂષણ, ધૂત વગેરે ઉપર ૨૭ કથાઓનો સંગ્રહ છે. પ્રારંભમાં ધનદની કથા છે અને અત્તે નલની. આ કથાઓ કોઈ વિષયક્રમ અનુસાર રજૂ કરવામાં નથી આવી. કેટલાક વિષયો આગળ-પાછળ બે બે વાર આવ્યા છે પરંતુ કથાઓની પુનરાવૃત્તિ નથી થઈ. પ્રત્યેક કથાના આદિમાં એક પદ્ય આપવામાં આવ્યું છે, તેમાં કથાનું પ્રયોજન સૂચવવામાં આવ્યું છે. તે શૈલીમાં પંચતંત્ર અને હિતોપદેશનું અનુકરણ કરે છે. કર્તા અને રચનાકાળ – તેના કર્તાનું નામ આપવામાં નથી આવ્યું. બીજા કોઈ કથાકોશકારે પણ આ કથાકોશના કર્તાના નામનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ આ કથાકોશમાં કર્ક, અરિકેસરિત્ અને મમ્મણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ રાજાઓનો સમય કર્ણાટક રાજવંશાવલી અનુસાર ઈ.સ.૧૦મી-૧૧મી સદી છે. આ ઉલ્લેખો ઉપરથી ડૉ. સાલતોરે કલ્પના કરી છે કે આ કથાકોશની રચના ઈ.સ.ની ૧૧મી સદીના અન્તિમ ચતુર્થમાં થઈ હશે.' આ કૃતિની હસ્તપ્રતો અંબાલા અને જીરા નામના સ્થળો ઉપર મળી છે. તેમાં “ચીઠી' વગેરે હિન્દી ભાષાના શબ્દો મળતા હોવાથી એવું અનુમાન કરવામાં આવે છે કે લહિયાઓએ તેમાં આવશ્યક ફેરફારો કર્યા છે. તેની હસ્તપ્રતો વિ.સં.૧૮૫૯ પહેલાંની મળતી નથી. તેનો અંગ્રેજી અનુવાદ સી.એચ.ટૉનીએ કર્યો છે. તેનું મૂલ્યાંકન કરતાં તેમણે લખ્યું છે કે આ કથાઓ ભારતીય લોકકથાઓના યથાર્થ અંશો છે જેમને કોઈ જૈનાચાર્યે પોતાના ધર્મના અનુયાયીઓના ગૌરવગાનનું રૂપ આપીને પોતાની રીતે ફરીથી સંપાદિત કર્યા છે. કહારયણકોસ (કથા રત્નકોશ) – આ કથાકોશમાં ૫૦ કથાઓ છે, તે બે બૃહદ્ અધિકારોમાં વિભક્ત છે. પહેલા અધિકારનું નામ ધર્માધિકારી-સામાન્યગુણવર્ણન છે. તેમાં ૯ સમ્યક્તપટલની તથા ૨૪ સામાન્ય ગુણોની એમ કુલ ૩૩ કથાઓ છે. બીજા ધર્માધિકારી-વિશેષગુણ-વર્ણનાધિકારમાં બાર વ્રતો તથા વન્દન-પ્રતિક્રમણ વગેરે સાથે સંબંધ ધરાવતી ૧૭ કથાઓ છે. આ કથાઓનું પ્રયોજન એ દર્શાવવાનું છે કે સારો સાધુ અને સારો શ્રાવક તે જ છે જે પોતપોતાનાં વ્રતોમાં નિષ્ણાત ૧. જૈન એન્ટીક્વેરી, ભાગ ૪, સં. ૩, પૃ. ૭૭-૮૦ ૨. ઓરિએન્ટલ ટ્રાન્સલેશન ફંડ, ન્યૂ સિરિઝ, લંડન, ૧૮૯૫ ૩. આત્માનન્દ જૈન ગ્રંથમાળામાં મુનિ પુણ્યવિજયજી દ્વારા સંપાદિત, સન્ ૧૯૪૪માં પ્રકાશિત; ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૪૪૮-૪૪૫; જિનરત્નકોશ, પૃ. ૬૬ WWW.jainelibrary.org, Page #263 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય છે. સારો શ્રાવક બન્યા વિના કોઈ પણ સારો શ્રમણ નથી બની શકતો. જે અણુવ્રતોનું પાલન કરી શકે છે તે જ મહાવ્રતોનું પાલન કરી શકે છે. સુશ્રાવક હોવા માટે વ્યક્તિમાં સામાન્ય અને વિશેષ બંને ગુણ હોવા જોઈએ. સુશ્રાવકના સામાન્ય ગુણ ૩૩ છે જેમાં સમ્યગ્દષ્ટિ અને તેના આઠ અતિચાર, ધર્મમાં શ્રદ્ધા, દેવમંદિર અને મુનિસંઘની શ્રદ્ધાપૂર્વક સેવા કરવી અને કરુણા, દયા વગેરે માનવીય વૃત્તિઓનું પોષણ કરવું સમાવિષ્ટ છે. વિશેષ ગુણ ૧૭ છે જેમાં પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત, સંવરણ, આવશ્યક અને દીક્ષા સમાવિષ્ટ છે. આ ગુણોના મહત્ત્વને પ્રકાશિત કરનારી કથાઓ જ આ કથાકોશમાં આપવામાં આવી છે. આ કથાકોશ અધિકાંશ પ્રાકૃત પદ્યોમાં જ રચાયો છે, ક્યાંક ક્યાંક કેટલાક અંશો ગદ્યમાં પણ છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને અપભ્રંશ પઘો પણ આવે છે. કથાઓ દ્વારા ધાર્મિક અને ઔપદેશિક શિક્ષા આપવી એ જ આ કથાકોશનું પ્રધાન પ્રયોજન છે. કૃતિનું પરિમાણ ૧૨,૩૦૦ શ્લોકપ્રમાણ છે. આ કથાકોશની બધી કથાઓ રોચક છે. વન, ઉપવન, ઋતુ, રાત્રિ, યુદ્ધ, શ્મશાન, રાજપ્રાસાદ, નગર વગેરેનાં સરસ વર્ણનો દ્વારા કથાકારે કથાપ્રવાહને ગતિશીલ બનાવ્યો છે. આ કથાઓમાં સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી ઘણી સામગ્રી છે. નાગદત્તકથાનકમાં કુલદેવતાની આરાધના માટે ઉઠાવવામાં આવેલાં કષ્ટોથી તે કાળના રીતિરવાજો તથા નાયકનાં ચરિત્ર તથા વૃત્તિઓ ઉપર પ્રકાશ પડે છે. સુદત્તકથામાં ગૃહકલહનું વર્ણન કરતાં કથાકારે સાસુ, વહુ, નણંદ અને બાળકોના સ્વાભાવિક ચિત્રણમાં પૂરી કુશળતા દર્શાવી છે. સુજસ શેઠ અને તેના પુત્રોની કથામાં બાલમનોવિજ્ઞાનનાં અનેક તત્ત્વોનું ચિત્રણ છે. ધનપાલ અને બાલચન્દ્રની કથામાં વૃદ્ધા વેશ્યાનું ચરિત્રચિત્રણ સુંદર થયું છે. કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા દેવભદ્રસૂરિ (ગુણચન્દ્રગણિ) છે. તેમનો પરિચય તેમની અન્ય કૃતિઓ - મહાવીરચરિય તથા પાસનાહરિયના પ્રસંગમાં આપી દીધો છે. તેની રચના તેમણે વિ.સં.૧૧૫૮માં ભરુકચ્છ (ભરૂચ) નગરના મુનિસુવ્રત ચૈત્યાલયમાં પૂરી કરી હતી. આ કૃતિના કર્તાએ પોતાની અન્ય કૃતિઓમાં પાસનાહરિય અને સંવેગરંગશાલા (કથાગ્રન્થ)નો ઉલ્લેખ કર્યો છે. ૨૪૧ --- १. वसुबाणरुद्दसंखे ११९५८ वच्चंते विक्कमाओ कालम्मि । લિહિઓ પઢમમ્મિ ય પોથર્મીિ પ્લિઝમનવર્સેળ | પ્રશસ્તિ, ૯ ૨. આનો પરિચય જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૪માં આપવામાં આવ્યો છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આખ્યાનકમણિકોશ (અક્ખાણયમણિકોસ) ૧૨૭ ઉપદેશપ્રદ કથાઓ (આખ્યાનકો)નો આ બૃહત્ સંગ્રહ છે. મૂળ કૃતિમાં ૫૨ પ્રકૃત ગાથાઓ છે. પહેલીમાં મંગલાચરણ છે. બીજીમાં પ્રતિજ્ઞાત વસ્તુનો નિર્દેશ છે અને બાકીની પચાસ ગાથાઓને ૪૧ અધિકારોમાં વિભક્ત કરવામાં આવી છે. આ ગાથાઓમાં તે તે અધિકારોમાં પ્રતિપાદ્ય વિષય સંબંધી દૃષ્ટાન્તકથાઓનાં પાત્રોનાં નામોનો નિર્દેશ માત્ર કરવામાં આવ્યો છે. આ કથાઓ પૂર્વાચાર્યોના ગ્રન્થો અને શ્રુતપરંપરાથી પ્રસિદ્ધ હતી. કર્તાએ તો કેવળ તે બધીને વિવિધ વિષયો સાથે જોડી તેમનું વિષયની દૃષ્ટિએ વર્ગીકરણ કર્યું છે અને સ્મૃતિપથમાં લઘુ રીતે લાવવા માટે લઘુ કૃતિના રૂપમાં આ સર્જન કર્યું છે. આ ગાથાઓમાં આમ તો ૧૪૬ આખ્યાનકોનો નિર્દેશ કર્તાએ કર્યો છે પરંતુ કેટલાંયની પુનરાવૃત્તિ પણ કરવામાં આવી છે, એટલે વાસ્તવિક સંખ્યા ૧૨૭ જ થાય છે. ૧. પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, વારાણસી, ૧૯૬૨ २. अक्खायणमणिकोसं एवं जो पढइ कुणइ जहयोगं । કર્તા અને રચનાકાળ આ કથાત્મક ગાથાઓના રચનાર બૃહદ્ગચ્છીય દેવેન્દ્રગણિ (નેમિચન્દ્રસૂરિ) છે. તેમનો પરિચય અન્યતમ કૃતિ મહાવીરચરિયના પ્રસંગમાં આપી દીધો છે. પ્રસ્તુત કથાકોશની રચના વિ.સં.૧૧૨૯માં થઈ છે. આખ્યાનકમણિકોશવૃત્તિ – ઉક્ત કર્તાની જીવનસમાપ્તિ પછી કેટલાક દસકાઓ બાદ આ કૃતિ ઉપર એક બૃહવૃત્તિ રચવામાં આવી. મૂળ ગાથાઓ પર વૃત્તિ સંસ્કૃતમાં છે પરંતુ ૧૨૭ આખ્યાનકોમાંથી ૧૪, ૧૭, ૨૩, ૩૯, ૪૨, ૬૪, ૧૦૯, ૧૨૧, ૧૨૨ અને ૧૨૪ એ તો સંસ્કૃતમાં છે, ૨૨મું અને ૪૩મું અપભ્રંશમાં અને બાકીનાં આખ્યાનક પ્રાકૃતમાં છે. ૭૩મા ભાવભટ્ટિકા૪ અન્તર્ગત 'અંતિમ ચારુદત્તરિઉ અપભ્રંશમાં છે. સંસ્કૃતમાં લખાયેલાં આખ્યાનકોમાં ૧૭મું અને ૧૨૪મું` ગદ્યમાં છે અને ૧૪મું ચમ્પૂશૈલીમાં છે તથા પ્રાકૃતમાં લખાયેલાં - ૫. ચંડચૂડાખ્યાન ૬. સીતાઆખ્યાનક જૈન કાવ્યસાહિત્ય देविंदसाहुमहियं अइरा सो लहइ अपवग्गं ॥ ૩. ભરતાખ્યાનક અને સોમપ્રભાખ્યાનક ૪. અદ્ભુત કથાની દૃષ્ટિએ આ અત્યન્ત મહત્ત્વનું છે. તેના અમુક ભાગની તુલના ‘અરેબિયન નાઈટ્સ' સાથે કરી શકાય. Page #265 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય આખ્યાનકોમાં ૪૭મું પ્રાકૃત ગદ્યમાં છે, ૧૨૩મું પ્રાકૃત ઉપેન્દ્રવજામાં અને બાકીનાં ૧૧૫ પ્રાકૃત આર્યા છંદોમાં છે. ક્યાંક ક્યાંક બીજા છન્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે પરંતુ ઘણો ઓછો. આ વૃત્તિ ઉપરથી વૃત્તિકારની સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં પટુતા જાણવા મળે છે. વૃત્તિકારે આ કથાઓનું કલેવર પ્રાયઃ પૂર્વવર્તી કૃતિઓમાંથી લીધું છે અને આ વાતનો નિર્દેશ તેમણે જ્યાંત્યાં કર્યો છે. ઉદાહરણાર્થ ૧૦મું અને ૬૫મું આ બન્ને આખ્યાનકો દેવેન્દ્રગણિ (નેમિચન્દ્રસૂરિ)કૃત મહાવીરચરિયમાંથી અક્ષરશઃ લેવામાં આવ્યાં છે. ૩૨મા બકુલાખ્યાનકની વિશેષ ઘટના જાણવા માટે વૃત્તિકા૨ે દેવેન્દ્રગણિ (નેમિચન્દ્રસૂરિ)કૃત રત્નચૂડકથાને જોવાનું સૂચન કર્યું છે. તેવી જ રીતે અન્ય ૧૯ આખ્યાનોમાં રામચરિત, હરવંશ, આવશ્યક, ઉત્તરાધ્યયન, નિશીથ વગેરે ગ્રન્થો જોવાનું સૂચન કર્યું છે. આ આખ્યાનકોમાં કેટલાંક તો પ્રચલિત જૈન પરંપરાની ઢબનાં છે, કેટલાંક કુક્કુટાખ્યાનક (૧૦૯) અજૈન પરંપરાની પૌરાણિક ઢબનાં છે અને કેટલાંક લૌકિક ઉદાહરણોને અનુસરી લખવામાં આવ્યાં છે. આ આખ્યાનકોની કથાવસ્તુને અન્યાન્ય સાહિત્યની સાથે તુલનાત્મક દૃષ્ટિએ જોવામાં આવે તો બહુ જ રોચક વાતો જાણવા મળે. આ કથાનકોમાં અનેક પ્રકારનાં સુભાષિતો, સૂક્તો અને લોકોક્તિઓ ભરી પડી છે. અનેક પ્રસિદ્ધ દેશ્ય અને પ્રાકૃત શબ્દો પણ વૃત્તિમાં મળે છે. ર કર્તા અને રચનાકાળ — આ કથાત્મક વૃત્તિના રચનાર આમ્રદેવસૂરિ છે, તે જિનચન્દ્રના શિષ્ય હતા. તેમણે વૃત્તિની રચના વિ.સં.૧૧૯૦ (સન્ ૧૧૩૩)માં અર્થાત્ મૂળ ગાથાઓની રચના થયા પછી બરાબર ૬૦ વર્ષ બાદ કરી હતી. કથામહોદધિ આ કૃતિને કર્પૂરકથામહોદધિ પણ કહેવામાં આવે છે. તેમાં નાનીમોટી બધી મળીને કુલ ૧૫૦ કથાઓ છે.” વજ્રસેનના શિષ્ય હરિષેણે રચેલા ઉપદેશાત્મક કાવ્ય ‘કર્પૂરપ્રકર’ યા સૂક્તાવલીનાં ૧૭૯ પદ્યોમાં વર્ણવાયેલ ૯૭ જૈન ધાર્મિક અને નૈતિક નિયમોની સંકેત રૂપમાં આપવામાં આવેલી દૃષ્ટાન્તકથાઓનું પૂર્ણ વિવરણ દેવા માટે આ કથામહોદધિની રચના થઈ છે, તેથી તેને કર્પૂરકથામહોદધિ પણ કહેવામાં આવે છે. - ૧. ચન્દનાનું આખ્યાન ૨. પ્રસ્તાવના, પૃ. ૮-૯ ૩. જિનરત્નકોશ, પૃ. ૬૮ ૪. આ કથાઓની સૂચી પિટર્સન રિપોર્ટ ૩, પૃ. ૩૧૬-૧૯માં આપવામાં આવી છે. ૫. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૬ ૨૪૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કર્પૂરપ્રક૨કાવ્યનો પ્રારંભ ‘કર્પૂરપ્રકર’ વાક્યથી થાય છે, તેથી તેનું નામ પણ તે જ થઈ ગયું. તેનું પ્રત્યેક પઘ ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે અને પ્રસંગાનુકૂલ દૃષ્ટાન્તો દ્વારા સમજાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જીવદયા ઉપર નેમિનાથનું તથા પરસ્ત્રીઅનુરાગના કુફળ ઉપર રાવણનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. પ્રત્યેક પદ્યમાં એક કે વધુ દૃષ્ટાન્તરૂપ કથાઓ આપવામાં આવી છે. આ દૃષ્ટાન્તોને આધાર બનાવી કથાઓનો વિસ્તાર કરી આ કૃતિ રચવામાં આવી છે. કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા તપાગચ્છીય રત્નશેખરસૂરિના શિષ્ય સોમચન્દ્રગણિ છે. તેમણે આ રચના વિ.સં.૧૫૦૪માં કરી હતી. જૈન કાવ્યસાહિત્ય - કપૂરપ્રકરના આધાર ઉપર બનેલો બીજો કથાકોશ પણ મળે છે. તે છે ખરતરગચ્છીય જિનવર્ધનસૂરિના શિષ્ય જિનસાગરની કર્પૂરપ્રકરટીકા. તેનો સમય સં.૧૪૯૨થી ૧૫૨૦ મનાય છે. આમ આ ટીકા સોમચન્દ્રકૃત કથામહોદધિની સમકાલીન છે. આમાં ઉક્ત કાવ્યના પદ્યોની વ્યાખ્યા કર્યા પછી દૃષ્ટાન્તકથા સંસ્કૃત શ્લોકોમાં આપવામાં આવી છે. કથાનો પ્રવેશ આગમો કે ઉપદેશમાલા જેવા ગ્રન્થોનાં ગદ્યપદ્યમય પ્રાકૃત ઉદ્ધરણો આપીને કરવામાં આવ્યો છે. આમાં કથાઓનાં શીર્ષક અને ક્રમ ‘ક્થામહોદધિ’ સમાન છે. આમાં નેમિનાથ, સનત્ક્રુમા૨ વગેરે પુરાણપુરુષો, સત્યકી, ચેલ્લણા, કુમારપાલ વગેરે ઐતિહાસિક, અર્ધઐતિહાસિક વ્યક્તિઓ, અને અતિમુક્તક, ગજસુકુમાલ વગેરે તપસ્વીઓ, તથા જૈન પરંપરાનાં ધર્મપરાયણ સ્ત્રીપુરુષોની કથાઓ આપવામાં આવી છે. કપૂરપ્રકર ઉ૫૨ તપાગચ્છીય ચરણપ્રમોદની તથા અજ્ઞાત કર્તાની એમ બે વૃત્તિ મળે છે, બીજી વૃત્તિનો ગ્રન્થાગ્ર ૧૭૬૮ છે. ઉપરાંત, હર્ષકુશલ અને યશોવિજયગણિની ટીકા, તથા મેરુસુંદરનો બાલાવબોધ (ટીકા) અને ધનવિજયગણિકૃત સ્તબકના ઉલ્લેખો મળે છે. સંભવતઃ આમાંથી કેટલીક કૃતિઓ ઉક્ત કથાકોશો સમાન જ હશે. કથાકોશ (ભરતેશ્વરબાહુબલિવૃત્તિ) – મૂળમાં આ ૧૩ ગાથાઓની પ્રાકૃત રચના છે. તે ‘ભરહેસરબાહુબલિ' પદથી શરૂ થાય છે. સંભવતઃ આ નિત્યસ્મરણની ૧. જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, ૧૯૧૯ ૨. જિનરત્નકોશ, પૃ. ૬૯ ૩. દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર, મુંબઈથી બે મોટા ભાગોમાં સન્ ૧૯૩૨ અને ૧૯૩૭માં પ્રકાશિત Page #267 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૪૫ એક સ્તુતિ છે. આમાં ૧૦૦ ધર્માત્મા ગણાવાયા છે. તેમાં પ૩ પુરુષ (પહેલો ભરત છે અને છેલ્લો મેઘકુમાર છે) અને ૪૭ સ્ત્રીઓ (પહેલી સુલસા છે અને છેલ્લી રેણા છે) છે, આ બધાં ધર્મ અને તપ સાધનાઓ માટે જૈનોમાં સુખ્યાત છે. અધિકાંશતઃ આ બધાં જૈન કથાસાહિત્યમાં ઉપલબ્ધ કથાઓનાં જ પાત્રો છે. તેમનો ઉલ્લેખ સૂયગડ, ભગવતી, નાયાધમ્મકહાઓ, અન્તગડ, ઉત્તરાધ્યયન, પઈન્વય, આવસ્મય, દસયાલિય અને વિવિધ નિર્યુક્તિઓ અને ટીકાઓમાં થયો છે. મૂળ પ્રાકૃત ગાથાઓમાં તો આ નામોની શૃંખલા માત્ર આપવામાં આવી છે. સૌપ્રથમ તો આ ગાથાઓ જૈન સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોના અભ્યાસીઓ માટે બોધગમ્ય રહી હશે. પરંતુ પછી મૂલ ઉપર વિસ્તૃત ટીકા અને કથાઓના પૂર્ણ વિવરણની આવશ્યકતા જણાવા લાગી અને પરિણામે આ વિશાળ કથાકોશ રચાયો. આ સંસ્કૃત ટીકામાં ગદ્યપદ્યમિશ્રિત કથાઓ પણ આપવામાં આવી છે, તેમનામાં જ્યાંત્યાં પ્રાકૃત ઉદ્ધરણો વીખરાયેલાં છે. ટીકામાં બધી કથાઓ જ કથાઓ છે, તેથી તેને કથાકોશ પણ કહેવામાં આવે છે. કર્તા અને રચનાકાળ – આ મહત્ત્વપૂર્ણ કથાસંગ્રહના કર્તા શુભાશીલગણિ છે. તેમના ગુરુનું નામ હતું મુનિસુંદરગણિ. વિક્રમની ૧૫મી સદીમાં થઈ ગયેલા યુગપ્રભાવક આચાર્ય સોમસુંદરનો વિશાળ શિષ્ય પરિવાર હતો, આ શિષ્ય પરિવાર વિદ્વાન અને સાહિત્યસર્જક હતો. સોમસુંદરના પટ્ટશિષ્ય સહસ્રાવધાની મુનિસુંદર હતા. તેમના અન્ય ગુરુભાઈઓએ અનેક કૃતિઓ રચી છે. શુભશીલગણિ આ પરિવારના સાહિત્યસર્જક વિદ્વાન હતા. શુભશીલગણિએ આ કથાકોશની રચના વિ.સં. ૧૫૦૯માં કરી હતી. કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાં રચનાસંવત આપવામાં આવ્યો છે. . શુભશીલગણિની અનેક રચનાઓ ઉપલબ્ધ છે. તેમાંથી કેટલીક રચનાઓમાં રચનાસંવત આપવામાં આવેલ છે, જેમકે વિક્રમાદિત્યચરિત્ર (વિ.સં. ૧૪૯૯), શત્રુંજયકલ્પ કથાકોશ (વિ.સં.૧૫૧૮), પંચશતીપ્રબંધ (વિ.સં.૧૫૨૧), ભોજપ્રબંધ, પ્રભાવકકથા, શાલિવાહનચરિત્ર, પુણ્યધનનૃપકથા, પુણ્યસારકથા, શુકરાજકથા, જાવડકથા, ભક્તામરસ્તોત્રમાહાભ્ય, પંચવર્ગસંગ્રહનામમાલા, ઉણાદિનામમાલા અને અષ્ટકર્મવિપાક, શુભશીલગણિ કથાત્મક રચનાઓ કરવામાં વિશેષ પ્રવીણ હતા. પંચશતીપ્રબોધસંબંધ – કર્તાએ કૃતિના પ્રારંભમાં તેનું નામ આ પ્રમાણે સૂચિત કર્યું છે – “પ્રન્થો હાથે પશ્ચાતીખવધસંધનામા ચિત્તે મા તુ ' જિનરત્નકોશમાં Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન કાવ્યસાહિત્ય પણ આ જ નામ આપ્યું છે. પરંતુ અન્ય કથાકોશોની જેમ આનાં સંક્ષિપ્ત નામો કથાકોશ અને પ્રબંધપંચશતી મળે છે. આ કથાકોશમાં ૪ અધિકાર છે, તેમાં કુલ ૬૨૫ કથાપ્રબંધોનો સંગ્રહ છે. પ્રથમ અધિકારમાં ૧થી ૨૦૩ સુધી, બીજામાં ૨૦૪થી ૪૨૬ સુધી, ત્રીજામાં ૪૨૭થી ૪૭૬ સુધી અને ચોથામાં ૪૭૭થી ૬૨૫ સુધી કથાઓ આપવામાં આવી છે. કર્તાએ આ કથાઓનું સંકલન કરવામાં અનેક સ્રોતોનો આધાર લીધો છે. તે કહે છે, “૬િ રનનો નિશમ્ય, શ્ચિત્ નિગાન્યાવિશાત” અર્થાત ગુરુપરંપરા તથા જૈન-જૈનેતર કૃતિઓનો ઉપયોગ કરીને આ રચના કરવામાં આવી છે. તેમાં વિશેષતઃ પ્રભાવકચરિત, પ્રબંધચિન્તામણિ, પુરાતનપ્રબંધસંગ્રહ, પ્રબંધકોશ, ઉપદેશતરંગિણી, આવશ્યકનિયુક્તિ આદિ જૈન કૃતિઓ અને હિતોપદેશ, પંચતંત્ર, રામાયણ, મહાભારત આદિ કૃતિઓમાં પ્રાપ્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત કૃતિ ગુરુપરંપરાથી ઉપલબ્ધ વિશાળ કથાસાહિત્યની પશ્ચાત્કાલીન વારસદાર છે, તેથી તે બહુ જ મહત્ત્વની છે. તેમાં કથાઓનો વિષયક્રમ જણાતો નથી, તો પણ તેના ત્રણ વિભાગો કરી શકાય – ૧. ઐતિહાસિક પ્રબંધ, ૨. ધાર્મિક કથાઓ, અને ૩. લૌકિક કથાઓ. ઐતિહાસિક પ્રબંધોમાં નન્દ, સાતવાહન, ભર્તુહરિ, ભોજ, કુમારપાલ, હેમસૂરિ વગેરેની કથાઓ જોવા જેવી છે. આ કૃતિ ગદ્યપદ્યમિશ્રિત છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનાં સુભાષિતો ઠેરઠેર જોવા મળે છે. તેમાં સંસ્કૃત વ્યાકરણના કઠિન પ્રયોગોથી મુક્ત સરળ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને લોકભાષામાં પ્રચલિત અનેક શબ્દોનું સંસ્કૃતીકરણ કરી તેમનો પ્રયોગ પ્રચુર માત્રામાં કરવામાં આવ્યો છે. તેમાં અનેક ફારસી શબ્દોનો પ્રયોગ પણ જોવા મળે છે, જેમકે કલન્દર, કાગદ, ખરશાન, ૧. સુવાસિત સાહિત્ય પ્રકાશન, સૂરત, ૧૯૬૮, સંપાદક મુનિ શ્રી મૃગેન્દ્ર; જિનરત્નકોશ, પૃ. ૨૨૪; વિન્ટરનિસે હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૪૪, ટિ.૩માં કહ્યું છે કે ઈટાલિયન વિદ્વાન પેવોલિનીએ આ કથાગ્રન્થમાંથી લઈને દ્રૌપદી, કુન્તી, દેવકી, રુકમિણી કથાઓ લખી છે. બીજા ઈટાલિયન વિદ્વાન બલિનીએ પહેલી પ૦ કથાઓનું મૂળ અનુવાદ સાથે પ્રકાશિત કર્યું છે. આ જ વિદ્વાને સુલ્તાન ફિરોજ દ્વિતીય (સન્ ૧૨૨૦-૧૨૯૬) અને જિનપ્રભસૂરિ સાથે સંબંધ ધરાવતી ૧૬ કથાઓનું નિરૂપણ કર્યું છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૪૭ માંહરિ, બીબી, મસીત, મીર, મુલાણ (મુલ્લા), મુસલમાન, હજ, હરીજ, વગેરે. તેની ભાષા અને શબ્દોનું અધ્યયન એક અલગ વિષય છે. મૂળ શબ્દોનું સંસ્કૃતીકરણ કર્યું હોવાથી કેટલાંય સ્થાને અર્થ કરવામાં મોટી ગરબડ થાય છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના ઉપર્યુક્ત શુભાશીલગણિ જ કર્તા છે. આ કૃતિની પ્રશસ્તિમાં રચનાસંવત વિ.સં.૧૫ર૧ આપવામાં આવ્યો છે. ઉક્ત પ્રશસ્તિમાં શુભશીલગણિએ પોતાને રત્નમંડનસૂરિના શિષ્ય કહ્યા છે, પરંતુ આ કથાકોશના એક અધિકારની પ્રશસ્તિમાં પોતાનો ઉલ્લેખ લક્ષ્મીસાગરના શિષ્ય તરીકે કર્યો છે : लक्ष्मीसागरसूरीणां पादपद्मप्रसादतः । - शिष्येण शुभशीलेन ग्रन्थ एष विधीयते ॥ ३ ॥ આ લક્ષ્મીસાગર શુભશીલગણિના કાં તો પ્રગુરુ હતા કાં તો તેમના ગુરુ મુનિસુંદરના ગુરુભાઈ હતા. પોતાની અન્ય કૃતિઓમાં શુભાશીલે પોતાને મુનિસુંદરસૂરિના શિષ્ય કહ્યા છે. સંભવતઃ કર્તા શુભાશીલે કૃતજ્ઞતાવશ વિદ્યા, આશ્રય અને દીક્ષા દેનાર ત્રણ પ્રકારના ગુરુઓનું સ્મરણ કર્યું છે. ૧. કથાકોશ – આને “કલ્પમંજરી' પણ કહે છે. તેની રચના આગમગચ્છના જયતિલકસૂરિએ કરી છે. તેનો ગ્રન્યાગ્ર ૨૯૦ શ્લોકપ્રમાણ છે. તેનો સમય ૧૫મી સદી જણાય છે. ૨. કથાકોશ- આને “વ્રતકથાકોશ' પણ કહે છે. તેની એક હસ્તપ્રત જયપુરના પાટોદીના મંદિરના ભંડારમાં ઉપલબ્ધ છે. તેમાં જુદા જુદા વ્રતો સંબંધી કથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કૃતિની પૂરી પ્રતિ ન મળવાથી એ હજુ સુધી નક્કી થઈ શક્યું નથી કે તેમાં કેટલી વ્રતકથાઓ છે. તેના કર્તા પ્રસિદ્ધ ભટ્ટારક સકલકીર્તિ છે, તેમનો પરિચય અન્યત્ર કરાવ્યો છે. ૧. વિક્રમ વિહુ-દ્વીપુ-૨ () પ્રતિવરેા. अमुं व्यधात् प्रबन्धं तु शुभशीलाभिधो बुधः॥ ૨. મુનિસુવરજૂરી વિનેયઃ સુમશીમા - વિક્રમચરિત્ર, પ્રશસ્તિ, પદ્ય ૧૨ ૩. જિનરત્નકોશ, પૃ. ૬૫ ૪. એજન, પૃ. ૬૫, ૩૬૮; રાજસ્થાન કે જૈન સન્ત : વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જેન કાવ્યસાહિત્ય ૩. કથાકોશ – આને વ્રતકથાકોશ અને કથાવલી પણ કહે છે. તેમાં વ્રતો, ધાર્મિક ક્રિયાઓ, નિયમો, અનુષ્ઠાનો અને તપોની કથાઓ આપવામાં આવી છે, જેમકે અષ્ટાદ્ધિક વ્રતકથા, આકાશપંચમી, મુક્તાસપ્તમી, ચન્દ્રનષષ્ઠી, વગેરે. કતો અને રચનાકાળ – આ કથાકોશની રચના મૂલસંઘ સરસ્વતીગચ્છ બલાત્કારગણના શ્રતસાગર છે. તેમણે પોતાને બ્રહ્મ. યા દેશયતિ કહ્યા છે. તેમના ગુરુનું નામ ભટ્ટારક વિદ્યાનજિ હતું, આ વિદ્યાનન્ટિ પબનન્દિના પ્રશિષ્ય અને દેવેન્દ્રકીર્તિના શિષ્ય હતા. વિદ્યાન્ટિનું ભટ્ટારક પદ ગુજરાતના ઈડર નામના સ્થાને હતું, અને તેમના પટ્ટધર મલ્લિભૂષણ અને તેમના પછી લક્ષ્મીચન્દ્ર ભટ્ટારક થયા. મલ્લિભૂષણને શ્રુતસાગરે ગુરુભાઈ કહ્યા છે. શ્રુતસાગર મહાવિદ્વાન હતા. તેમને અનેક ઉપાધિઓ મળી હતી. તેમની અન્ય કૃતિઓ છે – તત્ત્વાર્થવૃત્તિ, યશસ્તિલકચન્દ્રિકા, ઔદાર્યચિન્તામણિ, તત્ત્વત્રયપ્રકાશિકા, જિનસહસ્રનામટીકા, મહાભિષેક ટીકા, ષપ્રાભૃતટીકા, શ્રીપાલચરિત, યશોધરચરિત, સિદ્ધભક્તિટીકા, સિદ્ધચક્રાષ્ટકટીકા આદિ. તેમણે પપ્પાતની સંસ્કૃત ટીકામાં પણ કેટલીક કથાઓ આપી છે. શ્રતસાગર વિક્રમની ૧૯મી સદીના વિદ્વાન છે. તેમની કોઈ પણ કૃતિમાં રચનાસમય આપ્યો નથી, પરંતુ અન્ય ઉલ્લેખો ઉપરથી શ્રુતસાગરના સમયનું અનુમાન કરવામાં આવ્યું છે. કેટલાક બીજા કથાકોશો છે, તેમને વ્રતકથાકોશો પણ કહે છે. તેમાં દયાવર્ધન, દેવેન્દ્રકીર્તિ, ધર્મચન્દ્ર અને મલ્લિષણની રચનાઓનો ઉલ્લેખ મળે છે." અન્ય કથાકોશોમાં વર્ધમાન, ચન્દ્રકીર્તિ, સિંહસૂરિ તથા પદ્મનદિની કૃતિઓના ઉલ્લેખ મળે છે. વર્ધમાન અભયદેવના શિષ્ય હતા અને તેમના કથાકોશને શકુનરત્નાવલિ' પણ કહે છે." ૧. જિનરત્નકોશ, પૂ. ૬૬ અને ૩૬૮ ૨. પં. નાથુરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ (દ્ધિ.સં.), પૃ. ૩૦૧-૩૦૭. ૩. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી પ્રકાશિત ૪. જિનરત્નકોશ, પૃ. ૩૬૮ ૫. એજન, પૃ. ૬૫, ૩૬૮ Page #271 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૪૯ ૪. કથાકોશ – અહીં કેટલાક અજ્ઞાત લેખકોના સંસ્કૃત-પ્રાકૃત કથાકોશોનો પરિચય આપીએ છીએ. આમાંથી અધિકાંશની હસ્તપ્રતો પૂનાના ભાંડારકર પ્રાચ્ય મંદિરના સરકારી સંગ્રહવિભાગમાં ઉપલબ્ધ છે.' ૧. સંખ્યા ૪૭૮ (સન્ ૧૮૮૪-૮૬) – આના પહેલાં ત્રણ પત્રોમાં હરિષણનો કથાકોશ છે. તે પછી પ૩ વ્રતકથાઓ છે, તેમાં સુગન્ધદશમી, ષોડશકારણ અને રત્નાવલી સંસ્કૃતમાં છે અને બાકીની અપભ્રંશમાં છે. ૨. સંખ્યા ૫૮૨ (સન્ ૧૮૮૪-૮૬) – આમાં સંસ્કૃત શ્લોકો પછી જ દષ્ટાન્તકથાઓ આપવામાં આવી છે. તેમાં જિનપ્રભસૂરિ, જગસિંહ, સાતવાહન, જગડૂશાહ વગેરેના કેટલાક પ્રબંધો પણ છે. ૩. સંખ્યા ૫૮૩ (સન્ ૧૮૮૪-૮૬) – આ બન્ને બાજુથી તૂટેલ છે. તે સંસ્કૃત પદ્યમાં છે. તેમાં સંસ્કૃત-પ્રાકૃત બન્ને પ્રકારનાં ઉદ્ધરણો છે. સંભવતઃ તેમાં સમ્યક્તકૌમુદીની જ કથાઓ છે. ૪. સંખ્યા ૧૨૬૬ (સન્ ૧૮૮૪-૮૭) – આ ચન્દ્રપ્રભની સ્તુતિથી શરૂ થાય છે અને તેમાં સંસ્કૃતમાં આરામતનય, હરિષેણ, શ્રીષેણ, જીમૂતવાહન આદિની કથાઓ આપવામાં આવી છે. તે અપૂર્ણ છે. કેવળ ૪૭ પૃષ્ઠ ઉપલબ્ધ છે. ૫. સંખ્યા ૧૨૬૭ (સનું ૧૮૮૪-૮૭) – આમાં તે કથાઓ છે જે સામાન્યતઃ સમ્યક્તકૌમુદીકથા નામે જાણીતી છે. પ્રારંભનું ગદ્ય કંઈક બીજી રીતનું છે અને તે આ પ્રમાણે છે – જોવેશે પત્નપુરના માર્યમુર્તિસૂરીશ્વર: | ત્રિઉ3મરતfધપસંપ્રતિરોડ ધવેશનાં રજૂર્વ પો પો ભવ્યા: ! આમાં સાવ અત્તે પાત્રદાનના દષ્ટાન્તરૂપે ધનપતિની કથા આપવામાં આવી છે. જો કે આ સંસ્કૃત કૃતિ છે પરંતુ તેમાં જ્યાંત્યાં પ્રાકૃત ગાથાઓ આપવામાં આવી છે. ૬. સંખ્યા ૧૨૬૮ (સન્ ૧૮૮૪-૮૭) – આમાં પ્રાકૃત કથાઓ આપવામાં આવી છે, જેમકે ગંધપૂજા ઉપર શુભમતિની, ધૂપપૂજા ઉપર વિનયંધરની તથા અન્ય દષ્ટાન્તકથાઓ. આની પ્રશસ્તિ અને કેટલોક અંશ સંસ્કૃતમાં છે. આની રચના હર્ષસિંહગણિએ સારંગપુરમાં કરી હતી. ૧. આ બધાનો પરિચય બૃહત્કથાકોશમાં ડૉ. ઉપાધ્ય દ્વારા લિખિત પ્રસ્તાવનાના આધારે આપવામાં આવે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન કાવ્યસાહિત્ય ૭. સંખ્યા ૧૨૬૯ (૧૮૮૪-૮૭) – આ પ્રતિ તૂટેલી છે તથા લિપિ ગરબડી છે. તેમાં ભાવના વિશે અમરચન્દ્રની કથા, પારમાર્થિક મૈત્રી વિશે વિક્રમાદિત્ય વગેરેની કથાઓ છે. પત્ર ૧૯માં વેતાલપંચવિંશતિકાની કથા ઉદ્ધત છે અને અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતીમાં નાની નાની કેટલીક કથાઓ આપવામાં આવી છે. આ કથાકોશની સમાપ્તિ એક પ્રાણિકથાથી થાય છે, તે સંભવતઃ પંચતંત્રની ૮. સંખ્યા ૧૩૨૨ (૧૮૯૧-૯૫) – આમાં મદનરેખા, સનકુમાર વગેરેની કથાઓ સંસ્કૃતમાં આપવામાં આવી છે અને વચ્ચે વચ્ચે પ્રાકૃત તથા અપભ્રંશનાં પદ્યો પણ આપવામાં આવ્યાં છે. ૯. સંખ્યા ૧૩૨૩ (૧૮૯૧-૯૫) – આ સંસ્કૃત ગદ્યમાં છે પરંતુ વચ્ચે વચ્ચે સંસ્કૃત-પ્રાકૃત પદ્યો રજૂ કરવામાં આવ્યાં છે. તેમાં દેવપૂજા વિશે દેવપાલની, માન સંબંધમાં બાહુબલિની, માયા સંબંધમાં અશોકદત્તની, વન્દનપૂજા સંબંધમાં મદનાવલીની એમ અનેક વિષયક કથાઓ આપવામાં આવી છે. કોઈ કોઈ કથા પ્રાકૃત ગાથાથી જ શરૂ થાય છે. ૧૦. સંખ્યા ૧૩૨૪ (૧૮૯૧-૯૫) – આ તૂટેલો અપૂર્ણ ગ્રન્થ છે. તેમાં પ્રસન્નચંદ્ર, સુલસા, ચિલાતિપુત્ર વગેરેની કથાઓ સંસ્કૃત ગદ્યમાં છે. ક્યાંક ક્યાંક શ્લોક પણ છે. કેટલાક બીજા કથાકોશો નીચે મુજબ છે : કથાસમાસ – ઔપદેશિક પ્રકરણગ્રન્થ “ઉપદેશમાલા'માં ઉલ્લિખિત દૃષ્ટાન્તો ઉપર સ્વતન્ત્ર કથાગ્રન્થો લખવાની વિશેષ પ્રવૃત્તિ જૈનાચાર્યોમાં દેખાઈ છે. ઉપદેશમાલા ઉપર લગભગ વીસેક ટીકાઓ રચાઈ છે. તેમાં અનેક કથાત્મક છે. પ્રસ્તુત રચના “ઉપદેશમાલા-કથાસમાસ' નામથી પણ ઓળખાય છે અને સંક્ષેપમાં કથાસમાસ' નામથી પણ. આમાં બધી કથાઓ પ્રાકૃતમાં આપવામાં આવી છે. કર્તા અને રચનાકાળ – આના કર્તા જિનભદ્ર મુનિ છે, તે શાલિભદ્રના શિષ્ય હતા. તેમણે આ કૃતિ સંવત્ ૧૨૦૪માં રચી હતી.' કથાર્ણવ – આ સંસ્કૃત અનુષ્ટ્રમ્ છંદમાં નિર્મિત કથાઓનો સંગ્રહરૂપ ટીકાગ્રન્થ છે. તેમાં ઋષિમંડલસ્તોત્રની વ્યાખ્યા કરતાં નમસ્કારના રૂપમાં ઉલ્લિખિત અને વર્ણિત શલાકાપુરષો, તેમના સમકાલીન ધર્માત્માઓ, પ્રત્યેકબુદ્ધો, જિનપાલિત આદિ કાલ્પનિક વીરો, મેતાર્ય જેવા તપસ્વીઓ અને મહાવીરના ઉત્તરકાલીન આચાર્યોનાં કથારૂપ જીવનચરિત્રો આપવામાં આવ્યાં છે. તેમાંની અધિકાંશ કથાઓ ૧. જિનરત્નકોશ, પૃ. ૫૧; પાટણ હસ્તપ્રતસૂચી, ભાગ ૧, પૃ. ૯૦ Page #273 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૫૧ આગમો, નિર્યુક્તિઓ અને પ્રકીર્ણકોમાં મળે છે. ઔપદેશિક પ્રકરણો, માહાભ્યો અને દૃષ્ટાન્તકથાઓમાં જે અનૈતિહાસિક અને પૌરાણિક પાત્ર લાગતાં હતાં તે બધાં અહીં તપશૂર અને જૈનધર્મની યથાર્થ વ્યક્તિઓ રૂપ મનાયાં છે. કથાર્ણવનો ગ્રન્થગ્ર ૭પ૯૦ શ્લોકપ્રમાણ છે. કર્તા અને રચનાકાળ ખરતરગચ્છના ગુણરત્નસૂરિના શિષ્ય પદ્મમન્દિરગણિએ આ કૃતિની રચના વિ.સં. ૧૫૫૩માં કરી છે. ૧. કથા રત્નાકર – આ ૧૫ તરંગોમાં વિભક્ત છે. તેના અંતે અગડદત્તની કથા છે. તેની રચના નરચન્દ્રસૂરિએ કરી છે. જૈનધર્મ સંબંધી કથાનક સાંભળવાની વસ્તુપાલ મહામાત્યની ઉત્કંઠા શાંત કરવા માટે જ નરચંદ્ર તપ, દાન, અહિંસા વગેરે સંબંધી અનેક ધર્મકથાઓ ધરાવતો આ કથાકોશ રચ્યો છે. તેને “કથારત્નસાગર' પણ કહે છે. તેની એક તાડપત્રીય પ્રતિ સં. ૧૩૧૯ની મળે છે. તેનો પ્રન્યાગ્ર ૨૦૯૧ શ્લોકપ્રમાણ છે. આ આખી કૃતિ અનુષ્ટ્રમ્ છંદમાં રચાઈ છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના પ્રણેતા નરચંદ્રસૂરિ મહાવિદ્વાન હતા. તે હર્ષપુરીય યા મલધારિગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય હતા. તે મહામાત્ય વસ્તુપાલના માતૃપક્ષના ગુરુ હતા અને તેમણે વસ્તુપાલને ન્યાય, વ્યાકરણ અને સાહિત્યમાં પારંગત કર્યા હતા. તેમણે રચેલી અનેક કૃતિઓ મળે છે, જેમકે ન્યાયકન્ડલી પંજિકા, અનર્ધરાઘવટિપ્પણ, જયોતિસાર, સર્વજિનસાધારણસ્તવન વગેરે. પ્રબંધકોશ અનુસાર નરચંદ્રસૂરિનું નિધન ભાદ્રપદ ૧૦ વિ.સં.૧૨૮૭માં થયું હતું. તેથી પ્રસ્તુત રચનાનો સમય તેરમી સદીના મધ્યભાગ માનવો જોઈએ. ૧. જિનરત્નકોશ, પૃ. ૬૦; ઋષિમંડલપ્રકરણ, આત્મવલ્લભ ગ્રન્થમાલા, સં. ૧૩, વલદ, ૧૯૩૯; ખાસ કરીને પ્રસ્તાવના જોવા જેવી છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૬૬; પાટણની હસ્તપ્રતોનું સૂચીપત્ર (ગાયકવાડ ઓરિ. સિ.), ભાગ ૧, પૃ. ૧૪ 3. इत्यभ्यर्थनया चक्रुर्वस्तुपालमंत्रिणः । नरचन्द्रमुनीन्द्रास्ते श्रीकथारत्नसागरम् ॥ ૪. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૧૦૦-૧૦૪ તથા ૨૦૭-૨૦૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જૈન કાવ્યસાહિત્ય ૨. કથારત્નાકર – આ કથાકોશ દસ તરંગોમાં વિભક્ત છે. તેમાં કુલ મળીને ૨૫૮ કથાઓ છે. આમાંથી ઘણી કથાઓ તો સરળ સંસ્કૃત ગદ્યમાં લખાઈ છે અને બહુ જ થોડી ગંભીર શૈલીમાં લખાઈ છે. કેટલીક કથાઓ સંસ્કૃત પદ્યોમાં પણ લખાઈ છે. વળી, કેટલીક કથાઓ પરંપરાશ્રુત છે, કેટલીક કલ્પનાપ્રસૂત છે, કેટલીક અન્ય સ્રોતોમાંથી લેવામાં આવી છે અને કેટલીક જૈન આગમોમાંથી લેવામાં આવી છે. પ્રત્યેક કથાનો પ્રારંભ એક કે બે ઉપદેશાત્મક ગાથા યા શ્લોકથી થાય છે. આખી કૃતિમાં સંસ્કૃત, મહારાષ્ટ્રી, અપભ્રંશ, જૂની હિંદી અને જૂની ગુજરાતી ઉદ્ધરણો પ્રચુર માત્રામાં મળે છે. રામાયણ, મહાભારત વગેરે વિશાળ ગ્રન્થો અને ભર્તુહરિશતક, પંચતંત્ર વગેરે અનેક નીતિગ્રન્થોમાંથી સુપરિચિત કેટલાંક ઉદ્ધરણો પણ લેવામાં આવ્યાં છે. કૃતિનો જૈન દૃષ્ટિકોણ તેના પ્રારંભના શ્લોકો, ભાવ અને કથાઓથી સ્પષ્ટ થઈ જાય છે. તેમાં શુંગારથી લઈ વૈરાગ્ય સુધીના વિચારો અને ભાવોનો સમાવેશ છે. વિન્ટરનિટ્સ કહે છે કે આમાં અનેક કથાઓ પંચતંત્ર યા તેના જેવા કથાગ્રન્થોમાં મળતી કથાઓ જેવી છે, જેમકે સ્ત્રીચાતુર્યની કથાઓ, ધૂર્તોની કથાઓ, મૂર્ખકથાઓ, પ્રાણિકથાઓ, અદ્ભુત કથાઓ, અન્ય બધી જાતના ટુચકા જેમાં બ્રાહ્મણો તથા અન્ય મતોનો ઉપહાસ છે. પંચતંત્રની જેમ જ કથાઓની વચ્ચે વચ્ચે અનેક સદુક્તિઓ ફેલાયેલી પડી છે. કથાઓને એકબીજી સાથે એમ જ જોડી દેવામાં આવી છે. કથાઓને એક ઢાંચામાં સજવામાં નથી આવી. કૃતિનો મોટો ભાગ વાસ્તવમાં એક દૃષ્ટિએ ભારતીય જ છે. જૈન કથાગ્રન્થોમાં સામાન્ય રીતે આવતાં નામો ઉપરાંત આમાં ભોજ, વિક્રમ, કાલિદાસ, શ્રેણિક વગેરેનાં ઉપાખ્યાન આપવામાં આવ્યાં છે. કેટલાક ભૌગોલિક ઉલ્લેખો પણ આમાં તદ્દન આધુનિક છે અને દિલ્હી, ચાંપાનેર તથા અહમદાબાદ જેવાં નગરો સાથે સંબંધ ધરાવતી કથાઓ પણ છે. ટૂંકમાં, આનો વિષય શિક્ષાપ્રદ અને મનોરંજક બન્ને કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા હેમવિજયગણિ છે. તે તપાગચ્છના કલ્યાણવિજયગણિના શિષ્ય હતા. હેમવિજયગણિનો વિશેષ પરિચય અન્યત્ર આપ્યો છે. આ કૃતિની રચના સં. ૧૬પ૭માં કરવામાં આવી છે. તેમની અન્ય ૧. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૧; આનો જર્મન અનુવાદ ૧૯૨૦માં હર્ટલ મહોદયે કર્યો છે. ૨. વિન્ટરનિત્ય, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૪૫ ૩. મિત્ર વર્ષેગ્રન્થપુ રાવની | પૂનમર્તક્ષયોને વતુર્વણ્યાં જીવી શુઃ પ્રશસ્તિ Page #275 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય કૃતિઓ પાર્શ્વનાથમહાકાવ્ય, અન્યોક્તિમુક્તામહોદધિ, કીર્તિકલ્લોલિની, સ્તુતિત્રિદશતરંગિણી, સૂક્તરત્નાવલી, કસ્તૂરીપ્રકર, ઋષભશતક, વિજયપ્રશસ્તિમહાકાવ્ય આદિ અનેક છે. આનો નિર્દેશ વિજયપ્રશસ્તિમહાકાવ્યની પ્રશસ્તિમાં કરવામાં આવ્યો છે. ૩. કથારત્નાકર આને ‘ધર્મકથારત્નાકરોદ્વાર’૧ યા ‘કથારત્નાકરોદ્વાર' પણ કહેવામાં આવે છે. તેમાં બે અધ્યાય છે. તેનો ગ્રન્થાગ્ર ૫૫૦૦ શ્લોકપ્રમાણ છે. તેમાં સાધુનિન્દાનું ફળ દર્શાવવા માટે રુમિણીની કથા પણ છે. તેના કર્તા ઉત્તમર્ષિ છે. તેમના વિશે કંઈ પણ માહિતી મળતી નથી. એક અજ્ઞાતકર્તૃક કથારત્નાકરનો પણ ઉલ્લેખ મળે છે. કથાનકકોશ આમાં ૧૪૦ પ્રાકૃત ગાથાઓ છે. તેના ઉપર સંસ્કૃતમાં વિનયચન્દ્રની ટીકા છે. આ કૃતિનું નામ ધમ્માણયકોસ પણ છે. પાટણ ભંડારમાં તેની હસ્તપ્રત છે, તેમાં વિ.સં.૧૧૬૬ રચના યા પ્રતલેખનનો સમય આપ્યો છે. ૨૫૩ - પાટણના ભંડારમાં ‘કથાગ્રન્થ’ નામના કથાશની તાડપત્રીય પ્રતિ છે. તેને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.” બીજા તાડપત્રીય કથાકોશ ‘કથાનુક્રમણિકા’નો પણ ઉલ્લેખ મળે છે, તેનો સમય સં.૧૧૬૬ છે. કથાસંગ્રહ – આને અન્તરકથાસંગ્રહ યા વિનોદકથાસંગ્રહ પણ કહે છે. આ સરળ સંસ્કૃત ગદ્યમાં લખાયેલો કથાગ્રંથ છે. તેમાં ૮૬ કથાઓ ધાર્મિક અને નૈતિક શિક્ષાની છે અને બાકીની ૧૪ વાક્ચાતુરી અને પરિહાસ દ્વારા મનોરંજનની છે. તેની શૈલી વાતચીતની છે. શબ્દવિન્યાસપ્રણાલી દેશજ શબ્દોથી ઘણી રંગાયેલી છે. સંસ્કૃત, મહારાષ્ટ્રી અને અપભ્રંશ પદ્ય આમાં પ્રચુર માત્રામાં ઉષ્કૃત છે. અનેક કથાઓ તો સિદ્ધાન્તોની ગાથા કહીને કહેવામાં આવી છે. આવી ગાથાઓમાં કોઈ વ્રતનું માહાત્મ્ય દર્શાવ્યું છે અને તેને દૃષ્ટાન્તકથા આપીને સમજાવ્યું છે. તેની ૧. જિનરત્નકોશ, પૃ. ૬૬ ૨. પાટણની હસ્તપ્રતોની સૂચી, ભાગ ૧, (ગાયકવાડ ઓ. સિરિઝ સં. ૭૬), પૃ. ૪૨; જિનરત્નકોશ, પૃ. ૬૫ ૩. જિનરત્નકોશ, પૃ. ૬૫, ૩૬૮ ૪. એજન, પૃ. ૬૫ ૫. એજન. ૬. એજન, પૃ. ૧૧ અને ૩૫૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન કાવ્યસાહિત્ય શૈલી, રચનાવિન્યાસ અને વિષય પંચતંત્ર જેવાં છે. આ કૃતિની રચનામાં લેખકે ધાર્મિક તથા લૌકિક બન્ને દૃષ્ટિકોણો રાખ્યા છે. આ દષ્ટાન્તકથાઓમાં બધી જ જાતની લૌકિક ચતુરાઈ ભરી પડી છે અને કેટલીકમાં જૈનધર્મ તથા આચારની છાપ સ્પષ્ટ દેખાય છે. જો કે આ વિષયો ઉપર બીજાઓએ પણ કથાઓ કહી છે, તો પણ સંભવ છે કે આ કથાસંગ્રહની અધિકાંશ કથાઓ કલ્પિત હોય અને અનુરોધવશ રચાઈ હોય. કેટલીક કથાઓ પ્રચલિત ભારતીય કથાઓમાંથી લેવામાં આવી છે અને કેટલીક જૈન આગમોની ટીકાઓમાંથી. અત્તરકથા શીર્ષકનો સંભવતઃ એ અર્થ છે કે જેમ પ્રધાન કથાની ઉપકથાઓ હોય છે તેમ અહીં આ દષ્ટાન્તકથાઓ છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા રાજશેખરસૂરિ છે. તે પ્રબંધકોશ (સં.૧૪૦૫)ના કર્તા પણ છે. તેમના ગુરુ હર્ષપુરીયગચ્છના સાગરતિલકગણિ હતા. રાજશેખરસૂરિની અન્ય કૃતિઓ છે – ષડ્રદર્શનસમુચ્ચય, સ્યાદ્વાદકલિકા, રત્નાકરાવતારિકાપંજિકા અને ન્યાયકંદલીપુંજિકા. તેમનો સમય ૧૪મી સદીનો મધ્ય ભાગ મનાય છે. ઉક્ત રચના ઉપરાંત બીજા પણ કથાસંગ્રહોનો ઉલ્લેખ જિનરત્નકોશમાં છે. . તેમના વિશે વિશેષ કોઈ માહિતી નથી. તેમની સૂચિ તથા સંક્ષિપ્ત વિવરણ અહીં આપવામાં આવે છે : ૧. હેમાચાર્યનો કથાસંગ્રહ ૨. આનન્દસુન્દરનો કથાસંગ્રહ ૩. મલધારીગચ્છીય ગુણસુંદરના શિષ્ય સર્વસુંદર (સં.૧૫૧૦)નો કથાસંગ્રહ ૪. સંખ્યા ૩૩૫ (સન્ ૧૮૭૧-૭૨નો રિપોટ). આ કથાસંગ્રહમાં પહેલી કથા વિક્રમાદિત્યની છે. તે ઉપરાંત શ્રીપાલ વગેરેની બીજી કથાઓ છે, આ કથાઓમાં જૈન વ્રતો અને આચારોનાં ફળો તથા પ્રભાવો દર્શાવાયાં છે. બધી કથાઓ સંસ્કૃતમાં છે પરંતુ તેમાં મરાઠી અને અપભ્રંશ ઉદ્ધરણો પણ છે. કેવળ એક જ કથા આ સંગ્રહમાં પ્રાકૃતમાં છે. ૫. સંખ્યા ૧૨૭૨ (સન્ ૧૮૮૪-૮૭નો રિપોર્ટ). આ કથાસંગ્રહ (સંવત ૧૫૨૪)માં જીવકથા વગેરે કેટલાય વિષયો ઉપર સંસ્કૃતમાં કેટલીય ઉપદેશાત્મક ૧. જિનરત્નકોશ, પૃ. ૬૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૫૫ નાનીમોટી કથાઓ છે. કથાસંગ્રહનો આ એક સારો ગ્રન્થ છે, જૈન મુનિઓ પોતાનાં પ્રવચનોમાં દૃષ્ટાન્તો આપવા તેનો ઉપયોગ કરતા હતા. ૬. સંખ્યા ૧૩૨૬ (સન્ ૧૮૯૧-૯પનો રિપોર્ટ). આ કથાસંગ્રહમાં સંસ્કૃત ગદ્યમાં આઠ કથાઓ – કુરચન્દ્ર, પદ્માકર આદિની – સાધુઓને વસતિ, શવ્યા, આસન, આહારપાણી, ઔષધિ, વસ્ત્ર અને પાત્રના દાનના મહત્ત્વને દર્શાવવા આપવામાં આવી છે. આ બધીનો ઉલ્લેખ ઉપદેશમાલાની ૨૪૦મી ગાથા વસહીસયણાસણ' આદિમાં છે. ૭. સંખ્યા ૧૩૨૬ (સન ૧૮૯૧-૯૫નો રિપોર્ટ), આ કથાસંગ્રહમાં ધનદત્ત. નાગદત્ત, મદનાવલી વગેરેની કથાઓ પૂજાના ભિન્ન ભિન્ન પ્રકારનાં ફળો દર્શાવવા માટે આપી છે. ઉપર્યુક્ત કથાસંગ્રહો ઉપરાંત જિનરત્નકોશમાં કેટલાક કથાકોશો વિભિન્ન નામોથી ઉલ્લિખિત મળે છે, જેમકે કથાકલ્લોલિની, કથાગ્રન્થ, કથાદ્વાત્રિશિકા (પરમાનન્દ), કથાપ્રબંધ, કથાશતક, કથાસમુચ્ચય, કથાસંચય વગેરે. આ બધાને તપાસવાથી જૈન કથાસાહિત્ય ઉપર વિશેષ પ્રકાશ પડવાની આશા છે. કેટલાક કથાકોશો અન્ય નામોથી પણ ઉપલબ્ધ થયા છે. પુણ્યાશ્રવકથાકોશ – પુણ્યાશ્રવકથાકોશ નામના કેટલાક કથાસંગ્રહો છે. વિષયની દૃષ્ટિએ આ સંગ્રહોમાં પુણ્યાર્જનના કારણભૂત કથાઓનો સંગ્રહ છે. પ્રસ્તુત સંગ્રહનું પરિમાણ ૪૫૦૦ શ્લોકપ્રમાણ છે.* આ સંગ્રહ સંસ્કૃત ગદ્યમાં છે. તે છ અધિકારોમાં વિભક્ત છે. તેમાં કુલ પ૬ કથાઓ છે. પ્રથમ પાંચ ખંડોમાં આઠ-આઠ (અષ્ટક) કથાઓ છે અને છઠ્ઠામાં ૧૬ છે. કથાઓનાં પ્રારંભિક પદ્યોની સંખ્યા પ૭ છે પરંતુ ૧૨મી અને ૧૩મી કથાઓને એક ગણવામાં આવી છે, તેથી કથાઓ પ૬ જ છે. આ કથાઓમાં ૧. ઉપર્યુક્ત કેટલાક કથાસંગ્રહોનો પરિચય બૃહત્કથાકોશની પ્રસ્તાવનામાં ડો. ઉપાધ્યએ આપેલા વિવરણમાંથી લીધો છે. ૨. પૃ. ૬૬-૬૭ ૩. જિનરત્નકોશ, પૃ. ૨પર; રામચન્દ્ર મુમુક્ષુકૃત, નેમિચન્દ્રગણિકૃત (ગ્રન્થાઝ ૪૫00) તથા નાગરાજકૃત રચનાઓ. કવિ રઈધૂએ અપભ્રંશમાં ‘પુષ્ણાવકહાકોસો' લખ્યો છે. ૪. જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર, ૧૯૬૪, હિન્દી અનુવાદ સહિત. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ તે પુરુષો અને સ્ત્રીઓનાં ચરિત્રો આલેખવામાં આવેલ છે જેમણે દેવપૂજા વગેરે ગૃહસ્થોનાં છ ધાર્મિક કૃત્યો કરવામાં વિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. પ્રથમ અષ્ટકની કથાઓ દેવપૂજાજન્ય પુણ્યનું માહાત્મ્ય દર્શાવે છે. બીજા અષ્ટકમાં ણમોકાર મન્ત્રનું માહાત્મ્ય, ત્રીજા અષ્ટકમાં સ્વાધ્યાયનું ફળ અને ચોથા અષ્ટકમાં શીલનો પ્રભાવ જણાવેલ છે. પાંચમા અષ્ટકમાં પર્વો ઉપર કરવામાં આવતા ઉપવાસનું મહત્ત્વ દર્શાવતી અને છઠ્ઠા અષ્ટકમાં પાત્રદાનથી થનારા પુણ્યને દર્શાવતી કથાઓ આપવામાં આવી છે. પ્રત્યેક કથાના આરંભમાં એક શ્લોકથી પંચતંત્ર-હિતોપદેશની જેમ કથાના વિષયનું સૂચન કરાયું છે. આ શ્લોકો કર્તાએ સ્વયં રચ્યા છે કે પાછળથી કોઈએ જોડી દીધા છે એનો નિર્ણય કરવો કઠિન છે. કથાઓ ગદ્યમાં છે, જે ઉપરથી તો સરળ જણાય છે પરંતુ પ્રાયઃ જટિલ છે. કથાઓની અંદર ઉપકથાઓ પણ આવી ગઈ છે.જન્માન્તરોની કથાઓના વર્ણનને કા૨ણે કથાવસ્તુમાં જટિલતા આવી ગઈ છે. જ્યાંત્યાં સંસ્કૃત-પ્રાકૃતનાં કેટલાંક પઘો બીજેથી ઉદ્ધૃત કરાયેલાં મળે છે. કર્તાએ કથાઓને કેટલાય સ્રોતોમાંથી લીધી છે અને ક્યાંક ક્યાંક સ્રોતનો નિર્દેશ પણ કરી દીધો છે.તેમાંથી કેટલીક કથાઓનો આધાર કન્નડ વડ્ડારાધના છે તથા અધિકાંશ કથાઓ રવિષેણકૃત પદ્મપુરાણ, જિનસેનકૃત હરિવંશપુરાણ, જિનસેનગુણભદ્રસ્કૃત મહાપુરાણ અને સંભવતઃ બૃહત્કથાકોશમાંથી લેવામાં આવી છે. જો કે આ કૃતિ આમ તો સંસ્કૃતમાં રચવામાં આવી છે છતાં લોકપ્રચલિત શૈલીમાં રચાઈ હોવાથી સંસ્કૃતવ્યાકરણના કઠોર નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું. તેની સંસ્કૃત ભાષા તત્કાલીન બોલીઓથી પ્રભાવિત છે. જ્યાંત્યાં કન્નડ શૈલીનો પ્રભાવ દેખાય છે. જૈન કાવ્યસાહિત્ય કર્તા અને રચનાકાળ કર્તાએ પ્રશસ્તિના ત્રણ શ્લોકોમાં પોતાનો પરિચય આપ્યો છે. તદનુસાર તેમનું નામ રામચન્દ્ર મુમુક્ષુ હતું. તે દિવ્યમુનિ કેશવનન્દિના શિષ્ય હતા. આ દિવ્યમુનિ કેશવનન્દિ કુકુન્દાન્વયી હતા, તથા મહાસંયમી, અનેક મુનિઓ અને નરેશોના વંદનીય, અને બહુખ્યાતિપ્રાપ્ત હતા. રામચન્દ્રે મહાયશસ્વી વાદિભસિંહ મહામુનિ પદ્મનન્દિ પાસે વ્યાકરણશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. - આ કથોકોશની રચના ક્યારે થઈ, એનો ક્યાંય ઉલ્લેખ નથી. કર્તાના સમયની પણ કોઈ માહિતી નથી. તો પણ તેમની વિદ્યમાનતા ૧૨મી સદીના પૂર્વાર્ધમાં સંભવિત માની શકાય. ૧. જુઓ – પુણ્યાશ્રવકથાકોશ પર લખેલી ભૂમિકા, પૃ. ૩૦-૩૨. Page #279 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય કુમારપાલપ્રતિબોધ (કુમારવાલ-પડિબોહ) આને જિનધર્મપ્રતિબોધ અને હેમકુમારચિ૨ત પણ કહે છે. તેમાં પાંચ પ્રસ્તાવ છે. પાંચમો પ્રસ્તાવ અપભ્રંશ અને સંસ્કૃતમાં છે. તે પ્રધાનતઃ પ્રાકૃતમાં લખાયેલી ગદ્યપદ્યમયી રચના છે. તેમાં ૫૪ કથાઓ સંગૃહીત છે. કર્તાએ દર્શાવ્યું છે કે આ કથાઓ દ્વારા હમેચન્દ્રસૂરિએ કુમારપાળને જૈનધર્મના સિદ્ધાન્ત અને નિયમો સમજાવ્યા હતા. આ સંગ્રહની અધિકાંશ કથાઓ પ્રાચીન જૈન શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે. તેમાં શ્રાવકનાં બાર વ્રતોનું મહત્ત્વ દર્શાવવા માટે તથા પાંચ-પાંચ અતિચારોનાં દુષ્પરિણામો દર્શાવવા માટે કથાઓ આપવામાં આવી છે. અહિંસાવ્રતનું મહત્ત્વ દર્શાવવા માટે અમરસિંહ, દામજ્ઞક આદિની કથા, દેવપૂજાનું માહાત્મ્ય દર્શાવવા માટે દેવપાલપદ્મોત્તર આદિની કથા, સુપાત્રદાન માટે ચન્દનબાળા, ધન્ય તથા કૃતપુણ્યની કથા, શીલવ્રતની મહત્તા દર્શાવવા માટે શીલવતી, મૃગાવતી આદિની કથા, દ્યુતક્રીડાનો દોષ દર્શાવવા માટે નલની કથા, પરસ્ત્રીસેવનનો દોષ દર્શાવવા માટે દ્વારિકાદહન તથા યાદવની કથા વગેરે આપવામાં આવી છે. અન્ને વિક્રમાદિત્ય, સ્થૂલભદ્ર, દશાર્ણભદ્રની કથાઓ પણ આપવામાં આવી છે. - = કર્તા અને રચનાકાળ આ કૃતિની રચના સોમપ્રભાચાર્યે કરી છે. સોમપ્રભના પિતાનું નામ સર્વદેવ અને પિતામહનું નામ જિનદેવ હતું. તે પોરવાડ જાતિના જૈન હતા. સોમપ્રભે કુમાર અવસ્થામાં જૈનદીક્ષા લીધી હતી. તે બૃહદ્ગચ્છના અજિતદેવના પ્રશિષ્ય અને વિજયસિંહસૂરિના શિષ્ય હતા. સોમપ્રભે તીવ્ર બુદ્ધિના પ્રભાવે બધાં શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી લીધો હતો. તે મહાવીરથી ચાલુ થયેલી પોતાના ગચ્છની ૪૦મી પટ્ટપરંપરાના આચાર્ય હતા. તેમની અન્ય રચનાઓ શતાર્થીકાવ્ય, શૃંગારવૈરાગ્યતરંગિણી, સુમતિનાથચરિત્ર, સૂક્તમુક્તાવલી આદિ ૨૫૭ ૧. જિનરત્નકોશ, પૃ. ૯૨; ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, સં. ૧૪, વડોદરા, ૧૯૨૦; તેનો ગુજરાતી અનુવાદ જૈન આત્માનંદ સભા, ભાવનગરથી સં. ૧૯૮૩માં પ્રકાશિત; વધુ માટે જુઓ વિન્ટરનિટ્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, ૫૭૦; આલ્સડોર્ફે આલ્ટ ઉન્ડ ન્યૂ ઈન્ડિશ સ્ટુડિયન, ૧૯૨૮, પૃ.૮ ઉપર તેનાં વિવરણોની સમીક્ષા કરી છે; પ્રદ્યોતકથા માટે ‘એનાલ્સ ઑફ ધી ભાંડારકર ઓ. રિસર્ચ ઈન્સ્ટી.’, ભાગ ૨, પૃ. ૧૨૧ જુઓ; જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૪૬૩-૪૭૨ ૨. વેલણક૨ કોમ્મેમોરેશન વોલ્યૂમ, પૃ. ૪૧-૪૪માં ડૉ. ઘાટગેનો લેખ જુઓ, Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ મળે છે. શતાર્થીકાવ્યની રચના કરી હોવાથી તેમનું ઉપનામ શતાર્થિક પણ થઈ ગયું હતું. જૈન કાવ્યસાહિત્ય કુમારપાલપ્રતિબોધની રચના સં. ૧૨૪૧માં થઈ હતી અર્થાત્ કુમારપાળના મૃત્યુ પછી ૧૧ વર્ષ બાદ. ઈતિહાસની દૃષ્ટિએ આ અધિક મહત્ત્વની રચના છે. ધર્માભ્યુદય – આ કૃતિને સંઘપતિચરિત્ર પણ કહેવામાં આવે છે. તેમાં ૧૫ સર્ગ છે અને આખી કૃતિનું પરિમાણ ૫૨૦૦ શ્લોકપ્રમાણ છે. આ કથાકાવ્યમાં મહામાત્ય વસ્તુપાલે કાઢેલી સંઘયાત્રાને નિમિત્ત બનાવી ધર્મના અભ્યુદયને દર્શાવનારી અનેક ધાર્મિક કથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેના પ્રથમ સર્ગમાં વસ્તુપાલની વંશપરંપરાનું વર્ણન છે તથા વસ્તુપાલના મંત્રી બનવાનો નિર્દેશ છે તથા પંદરમાં સર્ગમાં વસ્તુપાલની સંઘયાત્રાનું ઐતિહાસિક વિવરણ છે. તેથી આ કાવ્યને સંઘપતિચરિત નામ પણ આપવામાં આવ્યું છે. અન્ય સર્ગોમાં અર્થાત્ ૨થી ૧૪ સર્ગોમાં પરોપકાર, શીલવ્રત અને પ્રાણીઓ પ્રત્યે દાખવેલ અનુકમ્પાથી જન્ય પુણ્ય સંબંધી અનેક ધર્મકથાઓ તથા શત્રુંજય તીર્થના ઉદ્ધાર તેમજ માહાત્મ્ય સંબંધી અનેક કથાઓ આપવામાં આવી છે. રથી ૭ સર્ગોમાં પરોપકારનું માહાત્મ્ય, નવમા સર્ગમાં તપનું માહાત્મ્ય અને ૧૦થી ૧૪મા સર્ગમાં દીનાનુકમ્પનનું માહાત્મ્ય દર્શાવ્યું છે. આ સર્ગોમાં ગુરુ વિજયસેનસૂરિએ પોતાના શિષ્ય વસ્તુપાલને ઋષભદેવ, ભરત, બાહુબલિ, જમ્બુસ્વામી, યુગબાહુ અને નેમિનાથની કથાઓ સંભળાવી અને આ કથાઓની અંદર પણ વીસ જેટલી અવાન્તર કથાઓ કહી જેમકે અભયંકરનૃપકથા, અંગારકદષ્ટાન્ત, મધુબિન્દુઆખ્યાનક, કુબેરદત્ત-કુબેરદત્તાખ્યાનક અને શંખમ્પિક આદિ. આ બધી કથાઓ અનુષ્ટુલ્ છંદમાં જ કહેવામાં આવી છે પરંતુ આ સર્ગો (૨-૧૪)માં પ્રત્યેક સર્ગના અંતે છંદપરિવર્તન સાથે કેટલાક શ્લોકો જોડવામાં આવ્યા છે, આ શ્લોકોમાં વસ્તુપાલની પ્રશંસા છે તથા પ્રસ્તુત રચનાને મહાકાવ્ય ૧. જિનરત્નકોશ, પૃ. ૧૯૫; સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪, મુનિ ચતુરવિજયજી અને પુણ્યવિજયજી દ્વારા સંપાદિત, મુંબઈ, ૧૯૪૯ ૨. નેમિનાથચરિત્રના પ્રસંગમાં ઉદયપ્રભની જે સ્વતન્ત્ર રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સ્વતંત્ર નથી પરંતુ અહીંથી ઉદ્ધૃત અને અલગ પ્રકાશિત રચના છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૫૯ કહેવામાં આવેલ છે તેમજ આ કાવ્યને ઈતર મહાકાવ્યોની પદ્ધતિ અનુસાર “લક્ષ્મી' પદથી અંકિત કરવામાં આવેલ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે આ પ્રશસ્તિશ્લોકો મૂળ કર્તાના નથી પરંતુ પછીથી કૃતિની પ્રતિલિપિ કરનાર વસ્તુપાલે પોતે જ આ રચનાને ગરિમા પ્રદાન કરવા માટે જોડી દીધા છે. કથાત્મક આ સર્ગોની ભાષા પણ સહજ, સરળ અને મૃદુ છે. સાધારણ સંસ્કૃત જાણનાર પણ તેની ભાષા સરળતાથી સમજી શકે છે. કવિની શૈલી વર્ણનાત્મક છે, તેમાં કહેવતો અને લોકોક્તિઓનો પ્રયોગ બહુ અલ્પ થયો છે. આ કથાનક ભાગમાં સંસ્કૃતજ્ઞોમાં પ્રચલિત બોલચાલની ભાષાનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાષાને શબ્દાલંકારોથી શણગારવાનો પ્રયાસ સફળ છે. ભાષામાં અનુપ્રાસ અને યમકાલંકારોની રણનાત્મક ઝંકૃતિ જે અહીં છે તે અન્યત્ર બહુ ઓછી મળે છે. સાદશ્યમૂલક અર્થાલંકારોનો પ્રયોગ સ્વાભાવિક રીતે થયો છે. આ કાવ્યનો ઐતિહાસિક ભાગ (૧ અને ૧૫ સર્ગ)માં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે અને ભાષા પણ ઉદાત્ત છે. કવિ પરિચય અને રચનાકાળ – કાવ્યના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિ ઉપરથી જાણવા મળે છે કે તેના કર્તા નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ હતા. તેમના પહેલાં નાગેન્દ્રગચ્છમાં ક્રમશ: મહેન્દ્રસૂરિ, શાન્તિસૂરિ, આનન્દસૂરિ, અમરચન્દ્રસૂરિ, હરિભદ્રસૂરિ, વિજયસેનસૂરિ થયા. વિજયસેનસૂરિ જ ઉદયપ્રભસૂરિના અને વસ્તુપાલના ગુરુ હતા. ઉક્ત પ્રશસ્તિમાં ધર્માલ્યુદયના રચનાકાળનો ઉલ્લેખ ક્યાંય નથી. પરંતુ તેની જે સૌથી પ્રાચીન પ્રતિ મળી છે તેને સં. ૧૨૯૦માં સ્વયં વસ્તુપાળે પોતાના હાથે લખી છે. તેના અંતે આવો ઉલ્લેખ છે : સં. ૪ર૬૦ વર્ષે ચૈત્ર શુ. ११ रवौ स्तम्भतीर्थवेलाकूलमनुपालयता महं श्रीवस्तुपालेन श्रीधर्माभ्युदयमहाकाव्यपुस्तकमिदमलेखि । તેથી નિશ્ચિત છે કે આ કૃતિની રચના સં. ૧૨૯૦ પહેલાં થઈ છે. પ્રબંધચિન્તામણિ અનુસાર વસ્તુપાળે સંઘપતિ બનીને પ્રથમ તીર્થયાત્રા સં.૧૨૭૭માં કરી હતી. તેની પુષ્ટિ ગિરનારનો સં. ૧૨૯૩નો એક શિલાલેખ પણ કરે છે. તેથી ધર્માલ્યુદય મહાકાવ્યની રચના સં. ૧૨૭૭ પછી અને ૧૨૯૦ પહેલાં ક્યારેક થઈ છે. १. इति श्रीविजयसेनसूरिशिष्यश्रीउदयप्रभसूरिविरचिते श्रीधर्माभ्युदयनाम्नि संघपतिचरिते 'लक्ष्म्यङ्के મહાકાવ્ય તીર્થયાત્રવિધવો નામ..... સ ૨. ભૂમિકા, પૃ. ૧૪૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૦ જૈન કાવ્યસાહિત્ય સમ્યક્તકૌમુદી – આ નામની અનેક રચનાઓ મળે છે. કેટલીકનાં નામ સમ્યત્વકૌમુદીકથાનક, સમ્યત્વકૌમુદીકથા, સમ્યત્વકૌમુદી કથાકોષ, સમ્યક્તકૌમુદીચરિત્ર અને સમ્યક્તકૌમુદી પણ છે. આ નામોની અંદર આવેલા સમ્યક્ત (જૈનધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા) સંબંધી અનેક લઘુકથાઓનો સંગ્રહ છે. વિભિન્ન કથાઓ એક પ્રધાન કથાના ચોકઠામાં સમાવવામાં આવી છે, તે આ પ્રમાણે છે – રાતે અહંદ્રદાસ શેઠ પોતાની આઠ પત્નીઓને કથાઓ સંભળાવે છે કે પોતાને કેવી રીતે સમ્યક્ત પ્રાપ્ત થયું અને પેલી પત્નીઓ પણ પોતાનો વારો આવતાં પોતપોતાને થયેલા સમ્યક્તની કથાઓ કહે છે. આ કથાઓને તે વખતે છૂપાવેશે મંત્રી સાથે ત્યાં આવેલા રાજાએ અને ત્યાં છુપેલા ચોરે સાંભળી. આ કથાઓમાં એક કથા રાજા સુયોધનની છે. તે રાજા પોતાના સત્યનારાયણ કોટવાળને જાળમાં ફસાવવા માટે પોતાના ખજાનામાં ધાપ મારે છે. કોટવાળ તેને સાત દિવસ સુધી સાત કથાઓ દ્વારા ચેતવણી આપી છોડી મૂકે છે પરંતુ અંતે રાજાનો ચોરના રૂપમાં ભેદ ખુલી જાય છે અને લોકો તેને રાજગાદી પરથી ઉઠાડી મૂકે છે. આ લઘુ કથાકોશ જુદા જુદા કર્તાઓએ રચેલો ઉપલબ્ધ છે. જે આજ સુધી જાણવામાં આવેલ પ્રાચીન કૃતિઓમાં સૌથી પ્રાચીન આ સમ્યક્તકૌમુદી છે, તેની રચના મદનપરાજયના કર્તા નાગદેવે કરી છે. તે લગભગ ૧૪મી સદીના પૂર્વાર્ધના વિદ્વાન છે. તેની પ્રાચીનતમ પ્રતિ સં. ૧૪૮૯ની મળી છે. તેમાં ૩૦૦૦ શ્લોક છે, તેમાં જુદી જુદી આઠ કથાઓ આપવામાં આવી છે. ધર્મકલ્પદ્રુમ – આ નવ પલ્લવોમાં વિભક્ત બૃહત્ કથાકોશ છે. તેનો ગ્રન્થાગ્ર ૪૮૧૪ શ્લોકપ્રમાણ છે. તેમાં અનેક રોચક કથાઓ આપવામાં આવી છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૨૪ ૨. જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૪, પૃ. ૨૧૦-૨૧૧; તેમાં નાગદેવકૃત રચનાનો પરિચય નથી આપ્યો. ૩. જૈન ગ્રન્થરત્ન કાર્યાલય, હીરાબાગ, મુંબઈથી પ્રકાશિત; વિષયની તુલના અને કર્તાના નિર્ણય માટે જુઓ – વર્ણ અભિનન્દન ગ્રન્થમાં શ્રી રાજકુમાર જૈનનો લેખ “સમ્યક્તકૌમુદીના કર્તા', પૃ. ૩૭૫-૩૭૯ ૪. જિનરત્નકોશ, પૃ. ૧૮૮; દેવચન્દ્ર લાલભાઈ પુસ્તકોદ્ધાર, ગ્રન્થાંક ૪૦, મુંબઈ, સં.૧૯૭૩; જુઓ હર્ટલનો લેખ : ઝેડ. ડી. એમ. જી., ભાગ ૬૫, પૃ. ૪૨૯ વગેરે. Page #283 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૬૧ કર્તા અને રચનાકાળ – આની રચના મુનિસાગર ઉપાધ્યાયના શિષ્ય ઉદયધર્મે આનન્દરસૂરિના પટ્ટકાળમાં કરી હતી. આનન્દરત્ન આગમગચ્છીય આનન્દપ્રભના પ્રશિષ્ય અને મુનિરત્નના શિષ્ય હતા. મુનિસાગરના શિષ્ય ઉદયધર્મ વિશે તથા પટ્ટધર આનન્દરત્ન વિશે સાહિત્યિક તેમજ પટ્ટાવલીઓના આધારે માહિતી મેળવવા પ્રયત્ન કરવા છતાં કોઈ માહિતી મળી શકી નથી એટલે રચનાકાળ વિશે કહેવું મુશ્કેલ છે. જર્મન વિદ્વાન વિન્ટરનિટ્સનું અનુમાન છે કે તે ૧૫મી સદીના કે તે પછીના ગ્રન્થકર્તા છે. કલ્પદ્રુમ નામની અન્ય રચનાઓ પણ મળે છે. તેમાંથી બે અજ્ઞાતકર્તક છે, એકનું નામ વીરદેશના પણ છે. અન્ય બેમાંથી એકના રચનાર પૂર્ણિમાગચ્છીય ધર્મદેવ છે અને તેમણે કૃતિને સં. ૧૬૬૭માં રચી હતી. બીજી રચનાનું નામ પરિગ્રહપ્રમાણ છે અને તે એક લઘુ પ્રાકૃત કૃતિ છે. તેના કર્તા ધવલસાર્થ (શ્રાદ્ધ – શ્રાવક) છે. દાનપ્રકાશ – આ કથાગ્રન્થ આઠ પ્રકાશોમાં વિભક્ત છે. તેનો ગ્રન્યાગ્ર ૩૪૦ શ્લોકપ્રમાણ છે. તેમાં વસતિદાન ઉપર કુરચન્દ્ર-તારાચંન્દ્રકૃપકથા (૧ પ્ર.), શપ્યાદાન ઉપર પધાકર શેઠની કથા (૨ પ્ર.), આસનદાન ઉપર કરિરાજમહીપાલની કથા (૩ પ્ર.), ભક્તદાન ઉપર કનકરથની કથા (૪ પ્ર.),પાણીદાન ઉપર ભદ્રઅતિભદ્ર નૃપની કથા (પ પ્ર.), ઔષધિદાન ઉપર રેવતીની કથા (૬ પ્ર.), વસ્ત્રદાન ઉપર ધ્વજભુજંગની કથા (૭ પ્ર.), પાત્રદાન ઉપર ધનપતિની કથા (૮ પ્ર.) આપવામાં આવી છે. , કર્યા અને રચનાકાળ – કૃતિના અંતે ચાર શ્લોકની પ્રશસ્તિ આપવામાં આવી છે. તે ઉપરથી જાણવા મળે છે કે તેની રચના તપાગચ્છના વિજયસેનસૂરિના પ્રશિષ્ય સોમકુશલગણિના શિષ્ય કનકકુશલગાણએ સં. ૧૬૫૬માં કરી હતી. કનકકુશલની અન્ય કૃતિઓ પણ મળે છે – જિનસ્તુતિ (સં. ૧૬૪૧), કલ્યાણમન્દિરસ્તોત્રટીકા, ભક્તામરસ્તોત્રટીકા, ચતુર્વિશતિસ્તોત્રટીકા, પંચમીસ્તુતિ (ચારે સં. ૧૬૫૨), વિશાલલોચનસ્તોત્રવૃત્તિ (સં.૧૯૫૩), સકલાસ્તિોત્રટીકા ૧. વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૪૫ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૮૮-૧૮૯. ૩. બન્ને પ્રકાશિત. ૪. સ્તુતિસંગ્રહમાં મહેસાણાથી સન્ ૧૯૧૨માં પ્રકાશિત. ૫. અપ્રકાશિત. ૬. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનાં પ્રથમ ૨૬ પદ્યો ઉપર ટીકા, જૈન આત્માનન્દ સભા, ભાવનગરથી ૧૯૪રમાં પ્રકાશિત. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ (સં.૧૬૫૪), કાર્તિકશુક્લપંચમીકથા (અપરનામ જ્ઞાનપંચમીકથા, સૌભાગ્યપંચમીકથા, વરદત્તગુણમંજરીકથા - સં. ૧૬૫૫), સુરપ્રિયમુનિકથા (સં.૧૯૫૬), રોહિણ્યશોકચન્દ્રનૃપકથા (સં.૧૬૫૭), અક્ષયતૃતીયાકથા (ગદ્ય), દીપાલિકાકલ્પ (પ્રાકૃત), રત્નાકરપંચવિંશતિકાટીકા અને મૃગસુન્દરીકથા (સં. ૧૬૬૭). ૩ ઉપદેશપ્રાસાદ – એ એક વિશાળ કથાકોશ છે. તેમાં ૨૪ સ્તંભ છે. પ્રત્યેક સ્તંભમાં ૧૫-૧૫ વ્યાખ્યાન છે. આમ બધાં મલીને કુલ ૩૬૦ વ્યાખ્યાન થાય છે. આ ગ્રન્થની પ્રાસાદ સંજ્ઞાની સિદ્ધિ માટે ૩૬૧મું વ્યાખ્યાન કહેવામાં આવ્યું છે. તેમાં કુલ મળીને દૃષ્ટાન્તકથાઓ ૩૪૮ છે તથા ૯ પર્વકથાઓ આપવામાં આવી છે. જૈન કાવ્યસાહિત્ય વિષયની દૃષ્ટિએ પ્રથમ ચાર સ્તંભોમાં સમ્યક્ત્વના પ્રકારોનું વર્ણન છે, પથી ૧૨ સ્તંભોમાં શ્રાવકના બાર વ્રતોનું વર્ણન છે, ૧૩મામાં જિનપૂજા, તીર્થયાત્રા અને નવકારજાપનું મહત્ત્વ દર્શાવ્યું છે, ૧૪મામાં તીર્થંકરોના પાંચ કલ્યાણક, દીપોત્સવ વગેરેનું વર્ણન છે, ૧૫થી ૧૭માં જ્ઞાનપંચમી વગેરે પર્વોનું વર્ણન છે, ૧૮મામાં જ્ઞાનાચારનું, ૧૯મામાં તપાચારનું અને ૨૦મામાં વીર્યાચારનું વર્ણન છે, ૨૧થી ૨૩માં જ્ઞાનસાર ગ્રન્થનાં ૩૨ અષ્ટકો તથા પ્રકીર્ણ વિષયોનું નિરૂપણ છે, અને ૨૪મામાં અનેક વિષયોનું નિરૂપણ છે. આ વિષયોના વિવેચનમાં દૃષ્ટાન્ત તરીકે જે કથાઓ આપવામાં આવી છે તેમનાથી આ કથાકોશ વિશાળ બની ગયો છે. આમાં અનેક પૌરાણિક, ઐતિહાસિક, આચાર સંબંધી તથા જનપ્રિય કથાઓ જોવા મળે છે. જૈન શ્રાવકો માટે આ કૃતિ બહુ મહત્ત્વની છે. આ કથાઓમાંથી પર્વો સંબંધી કથાઓને ‘પર્વકથાસંગ્રહ’૪ નામથી અલગથી પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં આષાઢ-ચાતુર્માસિક, દીપાલવી, કાર્તિકપ્રતિપદા, જ્ઞાનપંચમી, કાર્તિકી પૂર્ણિમા, મૌન એકાદશી, રોહિણી-હુતાશની વગેરે પર્વોની કથાઓ આપવામાં આવી છે. ૧. પ્રકાશિત ૨. બન્ને પ્રકાશિત ૩. જૈનધર્મ પ્રસારક સભા, ગ્રન્થ સં. ૩૩-૩૬, ભાવનગર, ૧૯૧૪-૧૯૨૩; ત્યાંથી જ પાંચ ભાગોમાં ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત થયો છે. વિ.સં.૨૦૦૧; ૪. ચારિત્રસ્મારક ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૩૪, અમદાવાદ, સૌભાગ્યપંચમ્યાદિપર્વકથાસંગ્રહ' નામથી હિન્દી જૈનાગમ પ્રકાશક સમિતિ કાર્યાલય, કોટાથી વિ.સં.૨૦૦૬માં પ્રકાશિત. Page #285 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૬૩ કર્તા અને રચનાસમય – ૨૪મા તંભના અંતે પ૧ પદ્યોમાં ગુરુપટ્ટાનુક્રમ આપ્યો છે અને તેના પછી ૩૪ પદ્યોની મોટી પ્રશસ્તિ આપી છે. ગુરુપટ્ટાનુક્રમમાં સુધર્મા સ્વામીથી શરૂ કરી પોતાના સમય સુધીની ગુરુપરંપરા આપી છે અને તપાગચ્છની ઉત્પત્તિ ઉપર પ્રકાશ ફેંક્યો છે. ત્યાર પછી તપાગચ્છની પટ્ટાવલી આપી છે, તેમાંથી જાણવા મળે છે કે કર્તા વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય હતા. તેમનું નામ વિજયલક્ષ્મી હતું અને તેમણે આ કૃતિ ઉપર પ્રેમવિજય આદિ મુનિઓના અભ્યાસ માટે ઉપદેશસંગ્રહ નામની વૃત્તિ લખી હતી, તે વૃત્તિ સં. ૧૮૪૩માં સમાપ્ત થઈ હતી. પટ્ટાવલીપરાગમાં પૃષ્ઠ ૨૦૬ ઉપર આપવામાં આવેલી તપાગચ્છાન્તર્ગત વિજયાનન્દસૂરિગચ્છપરંપરામાં તેમનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. સિરોડી અને હણાદરા વચ્ચે આવેલા પાલડી ગામમાં સં. ૧૭૯૭માં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ હેમરાજ અને માતાનું નામ આનંદીબાઈ હતું. સં. ૧૮૧૪માં નર્મદા તટ ઉપર આવેલા સિનોરમાં દીક્ષા, તે જ વર્ષે સૂરિપદ અને સં. ૧૮૫૮માં સૂરતમાં સ્વર્ગવાસ થયો હતો. ધર્મકથા – સંસ્કૃતમાં લખાયેલો આ કથાગ્રન્થ બૃહત્ છે. તેમાં નાનીમોટી ૧૫ કથાઓ આપવામાં આવી છે. તેમાં સીતાચરિત્રમહાકાવ્ય ૪ સર્ગોમાં વર્ણિત છે, તેના પપ૬ શ્લોક છે. અન્ય ચરિત્રોમાં અસત્ય ભાષણ ઉપર ઋષિદત્તાકથા (૪૮૫ શ્લોક), સમ્યક્ત ઉપર વિક્રમસેનકથા (૨૩૩ શ્લોક) અને વજકર્ણકથા (૯૯ શ્લોક), જીવદયા ઉપર દામન્નકકથા (૧૦૪ શ્લોક), સત્યવ્રત ઉપર ધનશ્રીકથા, ચોરી ઉપર નાગદત્તકથા, બ્રહ્મચર્ય ઉપર ગજસુકુમાલકથા, પરિગ્રહપરિમાણ ઉપર ચારુદત્તકથા, રાત્રિભોજન ઉપર વસુમિત્રકથા, દાન ઉપર કૃતપુણ્યકથા, શીલ ઉપર નર્મદાસુન્દરીકથા (૨૦૫ શ્લોક) અને વિલાસવતીકથા (પર૨ શ્લોક), તપ ઉપર દઢપ્રહારિકથા અને ભાવના ઉપર ઈલાતીપુત્રકથા આપવામાં આવી છે. કર્તા યા સંગ્રહકર્તાનું નામ અજ્ઞાત છે પરંતુ પ્રશસ્તિમાં રચનાસંવત્ ૧૩૩૯ (દ્વિતીય કાર્તિક વદી) આપવામાં આવ્યો છે. એકાદશગણધરચરિત – આનો ગ્રન્યાગ્ર ૬૫૦૦ શ્લોકપ્રમાણ છે. આમાં મહાવીરના અગીઆર ગણધરોની કથાઓ સંકલિત છે. તેની રચના ખરતરગચ્છના દેવમતિ ઉપાધ્યાયે કરી છે. ૧. ૫. કલ્યાણવિજયગણિકૃત ૨. જિનરત્નકોશ, પૃ. ૧૮૮; પાટણ ગ્રન્થભંડાર સૂચી, ભાગ ૧, ૧૭૫-૧૭૬. ૩. જિનરત્નકોશ, પૃ. ૬૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જેન કાવ્યસાહિત્ય યુગપ્રધાનચરિત – યુગપ્રધાન આચાર્યોનાં સમુદિત ચરિત્રને વિષય બનાવી ૬OO૦ ગ્રન્થાગ્ર શ્લોકપ્રમાણ એક રચના થઈ હોવાનો ઉલ્લેખ જૈન ગ્રન્થાવલિમાં મળે છે.૧ સપ્તવ્યસનકથા – સપ્તવ્યસન એટલે જુગાર, ચોરી, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રીસેવન, મદ્ય અને માંસભક્ષણનાં દુષ્પરિણામોને દર્શાવવા માટે સાત કથાઓના સંગ્રહ રૂપ કેટલીક કૃતિઓ મળી છે. તેમાં સોમકીર્તિ ભટ્ટારકકૃત સપ્તવ્યસનકથા(સં.૧પ૨૬)માં સાત સર્ગ છે. કથાસાહિત્યનો આ સારો ગ્રન્થ છે. અન્ય રચનાઓમાં સકલકીર્તિકૃત ૧૮OO ગ્રન્થાગ્રપ્રમાણ તથા ભુવનકીર્તિકૃત ૩૫૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ અને કેટલીક અન્યકર્તક સપ્તવ્યસનકથાઓ મળે છે. સમિતિગુપ્તિકષાયકથા – આમાં ઉક્ત વિષયની કથાઓનો સંગ્રહ છે. તેની રચના તપાગચ્છીય કમલવિજયગણિના શિષ્ય કનકવિજયે કરી છે. રચનાકાળ જ્ઞાત નથી. કામકુક્ષ્માદિકથાસંગ્રહ– આ પાંચ કથાઓનો સંગ્રહ છે. તે વિજયનીતિસૂરિના શિષ્ય પંન્યાસ દાનવિજયજીના સદુપદેશથી પ્રકાશિત થયો છે. તેમાં સંસ્કૃત ગદ્યમાં કામકશ્મકથા અપરનામ પાપબુદ્ધિધર્મબુદ્ધિકથા, તથા પાંચ પાપોનું સેવન કરનાર સુભૂમ ચક્રવર્તીની કથા, અભયદાન દેનાર દામન્નકની કથા, તથા ચાર નિયમોનું પાલન કરનાર વંકચૂલની કથા અને શીલ પાળનારી નર્મદાસુન્દરીની કથા છે. બધી કથાઓ રોચક અને ઉપદેશપ્રદ છે. અન્ય કથાકોશો યા સંગ્રહોમાં નીચે જણાવેલ કૃતિઓ મળે છે : અમરસેનવજસેનાદિકથાદશક, આવશ્યકકથાસંગ્રહ, અષ્ટાદશકથા (સકલકીર્તિ સં. ૧૫૨૨), ઉપાસકદશકથા (પૂર્ણભદ્ર સં. ૧૨૭૫, પ્રાકૃત), ઉત્તરાધ્યયનકથાસંગ્રહ ૨ (શુભશીલ સં. ૧પ૬૦), ઉત્તરાધ્યયનકથાઓ . ૧. જિનરત્નકોશ, પૃ. ૩૨૧ ૨-૫એજન, પૃ. ૪૧૬ ૬.એજન, પૃ. ૪૨૧ ૭. એજન, પૃ. ૮૪ ૮. એજન, પૃ. ૧૫ ૧૦. એજન, પૃ. ૧૯ ૧૨. એજન, પૃ. ૪૫ ૯. ૧૧. ૧૩. એજન, પૃ. ૩૪ એજન, પૃ. પ૬ એજન, પૃ. ૪૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૬૫ (પાસાગરગણિકૃત સં. ૧૬૫૭, અને પુણ્યનન્દનમણિ કૃત તથા બે અજ્ઞાતકર્તૃક), અનંગસિહાદિકથા', દ્વાદશકથા (લમીસૂરિકૃત તથા અજ્ઞાતકર્તક) , દ્વાદશભાવનાકથા, દ્વાદશવ્રતકથા (ચરિત્રકીર્તિગણિ), દશદષ્ટાન્નચરિત્ર (અનન્તહંસ સં. ૧૫૭૧), દશદષ્ટાન્તકથા (અભયધર્મવાચક), દશશ્રાવક ચરિત્ર (શુભવર્ધન સં. ૧૫૪૨), દાનચતુષ્ટયકથા, ધર્માખ્યાનકોશ (વિનયચન્દ્ર), ધર્મોપદેશકથા, ધનમિત્રાદિકથા', કનકઐક્યાદિકથા, ઢંઢણકુમારાદિકથા', મોદકાદિકથા', વજાયુધાદિકથા", વાર્ષિકકથાસંગ્રહ, વેણવત્સરાજાદીનાં કથા, શિક્ષાચતુટ્યકથા, શ્રાવકદિનકૃત્યદૃષ્ટાન્તકથા, શ્રાવકવ્રતકથાસંગ્રહ, સનકુમારાદિકથાસંગ્રહ ૧ (૪૮ કથાઓ), શ્રીએણકુમારાદિકથા, સ્મરનરેન્દ્રાદિકથા૩, સોમભીમાદિકથા, સપ્તનિહ્નવકથા", હૃસ્વકથાસંગ્રહ, (સં. ૧૪૧૩), પંચાણુવ્રતકથા, પાર્શ્વનાથચરિત્રસમ્બદ્ધદશદષ્ટાન્તકથા", પુરુષદેવપંચકલ્યાણકકથા, ભરતાષ્ટપટ્ટનૃપચરિત્ર, ચતુરશીતિધર્મકથા", દ્વાર્વિશતિપરીષહકથા”, વગેરે. આ કથાકોશોમાં ચાર પ્રકારની આરાધના – તપ, શીલ, જ્ઞાન, ભાવના – તથા અહિંસા આદિ ૧૨ વ્રત, દાન, પૂજા આદિના વિવિધ પ્રકારોનું માહાભ્ય, તથા જ્ઞાનપંચમી આદિ વ્રતો અને પર્વો તથા તીર્થોના માહાસ્ય ઉપરાંત નીતિકથાઓ, પ્રાણિકથાઓ અને રોચક કલ્પનાકથાઓ, અદ્ભુત કથાઓ અને મુગ્ધ કથાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ધર્મકથાસાહિત્યની સ્વતંત્ર રચનાઓ પૂર્વોક્ત વિશાળ પૌરાણિક સાહિત્ય તથા કથાકોશોમાં જે અનેક પ્રકારનાં કથાનકો આવ્યાં છે તેમાંથી અનેકને સ્વતંત્ર રચનાના રૂપમાં રજૂ કરવામાં આવ્યાં ૧. જિનરત્નકોશ, પૃ. ૬ ૨-૭. એજન, પૃ. ૧૮૪ ૮. એજન, પૃ. ૧૭૨ ૯. એજન, પૃ. ૧૯૪ ૧૦. એજન, પૃ. ૧૯૫ ૧૧. એજન, પૃ. ૧૮૭ ૧૨. એજન, પૃ. ૬૪ ૧૩. એજન, પૃ. ૧૫૧ ૧૪. એજન, પૃ. ૩૧૫ ૧૫.એજન, પૃ.૩૪૦ ૧૬. એજન, પૃ. ૩૪૮ ૧૭. એજન, પૃ. ૩૬૫ ૧૮. એજન, પૃ. ૩૮૩ ૧૯. એજન, પૃ. ૩૯૨ ૨૦. એજન, પૃ. ૩૯૪ ૨૧.એજન, પૃ. ૪૧૨ ૨૨. એજન, પૃ. ૩૯૮ ૨૩.એજન, પૃ.૪૫૬ ૨૪. એજન, પૃ. ૪પર ૨૫. એજન, પૃ. ૪૧૫ ૨૬ એજન, પૃ.૪૬૩ ૨૭. એજન, પૃ. ૨૩૦. ૨૮. એજન, પૃ.૨૪૪ ૨૯. એજન, પૃ.૨૫૩ ૩૦. એજન, પૃ. ૨૯૨ ૩૧.એજન, પૃ. ૧૧૩ ૩૨. વિનય ભક્તિ સુન્દર ચરણ ગ્રન્થમાલા, પમું પુષ્પ, વિ.સં.૧૯૯૬ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જેન કાવ્યસાહિત્ય છે. તે ઉપરાંત લૌકિક કથાઓને ધર્મકથાના રૂપમાં પરિવર્તિત કરવા માટે તેમનામાં જ્યાંત્યાં ફેરફારો કરી કલ્પિત ધર્મકથાસાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. ધર્મકથાસાહિત્યની સ્વતંત્ર રચનાઓને આપણે ભિન્ન ભિન્ન શૈલીઓમાં દેખીએ છીએ. વ્યક્તિગત રચનાઓનો પરિચય સાથે આ શૈલીઓનો નિર્દેશ અમે કર્યો છે. તેમની અન્ય વિશેષતાઓને દર્શાવવાથી ગ્રન્થનું કલેવર વધી જવાનો ભય છે, તેથી જયાં જેની આવશ્યકતા જણાશે ત્યાં તેનો નિર્દેશ માત્ર કરવામાં આવશે. સ્વતંત્ર રચનાઓના વર્ણનક્રમમાં અમે એક સુવિધાજનક વર્ગીકરણનું અવલંબન લીધું છે, તેને વૈજ્ઞાનિક યા આલોચનાત્મક વર્ગીકરણ ન કહી શકાય. ક્યાંક અમે ઘટનાઓ યા કથાસૂત્રનું એકસરખું અનુસરણ કરનારી રચનાઓનો એક સ્થાને પરિચય આપ્યો છે તો ક્યાંક એકસરખો કલ્પનાબમ્પ (motir) ધરાવતી કૃતિઓનું, ક્યાંક પુરુષપ્રધાન કથાઓનું તો ક્યાંક સ્ત્રીપ્રધાન કથાઓનું વિવરણ એક સ્થાને રજૂ કર્યું છે. વળી, તીર્થો, પર્વો અને સ્તોત્રોનું માહાભ્ય પ્રગટ કરનારી કથાઓનો પરિચય પણ એક ક્રમમાં દેવાનો પ્રયાસ કર્યો છે. અત્તે અભુતકથાઓ, મુગ્ધકથાઓ અને પ્રાણિકથાઓ રૂપી નીતિસંબંધી કથાઓ ઉપર જૈન કથાકારોની સફળ રચનાઓનો પરિચય આપ્યો છે. પુરુષપાત્રપ્રધાન પ્રમુખ રચનાઓ સમરાઈકહા – ધર્મકથાની સાથે સાથે આ એક પ્રાકૃત ભાષાની વિશાળ કૃતિ છે. આમાં ૯ પ્રકરણો છે, તેમનાં નામો ભવનામો ઉપરથી રાખવામાં આવ્યાં ૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૯; બિબ્લિયોથેકા ઈન્ડિકા સિરિઝ, કલકત્તા, ૧૯ર૬; વિન્ટરનિટ્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૨૩-પર૫; સંસ્કૃત છાયા સાથે બે ભાગોમાં ક્રમશઃ ૧૯૩૮ અને ૧૯૪૨માં અમદાવાદથી પ્રકાશિત; ભવ ૧, ૨, ૬, મધુસૂદન મોદી, અંગ્રેજી અનુવાદ અને ભૂમિકા, અમદાવાદ, સન્ ૧૯૩૩૩૬; ભવ ૨, ગોરેકૃત અંગ્રેજી ભૂમિકા, અનુવાદ સાથે, પૂના, ૧૯૫૫; આના ઉપર પદ્મવિજયે નવ ખંડો અને ગેય ઢાળોમાં સં.૧૮૩૯-૪૨માં ગુજરાતી રાસ લખ્યો છે; તેના ઉપર શિવજી દેવસી શાહે નવલકથા લખી છે જેને મેઘજી હીરજીએ મુંબઈથી પ્રકાશિત કરી છે; બીજી નવલકથા “વેરનાં વિપાક' શીર્ષક નીચે ભીમજી હરજીવન “સુશીલે Page #289 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૬૭ છે. તેમાં જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત ગદ્યની પ્રધાનતા છે પરંતુ જયાંત્યાં શૌરસેનીનો પ્રભાવ જણાય છે. વચ્ચે વચ્ચે પદ્યભાગ પણ આવે છે, તે આર્યા છંદમાં છે પરંતુ દ્વિપદી, વિપુલા વગેરે છંદોનો પ્રયોગ પણ થયો છે. ભાષા સરળ અને પ્રવાહી છે. સુબંધુ અને બાણની કૃતિઓ જેવી જટિલ ભાષાનો પ્રયોગ સામાન્યતઃ નથી થયો, તો પણ ક્યાંક ક્યાંક વર્ણનપ્રસંગે લાંબા સમાસો અને ઉપમા વગેરે અલંકારોનો પ્રયોગ થયો છે જેનાથી કર્તાનું કાવ્યકૌશલ જ્ઞાત થાય છે. તેનાં કેટલાંક વર્ણનો બાણની કાદમ્બરી અને શ્રીહર્ષની રત્નાવલિથી પ્રભાવિત છે. આ વિશાળ રચનાનો ગ્રન્થાઝ ૧૦૦૦૦ શ્લોકપ્રમાણ છે. આ કથાગ્રન્થમાં બે જ આત્માઓના નવ માનવભવોનું વિસ્તૃત અને સરળ વર્ણન છે. તે છે – ઉજ્જૈનના રાજા સમરાદિત્ય (પછીથી સમરાદિત્ય કેવલી) અને તેમને અગ્નિથી ભસ્મસાત્ કરવામાં તત્પર ગિરિસેન ચાંડાલ. એક પોતાના પૂર્વભવોથી પાપોનો પશ્ચાત્તાપ, ક્ષમા, મૈત્રી આદિ ભાવનાઓ દ્વારા ઉત્તરોત્તર વિકાસ કરે છે અને છેવટે પરમ જ્ઞાની અને મુક્ત થઈ જાય છે તો બીજો બદલો લેવાની ભાવના સાથે સંસારમાં બુરી રીતે ફસાયેલો રહે છે. કથાવસ્તુ–સમરાદિત્ય અને ગિરિસેન પોતાના માનવભવોના નવમા પૂર્વભવમાં ક્રમશઃ રાજપુત્ર ગુણસેન અને પુરોહિતપુત્ર અગ્નિશર્મા હતા. અગ્નિશર્માની કુરૂપતાની ગુણસેન અનેક રીતે હાંસી ઉડાવતો હતો, તેથી વિરક્ત થઈ અગ્નિશર્માએ દિીક્ષા ગ્રહણ કરી લીધી અને માસોપવાસ સંયમનું પાલન કર્યું. રાજપદ મળતાં ગુણસેને અગ્નિશર્મા તપસ્વીને ક્રમશઃ ત્રણ વાર આહાર માટે આમંત્રિત કર્યા પરંતુ ત્રણ વાર રાજકાજમાં વ્યસ્ત હોવાથી તેમને ભોજન ન કરાવી શક્યા. તેથી અગ્નિશમ સમજ્યા કે રાજાએ વેર લેવા માટે જ પોતાને ત્રણ વાર નિમંત્રિત કરીને આહારથી વંચિત રાખ્યો. તેથી ક્રોધે ભરાઈને તેમણે મારશાન્તિક સંલેખના દ્વારા પ્રાણત્યાગ કર્યો અને પ્રાણત્યાગના સમયે એ વાતનું નિદાન (ફલેચ્છા) કર્યું કે “મારા તપ, સંયમ અને ત્યાગનું જો કંઈ ફળ મળવાનું હોય તો જન્મજન્માન્તરોમાં આ મારા અપમાનનો બદલો હું ગુણસેનના જીવને મારી લેતો રહું.’ આ નિદાનને ભાવનગરથી સંવત્ ૨૦૦૨માં પ્રકાશિત કરી છે; તેનો હિંદી અનુવાદ (શ્રી કસ્તૂરમલ બાંઠિયા) જિનદત્તસૂરિ સેવાસંઘ, મદ્રાસ-મુંબઈથી સં.૨૦૨૧માં પ્રકાશિત થયો છે; આ મહાગ્રંથનો ગુજરાતી અનુવાદ હેમસાગરસૂરિએ આનન્દોમ ગ્રન્થમાલા (૩૧-૩૩), ખારાકુવા, મુંબઈથી સન્ ૧૯૬૬ ઈ.માં પ્રકાશિત કર્યો છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કા૨ણે અગ્નિશર્માનું ઉત્તરોત્તર અધઃપતન થતું રહ્યું જ્યાં સુધી તેને અન્તે ‘અહો! તેની મહાનુભાવતા' એ ભાવ દ્વારા આત્મબોધ ન થયો. અગ્નિશર્માની બદલાની ભાવનાનો ક્રમ આઠ માનવભવો સુધી ચાલતો રહ્યો. તે બન્ને આગળના ભવોમાં ક્રમશઃ (૧) પિતા-પુત્ર રૂપે સિંહ-આનન્દ, (૨) પુત્રમાતા રૂપે શિખિ-જાલિની, (૩) પતિ-પત્ની રૂપે ધન-ધનશ્રી, (૫) સહોદરોના રૂપે જય-વિજય, (૬) પતિ-પત્ની રૂપે ધરણ-લક્ષ્મી, (૭) પિતરાઈ ભાઈઓના રૂપમાં સેન-વિષેણ, (૮) રાજકુમાર ગુણચન્દ્ર અને વાનમન્તર વિદ્યાધર અને અન્તે (૯) સમરાદિત્ય અને ગિરિસેન થયા. આ નવ ભવોમાં (પ્રકરણોમાં) અનેક અવાન્તર કથાઓ આપી છે : પ્રથમ ભવમાં વિજયસેન આચાર્યની, બીજામાં અમરગુપ્ત-ધર્મઘોષ અવધિજ્ઞાનીની, ત્રીજામાં વિજયસિંહ આચાર્યની, ચોથામાં યશોધર-નયનાવલીની, પાંચમામાં સનન્કુમારની, છઠ્ઠામાં અર્હત્તની, સાતમામાં કેવલી સાધ્વીની, આઠમામાં વિજયધર્મની તથા નવમામાં પાંચ અવાન્તરકથાઓ આપી છે જેમનું પ્રયોજન જન્મજન્માન્તરનાં કર્મફળોનું વિવેચન કરવાનું છે. આ કૃતિની અવાન્તર કથાઓ પરવર્તી અનેક રચનાઓનું ઉપજીવ્ય બની છે. ચોથા ભવની અવાન્તર કથા યશોધર ઉપર તો ૨૪થી વધુ પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ કાવ્યો રચાયાં છે. પ્રારંભમાં ગ્રંથકારે પોતાની કથાના સ્રોત તરીકે પ્રાપ્ત આઠ↑ સંગ્રહણી ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમાંની ત્રણ નીચે પ્રમાણે છે : જૈન કાવ્યસાહિત્ય गुणसेन - अग्गिसम्मा सीहा-णंदा य तह पिआ - पुत्ता । સિન્નિ-નાતિળી માફ-સુઓ, થળ-ધરમતિઓ ય પડ઼-મન્ના || || जय-विजया य सहोअर, धरणो लच्छी य तह पई-भज्जा । મેળ-વિસેન વિત્તિગ, કત્તા નમિ સત્તમર્ ॥ ૨॥ गुणचन्द- - वाणमन्तर समराईच्च गिरिसेण पाणोय । एगस्स तओ मुक्खो, णंतो अण्णस्स संसारो ॥ ३ ॥ ૧. આ ગાથાઓમાં નાયક-પ્રતિનાયકના નવ માનવભવાન્તરોનાં નામ, તેમનો સંબંધ, તેમની નિવાસનગરીઓ અને માનવભવોમાં મરણ પછી પ્રાપ્ત સ્વર્ગ-નરકોનાં નામ આપ્યાં છે. આ ગાથાઓ કથાનકની રૂપરેખા જેવી લાગે છે અને ગ્રંથકારે પોતે જ લખી હોવાની સંભાવના છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય આ ગાથાઓના સંબંધમાં કહેવામાં આવે છે કે તે હરિભદ્ર(કર્તા)ના ગુરુએ હરિભદ્રને એક પ્રસંગમાં ઉત્પન્ન ક્રોધનું શમન કરવા માટે મોકલી હતી, તેમને આધાર બનાવી હિરભદ્રે સમરાઈચ્ચકહાનું સર્જન કર્યું. સત્ય જે હો તે પરંતુ આ ગાથાઓના પ્રાચીન સ્રોતની ભાળ મળતી નથી, તેમ છતાં તેમની વ્યાખ્યારૂપે જે ભવ્ય કથાપ્રાસાદને ઊભો કરવામાં આવ્યો છે તે ભવ્ય અને અદ્ભુત છે. તેમાં સમાજના વિભિન્ન વર્ગો – હજામ, ધોબી, ચમાર, માછીમાર, પારધી, ચાંડાલથી શરૂ કરી બ્રાહ્મણ, ક્ષત્રિય (ઠાકુર), વૈશ્ય (વેપારી અને સાર્થવાહ)નાં જીવંત ચિત્રો જોવા મળે છે અને એ ચિત્રોમાં ભારતની મધ્યકાલીન સંસ્કૃતિનું ઉદાત્ત અને ભવ્ય રૂપ પણ.૧ ― ૨૬૯ કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા પ્રસિદ્ધ હરિભદ્રસૂરિ (વિ.સં.૭૫૭૮૨૩) છે. તેમનો પરિચય અને તેમની રચનાઓનું વિવરણ આ ‘જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ'ના ત્રીજા ભાગમાં આપવામાં આવ્યાં છે. આ કથાનકના સંગઠનમાં હરિભદ્રસૂરિએ પૂર્વવર્તી રચનાઓ વસુદેવહિંડી, ઉવાસગદસાઓ, વિપાકસૂત્ર, ઉત્તરાધ્યયન, નાયાધમ્મકહાઓ વગેરે જૈનગ્રંથોની તથા મહાભારત, અવદાન સાહિત્ય અને ગુણાચની બૃહત્કથા વગેરે જૈનેતર સાહિત્યની સહાયતા લીધી છે અને પોતાની કલ્પનાશક્તિ અને સંવેદનશીલતાથી સમરાઈચ્ચકહાને સરસ અને પ્રભાવોત્પાદક બનાવેલ છે. પરવર્તી કથાકારોને આ કથાગ્રન્થે બહુ જ પ્રભાવિત કર્યા છે. કુવલયમાલાના સર્જક ઉદ્યોતનસૂરિએ તેનો ઉલ્લેખ ‘સમરમિયંકાકહા' નામથી કર્યો છે. આ કૃતિ ઉપર સં. ૧૮૭૪માં ક્ષમાકલ્યાણ અને સુમતિવર્ષને ટિપ્પણી લખી છે. આ ટિપ્પણી પ્રાયઃ સંસ્કૃત છાયા રૂપ છે. ૩ ૧. આના માટે જુઓ ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, હરિભદ્ર કે પ્રાકૃત કથાસાહિત્ય કા આલોચનાત્મક પરિશીલન, નવમું પ્રકરણ; ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૩૯૪-૪૧૧ ૨. નો ફજીર્ મવિરહૈં, મળવાનું જો ન અંધશ્ મુયો । समयसयसत्थकुसलो समरमियंका कहा जस्स ॥ પ્રેમી અભિનન્દન ગ્રન્થમાં મુનિ પુણ્યવિજયજીનો લેખ : આચાર્ય હરિભદ્રસૂરિ ઔર ઉનકી સમરમિયંકાકહા ૩. જિનરત્નકોશ, પૃ. ૪૧૯ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સમરાદિત્યચરિત્ર નામની મતિવર્ષનકૃત એક લઘુ રચના મળે છે. તેવી જ રીતે માણિક્યસૂરિષ્કૃત સમરભાનુચિરત્રનો પણ ઉલ્લેખ મળે છે. સમરાદિત્યસંક્ષેપ આ હરિભદ્રસૂરિકૃત પ્રાકૃત સમરાઈચ્ચકહાનો સંસ્કૃત ભાષામાં છંદોબદ્ધ સાર છે. આ સાર અતિ સંક્ષિપ્ત હોવા છતાં તેની ભાષા આલંકારિક કાવ્યગુણોથી પૂર્ણ છે. આ કૃતિ ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, શ્લેષ વગેરે અર્થાલંકાર અને અનુપ્રાસ, યમક આદિ શબ્દાલંકારોથી ભરપૂર છે. તેમાં સાર્વજનીન ભાવસૂચક વાક્યાંશ યા પદ્મ પ્રચુર માત્રામાં મળે છે જેમનો વિધિવત્ સંગ્રહ સુભાષિત સાહિત્ય માટે મોટું પ્રદાન થશે. કેટલાંક ઉદાહરણ અહીં રજૂ કરીએ છીએ : (1) स्वप्रतिज्ञां न मुञ्चन्ति महाराज तपस्विनः । १. १६५ (२) नैवोचितं पुंसां मित्रदोषप्रकाशनम् । २. १९९ (3) अब्जेषु श्रीनिवासेषु कृमयो न भवन्ति किम् । ४. १६३ (४) भवन्त्यपरमार्थज्ञाः जना विषयलोलुपाः । ६. ३२९ (૫)મહતામુપવારો હિ સઘ: પત્નતિ નિમિતઃ । ૮. ૨૬૭ ભાષાની દૃષ્ટિએ આ કૃતિ નૂતન સામગ્રીથી સમૃદ્ધ છે. તેમાં કેટલાક એવા શબ્દોનો પ્રયોગ થયો છે જે કેવળ વેદ અને મહાભારતમાં જ મળે છે; કેટલાક એવા અપ્રસિદ્ધ શબ્દો છે જે વ્યાકરણમાં જ મળે છે; કેટલાક એવા શબ્દો છે જે કોષોમાં મળે છે પણ સાહિત્યમાં પ્રાયઃ ખૂબ જ અલ્પ પ્રયુક્ત થયા છે અને કેટલાક એવા નવા શબ્દો છે જે પ્રકાશિત કોષોમાં પણ મળતા નથી.૪ જૈન કાવ્યસાહિત્ય કર્તા અને રચનાકાળ પ્રદ્યુમ્નસૂરિ છે. તેમણે આ રચના વિ.સં. ૧૩૨૪ (૧૨૬૮ ઈ.)માં કરી હતી. ગ્રંથના અંતમાં આપવામાં આવેલી આ કૃતિના કર્તા - ૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૯; હીરાલાલ હંસરાજ, જામનગર, સન્ ૧૯૧૫ ૨. એજન, પૃ. ૪૧૯; ૩૨૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ 3. नवं कर्तुमशक्तेन मया मन्दधियाधिकम् । प्राकृतं गद्यपद्यं तत् संस्कृतं पद्यमुच्यते ॥ १.३०. ૪. આ વિષય ઉપર વિશેષ વિવેચન માટે જુઓ : ડૉ. ઈ.ડી.કુલકર્ણીનો લેખ : લેંગ્વેજ ઑફ સમરાદિત્યસંક્ષેપ ઑફ પ્રદ્યુમ્નસૂરિ, ઑલ ઈન્ડિયા ઓરિ. કોન્ફરન્સ, વર્ષ ૨૦, ભાગ ૨, પૃ. ૨૪૧ ૫. પ્રદ્યુમ્નમ્ય વેઃ લક્ષ્મીનાનિ મિમિધ: પિતા / कुमारसिंह इत्युक्ते . 11 Page #293 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે પ્રદ્યુમ્નસૂરિ ચન્દ્રગચ્છના હતા. ગૃહસ્થ અવસ્થામાં તેમના પિતા અને માતાનું નામ કુમારસિંહ અને લક્ષ્મી હતું. ગ્રન્થના આદિમાં તેમણે પોતાની ગુરુપરંપરા આપી છે, તે ઉપરથી જાણવા મળે છે કે તેમનું સામાન્ય શિક્ષણ કનકપ્રભસૂરિ પાસે થયું હતું. તે ઉપરાંત નરચન્દ્ર મલધારીએ તેમને ઉત્તરાધ્યયનનો, વિજયસેને ન્યાયનો તથા પદ્મચન્દ્રે આવશ્યકસૂત્રનો અભ્યાસ કરાવ્યો હતો.૧ પ્રદ્યુમ્નસૂરિ ભારે મોટા આલોચક વિવેચક વિદ્વાન જણાય છે કારણ કે તેમણે કેટલીક કૃતિઓનું સંશોધન અને પરિષ્કાર કર્યો છે. તેમણે સંશોધિત કરેલી કૃતિઓનો ઉલ્લેખ પ્રસંગે પ્રસંગે કર્યો છે. ધૂર્તાખ્યાન આચાર્ય હરિભદ્રે ધર્મકથાના એક અદ્ભુત રૂપનો આવિષ્કાર કર્યો છે, તે ધૂર્તાખ્યાનના રૂપમાં પ્રગટ થયું છે, ધૂર્તાખ્યાન ભારતીય કથાસાહિત્યમાં વિચિત્ર કૃતિ છે. તેમાં ખૂબ જ વિનોદાત્મક રીતે રામાયણ, મહાભારત અને પુરાણોનાં અતિરંજિત ચરિત્રો અને કથાનકો ઉપર વ્યંગ કરીને તેમને નિરર્થક સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ રચના પ્રચુર હાસ્ય અને વ્યંગ્યથી પરિપૂર્ણ છે. તેમાં લગભગ ૪૮૦ પ્રાકૃત ગાથાઓ છે. તે પાંચ આખ્યાનોમાં વિભક્ત છે. આ સંપૂર્ણ કૃતિ સરળ પ્રાકૃતમાં રચાઈ છે. કથાવસ્તુ – ઉજ્જૈનીના ઉદ્યાનમાં ધૂર્તવિદ્યામાં પ્રવીણ પાંચ ધૂર્ત પોતાના સેંકડો અનુયાયીઓ સાથે સંયોગવશ ભેગા થયા. પાંચ ધૂર્તોમાં ચાર પુરુષ હતા અને એક સ્ત્રી. વરસાદ સતત પડતો હતો અને ખાવાપીવાની જોગવાઈ કરવી મુશ્કેલ જણાતી હતી. પાંચે દળોના નાયકોએ વિચારવિમર્શ કર્યો. તેમાંથી પ્રથમ મૂળદેવે પ્રસ્તાવ મૂક્યો કે આપણે પાંચે જણે પોતપોતાના અનુભવની કથા કહી સંભળાવવી. તેને સાંભળી બીજાઓ પોતાના કથાનક દ્વારા તેને સંભવ દર્શાવે. જે એવું ન કરી શકે અને આખ્યાનને અસંભવ જણાવે તે તે દિવસે બધા ધૂર્તોના ભોજનનો ખર્ચ ઉપાડે. મૂલદેવ, કંડરીક, એલાષાઢ, શશ નામના ધૂર્તરાજોએ પોતપોતાના ૨૭૧ - ૧. ૧. ૨૨-૨૫ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૮; સિંઘી જૈન ગ્રન્થમાલા (સં.૧૫), મુંબઈ, ૧૯૪૪; આના ઉપ૨ ડૉ. ઉપાધ્યેની અંગ્રેજી પ્રસ્તાવના ખાસ કરીને જોવી જોઈએ. ૩. મૂલદેવ અને શશ એકદમ કાલ્પનિક નામો નથી. મૂલદેવને ચૌરશાસ્ત્રનો પ્રવર્તક માનવામાં આવે છે અને ‘ચતુર્ભાણી'માં શશનો ઉલ્લેખ મૂળદેવના મિત્ર તરીકે મળે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ અસાધારણ અનુભવો સંભળાવ્યા, તે અનુભવોનું સમર્થન પણ પુરાણોના અલૌકિક વૃત્તાન્તો દ્વારા કર્યું. પાંચમું આખ્યાન ખંડપાના નામની ધુતારીનું હતું. તેણે પોતાના વૃત્તાન્તમાં અનેક અસંભવ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, તે બધી ઘટનાઓનું સમાધાન ક્રમશઃ તે ધૂર્તોએ પૌરાણિક વૃત્તાન્તો દ્વારા કરી દીધું, પછી તેણે એક અદ્ભુત આખ્યાન કહીને તે બધાને તેણે પોતાના ભાગેડુ નોકરો પુરવાર કર્યા અને કહ્યું કે જો તેના ઉપર વિશ્વાસ હોય તો બધા તેને સ્વામિની માને અને જો વિશ્વાસ ન હોય તો બધા તેને ભોજન દે, તો જ તે બધા પરાજયમાંથી બચી શકશે. તેની આ ચતુરાઈથી ચિકત થઈ બધા ધૂર્તોએ લાચારીથી તેને સ્વામિની માની લીધી. પછી તેણે પોતાની ધૂર્તતા દ્વારા એક શેઠ પાસેથી રત્નજડિત વીંટી મેળવી અને તેને વેચીને ખાદ્યસામગ્રી ખરીદી બધા ધૂર્તોને ભોજન કરાવ્યું. બધા ધૂર્તોએ તેની પ્રત્યુત્પન્નમતિની પ્રશંસા કરી અને સ્વીકાર કર્યો કે પુરુષો કરતાં સ્ત્રી વધુ બુદ્ધિશાળી હોય છે. જૈન કાવ્યસાહિત્ય આ ન્યાત્મક શૈલી દ્વારા લેખકે અસંભવ, મિથ્યા અને કાલ્પનિક વાતોનું નિરાકરણ કરી સ્વસ્થ, સદાચારી અને સંભવ આખ્યાનોની તરફ સંકેત કર્યો છે. આ ધૂર્તાખ્યાનના કર્તા પ્રસિદ્ધ હરિભદ્રસૂરિ છે. તેમનો પરિચય આ ઈતિહાસના ત્રીજા ભાગમાં આપ્યો છે. આ કથાનો આધાર જિનદાસણ (૭મી સદીનો ઉત્તરાર્ધ)કૃત નિશીથચૂર્ણિ જણાય છે. ત્યાં આ ધૂર્તોની કથા લૌકિક મૃષાવાદ રૂપે આપવામાં આવી છે, તેને હિરભદ્રે એક વિશિષ્ટ વ્યંગ્ય-ધ્વન્યાત્મક શૈલી દ્વારા વિકસાવીને રજૂ કરી છે. હરિભદ્રના પુષ્ટ વ્યંગ્ય અને ઉપહાસ આપણને પાશ્ચાત્ય લેખક સ્વિફ્રૂટ અને વોલ્ટેરનું સ્મરણ કરાવે છે. ભારતીય સાહિત્યાં વ્યંગ્ય મળે છે પરંતુ અવિકસિત અને મિશ્ર રૂપમાં. હરિભદ્રની આ કૃતિ તેનાથી ઘણી જ આગળ છે. તેના આદર્શ ઉપર પરવર્તી અનેક રચનાઓ થઈ છે, જેમકે અપભ્રંશ ધર્મપરીક્ષા (હરિષણ અને શ્રુતકીર્તિ) અને સંસ્કૃત ધર્મપરીક્ષા (અમિતગતિ). એક અન્ય સંસ્કૃત ધૂર્તાખ્યાનનો ઉલ્લેખ મળે છે, તે ઉક્ત રચનાનું રૂપાન્તર છે. ધર્મપરીક્ષાકથા – ધૂર્તાખ્યાનની વ્યંગ્યાત્મક શૈલીના રૂપમાં પ્રાકૃત અને સંસ્કૃતમાં ધર્મપ૨ીક્ષા નામની અનેક કૃતિઓ રચાઈ. તેમાં કેટલીકને છોડી અધિકાંશ નાનીમોટી ૧. ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાધ્યે, ધૂર્તાખ્યાન ઈન ધ નિશીથચૂર્ણિ, આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ, મુંબઈ, ૧૯૫૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૯૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૭૩ કથાઓના સારા સંગ્રહ રૂપ છે. અહીં અમે કેટલીકનો પરિચય આપીએ છીએ. ૧. ધર્મપરીક્ષા – આ પ્રાકૃત ગાથાઓમાં રચાયેલી કૃતિ કવિ જયરામે સર્જી છે. તેનો ઉલ્લેખ હરિષેણે પોતાની અપભ્રંશ ધર્મપરીક્ષામાં કર્યો છે અને લખ્યું છે કે પોતાની આ અપભ્રંશ રચના જયરામકૃત ધર્મપરીક્ષા ઉપર આધારિત છે. ૧ જયરામના જીવન અને તેમની કૃતિઓના વિશે અધિક જાણવામાં આવ્યું નથી. ૨. ધર્મપરીક્ષા – આ એક સંસ્કૃત કૃતિ છે. તેમાં ૨૧ પરિચ્છેદ છે. આખી કૃતિ એક સરસ કથાના રૂપમાં શ્લોકબદ્ધ છે. તેમાં શ્લોકોની સંખ્યા ૧૯૪૫ છે. આ કૃતિનું મૂળ પ્રયોજન હરિભદ્રના ધૂર્તાખ્યાનની જેમ અન્ય ધર્મોની પૌરાણિક કથાઓની અસત્યતાને, તેમનાથી વધુ કૃત્રિમ, અસંભવ અને સમાનાન્તર ઉટપટાંગ આખ્યાનો કહીને પુરવાર કરવાનું છે અને તેમનાથી વિમુખ કરી સાચી ધાર્મિક શ્રદ્ધા ઉત્પન્ન કરવાનું છે. અહીં અનેક નાનાંમોટાં કથાનકો આપવામાં આવ્યાં છે, તેમાં ધૂર્તતા અને મૂર્ખતાની કથાઓનું બાહુલ્ય છે. મનોવેગ અને પવનવેગ બે મિત્રોના સંવાદના રૂપમાં કથા ચાલે છે. કર્તા અને રચનાકાલ – આના રચનાર અમિતગતિ છે. તે કાષ્ઠાસંઘમાથુરસંઘના વિદ્વાન હતા. તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે – વીરસેન, તેમના શિષ્ય દેવસેન, દેવસેનના શિષ્ય અમિતગતિ (પ્રથમ), તેમના નેમિષણ, નેમિષણના માધવસેન અને તેમના શિષ્ય અમિતગતિ. તેમની અન્ય રચનાઓ છે : સુભાષિતરત્નસન્દ્રોહ, પંચસંગ્રહ, ઉપાસકાચાર, આરાધના, સામાયિકપાઠ, ભાવનાદ્વાત્રિશિકા, યોગસારપ્રામૃત આદિ. અમિતગતિ ધારાનરેશ ભોજની સભાનું રત્ન હતા. પ્રસ્તુત કૃતિનું સર્જન કવિએ બે જ મહિનામાં કર્યું હતું. તેનો રચનાકાળ વિ.સં.૧૦૭૦ છે. કેટલાક ૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૯; અગીઆરમી ઑલ ઈન્ડિયા ઓરિ. કોન્ફરન્સ, ૧૯૪૧ (હૈદરાબાદ)માં વંચાયેલો ડૉ. આ. કે. ઉપાધ્યેનો લેખ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૯૦; હિન્દી અનુવાદ, જૈન ગ્રન્થ રત્નાકર કાર્યાલય, મુંબઈ, ૧૯૦૮; જૈન સિદ્ધાન્ત પ્રકાશિની, કલકત્તા, ૧૯૦૮; વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૬૩ આદિમાં સાર આપ્યો છે; એન. મિરોનોવ, ડિ ધર્મપરીક્ષા ડેસ અમિતગતિ, લિખ્રિગ, ૧૯૦૮. 3. अमितगतिरिवेदं स्वस्य मासद्वयेन । प्रथितविशदकीर्तिः काव्यमुद्भूतदोषम् ।। Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જેન કાવ્યસાહિત્ય વિદ્વાનોનું અનુમાન છે કે અમિત ગતિએ પોતાની આ કૃતિ જયરામકૃત પ્રાકૃત ધર્મપરીક્ષા યા હરિફેણકત અપભ્રંશ ધર્મપરીક્ષા બેમાંથી કોઈ એકના આધારે રચી છે. કથાનક, પાત્રોનાં નામ વગેરે ધમ્મપરિખા અને ધર્મપરીક્ષાની બિલકુલ સમાન છે. ૩. ધર્મપરીક્ષા – આ ધર્મપરીક્ષા સં. ૧૬૪પમાં તપાગચ્છીય ધર્મસાગરના શિષ્ય પદ્મસાગરગણિએ રચી છે. તેમાં કુલ મળીને ૧૪૭૪ શ્લોક છે, તેમાંથી ૧૨૫૦ તો લગભગ અમિતગતિની ધર્મપરીક્ષામાંથી જેમના તેમ લીધા છે. બન્નેમાં મનોવેગ-પવનવેગની પ્રધાન કથા છે. શ્વેતાંબર સંપ્રદાયમાન્ય કેટલીક વાતોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે પરંતુ અનેક સ્થાને દિગંબરમાન્ય વાતો રહી ગઈ છે. ૪. ધર્મપરીક્ષા – આની રચના તપાગચ્છીય સોમસુંદરના શિષ્ય જિનમંડનગણિએ (૧પમી સદીનો છેલ્લો દશકો) કરી છે. તેનો ગ્રન્થાઝ ૧૮૦૦ શ્લોકપ્રમાણ છે. જિનમંડનની અન્ય કૃતિઓમાં કુમારપાલપ્રબંધ (સં.૧૪૯૨) તથા શ્રાદ્ધગુણસંગ્રહવિવરણ (સં. ૧૪૯૮) મળે છે. ૫. ધર્મપરીક્ષા – આમાં મનોવેગ અને પવનવેગ નામના બે મિત્રોનો સંવાદ અતિ રમણીય છે. પવનવેગ દેવવશે સદ્ધર્મની ભાવનાથી વિમુખ હતો અને અન્યધર્માવલંબી બની ગયો હતો. તેથી મનોવેગે રૂપ બદલી વિદ્વાનોની સભામાં પવનવેગને વિવિધ પ્રકારનાં દૃષ્ટાન્તો દ્વારા પ્રબુદ્ધ કર્યો અને તેને જાત જાતની દલીલો વડે સમજાવી સદ્ધર્મમાં સ્થિર કર્યો. પવનવેગે પણ પોતાની ભૂલોને સુધારી લીધી અને મનોવેગની વાત સ્વીકારી. આ કૃતિમાં સદ્દઅસધર્મનું સારું વિવેચન ૧. જિનરત્નકોશ, પૃ. ૧૯૦; દેવચન્દ્રલાલભાઈ પુસ્તકોદ્ધાર, (સં.૧૫), મુંબઈ, ૧૯૧૩; હેમચન્દ્ર સભા, પાટણ, સં. ૧૯૭૮. ૨. તુલના માટે જુઓ જૈન હિતૈષી, ભાગ ૧૩, પૃ. ૩૧૪ આદિમાં પ્રકાશિત પ. જુગલકિશોર મુન્નારનો લેખ – ધર્મપરીક્ષા કી પરીક્ષા; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૫૮૬, ટિપ્પણ પ૧૩. ૩. જિનરત્નકોશ, પૃ. ૧૯૦; જૈને આત્માનન્દ સભા (સં.૯૭), ભાવનગર, સં. ૧૯૭૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૭૫ આ કૃતિ અનુષ્ટ્રમ્ છન્દમાં નિર્મિત છે અને ૧૬ પરિચ્છેદોમાં વિભક્ત છે. કર્તા અને રચનાકાળ – કૃતિના અંતે આપેલી પ્રશસ્તિમાં કર્તાની ગુરુપરંપરા આપી છે. તદનુસાર શ્રીપાલચરિત્રના રચનારા લબ્ધિસાગરસૂરિના (સં. ૧૫૫૭) શિષ્ય સૌભાગ્યસાગરે સં. ૧૫૭૧માં આની રચના કરી અને અનન્તહસે તેનું સંશોધન કર્યું.' ધર્મપરીક્ષા નામની રચનાઓમાં ૧૭મી સદીમાં શ્રુતકીર્તિ અને પાકીર્તિ કૃત ધર્મપરીક્ષાકથાઓનો ઉલ્લેખ મળે છે. લગભગ તે જ સદીમાં રામચન્દ્ર દિગંબરે પૂજ્યપાદાન્વયી પાનદિના શિષ્ય દેવચન્દ્રના અનુરોધથી સંસ્કૃતમાં ધર્મપરીક્ષાકથાની રચના કરી. તેનો ગ્રન્થાગ્ર ૯૦૦ શ્લોકપ્રમાણ છે. વરંગ જૈન મઠમાં કોઈ વાદિસિંહે રચેલી ધર્મપરીક્ષા હોવાનો ઉલ્લેખ મળે છે. ૧૮મી સદીમાં તપાગચ્છીય વિજયપ્રભસૂરિ(સં.૧૭૧૦-૧૭૪૮)ના શાસનકાળમાં જયવિજયના શિષ્ય માનવિજયે પોતાના શિષ્ય દેવવિજય માટે એક ધર્મપરીક્ષાની રચના કરી છે. ૪ યશોવિજયકૃત ધર્મપરીક્ષા તથા દેવસેનકૃત ધર્મપરીક્ષા પણ મળે છે પરંતુ તેમનો વિષય ધાર્મિક સિદ્ધાન્તોનું પ્રરૂપણ છે. કેટલીક અજ્ઞાતકર્તુત ધર્મપરીક્ષાઓ મળે છે પરંતુ તેમના પ્રતિપાદ્ય વિષય વિશે જાણવા મળ્યું નથી. - મનોવેગકથા – આ કથાસંગ્રહ અમિતગતિની ધર્મપરીક્ષા જેવો જ પારેવાસપૂર્ણ છે, તે સંસ્કૃત ગદ્યમાં રચાયો છે. કર્તાનું નામ અજ્ઞાત છે." મનોવેગ-પવનવેગકથાનક – આ પણ ઉક્ત ધર્મપરીક્ષાની જેમ જ મનોવેગપવનવેગની પ્રધાન કથા લઈને કરવામાં આવેલી ઉપહાસપૂર્ણ કથાઓનો સંગ્રહ છે. કર્તાનું નામ અજ્ઞાત છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૯૦; મુક્તિવિમલ જૈન ગ્રન્થમાલા, ગ્રન્થોક ૧૩, અમદાવાદ ૨. ભટ્ટારક સંપ્રદાય, લેખાંક પ૨૪ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૯૦ ૪. એજન ૫-૬. એજન, પૃ. ૩૦૧ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન કાવ્યસાહિત્ય જૈન કવિઓએ રૂપકાત્મક (allegorical) શૈલીમાં પણ ધર્મકથા કહેવાનો ઉપક્રમ કર્યો છે. ઉપમિતિભવપ્રપંચાકથા – આ કથામાં ચતુર્ગતિરૂપ સંસારનો વિસ્તાર ઉપમા દ્વારા સ્પષ્ટ કર્યો છે. તેની સંસ્કૃતમાં સમાસ દ્વારા આ પ્રકારની વ્યુત્પત્તિ છે : उपमितिकृतो नरकतिर्यङ् नरामरगतिचतुष्करूपो भवः तस्य प्रपञ्चो यस्मिन् इति अर्थात् નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ ભવ = સંસારનો વિસ્તાર જે કથામાં ઉપમિતિ = ઉપમાનો વિષય બનાવાયો છે તે કથા ઉપમિતિભવપ્રપંચાકથા કહેવાય છે. સિદ્ધર્ષિગણિએ પોતાના શબ્દોમાં તેને નીચે પ્રમાણે વર્ણવી છે : कथा शरीरमेतस्या नाम्नैव प्रतिपादितम् । भवप्रपञ्चो व्याजेन यतोऽस्यामुपमीयते ॥ ५५ ॥ यतोऽनुभूयमानोऽपि परोक्ष इव लक्ष्यते । अयं संसारविस्तारस्ततो व्याख्यानमर्हति ॥ ५६ ॥ આ ગ્રંથ આઠ પ્રસ્તાવોમાં વિભક્ત છે. તેમાં ભવપ્રપંચની કથાની સાથે સાથે પ્રસંગવશ ન્યાય, દર્શન, આયુર્વેદ, જયોતિષ, સામુદ્રિક, નિમિત્તશાસ્ત્ર, સ્વમશાસ્ત્ર, ધાતુવિદ્યા, વિનોદ, વ્યાપાર, દુર્વ્યસન, યુદ્ધનીતિ, રાજનીતિ, નદી, નગર આદિનાં વર્ણનો પ્રચુર માત્રામાં કરવામાં આવ્યાં છે. કથાવસ્તુ – અદમૂલપર્યન્ત નગરમાં એક કુરૂપ દરિદ્ર ભિખારી રહેતો હતો. તે અનેક રોગોથી પીડાતો હતો. તેનું નામ “નિષ્ફયક' હતું. ભીખમાં તેને જે કંઈ લૂખુંસૂકું ભોજન મળતું હતું તેનાથી તેની ભૂખ મટતી ન હતી, ઊલટું વધતી જ જતી હતી. એક વાર તે તે નગરના રાજા સુસ્થિતના મહેલે ભિક્ષા લેવા ગયો. ધર્મબોધકર' રસોઈયાએ તથા રાજાની પુત્રી “તદ્દયાએ તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ૧. જિનરત્નકોશ, પૃ. પ૩; બિલ્ફિયોથેકા ઈન્ડિકા સિરિઝ, કલકત્તા, ૧૮૯૯-૧૯૧૪; દેવચન્દ્રલાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ (સં.૪૬), મુંબઈ ૧૯૧૮-૨૦; વિન્ટરનિસ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. પર૬-૫૩૨માં કથાનકનું વિવરણ વિસ્તારથી કર્યું છે; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૮૨-૧૮૬; આનો જર્મન અનુવાદ ડબલ્યુ. કિટ્ટેલે કર્યો છે, લિઝિલ, ૧૯૨૪; ગુજરાતી અનુવાદ–મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, ત્રણ ભાગોમાં (પૃ. ૨૧૦૦), શ્રીં કાપડિયાએ આ કથા ઉપર વિસ્તૃત સમીક્ષાત્મક ગ્રન્થ “સિદ્ધર્ષિ' પણ લખ્યો છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૭૭ ભોજન આપ્યું, તેની આંખોમાં “વિમલાલોક' આંજણ આંજર્યું અને “તત્ત્વપ્રીતિકર” જળથી તેની મુખશુદ્ધિ કરાવી. ધીમે ધીમે તે સ્વસ્થ થવા લાગ્યો પરંતુ ઘણા વખત સુધી પોતાના પુરાણા અસ્વાથ્યકર આહારને તે છોડી શક્યો નહિ. ત્યારે પેલા રસોઈયાએ “સબુદ્ધિ નામની સેવિકાને તેની સેવામાં મૂકી. તેથી તેની ભોજનઅશુદ્ધિ દૂર થઈ અને આમ નિષ્ણુણ્યક સપુણ્યક બની ગયો. હવે તે પોતાને મળેલ ઔષધિનો લાભ બીજાને આપવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ તેને પહેલેથી જાણનારા લોકો તેનો વિશ્વાસ કરતા ન હતા. ત્યારે “સબુદ્ધિ સેવિકાએ સલાહ આપી કે પોતાની ત્રણે ઔષધિઓને કાષ્ઠપાત્રમાં મૂકી રાજમહેલના આંગણામાં તે પાત્ર મૂકે જેથી પ્રત્યેક વ્યક્તિ તે પાત્રમાંથી ઔષધિનો લાભ સ્વયં લઈ શકે. કવિએ પ્રથમ પ્રસ્તાવનાં અંતિમ પદ્યોમાં આ રૂપકનો ખુલાસો કર્યો છે. અદષ્ટમૂલપર્યન્ત’ નગર એ તો આ સંસાર છે. અને “નિપૂણ્યક' અન્ય કોઈ નથી પણ કવિ પોતે જ છે. રાજા “સુસ્થિત' જિનરાજ છે અને તેનો “મહેલ' જૈનધર્મ છે. “ધર્મબોધકર' રસોઈયો ગુરુ છે અને તેની પુત્રી “તદ્દયા’ તેની દયાદષ્ટિ છે. જ્ઞાન જ “આંજણ છે, સાચી શ્રદ્ધા જ “મુખશુદ્ધિકર જલ' છે અને સચ્ચરિત્ર જ “સ્વાદિષ્ટ ભોજન છે. “સબુદ્ધિ જ પુણ્યનો માર્ગ છે અને “કાષ્ઠપાત્ર અને તેમાં રાખેલું ભોજન,મંજન અને અંજનઆગળ વર્ણવવામાં આવેલ કથા અનુસાર છે. અનન્તકાળથી વિદ્યમાન મનુજગતિ નામના નગરમાં “કર્મપરિણામ' નામનો રાજા રાજ કરે છે. તે ઘણો જ શક્તિશાળી, ક્રૂર તથા કઠોર દંડ દેનારો છે. તે પોતાના વિનોદને માટે ભવભ્રમણ નાટક કરાવે છે, તેમાં જાતજાતનાં રૂપ ધરી જગતના પ્રાણીઓ ભાગ લે છે. આ નાટકથી તે ઘણો ખુશ રહે છે અને તેની રાણી “કાલપરિણતિ' પણ તેની સાથે આ નાટકનો રસ માણે છે. તેમને પુત્રની ઈચ્છા જાગે છે, પુત્ર જન્મતાં પિતા તરફથી તેનું નામ “ભવ્ય અને માતા તરફથી તેનું નામ “સુમતિ' રાખવામાં આવે છે. તે જ નગરમાં “સદાગમ' નામના આચાર્ય છે. રાજા તેમનાથી ખૂબ ડરે છે કારણ કે તે તેના એ નાટકનો ભંગ કરે છે અને કેટલાય અભિનેતાઓને એ નાટકથી છોડાવી “નિવૃત્તિ નગરમાં લઈ જઈ વસાવે છે. તે નગર તેના રાજય બહાર છે અને ત્યાં બધા ખૂબ આનંદમાં રહે છે. એક વાર “પ્રજ્ઞાવિશાલા' નામની દ્વારપાલી રાજકુમાર “ભવ્ય'ની મુલાકાત “સદાગમ' આચાર્ય સાથે કરાવવામાં સફળ થાય છે, અને સારા નસીબે રાજકુમારને તેમની પાસે શિક્ષણ લેવાની રજા પણ રાજારાણી આપી દે છે. એક વખત જયારે સદાગમ પોતાના ઉપદેશો બજારમાં દેતા હોય છે ત્યારે કોલાહલ સંભળાય છે. તે સમયે સંસારી જીવ' નામનો ચોર પકડાય છે અને જ્યારે ન્યાયાલયમાં કોલાહલપૂર્વક Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ જેન કાવ્યસાહિત્ય તેને મોકલાય છે ત્યારે “પ્રજ્ઞાવિશાલા” દયા લાવી તેને સદાગમ આચાર્યના આશ્રયે લાવી દે છે. ત્યાં તે મુક્ત થઈ પોતાની કથા નીચે મુજબ કહે છે – હું સૌપ્રથમ સ્થાવર લોકમાં વનસ્પતિ રૂપે.પેદા થયો અને “એકેન્દ્રિય નગરમાં રહેવા લાગ્યો અને ત્યાં પૃથ્વીકાય, જલકાય આદિ ગૃહોમાં ક્યારેક અહીં તો ક્યારેક તહીં રહેવા લાગ્યો. ત્યાર પછી નાના કીડા-મકોડા અને મોટા હાથી વગેરે તિર્યંચોમાં (ત્રલોકમાં) જભ્યો અને ભટક્યો. બહુ વખત સુધી દુઃખ ભોગવીને અંતે મનુષ્ય પર્યાયમાં રાજપુત્ર નદિવર્ધન થયો. જો કે મારો એક અદષ્ટ મિત્ર પુણ્યોદય' હતો, જેનો હું આ સફળતાઓ માટે કૃતજ્ઞ છું, પરંતુ એક બીજા મિત્ર વૈશ્વાનરને કારણે હું માર્ગ ભૂલી ગયો. પરિણામે સારા સારા ગુરુઓ અને ઉપદેશોના બોધની મારા ઉપર કોઈ અસર ન થઈ. વૈશ્વાનરનો પ્રભાવ વધતો જ ગયો અને છેવટે તેણે રાજા દુબુદ્ધિ અને રાણી નિષ્કરુણાની પુત્રી “હિંસા' સાથે મારું લગ્ન કરાવી દીધું. આ કુસંગતિથી મેં ખૂબ શિકાર ખેલ્યા અને અસંખ્ય જીવોનો શિકાર કર્યો. ચોરી, ધૃત આદિ વ્યસનોમાં પણ મેં કુખ્યાતિ પ્રાપ્ત કરી. યોગ્ય સમયે હું મારા પિતાનો ઉત્તરાધિકારી રાજા બન્યો. આ દર્પમાં મેં અનેક ઘોર કર્મ કર્યા, એટલે સુધી કે એક રાજદૂતને તેના માતા-પિતા, સ્ત્રી, બંધુ અને સહાયકો સાથે મરાવી નાખ્યો. એક વાર એક યુવક સાથે મારે લડાઈ થઈ અને અમે બન્નેએ એકબીજાને વીંધી મારી નાખ્યા. પછી અમે બન્ને અનેક પાપયોનિઓમાં ઉત્પન્ન થયા અને પાછળ સિંહ-મૃગ, બાજ-કબૂતર, અહિ-નકુલ આદિ રૂપે એકબીજાના ભક્ષ્ય-ભક્ષક બનતા રહ્યા. પછી હું રિપુદારુણ નામનો રાજકુમાર થયો તથા શૈલરાજ (દર્પ) અને મૃષાવાદ મારા મિત્ર બન્યા. તેમના પ્રભાવના કારણે મને પુણ્યોદયને મળવાનો અવસર ન મળ્યો. પિતાના મૃત્યુ પછી હું રાજા બન્યો. મેં પૃથ્વીના સમ્રાટની આજ્ઞા માનવાનો ઈન્કાર કરી દીધો. એક વાર એક જાદૂગરે મને ઉતારી પાડ્યો અને મારા જ સેવકોએ મારો વધ કરી નાખ્યો. મારાં પોતાનાં દુષ્કૃત્યોને પરિણામે હું પછીના જન્મોમાં નરક-તિર્યંચ યોનિઓમાં ભટકી છેવટે મનુષ્યગતિમાં જન્મ્યો અને શેઠ સોમદેવનો પુત્ર વામદેવ બન્યો. “મૃષાવાદ, માયા અને તેય' મારા મિત્રો બન્યા. એક શેઠને ત્યાં ચોરી કરવાને કારણે મને ફાંસી થઈ અને હું પાછો નરક અને તિર્યંચ લોકમાં ભટક્યો. હું ફરી એક વાર શેઠના પુત્ર તરીકે જમ્યો. આ વખતે “પુણ્યોદય' અને “સાગર' (લોભ) મારા મિત્ર બન્યા. સાગરની મદદથી હું અતુલ ધનરાશિ કમાયો. મેં એક રાજકુમાર સાથે દોસ્તી કરી, તેની સાથે સમુદ્રયાત્રા કરી અને લોભવશ તેને મારી તેનું ધન પડાવી લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમુદ્રદેવતાએ તેની રક્ષા કરી અને મને સમુદ્રમાં ફેંકી દીધો. ગમે Page #301 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય તેમ કરી હું તટે પહોંચ્યો અને દુર્દશામાં જ્યાંત્યાં ભટકવા લાગ્યો. એક વાર જ્યારે હું ધન દાટવા ઈચ્છતો હતો ત્યારે મને એક વૈતલ ખાઈ ગયો. પુનઃ નરક અને તિર્યંચ લોકમાં ભ્રમણ કરીને હું ધનવાહન નામે રાજકુમાર થયો અને મારા પિતરાઈ ભાઈ અકલંક સાથે ઉછરવા લાગ્યો. અકલંક ધર્માત્મા જૈન બની ગયો અને તેના દ્વારા હું સદાગમ આચાર્યના સંપર્કમાં આવ્યો. પરંતુ મહામોહ અને પરિગ્રહ સાથે મારી દોસ્તી થઈ ગઈ અને હું તેમનાથી પૂરેપૂરો વશીભૂત થઈ ગયો. પરિણામે હું નિર્દય શાસક બની ગયો પરંતુ મારી દુર્નીતિને કારણે મને રાજગાદી પરથી ઉઠાડી મૂક્યો અને હું દુ:ખી બની મરી ગયો. મેં ફરી નરક અને તિર્યક્ લોકનું ભ્રમણ કર્યું. ત્યાર બાદ સાકેત નગરીમાં અમૃતોદર નામનો મનુષ્ય થયો, અને સંસારી જીવનના ઉચ્ચ સ્તર ઉપર ચાલવા લાગ્યો. એક જન્મમાં રાજા ગુણધારણ બન્યો. આ જન્મમાં સદાગમ અને સમ્યગ્દર્શન સાથે મારી મિત્રતા બંધાઈ. પરિણામે હું ધર્માત્મા શ્રાવક અને સારો શાસક બન્યો અને મારાં લગ્ન ક્ષમા, મૃદુતા, ઋજુતા, સત્યા, શુચિતા આદિ કુમારીઓ સાથે થયાં, તેથી મેં ન્યાયનીતિથી રાજ્ય કર્યું ને છેવટે મુનિવ્રત ધારણ કરી મરીને દેવ થયો. ફરી પાછો મનુષ્ય તરીકે જન્મ્યો. હવે હું તે જ સંસારી જીવ અનુસુન્દર સમ્રાટ્ છું. આ વખતે મહામોહનો મારા ઉપર કોઈ પ્રભાવ નથી. સદાગમ અને સમ્યગ્દર્શન જ મારા અન્તરંગ મિત્રો છે. આ વખતે બધાંના કલ્યાણ માટે મારા પોતાના અનુભવો સંભળાવવા ચોરના રૂપમાં હું ઉપસ્થિત થયો છું અને પુનર્જન્મોના ચક્રને કહું છું. તે પછી તે સંસારી જીવ પોતાનું વૃત્તાન્ત સંભળાવી ધ્યાનમગ્ન બની ગયો અને શરીર છોડી ઉત્તમ સ્વર્ગમાં દેવ થયો. ૨૭૯ મહતી કથાનો આ અતિ સંક્ષિપ્ત સાર છે. મૂળમાં સમસ્ત વૃત્તાન્ત વિસ્તારથી સરળ, સરસ અને સુંદર સંસ્કૃત ગદ્યમાં અને ક્યાંક ક્યાંક પદ્યમાં વર્ણવવામાં આવ્યો છે. તેમાં વચ્ચે કેટલાંક મોટાં અને કેટલાંક નાનાં પદો આવ્યાં છે અને પ્રત્યેક અધ્યાયની સમાપ્તિ થતાં મોટા મોટા છન્દો પણ જોવા મળે છે. તેમાં અન્ય ભારતીય આખ્યાનોની જેમ જ મૂળ કથાનકના માળખામાં અનેક ઉપકથાઓ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. આ મૂળ કથા રૂપક (allegory) યા રૂપકોના રૂપમાં છે કારણ કે તેમાં ન કેવળ પ્રધાન કથાનક પરંતુ અન્ય ગૌણ કથાનકો પણ રૂપકના રૂપમાં જ છે. પરંતુ તેમાં રૂપકનાં લક્ષણોનું બરાબર પાલન કરવામાં આવ્યું નથી. કવિ પોતે બે પ્રકારની વ્યક્તિઓમાં ભેદ કરે છે. એક તો નાયકના બાહ્ય મિત્રો અને બીજા અન્તરંગ મિત્રો, અન્તરંગ મિત્રોને જ વ્યસ્યાત્મક અને મૂર્તાત્મક રૂપ આપવામાં Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આવ્યું છે અને ભવચક્ર નાટકનાં તે જ યથાર્થ પાત્રો છે, તેમને જ કવિ શ્રાવકોની સમક્ષ ખુલ્લાં કરી મૂકવા માંગે છે. સિદ્ધર્ષિનું કહેવું છે કે વાચકોને આકર્ષવા માટે તેમણે રૂપકની ગૂંથણી કરી છે અને તે કારણે જ તેમણે પ્રાકૃતમાં ગ્રન્થ ન રચતાં સંસ્કૃતમાં તેની રચના કરી છે. તેનું કારણ એ છે કે પ્રાકૃત અશિક્ષિતોને માટે છે જ્યારે શિક્ષિત લોકોની મિથ્યા માન્યતાઓનું ખંડન કરવા માટે અને તેમને સમ્યક્ મતમાં લાવવા માટે સંસ્કૃત ઉચિત છે. તેમનું કહેવું છે કે તે પોતે એવી સંસ્કૃત લખશે જે બધાંને સમજાય. વાસ્તવમાં ભાષા બહુ મૃદુ અને સ્વચ્છ છે, ક્યાંય ન તો લાંબા લાંબા શબ્દો છે કે ન તો અસ્પષ્ટતાનો દોષ છે. સંસ્કૃતમાં ગ્રન્થ લખનાર અન્ય ગ્રન્થકારો કરે છે તેમ સિદ્ધર્ષિએ પણ પ્રાકૃત શબ્દોને અને પ્રચલિત ભાવ પ્રગટ કરનાર શબ્દોને અપનાવી લીધા છે. જૈન કાવ્યસાહિત્ય જૈનોમાં આ કાવ્યની સર્વપ્રિયતા એટલા ઉપરથી જ પ્રગટ થાય છે કે ગ્રન્થ રચાયાના સો વર્ષ પછી જ તેમાંથી ઉદ્ધરણો લેવાવા લાગ્યાં અને તેનાં સંક્ષેપો થવા લાગ્યા.૧ કહી શકાતું નથી કે તેનો પાશ્ચાત્ય દેશોમાં પ્રભાવ પડ્યો કે નહિ પરંતુ તેને વાંચી અંગ્રેજ કવિ જોન બનયનના રૂપક (allegory) Pilgrims Progressનું સ્મરણ થાય છે. તેનો વિષય પણ સંસારીનું ધર્મયાત્રા દ્વારા ઉત્થાન જ છે અને અનેક બાબતોમાં ઉપમિતિભવપ્રપંચાકથા સાથે મેળ ધરાવે છે પરંતુ તે ન તો આકારમાં કે ન તો ભાવોમાં ઉપમિતિકથાની તુલનામાં આવી શકે છે. કથાકર્તા અને રચનાકાળ – આ કથાના અંતે એક પ્રશસ્તિ આપવામાં આવી છે. તેમાંથી જાણવા મળે છે કે પ્રસ્તુત કથાની રચના આચાર્ય સિદ્ધર્ષિએ વિ.સં.૯૬૨ ૧. જિનરત્નકોશ, પૃ. ૫૪; સં. ૧૦૮૮માં વિદ્યમાન વર્ધમાનસૂરિએ (જિનેશ્વરસૂરિના ગુરુ) ૧૪૬૦ ગ્રન્થાગ્રપ્રમાણ ‘ઉપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય'; સં. ૧૨૯૮માં દેવેન્દ્રસૂરિએ (ચન્દ્રગચ્છના ચન્દ્રસૂરિના શિષ્ય) શ્લોકોમાં ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્વાર; દેવસૂરિએ ૨૩૨૪ ગ્રન્થાગ્રપ્રમાણ ઉપમિતિભવપ્રપંચોદ્વાર (ગદ્ય) તથા હંસરત્ને ઉપમિતિભવપ્રપંચાકથોદ્ધારની રચના કરી છે. આ બધીમાં દેવેન્દ્રસૂરિની રચના અતિ ઉત્તમ છે. તેમાં સાર મૂલ કથાની સાથે સાથે ચાલે છે. ન તો તેમાં કંઈ છોડી દેવામાં આવ્યું છે કે ન તો કંઈ નવીન ઉમેરવામાં આવ્યું છે. તેના પણ સંશોધક પ્રદ્યુમ્નસૂરિ છે. કેશરબાઈ જ્ઞાનમંદિર, પાટણ (ગુજરાત), વિ.સં.૨૦૦૬. Page #303 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૮૧ જયેષ્ઠ સુદી પંચમી ગુરુવારના દિવસે કરી હતી. પ્રશસ્તિ અનુસાર તેમની ગુરુપરંપરા આ પ્રમાણે છે : નિવૃત્તિકુલમાં સૂરાચાર્ય થયા, તેમના શિષ્ય જ્યોતિષ અને નિમિત્તશાસ્ત્રના જ્ઞાતા દેલમહત્તર, તેમના શિષ્ય દુર્ગસ્વામી. આ દુર્ગસ્વામી ગૃહસ્થાવસ્થામાં ધની, કીર્તિશાળી બ્રાહ્મણ હતા અને તેમનો સ્વર્ગવાસ ભિલ્લમાલમાં થયો હતો. તેમના શિષ્ય સિદ્ધર્ષિ થયા. દુર્ગસ્વામી અને સિદ્ધર્ષિ બન્ને ગુરુ-શિષ્યને દીક્ષા ગર્ગર્ષિએ આપી હતી. આ વાત સિદ્ધર્ષિએ નથી કહી. પરંતુ તેમણે હરિભદ્રની સ્તુતિ ખૂબ કરી છે અને તેમને પોતાના “ધર્મનોધરો ગુરુ માન્યા છે. આના ઉપરથી કેટલાક વિદ્વાનો એવો મત ધરાવતા થયા કે હરિભદ્રસૂરિ તેમના ગુરુ હતા. પરંતુ બન્ને વચ્ચે કાળનું મોટું અત્તર જોતાં આ માન્યતા અસંભવ છે. સંભવતઃ સિદ્ધર્ષિએ હરિભદ્ર પ્રત્યે સમ્માનનો આટલો બધો ભાવ એટલા માટે પ્રદર્શિત કર્યો છે કે હરિભદ્રની કૃતિઓમાંથી તેમને ઘણી બધી પ્રેરણા મળી હતી, ખાસ કરીને લલિતવિસ્તરા ટીકામાંથી. આ કથાગ્રન્થ ભિલ્લમાલ નગરના જૈન મંદિરમાં રચાયો હતો અને દુર્ગસ્વામીની ગણા' નામની શિષ્યાએ તેની પ્રથમ પ્રતિ તૈયાર કરી હતી. સિદ્ધર્ષિનું ચરિત પ્રભાવક ચરિત(૧૪)માં પણ આપવામાં આવ્યું છે. તેમાં સિદ્ધર્ષિને માઘના પિતરાઈ ભાઈ કહેવામાં આવ્યા છે પરંતુ આ વાતમાં કોઈ ઐતિહાસિક તથ્ય નથી. રૂપકાત્મક ધર્મકથા ઉપર સંસ્કૃતમાં બીજો ગ્રન્થ મદનપરાજય છે. મદનપરાજય – કામ, મોહ, જિન, મોક્ષ આદિને મૂર્તિમાન પાત્રોનું રૂપ આપીને એક લઘુકાવ્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેમાં જિનદેવ દ્વારા કરવામાં આવેલા કામદેવના પરાજયનું ચિત્રણ છે. કથાવસ્તુ – ભાવનગરના રાજા મકરધ્વજ એક વાર પોતાના પ્રધાન સેનાપતિ મોહ દ્વારા એ જાણે છે કે જિનરાજના લગ્ન મુક્તિ કન્યા સાથે થવાના છે, એટલે તે લગ્ન રોકવા માટે મકરધ્વજ મુક્તિ કન્યા પાસે પોતાની પત્નીઓ રતિ અને પ્રીતિને મોકલે છે અને જિનરાજ પાસે રાગ અને દ્વેષને મોકલે છે. પરંતુ તે પોતાના પ્રયત્નમાં સફળ થતો નથી અને જિનરાજ તેના દૂતોને કાઢી મૂકે છે. આ બાજુ મકરધ્વજનો સેનાપતિ મોહ અને પેલી બાજુ જિનરાજનો સેનાપતિ સંવેગ તૈયારી કરી ચડાઈ કરે છે. બંનેની સેનાઓ એકબીજીનો સામનો કરે છે, યુદ્ધ થાય છે. १. संवत्सरशतनवके द्विषष्टिसहितेऽतिलंधिते चास्याः । ज्येष्ठे सितपञ्चम्यां पुनर्वसौ गुरुदिने समाप्तिरभूत् ।। ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૮૩ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જેન કાવ્યસાહિત્ય સીધી ટક્કરમાં જિનરાજ મકરધ્વજને હરાવે છે. મકરધ્વજની પત્નીઓ તેના પ્રાણોની ભીખ માગે છે એટલે શુક્લધ્યાનવીર મકરધ્વજને પોતાના રાજ્યની સીમાની બહાર ધકેલી દે છે. મકરધ્વજ આપઘાત કરી જોતજોતામાં અનંગ બની અદશ્ય થઈ જાય છે. તે પછી જિનરાજ સિદ્ધસેનની પુત્રી મુક્તિ સાથે લગ્ન કરવા માટે કર્મધનુષને તોડી મોક્ષપુર રવાના થાય છે. આ કથાનક ઉપર મદનપરાજય નામની કેટલીય કૃતિઓ રચાઈ છે. તેમાં હરિદેવકવિકૃત અપભ્રંશ રચના પ્રસિદ્ધ છે. તેના આધારે સંસ્કૃતમાં નાગદેવે મદનપરાજ્યનું સર્જન કર્યું છે. જિનરત્નકોશમાં જિનદેવે અને ઠાકુરદેવે રચેલાં મદનપરાજયોનો ઉલ્લેખ મળે છે. સંસ્કૃત મદનપરાજયના કર્તા કવિ નાગદેવે કૃતિના અંતે પ્રશસ્તિ આપી છે. તેમાંથી જાણવા મળે છે કે તે દક્ષિણ ભારતના હતા. તે સોમકુલમાં જન્મ્યા હતા. તે કુળમાં અનેક કવિ અને વૈદ્ય થયા હતા. તેમના પિતા શ્રીમલ્લગિ અપભ્રંશ મયણપરાજયચરિઉના કર્તાના પ્રપૌત્ર હતા. ઉક્ત અપભ્રંશ રચનામાં જ્યાંત્યાં ભાષા, શૈલી, વિષયવર્ણન અને પ્રસંગયોજનામાં પરિવર્તન કરીને નવું રૂપ આપીને સંસ્કૃત મદનપરાજયચરિતની રચના કરવામાં આવી છે. તેને કર્તાએ એવી રીતે રજૂ કર્યું છે જાણે કે કોઈ નાટક હોય. પરંતુ મદનપરાજય ન તો નાટક છે કે ન તો નાટકીય શૈલીમાં રચાયેલી કૃતિ. તેમાં કવિએ મનોહારી રૂપકોની એટલી બધી યોજના કરી છે કે આપણે તેને રૂપકભંડાર કહીએ તો પણ અત્યુક્તિ નહીં થાય. તેને પંચતંત્ર અને સમ્યક્તકૌમુદીની શૈલી ઉપર સર્જવામાં આવેલ છે. તેથી તેમાં અનેક સુભાષિતો અને સૂક્તિઓ ભરપૂર છે. મદનપરાજયનો રચનાકાળ આપ્યો નથી પરંતુ તેની એક હસ્તપ્રત વિ.સં. ૧૫૭૩ની મળી છે. તેથી તે પહેલાંની આ રચના હોવી જોઈએ. યશોધરચરિત્ર- અહિંસાનું માહાભ્ય તથા હિંસા અને વ્યભિચારનું દુષ્પરિણામ દર્શાવવા યશોધર નૃપની કથા પ્રાચીન કાળથી જૈન કવિઓને બહુ જ પ્રિય રહી છે. તેના ઉપર પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશમાં સાધારણથી શરૂ કરી ઉચ્ચ કોટિની ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૦ ૨. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી અપભ્રંશ અને સંસ્કૃત બન્ને મદનપરાજય પ્રકાશિત થયા છે. બન્નેની ભૂમિકાઓ મહત્ત્વપૂર્ણ છે. ડૉ. હીરાલાલ જૈને અપભ્રંશ રચનાની ભૂમિકામાં પ્રતીક કથાસાહિત્યનો સારો પરિચય આપ્યો છે. આ ભૂમિકા અનેક બાબતોમાં બહુ જ ઉપયોગી છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય અનેક રચનાઓ મળે છે. યશોધરચરિત ઉપર જ્ઞાત સંસ્કૃત-પ્રાકૃત રચનાઓની તાલિકા નીચે આપી છે. ૧. યશોધરચરિત '' ૨. ૩. યશોધર-ચન્દ્રમતિ કથાનક ૪. યશસ્તિલકચમ્પૂ ૫. યશોધરચરિત ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. 17 "" "" "" ,, ,, 99 "" 23 .. "" 33 37 39 "" 29 "" "" "" પ્રભંજનકૃત (કુવલયમાલામાં ઉલ્લેખ) હરિભદ્રસૂરિની સમરાઈચ્ચકહા ચોથો ભવ (૯મી સદી) હરિષણ બૃહત્કથાકોશ (૧૦મી સદી) સોમદેવ (૧૦મી સદી) વાદિરાજ (૧૧મી સદી) મલ્લિષેણ (૧૧મી સદી) માણિક્યસૂરિ (સં.૧૩૨૭-૧૩૭૫) વાસવસેન (સં.૧૩૨૭-૧૩૭૫) પદ્મનાભ કાયસ્થ (સં.૧૪૦૨-૧૪૨૪) દેવસૂરિ (અજ્ઞાત) ભટ્ટારક સકલકીર્તિ (૧૫મી સદીનો મધ્ય) ભટ્ટારક કલ્યાણકીર્તિ (સં. ૧૪૮૮) ભટ્ટારક સોમકીર્તિ (સં. ૧૫૩૬) ભટ્ટારક પદ્મનન્દિ (૧૬મી સદી) ભટ્ટારક શ્રુતસાગર ( બ્રહ્મચારી નેમિદત્ત ( ,, - ૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૮-૩૨૦, ૪૬૬ 33 ) ) હેમકુંજર ઉપાધ્યાય (સં.૧૬૦૭થી પહેલાં) જ્ઞાનદાસ (લુંકાગચ્છ) (સં. ૧૬૨૩) પદ્મસાગર (તપાગચ્છીય ધર્મસાગરશિષ્ય)(લગભગ સં. ૧૬૫૦) ભટ્ટારક વાદિચન્દ્ર (સં. ૧૬૫૭) ભટ્ટારક જ્ઞાનકીર્તિ (સં. ૧૬૫૯) પૂર્ણદેવ (ગદ્ય) ક્ષમાકલ્યાણ (સં. ૧૮૩૯) (પ્રાકૃત) માનદેવેન્દ્ર ૨૮૩ (અજ્ઞાત) Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જેન કાવ્યસાહિત્ય યશોધરચરિતની કથાનો સાર – એક વાર રાજપુરના રાજા મારિદત્ત ચંડમારીદેવીના મંદિરમાં બધી જાતના પ્રાણીઓની જોડીઓની બલિ ચડાવવાનું અનુષ્ઠાન કરે છે જેથી તેને લોકવિજય કરનારી તલવાર પ્રાપ્ત થાય. ત્યાં નરનારી તરીકે બલિ માટે મુનિકુમાર અભયરુચિ અને અભયમતી (સહોદર ભાઈબહેન)ને પકડીને લાવવામાં આવ્યાં. તે બન્ને એક મુનિસંઘના સદસ્ય હતાં અને ભિક્ષા માટે નગરમાં આવ્યાં હતાં. તેમને જોઈ મારિદત્તનું ચિત્ત કરુણાથી દ્રવી ઊડ્યું અને તેણે તેમનો પરિચય પૂછ્યો. તે બન્નેએ પોતાના વર્તમાન જન્મનો સીધો પરિચય ન આપતાં પોતાના પૂર્વભવોની કથા સંભળાવી અને અંતે કહ્યું કે તે બન્ને તે રાજાના ભાણી-ભાણિયો છે. અભયરુચિએ બલિ માટે લાવવામાં આવેલા અનેક જીવોને જોઈ હિંસાની કઠોર નિંદા કરી અને પોતાના પૂર્વજો સાથે સંબંધ ધરાવતી, જીવતા મરઘાની જ નહિ પરંતુ લોટના બનાવેલા મરઘાની બલિ ચડાવવાથી અને તેને ખાવાથી કેવાં દારુણ ફળો જન્મોજન્મ ભોગવવાં પડે છે તેની અભુત કથા નીચે પ્રમાણે કહી : અભયરુચિએ કહ્યું કે આઠ પૂર્વભવોની આ કથા છે. પહેલા ભવમાં તે ઉજ્જયિનીનો યશોધર નામનો રાજા હતો. તેની રાણી એક રાતે કુબડા, કુરૂપ મહાવતનું ગાન સાંભળી તેના ઉપર આસક્ત થઈ ગઈ અને તેની સાથે પ્રેમસંબંધ બાંધી રાતના પાછલા ભાગમાં તેની સાથે કામક્રીડા કરવા લાગી. એક વાર રાતે આ કૃત્યને રાજાએ પોતે પોતાની નજરે જોયું પરંતુ કુલનિંદાના ભયને કારણે તે બને તે મારી ન શક્યો અને ચૂપચાપ સૂઈ ગયો. સવારે બહુ ભારે હૃદયે અને ઉદાસીનતાપૂર્વક તે પોતાની માતાને મળ્યો અને ઉદાસીનતાનું કારણ એક દુઃસ્વપ દર્શાવ્યું જેમાં તેણે પોતાની રાણીના દુશ્ચરિત્રનો આભાસ આપ્યા પરંતુ તે સમજી ન શકી અને દુઃસ્વપ્રના વારણ માટે તેણે દેવીને માટે બકરીના બચ્ચાનો બલિ ચડાવવા કહ્યું. પરંતુ તેણે તેમ કરવા ઈનકાર કરી દીધો પરંતુ માતાના અતિ આગ્રહને કારણે લોટના બનાવેલા મરઘાનો બલિ ચડાવ્યો. તો પણ આ હિંસા અને રાણીના વ્યભિચારને કારણે તેનું દિલ એટલું બધું હલી ઊઠ્યું કે તેણે રાજપાટ ત્યાગી તપસ્યા કરવા ઈચ્છા કરી. પરંતુ રાણીએ તેને આગ્રહ કર્યો કે તે તેમ કરે તે પહેલાં દેવીનો પ્રસાદ લે, અને પછી તેને તથા તેની માને વિષમિશ્રિત લાડુ ખવડાવી રાણીએ મારી નાખ્યાં. માતા અને પુત્ર મરીને ક્રમશ કૂતરો અને મોર થયા. બન્ને સંયોગવશ તે જ મહેલમાં ભેગા થયા. મોરે રાણી સાથે સંભોગ કરતા કુબડાની આંખ ફોડી નાખવા વિચાર્યું પરંતુ રાણીએ મોરને અધમૂઓ કરી નાખ્યો અને કૂતરો તેને ખાઈ ગયો. રાજપુત્રે ગુસ્સે થઈ કૂતરાને મારી નાખ્યો. Page #307 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૮૫ પછીના જન્મોમાં માતા-પુત્ર બન્ને ક્રમશઃ સાપ અને નોળિયો, મગર અને મત્સ્ય, બકરી અને બકરીપુત્ર, પાડો અને બકરો, બે મરઘા બન્યાં. એક વખત મુનિનો ઉપદેશ સાંભળી બન્ને મરઘાને જાતિસ્મરણ થયું અને તે બન્ને મોટી બાંગ પોકારવા લાગ્યા. રાજા યશોધરના પુત્રે (તત્કાલીન રાજા) પોતાની રાણીને પોતાનું શબ્દધિત્વ દિખાડવા તે મરઘાઓ ઉપર બાણ છોડ્યાં જેના પરિણામે બન્ને મરઘા મરી ગયા અને પછી તે જ રાજાના પુત્ર-પુત્રી યુગલ - અભયરુચિ અને અભયમતી રૂપે જન્મ્યા. એક વાર નગરના એક જિનાલયમાં સુદત્તાચાર્ય મુનિ આવ્યા. રાજાએ તેમને અમંગલ રૂપ માની તેમના ઉપર ક્રોધ કરવા વિચાર્યું પરંતુ એક વ્યક્તિ પાસેથી તેમનો પરિચય જાણી તથા તેમનો ઉપદેશ સાંભળી અને પોતાના પિતામહ, પિતામહી તથા પિતા વગેરેના પૂર્વજન્મનો વૃત્તાન્ત સાંભળી યશોધર વિરક્ત થઈ ગયા અને દીક્ષા લઈ સાધુ થઈ ગયા. અભયરુચિ અને અભયમતીએ પણ પોતાનાં પૂર્વજન્મોની દશાઓ સાંભળી ક્ષુલ્લકવ્રતો ગ્રહણ કરી લીધાં. આ બધો વૃત્તાન્ત સાંભળી મારિદત્ત તે ક્ષુલ્લક યુગલના ગુરુ પાસે ગયો અને સંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી. તેના પુત્રે પણ રાજ્યમાં હિંસાનો નિષેધ કર્યો. આ યશોધરકથાનક કુંભારના ચક્રની જેમ રજૂ કરવામાં આવ્યું છે, જે મારિદત્ત અને ક્ષુલ્લક યુગલના પરસ્પર વાર્તાલાપથી શરૂ થાય છે અને તે બન્નેના વાર્તાલાપથી સમાપ્ત થાય છે.' ઉપર્યુક્ત કેટલીય રચનાઓમાં મારિદત્તનું આખ્યાન પ્રારંભમાં ન આપતાં ગ્રન્થાત્તે આપ્યું છે. ઉપલબ્ધ રચનાઓમાં હરિભદ્રસૂરિકૃત સમરાઈઐકહામાં આવેલી યશોધરકથા પરવર્તી રચનાઓનું ઉપજીવ્ય રહી છે. પરંતુ તેનાં પાત્રો પરવર્તી કથાઓમાં પરિવર્તિત રૂપમાં મળે છે તથા તેમાં અનેક ઘટનાઓ ઉમેરવામાં આવી છે. હરિભદ્ર કથાના નાયક-નાયિકા તરીકે યશોધર-નયનાવલિ નામો આપ્યાં છે. ત્યાં મારિદત્તનું આખ્યાન નથી, અને ન તો ચંડમારીદેવીની સમક્ષ પૂર્વનિયોજિત નરબલિની ઘટના છે. સમરાઈઐકહામાં અભયમતી અને અભયરુચિ બન્ને જુદા જુદા દેશનાં રાજકુમારરાજકુમારી છે, કારણવશ તે બન્નેએ વૈરાગ્ય ધારણ કરેલ છે. ત્યાં તેમને ભાઈબહેન તરીકે માનવામાં નથી આવ્યાં. સમરાઈઐકહામાં યશોધરકથા આત્મકથાના રૂપમાં મળે છે. ત્યાં યશોધર પોતાની કથા ધન નામની વ્યક્તિ માટે કહે છે અને નહિ કે અભયમતી, અભયરુચિ અને મારિદત્ત માટે. ૧. જુઓ, ડૉ. રાજારામ જૈનનો લેખ “યશોધરકથાનો વિકાસ', જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૨૫, કિરણ ૨, પૃ. ૬૨-૬૯, આરા, ૧૯૬૮. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જેન કાવ્યસાહિત્ય પરવર્તી રચનાઓમાં યશોધરકથાનો વિકાસ અનેક સ્રોતોને આધારે કરવામાં આવ્યો જણાય છે. અહીં ઉક્ત કથાવિષયક ચરિતોનો પરિચય આપીએ છીએ. ૧. યશોધરચરિત – યશોધરના ચરિત્ર ઉપર સંભવતઃ આ પહેલી સ્વતંત્ર રચના છે. તેનો સૌપ્રથમ ઉલ્લેખ ઉદ્યોતનસૂરિએ (સં.૮૩૫) પોતાની કુવલયમાલામાં નીચે પ્રમાણે કર્યો છે : सत्तूण जो जसहरो जसहरचरिएण जणवए पयडो । कलिमलपभंजणो च्चिय पभंजणो आसि रायरिसी ॥ ४० ॥ અર્થાત્ જે શત્રુઓના યશને હરનાર હતા અને જે યશોધરચરિતને કારણે જનપદમાં પ્રસિદ્ધ થયા, તે કલિના પાપોનું પ્રભંજન કરનારા પ્રભંજન નામના રાજર્ષિ હતા. મુનિ વાસવસેને (વિ.સં.૧૯૬૫ પહેલાં) પણ પોતાના યશોધરચરિતમાં લખ્યું છે : प्रभंजनादिभिः पूर्वं हरिषेणसमन्वितैः ।। यदुक्तं तत् कथं शक्यं मया बालेन भाषितुम् ॥ અર્થાતુ હરિણ-પ્રભંજન વગેરે કવિઓએ પહેલાં જે કંઈ કહ્યું છે તે મારા જેવા બાલકથી કેવી રીતે કહી શકાય ? ભટ્ટારક જ્ઞાનકીર્તિએ (વિ.સં. ૧૬૫૯) પોતાના યશોધરચરિતમાં પોતાના પૂર્વવર્તી યશોધરચરિતના જે કર્તાઓનાં નામ જણાવ્યાં છે તેમાં પ્રભંજનનું પણ ૧. ડૉ. પી. એલ. વૈદ્ય પ્રભંજનકૃત યશોધરચરિતને ઉક્તવિષયક કૃતિઓમાંથી સૌથી પ્રાચીન કૃતિ માની છે (જસહરચરિઉં, કારંજા, ૧૯૩૧, ભૂમિકા, પૃ. ૨૪ ઈત્યાદિ); ડૉ. આ. ને. ઉપાધ્ધ, કુવલયમાલા, ભાગ ૨, ટિપ્પણ ૩૧, પૃ. ૧૨૬ ૨. કુવલયમાલા (સિંધી જૈન ગ્રન્થમાલા સં.૪૫), પૃ.૩ ૩. પં. નાથુરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ.૪૨૧ ૪. ડૉ. ક. ૨. કાસલીવાલ, રાજસ્થાન કે જૈન સન્ત વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ.૧૧૦ અને Page #309 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૮૭ નામ છે – સોમદેવ, હરિપેણ (અપભ્રંશના કવિ), વાદિરાજ, પ્રભંજન, ધનંજય, પુષ્પદંત (અપભ્રંશના કવિ), વાસવસેન. જો ઉક્ત ભટ્ટારકે આ બધી કૃતિઓ જોઈને જ આ ઉલ્લેખ કર્યો હોય તો સમજવું જોઈએ કે વિ.સં. ૧૬૫૦ સુધી પ્રભંજનકૃત યશોધરચરિત ઉપલબ્ધ હતું. ૨. યશોધરચરિત – ચાર સર્ગોનું આ એક મહત્ત્વપૂર્ણ લઘુ કાવ્ય છે. તેમાં વિવિધ છંદોમાં રચાયેલા કુલ ૨૯૬ શ્લોકો છે. આ કાવ્યના સર્જકે કોઈ પણ પૂર્વાચાર્યનો ઉલ્લેખ કર્યો નથી, કેવળ “સમન્તમદ્રારિ (૧.૩) કહીને અટકી ગયા છે. આ કાવ્યને પ્રભાવક બનાવવા માટે પ્રૌઢ સંસ્કૃત ભાષામાં કેટલાય રસોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમકે અભયરુચિ અને અભયમતીને બલિ માટે લઈ જતી વખતે કરુણ રસ, મહાવતના વર્ણનમાં બિભત્સ રસ, ચોથા સર્ગમાં વસન્તવર્ણન આદિ. કથામાં સોમદેવના યશસ્તિલકચમ્પનું અનુસરણ કરવામાં આવ્યું છે. કર્તા અને રચનાકાળ – આ કાવ્યના સર્જક વાદિરાજ છે. તે દ્રવિડસંઘની શાખા નદિસંઘના અર્ગલાન્વયના આચાર્ય હતા. તેમની અન્ય કૃતિઓમાં પાર્શ્વનાથચરિત, એકીભાવસ્તોત્ર, ન્યાયગ્રન્થ ન્યાયવિનિશ્ચયવિવરણ, અધ્યાત્માષ્ટક, રૈલોક્યદીપિકા, પ્રમાણનિર્ણય મળે છે. તેમનો વિશેષ પરિચય પાર્શ્વનાથચરિતની સાથે આપ્યો છે. આ કાવ્યના રચનાકાલના સંબંધમાં આ કાવ્યમાંથી બે મહત્ત્વનાં સૂચનો મળે છે. પહેલું ત્રીજા સર્ગના અન્તિમ ૮૫મા પદ્યમાં “વ્યાન્વેસિંહતાં અમુલે વર્ષ રધી ધારિણમ્' અને બીજું ચોથા સર્ગના ઉપાજ્ય પદ્યમાં “મુઉંગલો રાની તમાર, આ પદ્યાશોમાં કવિએ ચતુરાઈથી પોતાના સમકાલીન રાજા દક્ષિણના ચૌલુક્યવંશી જયસિંહનો ઉલ્લેખ કર્યો છે. તે ઉપરથી જાણવા મળે છે કે આ કાવ્યની રચના જયસિંહના સમયમાં (શક સં. ૯૩૮-૯૬૪) થઈ છે. તેની રચના વાદિરાજ પાર્શ્વનાથચરિતની રચના પછી કરી હતી કારણ કે તેમાં તેમણે પોતાને પાર્શ્વનાથચરિતના કર્તા કહ્યા છે. પાર્શ્વનાથચરિતની રચના શક સં. ૯૪૭ના ૧. સંપાદક ટી.એ. ગોપીનાથ રાવ, સરસ્વતી વિલાસ સિરિઝ સં.૫, તાંજોર, ૧૯૧૨; જિનરત્નકોશ, પૃ. ૩૧૯ ૨. ૧.૪૦; ૨.૩૯-૪૦; ચોથા સર્ગનો પ્રારંભ ૩. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૧૯૧-૩૦૮ ४. श्रीपार्श्वनाथकाकुत्स्थचरितं येन कीर्तितम् । तेन श्रीवादिराजेन दृब्धा याशोधरी कथा ॥ १.५ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન કાવ્યસાહિત્ય કાર્તિક સુદી ૩ના દિને થઈ હતી. તેથી આપણે અનુમાન કરી શકીએ કે આ કૃતિ તે પછી શક સં. ૯૬૪ સુધીમાં ક્યારેક રચાઈ હશે. શક સં. ૯૬૪ જયસિંહના રાજ્યનું છેલ્લું વર્ષ મનાય છે. ૩. યશોધરચરિત – માણિજ્યસૂરિકૃત આ કાવ્યમાં ૧૪ સર્ગ છે. તેમાં કુલ મળીને ૪૦૫ શ્લોકો છે. કવિએ પોતાની કથાનો સ્રોત સંભવતઃ હરિભદ્રસૂરિની સમરાઈચ્ચકહાને માન્યો છે. આ ચરિતનું કથાનક સંગઠિત અને ધારાવાહિક છે. તેમાં અવાન્તર કથાઓ ન હોવાથી શિથિલતાને અવકાશ મળ્યો જ નથી. આ ચરિત્રમાં પ્રકૃતિચિત્રણ પણ વિવિધ રૂપોમાં થયું છે, પરંતુ અધિકતર ઘટનાઓને અનુકળ પૃષ્ઠભૂમિ પૂરી પાડવા માટે જ પ્રકૃતિવર્ણનો કરવામાં આવ્યાં છે. આ કાવ્યના કર્તાએ જૈનધર્મના પ્રમુખ સિદ્ધાન્તનું – કેવળ અહિંસાનું – હિંસાના દોષો અને અહિંસાના ગુણોનું આદિથી અંત સુધી વર્ણન કર્યું છે. તેના પ્રતિપાદનમાં જ પોતાને સીમિત રાખ્યા છે અને જૈન ધર્મના અન્ય નિયમોનું નિરૂપણ કર્યું નથી. આ કાવ્યની ભાષા પ્રૌઢ અને ગરિમાયુક્ત ન હોવા છતાં અત્યન્ત સરળ અને પ્રસાદગુણયુક્ત અવશ્ય છે. વિવિધ સ્થિતિઓ અને ઘટનાઓનાં સજીવ ચિત્રો રજૂ કરવામાં કવિને ઘણી સફળતા મળી છે. આ કાવ્યમાં કહેવતો, લોકોક્તિઓ અને સૂક્તિઓનો પણ યોગ્ય અવસરે પ્રયોગ થયો છે. આ ચરિત્રની ભાષામાં બોલચાલના કેટલાય દેશી શબ્દો સંસ્કૃતના વેશમાં પ્રયુક્ત થયા છે, જેમકે કુંચિકા (કૂચી), કટાહી (કઢાઈ), ભટિત્ર (ભી), મિંટા (મેઢો), બર્કરઃ (બકરો), ચારક (ચારા), વટક (વાટી) વગેરે. કવિએ આ કાવ્યમાં અલંકારોની કૃત્રિમ અને અસ્વાભાવિક યોજના પ્રાયઃ ક્યાંય કરી નથી. ભાષાના સ્વાભાવિક પ્રવાહમાં જ અનેક અલંકાર સહજપણે સ્વતઃ આવી ગયા છે. આ ચરિત્રમાં વિવિધ છંદોનો ૧. પાર્શ્વનાથ ચરિત, પ્રશસ્તિ, પદ્ય ૫ * ૨. સંપાદક હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૦; જિનરત્નકોશ, પૃ. ૩૧૯ ૩. ૧.૪૨-૪૩, ૭૧-૭૨; ૩.૫, ૬૧; ૫.૪-૭; ૬.૨-૪; ૮.૪૨-૪૩, ૪૫-૪૮ વગેરે. ૪. ૨.૬૮, ૬૯; ૩.૪૦; ૪.૪૦; ૬.૭૦, ૭૭, ૧૧૩; ૧૨. ૭૫. ૫. ૨.૭; ૧૨.૨૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૮૯ પ્રયોગ દર્શનીય છે. ૭, ૯, ૧૦, ૧૧ અને ૧૪ સર્ગોમાં કોઈ એક વૃત્તનો પ્રયોગ કરી સગ્ગજો છંદ પરિવર્તન કરવામાં આવ્યું છે. બાકીના સર્ગોમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. સમસ્ત કાવ્યમાં ૨૫ વૃત્તોનો પ્રયોગ થયો છે. કેટલાક અપ્રસિદ્ધ અને અજ્ઞાત છંદોનો પણ પ્રયોગ થયો છે. કવિ પરિચચય અને રચનાકાળ – આ કાવ્યના અત્તે કોઈ પ્રશસ્તિ નથી આપી, તેથી કવિનો વિશેષ પરિચય આ કાવ્યમાંથી નથી મળતો પરંતુ નલાયન મહાકાવ્યના ત્રીજા સ્કન્ધના અંતે કવિએ આ પંક્તિઓ લખી છે : स्तत् किमप्यनवमं नवमंगलांकं श्रीमद्यशोधरचरित्रकृता कृतं यत् । तस्यार्यकर्णनलिनस्य नलायनस्य स्कन्धो जगाम रसवीचिमयस्तृतीयः ॥ આનાથી સ્પષ્ટતઃ જાણવા મળે છે કે નલાયનકાવ્ય અને પ્રસ્તુત કાવ્યના કર્તા એક જ માણિજ્યસૂરિ છે. તેમણે નલાયન પહેલાં યશોધરચરિતની રચના કરી હતી. માણિજ્યસૂરિ સં. ૧૩૨૭થી ૧૩૭૫ વચ્ચે જીવિત હતા. તે વડગચ્છના હતા અને તેમના ગુરુનું નામ પડોચન્દ્ર(પાચન્દ્ર)સૂરિ હતું. ૪. યશોધરચરિત – આમાં આઠ સર્ગો છે. તેની અંતિમ પુષ્યિકામાં “તિ યશોધરરિતે મુનિવર્સિવસેનøતે વાગ્યે અષ્ટH: 7: સમાસઃ” વાક્ય છે. પ્રારંભમાં લખ્યું છે : “pપંગનર્લિપ. પૂર્વ રિપેળસમન્વિતૈઃ | યદુૐ તત્ વર્ષ શક્યું નથી. વાર માષિતુY It' આ ઉપરથી જણાય છે કે તેમના પહેલાં પ્રભંજન અને હરિષભેર યશોધરચરિતો લખ્યાં હતાં. વાસવસેને પોતાના સમય અને કુલાદિનો કોઈ પરિચય આપ્યો નથી. સં. ૧૩૬પમાં થયેલા અપભ્રંશ કવિ ગન્ધર્વે પોતાના જસહરચરિલમાં વાસવસેનની રચનાનો ઉલ્લેખ કર્યો છે : “૬ વાસવધ પુત્ર ર૩ તે વરવ બંધબેન દિલ અર્થાતુ વાસવસેને પૂર્વે જે ગ્રન્થ રચ્યો હતો તેને જોઈને જ ગંધર્વે આ કહ્યું. આ ઉપરથી એટલું તો નક્કી છે કે તેઓ ગંધર્વ કવિથી અર્થાત્ સં. ૧૩૬પથી પહેલાં થયેલા છે. ૫. યશોધરચરિત (અપર નામ દયાસુન્દરકાવ્યો – આ કાવ્યમાં ૯ સર્ગ છે. તેમાં કુલ મળીને ૧૪૬૧ શ્લોકો છે. આ અપ્રકાશિત કૃતિ જૈન સિદ્ધાન્ત ભવન, આરામાં સુરક્ષિત છે. તેના પ્રત્યેક સર્ગની શ્લોકસંખ્યા ક્રમશ: ૧૪૯, ૭૯, ૧૫૩, ૧. હસ્તલિખિત પ્રતિ, મુંબઈના સરસ્વતી ભવન સં. ૬૦૪ ; જયપુરના બાબા દુલીચન્દ્રના ભંડારમાં; નૈન સાહિત્ય ગૌર તિહાસ, પૃ. ૨૫૫ ૨. હરિફેણ કદાચ તે જ હશે કે જેમની ધર્મપરીક્ષા (અપભ્રંશ) મળી છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૨૩૪, ૧૭૯, ૧૮૦, ૧૭૪, ૧૯૧, ૧૦૯ છે. અંતે ૧૩ શ્લોકોની એક પ્રશસ્તિ છે. આ કાવ્યનું બીજું નામ દયાસુન્દ૨કાવ્ય પણ છે. કર્તા અને રચનાકાળ આ કાવ્યના કર્તાનું નામ પદ્મનાભ છે. તે કાયસ્થ જાતિના હતા. તેમના ગુરુ જૈન ભટ્ટારક ગુણકીર્તિ (વિ.સં.૧૪૬૮-૭૩) હતા. તેમના ઉપદેશથી તેમણે આ કાવ્ય રચ્યું. તત્કાલીન ઘણા ભક્તોએ ઉક્ત કાવ્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. છેલ્લે આપેલી પ્રશસ્તિના ૧૦ શ્લોકોમાં કવિએ પોતાના આશ્રયદાતા મંત્રી કુશરાજનો વિસ્તૃત પરિચય આપ્યો છે. આ કુશરાજ ગ્વાલિયરના તોમરવંશીય રાજા વિક્રમદેવ (વીરમદેવ સં. ૧૪૫૯-૧૪૮૩)ના મંત્રિમંડળના પ્રમુખ સભ્ય હતા. તેમણે ગોપાચલ ઉપર ચન્દ્રપ્રભનું એક વિશાળ જિનાલય બંધાવ્યું હતું. 1 . અન્ય યશોધરચરિતોમાં ભટ્ટા૨ક સકલકીર્તિના કાવ્યમાં ૮ સર્ગો છે અને તેનું પરિમાણ ૧૦૦૦ શ્લોકપ્રમાણ છે. કલ્યાણકીર્તિની રચનાનું ૧૮૫૦ ગ્રન્થાગ્રપ્રમાણ દર્શાવાયું છે. સોમકીર્તિ (સં.૧૫૩૬)ના કાવ્યમાં આઠ સર્ગ છે. તેની રચના તેમણે ગોઢિલી(મારવાડ)માં સં. ૧૫૩૬માં કરી હતી. તેમણે જૂની હિંદીમાં પણ એક યશોધરચરિત રચ્યું છે. સોમકીર્તિનો પરિચય પ્રદ્યુમ્નચરિતના પ્રસંગમાં આપી દીધો છે. તેમની અન્ય કૃતિ સમવ્યસનકથા પણ મળે છે. શ્રુતસાગરકૃત યશોધરચરિતમાં ૪ સર્ગ છે. શ્રુતસાગર વિદ્યાનન્દિના શિષ્ય હતા. આ વિદ્યાનન્દિ મૂલસંઘ, સરસ્વતીગચ્છ, બલાત્કારગણના ભટ્ટારક હતા. શ્રુતસાગર બહુ મોટા વિદ્વાન હતા. તેમણે યશસ્તિલકચમ્પ ઉપર યશસ્તિલકચન્દ્રિકા ટીકા લખી છે, પરંતુ તે અપૂર્ણ છે. તેમની અન્ય કૃતિઓમાં તત્ત્વાર્થવૃત્તિ અને શ્રીપાલચરિત ઉલ્લેખનીય છે. તેમણે પોતાની કોઈ કૃતિમાં રચનાસંવત જણાવ્યો નથી. પરંતુ અન્ય પ્રમાણો દ્વારા એ પ્રાયઃ નિશ્ચિત છે કે તે વિક્રમની ૧૬મી સદીમાં થયા છે. ધર્મચન્દ્રગણિના શિષ્ય હેમકુંજર ઉપાધ્યાયે પણ એક યશોધરચિરતની રચના કરી છે, તેની સં. ૧૬૦૭ની હસ્તપ્રત મળે છે. લુંકાગચ્છના નાનજીના શિષ્ય જ્ઞાનદાસે પણ સં.૧૬૨૩માં એક યશોધરચરિત લખ્યું હતું.૫ પાર્શ્વપુરાણના કર્તા ભટ્ટારક વાદિચન્દ્રે પણ સં. ૧૬૫૭માં એક યશોધરચરિતને અંકલેશ્વર (ભરૂચ)ના ચિન્તામણિ પાર્શ્વનાથ ૪ ૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૯ ૨. રાજસ્થાન કે જૈન સન્ત : વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૩૯-૪૩ ૩. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૭૧-૩૭૭ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૧૯ ૫. એજન જૈન કાવ્યસાહિત્ય Page #313 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૯૧ મંદિરમાં બેસીને રચ્યું હતું. ઉક્ત કાવ્યની પ્રશસ્તિમાં રચનાસંવત આપ્યો છે અને કહ્યું છે કે આ કાવ્ય દયાનું માહાસ્ય દર્શાવવા રચવામાં આવ્યું છે. સં. ૧૬૫૯માં વાદિભૂષણના શિષ્ય જ્ઞાનકીર્તિએ આમેરના મહારાજા માનસિંહ (પ્રથમ)ના મંત્રી નાનૂગોધાની વિનંતીથી એક યશોધરચરિત બનાવ્યું, તેમાં ૯ સર્ગ છે. તેની એક પ્રતિ આમેર શાસ્ત્રભંડારમાં છે. સં. ૧૮૩૯માં ખરતરગચ્છીય અમૃતધર્મના શિષ્ય ક્ષમાકલ્યાણે સંસ્કૃત ગદ્યમાં યશોધરચરિત જેસલમેરમાં રહીને રચ્યું.' શ્રીપાલચરિત્ર- શ્રીપાલનું ચરિત્ર સિદ્ધચક્રપૂજા (અણહિકા, નન્દીશ્વરદ્વીપપૂજા) અર્થાત્ નવપદમંડલનું માહાભ્ય પ્રગટ કરનારું એક રૂઢ ચરિત છે. આ ચરિતને વત્તાઓછા પરિવર્તન સાથે શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરા માને છે. જેવી રીતે બીજા વ્રતો કે અનુષ્ઠાનો માટે એકથી વધુ ચરિત્ર મળે છે તેવી જ રીતે આને માટે પણ સંસ્કૃત-પ્રાકૃતમાં કુલ ૨૬થી વધુ રચનાઓ મળે છે. - ઉક્ત પૂજાનો ઉલ્લેખ પુરાણો છે પરંતુ તેનું માહાસ્ય દર્શાવવા અયોધ્યાના હરિષેણ રાજાની કથા ઉમેરવામાં આવી છે, પછી પોતનપુરના વિદ્યાધર રાજાની પણ. પહેલાં નંદીશ્વરપૂજા મૂળ રૂપમાં વિદ્યાધર લોકની વસ્તુ હતી પરંતુ વિદ્યાધર ઉપરાંત માનવ સાથે સંબંધ જોડવા માટે લોકકથાસાહિત્યમાંથી શ્રીપાલના ચરિત્રને ધર્મકથાના રૂપમાં ઘડીને તૈયાર કરવામાં આવ્યું. શ્રીપાલ કોઈ પૌરાણિક પુરુષ નથી. તેની જે કથા મળે છે તેનું વિશ્લેષણ કરવાથી તેની મુખ્ય વસ્તુ જાણવા મળે છે : પૂર્વજન્મોનાં સંચિત કર્મોનાં ફળ દર્શાવવાનું પ્રયોજન છે. પરંતુ સાથે સાથે તે પણ જણાવે છે કે તેમનાથી બચવા માટે અલૌકિક શક્તિઓ પાસેથી પણ મદદ મળી શકે છે અને તે અલૌકિક શક્તિ છે સિદ્ધચક્રપૂજા. કથાવસ્તુ- ઉજ્જૈનના રાજા પ્રજાપાલને બે રાણીઓ હતી, એક શૈવ અને બીજી જૈન. એકની પુત્રી સરસુન્દરી અને બીજીની મયનાસુન્દરી. શિક્ષાદીક્ષા પછી વાદસભામાં રાજા તેમને પૂછે છે કે તેમના સુખનું શ્રેય કોને છે? સુરસુન્દરીએ તે ૧. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૮૮; થનાં રસિદ્ઘ વાર્ઘિદ્રો ચરીરત્ | ૨. રાજસ્થાન કે જૈન સન્ત વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૨૧૧; જિનરત્નકોશ, પૃ. ૩૧૯ ૩. કેટલોગ ઓફ સંસ્કૃત એન્ડ પ્રાકૃત મેન્યુસ્ટીટ્સ, ભાગ ૪, (લાલભાઈ દલપતભાઈ ગ્રંથમાલા સં. ૨૦), પરિશિષ્ટ, પૃ. ૮૫ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રેય પિતાને છે એમ કહ્યું જ્યારે મયનાએ કહ્યું કે ધર્મને. રાજાએ સુરસુન્દરી ઉપર પ્રસન્ન થઈ તેના લગ્ન શંખપુરના રાજા અરિમર્દન સાથે કરાવી દીધા જ્યારે બીજી મયના ઉપર ક્રોધે ભરાઈ તેના લગ્ન કોઢિયા રાજપુત્ર શ્રીપાલ સાથે કરાવી દીધા. જૈન કાવ્યસાહિત્ય શ્રીપાલ ચમ્પાપુરનો રાજપુત્ર હતો. બચપણમાં જ તેના પિતાનું મરણ થવાથી મંત્રીએ અને તેની પાસેથી છીનવી લઈને કાકા અજિતસેને રાજ્ય સંભાળ્યું અને માદીકરાને ખતમ કરી દેવાનું ષડયંત્ર રચ્યું. તેથી મા-દીકરો બન્ને ભાગી નીકળ્યા અને ૭૦૦ કોઢિયાઓના ગામમાં શરણ લીધું. ત્યાં શ્રીપાલને પણ કોઢ થઈ ગયો. માતા ઉપચાર માટે તેને ઉજ્જયિની લઈ ગઈ. કોઢિયાઓએ શ્રીપાલને પોતાના મુખી તરીકે ચૂંટી કાઢ્યો હતો અને તેના લગ્ન માટે તે લોકોએ રાજા પાસે મયનાસુન્દરીનો હાથ માંગ્યો. રાજા પોતાની પુત્રી મયનાના લગ્ન તેની સાથે કરાવી દે છે. મયનાસુન્દરી તેને પોતાનાં કર્મોનું ફળ માને છે અને તેના નિવારણ માટે સિદ્ધચક્રની પૂજા કરે છે અને બધા કોઢિયાઓનો કોઢ મટી જાય છે. કેટલોક સમય ત્યાં રહી શ્રીપાલ પત્ની પાસેથી અનુમતિ લઈ યશ અને સંપત્તિ કમાવા માટે વિદેશ જાય છે. ત્યાં અનેક રાજકુંવરીઓ સાથે લગ્ન કરે છે, વ્યાપારમાં ભાગીદાર ધવલ શેઠ દ્વારા છળકપટથી સમુદ્રમાં પાડી દેવા છતાં બચી જાય છે અને તે શેઠના અનેક કપટપ્રપંચોથી બચતો શ્રીપાલ સંપત્તિ-વિપત્તિ વચ્ચેની ડામાડોળ દશાને પાર કરી પોતાની પત્નીઓ સાથે પાછો ઉજ્જૈન આવી જાય છે. પછી પોતાની મા અને પત્ની મયનાને મળીને અંગદેશ ઉપર આક્રમણ કરે છે. કાકા અજિતસેનને હરાવે છે, અજિતસેન દીક્ષા લઈ લે છે. અને શ્રીપાલ રાજસુખ ભોગવે છે. એક દિવસ તે જ મુનિ પાસેથી પોતાના પૂર્વજન્મની કથા સાંભળી જાણી લે છે કે પોતે કેટલોક કાળ કર્મફળ ભોગવી ૯મા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરશે. દિગંબર પરંપરાના કથાનક અનુસાર રાજા પહુપાલને એક રાણી હતી અને તેને બે પુત્રીઓ હતી સુરસુન્દરી અને મયણા. બન્નેની શિક્ષા અલગ અલગ થાય છે. સુરસુન્દરીના લગ્ન કૌશામ્બીના રાજા શૃંગારસિંહ સાથે થાય છે અને મયણાના કોઢિયા શ્રીપાલ સાથે. (શ્રીપાલને કોઢ તો રાજા થયા પછી થાય છે). તે કોઢને કારણે ૧૨ વર્ષથી પ્રવાસમાં હતા. મયણા સિદ્ધચક્રવિધિથી તેના કોઢનું નિવારણ કરે છે. ત્યાર પછી બે વિદ્યાઓ પ્રાપ્ત કરી શ્રીપાલ વિદેશયાત્રાએ જાય છે. ત્યાં સમુદ્રમાં પતન વગેરે કપટપ્રયુક્તિઓમાંથી બચી ક્રમશઃ ૪૦૦૦ રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે. પાછા આવીને પોતાના કાકા વીરદમન પાસેથી રાજ છીનવી સુખભોગ કરે છે. પછી એક મુનિ પાસેથી પોતાના પૂર્વભવની વાતો સાંભળી તે મુનિ બની જાય છે અને તપસ્યા કરી મોક્ષે જાય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ઉક્ત બન્ને રૂપાન્તરોમાં જે સમાન તથ્યો પ્રતિફલિત થાય છે તે છે : શ્રીપાલનું ચંપાપુરના રાજપુત્ર હોવું, તેને પૂર્વ કર્મોના ફલસ્વરૂપ કોઢ થવો અને મયણાનું પણ પૂર્વકર્મના ફલરૂપે તથા પિતાની બદલાની ભાવનાને કારણે શ્રીપાલ સાથે લગ્ન થવું, શ્રીપાલે ઘરજમાઈ ન બનીને પોતાનું સાહસ અને પોતાનો પુરુષાર્થ દેખાડવો, સમુદ્રયાત્રાના અનુભવો પ્રગટ કરવા અને એ દર્શાવવું કે આ કષ્ટોમાંથી મુક્ત થવાનો ઉપાય છે સિદ્ધચક્રપૂજા. સિરિવાલકહા શ્રીપાલના આખ્યાન ઉપર સૌપ્રથમ એક પ્રાકૃત કૃતિ ‘સિરિવાલકહા’૧ મળે છે, તેમાં ૧૩૪૨ ગાથાઓ છે. તેમાં કેટલાંક પઘો અપભ્રંશમાં પણ છે. પ્રથમ ગાથામાં કથાનું પ્રયોજન જણાવ્યું છે : अरिहाइ नवपयाई झाइत्ता हिययकमलमज्झमि । सिरिसिद्धचक्वमाहप्पमुत्तमं किं पि जंपेमि ॥ તેવીસમી ગાથામાં નવ પદોની ગણના આ પ્રમાણે આપી છે : अरिहं सिद्धायरिया उज्झाया साहुणो अ सम्मत्तं । नाणं चरणं च तवो इयं पयनवगं मुणेयव्वं ॥ - તે પછી ઉક્ત પદોનો નવ ગાથાઓમાં અર્થ આપ્યો છે અને તેમના માહાત્મ્યની ચર્ચા કરી છે. ૨૮૮મી ગાથાથી શ્રીપાલની કથા આપી છે. આ કથાગ્રન્થ કલ્પના, ભાવ અને ભાષામાં ઉદાત્ત છે. તેમાં કેટલાય અલંકારોનો સફળતાપૂર્વક પ્રયોગ થયો છે. કથાનકની રચના આર્યા અને પાદાકુલક (ચોપાઈ) છંદોમાં કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ક્યાંક પડિઆ છંદનો પણ પ્રયોગ થયો છે. કર્તા અને રચનાકાલ ગ્રન્થના અંતે કહેવામાં આવ્યું છે કે આનું સંકલન વજ્રસેન ગણધરના પટ્ટશિષ્ય અને પ્રભુ હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ કર્યું છે. તેમના શિષ્ય હેમચન્દ્ર સાધુએ વિ.સં.૧૪૨૮માં આ કૃતિને લિપિબદ્ધ કરી હતી. પટ્ટાવલિમાંથી જાણવા મળે છે કે રત્નશેખરસૂરિ તપાગચ્છની નાગપુરીય - ૨૯૩ ૧. જિનરત્નકોશ, પૃ. ૩૯૬; દેવચન્દ્ર લાલભાઈ પુસ્તકોદ્ધાર (૬૩), મુંબઈ, ૧૯૨૩. શ્રી વાડીલાલ જે. ચોક્સી અનુસાર આ કથાનો આવિષ્કાર સૌપ્રથમ રત્નશેખરસૂરિએ જ કર્યો છે.આ કથનનું સમર્થન ઉક્ત ગ્રન્થકારના સિદ્ધચક્રયન્ત્રોદ્ધારના વર્ણન દ્વારા થાય છે. २. सिरिवज्जसेण गणहर पट्टप्पइ हेमतिलयसूरीणं । सीसेहिं रयणसेहरसूरीहिं इमा हु संकलिया ।। १३४० ॥ तस्सीस हेमचंदेण साहुणा विक्कमस्स नरसंमि । चउदस अट्ठावीसे लिहिया गुरुभक्तिकलिएणं ॥ १३४१ ॥ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન કાવ્યસાહિત્ય શાખાના હેમતિલકના શિષ્ય હતા. તે સુલતાન ફિરોજશાહ તુગલકના સમકાલીન હતા. તેમનો જન્મ વિ.સં.૧૩૭૨માં થયો હતો અને ૧૩૮૪માં તેમણે દીક્ષા લીધી હતી અને ૧૪૦૦માં તેમને આચાર્યપદ મળ્યું હતું. તેમનું બિરુદ હતું મિથ્યાત્વકારનભોમણિ'. વિ.સં. ૧૪૦૭માં તેમણે ફિરોજશાહ તુગલકને ધર્મોપદેશ દીધો હતો. તેમની અન્ય રચનાઓ છે – ગુણસ્થાનક્રમારોહ, લઘુક્ષેત્રસમાસ, સંબોહસત્તરી, ગુરુગુણષત્રિશિકા, છન્દ કોશ વગેરે. આ રચનાઓ ઉપલબ્ધ છે. સિરિવાલકહા ઉપર ખરતરગચ્છીય અમૃતધર્મના શિષ્ય ક્ષમા કલ્યાણે સં.૧૮૬૯માં ટીકા લખી છે.' શ્રીપાલકથા – સંસ્કૃત ગદ્યમાં રચવામાં આવેલી આ અતિ સંક્ષિપ્ત કથા છે. ૨ તેના કર્તા ઉક્ત રત્નશેખરસૂરિના શિષ્ય હેમચન્દ્રસૂરિ જ છે. તેમાં પોતાના ગુરુની રચનાની ગાથાઓ અને ભાવોનો સંગ્રહ માત્ર છે. - શ્રીપાલચરિત – આમાં પ00 સંસ્કૃત શ્લોકોમાં કથા કહેવામાં આવી છે. તેના કર્તા પૂર્ણિમાગચ્છના ગુણસમુદ્રસૂરિના શિષ્ય સત્યરાજગણિ છે, તેમણે સં. ૧૫૧૪ યા ૧૫૫૪માં આની રચના કરી છે. શ્રીપાલકથા યા ચરિત – આમાં ૫૦૦ શ્લોક છે. તેના કર્તા વૃદ્ધ તપાગચ્છના ઉદયસાગરગણિના શિષ્ય લબ્ધિસાગરગણિ છે. તેની રચના સં. ૧૫૫૭માં થઈ હતી. અન્ય શ્રીપાલચરિતોમાં વૃદ્ધ તપાગચ્છના જ એક અન્ય વિદ્વાન વિજયરત્નસૂરિના શિષ્ય ધર્મવીરે સંસ્કૃતમાં શ્રીપાલચરિતની રચના કરી છે. તેની પ્રાચીન હસ્તપ્રતો સં. ૧૫૭૩, ૧૫૭૫ અને ૧૫૯૩ની મળે છે. એક શ્રીપાલચરિત્રનું નિર્માણ સંસ્કૃત ગદ્યમાં તપાગચ્છીય નયવિમલના શિષ્ય જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૪૫માં કર્યું હતું. આ ચરિત્ર વિજયપ્રભસૂરિના પટ્ટધર વિજય રત્નસૂરિના શાસનકાલમાં સમાપ્ત થયું હતું.' ૧. જિનરત્નકોશ, પૃ. ૩૬૯ ૨. નેમિવિજ્ઞાન પ્રસ્થમાલા (૨૨), કેશવલાલ પ્રેમચન્દ્ર કંસારા, ખંભાત, વિ.સં. ૨૦૦૮ ૩. જિનરત્નકોશ, પૃ. ૩૯૭; વિજયદાનસૂરીશ્વરપ્રસ્થમાલા (સં.૪), સૂરત, વિ.સં.૧૯૯૫ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૯૭ ૫. એજન; દેવચન્દ લાલભાઈ પુસ્તકોદ્ધાર (સં.પદ), મુંબઈ, ૧૯૧૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ઉક્ત પ્રાકૃત રચનાને આધારે ખરતરગચ્છના જયકીર્તિસૂરિએ પણ સં. ૧૮૬૮માં ગ્રન્થાગ્રપ્રમાણ ૧૧૦૦ ધરાવતા શ્રીપાલચરિતની રચના સંસ્કૃત ગદ્યમાં કરી છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક એક ટીકા પણ છે. અન્ય શ્રીપાલચરિતોના કર્તાઓનાં નામ છે – જીવરાજગણિ, સોમચન્દ્રગણિ (સંસ્કૃત ગદ્ય), વિજયસિંહસૂરિ, વીરભદ્રસૂરિ (ગ્રન્થાગ્ર ૧૩૩૪), પ્રદ્યુમ્નસૂરિ (પ્રાકૃત રચના), સૌભાગ્યસૂરિ, હર્ષસૂરિ, ક્ષેમલક, ઈન્દ્ર દેવરસ, વિનયવિજય (પ્રાકૃત) તથા લબ્ધિમુનિ. ૨૯૫ તેમાં વિનયવિજયની પ્રાકૃત રચના ૪ ખંડોમાં વિભક્ત છે. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૬૮૩ની મળે છે. લબ્ધિમુનિની ૧૦ સર્ગોમાં વિભક્ત ૧૦૪૦ શ્લોકપ્રમાણ રચના સં. ૧૯૯૦માં રચાઈછે. લબ્ધિમુનિ ખરતરગચ્છના રાજમુનિના શિષ્ય છે અને તેમણે ખરતરગચ્છના આચાર્યોનાં કેટલાંય જીવનચરિત્રો લખ્યાં છે. ઉપર્યુક્ત રચનાઓમાં શ્વેતાંબર પરંપરામાં પ્રચલિત શ્રીપાલનું ચરિત આપવામાં આવ્યું છે. દિગંબર સંપ્રદાય સમ્મત ચરિત્ર ઉપર સૌથી પ્રાચીન ગ્રન્થ શ્રીપાલચરિત ભટ્ટારક સકલકીર્તિકૃત મળે છે. તે સાત પરિચ્છેદોમાં વિભક્ત છે. તેમાં કોટિભટ શ્રીપાલનું રાજ્યાવસ્થામાં કુષ્ઠ થવું, તેનું નિવારણ, સમુદ્રયાત્રા, શૂલી પર ચડવું વગેરે ઘટનાઓ નાટકીય રીતે નિરૂપાઈ છે. તેના કર્તાનો પરિચય પહેલાં આપી દીધો છે. ગ્રંથની રચનાનો ચોક્કસ કાળ જાણી શકાયો નથી. અન્ય લેખકોમાં વિઘાનન્દ્રિ, મલ્લિભૂષણ, શ્રુતસાગર, બ્રહ્મ. નેમિદત્ત (નવ સર્ગોમાં, સં. ૧૫૮૫), શુભચન્દ્ર, પં. જગન્નાથ તથા સોમકીર્તિકૃત રચનાઓનો ઉલ્લેખ મળે છે.૪ અજ્ઞાતકર્તૃક બે શ્રીપાલચરિતોનો પણ ઉલ્લેખ મળે છે. તેમાંથી એકની પ્રાચીન પ્રતિ સં. ૧૫૭૨ની છે.૫ ૧. એજન; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૮ ૨. એજન, પૃ. ૩૯૭-૩૯૮ ૩. એજન, પૃ. ૩૯૮; જિનદત્તસૂરિ ભંડાર, પાયધુની, મુંબઈ, સં. ૧૯૯૧ ૪. એજન, પૃ. ૩૯૭-૩૯૮; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ; પૃ. ૩૭૪; રાજસ્થાન કે જૈન સન્ન : વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧૩; તેમાંથી એકનો હિંદી અનુવાદ જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તાથી પ્રકાશિત થયો છે. ૫. એજન Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન કાવ્યસાહિત્ય શ્રીપાલચરિત ઉપર એક નાટક પણ ધર્મસુન્દર અપર નામ સિદ્ધસૂરિએ સં. ૧૫૩૧માં રચ્યું છે. અપભ્રંશ ભાષામાં કવિ રઈધૂ અને પં. નરસેનનાં સિરિપાલચરિઉમાં દિગંબર સંપ્રદાય સમ્મત કથાનક આપવામાં આવ્યું છે. ગુજરાતી અને હિંદી ભાષાના કવિઓ માટે આ ચરિત બહુ જ રોચક અને આકર્ષક રહ્યું છે. ભવિષ્યદત્તકથા - શ્રીપાલકથાની જેમ ભવિષ્યદત્તની લૌકિક કથાને શ્રુતપંચમીનું માહાસ્ય દર્શાવવા માટે ધર્મકથામાં પરિવર્તિત કરવામાં આવેલ છે. કથાવસ્તુ – ભવિષ્યદત્ત એક વણિક પુત્ર છે. તે પોતાના ઓરમાન ભાઈ બધુદત્ત સાથે વ્યાપાર કરવા પરદેશ જાય છે, ત્યાં તે ધન કમાય છે અને લગ્ન પણ કરી લે છે પરંતુ તેનો ઓરમાન ભાઈ તેને દગો દઈ વારંવાર દુઃખ દે છે, એટલે સુધી કે તેને દ્વીપમાં એકલો છોડીને તેની પત્ની સાથે ઘરે પાછો આવે છે અને તેની સાથે લગ્ન કરી લેવા ઈચ્છે છે. પરંતુ તે દરમ્યાન ભવિષ્યદત્ત પણ યક્ષની મદદથી ઘરે પાછો ફરે છે, પોતાનો અધિકાર મેળવે છે અને રાજાને ખુશ કરી રાજકન્યા સાથે લગ્ન કરે છે. છેવટે એક મુનિ પાસેથી પોતાના પૂર્વભવનો વૃત્તાન્ત સાંભળી વિરક્ત થઈ પુત્રને રાજ સોપી મુનિ થઈ જાય છે. આ કથા ઉપર અનેક કૃતિઓ રચાઈ છે. તેમનો પરિચય જ્ઞાનપંચમી કથા ઉપર રચાયેલી કૃતિઓના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. મણિપતિચરિત (મુનિપતિચરિત) – આ ચરિત્રાત્મક કથાગ્રંથમાં મણિપતિ (નૃપ) મુનિના ચરિત્ર સાથે તેમના તથા કુંચિક શેઠ વચ્ચેના સંવાદ દ્વારા ૧૬ કથાઓ આપવામાં આવી છે, તેમનું સંકલન એક પદ્યમાં આ રીતે છે : हस्ती हारः सिंहो मेतार्यः सुकुमारिका । भद्रोक्षा गृहकोकिलः सचिवावटुकोऽपि च । नागदत्तो वर्द्धकिश्च चारभट्यथ गोपकः सिंही शीतादितहरिः काष्ठर्षिः षोडशो मतः ॥ ૧. એજન, પૃ. ૩૯૮ ૨. એજન, પૃ. ૩૦૦, ૩૧૦; આ કાવ્યનું વાસ્તવિક નામ મણિપતિચરિત છે. પ્રાકૃતમાં મણિવઈને પછી લેખકોએ મુણિવઈ કરીને મુનિપતિ (સંસ્કૃત) નામ આપી દીધું છે. આ વાતનું સ્પષ્ટીકરણ હેમચન્દ્ર ગ્રન્થમાલા, અમદાવાદથી પ્રકાશિત આ ગ્રન્થની પ્રસ્તાવનામાં કરવામાં આવ્યું છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય આ ચરિત્રનો સાર નીચે મુજબ છે : મણિપતિકા નગરીનો મણિપતિ નામનો રાજા હતો. તેણે એક દિવસ પોતાના માથામાં પાકેલો ધોળો વાળ જોઈ પોતાના પુત્ર મુનિચન્દ્રને રાજ સોંપી દમઘોષમુનિ પાસે દીક્ષા લઈ લીધી અને એકલા વિહાર કરવા લાગ્યો. એક વાર તે ઉજ્જયિનીની બહાર મસાણમાં કાયોત્સર્ગ કરતા હતા. ત્યાં ભયાનક ઠંડીને કારણે ગોપાળ બાળકોએ ભક્તિથી મુનિને વસ્ત્ર ઓઢાડ્યું પરંતુ ચિતાની ઝાળ લાગવાથી વસ્ત્રને આગ લાગી ગઈ અને મણિપતિમુનિ દાઝી ગયા. તેની ખબર તે નગરના શેઠ કુંચિકને પડી અને તેમણે મુનિને પોતાના ઘરે લાવી તેમની ચિકિત્સા કરાવી તથા વર્ષાકાલ નજીક હોવાથી મુનિને ચોમાસું ત્યાં વીતાવવા આગ્રહ કર્યો, તથા પોતાના પુત્રના ભયથી સંસ્તારક નીચે પોતાના ધનને દાટી દીધું. પરંતુ પુત્ર તે ધનને ઉઠાવી ગયો. શેઠે મુનિ ઉપર ધનચોરીનો આક્ષેપ મૂક્યો અને હાથીની કથા કહી. એટલે મુનિએ પોતાની નિર્દોષતા દર્શાવવા એક હારકથા (આ એક લાંબુ કથાનક છે) કહી. આ રીતે તે બન્નેની ચર્ચામાં ૮-૮ = ૧૬ કથાઓ કહેવાઈ. પરંતુ શેઠના મનની શંકા દૂર ન થઈ, એટલે મુનિએ ક્રોધે ભરાઈને શાપ આપ્યો કે ‘જેણે તારું ધન લીધું હોય તે ફાટી પડે.' તપના પ્રભાવથી મુનિના શરીરમાંથી તેજોલેશ્યા નીકળવા લાગી. એટલે કુંચિક શેઠના પુત્રે ભયભીત થઈ ચોરી સ્વીકારી મુનિની ક્ષમા માગી. મુનિએ ક્ષમા આપી. પરંતુ કુંચિક શેઠને વૈરાગ્ય વ્યાપી ગયો. તે દીક્ષા લઈ મુનિ બન્યા. બન્નેએ નિર્દોષ તપસ્યા કરી સ્વર્ગ મેળવ્યું. આ કથા ઉપર સંસ્કૃતમાં ત્રણ અને પ્રાકૃતમાં એક રચના મળે છે. ૨૯૭ પ્રથમ રચના સંસ્કૃત ગદ્ય-પદ્યમય છે. તેની રચના ચન્દ્રગચ્છના જમ્મૂકવિએ સં.૧૦૦૫માં કરી હતી. તેમની અન્ય રચના જિનશતકકાવ્ય ઉપર સં. ૧૦૨૫માં સામ્બમુનિએ ટીકા લખી હતી. તેની પ્રશસ્તિમાંથી આ કવિના ગચ્છની જાણ થઈ. કર્તાના જીવનના વિશે વધુ કંઈ જ જાણવા મળતું નથી. બૃટ્ટિપ્પનિકામાં મણિપતિચરિતને મુનિપતિચરિત કહીને ‘૨૦૦ વર્ષે નવૂનાધૃત ૨૨૦૦ ૩૦ૢ. ૨૦૦૭' એમ લખ્યું છે. તેથી લાગે છે કે જમ્બુનાગ અને જમ્મૂકવિ એક જ હતા. બની શકે કે જમ્બુનું બીજું નામ જમ્બુનાગ હોય. આ ચરિત્રગ્રન્થ એતદ્વિષયક અન્ય રચનાઓથી પ્રાચીન, સુન્દર અને આકર્ષક છે. તેની ભાષા સરળ, સ્પષ્ટાર્થયુક્ત અને અલંકારવિભૂષિત છે. પ્રારંભમાં સજ્જનસ્તુતિ, દુર્જનનિન્દા, ગ્રીષ્મ આદિ ઋતુ, સાયંકાળ તથા નગરી વગેરેનું આકર્ષક વર્ણન છે. કવિ અલંકારપ્રિય છે પણ તેમની ભાષા પ્રસાદગુણવાળી છે. આ ચિરત્રનું કથાનક તો બહુ જ સંક્ષિપ્ત ૧. હેમચન્દ્ર ગ્રન્થમાલા, અહમદાબાદ, સં. ૧૯૭૮ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જેન કાવ્યસાહિત્ય છે પરંતુ વર્ણન અને પ્રાસંગિક કથાઓથી તે વિસ્તૃત બની ગયું છે. બીજી રચના પ્રાકૃત ગાથાઓમાં છે. તે સંક્ષિપ્ત છે. તેમાં કુલ ૬૪૬ ગાથાઓ છે. તે ૮૦૫ શ્લોકપ્રમાણ છે. તેની રચના સં. ૧૧૭૨માં બૃહદ્ગચ્છીય માનદેવના પ્રશિષ્ય અને ઉપાધ્યાય જિનપતિના શિષ્ય હરિભદ્રસૂરિએ કરી છે. જે હરિભદ્રસૂરિની અન્ય ઉપલબ્ધ કૃતિઓ છે - શ્રેયાંસચરિત્ર, પ્રશમરતિવૃત્તિ, ક્ષેત્રસમાસવૃત્તિ અને બંધસ્વામિત્વષડશીતિકર્મગ્રન્થવૃત્તિ. ત્રીજી રચના સંસ્કૃત ગદ્યમાં છે. હરિભદ્રસૂરિના પ્રાકૃત ચરિત્ર ઉપરથી જ આ કૃતિ સંસ્કૃત ગદ્યમાં રચવામાં આવી છે. વાસ્તવમાં આ તેનો અનુવાદ માત્ર છે અને તેનાથી લઘુ છે. જિનરત્નકોશ અનુસાર તેના કર્તા ધર્મવિજયગણિ છે. ચોથી રચના નયનન્દિસૂરિકૃત છે, તેનો ગ્રન્થાગ ૬૨૫ પ્રમાણ છે, તેનો ઉલ્લેખ મળે છે.* પાંચમી રચના સંસ્કૃત ગદ્યમાં છે અને તેમાં પ્રાસંગિક કથાઓ એટલી બધી છે કે તેનું પ્રમાણ બન્ને ચરિત્રોથી મોટું થઈ ગયું છે. આ ગ્રન્થની ભાષા અસ્તવ્યસ્ત છે. તેના કર્તાનું નામ અજ્ઞાત છે." એક મુનિપતિચરિત્રસારોદ્ધાર નામની સંસ્કૃત કૃતિનો પણ ઉલ્લેખ મળે છે. ગજસુકુમાલકથા – ગજસુકુમાલને ગજકુમાર પણ કહેવાય છે. તેમની કથા અન્નકૃતદશાંગમાં આવી છે. તે દેવકીના અંતિમ પુત્ર હતા. તેમનું ઉદાહરણ તપની ચરમ આરાધના, મનુષ્યકૃત ઉપસર્ગોને અચલ ભાવથી સહન કરવા તથા ક્ષમાની ઉચ્ચ કોટિની પરિણતિના માટે અનેક કથાગ્રન્થોમાં આવે છે. તેના ઉપર સંસ્કૃતમાં એક અજ્ઞાતકર્તક રચનાનો ઉલ્લેખ મળે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૦, ૩૧૦ २. नयणमुणिरुद्दसंखे विक्कमसंवच्छरंमि वच्चन्ते (११७२)। भद्दवय पंचमिए समत्थिअं चरित्तमिणमोत्ति ।। ૩. જિનરત્નકોશ, પૃ. ૩૧૧ ૪. એજન ૫. મણિપતિરાજર્ષિચરિતની પ્રસ્તાવના, હેમચંદ્ર ગ્રન્થમાલા, સં. ૧૯૭૮; હીરાલાલ હંસરાજ, જામનગર દ્વારા સંપાદિત અને પ્રકાશિત ૬. જિનરત્નકોશ, પૃ. ૩૧૧ ૭. એજન, પૃ. ૧૦૨ Page #321 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૨૯૯ સુકોશલચરિત-તપની આરાધનાના મહત્ત્વને દર્શાવવા અને તિર્યંચ (વાઘણ)કૃત ઉપસર્ગને ક્ષમાભાવથી સહન કરવા જોઈએ એ કહેવા માટે સુકૌશલમુનિનું ચરિત્ર અનેક કથાકોશોમાં આવ્યું છે. હરિર્ષણના કથાકોશમાં આ ચરિત્ર ૨૮૪ શ્લોકોમાં આલેખાયેલું છે. પ્રાકૃત (અપભ્રંશ)માં સોમકીર્તિ ભટ્ટારકકૃત તથા ત્રણ અજ્ઞાતકર્તક રચનાઓ (જમાં ૯૭ ગાથા, ૧૦૧ ગાથા અને ૧૦૭ ગાથા છે) મળે છે. સંસ્કૃતમાં બ્રહ્મ. નેમિદત્ત અને ભટ્ટારક નરેન્દ્રકીર્તિકુત રચનાઓ મળે છે. અપભ્રંશમાં ૧૩૦૨માં રચાયેલી અજ્ઞાતકર્તક કૃતિ" તથા કવિ રઈધૂકૃત સુકોસલચરિકનો ઉલ્લેખ મળે અવન્તિકમાલ અથવા સુકુમાલચરિત – તપની ચરમ આરાધના અને તિર્યંચ (શૃંગાલી)ના ઉપસર્ગોને અડગ ભાવથી સહન કરવાના દૃષ્ટાન્ત તરીકે અવન્તિસુકુમાલની કથા આરાધના કથાકોશો તથા અન્ય કથાકોશોમાં કહેવામાં આવી છે. હરિષણના કથાકોશમાં આ કથા ૨૬૦ શ્લોકોમાં આપવામાં આવી છે. દાનપ્રદીપમાં તેને ઉપાશ્રયદાનનું મહત્ત્વ દર્શાવવા કહેવામાં આવી છે. અવન્તિસુકમાલ આચાર્ય સુહસ્તિના શિષ્ય મનાયા છે અને કહેવામાં આવે છે કે તેમના સમાધિસ્થળ ઉપર ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર બન્યું છે. આના ઉપર સ્વતંત્ર રચનાઓમાં ભટ્ટારક સકલકીર્તિકૃત (૧૫મી સદી) ૯ સર્ગાત્મક ૧૦૫૦ શ્લોકોમાં નિબદ્ધ એક કાવ્ય મળે છે. બીજી રચના ભટ્ટારક પ્રભાચન્દ્રના શિષ્ય વાદિચન્દ્ર (સં.૧૬૫૦-૧૬૬૦) રચેલી હોવાનો ઉલ્લેખ મળે છે તથા અન્ય અજ્ઞાતકર્તક સંસ્કૃત રચનાઓનો ઉલ્લેખ પણ મળે છે. પાટણ(ગુજરાત)ના તપાગચ્છ ભંડારના એક કથાસંગ્રહમાં અવન્તિસુકુમાલકથા ૧૧૯ પ્રાકૃત ગાથાઓમાં ઉપલબ્ધ છે. જિનદત્તચરિત – સાધુપરિચર્યા યા મુનિને આહારદાનના પ્રભાવથી વ્યક્તિ જીવનમાં સંકટોથી બચે છે, પોતાની શુદ્ધિ કરી શકે છે, એ તથ્યને દર્શાવવા માટે ૧-૬ એજન, પૃ. ૪૪૩-૪૪૪; હિન્દીમાં સુકોશલચરિત્ર પ્રકાશિત છે. ગુજરાતીમાં અનેક રાસ વગેરે ઉપલબ્ધ છે. ૭-૯, એજન, પૃ. ૪૪૩; સુકુમાલચરિત્ર ઉપર હિન્દીમાં ગદ્ય-પદ્ય રચનાઓ પ્રકાશિત થઈ છે. ૧૦. એજન, પૃ. ૧૭; પાટણ ભંડાર સૂચિ, ભાગ ૧, પૃ. ૪૦૫ Page #322 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય જિનદત્તના ચરિત્ર ઉપર કેટલીય કથાકૃતિઓ સંસ્કૃત-પ્રાકૃતમાં રચવામાં આવી છે. જિનદત્તે પોતાના પૂર્વભવમાં કેવળ પૂર્ણિમાના દિવસે એક મુનિરાજને પરિચર્યાપૂર્વક આહારદાન કર્યું હતું. તેના પ્રભાવથી તે પોતાના વર્તમાન ભવમાં ઘૂતવ્યસનથી સંપત્તિ ખોઈને પણ નાના પ્રકારનાં ચમત્કારી અને સાહસિક કાર્યો કરી શકે છે. તે વેષપરિવર્તન કરે છે, સમુદ્રયાત્રા કરે છે, હાથીને વશ કરે છે, રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે અને વિવિધ પ્રકારનાં સુખો ભોગવી છેવટે તપસ્યા કરી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ૩૦૦ આ કથાનક ઉપર સૌથી પ્રાચીન અજ્ઞાતકર્તૃક કૃતિ પ્રાકૃત ગદ્યમાં મળે છે. તેની હસ્તલિખિત પ્રતિ મણિભદ્રયતિએ વરનાગ માટે સં. ૧૧૮૬માં તૈયાર કરી હતી. તેમાં જિનદત્તનો પૂર્વભવ પ્રારંભને બદલે અંતમાં આપ્યો છે. બીજી રચના પ્રાકૃત ગદ્યપદ્યમાં છે, તે ૭૫૦ ગ્રન્થાગ્રપ્રમાણ છે. તેની રચના પાડિયગચ્છના નેમિચન્દ્રના પ્રશિષ્ય અને સર્વદેવસૂરિના શિષ્ય સુમતિગણિએ કરી છે. કૃતિનો રચનાકાળ નિશ્ચિત નથી, પરંતુ એક પ્રાચીન પ્રતિમાં તે પ્રતિને અણહિલપાટણમાં સં. ૧૨૪૬માં લખાવવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. તેથી કૃતિની રચના તે પહેલાં થઈ હોવાનું નિશ્ચિત છે. તેમાં વિજ઼પુત્રો અને સાંયાત્રિકોની યાત્રાનું રોચક વર્ણન છે. આ કથાનક સંબંધી ત્રીજી રચના સંસ્કૃતમાં છે. તેમાં ૯ સર્ગ છે તથા ૯૩૮ શ્લોક છે. તેને જિનદત્તકથાસમુચ્ચય પણ કહે છે. સર્ગાન્તના એક-એક બે-બે વૃત્ત છંદો સિવાય આખી કૃતિ અનુરુમાં છે. તેની રચના ગુણભદ્રાચાર્યે કરી છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૩૫ ૨. સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૨૭, મુંબઈ, સં. ૨૦૦૯ ૩. એજન, બન્ને રચનાઓ એક જ ગ્રંથમાં પ્રકાશિત છે. ૪. વિશેષ પરિચય માટે જુઓ – ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત ભાષા ઔર સાહિત્ય કા આલોચનાત્મક ઈતિહાસ, પૃ. ૫૦૫-૫૦૮. ૫. માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈ, સં. ૧૯૭૩; આનો હિન્દી અનુવાદ પં. શ્રીલાલ કાવ્યતીર્થ, કલકત્તાથી પ્રકાશિત. Page #323 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૦૧ ગુણભદ્ર નામના પાંચ આચાર્યો થયા જાણવા મળે છે. તેમાંથી એક ઉત્તરપુરાણના કર્તા ગુણભદ્ર છે, પરંતુ તેમની કૃતિ સાથે આનો કોઈ મેળ નથી. બીજા ગુણભદ્ર ચન્દલ રાજા પરમર્દિના શાસનકાલ(સનું ૧૧૭૦-૧૨૦૦)માં થયા છે. તે પણ સારા કવિ હતા. તેમણે રચેલું સંસ્કૃત ધન્યકુમારચરિત્ર કાવ્ય મળે છે. તે જ વિજૌલિયા પાર્શ્વનાથ સ્તંભલેખના લેખક તથા પ્રતિષ્ઠાપાઠના લેખક મનાય છે. બહુ સંભવિત છે કે આ જ ગુણભદ્ર જિનદત્તચરિત્રની રચના કરી હોય. ચોથી રચના સંસ્કૃત ગદ્ય(ગ્રન્થાઝ ૧૬૩૭)માં છે. તેને સં. ૧૪૭૪માં પૂર્ણિમાગચ્છના ગુણસાગરસૂરિના શિષ્ય ગુણસમુદ્રસૂરિએ રચી છે. અન્ય એકબે જિનદત્તકથાઓનો ઉલ્લેખ મળે છે. અપભ્રંશમાં રઈ કવિએ જિનદત્તચરિકનું સર્જન કર્યું છે. નરવર્મકથા – સમ્યક્તનું માહાભ્ય પ્રકટ કરવા માટે નરવર્મનરેશની કથાને લઈને રચાયેલી બેત્રણ કૃતિઓ મળે છે. કથાવસ્તુ– રાજગૃહના રાજા નરવર્મ હતા. તેમને હરિદત્ત નામનો પુત્ર હતો. એક વાર વિદેશયાત્રાથી પાછા ફરી રાજાના મિત્ર મદનદત્તે રાજાને એક હાર આપ્યો અને કહ્યું કે પોતાને એક દેવે હાર આપ્યો છે, જે દેવ પૂર્વભવમાં પોતાનો મોટો ભાઈ હતો અને એક મુનિના કહેવા પ્રમાણે તે દેવે હવે આપના પુત્ર હરિદત્તરૂપે જન્મ લીધો છે. હરિદત્તે પણ તે હારને જોતાં જ જાતિસ્મરણ દ્વારા પોતાના પૂર્વભવનું સઘળું વૃત્તાન્ત કહી સંભળાવ્યું. તે વખતે એક કેવલી મુનિનો ઉપદેશ સાંભળી નરવર્મે સમ્યક્ત વ્રત ગ્રહણ કર્યું. એક વખત ઈન્દ્ર પાસેથી તેમની પ્રશંસા સાંભળી એક દેવે પરીક્ષા કરી. તે દેવે રાજાને ભૂખથી પીડાયેલા જૈન સાધુઓને લડતાઝગડતા દેખાડ્યા. રાજા પોતાના રાજયમાં આવું થતું જોઈ આત્મનિંદા અને આત્મગહણા કરવા લાગ્યા. દેવે આ રીતે રાજાને સાચા સમ્યવી તરીકે પરખ્યો. નરવર્મે ઘણા વખત સુધી ગૃહસ્થ ધર્મનું પાલન કરી છેવટે દીક્ષા લીધી અને સુગતિ પ્રાપ્ત કરી. આ કથાનક ઉપર સર્વપ્રથમ કૃતિ નરવર્મમહારાજચરિત્ર વિવેકસમુદ્રમણિ દ્વારા વિરચિત મળે છે. તેમાં પાંચ સર્ગ છે. કૃતિના અન્ત કવિએ તેનું પરિમાણ ૫૪૨૪ ૧. પ્રતિષ્ઠાપાઠ પશ્ચાત્કાલીન ૧૬મી સદીના ગુણભદ્રની રચના છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જેન કાવ્યસાહિત્ય શ્લોકપ્રમાણ આપ્યું છે. તેનું બીજું નામ સમ્યક્વાલંકારકાવ્ય છે. તે અવાન્તર કથાઓથી ભરપૂર છે. તેની ભાષા સરળ અને સુબોધ છે. બધા સર્ગો અનુષ્પ છંદમાં છે. સર્વાન્ત શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા આદિ છંદોનો પ્રયોગ થયો છે. તેના કર્તા ખરતરગચ્છીય જિનરત્નસૂરિના શિષ્ય વાચનાચાર્ય વિવેકસમુદ્રગણિ છે. તેની રચના તેમણે ખંભાતમાં સં.૧૩૨૫માં દીપાવલીના દિવસે કરી હતી. રચના કરવાની વિનંતી બાહડપુત્ર બોહિત્યે કરી હતી. આ કૃતિનું સંશોધન પ્રત્યેકબુદ્ધચરિતના કર્તા જિનરત્નસૂરિ અને લક્ષ્મીતિલક ઉપાધ્યાયે કર્યું હતું. વિવેકસમુદ્રગણિની અન્ય રચનાઓમાં જિનપ્રબોધચતુઃસપ્તતિકા તથા પુણ્યસારકથાનક (સં.૧૩૩૪) મલે છે. ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલિ અનુસાર વિવેકસમુદ્રની દીક્ષા વૈશાખ શુક્લ ચતુર્દશી સં. ૧૩૦૪માં, વાચનાચાર્યની ઉપાધિ સં. ૧૩૨૩માં અને સ્વર્ગવાસ જ્યેષ્ઠ શુક્લ દ્વિતીયા સં. ૧૩૭૮માં થયો હતો. નરવર્મચરિત્ર ઉપર બીજી રચના વિનયપ્રભ ઉપાધ્યાયની મળે છે. તેની રચના સં.૧૪૧૨માં થઈ હતી. આ એક લઘુ કૃતિ છે. તેનો ગ્રન્થાગ્ર ૮૦૦ શ્લોકપ્રમાણ છે. વિનયપ્રભ ખરતરગચ્છના જિનકુશલસૂરિના શિષ્ય હતા. ત્રીજી રચના (ગ્રન્થાઝ ૫૦૦ શ્લોકપ્રમાણ) મુનિસુન્દરસૂરિકૃતનો ઉલ્લેખ મળે ચોથી રચના ખરતરગચ્છીય પુણ્યતિલકના શિષ્ય વિદ્યાકીર્તિએ સં. ૧૯૬૯માં રચી હતી." ગુણવર્મચરિત – અભિષેક વગેરે સત્તર પ્રકારની અન્તિપૂજાના માહાભ્યને દર્શાવવા માટે ગુણવર્મા અને તેના ૧૭ પુત્રોની કથાની રચના થઈ છે." ૧. જિનરત્નકોશ, પૃ. ૪ર૭; જિનરત્નકોશમાં તેનું અપર નામ નરવર્મમહારાજચરિત ન દેવાની ભૂલ થઈ છે; તેની પ્રતિ બૃહત ભંડાર, જેસલમેર (પ્રતિ સં. ૨૭૪)માં છે. ૨. પૃ. ૪૯-૬૫ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૦૪; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૯ ૪. એજન, પૃ. ૨૦૫ ૫. અપ્રકાશિત, મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૮ દ. જિનરત્નકોશ, પૃ. ૧૦૫; પ્રકાશિત - અમદાવાદ, ૧૯૦૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૦૩ કથાવસ્તુ – હસ્તિનાપુરમાં ગુણવર્મા રાજપુત્રે રાજય મળ્યા પછી ક્રમશઃ રત્નાવલી, કનકાવલી, રત્નમાલા અને કનકમાલા રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા. બીજી રાજકુમારી સાથેના લગ્નપ્રસંગે પાર્શ્વનાથ જિનમંદિરમાં ભક્તિભાવથી પૂજા કરતી વખતે તેને જાતિસ્મરણ થયું કે પૂર્વભવમાં પોતે હસ્તીનાપુરમાં ધનદત્ત નામના શેઠ હતો, ધનદત્તને ૪ પત્નીઓ હતી અને ૧૭ પ્રકારની પૂજા કરવાથી ૪ પત્નીથી તેને ૧૭ પુત્ર થયા હતા. જિનપૂજાના પ્રભાવથી ધનદત્ત મરીને દેવ થયો અને વર્તમાનમાં ગુણવર્મા રાજા થયો. આ જન્મમાં પણ તેને (ગુણવર્માને) ૧૭ પુત્ર થયા. તેમાં ૧૭ પ્રકારની પૂજાનાં નામ આપવામાં આવ્યાં છે. પ્રત્યેક પૂજાનું માહાસ્ય દર્શાવવા માટે એક કથા એમ કુલ ૧૭ કથાઓ આપવામાં આવી છે. આ કથાગ્રન્થ ૫ સર્ગોમાં વિભક્ત છે. ગ્રન્થાગ ૧૯૪૮ શ્લોકપ્રમાણ છે. તેમાં સંસ્કૃતના વિભિન્ન છંદોનો પ્રયોગ થયો છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેના કર્તા અંચલગચ્છશ માણિક્યસુંદરસૂરિ છે. તેમણે કૃતિને સં. ૧૪૮૪માં સત્યપુર(સાચૌર)માં વર્ધમાન જિનભવનમાં ઉપાધ્યાય ધર્મનન્દનના વિશિષ્ટ સાન્નિધ્યમાં સમાપ્ત કરી હતી. તેમની અન્ય કૃતિઓમાં શ્રીધરચરિતકાવ્ય, શુકરાજકથા, ધર્મદત્તકથાનક, મહાબલમલયસુન્દરીકથા, ચતુપૂર્વીચમ્પ, પૃથ્વીચન્દ્રચરિત્ર (ગદ્ય) આદિ મળે છે. સરવિક્રમચરિય – આમાં નરસિંહ નૃપના પુત્ર રાજકુમાર નરવિક્રમ, તેની પત્ની શીલવતી અને તે બન્નેના બે પુત્રોના વિપત્તિભર્યા જીવનનું વર્ણન છે. તે ચારે એક અપ્રિય ઘટનાને કારણે રાજ્ય છોડી ચાલ્યાં ગયાં હતાં તથા વિખૂટાં પડી ગયાં હતાં અને અનેક સાહસિક ઘટનાઓ પછી પુનઃ મળ્યાં હતાં. આ કથા પૂર્વકર્મ-ફલપરીક્ષાના પ્રયોજનથી કહેવામાં આવી છે. જે આ કથાને ગુણચન્દ્રસૂરિએ મહાવીરચરિયમાં વિસ્તારથી આપી છે. તેને સંસ્કૃત છાયા સાથે અલગથી પ્રકાશિત કરવામાં આવેલ છે. આ કથાનું મહત્ત્વ એમાં છે કે આ કથા અનેક જૈન અને અર્જન લેખકોએ ગુજરાતીમાં આલેખેલી કથા “ચન્દનમલયગિરિનો આધાર સિદ્ધ થઈ છે. ૧. સર્ગ ૨. ૪૨-૪૫ ૨. નેમિવિજ્ઞાન ગ્રન્થમાલા (૨૦), સં. ૨૦૦૮ ૩. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થમાં પ્રકાશિત અંગ્રેજી લેખ Jain and Non-Jain Versions of the Popular Tale of Chandana-Malayagiri from Prakrit and Other Early Literary Sourccs' hy Ramusi N. Jani Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન કાવ્યસાહિત્ય રયણચૂડરાયચરિય – આને રચૂડકથા અથવા તિલકસુન્દરી-રત્નચૂકથાનક પણ કહે છે. આ એક લોકકથા છે, તેનો સંબંધ દેવપૂજાદિફલપ્રતિપાદન સાથે જોડવામાં આવેલ છે. કથા ત્રણ ભાગોમાં વિભક્ત છે : ૧, રત્નચૂડનો પૂર્વભવ, ૨. જન્મ, હાથીને વશ કરવા માટે જવું અને તિલકસુંદરી સાથે લગ્ન અને ૩. રત્નચૂડનું સપરિવાર મેરુગમન અને દેવ્રતસ્વીકરણ. કથાવસ્તુ – પૂર્વજન્મમાં કંચનપુરના બકુલ માલીએ ઋષભદેવ ભગવાનને પુષ્પ ચડાવ્યા હતા, તેના ફલરૂપે ગજપુરના કમલસેનના પુત્ર રત્નચૂડ તરીકે તેનો જન્મ થયો. યુવાન થયો ત્યારે એક મદોન્મત્ત હાથીનું દમન કર્યું પરંતુ હાથીનું રૂપ ધારણ કરનાર વિદ્યાધરે તેનું અપહરણ કરી તેને જંગલમાં ફેંકી દીધો. ત્યાર પછી તે જુદા જુદા દેશોમાં ભ્રમણ કરતો અનેક અનુભવો મેળવે છે, અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કરે છે અને અનેક ઋદ્ધિઓ-વિદ્યાઓ પણ સિદ્ધ કરે છે. ત્યાર બાદ પત્નીઓ સાથે રાજધાનીમાં પાછો આવે છે અને રાજવૈભવ ભોગવે છે. પછી ધાર્મિક જીવન વીતાવી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. કર્તા અને રચનાકાળ – તેના કર્તા નેમિચન્દ્રસૂરિ (પૂર્વ નામ દેવેન્દ્રમણિ) છે. તે બૃહગચ્છના ઉદ્યોતનસૂરિના પ્રશિષ્ય અને આગ્રદેવના શિષ્ય હતા. આ ‘રચનાનો સમય તો જ્ઞાત નથી પરંતુ તેમણે પોતાની બીજી કૃતિ મહાવીરચરિયને સં. ૧૧૩૯માં રચી હતી. તેમની અન્ય કૃતિઓમાં ઉત્તરાધ્યયનટીકા (સં.૧૧૨૯) તથા આખ્યાનકમણિકોશ પણ મળે છે. તેમણે રત્નચૂડકથાની રચના પંડિલ પદનિવેશમાં શરૂ કરી હતી અને ચડાવલિપુરીમાં સમાપ્ત કરી હતી. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૨૦૮ની મળે છે. તેની તાડપત્રીય પ્રતિ ચક્રેશ્વર અને પરમાનન્દસૂરિની વિનંતીથી પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય યશોદેવે સં.૧૨૨૧માં તૈયાર કરી હતી. રત્નચૂડકથા – આ કૃતિ સંસ્કૃત પદ્યોમાં છે. તેમાં તામિલિની નગરીના શેઠ રત્નાકરના પુત્ર રત્નચૂડની વિદેશોની વાણિજ્યયાત્રાની કથા આપી છે. કથાની ૧. જિનરત્નકોશ, પૃ. ૧૬૦, ૩૨૬, ૩૨૭; ૫. મણિવિજય ગ્રંથમાલા, અહમદાબાદ, ૧૯૪૯ ૨. યશોવિજય ગ્રન્થમાલા, સં. ૪૩, ભાવનગર; જિનરત્નકોશ, પૃ. ૩૨૭; તેનો જર્મન અનુવાદ જે. હટલે કર્યો છે, ૧૯૨૨માં તે લિક્ઝીગથી પ્રકાશિત થયો છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય વચ્ચે અદ્ભુત રીતે સ્વપ્ર અને તેનું ફળ, યાત્રાએ જતા પુત્ર રત્નચૂડને પિતા દ્વારા શિક્ષા જેમાં વ્યાવહારિક બુદ્ધિ અને અન્ધવિશ્વાસોનું સંમિશ્રણ છે, યાત્રાએ નીકળતી વખતે શુભશકુનોનો ઉલ્લેખ, ભાગ્યશાળી પુરુષના શરીર ઉપરનાં ૩૨ તિલ વગેરે લક્ષણોની ગણના આદિનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાત્રા દરમ્યાન રત્નચૂડ ધૂર્તોની નગરી અનીતિપુર પહોંચે છે. ત્યાં અન્યાયી રાજા રાજ્ય કરે છે. તેને અવિચારી મંત્રી હતો તથા અશાંતિ પુરોહિત હતો. આ ધૂર્તોની દુનિયામાં રત્નચૂડને અનેક ચમત્કારી ઘટનાઓનો સામનો કરવો પડે છે. કથા બહુ જ ચાતુર્યપૂર્ણ અને મનોરંજક છે. કથાની વચ્ચે રોહક નામના બાલક અને બ્રાહ્મણ સોમશર્માના પિતાની કથાનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. રોહક પાલિ મહાઉમ્મન્ગ જાતકમાં આલેખવામાં આવેલા મહાસેધ નામના પુરુષની જેમ જ અનેક અસંભવ કાર્યોને પોતાના બુદ્ધિબળથી પાર પાડે છે.' સોમશર્મા બ્રાહ્મણના પિતા હવાઈ કિલ્લાઓ રચે છે. કથાનકોમાં તક મળે ત્યારે ઉપદેશાત્મક પદ્યો મૂક્યાં છે, તે બહુ રોચક છે. રત્નચૂડ પોતાના બુદ્ધિકૌશલથી ધન કમાઈ પાછો આવે છે. આ બધું તેણે પૂર્વજન્મમાં કરેલા દાનના પ્રભાવથી બન્યું છે એ વાત તેને મુનિ ધર્મઘોષ કહે છે. પછી અનીતિપુર (ધૂર્તનગરી)ની પ્રત્યેક ઘટનાને રૂપકથી આ સંસારમાં ઘટાવવામાં આવે છે અને આ રીતે કથાની સમાપ્તિ થાય છે. આ કથા દેવેન્દ્રસૂરિષ્કૃત પ્રાકૃત રત્નચૂડકથા સાથે નામસામ્ય ધરાવતી હોવા છતાં સર્વથા ભિન્ન છે. કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા તપાગચ્છીય રત્નસિંહના શિષ્ય જ્ઞાનસાગર છે. તેમનો પરિચય તેમની અન્ય કૃતિ વિમલનાથચરિતના પ્રસંગમાં ૧. શ્લોક સં. ૨૨-૫૭ ૨. શ્લોક સં. ૯૫-૧૩૬ ૩. શ્લોક સં. ૧૧૧-૧૧૪ ૪. શ્લોક સં. ૪૮૫-૪૯૧ ૩૦૫ ૫. શ્લોક સં. ૨૧૮-૩૦૯ ૬. શ્લોક સં. ૫૩૦-૫૩૮ ૭. આને તિલકસુન્દરી-રત્નચૂડકથાનક પણ કહે છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જેન કાવ્યસાહિત્ય આપ્યો છે.' વિમલનાથચરિતના દાનધર્માધિકારમાં આ જ કથા સંસ્કૃત ગદ્યમાં આપી છે. રત્નચૂડકથા ઉપર જિનવલ્લભસૂરિ, નેમપ્રભ અને રાજવર્ધને પણ રચનાઓ કરી છે. ૨ રત્નશેખરકથા – રાજા રત્નશેખર અને રાણી રત્નાવતીની લૌકિક કથાને જૈન કથાકારોએ પર્વતિથિઆરાધનના કલ્પનાબંધમાં પરિવર્તિત કરી પ્રગટ કરી છે. કથાવસ્તુ – રત્નપુરના રાજા રત્નશેખર કિન્નર યુગલ પાસેથી રત્નાવતીની પ્રશંસા સાંભળી મુગ્ધ થઈ જઈ મરવા ઈચ્છે છે. પરંતુ તેનો મંત્રી આશ્વાસન આપી રત્નાવતીની ભાળ મેળવવા જંગલોમાં ભટકે છે. એક યક્ષકન્યાના નિર્દેશથી તે અગ્નિકુંડમાં પડી પાતાળલોકમાં પહોંચે છે. ત્યાં એક યક્ષ પાસેથી પેલી કન્યા (જે માનુષી હતી)ની ઉત્પત્તિ જાણી તેની સાથે લગ્ન કરી લે છે (કન્યાની ઉત્પત્તિમાં તેના મનુષ્યભવનાં માતાપિતાની કથા આપી છે જેઓ પર્વતિથિનો ભંગ કરવાથી યયોનિમાં ઉત્પન્ન થયા હતાં). તે યક્ષે જ તેને રત્નાવતીનું સ્થાન બતાવ્યું, રત્નાવતી સિહલનરેશની પુત્રી હતી. તે યક્ષે જ તેને વિદ્યાબળથી સિંહલદ્વીપ પણ પહોંચાડી દીધો. ત્યાં તે યોગિનીના વેષમાં રત્નાવતીને મળ્યો. રત્નાવતીએ તેને કહ્યું કે તે તે પુરુષ સાથે જ લગ્ન કરશે જે પૂર્વજન્મમાં તેનો મૃગના રૂપમાં પતિ હતો. યોગિનીએ ભવિષ્યનો વિચાર કરી બતાવ્યું કે તેનો તે પતિ તેને શીધ્ર કામદેવના મંદિરમાં ધૂતક્રીડા કરતો મળશે. આમ રત્નવતીને સમજાવી તે પેલી પક્ષવિદ્યાના બળથી પોતાના રાજા પાસે રત્નપુર પહોંચ્યો. ત્યાં રાજા સાત મહિનાની અવધિ પૂરી થતાં ચિતામાં બળી મરવા તૈયાર હતો. રાજાને પોતાની સાથે લઈ તે સિંહલદ્વીપ કામદેવના મંદિરે પહોંચ્યો અને ત્યાં રાજા અને રત્નપતીનું મિલન કરાવ્યું. બન્નેના લગ્ન થયા. બન્ને પોતાના નગરમાં પાછા આવ્યાં. એક વાર એક શુક અને શુકી આવીને તેમના હાથમાં બેસી ગયાં અને તેમને પૂછતાં તેઓ વિદ્વત્તાપૂર્ણ વાર્તાલાપ કરતાં કરતાં મૂર્ણિત થઈ ગયાં અને મરી ગયાં. રાજાએ એક મુનિને આ ઘટના વિશે પૂછીને જાણ્યું કે તે બન્ને તેના પૂર્વજ હતા અને પર્વતિથિનો ભંગ કરવાને કારણે તે બન્ને પક્ષિયોનિમાં ઉત્પન્ન થયા હતા. હવે તે બન્ને પાપથી મુક્ત થઈ ધરણેન્દ્ર-પદ્માવતી બન્યા છે. આ જાણી રાજા, રાણી, મંત્રી વગેરે સૌએ પર્વતિથિનું પાલન કરવાનું વ્રત લીધું અને છેવટે વ્રતના પ્રભાવથી તેમને સ્વર્ગ મળ્યું. ૧. પૃ. ૧૦૨-૧૦૩ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૨૬-૩૨૭. Page #329 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય આ કથામાં જો પર્વતિથિપાલનની વિધિને ન જોડીએ તો તે બિલ્કુલ લૌકિક કથા જ છે અને સુપ્રસિદ્ધ હિન્દી કાવ્ય જાયસીકૃત પદ્યાવતની કથાનો મૂલ સ્રોત સિદ્ધ થાય છે. ડૉ. હીરાલાલ જૈને તેનું વિશ્લેષણ કરી આ વસ્તુને સારી રીતે સિદ્ધ કરી આપી છે. ૩૦૭ ઉક્ત કથાનકને લઈને સંસ્કૃત-પ્રાકૃતમાં જૈન કવિઓએ ૩-૪ કૃતિઓ રચી છે. તપાગચ્છીય જયતિલકસૂરિના શિષ્ય દયાવર્ધનગણિની કૃતિ સૌથી પ્રાચીન છે, તેને ‘રત્નશેખરરત્નવતીકથા યા ‘પર્વવિચાર' યા ‘પર્વતિથિવિચાર' કહેવામાં આવે છે. તેમાં ૩૮૦ શ્લોક છે અને તેનો રચના સં. ૧૪૬૩ છે. દયાવર્ધનની બીજી કૃતિ હંસકથા પણ છે. આ જ વિષયની બીજી કૃતિ રત્નશેખરસૂરિની છે. આ રત્નશેખર કોણ છે, એ કહેવું કઠિન છે. એક રત્નશેખર ૧૫મી સદીના પૂર્વાર્ધમાં અને બીજા ૧૬મી સદીના પ્રારંભમાં થયા છે. ત્રીજી રચના ‘રયણસેહરીકહા’ પ્રાકૃતમાં છે. તેનો ગ્રન્થાત્ર ૮૦૦૦ શ્લોકપ્રમાણ છે. તેની રચના તપાગચ્છીય જયચન્દ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિએ કરી છે. તેમણે આ રચના ચિત્રકૂટમાં કરી હતી. આ કથાનો રચનાસંવત જ્ઞાત નથી પરંતુ જિનહર્ષગણિની અન્ય કૃતિઓ ઉપલબ્ધ છે, તેમાંથી વસ્તુપાલચરિત્રની રચના સં. ૧૪૯૭માં અને વિંશતિસ્થાનકસંગ્રહની સં.૧૫૦૨માં થઈ છે. પ્રસ્તુત કૃતિની પ્રાચીન પ્રતિ વિ.સં.૧૫૧૨ની છે, તેથી તેની રચના તેનાથી પહેલાં થઈ હોવી જોઈએ. કેટલીક અજ્ઞાતકર્તૃક રત્નશેખરકથાઓ પણ છે, તેમાંથી એકની પ્રાચીન હસ્તપ્રત સં. ૧૫૫૩ની મળી છે. ૧. મધ્યભારતી પત્રિકા, સંખ્યા ૨, ડૉ. જૈનનો અંગ્રેજી લેખ ‘સોર્સીસ ઓફ પદ્માવત’. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૨૮; લબ્ધિવિજયસૂરીશ્વર ગ્રન્થમાલા, ભાવનગર, સં. ૨૦૧૪. ૩. એજન ૪. એજન, પૃ. ૩૨૪; જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા (સં.૧૦), વારાણસી, ૧૯૧૮; જૈન આત્માનંદ સભા (સં.૬૩), ભાવનગર, સં. ૧૯૭૪ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન કાવ્યસાહિત્ય અગડદત્તપુરાણ (ચરિત) – આની કથા અતિ પ્રાચીન હોવાથી તેને પુરાણ નામ આપ્યું છે. તેમાં અગડદત્તનું કામાખ્યાન અને ચાતુરી વર્ણિત છે. તેના કર્તા અજ્ઞાત છે. અગડદત્તની કથા વસુદેવહિંડી (પમી-૬ઠ્ઠી સદી), ઉત્તરાધ્યયનની વાદિવેતાલ શાન્તિસૂરિકત શિષ્યહિતા પ્રાકૃત ટીકા (૧૧મી સદી) તથા નેમિચન્દ્રસૂરિ (પૂર્વ નામ દેવેન્દ્રગણિ)કૃત સુખબોધા ટીકા (સં.૧૧૩૦)માં આવે છે. વસુદેવદિંડી અનુસાર અગડદત્ત ઉજ્જયિનીનો એક સારથીપુત્ર હતો. પિતાનું મૃત્યુ થતાં પિતાના પરમ મિત્ર કૌશામ્બીના એક આચાર્ય પાસે તે શસ્ત્રવિદ્યા શીખે છે, ત્યાં તેને સામદત્તા સુન્દરી સાથે પ્રેમ થઈ જાય છે. થોડા વખત પછી તે પરિવ્રાજકવેષધારી ચોરનો વધ કરે છે. તેના ભૂમિગૃહને શોધી તેની બેનને મળે છે. ત્યાં બદલો લેવા તેના માટે ગોઠવેલ પડ્યત્રમાંથી તે બચી નીકળે છે. સામદત્તાને લઈ ઉજ્જયિની પાછા ફરતાં રસ્તામાં ધનંજય નામના ચોર સાથે તેને સામનો કરવો પડે છે પણ તે તે ચોરનો વધ કરી નાખે છે. ઉજજૈની પહોંચ્યા પછી સામદત્તાની સાથે ઉદ્યાનમાં વિહાર કરતી વખતે સામદત્તાને સર્પ ડસે છે. વિદ્યાધર યુગલના સ્પર્શથી તે પુનઃ ચેતના મેળવે છે. દેવકુલમાં પહોંચી સામદત્તા અગડદત્તના વધનો પ્રયત્ન કરે છે. સ્ત્રીનિન્દા અને સંસારવૈરાગ્યના રૂપમાં કથા સમાપ્ત થાય છે.. નેમિચન્દ્રસૂરિએ ઉત્તરાધ્યયનવૃત્તિમાં આને પ્રતિબદ્ધજીવીના દૃષ્ટાન્ત તરીકે કહી છે. આ કથાનક પૂર્વોક્ત કથાનકથી કેટલીય બાબતોમાં ભિન્ન છે. કેટલીય ઘટનાઓ અને પાત્રોનાં નામોમાં અંતર છે. નેમિચન્દ્રસૂરિનો સ્રોત સંભવતઃ વસુદેવહિડીના સ્રોતથી ભિન્ન હશે. જર્મન વિદ્વાન ડો. આસડોર્સે આ કથાનકનું વિશ્લેષણ કરી તેને હજારો વર્ષ પ્રાચીન કથાનકોની શ્રેણીમાં મૂક્યું છે. સંભવતઃ અતિ પ્રાચીનતાના કારણે જ ઉક્ત રચનાને અગડદત્તપુરાણ કહી છે. ઉત્તમકુમારચરિત – દાનના માહાભ્યને પ્રગટ કરવા માટે ઉક્ત લૌકિક કથાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉત્તમકુમાર એક રાજકુમાર છે. તે વિવિધ પ્રકારનાં ૧. જિનરત્નકોશ, પૃ. ૧; વિનય ભક્તિ સુન્દર ચરણ ગ્રન્થમાલા (સં. ૬), જામનગર, સં. ૧૯૯૭; આ રચના સંસ્કૃતના ૩૩૪ શ્લોકોમાં પૂરી થાય છે, તેને દ્રવ્યભાવનિદ્રાત્યાગના દાન્ત તરીકે આપેલ છે.. ૨. વસુદેવહિંડી, પૃ. ૩૬-૪૨ ૩. એ ન્યૂવર્સન ઑફ અગડદત્ત સ્ટોરી, ન્યૂ ઈન્ડિયન એટીક્વેરી, ભાગ ૧, સન્ ૧૯૩૮ ૩૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૦૯ સાહસનાં કાર્યો કરે છે અને દુઃખો-સંકટો પાર કરતો પદે પદે ઋદ્ધિસિદ્ધિ પ્રાપ્ત કરે છે. ધર્મકથાની દૃષ્ટિએ દર્શાવવામાં આવ્યું છે કે જીવનમાં વચ્ચે વચ્ચે તેના ઉપર જે દુઃખો પડ્યાં તે પૂર્વભવનાં દુષ્કર્મોનું પરિણામ હતું અને તેને જે સફળતાઓ મળી તેનું કારણ તેણે પૂર્વભવમાં મુનિઓને જે વસ્ત્રદાન કર્યું હતું તે હતું. આ કથા લઈને કેટલાય લેખકોની રચનાઓ મળે છે. સંસ્કૃત શ્લોકોમાં પ્રથમ કૃતિ તપાગચ્છીય સોમસુંદરના શિષ્ય જિનકીર્તિકત છે અને બીજી સોમસુંદરના પ્રશિષ્ય અને રત્નશેખરના શિષ્ય સોમમંડનગણિકૃત છે. પટ્ટાવલી અનુસાર સોમસુંદરને વિ.સં.૧૪૫૭માં સૂરિપદ મળ્યું હતું. તેથી આ રચનાઓ ૧૫મી સદીના અંતિમ દશકાઓની હોવી જોઈએ. આ વિષયની એક અન્ય કૃતિ શુભશીલગણિકૃત મળે છે. ચોથી રચના ૧૬મી શતાબ્દીના ખરતરગચ્છીય ભક્તિલાભના શિષ્ય ચારચન્દ્રની છે. તેમાં ૬૮૬ શ્લોકો સરળ ભાષામાં છે. તેમાં અન્ય કૃતિઓમાંથી ઉદ્ધત પ્રાકૃત પદ્યો પણ વચ્ચે વચ્ચે આવે છે. અનેક અવાર કથાઓ પણ સંક્ષેપમાં આપવામાં આવી છે. જે આ કથાનું અજ્ઞાતકર્તક સંસ્કૃત ગદ્યમાં રૂપાન્તર પણ મળે છે. જર્મન વિદ્વાન વેબરે સન્ ૧૮૮૪માં આનું સંપાદન કર્યું અને સાથે જર્મન અનુવાદ પણ કર્યો." ૧૯મી સદીના ખરતરગચ્છીય વિનીતસુંદરના શિષ્ય સુમતિવર્ધને પણ આ કથા ઉપર એક પદ્યાત્મક રચના કરી છે. ભીમસેનનૃપકથા – પંચપાંડવો ઉપરાંત જૈન કથાનકોમાં કેટલાય ભીમસેનના ચરિત્રો આલેખાયાં છે. ધનેશ્વરસૂરિકૃત શત્રુંજયમાહાભ્યમાં એક ભીમસેનચરિત્ર આવ્યું છે અને યશોદેવકૃત ધર્મોપદેશપ્રકરણ (વિ.સં.૧૩૦૫)માં એક અન્ય ભીમસેન નૃપનું ચરિત્ર આવ્યું છે. સંસ્કૃતમાં સ્વતન્ત્ર રચનાના રૂપમાં અજ્ઞાતકર્તૃક ત્રણ કૃતિઓનો ઉલ્લેખ મળે છે. વીસમી સદીમાં ઉક્ત બન્ને ચરિતોને લઈને તપાગચ્છીય ૧-૩. જિનરત્નકોશ, પૃ. ૪૧ ૪. એજન, પૃ.૪૧; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૨; વર્ધમાન સત્યનીતિ હર્ષસૂરિ જૈન ગ્રન્થમાલા, પુષ્પ ૧૫ ૫. એજન, પૃ. ૪૨ ૬. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી ગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૬ ૭. જિનરત્નકોશ, પૃ. ૨૯૭ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જેન કાવ્યસાહિત્ય બુદ્ધિસાગરના શિષ્ય અજિતસાગરે બે રચનાઓ કરી છે. પહેલી રચના યશોદેવના ઉક્ત કથાકોશરૂપી ગ્રન્થમાંથી કથાનક લઈને કરવામાં આવેલી ૧૩સર્ગોની બૃહતી રચના છે. આમાં ૨૪૨૫ શ્લોકો છે. આમાં બધા રસોનું આલેખન થયું છે પણ કરુણ રસની પ્રધાનતા છે. ભીમસેન અત્તરાયકર્મની પ્રબળતાને કારણે અનેક કષ્ટો સહન કરે છે અને મુનિદાનના પ્રભાવથી તથા વર્ધમાન તપના પ્રભાવથી પોતાનું રાજ્ય મેળવે છે. છેવટે તપસ્યા કરી મોક્ષપદ પ્રાપ્ત કરે છે. બીજી રચનામાં ૨૬૮ શ્લોકો છે. તે શત્રુંજયમાહાભ્ય અનુસાર છે. આ કથાનો નિર્દેશ અમે ઉક્ત માહાત્મના પ્રસંગમાં કર્યો છે. ૧૭મી સદીનું યશોવિજયકૃત એક આર્ષભીમચરિત્ર પણ મળ્યું છે. ચમ્પકશ્રેષ્ઠિકથાનક – આ એક સંસ્કૃત ગદ્યમાં લખાયેલી કથા છે. તેમાં અન્ય કથાકોશો તથા પ્રબંધચિન્તામણિમાં આવેલી ચમ્પકશ્રેષ્ઠિની કથા આપવામાં આવી છે. સાથે, તેની અંદર બીજા ત્રણ સુંદર ઉપાખ્યાનો આપવામાં આવ્યાં છે. આ ઉપાખ્યાનો ભાગ્ય અને પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવે છે. સંક્ષેપમાં કથા આ પ્રમાણે છે : ચંપાનગરીના એક શેઠને કોઈ સંતાન હતું નહિ. ગોત્રદેવીએ કહ્યું કે તેનો ઉત્તરાધિકારી દાસીના ગર્ભથી ઉત્પન્ન થયેલો બાળક બનશે. આ સાંભળી શેઠ આ ભવિતવ્યતાને બદલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેણે દાસીને શોધી તેને ગર્ભિણી દશામાં મારી નાખી પરંતુ ભાગ્યવશ તેનું બાળક જીવતું નીકળ્યું અને બીજાઓએ તેને ઉછેર્યું. તે મોટો થયો ત્યારે શેઠને આ વાતની ખબર પડી. એટલે તેને મારી નાખવા માટે કોઈકના ઉપર શેઠ ગુપ્ત પત્ર લખે છે પરંતુ શેઠની પુત્રી તિલોત્તમા પત્રમાં પરિવર્તન કરી તેને વિવાહપત્રના રૂપમાં ફેરવી નાખે છે. આમ ચંપક પેલા શેઠનો જમાઈ બની જાય છે. તેમ છતાં શેઠ તેને મરાવી નાખવા ઈચ્છે છે પરંતુ શેઠ પોતે જ મરાય છે અને ચંપક તેનો ઉત્તરાધિકારી બની જાય છે. ૧. અજિતસાગરસૂરિ ગ્રન્થમાલા (સં.૧૪-૧૫), પ્રાંતિજ (ગુજરાત). ૨. જિનરત્નકોશ, પૃ. ૩૨૧; આનો અંગ્રેજી અને જર્મન અનુવાદ હટલે સન્ ૧૯૨૨માં લિઝગથી પ્રકાશિત કર્યો હતો. તેનું એક સંસ્કરણ વિદ્યાવિજય યત્રાલયથી સનું ૧૯૧પમાં પ્રકાશિત થયું હતું. Page #333 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૧૧ આ કથામાં ત્રણ વાર્તાઓ દાખલ કરવામાં આવી છે. પ્રથમ વાર્તા રાવણની છે જે ભાગ્યચક્રને નિષ્ફળ પડકાર દે છે. બીજી વાર્તામાં પુરુષાર્થ વડે વિધિલિખિત વાત પણ બદલવામાં આવે છે. ત્રીજી વાર્તા એક વણિકની છે, તે બધાંને ઠગતો હોય છે પરંતુ અંતે તે પોતે જ એક વેશ્યા દ્વારા ઠગાય છે. આ છેલ્લી કથા ખૂબ જ હાસ્યપૂર્ણ છે. આ એક એવી કથા છે જે પૂર્વ અને પશ્ચિમ બન્ને દેશોમાં પ્રસિદ્ધ છે, જે બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યમાં પણ જોવા મળે છે. કર્તા અને રચનાકાળ – આના પ્રણેતા તપાગચ્છીય સોમસુંદરસૂરિના શિષ્ય જિનકીર્તિ છે. તેમનો સમય ૧૫મી સદીના ઉત્તરાર્ધ છે. ગ્રન્થકારની અન્ય કૃતિઓ દાનકલ્પદ્રુમ અપનામ ધન્યશાલિચરિત્ર (વિ.સં.૧૪૯૭), શ્રીપાલગોપાલકથા, પંચનિસ્તવ, નમસ્કારસ્તવ (વિ.સં.૧૪૯૪), શ્રાદ્ધગુણસંગ્રહ (વિ.સં.૧૪૯૮) ચંપકશ્રેષ્ઠીની કથા ઉપર તપાગચ્છીય જયવિમલગણિના શિષ્ય પ્રીતિવિમલની રચના (સં. ૧૬૫૬) તથા જયસોમની રચના પણ મળે છે. અઘટકુમારકથા – આ ચંપકશ્રેષ્ઠીની કથાની જેમ જ લૌકિક કથા છે. તેમાં પત્રવિનિમય દ્વારા કથાનાયક અઘટકુમારના મૃત્યુથી બચવાની ઘટના આવી છે. આના ઉપર બે અજ્ઞાતકર્તક પદ્યાત્મક કૃતિઓ મળે છે. જિનકીર્તિકૃત અઘટનૃપકુમારકથા સંસ્કૃત ગદ્યમાં છે. તેનો જર્મન અનુવાદ કુમારી શાર્લોટ ક્રાઉસે સન્ ૧૯૨૨માં કર્યો છે. ઉપર્યુક્ત રચનાનો કાળ આપવામાં આવ્યો નથી. અનુમાનતઃ ૧૫-૧૬મી સદીની આ રચના છે. મૂલદેવનૃપકથા – મૂલદેવ નૃપની લોકસાહિત્ય જગતની એક કથાને સુપાત્રદાનના દૃષ્ટાન્ન તરીકે રજૂ કરવામાં આવી છે. મૂલદેવ પાટલિપુત્રનો એક અતિ રૂપવાન રાજકુમાર હતો. તેને જુગારનું વ્યસન હતું. તેના પિતાએ તેને કાઢી મૂક્યો. ઉજ્જૈની પહોંચી તે ગુલિકાવિદ્યાથી વૈતાલિકનું રૂપ ધારણ કરી મનહર ગીતો ગાતો રહેવા લાગ્યો. તેના ઉપર દેવદત્તા નામની વેશ્યા આસક્ત થઈ ગઈ. વેશ્યાની માએ તેને કપટયુક્તિથી ત્યાંથી ભાગી જવા મજબૂર કર્યો. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૨૧; જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ, ૧૯૧૬ ૨. એજન, પૃ. ૧૨૧ ૩-૫.એજન, પૃ.૧ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ભૂખતરસથી ભટકતા તેને ભિક્ષામાં થોડા કુલ્માષ મળ્યા, તે તેણે મુનિને આહારમાં આપી દીધા. તેથી પ્રસન્ન થઈ દેવીએ વર માંગવા કહ્યું. તેણે રાજ્ય અને દેવદત્તા વેશ્યાને વરમાં માગ્યાં. સત્પાત્રદાનને કારણે તેને ઐશ્વર્ય અને અનેક કૌતુકપૂર્ણ કાર્ય કરવા મળ્યાં. પ્રસ્તુત કૃતિ ૧૨૨ સંસ્કૃત શ્લોકોમાં સમાપ્ત થાય છે. કર્તાનું નામ અજ્ઞાત છે.૧ જૈન કાવ્યસાહિત્ય નાભાકરૃપકથા – દેવદ્રવ્યના સદુપયોગ ઉપર નાભાક નૃપની કથા કહેવામાં આવી છે. તેમાં બતાવ્યું છે કે નાભાક કેવી રીતે દેવદ્રવ્યના સદુપયોગથી સદ્ગતિ પામે છે અને તેનો દુરુપયોગ કરવાથી તેનો ભાઈ સિંહ અને એક નાગ શેઠ ભવાન્તરોમાં કેવાં દુઃખો પામે છે. કથાપ્રસંગમાં શત્રુંજયતીર્થનું માહાત્મ્ય પણ વર્ણવવામાં આવ્યું છે. આ કૃતિ સંસ્કૃત શ્લોકોમાં છે પરંતુ વચ્ચે વચ્ચે પ્રાકૃત ગાથાઓ પણ આવે છે. ‘ૐ ં વ’ કહીને પ્રાકૃત ગાથાઓ આપી છે. કથા ઘણી રોચક છે. કર્તા અને રચનાકાલ આ કૃતિની રચના અંચલગચ્છીય મેરુતુંગસૂરિએ વિ.સં.૧૪૬૪માં કરી છે. તે મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમની અન્ય રચનાઓ છે – જૈનમેઘદૂતસટીક, કાતંત્રવ્યાકરણવૃત્તિ, ષદર્શનનિર્ણય વગેરે. નાભાકનૃપકથા ઉપર કમલરાજના શિષ્ય રત્નલાભકૃત રચના તથા એક અજ્ઞાતકર્તૃક નાભાકનૃપકથા પણ મળે છે. મૃગાંકચરિત – આને મૃગાંકકુમારકથા પણ કહે છે. આ એક લોકકથા છે, તેને પાત્રદાનમાં સદ્-અસદ્ભાવનાં ફળોને જણાવવા માટે ઉપયોગમાં લીધી છે. કથાવસ્તુ – મૃગાંક અને પદ્માવતી સાથે ભણતાં હતાં. પદ્માવતીના પિતાએ મૃગાંકને પોતાની પુત્રીને આપવા માટે ૮૦ કોડીઓ આપી પરંતુ મૃગાંક તો ૮૦ કોડીઓની મીઠાઈ ખરીદી ખાઈ ગયો. પદ્માવતીએ જ્યારે આ જાણ્યું ત્યારે તે ખૂબ ક્રોધે ભરાઈ અને વખત આવ્યે મૃગાંકને પાઠ ભણાવવાની ધમકી આપી. ૧. વિનય ભક્તિ સુન્દર ચરણ ગ્રન્થમાલા (સં.૪), જામનગર, સં. ૧૯૯૫ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૧૦; હીરાલાલ હંસરાજ, જામનગર, સં. ૧૯૦૮ ૩. એજન, પૃ.૨૧૦. Page #335 -------------------------------------------------------------------------- ________________ * કથાસાહિત્ય ૩૧૩ યુવાવસ્થામાં ભાગ્યવશ બન્નેના લગ્ન થાય છે. કેટલીક વખત વીત્યા પછી મૃગાંકને પુરાણી વાત યાદ આવે છે અને તે બદલો લેવા ઈચ્છે છે. પહેલાં તો તે પદ્માવતીને છોડી પરદેશ જવા ચાહે છે પરંતુ પછી પદ્માવતીને પણ સાથે લઈ જાય છે. જલમાર્ગે જતાં એક દ્વીપમાં રાતે પદ્માવતીને સૂતી છોડી મૃગાંક જતો રહે છે. કષ્ટોને પાર કરતી પદ્માવતી એક વિદ્યાધર પાસેથી અદૃશ્ય બની જવાની, રૂપ બદલવાની અને બીજાઓની વિદ્યાનો નાશ કરવાની વિદ્યા મેળવે છે. આ વિદ્યાઓની મદદથી તે પુરુષવેષ ધારણ કરી સુસુમારપુરમાં રહે છે અને ત્યાં રાજપુત્રોને ભણાવવાનું, કર વસૂલ કરનાર ઓફિસરનું તથા બીજા અદ્દભુત કામો તે કરે છે. મૃગાંક પણ નસીબયોગે ત્યાં આવે છે. કરચોરીના બહાને પદ્માવતી તેને ખૂબ હેરાન-પરેશાન કરે છે, આમ પદ્માવતી બદલો લે છે પરંતુ પ્રેમાસક્તિભાવથી. છેવટે મૃગાંક પાસે દીનતાભાવ પ્રગટ કરાવી પછી પદ્માવતી પોતાનું અસલી રૂપે પ્રગટ કરે છે. મૃગાંક પછી રાજાનો જમાઈ બની રાજ્યપદ પણ પ્રાપ્ત કરે છે. એક વાર એક મુનિને વિપત્તિ અને સંપત્તિના આ પરિવર્તન વિશે તે પૂછે છે અને મુનિ તેને તેના કારણ તરીકે પૂર્વભવમાં તેણે પાત્રદાન કરવા છતાં પહેલાં તેના મનમાં કુભાવ અને પછી સુભાવ જાગવો તે બતાવે છે. આ કથા ઉપર મૃગાંકકુમારકથા નામની અજ્ઞાતકર્તક રચના તથા ૨૮૩ સંસ્કૃત શ્લોકોમાં રચાયેલું મૃગાકચરિત્ર મળે છે. આ બીજી કૃતિના કર્તા પંડિત ઋદ્ધિચન્દ્ર છે. તે અકબર અને જહાંગીરના દરબારમાં ખ્યાતિપ્રાપ્ત ઉપાધ્યાય ભાનુચન્દ્રના સુયોગ્ય શિષ્ય હતા. આ કૃતિને વિદ્વાન ઉદયચન્દ્ર શુદ્ધ કરી હતી. ધર્મદત્તકથાનક યા ચન્દ્રધવલ-ધર્મદત્તકથા – આ પણ એક લૌકિક કથા છે. પરંતુ તેને ધર્મકથાના રૂપમાં પરિવર્તિત કરી અતિથિસંવિભાગ વ્રતનું માહાભ્ય દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કથાવસ્તુ – આ કથામાં બે નાયક છે : ચન્દ્રધવલ નૃપ અને ધર્મદત્ત શેઠ. ધર્મદત્તને એક યોગીની કૃપાથી સુવર્ણપુરુષ પ્રાપ્ત થવાનો જ હતો ત્યાં તો વચમાં ચન્દ્રધવલે તેને છુપાવી દીધો. પછી તેને પણ મોટો હિસ્સો આપવામાં આવ્યો. બન્નેએ એક મુનિને આનું કારણ પૂછ્યું. મુનિએ પૂર્વજન્મની વાત કહી. તેમાં ૧-૨. જિનરત્નકોશ, પૃ.૩૧૩; સૂરતથી ૧૯૧૭માં પ્રકાશિત; જૈન આત્મવીર સભા (સં૫), ભાવનગર, સં. ૧૯૭૩; હિન્દી અનુવાદ - યશોધર્મમન્દિર, દિલ્હી દ્વારા પ્રકાશિત 3. પ્રશસ્તિ, શ્લોક ૨૮૪-૨૮૮. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જૈન કાવ્યસાહિત્ય ધર્મદત્તના જીવે પૂર્વભવમાં સાધુઓને ૧૬ મોદક આપ્યા હતા તેથી તેને ૧૬ કરોડનું સુવર્ણ મળ્યું અને ચન્દ્રધવલે અગણિત મોદક આપ્યા હતા તેથી તેને અગણિત સુવર્ણ અને ધનરાશિ મળ્યાં. ઉક્ત કથાનકને લઈને રચાયેલી કેટલીય કૃતિઓ મળે છે. સૌપ્રથમ રચના અંચલગચ્છીય મેરૂતુંગના શિષ્ય માણિક્યસુન્દરકૃત છે, તેનો સમય વિ.સં.૧૪૮૪ છે. તેમની અન્ય કૃતિઓમાં શુકરાજકથા આદિ છે. પ્રસ્તુત કથા પ્રચલિત સંસ્કૃત ગદ્યમાં રચવામાં આવી છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાનાં સુભાષિત છે. બીજી રચના વિનયકુશલગણિકત છે. તેનો રચનાસંવત જ્ઞાત નથી. આ વિષયની અન્ય કૃતિઓ અજ્ઞાતકર્તક છે. તેમાંથી એક પ્રાચીન કૃતિનો સંવત ૧૫૨૧ આપવામાં આવ્યો છે. રત્નસારમત્રિકથા – વર્ધમાનદેશના (શુભવર્ધનગણિ)માં પરિગ્રહપરિમાણના દૃષ્ટાન્ત તરીકે રત્નસારની કથા કહેવામાં આવી છે. આ કથાને લઈને અજ્ઞાતકર્તક રત્નસારમન્નિદાસીકથા મળે છે. આ કથાને લઈને સંસ્કૃત ગદ્યમાં તપાગચ્છીય આચાર્ય યતીન્દ્રસૂરિ(૨૦મી સદી)એ રત્નસારચરિત્રની રચના કરી છે. રત્નપાલકથા – રત્નપાલના જન્મકાળમાં જ તેના માતાપિતા નિર્ધન અને દેવાદાર બની જાય છે અને શાહુકાર તેને ૨૭ દિવસની આયુવાળાને ઋણ ન ચૂકવાય ત્યાં સુધી લઈ જાય છે. યુવાન થતાં કેવી રીતે તે વિદેશયાત્રા કરે છે અને આ બાજુ તેના માબાપ લાકડા વેચી દુ:ખ ઉઠાવે છે, રત્નપાલ કેવી રીતે તેમને દેવામાંથી મુક્તિ અપાવે છે અને સુખસંપત્તિ પામે છે આદિ ચરિત્ર આપ્યું છે. આમાં જીવ કેવી રીતે એક જ જન્મમાં કર્મની વિચિત્રતાનો અનુભવ કરે છે એ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૧૮, ૧૮૯; હંસવિજય ફ્રી લાયબ્રેરી, અહમદાબાદ, સં. ૧૯૮૧ ૨-૩.એજન, પૃ. ૧૮૯ ૪, એજન, પૃ. ૩૨૮ ૫. યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થ, પૃ. ૪૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય આ કથાનકને લઈને અનેક કૃતિઓ રચાઈ છે. સૌપ્રથમ રત્નશેખરસૂરિકૃત રચના` મળે છે. બીજી રચના તપાગચ્છના ભાનુચન્દ્રગણિની છે. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૯૬૨ની મળી છે. ત્રીજી રચના તપાગચ્છીય મુનિસુંદરના શિષ્ય સોમમંડનગણિની છે. વીસમી સદીમાં તેરાપંથી મુનિ નથમલજી(ટમકો૨)એ સંસ્કૃતમાં રત્નપાલચરિત્રની તથા ચન્દનમુનિએ પ્રાકૃત ગદ્યમાં સંસ્કૃત છાયા અને હિન્દી અનુવાદ સાથે ‘રયણવાલકહા’ની રચના સં.૨૦૦૨માં કરી છે. ચન્દ્રરાજચરિત આ કૌતુક અને ચમત્કારથી ભરેલા ચરિત્રમાં ચન્દ્રરાજની કથા આપવામાં આવી છે. તેમાં ચન્દ્રરાજ પોતાની અપરમાની કપટયુક્તિઓથી વિવિધ પ્રકારનાં દુ:ખો ભોગવે છે, એટલે સુધી કે તેને કુકડો બનાવી દેવામાં આવે છે. આ દુઃખોમાંથી તેની મુક્તિ શત્રુંજયતીર્થના સૂર્યકુંડમાં સ્નાન કરવાથી થાય છે. પછી તે રાજ્યસુખ ભોગવી મુનિસુવ્રતસ્વામીના સમોસરણમાં દીક્ષા લે છે. આ ચરિત અતિમાનવીય તથા નટ આદિના ચમત્કારોથી ભરેલું છે. ઉક્ત કથાનકને લઈને સંસ્કૃત ગદ્યપદ્યમય તથા હિન્દી અને ગુજરાતીમાં રચનાઓ મળે છે. GRA સૌપ્રથમ ગુણરત્નસૂરિવિરચિત ચન્દ્રરાજચરિતનો ઉલ્લેખ મળે છે. તેનો રચનાસમય જ્ઞાત નથી. વીસમી સદીમાં તપાગચ્છના વિજયભૂપેન્દ્રસૂરિએ સંસ્કૃત ગદ્યમાં સં. ૧૯૯૩માં એક વિશાલ રચના કરી છે. તેમાં ૨૮ અધ્યાય છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત તથા હિન્દીનાં અનેક પઘો ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. આ કૃતિ પંડિત કાશીનાથ જૈન દ્વારા સંકલિત હિન્દી ચરિત્રના આધારે લખવામાં આવી છે. - પાલ-ગોપાલકથા - આ કથામાં ઉક્ત નામના બે ભાઈઓના પરિભ્રમણનું તથા અનેક પ્રકારનાં સાહસો તેમ જ પ્રલોભનોને પાર કરીને છેવટે ધાર્મિક જીવન વ્યતીત કરવાનું રોચક વૃત્તાન્ત આપવામાં આવ્યું છે. ૩૧૫ ૧-૨.જિનરત્નકોશ, પૃ. ૩૨૭ ૩. એજન; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સં. ૧૯૬૯ ૪. ભાગવતપ્રસાદ રણછોડદાસ, અહમદાબાદ, ૧૯૭૧; તેની સંસ્કૃત છાયા મુનિ ગુલાબચન્દ્ર નિર્મોહીએ તથા હિન્દી અનુવાદ મુનિ દુલહરાજે કર્યો છે. ૫. જિનરત્નકોશ, પૃ. ૧૨૧ ૬. ભૂપેન્દ્રસૂરિ જૈન સાહિત્ય પ્રકાશક સમિતિ, આહોર (મારવાડ), સં. ૧૯૯૮ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જૈન કાવ્યસાહિત્ય આ કથા ઉપર એક અજ્ઞાતકર્તક રચના મળે છે. બીજી રચનાના કર્તા તપાગચ્છના સોમસુન્દરસૂરિના શિષ્ય જિનકીર્તિ છે. તેનું જર્મન ભાષાન્તર થયું છે. આ કથાને શ્રીપાલ-ગોપાલકથા પણ કહેવામાં આવે છે.. કૃતપુણ્યચરિત – સુપાત્રદાનને લઈને કૃતકર્મનૃપતિકથા તથા કૃતપુણ્ય શેઠ યા કયવન્ના શેઠની કથા કહેવામાં આવી છે. કૃતપુણ્યની કથા કથાકોષપ્રકરણ (જિનેશ્વરસૂરિ) તથા ધર્મોપદેશમાલાવિવરણ(જયસિંહસૂરિ)માં આવી છે. તેના ઉપર સ્વતંત્ર રચનાઓ પણ મળે છે. પહેલી રચના જિનપતિસૂરિના શિષ્ય પૂર્ણભદ્રગણિએ જિનપતિના પટ્ટધર જિનેશ્વરના શાસનકાળમાં સં.૧૩૦૫માં કરી હતી." બીજી રચના કૃતપુણ્યકથા અપનામ કયવઝાકહા અજ્ઞાતકર્તુકનો ઉલ્લેખ મળે - ત્રીજી રચના વીસમી સદીમાં વિજયરાજેન્દ્રસૂરિએ પંચતંત્રની શૈલીમાં ગદ્યાત્મક રૂપમાં લખી છે. વચ્ચે વચ્ચે વાર્તાઓને જોડવા માટે શ્લોકો ઉદ્ધત કર્યા છે. તેની રચના સં. ૧૯૮૫માં થઈ છે.* પાપબુદ્ધિ-ધર્મબુદ્ધિકથા – ભાવાત્મક અને કલ્પિત પાપબુદ્ધિ રાજા અને ધર્મબુદ્ધિ મંત્રીના માધ્યમથી પાપ અને ધર્મના માહાભ્યને સમજાવવા માટે ઉક્ત કથાની કલ્પના કરવામાં આવી છે. આ કથાને અન્ય નામોથી પણ પ્રગટ કરવામાં આવી છે, જેમકે કામઘટકથા, કામકુમ્ભકથા અને અમરતેજા-ધર્મબુદ્ધિકથા. આમાંથી કેટલીકના કર્તા જ્ઞાત છે અને અધિકાંશના કર્તા અજ્ઞાત છે. જ્ઞાતકર્તકરચનાઓમાં હીરવિજયસંતાનીય માનવિજયના શિષ્ય જયવિજયે પાપબુદ્ધિ-ધર્મબુદ્ધિકથા અપરના કામઘટકથાની રચના કરી છે. જયવિજયે એક ૧-૩. જિનરત્નકોશ, પૃ. ૨૪૮, ૩૯૬; આત્માનન્દજય ગ્રન્થમાલા, ડભોઈ, સં. ૧૯૭૬; જેહર્ટલકૃત જર્મન અનુવાદ, લિસ્કીગ, ૧૯૧૭ ૪. એજન, પૃ. ૯૫ ૫. એજન ૬. રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય, ખંડાલા (મારવાડ), સં. ૧૯૮૮ ૭-૯,જિનરત્નકોશ, પૃ. ૧૪, ૮૪, ૨૪૩; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૯; માસ્ટર ઉમેદચન્દ્ર રાયચન્દ્ર, પાંજરાપોળ, અહમદાબાદ; આનું પરિવર્ધિત રૂપ ભૂપેન્દ્રસૂરિ જૈન સાહિત્ય સમિતિ, આહીર (મારવાડ)થી પ્રકાશિત થયું છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય બૃહત્ ગ્રન્થ ધર્મપરીક્ષાની રચના કરી હતી. આ કથા તેનો ખંડમાત્ર છે. કર્તાનો સમય ૧૬-૧૭મી સદી અનુમાનિત છે. આ વિષયની અજ્ઞાતકર્તૃક સંસ્કૃત રચનાઓનો નિર્દેશ મળે છે. ગુજરાતીમાં પણ કેટલીય રચનાઓ મળે છે. પુરુષપાત્રપ્રધાન લઘુ કથાઓ કેટલાક ઐતિહાસિક પુરુષોને લઈ કથાગ્રન્થો રચાયા છે. તેમનામાં ઐતિહાસિકતાનો અંશ થોડો છે. સમ્મતિનૃપચરિત – સમ્રાટ અશોકના પૌત્ર સમ્મતિના કથાત્મક ચરિત્રને લઈને એકબે રચનાઓ પ્રકાશિત થઈ છે. તેમના કર્તા અને રચનાકાલની કોઈ માહિતી આપવામાં આવી નથી. ૨ ૩૧૭ નવનન્દચરિત – નન્દરાજવંશના સંસ્થાપક નવનન્દોની કથાત્મક ચરિત સાથે સંબંધ ધરાવતી એક અજ્ઞાતકર્તૃક રચના મળે છે. રચનાકાળ જ્ઞાત નથી. તેની તાડપત્રીય પ્રતિ જેસલમેરમાં છે. શાલિવાહનચરિત આ કૃતિમાં સાતવાહનની કથા આપવામાં આવી છે. આ ૧૮૦૦ શ્લોકપ્રમાણ છે. તેની રચના વિ.સં.૧૫૪૦માં થઈ છે. રચનાકાર તપાગચ્છીય મુનિસુંદરસૂરિના શિષ્ય શુભશીલગણ છે. - દેવર્ધિગણિક્ષમાશ્રમણચરિત · વલભી વાચનાના પ્રમુખ દેવર્ધિગણિ ઉપર સ્વતંત્ર રચનાના રૂપમાં જૈનગ્રન્થાવલિમાં દેવર્ષિકથાનો ઉલ્લેખ મળે છે તથા અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારમાં દેવર્ધિગણિક્ષમાશ્રમણચરિત ઉપલબ્ધ છે. - અકલંકકથા પ્રસિદ્ધ જૈન નૈયાયિક આચાર્ય અકલંકના જીવન ઉપર ચમત્કારપૂર્ણ કથાનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્વતન્ત્ર રચનાના રૂપમાં ભટ્ટારક સિંહનન્દ્રિ અને ભટ્ટારક પ્રભાચન્દ્રની કૃતિઓના ઉલ્લેખો મળે છે. ― ૧. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧-૩, કૃતિસૂચી ૨. જિનરત્નકોશ, પૃ. ૪૨૨; આત્માનન્દજય ગ્રન્થમાલા (ડભોઈ), સં. ૧૯૭૬; બીજી રચના – હીરાલાલ હંસરાજ, જામનગર ૩. એજન, પૃ. ૨૦૮ ૪. એજન, પૃ. ૩૮૨ ૫-૬.એજન, પૃ. ૧૭૮ ૭.એજન, પૃ.૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જેન કાવ્યસાહિત્ય પાત્રકેશરિકથા – દિગંબર મુનિ પાત્રકેશરીની કથા ઉપર મલ્લિષણની (૧૬મી સદી) રચના મળે છે. પાત્રકેશરીના વિષયમાં પં. જુગલકિશોર મુઝારે માન્યું છે કે તે બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિ અને મીમાંસક કુમારિલના પ્રાયઃ સમકાલીન હતા. પાત્રકેશરીએ રચેલ જિનેન્દ્રગુણસંપત્તિ, પાત્રકેશરિસ્તોત્ર અને ન્યાયગ્રંથ ત્રિલક્ષણકદર્શનનો ઉલ્લેખ મળે છે. મંગ્વાચાર્યકથા – આર્ય મંગુને પાર્થસ્થ ભિક્ષુ કહેવામાં આવ્યા છે. મથુરામાં સુભિક્ષા પ્રાપ્ત હોવા છતાં પણ આહારનો કોઈ પ્રતિબંધ રાખતા ન હતા. તેમની કથા ઉપદેશમાલા અને ઉપદેશપ્રાસાદમાં આવી છે. તેમના વિષયમાં ઉક્ત કથાકૃતિ મળે છે. કર્તાનું નામ કે રચનાકાળ જ્ઞાત નથી. ઈલાચીપુત્રકથા – ભાવના યા ભાવશુદ્ધિના મહત્ત્વને દર્શાવવા માટે ઈલાચીપુત્રની કથા આપવામાં આવી છે. આ કથા કથોપકોશોમાં વર્ણવવામાં આવી પ્રસ્તુત રચના પ્રાકૃતમાં નિબદ્ધ છે. કર્તાનું નામ અને રચનાકાલ અજ્ઞાત છે. અનાથમુનિકથા – અનાથમુનિની કથા ઉત્તરાધ્યયનમાં આવી છે. તેમના પિતા ધનાઢ્ય હતા. પરંતુ તે બચપણથી અનેક રોગોથી ગ્રસ્ત હતા. તેમની વેદનામાં કોઈ ભાગ પડાવી તેને ઓછી કરી શક્યું નહિ. અત્યંત નિરાશ થઈ તેમણે વિચાર્યું - “જો હું પોતે આ વેદનાથી મુક્ત થઈ જઈશ તો પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.” તે રોગમુક્ત થઈ ગયા. તેમણે દીક્ષા લઈ લીધી. તેમણે રાજગૃહના મેડિકુક્ષિ ચૈત્યમાં રાજા શ્રેણિકને સનાથ અને અનાથનો અર્થ સમજાવ્યો. આ કથાનક ઉપર અજ્ઞાતકર્તક રચના મળે છે. આ વિષયનાં અનેક ગુજરાતી કાવ્યો મળે છે.* પ્રદેશીય યા પરદેશી ચરિત– રાયપસેણિય સૂત્રમાં રાજા પ્રદેશ અને કુમારશ્રમણ કેશીનું રોચક કથાનક આવ્યું છે. તે પરવર્તી લેખકોને બહુ જ રોચક લાગ્યું. તેના ઉપર પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતીમાં અનેક કૃતિઓ રચાઈ છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૩ ૨. એજન, પૃ. ૩૦૦ ૩. એજન, પૃ.૪૦ ૪. એજન, પૃ. ૭ ૫. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૪૦૮, ૬૦૨, ૬૪૬ આદિ. Page #341 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૧ સંસ્કૃતમાં ઉક્ત કથા ઉપર કુશલરુચિષ્કૃત એક કૃતિ છે, તેની હસ્તપ્રત સં.૧૫૬૪ની મળે છે. બીજી ચારિત્રોપાધ્યાયકૃત સં. ૧૯૧૩ની મળે છે. પ્રાકૃતમાં ૩૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ રચના છે. તેના કર્તાનું નામ જ્ઞાત નથી. વળી એક અજ્ઞાતકર્તૃક રચનાનો ઉલ્લેખ મળે છે. નાગદત્તકથા — - નાગદત્તની કથા કેટલાય પ્રસંગોના ઉદાહરણ તરીકે રજૂ કરાઈ છે. આવશ્યકનિર્યુક્તિના પ્રતિક્રમણ અધ્યયનમાં નાગદત્તની કથા આવી છે. હરિષણના બૃહત્કથાકોશમાં (૧૦મી સદી) નિર્મોહિતાના ઉદાહરણ તરીકે નાગદત્તની કથા આપવામાં આવી છે. કેટલાય કથાકોશોમાં અદત્તગ્રહણના ઉદાહરણ તરીકે આ કથા કહેવામાં આવી છે. એક રચના` અષ્ટાહ્નિકા પર્વના માહાત્મ્યને સૂચિત કરવા માટે પણ રચવામાં આવી છે. પ્રાકૃતમાં ૧૦૦૦ ગ્રન્થાગ્રનું નાગદત્તચરિયું* (અજ્ઞાતકર્તૃક) પણ મળે છે. વિક્રમસેનચરિત આમાં રાજા વિક્રમસેનના સમ્યક્ત્વલાભથી લઈને સર્વાર્થસિદ્ધિ વિમાન જવા સુધીનું વૃત્તાન્ત પ્રાકૃત છંદોમાં આલેખવામાં આવ્યું છે. સાથે સાથે દાન, તપ, ભાવનાના પ્રસંગોમાં ૧૪ કથાઓ પણ આપવામાં આવી છે. આ એક ઉપદેશકથાગ્રન્થ છે. તેના કર્તાએ પોતાના નામમાં પદ્મચન્દ્રશિષ્ય એટલું જ કહ્યું છે. રચનાકાળ અજ્ઞાત છે. = અન્નિકાચાર્ય-પુષ્પચૂલાકથા આમાં તપસ્વી અત્રિકાચાર્ય અને સાધુઓની સતત વૈયાવૃત્ય (સેવા) કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારી મહિલા પુષ્પચૂલાની કથા આપવામાં આવી છે. શુભશીલગણિકૃત ભરતેશ્વરબાહુબલિવૃત્તિમાં પણ આ કથા આવી છે. તેના પહેલાં ઉપદેશમાલા અને ઉપદેશપ્રાસાદમાં પણ આ કથા આવે છે. --- ૩૧૯ આના ઉપર સ્વતન્ત્ર રચના તપાગચ્છીય અમરવિજયના શિષ્ય મુનિવિજયની મળે છે. રચનાસમય અજ્ઞાત છે. ૧-૪. જિનરત્નકોશ, પૃ. ૨૩૬ અને ૨૬૩-૨૬૪ ૫-૬.એજન, પૃ. ૨૧૦ ૭. એજન, પૃ. ૩૫૦; પાટણ ગ્રન્થભંડાર સૂચી, ભાગ ૧, પૃ. ૧૭૩ ૮. ૫મી અને ૩૨મી કથા ૯. જિનરત્નકોશ, પૃ. ૧૧ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ મૃગજચરિત હિંસાના દોષોથી બચવા માટે તીવ્ર તપસ્યા કરી કૈવલ્ય પ્રાપ્ત કરનાર રાજપુત્ર મૃગજની કથા' બૃહત્કથાકોશ(રિષણ)માં આપવામાં આવી છે. સ્વતન્ત્ર રચનાના રૂપમાં ખરતરગચ્છીય પદ્મકુમારે ૮૩ ગાથાઓમાં આની રચના કરી છે. રચનાસમય અજ્ઞાત છે પરંતુ ગુજરાતીમાં આ જ પદ્મકુમારકૃત મૃગજચોપાઈ મળે છે જેનો રચનાકાળ સં. ૧૬૬૧ આપ્યો છે. - પ્રીતિકરમહામુનિચરિત – પ્રીતિકરમુનિના ચરિત્ર ઉપર દિગંબર કવિઓની સંસ્કૃત રચનાઓ મળે છે. બ્રહ્મ. નેમિદત્તની કૃતિમાં પાંચ સર્ગ છે. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૯૪૫ની મળી છે. બીજી સંસ્કૃત રચના ભટ્ટારક નરેન્દ્રકીર્તિની મળે છે. તેનો રચનાસમય જ્ઞાત નથી. નરેન્દ્રકીર્તિ સત્તરમી સદીના અંતિમ તથા અઢારમી સદીના પ્રથમ દશકાના વિદ્વાન હતા. પંચ ણમોકાર મન્ત્રના પ્રભાવથી અનેક સુખો મળે છે, ભવ પાર થઈ જાય છે, દેવગતિ મળે છે. આ કથા ણમોકાર મન્ત્રનું માહાત્મ્ય દર્શાવવા માટે ૬૦૫ સંસ્કૃત શ્લોકોમાં રચવામાં આવી છે. રચનાસમય જ્ઞાત નથી પરંતુ આ રચનાના આધારે સં. ૧૫૮૭માં સાંડે૨ગચ્છના ધર્મસાગરના શિષ્ય ચહથે ગુજરાતીમાં આરામનન્દનચોપઈની રચના કરી છે. આરામનન્દનકથા પ્ - જૈન કાવ્યસાહિત્ય અજાપુત્રકથાનક – પુણ્યથી સાહસ, સદ્ભાવ, કીર્તિ વગેરે બધું મળે છે. આના દૃષ્ટાન્ત તરીકે અજાપુત્ર (આઠમા તીર્થંકરના પ્રથમ ગણધર)ની કથા ઉ૫૨ બે રચનાઓ મળે છે. એક રચના ૫૬૧ શ્લોકોમાં છે અને બીજી ગદ્યમાં છે. એકના કર્તા જિનમાણિક્ય છે અને બીજીના માણિક્યસુન્દરસૂરિ (૧૬મી સદી) છે. આ કથા ઉપર ગુજરાતીમાં કેટલાય રાસ પણ મળે છે. ૧-૨.કથા સં. ૧૨૧ ૩. જિનરત્નકોશ, પૃ. ૩૧૩ ૪. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૪૬૨ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૮૧ ૬. એજન, પૃ. ૩૩ ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૭૫૮ ૮. જિનરત્નકોશ, પૃ.૨ ૯. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૫૩૭, ૫૩૮ Page #343 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૨૧ ચાણક્યર્ષિકથા – ચાણક્યનું ચરિત્ર હરિફેણે બૃહત્કથાકોશમાં અને હેમચન્દ્રાચાર્યે પરિશિષ્ટપર્વમાં આપ્યું છે. તેના ઉપર દેવાચાર્યની ઉક્ત સ્વતન્ત્ર રચના મળી છે.' રચનાકાળ આપવામાં આવ્યો નથી. મિત્રચતુષ્કકથા – સ્વદારસન્તોષવ્રતનું માહામ્ય દર્શાવવા માટે સુમુખનૃપાદિમિત્રચતુષ્કકથા અપરનામ મિત્રચતુષ્કકથાની ૫૧૭ શ્લોકોની રચના તપાગચ્છીય સોમસુન્દરસૂરિના શિષ્ય મુનિસુન્દરસૂરિએ સં. ૧૪૮૪માં કરી છે. તેનું સંશોધન લક્ષ્મીભદ્રસૂરિએ કર્યું હતું. . કોઈ સંયમરત્નસૂરિએ પણ મિત્રચતુષ્કકથા (ઝન્યાગ્ર ૧૬૩૧)ની રચના કરી ઉક્ત વ્રતના માહાભ્યને પ્રકટ કરવા માટે ૫. રામચન્દ્રમણિએ ૧૧ સર્ગોવાળું એક સુમુખનૃપતિકાવ્ય સં. ૧૭૭૦માં રચ્યું છે. આ કાવ્યની એક ત્રુટિત પ્રતિ પ્રાપ્ત થઈ છે. ધનદેવ-ધનદત્તકથા – આને ધનદત્તકથા, ધનધર્મકથા પણ કહે છે. સુપાત્રને ભુક્તિદાન કરવાથી પાપો દૂર થઈ જાય છે અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ વાતને દર્શાવવા માટે ધનદેવ અને ધનદત્તની કથા આપવામાં આવી છે. આના ઉપર સૌપ્રથમ કૃતિ સંસ્કૃત ૪૪૦ શ્લોકોમાં નિબદ્ધ તપાગચ્છના મુનિસુન્દરની મળે છે. રચનાસંવત્ ૧૪૮૪ આપવામાં આવેલ છે. બીજી રચના તપાગચ્છીય અમરચન્દ્રની છે. અમરગ્નન્દ્રનો સમય ૧૭મી સદીના ઉત્તરાર્ધ છે. તેમની ગુજરાતી રચનાઓ કુલધ્વજકુમાર (સં.૧૬૭૮) અને સીતાવિરહ (સં.૧૯૭૯) મળે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૨૨ ૨. એજન, પૃ. ૩૦૯, ૪૪૭; જૈન આત્માનન્દ સભા, ગ્રજ્યાંક ૭૫, ભાવનગર; ગુજરાતી અનુવાદ પણ ત્યાંથી સં. ૧૯૭૯માં પ્રકાશિત. ૩. એજન ૪. શ્રમણ, વર્ષ ૧૯, અંક ૮, પૃ. ૩૦-૩૧માં શ્રી અગરચન્દ નાહટાનો લેખ “પં. રામચન્દ્રરચિત સુમુખનૃપતિકાવ્ય' પ-૬ જિનરત્નકોશ, પૃ. ૧૮૬, ૧૮૭ ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૫૭, ૫૦૮ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ જેન કાવ્યસાહિત્ય ધનદત્તકથા - શ્રાવકધર્મમાં વ્યવહારશુદ્ધિ માટે અમરચન્દ્ર સંસ્કૃતમાં ધનદત્તકથા લખી છે. ધનદત્ત કથા ઉપર ગુજરાતીમાં કેટલાય રાસ લખાયા છે. અમરસેન-વજસેનકથાનક – દાન અને પૂજાથી અપાર સુખ મળે છે. આ વાત સમજાવવા માટે અમરસેન-વજસેન રાજર્ષિની કથા આમાં કહેવામાં આવી છે. આ કથાનક ઉપર કેટલીય કૃતિઓ મળે છે. પહેલી કૃતિ ૧૬મી સદીના મતિનન્દનગણિની છે. તે ખરતરગચ્છ અન્તર્ગત પિપ્પલક ગચ્છના ધર્મચન્દ્રગણિના શિષ્ય હતા. તેમની અન્ય કૃતિ ધર્મવિલાસ મળે છે. આ જ કથાનક ઉપર બે અજ્ઞાતકર્તૃક રચનાઓ પણ છે. તેમાંની એક સં. ૧૬૫૮માં રચાઈ છે. સત્તરમી અને અઢારમી સદીમાં ગુજરાતીમાં આ કથાનક ઉપર કેટલીય કૃતિઓ લખાઈ અમરદત્ત-મિત્રાનન્દકથાનક – આમાં અમરદત્ત-મિત્રાનન્દના સરસ સંબંધનું આલેખન કરીને દાનના પ્રભાવથી તે બન્નેએ સંસારમાં કેવી રીતે સુખ પ્રાપ્ત કર્યું તે દર્શાવવામાં આવ્યું છે. તેના રચનાર ભાવચન્દ્રગણિ છે, તે ભાનુચન્દ્રગણિના શિષ્ય હતા. તેમણે આ કથા શાન્તિનાથચરિત્રમાં વર્ણવી છે. આના ઉપર ગુજરાતીમાં કેટલાય રાસ રચાયા છે. સુમિત્રકથા – આ કથા (શુભવર્ધનગણિની) વર્ધમાનદેશનામાં દસમા શ્રાવકવ્રતનું માહાસ્ય દર્શાવવા માટે આપી છે. સ્વતંત્ર રચનાઓના રૂપમાં હર્ષકુંજર ઉપાધ્યાયકૃત સુમિત્રાચરિત્ર અને અજ્ઞાતકર્તક સુમિત્રકથા મળે છે. રૂપાસેનકથા – આમાં દાનનું માહાભ્ય પ્રગટ કરવા માટે રૂપસેન અને કનકાવતીની કથા આપી છે. આ કથાનક ઉપર અનેક કૃતિઓ મળે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૬ ૨. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૩૬૮ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૪ ૪. એજન ૫. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૪૭૫; ભાગ ૨, પૃ. ૧૬૫ ૬. જિનરત્નકોશ, પૃ. ૧૪; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૪ ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૨૦૦; ભાગ ૨, પૃ. ૯૪, ૨૨૪ ૮-૯ જિનરત્નકોશ, પૃ. ૪૪૬ Page #345 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૨૩ . અજ્ઞાતકર્તક રચનાઓમાં રૂપસેનકનકાવતીચરિત્ર, રૂપસેનકથા, રૂપસનપુરાણ નામના ગ્રંથો મળે છે.૧ જ્ઞાતકર્તક રચનાઓમાં તપાગચ્છીય હર્ષસાગરના પ્રશિષ્ય અને રાજસાગરના શિષ્ય રવિસાગરે સં. ૧૬૩૬માં રૂપસેનચરિત્ર લખ્યું છે. બીજી કૃતિ સુધાભૂષણ અને વિશાલરાજના શિષ્ય જિનસૂરિએ સંસ્કૃત ગદ્યમાં નિર્માણ કરી છે. તેનો રચનાકાળ જ્ઞાત નથી. ત્રીજી રચના કોઈ દિગંબર ધર્મદેવે લખી છે. કિવિરાજકથા – આસનદાનના માહાભ્યને દર્શાવવા માટે કવિરાજકથાનું વિધાન થયું છે. આ કથા ઉપર સં. ૧૪૮૯માં કોઈ અજ્ઞાત કર્તાએ કૃતિની રચના કરી છે. દાનપ્રદીપ (સં.૧૪૯૯)ના છઠ્ઠા પ્રકાશમાં પણ આ કથા સમાવિષ્ટ છે. વંકચૂલકથા – ઔપદેશિક કથાઓમાં દાન, શીલ, તપ, ભાવના વગેરેનું એકચિત્તે પાલન કરવાનો લાભ દર્શાવવા વંકચૂલનું દષ્ટાન્ત આપવામાં આવે છે. ઉક્ત કથા ઉપર પ્રાકૃત વક્કચૂડકહા નામની કૃતિનો ઉલ્લેખ મળે છે. તેના કર્તા કે તેનો રચનાકાલ જ્ઞાત નથી. ગુજરાતીમાં આના ઉપર કેટલાંય કાવ્યો રચાયાં છે. તેજસારનૃપકથા – આમાં જિનપ્રતિમાને જિનસદશ માની આરાધના કરવાનું માહાભ્ય પ્રગટ કરવા માટે તેજસારનૃપની કથા આપવામાં આવી છે. તેના કર્તાનું નામ જ્ઞાત નથી.આ કથામાં દીપપૂજાનું વિશેષ માહાસ્ય દર્શાવ્યું છે. ગુજરાતીમાં કુશલલાભકૃત તેજસારરાસ (સં.૧૬૨૪) પણ મળે છે. ગુણસાગરચરિત – પૃથ્વીચન્દ્ર નૃપના પૂર્વભવોના સહયોગી ગુણસાગર હતા. તેમનું ચરિત્ર પણ પૃથ્વીચન્દ્ર નૃપર્ષિની જેમ જ પાવન છે. દેવેન્દ્રસૂરિના શિષ્ય ધર્મકીર્તિએ “સંઘાચારવિધિ'માં ગુણસાગરની કથા આપી છે. ૧-૪.જિનરત્નકોશ, પૃ.૩૩૩ ૫. એજન, પૃ. ૬૮ ૬. એજન, પૃ. ૩૪૦ ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૪૮૩, ૫૮૯ ૮. જિનરત્નકોશ, પૃ. ૧૬૧ ૯. ગૂર્જર જૈન કવિઓ, ભાગ ૧, પૃ. ૨૧૪ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જૈન કાવ્યસાહિત્ય આના ઉપર સ્વતંત્ર રચના પણ મળે છે. તેના કર્તા ખરતરગચ્છીય ક્ષમાકલ્યાણ ઉપાધ્યાય (૧૯મી સદીના ઉત્તરાર્ધ) છે. ૧ સુરપ્રિયમુનિકથાનક – પોતે કરેલાં કર્મોનું પ્રાયશ્ચિત્ત કરનાર સુરપ્રિયમુનિની કથાની સં. ૧૬પ૬માં તપાગચ્છીય વિજયસેનસૂરિના શિષ્ય કનકકુશલે સંસ્કૃત છંદોમાં રચના કરી છે. તેનો ગુજરાતી અનુવાદ મળે છે તથા ગુજરાતીમાં કેટલાય રાસ પણ મળે છે. સુવ્રતત્રકષિકથાનક – સુવ્રતની કથા ઉપદેશપ્રાસાદમાં આવી છે. આ કથાનક ઉપર બે અજ્ઞાતકર્ત્તક લઘુ રચનાઓ મળે છે. બન્ને પ્રાકૃતમાં છે. પહેલી પ્રકાશિત કૃતિમાં ૧૫૭ ગાથા છે અને બીજી અપ્રકાશિત કૃતિમાં કેવળ ૫૯ ગાથા છે. કનકરથકથા – ઉત્તમ પાત્રને ભોજનદાનનું માહાસ્ય દર્શાવવા કનકરથ શેઠની કથા કહેવામાં આવી છે. તેના ઉપર એક અજ્ઞાતકર્તક સંસ્કૃત રચના મળે છે, તેનો રચનાસંવત ૧૪૮૯ છે. એક અન્ય રચના કનકરથચરિત્રનો પણ ઉલ્લેખ મળે છે. રણસિંહનૃપકથા - ધર્મદાસગણિની ઉપદેશમાલા ઉપર રત્નપ્રભસૂરિએ રચેલી દોઘટ્ટી’ ટીકામાં (સં.૧૨૩૮) એક રણસિંહની કથા આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તે વિજયસેન રાજા અને વિજયા રાણીનો પુત્ર હતો. આ વિજયસેન દીક્ષા લઈ અવધિજ્ઞાની થયા અને તેમણે પોતાના સાંસારિક પુત્ર રણસિંહ માટે ઉવએસમાલાની રચના કરી. મનાય છે કે આ વિજયસેન જ ધર્મદાસગણિ હતા. ઉક્ત રણસિંહ નૃપની કથા ઉપર એક પ્રાચીન અજ્ઞાતકર્તક કૃતિ મળે છે. અને બીજી કૃતિ ખરતરગચ્છીય સિદ્ધાન્તરુચિના શિષ્ય મુનિસોમે સં. ૧૫૪૦માં રચી છે. ૧. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રંથ, દ્વિતીય ખંડ, પૃ. ૨૭ ૨. જિનરત્નકોશ, પૃ. ૪૪૭; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૭; ગુજરાતી અનુવાદ – મુનિ પ્રતાપવિજયકૃત, મુક્તિ-કમલ-જૈન મોહનમાલા (૧૨), વડોદરા, સં. ૧૯૭૬ ૩. એજન, પૃ. ૪૪૭; વિજયદાનસૂરીશ્વર ગ્રન્થમાલા, સૂરત, સં. ૧૯૯૫ ૪-પ.એજન, પૃ. ૬૭ ૬. એજન, પૃ. ૩૨૬ ૭. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય - ફૂલવાલકથા – ફૂલવાલની કથા આગમોમાં પ્રસિદ્ધ છે. ઉપદેશપ્રાસાદ તથા શીલોપદેશમાલામાં તેની કથા આવે છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક એક રચનાનો ઉલ્લેખ મળે છે.૧ - પ્રિયંકરકથા – ઉપસર્ગહરસ્તોત્રના મહત્ત્વને વર્ણવવા માટે પ્રિયંકરનૃપની કથા કહેવામાં આવી છે. તેની રચના તપાગચ્છના વિશાલરાજના શિષ્ય જિનસૂરિએ સંસ્કૃત ગદ્યમાં કરી છે. 3 ગજસિંહપુરાણ – આને ગજસિંહરાજચરિત પણ કહે છે. તેમાં દશરથનગરીના રાજા ગજસિંહે પોતાના શીલ વગેરે ગુણો દ્વારા અનેક પ્રકારનો વૈભવ પ્રાપ્ત કર્યો હતો તેનું આલેખન છે. નિશીથવૃત્તિમાં આ ચરિત્ર વિસ્તારથી આપ્યું છે. ગુજરાતીમાં આ ચરિત્રને વિષય કરીને કેટલાય રાસ રચાયા છે.૪ સંસ્કૃતમાં અજ્ઞાતકર્તૃક બે રચનાઓ મળે છે. સંગ્રામસૂરકથા – સમ્યક્ત્વનું માહાત્મ્ય પ્રકટ કરવા માટે રાજા સંગ્રામસૂરની કથા ઉપદેશપ્રાસાદમાં આપવામાં આવી છે. ૫ F આના ઉપર સ્વતન્ત્ર રચના મેરુપ્રભસૂરિની મળે છે. ગુજરાતીમાં સં. ૧૬૭૮માં તપાગચ્છીય શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચંદ્રે એક કૃતિ રચી છે. સંકાશશ્રાવકકથા પ્રમાદી મિત્રના દોષને પ્રગટ કરવાના દૃષ્ટાન્ત તરીકે સંકાશ શ્રાવક યા સંકાશ શેઠની કથા કહી છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક એક કૃતિ સંસ્કૃતમાં અને એક પ્રાકૃતમાં મળે છે. સંકાશની કથા હરિભદ્રસૂરિના ઉપદેશપદમાં (ગા.૪૦૩-૪૧૨) આવી છે. ૩૨૫ — ૧. જિનરત્નકોશ, પૃ. ૯૫-૯૬ ૨. એજન, પૃ. ૨૮૦; દેવચન્દ્ર લાલભાઈ પુ. ગ્રન્થમાલા (૮૦), મુંબઈ ૧૯૩૨; શારદાવિજય જૈન ગ્રન્થમાલા (૧), ભાવનગર, ૧૯૨૧ ૩. એજન, પૃ. ૧૦૨ ૪. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૬૦, ૬૩, ૧૯૬, ૫૨૪, ૫૨૬ ૫. જિનરત્નકોશ, પૃ. ૪૧૦ ૬. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૯૮૯ ૭. જિનરત્નકોશ, પૃ. ૪૦૮ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જૈન કાવ્યસાહિત્ય પુણ્યસારકથા યા પુણ્યધનચરિત – જિનરત્નકોશ અનુસાર આ બન્ને શીર્ષકો એક જ કૃતિનાં છે.' આ રચનાનું પરિમાણ ૧૩૧૧ શ્લોકપ્રમાણ છે. તેમાં જીવદયાનું માહાસ્ય દર્શાવ્યું છે. આ રચના શુભાશીલગણિની છે. તેમની ભરતેશ્વરબાહુબલિવૃત્તિ આદિ અનેક કૃતિઓ મળે છે. પુણ્યસારકથા – સાધર્મિક વાત્સલ્યનું ફળ દર્શાવવા માટે શ્રેષ્ઠિપુત્ર પુણ્યસારની કથા કહેવામાં આવી છે. આ કથા ઉપર રચાયેલી અનેક કૃતિઓ મળે છે. પ્રથમ રચના જિનેશ્વરસૂરિના શિષ્ય વાચનાચાર્ય વિવેકસમુદ્રમણિની છે. આ રચના સં. ૧૩૩૪માં જેસલમેરમાં થઈ છે. તેમાં ૩૪૨ સંસ્કૃત શ્લોકો છે. આ કૃતિનું સંશોધન જિનપ્રબોધસૂરિએ કર્યું છે. વિવેકસમુદ્રની અન્ય રચના નરવર્મચરિત પણ મળે છે. આ કથાને વિષય કરીને અજિતપ્રભસૂરિએ અને ભાવચન્દ્ર રચેલી સંસ્કૃત કૃતિઓ પણ મળે છે. પુરન્દરનૃપકથા – નિરતિચારસંયમ તથા ઉગ્રશીલવ્રતના પાલનના દૃષ્ટાન્ત તરીકે પુરન્દર નૃપની કથા આપવામાં આવી છે. આ કથા ઉપર કેટલીય રચનાઓ થઈ છે. એક કૃતિ દેવેન્દ્રસૂરિકૃત છે. તેનો રચનાકાલ જ્ઞાત નથી. બીજી છે ભાવદેવસૂરિના શિષ્ય બ્ર. માલદેવે રચેલી. સં. ૧૬૬૮માં રચાયેલી માલદેવની ગુજરાતી કૃતિ પણ મળે છે. એક અજ્ઞાતકર્તક પુરિન્દરનૃપચરિત્ર પ્રાકૃતમાં મળે છે. બ્ર. શ્રુતસાગરે પણ પુરન્દરવિધિકથોપાખ્યાન લખ્યું છે. ગુજરાતીમાં આ વિષયની કેટલીક રચનાઓ મળે છે. સદયવત્સકુમારકથા – સત્પાત્રદાન અને અભયદાનનું માહાત્મ દર્શાવવા માટે સંસ્કૃત અને ગુજરાતીમાં ઉક્ત કુમાર ઉપર કેટલીય કથાઓ રચાઈ છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૨૫૧; નાનજીભાઈ પોપટચન્દ્ર દ્વારા મહાવીર જૈન સભા, ખંભાત માટે સન્ ૧૯૧૯માં પ્રકાશિત ૨-૩. એજન, પૃ. ૨૫૧, ૨૫૨; આમાંથી પહેલી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર કાર્યવાહક, સૂરતથી સં. ૨૦૦૧માં પ્રકાશિત તથા ભાવચન્દ્રકૃત હીરાલાલ હંસરાજ, જામનગરથી સન્ ૧૯૨પમાં પ્રકાશિત ૪-૭.એજન, પૃ. ૨૫૨-૨૫૩ ૮. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૩૦૮-૩૦૯ Page #349 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૨૭ સંસ્કૃતમાં હર્ષવર્ધનગણિકૃત રચના મળે છે. તેનો રચનાસમય જ્ઞાત નથી. દેવદત્તકુમારકથા – સંતોષ અને વિરતિ તથા અનાસક્તિભાવનાના મહત્ત્વને દર્શાવવા માટે સંસ્કૃત અને ગુજરાતીમાં દેવદત્તકુમારના ચરિત્રનું આલેખન થયું છે. આ કથા ઉપર રચાયેલી અજ્ઞાતકર્તક સંસ્કૃત કૃતિ મળી છે. - ત્રિભુવનસિંહચરિત – મહીતલમાં કરોડો ઉપાયો છે પરંતુ કર્મફલ ટાળી શકાતું નથી. કર્મફલની મહત્તા દર્શાવવા માટે આ ચરિત્રનું ચિત્રણ સંસ્કૃત અને ગુજરાતીમાં કરવામાં આવ્યું છે. સંસ્કૃત ગદ્યમાં ૬૮૪ ન્યાગ્રપ્રમાણ એક અજ્ઞાતકર્તક રચના પ્રકાશિત થઈ છે. દેવકુમારચરિત- ગુજરાતી જૈન કવિઓએ દેવકુમારના કૌતુક અને આશ્ચર્યોથી પૂર્ણ ચરિત્રને સાત વ્યસન ત્યાગી ગૃહસ્થ ધર્મમાં અદત્તાદાન આદિ વ્રતોનું દઢ પાલન કરવાના દાત્ત તરીકે રજૂ કર્યું છે. સંસ્કૃતમાં પર૭ ગ્રન્થાગ્રપ્રમાણ એક રચના મળે છે. કર્તા અને રચનાકાળ જ્ઞાત નથી. રાજસિંહકથા – ણમોકાર મન્ત્રનું માહાસ્ય પ્રગટ કરવા માટે રાજસિંહ અને રત્નાવલીની કથા પશ્ચિમ ભારતમાં પ્રસિદ્ધ છે. તેના ઉપર સંસ્કૃતમાં એક અજ્ઞાતકર્તક રચના મળે છે. ગુજરાતીમાં આ કથાનક ઉપર રચાયેલા કેટલાય રાસ મળે છે. ૬ સં. ૧૯૦૦માં તપાગચ્છીય પદ્મવિજયના શિષ્ય રૂપવિજયે ૪૧૩ શ્લોકોમાં રાજસિંહરત્નવતીકથાની રચના કરી છે. મથનસિંહકથા – ઉપદેશપ્રાસાદ અને શ્રાદ્ધવિધિમાં માયાકપટવિરમણના પ્રસંગમાં તથા પ્રતિક્રમણના મહત્ત્વને પ્રગટ કરવા માટે મહણસિંહની દષ્ટાન્તકથા ૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૨ ૨. એજન, પૃ. ૧૭૭; જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૮૦૨, ૯૩૪ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૬૧; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૨-૨૩ ૪. એજન, પૃ. ૧૭૭ ૫. એજન, પૃ. ૩૩૧ ૬. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧-૩માં કૃતિઓની અનુક્રમણિકા જુઓ ૭. જિનરત્નકોશ, પૃ. ૩૩૧ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જેન કાવ્યસાહિત્ય આપવામાં આવી છે. તેને સંસ્કૃત છંદોમાં મથનસિંહકથાના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે. કર્તા અને રચનાકાલ અજ્ઞાત છે. વિદ્યાવિલાસનૃપકથા – ઉત્તરવર્તી મધ્યયુગમાં પુણ્યના પ્રભાવને દર્શાવવા માટે વિદ્યાવિલાસનૃપની કથા જૈન કવિઓને બહુ રોચક લાગી. તેના ઉપર સંસ્કૃત અને ગુજરાતીમાં અનેક કૃતિઓ રચાઈ છે. સંસ્કૃતમાં ગદ્યાત્મક એક રચનાની હસ્તપ્રત સં. ૧૪૮૮ની મળી છે. બીજી ગદ્યાત્મક રચના મલયહંસની મળી છે. પરંતુ તેનો સમય જ્ઞાત નથી. ત્રીજી રચના પદ્યાત્મક દેવદત્તગણિની છે. અન્ય રચનાઓ અજ્ઞાતકર્તક છે. આ કથા સાથે સંબંધ ધરાવતી એક કૃતિ વિદ્યાવિલાસસૌભાગ્યસુન્દરકથાનક નામની પણ મળે છે પરંતુ તેના કર્તા જ્ઞાત નથી. મંગલકલશકથા – દાનના મહત્ત્વને દર્શાવવા માટે મંગલકલશકુમારની કથા ઉપર અનેક કૃતિઓ રચાઈ છે. આ કથા ઉપદેશપ્રાસાદમાં પણ આવી છે. આના ઉપર ઉદયધર્મગણિકૃત સં. ૧પ૨પની સંસ્કૃત રચના મળે છે. બીજી રચના હંસચન્દ્રના શિષ્ય(અજ્ઞાતનામા)ની છે. ત્રીજી ભાવચન્દ્રની છે. ગુજરાતીમાં તો આ વિષયની વીસ જેટલી રચનાઓ મળે છે. ૧૦ વિનયંધરચરિત – જિનમતમાં દઢ શ્રદ્ધાનું મહત્ત્વ દર્શાવવા માટે વિનયંધર નૃપની કથા હરિષણના બૃહત્કથાકોશમાં આવી છે. આ કથા ઉપર પ્રાકૃતમાં એક અજ્ઞાતકર્તક રચના૧૧ તથા શીલદેવસૂરિકૃત એક સંસ્કૃત ગદ્ય રચનાર મળે છે. મસ્યોદરકથા – શાન્તિનાથચરિતમાં પુણ્ય(ધર્મ)નો મહિમા પ્રગટ કરવા માટે ૧. જિ-રત્નકોશ, પૃ. ૩૦૦ ૨-૬ એજન, પૃ. ૩૫૬ ૭. એજન, પૃ. ૨૯૯ ૮. એજન ૯. એજન; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૪ ૧૦.જૈન ગૂર્જર કવિઓ, ત્રણે ભાગોની કૃતિઓની અનુક્રમણિકા જુઓ ૧૧-૧૨ જિનરત્નકોશ, પૃ. ૩૫૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૨૯ મત્સ્યોદર નૃપની કથા આપી છે. આ કથા ઉપર અજ્ઞાતકર્તક રચના મળે છે.' ગુજરાતીમાં આ કથા ઉપર અનેક રાસ લખાયા છે. વીરભદ્રકથા – દુકાળમાં ઋતપાઠના દોષો દર્શાવવા માટે વીરભદ્ર મુનિની કથા હરિષણના બૃહત્કથાકોશમાં આપવામાં આવી છે. વીરભદ્રની કથાને લઈને દેવભદ્રાચાર્યે વીરભદ્રચરિતની રચના કરી છે, તે મળે છે. વળી, અજ્ઞાતકર્તક વીરભદ્રકથા અને વીરભદ્રચરિત્ર પણ મળે છે. કુરુચન્દ્રકથાનક – કરુચન્દ્ર નૃપતિની કથા હરિભદ્રના ઉપદેશપદની ટીકામાં તથા અન્ય ઔપદેશિક કથાસાહિત્યમાં આવે છે. આ ચરિતને લઈને સંસ્કૃત ગદ્યમાં એક રચના થઈ છે. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૪૮૯ની મળી છે પરંતુ તેના કર્તાનું નામ જ્ઞાત નથી. આ કથાને દાનપ્રદીપમાં (સં.૧૪૯૯) વસતિદાનના સંબંધમાં આપવામાં આવી છે. પ્રજ્ઞાકરકથા – શયનદાનના દૃષ્ટાન્ત તરીકે પ્રજ્ઞાકર રાજાની કથા દાનપ્રદીપમાં (ચારિત્રરત્નગણિ) આપવામાં આવી છે. તેના ઉપર અજ્ઞાતકર્તક એક સ્વતંત્ર રચના મળે છે." સુબાહુકથા – વિધિવત્ પાત્રદાનનું મહત્ત્વ દર્શાવવા માટે સુબાહુ મુનિ યા નૃપના ચરિત ઉપર ત્રણ અજ્ઞાતકર્તીક રચનાઓનો ઉલ્લેખ મળે છે. પાટણ સૂચીપત્ર અનુસાર બે રચનાઓ પ્રાકૃતમાં છે. એકમાં ૨૨૮ ગાથા અને બીજીમાં ૨૧૫ ગાથા છે. એક અજ્ઞાતકર્તક રચના સંસ્કૃતમાં પણ છે. કોઈનો રચનાકાળ આપવામાં આવ્યો નથી. ગુજરાતીમાં જિનહંસસૂરિના શિષ્ય પુણ્યસાગરે સં.૧૬૦૪માં એક સુબાહુસંધિનું નિર્માણ કર્યું હતું. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦ ૨-૪.એજન, પૃ. ૩૬૩ ૫. એજન, પૃ. ૯૪ ૬. એજન, પૃ. ૨૫૭ ૭-૯ એજન, પૃ. ૪૪૫; પાટણ ગ્રન્થભંડારસૂચી, ભાગ ૧, પૃ. ૬૧, ૯૧, ૧૪૩, ૧૬૧ ૧૦. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૧૮૮ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જેન કાવ્યસાહિત્ય હરિબલધીવરચરિત – વર્ધમાનદેશના (શુભવર્ધનગણિ)માં જીવદયાનું મહત્ત્વ સમજાવવા માટે હરિબલ ધીવરની કથા આવે છે. આ કથાનકને લઈને સંસ્કૃતમાં હરિબલકથા અને હરિબલચરિત નામની અજ્ઞાતકર્તક રચનાઓ તથા હરિબલસમ્બન્ધ નામની પ્રાકૃત રચનાનો ઉલ્લેખ મળે છે. વીસમી સદીના તપાગચ્છીય આચાર્ય યતીન્દ્રસૂરિએ સં. ૧૯૮૪માં હરિબલધીવરચરિતની રચના સંસ્કૃત ગદ્યમાં કરી સુન્દરનૃપકથા – આમાં ૧૬૪ શ્લોક છે. આમાં સુન્દર નૃપના સ્વદારસંતોષવ્રતપાલનની કથા છે. આના ઉપર ગુજરાતીમાં સુન્દરરાજા રાસ (સં.૧૫૫૧) આગમગચ્છના ક્ષમાકલશે રચેલો મળે છે. કુલધ્વજકથાનક – આમાં પરસ્ત્રીત્યાગવ્રતનું માહાભ્ય દર્શાવવા માટે કુલધ્વજ કુમારની કથા કહેવામાં આવી છે. આ સંસ્કૃત રચનાના કર્તાનું નામ જ્ઞાત નથી. ગુજરાતીમાં કક્કસૂરિના શિષ્ય કીર્તિહર્ષે સં. ૧૬૭૮માં કુલધ્વજકુમાર રાસ રચ્યો છે, તે મળે છે." સુસઢચરિત – રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી આ ભવ અને પરભવમાં અનેક દુઃખો મળે છે. સુસઢે ચોથા અને છઠ્ઠા વ્રતનું પાલન કરી તે દુઃખોને પાર કર્યા. મહાનિશીથની અંતિમ ચૂલામાં સુસઢનું ચરિત આલેખાયું છે. તેને લઈને દેવેન્દ્રસૂરિએ પ્રાકૃત ગાથાઓમાં એક કૃતિની રચના કરી છે. તેની હસ્તપ્રતોમાં ૪૮૭થી પ૨૦ પ્રાકૃત ગાથાઓ મળે છે. આ ચરિત્ર ઉપર લબ્ધિમુનિએ (૨૦મી સદી) સંસ્કૃતમાં એક કૃતિ રચી છે. ગુજરાતીમાં આ કથા ઉપર કેટલીય રચનાઓ થઈ છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૫૯; હરિપેણના બૃહત્કથાકાશમાં આવી જ મૃગસેન ધીવરની કથા (સંખ્યા ૭૨) આપી છે. ૨. યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થ, પૃ. ૪૧ ૩. જિનરત્નકોશ, પૃ. ૪૪૫ ૪. એજન, પૃ. ૯૫ ૫. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૯૨ ૬-૭. જિનરત્નકોશ, પૃ. ૪૪૭-૪૪૮; જૈન આત્માનન્દ સભા, ભાવનગરથી પ્રકાશિત ૮. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રંથ, બીજો ખંડ, પૃ. ૩૦ Page #353 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય સુરસુન્દરનૃપકથા – રત્નશેખરસૂરિષ્કૃત શ્રાદ્ધવિધિની સ્વોપજ્ઞવૃત્તિમાં શ્રાવકના ગુણો દર્શાવવા માટે સુરસુન્દરનૃપ અને તેની પાંચ પત્નીઓની કથા આપી છે. તેના ઉપર સુરસુન્દરનૃપકથા (પ્રાકૃત) નામક અજ્ઞાતકર્તૃક રચનાનો ઉલ્લેખ મળે છે. નરસુન્દરનૃપકથા – હરિભદ્રકૃત ઉપદેશપદની ટીકામાં તીવ્ર ભક્તિના દૃષ્ટાન્ત તરીકે નરસુન્દરનૃપકથા કહેવામાં આવી છે. તેના ઉપર સ્વતન્ત્ર અજ્ઞાતકર્તૃક નરસુન્દરનૃપકથાનો ઉલ્લેખ મળે છે. તેના ઉપર બીજી રચના નરસંવાદસુન્દર મળે છે. તેના કર્તા રાજશેખરના શિષ્ય રત્નમંડનગણિને માનવામાં આવે છે. રત્નમંડન સંભવતઃ તે જ છે જેમની ભોજપ્રબંધ, ઉપદેશતરંગિણી, પૃથ્વીધરપ્રબંધ અને સુકૃતસાગર રચનાઓ મળે છે. મેઘકુમારકથા – માનવૃત્તિના દુષ્પરિણામો દર્શાવવા માટે ઉપદેશવૃત્તિમાં મેઘકુમારની કથા આવી છે. તેને જ સ્વતંત્ર રચનાના રૂપમાં પ્રસ્તુત કૃતિમાં' રજૂ કરવામાં આવી છે. આ રચનામાં કર્તાનું નામ અજ્ઞાત છે. સહસ્રમલ્લચૌરકથા જૈનધર્મની આરાધનાનું મહત્ત્વ બતાવવા માટે શુભવર્ધનગણિકૃત વર્ધમાનદેશના(પ્રાકૃત)માં ઉક્ત કથા આપવામાં આવી છે. તેના પર અજ્ઞાતકર્તૃક સહસ્રમલ્લચૌરકથા'નો ઉલ્લેખ મળે છે. સાગરચન્દ્રકથા – સમ્યજ્ઞાનનું માહાત્મ્ય પ્રગટ કરવા માટે વર્ધમાનદેશનામાં સાગરચન્દ્ર શેઠની કથા આપવામાં આવી છે. તેને આધારે રચાયેલી અજ્ઞાતકર્તૃક કૃતિ પ્રાકૃતમાં મળે છે. તેનો રચનાસમય જ્ઞાત નથી. સાગરશ્રેષ્ઠિકથા – દેવદ્રવ્યગ્રહણનાં અને લોભનાં કુફળને દર્શાવવા માટે સાગર શેઠની કથા ઉપદેશપ્રાસાદમાં આપી છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક એક સંસ્કૃત કથા મળે છે.૭ ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૬ ૨. એજન, પૃ. ૨૦૫ ૩. એજન, પૃ. ૨૦૫, ૪૦૬; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૯ ૪. એજન, પૃ. ૩૧૩ ૩૩૧ ૫. એજન, પૃ. ૪૨૯ ૬. એજન; ઉપદેશમાલા, ૧૮૧; ઉપદેશપ્રાસાદ ૧૩-૧૬૦માં પણ અન્ય પ્રસંગોમાં સાગરચન્દ્રકથા આપવામાં આવી છે. ૭. જિનરત્નકોશ, પૃ. ૪૨૯ Page #354 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય નન્દયતિકથા આ ૬૦૦ ગ્રન્થાગ્ર પરિમાણવાળી અજ્ઞાતકર્તૃક રચના છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે નન્દ રાજકુમાર સાધુ બની ગયો હોવા છતાં પોતાની સુંદરીનું જ ધ્યાન કર્યા કરે છે. નન્દનો ભાઈ પોતાનાં અનેક ચમત્કારપૂર્ણ કાર્યો દ્વારા નન્દને સુન્દરીથી વિરક્ત કરી દે છે. આ જ વિષયનું એક નન્દોપાખ્યાન પણ મળે છે.ર ૩૩૨ -- આ કથા હિરભદ્રસ્કૃત ઉપદેશપદની ટીકા(મુનિચન્દ્રકૃત)માં આવી છે. આ મહાકવિ અશ્વઘોષના સૌન્દરનન્દની કથાવસ્તુનું જ અનુકરણ લાગે છે. હંસરાજ-વત્સરાજકથા – પુણ્યના ફળરૂપે રૂપ, આયુ, ફુલ, બુદ્ધિ આદિ મળે છે. પુણ્યના જ ફળને દર્શાવવા માટે હંસરાજ-વત્સરાજ રાજાઓનું ચરિત વર્ણવવામાં આવ્યું છે. આ કથા ઉપર મલધારીગચ્છના ગુણસુન્દરસૂરિના શિષ્ય સર્વસુન્દરસૂરિએ એક કૃતિ સં.૧૫૧૦માં રચી છે. તેને કથાસંગ્રહ પણ કહે છે. બીજી કૃતિ વાચક રાજકીર્તિકૃત છે.૪ તેનો ગ્રન્થાગ્ર ૧૦૫૦ છે. એક અજ્ઞાતકર્તૃક રચનામાં ૨૪૬ શ્લોક છે. ગુજરાતીમાં જિનોદયસૂરિકૃત (સં.૧૬૮૦) હંસરાજવચ્છરાજ રાસ મળે છે. ધનદરિત – જૈન કથા અને ઈતિહાસમાં ધનદ નામની કેટલીય વ્યક્તિઓ થઈ ગઈ છે. ધન્યશાલિભદ્રના ધન્યકુમારને પણ ધનદ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં તેના ચરિત ઉપર ધનદરાસ લખાયા છે. હરિષેણના કથાકોશમાં પણ અસત્યપરિહારના માટે એક ધનદની કથા આપવામાં આવી છે. મધ્યકાળમાં શતકત્રયના કર્તા ધનદરાજ શ્રાવકને પણ ધનદ કહેવામાં આવે છે. ધનદચરિત્ર નામની ત્રણ કૃતિઓ આજ સુધી મળી છે. એક અજ્ઞાતકર્તૃક ધનદકથાનક ૪૦૦ શ્લોકપ્રમાણ છે. તે “નૈવ સુવિસ્તી” પદથી શરૂ થાય છે. બીજી કૃતિ સં. ૧૫૯૦માં હુમાયૂ બાદશાહના રાજ્યમાં કાષ્ઠાસંઘીય શ્રી ૧. જિનરત્નકોશ, પૃ. ૧૯૯ ૨. એજન, પૃ. ૨૦૧ ૩-૬.એજન, પૃ. ૪૫૮ ૭. એજન, પૃ. ૧૮૬ Page #355 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૩૩ ગુણભદ્રસૂરિદેવના શિષ્ય રચી છે.' ત્રીજી રચના ભાનુચન્દ્રગણિના શિષ્ય ભાવચન્દ્રની છે અને તે પ્રકાશિત છે. નિમિરાજકાવ્ય – આમાં નિમિરાજનું ચરિત્ર છે. આ કાવ્ય ૫000 શ્લોકપ્રમાણ છે. નવરસાત્મક હોવા છતાં તે શાન્તરસપ્રધાન છે. તેની રચના પ્રસિદ્ધ અધ્યાત્મી અને મહાત્મા ગાંધીના માન્ય ગુરુ કવિ રાયચન્ટે કરી છે. કવિનો દેહોત્સર્ગ માત્ર ૩૩ વર્ષની ઉંમરે સં. ૧૯૫૭માં રાજકોટમાં થયો હતો. તેમની અનેક રચનાઓ મળે છે. પરમહંસસંબોધચરિત – હરિભદ્રની કથા સાથે સંબંધ ધરાવતાં હંસ-પરમહંસનાં ચરિત્રોને લઈને ઉક્ત સંસ્કૃત રચના ખરતરગચ્છના ગુણશેખરગણિના શિષ્ય નયરંગે સં. ૧૬૨૪માં કરી હતી. તેમાં આઠ સર્ગ છે.' અન્ય લઘુ કથાગ્રન્થોમાં નીચે જણાવેલી કૃતિઓનો ઉલ્લેખ મળે છે. વિસ્તારભયથી બધાનો પરિચય દેવો શક્ય નથી : અભયસિંહકથા" (સંસ્કૃત, ગ્રન્થાઝ ૧૩૮), આર્યઆષાઢકથા, ઈન્દ્રજાલિકકથા (રત્નશેખર), ગંગદત્તકથાનક' (સં.૧૯૮૨), ગંડૂરાયકથા, ચંડપિંગલચોરકથા", કર્મસારકથા', કાકજંઘકોકાસકકથાર યા કોકાસકકથાનક, કુસુમસાર (૧૭00 ગાથાઓ, નેમચન્દ્ર, સં. ૧૦૯૯), કૃતકર્મરાજર્ષિ૪, ખર્પરચૌરકથા૫ (ગદ્ય), ગોધનકથા" (સંસ્કૃત), ચન્દ્રોદયકથા, ચામરહરિકથા, જિનદાસકથા", દઢપ્રહારિકથા©, દષ્ટાન્નરહસ્યકથા, દેવકુમાર-પ્રેતકુમારકથા' (પ્રોષધવ્રત પર), ધનપતિકથા (ગદ્ય, સં. ૧૪૮૯), ધન્ના કાકદીકથાઓ, ધર્મપાલકથા (સંસ્કૃત), ધર્મમિત્રકથા, ધર્મરાજકથા ૭ (સાતમા વ્રત ઉપર), ૧. ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૨૨૨ ૨. જિનરત્નકોશ, પૃ. ૧૮૬ ૩. એજન, પૃ. ૨૧૨; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૭૧૨ ૪. જિનરત્નકોશ, પૃ. ૨૩૬; મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૮ ૫. જિનરત્નકોશ, પૃ. ૧૩. ૬. એજન, પૃ. ૩૪ ૭. એજન, પૃ. ૩૯ ૮. એજન,પૃ.૧૦૧ ૯. એજન, પૃ. ૧૦૩ ૧૦.એજન, પૃ.૧૧૩ ૧૧.એજન, પૃ. ૭૩ ૧૨. એજન, પૃ. ૮૩ ૧૩.એજન, પૃ. ૨૪ ૧૪. એજન, પૃ.૯૫ ૧૫. એજન, પૃ. ૧૦૧ ૧૬ એજન, પૃ. ૧૧૦ ૧૭.એજન, પૃ.૧૨૧ ૧૮.એજન, પૃ.૧૨૨ ૧૯. એજન, પૃ. ૧૩૫ ૨૦-૨૨.એજન, પૃ. ૧૭૭ ૨૩-૨૪.એજન, પૃ.૧૮૭ ૨૫.એજન, પૃ.૧૯૦ ૨૬ એજન, પૃ. ૧૯૧ ૨૭.એજન, પૃ. ૧૯૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ . જેન કાવ્યસાહિત્ય ધબસુન્દરીકથા (પ્રાકૃત), ધૂર્તચરિત્રકથા, ધૃષ્ટકથા (પુણ્યફલ ઉપર), ધ્વજભુજંગમકથા", નર્દિષણકથા", નન્દદત્તકથા, નરદેવકથા, નરબ્રહ્મચરિત્ર૬, નાગકેતુકથા, નાગશ્રીકથા, નિધિદેવભોગદેવકથાનક' (પ્રાકૃત), પધલોચનકથા, પદ્માકરકથા, પુણ્યાક્યનૃપકથા", પુસડકથા", ફલધર્મકુટુમ્બકથા", ભદ્રનન્દ્રિકુમાર કથા, ભદ્રશ્રેષ્ઠિકથા, માલાકારકથા", યુવરાજર્ષિકથા”, રાજહંસકથા, લોકાપવાદકથા, વજસ્વામિકથા, વત્સરાજકથા (સર્વસુન્દરસૂરિ, અજિતપ્રભસૂરિ), વજસેનચરિત્ર", વસુભૂતિકથા", વસુભૂતિવસુમિત્રકથા, વસુરાજકથા, વસ્ત્રદાનકથા, વિજયકુમારચરિત્ર (પ્રાકૃત), વિદ્યાપતિશ્રેષ્ઠિકથા", વિદ્યાસાગરશ્રેષ્ઠિકથાર (ગુણાકરકવિ), વિદ્યુચ્ચરમુનિચરિત્ર, વિદ્ગમચરિત્ર ૪ (રામચન્દ્રસૂરિ), વિશ્વસેનકુમારકથા (પ્રાકૃત), વીરાંગદકથા (હરિભદ્ર), વૈશ્રવણકથા, શામદેવવામદેવકથા*, શાલક્ષમીયકથા, શિવકુમારકથા, સાહસમલ્લકથા, સાવઘાચાર્યકથાર, સુગુણકુમારકથા, સુનક્ષત્રચરિત્ર", સુમનગોપાલચરિત્ર', સુવર્ણભદ્રાચાર્યચરિત્ર' (પદ્મનાભકવિ), સોમમુનિકથા, હંસપાલકથા, હરિશ્ચન્દ્રનૃપતિકથાનક૯, હુંડિકચોરકથા©, સંવિભાગવ્રતકથા' આદિ. સ્ત્રીપાત્રપ્રધાન રચનાઓ તરંગવઈકહા (તરંગવતીકથા) – આ પ્રાકૃત કથાસાહિત્યની સૌથી પ્રાચીન ૧. જિનરત્નકોશ, પૃ. ૧૯૭ ૨.એજન, પૃ. ૧૯૮ ૩-૬ એજન, પૃ.૯૯ ૭-૮ એજન, પૃ. ૨૦૪ ૯. એજન, પૃ. ૨૦૯ ૧૦. એજન,પૃ.૨૧૦ ૧૧.એજન, પૃ. ૨૧૨ ૧૨-૧૩.એજન, પૃ. ૨૩૪ ૧૪-૧૫.એજન,પૃ. ૨પર ૧૬ એજન, પૃ. ૨૮૦ ૧૭-૧૮ એજન, પૃ. ૨૯૧ ૧૯ એજન,પૃ.૩૦૯ ૨૦. એજન, પૃ. ૩૧૮ ૨૧.એજન, પૃ.૩૩૧ ૨૨-૨૩.એજન,પૃ.૩૪) ૨૪.એજન ૨૫. એજન, પૃ. ૩૪૨ ૨૬-૨૮,એજન,પૃ.૩૪૫ ૨૯ એજન, પૃ.૩૪૬, ૩૦.એજન,પૃ. ૩૫૩ ૩૧.એજન, પૃ. ૩૫૫ ૩૨-૩૪ એજન,પૃ.૩પ૬ ૩પ.એજન, પૃ.૩૬૧ ૩૬ એજન,પૃ.૩૬૩ ૩૭.એજન,પૃ.૩૬૬ ૩૮.એજન,પૃ.૩૮૧ ૩૯.એજન,પૃ.૩૮૨ ૪૦.એજન,પૃ.૩૮૩ ૪૧-૪૨.એજન,પૃ.૪૩૫ ૪૩.એજન,પૃ.૪૪૪ ૪૪.એજન, પૃ.૪૪પ ૪૫.એજન,પૃ.૪૪૬ ૪૬ એજન,પૃ.૪૪૭ ૪૭.એજન,પૃ.૪પર ૪૮.એજન,પૃ.૪૫૯ ૪૯ એજન,પૃ.૪૬૦ ૫૦.એજન,પૃ.૪૬૨ પ૧.એજન,પૃ.૪૦૫ Page #357 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૩૫ કથા છે. તેનો ઉલ્લેખ અનુયોગદ્વારસૂત્ર (૧૩૦), દશવૈકાલિકચૂર્ણિ (૩, પૃ. ૧૦૯) તથા વિશેષાવશ્યકભાષ્ય (ગાથા ૧૫૦૮)માં મળે છે. નિશીથચૂર્ણિમાં મલયવતી અને મગધસેના સમાન તરંગવતીને લોકોત્તર ધર્મકથા કહી છે.' ઉદ્યોતનસૂરિએ ચક્રવાલ યુગલથી યુક્ત રાજહંસોને આનંદિત કરનારી તરંગવતીની પ્રશંસા કરી છે. તેને ત્યાં સંકીર્ણકથા કહી છે. તેવી જ રીતે ધનપાલ કવિએ તિલકમંજરીમાં, લક્ષ્મણગણિએ સુપાસનાચરિયમાં તથા પ્રભાચન્દ્રસૂરિએ પ્રભાવકચરિતમાં તરંગવતીનું ઉદાત્ત શબ્દોમાં સ્મરણ કર્યું છે.' તરંગવતી તો તેના મૂળ રૂપમાં આપણને ઉપલબ્ધ નથી પરંતુ તેનું સંક્ષિપ્ત રૂપ ૧૬૪૨ પ્રાકૃત ગાથાઓમાં “તરંગલોલા’ નામે મળે છે. કર્તા અને રચનાકાળ – તરંગવતીકથાના કર્તા એક પ્રાચીન આચાર્ય પાદલિપ્તસૂરિ છે. કુવલયમાલાની પ્રસ્તાવનાગાથાઓમાં તેમને રાજા સાતવાહનની ગોષ્ઠીની શોભા કહ્યા છે. તેમનો વિશેષ પરિચય પ્રભાવકચરિતમાં આપવામાં આવ્યો છે. પ્રોફેસર લૉયમાને કૃતિનો રચનાકાળ ઈ.સની. બીજી-ત્રીજી સદી સ્વીકાર્યો છે. તરંગલોલા – આને સંક્ષિપ્ત તરંગવતી પણ કહે છે. તેમાં કથાવસ્તુને ચાર ખંડોમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ એક અદ્ભુત શૃંગારકથા છે પણ તેનો અંત ધર્મોપદેશમાં થાય છે. કથા ટૂંકમાં આ પ્રમાણે છે : ચંદનબાલાના નેતૃત્વમાં સાધ્વીસંઘમાં સુવ્રતા આર્યા હતી. તેને પોતાના રૂપ-સૌન્દર્યનો ગર્વ હતો. તે એક ૧. એજન, પૃ. ૧૫૮ ૨. તરંગલોલાની ભૂમિકામાં ઉદ્ધત, પૃ.૭ ૩. કુવલયમાલા, પૃ.૩, ગાથા ૨૦; તિલકમંજરી, શ્લોક ૨૩; સુપાસનાચરિય, પુવ્વભવ, ગાથા ૯; પ્રભાવકચરિત, પૃ. ૨૯ ૪. જિનરત્નકોશ, પૃ. ૧૫૮; નેમિવિજ્ઞાન ગ્રન્થમાલા, સં. ૨૦૦૦; જર્મન વિદ્વાન અર્નેસ્ટ લૉયમાને આનું જર્મન ભાષાન્તર પ્રકાશિત કર્યું છે. આ ભાષાન્તરનો ગુજરાતી અનુવાદ નરસિંહભાઈ પટેલે જૈન સાહિત્ય સંશોધક (દ્વિતીય ખંડ, પૂના, ૧૯૨૪)માં પ્રકાશિત કર્યો છે; પૃથક પુસ્તકના રૂપે આ અનુવાદ બબલચન્દ્ર કેશવલાલ મોદી, અમદાવાદથી સન્ ૧૯૨૪માં પ્રકાશિત; વિન્ટરનિસ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૨ ૨. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રાવિકાને પોતાની જીવનકથા કહે છે – તે એક ધની વિણની સુન્દર પુત્રી હતી. એક દિવસ તે ઉપવનમાં ક્રીડા કરવા ગઈ તો તેણે હંસયુગલ જોયું. તેથી તે બેભાન થઈ પડી ગઈ કારણ કે તેને જાતિસ્મરણથી જાણવા મળ્યું કે તે પોતે પૂર્વભવમાં આ જ રીતે હંસયુગલ હતી. અને તેના પતિને એક શિકારીએ મારી નાખ્યો હતો. ત્યારે તેના પ્રેમને કારણે તે પણ તેની સાથે બળી મરી હતી. જૈન કાવ્યસાહિત્ય હવે તે પોતાના પૂર્વભવના પતિને શોધવા લાગી. તેણે એક સુંદર ચિત્રપટ બનાવ્યો. તેમાં હંસયુગલનું જીવનવૃત્તાંત ચિત્રિત હતું. તેની મદદથી તેણે અનેક વિયોગો, વિરહો પછી પોતાના પૂર્વભવના પતિને શોધી કાઢ્યો. તે બન્ને પોતાના માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ નાવમાં બેસી ભાગી નીકળ્યા અને ગન્ધર્વ વિધિથી લગ્ન કરી લીધા. પરદેશમાં ભટકતાં હતાં ત્યારે ચોરોએ તેમને પકડ્યા અને કાલી દેવીને બલિ ચડાવવા માટે લઈ ગયા પરંતુ ગમે તેમ કરી તે બચી ગયા. માતાપિતાએ તેમને શોધી તેમનું લગ્ન વિધિવત્ કરાવી દીધું. એક વાર બન્ને પતિપત્ની વસંત ઋતુમાં વનવિહાર કરતા હતા. ત્યાં તેમને એક મુનિનો ઉપદેશ સાંભળવા મળ્યો. આ મુનિ તેમના પૂર્વભવમાં નરહંસને મારનાર શિકારી હતા. ઉપદેશ સાંભળી તે બન્ને એટલા તો પ્રભાવિત થયા કે તેમને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો અને બન્નેએ સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી. તે જ તરંગવતી હું સુવ્રતા આર્યા છું. આ આત્મકથા ઉત્તમપુરુષમાં કહેવામાં આવી છે. કર્તા અને રચનાકાલ આ તરંગલોલાના કર્તા વીરભદ્ર આચાર્યના શિષ્ય નેમિચન્દ્રગણિ છે. તેમણે મૂળ તરંગવતીકથાના સર્જન પછી લગભગ ૧૦૦૦ વર્ષે યશ નામના પોતાના શિષ્યના સ્વાધ્યાય માટે તરંગલોલાની રચના કરી. નેમિચન્દ્ર અનુસાર પાદલિપ્તે તરંગવતીની રચના દેશી ભાષામાં કરી હતી, તે અદ્ભુત રસસમ્પન્ન અને વિસ્તૃત હતી અને કેવળ વિદ્વદ્ભોગ્ય હતી. કર્તાના વિશે અન્ય ૧. નેમિચન્દ્રગણિએ પાદલિપ્તની તરંગવઈના વિશે નીચેની ગાથાઓ લખી છે : पालित्तएण रइया वित्थरओ तह य देसिवयणेहिं । नामेण तरंगवई कहा विचित्ता य विउला य ॥ नय सा कोई सुणेइ नो पुण पुच्छइ नेव य कहेइ । विसाण नवर जोगा इयरजणो तीए कि कुणउ ॥ Page #359 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૩૭ માહિતી જ્ઞાત નથી. કુવલયમાલા – આ કથા સ્ત્રીપ્રધાન ન હોવા છતાં તેને આકર્ષક બનાવવા માટે આ નામ આપવામાં આવ્યું છે. ૧૩૦૦૦ શ્લોકપ્રમાણ આ બૃહત્ કૃતિ મહારાષ્ટ્ર પ્રાકૃતમાં ગદ્યપદ્યમિશ્રિત ચમ્પ શૈલીમાં લિખિત પ્રસાદપૂર્ણ રચના છે. તેમાં મહારાષ્ટ્રની સાથે ક્યાંક ક્યાંક કુતૂહલવશ તો ક્યાંક વચનવશીભૂત બનીને સંસ્કૃત, અપભ્રંશ, દ્રાવિડી અને પૈશાચી તથા દેશી ભાષાનો પ્રયોગ કર્યો છે. આ વાત કર્તાએ પોતે નીચેના શબ્દોમાં કહી છે : पाइय भासा रइया मरहट्टय देसिवण्णय णिबद्धा । सुद्धा सयल-कहच्चिय तावस-जिण-सत्थ वाहिल्ला ॥ कोऊहलेण कत्थइ पर-वयण-वसेण सक्य णिबद्धा । किंचि अपब्भंसकया दाविय पेसाय आसिल्ला ॥ કર્તાએ તેને સર્ગો, પ્રકરણો અથવા અધ્યાયોમાં વિભક્ત નથી કરી અને કંડિકાઓને ક્રમાંક આપ્યા નથી. તેની આજ સુધી કેવળ બે જ હસ્તપ્રત મળી છે – એક તાડપત્રની અને બીજી કાગળની. તેથી જણાય છે કે તેનો પ્રચાર બહુ જ ઓછો રહ્યો હશે. તેનું એક કારણ તેની પાંડિત્યભરી ભાષા અને શૈલી પણ છે. તેમાં ક્યાંક રૂપકોની બહુલતા છે, તો ક્યાંક દીર્ઘ લલિતપદોની; ક્યાંક ઉલ્લાપક કથા છે તો ક્યાંક કુલક; ક્યાંક ગાથાઓ અને દ્વીપદી ગીતક, તો ક્યાંક દ્વિવલય, ત્રિવલય અને ચતુર્વલય; ક્યાંક દંડક રચના, તો ક્યાંક નારાચ રચના; ક્યાંક વૃત્ત, તો ક્યાંક તરંગ રચના, અને ક્યાંક માલાવચન, વિન્યાસ વગેરે દેખાય છે. કથામાંથી એકરસતા યા નીરસતાને દૂર કરવા માટે કુલવયમાલાના કર્તાએ નગરવર્ણન,યુદ્ધવર્ણન, પ્રકૃતિચિત્રણ, વિવાહવર્ણન આદિ પ્રચુરપણે આપ્યાં છે ૧. ડૉ. આ. કે. ઉપાધ્ય દ્વારા સંપાદિત અને બે ભાગોમાં પ્રકાશિત, સિંધી જૈન ગ્રન્થમાલા (ક્રમાંક ૪૫-૪૬), ભારતીય વિદ્યાભવન, મુંબઈ, ૧૯૫૯ અને ૧૯૭૦. બીજા ભાગમાં વિસ્તૃત અંગ્રેજી પ્રસ્તાવના છે તથા રત્નપ્રભસૂરિવિરચિત સંસ્કૃત કુવલયમાલાકથા પણ આપવામાં આવી છે. ૨. પૃ.૭ ૩. પૃ.૧૦ ૪. પૃ.૧૬ ૫. પૃ.૧૭૦, ૧૭૧ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જેન કાવ્યસાહિત્ય અને યથાશક્તિ મહાકાવ્યલક્ષણથી કાવ્યને વિભૂષિત કર્યું છે. તેમાં વસુદેવહિડી અને સમરાઈઐકહાની જેમ, કેળના થડના દળોની જેમ, એક કથામાંથી બીજી, બીજીમાંથી ત્રીજી એમ નીકળતી જ ગઈ છે અને વટવૃક્ષની જેમ એક શાખામાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ શાખાઓ ફૂટતી જ ગઈ છે, અને આ સિલસિલો ત્યાં સુધી સમાપ્ત નથી થતો જ્યાં સુધી મુખ્ય કથા સમાપ્ત નથી થતી. રૂપરેખા – તેમાં કથાકારે દર્શાવ્યું છે કે આ દુખપૂર્ણ સંસારમાં ભ્રમણનું કારણ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ છે, અને તેમના પ્રભાવોનું દિગ્દર્શન પાંચ રૂપકો દ્વારા કથાત્મક રીતે કરવા માટે ચંડસોમ, માનભટ્ટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્તના પાંચ ભવોની રોચક કથા ગૂંથવામાં આવી છે. આ પાંચ ભવોમાં ત્રણ મનુષ્યભવ છે અને અત્તરાલના બે દેવભવ છે. પ્રથમ માનવભવમાં ચંડસોમ આદિ દીક્ષા લઈ સમાધિમરણ પામી દેવગતિમાં જાય છે અને પરસ્પર વચનબદ્ધ થાય છે કે જ્યાં પણ તેમનો આગળ પુનર્જન્મ થાય, એકબીજાને પ્રતિબદ્ધ કરશે. તે બધા અત્તરાલ દેવગતિમાંથી આવી બીજા માનવભવમાં ક્રમશઃ સિંહ (પશુ), કુવલયચન્દ્ર, કુવલયમાલા, સાગરદત્ત અને પૃથ્વીસાર નામના માનવો થયા. આ જન્મમાં તેમણે એકબીજાને પ્રતિબુદ્ધ કરવાનું કામ કર્યું, તેના પરિણામે અત્તરાલ દેવભવમાં ગયા, ત્યાંથી ભગવાન મહાવીરના સમયમાં ત્રીજા માનવભવમાં તેમણે ક્રમશઃ મણિરથકુમાર, સ્વયભૂદેવ, મહારથકુમાર, વજગુપ્ત અને કામગજેન્દ્રના રૂપે જન્મ ધર્યો. પછી ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી અને અન્તકૃત કેવલી બની બધા મુક્ત થયા. લેખકે આ કથાનું નામ દ્વિતીય માનવભવના એક પાત્ર કુવલયમાલાના નામ ઉપર રાખી કથા પ્રત્યે વાચકોમાં કુતુહલ પેદા કરવાનું પ્રયોજન રાખ્યું છે. - કથાવસ્તુ – અયોધ્યા નગરીના રાજા દઢવર્માને પ્રિયંગુશ્યામા નામની રાણી હતી. દેવીની કૃપાથી તેમને એક પુત્ર થયો. તેનું નામ કુવલયચન્દ્ર રાખવામાં આવ્યું. મોટા થઈને તેણે બધી ક્રિયાઓ અને કલાઓમાં પારંગતતા પ્રાપ્ત કરી. કુમાર રાજા સાથે અશ્વક્રીડા માટે જઈ રહ્યો હતો ત્યારે તેનું અશ્વસહિત અપહરણ થઈ ગયું. આકાશમાર્ગે લઈ જવાતા કુમારને બચવાનો કોઈ ઉપાય ન જણાવાથી તેણે પોતે અશ્વના પેટમાં છરો માર્યો અને પરિણામે તે અશ્વ સાથે ભૂમિ ઉપર નીચે આવી પડ્યો. તે વખતે તેને કોઈ અવાજ એમ કહેતો સંભળાયો કે “કુમાર કુવલયચન્દ્ર, દક્ષિણ દિશામાં એક ગાઉ જેટલે દૂર જાવ, ત્યાં તમને કોઈ અપૂર્વ વસ્તુ જોવા મળશે.' કુમાર ત્યાં ગયો તો અટવીમાં તેણે સાગરદત્ત મુનિને જોયા. Page #361 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય તે મુનિ એક સિંહને સંલેખના કરાવી રહ્યા હતા. કુમારે મુનિને અશ્વસહિત પોતાના અપહરણનું કારણ પૂછ્યું. મુનિરાજે કહ્યું – એક વખત કૌશામ્બીનો રાજા પુરન્દરદત્ત પોતાના મંત્રી વાસવ સાથે ઉદ્યાનમાં ગયો. ત્યાં આચાર્ય ધર્મનન્દન ચારગતિસ્વરૂપ સંસાર વિશે પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. રાજાએ ત્યાં બેઠેલા અનેક દીક્ષિતો સંબંધમાં અર્થાત્ ચંડસોમ, માનભટ્ટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્ત સંબંધમાં આચાર્યને પ્રશ્નો પૂછ્યા અને ઉત્તરમાં આચાર્યે તે પાત્રોનાં વૃત્તાન્ત કહ્યાં. તેમણે કહ્યું કે આ બધા પૂર્વજન્મોમાં ક્રોધ, માન, માયા, લોભ અને મોહથી વશીભૂત થઈ સંસારમાં ભમતા રહ્યા અને પછી દીક્ષા લઈ સંયમનું પાલન કરતા રહ્યા. પછી ધર્મનન્દન આચાર્ય ત્યાંથી અન્ય સ્થાને વિહાર કરી જાય છે. ચંડસોમ આદિ દીક્ષિત મરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. તેમણે ત્યાં એકબીજાને પ્રબુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી હતી અને એક વખત ધર્મનાથ તીર્થંકરના સમવસરણમાં પહોંચી આ પાંચ દેવોએ પોતાના ભવિષ્યના વિશે પ્રશ્નો પૂછ્યા હતા. કેટલોક સમય પસાર થયા પછી લોભદેવનો જીવ દેવલોકથી ચ્યુત થઈ મનુષ્યલોકમાં સાગરદત્ત વેપા૨ી તરીકે જન્મ લે છે, અને પછી તે જ સાગરદત્ત મુનિ બની જાય છે, એ મુનિ તમારી સમક્ષ છે. પૂર્વભવનો માનભટ્ટનો જીવ તમે (પ્રશ્ન પૂછનાર) કુવલયચન્દ્ર છો અને માયાદત્તનો જીવ દક્ષિણદેશના રાજાની કુંવરી ‘કુવલયમાલા’ રૂપે જન્મ્યો છે અને ચંડસોમનો જીવ આ સિંહ છે જેને હું પ્રતિબોધ દઈ રહ્યો છું, તથા તમારા અને કુવલયમાલાથી પૃથ્વીસાર નામનો કુમાર થશે. १ સાગરદત્ત મુનિની સૂચના અનુસાર કુવલયમાલાને પ્રતિબોધ કરવાને માટે કુવલયચન્દ્ર દક્ષિણ દેશ તરફ તત્કાલ રવાના થયો. ત્યાં વિજયાનગરીના રાજા વિજયસેન અને તેની રાણી ભાનુમતીથી કુવલયમાલા જન્મી હતી. આ કન્યા બધા ૩૩૯ ૧. કુવલયમાલા, પૃ. ૧૧૧, કંડિકા ૧૯૬. માર્ગમાં શાન્ત બેઠેલા સિંહને જોઈ કુવલયચન્દ્રને પૂર્વજન્મનો સંબંધ યાદ આવી જાય છે અને તે સિંહની એવી સ્થિતિ જોઈ તે ભગવાન જિનેન્દ્રનાં વચનો યાદ કરે છે : ‘જો મેં રિયાળફ સો શિતાનું પડિવારૂ ! યો શિતાળું ડિવરફ सो ममं परियाणइ આ વાક્ય આપણને પાલિ મહાવગ્ગ (પૃ.૩૧૭)માં આવેલા બુદ્ધવચનની યાદ કરાવે છે જ્યાં કહ્યું છે કે ‘યો મિલને મં ઝપટ્ટુન્નુષ્ય સો શિતાનં ૩પ૬દ્દેથ્ય । ’ આ સામ્ય અદ્ભુત છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જેન કાવ્યસાહિત્ય પુરુષોનો દ્વેષ કરતી હતી. કોઈ પુરુષનું મુખ પણ જોવા ઈચ્છતી ન હતી. તેના વિશે એક મુનિરાજે કહ્યું હતું કે અયોધ્યાના રાજાનો પુત્ર કુવલયચન્દ્ર સમસ્યાપૂર્તિ દ્વારા તેને વશ કરી તેની સાથે લગ્ન કરશે. માર્ગમાં યક્ષ જિનેશ્વર, વનસુન્દરી એણિકા, રાજપુત્ર દર્પફલિહ આદિનાં વૃત્તાન્તો તે જાણી લે છે, પછી વિજયાનગરીમાં જઈને કુવલયમાલાની પાદપૂર્તિ કરી તેની સાથે લગ્ન કરી લે છે અને તેને લઈને સ્વદેશ પાછો ફરે છે. કુવલયચન્દ્ર પાછો આવતાં તેના પિતા રાજા દઢવર્મા દીક્ષા ગ્રહણ કરે છે. કુવલયમાલાને થોડા સમય પછી એક પુત્ર જન્મે છે. તેનું નામ પૃથ્વીસાર રાખવામાં આવે છે. સમય પાકતાં કુવલયચન્દ્ર અને કુવલયમાલા બન્ને પૃથ્વીસારને રાજ્યભાર સોંપી દીક્ષા ગ્રહણ કરી લે છે. બહુ કાળ સુધી રાજ્યસુખ ભોગવી પૃથ્વી સાર પણ દીક્ષા લે છે. આ બાજુ સાગરદત્ત મુનિ અને સિંહપણ મરણ પામી દેવ તરીકે જન્મે છે. દેવાયુ પૂર્ણ થતાં ત્યાંથી શ્રુત થઈને કુવલયચન્દ્રનો જીવ ભગવાન મહાવીરના સમયમાં કાકર્દીનગરીમાં કંચનરથ રાજાના શિકારવ્યસની પુત્ર મણિરથકુમાર તરીકે જન્મ્યો. કંચનરથ રાજાની વિનંતીથી ભગવાન મહાવીર આ પુત્રના એક ભવની કથા કહે છે, તે સાંભળી વૈરાગ્ય પામી મણિરથકુમાર તેમની પાસે દીક્ષિત થઈ જાય છે. આ બાજુ મોહદત્તનો જીવ દેવલોકથી યુત થઈ રણગજેન્દ્રના પુત્ર કામગજેન્દ્ર તરીકે જન્મ લે છે. તે પોતે ભોગવેલા અનુભવોની સત્યતા ભગવાન મહાવીરના મુખે સાંભળી દીક્ષા ગ્રહણ કરે છે. લોભદેવનો જીવ દેવલોકથી યુત થઈ ત્રઋષભપુરનગરના રાજા ચન્દ્રગુપ્તના પુત્ર વજગુપ્ત તરીકે જન્મે છે. પ્રાભાતિકના શબ્દોથી પ્રતિબોધ પામી તે પણ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરે છે. ચંડસોમનો જીવ પણ દેવલોકમાંથી ચ્યવી બ્રાહ્મણ યજ્ઞદેવના પુત્ર સ્વયભૂદેવ તરીકે જન્મ લે છે અને ગરુડના વૃત્તાન્તથી પ્રતિબોધ પામી ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે. માયાદિત્યનો જીવ દેવલોકથી શ્રુત થઈ રાજગૃહ નગરીમાં રાજા શ્રેણિકનો પુત્ર મહારથ થાય છે અને પોતાને આવેલા સ્વપ્રનું સ્પષ્ટીકરણ ભગવાન મહાવીરના મુખે સાંભળી વૈરાગ્ય પામે છે અને દીક્ષા ગ્રહણ કરી લે છે. આયુનો અંત આવતાં તે પાંચે અંતિમ સંલેખના સ્વીકારી અન્નકૃત કેવલી થાય છે અને છેવટે સિદ્ધલોકને પામે છે. ઉપર જણાવેલાં પાંચ પાત્રોમાંથી કુવલયચન્દ્ર અને કુવલયમાલા એ બે જ પાત્રોને મુખ્ય દર્શાવ્યાં છે. તેમને જ કથાના નાયક-નાયિકા બનાવી બાકીનાં પાત્રોની કથાઓ તેમની કથા સાથે બાંધી આખી કથાને અત્યન્ત રોચક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય આ કથાગ્રન્થ ઘટનાવૈચિત્ર્ય અને ઉપાખ્યાનોની પ્રચુરતામાં વસુદેવહિંડી જેવો છે. પોતાની પ્રૌઢ શૈલી અને અલંકારસમૃદ્ધિમાં સુબન્ધુની વાસવદત્તા અને બાણભટ્ટની કાદમ્બરીની તુલનામાં બરાબર ઊભો રહી શકે તેવો છે. આ કથાકૃતિ ઉપર હિરભદ્રની સમરાઈચ્ચકા અને ત્રિવિક્રમના નલચમ્પૂનો પ્રભાવ જણાય છે. આ કથાગ્રન્થમાં બહુવિધ સાંસ્કૃતિક સામગ્રી વીખરાયેલી પડી છે. મઠોમાં રહેનાર વિદ્યાર્થીઓ અને વાણિજ્યવ્યાપાર માટે દૂર દૂર ભ્રમણ કરનાર વણિકોની બોલીઓનો આમાં સંગ્રહ છે. આમાં સમુદ્રયાત્રાનું વર્ણન છે, મઠોમાં આપવામાં આવતા શિક્ષણનું તેમજ શાસ્ત્રોનું વર્ણન છે, ૧૮ દેશી બોલીઓનો દેશોનાં નામ સાથે ઉલ્લેખ છે. ઉત્સવ, વિવાહ, પ્રહેલિકાઓ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૩૪૧ ગ્રન્થના આદિમાં કર્તાએ પોતાના પૂર્વવર્તી અનેક કવિઓ અને આચાર્યોનો તેમની કૃતિઓ સાથે ઉલ્લેખ કર્યો છે. - ગ્રન્થકાર અને રચનાકાળ – આ કૃતિના કર્તાનું નામ દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિ છે. કથાના અંતે કર્તાએ એક ૨૭ પદ્યોની પ્રશસ્તિ આપી છે. તેમાં ગુરુપરંપરા, રચનાસમય અને સ્થાનનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તદનુસાર ઉત્તરાપથમાં ચન્દ્રભાગા નદીના કિનારે પવ્વઈયા નામની નગરીમાં તોરમાણ કે તો૨૨ાય નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના ગુરુ ગુપ્તવંશીય આચાર્ય હરિગુપ્તના શિષ્ય મહાકવિ દેવગુપ્ત હતા. તેમના શિષ્ય શિવચન્દ્રગણિ મહત્તર ભિલ્લમાલના નિવાસી હતા, તેમના શિષ્ય યક્ષદત્ત હતા. તેમના ણાગ, બિંદ (વૃન્દ), મમ્મડ, દુર્ગા, અગ્નિશર્મા, બડેસર (વટેશ્વર) વગેરે અનેક શિષ્યો હતા, તેમણે દેવમન્દિરનું નિર્માણ કરાવી ગૂર્જર દેશને રમણીય બનાવ્યો હતો. આ શિષ્યોમાં એકનું નામ તત્ત્વાચાર્ય હતું. આ તત્ત્વાચાર્ય જ કુવલયમાલાના સર્જક ઉદ્યોતનસૂરિના ગુરુ હતા. ઉદ્યોતનસૂરિને વીરભદ્રસૂરિએ સિદ્ધાન્તનું અને હરિભદ્રસૂરિએ યુક્તિશાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. ૧. કંડિકા ૪૩૦ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન કાવ્યસાહિત્ય આ કૃતિની રચના તેમણે જાબાલિપુર(જાલોર)ના ભગવાન ઋષભદેવના મંદિરમાં રહીને ચૈત્ર કૃષ્ણા ચતુર્દશીના અપરાહ્નમાં, જ્યારે શક સંવત ૭૦૦ના સમાપ્ત થવામાં એક જ દિવસ બાકી હતો ત્યારે, પૂરી કરી હતી. તે વખતે ત્યાં નરહસ્તિ શ્રીવત્સરાજ રાજય કરતા હતા. તે સમયે વિ.સં.૮૩૫ આવે છે અને ઈ.સ. ૭૭૯ની માર્ચ ૨૧ના દિને સમાપ્ત થયો સમજવો જોઈએ.' કુવલયમાલાકથા – પરમાર નરેશો મુંજ, ભોજ વગેરે તથા ચૌલુક્ય રાજાઓ સિદ્ધરાજ, કુમારપાળ વગેરેના સમયમાં અપભ્રંશ અને પ્રાકૃત રચનાઓને સંસ્કૃતના રૂપમાં મૂકવાના કે વિશાળ સંસ્કૃત કૃતિઓને સારરૂપમાં મૂકવાના પ્રયત્નો થયા છે. કુવલયમાલાકથા પણ તે પ્રયત્નોમાંનો એક છે. આને કુવલયમાલાકથાસંક્ષેપ १. तस्सुज्जोयणणामो तणओ अह विरइया तेण । तङ्गमलंघं जिणभवणमणहरं सावयाउलं विसमं ।। जावालिउरं अट्ठावयं व अह अस्थि पुहईए । तुंगं धवलं मणहारिरयणपसरंत - धयवडाडोयं । उसभ जिणिदाययणं करावियं वीरभद्देण ।। तत्थ ठिएणं अह चोद्दसीए चेत्तस्स कण्हपक्खम्मि । गिम्मविया बोहिकरी भव्वाणं होउ सव्वाणं । परभड-भिउडी-भंगो पणईयणरोहिणीकलाचन्दो। सिरिवच्छरायणामो रणहत्थी पत्थिवो जइया ॥ को किर वच्चइ तीरं जिणवयण-महोयहिस्स दुत्तारं । थोयमइणा वि बद्धा एसा हिरिदेविवयणेण ।। सगकाले वोलीणे वरिसाण सएहिं सत्तहिं गएहिं । एगदिणेणूणेहिं रइया अवरण्हवेलाए । ण कइत्तणाहिमाणो ण कव्वबुद्धीए विरइया एसा । धम्मकह त्ति णिबद्दा मा दोसे काहिह इमीए । ૨. અમિતગતિએ પોતાની પૂર્વવર્તી કૃતિ ધર્મપરીક્ષાનું (અપભ્રંશ) તથા પંચસંગ્રહ અને આરાધના (પ્રાકૃત)નું સંક્ષિપ્ત રૂપાન્તર સંસ્કૃતમાં આપ્યું છે, સમરાઈઐકહાનો સંક્ષેપ પ્રદ્યુમ્નસૂરિએ સમરાદિત્યસંક્ષેપ (સં.૧૩૨૫) કર્યો છે, તથા દેવચંદ્રના પ્રાકૃત શાન્તિનાથચરિત્રનું મુનિદેવે સંસ્કૃત (સં.૧૩૨૨) રૂપાન્તર કર્યું છે, અને દેવેન્દ્રસૂરિએ સિદ્ધર્ષિની ઉપમિતિભવપ્રપંચા-કથાનો સારોદ્ધાર (સં.૧૨૯૮) લખ્યો છે. ૩. સિંઘી જૈન ગ્રન્થમાળામાં પ્રકાશિત, સન્ ૧૯૭), Page #365 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય પણ કહેવામાં આવે છે. આ ઉદ્યોતનસૂરિની વિશાળ પ્રાકૃત રચના કુવલયમાલાનું શૈલીપૂર્ણ સંસ્કૃત સંક્ષિપ્ત રૂપાન્તર છે. કુવલયમાલાને ૧૩૦૦૦ કે ૧૦૦૦૦ ગ્રન્થાગ્ર દર્શાવાઈ છે તો આ સંક્ષેપને ૩૮૦૪, ૩૮૯૪ કે ૩૯૯૫ ગ્રન્થાગ્ર માનવામાં આવ્યો છે. કુવલયમાલામાં કોઈ વિભાગ નથી જ્યારે આ સંક્ષેપ ચાર પ્રસ્તાવોમાં વિભાજિત છે. બીજો અને ચોથો પ્રસ્તાવ પ્રાયઃ સમાન વિસ્તારના છે જ્યારે પ્રથમ પ્રસ્તાવનો વિસ્તાર તેમનાથી અડધા જેટલો છે અને ત્રીજાનો વિસ્તાર તેમનાથી બમણા વિસ્તારથી થોડો ઓછો છે. કુવલયમાલાનાં મૂલ અને સંસ્કૃત બન્ને રૂપોમાં ગદ્ય અને પદ્ય સ્પષ્ટતઃ મિલિત છે. આ પ્રાંજલ અને વિદ્વત્તાપૂર્ણ શૈલીમાં રચાયેલું એક સંસ્કૃત ચમ્પૂ જ છે. તેમાં પ્રાકૃત રચનાનાં નગર, પ્રાકૃતિક દૃશ્ય, ઉપમાઓ અને ઉત્પ્રેક્ષાઓ વગેરેનાં લાંબાં વિવરણોને ઓછાં કરી નાખ્યાં છે પરંતુ કથાની એક પણ વાત છોડી નથી. પદ્યોનું સુંદર સંસ્કૃત રૂપાન્તર મનોહર છે. આ સંસ્કૃત રચના ભાષાપ્રવાહ વગેરેની દૃષ્ટિએ પ્રસાદપૂર્ણ રચના છે. જો કે આમાં ગૌણ પાત્રોનાં નામો અને પદોમાં વસ્તુઓછું અંતર છે પરંતુ પ્રસ્તુત સંક્ષેપના કર્તાએ મૂલ કુવલયમાલામાં ભ્રમ પેદા કરે તેવાં જેટલાં સ્થાનો છે તેમને સ્પષ્ટ કર્યાં છે. શત્રુંજય તીર્થના વિશે કેટલાંક પઘો જોડ્યાં છે, વગેરે. કર્તા અને રચનાકાલ – આ સંક્ષેપના કર્તા પરમાનન્દસૂરિના શિષ્ય રત્નપ્રભાચાર્ય છે. આ સંક્ષેપનું સંશોધન તે સમયના પ્રસિદ્ધ સંશોધક પ્રદ્યુમ્નસૂરિએ કર્યું હતું. તેથી રત્નપ્રભ પ્રદ્યુમ્નસૂરિના સમકાલીન (૧૩મી સદીનો મધ્ય) છે. નિર્વાણલીલાવતીકથા આ કથા સ્ત્રીપાત્રપ્રધાન નથી છતાં પણ આકર્ષણ કરવા માટે આ નામ પસંદ કરવામાં આવ્યું છે. કુવલયમાલાની જેમ જ આમાં પણ સંસારપરિભ્રમણનાં કારણો દર્શાવતી કથાઓ આપવામાં આવી છે. કુવલયમાલામાં જેમ ક્રોધ, માન, માયા, લોભ અને મોહથી ઘેરાયેલી વ્યક્તિઓને કથાનાં પાત્રો બનાવવામાં આવી છે તેવી જ રીતે નિર્વાણલીલાવતીમાં પાંચ દોષયુગલોને અર્થાત્ (૧) હિંસા-ક્રોધ, (૨) મૃષા-માન, (૩) સ્તેય-માયા, (૪) મૈથુન-મોહ અને (૫) પરિગ્રહ-લોભને તથા સ્પર્શન વગેરે પાંચ ઈન્દ્રિયોની ગુલામીને સંસારનું કારણ બતાવીને તેમનું ફળ ભોગવનારી વ્યક્તિઓની કથાઓ ૧. કુવલયમાલા, અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૯૪ ૨. એજન, પૃ. ૯૬ ૩૪૩ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જેન કાવ્યસાહિત્ય કહેવામાં આવી છે. કુવલયમાલાની જેમ જ તેનું નામ પણ આ કથાઓના એક નાયિકાપાત્રના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે અને કથાઓને પૂર્વભવોનાં દૃષ્ટાન્તો દ્વારા સાંકળી લેવામાં આવી છે. આ કથાનક સંક્ષેપમાં નીચે મુજબ છે : રાજગૃહ નગરમાં સિંહ નામનો એક રાજપુત્ર હતો. તેનું લગ્ન એક સામન્તની પુત્રી લીલાવતી સાથે થયું. રાજા-રાણીના મૃત્યુ પછી સિંહે રાજ્યપદ પ્રાપ્ત કર્યું અને પોતાના મિત્ર જિનદાસના સંપર્કથી તે જૈનધર્મી બની ગયો. એક વખત જિનદત્તના ધર્મગુરુ સમરસેન રાજગૃહમાં આવે છે અને તે બધાં તેમનો ઉપદેશ સાંભળવા જાય છે. રાજા સિંહ મુનિના અનુપમ વ્યક્તિત્વથી પ્રભાવિત થયો અને તેણે તેમને પોતાનો પરિચય આપવા વિનંતી કરી. મુનિએ પોતાની અને પોતાના પૂર્વભવના સાથીઓની કથાઓ સંભળાવતાં કહ્યું કે કૌશામ્બીમાં વિજયસેન રાજા, જયસેન મંત્રી, શૂર પુરોહિત, પુરંદર કોષાધ્યક્ષ તથા સાર્થપતિ ધન પોતપોતાનાં કર્તવ્યોનું પાલન કરતા રહેતા હતા. તે નગરમાં સુધર્મ મુનિ આવ્યા એટલે વિજયસેન વગેરે પાંચે જણ તેમને સંસારના દુઃખોનું કારણ પૂછવા ગયા. મુનિ ઉક્ત પંચ દોષયુગલોને સંસારનું કારણ બતાવે છે અને તેમનું ફળ ભોગનાર ક્રમશઃ રાજપુત્ર રામદેવ, રાજપુત્ર સુલક્ષણ, વણિકપુત્ર વસુદેવ, રાજકુમાર વજસિંહ તથા રાજપુત્ર કનકરથની દૃષ્ટાન્તકથાઓ કહે છે. ત્યાર પછી સ્પર્શન આદિ પાંચ ઈન્દ્રિયોને વશ થવાથી મળતાં તેમનાં કુફળને સૂચવતી પાંચ કથાઓના પ્રસંગમાં શ્રોતા તરીકે ઉપસ્થિત વિજયસેન રાજા વગેરે પાંચ વ્યક્તિઓના પૂર્વભવની કથાઓ કહે છે, તે કથાઓ સાંભળી બધા વૈરાગ્ય પામે છે અને તપસ્યા કરી સ્વર્ગે જાય છે. ત્યાં તે બધાએ આગલાં જન્મો સુધારવા માટે એકબીજાને પ્રતિબોધ કરવાની પ્રતિજ્ઞા લીધી. સ્વર્ગથી યુત થઈ તે બધા જુદાં જુદાં સ્થળે મનુષ્ય તરીકે જન્મે છે. જયસેન મંત્રીનો જીવ સમરસેન નામનો રાજપુત્ર થયો પરંતુ તે કુસંસ્કારોને કારણે શિકારી બની ગયો. પૂર્વ પ્રતિજ્ઞા અનુસાર તેને પુરોહિત શૂરના જીવ એક દેવે હિંસા છોડી દેવા ઉપદેશ કર્યો, એટલે તે રાજપુત્ર દીક્ષા લઈ મુનિ થઈ ગયો. તપસ્યાના પ્રભાવથી મુનિ સમરસેન પોતાના પૂર્વભવના મિત્રોને જાણી લે છે અને તેમને ધર્મમાર્ગે ચડાવવા માટે તેમને પ્રતિબોધ દેવા ભ્રમણ કરે છે. | મુનિ બતાવે છે કે જયસેનનો જીવ સમરસેન હું જ છું અને વિજયસેન રાજાના જીવ રાજા સિંહને અને સાર્થવાહ ધનના જીવ લીલાવતીને, જે બન્ને મારી સામે ઉપસ્થિત છે તેમને, પ્રતિબદ્ધ કરવા હું આવ્યો છું. આ સાંભળી લીલાવતી અને સિહને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેમણે જેની દીક્ષા ગ્રહણ કરી, અને તપસ્યા કરી Page #367 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય મોક્ષે ગયા. ૧ આ કથાનકને લઈને પ્રાકૃત ભાષામાં નિવ્વાણલીલાવઈ નામની કથાકૃતિ સં. ૧૦૮૨ અને ૧૦૯૫ વચ્ચે આશાપલ્લીમાં જિનેશ્વરસૂરિએ રચી છે. આખી કૃતિ પ્રાકૃત પદ્યોમાં છે પરંતુ તે આજ સુધી અનુપલબ્ધ છે. તેનો ઉલ્લેખ અનેક ગ્રન્થોમાં આવે છે અને તેના પદલાલિત્ય વગેરે ગુણોની પ્રશંસા કરવામાં આવી છે. જિનેશ્વરસૂરિનો પરિચય તેમની અન્ય રચના કથાકોષપ્રકરણની સાથે આપવામાં આવ્યો છે. ઉક્ત પ્રાકૃત રચનાના કથાનકને આધાર બનાવીને સંસ્કૃતમાં નિર્વાણલીલાવતીકાવ્યની રચના એકવીસ ઉત્સાહોમાં કરવામાં આવી છે. તેની રચના ૫૩૫૦ શ્લોકપ્રમાણ છે. પ્રત્યેક ઉત્સાહના અંતે પુષ્પિકા છે. તેમાં કવિએ જિનેશ્વરસૂરિનું ઋણ સ્વીકાર્યું છે. આ જિનાંક મહાકાવ્ય છે અને તેને મહાકાવ્યોચિત લક્ષણોથી વિભૂષિત કરવાનો પ્રયત્ન સ્પષ્ટ જણાય છે. આ કાવ્યની શૈલીને અલંકારોથી સુશોભિત કરવામાં આવી છે. એમ તો કાવ્યમાં અધિકતઃ અનુભ્ છંદમાં જ કથા કહેવામાં આવી છે પરંતુ પાંચમા અને બારમા ઉત્સાહોમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. કાવ્યના અંતે કર્તાએ પ્રશસ્તિ આપી છે. તેનાથી તેના કર્તા જિનરત્નસૂરિની ગુરુપરંપરા ઉપર પ્રકાશ પડે છે. તે સુધર્માગચ્છના હતા. આ જ ગચ્છમાં પ્રાકૃત મહાકાવ્ય નિવ્વાણલીલાવઈના સર્જક જિનેશ્વરસૂરિ થયા હતા. તેમની શિષ્યપરંપરામાં ક્રમશ જિનચન્દ્રસૂરિ – નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ જિનવલ્લભસૂરિ જિનદત્તસૂરિ જિનચન્દ્રસૂરિ જિનપતિસૂરિ જિનેશ્વરસૂરિ થયા. આ જિનેશ્વરસૂરિના શિષ્ય જિનરત્નસૂરિ થયા. ખરતરગચ્છ બૃહદ્ ગુર્વાવલિમાં દર્શાવ્યું છે કે જિનરત્નસૂરિનું પૂર્વનામ વિજયવર્ધનગણિ હતું. જિનેશ્વરસૂરિએ તેમને વાગ્ભટમેરુ (બાડમેર)માં સં. ૧૨૮૩ના માઘ મહિનાની કૃષ્ણ ૬ના દિને દીક્ષા આપી હતી. સં. ૧૩૦૪ના વૈશાખ સુદી ૧૪ના દિને જિનેશ્વરસૂરિએ વિજયવર્ધનગણિને આચાર્યપદ ઉપર સ્થાપિત કર્યા અને તેમને જિનરત્નસૂરિ નામ આપ્યું. સં. ૧૩૨૬માં જિનેશ્વરસૂરિના નેતૃત્વમાં તથા સં.૧૩૩૯માં જિનપ્રબોધસૂરિના નાયકત્વમાં કાઢવામાં આવેલી સંઘયાત્રાઓમાં ૩૪૫ - ૧. જિનરત્નકોશ, પૃ. ૩૩૮ ૨. એજન, પૃ. ૩૩૮ ૩. નિર્વાણલીલાવતી, પ્રશસ્તિ, શ્લોક ૧૩-૧૬ Page #368 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય જિનરત્નસૂરિ સાથે હતા. જિનરત્નસૂરિએ સં, ૧૩૪૧માં લીલાવતીકથાસારની રચના કરી. આ રચના જાબાલિપત્તનમાં (જાલૌરમાં) થઈ હતી. આ રચનામાં પણ કવિએ પોતાના સહયોગી લક્ષ્મીતિલકણની સહાયતા લીધી છે. આ રચનામાં પ્રત્યેકબુદ્ધચરિતમાંથી પણ બહુ સામગ્રી લીધી છે. તેનું સંશોધન સૌમ્યમૂર્તિગણિ તથા જિનપ્રબોધયતિએ કર્યું છે. ઉક્ત રચનાઓ ઉપરાંત કવિ કુંજરકૃત લીલાવતીકાવ્ય અને એક અજ્ઞાતકર્તૃક લીલાવતીકથાનો ઉલ્લેખ થયો છે.૪ ૩૪૬ ઋષિદત્તાચરિત – આમાં ઋષિઅવસ્થામાં હરિષણ-પ્રીતિમતિથી જન્મેલી પુત્રી ઋષિદત્તા અને રાજકુમાર કનકરથનું કૌતુકતાપૂર્ણ ચરિત્ર વર્ણવાયું છે. કનકરથ એક અન્ય રાજકુમારી રુમિણી સાથે લગ્ન કરવા જતો હોય છે ત્યારે માર્ગમાં એક વનમાં ઋષિદત્તા સાથે લગ્ન કરી પાછો આવે છે. રુમિણી ઋષિદત્તાને એક યોગિનીની સહાયથી રાક્ષસીરૂપે કલંકિત કરે છે. તેને ફાંસીની સજા પણ થાય છે. પરંતુ ઋષિદત્તા પોતાના શીલના પ્રભાવથી બધી મુશ્કેલીઓ પાર કરે છે અને પોતાના પ્રિય સાથે સમાગમ કરે છે. આ આકર્ષક કથાનકને લઈને સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલાં કેટલાંય કથાકાવ્યો મળે છે. ૫ આ કથા ઉપર સૌથી પ્રાચીન રચના પ્રાકૃતમાં છે, તેનું પરિમાણ ૧૫૫૦ ગ્રન્થાગ્ર છે. તેની રચના નાઈલકુલના ગુણપાલ મુનિએ કરી છે. કર્તાની અન્ય રચના ‘જમ્બુચરિય’ પણ મળે છે. ઈસિદત્તાચરિય (ઋષિદત્તાચરિત્ર)ની પ્રાચીન પ્રતિ સં. ૧૨૬૪ યા ૧૨૮૮ની મળે છે. તે ઉપરથી નિશ્ચિત છે કે કૃતિ તે પહેલાંની રચના છે. ગુણપાલ મુનિનો સમય પણ ૯-૧૦મી સદીની વચ્ચેનો અનુમાનથી નિશ્ચિત કરવામાં આવ્યો છે. બીજી રચના ૧૧૯૪ સંસ્કૃત શ્લોકો ધરાવે છે. તેના ચાર સર્ગો છે. તેમાં ૧. ખરતરગચ્છબૃહદ્ગુર્વાવલિ, પૃ. ૪૯, ૫૨, ૫૬ ૨. પ્રત્યેકબુદ્ધચરિત, સર્ગ ૩, શ્લોક ૧૮૨-૧૯૬; લીલાવતીકથાસાર, ૧. ૭૨-૮૭ ૩. લીલાવતીકથાસાર, પ્રશસ્તિ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૩૮ ૫-૬.એજન, પૃ. ૫૯ Page #369 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ક્રમશઃ પહેલા સર્ગમાં ૨૫૮, બીજામાં ૨૭૮, ત્રીજામાં ૫૪૦ અને ચોથામાં ૧૧૮ શ્લોકો છે. કર્તાનું નામ નથી આપ્યું. અન્ય અજ્ઞાતકર્તૃક રચનાઓ વિભિન્ન પરિમાણની મળે છે, જેમકે ૨૮૨૭ ગ્રન્થાગ્ર, ૪૪૨ ગ્રન્થાગ્ર (સંસ્કૃત) અને ૪૫૧ સંસ્કૃત શ્લોકોમાં. આ ચરિત્ર ઉપ૨ અજ્ઞાતકર્તૃક એક ઋષિદત્તાપુરાણ અને ઋષિદત્તાસતીઆખ્યાનના ઉલ્લેખો મળે છે.૨ ભુવનસુન્દરીકથા મહાસતી ભુવનસુન્દરીની ચમત્કારપૂર્ણ કથાને લઈને પ્રાકૃતમાં એક વિશાલ રચના કરવામાં આવી છે. તેમાં ૮૯૧૧ ગાથા છે. આ ગાથાઓનું પરિમાણ બૃટ્ટિપ્પનિકામાં ૧૦૩૫૦ ગ્રન્થાગ્ર દર્શાવ્યું છે. આ રચના સં. ૯૭૫માં નાઈલકુલના સમુદ્રસૂરિના શિષ્ય વિજયસિંહે કરી છે. તેની પ્રાચીનતમ પ્રતિ સં. ૧૩૬૫ની મળી છે. સુરસુન્દરીચરિય પ્રાકૃત ભાષામાં નિબદ્ધ આ રાજકુમાર મકરકેતુ અને સુરસુન્દરીનું એક પ્રેમાખ્યાન છે. તેમાં ૧૬ પરિચ્છેદ છે. પ્રત્યેક પરિચ્છેદમાં ૨૫૦ ગાથાઓ છે અને કુલ મળીને ૪૦૦૧ ગાથાઓમાં કૃતિ સમાપ્ત થાય છે. કથાવસ્તુ – સુરસુન્દરી કુશાગ્રપુરના રાજા નરવાહનદત્તની પુત્રી હતી. તે અનેક વિદ્યાઓમાં નિષ્ણાત હતી. ચિત્ર જોવાથી તેને હસ્તિનાપુરના મકરકેતુ નામના રાજકુમાર ઉપર આસક્તિ થઈ ગઈ. તેની સખી પ્રિયંવદા મકરકેતુને શોધવા નીકળી પડે છે. તેને બુહિલા નામની એક પરિવાજિકાએ કપટથી નાસ્તિકતામાં વાળવા માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ સુરસુન્દરીએ તેને તર્કોથી પરાજિત કરી દીધી. તેનાથી રોષે ભરાઈ પરિવ્રાજિકાએ સુરસુન્દરીનું ચિત્રપટ ઉજ્જૈનના રાજા શત્રુંજયને દેખાડ્યું અને તે રાજાને સુરસુન્દરી સાથે લગ્ન કરવા ઉત્તેજિત કર્યો. શત્રુંજયે સુરસુન્દરીના પિતા પાસે સુરસુંદરીનો હાથ માંગ્યો. પરંતુ સુરસુન્દરીના પિતાએ તેની માંગણીનો અસ્વીકાર કર્યો. તેથી બન્ને રાજાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ દરમ્યાન વૈતાઢ્ય પર્વતના એક વિદ્યાધરે સુરસુન્દરીનું અપહરણ કર્યું અને તેને ૩૪૭ - ૧-૨.જિનરત્નકોશ, પૃ. ૫૯ ૩. એજન, પૃ. ૨૯૯; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૮૭ ૪. જિનરત્નકોશ, પૃ. ૬૭, ૪૪૭; મુનિ રાજવિજય દ્વારા સંપાદિત અને જૈન વિવિધ શાસ્ત્રમાલા દ્વારા પ્રકાશિત, બનારસ, સં. ૧૯૭૨; અભયદેવસૂરિ ગ્રન્થમાલા, બીકાનેરથી પણ પ્રકાશિત; તેનો ગુજરાતી અનુવાદ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગરથી ૧૯૧૫માં પ્રકાશિત. Page #370 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય રત્નદ્વીપ લઈ જઈ ત્યાં સંતાડી રાખી. ત્યાં સુરસુન્દરી આપઘાત કરવા માટે વિષફળ ખાઈ લે છે. દૈવયોગે આ અરસામાં તેનો સાચો પ્રેમી મકરકેતુ ત્યાં આવી ચડે છે અને તેનું રક્ષણ કરે છે અને ત્યાંથી જઈને તે શત્રુંજય રાજાનો નાશ કરે છે. પરંતુ અહીં સુરસુન્દરીનો કોઈ પૂર્વવૈરી વેતાલ સુરસુન્દરીને ઉપાડી જાય છે અને તેને હસ્તિનાપુરના ઉદ્યાનમાં પાડી દે છે. ત્યાંના રાજા તેને રક્ષણ આપે છે અને દાસી દ્વારા બધી વાત જાણી લે છે. આ બાજુ શત્રુંજયના વધ પછી મકરકેતુનું પણ અપહરણ થઈ જાય છે. ૩૪૮ મોટી મુશ્કેલીઓ અને વિવિધ ઘટનાઓ પછી સુરસુન્દરી અને મકરકેતુનું પુનર્મિલન થાય છે અને તે બન્નેના લગ્ન થાય છે. છેવટે સંસારસુખ ભોગવી બન્ને દીક્ષા લે છે અને તપસ્યા કરી મોક્ષપદ પામે છે. આ કથાની નાયિકાનું નામ સુરસુન્દરી અને તેનું વૃત્તાન્ત વાસ્તવમાં ૧૧મા પરિચ્છેદથી આવવાનું શરૂ થાય છે. તેના પહેલાં મકરકેતુના માતાપિતા અમરકેતુ અને કમલાવતીનું તથા તે જ નગરના શેઠ ધનદત્તનું ઘટનાપૂર્ણ વૃત્તાન્ત અને કુશાગ્રપુરના શેઠની પુત્રી શ્રીદત્તા સાથે લગ્ન, આ બધા ઘટનાચક્રની વચ્ચે વિદ્યાધર ચિત્રવેગ અને કનકમાલા તથા ચિત્રગતિ અને પ્રિયસુન્દરીનાં પ્રેમાખ્યાનો વર્ણવાયાં છે. આ કથાના પ્રારંભમાં સજ્જનદુર્જનવર્ણન તથા પ્રસંગે પ્રસંગે મંત્ર, દૂત, રણપ્રયાણ, પર્વત, નગર, આશ્રમ, સંધ્યા, રાત્રિ, સૂર્યોદય, વિવાહ, વનવિહાર આદિનાં વર્ણનો કરવામાં આવ્યાં છે. અનેક અલંકારોનો પ્રયોગ પણ થયો છે. આખી કૃતિમાં આર્યાછંદનો વ્યવહાર થયો છે પરંતુ ક્યાંક ક્યાંક વર્ણનવિશેષમાં ભિન્ન ભિન્ન છંદોનો પણ વ્યવહાર થયો છે. કર્તા અને રચનાકાલ આના પ્રણેતા ધનેશ્વરસૂરિ છે. તે જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. કૃતિના અન્તે ૧૩ ગાથાઓની પ્રશસ્તિમાં કર્તાનો પરિચય આપ્યો છે, રચનાનું સ્થાન જણાવ્યું છે અને રચનાના કાળનો પણ નિર્દેશ કર્યો છે. તે મુજબ આ કથાકાવ્ય ચડ્ડાવલ્લિપુરી (ચન્દ્રાવતી)માં સં. ૧૦૯૫ના ભાદરવાની કૃષ્ણ દ્વિતીયા ગુરુવારે ધનિષ્ઠા નક્ષત્રમાં રચવામાં આવ્યું હતું.૧ સંભવતઃ તેમના - १. तेसिं सीसवरो धणेसर मुनी एवं कहं पायउं । चावल पुरी ठिओ स गुरुणो आणाए पाढंतरा || कासी विक्कम वच्छरम्मि य गए बाणंक सुन्नोडुपे । मासे भद्दव गुरुम्मि कसिणे बीया धणिट्ठा दिने ॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૪૯ જ ગુરુ જિનેશ્વરસૂરિ ખરતરગચ્છના સંસ્થાપક હતા. આ કથા ઉપર નયસુન્દરકૃત સંસ્કૃત સુરસુન્દરીચરિત્રનો ઉલ્લેખ મળે છે.' નર્મદાસુન્દરીકથા – આ કથામાં નર્મદા સુંદરી અનેક વિચિત્ર અને વિકટ પરિસ્થિતિઓમાં પડવા છતાં પોતાના સતીત્વનું રક્ષણ કેવી રીતે કરે છે તેનું અદ્ભુત આલેખન છે. કથાવસ્તુ – નર્મદાસુન્દરીનું લગ્ન એક અજૈન પરંતુ લગ્ન પહેલાં જૈનધર્મ અંગીકાર કરનાર મહેશ્વરદત્ત વણિફ સાથે થાય છે. મહેશ્વરદત્ત નર્મદાસુન્દરીને સાથે લઈને ધન કમાવા માટે યવનદ્વીપ જાય છે પરંતુ તેને નર્મદાસુન્દરીના ચરિત્ર ઉપર શંકા જાય છે એટલે તેને કપટથી માર્ગમાં સૂતી છોડી ને જતો રહે છે. પછી અનેક કષ્ટો સહન કર્યા પછી નર્મદાસુન્દરી પોતાના કાકા વીરદાસને મળી જાય છે અને તેમની સાથે તે બબ્બર દેશ જાય છે. અહીંથી તેનો જીવનસંઘર્ષ ઉત્તરોત્તર વધતો જાય છે. બબ્બર દેશમાં હરિણી નામની વેશ્યાની દાસીઓ તેને ફોસલાવી ભગાડી જાય છે, વેશ્યા તેને પોતાના જેવું જીવન જીવવા ખૂબ દબાણ કરે છે, ધમકાવે છે પરંતુ નર્મદાસુન્દરી પોતાના શીલવ્રતમાં દઢ રહે છે. પછી તે બીજી કરિણી નામની વેશ્યાના ચક્કરમાં ફસાય છે અને ત્યાંથી રાજા દ્વારા પકડીને બોલાવવામાં આવે છે પરંતુ રસ્તામાં તેણે ગાંડી હોવાનો અભિનય કર્યો એટલે તે બચી શકી. પછી જિનદાસ શ્રાવકની મદદથી તે પાછી પોતાના કાકા વીરદાસ પાસે પહોંચી શકે છે. છેવટે સંસારથી વિરક્ત થઈ તે સુહસ્તસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરે છે. નર્મદાસુન્દરીના કથાનકને લઈને કેટલાય કવિઓએ પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં કાવ્યો રચ્યાં છે. તેમાં દેવચન્દ્રસૂરિ અને મહેન્દ્રસૂરિકૃત પ્રાકૃત રચના પ્રકાશિત થઈ છે. અપભ્રંશમાં જિનપ્રભસૂરિની અને ગુજરાતીમાં મેરુસુન્દરની રચના પણ પ્રકાશમાં આવી છે. પહેલી દેવચન્દ્રસૂરિની રચના ૨૫૦ ગાથા પ્રમાણ છે. તેમણે પોતાના પૂર્વગુર આચાર્ય પ્રદ્યુમ્નસૂરિરચિત “મૂલશુદ્ધિપ્રકરણ” નામની પ્રાકૃત કૃતિના ઉપર વિસ્તૃત ટીકા રચી હતી. તે ટીકામાં દૃષ્ટાન્તરૂપ અનેક પ્રાચીન કથાઓનું સંકલન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રસ્તુત નર્મદાસુન્દરીની કથા પ્રસંગવશ સંક્ષેપમાં લખી છે. આ રચના કથાગત મૂલવસ્તુના પરિજ્ઞાનમાં બહુ ઉપયોગી છે. દેવચન્દ્રસૂરિએ અન્ત ઉલ્લેખ કર્યો છે કે આ કથા મૂળ રૂપમાં વસુદેવહિડી નામના પ્રાચીન કથાગ્રન્થમાં ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૭ ૨. એજન, પૃ. ૨૦૫ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જૈન કાવ્યસાહિત્ય પ્રથિત છે. તેના આધારે તેમણે પોતાની કૃતિ રચી છે. આ દેવચન્દ્રસૂરિ સુપ્રસિદ્ધ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના ગુરુ હતા. બીજી રચનાના કર્તા મહેન્દ્રસૂરિ છે. તેમાં ૧૧૧૭ ગાથાઓ છે. વચ્ચે વચ્ચે કેટલોય ગદ્યભાગ આવે છે. તેથી તેના પ્રખ્યાઝ ૧૭૫૦ શ્લોકપ્રમાણ છે. મહેન્દ્રસૂરિએ લખ્યું છે કે તેમણે આ મૂલકથા શાન્તિસૂરિ નામના આચાર્યના મુખે સાંભળી હતી. સાહિત્યિક કૃતિ તરીકે મહેન્દ્રસૂરિવાળી કથાનો મુલાધાર દેવચન્દ્રસૂરિની ઉપર્યુક્ત રચના હોવાનો સંભવ છે. તેની રચના - ૧૮૭માં થઈ હતી. મહેન્દ્રસૂરિની ગુરુપરંપરા અને અન્ય રચનાઓ વિશે પાપ માહિતી મળી નથી. મહેન્દ્રસૂરિની રચના બહુ સરળ, પ્રાસાદિક અને સુબોધાત્મક છે. કથાની ઘટના આબાલવૃદ્ધ સૌને રચે અને આકર્ષે એવી સરસ રીતે તે કહેવામાં આવી છે. વચ્ચે વચ્ચે લોકોક્તિઓ અને સુભાષિતોની છટા પણ જોવા મળે છે. પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ માટે આ રચના સુંદર છે. મહેન્દ્રસૂરિએ આ રચના પોતાના શિષ્યની વિનંતીથી કરી છે. તેની પ્રથમ પ્રતિ તેમના શિષ્ય શીલચન્દ્રગણિએ તૈયાર કરી હતી. - કેટલીક અજ્ઞાતકર્તક નર્મદાસુન્દરીકથાઓ પણ મળી છે. એકમાં ૨૪૯ ગાથાઓ છે. એક અજ્ઞાતકર્તૃક રચના પ્રકાશિત પણ થઈ છે. મનોરમાચરિત – મનોરમાની કથા જિનેશ્વરસૂરિકૃત કહાણયકોસ (સં.૧૧૦૮)માં આપવામાં આવી છે. તેમાં દર્શાવ્યું છે કે શ્રાવસ્તીનો રાજા કોઈ નગરના વેપારીની પત્નીને પોતાની રાણી બનાવવા ઈચ્છતો હતો. તે સફળ પણ થઈ જાય છે પરંતુ છેવટે દેવતાઓ મનોરમાના શીલની રક્ષા કરે છે. આ કથાને સ્વતંત્ર વિશાલ પ્રાકૃત રચનાના રૂપમાં સર્જવામાં આવી છે, તેનું પરિમાણ ૧૫૦૦૦ ગાથાઓ છે. આ કૃતિની રચના નવાંગી ટીકાકાર અભયદેવના શિષ્ય વર્ધમાનાચાર્ય સં. ૧૧૪૦માં કરી છે. વર્ધમાનાચાર્યની અન્ય કૃતિઓમાં આદિનાહચરિય (સં.૧૧૬૦) અને ધર્મરત્નકરંડકવૃત્તિ (સં.૧૧૭૨) મળે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૨૦૫; સિંઘી જૈન ગ્રન્થમાલા, મુંબઈ, સં. ૨૦૧૬ ૨. એજન; હંસવિજય ફ્રી લાયબ્રેરી, અમદાવાદ, ૧૯૧૯ ૩. એજન, પૃ. ૩૦૧; જૈન ગ્રન્થાવલિ (શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ), પૃ. ૨૨૯ Page #373 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૫૧ મલયસુન્દરીકથા – આમાં મહાબલ અને મલયસુન્દરીની પ્રણયકથાનું આલેખન છે. આ નામની અનેક રચનાઓ વિવિધકર્તક મળે છે.' પ્રથમ ૧૨૫૬ ગાથાઓની પ્રાકૃત રચના અજ્ઞાતકર્તક છે. તેમાં એક પૌરાણિક કથાનું અદ્ભુતકથા સાથે સંમિશ્રણ કરવામાં આવ્યું છે. તેમાં પ્રચુર કલ્પનાપૂર્ણ અનોખાં અને જાદૂભર્યા ચમત્કારી કાર્યોના ધસમસતા પ્રવાહમાં વાચક ખેંચાય છે. આ કથામાં અભુતકથા સાહિત્યમાં સુજ્ઞાત કલ્પનાબમ્પો(motifs)ના તાણાવાણા આખા વિસ્તારમાં ગૂંથાયેલા છે. તેમાં રાજકુમાર મહાબલ અને રાજકુમારી મલયસુન્દરીનું આકસ્મિક મિલન, પછી એકબીજાનો વિયોગ, અને વળી પાછું સદા માટે તેમનું મિલન આલેખાયેલ છે. આ બધું તેમનાં પૂર્વોપાર્જિક કર્મોનાં ફળોનું આશ્ચર્યજનક રૂપ છે. પછી મહાબલ જૈન મુનિ બની જાય છે અને મલયસુંદરી સાધ્વી બની જાય છે. આમ જૈન પૌરાણિક કથાને અભુતકથાથી સંમિશ્રિત કરવામાં આવી છે. આ કથાનક જૈન સમાજમાં બહુ પ્રચલિત રહ્યું છે. આ કથાનક ઉપર ૧૫મી સદીમાં સંસ્કૃત ગદ્યમાં અંચલગચ્છના માણિજ્યસૂરિએ મહાબલમલયસુન્દરી' નામની કથા રચી છે. પ્રાકૃત ચરિત્રને આધાર બનાવી સંસ્કૃત પદ્યોમાં આગમગરચ્છના જયતિલકસૂરિએ પણ મલયસુન્દરીચરિત્રની રચના કરી છે. આ કૃતિ ચાર પ્રસ્તાવોમાં વિભક્ત છે, અને તેમાં કુલ ૨૩૯૦ શ્લોક છે. જયતિલકસૂરિએ તેને જ્ઞાનનું માહાભ્ય પ્રકટ કરનાર જ્ઞાનરત્નઉપાખ્યાન કહી છે. તેમાં મલયસુન્દરીને ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી ૧૦૦ વર્ષ બાદ જન્મ લેતી દર્શાવી છે." આ જ સદીમાં પલ્લીગચ્છના શાન્તિસૂરિએ ૫૦૦ પ્રન્યાગ્રપ્રમાણ મલયસુન્દરીચરિત્રને સં. ૧૪૫૬માં રચ્યું છે. અને પિપ્પલગચ્છના ૧. જિનરત્નકશ, પૃ. ૩૦૨, વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૩૩ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૦૨, મુંબઈથી ૧૯૧૮માં પ્રકાશિત ૩. એજન; લાલભાઈ પુ. ગ્રન્થમાલા, મુંબઈ; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૦; વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા, વરતેજ, સં. ૨૦૦૯ ४. ज्ञानादुध्रियते जन्तुः पतितोऽपि महापदि । एकश्लोकार्थबोधेन यथा मलयसुन्दरी ।। १. १९ ।। ૫. મલસુન્દરીચરિત્ર, પ્રસ્તાવ ૪. ૮૨૪ ૬. એજન; આનો જર્મન અનુવાદ હટલે ઈન્ડિશ માર્સેન' (૧૯૧૯)માં કર્યો છે; વિન્ટરનિલ્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૩૩ ઉપર ટિપ્પણ. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ધર્મદેવગણિના શિષ્ય ધર્મચન્દ્રે મલયસુન્દરીકથોદ્ધારની રચના કરી છે. એક અજ્ઞાતકર્તૃક સંસ્કૃત મલયસુન્દરીચરિત્ર પણ ઉપલબ્ધ છે. મદનરેખાચરિત આમાં મિથિલાના રાજા નમિ(પ્રત્યેકબુદ્ધ)ની માતા મદનરેખાનું ચરિત્ર આપવામાં આવ્યું છે. મદનરેખા સુદર્શનપુરના રાજા મણિરથના અનુજ યુગબાહુની પત્ની છે. મણિરથ તેના ઉપર આસક્ત થાય છે અને તેને મેળવવા માટે પોતાના અનુજને મારી નાખે છે પરંતુ મણિરથ પણ સર્પદંશથી મરી જાય છે. મદનરેખા પોતાના શીલની રક્ષા માટે તથા ગર્ભસ્થ બાળકની રક્ષા માટે ભાગી નીકળે છે. રંભાગૃહમાં નિમનો જન્મ થાય છે પરંતુ સરોવરમાં વસ્ત્રપ્રક્ષાલન માટે જતી વખતે બાળકનું અપહરણ થાય છે. આ દુઃખની દશામાં એક વિદ્યાધર મદનરેખાના શીલને ખંડિત કરવા પ્રયત્ન કરે છે પરંતુ તે ચતુરાઈથી બચી જાય છે અને સુવ્રતા નામની સાધ્વી બની જાય છે. મિથિલાના રાજા પદ્મરથ બાળકનું પાલનપોષણ કરે છે. શિક્ષણ અને વિદ્યાઓ પામી તે રાજા બને છે. મદનરેખાનો મોટો પુત્ર તથા સુદર્શનપુરનો અધીશ ચન્દ્રયશ અને મિથિલાનો રાજા નિમ તે બન્ને વચ્ચે થનાર યુદ્ધને સુવ્રતાએ તે બન્ને સહોદર છે એની યાદ અપાવીને રોક્યું હતું. — જૈન કાવ્યસાહિત્ય ૧ આ ચરિત્ર પ્રત્યેકબુદ્ધકથાઓમાં નમિચરિત્રની સાથે આલેખાયું છે પરંતુ પછી તેની રોચકતાને કારણે તેના ઉપર અનેક સ્વતન્ત્ર રચનાઓ થઈ છે. સંસ્કૃત ગદ્યમાં એક અજ્ઞાતકર્તૃક રચનાનો ઉલ્લેખ મળે છે. આ કથાનકને લઈને જિનભદ્રસૂરિએ (૧૨મી શતાબ્દી) મદનરેખાઆખ્યાયિકાચમ્પૂ નામનું ઉચ્ચ કોટિનું કાવ્ય રચ્યું છે. તેનું વર્ણન અમે ચમ્પકાવ્યોમાં આપીશું. શુભશીલગણિની ભરતેશ્વરબાહુબલિવૃત્તિમાં આ ચરિત્ર વિસ્તારથી આપવામાં આવ્યું છે. ગુજરાતીમાં સં. ૧૫૩૭માં મતિશેખરે (ઉપકેશગચ્છીય) આ ચરિત્રની રચના કરી છે. ૨ મદિરાવતીકથાનક વર્ધમાનદેશના(શુભવર્ધનગણિ)માં શીલના માહાત્મ્ય ઉપર મિંદરાવતીની રોચક કથા આપી છે. તેના ઉપર અજ્ઞાતકર્તૃક એક રચના મળે છે. - ૧. જિનરત્નકોશ, પૃ. ૩૩ ૨. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદથી પ્રકાશિત ૩. જિનરત્નકોશ, પૃ. ૩૦૦; જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૪૬૯ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૦૦ Page #375 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૫૩ ગુણાવલીકથા – આમાં ગુણાવલીએ શીલરક્ષા માટે કરેલા પ્રયત્નોનું વર્ણન છે. તેની રચના જિનચન્દ્રસૂરિએ કરી છે. તે નાગપુરીય તપાગચ્છના સાગરચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમની અન્ય કૃતિ સિદ્ધાન્તરનિકાવ્યાકરણ (સં.૧૮૫૦) પણ મળે છે. શીલવતીકથા – કુમારપાલપ્રતિબોધમાં આવેલા અજિતસેન-શીલવતીના ચરિતને લઈને શીલવતીકથા અને શીલવતીચરિત્ર નામની કેટલીય રચનાઓ મળે છે. કથાવસ્તુ – શીલવતીનો પતિ શ્રેષ્ઠિપુત્ર અજિતસેન, રાજા સાથે પરદેશ જવા તૈયાર થયો ત્યારે તેને પોતાની પત્નીની બહુ ચિન્તા થવા લાગી. શીલવતીએ પ્રતિજ્ઞા કરી વિશ્વાસ પેદા કર્યો કે તેનું શીલ ત્રિકાલમાં ભંગ નહિ થાય. પરંતુ ઘરમાં તેના સસરાને તેના ઉપર શંકા થઈ અને તે તેને રથમાં બેસાડી તેના પિયર તરફ રવાના થયો. માર્ગમાં શીલવતીએ પોતાની ચતુરાઈથી કેટલાંય અભુત કાર્યો કર્યા. તેથી તેના સસરા પ્રસન્ન થયા અને તેને આખા ઘરની માલિકણ બનાવી દીધી. એક વાર રાજાએ પણ ક્રમશ: અશોક, રતિકલિ, લલિતાંગ, કામાકુર વગેરેને મોકલીને શીલવતીની પરીક્ષા કરી પરંતુ શીલવતીએ ચતુરાઈથી તે બધાને પૂરી દીધા. એક વાર રાજા તેના પતિ અજિતસેનની સાથે તેના ઘરે ભોજન કરવા આવ્યા. શીલવતીએ પેલી પૂરી દીધેલી વ્યક્તિઓ પાસે શીધ્ર ભોજન તૈયાર કરાવ્યું. પછી આખું રહસ્ય ખુલ્યું કે રાજાએ મોકલેલા પુરુષોની કેવી દુર્દશા થઈ હતી વગેરે. આ કથાનકને લઈને સોમતિલકસૂરિએ શીલવતીકથા લખી. ચન્દ્રગચ્છના ઉદયપ્રભસૂરિએ ૯૮૮ ગ્રન્થાગ્રપ્રમાણ એક સંસ્કૃત રચના કરી છે, તેની પ્રાચીન પ્રતિ સં. ૧૪૦૦ની મળે છે. આ જ રીતે રુદ્રપલીય ગચ્છના આનન્દસુન્દરના શિષ્ય આજ્ઞાસુન્દરે સં.૧૫૬૨માં શીલવતીકથાની સંસ્કૃત રચના કરી છે.* વિનયમંડનગણિ અને નેમિવિજયે ઉક્ત કથાનક ઉપર શીલવતીચરિત્ર નામની કૃતિઓ રચી છે. શીલવતીકથા ઉપર અજ્ઞાતકર્તક બે પ્રાકૃત રચનાઓ પણ મળી છે." ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૬ ૨-૬ જિનરત્નકોશ, પૃ. ૩૮૪-૮૫માં ઉપર્યુક્ત બધી કૃતિઓની નોંધ છે. તેમાંથી એક પ્રકાશિત થઈ ગઈ છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ચિત્રસેન-પદ્માવતીચરિત આને પદ્માવતીચરિત્ર તથા શીલાલંકારકથા પણ કહે છે. તેમાં સ્વદારસન્તોષવ્રતનું માહાત્મ્ય દર્શાવવા માટે ચિત્રસેન અને પદ્માવતીની કથા કહેવામાં આવી છે. - ― કથાવસ્તુ રાજપુત્ર ચિત્રસેન અને મંત્રીપુત્ર રત્નસાર મિત્રો હતા. બન્નેના રૂપથી નગરની યુવતીઓ આકર્ષવા લાગી. લોકોએ ફરિયાદ કરી. રાજાએ જકમાં આવી સાત રત્નો આપી રાજકુમારને રાજ્ય છોડી જવા કહ્યું. રાજકુમાર પોતાના મિત્ર સાથે રાજ્ય છોડી જતો રહે છે. ભટકતાં ભટકતાં જંગલમાં એક યુવતીનું ચિત્ર જોઈ રાજકુમાર બેભાન થઈ જાય છે. ભાનમાં આવતાં તે અને તેનો મિત્ર એક કેવલીને આ અંગે પૂછે છે અને જાણી લે છે કે તે ચિત્ર પદ્માવતીનું છે. પૂર્વભવમાં ચિત્રસેન અને પદ્માવતી હંસયુગલ હતાં અને બન્ને આ ભવમાં માનવજાતિમાં જન્મ્યાં છે. ચિત્રસેન અને તેનો મિત્ર પદ્માવતીની શોધમાં રત્નપુર જાય છે. ત્યાં ચિત્રસેને પૂર્વભવનું ચિત્ર દોરી પ્રદર્શિત કર્યું. પદ્માવતી તે ચિત્ર જોઈ બેભાન થઈ જાય છે. સ્વયંવર દ્વારા તેનું લગ્ન ચિત્રસેન સાથે થાય છે. પાછા ફરતાં એક વટવૃક્ષ ઉપર બેઠેલાં યક્ષ-પક્ષીની વાતો સાંભળી રત્નસાર ચિત્રસેન-પદ્માવતીને અનેક દુર્ઘટનાઓથી બચાવે છે પરંતુ છેલ્લી ઘટનામાં રત્નસારને પાપાણ રૂપે પરિવર્તિત થવું પડે છે. ચિત્રસેનને ખૂબ દુ:ખ થાય છે અને તે યક્ષને રત્નસારની મુક્તિનો ઉપાય પૂછે છે. પદ્માવતી પોતાને પુત્ર જન્મતાં તેને ખોળામાં લઈ જેવી પોતાના હાથથી રત્નસારની પાષાણ પ્રતિમાને સ્પર્શ કરે છે તેવો જ તે સજીવન થઈ જાય છે. પછી ચિત્રસેનના સાહસિક કાર્યોનું વર્ણન છે. છેવટે ચિત્રસેન અને પદ્માવતી શ્રાવકના ૧૨ વ્રતો ગ્રહણ કરે છે અને તીર્થયાત્રાઓ કરે છે. જૈન કાવ્યસાહિત્ય આ કથાને લઈને અનેક રચનાઓ થઈ છે. સૌપ્રથમ ધર્મઘોષગચ્છના મહીચન્દ્રસૂરિના શિષ્ય પાઠક રાજવલ્લભે ૫૧૧ સંસ્કૃત શ્લોકોમાં એક રચના સં. ૧૫૨૪માં કરી છે. આ કથા તેમણે પોતાની પડાવશ્યકવૃત્તિમાં પણ સંક્ષેપમાં ૨૦૦ શ્લોકોમાં આપી છે અને લખ્યું છે કે આ કથા શીલતરંગિણીમાંથી લેવામાં આવી છે. બીજી રચના સં. ૧૬૪૯માં દેવચન્દ્રના શિષ્ય કલ્યાણચન્દ્રે કરી હતી. ત્રીજી રચના સં. ૧૯૬૦માં બુદ્ધિવિજયે દેશી ભાપાથી મિશ્રિત જૈન સંસ્કૃતમાં ૧. જિનરત્નકોશ, પૃ. ૧૨૬ અને ૨૩૫; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૪ ૨. એજન, પૃ. ૧૨૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૫૫ કરી છે. બુદ્ધિવિજય હીરવિજયસૂરિસત્તાનીય વિજયદાનસૂરિના પ્રશિષ્ય અને પં. જગન્મલ્લના શિષ્ય હતા. આ રચના તેમણે ત્યારે કરી હતી જ્યારે વિજયસેનસૂરિ પટ્ટધર હતા. અન્ય રચનાઓમાં હેમચન્દ્ર, પદ્માસન, શીલવિજય, રત્નશખર અને પૂર્ણમલ્લકૃત સંસ્કૃતમાં નિબદ્ધ કૃતિઓ મળે છે. ગુજરાતીમાં નિયવિજય અને ભક્તિવિજયની રચનાઓનો ઉલ્લેખ મળે છે. માનતુંગ-માનવતીચરિત – આ લોકકથાને મૃષાવાદપરિહાર સાથે જોડવામાં આવી છે. આ કૃતિ મૂળમાં પંડિત મોહનવિજય દ્વારા સં. ૧૭૬૦માં વિરચિત માનતુંગ-માનવતરાગના આધારે રચાયેલી સંસ્કૃત રચના છે. આ કૃતિ નાના નાના આઠ સર્ગોમાં વિભક્ત છે. કથાવસ્તુ એટલી મનોહર છે કે આધુનિક ચિત્રપટ ઉપર પણ સરસ રીતે તેનો અભિનય રજૂ કરી શકાય. કથાવસ્તુ - અવન્તીના એક શેઠની પુત્રી માનવતી પોતાની સખીઓ સમક્ષ વિનોદવશ પોતાના અભિમાની રવભાવનું વર્ણન કરે છે અને કહે છે કે પોતાના પતિને બધી રીતે પોતાના વશમાં રાખશે. આ વાત અવન્તીનો રાજા માનતુંગ સાંભળી જાય છે. તેના ગર્વને ઉતારવા માટે માનતુંગ તેની સાથે લગ્ન કરે છે અને પ્રથમ મિલન વખતે જ તેને દંડ દેવા માટે એક અલગ મહેલમાં બંધ કરી તેને રાખે છે અને પોતાની ગર્વોક્તિને સિદ્ધ કરવા માનવતીને તે કહે છે. માનવતી છાનીમાની પોતાના પિતાને કહી એક સુરંગ બનાવરાવી યોગિનીના વેશે તેમાંથી બહાર નીકળી જાય છે. માનવતી યોગિનીના વેશમાં રાજા માનતુંગ ઉપર જાદુ જેવું કરે છે. એક પ્રસંગે તે રાજા પાસે પોતાના પગ ધોવડાવે છે અને ચરણોદક પીવડાવે છે. તે યોગિની અપ્સરાનું રૂપ ધારણ કરી રાજા પાસે પોતાના ગર્વની બીજી શરતો પૂરી કરાવે છે. એક વખત રાજાના અન્ય લગ્નના પ્રસંગમાં માનવતી તેને છેતરી ગર્ભ ધારણ કરે છે અને ચિહ્ન તરીકે વીંટી, મોતીનો હાર વગેરે લઈ લે છે અને પોતાના એકાન્ત મહેલમાં આવી રહે છે. જ્યારે રાજાને ગર્ભ રહ્યો ૧. જિનરત્નકોશ, પૃ. ૧૨૩; જૈન વિદ્યાભવન, કૃષ્ણનગર, લાહોર, ૧૯૪૧, અંગ્રેજી અનુવાદ સહિત, સંપાદક મૂલરાજ જૈન. ૨. એજન, પૃ. ૧૨૩ અને ૨૩૫ ૩. એજન, પૃ. ૧૨૩ ૪. ગૂર્જર જૈન કવિઓ, ભાગ ૨, પૃ. ૪૩૬: ગ્રન્થ મેસર્સ એ.એ. એન્ડ કંપની, પાલીતાણાથી પ્રકાશિત) Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ જેને કાવ્યસાહિત્ય હોવાની જાણ થાય છે ત્યારે તે અને તેની બીજી રાણીઓ ખૂબ ખિન્ન થાય છે. પછી રાજાને સમાચાર મળે છે કે તેને પુત્ર થયો છે. રાજા તેને દંડ દેવા જાય છે પણ પછી બધો ભેદ ખુલી જાય છે એટલે રાજા લજ્જિત થાય છે અને પોતાની પત્નીને અને પુત્રને મોટો ઉત્સવ કરી ઘરે લઈ આવે છે. આ લોકકથાને ધાર્મિક કથાના રૂપમાં આ રીતે પરિવર્તિત કરી દીધી છે – માનવતીએ પૂર્વભવમાં જૂઠ બોલવાનું છોડી દીધું હતું એટલે આ જન્મમાં તેના ફળરૂપે તેને એવી શક્તિ મળી કે વિનોદમાં બોલેલાં પોતાનાં ગર્વિષ્ટ વચનોને પણ તે શક્તિથી તે પૂરાં કરી શકી. * કર્તા અને રચનાકાલ – આ રચના પંન્યાસ તિલકવિજયગણિએ સં. ૧૯૩૯માં કરી છે. તેમની અન્ય રચનાઓ અને વિશેષ પરિચય અંગે કંઈ જાણી શકાયું નથી. આરામશોભાકથા – આરામશોભાકથા લૌકિક કથાસાહિત્યની રોચક કથા છે પરંતુ સમ્યક્તનો મહિમા દર્શાવવા માટે તેને ધર્મકથાનું રૂપ આપવામાં આવ્યું જૈન કથાઓમાં તે આપણને હરિભદ્રકૃત સમ્યક્તસપ્તતિકા ઉપર સંઘતિલકસૂરિએ રચેલા તત્ત્વકૌમુદી નામના વિવરણ(વિ.સં.૧૪૨૨)માં મળે છે. સ્વતંત્ર રચનાના રૂપમાં સં. ૧૫૩૭માં જિનહર્ષસૂરિએ સંસ્કૃત છંદોમાં પ00 ગ્રન્યાગ્રપ્રમાણ આરામશોભાકથાની રચના કરી છે. જિનહર્ષસૂરિ ખરતરગચ્છીય પિપ્પલકશાખાના જિનચન્દ્રસૂરિના શિષ્ય હતા. બીજી સ્વતંત્ર રચના ૪૨૦ પ્રથાગ્રપ્રમાણ આ જ જિનચન્દ્રસૂરિના શિષ્ય મલયહંસગણિએ (૧૬મી સદી) કરી છે. આ કથાનક ઉપર કેટલીક અજ્ઞાતકફૂંક રચનાઓ પણ મળે છે. અનંગસુન્દરીકથા – આમાં ઉજજૈનના રાજા જયસેનની રાણી અને કુમાર કેશીની માતા અનંગસુન્દરીની કથા ૩૦૦ શ્લોકોમાં આલેખવામાં આવી છે." કર્તાનું નામ અજ્ઞાત છે. ૧. ત્રિપ્રેમૂર્યચ્ચે વૈમીચે મુવ (૧૯૩૨) रचयामास पंन्यासो गणीन्द्रस्तिलकाभिधः ।। ૨-૪.જિનરત્નકોશ, પૃ. ૩૩ ૫. એજન, પૃ. ૭ Page #379 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ગુણસુન્દરીચરિત આમાં પુણ્યપાલ રાજાની રાણી ગુણસુન્દરીના શીલનું અદ્ભુત વર્ણન છે. તેને પુણ્યપાલરાજકથા પણ કહે છે. તેની પ્રાચીન પ્રતિઓ સં. ૧૬૫૮ અને ૧૬૭૬ની મળે છે. કર્તાનું નામ જ્ઞાત નથી. આ કથાનક ઉપર ગુજરાતીમાં જિનકુશલસૂરિએ સં.૧૬૬૫માં ગુણસુન્દરીચતુષ્પદીની રચના કરી છે. ગુજરાતીમાં અન્ય રચનાઓ પણ છે. પદ્મશ્રીકથા આ પ્રાકૃતમાં રચાયેલી ૩૧૮ ગ્રન્થાગ્રપ્રમાણ' લઘુ કથા છે. તેમાં નાયિકા પદ્મશ્રી પોતાના પૂર્વભવમાં એક શેઠની પુત્રી હતી, તે બાલવિધવા બની પોતાનું જીવન પોતાના બે ભાઈઓ અને તેમની પત્નીઓ સાથે એક બાજુ ઈર્ષ્યા અને સન્તાપમાં તો બીજી બાજુ ધર્મસાધનામાં વીતાવતી રહી. બીજા જન્મમાં પૂર્વ પુણ્યના ફળરૂપે તે રાજકુમારી બની. પરંતુ જે પાપકર્મ બાકી રહ્યું હતું તેના પરિણામે તેને પતિપરિત્યાગનું દુ:ખ ભોગવવાનું આવ્યું, તેમ છતાં સંયમ અને તપસ્યાના બળે છેવટે તેને કેવળજ્ઞાન થયું અને તે મોક્ષે ગઈ. તેના કર્તાનું નામ અને તેનો રચનાસમય અજ્ઞાત છે. આ કથાનક ઉપર અપભ્રંશમાં કવિ ધાહિલે પઉમસિરિચરિઉ રચ્યું, તે મળે છે. રોહિણીકથા નારી પાત્રોમાં રોહિણીની કથા વિભિન્ન રૂપોમાં પ્રસ્તુત કરવામાં આવી છે. ઉપદેશપ્રાસાદમાં ત્રણ વિભિન્ન રોહિણી નામની નારીઓની કથા આપવામાં આવી છે. એક રોહિણી વિકથા કરનારી, બીજી વ્રતનું પાલન કરનારી અને ત્રીજી સતી. શુભશીલગણિકૃત ભરતેશ્વરબાહુબલિવૃત્તિમાં રોહિણી સતીની કથા આપી છે. ― સ્વતંત્ર રચનાઓના રૂપમાં પ્રાકૃતમાં એક કૃતિ ૧૩૪ ગાથાઓમાં રૂપવિજયગણિની છે, બીજી અજ્ઞાતર્તૃક ચાર પ્રસ્તાવોવાળી છે, તથા ત્રીજીનો ઉલ્લેખ નન્દિતાચના ગાહાલ ખણમાં રોહિણીચરિત્ર તરીકે મળે છે. સંસ્કૃતમાં ભાનુકીર્તિ અને નરેન્દ્રદેવની રચનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અજ્ઞાતકર્તૃક કેટલીક રોહિણીકથાઓ અને રોહિણીચરિત્રો પણ મળે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૫, ૨૫૧ ૨. એજન, પૃ. ૧૦૫ ૩. એજન, પૃ. ૨૩૪ ૪. સિંઘી જૈન ગ્રન્થમાલામાં પ્રકાશિત ૫-૧૦.જિનરત્નકોશ, પૃ. ૩૩૩ ૩૫૭ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જેન કાવ્યસાહિત્ય કનકકુશલકૃત રોહિણ્યશોકચન્દ્રકૃપકથા તથા રોહિણેયકથાનો પરિચય વ્રતકથાઓના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. ચમ્પકમાલાકથા - સુપાસનાચરિયમાં સમ્યક્તપ્રશંસામાં ચમ્પકમાલાનું દષ્ટાન્ત આવ્યું છે. ઉક્ત કથાનકને લઈને સ્વતંત્ર કથાગ્રન્થની રચના કરવામાં આવી છે. ચમ્પકમાલા ચૂડામણિશાસ્ત્રની પંડિતા હતી અને આ શાસ્ત્રની સહાયતાથી જાણતી હતી કે તેનો પતિ કોણ થશે અને તેને કેટલાં બાળકો થશે. આની રચના તપાગચ્છીય મુનિવિમલના શિષ્ય ભાવવિજયગણિએ સં. ૧૭૦૮માં કરી હતી. ભાવવિજયની અન્ય રચનાઓમાં ઉત્તરાધ્યયનટીકા (સં.૧૯૮૧) તથા ષત્રિશતજલ્પવિચાર મળે છે. બીજી રચના ૨૦મી સદીના તપાગચ્છાચાર્ય યતીન્દ્રસૂરિએ સંસ્કૃત ગદ્યમાં ચમ્પકમાલાચરિત્ર શીર્ષક નીચે કરી છે. તેનો રચનાકાલ સં. ૧૯૯૦ છે. કલાવતીચરિત – શીલના માહાભ્યને દર્શાવવા માટે કલાવતીનું ચરિત્ર સંસ્કૃત-પ્રાકૃત બન્ને પ્રકારની રચનાઓમાં મળે છે. અજ્ઞાતકર્તક પ્રાકૃત કલાવતીચરિતની એક હસ્તલિખિત પ્રતિમાં સં. ૧૨૯૧ આપવામાં આવ્યો છે. સંસ્કૃત શ્લોકોમાં નિબદ્ધ અજ્ઞાતકર્તક કલાવતીકથા પણ મળે છે. કમલાવતીચરિત – આમાં મેઘરથ રાજા અને રાણી કમલાવતીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. રાજારાણી સંસારથી વિરક્ત થઈ જાય છે પણ રાણી કમલાવતી નાના દૂધપીતા બાળકને કારણે ૨૦ વર્ષ ઘરમાં શીલ પાળતી રહે છે અને પુત્રને ગાદીએ બેસાડી દીક્ષા લઈ લે છે. આના ઉપર સંસ્કૃતમાં એક અજ્ઞાતકર્તક રચના મળે છે. ગુજરાતીમાં વિજયભદ્ર (૧૫મી સદી) કૃત કમલાવતી રાસ મળે છે. કનકાવતીચરિત – આને રૂપસેનચરિત્ર પણ કહે છે. તેમાં રૂપસેન રાજા અને રાણી કમલાવતીનું આખ્યાન વર્ણવાયું છે. સંસ્કૃતમાં જિનસૂરિરચિત (અજ્ઞાતકાલ) ૧. જિનરત્નકોશ, પૃ. ૩૩૪ ૨. એજન, પૃ. ૧૨૧; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સં. ૧૯૭૦ ૩. યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થ, પૃ. ૪૨ ૪-૫.જિનરત્નકોશ, પૃ. ૩૪ ૬. એજન, પૃ. ૬૭ ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૧૪ Page #381 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૫૯ તથા અજ્ઞાતકર્તક (સં.૧૬૦૪) રચનાઓ મળે છે. ગુજરાતીમાં સાધ્વી હેમશ્રીએ રચેલું કનકાવતીઆખ્યાન (સં.૧૬૪૪) મળે છે. • શીલચમ્પકમાલા – આમાં ધનહીનને દાન દેવાનું માહાસ્ય દર્શાવવા માટે ચમ્પકમાલાની કથા આપી છે. કર્તાનું નામ અજ્ઞાત છે. કુન્તલદેવીકથા – ગર્વ કર્યા વિના દાન દેવાના દૃષ્ટાન્ત તરીકે કુન્તલદેવીનું કથાનક દાનપ્રદીપ(સં.૧૪૯૯)માં આવ્યું છે. તેને કોઈ લેખકે સ્વતંત્ર રચના રૂપે સંસ્કૃત શ્લોકોમાં રચ્યું છે પણ રચનાસંવત જ્ઞાત નથી.' અઍકારિભક્ટ્રિકકથા – ઉપદેશપ્રાસાદમાં ઉક્ત કૌતુકપૂર્ણ કથા આવી છે. તેના ઉપર એક અજ્ઞાતકર્તક રચના મળે છે." મૃગસુન્દરીકથા - શ્રાવકધર્મની દશવિધ ક્રિયાઓનું યત્નપૂર્વક પાલન કરવાના દૃષ્ટાન્તરૂપે મૃગસુન્દરીની કથા કહેવામાં આવી છે. તેના ઉપર અનેક કૃતિઓના સર્જક કનકકુશલગણિએ સં. ૧૯૬૭માં એક રચના કરી છે. એક બીજી અજ્ઞાતકર્તક રચનાનો પણ ઉલ્લેખ મળે છે. ગુજરાતીમાં આ કથા ઉપર રચનાઓ છે. શીલસુન્દરીશીલપતાકા – આમાં શીલતરંગિણી કૃતિમાં વર્ણવવામાં આવેલી શીલસુન્દરીની કથા આપવામાં આવી છે. તેમાં ચતુર્વિધ આહારનો ત્યાગ કરી સંયમપાલન દ્વારા પોતાના જન્મનો ઉદ્ધાર કરનારી શીલસુન્દરી નાયિકા છે. ગુજરાતીમાં શીલસુન્દરીરાસ પણ મળે છે. સુભદ્રાચરિત – આમાં સાગરદત્તે જૈનધર્મ સ્વીકાર્યો એટલે સુભદ્રાના માતાપિતાએ તેનું લગ્ન સાગરદત્ત સાથે કરાવ્યું. અહીં સાસુ-વહુ અને જૈન-બૌદ્ધ ૧. જિનરત્નકોશ, પૃ. ૬૭ ૨. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૨૮૬ ૩. જિનરત્નકોશ, પૃ. ૩૮૪ ૪. એજન, પૃ. ૯૧ ૫. એજન, પૃ. ૨ ૬. એજન, પૃ. ૩૧૩ ૭. એજન, પૃ. ૩૮૫ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ભિક્ષુઓના પારસ્પરિક કલહનો આભાસ મળે છે. આમાં સુભદ્રાના શીલધર્મનું સરસ નિરૂપણ છે. આ કથાનક કથાકોષપ્રકરણમાં (જિનેશ્વરસૂરિ) પણ આવ્યું છે. અજ્ઞાતકર્તૃક પ્રસ્તુત રચના ૧૫૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ છે. અભયદેવની સં. ૧૧૬૧માં રચાયેલી અપભ્રંશ કૃતિનો પણ ઉલ્લેખ મળે છે. અન્ય નારી પાત્રો ઉપર જે કથાઓ મળે છે તે નીચે મુજબ છે – અભયશ્રીકથા, જયસુન્દરીકથા', જિનસુન્દરીકથા' (શીલ ઉપર), ધવ્યસુન્દરીકથા" (પ્રાકૃત), નાગશ્રીકથા, પુણ્યવતીકથા, પુષ્પવતીકથા, મંગલમાલાકથા, મધુમાલતીકથા'', રતિસુન્દરીકથા, રત્નમંજરીકથા, રસમંજરીચરિત્ર, શાન્તિમતીકથા", સૂર્યયશાકથા*, સોમશ્રીકથા', સૌભાગ્યસુંદરીકથા, હંસાવલીકથા૯, હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર, પદ્મિનીચરિત્ર, મગધસેનાકથા, મદનાવલિકથા, મદનધનદેવીચરિત૪. તીર્થમાહાત્મ્યવિષયક કથાઓ તીર્થોના માહાત્મ્યને પ્રકટ કરવા માટે અનેક કથાકોશ અને સ્વતન્ત્ર કાવ્યોનું પણ સર્જન થયું છે. આમાં સૌથી પ્રાચીન ધનેશ્વરસૂરિનું શત્રુંજયમાહાત્મ્ય છે. તેને રૈવતાચલમાહાત્મ્યષ પણ કહે છે. શત્રુંજયમાહાત્મ્ય આ હિન્દુ પુરાણોમાં મળતી માહાત્મ્યશૈલીમાં રચાયું છે. આ એક મહાકાવ્ય છે. તેમાં ૧૪ સર્ગો છે. સર્ગો પ્રાયઃ શ્લોકોમાં રચાયા છે. તેનો પ્રારંભ સંસારવર્ણનથી થાય છે. પછી રાજા મહીપાલનાં અદ્ભુત કાર્યોની તથા પછી પ્રથમ જિન ઋષભદેવની કથા આપવામાં આવી છે. તેમાં -- ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૫ ૨. એજન ૩. જિનરત્નકોશ, પૃ. ૧૩ ૬. એજન, પૃ. ૧૯૭ ૯. એજન, પૃ. ૨૫૪ ૧૨.એજન, પૃ.૩૨૬ ૧૫.એજન, પૃ.૩૮૧ ૧૯.એજન,પૃ.૪૫૯ જૈન કાવ્યસાહિત્ય ૪. એજન, પૃ. ૧૩૪ ૭. એજન, પૃ. ૨૧૦ ૧૦.એજંન, પૃ. ૨૯૯ ૧૩.એજન, પૃ. ૩૨૭ ૧૬-૧૭.એજન, પૃ.૪૫૨ ૨૦.એજન, પૃ. ૪૬૦ ૨૩-૨૪.એજન, પૃ. ૩૦૦ ૨૨.એજન, પૃ. ૨૯૯ ૨૫.એજન, પૃ. ૩૩૩, ૩૭૨; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૮. ૫. એજન, ૧૩૮ ૮. એજન, પૃ. ૨૫૧ ૧૧.એજન, પૃ. ૩૦૦ ૧૪.એજન, પૃ.૩૨૯ ૧૮.એજન, પૃ. ૪૫૩ ૨૧.એજન, પૃ. ૩૩૬ Page #383 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૬ ૧ ભરતબાહુબલિયુદ્ધનું, યાત્રાનું, ભરતે કરેલી ધર્મક્ષેત્રોની સ્થાપનાનું અને ખાસ કરીને તો શત્રુંજય પર્વત ઉપર તેણે બનાવેલાં મંદિરોનું વર્ણન છે. ૯માં સર્ગમાં રામકથા આપી છે. ૧૦, ૧૧ અને ૧૨મા સર્ગોમાં કૃષ્ણ અને અરિષ્ટનેમિ સાથે સંબંધ ધરાવતી પાંડવોની કથા આવે છે. ૧૦મા અધ્યાયમાં ભીમસેન અંગે જે કથા કહેવામાં આવી છે તે મહાભારતની ભીમકથાથી એકદમ જુદી છે. અહીં તેની કથા નીચે પ્રમાણે છે : એક વખત એક વ્યાપારી જહાજ દ્વારા ભીમ સમુદ્ર પાર કરી રહ્યા હતા. પરંતુ સમુદ્રની મધ્યમાં એક ખડકની આજુબાજુ જહાજ ભમવા લાગ્યું. એક પોપટ બચવાનો ઉપાય બતાવ્યો. તેણે કહ્યું કે કોઈ એક જણે મરવા માટે તૈયાર થવું પડશે, તેણે પર્વત તરફ તરીને જવું પડશે અને ત્યાં જઈ તેણે ભાખંડ પક્ષીઓને વિસ્મિત કરવા પડશે. આ કામ કરવાનું ભીમે માથે લીધું, તેણે જહાજની રક્ષા કરી, પરંતુ પર્વત ઉપર તે એકલા રહી ગયા. સહાયક પોપટે તેમને ભાગવાનો રસ્તો બતાવ્યો. તે પોતે સમુદ્રમાં પડ્યા, એક માછલી તેમને ગળી ગઈ, માછલીને ચીરી તે કિનારા ઉપર બહાર નીકળી આવ્યા. તે લંકાદ્વીપ હતો. અનેક સાહસિક કામો કર્યા પછી તેમને એક રાજ્ય મળ્યું પરંતુ થોડા સમય પછી રાજ્યનો ત્યાગ તેમણે કર્યો કે જેથી તે શત્રુંજયના એક શિખર રૈવત ઉપર મુનિ બનીને રહી શકે. ચૌદમા સર્ગમાં પાર્શ્વનાથની કથા છે અને છેલ્લે મહાવીરની એક લાંબી ભવિષ્યવાણી છે. તે ભવિષ્યવાણીમાં કેટલાય પ્રકારનાં ઐતિહાસિક અવતરણો છે, જેમનો અર્થ આજ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી. કર્તા અને રાજ્યકાળ – આના કર્તા ધનેશ્વરસૂરિ છે. તેમના વિશે કહેવાય છે કે સૌરાષ્ટ્રના રાજા શીલાદિત્યની (વલભી સે. ૪૭૭ = ૭-૮મી સદી) વિનંતીથી તેમણે પ્રસ્તુત કૃતિની રચના કરી હતી. પરંતુ શત્રુંજયમાહાસ્યમાં સં. ૧૧૯૯થી ૧૨:૩૦ વચ્ચે રાજય કરનાર કુમારપાળનું વૃત્તાન્ત પણ આવે છે. તેથી કૃતિ એટલી પ્રાચીન નથી. વાસ્તવમાં વલભીમાં શીલાદિત્ય નામના છ રાજાઓ થઈ ગયા છે પરંતુ જૈન લેખકો એક જ શીલાદિત્યનો ઉલ્લેખ કરે છે. ધનેશ્વરસૂરિ પણ અનેક થયા છે. સંભવતઃ આ ધનેશ્વરસૂરિ ૧૩મી કે તે પછીની સદીના લેખક જણાય છે. ૧ ૧. મોહનલાલ દલીચન્દ્ર દેસાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૪પ-૧૪૬ પર ટિપ્પણ ૧૩૮. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ જેન કાવ્યસાહિત્ય શત્રુંજયમાહાસ્ય ઉપર એક અજ્ઞાતકર્તક વ્યાખ્યા તથા રવિકુશલના શિષ્ય દેવકુશલે રચેલી બાલાવબોધ ટીકા (સં.૧૯૬૭માં લખાયેલી) મળે છે.' આ માહાભ્યનું સંક્ષિપ્ત રૂપ સં. ૧૯૬૭માં ખંભાતના મહીરાજના પુત્ર ઋષભદાસે શત્રુંજયોદ્ધાર નામે કર્યું છે. વળી, ધનેશ્વરસૂરિની કૃતિને આધાર બનાવી શત્રુંજયમાહાભ્યોલ્લેખ નામનું કાવ્ય ૧૫ અધ્યાયોમાં સરળ સંસ્કૃત ગદ્યમાં સં. ૧૭૮૨માં હંસરને રચ્યું છે. હંસરત્ન તપાગચ્છની નાગપુરીય શાખાના ન્યાયરત્નના શિષ્ય હતા. શત્રુંજય તીર્થના માહાભ્યને પ્રકટ કરવા માટે ઉપકેશગચ્છીય સિદ્ધસૂરિના પટ્ટધર શિષ્ય કક્કસૂરિએ સં. ૧૩૯૨માં શત્રુંજય મહાતીર્થોદ્ધારપ્રબંધની રચના કરી છે. તેનું અપરના નાભિનન્દનોદ્વારપ્રબંધ પણ છે. આ એક ઐતિહાસિક મહત્ત્વની રચના છે. આનો પરિચય અમે પહેલાં આપી દીધો છે. આ જ વિષયની અન્ય રચનાઓમાં જિનહર્ષસૂરિકૃત શત્રુંજયમાહાલ્ય, નયસુંદરનો સં. ૧૯૩૮માં નિર્મિત શત્રુંજયોદ્ધાર તથા તપાગચ્છના વિનયંધરના શિષ્ય વિવેકધીરગણિએ સં. ૧૫૮૭માં રચેલો શત્રુંજયોદ્ધાર અપરના ઈષ્ટાર્થસાધક ઉલ્લેખનીય છે. શત્રુંજયતીર્થ વિશેની અનેક કથાઓનો સંગ્રહ શત્રુંજયકથાકોશ છે. તેને ધર્મઘોષસૂરિકૃત શત્રુંજયકલ્પ ઉપર ૧૨૫૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિના રૂપમાં શુભશીલગણિએ સં. ૧૫૧૮માં બનાવ્યો છે. શુકરાજકથા – શત્રુંજય તીર્થના માહાભ્યને એક અન્ય રીતે પ્રગટ કરવા માટે ૧. જિનરત્નકોશ, પૃ. ૩૭૨ ૨. એજન, પૃ. ૩૭૩ ૩. એજન, પૃ. ૩૭૨ ૪. એજન ૫. એજન ૬. એજન, પૃ. ૩૭૩ ૭. એજન; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સં. ૧૯૭૩, ૮. એજન, પૃ. ૩૭ર Page #385 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૬૩ શુકરાજકથાની રચના કેટલાક આચાર્યોએ કરી છે. તેમાં ક્ષિતિપ્રતિષ્ઠિતપુરના રાજકુમાર શુકરાજની કથા છે. શુકરાજ વિમલગિરિ ઉપર જઈ મંત્રસાધન કરી શત્રુને જીતનારો – શત્રુંજય બની ગયો હતો ત્યારથી ઉક્ત તીર્થનું નામ શત્રુંજય પડી ગયું: ગુરૂત્ર ત્વા નૈધને શત્રુથોડભૂતિ મહોત્સવં કૃત્વા વિશે: शत्रुञ्जय इति नाम प्रख्यापयामास । કર્તા અને રચનાકાળ – આની રચના અંચલગચ્છીય મેરૂતુંગના શિષ્ય માણિજ્યસુંદરે ૫૦૦ શ્લોકોમાં કરી છે. માણિક્યસુંદર બહુ સારા કવિ હતા. તેમની બીજી રચનાઓ ચતુઃ પર્વોચપૂ, શ્રીધરચરિત્ર (સં.૧૪૬ ૩), ધર્મદત્તકથાનક, મહાબલમલયસુન્દરીચરિત્ર, અજાપુત્રકથા, આવશ્યકટીકા, પૃથ્વીચન્દ્રચરિત્ર (પ્રાચીન ગુજરાતી, સં. ૧૪૭૮) અને ગુણવર્મચરિત્ર (સં.૧૪૮૪) છે. શુકરાજકથાવિષયક અન્ય કૃતિઓ શુભશીલગણિકૃત (૧૬મી સદીનો પૂર્વાર્ધ) તથા કેટલીક અજ્ઞાતકર્તક પણ મળે છે. સુદર્શનાચરિત – ભરૂચ (ભૃગુકચ્છ)ના શકુનિકાવિહારજિનાલયના માહાભ્યને દર્શાવવા માટે સુદર્શનાની કથા ઉપર જ્ઞાતકર્તક બે પ્રાકૃત રચનાઓ, એક સંસ્કૃત રચના તથા એક અજ્ઞાતકર્તક પ્રાકૃત રચના મળી છે.' અજ્ઞાતકર્તક પ્રાકૃત રચનાની હસ્તલિખિત પ્રતિ સં. ૧૨૪૪ની મળી છે. કેટલાક વિદ્વાનોનું અનુમાન છે કે આ જ પશ્ચાદ્દવર્તી કૃતિઓનો આધાર રહી છે. બીજી રચના પણ પ્રાકૃતમાં છે. તેના કર્તા મલધારી દેવપ્રભસૂરિ (૧૩મી સદીના ઉત્તરાર્ધ) છે. આ કૃતિ ૧૮૮૭ શ્લોકપ્રમાણની છે. ત્રીજી રચનાનો પરિચય કથાની સાથે આપીશું. ચોથી રચના સંસ્કૃતમાં છે, તે કોઈ માણિજ્યસૂરિએ રચેલું સુદર્શનાકથાનક છે. સુદંસણાચરિય – તેનું બીજું નામ શકુનિકાવિહાર પણ છે. આ પ્રાકૃત કૃતિમાં ૪૦૦૨ ગાથાઓ છે. વચ્ચે વચ્ચે શાર્દૂલવિક્રીડિત આદિ છંદોનો પ્રયોગ થયો છે. તેમાં ધનપાલ, સુદર્શન, વિજયકુમાર, શીલવતી, અશ્વાવબોધ, ભ્રાતા, ધાત્રીસુત ૧. જિનરત્નકોશ, પૃ. ૩૮૬; હંસવિજય જૈન ફ્રી લાયબ્રેરી, ગ્રન્થાંક ૨૦, સં. ૧૯૮૦. ૨. એજન ૩. એજન, પૃ. ૪૪૪ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જેન કાવ્યસાહિત્ય અને ધાત્રી એ આઠ અધિકાર છે, જે ૧૬ ઉદેશોમાં વિભક્ત છે. સુદર્શના સિંહલદ્વીપમાં શ્રીપુરનગરના રાજા ચન્દ્રગુપ્ત અને રાણી ચન્દ્રલેખાની પુત્રી હતી. ભણીગણી તે મોટી વિદુષી અને કલાવતી બની ગઈ. એક વાર તેણે રાજસભામાં જ્ઞાનનિધિ પુરોહિતના મતનું ખંડન કર્યું. ધર્મભાવનાથી પ્રેરિત થઈ તે ભૃગુકચ્છની યાત્રાએ ગઈ અને ત્યાં તેણે મુનિસુવ્રત તીર્થકરનું મંદિર તથા શકુનિકાવિહાર નામનું જિનાલય બનાવ્યું. સુદર્શનનું આ ચરિત્ર હિરણ્યપુરના શેઠ ધનપાલે પોતાની પત્ની ધનશ્રીને સંભળાવ્યું. કથામાં પ્રસંગવશે અનેક સ્ત્રીપુરુષોનાં તથા વિવિધ અન્ય ઘટનાઓનાં રોચક વૃત્તાન્તો દાખલ કરવામાં આવ્યાં છે. કર્તા અને રચનાકાલ – આના કર્તા તપાગચ્છીય જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિ છે. કર્તાએ પોતાના વિશે કહ્યું છે કે તે ચિત્રાપાલકગચ્છીય ભુવનચન્દ્ર ગુરુ, તેમના શિષ્ય દેવભદ્ર મુનિ અને તેમના શિષ્ય જગન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમના એક ગુરુભાઈ વિજયચન્દ્રસૂરિએ આ ગ્રન્થના નિર્માણમાં સહાયતા કરી હતી. કહેવાય છે કે દેવેન્દ્રસૂરિને ગૂર્જર રાજાની અનુમતિપૂર્વક વસ્તુપાલ મંત્રી સમક્ષ આબૂ ઉપર સૂરિપદ આપવામાં આવ્યું હતું. દેવેન્દ્રસૂરિએ વિ.સં.૧૩૨૩માં વિદ્યાનન્દને સૂરિપદ આપ્યું હતું તથા સં. ૧૩ર૭માં તે સ્વર્ગવાસી થયા હતા. તેથી આ ગ્રન્થની રચના તે સમય (સં.૧૩૨૭) પૂર્વે થઈ છે. તેમની અન્ય કૃતિઓમાં પંચનવ્યકર્મગ્રન્થ સટીક, ત્રણ આગમો ઉપર ભાષ્ય, શ્રાદ્ધદિનકૃત્ય સવૃત્તિ તથા દાનાદિકુલક મળે છે. અન્ય તીર્થોમાં દક્ષિણ ભારતના શ્રવણબેલ્ગોલના માહાભ્યને પ્રગટ કરવા માટે ગોમટેશ્વરચરિત્ર નામની એક સંસ્કૃત રચનાનો ઉલ્લેખ મળે છે. તેવી જ રીતે મધ્યપ્રદેશના એક અન્ય તીર્થ સુવર્ણાચલ “સોનાગિરના માહાભ્યને દર્શાવવા માટે દેવદત્ત દીક્ષિતે સં. ૧૮૪૫માં “સ્વર્ણાચલમાહાભ્ય'ની રચના કરી છે. તેના ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૪; આત્મવલ્લભ ગ્રન્થ સિરિઝ, વલાદ (અમદાવાદ)થી સન્ ૧૯૩૨માં પ્રકાશિત; કથાગ્રન્થની અન્ય વિશેષતાઓ માટે જુઓ પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૫૬૧-૨૬૬. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૧૧ ૩. બાબૂ છોટેલાલ જૈન સ્મૃતિગ્રન્થ, પૃ. ૧૧૫. Page #387 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૬૫ અંતિમ અધ્યાયમાં ભટ્ટારક પરંપરાનો ઈતિહાસ આપ્યો છે. ગિરિનારોદ્વાર' નામની એક અન્ય રચનામાં ગિરિનારનું માહાભ્ય વર્ણવાયું છે. ઘણાં બધાં તીર્થોનો સંક્ષિપ્ત પરિચય આપવાના આશયથી જિનપ્રભસૂરિએ. વિવિધતીર્થકલ્પની રચના (સં.૧૩૬૪-૮૯) કરી છે, તે પ્રકાશિત છે. તેને પરિચય આ ઈતિહાસના ચતુર્થ ભાગમાં આપી દીધો છે. તિથિ-પર્વ-પૂજા-સ્તોત્રવિષયક કથાઓ જૈન વિદ્વાનોએ તપ, શીલ, જ્ઞાન અને ભાવનાની જેમ તથા તીર્થોના માહાભ્યોની જેમ પોતાના ધર્મ યા સંપ્રદાયનાં માન્ય પર્વો તથા પુણ્યતિથિઓના માહાભ્યને દર્શાવવા અનેક કથાગ્રન્થો રચ્યા છે. આ પ્રવૃત્તિનો સૂત્રપાત ૧૪૧૫મી સદીથી વિશેષ થયો છે પરંતુ ૧૬-૧૭મી સદીમાં આ વિષયના વિશાળ સાહિત્યનું સર્જન થયું છે. અહીં કેટલીક રચનાઓનો પરિચય આપીશું પરંતુ અન્ય કૃતિઓનો વિસ્તારમયથી માત્ર ઉલ્લેખ જ કરીશું. પાશ્ચાત્ય દેશોમાં આ કથાઓ ઉપર પણ સારું સમીક્ષાત્મક અધ્યયન શરૂ થઈ ગયું છે. તેથી આ સાહિત્ય પણ મનનીય છે, ઉપેક્ષણીય નથી. - જ્ઞાનપંચમીકથા – કાર્તિક શુક્લ પંચમીને જ્ઞાનપાંચમ અને સૌભાગ્યપાંચમના નામથી પણ સમજવામાં આવે છે. આ દિવસે ગ્રન્થોને પાટ ઉપર રાખી તેમની પૂજા, સંમાર્જન, લેખન આદિ કરવું જોઈએ અને “નમો નાણસ્સ'ના ૧૦૦૦ જપ કરવા જોઈએ. તેનું માહાભ્ય પ્રગટ કરવા માટે જ્ઞાનપંચમી કથા, શ્રુતપંચમીકથા, કાર્તિકશુક્લપંચમીકથા, સૌભાગ્યપંચમીકથાયા પંચમીકથા, વરદત્તગુણમંજરીથા તથા ભવિષ્યદત્તચરિત્ર' નામથી અનેક કથાગ્રન્થો રચાયા છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૫ ૨. એજન, પૃ. ૧૪૮ ૩. એજન, પૃ. ૮૫ ૪. એજન, પૃ. ૨૨૬, ૪૫૩ ૫. એજન, પૃ. ૩૪૧ ૬. એજન, પૃ. ૨૯૩ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ તેમાં સૌથી પ્રાચીન નાણપંચમીકહાઓ નામનો ગ્રન્થ છે. તેમાં દસ કથાઓ સંકલિત કરવામાં આવી છે, તે કથાઓ છે – જયસેણકહા, નન્દકા, ભદ્દાકહા, વીરકહા, કમલાકહા, ગુણાણુરાગકહા, વિમલકા, ધરણકહા, દેવીકહા અને ભવિસ્સયત્તકહા. આખી રચનામાં ૨૮૦૪ ગાથાઓ છે. આ સંગ્રહગત ભવિસ્સયત્તકહાના કથાબીજને લઈને ધનપાલે અપભ્રંશમાં ભવિસયત્તકહા યા સૂર્યપંચમીકહા નામનું મહત્ત્વપૂર્ણ કાવ્ય લખ્યું છે, અને તેનું સંસ્કૃત રૂપાન્તર મેઘવિજયગણિએ ભવિષ્યદત્તચરિત્ર નામથી રજૂ કર્યું છે. આ સૌથી પ્રાચીન નાણપંચમીકહાઓ કૃતિના કર્તા સજ્જન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વરસૂરિ છે. તેમના વિશે વિશેષ કોઈ જાણકારી નથી. આ કૃતિની સૌથી પ્રાચીન તાડપત્રીય પ્રતિ વિ.સં.૧૧૦૯ની પાટણના સંધવી ભંડારમાંથી મળી છે. તેથી અનુમાન થાય છે કે રચના તેનાથી પણ પુરાણી છે. મહેશ્વરસૂરિને જ ભૂલથી મહેન્દ્રસૂરિ લખીને ઉક્તકર્તૃક ભવિષ્યદત્તકથાની ભવિષ્યદત્તાખ્યાન નામથી કેટલીક પ્રતિઓ પણ મળી H જૈન કાવ્યસાહિત્ય તેરમી-ચૌદમી સદીમાં આ કથાને લઈને સંસ્કૃત કે પ્રાકૃતમાં સંભવતઃ કોઈ રચના કરવામાં આવી નથી. પંદરમી સદીમાં શ્રીધર નામના દિગંબર વિદ્વાને સંસ્કૃતમાં ભવિષ્યદત્તચરિત્રની રચના કરી છે, તેની હસ્તપ્રત સં. ૧૪૮૬ની મળી છે, તેથી આ રચના તે પૂર્વેની અવશ્ય છે. સત્તરમી સદીના પ્રારંભમાં ઉપાધ્યાય પદ્મસુન્દરે પણ એક ભવિષ્યદત્તરિતની રચના કાર્તિક સુદી ૫ સં. ૧૬૧૪માં કરી હતી. આ જ સદીના ઉત્તરાર્ધમાં તપાગચ્છીય કનકકુશલે કાર્તિક શુક્લ પંચમીના દિવસે જ્ઞાનશ્રુતનું માહાત્મ્ય દર્શાવવા માટે કોઢિયા વરદત્ત અને ગૂંગી ગુણમંજરીની કથા બહુ રોચક રૂપે નિબદ્ધ કરી છે, તેને વરદત્તગુણમંજરીકથા, ગુણમંજરીકથા, સૌભાગ્યપંચમીકથા, જ્ઞાનપંચમીકથા અને કાર્તિકશુક્લપંચમીકથા પણ કહેવામાં આવે છે. કેટલાક વિદ્વાનો આ વિભિન્ન નામોને કારણે વિભિન્ન કૃતિઓ માની બેઠા છે પણ તે ભ્રમ છે. કનકકુશલની આ કૃતિ ૧૫૨ શ્લોકોની છે અને સં. ૧૯૫૫માં તેની રચના ૧. સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૨૫, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, સં. ૨૦૦૫. ૨. અનેકાન્ત, જૂન ૧૯૪૧, પૃ. ૩૫૦. ૩. એલક પન્નાલાલ સરસ્વતી ભવનમાં સં. ૧૬૧૫ની હસ્તપ્રત; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૯૬, Page #389 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય થઈ છે. કનકકુશલ અનેક લઘુકાય કૃતિઓના સર્જક હતા, તેમનો ઉલ્લેખ આપણે કરી ગયા છીએ. ૩૬૭ આ કથાને લઈને માણિક્યચન્દ્રના શિષ્ય દાનચન્દ્ર પણ સં. ૧૭૦૦માં જ્ઞાનપંચમીકથા (વરદત્તગુણમંજરીકથા)ની રચના કરી છે. અઢારમી સદીના પ્રસિદ્ધ ગ્રન્થકાર અને કવિ મેઘવિજયે (વિ.સં.૧૭૦૯-૧૭૬૦) શ્રુતપંચમીમાહાત્મ્ય ઉ૫૨ ૨૦૪૨ શ્લોકોનું ભવિષ્યદત્તચરિત' લખ્યું છે, તે ૨૧ અધિકારોમાં વિભક્ત છે. એના શ્લોકોની વચ્ચે વચ્ચે હિતોપદેશ, પંચચા આદિ ગ્રંથોમાંથી સુભાષિતો ઉષ્કૃત કરવામાં આવ્યાં છે. તેને અનુપ્રાસ, યમક વગેરે શબ્દાલંકારોથી વિભૂષિત કરવામાં આવ્યું છે. મેઘવિજય ઉપાધ્યાયનો પરિચય આપી દીધો છે અને તેમની કૃતિનો ઉલ્લેખ કેટલાય પ્રસંગોએ કરી ગયા છીએ. કેટલાક વિદ્વાનોએ તેને ધનપાલકૃત ૨૦૦૦ ગાથાપ્રમાણ અપભ્રંશ ભવિસયત્તકહા (૨૨ સંધિઓ)નું સંસ્કૃત રૂપાન્તર માન્યું છે. ·3 ૧૯મી સદીમાં ખરતરગચ્છીય ક્ષમાકલ્યાણ ઉપાધ્યાયે (સં.૧૮૨૯-૬૫) જ્ઞાનપંચમીના માહાત્મ્ય ઉપર સંસ્કૃતમાં ગદ્યપદ્યમયી સૌભાગ્યપંચમી કથા રચી છે. તેનો પઘભાગ તો કનકકુશલકૃત આ જ વિષયની કૃતિમાંથી લીધો છે અને ગઘભાગ તેમણે પોતે જ રચ્યો છે. ક્ષમાકલ્યાણે રચેલી અન્ય વ્રતકથાઓ પણ મળે છે – અક્ષયતૃતીયાકથા, મેરુત્રયોદશીકથા, મૌનએકાદશીકથા, રોહિણીકથા, વગેરે. આ વિષયની અન્ય રચનાઓમાં જિનહર્ષકૃત (અજ્ઞાતસમય), પાર્શ્વચન્દ્રકૃત, સુન્દરગણિકૃત, મંજુસૂરિકૃત, મુક્તિવિમલકૃત' (વિ.સં.૧૯૬૯માં ૧૦૨ સંસ્કૃત પઘોમાં) તથા કેટલીક અજ્ઞાતકર્તૃક કૃતિઓ મળે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૪૮ ૨. હિમ્મત ગ્રન્થમાલા, અંક ૧માં પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી દ્વારા સંપાદિત ગુજરાતી અનુવાદ અમદાવાદથી પ્રકાશિત. ૩. પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૪૪૧ ઉપરનું ટિપ્પણ. ૪. જિનરત્નકોશ, પૃ. ૮૫, ૧૪૯, ૨૨૬, ૩૪૧ ૫. દયાવિમલ ગ્રન્થમાલા, અમદાવાદ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ રોહિણ્યશોકચન્દ્રનૃપકથા તેનાં બીજાં નામો છે : રોહિણેયકથાનક, રોહિણીવ્રતકથા યા રોહિણીતપમાહાત્મ્ય. આમાં રોહિણીવ્રતના માહાત્મ્ય વિશેની કથા આપી છે. રોહિણી નક્ષત્રોમાં ચોથું નક્ષત્ર છે અને પ્રત્યેક મહિનામાં જે દિવસે તે ચન્દ્રમા સાથે સંપૃક્ત થાય છે તે દિવસે સ્ત્રીઓ ઉપવાસ કરી સવારસાંજ પ્રતિક્રમણ કરે છે. આ વ્રત ૧૪ વર્ષ અને ૧૪ મહિના ચાલે છે. આ વ્રત ગુજરાતમાં સ્ત્રીઓ જ કરે છે પરંતુ આ કથામાં સ્ત્રીપુરુષ બન્નેએ આ વ્રતનું પાલન કરવાનું વિધાન છે તથા તેને ૭ વર્ષ અને ૭ મહિના સુધી પાલન કરવાનું કહ્યું છે. આ કૃતિની રચના તપાગચ્છીય વિજયસેનસૂરિના શિષ્ય સોમકુશલગણિના શિષ્ય કનકકુશલગણિએ સં. ૧૬૫૬માં કરી હતી. કનકકુશલે અન્ય અનેક લઘુકૃતિઓની રચના કરી છે. પૌષદશમીકથા – પૌષ મહિનાની કૃષ્ણ દશમીના દિવસે ભગવાન પાર્શ્વનાથનું જન્મકલ્યાણક છે. તે દિવસના વ્રતનું માહાત્મ્ય જણાવવા માટે શેઠ સૂરદત્તની કથા કહેવામાં આવી છે. તે અન્ય મતાવલંબી હતો અને દુર્ભાગ્યવશ તેની સારી નિધિ જતી રહેવાથી તે ગરીબ બની ગયો હતો. તેણે પૌષ કૃષ્ણ દશમીના દિવસે પાર્શ્વનાથની આરાધના કરીને સારી નિધિને પુનઃ પ્રાપ્ત કરી લીધી હતી. આ કથાનક ઉપર કોઈ જિનેન્દ્રસાગરે રચેલી’, દયાવિમલના શિષ્ય મુક્તિવિમલે રચેલી (સં. ૧૯૭૧) અને એક અજ્ઞાતકર્તાએ રચેલી કૃતિઓ મળે છે. મુક્તિવિમલની રચના સંસ્કૃત ગદ્યમાં છે. તેમાં વચ્ચે વચ્ચે અનેક સંસ્કૃત પો ઉદ્ભુત છે. જૈન કાવ્યસાહિત્ય મેરુત્રયોદશીકથા – માઘ કૃષ્ણ ત્રયોદશીને મેરુત્રયોદશી કહે છે. આ દિવસે પાંચ મેરુ પર્વતોની નાની આકૃતિ બનાવીને પૂજવાથી જે ફળ મળે છે તેનું માહાત્મ્ય રાજા અનન્તવીર્ય અને રાણી પ્રીતિમતીના પુત્ર પાંગુલની પંગુતા દૂર થઈ જવા દ્વારા દર્શાવ્યું છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૩૪; જૈન આત્માનન્દ સભા (ગ્રન્થાંક ૩૬), ભાવનગર, સં. ૧૯૦૧; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૨, આ કથાનો પૂરો અનુવાદ અને વિવરણ હેલેન એમ. જોનસને અમેરિકન ઓરિયન્ટલ સોસાયટીની પત્રિકાના ભાગ ૬૮, પૃ. ૧૬૮-૧૭૫માં પ્રકાશિત કરેલ છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૨૫૭ ૩. યશોવિજય જૈન ગ્રન્થમાલા, બનારસથી પ્રકાશિત – પર્વકથાસંગ્રહ, ભાગ ૧, ૨૪૩૬. ૪. દયાવિમલ જૈન ગ્રન્થમાલા, અમદાવાદ, ૧૯૧૮-૧૯. વીર સં. Page #391 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય આ કથાનકને લઈને એક રચના ખરતરગચ્છીય અમૃતધર્મના શિષ્ય ક્ષમાલ્યાણે સં. ૧૮૬૦માં, બીજી લબ્ધિવિજયે અને ત્રીજી મુક્તિવિમલે (વિ.સં.૧૯૭૧ માઘ શુક્લ પંચમીના દિને) કરી છે. બે અજ્ઞાતકર્તૃક રચનાઓ પણ મળે છે. મુક્તિવિમલની રચનામાં પ્રશસ્તિપદ સહિત ૩૨૨ ૫ધ છે. સુગન્ધદશમીકથા – ભાદ્રપદ શુક્લ દશમીને સુગન્ધદશમી કહે છે. આ દિવસે વ્રત કરવાથી, ધૂપ આદિથી પૂજા કરવાથી શારીરિક કુષ્ઠવ્યાધિ, દુર્ગન્ધિ આદિ રોગ દૂર ભાગે છે. આ વ્રતના માહાત્મ્યને પ્રગટ કરવા માટે સંસ્કૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં લખાયેલી અનેક રચનાઓ મળે છે. તેમાં એક ૧૬૧ સંસ્કૃત શ્લોકોમાં નિબદ્ધ છે. તેમાં તિલકમતી નામની વિણત્રીની કથા છે. તે પોતાના પૂર્વભવમાં મુનિને કડવી તુંબડીનો આહાર દઈને અનેક દુર્ગતિઓમાં ગઈ અને આ વ્રતના પ્રભાવે સુગતિ પામી. તિલકમતીની અપરમાની કપટજાળની યોજનાએ આ કથાને ખૂબ કૌતુકવર્ધક બનાવી દીધી છે. તેના કર્તા અનેક વ્રતકથાઓ અને તત્ત્વાર્થવૃત્તિ આદિ ગ્રન્થોના લેખક શ્રુતસાગર છે. તે વિદ્યાનન્તિ ભટ્ટારકના શિષ્ય હતા. તેમનો પરિચય અન્યત્ર આપી દીધો છે. તેમનો સમય સં. ૧૫૧૩ અને ૧૫૩૦ વચ્ચેનો છે એવું અનુમાન કરાય છે. ૩૬૯ સુગન્ધદશમીકથા ઉપર એક અજ્ઞાતકર્તૃક રચના મળે છે.પ હોલિકાવ્યાખ્યાન આ ગદ્યમયી સંસ્કૃત રચના છે. તેના કર્તા અભિધાનરાજેન્દ્રના સંકલયિતા આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિ છે. તેમાં ફાલ્ગુન શુક્લ - ૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૫; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૯ ૨. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૧૭ ૩. દયાવિમલ ગ્રન્થમાલા, જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ, ૧૯૧૯ ૪. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી વિ.સં.૨૦૨૧માં પ્રકાશિત અને ડૉ. હીરાલાલ જૈન દ્વારા સંપાદિત સુગન્ધદશમી (અપભ્રંશ) કથાની સાથે પૃ.૩૦-૪૮માં હિંદી અનુવાદ સહિત. ૫. જિનરત્નકોશ, પૃ.૪૪૪ ૬. રાજેન્દ્રસૂરિ સ્મૃતિગ્રન્થ, પૃ. ૯૨-૯૪, રાજેન્દ્રપ્રવચન કાર્યાલય, ખુડાલાથી પ્રકાશિત Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જૈન કાવ્યસાહિત્ય પક્ષમાં અશ્લીલતાપૂર્ણ રીતે ઉજવવામાં આવતા હોળી પર્વની ઉત્પત્તિ જૈન માન્યતા અનુસાર કેવી રીતે અને કેમ થઈ છે તે જણાવ્યું છે. ઉક્ત આચાર્યની કથાત્મક રચનાઓમાં દીપમાલિકાકથા (સંસ્કૃત ગદ્ય) અને પંચાખ્યાનકથાસાર પણ મળે છે. તેમની અન્ય લગભગ ૬૦ જેટલી રચનાઓ મળે છે. હોળીના પર્વ ઉપર અન્ય રચનાઓમાં રજ:પર્વકથા' (હોલિરજ:પર્વકથા) તથા જિનસુન્દર, શુભકરણ, ક્ષમાકલ્યાણ, માલદેવ, માણિક્યવિજય, પુણ્યસાગર અને ફત્તેન્દ્રસાગર આદિ કૃત હુતાશનીકથા અને હોલિકાપર્વકથાઓ મળે છે. સ્તોત્રકથાઓ – વ્રતો, તીર્થો, પર્વો અને પૂજાના માહાત્મવર્ણનની જેમ જ અનેક પ્રમુખ સ્તોત્રોનું માહાસ્ય પ્રગટ કરવા માટે સ્તોત્રકથાઓ પણ રચવામાં આવી છે. ભક્તામરકથા – આ નામની કૃતિઓ કેટલાય કર્તાઓની મળી છે. તેમાં સૌપ્રથમ રુદ્રપલ્લીયગચ્છના ગુણાકર અપનામ ગુણસુન્દરસૂરિએ રચેલી કથા છે, તેનો રચનાસંવત ૧૪૨૬ છે. તેમાં ૪૪ પદ્યોમાંથી કેટલાંક પદ્યોના માહાસ્ય ઉપર ૨૬ કથાઓ આપી છે. બીજી કથાકૃતિ બ્રહ્મ. રાયમલ્લકૃત છે, તેને તેમણે સં. ૧૯૬૭માં રચી છે. એક અન્ય ભક્તામર સ્તોત્રચરિત્ર વિશ્વભૂષણકૃત ઉપલબ્ધ છે. વિશ્વભૂષણ અનન્તભૂષણના શિષ્ય હતા. એક અજ્ઞાતકર્તક ભક્તામરસ્તોત્રમંત્રકથાનો ઉલ્લેખ મળે છે. • ઉવસગ્ગહપ્રભાવકથા – આમાં પ્રસિદ્ધ સ્તોત્ર ઉવસગ્ગહરના માહાભ્યનું વર્ણન કરવા માટે તપાગચ્છીય સુધાભૂષણના શિષ્ય જિનહર્ષસૂરિએ કથાઓ લખી ૧. જિનરત્નકોશ, પૃ. ૩૨૬ ૨. એજન, પૃ. ૪૬૨ ૩. એજન, પૃ. ૪૬૩ ૪. એજન, પૃ. ૨૯૦; દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, કન્યાંક ૭૦, મુંબઈ, સં. ૧૯૮૮. ૫. એજન, પૃ. ૨૮૮-૨૮૯ ૬. એજન, પૃ. ૨૮૯ Page #393 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૭૧ છે. તેની પ્રાચીનતમ પ્રતિનો લેખનસંવત ૧૫૩૯ આપવામાં આવ્યો છે. આ માહાભ્ય દર્શાવવા તેમણે પ્રિયંકર રાજાની કથાનો ઉલ્લેખ કર્યો છે. રષિમંડલસ્તોત્રગતકથા – આનો કેવળ ઉલ્લેખ જ મળે છે. જે નમસ્કારકથા – પંચ મોકાર મંત્ર ઉપર સંસ્કૃત શ્લોકોમાં નમસ્કારકથા, નમસ્કારફલદષ્ટાન્ન આદિ રચનાઓનો ઉલ્લેખ મળે છે. તિથિ, વ્રત, પર્વ અને પૂજાવિષયક અન્ય કથાઓ : ગ્રન્થનામ કર્તાનું નામ અક્ષયતૃતીયાકથા કનકકુશલ (૧૭મીનો ઉત્તરાર્ધ) ક્ષમાકલ્યાણ (૧૯મી સદી) અજ્ઞાતકર્તક અક્ષયવિધાનકથા" શ્રુતસાગર (૧દમીનો પૂર્વાર્ધ) અનન્તવ્રતકથા અનન્તચતુર્દશીપૂજકથા અનન્તવ્રતવિધાનકથા અજ્ઞાત અશ્મકારપૂજા કથા (પૂજાષ્ટક) ચન્દ્રપ્રભ મહત્તર (સં.૧૪૮૧), ૧૦ ( ” ) અજ્ઞાત ૧૧ ( ” ) અજ્ઞાત (પ્રાકૃત, ૧૦૦૦ ગ્રન્યાગ્ર) અષ્ટાતિકાથા અનન્તહંસ (૧૬મીનો ઉત્તરાર્ધ) સુરેન્દ્રકીર્તિ, હરિણ, સમાકલ્યાણ (૧૯મી સદી) આકાશપંચમી કથા શ્રતસાગર (૧૬મીનો પૂર્વાર્ધ), અજ્ઞાત અજ્ઞાત ૧. જિનરત્નકોશ, પૃ. ૫૪-૫૫ ૨. એજન, પૃ. ૬૧ ૩. એજન, પૃ. ૨૦૧-૨૦૨ ૪. એજન, પૃ. ૧; ક્ષમાકલ્યાણકૃત- હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૭૧માં પ્રકાશિત ૫. ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૪૬૨ ૬-૮.જિનરત્નકોશ, પૃ. ૭ ૯-૧૧.એજન, પૃ. ૧૮ ૧૨-૧૩.એજન, પૃ. ૧૦. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સત્યનામ કર્તાનું નામ આદિત્યવ્રતકથા (રવિવ્રતકથા) શ્રુતસાગર (૧૬મીનો પૂર્વાર્ધ), ભાનુકીર્તિ, અજ્ઞાત ઉદ્યોતપંચમીકથા અજ્ઞાત, ટીકાકાર કનકકુશલ (૧૭મીનો ઉત્તરાર્ધ) એકાદશીવ્રતકથા ચતુઃપર્વકથા ચતુર્માસપર્વકથા" ચાતુર્માસિકપર્વકથા ચાતુર્માસિકપર્વવ્યાખ્યાન ચાતુર્માસિકવ્યાખ્યાન ૧૩ ચન્દ્રનષષ્ઠી જિનપૂજાષ્ટકવિષયકથા જિનમુખાવલોકનવ્રતકથા' ચૈત્રપૂર્ણિમાકથા દશપર્વકથા (દશપર્વકથાસંગ્રહ)ક્ષમાકલ્યાણ ૧૦ અજ્ઞાત (૧૩૭ પ્રાકૃત ગાથાઓ) માણિક્યસુન્દર અને અજ્ઞાતકર્તૃક અજ્ઞાતકર્તૃક ભાવપ્રભસૂરિ (સં.૧૭૮૨) ક્ષમાકલ્યાણ (૧૯મી સદી), સમયસુન્દર (સં.૧૬૬૫) ધર્મમન્દિરગણિ (સં. ૧૭૪૯), ૫૦૦ ગ્રન્થાગ બ્ર. શ્રુતસાગર અજ્ઞાત (પ્રાકૃત) અજ્ઞાત અમરચન્દ્ર, ટીકા જીવરાજ, સં. ૧૮૬૯ દીપમાલિકાકથા ૪ દીપોત્સવકથા૧૫ દ્વાદશપર્વકથા ત્રિભુવનકીર્તિ અજ્ઞાત નન્દીશ્વરકથા॰ (અષ્ટાહ્નિકા બ્ર. નેમિચન્દ્ર, શુભચન્દ્ર જૈન કાવ્યસાહિત્ય "" યા સિદ્ધચક્રકથા) નિઃદુઃખસપ્તમી૮ (નિર્દોષસપ્તમી) શ્રુતસાગર ૧. એજન, પૃ. ૨૮, ભટ્ટારક ૨. જિનરત્નકોશ, પૃ. ૪૬ ૬-૮.એજન, પૃ.૧૨૨ ૧૧.એજન, પૃ. ૧૩૫ ૧૬.એજન, પૃ. ૧૮૪ ૧૭.એજન, પૃ. ૨૦૦, ૨૧૦; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૩૭૪. ૧૮. ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૭૪ સમ્પ્રદાય, પૃ. ૧૬૩, ૨૯૦, ૪૪૩ ૩. એજન, પૃ. ૬૧ ૯.એજન, પૃ. ૧૧૮ ૧૨. એજન, પૃ. ૧૬૮ ૪-૫.એજન, પૃ. ૧૧૩ ૧૦. એજન, પૃ. ૧૩૫ ૧૩-૧૫.એજન,પૃ.૧૭૫ Page #395 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ગ્રન્થનામ પર્વકથા પર્વકથા પર્વકથાસંગ્રહ પલ્યવિધાનવ્રતોપાખ્યાનકથા પુષ્પાંજલીકથા ભાનુસપ્તમીકથા મુક્તાવલિકથા* મેઘમાલા મેઘમાલાવ્રતાખ્યાન મેરુપંક્તિકથા મેરુત્રયોદશીવ્યાખ્યાન માર્ગશીર્ષએકાદશી૧૧ મૌનએકાદશીકથા૧૨ લક્ષણપંક્તિકથા વ્રતકથાકોશ૧૯ ૧-૩.જિનરત્નકોશ, પૃ. ૨૪૦ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૯૪ ૭-૮.જિનરત્નકોશ, પૃ. ૩૧૫ ૧૦.જિનરત્નકોશ, પૃ. ૩૧૫ ૧૨-૧૩.એજન, પૃ. ૩૧૬ ૧૬.એજન, પૃ. ૩૨૯ ૧૮.ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૭૫ કર્તાનું નામ અજ્ઞાત (પ્રાકૃત) અજ્ઞાત (સંસ્કૃત) વિજયલક્ષ્મીકૃત ઉપદેશપ્રાસાદનો એક અંશ, ૮ પર્વોની કથા શ્રુતસાગર (૧૬મી સદી) શ્રુતસાગર (૧૬મી સદી) અજ્ઞાત મતિસાગર અજ્ઞાત, શ્રુતસાગર અજ્ઞાત મૌનવ્રતકથા૧૩ રત્નત્રયવિધાનકથા ૪ રત્નત્રયવ્રતકથા૧૫ રક્ષાબન્ધનકથા' (વિષ્ણુકુમારકથા)સકલકીર્તિ રાત્રિભોજનત્યાગકથા શ્રુતસાગર ક્ષમાકલ્યાણ (સં.૧૮૬૦) રવિસાગર, સૌભાગ્યનન્દ્રિ, ધીરવિજયગણિ, ધનચન્દ્ર, ક્ષમાકલ્યાણ ગુણચન્દ્રાચાર્ય ૩૭૩ બ્ર. નેમિદત્ત, હેમસેન, બ્ર.જિનદાસ દેવેન્દ્રકીર્તિ, ધર્મચન્દ્ર, મલ્લિષણ, શ્રુતસાગર ૪. ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૭૪ ૬. ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૪૫૧ ૯. ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૭૫ ૧૧. એજન, પૃ. ૩૦૭ ૧૪-૧૫. એજન, પૃ. ૩૨૭ ૧૭.એજન, પૃ. ૩૩૧ ૧૯.જિનરત્નકોશ, પૃ. ૩૬૮ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શરદુત્સવકથા શ્રવણદ્વાદશીકથા ષોડશકારણકથા સપ્તદશપ્રકારકથા સિદ્ધચક્રકથા ભટ્ટારક સિંહનન્દિ શ્રુતસાગર શ્રુતસાગર માણિક્યસુન્દર શુભચન્દ્ર, અજ્ઞાત અદ્ભુત કથાઓ 'E વિક્રમાદિત્યવિષયક કથાનક – વિ.સં.૧૨૦૦થી ૧૫૦૦ વચ્ચે ત્રણસો વર્ષોમાં વિક્રમાદિત્યની પરંપરાને લઈને જૈન કવિઓએ બહુવિધ સાહિત્યનું સર્જન કર્યું છે. વિ.સં.૧૨૦૦ પહેલાં જૈન સાહિત્યમાં વિક્રમના ઉલ્લેખો બહુ થોડા મળે છે. પરંતુ તેના નગ૨ ઉજ્જયિનીનું પ્રાચીન જૈન સાહિત્યમાં પ્રચુર પ્રમાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. વિક્રમ સંબંધી જૈન પરંપરાનું ઉદ્ગમસૂત્ર સિદ્ધસેને રચેલી મનાતી એક ગાથા છે, તેમાં સિદ્ધસેન વિક્રમાદિત્યને કહે છે કે ૧૧૯૯ વર્ષ વીત્યા પછી તમારા જેવો એક રાજા (કુમારપાળ) થશે. આ ગાથા અવશ્ય કોઈએ કુમારપાળની દાનશીલતા અને દયાની કીર્તિ ફેલાયા પછી જ લખી હશે. લાગે છે કે તેના પૂર્વવર્તી કાળમાં અતીત જૈન રાજાઓમાં વિક્રમને સમાવિષ્ટ કરવામાં આવ્યા ન હતા કારણ કે તે અવિવેકી રાજા હતો, તે એવા સાહસિક કાર્યો કરતો હતો જેમાં તેના શત્રુઓનો નિર્મમ વધુ તે કરતો હતો; આવું તેનું ચિત્ર હતું. તેથી તે ઉદાર અને ધાર્મિક રાજાઓની પંક્તિમાં સ્થાન ન પામી શક્યો. પરંતુ વિક્રમના સ્વભાવનું એક બીજું પાસું પણ હતું અને તે હતું પોતાનાં સાહસિક કાર્યો દ્વારા નિઃસ્પૃહભાવે જનસેવા કરવી તે. આ ઉદેશ સાચા જૈન રાજાના આદર્શો સાથે પૂરેપૂરો મેળ ખાય છે. વિક્રમ સાધારણ વ્યક્તિના માટે પણ, પછી ભલેને તે તેનો ઘોર શત્રુ પણ કેમ ન હોય, પોતાનું સર્વસ્વ ત્યાં સુધી કે પોતાના જીવનનું બલિદાન દેવા પણ તૈયાર થઈ જતો. ઉપરાંત, તે ઉદાર હૃદયવાળો રાજા હતો, તેનામાં અસીમ કરુણા ભરી હતી. ૧. એજન, પૃ. ૩૭૮ ૩. જિનરત્નકોશ, પૃ. ૪૦૫ ૪.એજન, પૃ. ૪૧૫ ૫. એજન, પૃ. ૪૩૬ ६. पुन्ने वाससहस्से सयम्मि वरिसाण नवनवइ अहिए । हो कुमरनरिन्दो तुह विक्कमराय सारिच्छो ॥ - ૨.ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૭૪ પ્રબન્ધચિન્તામણિ, પૃષ્ઠ ૮, પઘ ૮ જૈન કાવ્યસાહિત્ય Page #397 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૭૫ કુમારપાળના ઉદય પછી તેના જેવા રાજા વિક્રમાદિત્યના જીવનના ઉક્ત પાસાએ જૈન કવિઓને આકર્ષ્યા અને તેને પરમ દાની તથા અનેકવિધ અલૌકિક શક્તિઓનો પુંજ માન્યો. દાનના માટે તેને સુવર્ણપુરુષની પ્રાપ્તિની તથા અલૌકિક કાર્યો માટે તેની અગ્નિવેતાલની સિદ્ધિની કલ્પના કરવામાં આવી છે. કુમારપાળના પછી સો વર્ષ બાદ તો વિક્રમ એક આદર્શ જૈન રાજા જ મનાયા. - સં. ૧૨૦૦ પછી વિક્રમને દાન્ત રૂપે રજૂ કરનારો ગ્રંથ છે સોમપ્રભાચાર્યનો કુમારપાલપ્રતિબોધ (સં.૧૨૪૧). તેમાં વિક્રમના પરપુરપ્રવેશની નિન્દા તથા તેના પરોપકાર-દયાભાવોની પ્રશંસા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેણે સુવર્ણપુરુષ દ્વારા યાચકોને સુખી કર્યા હતા અને વિવિધ ઋદ્ધિઓ દ્વારા પ્રજાની ઉન્નતિ કરી હતી. ત્યાર પછી પ્રભાચન્દ્રના “પ્રભાવક ચરિત' (સં.૧૩૩૪)માં અનેક વાતો વિક્રમ વિશે કહેવામાં આવી છે, જેમકે ભૃગુપુર (ભરૂચ) તીર્થનો ઉદ્ધાર, વાયટમાં મહાવીર જિનાલયનું નિર્માણ, તેને ધર્મલાભ કહેતાં જ સિદ્ધસેનને એક કરોડ રૂપિયા આપવા, વગેરે. મેરૂતુંગે “પ્રબન્ધચિન્તામણિ' (સં.૧૩૬૧)માં વિક્રમ વિશે સૌપ્રથમ એક સ્વતંત્ર પ્રબન્ધ રચ્યો છે. તેમાં તેને જન્મથી દરિદ્ર, બાલ્યકાળમાં રાજ્યમાંથી નિષ્કાસિત અને પછી તેને રાજ્યપ્રાપ્તિ, તેના અનેક ચમત્કારો વગેરેની વાતો કહેવામાં આવી છે. જિનપ્રભસૂરિના વિવિધતીર્થકલ્પમાં (સં.૧૩૬પ-૧૩૯૦) જો કે વિક્રમનું જીવનવૃત્ત આપ્યું નથી પરંતુ વિવિધ પ્રસંગોએ તેને જૈન ધર્મના પ્રસારકના રૂપમાં દર્શાવવામાં આવેલ છે. તેવી જ રીતે રાજશેખરના પ્રબન્ધકોશ'માં (સં.૧૪૦૫) વિક્રમાદિત્યનું સ્વતંત્રપણે જીવનવૃત્ત આપવામાં નથી આવ્યું પરંતુ તેના અનેક જીવનપ્રસંગોને સંકલિત કરવામાં આવ્યા છે. તેમાં વિક્રમાદિત્યના પુત્ર વિક્રમસેનની કથાના પ્રસંગમાં ચાર પુતળીઓની કથા આપવામાં આવી છે, તે ચારમાંથી ત્રણ તો કથાસરિત્સાગરમાં કહેવાયેલી “વેતાલપંચવિશતિ'ની કથા સાથે મેળ ખાય છે. પ્રબન્ધસાહિત્યમાં વિક્રમાદિત્યના લઘુચરિત્રની સાથે વિશેષપણે અનેક લોકકથાઓ ગૂંથવામાં આવી છે.' ૧. વિશેષ વિવરણ માટે જુઓ વિક્રમ વોલ્યુમ, સિંધિયા પ્રાચ્ય પરિષદુ, ઉર્જનથી સને ૧૯૪૮માં પ્રકાશિત, પૃ. ૬૩૭૬૭૦ ઉપર હરિ દામોદર વેલકરનો લેખ “વિક્રમાદિત્ય ઈન જૈન ટ્રેડિશન'. ઉક્ત ગ્રન્થમાં વિક્રમાદિત્યની ઐતિહાસિકતા ઉપર અનેક મહત્ત્વપૂર્ણ લેખ છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ 398 જેન કાવ્યસાહિત્ય ૧.વિક્રમચરિત વિક્રમાદિત્યના ચરિત્રનું સ્વતંત્ર અને સર્વાગીણ જૈન રૂપાન્તર સૌપ્રથમદેવમૂર્તિ ઉપાધ્યાયકૃત વિક્રમચરિત્રમાં (સંસ્કૃત) જોવા મળે છે. તેમાં ૧૪સર્ગ છે, તેમાં વિભિન્ન છંદોમાં રચાયેલા કુલ મળીને ૪૮૨૦ શ્લોકો છે. આ સર્ગોમાં ક્રમશઃ ૯૪, ૧૩૨, ૨૦૦, ૬૮૫, ૨૪૪, ૨૯૦, ૨૨૩, ૨૪૯, ૧૫૯, ૩૩૯, ૬૮૨, ૧૪૦, ૨૪૨ અને ૧૧૪૦ શ્લોકો છે. પ્રથમ સર્ગમાં વિક્રમનો જન્મ અને બાલ્યકાલ આલેખાયો છે. બીજા સર્ગમાં વિક્રમની રોહણગિરિની યાત્રા અને અગ્નિવેતાલની પ્રાપ્તિતથા અવન્તિના રાજ્યની પ્રાપ્તિ વર્ણવાઈ છે. ત્રીજા સર્ગમાં સ્વર્ણપુરુષની પ્રાપ્તિનું વર્ણન છે. ચોથા સર્ગમાં પંચદંડ છત્રની પ્રાપ્તિનું વર્ણન છે. પાંચમા સર્ગમાં દ્વાદશાવર્ત વંદનની જૈન કથાઓ આપવામાં આવી છે. છઠ્ઠા સર્ગમાં વિક્રમનું પેલી રાજકુમારી પાસે જવું જે રાજકુમારી એવા પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છે છે કે જે પુરુષ તેને રાત્રિમાં ચાર વાર્તાઓ સંભળાવીને જાય-નિરૂપણ છે. સાતમા સર્ગમાં વિક્રમ અને સિદ્ધસેનની કથા આપી છે. આઠમા સર્ગમાં વિક્રમના રાજકુમારી હંસાવલી સાથેના વિવાહનું આલેખન છે. નવમા સર્ગમાં વિક્રમ દ્વારા પરપુરપ્રવેશવિદ્યાની વાત છે. દશમા સર્ગમાં રત્નચૂડની કથા આવે છે. અગીઆરમાં સર્ગમાં વિક્રમની વિવિધ શક્તિઓ સંબંધી કથાઓ છે. બારમા સર્ગમાં કીર્તિસ્તંભના નિર્માણ સંબંધી વિવિધ વાર્તાઓ છે. તેરમા સર્ગમાં વિક્રમ અને શાલિવાહન સંબંધી કથા છે. અને ચૌદમા સર્ગમાં વિક્રમસેન અને સિંહાસન સંબંધી બત્રીસ કથાઓ વર્ણવાયેલી છે. ઉપર્યુક્ત વિવરણથી જાણવા મળે છે કે દેવમૂર્તિએ વિક્રમ વિશેની તે બધી લોકકથાઓનો સંગ્રહ કર્યો છે જે તેમની પહેલાં જૈન પરંપરાને જ્ઞાત હતી. સાથે સાથે તેમણે વિક્રમના જીવનવૃત્તના ચિત્રને પૂરું કરવા માટે લગભગ પાંચ અધ્યાય વધારામાં જોડી દીધા છે. આ કાવ્યમાં વિક્રમને પાકા જૈન ભક્ત રાજા તરીકે ચીતરવામાં આવેલ છે અને શ્રાવક માટે દર્શાવાયેલાં બધાં વ્રતોનું પાલન કરનાર તથા પોતાના પ્રત્યેક સાહસિક કાર્યનાં આરંભ-સમાપ્તિમાં જૈન તીર્થંકર યા દેવી-દેવતાઓની પૂજા કરનાર તરીકે દર્શાવેલ છે. આ રીતે ધાર્મિક જૈન રાજાઓ વચ્ચે વિક્રમનું સ્થાન દેવમૂર્તિએ અન્તિમ રૂપમાં સુરક્ષિત કરી દીધું છે અને પ્રાયઃ જૈન પાઠાન્તરવાળી સિંહાસન સંબંધી ૩૨ કથાઓને પણ તેના જીવન સાથે જોડી દીધી છે પરંતુ તે કથાઓને સિંહાસનદ્ધાત્રિશિકાના રૂપમાં નથી કહેવામાં આવી. આ કથાઓમાં ક્યાંક ક્યાંક દેવમૂર્તિએ પરિવર્તનો પણ કર્યા છે. | વિક્રમાદિત્ય સંબંધી જૈન કથાઓમાં એક અદ્દભુત કથા પંચદંડચ્છત્રની કથા છે. જો કે જૈન પ્રબન્ધોમાં (પ્રબન્ધચિન્તામણિ આદિમાં) તેનો ઉલ્લેખ નથી કરવામાં ૧, જિનરત્નકોશ, પૃ. ૩૪૯; તેની હસ્તલિખિત પ્રતિ હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમન્દિર, પાટણમાં ઉપલબ્ધ છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૭૭ આવ્યો પરંતુ કેટલાય જૈન લેખકોએ તેના ઉપર સ્વતન્ત્ર રચનાઓ કરી છે.' દેવમૂર્તિએ આ કથાને પોતાના કાવ્યના ચોથા સર્ગમાં આપી છે. કતો અને રચનાકાળ – આ કૃતિના કર્તા દેવમૂર્તિ છે. તે કાસદ્રહગચ્છના દેવચન્દ્રસૂરિના શિષ્ય હતા. કૃતિની રચના સં. ૧૪૭૧ યા ૧૪૭૫ લગભગ કરવામાં આવી છે. તેમની અન્ય રચના રોહિણેયકથા પણ મળે છે. ૨. વિક્રમચરિત – વિક્રમાદિત્ય સાથે જોડાયેલી પ્રચલિત લોકકથાઓના સંગ્રહરૂપે શુભશીલગણિકૃત બીજી રચના મળે છે. આ રચના ૧૨ અધ્યાયોમાં વિભક્ત છે અને તેમાં કુલ મળીને ૧૮૯૭ શ્લોકો છે. રચના સરળ વર્ણનાત્મક . શૈલીમાં લખાઈ છે. તેમાં દેવમૂર્તિની પૂર્વ રચના અનુસાર જ વિક્રમનું પૂર્વ જીવનવૃત્ત દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બન્ને કૃતિઓમાં અનેક પ્રાકૃત અને અપભ્રંશ પદ્યો પ્રક્ષિત છે. આ કાવ્યની વિશેષતા એ છે કે આમાં દેવમૂર્તિની રચનાની જેમ સિંહાસન સંબંધી બત્રીસ કથાઓ આપવામાં નથી આવી પરંતુ પ્રબન્ધકોશની જેમ કેવળ ચાર કથાઓ જ આપવામાં આવી છે. આમાં વિક્રમાદિત્યના પુત્રનું નામ દેવકુમાર અપર નામ વિક્રમસેન આપવામાં આવ્યું છે. આના નવમા સર્ગમાં પંચદંડચ્છત્રની કથા આપવામાં આવી છે. - કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા તપાગચ્છીય મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલગણિ છે. તે અનેક ગ્રન્થોના લેખક છે. તેમનો પરિચય અમે આપી દીધો છે. પ્રસ્તુત વિક્રમચરિત્રની રચના સં. ૧૪૯૯માં કરવામાં આવી હતી.' ૧. આના પર કોઈ જૈનેતર લેખકની રચના મળતી નથી. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૫૦; હેમચન્દ્રાચાર્ય ગ્રન્થમાલા, અમદાવાદ, સં. ૧૯૮૧, બે ભાગોમાં પ્રકાશિત. ૩. આ કૃતિની ત્રણ હસ્તપ્રતોમાં રચના સંવત ૧૪૯૯ આપવામાં આવ્યો છે : निधाननिधिसिन्ध्विन्दुवत्सरात् विक्रमार्कतः । शुभशीलयतिश्चके चरित्रं विक्रमोष्णगोः । પરંતુ વીર ઉપાશ્રયના જ્ઞાનભંડારની પ્રતિમાં સં. ૧૪૯૦ આપવામાં આવ્યો છે : श्रीमद्विकमकालाच्च खंनिधिरत्नसंज्ञके (१४९०)। वर्षे माघे सिते पक्षे शुक्लचातुर्दशीदिने ॥ पुष्ये रवौ स्तम्भतीर्थे शुभशीलेन पण्डिता। विदधे रचितं ह्येतत् विक्रमार्कस्य भूपतेः ।। Page #400 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય અન્ય વિક્રમચરિત્રોમાં પં. સોમસૂરિકૃત (ગ્રન્થાગ્ર ૬૦૦૦) તથા સંસ્કૃત ગદ્યમાં સાધુરત્નના શિષ્ય રાજમેરુકૃત રચનાઓનો ઉલ્લેખ મળે છે અને શ્રુતસાગરકૃત વિક્રમપ્રબન્ધકથાનો પણ ઉલ્લેખ મળે છે. ३७८ વિક્રમાદિત્યની પંચદંડચ્છત્રની કથા પશ્ચિમ ભારતના જૈન લેખકોને બહુ રોચક લાગી છે અને આ પ્રસંગને લઈને તેમણે કેટલીક કૃતિઓ રચી છે. આ પ્રસંગ ઉપર જૈનેતર લેખકોની કોઈ પણ કૃતિ મળી નથી. આ જ રીતે વિક્રમ સંબંધી સિંહાસનની બત્રીસ કથાઓ અને વેતાલપંચવિંશતિકથા ઉપર પણ જૈનોએ સ્વતન્ત્ર કૃતિઓની રચના કરી છે. - પંચદંડચ્છત્રકથા – કથા નીચે પ્રમાણે છે : એક વખત રાજા વિક્રમ ઉજ્જૈનીના બજા૨માંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના સેવકોએ દામિની નામની જાદૂગરણીની દાસીને માર માર્યો, આથી નારાજ થઈને દામિનીએ પોતાની જાદૂઈ લાકડી (અભેદ્ય દંડ) વડે ભૂમિ ઉપર ત્રણ રેખાઓ દોરી, આ રેખાઓ રસ્તાને રોકતી ત્રણ દીવાલોના રૂપમાં ફેરવાઈ ગઈ. રાજાની સેના પણ તેને ન તોડી શકી. એટલે રાજાને બીજા રસ્તેથી મહેલ જવું પડ્યું. રાજાએ દામિનીને બોલાવી તો તેણે કહ્યું કે આ દીવાલોને રાજા ત્યારે જ દૂર કરી શકશે જ્યારે તે પોતાના આદેશોને પૂરા કરી પાંચ જાદૂઈ લાકડીઓ (દંડો) પ્રાપ્ત કરશે. રાજાએ તેનો સ્વીકાર કર્યો. આમ તેના અલગ અલગ પાંચ આદેશોથી વિક્રમને પાંચ જાદૂઈ દંડ મળી ગયા, તે દંડો વડે તે પેલી દીવાલો તોડી શક્યો. આ જાણી ઈન્દ્રે એક સિંહાસન મોકલ્યું, સિંહાસનમાં પાંચ દંડો ઉપર એક છત્ર લાગેલું હતું. રાજા સિંહાસન ઉપર એક શુભ દિવસે બેઠા. આ કથા ઉપર સ્વતન્ત્ર પ્રથમ રચના પંચદંડાત્મકવિક્રમચરિત્ર છે. તેની રચના સં. ૧૨૯૦ યા ૧૨૯૪માં થઈ હોવાનું દર્શાવવામાં આવે છે. પરંતુ તેના કર્તાનું નામ અજ્ઞાત છે. બીજી રચના પૂર્ણચન્દ્રસૂરિની છે.* તે સંસ્કૃત ગદ્યમાં છે. તેનો રચનાકાળ ૧૫મી ૧. જિનરત્નકોશ, પૃ. ૩૫૦ ૨. ઑલ ઈન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના સન્ ૧૯૫૯ના વિવરણ પૃ. ૧૩૧ ઈત્યાદિમાં પ્રકાશિત સોમાભાઈ પારેખનો લેખ Some Works on the Folk-tale of ü<šચ્છત્ર by Jain Authors. ૩. જિનરત્નકોશ, પૃ. ૨૨૪; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૬૧૧ ૫૨ ટિપ્પણ. ૪. જિનરત્નકોશ, પૃ. ૨૨૪, ૩૫૦ Page #401 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય સદીનો પ્રારંભ મનાય છે. તેનો ઉલ્લેખ વિક્રમપંચદંડપ્રબન્ધ યા વિક્રમાદિત્યપંચદંડચ્છત્રપ્રબન્ધ નામથી પણ થયો છે. તેનો ગ્રન્થાત્ર ૪૦૦ છે. ત્રીજી રચના સાધુપૂર્ણિમાગચ્છના અભયચન્દ્રના શિષ્ય રામચન્દ્રે ૫૫૦ શ્લોકોમાં સં. ૧૪૯૦માં કરી છે.' આ રચના અનુષ્ટુપ્ છન્દમાં કરવામાં આવી છે અને પાંચ સર્ગોમાં વિભક્ત છે. તેને વિક્રમચરિત્ર પણ કહેવામાં આવેલ છે પરંતુ તેમાં વિક્રમ દ્વારા પ્રાપ્ત કેવલ પંચદંડચ્છત્ર (સિંહાસનમાં પાંચ દંડો ઉપર લાગેલું છત્ર)ની ઘટનાનું જ વર્ણન છે. તેમાં નગરો, આભૂષણો, ખાદ્ય સામગ્રી વગેરેનાં લાંબાં વર્ણનો છે. આ રચના પરવર્તી અનેક પ્રાચીન ગુજરાતી અને રાજસ્થાની કૃતિઓનો આદર્શ રહી છે. ૩૭૯ પંચદંડચ્છત્રકથા દેવમૂર્તિકૃત વિક્રમચરિત્રના ચોથા સર્ગમાં તથા શુભશીલકૃત વિક્રમચરિત્રના નવમા સર્ગમાં પણ નિરૂપવામાં આવી છે. પંચદંડચ્છત્રપ્રબંધ નામની બે અજ્ઞાતકર્તૃક રચનાઓ પણ લગભગ ૧૫મી સદીની મળી છે. બન્ને સંસ્કૃત ગદ્યમાં છે. એક રચના દામિની જાદૂગરણીના પાંચ આદેશના સ્થાને પાંચ કાર્યોમાં વિભક્ત છે. બીજીમાં પ્રારંભમાં જ વિક્રમાદિત્યઉત્પત્તિપ્રબંધ નામે એક નાનો પ્રબંધ આપ્યો છે, તે સંભવતઃ કાલકાચાર્યકથામાંથી લીધો છે. * પ્રાકૃતમાં એક પંચદંડપુરાણ હોવાનો ઉલ્લેખ મળે છે. એક અજ્ઞાતકર્તૃક પંચદંડકથાનો પણ ઉલ્લેખ મળે છે.૫ વિક્રમાદિત્યના ચરિત્ર સાથે સંબદ્ધ વેતાલની કથારૂપ પચ્ચીસ પ્રશ્નોની ઘટના તથા વિક્રમાદિત્યના સિંહાસન ઉપર તેનો પુત્ર બેસે તે પહેલાં ૩૨ પુતળીઓએ પ્રશ્નાત્મક રૂપથી કહેલી વાર્તાઓના પ્રસંગને લઈને પણ જૈન કવિઓએ રચનાઓ ૧. એજન, હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૨, શીર્ષક ‘પંચદંડાત્મક વિક્રમચરિત્રમ્'; પ્રો. એ. વેબરે તેને જર્મન પ્રસ્તાવના સાથે રોમન લિપિમાં બર્લિનથી ૧૮૭૭માં પ્રકાશિત કરી છે. ૨. હસ્તલિખિત પ્રતિ – હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણ, સંખ્યા ૧૭૮૨. એજન, સંખ્યા ૧૭૮૦ 3. ૪. જિનરત્નકોશ, પૃ. ૨૨૪ ૫. એજન, પૃ. ૩૬૫ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જૈન કાવ્યસાહિત્ય કરી છે અને તે મળે પણ છે. આ બન્ને પ્રસંગો એક પ્રકારની અદ્ભુત કથાઓ વેતાલપંચવિંશતિકા – વિક્રમાદિત્યના ચમત્કારી જીવનવૃત્તની સાથે વેતાલની પચ્ચીસ કથાઓ બહુ પ્રાચીન કાળથી જોડાયેલી છે. ઉક્ત કથાઓ પર એક જૈન રચના પણ મળી છે, તેના કર્તા તપાગચ્છીય કુશલપ્રમોદના પ્રશિષ્ય અને વિવેકપ્રમોદના શિષ્ય સિંહપ્રમોદ છે. તેની રચના સં. ૧૬૦૨માં થઈ હતી. તેની પ્રાચીનતમ પ્રતિ સં. ૧૬૨૦ની મળી છે. સિંહાસનત્કાત્રિશિકા – ગ્રન્થાઝ ૧૧૦૦ પ્રમાણ આ સંસ્કૃત કાવ્યની રચના તપાગચ્છીય દેવેન્દ્રસૂરિના શિષ્ય ક્ષેમકરગણિએ કરી છે. તેનો રચનાસંવત તો જ્ઞાત નથી પરંતુ એક પ્રાચીનતમ પ્રતિ. સં. ૧૪૭૮ની અને બીજી સં. ૧૫૧૪ની મળી છે. બીજી રચના સંસ્કૃત ગદ્યમાં છે. તેના કર્તા સમયસુન્દર છે. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૭૨૪ની મળી છે. સિદ્ધસેન દિવાકર નામથી કલ્પિત એક ઉક્ત નામની કૃતિનો ઉલ્લેખ મળે છે અને આ જ રીતે એક અજ્ઞાતકર્તક કૃતિનો પણ. દેવમૂર્તિકૃત વિક્રમચરિત્રના ૧૪મા સર્ગમાં ૧૧૪૦ પદ્યોમાં સિંહાસનદ્વત્રિશિકાની કથા આપવામાં આવી છે. આનો ગ્રન્થાગ્ર જિનરત્નકોશમાં ૬૨૬૬ આપ્યો છે, તે બરાબર નથી કારણ કે સંપૂર્ણ વિક્રમચરિત્રનો જ પ્રાગ્ર પ૩૦૦ દર્શાવાયો છે. | વિક્રમાદિત્યની જેમ જ પ્રત્યેકબુદ્ધ અંબડના જીવનની સાથે પણ અનેક ચમત્કારી કથાઓની જાળ ગૂંથીને જૈન કવિઓએ અનેક અંબચરિતોનું સર્જન કર્યું છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૬૫ ૨. એજન, પૃ. ૪૩૬ ૩. એજન ૪. એજન ૫. સિંહાસન દ્ધાત્રિશિકાનાં જૈન રૂપાન્તરોનું તુલનાત્મક અધ્યયન કરતો અને જૈનેતર રૂપોથી અંતર દર્શાવતો અમેરિકન વિદ્વાન ફ્રેંકલિન એડગરટને લખેલો “વિક્રમ્સ એડવેન્ચર્સ નામનો બૃહદ્ ગ્રન્થ છે – હાર્વર્ડ ઑરિએન્ટલ સિરીઝ, ૨૬. Page #403 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૮૧ અંબડકથા – તેરમી શતાબ્દીની મુનિરત્નસૂરિકૃત સંસ્કૃત ગદ્યપદ્યમયી રચનામાં , અંબડની સાથે આપવામાં આવેલી કથાઓમાં વિક્રમની પંચદંડચ્છત્ર, સિંહાસનબત્રીસી તથા વેતાલપંચવિશિકાની કથાઓ જોડાયેલી મળે છે. સંભવતઃ ૧૪-૧પમી સદીમાં રચાયેલી વિક્રમાદિત્ય સંબંધી ઉક્ત કથારચનાઓમાં મુનિરત્નસૂરિકૃત અંબાચરિતનો ઘણો પ્રભાવ રહ્યો હોવો જોઈએ. આ કથાગ્રન્થમાં અંબડને ગોરખયોગિનીના સાત આદેશોનું પાલન કરી ધન, વિદ્યા, ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરતો આપણે દેખીએ છીએ, જેમ વિક્રમાદિત્ય દામિની જાદૂગરણના પાંચ આદેશોનું પાલન કરી ચમત્કારી પંચદંડચ્છત્ર પ્રાપ્ત કરે છે તેમ. મુનિરત્નસૂરિએ બે પદ્યોમાં આ વાત કહી પણ છે. ભોજ-મુંજકથા – વિક્રમાદિત્યની જેમ જ જૈન કવિઓએ રાજા મુંજ અને ભોજને પણ પોતાની જવાખ્યાનપ્રિયતાના વિષય બનાવ્યા છે. વિક્રમાદિત્ય સાથે જોડાયેલી સિંહાસનદ્વાત્રિશિકા કથાઓને ભોજની કથા સાથે પણ જોડવામાં આવી ૧. જિનરત્નકોશ, પૃ. ૧૫; સત્યવિજય ગ્રન્થમાલા, ગ્રન્યાંક ૧૧, સન્ ૧૯૨૮; તેનો ગુજરાતી અનુવાદ “અંબડ વિદ્યાધર રાસ' નામથી વાચકમંગલમાણિક્ય સં. ૧૬૩૯માં કર્યો છે તથા તેનું સંપાદન પ્રો. બલવન્તરાય ઠાકોરે સન્ ૧૯૫૩માં કર્યું છે. ૨. મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ (૧૯૬૮ ઈ.સ.)માં પૃ. ૧૧-૧૨૩માં પ્રકાશિત સોમાભાઈ પારેખનો ગુજરાતી લેખ અમ્બડકથાના આન્તરપ્રવાહો' જુઓ. . આ લેખમાં કથાનું તુલનાત્મક વિવરણ છે. 3. यत्पुर्यामुज्जयिन्यां सुचरितविजयी विक्रमादित्यराजा वैतालो यस्य तुष्टः कनकनरमदाद्विष्टरं पुत्रिकाश्रिः । अस्मिनारूढ एवं निजशिरसि दधौ पञ्चदण्डातपत्रम् चके वीराधिवीरः क्षितितलमनृणां सोऽस्मि संवत्सरङ्कः ॥ ३६ ॥ इत्थं गोरखयोगिनीवचनतः सिद्धोऽम्बडः क्षत्रियः सप्तादेशवरा सकौतुकभरा भूता न वा भाविनः । द्वात्रिंशन्मितपुत्रिकादिचरितं यद् गद्यपद्येन तत् चक्रे श्रीमुनिरत्नसूरिविजयस्तद्वाच्यमानं बुधैः ॥ ३७॥ इत्याचार्यश्रीमुनिरत्नसूरिविरचिते अम्बडचरिते गोरखयोगिनीदत्तसप्तादेशकर-अम्बडकथानकं અપૂર્ણમ્ | Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ છે અને દર્શાવ્યું છે કે વિક્રમના મૃત્યુ પછી તેનું સિંહાસન એક ખેતરમાં છુપાવી દેવામાં આવ્યું હતું. તે ખેતરનો માલિક સિંહાસનના ચોતરા પર બેસી પોતાના ખેતરની દેખભાળ કરતો હતો. તે ખેતર ખૂબ જ ઉપજાઉ હતું. રાજા ભોજને આ ખબર પડી એટલે તેણે તે ખેતર ખરીદી લીધું અને તે ચોતરાને તોડાવી રાજા વિક્રમના ચમત્કારી સિંહાસનને મેળવ્યું. તે સિંહાસન પર બેસતાં પહેલાં ભોજને સિંહાસનની રક્ષા કરનારી બત્રીસ દેવીઓની પ્રશ્નાત્મક કથાઓ દ્વારા પોતાની પરીક્ષા આપવી પડી, તેમાં સફળ થયા પછી જ તે તેના ઉપર બેસી શક્યો. આ કથા દ્વારા વિક્રમાદિત્યના માહાત્મ્ય સમાન ભોજનું માહાત્મ્ય દર્શાવાયું છે. ભોજના ચરિત્રને બીજા પ્રકારનાં જનાખ્યાનો સાથે ગૂંથીને સ્વતન્ત્ર કૃતિઓની પણ રચના કરવામાં આવી છે. તેમાં જૈનેતર રચનાઓમાં બલ્લાલકૃત ‘ભોજપ્રબંધ’ પ્રસિદ્ધ છે. જૈન કાવ્યસાહિત્ય ૨ ભોજચરિત આ વિષયની જૈન કૃતિઓમાં રાજવલ્લભકૃત આ કૃતિ સૌથી પ્રાચીન છે. આ કૃતિ પાંચ પ્રસ્તાવોમાં વિભક્ત છે. તેમાં કુલ મળીને ૧૫૭૫ શ્લોકો છે. તેમાંથી ૩૫ અપભ્રંશમાં છે અને બાકીના સંસ્કૃતમાં છે. સંસ્કૃત શ્લોકોમાં પણ પ્રાકૃત શબ્દો ક્યાંક ક્યાંક મળે છે. શ્લોકો અધિકાંશ અનુષ્ટુપ્ છંદમાં છે પણ ક્યાંક ક્યાંક ઈન્દ્રવજા, ઉપેન્દ્રવજા, શાલિની, વસન્તતિલકા, શાર્દૂલવિક્રીડિત આદિ છંદોમાં નિબદ્ધ શ્લોકો બીજી કૃતિઓમાંથી ઉદ્ધરણરૂપે લીધેલા છે. આમાં વર્ણવાયેલી લોકકથાઓનો આધાર, પ્રબન્ધચિન્તામણિ અને કથાસરિત્સાગર છે. સાહિત્યિક દૃષ્ટિએ આ રચના સાધારણ કોટિની છે. તેમાં અનેક ભાષાવિષયક તથા ભૌગોલિક ત્રુટિઓ ભરી પડી છે. પરંતુ ભોજના સંબંધમાં ત્રણ શીર્ષો (કપાલો) અને બે રાક્ષસો દ્વારા ચમત્કારિકતા દર્શાવાઈ છે. ભોજના પરકાયપ્રવેશની કથા ચોથા પ્રસ્તાવમાં આપવામાં આવી છે. પાંચમા પ્રસ્તાવમાં ભોજના પુત્રો દેવરાજ અને વત્સરાજનાં સાહસિક કાર્યોનું વર્ણન છે. ૧. એડગરટન, વિક્રમ્સ એડવેંચર્સ, હાર્વર્ડ ઓરિ. સિરીઝ, ૨૬, ઈ.સ.૧૯૨૬. ૨. જિનરત્નકોશ, પૃ. ૨૯૨; ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી ડૉ. બહાદુરચન્દ્ર છાબડા અને શંકરનારાયણન્ દ્વારા સંપાદિત, અંગ્રેજીમાં વિવરણાત્મક ટિપ્પણ, પ્રસ્તાવના, સં. ૨૦૨૦. 4 Page #405 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય તેને જૈન કથાઓમાં અન્નદાનનું માહાત્મ્ય પ્રગટ કરવા માટે જોડવામાં આવી છે (વરિત્રમન્નવાનસ્થ ર્વે ૌતૂહલપ્રિયમ્). આ દૃષ્ટિએ કવિની આ કૃતિ શતાબ્દીઓ સુધી સતત જૈન સંપ્રદાયમાં પ્રિય રહી છે. કવિએ ભોજ સમ્બન્ધી અનેક ઐતિહાસિક તથ્યોના વિશ્લેષણમાં મૌલિકતા દર્શાવી છે. કર્તા અને રચનાકાળ ભોજચરિત્રના પ્રત્યેક પ્રસ્તાવના અંતે કર્તાનું નામ રાજવલ્લભ પાઠક આપ્યું છે, તે ધર્મઘોષગચ્છના મહીતિલકસૂરિના શિષ્ય હતા. રચનાના કાલનિર્ણયના સંબંધમાં બે બાબતોથી મદદ મળે છે : એક તો મહીતિલકસૂરિનો ઉલ્લેખ કરતા સં. ૧૪૮૬થી ૧૫૧૩ સુધીના શિલાલેખો મળ્યા છે. બીજી બાબત એ કે તેની પ્રાચીનતમ હસ્તપ્રત સં,૧૪૯૮ની મળી છે. તે ઉપરથી એ નિશ્ચિત થાય છે કે કૃતિની રચના રાજવલ્લભે સં. ૧૪૯૮ પહેલાં અવશ્ય કરી દીધી હતી. ૩૮૩ રાજવલ્લભની અન્ય રચનાઓમાં ચિત્રસેન-પદ્માવતી (સં.૧૫૨૪) અને ખડાવશ્યકવૃત્તિ (સં.૧૫૩૦) મળે છે. ભોજપ્રબંધ – ઉક્ત રાજવલ્લભના સમકાલીન શુભશીલગણિએ એક અન્ય ભોજપ્રબંધની રચના કરી છે, તેનો ગ્રન્થાત્ર ૩૭૦૦ દર્શાવવામાં આવ્યો છે. શુભશીલગણિ તપાગચ્છીય સોમસુન્દરના પ્રશિષ્ય અને મુનિસુન્દરના શિષ્ય હતા. તેમની વિક્રમચરિત્ર, ભરતેશ્વરબાહુબલિવૃત્તિ વગેરે અનેક કથાત્મક રચનાઓ મળે છે. એક બીજા ભોજપ્રબંધની રચના સં. ૧૫૧૭માં રત્નમંડનગણિએ કરી છે. આ પ્રબંધમાં ભોજના મનાયેલા બે પુત્રોની કથાઓ પ્રમુખ હોવાથી તેને દેવરાજપ્રબંધ યા દેવરાજ-વત્સરાજપ્રબંધ પણ કહે છે." તેમની અન્ય રચનાઓમાં ઉપદેશતરંગિણી, સુકૃતસાગર તથા પૃથ્વીધરપ્રબંધ મળે છે. તેમનો પસ્ચિય પૃથ્વીધરપ્રબંધના પ્રસંગમાં આપ્યો છે. ૧. ભોજચરિતની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૧૧-૨૩. ૨. એજન, પ્રસ્તાવના, પૃ. ૫; જૈન લેખસંગ્રહ, સંખ્યા ૧૧૮૦, ૨૩૧૧, ૧૧૪૪, ૧૪૯૨ અને ૧૫૩૪; બીકાનેર જૈન લેખસંગ્રહ, સંખ્યા ૯૦૧, ૧૯૩૫. ૩. જિનરત્નકોશ, પૃ. ૨૯૯ *. એજન ૫. એજન, પૃ. ૧૭૮ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આ વિષયની અન્ય રચના ભોજપ્રબંધ સત્યરાજગણિકૃત પણ મળે છે. સત્યરાજની અન્ય રચના પૃથ્વીચન્દ્રચરિત્ર (સં.૧૫૩૫) પણ મળે છે. મેરુતુંગકૃત પ્રબંધચિન્તામણિ (સં.૧૩૬૧)માં નિરૂપવામાં આવેલ ભોજભીમપ્રબંધમાંથી ઉક્ત રચનાઓમાં મોટી મદદ લેવામાં આવી છે. આ પ્રબંધ પણ ભોજના સંબંધની અનેક લોકકથાઓથી ભરેલો છે પરંતુ તેમાં ઐતિહાસિકતાની અધિક રક્ષા કરવામાં આવી છે. ભોજના કાકા મુંજ ઉપર અદ્ભુત કથા રચાઈ છે. પ્રબંધચિન્તામણિમાં મુંજરાજપ્રબંધમાં મુંજરાજ સંબંધિત અનેક ઉક્તિઓ આપવામાં આવી છે. સ્વતન્ત્ર રચનાઓના રૂપમાં કૃષ્ણર્લિંગચ્છીય મહેન્દ્રસૂરિના શિષ્ય જયસિંહસૂરિ (સં.૧૪૨૨ લગભગ) દ્વારા રચિત મુંજનરેન્દ્રકથા તથા સં. ૧૪૭૫માં રચાયેલી એક અજ્ઞાતકર્તૃક મુંજભોજનૃપકથા મળે છે. મહીપાલકથા યા મહીપાલચરિત આ કથાનો નાયક વાસ્તવમાં અદ્ભુત કથાનો એક રાજપુત્ર છે. આ કથામાં અદ્ભુત કથા અને પૌરાણિક કથાનું સારું સમ્મિશ્રણ ક૨વામાં આવ્યું છે. આના ઉપર સંસ્કૃત અને પ્રાકૃતમાં કેટલીય રચનાઓ મળે છે.પ જૈન કાવ્યસાહિત્ય કથાવસ્તુ – મહીપાલ કોઈ દેશનો રાજા ન હતો પરંતુ ઉજ્જયિનીના રાજા નરસિંહની પાસે રહેનારો કલાવિચક્ષણ રાજપુત્ર હતો. રાજાએ તેને પોતાના મનોવિનોદ માટે રાખ્યો હતો પરંતુ તે કલાઓને શીખવા માટે જ્યાં-ત્યાં ભમતો હતો. તેથી રાજાએ નારાજ થઈને તેને કાઢી મૂક્યો. મહીપાલ પોતાની પત્ની સાથે ભમતો ભમતો ભરૂચમાં આવ્યો અને ત્યાંથી જહાજમાં બેસી કટાદ્વીપ જવા માટે નીકળી પડ્યો પરંતુ દુર્ભાગ્યવશ સમુદ્રમાં જ જહાજ તૂટી જવાથી ગમે તેમ કરીને કિનારે પહોંચ્યો અને તે કટાદ્વીપના રત્નપુર નગરમાં રહેવા લાગ્યો. ત્યાં રત્નપરીક્ષામાં પોતાની કલા દેખાડી તેણે રાજપુત્રી સાથે લગ્ન કરી લીધા અને તેની સાથે જહાજમાં બેસી પોતાની પહેલી પત્ની સોમશ્રીની શોધમાં નીકળી પડ્યો. રાજાએ પોતાની પુત્રી અને જમાઈની દેખરેખ માટે અથર્વણ નામના મંત્રીને સાથે ૧. એજન, પૃ. ૨૯૯ ૨. સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧, પૃ. ૨૫-૫૨ ૩-૪.જિનરત્નકોશ, પૃ. ૩૧૦ ૫. એંજન, પૃ. ૩૦૮; વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૩૬ ૫૩૭ Page #407 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય મોકલ્યો પરંતુ તેણે રાજપુત્રી અને ધનના લોભમાં તેને કપટથી સમુદ્રમાં નાખી દીધો. ત્યાર પછી અથર્વણ મંત્રીએ રાજપુત્રી સાથે પ્રેમ કરવા ઈછ્યું. રાજપુત્રી પણ તેને જૂઠું આશ્વાસ આપી પોતાના શીલની રક્ષા કરવા માટે ચક્રેશ્વરી દેવીની ઉપાસના કરવામાં લાગી ગઈ. આ બાજુ મહીપાલ સમુદ્રમાં પડ્યા પછી એક મોટી માછલીને આધારે કિનારે આવી ગયો અને ત્યાં તેણે રત્નસંચયપુરના રાજાની પુત્રી શશિપ્રભા સાથે લગ્ન કર્યા અને તેને ત્રણ ચમત્કારી વસ્તુઓ મળી : પહેલી જાદૂઈ શય્યા જેના પર બેસી તે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકતો હતો, બીજી જાદૂઈ લાકડી જેના વડે તે અજેય બની ગયો, અને ત્રીજી વસ્તુ તે સર્વકામિત મન્ત્ર જેનાથી તે ઈચ્છે તે રૂપ ધારણ કરી શકતો હતો. મહીપાલને તે જ નગરમાં પોતાની બે પૂર્વપત્નીઓ મળી ગઈ. તે વિદ્યાઓની મદદથી તેણે કેટલાય ચમત્કારો બતાવ્યા. તેથી પ્રસન્ન થઈને ત્યાંના રાજાએ તેને પોતાનો મંત્રી બનાવ્યો અને પોતાની પુત્રી ચન્દ્રશ્રી સાથે તેના લગ્ન કરાવી આપ્યા. ત્યાર બાદ તે પોતાની ચારે પત્નીઓને લઈને પોતાની પૂર્વ નગરી ઉજ્જયિનીના રાજા પાસે પાછો આવ્યો અને રાજાએ પણ તેના ચમત્કારો જોઈ તેનું સન્માન કર્યું. છેવટે મહીપાલે જૈની દીક્ષા લીધી અને સંયમ પાળી મોક્ષપદ પ્રાપ્ત કર્યું. મહિવાલકહા – ઉક્ત કથાનક ઉપર આ સર્વપ્રથમ રચના છે. તે પ્રાકૃતમાં છે અને તેમાં ૧૮૨૬ ગાથાઓ છે. તે અધ્યાય આદિમાં વિભાજિત નથી. તેની ભાષા સરસ અને સરળ છે. વચ્ચે વચ્ચે અનેક ઉપદેશ અને અવાન્તર કથાઓ આપવામાં આવી છે. વર્ણનપ્રસંગે નમસ્કારમન્ત્રનો પ્રભાવ, ચંડીપૂજા, શાસનદેવતા, યક્ષકુલદેવતા વગેરેની પૂજા, બલિ આદિ પ્રથાઓનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. તેના કર્તા વીરદેવગણ છે. કૃતિના અંતે ચાર ગાથાઓમાં તેમણે પોતાની કેવળ ગુરુપરંપરા જ આપી છે. તે મુજબ ચન્દ્રગચ્છમાં ક્રમશઃ દેવભદ્ર-સિદ્ધસેનમુનિચન્દ્રસૂરિ થયા. તેમના શિષ્ય પ્રસ્તુત કૃતિના કર્તા છે. આ કૃતિનો રચનાસંવત આપ્યો નથી પરંતુ કર્તાના દાદાગુરુ અને પરદાદાગુરુની કેટલીય રચનાઓ મળે છે. ચન્દ્રગચ્છના દેવભદ્રે પ્રાકૃત શ્રેયાંસચરિત્રની રચના (વિ.સં.૧૨૪૮ પહેલાં) કરી હતી અને સિદ્ધસેને સં. ૧૨૪૮ પહેલાં પદ્મપ્રભચરિત્રની તથા ઉક્ત સંવતમાં પ્રવચનોદ્વાર પર તત્ત્વવિકાશિની ટીકા અને સ્તુતિઓ રચી હતી. સંભવતઃ આ .. ૩૮૫ ૧. જિનરત્નકોશ, પૃ. ૩૦૪; હીરાલાલ દેવચન્દ્ર શાહ, શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ, સં. ૧૯૯૮. ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૩૮. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જૈન કાવ્યસાહિત્ય જ સિદ્ધસેને (સિંહસેને) સં. ૧૨૧૩માં પ્રતિષ્ઠા કરાવી હતી. આ આધારે સિદ્ધસેનના પ્રશિષ્ય વીરદેવગણિનો સમય તેરમી સદીના ઉત્તરાર્ધ આવે છે. બીજી બે રચનાઓ સંસ્કૃત કાવ્યના રૂપમાં મળે છે. એકના કર્તા ચારિત્રસુન્દરગણિ છે, તે બૃહત્તપાગચ્છમાં રત્નાકરસૂરિની પરંપરામાં અભયસિંહસૂરિ-જયતિલકરત્નસિંહના શિષ્ય હતા. વિન્ટરનિટ્સે આ કૃતિમાં ૧૪ સર્ગ હોવાનું લખ્યું છે. જિનરત્નકોશમાં તેનો ગ્રન્થાઝ ૮૯૫ શ્લોકપ્રમાણ દર્શાવ્યો છે. ચારિત્રસુન્દરે આ કાવ્યની રચના ક્યારે કરી હતી તે નિશ્ચિતપણે જાણવા મળ્યું નથી પરંતુ તે ૧૫મીના અત્તે અને ૧૬મીના પ્રારંભમાં વિદ્યમાન હતા. તેમણે શુભચન્દ્રમણિના અનુરોધથી દશ સર્ગોવાળું કુમારપાલચરિત કાવ્ય ૨૦૩૨ શ્લોકોમાં સં. ૧૪૮૭માં રચ્યું હતું અને ૧૪૮૪ કે ૧૪૮૭માં શીલદૂતકાવ્ય અને પછી આચારોપદેશની રચના તેમણે કરી હતી. તેમણે કેટલીક પ્રતિષ્ઠાઓ સં. ૧૫૨૩ સુધી કરાવી હતી. બીજી સંસ્કૃત કૃતિમાં પાંચ સર્ગ છે. તેના કર્તા છે તપાગચ્છના રત્નનન્દિના શિષ્ય ચારિત્રભૂષણ. પોતાની ગુરુપરંપરાને વિજયચન્દ્રથી પ્રારંભ કરી રત્નાકરસૂરિની પરંપરામાં અભયનન્દિ-જયકીર્તિ-રત્નનન્દિનાં નામો આપ્યાં છે. પરંતુ અભયનદિ આદિ નામ ઉક્ત ગચ્છની પરંપરામાં નથી મળતાં. તેના બદલે અભયસિંહ, જયતિલક અને રત્નસિંહ મળે છે. ચારિત્રભૂષણને બદલે ચારિત્રસુન્દરની કેટલીક કૃતિઓ મળી છે. સંભવત: ચારિત્રભૂષણ અને તેમની ગુરુપરંપરા નામ ભિન્ન હોવાથી પૃથફ રહી હોય. એ પણ સંભાવના છે કે ચારિત્રભૂષણ અને ચારિત્રસુન્દર એક જ વ્યક્તિ હોય. મુગ્ધકથાઓ ભરતકાર્નિંશિકા- આ બત્રીસ કથાઓનો સંગ્રહ છે. આ મુગ્ધ (મૂર્ખ, વિટ) ૧. પટ્ટાવલીસમુચ્ચય, પૃ. ૨૦૫ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૦૮; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૯ અને ૧૯૧૭. ૩. એજન; આ કાવ્યની હસ્તપ્રત જૈન સિદ્ધાન્ત ભવન આરામાં (ઝ/૧૩૨) ૨૪ પત્રોમાં છે; વિશેષ પરિચય માટે જુઓ – ડૉ. નેમિચન્દ્ર સાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસમેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૬૭-૬૭૧. ૪. જિનરત્નકોશ, પૃ. ૨૯૨; જે. હર્ટલ દ્વારા સંપાદિત, લિઝીગ, ૧૯૨૧; હર્ટલનો મત છે કે આ કાત્રિશિકાના લેખક ગુજરાત નિવાસી કોઈ જૈન વિદ્વાન હોવા જોઈએ. આવી કથાઓ ૪૯૨ ઈ.સ. પૂર્વે પણ મોજૂદ હતી. Page #409 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૮૭ કથાઓનું સુન્દર ઉદાહરણ છે. તેનો ઉદ્દેશ એ દર્શાવવાનો છે કે જેવી રીતે ધૂર્તો અને ઠગોનાં રહસ્યો જાણીને તેમનાથી પોતાની જાતને બચાવી લેવી જોઈએ તેવી જ રીતે મૂર્ણોની મૂર્ખતાથી પણ પોતાની જાતને બચાવવી જરૂરી છે. આમાં મુગ્ધ કથાઓના બહાને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા પુરુષને અપ્રત્યક્ષ રૂપે શિક્ષા આપવામાં આવી છે. કથાકારે પોતે જ ગ્રન્થરચનાનું પ્રયોજન પ્રગટ કર્યું છે : સંસારમાં નિઃશ્રેયસની પ્રાપ્તિના ઈચ્છુક લોકોએ સદેવ પોતાના સદાચરણના જ્ઞાનમાં વૃદ્ધિ કરતા રહેવું જોઈએ. આ સદાચરણનું પરિજ્ઞાન મૂર્ખજનોનાં ચરિતો વાંચી થઈ શકે છે. આ ચરિત્રોને લેખક પોતાની બુદ્ધિથી કલ્પિત ઘટનાઓ અને પ્રસંગોના અનર્થદર્શન દ્વારા અભિવ્યક્ત કરે છે. આ પ્રકારની અભિવ્યક્તિ તથા મૂર્ખજનો દ્વારા વ્યવહત આચરણના પરિવાર માટે લેખકે ભટકતાત્રિશિકાની રચના કરી છે. આ સંગ્રહમાં અનેક લંપટો, વંચકો, ધૂર્તોનું સરસ ચિત્રણ જોવા મળે છે. આમાં અધિકાંશ કથાઓ શૈવપંથી સાધુઓના ઉપહાસથી ભરેલી છે. પાંચમી કથામાં ગ્રામ કવિની તુલના શૈવ ઉપાસક સાથે કરવામાં આવી છે. સાતમી કથામાં એવા એક મૂર્ખ શિષ્યની કથા છે જે ધીરે ધીરે ૩૨ બાટી ખાઈ જાય છે પણ શૈવ ગુરુને એક પણ આપતો નથી. તેરમી કથામાં સ્વર્ગની ગાયની કથા છે અને સોળમીમાં એક જટાધારી શૈવ ચેલાની. આ જાતની પ્રકીર્ણ કથાઓ આગમોની નિયુક્તિઓ, ચૂર્ણિઓ અને ભાષ્યોમાં ઠેર ઠેર વિખરાયેલી પડી છે. રાજશેખરસૂરિના કથાકોશ અપરનામ વિનોદકથાસંગ્રહમાં કેટલીય કથાઓ આ શ્રેણીની છે. નીતિકથાસાહિત્ય નીતિકથાનો અર્થ છે નીતિવિષયક પાઠ શીખવનાર થાઓ. આ કથાઓમાં અધિકતર પાત્ર માનવેતર ક્ષુદ્ર પ્રાણી હોય છે. નીતિકથા એક કલ્પિત કથા છે, તેના વાચ્યકથાનકમાં કોઈ પણ પ્રકારની યથાર્થતા નથી હોતી. ૧. મરીઝ તવ પટ્ટા નંવ મુદ્દા સમુદ્ધા न पठति न गणंते नेव कव्वं कणंते ।। वयमपि न पठामो किन्तु कव्वं कुणामो। तदपि भुख मरामो कर्मणा कोऽत्र दोषः ।। ૨. મૂર્ણશિષ્યો ઊર્તવ્યો ગુરુ સુરચ્છિતા ! विडम्बयति सोत्यन्तं यथा बटकभक्षकः ।। Page #410 -------------------------------------------------------------------------- ________________ ३८८ પ્રારંભમાં લોકવ્યવહારમાં પ્રાણીઓના પણ દૃષ્ટાન્તો આપવામાં આવતાં હતાં. પ્રાણીઓનાં દૃષ્ટાન્તો સાંભળવામાં સૌને સુગમ અને ગ્રાહ્ય હોય છે. પ્રાણી પણ માનવવત્ વ્યવહાર કરી શકે છે, ક્યારેક કોઈક સમયે પ્રાણીઓ અને માનવોમાં આ ષ્ટિએ કોઈ અન્તર હતું નહિ આદિ વાતોમાં અશિક્ષિત જનસાધારણનો વિશ્વાસ હતો. જૈન કાવ્યસાહિત્ય પંચતન્ત્ર, હિતોપદેશની કથાઓને નીતિકથાઓ કહેવામાં આવે છે. પરંતુ દુર્ભાગ્યથી મૂલ પંચતન્ત્ર અપ્રાપ્ત છે. તેનાં કેવળ ઉત્તરકાલીન સંસ્કરણો જ મળે છે. જૈન કથાકારોએ પંચતંત્રની શૈલી અને વિષયથી પ્રભાવિત થઈને કથાકોશ લખ્યા છે. મલધારી રાજશેખરકૃત ‘કથાસંગ્રહ'માં પંચતંત્ર જેવી જ કથાઓ જોવા મળે છે. હેમવિજયકૃત ‘કથારત્નાકર’માં ભર્તૃહરિનાં શતકો અને પંચતંત્ર વગેરેમાંથી અનેક સૂક્તિઓ લીધી છે. એટલું જ નહિ પરંતુ પંચતંત્રનાં જૈન સંસ્કરણો પણ મળે છે. પંચતંત્રના વિશિષ્ટ અધ્યેતા જર્મન વિદ્વાન હર્ટલ અનુસાર પંચતંત્રનાં સર્વાધિક લોકપ્રિય સંસ્કરણો જૈન વિદ્વાનોએ જ તૈયાર કર્યાં છે. એક એવું સંસ્કરણ છે જેને તેના સંપાદક શ્રી કોસે ગાર્ટને Textus Simplicior નામથી વર્ણવ્યું છે. હર્ટલ અને અમેરિકન વિદ્વાન એજર્ટન અનુસાર એના લેખક કોઈ અજ્ઞાતનામા જૈન વિદ્વાન હતા. તેમનો સમય ૯૦૦થી ૧૧૯૯ સુધીનો મનાય છે. તેમાં પંચતંત્રની અનેક કથાઓનું રૂપાન્તર થઈ ગયું છે. પંચાખ્યાન યા પંચાખ્યાનક – શ્રી એજર્ટન અનુસાર આની રચના તંત્રાખ્યાયિકા અને Textus Simpliciorના આધારે કરવામાં આવી છે. આના કર્તા જૈન મુનિ પૂર્ણભદ્ર છે. આ સંસ્કરણની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પંચતંત્રની કથાઓના લૌકિક પક્ષને કોઈ હાનિ નથી પહોંચાડવામાં આવી. તેમાં પંચતંત્રનું નીતિકથાત્મક રૂપ સુરક્ષિત રખાયું છે.' આ કૃતિના અંતે આઠ પઘોની એક પ્રશસ્તિ આપી છે. તેમાં લખ્યું છે કે વિષ્ણુશર્માએ સૂક્તિઓથી ભરપૂર કથાઓવાળું નૃપનીતિશાસ્ત્ર પંચતંત્ર રચ્યું હતું જે વખત જતાં વિશીર્ણવર્ણ થઈ ગયું હતું. તેને મંત્રી સોમશર્માના અનુરોધથી નૃપતિનીતિવિવેચન માટે શ્રી પૂર્ણભદ્રસૂરિએ સંશોધિત કર્યું. આ કાર્યમાં પ્રત્યેક ૧. ડૉ. હર્ટલ, ધ પંચતન્ત્ર, ભાગ ૨, ૧૯૦૮. Page #411 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય અક્ષર, પદ, વાક્ય, કથા અને શ્લોકનું સંશોધન કરવામાં આવ્યું છે. અન્તે આ ગ્રન્થનું પરિમાણ ૪૬૦૦ શ્લોક દર્શાવ્યું છે અને રચનાસંવત ૧૨૫૫, ફાગણ વિદ તૃતીયા રવિવાર દર્શાવ્યો છે અને કહ્યું છે કે આને જીર્ણોદ્વાર જેવો માનવો.૨ પુરાણી રચનાના જીર્ણોદ્ધારના અર્થાત્ નવું રૂપ આપવાના મહનીય કાર્યને પ્રગટ કરતાં કવિએ પોતાની નમ્રતા જ પ્રગટ કરી છે. આમાં સ્મૃતિશાસ્ત્રોમાંથી ઉદ્ધરણો આપવામાં આવ્યાં છે, તે લૌકિક નીતિવાક્યોથી ભિન્ન નથી. આવશ્યકતા મુજબ તેમનો ઉપયોગ કરવાના કાર્યમાં પૂર્ણભદ્રે પોતાનું કૌશલ બતાવ્યું છે. હર્ટલ મહોદયે પંચાખ્યાનના મહત્ત્વને આ શબ્દોમાં દર્શાવ્યું છે : પોતાના સિદ્ધાન્તોનો ઉપદેશ દેવા માટે બૌદ્ધોએ નીતિકથાઓને તોડીમચડીને પછી અપનાવી છે. પંચતંત્રનું કોઈ બૌદ્ધ સંસ્કરણ મળતું નથી, એ કોઈ સંજોગની વાત નથી. જૈન સંસ્કરણ પંચાખ્યાનમાં જૈનોએ પુરાણી નીતિકથાઓને જ સારા ભારતવર્ષમાં, એટલે સુધી કે ઈન્ડોચીન અને ઈન્ડોનેશિયા સુધીના પ્રદેશોમાં, લોકપ્રિય બનાવી છે. સંસ્કૃત તથા અન્ય દેશી ભાષાઓમાં લખાયેલું આ પંચતંત્ર આ બધા દેશોમાં १. कथान्वितं सूक्तविसूक्तं विष्णुशर्मा नृपनीतिशास्त्रम् ॥ १ ॥ श्रीसोममंत्रिवचनेन विशीर्णवर्णम्, आलोक्य शास्त्रमखिलं खलु पंचतंत्रम् | श्रीपूर्णभद्रगुरुणा गुरुणादरेण, ૩૮૯ संशोधितं नृपतिनीतिविवेचनाय ॥ २ ॥ प्रत्यक्षरं प्रतिपदं प्रतिवाक्यं प्रतिकथं प्रतिश्लोकम् । श्रीपूर्णभद्रसूरिर्विशोधयामास शास्त्रमिदम् ॥ ३ ॥ વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, જિલ્દ ૩, ભાગ ૧, પૃ. ૩૨૧-૨૪. ૨. વત્વારીહ સન્નાળિ તત્વમાં પાતાનિ ૨ । ग्रन्थस्यास्य मया मानं गणितं श्लोकसंख्यया ॥ ७ ॥ शरबाणतरणिवर्षे रविकरवदिफाल्गुने तृतीयायाम् । जीर्णोद्धारश्चासौ प्रतिष्ठितोऽधिष्ठितो विबुधैः ॥ ८ ॥ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ જેન કાવ્યસાહિત્ય એટલું બધું લોકપ્રિય બની ગયું કે જૈનો ખુદ એ વાત ભૂલી ગયા કે મૂળે જૈન વિદ્વાને એને લખ્યું હતું. ૧ પ્રાચીન જૈન કથાગ્રન્થ વસુદેવપિંડી, બૃહત્કલ્પભાષ્ય, વ્યવહારભાષ્ય, આવશ્યકચૂર્ણિ, દશવૈકાલિકચૂર્ણિ વગેરેમાં પંચતંત્રની શૈલીમાં લખાયેલાં નીતિ અને લોકવ્યવહાર સંબંધી અનેક આખ્યાનો મળે છે. તેમાંથી કેટલાંય આખ્યાનોનું વિકસિત રૂપ પંચાખ્યાનમાં વિદ્યમાન જણાય છે. હર્ટલ મહોદયે સમીક્ષા કરતાં એ પણ કહ્યું છે કે પૂર્ણભદ્રસૂરિએ પોતાના પંચતંત્રમાં કેટલાક અજ્ઞાત સ્રોતોમાંથી કેટલીક નવી કથાઓ અને સૂક્તિઓ લઈ તેમને દાખલ કરેલ છે. આ કૃતિની ભાષાશાસ્ત્રીય વિશેષતાઓ ઉપર હર્ટલની માન્યતા છે કે અન્ય વાતોની સાથે સાથે ગ્રન્થકર્તાએ પોતાની રચનામાં પ્રાકૃત રચનાઓ અથવા કથાઓનો લૌકિક ભાષામાં ઉપયોગ કર્યો છે. ૨ પંચાખ્યાનસારોદ્ધાર – બીજાં જૈન પંચતંત્રોમાં ધનરત્નમણિકૃત પંચાખ્યાન યા પંચાખ્યાનસારોદ્ધાર મળે છે. તેનો રચનાકાલ સં. ૧૫૪પથી પહેલાંનો છે કારણ કે ઉક્ત સંવતની તેની હસ્તપ્રત મળી છે. ૧. હર્ટલ, ઓન ધ લિટરેચર ઓફ ધ શ્વેતામ્બર્સ ઓફ ગુજરાત, લિષ્કીગ, ૧૯૨૨, પૃ. ૭ ૨. ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત જૈન કથાસાહિત્ય, પૃ. ૭૮-૯૨માં નીતિકથાની અનેક કથાઓ આપીને તેમના સ્રોતોને દર્શાવવામાં આવ્યા છે. કોટા (આદિવાસી જાતિ) લોકકથા કે કલ્પનાબન્ધ (Motifોની તુલના કેટલીક જૈન કથાઓ સાથે કરવામાં આવી છે. જુઓ – M.B.Emeneanના જર્નલ ઑફ અમેરિકન ઓરિએન્ટલ સોસાયટી (૬૭)માં લેખ સ્ટડીઝ ઈન ધ ફોકટેલ્સ ઑફ ઈન્ડિયા'; સ્ત્રીશુદ્ધિપરીક્ષાના કલ્પનાબબ્ધ માટે જુઓ – (૧) સ્ટાન્ડર્ડ ડિક્શનરી ઑફ ફોકલોર, માયથોલોજી એન્ડ લિજન્ડ, ભાગ ૧, મારિયા લીચ, ન્યૂયોર્ક, ૧૯૪૯માં “ચેસ્ટીટી ટેસ્ટ' અને “એક્ટ ઑફ ટુથ' નામના લેખ. ૩. જિનરત્નકોશ, પૃ. ૨૩૦. Page #413 -------------------------------------------------------------------------- ________________ કથાસાહિત્ય ૩૯૧ પંચાખ્યાનોદ્વાર – બીજી રચના તપાગચ્છીય કૃપાવિજયના શિષ્ય મેઘવિજયકૃત પંચાખ્યાનોદ્ધાર છે. તેની રચના સં. ૧૭૧૬માં થઈ છે. આ બાળકોને નીતિશાસ્ત્રની શિક્ષા દેવા માટે લખાયેલ છે. અનેક નવી કથાઓનો તેમાં સમાવેશ થાય છે. અન્તિમ રત્નપાલની કથા પંચતંત્રના અન્ય કોઈ સંસ્કરણમાં મળતી નથી. આ સંસ્કરણ વડગચ્છના રત્નચન્દ્રગણિના શિષ્ય વત્સરાજગણિકૃત ગુજરાતી પંચાખ્યાનચૌપાઈ ઉપર આધારિત છે. પંચાખ્યાનવાર્તિક – આની રચના કીર્તિવિજયગણિના ચરણસેવક જિનવિજયગણિએ કરી છે. વિ.સં.૧૭૩૦માં ફલૌધી નગરીમાં તેની રચના કરવામાં આવી હતી. આ રચના જૂની ગુજરાતીમાં છે, શ્લોક સંસ્કૃતમાં છે. ૧૯મી કથામાં સુગરી અને વાંદરાની અને ૩૦મીમાં સસલું અને મદોન્મત્ત સિંહની વાર્તા છે. આમાં સોમદેવના નીતિવાક્યામૃત અને હેમચન્દ્રાચાર્યના લધ્વન્નીતિશાસ્ત્ર નામના ગ્રન્થોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. - શુકદ્ધાસતતિકા – નીતિકથા ઉપર પંચતંત્ર સમાન બીજી કૃતિ શુકસપ્રતિકાનું જૈન રૂપાન્તર પણ મળે છે. સં. ૧૬૩૮માં ગુણરુસૂરિના શિષ્ય રત્નસુન્દરસૂરિએ શુકદ્ધાસપ્તતિકાની રચના કરી છે. તેને રસમંજરી તથા શુકસપ્રતિકા” પણ કહે છે. એક અજ્ઞાતકર્તક શુકદ્દાસપ્રતિકા" કથાનો પણ ઉલ્લેખ મળે છે. આ કથાસંગ્રહમાં શુકે કહેલી શીલરક્ષા માટેની ૭૦ યા ૭૨ વાર્તાઓ કહેવામાં આવી છે. ૧. એજન; સિંઘી જૈન ગ્રન્થમાલાથી પ્રકાશિત દેવાનન્દકાવ્યની ભૂમિકા; કીથ, હિસ્ટ્રી ઑફ ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૨૬૦; વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૩, પૃ. ૩૨૫. ૨. આનું પ્રકાશન જે. પટેલે લિઝીગથી ૧૯૨૨માં કર્યું છે. ૩-૪ જિનરત્નકોશ, પૃ. ૩૮૬ Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ઐતિહાસિક સાહિત્ય કોઈ પણ વસ્તુનું મૂલ્ય તે વસ્તુના ઈતિહાસના જ્ઞાન વિના આંકી શકાય નહિ. તેથી પ્રત્યેક વસ્તુ કે વિષયના મૂલ્યાંકન માટે ઈતિહાસનું જ્ઞાન જરૂરી છે. ઈતિહાસના જ્ઞાનથી આપણને અનેક સમસ્યાઓ ઉકેલવામાં ઘણી મદદ મળે છે. પ્રત્યેક દેશ, ધર્મ, સંસ્કૃતિ, જાતિ વગેરેના ઈતિહાસે માનવમસ્તિષ્કની અનેક સમસ્યાઓ ઉકેલી આપી છે. ઈતિહાસ જાણવાની અનેકવિધ સાધનસામગ્રી હોય છે. ઈતિહાસ કથાવાર્તાની જેમ ક્યાંય લખેલો નથી હોતો. કોઈ પણ દેશ કે ધર્મનો ઈતિહાસ એટલે તે દેશના રાજારાણીઓ કે ધર્માધિકારીઓની વંશાવળીઓને જાણી લેવી એટલું જ માત્ર નથી પરંતુ તે બધી જ પરિસ્થિતિઓનું અધ્યયન છે કે જે પરિસ્થિતિઓએ તે દેશનું ગૌરવ વધાર્યું હોય. આ દૃષ્ટિકોણથી ભારતવર્ષના ઈતિહાસને જોઈએ તો તે એક પ્રકારે અનેક જાતિઓના સમ્મિશ્રણનો અને અનેક સંસ્કૃતિઓના આદાનપ્રદાનનો ઈતિહાસ જ છે. સર્વાંગીણ ભારતીય ઈતિહાસ જાણવા માટે અનેક સાધનસામગ્રીઓના અધ્યયનની સાથે સાથે બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ સાહિત્યનું તુલનાત્મક અને સમન્વયાત્મક અધ્યયન અત્યંત જરૂરી છે. તેવા અધ્યયન વિના જે પણ ઈતિહાસ લખાયો છે તે એકાંગી અને અપરિપૂર્ણ છે. આ સાહિત્યત્રયીના અધ્યયનના અભાવમાં ઈતિહાસને રજૂ કરનારી અન્ય સાધનસામગ્રીઓની – અભિલેખો, પ્રાચીન મુદ્રાઓ, ચિત્રો તથા સ્થાપત્યોની - મોટી ભ્રામક વ્યાખ્યાઓ થઈ છે તથા જે વર્ગની જ્યારે પ્રભુતા થઈ તેણે ત્યારે પોતાની છાપ મારી દીધી છે. ભાવી ઈતિહાસવેત્તાઓનું કામ તે ભૂલોને સુધારવાનું છે તથા ઉક્ત અધ્યયન દ્વારા ભારતીય ઈતિહાસને માટે નિષ્પક્ષ અને સ્વસ્થ સામગ્રી રજૂ કરવાનું છે. જૈન ઐતિહાસિક સામગ્રીનાં વિવિધ અંગો છે. વિશાળ આગમ સાહિત્ય તથા જૈન પુરાણો અને કથાઓમાં અનેક પ્રકારની અનુશ્રુતિઓ ભરી પડી છે જે ૧. ડૉ. મોતીચન્દ્ર, કુછ જૈન અનુશ્રુતિયાં ઔર પુરાતત્ત્વ, પં. નાથૂરામ પ્રેમી અભિનન્દન ગ્રન્થ, પૃ. ૨૨૯ અને આગળ. Page #415 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૩૯૩ અનુશ્રુતિઓનું જૈનેતર અનુશ્રુતિઓ સાથે અને પુરાતત્ત્વસામગ્રી સાથે તુલનાત્મક તથા સમન્વયાત્મક અધ્યયન કરીને ભારતીય ઈતિહાસના પ્રાગૈતિહાસિક, સિન્ધસાંસ્કૃતિક, વૈદિક અને ઔપનિષદિક યુગોની પ્રવૃત્તિઓ જાણી શકાય છે. જૈન અનુશ્રુતિઓના ચોવીસ તીર્થકરોમાંથી અન્તિમ ત્રણ તીર્થકરો – અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને વર્ધમાન મહાવીર – ઐતિહાસિક વ્યક્તિઓ સિદ્ધ થયા છે. મહાવીરોત્તર કાળમાં જૈન સંઘનાં સંગઠન, વ્યવસ્થા, મતભેદ, સંપ્રદાયો, ઉપસંપ્રદાયો અને પંથો વગેરેના ઉદયથી વર્તમાન કાળ સુધી ક્રમિક પ્રામાણિક ઈતિહાસ, જૈનધર્મપરાયણ રાજાઓ, સામન્તો, રાજનીતિજ્ઞો, શાસકો-પ્રશાસકો, સેનાનાયકો અને યોદ્ધાઓનો ઈતિહાસ, દેશની રાજનીતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તથા નવરાષ્ટ્રનિર્માણમાં જૈનોના ફાળાની વાત, જૈન તીર્થો, સાંસ્કૃતિક અને કલાકેન્દ્રોનો ઈતિહાસ, જૈન પર્વો અને તહેવારોનો ઈતિહાસ જાણવા માટે બહુવિધ ઐતિહાસિક સાધનો છે, જેવાં કે ઐતિહાસિક કાવ્યો, પ્રબન્ધ સાહિત્ય, પ્રશસ્તિઓ, પટ્ટાવલિઓ, ગુર્વાવલિઓ, શિલાલેખો, મૂર્તિલેખો, વિજ્ઞપ્તિપત્રો, તીર્થમાલાઓ વગેરે. સ્વ. ડૉ. કાશીપ્રસાદ જાયસવાલ જૈનોની ઐતિહાસિક ચેતનાની પ્રશંસા કરતાં લખ્યું છે કે જૈનોએ આશરે ૨૫૦૦ વર્ષની સંવતગણનાનો હિસાબ ભારતીયોમાં સૌથી સારો રાખ્યો છે. તેનાથી જાણવા મળે છે કે પ્રાચીન સમયમાં ઐતિહાસિક પરિપાટીની વર્ષગણના અમારા દેશમાં હતી. જ્યારે તે બીજે બધેથી લુપ્ત અને નષ્ટ થઈ ગઈ ત્યારે કેવળ જૈનોમાં જ તે બચી રહી. જૈનોની ગણનાના આધારે અમે પૌરાણિક અને ઐતિહાસિક ઘટનાઓને, જે બુદ્ધ અને મહાવીરના સમયથી આ બાજુની છે, સમયબદ્ધ કરી અને જોયું કે તેમનો બરાબર મેળ સુજ્ઞાત ગણના સાથે થઈ જાય છે. ઘણી ઐતિહાસિક વાતોની જાણકારી જૈનોના ઐતિહાસિક અભિલેખો, પ્રશસ્તિઓ અને પટ્ટાવલીઓમાંથી મળે છે. ઐતિહાસિક મહાકાવ્યોની મુખ્ય પ્રવૃત્તિઓ સંસ્કૃતનાં અન્ય ઐતિહાસિક મહાકાવ્યોની જેમ જૈન ઐતિહાસિક મહાકાવ્યોમાં પણ નિમ્ન પ્રકારની પ્રવૃત્તિઓ જણાય છે : ૧. તેમના ચરિત્રનાયક રાજામહારાજાઓ જ નથી હોતા પરંતુ સત્ત, મહત્ત અને ધની માની શેઠ પણ હોય છે. ૨. તેમના કર્તાઓ રાજ્યાશ્રિત યા અન્ય ધની-માની લોકોના આશ્રિત હતા અને આશ્રયદાતાઓની પ્રશંસા કરવાની તેમની પ્રવૃત્તિ રહેતી. તેથી તેમનાં રચેલાં કાવ્યોમાં નાયકના પરાજયની કે અન્ય અપ્રિય વાતો નથી આવતી. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ૩. આ કાવ્યોમાં નાયકની વીરતા યા માહાત્મ્યનું પ્રદર્શન કરવા માટે દિગ્વિજય, સસંઘ યાત્રાઓ વગેરેનાં કાલ્પનિક વિવરણો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. ક્યાંક ક્યાંક નાયકના ઉત્કર્ષને પ્રગટ કરવા માટે પ્રતિનાયકની કલ્પના પણ કરવામાં આવી છે. જૈન કાવ્યસાહિત્ય ૪. અધિકાંશ આ કાવ્યોમાં ઘટનાઓની તિથિઓનાં વિવરણ ઈતિહાસસમ્મત જ છે, કેટલાંક કાવ્યોમાં નથી. ૫. આ કાવ્યોમાં નાયકની વંશપરંપરા અને કુલોત્પત્તિનાં વિવરણો પૌરાણિક રીતે આપવામાં આવ્યાં છે. જૈનોનાં ઐતિહાસિક કાવ્યો હરિષેણની સમુદ્રગુપ્તવિષયક અલ્હાબાદપ્રશસ્તિ, બાણભટ્ટ દ્વારા રિચત હર્ષવર્ધનપ્રશસ્તિના રૂપમાં હર્ષચરિત, બિલ્હણકૃત વિક્રમાંકદેવચરત અને કલ્હણની રાજતરંગિણીની જેમ બહુ ઉપયોગી છે. અહીં તેમનો પરિચય આપીએ છીએ. ગુણવચનદ્વાત્રિંશિકા સિદ્ધસેન દિવાકર વિશે મનાય છે કે તેમણે બત્રીસ દ્વાત્રિંશિકાઓ (૩૨ શ્લોકોનું એક એવાં બત્રીસ કાવ્યો) રચ્યાં હતાં. તેમાંથી ૨૧ પ્રકાશિત થઈ ગઈ છે, તેમાંથી પાંચમાં કર્તાનું નામ અંશતઃ યા પૂર્ણતઃ મળે છે. ૧, ૨ અને ૧૬મી બત્રીસીઓનાં અંતિમ પદ્યોમાં ‘સિદ્ધ' શબ્દ મળે છે જ્યારે પમી અને ૨૧મી બત્રીસીઓમાં પૂરું નામ ‘સિદ્ધસેન’ મળે છે. બાકીની બત્રીસીઓમાં નામનો સંકેત કે ચિહ્ન પણ નથી આપવામાં આવ્યો પરંતુ પરંપરા અને શૈલીને જોતાં તેમના કર્તા સિદ્ધસેન હોવામાં કોઈ ગંભીર આપત્તિ હોઈ શકે નહિ. ૧ તેમાંથી ૧૧મી દ્વાત્રિંશિકા પ્રશસ્તિ અનુસાર ‘ગુણવચનદ્વાત્રિંશિકા' છે. આ એક રાજાની પ્રશસ્તિ છે. તેમાં તે રાજાને ત્વયા, ભવાન્, ત્વત્, તવ, ભવતા અને ત્યા સર્વનામો દ્વારા તથા બીજા પુરુષોમાં પ્રયુક્ત ક્રિયાઓ સન્તુષ્યસે, - વહિસ, સુરાયસે, હરિસ, કરોસિ અને અસિ દ્વારા તથા નૃપતે, નરપતે, નરેન્દ્ર, નૃપ, રાજન્ અને ક્ષિતિપતે સંબોધનો દ્વારા લક્ષિત કરવામાં આવેલ છે. આમાં કેવળ ૨૮ શ્લોકો છે. સંભવ છે કે અમારા માટે મહત્ત્વના ચાર શ્લોકો ખોવાઈ ૧. મધ્યભારતી પત્રિકા, ૧, જુલાઈ, ૧૯૬૨, માં મૂળ સંસ્કૃત પાઠ તથા અંગ્રેજી અનુવાદ ડૉ. હીરાલાલ જૈને આપ્યો છે. તેમાં તુલનાત્મક ટિપ્પણો મહત્ત્વપૂર્ણ છે. - Page #417 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૩૯૫ ગયા હોય યા તો કોઈ વૈયક્તિક કારણોથી અલગ કરી દેવાયા હોય. એ પણ સંભવ છે કે આ બત્રીસી કેવળ ૨૮ શ્લોકોની જ હોય કારણ કે બીજી દ્વત્રિશિકાઓમાં પણ પદ્યોની સંખ્યા અનિયમિત છે. ઉદાહરણ તરીકે, ૨૧મીમાં ૩૩, ૧૦મીમાં ૩૪ પદ્યો છે તો ૮મીમાં ૨૬ અને ૧૫મી તથા ૧૯મીમાં ૩૧ પદ્યો છે. અન્ય દ્વાત્રિશિકાઓનો વિષય તો તીર્થકરોની સ્તુતિ યા જૈન સિદ્ધાન્તોનું વિવેચન છે, જયારે આ દ્વાત્રિશિકાનો વિષય નીચે મુજબ છે : તે રાજાને વિશે કવિ ઉચ્ચકોટિની બિરુદાવલીના રૂપમાં કહે છે કે તમે કીર્તિમાં તમારા પૂર્વજોથી બહુ જ આગળ છો (૧). તમે જગતભરમાં મહિમાશાળી છો (૨). તમારી કીર્તિ દશે દિશાઓમાં પ્રસરી રહી છે (૩). તમારા ગુણોએ તમારી કીર્તિને વનપ્રદેશોમાં પણ ફેલાવી દીધી છે (૪). તમે બીજાઓના પ્રતાપને ઢાંકી દિીધો છે (૫). તમારા અનુગ્રહસ્વભાવે તમારી કીર્તિ વધારી દીધી છે (૬). તમારા ગુણો દિવ્ય છે (૭). સંસારમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં તમારી કીર્તિ ન પહોંચી હોય (૮). રાજ્યશ્રી તમારા વક્ષ:સ્થલ પર ક્રીડા કરે છે (૯). તમે બુદ્ધિ વગેરે ગુણોથી દિવ્ય છો (૧૦). તમે તમારી દાન (અનુગ્રહ) પ્રકૃતિથી પ્રવીર શત્રુઓને વશ કરી લો છો (૧૧). વસુધા બહુ કાળ પછી તમારા એકચ્છત્ર રાજ્યમાં આવી છે, બાકીના રાજાઓ તમારા આજ્ઞાપાલક છે (૧૨). તમે ક્રોધથી શત્રુઓને ઉખાડી ફેંકો છો અને પરાજિત શત્રુઓ ઉપર કૃપા કરી સોગણી રાજયલક્ષ્મી તેમને આપો છો (૧૩-૧૪). તમે માન સિવાય બીજા ગુણોને પસંદ કરતા નથી અર્થાત માન ઉપર તમારો એકાધિકાર છે અને જો તે ગુણ બીજાઓમાં ચાલ્યો જાય તો તેમને નિર્મળ કરી દેવામાં આવે છે (૧૫). તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જ શત્રુ યશ પામી શકે છે પરંતુ તેમનામાં એવી હિંમત ક્યાં છે? (૧૬). શરદઋતુ તમારા શત્રુઓને ગમતી નથી કારણ કે તે તમારા દિગ્વિજયનો સમય છે (૧૭). એક વખત સંજોગથી તમારી તલવારે તમારા વક્ષ:સ્થળ ઉપર ક્ષત કરીને રાજ્યલક્ષ્મીને સ્થિર કરી દીધી હતી (૧૮). તમારે અધીન ચંચલા લક્ષ્મી અને પૃથ્વી પરસ્પર સ્પર્ધાથી વૃદ્ધિ પામી રહી છે (૧૯). તમારી સાથે વૃદ્ધિ પામેલી (વૃદ્ધા થયેલી) લક્ષ્મીનો યૌવનગુણ બદલાયો નથી (૨૦). તમારી મનુષ્યરૂપમાં હરિ (દેવરાજ) હોવાની વાત ત્યાં સુધી રહસ્ય બની રહી જ્યાં સુધી પ્રાન્તપતિરૂપી મેઘોએ જનકલ્યાણકારિણી યોજનાઓ દ્વારા તેને પ્રગટ ન કરી (૨૧). તમે ખરેખર મહીપાલ છો કારણ કે તમે ખિન્ન પૃથ્વીને વક્ષ:સ્થલ પર ધારણ કરો છો. જયારે તમે ગર્ભમાં હતા ત્યારે પૃથ્વીએ નૂતન યુગના આગમનનો સંકેત કરી દીધો હતો (૨૨). વિરુદ્ધ ગુણો પણ તમારામાં નિર્વિરોધ રહે છે (૨૩). સૂર્યની દીપ્તિથી Page #418 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય પણ તમારી દીપ્તિ ઉત્તમ છે (૨૪). તમે વિદ્વાનોની સભામાં વક્તૃત્વ માટે પ્રસિદ્ધ છો (૨૫). તમારી વિવાદશક્તિ, સાહસ, પત્રરચના, મંત્રીપરિષદ્ તમારા વિરોધીઓ માટે ઈર્ષ્યાનો વિષય છે (૨૬). તમારો જન્મ કલિના ક્રમનો વ્યતિક્રમ (વિક્રમ) કરીને થયો છે (૨૭). તમારી સર્વવ્યાપી પ્રભુતા અવર્ણનીય છે (૨૮). આ પઘોના સંકેતોને ડૉ. હીરાલાલ જૈને ગુપ્તવંશી સમ્રાટ ચન્દ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યના શિલાલેખો, મુદ્રાઓ અને કાલિદાસના રઘુવંશમહાકાવ્યનાં પદો સાથે મેળવીને એ વાતને નિઃસંદેહ સિદ્ધ કરી છે કે આ ઉક્ત નામવાળા ગુપ્તવંશી રાજાની જ પ્રશસ્તિ છે. તેના કર્તા કવિ સિદ્ધસેન છે જે જૈન અને જૈનેતર ઉલ્લેખો ઉપરથી વિક્રમાદિત્યના સમકાલીન સિદ્ધ થાય છે. આમ આ સમકાલીન કવિએ કરેલી પ્રસ્તુત પ્રશસ્તિ એટલી જ મહત્ત્વની છે જેટલી અલ્હાબાદમાં ઉત્કીર્ણ કવિ હરિષણકૃત સમુદ્રગુપ્તપ્રશસ્તિ. ૧ ગુજરાતના કવિઓએ ચૌલુક્યવંશ અને તેના પ્રસિદ્ધ રાજા જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાળનું વિવરણ દેવા માટે અનેક ઐતિહાસિક કાવ્યોનું સર્જન કર્યું છે. તેમાં પ્રથમ આવે છે ચાશ્રયમહાકાવ્ય. ચાશ્રયમહાકાવ્ય ૩૯૬ આ કાવ્યની રચના . હેમચન્દ્રસૂરિએ પોતાના વ્યાકરણગ્રન્થ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ યા ‘હૈમવ્યાકરણ'ના નિયમોને ભાષાગત પ્રયોગોથી સમજાવવા અને ઉદાહૃત કરવા માટે કરી છે. જેમ હૈમવ્યાકરણ સંસ્કૃત અને પ્રાકૃત ૧. A Contemporary Ode to Chandra Gupta Vikramaditya, મધ્યભારતી પત્રિકા, ૧. જબલપુર વિશ્વવિદ્યાલય, જુલાઈ, ૧૯૬૨ ૨. સંપા. એ. વી. કથવટે, સર્ગ ૧-૨૦ (સંસ્કૃત), ૨ ભાગ, બોમ્બે સંસ્કૃત સિરિઝ, ૧૮૮૫, ૧૯૧૫ અને સ. પા. પંડિત, સર્ગ ૨૧-૨૮ (પ્રાકૃત), તે જ સિરિઝ, ૧૯૦૦; દ્વિતીય સંસ્કરણ ઃ સંપા. ૫. લ. વૈદ્ય, પરિશિષ્ટ સાથે હેમચન્દ્રનું પ્રાકૃત વ્યાકરણ, તે જ ગ્રંથમાળામાં ૧૯૩૬માં પ્રકાશિત; પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવૈદી કૃત સંસ્કૃત ચાશ્રયનું ભાષાંતર (ગુજરાતી) ૧૮૯૩માં પ્રકાશિત; પ્રો. કેશવલાલ હિંમતલાલ કામદારકૃત હેમચન્દ્રનું ચાશ્રયકાવ્ય ૧૯૩૬માં પ્રકાશિત વગેરે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય . ૩૯૭ ભાષામાં વિભક્ત છે તેમ આ કાવ્ય પણ તે બન્ને ભાષાઓમાં વિભક્ત છે. આ કાવ્યના ૨૮ સર્ગોમાંથી પ્રથમ ર૦ સર્ગો સંસ્કૃતમાં છે, તે સંસ્કૃત વ્યાકરણના નિયમોને ઉદાહત કરે છે. અને છેલ્લા આઠ સર્ગો પ્રાકૃત ભાષામાં છે, તે પ્રાકૃત વ્યાકરણના નિયમોને ઉદાહત કરવા રચાયા છે. આ આઠ સર્ગોના અંતિમ ભાગને કુમારપાલચરિત (કુમારવાલચરિય) પણ કહેવામાં આવે છે. સંસ્કૃત કયાશ્રયનું પરિમાણ ૨૮૨૮ શ્લોકપ્રમાણ છે અને પ્રાકૃત યાશ્રયનું પરિમાણ ૧૫૦૦ શ્લોકપ્રમાણ છે. સંસ્કૃત-પ્રાકૃતમય આ કાવ્યનું તેવું જ મહત્ત્વનું સ્થાન છે જેવું સંસ્કૃતમાં ભટ્ટિકાવ્યનું છે. જો કે આ ગ્રન્થ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના નિયમોનાં સાહિત્યિક ઉદાહરણો રજૂ કરવા માટે રચાયો છે, છતાં તેમાં આ મર્યાદાઓની અંદર કેટલાક અપવાદોને છોડી કામચલાઉ રીતે ગુજરાતના ચૌલુક્ય વંશના ઈતિહાસને રજૂ કરવામાં આવ્યો છે. આચાર્ય હેમચન્દ્રનો આશય આ બે આશ્રયવાળા કાવ્ય દ્વારા એક બાજુ વ્યાકરણના નિયમોને સમજાવવાનો અને બીજી બાજુ ઐતિહાસિક કાવ્ય લખવાનો અર્થાત ચૌલુક્ય વંશનું – ખાસ કરીને આ વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળનું – ગુણવર્ણન કરવાનો હતો વિષયવસ્તુ – સંસ્કૃત ભાગના પ્રથમ સર્ગમાં અણહિલપુરમાં ચૌલુક્ય વંશની ઉત્પત્તિનું અને તે વંશના પ્રથમ નરેશ મૂલરાજના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજાથી પાંચમા સર્ગમાં મૂળરાજના રાજ્યકાળનો ઈતિહાસ રજૂ કરાયો છે. છઠ્ઠા સર્ગમાં મૂળરાજના ઉત્તરાધિકારી ચામુંડરાજનું વર્ણન છે. સાતમાં સર્ગમાં દુર્લભરાજ અને તેમના, મોટા ભાઈ વલ્લભરાજનું વર્ણન છે. આઠમા સર્ગમાં દુર્લભરાજના ઉત્તરાધિકારી ભત્રીજા ભીમના રાજ્યકાળનું નિરૂપણ છે. નવમા સર્ગમાં ભીમ, ભોજ તથા ચેદિરાજ વચ્ચેના યુદ્ધનું વર્ણન છે. આ જ સર્ગમાં ભીમના પુત્ર ક્ષેમરાજ અને કર્ણનું વર્ણન છે તેમ જ કર્ણની રાજ્યપ્રાપ્તિ તથા મયણલ્લ દેવી સાથે તેના વિવાહનું વર્ણન છે. દસમા સર્ગમાં કર્ણ દ્વારા પુત્રપ્રાપ્તિના માટે લક્ષ્મીની ઉપાસના અને પુત્રોત્પત્તિનું વરદાન મળ્યાનું વર્ણન છે. અગીઆરમાં સર્ગમાં જયસિંહનો જન્મ, રાજ્યારોહણ, કર્ણનો સ્વર્ગવાસ તથા જયસિંહના વિજયનું વર્ણન છે. બારમાથી પંદરમા સર્ગોમાં ૧. સંસ્કૃત યાશ્રય ઉપર અભયતિલકગણિએ વિ.સં. ૧૩૧૨માં ટીકા લખી છે. તેનું સંશોધન લક્ષ્મીતિલકગણિએ કર્યું છે. પ્રાકૃત જ્યાશ્રય ઉપર પૂર્ણકલશગણિએ વિ.સં.૧૩૦૭માં ટીકા લખી છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ જૈન કાવ્યસાહિત્ય જયસિંહના દૈવી ચમત્કારોથી ભરપૂર વિવિધ વિજયો, ધાર્મિક કાર્યો તથા સ્વર્ગપ્રાપ્તિનું વર્ણન છે. સોળમા સર્ગમાં કુમારપાલની રાજયપ્રાપ્તિ તથા તેણે કરેલા અનેક નરેશોના વિદ્રોહના શમનનું વર્ણન છે. વિજયપ્રસંગે આબુ પર્વત ઉપર તેના આગમનનું તથા આબૂના માહાભ્યનું વર્ણન છે. સત્તરમા સર્ગમાં રાત્રિ, ચન્દ્રોદય, સુરત આદિનું વર્ણન છે. અઢારમા સર્ગમાં કુમારપાલના પ્રસ્થાનનું અને ઓગણીસમામાં અર્ણોરાજ સાથેના યુદ્ધનું વર્ણન છે. વસમા સર્ગમાં અમારિ ઘોષણા, મૃતકધનઅગ્રહણ, મંદિરનિર્માણ વગેરે કુમારપાલનાં લોકોપકારી કાર્યોનું વર્ણન છે. આ સર્ગમાં કુમારપાલસંવત ચાલુ થયાનો ઉલ્લેખ છે. પ્રાકૃતજ્યાશ્રયના પ્રથમ સર્ગમાં અણહિલપુરમાં ચારણો દ્વારા કુમારપાળની કીર્તિનું વર્ણન તથા શયનોત્થાનથી લઈને શ્રમગૃહગમન સુધીની કુમારપાલની દિનચર્યાનું વર્ણન આવે છે. બીજા સર્ગમાં મલશ્રમ, કુંજરયાત્રા, જિનમન્દિરયાત્રા, જિનપૂજા વગેરેનું વર્ણન છે. ત્રીજા સર્ગમાં ઉપવન, વસન્તશોભા આદિનું વર્ણન છે. ચોથાસર્ગમાં ગ્રીષ્મવર્ણન અને પાંચમામાં અન્ય ઋતુઓના વિહાર વગેરેનું સાલંકાર વર્ણન છે. છઠ્ઠામાં ચન્દ્રોદયવર્ણન છે. તે જ સર્ગમાં રાજદરબારમાં સન્ધિવિગ્રહિકનીવિજ્ઞાતિ દ્વારા કોંકણાધીશ મલ્લિકાર્જુન ઉપર વિજય થવાથી કુમારપાલદક્ષિણાધીશ બની ગયાના તથા પશ્ચિમ દિશાના અનેક રાજાઓએ કુમારપાલની અધીનતા સ્વીકારી લીધાના અને કાશી, મગધ, ગૌડ, કાન્યકુબ્ધ, દશાર્ણ, ચેદિ, જંગલદેશવગેરે દેશના રાજાઓએ કુમારપાલની અધીનતા ગ્રહણ કરી લીધી હોવાના સમાચાર આપવામાં આવ્યા છે. ત્યાર પછી કુમારપાલના શયનનું વર્ણન છે. સાતમા સર્ગના પ્રારંભમાં રાજાની પરમાર્થચિત્તાનું વર્ણન છે. પહેલાં આચાર્યોની સ્તુતિ અને પછી શ્રુતદેવતાની સ્તુતિ આપવામાં આવી છે. આઠમા સર્ગમાં શ્રુતદેવીનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ વર્ણનમાં કવિએ વિષયની પસંદગી અને ત્યાગમાં વિચારપૂર્વક કામ લીધું છે. અહીં યાશ્રયકાવ્યની ઐતિહાસિકતા વિચારતી વખતે એ જાણી લેવું આવશ્યક છે કે હેમચન્દ્ર પોતાના દયાશ્રયકાવ્યના કેટલાક ખાસ પદ્યો દ્વારા વ્યાકરણનાં ઉદાહરણોમાં ઈતિહાસ ગર્ભિત કરવાના પ્રયત્નમાં ક્યાં સુધી સફળતા યા અસફળતા પ્રાપ્ત કરી છે. - અહીં આપણે તદ્ધિત પ્રત્યયોનાં ઉદાહરણો માટે રજૂ કરવામાં આવેલા એક પદ્યને લઈએ : तत्तद्धितं कर्तृभिरात्मभर्तुः, समेत्य वृद्धैर्युवभिः क्षणाद्वा । दुष्टैरथावन्तिभटैः स वप्रोऽध्यारोह्य भीतैः रणतूर्यवाद्यात् ॥ १४. ३७ Page #421 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૩૯૯ આ પદ્યમાં ઈતિહાસના રૂપમાં અવન્તિ ભટોની હાલતનું વર્ણન છે. તેઓ વૃદ્ધયુવાન બધા પોતાના દુર્ગની રક્ષામાં લાગી ગયા અને ચૌલુક્ય સેનાના યુદ્ધનગારાઓના અવાજથી ડર્યા નહિ. આમાં હેમચન્દ્ર દીર્ઘકાલ ચાલનારા યુદ્ધના એક દશ્યનું વર્ણન કરતા જણાય છે જે યુદ્ધનાં વિવરણોને તેમણે નિઃસંદેહ સાંભળ્યાં છે. પરંતુ આ પદ્યમાં હેમવ્યાકરણના ચોથા અધ્યાયના પ્રથમ પાટનાં ૧-૬ તથા ૧૧ સૂત્રોનાં ઉદાહરણો દેવામાં આવ્યાં છે. સંભવ છે કે આ પદ્ય ઈતિહાસ અને વ્યાકરણ બન્ને ઉદેશ્યોની પૂર્તિ કરે છે. આ પ્રકારનાં અનેક પડ્યો છે. અહીં બીજો નમૂનો રજૂ કરીએ છીએ : सुप्रेयसी कसणया बहु विष्णुमित्र ग्रामेऽप्यभूत् ससुत एव जनो नृपेऽस्मिन् । सुभ्रातृपुत्रसहिते क्षतनाडिकृत्त, તંત્રી - - કવત્તિમાય ન રેવતપિ છે. આ પદ્યમાં કુમારપાલની અમારિ ઘોષણાના પ્રભાવનું વર્ણન છે, સાથે સાથે હેમવ્યાકરણનાં પાંચ સૂત્રો ૭. ૩. ૧૭૬-૧૮૦નાં ઉદાહરણો રજૂ કરવામાં આવ્યાં છે. “સુઝાતૃ[ત્રહિતે પદની ટીકાકાર અભયતિલકગણિએ વ્યાખ્યા કરીને અર્થ કાઢ્યો છે કે અજયપાલ કુમારપાલના ભત્રીજા હતા પરંતુ એક સમકાલીન સ્રોતમાંથી જાણવા મળે છે કે અજયપાલ કુમારપાલનો પુત્ર હતો. આ ઉપરથી જણાય છે કે હેમચન્ટે કરેલા શબ્દોના વિચિત્ર પ્રયોગને કારણે ટીકાકારે પુત્રને ભત્રીજો સમજી લીધો પરંતુ આ પદ્ય દ્વારા કુમારપાલની અમારિ ઘોષણાના પ્રભાવનું વર્ણન કરવામાં હેમચન્દ્ર સફળ રહ્યા છે. અહીં હવે એક એવા પદ્યને દર્શાવીએ છીએ જેમાં હેમચન્દ્ર ઈતિહાસ અને વ્યાકરણ બન્નેના ઉદેશ્યને પૂર્ણ કરેલ છે પરંતુ અગાઉ આપેલા પદ્યમાં તેમ કરવામાં તે અસફળ રહ્યા છે. તેમણે ૧૪મા સર્ગના ૭રમા પદ્યમાં વર્ણન કર્યું છે કે સિદ્ધરાજે યશોવર્માને, જે એક પ્રકારની ચકલી જેવો હતો તેને, હરાવ્યો; પરંતુ આગળ १. शोभनो भ्राता कुमारपालो यस्य स सुभ्राता महीपालदेवस्तस्य पुत्रोऽजयपालदेवस्तेन सहिते। ૨. સુરથોત્સવ, ૧૫.૩૧ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ એક પદ્યમાં કહ્યું છે કે યશોવર્માને હરાવ્યા પછી સિદ્ધરાજ જયસિંહે અનેક સીમાવર્તી રાજાઓને પરાજિત કર્યા. તેમાંથી એક એક રાજાને લઈને તેમની તુલના ભિન્ન ભિન્ન પ્રાણીઓ સાથે કરી છે અને કહ્યું છે કે સિદ્ધરાજે તેમને એવી રીતે બંધનમાં રાખ્યા જેવી રીતે પશુપક્ષીઓને બંધનમાં રાખવામાં આવતા હતા. જો કે આ પઘમાં, બીજાં સાધનો દ્વારા આપણે જાણીએ છીએ તે મુજબ, સંસ્કૃત કાવ્યને અનુકૂળ વેશમાં બરાબર માહિતી આપવામાં આવી છે પરંતુ આગળનું પઘ તો ૬.૧. ૮૧-૯૬નાં કેવળ ઉદાહરણોના રૂપમાં છે. તેમાંથી ઐતિહાસિક તથ્ય કાઢવું એ ખરેખર ભ્રાન્તિ છે. આ જાતનાં અનેક પદ્યો છે. ઉદાહરણ માટે હેમચન્દ્ર કહે છે કે ગ્રાહરિપુની પત્નીનું નામ નીલી હતું (૪.૪૮). અહીં તરત જ આપણને સંદેહ થાય છે, કારણ કે હેમચન્દ્ર પાસેથી એ આશા રાખવી કઠિન છે કે તે પેલી રાણીનું નામ જાણે જેના પતિને મૂળરાજે ઈ.સ.ની દસમી સદીમાં પરાજિત કર્યો હોય. હેમચન્દ્રે આપેલી માહિતીના સ્રોતોની આપણે સુગમતાથી શોધ કરી શકીએ છીએ. હેમચન્દ્રે પોતાના એક સૂત્ર ૨.૪.૨૪ના ઉદાહરણમાં પોતાની લઘુવૃત્તિમાં પણ નીલી શબ્દ આપ્યો છે. લઘુવૃત્તિ ચાશ્રયકાવ્ય પહેલાં રચાઈ ગઈ હતી. એ સ્પષ્ટ છે કે નીલીનું કોઈ સાચું અસ્તિત્વ જ નથી, તેને તો સૂત્રનું ઉદાહરણ રજૂ કરવાની સુવિધા અને આવશ્યકતા માટે ઉપજાવી કાઢવામાં આવેલ છે. વળી, એક બીજા પ્રસંગમાં હેમચન્દ્રે નિર્દેશ કર્યો છે કે મૂલ૨ાજના ત્રણ મિત્ર રાજાઓ હતા – રેવતીમિત્ર, ગંગમહ અને ગંગામહ (૪.૧.૨), પરંતુ લઘુવૃત્તિ જોવાથી જાણવા મળે છે કે તે ત્રણ એક સૂત્ર ૨.૪.૯૯નાં ઉદાહરણો રૂપ છે. આવાં સંયોગ અને નામ દુર્લભ છે એટલે વધુ સંભવ તો એ છે કે આવા નામધારીઓ મૂલરાજના મિત્ર રાજાઓ હતા નહિ. આ સંભાવના વધુ દૃઢ ત્યારે બની જાય છે જ્યારે આપણે જાણીએ છીએ કે લક્ષ્મીકર્ણના દરબારમાં ભીમનો દૂત ડિંગ મારે છે કે ભીમના મિત્ર રાજાઓ ઘણા હતા જેમનાં વિચિત્ર નામો યન્તિ, રન્તિ, નન્તિ, ગન્તિ, હન્તિ વગેરે હતાં (૯.૩૬). ખરેખર તો આ શબ્દોને પોતાની લઘુવૃત્તિમાં હેમચન્દ્રે ‘1 ત્તિ જિ વીર્યશ્ચ' સૂત્રનાં ઉદાહરણો તરીકે આપ્યા છે જેમના ‘’ને દીર્ઘ ન કરવાનો નિર્દેશ છે. સ્પષ્ટ છે કે આ પઘનું કોઈ ઐતિહાસિક મહત્ત્વ નથી. જૈન કાવ્યસાહિત્ય હેમચન્દ્રના સમકાલમાં આવતાં આપણે જોઈએ છીએ કે કુમારપાલ વિરુદ્ધ લડનાર અર્ણોરાજના મિત્ર રાજાઓનાં નામ લઘુવૃત્તિમાં અનેક સૂત્રોનાં (૬.૩.૬૨૫) ઉદાહરણ તરીકે આપવામાં આવ્યાં છે પરંતુ ચાહડનું નામ, જે ચાહડે હેમચન્દ્ર અનુસાર પણ કુમારપાલ વિરુદ્ધ અર્ણોરાજનો પક્ષ લીધો હતો તેમનું નામ, Page #423 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૦૧ વ્યાકરણના કોઈ પણ સૂત્રના ઉદાહરણ તરીકે આપવામાં નથી આવ્યું. અનેક ઈતિહાસગ્રન્થોનું કથન છે કે આ અવસર ઉપર ચાહડ કુમારપાલ વિરુદ્ધ લડ્યા હતા. તેથી એ સિદ્ધ થાય છે કે ચાહડ વાસ્તવિક વ્યક્તિ હતા. એ કહેવું જરૂરી છે કે મૂલરાજ, ભીમ અને અર્ણોરાજના મિત્ર રાજાઓનાં નામ છે જ્યાશ્રયકાવ્યમાં મળે છે તે અન્ય સ્રોતોમાં બિલકુલ મળતાં જ નથી. કયાશ્રયકાવ્યનું બીજું રૂપ તેનું મહાકાવ્યત્વ છે. તેને હેમચ મહાકાવ્યોચિત સારભૂત તત્ત્વોથી સજાવ્યું પણ છે. તેમની સાથે ઈતિહાસને કોઈ સંબંધ નથી પરંતુ તે કાળના ધાર્મિક અને સામાજિક રીતરિવાજોને જાણવા માટે પ્રચુર સામગ્રી તેમનામાંથી મળે છે." અહીં અમે હેમચન્દ્ર જેમની ઉપેક્ષા કરી છે તે ઐતિહાસિક વાતો બાબત સંક્ષેપમાં વિચાર કરીશું. અમે અહીં તે રાજાઓના રાજ્યકાળ ઉપર વિચાર નહીં કરીએ જેમનું હેમચન્દ્રને સાક્ષાત્ જ્ઞાન ન હતું. હેમચન્દ્ર સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યમાં રહેતા હતા એટલે અમે આશા રાખીએ છીએ કે તેમને આ બન્ને રાજાઓની ગતિવિધિઓનું સાક્ષાત્ જ્ઞાન હતું. તેમ છતાં તેમણે કુમારપાલના રાજયનું વર્ણન તો બરાબર કર્યું છે પરંતુ કુમારપાલના પ્રારંભિક જીવનનું વર્ણન તો તેમણે આપ્યું જ નથી. સંભવતઃ હેમચન્દ્ર કુમારપાલના પ્રારંભિક જીવન વિશે - એટલા માટે મૌન રહ્યા કારણ કે સિદ્ધરાજ જયસિંહે ઘણા વખત સુધી તેને ત્રાસ આપ્યો હતો. પરંતુ કોઈ પણ ઈતિહાસલેખક માટે સારભૂત વાતોની ઉપેક્ષા કરવા માટે કોઈ બહાનું ન હોઈ શકે. સંભવતઃ એવું લાગે છે કે હેમચન્દ્ર જાણી જોઈને એ વાતોને છોડી દીધી છે જે વાતો તે ચૌલુક્ય રાજાઓની કીર્તિને માટે અપમાનજનક હોય. હેમચન્દ્ર જયસિંહ સિદ્ધરાજના પૂર્વજ નૃપ ભીમ અને ધારાનરેશ ભોજ વચ્ચેના સંબંધને પણ મૌન ધરી ટાળી દીધો છે જે સંબંધને વિશે મેરૂતુંગ, સોમેશ્વર વગેરે ઈતિહાસલેખકોએ વિસ્તારથી લખ્યું છે. ભોજ ઉપર ભીમનો વિજય ચૌલુક્ય ઈતિહાસ માટે વિશેષ ઘટના હતી. હેમચન્દ્ર સૌપ્રથમ વિદ્વાન છે જેમણે ભોજનો ઉલ્લેખ કર્યો છે અને તે પરમારનરેશના દુઃખાત્તથી નિશ્ચિતપણે પરિચિત હતા. આ તથ્યનો તેમણે છૂપો સંકેત માત્ર કર્યો છે જ્યારે તે કહે છે કે લક્ષ્મીકણે ભીમને ભોજની સ્વર્ણમંડપિકા આપી હતી. આ છૂપો સંકેત કરવા પાછળ હેમચન્દ્રનો ૧. વિશેષ માટે જુઓ – ૨. ચુ. મોદી, સંસ્કૃત યાશ્રયકાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ભાવ ભોજમાં પોતાના જેવો પાંડિત્યપૂર્ણ આત્મા જોવાનો હતો અને તેમના મનમાં પરમાર મનીષી પ્રતિ એટલું બધું સન્માન હતું કે તેના પતનનું વર્ણન કરવામાં તે પોતાને અસમર્થ અનુભવતા હતા. જૈન કાવ્યસાહિત્ય વિસ્મય તો એ વાતનું છે કે ચાશ્રયનો સૌથી વધુ અનૈતિહાસિક ભાગ એ તો સિદ્ધરાજના રાજ્યકાલનું વર્ણન છે. તેના માલવાવિજય અને તેનાં ધાર્મિક કાર્યો સિવાય એવી કોઈ ઐતિહાસિક ઘટનાનું વર્ણન નથી જેમાં દૈવી ચમત્કારોની વાતો ન હોય. ૧૦માં સર્ગમાં કર્ણે કરેલી દેવીની પૂજા, દેવીનું પ્રગટ થઈ પુત્રપ્રાપ્તિનું વરદાન દેવું, પરિણામે જયસિંહનો પુત્રરૂપે જન્મ વગેરે ચમત્કારિક વાતોનું આગલા ચાર સર્ગોમાં વર્ણન કરવામાં આવ્યું છે. ૧૩મા સર્ગમાં બર્બરકનો પરાજય, ૧૪મા સર્ગમાં પરમાર યશોવર્મા સાથેનું યુદ્ધ અને ૧૫મા સર્ગમાં જયસિંહને પુત્ર પ્રાપ્ત ન થવો અને કુમારપાલનું ઉત્તરાધિકારી બનવું વગેરે ઘટનાઓ વાસ્તવિક હોવા છતાં પણ અતિમાનવીય તત્ત્વોના વધુ પડતા પુટોને કારણે અયથાર્થ જેવી ભાસે છે. આશ્ચર્ય છે કે હેમચન્દ્રે આ બધું તે સિદ્ધરાજ જયસિંહના વિશે લખ્યું છે જેના દરબારમાં તેમણે પોતાના જીવનનાં ઉત્તમ વર્ષો વીતાવ્યાં હતાં અને કીર્તિ પ્રાપ્ત કરી હતી, એ માનવું બરાબર નથી કે તેમણે ઈતિહાસ લખવા ધાર્યો હતો. વધુ સંભવ તો એ છે કે વ્યાકરણના નિયમોનાં ઉદાહરણોએ તેમ કરવાને બદલે તેમને દૈવતકથા (Myth) લખવા બાધ્ય કર્યા હતા. તેમ છતાં આ મર્યાદાઓની અંદર ધ્યાશ્રયકાવ્યમાં હેમચન્દ્રે કામચલાઉ રીતે એક સારો ઈતિહાસ રજૂ કર્યો છે અને એ સ્પષ્ટ છે કે હેમચન્દ્રે વિષયોની પસંદગી અને ત્યાગ વિચારપૂર્વક કર્યાં છે. દ્રાશ્રયકાવ્યને હલાયુધના કવિરહસ્ય જેવી અન્ય કૃતિઓથી ભિન્ન જ માનવું જોઈએ. કવિરહસ્યમાં ધાતુરૂપોનું છંદોમય નિદર્શન અને સાથે સાથે જ રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ તૃતીયનું ગુણવર્ણન પ્રસ્તુત છે પરંતુ તેમાં શાસક રાજાની કોઈ ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન નથી. તેથી ઊલટું ચાશ્રયકાવ્યમાં નિશ્ચિતપણે અનેક ઐતિહાસિક ઘટનાઓનું વિવરણ મળે છે. ઊઁચાશ્રયકાવ્યની તુલના પક્ષપાત કર્યા વિના ઈતિહાસ તરીકે કલ્હણની રાજતરંગિણી સાથે આપણે કરી શકીએ. ઈતિહાસના રૂપમાં તે બિલ્હણના વિક્રમાંકદેવચરિતની સમકક્ષ પણ ગણાય. દયાશ્રયકાવ્ય વર્તમાન અર્થમાં સમજવામાં આવતો ઈતિહાસ ભલે ન હોય પરંતુ પોતાની મર્યાદાની અંદર અનેક મહત્ત્વપૂર્ણ માહિતી આપી આધુનિક વૈજ્ઞાનિક ઈતિહાસલેખકના શ્રદ્ધાનું પાત્ર તે બની શક્યું છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય વસ્તુપાલ-તેજપાલનું કીર્તિકથાસાહિત્ય ચૌલુક્ય વંશના પરવર્તી રાજા દ્વિતીય ભીમના સમયના ગુજરાતનો ઈતિહાસ પ્રમાણમાં સૌથી વધુ વિગતવાળો અને વધુ વિશ્વસનીય સાધનસામગ્રી(સાહિત્યિક, પુરાતત્ત્વીય)વાળો છે. તેનું કારણ તે સમયમાં થયેલા ચાણક્યના અવતાર જેવા ગુજરાતના બે મહાન અને અદ્વિતીય બન્યુંમંત્રી વસ્તુપાલ-તેજપાલ હતા. આ બન્ને ભાઈઓના શૌર્ય, ચાતુર્ય અને ઔદાર્ય આદિ અનેક અદ્ભુત ગુણોને લઈને તેમના સમકાલીન ગુજરાતના પ્રતિભાવાન પંડિતો અને કવિઓએ તેમની કીર્તિને અમર કરવા માટે જેટલાં કાવ્ય, પ્રબન્ધ અને પ્રશસ્તિઓ વગેરેની રચના કરી છે તેટલાં ભારતમાં બીજા કોઈ પણ રાજપુરુષ માટે રચાયાં નથી. સમકાલિક તેમના ઉપર લખાયેલાં કાવ્યોમાં જૈન રચનાઓ સુકૃતસંકીર્તન અને વસન્તવિલાસ છે. સુકૃતસંકીર્તન આ કાવ્યમાં ૧૧ સર્ગો અને ૫૫૩ પઘો છે. તેમાં મહામાત્ય વસ્તુપાલના જીવન અને કાર્યકલાપોનું, ખાસ કરીને તેમનાં ધાર્મિક અને લોકપ્રિય કાર્યોનું, અધિક વર્ણન છે. ४०३ તેના પ્રથમ સર્ગમાં અણહિલવાડમાં રાજ્ય કરનાર પ્રથમ રાજવંશ ચાપોત્કટ યા ચાવડા રાજાઓની વંશાવલી અને ઉક્ત નગરનું વર્ણન આપવામાં આવ્યું છે. અહીં ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે આ પહેલું ઐતિહાસિક કાવ્ય છે જેમાં ચાવડા વંશનું વર્ણન છે. તેના પછી ઉદયપ્રભકૃત સુકૃતકીર્તિકલ્લોલિનીમાં જ ઉક્ત ૧. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ગ્રન્થાંક ૫૧, સં. ૧૯૭૪; ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૩૧, પૃ. ૪૭૭ અને આગળ; જિનરત્નકોશ, પૃ. ૪૪૩; આ કાવ્ય મૂળ, તેનો જર્મન અનુવાદ અને ભૂમિકા જી. બુહલરે જર્મન પત્રિકા શિશ્રુંગન્થેરિન્ને (ભાગ ૧૧૯, સન્ ૧૮૯૯)માં બહાર પાડ્યાં હતાં. જર્મન અનુવાદ અને ભૂમિકાનો અંગ્રેજી અનુવાદ ઈ.એચ.બર્જેસે ૧૯૦૩માં ઈન્ડિયન એન્ટીક્વેરીમાં પ્રકાશિત કર્યો, પછી અલગ પુસ્તિકાના રૂપમાં જર્મન અને અંગ્રેજી બન્ને પાઠ પ્રકાશિત થયા; સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૩૨. ૨. ચાવડાવંશનો પ્રાચીનતમ શિલાલેખીય ઉલ્લેખ વિ.સં. ૧૨૦૮ (ઈ.સ.૧૧૫૨)ની વડનગરની કુમારપાલપ્રશસ્તિમાં મળે છે. ચાવડાઓની વંશાવલી માટે જુઓ ઈન્ડિયન એન્ટીક્વેરી. Page #426 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય વંશનું વર્ણન મળે છે. હેમચન્દ્ર આ વંશ વિશે મૌન છે, જ્યારે ખરેખર તો આ વંશના વનરાજે જ અણહિલવાડની સ્થાપના કરી હતી. ચાવડા શાખાના આઠ ૪૦૪ રાજાઓનાં નામ અરિસિંહે આ પ્રમાણે ગણાવ્યાં છે : વનરાજ, યોગરાજ, રત્નાદિત્ય, વૈરસિંહ, ક્ષેમરાજ, ચામુંડ, રાહડ અને ભૂમટ. આ આઠમાંથી એકલા વનરાજના વિષયમાં માહિતી આપવામાં આવી છે કે તેણે અણહિલવાડમાં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું હતું, જેનો આગળ ઉપર વસ્તુપાળે જિર્ણોદ્ધાર કરાવ્યો. બીજા સર્ગમાં ચૌલુક્ય વંશનું વર્ણન છે. તેમાં મૂલરાજથી ભીમદેવ દ્વિતીયના રાજ્યકાળ સુધીનું સંક્ષિપ્ત વિવરણ છે. ભીમદેવ દ્વતીયના વિશે કહેવામાં આવ્યું છે કે તે ચિન્તાઓથી બહુ જ ઘેરાયેલા હતા કારણ કે તેના રાજ્યને સામન્તો અને માંડલિકોએ હડપ કરી લીધું હતું. ત્રીજા સર્ગમાં ભીમે વાઘેલા લવણપ્રસાદની સર્વેશ્વર પદ ઉપર, વીરધવલની યુવરાજ પદ ઉપર તથા વસ્તુપાલ-તેજપાલની મંત્રી પદ ઉપર નિયુક્તિની સૂચના આપી દીધી હતી. ચોથાથી અગીઆરમા સર્ગો સુધી વસ્તુપાલનાં સુકૃત્યો, સત્કાર્યોનાં વર્ણનોથી ભરપૂર છે, તેમાંથી તત્કાલીન ધાર્મિક, સામાજિક રીતરિવાજોનું દિગ્દર્શન મળે છે અને કાવ્યનું શીર્ષક સુકૃત્યોના સંકીર્તન દ્વારા ચરિતાર્થ કરવામાં આવ્યું છે. કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા ઠક્કુર અરિસિંહ છે. પ્રબન્ધકોશ અનુસાર આ કવિ વાયડ ગચ્છના જિનદત્તસૂરિના અનુયાયી હતા. અરિસિંહ જૈન શ્રાવક હોવા છતાં પણ સુપ્રસિદ્ધ ગદ્યકાર અને કવિ મુનિ અમરચન્દ્રના ગુરુ હતા. આ બન્ને સાહિત્યકારો એક ગૃહસ્થ અને બીજા સાધુ પરસ્પર મળીને કામ કરતા હતા. અરિસિંહ વસ્તુપાલના પ્રિય કવિ હતા તથા વાધેલાનરેશના એક રાજદરબારી હતા. ૧ કાવ્યને વાંચવાથી જાણવા મળે છે કે તેની રચના ત્યારે કરવામાં આવી હતી જ્યારે વસ્તુપાલ પોતાની સત્તાના શિખરે હતા. તો પણ વસ્તુપાલના જીવનકાલના વિ.સં.૧૨૭૮ (ઈ.સ.૧૨૨૨) પછીની જ આ કાવ્યરચના હોવી જોઈએ કારણ કે તેમાં આબૂ ઉપર મલ્લિનાથની બનાવાયેલી કુલિકાનું વર્ણન છે, આ કુલિકા તે જ વર્ષમાં બની હતી. સાથે જ તે રચના વિ.સં.૧૨૮૮-૮૯ પહેલાં થઈ હોવી જોઈએ કારણ કે તેમાં વસ્તુપાલે કરેલાં બધાં કાર્યોનું વર્ણન નથી. આ કાવ્ય ઉપરાંત અરિસિંહની અન્ય કૃતિઓની માહિતી નથી મળતી. ૧. બુહલ૨, ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૩૧, પૃ. ૪૮૦. Page #427 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૦૫ વસત્તવિલાસ - આ કાવ્યમાં પ્રસિદ્ધ અમાત્ય વસ્તુપાલના જીવનચરિત્રનું વર્ણન છે. વસ્તુપાલને તેના કવિમિત્રોએ આપેલું બીજું નામ વસન્સપાલ હતું. આ એક ઐતિહાસિક કાવ્ય છે. તેમાં ૧૪ સર્ગો અને કુલ મળીને ૧૦૨૧ શ્લોકો છે. તેનું પરિમાણ ૧૫૧૬ શ્લોકપ્રમાણ છે. પ્રત્યેક સર્ગના અંતે કવિએ વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહની પ્રશંસામાં એક વૃત્ત રચ્યું છે, જૈત્રસિંહની વિનંતીથી જ કવિએ આ કાવ્યની રચના કરી છે. વસ્તુપાલના સમકાલિક કવિ દ્વારા રચાયેલું હોવાથી તેમાં વર્ણવાયેલી ઘટનાઓની સચ્ચાઈમાં સંદેહ કરવા માટે બહુ જ ઓછો અવકાશ છે. ગુજરાતના ઈતિહાસ ઉપર આ કાવ્યમાંથી નીચે જણાવેલાં તથ્યોની જાણકારી મળે છે : ૧. બ્રહ્માના અંજલિજલમાંથી ચૌલુક્યવંશની ઉત્પત્તિ તથા મૂલરાજથી ભીમ બીજા સુધીના રાજાઓનું વર્ણન. આમાં જયસિંહ, કુમારપાલ અને ભીમ બીજાના વિશે અપેક્ષાકૃત વિસ્તારથી વર્ણન છે. - ૨. વાઘેલાશાખાના અર્ણોરાજ, તેના પુત્ર લવણપ્રસાદ તથા તેના પુત્ર વિરધવલનું વર્ણન કરીને કઈ પરિસ્થિતિઓમાં વસ્તુપાલ-તેજપાલની મંત્રીપદ ઉપર નિયુક્તિ થઈ તેનું વર્ણન છે. ૩. વસ્તુપાલના પ્રાગ્વાટ વંશનું વર્ણન તથા પૂર્વજ ચંડપ, ચંડપ્રસાદ, સોમના વર્ણન પછી સોમના પુત્ર અશ્વરાજ (વસ્તુપાલના પિતા) અને તેની પત્ની કુમારદેવીનું વર્ણન છે. તેમનાથી મલ્લદેવ, વસ્તુપાલ અને તેજપાલ એ ત્રણ પુત્રો થયા. ૪. વસ્તુપાલની મંત્રીપદ ઉપર નિયુક્તિને કારણે વિરધવલના રાજયની દિનપ્રતિદિન ઉન્નતિ થવી. વિરધવલે લાટ દેશ ઉપર આક્રમણ કરીને અને ખંભાત છીનવી લઈને ત્યાં વસ્તુપાલને ગવર્નર બનાવવા. વસ્તુપાલે શાસનવ્યવસ્થામાં કરેલા સુધારા અને સર્વ ધર્મો પ્રત્યે દર્શાવેલો સંપૂર્ણ સમભાવ. વસ્તુપાલનો કાવ્યપ્રેમ તથા કવિઓ પ્રત્યે તેનું સમ્માન. ૧. ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, વડોદરા, ૧૯૧૭; જિનરત્નકોશ, પૃ. ૩૪૪. ૨. સર્ગ ૧.૭૫. ૩. આ વર્ણનને કીર્તિકૌમુદી અને સુકૃતસંકીર્તન સાથે આપણે મેળવી શકીએ. ૪. આ વર્ણન કીર્તિકૌમુદીમાં વર્ણવાયેલ કથાનું અનુકરણ જણાય છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય ૫. મારવાડ દેશના રાજાઓ અને લૂણસાક રાજા વચ્ચે યુદ્ધ, મારવાડના રાજાઓની મદદે વીરધવલનું ગમન. ભૃગુકચ્છના શાસક શંખના આક્રમણનો વસ્તુપાલે સામનો કરી તેને પરાજિત કરવો. ૬. વસ્તુપાલનું સંઘ સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રાએ જવું. વસ્તુપાલનું મરણ માઘ કૃષ્ણા પંચમી સં. ૧૨૯૬ સોમવારે શત્રુંજયમાં થવું. આમ તો વસંતવિલાસની કથાવસ્તુ ટૂંકી છે પણ તેનો વિસ્તાર મહાકાવ્યોચિત વિધિથી કરવામાં આવ્યો છે. પ્રથમ ચાર સર્ગ કથાનકની ભૂમિકામાત્ર રજૂ કરે છે. પહેલા સર્ગમાં કવિએ કાવ્યની મહત્તા પર પ્રકાશ ફેંકી પોતાનો પરિચય આપ્યો છે, બીજામાં અણહિલપત્તન નગરનું વર્ણન કર્યું છે તથા ત્રીજામાં મૂલરાજથી ભીમ બીજા સુધીના ચૌલુક્ય રાજાઓનો પરિચય તથા વાધેલા વીરધવળ અને તેના પૂર્વજોનો પરિચય આપી વીરધવલ દ્વારા વસ્તુપાલ-તેજપાલની મંત્રીપદે નિયુક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ચોથા સર્ચમાં વસ્તુપાલના ગુણોનું વર્ણન કરીને વીરધવલે તેની ખંભાતના શાસક તરીકે કરેલી નિયુક્તિનું વિવરણ રજૂ કરવામાં આવ્યું છે. પાંચમા સર્ગથી કથાને ગતિ મળે છે. આમાં લૂણસાક રાજા સાથે મારવાડના રાજાનું યુદ્ધ ફાટી નીકળવું અને વીરધવલના સસૈન્ય નીકળી પડવાનું વર્ણન. આ જ સર્ગમાં લાટના રાજા શંખનું ધવલક્કક ઉપર આક્રમણ અને વસ્તુપાલે તેને પરાજિત કરી ભગાડી મૂકવાનું વર્ણન. છઠ્ઠા સર્ગમાં કવિએ પરંપરાનુસાર ઋતુવર્ણન કર્યું છે, તેવી જ રીતે સાતમામાં પુષ્પાવચય, દોલાક્રીડા અને જલક્રીડાનું વર્ણન કર્યું છે તથા આઠમામાં ચન્દ્રોદયનું વર્ણન કર્યું છે. નવમા સૂર્યોદય નામના સર્ગમાં રાત્રિમાં નિદ્રામગ્ન વસ્તુપાલ સ્વપ્ર દેખે છે જેમાં એક પગવાળો ધર્મ લંગડાતો વસ્તુપાલ પાસે આવી વિનંતી કરે છે કે કલિયુગના પ્રભાવે હું એક પાદ રહી ગયો છું,' તેથી આપ તીર્થયાત્રાઓ કરીને મારી વ્યાકુળતાને દૂર કરો. વસ્તુપાલ તેની વિનંતી સ્વીકારે છે. તે જ વખતે પ્રાતઃકાલ થઈ જાય છે અને વસ્તુપાલ જાગી જાય છે. આમાં કથાનકનું તૂટેલુ સૂત્ર ફરી પકડી લીધું છે. દસમા સર્ગથી તેરમા સર્ગ સુધી વસ્તુપાલની તીર્થયાત્રાઓનું વિસ્તૃત વર્ણન છે. દસમા સર્ચમાં શત્રુંજયયાત્રા, અગીઆરમામાં પ્રભાસતીર્થયાત્રા, બારમામાં રૈવતકગિરિવર્ણન અને તેરમામાં રૈવતકયાત્રાવર્ણન છે. આ તેરમા સર્ગમાં વસ્તુપાલનું ૪૦૬ ૧. આ વર્ણન ભાગવતપુરાણ (૧.૧૬-૧૭)ના અનુકરણ મુજબ છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય પાછા ધવલક્કક આવવાનું વર્ણન કરવામાં આવ્યું છે. અંતિમ ચૌદમા સર્ગમાં વસ્તુપાલે કરેલાં અનેક ધર્મકાર્યોનું વિવરણ આપ્યું છે તથા માધ કૃષ્ણા પંચમી સોમવાર સં. ૧૨૯૬ પ્રાતઃ સદ્ગતિ જવાનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાં રૂપકતત્ત્વનો આશ્રય લેવામાં આવ્યો છે. આ કાવ્યમાં કવિએ ચરિત્રચિત્રણ તરફ વિશેષ ધ્યાન આપ્યું છે. તેમાં વસ્તુપાલ, તેજપાલ, વીરધવલ, શંખ વગેરે અનેક પાત્ર છે પરંતુ વસ્તુપાલના ઉદાત્ત ચરિત્રનું ચિત્રણ કરવું એ જ આ કાવ્યનું પ્રયોજન છે. પ્રાકૃતિક ચિત્રણ પણ આ કાવ્યમાં સારી રીતે કરવામાં આવ્યું છે. હા, એ વાત સાચી કે કવિપરંપરાસમ્મત સૌન્દર્યચિત્રણ નહિવત્ છે. તેવી જ રીતે સામાજિક ચિત્રણ કરવાવાળી વિશેષ સામગ્રી પણ આમાં નથી. પરંતુ તત્કાલીન રાજનૈતિક ઈતિહાસ જાણવા માટેની પ્રચુર સામગ્રી તેમાં છે. કવિએ ધાર્મિક સિદ્ધાન્તોનું પણ ક્યાંય નિરૂપણ નથી કર્યું પરંતુ ધર્મની આરાધનામાં તીર્થયાત્રાને વિશેષ મહત્ત્વ આપ્યું છે. ૪૦૭ રસોની અભિવ્યક્તિની દૃષ્ટિએ આ કાવ્ય વીરરસપ્રધાન છે. પાંચમા સર્ગમાં વી૨૨સની નિષ્પત્તિ સરસ રીતે કરવામાં આવી છે. યુદ્ધપ્રસંગમાં રૌદ્રરસ અને બીભત્સરસની ઝાંખી પણ કરાવવામાં આવી છે. દસમાંથી તેરમા સર્ગ સુધી વસ્તુપાલની ધર્મવીરતા અને દાનવીરતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા, સાતમા અને આઠમા સર્ગોમાં સંયોગશૃંગારનો પરિપાક થયો છે. આ કાવ્યની ભાષા સરળ, કોમળ, સ્વાભાવિક, પ્રૌઢ અને પરિમાર્જિત છે. સામાન્યતઃ ભાષા ભાવાનુકૂળ છે. જ્યાંત્યાં સૂક્તિઓનો પ્રયોગ પણ થયો છે. બારમા સર્ગમાં શબ્દક્રીડા અને પાંડિત્યપ્રદર્શન કરતાં દુરૂષ પઘોનો પ્રયોગ કર્યો છે. ભાષાને સજાવવા માટે વિવિધ અલંકારોની યોજના પણ કવિએ પ્રચુર માત્રામાં કરી છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ, યમક અને વીપ્સાનો અને અર્થાલંકારોમાં ઉપમા અને ઉત્પ્રેક્ષાનો પ્રચુર પ્રયોગ થયો છે. અન્ય અલંકારોમાં અપદ્ઘતિ, અસંગતિ, વિરોધ, અર્થાન્તરન્યાસ, અતિશયોક્તિનો પ્રયોગ દર્શનીય છે. છંદોના પ્રયોગમાં કવિએ મહાકાવ્યની પરંપરાને અપનાવી છે. પ્રત્યેક સર્ગમાં એક છંદનો પ્રયોગ અને સર્ગાન્તે છંદપરિવર્તન કરેલ છે. કેટલાક સર્ગોમાં વિવિધ છંદોની યોજના પણ થઈ છે. આ રીતે આ કાવ્યમાં ૨૯ છંદો પ્રયોજાયા છે. તેમાં ઉપજાતિનો પ્રયોગ સૌથી વધુ થયો છે. ૧. સર્ગ ૧૦. ૭, ૧૭, ૨૩; ૧૧. ૮૨ Page #430 -------------------------------------------------------------------------- ________________ ४०८ કવિપરિચય અને રચનાકાળ આ કાવ્યના સર્જક બાલચન્દ્રસૂરિ છે. પ્રથમ સર્ગમાં કવિએ પોતે જૈન મુનિ થયા પહેલાંના જીવનનો પરિચય આપ્યો છે. તે મુજબ તે મોઢે૨ક ગ્રામવાસી ધરાદેવ બ્રાહ્મણ અને તેમની પત્ની વિદ્યુતના મુંજાલ નામના પુત્ર હતા. બાલ્યાવસ્થામાં જ વિરક્ત થઈ મુંજાલે જૈની દીક્ષા ગ્રહણ કરી. તેમના ગુરુ ચન્દ્રગચ્છીય હરિભદ્રસૂરિએ તેમનું દીક્ષાનું નામ બાલચન્દ્ર રાખ્યું. બાલચન્દ્રે પોતાના સમયના પ્રસિદ્ધ વિદ્વાન પદ્માદિત્ય પાસે શિક્ષણ લીધું તથા વાદિદેવગચ્છના ઉદયપ્રભસૂરિ પાસેથી સારસ્વત મન્ત્ર પ્રાપ્ત કર્યો જેના ફલસ્વરૂપ તે મહાકવિ બની પ્રસ્તુત કાવ્યની રચના કરી શક્યા. - -- દીક્ષાગુરુ હરિભદ્રે પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં બાલચન્દ્રને પોતાના પદ ઉપર આચાર્યપદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા. પ્રબન્ધચિન્તામણિમાં કહ્યું છે કે વસ્તુપાલે બાલચન્દ્રની કવિત્વશક્તિથી પ્રસન્ન થઈને તેમના આચાર્યપદના મહોત્સવમાં એક હજા૨ દ્રમ્મ ખર્ચ કર્યો. બાલચન્દ્રસૂરિએ ‘કરુણાવજાયુધ’ નામનું પાંચ અંકોવાળું નાટક પણ રચ્યું છે, વસ્તુપાલની એક સંઘયાત્રા વખતે શત્રુંજયમાં યાત્રાળુઓના વિનોદાર્થ આદિનાથ મંદિરમાં આ નાટક ભજવાયું હતું. આ ઉપરાંત બાલચન્દ્રસૂરિએ આસડ કવિકૃત ‘વિવેકમંજરી' તથા ‘ઉપદેશકંદલી’ નામના ગ્રંથો ઉપર ટીકાઓ લખી છે. વસન્તવિલાસ કવિની અંતિમ કૃતિ છે અને તે વસ્તુપાલના મરણ પછી લખાઈ હતી કારણ કે તેમાં વસ્તુપાલના સ્વર્ગગમનનું વર્ણન છે. વસ્તુપાલનું મરણ સં. ૧૨૯૬માં થયું હતું. આ કાવ્યની રચના વસ્તુપાલના પુત્ર ચૈત્રસિંહના મનોવિનોદ માટે કરવામાં આવી હતી. જૈત્રસિંહને પોતાના પિતાના જીવનકાળમાં જ સં. ૧૨૭૯માં ખંભાતના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેમનું આયુ ૨૫ વર્ષ લગભગ રહ્યું હશે અને વસ્તુપાળના મૃત્યુ સમયે તેમનું આયુ ૪૨-૪૩ વર્ષ રહ્યું હશે. જો તે ૮૦ વર્ષનું આયુ પૂરું કરી મર્યા હતા તો તેમનું મરણ સં. ૧૩૩૩-૩૪ લગભગ થયું હશે. આ કાવ્યની રચના જૈત્રસિંહના જીવનકાળમાં જ થઈ ગઈ હતી એટલે તેની રચનાનો સમય સં. ૧૨૯૬થી સં. ૧૩૩૪ વચ્ચેનો મનાવો જોઈએ. જૈન કાવ્યસાહિત્ય વસ્તુપાલના જીવન પર લખાયેલું બીજું ઐતિહાસિક કાવ્ય છે સંઘપતિચરિત્ર અપરનામ ધર્માભ્યુદયકાવ્ય. તેના પ્રથમ સર્ગમાં વસ્તુપાલની વંશપરંપરા તથા વસ્તુપાલ મન્ત્રી બન્યાનો નિર્દેશ છે. અન્તિમ સર્ગમાં વસ્તુપાલની સંઘયાત્રાનું ઐતિહાસિક વિવરણ આપવામાં આવ્યું છે. આ કાવ્ય અધિકાંશ ધર્મકથાઓથી Page #431 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૦૯ ભરેલું છે. આ કાવ્યનું વિવેચન અમે કથાસાહિત્યના પ્રકરણમાં કરી દીધું છે. તે વસ્તુપાલ-તેજપાલ આ બે મંત્રીઓને નિમિત્ત બનાવી નાટક, પ્રશસ્તિઓ, શિલાલેખ વગેરે રચાયાં છે, તે બધાંમાં તત્કાલીન ગુજરાતના ઈતિહાસને જાણવા માટે ઘણી સામગ્રી મળે છે. સમકાલિક સાહિત્યમાં જયસિંહસૂરિએ રચેલું હમ્મીરમદમદન નાટક વસ્તુપાલના રાજનૈતિક અને ફોજી જીવનના નિરૂપણમાં ઉપયોગી છે કારણ કે તેમાં મુસ્લિમ આક્રમણને વિફલ કરનારી યુદ્ધનીતિનું વર્ણન નાટકીય શૈલીમાં કરવામાં આવ્યું છે. આ નાટકનો વિશેષ પરિચય અમે હવે પછી આપવાના છીએ. જિનભદ્રની (ઈ.સ.૧૨૩૪) પ્રબન્ધાવલીમાં વસ્તુપાલના જીવનની કેટલીક એવી ઘટનાઓની તરફ ઈશારો કરવામાં આવ્યો છે જે ઘટનાઓ મુખ્ય કાલક્રમની સમસ્યાઓને ઉકેલવામાં પરમ સહાયક બની છે. તેવી રીતે નરેન્દ્રપ્રભસૂરિની વસ્તુપાલપ્રશસ્તિ, ઉદયપ્રભસૂરિની સુકૃતકીર્તિકલ્લોલિની અને વસ્તુપાલસ્તુતિ તથા જયસિંહસૂરિકૃત વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. તેમનો પરિચય પ્રશસ્તિકાવ્યોમાં આપીશું. પછીના સમયની સાહિત્યિક સામગ્રીમાં મેરૂતુંગની પ્રબન્ધચિન્તામણિ (ઈ.સ. ૧૩૦૫), રાજશેખરનો પ્રબન્ધકોશ (ઈ.સ. ૧૩૪૯) અને પુરાતનપ્રબન્ધસંગ્રહ (જેમાં ૧૩મી, ૧૪મી, ૧૫મી સદીના અનેક પ્રબન્ધ સંકલિત છે), જિનપ્રભસૂરિનો વિવિધતીર્થકલ્પ તથા જિનહર્ષગણિનું વસ્તુપાલચરિત છે. તેમનો પરિચય યથાસ્થાન આપવામાં આવશે. તેવી જ રીતે વસ્તુપાલ-તેજપાલના જીવનને લગતા અનેક શિલાલેખો મળે છે તથા ગ્રન્થપ્રશસ્તિઓ પણ મળે છે. તેમનો પણ યથાસંભવ પરિચય દેવા પ્રયત્ન કરીશું. - ચૌદમી-પંદરમી સદીના અનેક જૈન વિદ્વાનોએ ઐતિહાસિક મહાકાવ્યોની રચના કરી છે. ચૌલુક્ય રાજા કુમારપાલ ઉપર રચાયેલાં કેટલાંક કાવ્યોનો ઉલ્લેખ અમે પૌરાણિક મહાકાવ્યોનો પરિચય દેતી વખતે કર્યો છે. ત્યાં તેમનું ઐતિહાસિક મહત્ત્વ બતાવ્યું ન હતું. અહીં અમે તેમાંથી કેટલાંકનો પરિચય આપીએ છીએ. ૧. જુઓ, પૃ. ૨૫૮ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જેન કાવ્યસાહિત્ય કુમારપાલભૂપાલચરિત આ કાવ્યમાંથી નિમ્નલિખિત ઐતિહાસિક તથ્યોની જાણકારી મળે છે. તેમાં મૂળરાજથી અજયપાલ સુધીના ગુજરાતના રાજાઓનું ક્રમિક વિવરણ આપવામાં આવ્યું છે. તેથી આ કાવ્યનો પ્રથમ સર્ગ બહુ મહત્ત્વનો છે. તેમાં મૂળરાજના જન્મનું એક એવું વર્ણન મળે છે જે બીજી જગ્યાએ મળતું નથી. આ વર્ણન અધિક હદ સુધી એક શિલાલેખથી પણ સમર્થિત છે. જયસિંહ સિદ્ધરાજને આ કાવ્યમાં શૈવધર્માનુયાયી તથા સંતાનરહિત રાજા કહેવામાં આવ્યો છે. તેણે કુમારપાલને ઉત્તરાધિકાર ન મળે તે માટે હેરાન પરેશાન કર્યો હતો. કુમારપાળના વિશે લખ્યું છે કે પ્રારંભમાં તે શૈવધર્માનુયાયી હતો, પછી હેમચન્દ્રના પ્રભાવથી તે જૈન બની ગયો હતો. ઉદયન તેનો મહામાત્ય હતો અને વાભટ તેનો અમાત્ય. કુમારપાલે પોતાના સાળા કૃષ્ણદેવને આંધળો બનાવી દીધો હતો. તેણે જાબાલપુર, કરુ તથા માલવના રાજાઓને પોતાના પ્રભાવમાં લાવી દીધા હતા અને આમીર, સૌરાષ્ટ્ર, કચ્છ, પંચનદ અને મૂલસ્થાનના રાજાઓને પરાજિત કર્યા હતા. કુમારપાલે અજમેરના શાસક અરાજ સાથે સારો એવો સમય યુદ્ધ કર્યું હતું અને તેને હરાવ્યો હતો. તેણે મેડતા અને પલ્લીકોટના રાજાઓને જીત્યા હતા તથા કોંકણનરેશ મલ્લિકાર્જુનને હરાવ્યો હતો અને આ વિષયના ઉપલક્ષ્યમાં આદ્મભટને “રાજપિતામહ'નું બિરુદ આપ્યું હતું. કુમારપાલે સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સોમનાથની યાત્રામાં હેમચન્દ્રસૂરિ તેમની સાથે હતા. કુમારપાલે સૌરાષ્ટ્રના રાજા સમરસ સાથે યુદ્ધ કર્યું હતું, તે યુદ્ધમાં ઉદયનનું મૃત્યુ થયું હતું. - વામ્ભટે શત્રુંજય તીર્થનો બે વાર ઉદ્ધાર કર્યો હતો. હેમચંદ્રસૂરિએ ભૃગુકચ્છમાં આમ્રભટે નિર્માણ કરાવેલા મુનિસુવ્રતનાથ ચૈત્યમાં સં. ૧૨૧૧માં જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. કુમારપાલ સંઘપતિ બનીને તીર્થયાત્રા કરવા નીકળ્યો હતો. સં. ૧૨૨૯માં હેમચન્દ્રનું મૃત્યુ થયું હતું તથા તેના એક વર્ષ પછી સં. ૧૨૩૦માં કુમારપાલનું મૃત્યુ થયું હતું. કુમારપાલ પછી અજયપાલ રાજગાદી ઉપર આવ્યો હતો. આ કાવ્યના અનેક ગુણો તથા કવિ પરિચય વિશે અમે લખી ગયા છીએ. ૧. જિનરત્નકોશ, પૃ. ૯૨; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૫; ગોડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ, ૧૯૨૬ . Page #433 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૧ ૧ આ કાવ્યના કર્તા જયસિંહસૂરિના પ્રશિષ્ય એક બીજું ઐતિહાસિક કાવ્ય રચ્યું છે, તે ચૌહાણવંશ વિશે છે. તેનો પરિચય નીચે પ્રમાણે છે : હમ્મીરમહાકાવ્ય આ કાવ્યમાં રણથંભોરના ચૌહાણવંશી અન્તિમ નરેશ હમ્મીર અને દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધનું વર્ણન છે. તેમાં ૧૪ સર્ગ છે અને કુલ મળીને ૧૫૬૪ શ્લોકો છે. ઐતિહાસિક શૈલીના મહાકાવ્યોમાં આ એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે. આ કાવ્યનું કથાનક સર્ગક્રમમાં આ પ્રમાણે છે : પ્રથમ સર્ગમાં ચાહમાન કુલની ઉત્પત્તિ તથા વાસુદેવથી સિંહરાજ સુધી હમ્મીરના પૂર્વજોનું વર્ણન છે. બીજા અને ત્રીજા સર્ગમાં પૃથ્વીરાજ ચાહમાન અને સહાબદીન વચ્ચે સાત વાર યુદ્ધ અને છેવટે પૃથ્વીરાજનો પરાજય અને બંદીગૃહમાં મૃત્યુ થવાનું વર્ણન છે. ચોથા સર્ગમાં હમ્મીરના જન્મનું વર્ણન છે. હમ્મીર પૃથ્વીરાજના પૌત્ર ગોવિન્દરાજની શાખામાં તેના પૌત્ર જૈત્રસિંહ અને રાણી હીરાદેવીનો પુત્ર હતો. પાંચમા સર્ગમાં વસંતઋતુ આવતાં યુવક હમ્મીરના ઉદ્યાનગમનનું અને ઉદ્યાનમાં પૌરપૌરાંગનાઓની વનક્રીડાનું વર્ણન છે. છઠ્ઠા સર્ગમાં જૈત્રસાગરમાં તેમની જલક્રીડાનું વર્ણન છે. સાતમા સર્ગમાં સંધ્યા, ચન્દ્રોદય તથા રાત્રિવર્ણન છે. આઠમા સર્ગમાં જૈત્રસિહ હમ્મીરને રાજા બનાવે છે અને રાજનીતિ ઉપર અતિ મહત્ત્વનો ઉપદેશ આપે છે. થોડા સમય પછી તેમનું મૃત્યુ થઈ જાય છે. નવમા સર્ગમાં હમ્મીરના દિગ્વિજયનું વર્ણન છે. દિલ્હીના બાદશાહ અલ્લાઉદીનનો એક મુગલ સરદાર અલ્લાઉદ્દીનનું અપમાન કરી ભાગીને હમ્મીરના શરણમાં આવે છે. હમ્મીર તે સરદારને અલ્લાઉદીનને પાછો સોંપતો નથી તેથી અલ્લાઉદ્દીન પોતાના ભાઈ ઉલ્લખાનને હમ્મીર ઉપર આક્રમણ કરવા મોકલે છે. હમ્મીર તે સમયે કોટિયજ્ઞ કરી રહ્યો હતો તેથી ત્રિશુદ્ધિવ્રત લીધું હોવાને કારણે પોતે યુદ્ધક્ષેત્રમાં ન ગયો અને તેણે પોતાના સેનાપતિ ભીમસેન અને ધર્મસિંહને યુદ્ધ કરવા મોકલ્યા. ધર્મસિંહની મૂર્ખતાથી ૧. સંપાદક નીલકંઠ જનાર્દન કીર્તને, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૮૭૯; મુનિ જિનવિજય દ્વારા સંપાદિત, રાજસ્થાન ગ્રન્થમાલામાં પ્રકાશિત, આમાં દશરથ શર્માની ભૂમિકા પઠનીય છે. વિશેષ માટે જુઓ ડૉ. શ્યામશંકર દીક્ષિતકૃત “તેરવી-ચૌદવી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય', પૃ. ૧૬૩-૧૯૨. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ચૌહાણસેના હારે છે અને ભીમસિંહ મરાય છે. હમ્મીર ક્રોધે ભરાઈ ધર્મસિંહની બંને આંખો કઢાવી નાખે છે અને તેને દેશનિકાલ કરે છે તથા પોતાના જાતીય ભોજને દંડનાયક બનાવી દે છે. પરંતુ ધર્મસિંહ પોતાની કૂટનીતિથી ફરી પોતાનું પદ પ્રાપ્ત કરી લે છે અને હમ્મીરના કાન ભરી ભોજનું સર્વસ્વ છીનવી લઈ તેને ભગાડી મૂકે છે. ભોજ દિલ્હી જઈ અલ્લાઉદ્દીન સાથે મળી જાય છે. ભોજના સ્થાને હમ્મીર રતિપાલને નિયુક્ત કરે છે. દશમા સર્ગમાં ઉલ્લેખાનનું પરાજિત થવું, ભોજના પરિવારની દુર્દશાનું વર્ણન સાંભળી અલ્લાઉદ્દીનમાં ક્રોધની આગ ભભૂકી ઊઠવી અને હમ્મીરનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરવી, આ બધાનું વર્ણન છે. અગીઆરમા સર્ગમાં નિસુરત્તખાન અને ઉલ્લેખાનનું વિશાળ સેના સાથે આવવું અને નિસુરત્તખાનનું યુદ્ધમાં મરાવું દર્શાવાયું છે. બારમા સર્ગમાં અલ્લાઉદ્દીનનું સ્વયં રણસ્તંભપુર આવવું, તેની સેના અને હમ્મીર વચ્ચે બે દિવસ સુધી ભયંકર સંગ્રામ થવો, યુદ્ધમાં અલ્લાઉદીનની ઘણી બધી સેનાનું મરાવું વર્ણવાયું છે. તેરમા સર્ગમાં અલ્લાઉદ્દીને રતિપાલને લાંચ આપવી અને તેને પોતાને પક્ષે કરી લેવો, રતિપાલે અન્ય કર્મચારીઓને અલ્લાઉદીનના પક્ષે કરી લેવા, આ વિશ્વાસઘાતથી હમ્મીરને જયની આશા ન હોવી, પરિણામે અન્તઃપુરની સ્ત્રીઓનું જૌહરની આગમાં બળી મરવું અને યુદ્ધમાં પોતાની હાર નિશ્ચિત છે જાણી હમ્મીરે પોતે પોતાનો વધ કરવો, આ બધું વર્ણવાયું છે. ચૌદમા સર્ગમાં હમ્મીરના ગુણોની સ્તુતિ અને ભોજ, રતિપાલ વગેરેની નિન્દા છે. અન્ને ગ્રન્થકર્તાની પ્રશસ્તિ સાથે કાવ્ય સમાપ્ત થાય છે. જૈન કાવ્યસાહિત્ય હમ્મીરમહાકાવ્યની કથાવસ્તુના ઉપર્યુક્ત વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે આ કાવ્યના પ્રથમ ચાર સર્ગોમાં ઈતિવૃત્તાત્મકતા અધિક છે. આ સર્ગો ચૌહાણવંશના ઈતિહાસનું કામ કરે છે. પછીના ચાર (૫-૮) સર્ગોમાં કવિએ મહાકાવ્યની શૈલીનું અનુસરણ કર્યું છે. વળી પાછી ઈતિહાસની વાત નવમા સર્ગથી આગળ વધીને તેરમા સર્ગમાં સમાપ્ત થઈ જાય છે. ચૌદમો સર્ગ પ્રશસ્તિરૂપે છે. વસ્તુતઃ હમ્મીરમહાકાવ્ય એક દુઃખાન્ત મહાકાવ્ય છે, તેનો અંત નાયકના પરાજય અને મરણ સાથે થાય છે. કાવ્યમાં આ ઐતિહાસિક તથ્યની ઉપેક્ષા કરવામાં નથી આવી. તેમ છતાં તેના પઠનથી પાઠકોના મનમાં નિરાશાની ભાવનાનો સંચાર થતો નથી. તેનું મસ્તક શરણાગતના પ્રતિપાલન માટે અને જાતિગૌરવની રક્ષા માટે કરવામાં આવેલી કુરબાનીથી ગૌરવથી ઊંચું ઊઠે છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ કૃતિ સુસ્પષ્ટ, સુગઠિત છે અને અલૌકિક તત્ત્વોથી રહિત છે. રણથંભોર શાખાના ચૌહાણોના ઈતિહાસવર્ણનમાં સાલ, માસ, પક્ષ, તિથિ, વાર, નક્ષત્ર આદિના વર્ણનની સાથે Page #435 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૧૩ સાથે ઘટનાઓના કાર્યકારણસંબંધને દર્શાવીને કવિએ ઈતિહાસકારોનાં હૃદયમાં ઊંચા સમ્માનનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. મહાકાવ્યીય તત્ત્વોની દૃષ્ટિએ જોવા જઈએ તો આ એક ઉદાત્ત કાવ્ય છે. તેમાં નાયક અને પ્રતિનાયક અર્થાત્ હમ્મીર અને અલ્લાઉદ્દીન તથા અન્ય સહાયક અને પ્રતિપક્ષી પાત્રોનું સારું ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે, તેવી જ રીતે પ્રકૃતિનું પણ વ્યાપક ચિત્રણ થયું છે. પાંચમાથી નવમા સર્ગ સુધી તથા તેરમા સર્ગમાં પ્રકૃતિનું ચિત્રણ જ કવિનું લક્ષ્ય છે. સૌન્દર્યવર્ણનમાં કવિએ પુરુષપાત્રોમાં હમ્મીર અને સ્ત્રીપાત્રોમાં હમ્મીરની માતા હીરાદેવી તથા નર્તકી ધારાદેવીનું સૌન્દર્યવર્ણન કર્યું છે. સમાજચિત્રણની પણ જ્યાંત્યાં ઝલક આપવામાં આવી છે, જેમકે સામાન્ય જનતા તથા રાજામહારાજાઓમાં મુહૂર્ત અને શુભલગ્નોના પ્રતિ અપૂર્વ વિશ્વાસ, હિન્દુ રાજાઓમાં યજ્ઞની પરંપરા, રાજનીતિમાં છળકપટ આદિ. કવિએ આ કાવ્યમાં ધાર્મિક ભાવના નહિવતુ વ્યક્ત કરી છે. કેવળ મંગલાચરણમાં જિનદેવતા અને બ્રાહ્મણદેવતા બન્નેને નમસ્કાર કર્યા છે તથા બીજે સ્થાને હમ્મીર દ્વારા મારિનિવારણ અને સપ્તવ્યસનવર્જનની ઘોષણા કરવામાં આવી રસયોજનાની દષ્ટિએ આ પોતાના યુગનું શ્રેષ્ઠ કાવ્ય છે. તેમાં શુંગાર અને વીર રસને પ્રમુખ સ્થાન અપાયું છે. કવિએ પોતે જ આ કાવ્યને શૃંગારવીરાભુત કાવ્ય કહ્યું છે. તેવી જ રીતે રૌદ્ર, કરુણ અને વાત્સલ્ય રસોની અભિવ્યક્તિ પણ યથાસ્થાન થઈ છે. આ કાવ્યની ભાષામાં ગરિમા અને પ્રૌઢતા છે. કાવ્યલેખક નયચન્દ્રસૂરિની ભાષા તેના પદલાલિત્યને માટે પંડિતોમાં પ્રસિદ્ધ રહી છે. તેમની ભાષામાં માધુર્ય, ઓજ અને પ્રસાદ ત્રણે ગુણોને યથાસ્થાન દર્શાવ્યા છે. કવિએ ભાષામાં સૂક્તિઓ અને સુભાષિતોનો યશાસ્થાન પ્રયોગ કરી મોહકતા પેદા કરી છે. વિવિધ અલંકારોની યોજના કરી કવિએ કાવ્યસૌન્દર્યની વૃદ્ધિ કરી છે. શબ્દાલંકારોમાં યમક અને અનુપ્રાસનો પ્રયોગ જ્યાંત્યાં કરવામાં આવ્યો છે, તે સ્વાભાવિકતાથી યુક્ત પણ છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉન્મેલા અને રૂપક અલંકારોની યોજના અધિક થઈ છે. નયચન્દ્રસૂરિની ઉપમાઓ તો નાવીન્યપૂર્ણ છે. અન્ય અલંકારોનો પણ ઉપયોગ યથાસ્થાન થયો છે. છંદોના પ્રયોગમાં કવિએ મહાકાવ્યના છંદોવિધાન સંબંધી નિયમોનું પ્રાયઃ પાલન કર્યું છે. કાવ્યમાં સર્વાન્ત નાના છંદોનો પ્રયોગ થયો છે. દશમા સર્ગમાં વિવિધ છંદોની યોજના કરવામાં આવી છે. આ કાવ્યમાં કુલ મળીને ૨૬ છંદોનો પ્રયોગ થયો છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ જેને કાવ્યસાહિત્ય કવિ પરિચય અને રચનાકાળ – આ કાવ્યના અંતે પ્રશસ્તિમાં કવિએ પોતાનો પરિચય આપ્યો છે. તે મુજબ આ કાવ્યના કર્તા મહાકવિ નયચન્દ્રસૂરિ છે.' તે કુમારપાલભૂપાલચરિત્રના કર્તા કૃષ્ણગચ્છીય જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય હતા. પ્રશસ્તિમાં કવિએ આ કાવ્યની રચના માટે બે પ્રેરણાસ્ત્રોનો ઉલ્લેખ કર્યો છે. પહેલું એ કે હમ્મીરના દિવંગત આત્માએ નયચન્દ્રસૂરિને સ્વપ્રમાં આવીને હમ્મીરચરિતનું સર્જન કરવાનો આદેશ આપ્યો. બીજું એ કે ગ્વાલિયરના તત્કાલીન શાસક વીરમદેવ તોમર(ઈ.સ. ૧૪૪૦-૧૪૭૪)ની એ ઉક્તિ કે પ્રાચીન કવિઓનાં કાવ્યો જેવી મનોહર કાવ્યની રચના અત્યારે કોણ કરી શકે છે ? આ પડકારના ફળરૂપે નયચન્દ્રસૂરિને સરસ કાવ્યનું સર્જન કરવાની પ્રેરણા મળી. આ કાવ્યની રચના ક્યારે થઈ એનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. શ્રી અગરચંદ નાહટાને કોટાના જૈન ભંડારમાંથી આ કાવ્યની પ્રાચીનતમ હસ્તપ્રત વિ.સં.૧૪૮૬ની મળી છે, તેથી કાવ્યની રચના તેના પહેલાં તો અવશ્ય થઈ ચૂકી હતી. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસના લેખક શ્રી મો. દ. દેસાઈએ આ કાવ્યનો રચનાકાળ લગભગ સં. ૧૪૪૦ માન્યો છે. તેની પુષ્ટિ ઈતિહાસન્ન વિદ્વાન ડૉ. દશરથ શર્માએ પણ કરી છે. તેમનું કહેવું છે “હમ્મીરમહાકાવ્યમાં સમય આપ્યો નથી પરંતુ અનુમાન દ્વારા કંઈક જ્ઞાન આપણે મેળવી શકીએ છીએ. નયચન્દ્રસૂરિએ પોતાના દાદાગુરુ જયસિંહસૂરિના “કુમારપાલભૂપાલચરિત’ની ટીકા સં. ૧૪૨૨માં લખી હતી. જયસિંહસૂરિએ પ્રસન્ન થઈને નયચન્દ્રસૂરિને “વધાનસાવધાન: પ્રમાનિ: વિત્વનિષ્પતિઃ' વિશેષણોથી અભિહિત કર્યા હતા. આ વિશેષણોને ધ્યાનમાં લેતાં તેમની આયુ તે વખતે ૩૦ વર્ષની રહી હશે. “હમ્મીરમહાકાવ્યની રચના વખતે કવિ લબ્ધપ્રતિષ્ઠ બની ગયા હતા. તેથી સં. ૧૪૨૨ પછી થોડા સમય બાદ અર્થાત સં. ૧૪૪૦ લગભગ આ કાવ્યનો રચનાકાલ માનવો ઉચિત લાગે છે. જેમના રાજયકાળમાં આ કાવ્ય રચાયું હતું તે તોમરનરેશ વીરમદેવનો સમય જયપુર ભંડારના એક ગ્રન્થથી જાણવા મળે છે, તે મુજબ તેમણે સં. ૧૪૭૯ સુધી રાજ્ય કર્યું હતું. જો લગભગ જે સમયે ઉક્ત કાવ્યની રચના કરવામાં આવી હતી તે સં. ૧૪૪૦ને ઉક્ત રાજાનું પ્રથમ રાજયવર્ષ માનવામાં આવે તો ઉક્ત રાજાનો રાજયકાલ લગભગ ૪૦ વર્ષ બંધ બેસે છે, અને આ સંભવ છે. સંભવતઃ નયચન્દ્રસૂરિ વીરમના દરબારમાં તેના રાજયના પ્રારંભમાં જ પહોંચ્યા હતા. નવા ૧. સર્ગ ૧૪, શ્લોક ૨૬ અને ૪૩. ૨. નાગરી પ્રચારિણી પત્રિકા, વર્ષ ૬૪, સં. ૨૦૧૬, પૃ. ૬૭. Page #437 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૧૫ રાજાને તે સમયે કાવ્યનો શોખ હતો. નયચન્દ્ર ત્યારે ૫૦ વર્ષના હશે. આ બધા ઉપરથી અનુમાન થાય છે કે ઉક્ત કાવ્યની રચના સં. ૧૪૪૦ આસપાસ, સંભવત: સં. ૧૪૫૦ પહેલાં થઈ છે. કુમારપાલચરિત આ પંદરમી સદીનું કુમારપાલ ઉપર બીજું કાવ્ય છે.' તેમાં ૧૦ સર્ગ અને કુલ મળીને ૨૦૩૨ શ્લોક છે. તેનો ઐતિહાસિક અંશ અત્યલ્પ છે, તેમ છતાં તેમાંથી કુમારપાલ તથા તેમના પૂર્વજોના વિશે કેટલીક માહિતી અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી તેને ઐતિહાસિક કાવ્ય કહે છે. આ કાવ્યમાંથી નીચે જણાવેલી ઐતિહાસિક વાતો જ્ઞાત થાય છે : (૧) ભીમદેવ મૂલરાજનો પ્રતાપી વંશજ હતો. તેમની બે પત્નીઓથી બે પુત્રો કર્ણરાજ અને ક્ષેમરાજ થયા હતા. (પ્રથમ સર્ગ) (૨) કર્ણરાજ પોતાના પુત્ર જયસિહદેવને રાજ્ય આપી આશાપલ્લી જતો રહ્યો. તે તત્કાલીન માવલનરેશને દંડિત કરવા માંગતો હતો પરંતુ તેનો શીઘ દેહાન્ત થઈ ગયો. જયસિંહે પોતાના પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી પરંતુ તેણે માલવરાજને પુનઃ પ્રતિષ્ઠિત કર્યો. તેણે કર્ણાટ, લાટ, મગધ, કલિંગ, બંગ, કાશ્મીર, કીર, મર, સિધુ આદિ દેશોને જીતીને પોતાના રાજયનો વિસ્તાર કર્યો. (બીજો સર્ગ) (૩) ક્ષેમરાજના પુત્ર ત્રિભુવનપાલને ત્રણ પુત્રો હતા- કુમારપાલ, મહીપાલ, કીર્તિપાલ. જયસિંહે કુમારપાલના પિતાનો વધ કરાવ્યો અને પરિણામે કુમારપાલને પણ જન્મભૂમિ છોડી દેશાન્તરોમાં ભટકવું પડ્યું. (બીજો સર્ગ) () જયસિહ પછી કુમારપાલ સિંહાસન ઉપર બેઠા. તેમણે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવ્યો હતો. તેમના મંત્રીપુત્ર અંબડે કોંકણરાજ મલ્લિકાર્જુનનો પ્રાણાન્ત કરી ઘણું ધન પ્રાપ્ત કર્યું. ગજનીના બાદશાહે કુમારપાલ ઉપર આક્રમણ કર્યું પરંતુ હેમચન્દ્ર તેને મંત્રબલથી બાંધી દીધો. ડાહલનરેશ કણે પણ કુમારપાલ ઉપર ચડાઈ કરવાની યોજના કરી હતી પરંતુ તેમ કરતાં પહેલાં જ તે મરણ પામ્યો. (૩, ૬, ૧૦ સર્ગ) (૫) ચાલુક્યોની કુળદેવી કંટેશ્વરી હતી. (૬) હેમચન્દ્ર કુમારપાલને જૈનધર્મમાં દીક્ષિત કર્યો હતો. (પાંચમો સર્ગ) ૧. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સં. ૧૯૭૩; જિનરત્નકોશ, પૃ. ૯૨. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ જૈન કાવ્યસાહિત્ય (૭) હેમચન્દ્ર અને કુમારપાલ તથા જૈનમંત્રી વાલ્મટ, આમૃભટ વગેરે દ્વારા જૈનધર્મની પ્રભાવનાવિષયક ચર્ચાઓ જયસિંહસૂરિના કુમારપાલભૂપાલચરિત્રના સમાન જ છે. આ કાવ્યને મહાકાવ્યોચિત અન્ય લક્ષણોથી શણગાર્યું છે. તેમાં વીરરસ પ્રધાન છે છતાં કરુણ, રૌદ્ર, બીભત્સ તથા અદ્ભુત રસોને પણ યથોચિત સ્થાન મળ્યું છે. અલંકારોમાં શબ્દાલંકારોને અધિક અપનાવાયા છે. અર્થાલંકારોનો પણ પ્રયોગ ભાષાભિવ્યક્તિમાં સહાયકના રૂપમાં કરવામાં આવ્યો છે, કૃત્રિમ કે બલાતુ નહિ. કાવ્યના અધિકાંશ સમાં અને વર્ગોમાં કવિએ અનેક વૃત્તોનો પ્રયોગ કર્યો છે. જ્યાંત્યાં છન્દપરિવર્તન દ્વતગતિથી થયું છે પરંતુ ઐતિહાસિક કાવ્યમાં આ કવિકૌશલનો અપવ્યય છે. કુલ મળીને ૨૪ છન્દોનો પ્રયોગ થયો છે. કવિ પરિચય અને રચનાકાલ – આ કાવ્યના ર્તા ચારિત્રસુન્દરગણિ છે. તેમનું અપરના ચારિત્રભૂષણ પણ છે. તેમના ગુરુનું નામ ભટ્ટારક રત્નસિંહસૂરિ છે, તે સત્તપોગચ્છના આચાર્ય હતા. તેમની ગુરુપરંપરા આ પ્રકારે છે : વિજયેન્દુસૂરિ, ક્ષેમકીર્તિ, રત્નાકરસૂરિ, અભયનન્દિ, જયકીર્તિ, રત્નનદિ યા રત્નસિંહ. પ્રસ્તુત કાવ્યની રચના સં. ૧૪૮૭માં કરવામાં આવી છે. તેની રચનામાં પ્રેરક શુભચન્દ્રગણિ હતા. ચારિત્રાસુન્દરમણિની અન્ય રચનાઓમાં શીલદૂત (વિ.સં. ૧૪૮૭), મહીપાલચરિત તથા આચારોપદેશ ઉપલબ્ધ છે. વસ્તુપાલચરિત પંદરમી સદીમાં કુમારપાલચરિતની જેમ વસ્તુપાલના ચરિત્ર ઉપર પ્રસ્તુત કાવ્ય એક બૃહદ્ રચના છે. તેમાં આઠ પ્રસ્તાવ છે અને તેનો ગ્રન્થાગ્ર ૪૮૩૯ શ્લોકપ્રમાણ છે.' આ કૃતિમાં વસ્તુપાલનું જીવનવૃત્ત વિસ્તારથી આપવામાં આવ્યું છે. તેથી તે સૂક્ષ્મ અધ્યયન યોગ્ય છે કારણ કે ચરિત્રનાયકના મરણના ૨૦૦ વર્ષ પછી રચાઈ હોવા છતાં તેના જીવનનાં કેટલાંય તથ્યો તેમાંથી મળે છે જેમને કોઈ પણ સમકાલિક લેખકે આપ્યાં નથી. ચરિત્રકારે વસ્તુપાલનાં જીવન અને કાર્યો સાથે ૧. જિનરત્નકોશ, પૃ. ૩૪૫; હીરાલાલ હંસરાજ, જામનગર; તેનો ગુજરાતી અનુવાદ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગરથી સં. ૧૯૭૪માં પ્રકાશિત થયો છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય સંબંધ ધરાવતી પોતાના સમયમાં ઉપલબ્ધ પૂર્વવર્તી બધી ઐતિહાસિક સામગ્રીનો ઉપયોગ કર્યો છે. મુનિ જિનવિજયના કથનાનુસાર કલ્હણની રાજતરંગિણીનું જેવું ઐતિહાસિક મૂલ્ય છે તેવું જ આ કાવ્યનું પણ છે. આ પ્રકારના બીજા ગ્રંથોમાં જેવી અતિશયોક્તિઓ મળે છે તેમનાથી આ અપેક્ષાકૃત મુક્ત છે. પરંતુ કર્તાએ એક મહત્ત્વપૂર્ણ વાતનો જેવો ઉલ્લેખ કરવો જોઈએ એવો ઉલ્લેખ કર્યો નથી. મેરુતુંગાચાર્યે પ્રબન્ધચન્તામણિમાં તથા અન્ય પુરાતન પ્રબન્ધોમાં અને ગુજરાતી રાસોમાં સ્પષ્ટ લખ્યું છે કે વસ્તુપાલ-તેજપાલની માતા કુમારદેવીનું આશારાજ સાથે પુનર્લગ્ન થયું હતું પરંતુ જિનહર્ષે પોતાની કૃતિમાં તેનો આભાસ પણ નથી આપ્યો. લાગે છે કે કવિના સમયમાં પુનર્લગ્ન સામાજિક દૃષ્ટિએ હેય મનાવા લાગ્યું હતું. કવિપરિચય અને રચનાકાલ આ કૃતિના સર્જક જિનહર્ષગણિ છે. તેમના ગુરુ જયચન્દ્રસૂરિ હતા. આ કૃતિની રચના ચિતોડમાં સં. ૧૪૯૭માં થઈ હતી. તેમની અન્ય કૃતિઓમાં રત્નશેખરકથા, આરામશોભાચરિત્ર, વિંશતિસ્થાનકવિચારામૃતસંગ્રહ અને પ્રતિક્રમણવિવિધ વગેરે મળે છે. તેમની કૃતિઓ ‘હર્ષીક’થી અંકિત છે. રાજાઓ અને મન્ત્રીઓ ઉપરાંત દાનવીર શેઠો, મહાજનોનાં ચરિતો ઉપર રચાયેલાં કાવ્યોમાંથી પણ ઐતિહાસિક મહત્ત્વની માહિતી મળે છે. જગસ્ફૂરિત આનો પરિચય પહેલાં આપી દીધો ૪૧૭ મળે છે : (૧) ૧ છે. આ કૃતિમાંથી નીચે મુજબ માહિતી સં. ૧૩૧૨થી ૧૩૧૫ સુધી ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો, તેમાં વીસલદેવ જેવા રાજાઓ પાસે પણ અનાજ રહ્યું ન હતું. (૨) સં. ૧૩૧૨થી ૧૩૧૫માં ગુજરાતમાં વીસલદેવનું, માલવામાં મદનવર્માનું, દિલ્હીમાં મોજદીન (નસીરુદ્દીન)નું તથા કાશીમાં પ્રતાપસિંહનું શાસન હતું. (૩) પાર પ્રદેશનો શાસક પીઠદેવ અણહિલ્લપુરના શાસક લવણપ્રસાદનો સમકાલીન હતો. (૪) તે સમયે ગુજરાતનો દરિયાઈ વ્યાપાર ઉન્નતિ ઉપર હતો. ભારતીય જહાજો દરિયા પારના દેશોમાં આવનજાવન કરતાં હતાં. ૧. પરિચય માટે જુઓ પૃ. ૨૨૭. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જૈન કાવ્યસાહિત્ય (૫) વીસલદેવના દરબારમાં સોમેશ્વર વગેરે કવિઓ હતા. સુકૃતસાગર યા પેથડચરિત આનો પરિચય પહેલાં આપી દીધો છે. પેથડ શેઠ માલવાના પરમાર રાજા જયસિંહ દ્વિતીય દ્વારા રાજચિહ્નથી સમ્માનિત થયા હતા. તેમનું સમ્માન દેવગિરિ અને ગુજરાતના તત્કાલીન દરબારોમાં પણ હતું. દેવગિરિના રાજાએ તેમને મંદિરનું નિર્માણ કરવા માટે ઘણી ભૂમિ દાનમાં આપી હતી. તેમના પુત્ર ઝાંઝણે ગુજરાતના રાજા સારંગદેવ (ઈ.સ. ૧૨૭૪-૯૬) સાથે ભોજન લીધું હતું. પેથડના પિતાએ ૪૫ જૈન આગમોની અનેક હસ્તપ્રતો ભરૂચ, દેવગિરિ આદિના સરસ્વતીભંડારોને ભેટ આપી હતી. પ્રબન્ધસાહિત્ય ચરિત અને કથાસાહિત્ય સાથે સમ્બદ્ધ ગુજરાત અને માલવાના ક્ષેત્રમાં જૈન પ્રતિભાએ એક વિશિષ્ટ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું, તે “પ્રબન્ધ સાહિત્યના નામથી પ્રસિદ્ધ થયું. તે પ્રબન્ધકાવ્યોથી ભિન્ન છે. પ્રબન્ધ એક પ્રકારનું ઐતિહાસિક કે અધઐતિહાસિક કથાનક છે જે સરળ સંસ્કૃત ગદ્યમાં અને ક્યારેક પદ્યમાં પણ રચાયું છે. પ્રબન્ધચિન્તામણિ, પ્રબન્ધકોષ, ભોજપ્રબન્ધ, વિવિધતીર્થકલ્પ, પ્રભાવકચરિત, પુરાતનપ્રબન્ધસંગ્રહ વગેરે ગ્રન્થ આ સાહિત્યનાં ઉદાહરણો છે. પ્રબન્ધકોશના કર્તા રાજશેખરસૂરિએ પ્રબન્ધ અને ચરિતનું અંતર દર્શાવતાં લખ્યું છે કે : “શ્રીકૃષમવર્ધમાનપર્યન્તનનાનાં રવીનાં રણાં ઋષી વાર્યક્ષતાન્તાનાં वृत्तानि चरितानि उच्यन्ते । तत्पश्चात्कालभाविनां तु नराणां वृत्तानि प्रबन्धा इति ।' પરંતુ તેમના આ કથનનો કોઈ પ્રાચીન આધાર નથી અને આ ભેદનું સાહિત્યકારોએ પાલન પણ નથી કર્યું. ઉદાહરણ તરીકે, કુમારપાલ, વસ્તુપાલ, જગ વગેરેનાં ચરિતોને ચરિતો કહેવામાં આવ્યાં છે અને પ્રબન્ધ પણ, જેમકે જિનમંડનગણિની રચના કુમારપાલપ્રબન્ધ અને જયસિંહસૂરિની રચના કુમારપાલભૂપાલચરિત યા અન્ય ગ્રન્થ જાવડચરિત્ર અને જાવડપ્રબન્ધ વગેરે. પ્રબન્ધોના વિષયને જોતાં આપણે કહી શકીએ કે તે એવા પ્રકારના નિબંધો છે જે શાસક, વિદ્વાન, સાધુ, ગૃહસ્થ અને તીર્થ તથા કોઈ ઘટના સંબંધી ઐતિહાસિક જાણકારીને આધારે રચાયા છે. જર્મન વિદ્વાન બુહલરના શબ્દોમાં પ્રબો રચવાનું પ્રયોજન હતું ધર્મશ્રવણ માટે ૧. પરિચય માટે જુઓ પૃ. ૨૨૮. Page #441 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય એકત્ર થયેલા સમાજને ધર્મોપદેશ આપવો અને જૈનધર્મનાં સામર્થ્ય અને મહત્ત્વને પ્રગટ કરવા માટે સાધુઓ દ્વારા દૃષ્ટાન્તરૂપ ઉચિત સામગ્રી પ્રસ્તુત ક૨વી અને લૌકિક વિષયોને આધારે શ્રોતાઓને રુચિર ચિત્તવિનોદ કરાવવો. તેમ છતાં કેટલાક પ્રબન્ધો બહુ વિચિત્ર કલ્પનાઓ, ઉટપટાંગ વાતો, તિથિવિપર્યાસ અને અનેક ભૂલો અને ત્રુટિઓથી ભરેલા છે. તેથી પ્રબન્ધોને વાસ્તવિક ઈતિહાસ કે જીવનચરિત્ર સમજવા ન જોઈએ પરંતુ એવી સામગ્રીનો ઈતિહાસરચનામાં વિચાર-વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેમની એકદમ અવહેલના કરવી એ પણ બરાબર નથી કારણ કે પ્રબન્ધોનો અધિકાંશ ભાગ અભિલેખો અને વિશ્વસનીય સ્રોતોથી સમર્થિત છે. ભારતનો મધ્યકાલીન ઈતિહાસ પ્રબન્ધોમાં રહેલી સામગ્રીનો ઉપયોગ કર્યા વિના પૂર્ણ પણ નહીં ગણી શકાય. આ પ્રકારના સાહિત્યનો સૂત્રપાત તો હેમચન્દ્રે કરી દીધો હતો અને તેમનું અનુસરણ કરીને પ્રભાચન્દ્રે પ્રભાવકચરિત લખ્યું અને પછી અનેક ગ્રન્થો લખાયા. આ પ્રબન્ધોમાં આપણને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા રાજા, મહારાજા, શેઠ અને મુનિઓના વિશે પ્રચલિત કથાવાર્તાઓનો સંગ્રહ મળે છે. તેમનાં વર્ણનોની અભિલેખો અને અન્ય સાહિત્યિક આધારોથી પરીક્ષા કરતાં અમે એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છીએ કે તે બહુધા ઐતિહાસિક તથ્યોની સમીપ છે. આ વિષયની કેટલીક કૃતિઓનો પરિચય નીચે આપીએ છીએ. પ્રબન્ધાવલિ ઉપલબ્ધ પ્રબન્ધોમાં સૌપ્રથમ આપણને જિનભદ્રકૃત પ્રબન્ધાવલિ મળે છે. તેમાં ૪૦ ગદ્ય પ્રબન્ધો છે. તે અધિકાંશતઃ ગુજરાત, રાજસ્થાન, માલવા અને વારાણસી સાથે સંબંધ ધરાવતી ઐતિહાસિક વ્યક્તિઓ અને ઘટનાઓ વિશે છે અને કેટલાક તો લોકકથાઓને લઈને લખાયા છે. જે રૂપમાં તે પ્રાપ્ત થઈ છે તેને પૂર્ણ ન કહી શકાય. તે મહામાત્ય વસ્તુપાલના જીવનકાળમાં તેના પુત્ર ચૈત્રસિંહની વિનંતીથી સં. ૧૨૯૦માં રચાઈ હતી પરંતુ તેમાં કેટલાક પ્રબન્ધ એવી ઘટનાઓ વિશે પણ છે જે વસ્તુપાલના મૃત્યુ પછી બની હતી. એમાં એક પ્રબન્ધ અર્થાત્ ‘વલભીભંગપ્રબન્ધ' પ્રબન્ધચિન્તામણિમાંથી અક્ષરશઃ નકલ કરી ઉતારી લેવામાં આવ્યો છે. વળી, તેના બે પ્રબન્ધો પાદલિપ્તાચાર્યપ્રબન્ધ અને રત્નશ્રાવકપ્રબન્ધને પ્રબન્ધકોશમાંથી લીધા છે. પ્રબન્ધાવલિની રચનાશૈલી ખૂબ જ સરળ અને સીધી છે, જ્યારે પ્રબન્ધકોશની શૈલી આલંકારિક અને ઉન્નત છે. આ ૧. Life of Hemachandra (Buhler), pp. 3-4. ૪૧૯ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જેન કાવ્યસાહિત્ય ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે પ્રબન્ધકોશના કર્તાએ જિનભદ્રની પ્રબન્દાવલિમાંથી જ આ બન્ને પ્રબન્ધ પોતાના પ્રબન્ધકોશમાં લીધા છે. એમ જોવા જઈએ તો ઉત્તરકાલીન પ્રબન્ધગ્રન્થો પોતાના કેટલાક વિષયો માટે આ પ્રબન્ધાવલિના ઋણી છે. તેને મુનિ જિનવિજયજીએ પોતાના ગ્રન્થ “પુરાતનપ્રબન્ધસંગ્રહની અંદર પ્રકાશિત કરેલ છે. તેમાં ઉપલબ્ધ પૃથ્વીરાજપ્રબન્ધમાં ચન્દવરદાઈના તથાકથિત પૃથ્વીરાજરાસો કાવ્યનાં બીજો રહેલાં છે તથા આધુનિક લોકભાષાઓ અને સાહિત્યનાં બીજ પણ મળે છે. તેની ભાષા તે સંસ્કૃત છે જે એક લોકભાષાનું રૂપ ધરાવે છે. તે કેવળ પ્રાકૃતના પ્રયોગોથી જ ઓતપ્રોત નથી પરંતુ તત્કાલીન ક્ષેત્રીય ભાષાના શબ્દોથી પણ ઓતપ્રોત છે. જેને પ્રાકૃત અને પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી તે તેના પ્રબન્ધો, કેટલાય શબ્દો, વાક્યો અને ભાવોને નહિ સમજી શકે. ગુજરાતના જૈન લેખકોએ આ ભાષાનો પોતાના કથા તથા પ્રબંધ ગ્રન્થોમાં ખૂબ ઉપયોગ કર્યો છે. ગુજરાત અને મધ્ય ભારતના કેટલાક ભાગોને છોડી આવી ભાષાનો પ્રયોગ અન્યત્ર નથી થયો. આ ભાષા ઉક્ત પ્રદેશોનાં રાજકાર્યો અને રાજદરબારોની ભાષા પણ રહી છે. આ ભાષા ગુજરાતમાં મુસલમાનોના રાજસ્થાપન પછી પણ કાનૂની દસ્તાવેજોની ભાષા રહી છે, જે દસ્તાવેજો ન્યાયાલયોમાં રજિસ્ટર કરવા માટે સ્વીકારવામાં આવતા હતા. આ ભાષા પેલા પંડિતોની ભાષા નથી જે પાણિનિ યા હેમચન્દ્ર પ્રણીત વ્યાકરણના નિયમોને વળગી રહેતા હતા. આ ભાષાની તુલના ઈસ્વી સનની શરૂઆતની સદીઓમાં લખાયેલા બૌદ્ધ ગ્રન્થો મહાવસ્તુ અને લલિતવિસ્તર વગેરેની ભાષા સાથે કરી શકાય, આ બૌદ્ધ ગ્રન્થોની ભાષાને “ગાથા સંસ્કૃત' કહેતા હતા. ગુજરાતના જૈન લેખકોની આ ભાષાને પૃથક નામ તો નથી આપવામાં આવ્યું પણ આપણે તેને વર્નાક્યુલર સંસ્કૃત યા સર્વસાધારણ જનતામાં રામજાતી સંસ્કૃત કહી શકીએ. કર્તા – આ પ્રબન્ધાવલિના કર્તા જિનભદ્ર છે. તે ઉદયપ્રભસૂરિના શિષ્ય હતા. તેમના વિશે વિશેષ માહિતી મળતી નથી. જિનભદ્ર ઐતિહાસિક અને પૌરાણિક કથાનકોના સંગ્રહરૂપ પ્રબન્દાવલિ વસ્તુપાલના પુત્ર જયન્તસિંહના પઠનપાઠન માટે તૈયાર કરી હતી. ૧. પુરાતનપ્રબન્ધસંગ્રહનું પ્રાસ્તાવિક વક્તવ્ય, પૃ. ૮. ૨. તેની ભાષા અને શબ્દો માટે જુઓ : મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૨૦૩ ૨૦૪, Page #443 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય પ્રભાવકચરિત આ કૃતિનો પરિચય પહેલાં આપી દીધો છે. તેમાં વર્ણવવામાં આવેલા ૨૨ આચાર્યોમાં વીરસૂરિ, શાન્તિસૂરિ, મહેન્ત્ર, સૂરાચાર્ય, અભયદેવાચાર્ય, વીરદેવગણ, દેવસૂરિ અને હેમચન્દ્રસૂરિ આ આઠ ગુજરાતના ચૌલુક્યોના સમયમાં અણહિલપાટણમાં વિદ્યમાન હતા અને કેટલાય ગુજરાતના રાજાઓના પરિચયમાં આવ્યા હતા અને કેટલાયે ગુજરાતના ઉત્કર્ષ માટે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ આચાર્યોના કેટલાક કાર્યકલાપોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ દેવા માટે ઘણા રાજાઓની પ્રસંગકથાઓ આપવામાં આવી છે. તે રાજાઓમાં મુખ્ય છે : ભોજ, ભીમ પહેલો, સિદ્ધરાજ અને કુમારપાલ. ભોજ અને ભીમની પ્રસંગકથાઓમાં તો કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ હેમચન્દ્રાચાર્યનું ચરિત સિદ્ધરાજ અને કુમારપાલનાં રાજ્યોનાં વિવરણ વિના સંભવતું નથી. તેથી ઐતિહાસિક દૃષ્ટિએ આ કૃતિનું ‘હેમચન્દ્રસૂરિચરિત' બહુ મહત્ત્વનું છે. આમ તો આ કૃતિમાં ગુજરાતથી લઈને બંગાળ સુધી પૂરા ઉત્તર ભારતનું પર્યવેક્ષણ રજૂ કરવામાં આવ્યું છે. તેથી તે વિવિધ માહિતીની ખાણ છે. તેમ છતાં આ માહિતીનો ઉપયોગ ઈતિહાસમાં ભારે શોધ અને પરીક્ષાંપૂર્વક કરવો જોઈએ. જો તેના કર્તા મૌલિક કૃતિઓ ઉપર જ નિર્ભર હોત, જેમકે તેમણે બહુ હદ સુધી તેમ કર્યું છે, તો ભારતીય ઈતિહાસના સાધનોમાં તેનું મૂલ્ય રાજતરંગિણીથી ઓછું ન હોત પરંતુ તેનાથી અધિક હોત કારણ કે કલ્હણની કૃતિ કેવળ કાશ્મીર સંબંધી છે જ્યારે આ કૃતિ પૂરા ઉત્તર ભારત સંબંધી છે. પરંતુ દુર્ભાગ્યથી ઐતિહાસિક સામગ્રીમાં ઘણી કિંવદન્તીઓ અને વાર્તાઓનું મિશ્રણ કરી દેવામાં આવ્યું છે, તેથી તે માહિતીઓનો ખૂબ સાવધાનીથી ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે ‘બપ્પભટ્ટસૂરિચરિત'ને જ લો. તેમાં નીચે જણાવેલ રાજનૈતિક ઈતિહાસની સામગ્રી મળે છે : ૪૨૧ (૧) આમ નાગાવલોક કનોજના રાજા હતા. તે ગૌડરાજા ધર્મપાલનો પ્રતિદ્વન્દ્વી અને ભોજનો (મિહિરનો) પિતામહ હતો. તેનું મરણ વિ.સં.૮૯૦માં થયું હતું. તે બપ્પભટ્ટિસૂરિનો મિત્ર અને શિષ્ય હતો. તેને આપણે ગૂર્જરપ્રતિહારવંશી ‘નાગભટ દ્વિતીય' માની શકીએ. ૧. જુઓ પૃ. ૨૦૫. Page #444 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય (૨) ધર્મ ધર્મપાલ નામનો ગૌડ દેશનો પાલનરેશ હતો. ધર્મપાલના દરબારમાં વર્ધમાનકુંજર નામનો એક બૌદ્ધ પંડિત હતો. ધર્મપાલ એક બૌદ્ધ રાજા હતો એ તો ઈતિહાસપ્રસિદ્ધ છે. વર્ધમાનકુંજર નામના બૌદ્ધ પંડિતનું નામ તો જ્ઞાત નથી પરંતુ કુંજરવર્ધન નામના બૌદ્ધ યક્ષનો ઉલ્લેખ મળે છે. (૩) કનોજના રાજા યશોવર્માને આમના પિતા કહ્યા છે, આ વાત ઈતિહાસવિરુદ્ધ જણાય છે. આમ (નાગભટ્ટ)ના પિતાનું નામ વત્સરાજ હતું. યશોવર્મા તે હોઈ શકે જેણે કોઈ ગૌડરાજાને મારી નાખ્યો હતો તથા જે પોતે કાશ્મીરના મુક્તાપીડ લલિતાદિત્ય દ્વારા વિ.સં.૭૯૭માં મરાયો હતો. તે ગૌડવહોના કર્તા વાતિરાજનો સમકાલીન કે પૂર્વવર્તી હતો પરંતુ બપ્પભટ્ટનો સમકાલીન ન હતો કારણ કે બપ્પભટ્ટ તેના મૃત્યુ પછી ત્રણ વર્ષ બાદ જન્મ્યા હતા. ગ્રન્થકર્તાને કોઈ પૂર્વવર્તી પાસેથી આ ખોટી માહિતી મળી અને યશોવર્મા તથા મુક્તાપીડને ભ્રાન્ત રૂપમાં ચીતર્યા. ૪૨૨ (૪) વાતિરાજ – ગૌડવહોના સર્જક – પણ બપ્પભટ્ટિના સમકાલીન કોઈક રીતે માની શકાય, જો એમ માનવામાં આવે કે યશોવર્માના યશનું વર્ણન તેના મૃત્યુ પછી વાતિરાજે પોતાના કાવ્યમાં કર્યું હતું. (૫) ગુજરાતના રાજા જિતશત્રુ અને રાજગૃહના રાજા સમુદ્રસેનના વિશે ઈતિહાસ કંઈ જ જાણતો નથી. શક્ય છે કે તે બન્ને કોઈ જાગીરદાર હોય. (૬) ઢુંઢુંક નાગાવલોકનો પુત્ર હતો અને ભોજનો પિતા. બની શકે કે આ રામભદ્રનું જ વિકૃત નામ હોય. (૭) ઢુંઢુંકનો પુત્ર અને નાગાવલોકનો પૌત્ર ભોજ હતો, જેને મિહિરભોજ માની શકાય. આ રીતે અન્ય ચરિતોનું વિશ્લેષણ રજૂ કરવાથી બહુમૂલ્ય ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત કરી શકાય. સમગ્ર ગ્રન્થનું વિવેચન અહીં કરવું શક્ય નથી. પ્રબન્ધચિન્તામણિ ૧ પ્રબન્ધસાહિત્યનો આ ત્રીજો ગ્રન્થ છે. આખો ગ્રન્થ પાંચ પ્રકાશોમાં વિભક્ત ૧. જિનરત્નકોશ, પૃ. ૨૬૫; સિંઘી જૈન ગ્રન્થમાલા, ૧; તે જ ગ્રન્થમાલામાં હજારીપ્રસાદ દ્વિવેદીકૃત હિન્દી અનુવાદ; ડૉ. રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રીકૃત ગુજરાતી અનુવાદ, મુંબઈથી સં. ૧૯૪૫માં પ્રકાશિત; સી. આર. ટાવનેકૃત અંગ્રેજી અનુવાદ બિબ્લિઓથેકા ઈન્ડિકા સિરિઝ, કલકત્તાથી ૧૮૯૯-૧૯૦૧માં પ્રકાશિત. Page #445 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪ ૨૩ છે. બધા પ્રકાશોમાં કુલ મળીને ૧૧ પ્રબન્યો છે, તેમાંથી ૬ તો પ્રથમ પ્રકાશમાં અને ૨ ચતુર્થ પ્રકાશમાં તથા બાકીના પ્રકાશોમાં એક એક છે. આ ગ્રન્થ પણ સામાન્યત: લઘુપ્રબન્ધોના સંગ્રહરૂપ છે. પ્રથમ પ્રકાશના પ્રથમ ત્રણ પ્રબન્ધોમાં વિક્રમાદિત્ય, સાતવાહન અને ભૂયરાજ (પ્રતિહાર ભોજ?) એ ત્રણેની પ્રસંગકથાઓ આપી છે. ચોથો પ્રબંધ વનરાજદિપ્રબંધ કહેવાય છે. તેમાં ચાપોત્કટ (ચાવડા) વંશનો સંક્ષિપ્ત ઈતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. મૂલરાજદિપ્રબન્ધ નામના પાંચમા પ્રબન્ધમાં ચૌલુક્યોના ઈતિહાસનો પ્રારંભ થાય છે અને દુર્લભરાજના રાજ્ય સુધી તે જાય છે. યથાર્થતઃ આમાં મૂળરાજના તત્કાલીન ત્રણ ઉત્તરાધિકારીઓનાં નામ અને તિથિઓ સિવાય તેમના વિષયમાં અલ્પ કહેવામાં આવ્યું છે. છઠ્ઠા મુંજરાજપ્રબન્ધમાં પરમાર રાજા વાકપતિ મુંજ વિશેની પ્રસંગકથાઓ આપવામાં આવી છે. બીજો પ્રકાશ ભોજભીમપ્રબન્ધ કહેવાય છે. ભીમ અને ભોજના પરસ્પર સંબંધ વિશેનો આ પ્રબન્ધ છે. તેમાં સેનાધ્યક્ષ કુલચન્દ્ર દિગંબર, માઘ પંડિત, ધનપાલ, શીતા પંડિત, મયૂર-બાણ-માનતુંગપ્રબન્ધ તથા અન્ય પ્રબન્ધ પણ છે. ત્રીજો પ્રબન્ધ સિદ્ધરાજદિપ્રબન્ધ કહેવાય છે. તેમાં ભીમના અન્તિમ દિવસો તથા કર્ણના રાજયનું કેટલાંક પૃષ્ઠોમાં વર્ણન કરી અધિકાંશ ભાગમાં સિદ્ધરાજના રાજ્યની ઘટનાઓનું વર્ણન છે. આમાં સમ્મિલિત કેટલાક લઘુપ્રબન્ધોનાં નામ આ પ્રમાણે છે : લીલાવૈદ્ય, સાજૂ મંત્રી, મયણલ્લદેવી, માલવવિજય, સિદ્ધહેમ, રુદ્રમાલ, સહસ્રલિંગતાલ, નવઘણયુદ્ધ, રૈવતકોદ્ધાર, શત્રુજયયાત્રા, દેવસૂરિ તથા પાપઘટ વગેરે. ચોથા પ્રકાશમાં બે મોટા પ્રબન્ધો છે. પહેલામાં કુમારપાલના રાજ્યનું વર્ણન છે. તેમાં તેનાં જન્મ, માતા-પિતા, પૂર્વજીવન, રાજ્યપ્રાપ્તિ અને જૈનધર્મીગીકરણ વગેરેનું વિસ્તારથી વર્ણન છે. આમાં હેમચન્દ્ર અને કુમારપાલ સંબંધી કેટલીય કથાઓ પણ છે. અન્તમાં અજયદેવ (અજયપાલ)નાં કુકૃત્યોનું તથા મૂલરાજ દ્વિતીય અને ભીમ દ્વિતીયનાં રાજ્યોનું થોડું વર્ણન કરી વરધવલની રાજ્યપદપ્રાપ્તિ વર્ણવવામાં આવી છે. આ પ્રકાશના બીજા પ્રબન્ધ વસ્તુપાલ-તેજ:પાલપ્રબન્ધમાં બન્ને ભાઈઓનાં કાર્યોનું વર્ણન છે. તેમાં બન્ને ભાઈઓનાં જન્મદિવૃત્ત, શત્રુંજયાદિતીર્થયાત્રા, શંખસુભટ સાથે યુદ્ધ વગેરેનું નિરૂપણ છે. પાંચમો પ્રકાશ પ્રકીર્ણપ્રબન્ધ કહેવાય છે. તેમાં ઐતિહાસિક વ્યક્તિઓની પ્રસંગકથાઓ આપવામાં આવી છે. તેમાં નન્દરાજ, શિલાદિત્ય, વલભીભંગ, પુંજરાજ, ગોવર્ધન, લક્ષ્મણસેન, જયચન્દ્ર, જગદેવ-પરમર્દિ, પૃથ્વીચન્દ્રપ્રબન્ધ, વરાહમિહિર, ભર્તુહરિ, વૈદ્ય વાભટ, ક્ષેત્રાધિપ (ક્ષેત્રપાલ) વગેરેનું સંક્ષિપ્ત વર્ણન છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય આ કૃતિના નિર્માણમાં કર્તાનું સ્પષ્ટ પ્રયોજન પેલી બહુધા શ્રુત પુરાણી કથાઓને, જે બુધજનોનાં ચિત્તને ત્યારે પ્રસન્ન કરતી ન હતી તેમને, કરવાનું છે : પુનઃ સ્થાપિત भृशं श्रुतत्वान्न कथाः पुराणाः प्रीणन्ति चेतांसि तथा बुधानाम् वृत्तैस्तदासन्नसतां प्रबन्धचिन्तामणिग्रन्थमहं तनोमि I આ ગ્રન્થમાં અધિકાંશ રોચક પ્રસંગકથાઓ છે. આ પ્રસંગકથાઓનું મૂળ સંદિગ્ધ છે અને અનેક તો કાલ્પનિક છે. આ ગ્રન્થમાં કેટલાંક બહુ મહત્ત્વનાં ઐતિહાસિક ઉપાખ્યાનો પણ છે જેમને આપણે વિ.સં.૯૪૦-૧૨૫૦ સુધીનો ગુજરાતનો સામાન્ય ઈતિહાસ માની શકીએ. કર્નલ કિન્લાક ફાર્બસે પોતાના ‘રાસમાલા’ નામના ગુજરાતના ઈતિહાસના પ્રથમ મોટા ભાગનો મુખ્ય આધાર આ ગ્રન્થને બનાવ્યો હતો. બોમ્બે ગેઝેટિયરના પ્રથમ ભાગમાં જે અણહિલપુરનો ઈતિહાસ આપવામાં આવ્યો છે તેનો મુખ્ય આધાર આ જ પ્રબન્ધચિન્તામણિ છે. ગુજરાતના ઈતિહાસ માટે પ્રબન્ધચિન્તામણિ જે સામગ્રીની પૂર્તિ કરે છે તેવી સામગ્રી બીજા કોઈ ગ્રન્થમાં નથી મળતી. આ ગ્રન્થને અને કાશ્મીરના ઈતિહાસ માટે રાજતરંગિણીને છોડી ભારતવર્ષના અન્ય કોઈ પ્રાન્ત માટે ઈતિહાસ ગ્રન્થ નથી મળતા, અણહિલપુરના સંબંધમાં જે વાતો આ ગ્રન્થમાં આપવામાં આવી છે પ્રાયઃ તે બધી જ વિશ્વસનીય છે. તેમાં અણહિલપુરના રાજાઓનો જે રાજ્યકાલ દર્શાવાયો છે તે અન્ય ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સામગ્રીથી સમર્થિત છે. કર્તાએ ગુજરાતને આ કાળમાં વિશેષ પ્રસિદ્ધિ અપાવના૨ અને ગુજરાતના ગૌરવની વૃદ્ધિમાં ફાળો આપનાર પુરુષોના પ્રબન્ધોને એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો છે. કર્તા પોતે એક જૈન આચાર્ય હતા અને જૈન શ્રોતાઓનું મનોરંજન કરવા માટે ગ્રન્થરચના કરવી એ તેમનું મુખ્ય પ્રયોજન હતું. તેથી એ સ્વાભાવિક છે કે જૈન તથ્યો તરફ તેમનો પક્ષપાત હોય. તેમ છતાં ગુજરાતના સમુચિત ગૌરવ અને પ્રભાવ ઉપર તેમને અનુરાગ હતો. તેથી જૈનો સાથે જરા પણ સંબંધ ન ધરાવતી અનેક વાતો તેમાં સંગૃહીત છે. તે વાતોને કેવળ ઈતિહાસસંગ્રહની દૃષ્ટિએ કર્તાએ પોતાના સંગ્રહમાં સ્થાન આપ્યું છે. આ ગ્રન્થનો સૌથી મોટો દોષ એ છે કે તેમાં પોતાના યુગની (ઈ.સ.૧૩૦૪), જે યુગનું લેખકને પ્રત્યક્ષ જ્ઞાન હતું તેની, ઉપેક્ષા કરવામાં આવી છે અને તેના બદલે તે કાલખંડ ઉપર લખવામાં આવ્યું છે જેના માટે લેખકને મૌખિક પરંપરા તથા પૂર્વવર્તી રચનાઓ ઉપર નિર્ભર રહેવું પડ્યું છે. પ્રબન્ધચિન્તામણિમાં ગુજરાતનો ઈતિહાસ વાસ્તવમાં કુમારપાલના મૃત્યુ વિ.સં.૧૨૨૯ સાથે બંધ થઈ જાય છે. ૪૨૪ Page #447 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪ ૨૫ બધેલો(વાઘેલાઓ)ના વિષયમાં તે કંઈ નથી લખતો સિવાય એટલું કે તે ભીમ બીજા પછી આવ્યા. આ જ તેનો દોષ છે. જો કર્તાએ પોતાના સમયનો ઈતિહાસ લખ્યો હોત તો તેમનો આ ગ્રન્થ કલ્હણને ગ્રંથની કોટિનો મનાત. આ પ્રબન્ધના લેખકે ઈતિહાસ લખવામાં એ અનુભવ અવશ્ય કર્યો કે રાજાઓના વંશ અને તેમની તિથિઓ ખૂબ મહત્ત્વની છે. જો કે પ્રબન્ધચિન્તામણિમાં આપવામાં આવેલી તિથિઓ બરાબર નથી તેમ છતાં તે કેટલાક મહિના કે વર્ષમાં અશુદ્ધ છે, વિશેષ અશુદ્ધ નથી. સંભવતઃ પ્રાચીન દસ્તાવેજોને જોઈને તેમણે રાજાના રાજપદ પ્રાપ્ત કરવાનું વર્ષ તો જાણ્યું પરંતુ સાચી તિથિ ન જાણી. જો તેમને આ માહિતીના કોઈ પણ જાતના સ્રોતો ન મળી શક્યા તો તિથિ અંગે તે અનુમાન કરતા હોય એવું લાગે છે અને વિશ્વાસ કરવા લાયક એક કથા રચી દે છે. તેમ છતાં એટલું તો જણાય છે કે તે તિથિના મહત્ત્વને સમજતા હતા. જયારે બીજી બાજુ આપણે જોઈએ છીએ કે જ્યાશ્રયકાવ્ય, કીર્તિકૌમુદી (સોમેશ્વરકૃત) અને અન્ય કૃતિઓમાં તિથિ અંગે એક પણ નિર્દેશ આપવામાં આવ્યો નથી. આ પ્રબન્ધના કર્તાએ એક પ્રકારે ઈતિહાસ લખવાની આવશ્યકતા સમજી હતી. તેમની બધી પ્રસંગકથાઓના તાણાવાણા ઈતિહાસને અન્તભંગ બનાવીને ગૂંથ્યા, તેમના ક્રમમાં કોઈ રુકાવટ નથી અને બધાં તથ્યો સાધારણતઃ નિશ્ચિત કાલક્રમના રૂપમાં મૂકવામાં આવ્યાં છે. કર્તાની રજૂઆત કરવાની પદ્ધતિ પણ બરાબર છે અને તેમણે ચૌલુક્યોના ઈતિહાસના એ મહત્ત્વપૂર્ણ ભાવને પણ સમજી લીધો હતો કે તેમના ઈતિહાસનું લેખન માલવાના પરમારોના ઈતિહાસને દર્શાવ્યા વિના અસંભવ છે. કર્તા - સંસ્કૃત સાહિત્યમાં આ અપૂર્વ કૃતિના કર્તા મેરૂતુંગસૂરિ છે. તે નાગેન્દ્રગચ્છના ચન્દ્રપ્રભના શિષ્ય હતા. આ ગ્રન્થની રચના વઢવાણ (વર્ધમાનપુર)માં ૧. આ દર્શાવે છે કે બધેલવંશ જૈનધર્મનો દઢ સમર્થક ન હતો, જેવો કે તે કેટલોક કાલ માટે મનાતો રહ્યો છે. ૨. અહીં એ યાદ રાખવું જોઈએ કે કલ્હણની રાજરિગણીનો પ્રારંભિક સર્ગ સદોષ છે જયારે પછીના સર્ગો, જેમાં કલ્હણ તે ઘટનાઓનું વર્ણન કરે છે જે ઘટનાઓનું તેને યા તેના પિતાને પ્રત્યક્ષ જ્ઞાન હતું, સાચો ઈતિહાસ બતાવે છે. આ વસ્તુ આપણને પ્રબન્ધચિન્તામણિમાં નથી મળતી. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ સં. ૧૩૬૧માં કરવામાં આવી હતી. તેમની અન્ય કૃતિઓ વિચારશ્રેણી યા સ્થવિરાવલી તથા મહાપુરુષચિરત છે. વિવિધતીર્થકલ્પ જૈન કાવ્યસાહિત્ય આનો પરિચય પહેલાં આપી દીધો છે. તેમાં અનેક તીર્થોના અંગે અનેક ઐતિહાસિક વાતો કહેવામાં આવી છે. આ વાતો પદ્માર્તી અનેક પ્રબંધોનો આધાર બની છે. પ્રબન્ધકોશમાં પ્રભાવકચરિત અને પ્રબન્ધચિન્તામણિમાંથી જેટલી સામગ્રી લેવામાં આવી છે તેનાથી ય વધુ સામગ્રી વિવિધતીર્થકલ્પમાંથી લેવામાં આવી છે, એટલે સુધી કે કેટલાંક પૂરાં પ્રકરણો યા પ્રબન્ધો જેમના તેમ અક્ષરશઃ ઉષ્કૃત કરી લેવામાં આવ્યાં છે. સાતવાહનપ્રબન્ધ, વંકચૂલપ્રબન્ધ અને નાગાર્જુનપ્રબન્ધ આ ત્રણે પ્રકરણો તીર્થકલ્પની પૂરી નકલ છે. સાતવાહન નૃપ ઉ૫૨ ૨૩મો પ્રતિષ્ઠાનપત્તનકલ્પ, ૩૩મો પ્રતિષ્ઠાનપુરકલ્પ, ૩૪મો પ્રતિષ્ઠાનપુરાધિપતિસાતવાહનચરિતકલ્પ આ ત્રણ કલ્પો છે. વંકચૂલનું વર્ણન ઢીંપુરીતીર્થકલ્પ(૪૩મું)માં તથા નાગાર્જુનનું વૃત્તાન્ત સ્તંભનકલ્પ-શિલોછ(૫૯મું)માં છે. આ પાછળનો પ્રબંધ તીર્થકલ્પમાં પ્રાકૃત ભાષામાં રચાયો છે, પ્રબંધકોશના કર્તાએ તેને શબ્દશઃ સંસ્કૃતમાં અનૂદિત કરી પ્રબંધકોશમાં દાખલ કરી દીધો છે. એ પણ સંભવિત છે કે વિવિધતીર્થકલ્પના કર્તાએ પ્રબન્ધચિન્તામણિમાંથી ઉક્ત પ્રકરણને સંસ્કૃતમાંથી પ્રાકૃતમાં અનુવાદ કરીને લખી લીધું હોય એવું લાગે છે કારણ કે બન્નેની શબ્દરચના પ્રાયઃ એકસરખી છે. કર્તા જિનપ્રભસૂરિ પોતાના સમયના બહુશ્રુત વિદ્વાન અને પ્રતિભાશાળી પુરુષ હતા. ભારતની સંસ્કૃતિના મહા સંકટકાલમાં તે વિદ્યમાન હતા. તેમના સમયમાં ભારતવર્ષના હિન્દુ રાજ્યોનું સામૂહિક પતન થયું હતું અને ઈસ્લામી સત્તાનું સ્થાયી શાસન જામી ગયું હતું. ગુજરાતની પ્રાચીન સાંસ્કૃતિક વિભૂતિનો આખરી પડદો તેમની નજર આગળથી ગુજરી રહ્યો હતો. વિવિધતીર્થકલ્પના ઉલ્લેખાનુસાર મંત્રી માધવની પ્રેરણાથી અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના ભાઈ ઉલુગખાંને ગુજરાત વિજય કરવા માટે મોકલ્યો હતો. ખિલજી વંશનો શીઘ્ર વિનાશ થયા પછી ગુજરાતનું શાસન સુલતાન મુહમ્મદ તુગલકે સંભાળ્યું. જિનપ્રભસૂરિનો આ સુલતાન સાથે પ્રત્યક્ષ પરિચય હતો અને ૧. પૃ. ૭૭ ઉપર પરિચય આપ્યો છે. ૨. પરિચય માટે જુઓ જૈન સાહિત્ય કા બૃહદ્ ઈતિહાસ, ભાગ ૪, પૃ. ૩૨૧-૩૨૪ Page #449 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪ ૨૭. તે તેમનું ઘણું સમ્માન કરતો હતો. તે તેમની કેટલીય ચમત્કારી વાતોથી પ્રભાવિત હતો. બાદશાહે તેમને કેટલાંય ફરમાનો આપ્યાં જેનાથી તેમણે હસ્તિનાપુર, મથુરા વગેરે તીર્થોની સસંઘ યાત્રાઓ કરી અને ધર્મોત્સવો કર્યા અને રાજસભામાં તેમણે વાદવિવાદો પણ કર્યા. તેમના શિષ્ય જિનદેવસૂરિ ઘણા વખત સુધી સુલતાનની સાથે રહ્યા અને સમ્માનિત થયા. તેમના કહેવાથી સુલતાને કન્નાન નગરની મહાવીરપ્રતિમાને દિલ્હીમાં સ્થાપિત કરાવી. આ પ્રતિમા કેટલાય દિવસ તુગલકાબાદના શાહી ખજાનામાં પણ રહી. એક પ્રોષધશાલા પણ તે સમયે સુલતાનની આજ્ઞા અને સહાયતાથી દિલ્હીમાં બની. સુલતાનની માતા મખમેજહાં બેગમ પણ જૈન ગુરુઓનો આદર કરતી હતી. - આ રીતે પોતાના આ ગ્રન્થમાં જ્યાંત્યાં જિનપ્રભસૂરિએ કેટલીય ઐતિહાસિક ઘટનાઓની ઉપયોગી માહિતી આપી છે. વિ.સં.૮૪૫માં મ્લેચ્છ રાજા (અરબ શાસકો દ્વારા વલભીના નાશનો ઉલ્લેખ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. સં. ૧૦૮૧માં મહમૂદ ગજનવીએ ગુજરાત પર કરેલા આક્રમણનો ઉલ્લેખ સમગ્ર સાહિત્યમાં એકમાત્ર આ ગ્રંથમાં મળે છે. તેવી જ રીતે અન્ય અનેક વિશ્વસનીય ઐતિહાસિક વાતો તેમાં મળે છે. પ્રબન્ધકોશ આ ૨૪ પ્રબન્ધોનો સંગ્રહગ્રન્થ છે. તેથી તેનું બીજું નામ ચતુર્વિશતિપ્રબન્ધ પણ છે. તેમાં ૧૦ જૈન આચાર્યો, ૪ કવિઓ અને ૭ રાજાઓ તથા ૩ રાજમાન્ય પુરુષોનાં ચરિતો છે. ૧૦ આચાર્યોમાં ભદ્રબાહુથી હેમચન્દ્ર સુધી અને ૪ કવિ પંડિતોમાં હર્ષ, હરિહર, અમરચન્દ્ર અને મદનકીર્તિ બધા ઐતિહાસિક પુરુષો છે. ૭ રાજાઓમાં સાતવાહન, વંકચૂલ, વિક્રમાદિત્ય, નાગાર્જુન, વત્સરાજ ઉદયન, લક્ષ્મણસેન અને મદનવર્માનાં ચરિતો ગ્રથિત છે. તેમાંથી છેલ્લા બે – લક્ષ્મણસેન અને મદનવર્માનો સમય મધ્યકાલનો ઉત્તર ભાગ છે અને ઈતિહાસગ્રન્થોમાં તેમના વિશે ઘણું લખાયું છે. વત્સરાજ ઉદયન જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ સ્રોતોથી સુજ્ઞાત છે. મહાકવિ ભાસ ૧. કન્યાનનીયમહાવીરપ્રતિમાકલ્પ ૨. સત્યપુરતીર્થકલ્પ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૬૪; સિંઘી જૈન ગ્રન્થમાલા, ક્રમાંક ૬ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જેન કાવ્યસાહિત્ય વગેરેએ તેના ઉપર કેટલાંય નાટક લખ્યાં છે. સાતવાહન અને વિક્રમાદિત્ય ભારતીય સાહિત્ય અને અનુશ્રુતિમાં બહુ પ્રસિદ્ધ છે. વિક્રમાદિત્યપ્રબન્ધની સામગ્રીને ગુણવચનદ્વાર્નાિશિકામાં વર્ણવાયેલી વાતો સાથે મેળવીને પુરવાર કરવામાં આવ્યું છે કે તે ગુપ્તવંશી ચન્દ્રગુપ્ત (દ્વિતીય) વિક્રમાદિત્ય હતા. વંકચૂલ (પુષ્પચૂલપુષ્પચૂલા) જૈન કથાવાર્તાઓના રાજા જણાય છે. તેની ઐતિહાસિકતા જણાતી નથી. નાગાર્જુનની કથા ઐતિહાસિક રાજાના રૂપમાં સંદિગ્ધ છે, તે યોગી યા સિદ્ધ પુરુષ જણાય છે. આમ ૭ તથાકથિત રાજાઓમાં પના જ જીવન ઈતિહાસોપયોગી છે. ૩ રાજમાન્ય પુરુષોમાંથી આભડ અને વસ્તુપાલ જાણીતા છે. સંઘપતિ રત્નશ્રાવક અજ્ઞાત જેવા લાગે છે. પ્રબન્ધકોશમાં પોતાના પૂર્વવર્તી પ્રબન્ધોમાંથી ઘણી બધી સામગ્રી લેવામાં આવી છે, આ તથ્ય મુનિ જિનવિજયજીએ ઉક્ત ગ્રન્થના પ્રાસ્તાવિક વકતવ્યમાં રજૂ કર્યું છે. પ્રથકારની મૌલિક રચના તરીકે હર્ષ, હરિહર, અમરચન્દ્ર અને મદનકીર્તિ પ્રબન્ધોને ગણાય. તેમનું વર્ણન અન્ય પ્રબન્ધગ્રન્થોમાં નથી મળતું. પ્રબન્ધકોશની રચના સરળ અને સુબોધ ગદ્યમાં કરવામાં આવી છે. આ પ્રકારની ગદ્યરચના બહુ જ ઓછી મળે છે. તેનાં વાક્યો બિલકુલ અલગ અલગ અને નાનાં નાનાં છે તથા બોલચાલની ભાષા જેવાં લાગે છે. અપ્રચલિત અને દેશ્ય શબ્દોનો પ્રયોગ તેમાં નિઃસંકોચ થયો છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે પ્રશ્નવાહન કુલ, કોટિક ગણ, હર્ષપુરીય ગચ્છની મધ્યમ શાખામાં થયેલા મલધારી અભયદેવસૂરિ સત્તાનીય અને તિલકસૂરિના શિષ્ય રાજશેખરે આ કૃતિની રચના સં. ૧૪૦પમાં દિલ્હીમાં મહણસિંહની વસતિમાં રહીને કરી હતી. ૧. પ્રબન્ધચિન્તામણિના સાતવાહનપ્રબન્ધ અને વિવિધતીર્થકલ્પના પ્રતિષ્ઠાનપુરકલ્પમાં આનું ચરિતવર્ણન છે. ૨. મધ્યભારતી પત્રિકા, અંક ૧, જુલાઈ ૧૯૬૨માં ડૉ. હીરાલાલ જૈનનો લેખ : A Con temporary Ode to Chandra Gupta Vikramaditya. ૩. વંકચૂલચરિતનો પરિચય પહેલાં આપી દીધો છે. આના પહેલાં વિવિધતીર્થકલ્પમાં ઢીંપુરીકલ્પ અંતર્ગત વંકચૂલના ચરિતનું વર્ણન છે. ૪. પૃ. ૨-૩ Page #451 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય તેમની અન્ય રચનાઓમાં અન્તર્કથાસંગ્રહ (કૌતુકકથા), સ્યાદ્વાદકલિકા, સ્યાદ્વાદદીપિકા, રત્નાકરાવતારિકાપંજિકા અને ષડ્ગર્શનસમુચ્ચય મળે છે. પુરાતનપ્રબન્ધસંગ્રહ ૪૨૯ મુનિ જિનવિજયજીને પાટણના ભંડારમાં એક પ્રબન્ધસંગ્રહની પ્રતિ મળી હતી, તેમાં અનેક પ્રબન્ધોનો સંગ્રહ હતો. દુર્ભાગ્યથી પ્રતિ ખંડિત હતી તેથી કર્તાનું નામ જાણી શકાયું નહિ. તેના અંતિમ પૃષ્ઠ ૭૬માં પ્રબન્ધનો ક્રમાંક ૬૬ આપ્યો છે. લાગે છે કે તેમાં બીજા પણ પ્રબન્ધો હતા. ઉપદેશતરંગિણીમાં ચતુર્વિંશતિપ્રબન્ધ (પ્રબન્ધકોશ) ઉપરાંત દ્વિસપ્તતિપ્રબન્ધનો પણ ઉલ્લેખ મળે છે. સંભવતઃ આ પુરાતનપ્રબન્ધસંગ્રહ તે જ ગ્રન્થ હોય. આમાં પ્રબન્ધચિન્તામણિ અને પ્રબન્ધકોશના કેટલાય પ્રબંધોની પુનરાવૃત્તિ થઈ છે. કેટલાય નવા પ્રબન્ધો પણ છે, જેમકે ભોજગાંગેયપ્રબન્ધ, ધારાબંસપ્રબન્ધ, મદનવર્મ-જયસિંહદેવપ્રીતિપ્રબન્ધ, પૃથ્વીરાજપ્રબન્ધ, નાહડરાયપ્રબન્ધ, નાડોલ લાખનપ્રબન્ધ. આ પ્રતિ ૧૫મી સદીમાં લખાયેલી જણાય છે. મુનિ જિનવિજયજીએ આ પ્રતિની સામગ્રી અને પૂર્વોક્ત જિનભદ્રકૃત પ્રબન્ધનાવલિની સામગ્રી લઈને ‘પુરાતનપ્રબન્ધસંગ્રહ'૧ પ્રકાશિત કરેલ છે. વિવિધ પ્રકારના જૈન ગ્રન્થોમાં ઐતિહાસિક સામગ્રી આપણને એવા અનેક ગ્રન્થો મળ્યા છે જેમાં જો કે ગ્રન્થપ્રશસ્તિ નથી પરંતુ તે ગ્રન્થો પોતાનાથી પૂર્વે થયેલા આચાર્યો, તેમની કૃતિઓ ખાસ કરીને તેમના વિષય, કર્તા અને ગ્રન્થની માહિતીની સાથે સાથે આકસ્મિક રીતે પોતાના સમયની મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કરે છે. પશ્ચાત્કાલીન આચાર્યો અને કૃતિઓ દ્વારા પૂર્વવર્તી ગ્રન્થકારો અને ગ્રન્થોના ઉલ્લેખ, માન્ય ગ્રન્થકારોના પૂર્વ દૃષ્ટિકોણોનું ખંડન, ભાષા અને વિષયોનું સ્વરૂપ, પૂર્વવર્તી કૃતિઓમાંથી ઉદ્ધરણો વગેરે એવી અનેક વાતો છે જેનાથી ગ્રન્થકર્તાઓની સાપેક્ષિત સામયિકતા નિશ્ચિત કરી શકાય છે. આપણા જૈન તાર્કિક દાર્શનિક સાહિત્યની બાબતમાં એ વિશેષતઃ સાચું છે કે તેના દ્વારા આપણને કેવળ જૈન ગ્રંથકારોનો કાલક્રમ નિશ્ચિત કરવામાં જ નહિ પરંતુ મહત્ત્વપૂર્ણ બ્રાહ્મણ અને બૌદ્ધ તાર્કિકોનો કાલક્રમ નિશ્ચિત કરવામાં પણ અદ્ભુત મદદ મળે છે. જૈન વિદ્વાનોમાં એ એક પ્રણાલિકા હતી કે તેઓ પૂર્વવર્તી આચાર્યોની કારિકાઓને પોતાના મતના સમર્થનમાં કે બીજાના મતના ખંડનમાં ઉદ્ધૃત કરતા હતા. અનેક વાર ગ્રન્થો અને ગ્રન્થકારોનાં નામોનો પણ ૧. સિંઘી જૈન ગ્રન્થમાલા, ક્રમાંક ૨. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ જેન કાવ્યસાહિત્ય તેઓ ઉલ્લેખ કરતા હતા. આ ઉદ્ધરણો આપણને વિભિન્ન આચાર્યોના સાપેક્ષિક યુગનો નિશ્ચય કરવામાં કે વિસ્તૃત પણ નિશ્ચિત સમયાવધિ સુધી પહોંચવામાં સમર્થ બનાવે છે. આ ઉપરાંત જૈન વિદ્વાનોએ લાક્ષણિક સાહિત્યની વિવિધ શાખાઓમાં કેટલાય ગ્રન્થો લખ્યા છે. તે ગ્રન્થો આપણને ભારતીય રાજનૈતિક ઈતિહાસની કેટલીય મહત્ત્વની માહિતી આપે છે. ઉદાહરણ તરીકે ચૌલુક્ય સિદ્ધરાજ જયસિંહના સમયમાં વર્ધમાનસૂરિએ રચેયાલ “ગણરત્નમહોદધિ' નામના વ્યાકરણ ગ્રન્થમાં ધારાનરેશ ભોજની ઉપાધિ અને ધર્મનો ઉલ્લેખ છે તથા સિદ્ધરાજ વિશે કેટલાય ઉલ્લેખો છે. હેમચન્દ્રકૃત શબ્દાનુશાસનમાં સિદ્ધરાજની માલવા સાથે વર્ષો સુધી ચાલેલી લડાઈનો ઉલ્લેખ છે. મલયસૂરિકૃત અન્ય સંસ્કૃત વ્યાકરણ ગ્રન્થમાં અર્ણોરાજ ઉપર કુમારપાલના વિજયનો ઉલ્લેખ છે. તેવી જ રીતે નેમિકુમારના પુત્ર વાલ્મટ કવિએ રચેલા કાવ્યાનુશાસનમાં અને સોમના પુત્ર બાહડ (વાલ્મટ)ના વાટાલંકારમાં અને હેમચન્દ્રાચાર્યના છંદોનુશાસનમાં સિદ્ધરાજની પ્રશંસા કરતાં કેટલાંય પદ્યો છે. સોળમી સદીના પ્રારંભમાં રત્નમંદિર ગણિકૃત ઉપદેશતરંગિણીમાં ગુજરાતના ઈતિહાસ સાથે સંબંધ ધરાવતી અનેક વાતો છે. આ જ સમયના ઉપદેશસપ્તતિ ગ્રન્થમાં ભીમદેવ પ્રથમના સાંધિવિગ્રહિક ડામરનાગરની કથા તથા બીજી ઐતિહાસિક વાતો આપવામાં આવી છે. આચારોપદેશ અને શ્રાદ્ધવિધિમાં કુમારપાલ, વસ્તુપાલ, તેજપાલ વગેરે સંબંધી કેટલીય વાતોનો ઉલ્લેખ છે. સત્તરમી સદીના ધર્મસાગર ઉપાધ્યાયના ગ્રન્થ “પ્રવચનપરીક્ષામાં ચાવડાઓ, ચૌલુક્યો અને બધેલોની (વાઘેલાઓની) વંશાવલીઓ આપી છે. પુરાણકથાસાહિત્યના ગ્રન્થોમાં વિખરાયેલી સામગ્રીની તરફ અમે તે તે ગ્રન્થનો પરિચય આપતી વખતે જ ધ્યાન ખેંચ્યું છે. તુગલક વંશના જૈન સ્રોતો આ વંશનું રાજ્ય સન્ ૧૩૨ ૧થી ૧૪૧૪ સુધી ટક્યું. આ વંશમાં પ્રસિદ્ધ ત્રણ સુલતાન થયા : (૧) ગયાસુદીન તુગલક (ઈ.સ.૧૩૨૧-૧૩૨૫), (૨) મુહમ્મદ બિન તુગલક (ઈ.સ.૧૩૨૫-૫૧) અને (૩) ફિરોજશાહ તુગલક (ઈ.સ.૧૩૫૧-૧૩૮૮). આ સુલતાનોના રાજ્યમાં અને પ્રાન્તીય શાસકોના રાજ્યમાં જૈનધર્મ, જૈનાચાર્યોનાં કાર્યો, જૈન સાહિત્ય, મંદિર, તીર્થ વગેરેની Page #453 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય સ્થિતિ ઉપર પ્રકાશ ફેંકવા માટે કેટલાક ગ્રંથો ઉપલબ્ધ છે. ઐતિહાસિક પ્રસંગમાં અહીં તેમનું દિગ્દર્શન માત્ર કરાવીએ છીએ. નાભિનન્દનોદ્વારપ્રબન્ધ અપરનામ શત્રુંજયતીર્થોદ્ધારપ્રબન્ધ આ કૃતિમાં પ્રાચીન સ્વતન્ત્ર ગુજરાતના અંતિમ મહાજન સમરાશાહનાં મહત્ત્વપૂર્ણ કાર્યોનું વિવરણ આપતાં તુગલકવંશના સુલતાનો અને તેમના પ્રાન્તીય શાસકોની મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે, આ માહિતી તત્કાલીન ભારતના ધાર્મિક ઈતિહાસના નિર્માણમાં સહાયક સાબિત થઈ છે. સમરાશાહ ત્રણ ભાઈઓ હતા. મોટો ભાઈ સહજપાલ દક્ષિણ દેશના દેવગિરમાં (દોલતાબાદમાં) વસતો હતો. વચેટ ભાઈ સાહણ ખંભાતમાં વસીને પોતાના પૂર્વજોની કીર્તિ ફેલાવી રહ્યો હતો અને સમરાશાહ પાટણમાં રહી પ્રભાવશાળી બન્યો હતો. તત્કાલીન દિલ્હીનો સુલતાન ગયાસુદીન તુગલક તેના ઉપર ઘણો સ્નેહ રાખતો હતો અને તેણે તેને તેલંગાનાનો સૂબેદાર બનાવ્યો હતો. ગયાસુદ્દીનનો ઉત્તરાધિકારી મુહમ્મદ તુગલક પણ તેને ભાઈ સમાન ગણતો હતો અને પોતાના સમયમાં પણ તેણે તેને તે પદ ઉપર રહેવા દીધો. સમરાશાહે પોતાના પ્રભાવથી પાંડુદેશના સ્વામી વીર વલ્લાલને સુલતાનની ચુંગાલમાંથી છોડાવ્યો અને મુસલમાનોના અત્યાચારોથી અનેક હિંદુઓની રક્ષા કરી. તેણે તે મુસલમાન શાસકોના કાળમાં જૈનધર્મની પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં. જિનપ્રભસૂરિના વિવિધતીર્થકલ્પમાંથી પણ તુગલકવંશના રાજ્યકાળમાં જૈનધર્મની સ્થિતિની ઘણી માહિતી મળે છે. માલવાના પ્રાન્તીય મુસ્લિમ શાસકો આ શાસકોના રાજ્યકાળમાં જૈનોને સારો આશ્રય મળતો રહ્યો. માંડવગઢમાં અનેક ધનાઢ્ય અને પ્રભાવક જૈન વ્યાપારીઓ હતા. તેમાંથી કેટલાકને તો સમયે સમયે રાજમન્ત્રી કે પ્રધાનમન્ત્રી અને અન્ય અનેક વિશિષ્ટ પદો સંભાળવાની તક મળી હતી. માંડવગઢના સુલતાન હોશંગશાહ ગોરીના (ઈ.સ.૧૪૦૫-૧૪૩૨) મહાપ્રધાન મંડન નામના જૈન હતા, તે ઘણા જ શાસનકુશળ અને મહાન ૪૩૧ ૧. ગ્રન્થનો સંક્ષિપ્ત પરિચય પૃ. ૨૨૯ ઉપર આપ્યો છે. ૨. વિશેષ માહિતી માટે જુઓ : ડૉ. જ્યોતિપ્રસાદ જૈન, ભારતીય ઈતિહાસ – એક દૃષ્ટિ, પૃ. ૪૧૧-૪૧૬. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જેન કાવ્યસાહિત્ય સાહિત્યકાર હતા. તેમણે રચેલા ગ્રન્થોની પ્રશસ્તિઓમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેમના પૂર્વજો પણ વિભિન્ન રાજદરબારોમાં વિશિષ્ટ પદો ઉપર હતા. ૧ મંડન પછી પણ તેમના વંશધરો માલવાના શાસકોના સારા સહાયકો અને પદાધિકારીઓ બની રહ્યા. સુમતિસંભવકાવ્ય, જાવડચરિત્ર અને જાવડપ્રબન્ધમાંથી પણ માલવાના સુલતાન ગયાસુદીન ખિલજીના (ઈ.સ.૧૪૮૩-૧૫૦૧) શાસનકાળની ઘણી માહિતી મળે છે. ગુરુગુણરત્નાકરમાં (સં. ૧૫૪૧) અનેક પ્રાન્તીય શાસકોના સમયમાં જૈન ધર્મ અને સમાજની સ્થિતિનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. માલવાના પ્રજાપ્રિય, ન્યાયપાલક સુલતાન મહમૂદ ખિલજીના (ઈ.સ.૧૪૩૬-૧૪૮૨) મંત્રી માંડવગઢવાસી ચન્દ્રસાધુ (ચાંદાસાહ) હતા. ગયાસુદ્દીન ખિલજીના રાજ્યકાળમાં પોરવાડ જાતિની પ્રમુખ વ્યક્તિઓ સૂરા અને વીરા નામની જૈન હતી. ઉક્ત મંડન કવિનો વંશજ મેઘ આ સુલતાનનો મંત્રી હતો અને તેને “ફૂકરમલિકની ઉપાધિ આપવામાં આવી હતી. આ જ પ્રમાણે બીજી પણ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક વાતો કહેવામાં આવી છે. મુગલકાળના જૈન સ્રોતો મુગલવંશના મુસ્લિમ શાસકોમાંથી અકબર, જહાંગીર અને શાહજહાં વિશે કેટલાંક જૈન ઐતિહાસિક કાવ્યોમાંથી ઘણી બહુમૂલ્ય માહિતી મળે છે. તપાગચ્છીય ઉપાધ્યાય પાસુંદરકત પાર્શ્વનાથકાવ્ય, રાયમલ્લાલ્યુદય અને અકબરશાહિશૃંગારદર્પણની પ્રશસ્તિઓમાંથી જાણવા મળે છે કે પદ્મસુન્દર અકબર દ્વારા સન્માનિત હતા, તેમના દાદાગુરુ આનન્દમેરુ અકબરના પિતા હૂમાયું અને પિતામહ બાબર દ્વારા સત્કૃત હતા. વિ.સં.૧૬૩૨માં ૫. રાજમલે રચેલા ૧. યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થમાં પ્રકાશિત દોલતસિહ લોઢાનો લેખ : મંત્રી મંડન ઔર ઉનકા ગૌરવશાળી વંશ; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૭૭-૪૮૦. ૨. ભારતીય ઈતિહાસ – એક દષ્ટિ, પૃ. ૪૨૭ ૩. પરિચય માટે જુઓ, પૃ. ૨૧૬ ૪. પરિચય માટે જુઓ, પૃ. ૨૨૯ ૫. પરિચય માટે જુઓ, પૃ. ૨૧૬ ૬. આ ગ્રંથનો સંક્ષિપ્ત પરિચય પહેલાં આપી દીધો છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૩૩ જબૂસ્વામિચરિત્રમાં અકબરની પ્રશંસા કરતાં કવિએ લખ્યું છે કે સમ્રાટે ધર્મના પ્રભાવથી જજિયાવેરો બંધ કરીને યશનું ઉપાર્જન કર્યું, તેમના મુખમાંથી હિંસક વચનો નીકળતાં ન હતાં, હિંસાથી તે સદા દૂર રહેતા હતા અને તેમણે જુગાર અને મદ્યપાનનો પ્રતિબંધ લગાવી દીધો હતો. સં. ૧૬૫૦માં રચાયેલા કર્મવંશોત્કીર્તનકાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે કે બીકાનેરના રાજાનો પ્રધાન કર્મચન્દ્ર બથ્થાવત રાજા સાથે અણબનાવ થવાને કારણે અકબર બાદશાહના શરણે ગયો હતો અને અકબરે તેને પોતાનો એક પ્રતિષ્ઠિત મંત્રી બનાવી દીધો. કર્મચન્દ્ર પૂર્વવર્તી સુલતાનો દ્વારા અપહરણ કરાયેલી અનેક ધાતુની બનેલી જિનમૂર્તિઓને મુસલમાનો પાસેથી પાછી મેળવી અને તેમને બીકાનેરના મંદિરોમાં મોકલી આપી. સમ્રાટ અકબરે પોતાના શાહજાદા સલીમ પર આવી પડેલા અનિષ્ટ ગ્રહોની શાંતિ જૈનધર્માનુસાર કરવા માટે અબુલફજલ આદિ વિદ્વાન મંત્રીઓની સલાહથી કર્મચન્દ્ર બચ્છાવતને આદેશ આપ્યો હતો. ઉક્ત મંત્રીના આગ્રહથી બાદશાહે અમદાવાદના સૂબેદાર આજમ ખાંને ફરમાન મોકલ્યું કે મારા રાજયમાં જૈનતીર્થો, જૈનમંદિરો અને જૈનમૂર્તિઓને કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચાડી શકે નહિ અને આ આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને ભીષણ દંડ ભોગવવો પડશે. મેડતા દુર્ગમાંથી મળતા તે સમયના શિલાલેખોમાંથી જાણવા મળે છે કે અકબરે જૈન મુનિઓને યુગપ્રધાનપદ આપ્યાં હતાં, પ્રતિ વર્ષ આષાઢની અષ્ટાલિકામાં અમારિ (જીવહિંસાનિષેધ) ઘોષણા કરી હતી, ખંભાતની ખાડીમાં માછલીઓનો શિકાર બંધ કરાવ્યો હતો, શત્રુંજય વગેરે તીર્થોને વેરામાંથી મુક્ત કર્યા હતા અને સર્વત્ર ગોરક્ષાનો પ્રચાર કર્યો હતો, વગેરે. ઈ.સ.૧૫૯૫માં પોર્ટુગીઝ પાદરી પિન્ટેરોએ પણ તેમાંની અનેક વાતોનું સમર્થન કર્યું છે. આઈને અકબરી પણ આ વાતોની પુષ્ટિ કરે છે. તપાગચ્છીય આચાર્ય હીરવિજય આદિનાં જીવનચરિત્રો ઉપર લખાયેલાં હીરસૌભાગ્યમહાકાવ્ય' વગેરે ગ્રન્થોમાંથી પણ મુગલ બાદશાહોની ધાર્મિક ભાવનાઓ વિશે જાણવા મળે છે. સન્ ૧૫૮૨ આસપાસ કાબુલથી પાછા ફર્યા પછી અકબરે ગુજરાતના શાસક શિહાબુદ્દીન અહમદખાન ઉપર ફરમાન મોકલીને આચાર્ય હીરવિજયને આગ્રા ૧-૨ આ ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય પહેલાં આપી દીધો છે. ૩. ભારતીય ઈતિહાસ – એક દષ્ટિ, પૃ. ૪૮૮. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪. જૈન કાવ્યસાહિત્ય દરબારમાં આવવા માટે નિમત્રણ આપ્યું. આચાર્ય ગુજરાતથી પગે ચાલીને આગ્રા પહોંચ્યા. સમ્રાટે તેમનું મોટું સન્માન કર્યું અને અનેક ભેટો ધરી. તેમના અનુરોધથી સમ્રાટે પર્યુષણપર્વમાં ૧૨ દિવસ સુધી જીવહત્યાનો નિષેધ કર્યો, વગેરે. સન્ ૧૫૮૪ જૂનમાં તેમણે હીરવિજયજીને “જગદ્ગુરુ'ની ઉપાધિ આપી અને તેમના શિષ્ય શાન્તિચન્દ્રને ઉપાધ્યાય પદ આપ્યું. સન્ ૧૫૮૨થી ૧૫૮૬ સુધી હીરવિજય આગ્રામાં રહ્યા. અકબર અને હીરવિજયજીના સંબંધોનું વર્ણન પદ્મસાગરકૃત જગદ્ગુરુકાવ્ય' અને દેવવિમલકૃત “હીરસૌભાગ્યકાવ્ય'માં મળે છે. વૈરાટ (જયપુર – સન્ ૧૫૮૭) તથા શત્રુંજય (સન્ ૧૫૯૩)માંથી પ્રાપ્ત શિલાલેખોમાંથી પણ આ વાતની પુષ્ટિ થાય છે. . ઉપાધ્યાય શાન્તિચન્દ્ર બાદશાહનાં દયામય કાર્યોનું વર્ણન કરવા માટે કૃપારસકોશ'ની રચના કરી. બાદશાહનાં અહિંસા કાર્યોનું વર્ણન અલ બદાઉનીએ પણ કર્યું છે. વિન્સેન્ટ સ્મિથે પોતાના ગ્રંથ “અકબર'માં પણ આ વાતોનું પ્રતિપાદન કર્યું છે. ઉપાધ્યાય શાન્તિચન્દ્રનો અકબર ઉપર બહુ પ્રભાવ હતો. એક વર્ષ ઈદના સમયે તે સમ્રાટની પાસે જ હતા. ઈદના એક દિવસ પહેલાં તેમણે સમ્રાટને કહ્યું કે હવે તે ત્યાં નહિ રહે કારણ કે પછીના દિવસે ઈદના ઉપલક્ષ્યમાં અનેક પશુઓ મરાશે. તેમણે કુરાનની આયાતોથી સિદ્ધ કર્યું કે કુરબાનીનું માંસ અને ખૂન ખુદાને પહોંચતું નથી, ખુદા આ હિંસાથી ખુશ નથી થતા પરંતુ પરહેજગારીથી ખુશ થાય છે. રોટી અને શાક ખાવાથી જ રોજા કબૂલ થઈ જાય છે. અન્ય અનેક મુસલમાન ગ્રન્થોથી પણ તેમણે બાદશાહ અને તેના દરબારીઓ સમક્ષ એ પુરવાર કર્યું અને બાદશાહ પાસે ઘોષણા કરાવી કે આ ઈદ ઉપર કોઈ પણ પ્રકારનો વધ ન કરવામાં આવે. શાન્તિચન્દ્ર આવશ્યક કાર્ય હોઈ ગુજરાત ચાલ્યા ગયા અને પોતાના શિષ્ય ભાનુચન્દ્રને અકબરના દરબારમાં મૂકતા ગયા. ભાનુચન્દ્રનો અકબરના શેષ જીવન અને જહાંગીરના પ્રારંભિક જીવન સાથે ઘણો સંપર્ક હતો. અકબરે પોતાના બે શાહજાદા સલીમ અને દદાનિયાલની શિક્ષા ભાનુચન્દ્રને સોંપી હતી. અબુલફજલને પણ ભાનુચન્દ્ર ભારતીય દર્શન ભણાવ્યું હતું. ભાનુચ સમ્રાટ માટે “સૂર્યસહસ્રનામ'ની રચના કરી અને આ કારણે તે પાદશાહ અકબર જલાલુદ્દીન સૂર્યસહસ્રનામાધ્યાપક' કહેવાતા હતા. તે ફારસીના પણ મોટા વિદ્વાન હતા. બાદશાહે ખુશ થઈને તેમને “ખુશફહમ' ઉપાધિ આપી હતી. અકબરને ભાનુચન્દ્રમણિ ઉપર ખૂબ આસ્થા હતી. આના સમર્થનમાં ઘણી સામગ્રી છે. તેમાંથી કેવળ બેનો ઉલ્લેખ કરીએ છીએ. એક વખત અકબર ભયાનક Page #457 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય શિરદર્દથી પીડાતા હતા. તેને દૂર કરવામાં કોઈ ચિકિત્સકને સફળતા ન મળી. એટલે સમ્રાટે ભાનુચન્દ્રનું સ્મરણ કર્યું અને બોલાવ્યા. તેમણે સમ્રાટના શિર ઉપર હાથ મૂકી ચિન્તામણિપાર્શ્વનાથની સ્તુતિ કરી. તેનાથી શિરદર્દ સદાને માટે દૂર થઈ ગયું. રાજ્યના ઉમરાવોએ તેની ખુશીમાં કુરબાની માટે પશુઓ એકઠા કર્યા પરંતુ ખબર પડતાં જ બાદશાહે તેને તરત જ બંધ કરાવી દીધી. એક વાર શિકાર કરતાં બાદશાહને મૃગના શિંગડાની ચોટ લાગી અને બે મહિના સુધી પલંગમાં પડ્યા રહ્યા. તે સમયે કોઈને મળવા ન દેવાની આજ્ઞા હતી પરંતુ ભાનુચન્દ્ર અને અબુલફજલને માટે કોઈ આશા ન હતી. ભાનુચન્દ્રના શિષ્ય સિદ્ધિચન્દ્રે રચેલા ‘ભાનુચન્દ્રગણિચરિત'માં' ઉક્ત વાતો ઉપરાંત જહાંગીર, નૂરજહાં તથા કેટલાય દરબારીઓનું ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે. આચાર્ય હીરવિજયના પ્રધાન શિષ્ય વિજયસેન ઉપર હેમવિજયગણિએ રચેલા ‘વિજયપ્રશસ્તિમહાકાવ્ય'માં તથા તેમના પ્રશિષ્ય વિજયદેવ ઉપર શ્રીવલ્લભ ઉપાધ્યાયે રચેલ ‘વિજયદેવમાહાત્મ્ય'માં તથા મેઘવિજયગણિએ રચેલાં ‘વિજયમાહાત્મ્યવિવરણ’, દિગ્વિજયકાવ્ય, ‘દેવાનન્દમહાકાવ્ય’૪ વગેરેમાં અકબર અને જહાંગીર વિશે અનેક ઐતિહાસિક વાતો કહેવામાં આવી છે. વિજયસેનસૂરિને અકબરે લાહોર બોલાવ્યા હતા. તેમના શિષ્ય નન્દ્રિવિજયે અષ્ટ અવધાન કર્યાં ત્યારે અકબરે તેમને ખુશફહમ(a man of sharp intellect)ની ઉપાધિ આપી હતી. વિજયસેનગણિએ સમ્રાટના દરબારમાં ‘ઈશ્વર કર્તા હર્તા નથી’ વિષય ઉપર અન્ય ધર્મોના વિદ્વાનો સાથે અનેક શાસ્ત્રાર્થ કર્યા હતા અને તેમને સવાઈ હીરવિજયસૂરિ'ની ઉપાધિ મળી હતી. તેમના અનુરોધથી અકબરે ગાય, બળદ વગેરે પશુઓની હિંસા અટકાવી દીધી હતી.૫ સન્ ૧૫૮૨થી લઈને લાંબા સમય સુધી અક્બર અને જહાંગીરના દરબારમાં કોઈ ને કોઈ વિદ્વાન જૈનાચાર્ય રહ્યા હતા. પ્રશસ્તિઓ પ્રશસ્તિનો અર્થ થાય છે ગુણકીર્તન. સંસ્કૃત સાહિત્યનો આ એક ઘણો રોચક પ્રકાર છે. આલંકારિક શૈલીના કાવ્યરૂપમાં રચાતી હોવા છતાં પણ પ્રશસ્તિઓનો વિષય ઈતિહાસપ્રસિદ્ધ વ્યક્તિ જ હોય છે અને તેથી પ્રશસ્તિઓ અતીતના ૪૩૫ ૧-૪.આ ગ્રન્થોનો પરિચય પહેલાં આપી દીધો છે. ૫. વિશેષ માહિતી માટે ‘અકબર આણિ જૈનધર્મ સૂરીશ્વર આણિ સમ્રાટ્' ગ્રંથ જુઓ; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૩૫-૫૬૦ ખાસ જોવાં જોઈએ. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ જૈન કાવ્યસાહિત્ય ઈતિહાસના સંયોજનમાં ઘણી સામગ્રી પૂરી પાડે છે. વૈદિક સાહિત્ય અંતર્ગત બ્રાહ્મણો અને ઉપનિષદોમાં “ગાથા નારાશંસી' અર્થાત પ્રસિદ્ધ વિર વ્યક્તિઓની પ્રશંસાનાં ગીતોનો બહુ વાર ઉલ્લેખ મળે છે. આ ગીતો ત્રસ્વેદની દાનતુતિઓ અને અથર્વવેદનાં અનેક સૂક્તો સાથે સમ્બદ્ધ છે અને પશ્ચાત્કાલીન વીર ગાથાઓમાં વર્ણવાયેલી શૌર્ય ઘટનાઓનું પ્રાગૃપ પણ છે. તેમનો વિષય યોદ્ધાઓ અને નરેશોનાં ગૌરવમય કાર્યોનું વર્ણન જ છે. કાલાન્તરે આ જ ગાથાઓ કોઈ એક વ્યક્તિવિશેષ અથવા ઘટનાવિશેષને લઈને બહુ મોટા મહાકાવ્યોમાં વિકાસ પામી. પછીના સમયમાં ગુપ્તયુગની આસપાસ આ પ્રશસ્તિઓ આપણને ઉત્કીર્ણ લેખોના રૂપમાં તથા સ્વત– ગુણવચનના રૂપમાં પણ મળે છે. સમુદ્રગુપ્ત વિશેની હરિષણપ્રશસ્તિ અલ્હાબાદના એક સ્તંભ ઉપર મળી છે. સ્કંદગુપ્તનો ગિરનારશિલાલેખ અને મન્દસોરના સૂર્યમંદિરની વત્સભદ્રિપ્રશસ્તિ પણ આ પ્રકારની છે. સિદ્ધસેન દિવાકરકૃત ગુણવચનદ્વાત્રિશિકા ઉત્કીર્ણ લેખ ન હોવા છતાં પણ આ પ્રકારની પ્રશસ્તિ છે, તેમાં ચન્દ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યનું ગુણકીર્તન કર્યું છે. ઉત્તરકાલે મંદિરો, મૂર્તિઓ વગેરે સ્થાપત્યોની સ્મૃતિના રૂપમાં અનેક પ્રકારની પ્રશસ્તિઓ લખવાની પરંપરા ચાલુ થઈ આગળ ચાલી. જૈન મનીષીઓ પણ આ બાબતમાં પાછળ ન રહ્યા. દક્ષિણ ભારત, ગુજરાત, રાજસ્થાન તથા મધ્ય ભારતમાં જૈન વિદ્વાનોએ એક વિશિષ્ટ પ્રકારની પ્રશસ્તિઓ પણ લખી, તે પ્રશસ્તિઓને ગ્રન્થપ્રશસ્તિ અર્થાત્ પુસ્તકની સ્તુતિગાથા કહે છે. આ ગ્રન્થપ્રશસ્તિઓ સામાન્યતઃ ગ્રન્થોના અત્તે અને કોઈ કોઈ વાર પ્રારંભમાં પણ યા તો પુષ્યિકાના રૂપે ગ્રન્થના કોઈ અધ્યાયના અંતે કે પ્રત્યેક અધ્યાયના અંતે મળે છે. ઈ.સ. છઠ્ઠી સદીની પહેલાં રચાયેલા ગ્રંથોમાં આપણને આવી પ્રશસ્તિઓ પ્રાય: નથી મળતી પરંતુ ૭મી સદીથી આગળના સમયમાં રચાયેલા ગ્રન્થોમાં આવી પ્રશસ્તિઓનો અધિક અને સર્વસામાન્ય પ્રયોગ થવા લાગ્યો. કાવ્યાત્મક આદર્શ પ્રશસ્તિઓ પણ જૈન વિદ્વાનોએ લખી છે. તેમનું ઐતિહાસિક અને કાવ્યાત્મક મહત્ત્વ વિભિન્ન પ્રકારનું છે. કોઈ કોઈ પ્રશસ્તિઓ બહુ જ ટૂંકી હોય છે અર્થાત કેટલીક પંક્તિઓની જ માત્ર, તો કેટલીક તો સો સો પંક્તિઓ કે શ્લોકો જેટલી લાંબી હોય છે. કેટલીક ગદ્યમાં હોય છે તો કેટલીક પૂરેપૂરી પદ્યમાં જ માત્ર. કેટલીક ગદ્ય અને પદ્યમાં મિશ્રિત પણ હોય છે. ઐતિહાસિક દષ્ટિએ આ પ્રશસ્તિઓમાં મહત્ત્વનો અંશ સાધારણતઃ વંશપરિચય, શૌર્ય અથવા ધર્મકર્મવર્ણન હોય છે. અનેક પ્રશસ્તિઓ સ્થાપત્ય અંગેની છે, તેમાં સ્થાપત્યના નિર્માતા યા દાતાનો વૃત્તાન્ત આપવામાં આવ્યો હોય છે. જો નિર્માતા યા દાતા Page #459 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ४३७ તત્કાલીન રાજા ન હોય તો તે પ્રશસ્તિમાં તત્કાલીન રાજા વિશે કંઈ ને કંઈ ઉલ્લેખ કરી દેવામાં આવે છે. પછી દાનનું વર્ણન કરવામાં આવે છે અને પછી શેના માટે અને શી શરતોથી દાન કરવામાં આવ્યું હતું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. સ્થાપત્યપ્રશસ્તિઓમાં નિર્માતા શિલ્પીનું, પ્રતિષ્ઠા કરાવનાર ગુરુનું, પ્રશસ્તિના રચનાર કવિનું, તામ્ર યા શિલા પર લખનાર લેખકનું અને તેને ઉત્કીર્ણ કરનાર ત્વષ્ટાનું નામ આપવામાં આવે છે. સ્થાપત્યપ્રશસ્તિઓ(શિલાલેખો અને તાપ્રલેખો)ની જેમ જ ગ્રન્થપ્રશસ્તિઓ યા સ્વતંત્ર કાવ્યાત્મક પ્રશસ્તિઓ મહત્ત્વપૂર્ણ અને વિશ્વસનીય છે - ફેર માત્ર એટલો જ છે કે આ પ્રશસ્તિઓ અલ્પસ્થાયી કાગળ કે તાડપત્ર ઉપર લખાયેલી મળે છે, જ્યારે સ્થાપત્યપ્રશસ્તિઓ દીર્થસ્થાયી પાષાણ કે ધાતુ ઉપર ઉત્કીર્ણ મળે છે. જ્યાં સુધી ઐતિહાસિક દષ્ટિએ રચના અને વિવરણની વાત છે ત્યાં સુધી બન્ને એકસમાન છે. સ્વતન્ત કાવ્યાત્મક પ્રશસ્તિઓના પરિચયક્રમમાં અમે પહેલાં જ ઐતિહાસિક કાવ્યોની પહેલાં પ્રાચીનતાની દષ્ટિએ ગુણવચનદ્વાત્રિશિકા નામની એક પ્રશસ્તિનો પરિચય આપી દીધો છે. કેટલીક બીજી ઉપલબ્ધ પ્રશસ્તિઓનો પરિચય પણ અહીં આપીએ છીએ. વસ્તુપાલ અને તેજપાલનાં સુકૃતોની સ્મારક પ્રશસ્તિઓ વસ્તુપાલ-તેજપાલ વિશેની નાની મોટી અનેક પ્રકારની પ્રશસ્તિઓ મળે છે. પ્રથમ પ્રશસ્તિ છે : સુકતકીર્તિકલ્લોલિની ૧૭૯ શ્લોકોની લાંબી આ પ્રશસ્તિ છે, તે વસ્તુપાલનાં સુકૃતોની પરિચાયક સ્તુતિકથા જ છે. આમાં તે વાતોનું સંક્ષિપ્ત વર્ણન છે જેમનું વર્ણન અરિસિંહના કાવ્ય સુકૃતસંકીર્તનમાં પણ છે. પરંપરાનુસાર મંગલાચરણ પછી પદ્ય ૯-૧૮માં ચાવડા વંશના રાજાઓના શૌર્યનું વર્ણન છે, ત્યાર બાદ ૧૯-૬૯ પદ્યોમાં ચૌલુક્ય નૃપોનું વર્ણન, તે પછી ૭૦-૯૭ પદ્યોમાં વીરધવલ અને તેના પૂર્વજોની પ્રશંસા કરવામાં આવી છે. વસ્તુપાલનું વંશવૃક્ષ, તેનો મંત્રિત્વકાલ અને તેના પરિવારની પ્રશંસા ૯૮-૧૩૭ પદ્યોમાં છે. પદ્ય ૧૩૮-૧૪૦ વસ્તુપાલનાં શૌર્યકાર્યોનું વર્ણન કરે છે અને પદ્ય ૧૪૧-૧૪૯ વસ્તુપાલની સંઘયાત્રાઓનું વર્ણન કરે છે. પદ્ય ૧૫૦-૧૫૭માં નાગેન્દ્રગચ્છના આચાર્યોની પટ્ટાવલી આપી છે. પદ્ય ૧૫૮-૬૧માં વિજયસેનસૂરિની ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૩; ગાયકવાડ પ્રાચ્ય ગ્રન્થમાલા, ક્રમાંક ૧૦(વડોદરા, ૧૯૨૦)માં હમ્મીરમદમર્દન નાટકના પરિશિષ્ટ તરીકે પ્રકાશિત. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જેન કાવ્યસાહિત્ય પ્રશંસા કરવામાં આવી છે. તે પછી પદ્ય ૧૬ ૨-૭૭માં કર્તાએ વસ્તુપાલે નિર્માણ કરાવેલાં ધાર્મિક અને લૌકિક ભવનોને ગણાવ્યાં છે અને અત્તે પદ્ય ૧૭૮માં પ્રશસ્તિના કર્તાનું નામ અને ૧૭૯માં આશીર્વચન આપવામાં આવેલ છે. આ પ્રશસ્તિના કર્તા ઉદયપ્રભસૂરિ છે. તેમનો પરિચય ધર્માસ્યુદયકાવ્યના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. કવિએ આ પ્રશસ્તિને શત્રુંજય પર્વત ઉપર આદિનાથના મંદિરમાં કોઈ સ્થાને શિલાપટ્ટ ઉપર ઉત્કીર્ણ કરાવવા માટે રચી હતી. ઉદયપ્રભસૂરિએ વસ્તુપાલે તંભતીર્થમાં નિર્માણ કરાવેલા ઉપાશ્રયની પણ એક પ્રશસ્તિ રચી છે. આમાં ૧૯ પદ્ય છે અને કેટલોક ભાગ ગદ્ય છે. આમાં નિર્માતા વસ્તુપાલ અને તેમના ગુરુનું વંશવૃક્ષ છે તથા તેમની પ્રશંસા છે. તે સિવાય બીજું કંઈ નથી. આ જ આચાર્યની ૩૩ પદ્યોની સંગ્રહરૂપ એક વસ્તુપાલપ્રશસ્તિમળે છે. આ કોઈ ઘટનાવિશેષ ઉપર યા કોઈ સુકૃતની સ્મૃતિમાં રચવામાં આવી લાગતી નથી, પરંતુ ભિન્ન ભિન્ન અવસરો ઉપર વસ્તુપાલની પ્રશંસા ઉપર રચવામાં આવેલાં પદ્યોનાં સંગ્રહરૂપ છે. આ પદ્યો ઘણા જ સરસ છે.' ઉદયપ્રભસૂરિકૃત ૫ પદ્યોનો એક અન્ય પ્રશસ્તિલેખ પણ મળે છે. તેમાં નેમિનાથ અને આદિનાથ પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કરતા વસ્તુપાલની દાનશીલતા અને ધાર્મિકતાને દર્શાવી તેમના દીર્ધાયની કામના કરવામાં આવી છે. આ વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ - ૭૭ પદ્યોમાં રચાયેલું આ કીર્તિકાવ્ય છે. ભૃગુકચ્છના શકુનિવિહાર નામના મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં નાની દેવકુલિકાઓ ઉપર તેજપાલે સ્વર્ણ ધ્વજદંડ ચઢાવ્યા તેની સ્મૃતિમાં આ કાવ્ય રચાયું છે. તેમાં અન્ય પ્રશસ્તિઓની જેમ જ ચૌલુક્ય રાજાઓનું વર્ણન પદ્ય ૪-૩૧માં તથા બઘેલાઓનું (વાઘેલાઓનું) વર્ણન ૩૨-૩૮ પદ્યોમાં તથા દાતા વસ્તુપાલ-તેજપાલનું વંશવૃક્ષ પદ્ય ૩૯-૫૧માં અને ૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૧૮૨. ૨. મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થમાં પૃ. ૩૦૩-૩૩૦ ઉપર પ્રકાશિત મુનિ પુણ્યવિજયજીનો લેખ “પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખો'માં પ્રશસ્તિક્રમાંક ૨. ૩. જિનરત્નકોશ, પૃ. ૩૪૫; ગાયકવાડ પ્રાપ્ય ગ્રન્થમાલા, ક્રમાંક ૧૦(વડોદરા, ૧૯૨૦)માં હમ્મીરમદમર્દન નાટકના પરિશિષ્ટ તરીકે પ્રકાશિત. Page #461 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય પદ્ય ૫૨-૬૨માં તેનાં સુકૃત્યોની સૂચી આપવામાં આવી છે. પદ્ય ૬૩-૭૧માં મંદિરના મુખ્ય અધિષ્ઠાતા તથા પ્રશસ્તિના રચનાર જયસિંહના ઉપદેશથી અને પોતાના અગ્રજ વસ્તુપાલની આજ્ઞાથી તેજપાલ દ્વારા સ્વર્ણ ધ્વજદંડોના નિર્માણનું વર્ણન છે. અન્તે ધ્વજદંડો, મંદિર અને બન્ને મંત્રીઓ માટે આશીર્વચન છે. આ પ્રશસ્તિના રચનાર છે વીરસિંહસૂરિના શિષ્ય જયસિંહસૂરિ. તેમણે જ હમ્મીરમદમર્દન નાટકનું સર્જન કર્યું છે, તે એક ઐતિહાસિક નાટક જ છે અને વસ્તુપાલની શૌર્યકથા કહે છે. ૧. વસ્તુપાલપ્રશસ્તિ આ પ્રશસ્તિ ૨૬ શ્લોકોની છે. પહેલા શ્લોકમાં મંગલાચરણ છે, બીજામાં વસ્તુપાલ-તેજપાલ અને તેમના પૂર્વજોનું વર્ણન છે. શેષ કાવ્યમાં પોતાના આશ્રયદાતાની સ્તુતિ જ છે. આના રચનાર નરચન્દ્રસૂરિ છે. તે હર્ષપુરીય યા મલધારીગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય હતા. તે વસ્તુપાલના માતૃપક્ષના ગુરુ હતા. તેમણે વસ્તુપાલને ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય વગેરેના ગ્રન્થો ભણાવ્યા હતા. તે કેટલીય કૃતિઓના કર્તા અને ટિપ્પણકાર હતા. તેમનો ફલિત જ્યોતિષ ઉપરનો ગ્રન્થ જ્યોતિઃસાર યાને નારચન્દ્રજ્યોતિઃસાર મળે છે. તેમણે શ્રીધરની ન્યાયકન્દલી ઉપર અને મુરારિના અનર્થરાઘવ નાટક ઉપર ટિપ્પણો લખ્યાં છે તથા જૈન કથાનકો ઉપર કથારત્નસાગર તથા ચતુર્વિશતિજિનસ્તોત્રની રચના કરી છે. ૨. વસ્તુપાલપ્રશસ્તિ આ પ્રશસ્તિ ૧૦૪ પઘોની છે. તેની રચના નરચન્દ્રસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિએ કરી છે. આ ઐતિહાસિક અને સાહિત્યિક દૃષ્ટિએ કેટલુંક મહત્ત્વ ધરાવે છે. તેના પ્રથમ પદ્યમાં જિન અને મહાદેવની શ્લેષમય સ્તુતિ છે, પદ્ય ૨-૧૨માં ચૌલુક્યવંશના રાજાઓની કીર્તિગાથા છે, ૧૩-૧૭માં બધેલા (વાધેલા) વંશનું વર્ણન છે, પદ્ય ૧૮-૨૪માં વસ્તુપાલના પૂર્વજોનું વર્ણન છે અને વસ્તુપાલના પોતાના ગુણોનું વર્ણન પદ્ય ૨૫-૨૮માં છે. ત્યાર પછી ૯૮ પદ્ય સુધી વસ્તુપાલની તીર્થયાત્રાઓ, જીર્ણોદ્ધાર અને ધર્મશાલાનિર્માણ આદિ કાર્યોનું વર્ણન છે. પદ્ય ૯૯ ૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૧૦૧ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૪૫ ૪૩૯ Page #462 -------------------------------------------------------------------------- ________________ ४४० જેન કાવ્યસાહિત્ય ૧૦૪માં નાગેન્દ્રગચ્છના આચાર્યોનું વર્ણન છે અને પ્રશસ્તિકર્તા તથા તેમના ગુરુનું પણ વર્ણન છે. નરેન્દ્રપ્રભસૂરિની બીજી વસ્તુપાલપ્રશસ્તિ' ૩૭ પદ્યોવાળી મળે છે. તેમાં રાજા વિરધવલ અને બન્ને ભાઈઓની કીર્તિને વર્ણવવામાં આવી છે. તેમાં કોઈ પણ ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ નથી. - ઉક્ત બન્ને પ્રશસ્તિઓના રચનાર નરેન્દ્રપ્રભસૂરિ વસ્તુપાલના સમયના એક વિદ્વાન મુનિ હતા. તેમણે પોતાના ગુરુ નરચન્દ્રસૂરિની આજ્ઞાથી વસ્તુપાલની પ્રીત્યર્થ અલંકારમહોદધિકારિકા અને વૃત્તિની રચના સં. ૧૨૮૨માં કરી હતી. તેમની અન્ય કૃતિઓમાં “કાકુલ્થકેલિનાટક ૧૫૦૦ શ્લોકપ્રમાણનો ઉલ્લેખ મળે છે. ધાર્મિક વિષયો ઉપર તેમની વિવેકપાઇપ અને વિવેકકલિકા નામની બે રચનાઓ મળે છે. નરેન્દ્રપ્રભસૂરિ વસ્તુપાલ સાથે શત્રુજયયાત્રામાં ગયા હતા અને તેમણે ૩૭૦ પદ્યોની પ્રશસ્તિ યાત્રાનો પ્રારંભ થતાં જ રચી અને બીજી પ્રશસ્તિ યાત્રાની સમાપ્તિ થતાં શત્રુંજય ઉપર રચી. ૩. વસ્તુપાલપ્રશસ્તિ ચાર પદ્યોની એક પ્રશસ્તિ વસ્તુપાલના પરમ મિત્ર યશોવરે રચેલી મળી છે. તેમાં વસ્તુપાલના ગુણોનું કીર્તન માત્ર છે, ઐતિહાસિક વાત કોઈ પણ નથી. યશોવીર વસ્તુપાલનો અંતરંગ મિત્ર હતો. સમકાલીન કવિ સોમેશ્વરે બન્ને મિત્રોને સરસ્વતીના બે પુત્રો કહીને પ્રશંસા કરી છે. જયસિંહસૂરિના હમ્મીરમદમર્દન નાટકમાં (અંક ૨, શ્લોક ૪૮) કહ્યું છે કે વસ્તુપાલ યશોવરને પોતાના મોટા ભાઈ જેવો આદર આપતા હતા. પ્રબન્ધોમાં યશોવરે રચેલાં કેટલાંય પદ્યોનો ઉલ્લેખ મળે છે. તેથી જાણવા મળે છે કે તે સારા સંસ્કૃત કવિ હતા, જો કે તેમની ૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૧૮૪ ૨. મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રંથમાં પૃ. ૩૦૩-૩૩૦માં પ્રકાશિત મુનિ પુણ્યવિજયજીનો લેખ “પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખોમાં પ્રશસ્તિલેખાંક ૫. Page #463 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય કોઈ રચના આજ સુધી મળી નથી. તે સંડેરકગચ્છના આચાર્ય શાન્તિસૂરિના અનુયાયી હતા અને જાલોરની રહેવાસી રાજમાન્ય વ્યક્તિ હતા. ૪. વસ્તુપાલપ્રશસ્તિ ર આ પ્રશસ્તિ ૧૨ પઘોની છે. તે થોડા સમય પહેલાં પ્રકાશમાં આવી છે. તેના રચનાર સુકૃતસંકીર્તનકાવ્યના કર્તા અરિસિંહ ઠક્કુર છે. તેમાં વસ્તુપાલનું નામ વસન્તપાલ અને વસ્તુપાલ બન્ને આપ્યાં છે અને ઉદાત્ત કાવ્યમય શૈલીમાં યશોગાથા વર્ણવી છે. આમાં કોઈ ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ નથી. ગ્રન્થ, દાતા તથા લિપિકાર-પ્રશસ્તિઓ ગ્રન્થ સંબંધી પ્રશસ્તિઓ બે પ્રકારની છે : એક ગ્રન્થકારપ્રશસ્તિ અને બીજી પુસ્તકપ્રશસ્તિ. ગ્રન્થકારપ્રશસ્તિમાં ગ્રન્થકારનો પોતાનો પરિચય, તેમની ગુરુપરંપરા, રચનાનું સ્થાન અને સમય વગેરેનો ઉલ્લેખ હોય છે. પુસ્તકપ્રશસ્તિ બે પ્રકારની હોય છે : એક દ્રવ્યદાન કરી હસ્તપ્રત લખાવનારની પ્રશસ્તિ અને બીજી લેખનકાર્ય કરનાર લિપિકાર (લહિયા)ની પ્રશસ્તિ. આવી પ્રશસ્તિઓ પિટરસન, ભાંડારકર વગેરે વિદ્વાનોના રિપોર્ટોમાં તથા પાટણ, ખંભાત, જેસલમેર, વડોદરા, અમદાવાદ, લીંબડી, જયપુર, બીકાનેર, આમેર આદિ જૈનભંડારોની વિવરણાત્મક સૂચીઓમાં તથા જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ' નામના ગ્રન્થોમાં આપવામાં આવી છે. આવી પ્રશસ્તિઓ મધ્યયુગીન ભારતના સભ્રાન્ત જૈન પરિવારોના ઈતિહાસની પણ બહુ ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આ માહિતી ગુજરાત અને મધ્ય ભારતમાંથી પ્રાપ્ત ગ્રન્થોમાં કર્ણાટક અને તમિલ દેશમાંથી પ્રાપ્ત ગ્રન્થોની અપેક્ષાએ અધિક છે. ૪૪૧ ૧. યશોવીરના વિશેષ પરિચય માટે જુઓ ડૉ. ભોગીલાલ સાંડેસરાકૃત મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમડંલ, પૃ. ૮૧-૮૫. ૨. મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ, પૃ. ૩૦૩-૩૩૦, પ્રશસ્તિલેખાંક ૬. ૩. અત્યાર સુધી પ્રકાશિત આ પ્રકારના ગ્રન્થોમાં મુનિ જિનવિજયજી દ્વારા સંપાદિત જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, શ્રી અમૃતલાલ મગનલાલ શાહ દ્વારા સંપાદિત પ્રશસ્તિસંગ્રહ (૨ ભાગ), પં. કે. ભુજબલી શાસ્ત્રી દ્વારા સંપાદિત પ્રશસ્તિસંગ્રહ, પં. પરમાનન્દ શાસ્ત્રીકૃત જૈનગ્રન્થપ્રશસ્તિસંગ્રહ ભાગ ૧ (સંસ્કૃત-પ્રાકૃત) અને ભાગ ૨ (અપભ્રંશ) તથા ડૉ. કસ્તૂરચંદ કાસલીવાલ દ્વારા સંપાદિત પ્રશસ્તિસંગ્રહ વિશેષ ઉલ્લેખનીય છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જેન કાવ્યસાહિત્ય ૧૦મી સદીથી પહેલાંના કેટલાક જ હસ્તલિખિત ગ્રંથો એવા મળે છે જેમાં પ્રથમ પ્રકારની પ્રશસ્તિઓ (ગ્રન્થકારપ્રશસ્તિઓ) છે. ભારતીય ઈતિહાસ વિશે છૂટીછવાઈ માહિતીને એકઠી કરવામાં જૈન ગ્રન્થકારોની પ્રશસ્તિઓ મહત્ત્વપૂર્ણ સ્રોત મનાઈ છે. જો તેમને ઉચિત રીતે એકઠી કરવામાં આવે અને પ્રતિમાલેખોની સાથે – જે પ્રતિમાલેખો મોટી સંખ્યામાં ઉત્કીર્ણ મળ્યા છે અને પ્રકાશિત પણ થયા છે તેમની સાથે – તથા અન્ય અભિલેખો સાથે તેમનું અધ્યયન કરવામાં આવે તો કેવળ નવાં તથ્યો જ પ્રકાશમાં આવશે એમ નહિ પરંતુ તે ઉપરાંત સુજ્ઞાત તથ્યોની વચ્ચેનો પરસ્પર સંબંધ પણ સ્પષ્ટ થશે અને તિથિક્રમના આપણા અધ્યયનમાં આપણને બહુ જ સારાં ફળો પણ પ્રાપ્ત થશે. સમકાલીન રેકર્ડ હોવાથી આ પ્રશસ્તિઓ દેશના રાજનૈતિક અને સામાજિક ઈતિહાસના નિર્માણ માટે પણ મહત્ત્વપૂર્ણ સ્રોત છે. તેમાંથી તત્કાલીન ધાર્મિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓનો પણ પરિચય મળે છે. પુસ્તકપ્રશસ્તિઓ આપણને દાનદાતા, તેમના પરિવાર, વંશાવલી, જાતિ અને ગોત્ર વગેરેની માહિતી આપે છે. તે ઉપરાંત તે પુસ્તકપ્રશસ્તિઓમાંથી ભૂગોળની પણ સામગ્રી મળે છે. મધ્યકાલીન જૈનાચાર્યોના પારસ્પરિક વિદ્યાસંબંધો, ગચ્છો સાથે તેમના સંબંધો, તેમના કાર્યક્ષેત્રનો વિસ્તાર, જ્ઞાનપ્રસાર માટે તેમણે કરેલા પ્રયત્નો વગેરેની પૂરતી સામગ્રી પણ મળે છે. શ્રાવકોની જાતિઓના વિકાસ અને નિકાસ ઉપર પણ તેઓ સારો પ્રકાશ પાડે છે. ગ્રન્થકારપ્રશસ્તિઓના મહત્ત્વને અમે પહેલાં જ ગ્રન્થોના પરિચયની સાથે સાથે સૂચવતા ગયા છીએ. અમે કુલવયમાલા, હરિવંશપુરાણ, ઉત્તરપુરાણ, હરિષણકથાકોશ વગેરેની પ્રશસ્તિઓના મહત્ત્વને યથાસ્થાને દર્શાવેલ છે. તેમના મહત્ત્વને ફરીથી અહીં વિસ્તારપૂર્વક વર્ણવવાનો અવકાશ નથી. તો પણ અહીં અમે બેચાર અન્ય પ્રશસ્તિઓનું વિવરણ રજૂ કરીએ છીએ. મુનિસુવ્યસામિચરિયની પ્રશસ્તિ સં. ૧૧૯૩માં રચાયેલા ઉક્ત કાવ્યમાં હર્ષપુરીયગચ્છના શ્રીચન્દ્રસૂરિએ લગભગ ૧૦૦ પધાની એક મોટી પ્રશસ્તિ આપી છે. આ પ્રશસ્તિમાં ગ્રન્થકારે પોતાના દાદાગુરુ અને ગુરુના ગુણોનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે. તેમાં શાકંભરીનરેશ પૃથ્વીરાજ, ગ્વાલિયરનરેશ ભુવનપાલ, સૌરાષ્ટ્રના રાજા ખેંગાર અને અણહિલપુરના રાજા સિદ્ધરાજ જયસિંહ વગેરેનો ઉલ્લેખ છે. તે વખતે પાટણનો એક સંઘ ગિરનાર તીર્થની યાત્રા માટે ગયો અને વનથલીમાં તેણે પડાવ નાખ્યો. તે સંઘમાં આવેલા લોકોનાં આભૂષણો વગેરે જોઈ સોરઠનરેશનું મન ૧. ગ્રંથનો પરિચય પૃ. ૮૭ ઉપર આપ્યો છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ४४ લલચાયું. તેના લોભી સહચરોએ કહ્યું કે પાટણની મોટી લક્ષ્મી ઘેર બેઠા તમારી પાસે અહીં આવી ગઈ છે અને ઘણા લોકોએ સંઘને લૂંટી પોતાના ખજાના ભરી દીધા. રાજાને એક તરફ લક્ષ્મીનો લોભ અને બીજી તરફ જગતમાં અપકીર્તિ ફેલાવાનો ભય હતો એટલે તે દ્વિધામાં હતો. રાજાએ સંઘને ઘણા દિવસ સુધી ત્યાંથી જવા ન દીધો. ત્યારે ગ્રન્થકારના પ્રભાવક ગુરુ આચાર્ય હેમચન્દ્ર (બીજા હેમચન્દ્ર) તક જોઈ ખેંગારની સભામાં ગયા અને તેને ધર્મોપદેશ આપી તેના દુષ્ટ વિચારને બદલી નાખ્યો અને સંઘને આપત્તિમાંથી બચાવી લીધો, વગેરે. આ જાતની કેટલીય ઐતિહાસિક વાતો ગ્રન્થકારે આ પ્રશસ્તિમાં આપી છે. અણહિલવાડ, ભરુચ, આશાપલ્લી, હર્ષપુર, રણથંભોર, સાંચોર, વણથલી, ધોલકા અને ધંધુકા વગેરે સ્થાનોનો તથા મંત્રી શાસ્તુ, અણહિલપુરના શેઠ સીયા, ભરૂચના શેઠ ધવલ અને આશાપલ્લીના શ્રીમાલી શેઠ નાગિલ વગેરે કેટલાય પ્રખ્યાત નાગરિકોનો ઉલ્લેખ આ પ્રશસ્તિમાં છે. સુપાસનાહચરિયની પ્રશસ્તિ ઉપર્યુક્ત શ્રીચન્દ્રસૂરિના ગુરુભાઈ લક્ષ્મણગણિએ સં. ૧૧૯૯ના માઘ સુદી દશમી ગુરુવારના દિવસે માંડલમાં રહીને સુપાસનાચરિય નામનો મોટો ગ્રન્થ રચ્યો. તેના અંતે ૧૭ ગાથાઓની એક સારી પ્રશસ્તિ છે. તે પ્રશસ્તિમાં મહત્ત્વની વાતો છે પરંતુ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જે સમયે આ ગ્રન્થ પૂરો થયો તે સમયે અણહિલપુરમાં રાજા કુમારપાલ રાજ્ય કરતા હતા. કુમારપાલના રાજયનો આ સમકાલીન પ્રથમ ઉલ્લેખ છે. પ્રબન્ધચિત્તામણિ વગેરેમાં આ રાજાનો રાજગાદી ઉપર બેસવાનો સમય સં.૧૧૯૯ આપ્યો છે. આ ઉલ્લેખ તત્કાલીન અને અસંદિગ્ધ કથન સાથે બરાબર મેળ ખાય છે. ડો. દેવદત્ત ભાંડારકરે એક વખત ગોધરા અને મારવાડના એક લેખનો ભ્રાન્ત અર્થ કરી કુમારપાળ સં. ૧૨૦૦ પછી રાજગાદી ઉપર આવ્યો હોવાની સંભાવના જણાવી હતી અને કહ્યું હતું કે પ્રબન્ધચિન્તામણિમાં આપેલું વર્ષ સાચું નથી, પરંતુ ઉક્ત સમકાલીન પ્રશસ્તિના ઉલ્લેખથી ભાંડારકરના મતનો નિરાસ થઈ જાય છે. નેમિનાહચરિઉની પ્રશસ્તિ - સં. ૧૨૧૬માં કુમારપાલના રાજ્યકાલમાં હરિભદ્રસૂરિ નામના એક આચાર્યું નેમિનાહચરિઉ નામના ગ્રન્થમાં એક પ્રશસ્તિ અપભ્રંશમાં લખી છે. મસ્ત્રી પૃથ્વીપાલની પ્રેરણાથી આચાર્યે આ ગ્રન્થ રચ્યો છે. તેથી ગ્રન્થકારે પોતાની ગુરુપરંપરાના પરિચયની સાથે આ મંત્રીના પૂર્વજોનો પણ ઓછોવત્ત પરિચય Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ જૈન કાવ્યસાહિત્ય આપ્યો છે. મંત્રી પથ્વીપાલ સુપ્રસિદ્ધ દંડનાયક મંત્રી વિમલશાહ પોરવાડનો વંશજ હતો. મૂળે આ લોકો શ્રીમાલના નિવાસી હતા, પાછળથી પાટણ પાસે આવેલા ગાંભુ નામના સ્થાનમાં આવી વસ્યા હતા અને જ્યારે અણહિલપુરની સ્થાપના થઈ ત્યારે તે લોકો ત્યાં આવી વસ્યા. ચાવડાવંશના રાજા વનરાજના સમયમાં આ વંશનો પ્રસિદ્ધ પુરુષ નિત્રય હતો. તે હાથી-ઘોડા અને ધનસમૃદ્ધિથી યુક્ત હતો. વનરાજ તેને પોતાના પિતા સમાન ગણતો હતો અને વનરાજે પોતે તેને આગ્રહપૂર્વક ત્યાં વસાવ્યો હતો. નિત્રયને લહર નામનો એક ઘણો પરાક્રમી પુત્ર હતો, તે વિધ્યાચલથી અનેક હાથીઓને પકડીને લાવતો હતો. ગુજરાતના નવોદિત સામ્રાજયને બળવાન બનાવવામાં તેનો મોટો ફાળો હતો. વનરાજથી લઈ દુર્લભરાજ ચૌલુક્ય સુધી ૧૧ રાજાઓના કોઈ ને કોઈ પ્રધાન પદ ઉપર આ વંશના પુરુષો ક્રમશઃ આવતા રહ્યા હતા. દુર્લભરાજના સમયમાં વીર નામનો પ્રધાન હતો. તેને બે પુત્ર હતા, મોટો નેઢ અને નાનો વિમલ. મોટો તો ભીમદેવ ચૌલુક્યનો મહામાત્ય હતો અને નાનો દંડનાયક. ભીમના આદેશથી આબૂના પરમાર રાજાને જીતવા માટે વિમલ મોટી સેના લઈને ચન્દ્રાવતી ગયો અને તે રાજાને જીતી તેને ગુજરાતનો એક સામાન્ત બનાવી દીધો. પછી વિમલે અંબાદેવીની કૃપાથી આબુ પર્વત ઉપર આદિનાથનું સુપ્રસિદ્ધ ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું. નેઢનો પુત્ર ધવલ થયો, તે કર્ણદેવ ચૌલુક્યનો એક અમાત્ય હતો. તેનો પુત્ર આનન્દ હતો, તે સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં પણ કોઈ એક પ્રધાન પદ ઉપર હતો. તેનો પુત્ર મહામાત્ય પૃથ્વીપાલ થયો. તેણે આબૂ પર્વત ઉપર વિમલશાહના મંદિરમાં પોતાના પૂર્વજોની હાથી ઉપર બેઠેલી ૭ મૂર્તિઓ બનાવરાવી હતી તથા પાટણના પંચાસર પાર્શ્વનાથ મંદિરમાં એક ભવ્ય મંડપ બનાવરાવ્યો હતો. તેણે ચન્દ્રાવતી, રોહા, વરાહી, સાવરવાડા વગેરે ગામોમાં દેવસ્થાનોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, અનેક પુસ્તકો લખાવી ભંડારોને આપ્યાં, વગેરે વાતો પ્રશસ્તિમાં કહેવામાં આવી છે. તે એક પ્રબન્ધ જેવી લાગે છે. વનરાજ ચાવડા વિશે સૌપ્રથમ ઉલ્લેખ આ જ છે એમ મનાય છે. વિમલ મંત્રી વિશે સૌપ્રથમ ખોજ આ જ છે. ગુજરાતના રાજવંશની અને પ્રધાનવંશની અવિચ્છિન્ન પરંપરા ઐતિહાસિક દૃષ્ટિએ બહુ મૂલ્યવાન છે. આમ આ પ્રશસ્તિ ગુજરાતના ઈતિહાસ માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. અમમસ્વામિચરિતની પ્રશસ્તિ અમસ્વામિચરિતનો પરિચય પહેલાં આપી દીધો છે. તેના અંતે ૩૪ પદ્યોવાળી પ્રશસ્તિમાં તે સમયના ગુજરાતની અનેક પ્રમુખ વ્યક્તિઓનો ઉલ્લેખ મળે છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય જે ગૃહસ્થની પ્રેરણાથી આ ચિરત્રની રચના કરવામાં આવી હતી તે કુમારપાલના મહામાત્ય યશોધવલનો પુત્ર જગદેવ હતો. તે વરાહીનો નિવાસી શ્રીમાલ વૈશ્ય હતો. તે સારો વિદ્વાન હતો અને બાળપણથી કવિતા કરતો હતો. હેમચન્દ્રાચાર્યે તેને બાલકવિની પદવી આપી હતી. તે બાલકવિના નામથી સર્વત્ર જાણીતો હતો. તેનો એક ઘનિષ્ઠ મિત્ર નિર્નય મંત્રી બ્રાહ્મણ હતો. તેના પિતા રુદ્રશર્મા કુમારપાલના રાજ્યોતિષી હતા. મંત્રી નિર્નય અને એક અન્ય ભટ્ટ સૂદન બન્ને રાજમાન્ય બ્રાહ્મણ હતા અને જૈનધર્મ પ્રતિ ખૂબ સહાનુભૂતિ રાખતા હતા. મુનિરત્નની આ કૃતિનું સંશોધન રાજ્યના વરિષ્ઠ ન્યાયાધીશ કવિ કુમારે (કવિ સોમેશ્વરના પિતાએ) કર્યું હતું અને તેની પ્રથમ હસ્તલિપિ ગૂર્જર મંત્રી ઉદયરાજના વિદ્વાન પુત્ર સાગરચન્દ્રે લખી હતી અને આ ચરિત્રનું પ્રથમ શ્રવણ વૈયાકરણાગ્રણી પં. પૂર્ણપાલ અને યશઃપાલ તથા સ્વયં બાલકવિ (જગદેવ) તથા આમણ અને મહાનન્દ નામના સભ્યોએ કર્યું હતું. પછી બાલકવિએ આ ગ્રન્થની અનેક પ્રતિઓ પોતાના ખર્ચે લખાવી વિદ્વાનોને ભેટ આપી. આ પ્રશસ્તિમાં આવેલા મહામાત્ય યશોધવલનો ઉલ્લેખ સં. ૧૨૧૮ના કુમારપાલ સંબંધી એક લેખમાં આવે છે. ગૂર્જર રાજપુરોહિત કવિ સોમેશ્વરના પિતા કવિ કુમાર ભીમ બીજાના સમયે સં. ૧૨૫૫માં ગુજરાતના વરિષ્ઠ ન્યાયાધીશ હતા. આ નવી વાત આ પ્રશસ્તિમાંથી જાણવા મળે છે. જૈન વિદ્વાન અને રાજાના અગ્રગણ્ય બ્રાહ્મણ વિદ્વાનોમાં પરસ્પર બહુ જ સહાનુભૂતિ અને મિત્રતા હતી, આ વાતનું સુન્દર ઉદાહરણ આ પ્રશસ્તિમાંથી મળે છે. ૪૪૫ અહીં પ્રશસ્તિઓનું મહત્ત્વ દર્શાવવા માટે અમે કેટલીક જ પ્રશસ્તિઓનું વિવરણ આપ્યું છે. આ જાતની અનેક પ્રશસ્તિઓનો અમે વખતોવખત નિર્દેશ કરતા રહ્યા છીએ. તેમની સંખ્યા બહુ મોટી છે. ગ્રન્થકારપ્રશસ્તિ ઉપરાંત પુસ્તકપ્રશસ્તિનું ઘણું મહત્ત્વ છે. તે કાળે જ્ઞાનપ્રિય ગૃહસ્થોએ તાડપત્ર, કાગળ આદિ ઉપર પુસ્તકોને લખાવીને સંગ્રહ કરવામાં હજારો-લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને મોટા મોટા સરસ્વતી ભંડારોની સ્થાપના કરી હતી. તે ગૃહસ્થોનાં સુકૃત્યોની સ્મારક પ્રશસ્તિઓ આ પુસ્તકોની સાથે જોડવામાં આવતી હતી. આ પુસ્તકપ્રશસ્તિઓ ૧૨મી શતાબ્દીના પ્રારંભથી ગુજરાતમાં લખાયેલા ગ્રન્થોમાં અધિકતર મળે છે. તે પ્રશસ્તિઓમાંથી સિદ્ધરાજ, કુમારપાલ, ભીમદેવ, વીસલદેવ, અર્જુનદેવ, સારંગદેવ વગેરેનાં રાજ્યો, તેમના રાજ્યાધિકારીઓ અને અનેક જૈન શ્રાવકો વિશે જાણકારી મળે છે. સામાજિક Page #468 -------------------------------------------------------------------------- ________________ ४४६ જેન કાવ્યસાહિત્ય અને ભૌગોલિક પરિસ્થિતિઓના જ્ઞાન માટે આ પ્રશસ્તિઓ બહુ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે એક પ્રશસ્તિનો પરિચય અહીં આપીએ છીએ. સંડેર ગ્રામમાં રહેનારા પરબત અને કોન્ડ નામના બે ભાઈઓએ સં. ૧પ૭૧માં સેંકડો ગ્રન્થો પોતાના ખર્ચે લખાવીને એક મોટા જ્ઞાનભંડારની સ્થાપના કરી હતી. તેમના આ કાર્યને દર્શાવનારી ૩૩ પદ્યોની એક પ્રશસ્તિ તેમના દ્વારા લખાવવામાં આવી અને પ્રત્યેક પુસ્તકના અંતે જોડવામાં આવી. પૂના, ભાવનગર, પાટણ અને પાલીતાણાના જૈન ભંડારોની હસ્તપ્રતિઓમાં આ પ્રશસ્તિ મળે છે. તેનો પરિચય અહીં નીચે આપીએ છીએ. પૂર્વકાળે સંડેર ગામમાં પોરવાડ જાતિના આભૂ નામના શેઠ રહેતા હતા. તેમની ચોથી પેઢીએ ચંડસિંહ નામનો પુરુષ થયો. તેને સાત પ્રતાપી પુત્રો હતા. આ પુત્રોમાં સૌથી મોટો પેથડ હતો. પેથડને તે સ્થાનના જાગીરદાર સાથે કોઈ કારણસર ઝઘડો થયો અને તેથી તેણે તે સ્થાન છોડ્યું અને બીજા નામના ક્ષત્રિય વીરની સહાયતાથી તેણે બીજાપુર નામનું એક નવું જ નગર વસાવ્યું. તે નવા ગામમાં રહેવા આવનાર લોકો પાસેથી ફાળો ભેગો કરી તેણે એક જૈનમંદિરનું નિર્માણ કર્યું અને ત્યાં પિત્તળની મહાવીર જિનની મોટી વિશાળ મૂર્તિ સ્થાપિત કરી. પેથડે આબૂ ઉપર વસ્તુપાલતેજપાલ નિર્મિત મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. કર્ણદેવે બધેલા (વાઘેલા)ના રાજયમાં સં. ૧૩૬૦માં પોતાના છ ભાઈઓ સાથે તેણે શત્રુંજય, ગિરનાર વગેરેની યાત્રા માટે એક સંઘ કાઢ્યો. તે પછી તેણે બીજી વાર છ ભાઈઓ સાથે આ તીર્થોની સંઘ કાઢી યાત્રાઓ કરી. સં. ૧૩૭૭માં ગુજરાતમાં મોટો ભીષણ દુકાળ પડ્યો. તે સમયે તેણે લાખો દીનજનોને અન્નદાન કરીને તેમના પ્રાણ બચાવ્યા. હજારો સુવર્ણ મહોરો ખર્ચીને તેણે ચાર જ્ઞાનભંડારોની સ્થાપના કરી. આ પેથડથી ચોથી પેઢીએ મંડલિક નામનો પુરુષ થયો. તેણે અનેક મંદિરો, ધર્મશાળાઓ વગેરે ધર્મસ્થાનો બંધાવ્યા. સં. ૧૮૬૮માં જયારે દુકાળ પડ્યો ત્યારે તેણે લોકોને ખૂબ અન્ન આપી સુખી કર્યા. સં. ૧૪૭૭માં મોટો સંઘ કાઢી શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા કરી. તેને ઠાઈઆ નામનો પુત્ર હતો. ઠાઈઆને વિજિતા નામનો પુત્ર થયો. આ વિજિતાને ત્રણ પુત્ર હતા – પરબત, ડુંગર અને નરબંદ. પરબત અને વૃંગર બન્ને ભાઈઓએ મળીને સં. ૧૫૫૯માં એક વિદ્વાનને ઉપાધ્યાય પદવી દેવાના પ્રસંગે મોટો ઉત્સવ કર્યો હતો. સં. ૧૫૬૦માં જીરાવલા અને આબૂ વગેરે તીર્થોની યાત્રા કરી હતી. ગંધાર બંદરમાં જઈ ત્યાંના ઉપાશ્રયોને કલ્પસૂત્રની Page #469 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય હસ્તલિખિત પ્રતિઓ ભેટ આપી હતી. ગરે પોતાના ભાઈ પરબત સાથે મળીને ૧૫૯૧માં સંડેરમાં એક જ્ઞાનભંડાર બનાવ્યો હતો. ડૂંગરનો પુત્ર કાન્હા થયો. આ રીતે આ પ્રશસ્તિમાં એક ધનાઢ્ય કુટુંબના ૩૦૦ વર્ષ સુધીનો સંક્ષિપ્ત ઈતિહાસ આપવામાં આવ્યો છે. સં. ૧૩૭૭માં અને ૧૪૬૮માં ગુજરાતમાં મોટો દુકાળ પડ્યો હતો. આ વાતની જાણ આ પ્રશસ્તિથી થાય છે. સં. ૧૩૬૦માં કર્ણદેવનું રાજ્યશાસન બહુ દૂર સુધી હતું, આ વાતની જાણ પણ આ પ્રશસ્તિથી થાય છે. પેથડ શેઠે કાઢેલા સંઘનું વર્ણન તત્કાલીન રચના પેથડરાસમાં મળે છે અને તેનાથી બે વર્ષ પછી લખાયેલી પ્રશસ્તિનાં વર્ણનોની પુષ્ટિ થાય છે. આ જાતની અન્ય પ્રશસ્તિઓમાંથી ઘણી ઐતિહાસિક વાતો જાણી શકાય છે. આ પુસ્તકપ્રશસ્તિઓ દ્વારા શ્રીમાલ, પોરવાડ, ઓસવાલ, ડીસાવાલ, પલ્લીવાલ, મોઢ, વાયડા, ધાકડ, હૂંબડ, નાગર વગેરે ગુજરાત, મધ્ય ભારતની પ્રધાન વૈશ્ય જાતિઓ અને કુટુંબોનો પ્રામાણિક પરિચય મળી જાય છે. પુસ્તકપ્રશસ્તિનો એક પ્રકાર લિપિકારપ્રશસ્તિ છે, તેનું પણ ઘણું મહત્ત્વ છે. પ્રાચીન સમયમાં ગ્રન્થો તાડપત્ર ઉપર લખાતા હતા. તાડપત્રને વૃક્ષ ઉપરથી લાવી બહુ જ શ્રમ અને સમય ખર્ચી તૈયાર કરવામાં આવતાં હતાં. તેના માટેની શાહી બનાવવાની પ્રક્રિયા જુદી રહેતી હતી. લહિયાઓ અને નકલ કરનારાઓનો એક વર્ગ હતો. તેમાં અનેક વિદ્વાનો, પંડિતો અને રાજ્યાધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. કાયસ્થ, નાગર અને કેટલીક વાર જૈન લહિયાઓ પણ કામ કરતા હતા. પાટણ વગેરે ભંડારોમાં તાડપત્ર ઉપર લખેલાં પુસ્તકો છે. તેમાંથી કેટલાંય મંત્રી કે મંત્રીપુત્રના હાથે લખાયેલાં છે તો કેટલાંય દંડનાયક અને આક્ષપટલિકના હાથે લખાયેલાં છે. અધિકાંશ જૈન યતિઓ લેખનક્લામાં પ્રવીણ હતા અને પોતાના ઉપયોગ માટે ઘણાં પુસ્તકો લખતા હતા. મોટા મોટા આચાર્યો પણ નિયમિત લેખનકાર્ય કરતા રહેતા હતા. લહિયાઓ પોતાના હાથે લખાયેલા ગ્રન્થોના અંતે લખવાનો સમય, સ્થાન, પોતાનું નામ વગેરેનો ઉલ્લેખ પાંચદસ પંક્તિઓમાં કરતા હતા. આ લેખોને પુષ્પિકાલેખ પણ કહે છે. આ પુષ્પિકાલેખોમાં અનેક રાજા, રાજસ્થાન, સમય, પદવી, અમાત્ય વગેરે પ્રધાન રાજ્યાધિકારીઓના વિશે તથા બીજી ઐતિહાસિક બાબતો વિશે ઉલ્લેખો મળે છે. ૪૪૭ Page #470 -------------------------------------------------------------------------- ________________ ४४८ જેન કાવ્યસાહિત્ય અહીં ઈતિહાસના નિર્માણમાં પુષ્યિકાલેખોના ઉપયોગનું એક ઉદાહરણ રજૂ કરીએ છીએ. ગૂર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના નામ સાથે પ્રબન્ધો તથા લેખોમાં સિદ્ધચક્રવર્તી, ત્રિભુવનગંડ, અવન્તીનાથ વગેરે બિરુદ જોડાયેલાં મળે છે. આ વિશેષણો શા માટે લાગ્યાં અને એમનો ક્રમ શું છે તેની વિગત ગ્રન્થોમાં મળતી નથી. શિલાલેખ અને તામ્રપત્ર પણ તે જણાવવામાં સમર્થ નથી. પરંતુ તેમનો પ્રામાણિક આધાર આ પુષ્યિકાલેખોમાં મળે છે. સં. ૧૧૫૭માં લખાયેલી નિશીથચૂર્ણિ પુસ્તકમાં લિપિકારે લિપિબદ્ધ કરવાના સમયનો નિર્દેશ કરતાં “શ્રીનવિષે એવો સામાન્ય ઉલ્લેખ કર્યો છે. ઈતિહાસ દ્વારા આપણે જાણીએ છીએ કે તે વખતે જયસિંહ નાનો હતો અને તેથી તેના વતી તેની માતા મીનળદેવી રાજ્ય ચલાવતી હતી. તે સમયે તેના પરાક્રમનો પ્રારંભ થયો ન હતો. સં. ૧૧૬૪માં લખાયેલી “જીવસમાસવૃત્તિની પુષ્યિકામાં તે નરેશને “સમસ્તર/ગોવનવિનિત મહારગાધરીન પરમેશ્વર શ્રી નલિદ વ' વગેરે બિરુદોથી યુક્ત લખ્યા છે. તેથી જાણવા મળે છે કે તે સમયે તે રાજતંત્રને સ્વતંત્રપણે ચલાવી રહ્યા હતા. સં. ૧૧૬૬માં લખાયેલી “આવશ્યકસૂત્ર'ની પુષ્યિકામાં તે નરેશને મહારાજાધિરાજની સાથે “મૈલોક્યગંડ' વિશેષણ આપવામાં આવ્યું છે. આ તે રાજાના, “બર્બર' નામના રાજાને જીતવાના પરાક્રમને સૂચવે છે. સં. ૧૧૭૯માં લખાયેલી “પંચવાસ્તુક ગ્રંથની પુષ્યિકામાંથી જાણવા મળે છે કે તેનો મહામાત્ય શાસ્તુક હતો અને ત્યાર પછી તે જ વર્ષમાં લખાયેલી ઉત્તરાધ્યયનસૂત્ર'ની પુષ્યિકામાં જયસિંહનું બિરુદ “સિદ્ધચક્રવર્તી આપવામાં આવ્યું છે અને મહામાત્યનું નામ આશુક આપ્યું છે. લાગે છે કે તે વખતે શાન્તકે નિવૃત્તિ લઈ લીધી હતી. આમ ગુજરાતના અન્ય રાજાઓનો ઈતિહાસ લખવામાં આ પુધ્ધિકાલેખોનો પ્રયોગ ઉપયોગી પુરવાર થયો છે. ૧. જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ (સિંઘી જૈન ગ્રન્થમાલા, ક્રમાંક ૧૮), પૃ. ૧૯. ૨. એજન, પૃ. ૧૦૦ ૩. એજન ૪. એજન, પૃ. ૬૫ ૫, એજન, પૃ. ૧૦૧; અમે અમારા ગ્રન્થ “પોલિટિકલ હિસ્ટ્રી ઓફ નોર્ધન ઈન્ડિયામાં આ જાતની અન્ય પુષ્પિકાઓનો ઉપયોગ કરીને ઈતિહાસનું નિર્માણ કર્યું છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૪૯ પટ્ટાવલી અને ગુર્નાવલિ જેમ બ્રાહ્મણો અને ઉપનિષદોના સમયમાં અધ્યેતાઓ બ્રહ્માથી લઈને માત્મfમરધીત' સુધીના વિદ્યાવંશનું સ્મરણ કરતા હતા તેમ જૈનો પણ શ્રમણ ભગવાન મહાવીરથી શરૂ કરીને તેમના ગણ અને ગણધરોની પરંપરાનું સ્મરણ કરતાં કાલાન્તરના આચાર્યોની ગુરુશિષ્ય પરંપરા દ્વારા પોતાના વિદ્યાવંશની પૂરી નોધ રાખતા હતા. તેથી જૈન સંઘ એ જીવિત સંસ્થા બની રહ્યો. જેમ શાસક રાજાઓની વંશાવલી ચાલતી હતી તેમ ધર્મશાસક આચાર્યોની હતી.૧ જૈન સંઘના સંગઠનની મૂલ રેખા કલ્પસૂત્રમાં મળે છે. તેમાં મળતી પટ્ટાવલી અને સ્થવિરાવલીનું સમર્થન મથુરાના કંકાલીટીલામાંથી પ્રાપ્ત પહેલી-બીજી સદીના પ્રતિમાલેખોથી થાય છે. ત્યાંનો શક્તિશાળી સંઘ સમસ્ત ઉત્તરાપથમાં પ્રખ્યાત હતો. કાલાન્તરે સંઘનું એક પ્રાન્તીય સંગઠન ધીરે ધીરે વધતું ગયું. આગમોમાં બીજી પટ્ટાવલી નન્ટિસૂત્રગત સ્થવિરાવલી છે, તેની રચના આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે કરી હતી. આ ૪૩ ગાથાઓની છે. તેમાં અનુયોગધરોની અર્થાત સુધર્માથી દેવર્ધિગણિ સુધીની પટ્ટાવલી આપવામાં આવી છે. મહાવીર પછી જૈન સંઘમાં સંપ્રદાયભેદનાં કારણોનું સંકલન તો વિભિન્ન ગ્રન્થોમાં કરવામાં આવ્યું છે પરંતુ તે સંબંધી ઈસ્વી સનની પ્રારંભિક સદીઓના દિગંબર-શ્વેતાંબર સંપ્રદાયભેદનાં અધઐતિહાસિક ઉપાખ્યાન આપણને હરિભદ્ર અને શાન્તિસૂરિની ટીકાઓમાં મળે છે, તેમાં બોટિક મતની ઉત્પત્તિ આપવામાં આવી છે અને તેવી જ રીતે હરિષણના બૃહત્કથાકોશમાં, દેવસેનના દર્શનસારમાં (વિ.સં.૯૯૯), દ્વિતીય દેવસેનના ભાવસંગ્રહમાં તથા રત્નનદિના ભદ્રબાહુચરિતમાં શ્વેતાંબર સંઘની ઉત્પત્તિની કથા આપી છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૮-૧૦૯માં ગુર્નાવલિઓની તથા પૃ. ૨૩૨માં પટ્ટાવલીઓની સૂચી આપવામાં આવી છે. ૨. પટ્ટાવલી પટ્ટધરાવલીનું સંક્ષિપ્ત રૂપ છે. પટ્ટનો અર્થ આસન યા સમ્માનનું સ્થાન છે. રાજાઓના આસનને સિંહાસન કહે છે અને ગુરુઓના આસનને પટ્ટ કહે છે. આ પટ્ટ ઉપર આસીન ગુરુઓને પટ્ટધર અને તેમની પરંપરાને પટ્ટાવલી કહે છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ જૈન કાવ્યસાહિત્ય દિગંબર સંપ્રદાયની પટ્ટાવલીઓનું પ્રાચીન રૂપ કેટલાક પ્રાચીન શિલાલેખોમાં તથા તિલોયપણત્તિ, પખંડાગમના વેદનાખંડની ધવલા ટીકા, કસાયપાહુડની જયધવલા ટીકા, જિનસેનકૃત આદિપુરાણ, દ્વિતીય જિનસેનકૃત હરિવંશપુરાણ, ગુણભદ્રકૃત ઉત્તરપુરાણ અને ઈન્દ્રનદિના શ્રાવતાર (લગભગ ૧૬મી સદી)માં મળે છે. આ બધામાં આપવામાં આવેલી આચાર્યપરંપરાઓ કેવલી, ચતુર્દશપૂર્વધર, દશપૂર્વધર, એકાદશાંગધર વગેરે આચાર્યો સુધીની છે. મધ્યકાળમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં જૈનાચાર્યોના વિવિધ સંઘ, ગણ, ગચ્છ ઉદયમાં આવ્યા અને તેમનો સંબંધ પ્રાચીનકાળની પટ્ટધરપરંપરા સાથે છે એ દર્શાવવા માટે અનેક પ્રકારની શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયની પટ્ટાવલીઓ અને ગુર્નાવલિઓ રચવામાં આવી. વર્તમાન કાળમાં આ પટ્ટાવલીઓના સારા મોટા સંગ્રહો પ્રકાશિત થયા છે, તેમાં શ્વેતાંબર પટ્ટાવલીઓના સંગ્રહો ઉલ્લેખનીય છે – મુનિ દર્શનવિજયે સંપાદિત કરેલો પટ્ટાવલીસમુચ્ચય બે ભાગમાં; મુનિ જિનવિજયજીએ સંપાદિત કરેલ વિવિધગચ્છીય પટ્ટાવલીસંગ્રહ અને ખરતરગચ્છ બૃહદ્ગુર્વાવલિ; ૫. કલ્યાણવિજયગણિકૃત પટ્ટાવલીપરાગસંગ્રહ અને મુનિ હસ્તિમલે સંકલિત કરેલો પટ્ટાવલીપ્રબન્ધસંગ્રહ વગેરે. દિગંબર સંપ્રદાયની અનેક પટ્ટાવલીઓ – જેમકે સેનગણ પટ્ટાવલી, નંદિસંઘ બલાત્કારગણ સરસ્વતીગચ્છ પટ્ટાવલી, મૂલ (નન્દિ) સંઘની બીજી પટ્ટાવલી, શુભચન્દ્રાચાર્યની પટ્ટાવલી અને કાઠાસંઘ ગુર્વાવલિ ૧. ડૉ. વિદ્યાધર જોહરાપુરકર સંપાદિત ભટ્ટારક સમ્પ્રદાયના પ્રારંભમાં આમાંથી કેટલીકનું સંક્ષિપ્ત વિવરણ આપવામાં આવ્યું છે. ૨. પટ્ટાવલીઓ સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની, ગુજરાતી અને કન્નડ ભાષાઓમાં લખાયેલી મળે છે. ૩. ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૧૧, પૃ. ૨૪૫-૨૫૬માં Extracts from the Historical Records of the Jains અંતર્ગત ખરતરગચ્છ પટ્ટાવલી (સં. ૧૮૭૬)માં ૭) શ્વેતામ્બર પટ્ટધરોનો તથા તપાગચ્છ પટ્ટાવલીમાં (સં. ૧૭૩૨) ૬૧ પટ્ટધરોનો પરિચય આપવામાં આવ્યો છે. ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૨૩, પૃ. ૧૬૯-૧૮૨માં Pottavalis of the Anchala Gaccha and other Gacchashi 9 u$lacul અને ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૧૯, પૃ. ૨૩૩-૨૪૨માં Pattavali of Upakesha Gaccha આપવામાં આવી છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૫૧ વગેરે – જૈન સિદ્ધાન્ત ભાસ્કરના પ્રથમ ભાગમાં તથા જૈનહિતૈષી, વર્ષ ૬, ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૨૦-૨૧ તથા ભટ્ટારક સમ્પ્રદાયમાં મળે છે. ઉક્ત સ્વતન્ત્ર રચનાઓ ઉપરાંત શિલાલેખો અને તામ્રપત્રોના પ્રારંભ અને અન્તમાં બહુધા જૈનાચાર્યો તથા ધર્મગુરુઓની વિસ્તીર્ણ પટ્ટાવલીઓ આપવામાં આવી છે : જેમકે – જૈનશિલાલેખસંગ્રહ (ડૉ. હીરાલાલ જૈન સંપાદિત), ભાગ ૧માં શ્રવણબેલગોલામાંથી મળેલ લેખ સંખ્યા ૧ અને ૧૦૫ તથા ૪૨, ૪૩, ૪૭ અને ૫૦માં દિગંબર સંપ્રદાયના આચાર્યોની, શત્રુંજય તીર્થના આદિનાથ મંદિરના શિલાલેખમાં (વિ.સં. ૧૬૫૦) તપાગચ્છની પટ્ટાવલી અને અણહિલપાટણના એક લેખ (એપિ. ઈન્ડિકા, ભાગ ૧, પૃ. ૩૧-૩૨૪)માં ખરતરગચ્છના ઉદ્યોતનસૂરિથી જિનસિંહસૂરિ સુધીના ૪૫ આચાર્યોની પટ્ટાવલીઓ આપી છે. પ્રત્યેક સંઘ, ગણ અને ગચ્છની પટ્ટાવલીમાં ભગવાન મહાવીરથી શરૂ કરીને આજ સુધીના જૈન પટ્ટધર આચાર્યોની શૃંખલાબદ્ધ પરંપરા સુરક્ષિત છે અને ગુરુશિષ્ય પરંપરાના રૂપમાં ઉલ્લેખ કરતાં સાથે સાથે જૈન સંઘના આચાર્યોનાં યશસ્વી કાર્યોનું વિવરણ પણ ગૂંથી લેવામાં આવ્યું છે. અહીં અમે કેટલીક પટ્ટાવલીઓ યા ગુર્નાવલિઓનો પરિચય આપીશું. વિચારશ્રેણી યા સ્થવિરાવલી આમાં પટ્ટધર આચાર્યોની પરંપરાની સાથે સાથે કેટલાક રાજાઓની પરંપરાગત તિથિઓ સહિત સૂચી આપવામાં આવી છે, તે ઈતિહાસની દષ્ટિએ બહુ મહત્ત્વપૂર્ણ સિદ્ધ થઈ છે. બન્ને રા'થી શરૂ થનારી કેટલીક પ્રાકૃત ગાથાઓની વૃત્તિના રૂપે સંસ્કૃત ગદ્યમાં લખાયેલી આ રચના છે. તેમાં ભગવાન મહાવીર અને વિક્રમાદિત્ય ૧. ભાગ ૨૦, પૃ. ૩૪૧માં Two Pattavalis of the Saraswati Gaccha of Digambara Jains અને ભાગ ૨૧, પૃ. ૫૭માં Three further Pattavalis of Digambaras. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૫૨; જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૨, અંક ૩૦૪, સન્ ૧૯૨૫; આનું સંક્ષિપ્ત વિવરણ જર્નલ ઓફ ધ બોમ્બ બ્રાંચ ઓફ રોયલ એશિયાટિક સોસાયટી, ભાગ ૯, પૃ. ૧૪૭માં આપ્યું છે. લેખકે પોતાના ગ્રન્થPolitical History of Northern India from Jain Sourcesમાં આનો ખાસ્સો ઉપયોગ કર્યો છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ વચ્ચે ૪૭૦ વર્ષનો ગાળો બતાવ્યો છે. તેમાં પ્રસિદ્ધ આચાર્ય કાલક તથા જિનભદ્ર અને હરિભદ્રનું પણ વર્ણન ક૨વામાં આવ્યું છે. તેનાથી ગુજરાતના અનેક રાજાઓના રાજ્યકાલની માહિતી મળે છે. જૈન કાવ્યસાહિત્ય તેની રચના પ્રસિદ્ધ ગ્રન્થ પ્રબન્ધચિન્તામણિના કર્તા મેરુત્તુંગે કરી છે. ગણધરસાર્ધશતક આમાં ૧૫૦ ગાથાઓ છે. તેમાં ખરતરગચ્છના આચાર્યોનું જીવનવૃત્ત આપ્યું છે. તેની રચના જિનવલ્લભસૂરિના શિષ્ય જિનદત્તસૂરિએ (વિ.સં.૧૨૧૧થી પહેલાં) કરી હતી. તેમાં લખ્યું છે કે વર્ધમાનસૂરિના શિષ્ય અને પટ્ટધર જિનેશ્વરસૂરિને ખરતરની ઉપાધિ આપવામાં આવી હતી, તેથી ગચ્છનું નામ ખરતર થઈ ગયું. જિનપતિસૂરિના શિષ્ય સુમતિગણિએ સં. ૧૨૯૫માં આના ઉપર ૬૦૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ વૃત્તિ લખી છે. મૂલ અને વૃત્તિ બન્નેને પટ્ટાવલી પણ કહેવામાં આવે છે. આ બન્ને ઉપર સર્વરાજગણની ટીકા અને પદ્મમન્દિરગણિની વૃત્તિ (સં.૧૬૪૬) પણ મળે છે. ખરતરગચ્છબૃહદ્ગુર્વાલિ ર આ ગ્રન્થ ૪૦૦૦ શ્લોકપ્રમાણ છે. તેમાં વિક્રમની અગીઆરમી સદીના પ્રારંભમાં થયેલા આચાર્ય વર્ધમાનસૂરિથી લઈને ચૌદમી સદીના અંતે થયેલા જિનપદ્મસૂરિ સુધીના ખરતરગચ્છના મુખ્ય આચાર્યોનાં વિસ્તૃત ચરિતો વર્ણવાયાં છે. ગુર્વાવલ અર્થાત્ ગુરુપરંપરાનાં આટલાં વિસ્તૃત અને વિશ્વસ્ત ચરિતોનું વર્ણન કરનારો આવો કોઈ બીજો ગ્રન્થ આજ સુધી જાણ્યો નથી. આમાં પ્રત્યેક આચાર્યનું જીવનચરિત્ર ઘણું વિસ્તારથી આપ્યું છે. કયા આચાર્યે ક્યારે દીક્ષા લીધી, ક્યારે આચાર્યપદવી મેળવી, કયા કયા પ્રદેશમાં વિહાર કર્યો, ક્યાં ક્યાં ચોમાસાં કર્યાં, કયાં કયાં સ્થાનોએ કેવો ધર્મપ્રચાર કર્યો, કેટલાં શિષ્યશિષ્યાઓને દીક્ષા આપી, કયા કયાં વિદ્વાનની સાથે શાસ્ત્રાર્થ યા વાદવિવાદ કર્યો, કયા રાજાની સભામાં કેવું સમ્માન મેળવ્યું, ઈત્યાદિ અનેક જરૂરી વાતોનું આ ગ્રન્થમાં ઘણી જ વિશદ ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૩ અને ૨૩૨ (v-vi); હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૬; ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, ભાગ ૨૭ના પરિશિષ્ટમાં પ્રકાશિત, ૨. જિનરત્નકોશ, પૃ. ૧૦૧; સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪૨, મુંબઈ, વિ.સં. ૨૦૧૩, Page #475 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૫૩ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાત, મેવાડ, મારવાડ, સિંધ, વાગડ, પંજાબ અને બિહાર વગેરે દેશોમાં, અનેક ગામોમાં રહેનાર સેંકડો ધર્મિષ્ઠ અને ધનિક શ્રાવકશ્રાવિકાઓનાં કુટુંબોનો અને વ્યક્તિઓનો નામોલ્લેખ મળે છે, સાથે સાથે જ તેમણે ક્યાં કેવી રીતે પૂજા-પ્રતિષ્ઠા અને સંઘોત્સવ વગેરે ધર્મકાર્યો કર્યા, એનું નિશ્ચિત વિધાન મળે છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ ગ્રન્થ વિશિષ્ટ પ્રકારની એક અનોખી કૃતિ છે. તેમાં રાજસ્થાનના અનેક રાજવંશો સંબંધી ઈતિહાસસામગ્રી, રાજકીય હિલચાલ અને ઉપદ્રવ તથા ભૌગોલિક વાતો આપવામાં આવી છે. ૧ કતો – પ્રસ્તુત ગુર્નાવલિમાં સં. ૧૩૦પ આષાઢ શુ. ૧૦ સુધીનો વૃત્તાન્ત તો શ્રી જિનપતિસૂરિના વિદ્વાન શિષ્ય શ્રી જિનપાલોપાધ્યાયે દિલ્હીનિવાસી શેઠ સાહુજીના પુત્ર હેમચન્દ્રની અભ્યર્થનાથી સંકલિત કર્યો છે. તે પછીનો વૃત્તાન્ત પણ પટ્ટધર આચાર્યોની સાથે રહેનારા વિદ્વાન મુનિઓ દ્વારા લખાયો હોય એમ જણાય છે. તેની એક પ્રતિ ૮૬ પત્રોની છે અને ૧૫-૧૬મી સદીમાં લખાયેલી બીકાનેરના ક્ષમાકલ્યાણ જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. તેમાં સં. ૧૩૧૩ સુધીનો ઈતિહાસ વર્ણવાયો છે. ૨ વૃદ્ધાચાર્યપ્રબન્દાવલિ ગુર્નાવલિના રૂપમાં આ કૃતિ પ્રાકૃત ભાષામાં છે. તેમાં વર્ધમાનસૂરિથી લઈને જિનપ્રભસૂરિ સુધીના દસ આચાર્યોનું વર્ણન આપવામાં આવ્યું છે. જિનપ્રભસૂરિ વિવિધતીર્થકલ્પ વગેરે અનેક ગ્રન્થોના પ્રણેતા છે. તે પોતાના સમયમાં ખૂબ પ્રભાવશાળી અને પ્રતિભાસમ્પન્ન આચાર્ય હતા. તેમનું સન્માન દિલ્હીના બાદશાહ મુહમ્મદ તુગલક કરતા હતા, આ વાત કેટલીય પટ્ટાવલીઓ અને પ્રબન્ધાત્મક ૧. સિંઘી જૈન ગ્રન્થમાલાથી પ્રકાશિત ઉક્ત ગ્રન્થની ભૂમિકામાં પૂ. ૬-૧૨માં આ ગુર્વાવલિના ઐતિહાસિક મહત્ત્વને દર્શાવતો શ્રી અગરચન્દ નાહટાનો લેખ પ્રકાશિત છે. ૨. તેના પછી ઈતિહાસ જાણવા માટે આપણને કોઈ પણ આ કોટિની ગુર્વાવલિ ઉપલબ્ધ નથી પરંતુ શૃંખલાબદ્ધ ઈતિહાસ લખવાની પ્રથા ઉત્તરકાળે બરાબર ચાલુ રહી છે. સં. ૧૮૬૦ની એક સૂચી અનુસાર જેસલમેરના સુપ્રસિદ્ધ જૈન જ્ઞાનભંડારમાં તે સમયે ૩૧૨ પત્રોની એક ગુર્નાવલિ વિદ્યમાન હતી. ૩. સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪૨, પૃ. ૮૯-૯૬. Page #476 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય કૃતિઓમાંથી જાણવા મળે છે. પરંતુ જિનપ્રભસૂરિનું નામ સુદ્ધાં ઉપર જણાવેલી ખરતરગચ્છગુર્વાવલિમાં આપવામાં આવ્યું નથી. આ ઉપરથી જણાય છે કે ઉક્ત ગુર્વાવલિના સંકલનકર્તાનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની જ ગુરુપરંપરાનું મહત્ત્વ દર્શાવવાનું હતું અને અન્ય ગચ્છીય યા અન્ય શાખીય આચાર્યો વિશે ઉપેક્ષાભાવ રાખવાનું હતું. આ પ્રબન્ધાવલિનું નિર્માણ જિનપ્રભસૂરિની શિષ્યપરંપરાના કોઈ શિષ્ય કર્યું છે. ૪૫૪ ખરતરગચ્છપટ્ટાવલીસંગ્રહ આ ચાર પટ્ટાવલીઓનો સંગ્રહ છે. મુનિ જિનવિજયજીએ સંગ્રહ કરી તેનું સંપાદન કરી પ્રકાશિત કર્યો છે. તેમાં એક તો પ્રશસ્તિના રૂપમાં છે, તેમાં કુલ ૧૧૦ સંસ્કૃત પદ્ય છે અને તે આચાર્ય જિનહંસસૂરિના સમયમાં રચાઈ છે પરંતુ તેના કર્તાનું નામ નથી આપ્યું. જિનહંસનો સમય વિ.સં.૧૫૮૨ છે અને તે જ વર્ષમાં તે રચાઈ છે. તેમાં ખરતરગચ્છના આચાર્યોનો સમય વ્યવસ્થિત આપ્યો છે. બીજી પટ્ટાવલી સંસ્કૃત ગદ્યમાં છે. તેની રચના સં. ૧૬૭૪માં થઈ છે. તગત તિથિક્રમ અવ્યવસ્થિત છે. ત્રીજી પટ્ટાવલી પણ અવ્યવસ્થિત છે. તેમાં જણાવેલ પટ્ટપરંપરા તથા તિથિક્રમ બધું અવ્યવસ્થિત છે. ચોથી પટ્ટાવલી સં. ૧૮૩૦માં અમૃતધર્મના શિષ્ય ઉપાધ્યાય ક્ષમાકલ્યાણે રચી છે. આ પ્રથમ ત્રણ પટ્ટાવલીઓ સાથે ઘણી બધી મળતી આવે છે. ૨ ખરતરગચ્છની અનેક હસ્તલિખિત પટ્ટાવલીઓનો પરિચય પં. કલ્યાણવિજયગણિએ સંપાદિત કરેલ પટ્ટાવલિપરાગસંગ્રહમાં છે તથા મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થમાં ૨૩ પટ્ટાવલીઓ અને ગુર્વાવલિઓની સૂચી આપવામાં આવી છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૧; પૂરણચન્દ્રજી નાહર દ્વારા કલકત્તાથી સન્ ૧૯૩૨માં પ્રકાશિત. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૦૧ ૩. ક. વિ. શાસ્ત્રસંગ્રહ સમિતિ, જાલોર. ૪. દ્વિતીય ખંડ, પૃ. ૩૧-૩૨. Page #477 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ગુર્વાલિ ૧ મુનિસુન્દરસૂરિએ સં. ૧૪૬૬માં એક વિજ્ઞપ્તિગ્રન્થ પોતાના ગુરુ દેવસુન્દરસૂરિની તેવામાં સમર્પિત કર્યો હતો, તેનું નામ છે ત્રિદશતરંગિણી. આ વિજ્ઞપ્તિપત્રનું સોથી વધુ મહત્ત્વ સંસ્કૃત સાહિત્ય અને ઈતિહાસમાં છે. આના જેવો વિસ્તૃત અને પ્રૌઢ પત્ર કોઈએ લખ્યો નથી. તે ૧૦૮ હાથ લાંબો હતો અને તેમાં એક એકથી ચડિયાતાં વિચિત્ર અને અનુપમ સેંકડો ચિત્રો હતાં તથા હજારો કાવ્યો (પો) તેમાં દેખાતાં હતાં. તેમાં ત્રણ સ્તોત્ર અને ૬૧ તરંગો હતા. વર્તમાનમાં તે આખો મળતો નથી. કેવળ ત્રીજા સ્તોત્રનો ગુર્વાલિ નામનો એક વિભાગ અને પ્રાસાદ આદિ ચિત્રબન્ધ અનેક સ્તોત્ર જ્યાંત્યાં ફેલાયેલાં મળે છે. ૪૫૫ આ ગુર્વાવલિમાં વિવિધ છંદોમાં રચાયેલાં ૪૯૬ પદ્ય છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીરથી શરૂ કરી લેખક સુધી તપાગચ્છના આચાર્યોનો સંક્ષિપ્ત અને વિશ્વાસપાત્ર ઈતિહાસ છે. ગુર્વાલિ યા તપાગચ્છપટ્ટાવલીસૂત્ર 3 આને ઉક્ત બે નામો ઉપરાંત કૈવલ પટ્ટાવલી પણ કહે છે. આ ૨૧ પ્રાકૃત પદ્યોની ગુર્વાલિ છે. તે પ્રાચીન પટ્ટાવલીઓને આધારે ઘણી સાવધાનીથી તૈયાર કરવામાં આવી છે. તેમાં ભગવાન મહાવીરથી લઈને તપાગચ્છના આચાર્ય હીરવિજયસૂરિ અને તેમના શિષ્ય વિજયસેનસૂરિ સુધી ૫૯ આચાર્યોની પટ્ટધર પરંપરા આપવામાં આવી છે. તેના કર્તા ધર્મસાગરગણિ છે. તેના ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ પણ છે, તેના અંતે લખ્યું છે કે આ પટ્ટાવલી શ્રી હીરવિજયસૂરીશ્વરના આદેશથી ઉપાધ્યાય શ્રી વિમલહર્ષગણિ, ઉપાધ્યાય કલ્યાણવિજયગણિ, સોમવિજયગણિ, પં. લબ્ધિસાગરગણિ પ્રમુખ ગીતાર્થોએ એકઠા થઈને સં. ૧૬૪૮ના ચૈત્ર વદ ૬ શુક્રવારે અહમદાબાદ નગરમાં શ્રી મુનિસુન્દરકૃત ગુર્વાવલિ, જીર્ણ પટ્ટાવલી, દુષ્મમાસંઘ સ્તોત્રયંત્રક આદિના આધારે સંશોધિત કરી છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૯; યશોવિજય જૈન ગ્રન્થમાલા, વારાણસી, સં. ૧૯૬૧. २. श्रीमहापर्वाधिराज श्रीपर्युषणापर्वविज्ञप्तित्रिदशतरङ्गिण्यां तृतीये श्रीगुरुवर्णनस्रोतसि गुर्वावलिनाम्नि महाहृदेऽनभिव्यक्तगणना एकषष्टिस्तरंगाः । ૩. જિનરત્નકોશ, પૃ. ૧૦૮; પટ્ટાવલીસમુચ્ચય (વીરમગામ, ૧૯૩૩), ભાગ ૧, પૃ. ૪૧-૪૭; પટ્ટાવલીપરાગસંગ્રહ (જાલોર, ૧૯૬૬), પૃ. ૧૩૩-૧૫૫. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ તપાગચ્છની મુખ્ય શાખા અને પ્રશાખાઓની અનેક પટ્ટાવલીઓને જેવી કે ઉપાધ્યાય ગુણવિજયગણિકૃત તપાગણયતિગુણપદ્ધતિ, ઉપાધ્યાય મેઘવિજયકૃત તપાગચ્છપટ્ટાવલી, ઉપાધ્યાય રવિવર્ધનકૃત પટ્ટાવલીસારોદ્વાર, નયસુન્દરકૃત બૃહત્પૌષધશાલિકપટ્ટાવલી (પ્રાકૃત), લઘુપૌષધશાલિકપટ્ટાવલી, તપાગચ્છસાગરશાખાપટ્ટાવલી ૧-૨-૩, વિજયસંવિગ્નશાખાપટ્ટાવલી, સાગરસંવિગ્નશાખા, વિમલસંવિગ્નશાખા, પાર્શ્વચન્દ્રગચ્છપટ્ટાવલી ૧-૨, બૃહદ્ગચ્છગુર્વાવલિ, ઉકેશગીયપટ્ટાવલી, પૌર્ણમિકગચ્છપટ્ટાવલી, અંચલગચ્છપટ્ટાવલી, પલ્લિવાલગચ્છીયપટ્ટાવલી વગેરેને પટ્ટાવલીપરાગસંગ્રહમાં પં. કલ્યાણવિજયગણિએ સંકલિત કરી છે. તેમનું વૈશિષ્ટય અને મહત્ત્વ પટ્ટાવલીપરાગસંગ્રહમાંથી જાણી લેવું જોઈએ. દિગંબર સંપ્રદાયની કેટલીક પટ્ટાવલીઓનો સંક્ષિપ્ત પરિચય નીચે આપ્યો છે. સેનપટ્ટાવલી જૈન કાવ્યસાહિત્ય સેનગણની બે પટ્ટાવલીઓ મળે છે. પહેલી ૪૭ સંસ્કૃત પઘોમાં છે. તે ભટ્ટારક લક્ષ્મીસેન (સં.૧૫૮૦ લગભગ) સુધી છે. બીજી સંસ્કૃત ગદ્યમાં છે. તે લગભગ ૫૦ અનુચ્છેદોની રચના છે. તેમાં સેનગણના ૪૭મા પટ્ટધર દિલ્હી સિંહાસનના અધીશ્વર છત્રસેન ભટ્ટારકની ગુરુપરંપરાનું વર્ણન છે. ગણના અનુસાર છત્રસેન સેનગણના ૪૭મા ભટ્ટારક હતા. તેમનો સમય સં. ૧૭૫૪ હતો. બન્ને પટ્ટાવલીઓમાં ઉલ્લિખિત આચાર્યોમાં ભીમસેનથી કંઈક ઐતિહાસિક સ્વરૂપ દેખાય છે. તેના પહેલાં પણ ૨૬ ભટ્ટારકોનું વર્ણન આવ્યું છે. બીજી પટ્ટાવલીમાં આવેલા અંતિમ ભટ્ટારક છત્રસેનનો પ્રભાવ કારંજાથી દિલ્હી સુધી હતો. તેમની કેટલીય કૃતિઓ મળે છે. બલાત્કારગણની પટ્ટાવલીઓ બલાત્કારગણ અને તેની વિભિન્ન શાખાઓનો પરિચય ‘ભટ્ટારક સમ્પ્રદાય’માં વ્યવસ્થિત રીતે આપ્યો છે. તેની ઈડર શાખાની બે પટ્ટાવલીઓ પ્રકાશમાં આવી ૧. જૈન એન્ટીક્વેરી, ભાગ ૧૪, અંક ૨, પૃ. ૧-૭. ૨. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, વર્ષ ૧, પૃ. ૩૮; આનાથી કંઈક ભિન્ન અને વધુ સારી પ્રતિ શ્રી મા. સ. મહાજન, નાગપુરના સંગ્રહમાં છે. વિશેષ વિવેચન માટે જુઓ ડૉ. વિ. જોહરાપુરકર સંપાદિત ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૨૬-૩૮. Page #479 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૫૭ છે. પહેલી સંસ્કૃત ગદ્યમાં છે. તેમાં ભટ્ટારક પદ્મનદિ, સકલકીર્તિ, ભુવનકીર્તિ, જ્ઞાનભૂષણ, વિજયકીર્તિ, શુભચન્દ્ર (પાંડવ પુરાણ વગેરે અનેક ગ્રન્થોના કર્તા), સુમતિકીર્તિ, ગુણકીર્તિ અને વાદિભૂષણ સુધીની પરંપરા આપવામાં આવી છે, તથા તે ભટ્ટારકોનો મહિમા, ગ્રન્થકર્તુત્વ વગેરે ઉપર પ્રકાશ નાખવામાં આવ્યો છે. વાદિભૂષણનો સમય સં. ૧૬પ૨ આસપાસ છે. ઉક્ત પટ્ટાવલીના અનેક ભટ્ટારક સારા ગ્રન્થકાર હતા. - ઈડર શાખાની બીજી પટ્ટાવલી (ગુર્નાવલિ) સંસ્કૃત છંદોમાં છે, તેમની સંખ્યા ૬૩ છે. આમાં ભટ્ટારક સકલકીર્તિથી લઈને ચન્દ્રકીર્તિ (સં.૧૮૩૨) સુધીની પરંપરા આપવામાં આવી છે. આ ગુર્નાવલિ બહુ મહત્ત્વની છે. તેમાં ગુદ્ધિગુપ્તથી લઈને અભયકીર્તિ સુધી લગભગ ૧૦૦ આચાર્યોનાં નામ આપ્યાં છે, આ આચાર્યો વનવાસી હતા અને તેમને બલાત્કારગણની પ્રાચીન પરંપરા સાથે જોડવામાં આવ્યા છે (૧-૨૧ પદ્ય સુધી). તે પછી ઉત્તર ભારતની ભટ્ટારકપીઠોની પરંપરા વસન્તકીર્તિથી શરૂ કરવામાં આવી છે (પદ્ય ૨૧). વસન્તકીર્તિના વિશે કહેવામાં આવે છે કે તે જ દિગંબર મુનિઓના વસ્ત્રધારણના પ્રવર્તક હતા. તેમની જાતિ બધેરવાલ હતી અને તેમનું નિવાસસ્થાન અજમેર હતું. તે સં. ૧૨૬૪ની માઘ શુ. પના દિને પદારૂઢ થયા હતા તથા ૧ વર્ષ ૪ માસ પટ્ટ પર હતા. તેમનો ઉલ્લેખ બિજોલિયાના શિલાલેખમાં પણ થયો છે. વસન્તકીર્તિ પછી ક્રમશ: વિશાલકીર્તિ, શુભકીર્તિ, ધર્મચન્દ્ર, રત્નકીર્તિ, પ્રભાચ (૭૪ વર્ષ સુધી પટ્ટાધીશ), પાનદિ થયા. ભટ્ટારક પઘનન્દિના ત્રણ પ્રમુખ શિષ્યોએ ત્રણ ભટ્ટારકપરંપરાઓ શરૂ કરી. તે ત્રણ પરંપરાઓનો આગળ ઉપર અનેક પ્રશાખાઓમાં વિસ્તાર થયો. તેમાંથી ઈડર શાખાના સકલકીર્તિ અને તેમની ભટ્ટપરંપરાનું વર્ણન પ્રસ્તુત ગુર્નાવલિના પદ્ય ૩૨થી ૬૨ સુધીમાં વિસ્તારથી આપ્યું છે. શુભચન્દ્રથી ચાલુ થયેલી દિલ્હીજયપુરશાખાનું વર્ણન બીજી ગુર્નાવલિમાં આપ્યું છે તથા દેવેન્દ્રકીર્તિથી ચાલુ થયેલી પરંપરા સૂરતશાખાની અન્ય પટ્ટાવલીઓમાં જોવી જોઈએ. ૧. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, વર્ષ ૧, કિરણ ૪, પૃ. ૪૬ પ્રભૂતિ; વિશેષ વિવેચન માટે જુઓ – ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૫૩-૧પ૬. ૨. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, વર્ષ ૧, કિરણ ૪, પૃ. ૫૧ વગેરે; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૫૩ ૧૫૮. ૩. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૯૦ Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ જૈન કાવ્યસાહિત્ય બલાત્કારગણ-દિલ્હી-જયપુરશાખાની એક પટ્ટાવલી ૪૨ પોની મળે છે. આ પટ્ટાવલી ઈડરશાખાની ઉક્ત ૬૩ પદ્યોની ગુર્નાવલિમાં કંઈક ફેરફાર કરી બનાવવામાં આવી છે. તેનાં ૨૬, ૨૭ અને ૨૮મા પદ્ય ઉક્ત ગુર્નાવલિમાં ક્રમશઃ ૨૭, ૨૯ અને ૩૦મા પદ્ય છે. પદ્ય ૨૯માં ઉક્ત શાખાના શુભચન્દ્ર (સં.૧૪૫૦૧૫૦૭) ભટ્ટારકનું વર્ણન છે. ત્યાર પછી ઉક્ત શાખાના જિનચન્દ્ર, પ્રભાચન્દ્ર, ચન્દ્રકીર્તિ, દેવેન્દ્રકીર્તિ અને નરેન્દ્રકીર્તિનું વર્ણન કરી આ પટ્ટાવલી સમાપ્ત થાય છે. તેમાં ભટ્ટારક જિનચન્દ્ર અતિ પ્રસિદ્ધ છે. તેમના દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિઓ સૌથી વધુ છે. પ્રતિષ્ઠાકર્તા શેઠ જીવરાજ પાપડીવાલના પ્રયત્નોથી આ હજારો મૂર્તિઓ ભારતના ખૂણે ખૂણે પહોંચી છે. તેમની પ્રતિષ્ઠા સં. ૧૫૪૮ અક્ષયતૃતીયાના દિને થઈ હતી. બલાત્કારગણ-ભાનુપુરશાખા તથા સૂરતશાખાની પટ્ટાવલીઓ પણ સંસ્કૃત ભાષામાં રચાયેલી મળી છે. પહેલીમાં સંસ્કૃત પપ-પ૬ પડ્યો છે. આ શાખાનો પ્રારંભ ભટ્ટારક સકલકીર્તિના પ્રશિષ્ય ભટ્ટારક જ્ઞાનકીર્તિથી થાય છે. પ્રસ્તુત પટ્ટાવલીના ૩૪ પદ્યો સુધી પ્રાચીન પરંપરાનું વર્ણન કરીને પછી આ શાખાના પટ્ટધરોનું વર્ણન ૩૫મા પધથી કર્યું છે. આમાં જ્ઞાનકીર્તિથી (સં.૧૫૩૪) લઈને ભટ્ટારક રત્નચન્દ્ર (સં.૧૭૭૪-૮૬) સુધીની પરંપરા આપવામાં આવી છે. સૂરતશાખાની પટ્ટાવલી સંસ્કૃત ગદ્યમાં છે અને તેમાં પણ પૂર્વાચાર્યોથી સંબંધ જોડીને ભટ્ટારક પદ્મનદિના શિષ્ય દેવેન્દ્રકીર્તિથી (સં. ૧૪૯૩) શરૂ થયેલી ઉક્ત શાખાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તે વર્ણનને ઉક્ત શાખાના ભટ્ટારક વિદ્યાનદિના (સં. ૧૮૦૫-૧૮૨૨) શિષ્ય દેવેન્દ્રકીર્તિ (સં.૧૮૪૨) સુધી લાવી સમાપ્ત કરવામાં આવ્યું છે. તેને નસિંઘબિરદાવલી પણ કહેવામાં આવે છે. તેની રચના દેવેન્દ્રકીર્તિ (દ્વિતીય)ના શિષ્ય સુમતિકીર્તિએ કરી છે. ૧. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૧, કિરણ ૪, પૃ. ૮૧; આ પટ્ટાવલીના પ્રમાણ તરીકે કેટલાક શિલાલેખો આપવામાં આવ્યા છે. વિશેષ વિવેચન માટે જુઓ ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૯૭-૧૧૩. ૨. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૯, પૃ. ૧૦૮-૧૦૯; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૫૯- ૧૬૮. ૩. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૯, પૃ. ૪૬-૫૩; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૬૯-૨૦૧. Page #481 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪પ૯ બલાત્કારગણની એક પટ્ટાવલી પ્રાકૃત ભાષામાં પણ મળે છે. તેને નદિસંધબલાત્કારગણ-સરસ્વતીગચ્છની પટ્ટાવલી કહેવામાં આવે છે. કાષ્ઠાસંઘ-માથુરગચ્છપટ્ટાવલી આ પટ્ટાવલી પ૩ સંસ્કૃત પદ્યોમાં રચાઈ છે. તેના ૨૧ પદ્યોમાં કાષ્ઠાસંઘના પ્રાચીન પટ્ટધરોનાં નામો આપ્યા પછી મધ્યકાલીન માથુરગચ્છની માધવસેનથી (૧૩મી સદીનો પૂર્વાધી શરૂ થયેલી પરંપરાનું ૨૨મા પદ્યથી વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન અન્તિમ પટ્ટધર મુનીન્દ્રકીર્તિ (સં.૧૯૫૨) સુધી પહોંચી સમાપ્ત થયું છે. તેના કર્તાનું નામ અજ્ઞાત છે. આ એક સારી કાવ્યાત્મક કૃતિ છે. કાષ્ઠાસંઘ-લાડવાગડ-પુન્નાટગચ્છપાવલી આ સંસ્કૃત ગદ્યમયી કૃતિ છે. તેમાં ઉલ્લેખાયેલા આચાર્યોમાં મહેન્દ્રસેન (૧૨મી સદીનો ઉત્તરાર્ધ) પહેલી ઐતિહાસિક વ્યક્તિ જણાય છે. તેમણે ત્રિષષ્ટિપુરુષચરિત્ર લખ્યું હતું અને મેવાડમાં ક્ષેત્રપાલને ઉપદેશ આપી ચમત્કાર દેખાડ્યો હતો. તેમની પહેલાં અંગજ્ઞાની આચાર્યો પછી ક્રમથી વિનયધરથી લઈને કેશવસેન સુધી ૧૬ આચાર્યોનો ઉલ્લેખ છે તથા મહેન્દ્રસેનની પરંપરાના ત્રિભુવનકીર્તિ (૧૬મી સદી) સુધીનું વર્ણન છે. તીર્થમાલાઓ ભારતીય અન્ય ધર્મોની જેમ જૈનોનાં પણ પોતાનાં તીર્થો છે. આ જૈન તીર્થો ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી સારા ભારતમાં ફેલાયેલાં છે. તે તીર્થોનાં દર્શનવંદન માટે પ્રાચીન કાળથી જ જૈન સંઘપતિ અને મુનિગણ સમારોહપૂર્વક લાંબી-લાંબી યાત્રાઓ કરતા હતા અને તેમની યાત્રાઓનું વિવરણ અને તીર્થોનો પરિચય તેઓ લખતા હતા. આ યાત્રાઓ અને તીર્થોનો પરિચય ૧. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૧, પૃ. ૧૦૩-૧૦૭; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૨૧૩ ૨૪૭. ૨. શ્રી મા.સ.મહાજન, નાગપુરના સંગ્રહમાં; ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૨૪૮-૨૬૨. ૩. પ્રેમી અભિનન્દન ગ્રન્થમાં જૈન સાહિત્ય કા ભૌગોલિક મહત્ત્વના લેખક શ્રી અગરચંદ નાહટાએ તીર્થમાલાવિષયક પ્રકાશિત સામગ્રીનો પરિચય આપ્યો છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ જૈન કાવ્યસાહિત્ય મોટાં મોટાં પુરાણોમાં અને ચરિતાત્મક ગ્રન્થોમાં વિસ્તારથી આપવામાં આવ્યો છે. આ વાતનો ઉલ્લેખ અમે વિવિધ પ્રસંગોએ કરતા આવ્યા છીએ. આ વિષય ઉપર સ્વતંત્ર કૃતિઓ પણ રચાઈ છે. આ વિષયનો સૌથી પ્રાચીન ગ્રન્થ આપણને ધનેશ્વરસૂરિનો “શત્રુંજયમાહાભ્ય' (૧૩મી સદીનો પૂર્વાર્ધ) નામનો મળ્યો છે. તેનો પરિચય તીર્થમાહાભ્યવિષયક કથાઓમાં અમે આપી દીધો છે. દિગંબર સંપ્રદાયના લેખકોએ પણ ૧૩મી સદીમાં કેટલીક તીર્થમાલાઓનું પ્રણયન કર્યું છે. તેમાં પ્રથમ ઉલ્લેખનીય નાની-નાની બે ભક્તિઓ છે : પહેલી પ્રાકૃત નિર્વાણભક્તિ કે નિર્વાણકાંડ અને બીજી સંસ્કૃત નિવણભક્તિ." પ્રાકૃત નિર્વાણભક્તિ યા નિર્વાણકાંડમાં ચોવીસ તીર્થંકર અને અન્ય ઋષિમુનિઓનાં નિર્વાણસ્થાનોનો નિર્દેશ કરી ત્યાંથી મુક્તિ મેળવનારને નમસ્કાર કરવામાં આવ્યા છે. નિર્વાણકાંડમાં કેવળ ૧૯ ગાથાઓ મળે છે. તેની અનેક પ્રતિઓ મળે છે, તે બધીમાં ગાથાસંખ્યા એકસરખી નથી. ક્યાંક ક્યાંક ગરબડ પણ છે. નિર્વાણકાંડના અંતે ક્યાંક ક્યાંક આઠ ગાથાઓ વધારે પણ લખેલી મળે છે “ગય g (“અતિશયક્ષેત્રકાંડ) નામથી. પરંતુ એવું લાગે છે કે તે જુદો જ છે. ભાષાકાર પં. ભગવતીદાસે આ આઠ ગાથાઓનો તો અનુવાદ જ નથી કર્યો. બીજી સંસ્કૃત નિર્વાણભક્તિમાં ૩૨ પદ્ય છે. તેનાં પહેલાં ૨૦ પદ્યોમાં કેવળ મહાવીરનાં પાંચે કલ્યાણકોનું વર્ણન છે અને પછી આગળનાં ૧૨ પદ્યોમાં કૈલાસ, ચમ્પાપુર, ગિરનાર, પાવાપુર, અમેદશિખર, શત્રુંજયનો ઉલ્લેખ માત્ર કરી અન્ય નિર્વાણસ્થાનોનાં નામ માત્ર આપ્યાં છે. પહેલાં ૨૦ પોને વાંચીને તો લાગે છે કે તે એક સ્વતંત્ર સ્તોત્રનાં પડ્યો છે જેમના અંતે તેને વાંચવાથી પાઠકોને નરલોકદેવલોકનું સુખ ભોગવ્યા પછી મોક્ષપદ પ્રાપ્ત થાય છે એવું દર્શાવ્યું છે. બન્ને ભક્તિઓ સ્વતંત્ર રચનાઓ છે. પ્રાકૃત નિર્વાણકાંડમાં પશ્ચિમ ભારતનાં કેટલાંક એવાં તીર્થોનાં નામ છે જે સંસ્કૃત નિર્વાણભક્તિમાં નથી અને સંસ્કૃત નિર્વાણભક્તિમાં વર્ણવાયેલાં કેટલાંક તીર્થોનાં નામ પ્રાકૃત નિર્વાણકાંડમાં નથી. તેથી એવું જણાય છે કે બન્ને ભક્તિઓ વિભિન્ન કાલોની રચનાઓ છે અને સંભવ છે કે તેમના કર્તાઓ એકબીજાની રચનાથી અપરિચિત રહ્યા હશે. પ્રાકૃત નિર્વાણકાંડમાં વર્ણવાયેલ કેટલાંય તીર્થોમાંથી મોક્ષગમન કરનારા મહાપુરુષોનું સમર્થન યા તો પ્રાચીન શાસ્ત્રો દ્વારા થતું નથી યા તો વિપરીત પુરવાર 1, પૃ. ૪૨૨-૪૨ ૩. Page #483 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૬૧ થાય છે. જેમકે તારઉર (તારાપુર)માંથી વરાંગ આદિનું મોક્ષે જવું લખ્યું છે પરંતુ વરાંગચરિત અનુસાર તેઓ મુક્ત થયા જ નથી પરંતુ સર્વાર્થસિદ્ધિએ ગયા છે. ગાથા ૮માં તુંગીગિરિમાંથી રામ, હનુમાન આદિનું મોક્ષે જવું લખ્યું છે પરંતુ ઉત્તરપુરાણ અનુસાર તે બધા સન્મેદશિખરમાંથી મોક્ષે ગયા છે. પ્રભાચન્દ્રના (૧૨મી સદી) ક્રિયાકલાપમાં સંસ્કૃત નિર્વાણભક્તિ સંગૃહીત છે, પ્રાકૃત નિર્વાણભક્તિ યા નિર્વાણકાંડનો સંગ્રહ નથી. પ્રભાચન્દ્રના કથન અનુસાર સંસ્કૃત ભક્તિઓ પાદપૂજ્ય (?) સ્વામીકૃત છે. પરંતુ આ પાદપૂજ્ય યા પૂજ્યપાદ કોણ છે ? લખ્યું નથી. અન્ય સ્રોતોમાંથી પણ ઉક્ત લેખકે રચી હોવાની પુષ્ટિ થતી નથી. ૫. આશાધરના (૧૩મી સદી) ક્રિયાકલાપમાં પ્રભાચન્દ્રના ક્રિયાકલાપની અધિકાંશ ભક્તિઓ સંગૃહીત છે પરંતુ તેમણે તેમના કર્તાઓ અંગે કોઈ વાત લખી નથી. આશાધરના ક્રિયાકલાપમાં પ્રાકૃત નિર્વાણભક્તિની કેવળ પાંચ જ ગાથાઓ આપવામાં આવી છે. શેષ ગાથાઓ તેમાં છૂટી ગઈ લાગે છે. જો કે આ બન્ને ભક્તિઓની રચનાનો સમય આજ સુધી બરાબર જાણવામાં આવ્યો નથી તો પણ એટલું તો કહી જ શકાય કે તે બન્ને કવિ આશાધર પહેલાંની અર્થાતુ છ-સાડા છ સો વર્ષ પહેલાંની નિશ્ચિત છે. ૧૩મી સદીમાં વિવિધ તીર્થોની પરિચાયિકા એક અન્ય કૃતિ શાસનચતુસ્ત્રિશિકા મળે છે. તેમાં ૨૬ તીર્થસ્થાનો અને તેમની પ્રભાવશાળી જૈન પ્રતિમાઓનું વર્ણન મળે છે. તેમાં કુલ ૩૬ શ્લોકો છે, તે અનુષ્ટ્રમ્ માનથી ૮૪ શ્લોકપ્રમાણ છે. પહેલું પદ્ય અનુણ્ભમાં છે અને અંતિમ પ્રશસ્તિપદ્ય માલિની છંદમાં છે. વિષયવસ્તુનાં પ્રતિપાદક બાકીનાં પદ્યો શાર્દૂલવિક્રીડિત છન્દ્રમાં છે. બધા શાર્દૂલવિક્રીડિત છન્દોનાં અંતિમ ચરણોનો દ્વિતીયાઈ “દિવાસનાં શાસન'થી સમાપ્ત થાય છે. તેના કર્તા પોતાના સમયના પ્રસિદ્ધ આચાર્ય મદનકીર્તિ છે, તે દિગંબર વિશાલકીર્તિના શિષ્ય હતા. રાજશેખરસૂરિએ સં. ૧૪૦પમાં રચેલા પોતાના પ્રબન્ધકોશમાં તેમના જીવન વિશે “મદનકીર્તિપ્રબન્ધ' નામનો એક પ્રબન્ધ લખ્યો છે. મદનકીર્તિની ઉપાધિ મહાપ્રામાણિકચૂડામણિ” પણ હતી. શાસનચતુસ્ત્રિશિકાની રચના ધારાનગરીમાં કરવામાં આવી હતી. તેના લેખક મદનકીર્તિ કવિ પં. આશાધરના સમકાલીન હતા. આ કૃતિ ઐતિહાસિક દષ્ટિએ ૧. પં. દરબારીલાલ ન્યાયાચાર્ય દ્વારા સંપાદિત અને વીર સેવા મંદિર, સરસાવાથી સન્ ૧૯૪૯માં પ્રકાશિત; ચન્દાબાઈ અભિનન્દન ગ્રંથ, પૃ. ૪૦૩-૪૦૫. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ મહત્ત્વની છે. તેમાં પરમારનરેશ જૈતુગિદેવના સમયમાં માલવા ઉપર થયેલા મુસ્લિમ આક્રમણનો ઉલ્લેખ મળે છે (મ્ન છે: પ્રતાપાતૈ:). જૈન કાવ્યસાહિત્ય તીર્થમાલા સંબંધી અન્ય રચનાઓમાં જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પ, અંચલગચ્છીય મહેન્દ્રસૂરિકૃત (સં.૧૪૪૪) તીર્થમાલાપ્રકરણ, ધર્મઘોષના શિષ્ય મહેન્દ્રસૂરિષ્કૃત તિત્યમાલાથવણ (તીર્થમાલાસ્તવન) અને ધર્મઘોષકૃત તીર્થમાલાસ્તવનનો સંક્ષિપ્ત પરિચય આ બૃહદ્ ઈતિહાસના ચોથા ભાગમાં આપવામાં આવ્યો છે. ગુજરાતી, રાજસ્થાની આદિ ભાષાઓમાં તીર્થયાત્રાઓનું વિવરણ રજૂ કરતા કેટલાય ગ્રન્થો રચાયા છે. વિજયધર્મસૂરિએ પ્રાચીનતીર્થમાલાસંગ્રહ પ્રકાશિત કરાવ્યો હતો. વિ.સં. ૧૭૪૬માં શીવિજયે રચેલી તીર્થમાલા અને બ્ર. જ્ઞાનસાગરે રચેલી તીર્થાવલી પણ ઉલ્લેખનીય છે. ભારતીય ભૂગોલના અનુસંધાનમાં આ તીર્થમાલાઓમાંથી, પુરાણગત તીર્થમાહાત્મ્યોની જેમ, બહુ મદદ મળી શકે છે. વિજ્ઞપ્તિપત્ર વર્ષાકાળમાં શ્વેતાંબર જૈન પર્યુષણ પર્વના છેલ્લા દિવસે સાંવત્સરિક પર્વ ઉજવે છે, તે દિવસે ૫રસ્પર ક્ષમાયાચના અને ક્ષમાદાન કરવામાં આવે છે. આ અવસરે દૂરવર્તી ગુરુજનોને જે ક્ષમાપત્રો મોકલવામાં આવતાં હતાં તેમને ખમાપણા યા વિજ્ઞપ્તિપત્ર કહેવાતાં. ગુજરાતમાં તેને ટીપણા કહે છે. શ્વેતાંબર સંપ્રદાયના એક વર્ગના આચાર્યો શ્રીપૂજ્ય કહેવાતા હતા. તેમણે આ જાતના પત્રલેખનનો વિશેષ વિકાસ કર્યો. પહેલાં આ પત્રો ખમાપણા માટે લખાતાં હતાં પણ પછીથી જે સ્થાનીય જૈન સંઘને ધર્મપ્રભાવના માટે કોઈ આચાર્યને કે મુનિને આવતા વર્ષે ચોમાસું કરાવવાની ઉત્કંઠા થતી તે સંઘ તેમને નિમંત્રણ દેવા માટે પ્રાર્થનાપૂર્ણ નિમન્ત્રણપત્ર કે વિનત્તિપત્રના રૂપમાં વિજ્ઞપ્તિપત્રનો ઉપયોગ કરવા લાગ્યા. આવાં વિજ્ઞપ્તિપત્રોનું ઉગમસ્થાન ગુજરાત-કાઠિયાવાડ હતું પરંતુ ધીમે ધીમે રાજસ્થાનથી બંગાળ સુધીના ક્ષેત્રમાં તેનો પ્રસાર થઈ ગયો. પહેલાં તો વિજ્ઞપ્તિપત્રો મોટા કાગળ ઉપર લખવામાં આવતાં હતાં, આ કાગળ ૧૦થી ૧૨ ઈંચ પહોળો રહેતો હતો પરંતુ પછી તો વિજ્ઞપ્તિપત્રો એટલા બધા લાંબા થવા લાગ્યાં કે તેમાંનો એક વિ.સં.૧૪૬૬માં લખાયેલો તો ૧૦૮ હાથ ૧. શ્રી અગરચન્દ નાહટાનો આ વિષય ઉપરનો લેખ જુઓ. Page #485 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૬૩ લાંબો મળ્યો છે. આ જ રીતે બીકાનેરમાંથી ૯૭ ફુટ લાંબો અને ૧૧ ઈંચ પહોળો મળ્યો છે. આ લાંબા વિજ્ઞપ્તિપત્રોમાં ચિત્રકારીને ભરપૂર સ્થાન આપવામાં આવ્યું છે. પ્રેષણસ્થાનનો ચિત્રમય પરિચય આપવામાં આવ્યો છે. બીકાનેરમાંથી મળેલ ઉક્ત પત્રના પ૫ ફુટમાં બીકાનેરનાં મુખ્ય બજાર અને દર્શનીય સ્થાનોનું વાસ્તવિક અને કલાપૂર્ણ ચિત્રણ છે. આ વિજ્ઞપ્તિપત્રોમાં જૈન સંઘના સદસ્યોનો પરિચય, ક્ષેત્રીય ભૌગોલિક વર્ણન અને ક્યારેક ક્યારેક ઈતિહાસવિષયક ઘટનાઓ પણ આપવામાં આવે છે. આગ્રા જૈન સંઘ તરફથી યુગપ્રધાન વિજયસેનસૂરિ ઉપર પાટણ મોકલવામાં આવેલ એક વિજ્ઞપ્તિપત્રમાં મુગલ સમ્રાટ જહાંગીરે સં. ૧૬૧૦માં આગ્રાના જૈન સમાજને ફરમાન આપેલ એ ઘટના અંકિત છે. તેમાં જહાંગીર, શાહજાદા ખુર્રમ તથા રાજા રામદાસનાં પણ ચિત્રો છે. ચિત્રકાર પ્રસિદ્ધ શાલિવાહન છે, તે જહાંગીરી દરબારના કુશળ ચિતારાઓમાંના એક હતા. તેમાં આગ્રાની તત્કાલીન જનતાનું પણ ચિત્રાંકન છે. આ રીતે જ મેડતાથી વીરમપુર મોકલવામાં આવેલા ૩૨ ફુટ લાંબા વિજ્ઞપ્તિપત્રમાં ૧૭ ફુટમાં વિવિધ પ્રકારની ચિત્રકારી આપી આ વિજ્ઞપ્તિપત્રોમાં કેટલાંક તો સંસ્કૃતમાં લખાયાં છે જ્યારે અધિકાંશ સંસ્કૃતમિશ્રિત સ્થાનીય ભાષામાં લખાયેલાં મળે છે. તેઓ ગદ્ય અને પદ્ય બન્નેમાં મળે છે. સંસ્કૃતમાં લખાયેલાં કેટલાંય વિજ્ઞપ્તિપત્રો પ્રથમ પંક્તિનાં આલંકારિક કાવ્યોના નમૂનાઓ છે. તેમાં કેટલાંય ખંડકાવ્ય અને દૂતકાવ્યનાં સરસ ઉદાહરણો છે. જૈન કવિઓએ દૂતકાવ્યપ્રકારનો ઉપયોગ આ જાતનાં પત્રો લખવામાં પણ ૧. અનેક વિજ્ઞપ્તિપત્રોનો પરિચય શ્રી અગરચંદ નાહટાએ આપ્યો છે. આ અંગે તેમના નીચે જણાવેલા લેખો પઠનીય છે : (૧) પૌને છઃ સૌ વર્ષ પ્રાચીન વિજ્ઞપ્તિપત્ર, વિકાસ, ૧.૧; વીર, ૨૫.૧૦-૧૨. (૨) બીકાનેર કા સચિત્ર વિજ્ઞપ્તિપત્ર, રાજસ્થાન ભારતી, ૧.૪; વીર, ૨૪.૪૮. (૩) બીકાનેર કા એક પ્રાચીન સચિત્ર વિજ્ઞપ્રિલેખ, રાજસ્થાન ભારતી, ૩.૩-૪. (૪) જયપુરી કલમ કા એક વિજ્ઞપ્રિલેખ, અવન્તિકા, ૧.૧૦. (૫) ઉદયપુર કા સચિત્ર વિજ્ઞપ્તિપત્ર, નાગરી પ્રચારિણી પત્રિકા, પ૭. ૨-૩; જૈન - સદેશ, ૧૭. ૧૮. (૬) ઉદયપુર કા એક વિજ્ઞપ્તિપત્ર, શોધપત્રિકા, ૪.૩. (૭) ઉપા. મેઘવિજય કે ચાર વિજ્ઞપ્તિલેખ, જૈન સત્યપ્રકાશ, ૧૩.૧. (૮) બીકાનેર જૈન લેખસંગ્રહ કી ભૂમિકા, પૃ. ૮૭-૯૪. Page #486 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય કર્યો છે. આ પ્રકારની કૃતિઓમાં વિનયવિજયકૃત ઈન્દુદૂત', વિજયામૃતસૂરિકૃત મયૂરદૂત, મેઘવિજયકૃત મેઘદૂત – સમસ્યાલેખ તથા ચેતોદૂત છે. કેટલીક વિજ્ઞપ્તિઓનો અહીં સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ : સંસ્કૃત કાવ્યના રૂપમાં સૌથી પ્રાચીન વિજ્ઞપિત્ર" સં. ૧૪૬૬નું મળ્યું છે, તે ૧૦૮ હાથ લાંબું છે. તેનું બીજું નામ “ત્રિદશતરંગિણી છે. તેને મુનિસુન્દરસૂરિએ પોતાના ગુરુ દેવસુન્દરસૂરિ ઉપર લખ્યું હતું. તેના એક ભાગમાં તપાગચ્છની ગુર્નાવલિ પણ છે. તેનું વર્ણન અમે પહેલાં આપી દીધું છે. વિજ્ઞપ્તિ ત્રિવેણીનામનું એક વિજ્ઞપ્તિપત્ર સં. ૧૪૮૪માં જયસાગરગણિએ લખ્યું છે. તેમાં સિન્ધદેશના મલિવાહનપુરથી કવિએ અણહિલપુરમાં રહેતા પોતાના ગુરુ ખરતરગચ્છનાયક જિનભદ્રસૂરિ ઉપર વિજ્ઞપ્તિરૂપે એક પત્ર લખ્યો છે, તેમાં તેમણે પોતાના તીર્થપ્રવાસ આદિનું વર્ણન કર્યું છે. આ સુંદર કાવ્ય છે. પત્રલેખક જયસાગરગણિ પૃથ્વીચન્દ્રચરિત્રા (સં. ૧૫૦૩), પાર્શ્વજિનાલયપ્રશસ્તિ (સં.૧૪૭૩), પર્વરત્નાવલી આદિ અનેક ગ્રન્થોના કર્તા છે. તેમના દીક્ષાગુરુ હતા જિનરાજ, વિદ્યાગુરુઓ હતા જિનવર્ધન અને ઉપાધ્યાય જિનભદ્રસૂરિ. સં ૧૬૬૦ આસપાસ તપા. આનન્દવિજયના શિષ્ય મેરુવિજયે સંસ્કૃતમાં રચેલા એક વિજ્ઞપ્તિપત્રનો ઉલ્લેખ મળે છે.’ ત્યાર પછી સંસ્કૃત કાવ્યરૂપમાં વિનયવિજયે રચેલાં ત્રણ વિજ્ઞમિપત્ર મળે છે. પહેલું છે ઈન્દુદૂત. તે કાલિદાસની મેઘદૂતની શૈલીમાં રચાયું છે. તેને વિનયવિજયે I ૧. કાવ્યમાલા, ૧૪, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ. ૨. જૈન ગ્રન્થ પ્રકાશક સભા, અમદાવાદ, સં. ૨૦૦૦. ૩. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સંખ્યા ૨૪. ૪. એજન, સંખ્યા ૨૫ ૫. મુનિ જિનવિજય દ્વારા સંપાદિત વિજ્ઞપ્તિત્રિવેણી, પૃ. ૩૦ આદિ. ૬. જિનરત્નકોશ, પૃ. ૩૫૫; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૧૬. ૭. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૭૪-૭૫. ૮. જિનરત્નકોશ, પૃ. ૬પપ ૯. કાવ્યમાલા, ૧૪, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ. Page #487 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૬૫ જોધપુરથી સૂરત નગરમાં વિરાજમાન ગુરુ વિજયપ્રભસૂરિ ઉપર લખ્યું છે. તેમાં જોધપુર, જાલોર, સિરોહી, આબુ, સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા, ભરુચ અને સૂરતનું વર્ણન છે. તેનો વિશેષ પરિચય અમે દૂતકાવ્યોના પ્રસંગે આપીશું. વિનયવિજયકૃત બીજું વિજ્ઞપ્તિપત્ર સં. ૧૯૯૪માં લખાયું છે. તેને અમદાવાદ પાસે આવેલા બારેજા ગામમાં વિરાજતા પોતે ખંભાતમાં વિરાજતા પોતાના ગુરુ વિજયાનન્દસૂરિ ઉપર લખ્યું છે. ત્રીજું વિજ્ઞપ્તિપત્ર વિનયવિજયે દેવપટ્ટન (પ્રભાસ પાટણ)થી અણહિલપુરપાટણમાં સ્થિત વિજયદેવસૂરિને મોકલ્યું હતું. તેની રચના અદ્ભુત છે. તેના પઘોનો અર્ધાશ પ્રાકૃતમાં છે અને અર્ધીશ સંસ્કૃતમાં છે.' વિનયવિજય હીરવિજયના શિષ્ય કીર્તિવિજયના શિષ્ય હતા. તેમણે નયકર્ણિકા, પત્રિશલ્પ (સંસ્કૃત ગદ્ય), શાન્તિસુધારસ વગેરે અનેક ગ્રન્થોની રચના કરી ડૉ. હિરાનન્દ શાસ્ત્રીએ લખેલો ગ્રન્થ Ancient vijnaptipatrasમાં લગભગ ૨૪ વિજ્ઞપ્તિપત્રોનો પરિચય આપવામાં આવ્યો છે. તેમાં અનેક વિજ્ઞપ્તિપત્રો રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં છે. લગભગ ૬ સંસ્કૃતમાં છે : ૩. ઘોઘા વિજ્ઞપ્તિપત્ર સં. ૧૭૧૭; ૪. દેવાસ વિજ્ઞપ્તિ (૧૮મી સદી); –૮. બે ભગ્ન વિજ્ઞપ્તિપત્ર; ૯. શિનોર વિજ્ઞપિત્ર સં. ૧૮૨૧; ૧૫. શિનોર વિજ્ઞપ્તિપત્ર સં. ૧૮૩૩ (આંશિક સંસ્કૃત અને આંશિક રાજસ્થાની). અન્ય વિજ્ઞપ્તિપત્રોમાં ઉપાધ્યાય સમયસુન્દરે (૧૮મી સદી) રચેલા વિજ્ઞમિપત્ર (મહાદંડકસ્તુતિગર્ભ), જ્ઞાનતિલકકૃત (૧૮મી સદી) વિજ્ઞપિત્ર વગેરેનો ઉલ્લેખ મળે છે. અભિલેબસાહિત્ય કોઈ પણ રાષ્ટ્ર, ભાષા અને સાહિત્યનો ઈતિહાસ જાણવા માટે અભિલેખોનું સર્વોપરિ સ્થાન છે કારણ કે અભિલેખોમાં પ્રકૃતિની પરિવર્તનશીલ દૃષ્ટિની બહુ ૧. મુનિ જિનવિજય દ્વારા સંપાદિત વિજ્ઞપ્તિત્રિવેણી. ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૬૪૮-૪૯, ૩. વડોદરા સ્ટેટ પ્રેસ, ૧૯૪૨; તેનો બીજો, ત્રીજો અધ્યાય (અંગ્રેજીમાં) ખાસ વાંચવો જોઈએ. ૪. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, ખંડ ૨, પૃ. ૨૪. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ જેન કાવ્યસાહિત્ય ઓછી અસર થઈ શકી છે. તેમની અંદર સરળતાથી કોઈ પણ પ્રકારના સંશોધન અને પરિવર્તનને અવકાશ નથી અને જે કરવામાં આવે, જેમકે રાષ્ટ્રકૂટ તામ્રપત્રોમાં બહુધા જોવા મળે છે, તો તરત જ પકડાઈ જાય છે. અભિલેખોમાં પ્રાયઃ સમકાલીન ઘટનાઓનો ઉલ્લેખ થતો હોવાથી તેમની પ્રામાણિકતામાં સંદેહ થતો નથી. ભારતીય ઈતિહાસની અનેક સમસ્યાઓને ઉકેલવામાં આ લેખો બહુ જ મદદરૂપ થયા છે, જયાં સાહિત્ય ચૂપ છે યા બહુ ઓછો પ્રકાશ નાંખે છે ત્યાં આ લેખો આપણને નિશ્ચયાત્મક માહિતી આપે છે. અહીં અમે જૈન અભિલેખ સાહિત્યની કેટલીક વિશેષતાઓ જણાવીએ છીએ. જૈન અભિલેખસાહિત્ય વિવિધ માધ્યમો ઉપર ઉત્કીર્ણ થયેલું મળે છે, જેવાં કે શિલા, શિલાનિર્મિત મંદિર, સ્તંભ, ગુફા, પાષાણ, ધાતુપ્રતિમા, ચરણ, દેવલી, સ્મારક, શય્યાપટ, તામ્રપટ અને યંત્ર વગેરે ઉપર ઉત્કીર્ણ થયેલું મળે છે પરંતુ કેટલાક લેખ દીવાલો અને કાષ્ઠપટ્ટિકાઓ ઉપર કાળી શાહીથી લખેલા મળ્યા છે જે ૫૫૦ વર્ષ જેટલા જૂના છે. કાળી શાહીના અક્ષરો પાષાણ ઉપર જેમના તેમ આટલા વર્ષો સુધી રહેવા એ આશ્ચર્યની વાત છે. આ લેખ આજ સુધી વિદ્યમાન રહીને પ્રાચીન શાહીના ટકાઉપણાના જ સાક્ષી બની રહ્યા છે. આવી જ રીતે પુસ્તકના પરિવેઝન ઉપર સોયથી ગૂંથેલા પણ જૈન લેખ (બીકાનેરથી) મળ્યા છે. તેવી જ રીતે બુહલરને રેશમ ઉપર શાહીથી છાપેલો ગ્રન્થ અને પિટર્સનને કપડા ઉપર શાહીથી છાપેલો ગ્રન્થ મળ્યો છે પરંતુ સોયથી ગૂંથેલો લેખ એક નવીનતા જણાય છે. - જૈન અભિલેખોની પ્રકૃતિ સમજવા માટે તેમનું આપણે અનેક દૃષ્ટિએ વર્ગીકરણ કરી શકીએ છીએ, જેમકે ઉત્તર ભારતના, દક્ષિણ ભારતના યા પશ્ચિમ ભારતના લેખ, સમ્પ્રદાયના આધારે દિગંબર અને શ્વેતાંબર લેખ, વિસ્તૃત ષ્ટિકોણથી રાજનૈતિક અને ધાર્મિક લેખ. પરંતુ વાસ્તવમાં તેમના બે જ વર્ગો કરવા ઠીક છે : એક તો રાજનૈતિક જે શાસનપત્રોના રૂપમાં છે ત્યાં તો અધિકારીવર્ગ સાથે સંબંધ ધરાવે છે અને બીજો સાંસ્કૃતિક જે જનવર્ગ સાથે સંબંધ ધરાવે છે. તેમાંથી રાજનૈતિક અને અધિકારી વર્ગ સાથે સંબંધ ધરાવતા લેખ પ્રાયઃ પ્રશસ્તિના રૂપમાં હોય છે. તેમનામાં રાજાઓની બિરદાવલીઓ, સામરિક વિજય, વંશપરિચય વગેરે સાથે મંદિર, મૂર્તિ યા મુનિ વગેરે માટે ભૂમિદાન, ગ્રામદાન વગેરેનું વર્ણન હોય છે. આ વર્ગના લેખોમાં કલિંગરાજ ખારવેલનો હાથીગુફા શિલાલેખ (પ્રથમ-દ્વિતીય ઈ.સ.પૂ.), રવિકીર્તિરચિત ચાલુક્ય પુલકેશિ દ્વિતીયનો શિલાલેખ (૬૩૪ ઈ.સ.), ઈક્નકનો ઘટિયાલ પ્રસ્તરલેખ (વિ.સં.૯૧૮), કવિ શ્રીપાલરચિત કુમારપાલની Page #489 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૬૭ વડનગરપ્રશસ્તિ (વિ.સં. ૧૨૦૮), હથુંડીના ધવલ રાષ્ટ્રકૂટનો બીજાપુરલેખ (૯૯૭ ઈ.સ.), વિજયકીર્તિ મુનિકૃત વિક્રમસિંહ કચ્છવાહાનો દુબકુંડલેખ (૧૦૮૮ ઈ.સ.), જયમંગલસૂરિરચિત ચાચિગ ચાહમાણનો સુન્ધાદ્રિલેખ વગેરે પ્રશસ્તિલેખો જ છે. આ પ્રશસ્તિઓમાં કેટલીકનું મહત્ત્વ તો એટલું બધું છે કે કેટલીક રાજશાખાઓનો પરિચય કેવળ આ જૈન પ્રશસ્તિઓ દ્વારા જ થયો છે, જેમ કે ઓરિસ્સાના હાથીગુફાથી પ્રાપ્ત શિલાલેખો દ્વારા ખારવેલ અને તેના વંશનો, હથુંડીના લેખ દ્વારા ત્યાંના રાષ્ટ્રકૂટોનો, ગ્વાલિયરના સાસુવહુ શિલાલેખ દ્વારા કચ્છવાહોની ગ્વાલિયર શાખાનો અને દુબકુંડ લેખ દ્વારા ત્યાંની કચ્છવાહોની શાખાનો. જનવર્ગ સાથે સંબંધ ધરાવતા લેખોનું ક્ષેત્ર બહુ વિસ્તૃત છે. આ લેખો પોતાની ધાર્મિક માન્યતા માટે ભક્ત અને શ્રદ્ધાળુ પુરુષ યા સ્ત્રીવર્ગ દ્વારા લખાવાયા છે. આવા લેખ એકબે પંક્તિઓના રૂપમાં મૂર્તિની ચોકીઓ ઉપર તથા કુટુંબ અને વ્યક્તિની પ્રશંસામાં ઉચ્ચ કોટિના કાવ્યના રૂપમાં પણ મળે છે. આ જાતના અનેક લેખ ઉત્તર ભારતમાં મથુરા, આબુપર્વત, ગિરનાર, શત્રુંજય વગેરે તીર્થોમાંથી તથા દક્ષિણ ભારતમાં શ્રવણબેલગોલા વગેરે સ્થાનોમાંથી મળ્યા છે. તે લેખોમાંથી અનેક જાતિઓના સામાજિક ઈતિહાસ અને જૈનાચાર્યોના સંઘ, ગણ, ગચ્છ અને પટ્ટાવલીના રૂપમાં ધાર્મિક ઈતિહાસ ઉપરાંત સાંસ્કૃતિક અને રાજનૈતિક ઈતિહાસનો પરિચય મળે છે. આ લેખોમાં પ્રાયઃ મૂર્તિઓ, ધર્મસ્થાનો અને મંદિરોના નિર્માણનો કાળ નોંધાયેલો હોય છે, પરિણામે કલા અને ધર્મના વિકાસક્રમને સમજવામાં ઘણી મદદ મળે છે અને સામાજિક સ્થિતિનું નિશ્ચિત જ્ઞાન, જેવું કે એક દેશથી બીજા દેશમાં જૈનો ક્યારે કેવી રીતે ફેલાયા અને ત્યાં જૈનધર્મનો પ્રસાર અધિકાધિક ક્યારે થયો, પણ થઈ જાય છે. અનેક ભક્ત પુરુષો અને સ્ત્રીઓનાં નામ પણ લેખોમાંથી જાણવા મળે છે, આ નામો ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ બહુ મહત્ત્વનાં છે. ૯મી શતાબ્દી પછીના અનેક લેખોમાં અધિકાંશ નામ અપભ્રંશ અને તત્કાલીન લોકભાષાના રૂપને પ્રગટ કરે છે. જૈનોનું અભિલેખ સાહિત્ય પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી કોઈ એક ભાષાની પરિધિમાં બંધાઈ રહ્યું નથી. તેમાં પ્રાકૃત, સંસ્કૃત, મિશ્ર સંસ્કૃત, કન્નડમિશ્ર સંસ્કૃત, કન્નડ, તમિલ, મરાઠી, ગુજરાતી અને હિંદી ભાષાનો પણ પ્રયોગ થયો છે. દક્ષિણના કેટલાક લેખ તમિલમાં અને અધિકાંશ કન્નડમિશ્રિત સંસ્કૃતમાં છે. દક્ષિણ ભારતમાંથી સંસ્કૃત ભાષામાં લખાયેલા એવા મહત્ત્વના લેખ મળ્યા છે જે કાવ્યના સુંદર નમૂના છે. તેમાં ચાલુક્ય પુલકેશિની એહોલ પ્રશસ્તિ, રાષ્ટ્રકૂટ ગોવિન્દના બન્ને અને કડબમાંથી મળેલા લેખ, અમોઘવર્ષનો કોન્નર શિલાલેખ તથા Page #490 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય અન્ય લેખોમાં મલ્લિણ પ્રશસ્તિ, સૂદી, મદનૂર, કુલચુમ્બરૂ અને લક્ષ્મશ્વર વગેરેમાંથી મળેલા લેખો સંસ્કૃત પદ્ય અને ગદ્ય કાવ્યોનાં સરસ ઉદાહરણ છે. ઉત્તર ભારતના અધિકાંશ જૈન લેખ કેટલાક અપવાદ સાથે વિશુદ્ધ સંસ્કૃતમાં જ રચવામાં આવ્યાં છે. ૪૬૮ પ્રાકૃત ભાષામાં જેટલા પણ અભિલેખ મળ્યા છે તેમાં સૌથી પ્રાચીન એક જૈન લેખ મળ્યો છે, તે અજમેરથી ૨૨ માઈલ દૂર બારલી (વડલી) નામના ગામમાંથી એક પાષાણસ્તંભ ઉપર ૪ લઘુપંક્તિઓમાં ઉત્કીર્ણ મળ્યો છે. તેને વાંચી સ્વ. ગૌરીશકંર હી. ઓઝાએ બતાવ્યું છે કે તેમાં વીર નિ.સં.૮૪ લખ્યું છે. ઉક્ત લેખની લિપિ પણ અશોક પહેલાંની મનાઈ છે. તે પછી અશોકના લેખો પછી આપણને ઓરિસામાંથી હાથીગુંફાનો શિલાલેખ રાજા ખારવેલ અને તેના પરિવારનો મળે છે. તે પછી મથુરા અને પભોસામાંથી મળેલ જૈન લેખો પ્રાકૃતમાં જ છે. મથુરાના કેટલાક લેખો સંસ્કૃતમિશ્ર પ્રાકૃતમાં અને કેટલાક સંસ્કૃતમાં છે. તેના બહુ સમય પછી ગૂર્જર પ્રતિહારની જોધપુર શાખાનો એક લેખ ઘટિયાલમાંથી (વિ.સં.૯૧૮) મહારાષ્ટ્રી પ્રાકૃતમાં મળ્યો છે. પછી ૧૪-૧૮મી સદી સુધી પશ્ચિમ ૧. અનેક પ્રાચીન જૈન ગ્રન્થોમાં એ જાતના ઉલ્લેખો મળે છે કે વીર નિર્વાણના આટલા વર્ષો પછી અમુક કાર્ય થયું અને આટલા વર્ષ પછી અમુક રાજા યા આચાર્ય થયા વગેરે, તેથી ઉક્ત લેખમાં વી.નિ.સં.નો ઉલ્લેખ શંકાનો વિષય ન હોવો જોઈએ. ૨. આ લેખ સન્ ૧૮૨૭ કે તે પહેલાં સ્ટલિંગ મહોદયને મળ્યો હતો. ત્યાર પછી તેની નકલ બનાવવામાં અને તેને ઉકેલવામાં ઉચ્ચ કોટિના અનેક વિદ્વાનોએ અથાક પરિશ્રમ કર્યો. તેમાં જેમ્સ પ્રિન્સેપ, જનરલ કનિંઘામ, રાજેન્દ્રલાલ મિત્ર, ભગવાનલાલ ઈન્દ્રજી, રાખાલદાસ બેનર્જી, કાશીપ્રસાદ જાયસ્વાલ, વેણીમાધવ બરુઆ, શશિકાન્ત જૈન વગેરે ઉલ્લેખનીય છે. ૩. એપિગ્રાફિયા ઈન્ડિકા, ભાગ ૧-૨; ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૩૩; જૈન શિલાલેખસંગ્રહ, ભાગ ૨; જૈન હિતૈષી, ભાગ ૧૦, ૧૩; જૈન સિદ્ધાન્ત ભાસ્કર પત્રિકામાં અનેક લેખ; પ્રેમી અભિનન્દન ગ્રન્થ અને વર્ણી અભિનન્દન ગ્રન્થમાં અનેક લેખ. ૪. જર્નલ ઑફ રોયલ એશિયાટિક સોસાયટી, ૧૮૯૬, પૃ. ૫૧૩ વગેરે; જૈન લેખસંગ્રહ (નાહ૨), ભાગ ૧, સંખ્યા ૯૪૫. Page #491 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ભારતના અનેક સ્થાનોમાંથી પ્રાકૃતમાં લેખો મળ્યા છે, તેમાં શત્રુંજયમાંથી જ લગભગ ૫૦ અને બાકીના આબૂ, પાટણ, સિક્રા અને માંડવીમાંથી મળ્યા છે. જૈન વિદ્વાનોએ આ બધા લેખ ધર્માનુરાગવશ જ નથી લખ્યા પરંતુ ઈતિહાસપ્રિયતાથી પણ લખ્યા છે. તેમણે તેમાંથી અનેક લેખોની રચના પોતાના ધર્મસ્થાનો અને સંપ્રદાયના ઉપયોગ માટે નથી કરી પરંતુ અન્ય ધર્મ અને સંપ્રદાયના ઉપયોગ માટે કરી છે. આપણને એવા અનેક લેખ મળે છે જેમને જૈન વિદ્વાનોએ ઈતર સંપ્રદાયનાં મંદિરો યા સ્થાનો માટે બનાવ્યા છે. ઉદાહરણ તરીકે દિગંબર રામકીર્તિએ ચિત્તોડગઢ પ્રશસ્તિ (૧૧૫૦ ઈ.સ.) અહીંના મોકલજી મંદિર માટે, બૃહદ્ગચ્છના જયમંગલસૂરિકૃત સુન્ધાદ્રિ લેખ ચામુંડાદેવીના મંદિર માટે, યશોદેવ દિગંબરે ગ્વાલિયરના સાસુવહુ' મંદિર માટે તથા રત્નપ્રભસૂરિએ ગુહલોતોના ઘાઘસા અને ચિર્વાના વિષ્ણુપ મંદિર માટે લેખો લખ્યા હતા. અહીં એ ન સમજવું જોઈએ કે તે લેખો તે સ્થાનોમાં જૈનો પાસેથી છીનવીને લઈ જવાયા હતા. પરંતુ તેથી ઊલટું તે લેખો વિશેષતઃ તે સ્થાનો માટે જ જૈનાચાર્યોએ લખ્યા હતા કારણ કે તે લેખોના અંતે જૈનાચાર્યનું નામ, તેમની ગુરુપરંપરા, ગુણ, ગચ્છ સિવાય આપણને એવું કંઈ મળતું નથી જે જૈનો સાથે સંબંધ ધરાવતું હોય. એટલે સુધી કે મંગલાચરણનાં પદ્ય પણ અજૈન દેવીદેવતાઓના મંગલાચરણથી શરૂ થાય છે. હા, કેટલાકમાં ૐ સર્વજ્ઞાય નમઃ, પદ્મનાથાય નમઃ વગેરેથી પ્રારંભ થયો છે. આ લેખ નિશ્ચિતપણે જૈનાચાર્યોની ઉદારતા અને હૃદયની વિશાલતાને સૂચિત કરે છે. ૪૬૯ સૌથી વધારે જૈન શિલાલેખ દક્ષિણ ભારતમાં સચવાયેલા મળ્યા છે. પાશ્ચાત્ય વિદ્વાનો ઈ.હુલ્સ, જે.એફ.લીટ, લુઈ રાઈસ વગેરેએ સાઉથ ઈન્ડિયન ઈન્સ્ક્રિપ્શન્સ, ઈન્ડિયન એન્ટીક્વેરી, એપિગ્રાફિયા કર્ણાટિકા વગેરે ગ્રન્થોમાં ત્યાંના હજારો લેખોનો સંગ્રહ કર્યો છે. આ લેખો પાષાણપટ્ટો અને તામ્રપત્રો ઉપર સંસ્કૃત અને ૧. એપિગ્રાફિયા ઈન્ડિકા, ભાગ ૨, પૃ. ૪૨૧; હિસ્ટોરિકલ ઈન્ક્રિપ્શન્સ ઑફ ગુજરાત, ભાગ ૨, સંખ્યા ૧૪૬. ૨. એપિગ્રાફિયા ઈન્ડિકા, ભાગ ૯, પૃ. ૭૦-૭૭; જૈન લેખસંગ્રહ (નાહર), ભાગ ૧, સંખ્યા ૯૦૩. ૩. ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૧૫, પૃ. ૩૩-૪૬. ૪. રાજપૂતાના મ્યુઝિયમ રિપોર્ટ, ૧૯૨૭, પૃ.૩. ૫. વિયેના ઓરિએન્ટલ જર્નલ, ભાગ ૨૧. પૃ. ૧૪૨. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ જેને કાવ્યસાહિત્ય જૂની કન્નડ વગેરે ભાષાઓમાં ઉત્કીર્ણ છે. પ્રાચીન કન્નડના લેખોમાં જૈનોના બહુ અધિક છે, કારણ કે ઉત્તર કર્ણાટક અને મૈસૂર રાજયમાં જૈનોનો નિવાસ પ્રાચીન કાળથી હતો. ઉત્તર ભારતના લેખોમાં પણ જૈન લેખોની સંખ્યા બહુ અધિક છે. સન્ ૧૯૦૮માં ફ્રેંચ વિદ્વાન ડૉ. એ. ગેરિનોએ “રિપાર્ટૂર દ એપિગ્રાફી જૈન' પ્રકાશિત કર્યો હતો, તેમાં સન્ ૧૯૦૭ના અંત સુધીમાં પ્રકાશિત ૮૫૦ જૈન લેખોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. તેમાં ૮૦૯ લેખ એવા છે જેમનો સમય તેમના ઉપર લખેલો છે અથવા તો સાક્ષીઓથી જ્ઞાત થયો છે. આ લેખો ઈ.સ.પૂ. ૨૪રથી લઈને ઈ.સ.૧૮૬૬ સુધીના અર્થાત્ લગભગ ૨૨૦૦ વર્ષના છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર બન્ને સમ્પ્રદાયના લેખો છે. ત્યાર પછી સન્ ૧૯૧૫, ૧૯૨૭ અને ૧૯૨૯માં કલકત્તાથી પૂરણચન્દ્રજી નાહરે જૈન લેખસંગ્રહના ક્રમશઃ ત્રણ ભાગો પ્રકાશિત કર્યા, તેમાં શ્વેતાંબર સંપ્રદાયના હજારો મૂળ લેખોનો સંગ્રહ છે, આ સંગ્રહમાં અધિકાંશ બીકાનેર અને જેસલમેરના છે. સન્ ૧૯૧૭ અને ૧૯૨૧માં મુનિ જિનવિજયજીએ “પ્રાચીન જૈન લેખસંગ્રહ નામથી બે ભાગો પ્રકાશિત કર્યા હતા. પહેલા ભાગમાં કલિંગનરેશ ખારવેલના શિલાલેખને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને બીજા ભાગમાં શત્રુંજય, આબુ, ગિરનાર, વગેરે અનેક સ્થાનોના ૫૫૭ લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે. દક્ષિણના દિગંબર સંપ્રદાયના જૈન લેખોનો સંગ્રહ ડૉ. હીરાલાલ જૈને જૈન શિલાલેખ સંગ્રહ, પ્રથમ ભાગ, ઈ.સ.૧૯૨૮માં સંપાદિત કરીને પ્રકાશિત કર્યો છે. તેમાં શ્રવણબેલગોલા તથા નિકટવર્તી સ્થાનોના ૫૦૦ લેખ સંકલિત થયા છે. જૈન શિલાલેખ સંગ્રહના બીજા અને ત્રીજા ભાગમાં ગેરિનોની સૂચીના આધારે પં. વિજયમૂર્તિ શાસ્ત્રીએ ૮૫૦ જૈન લેખોનું સંકલન કર્યું છે, તેમાં પ૩પ લેખોનો પૂરો પાઠ અને સંક્ષિપ્ત હિંદી વિવરણ આપેલ છે. બાકીના ૧૪૦ લેખ પ્રથમ ભાગમાં આવી ગયા છે તથા ૧૭૫ શ્વેતાંબર સંપ્રદાયના લેખ છે તેથી તેમનો ઉલ્લેખ માત્ર કરવામાં આવ્યો છે. આ રીતે જૈન શિલાલેખના પ્રથમ ત્રણ ભાગોમાં કુલ ૧૦૩૫ લેખોનો સંગ્રહ થયો છે. ગેરિનો અને ડૉ. હીરાલાલ જૈનનાં સંકલનો પછી બાકી રહેલા લગભગ ૬૫૪ લેખોનો સંગ્રહ ડૉ. વિદ્યાધર જોહરાપુરકરે જૈન શિલાલેખ સંગ્રહ ૧. અમદાવાદ અને ભાવનગરથી પ્રકાશિત. ૨. માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈથી પ્રકાશિત. Page #493 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ૪૭૧ ચોથા ભાગના રૂપમાં સન્ ૧૯૬૧માં પ્રકાશિત કરાવ્યો. આમ ૧૬૮૯ દિગંબર જૈન શિલાલેખો ઉક્ત ચાર ભાગોમાં પ્રકાશિત થઈ ગયા છે. આ ચાર ભાગોમાંથી પ્રથમ ભાગમાં ડૉ. હીરાલાલ જૈને લખેલી ૧૬૨ પૃષ્ઠની, ત્રીજા ભાગમાં ડો. ગુલાબચંદ્ર ચૌધરીએ લખેલી ૧૭૩ પૃષ્ઠની અને ચોથા ભાગમાં ડૉ. વિદ્યાધર જોહરાપુરકરે લખેલી ૩૩ પૃષ્ઠની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ છે. શ્રવણબેલગોલાના શિલાલેખોના સંગ્રહની (જૈન શિ.સં.ભાગ ૧) જેમ જ આબુના ૬૬૪ લેખોનો સંગ્રહ “અબુંદ પ્રાચીન લેખસંદોહ” નામથી સ્વ. મુનિ જયન્તવિજયજીએ સં. ૧૯૯૪માં પ્રકાશિત કરાવ્યો છે. ઉક્ત મુનિજીએ સં. ૨૦૦પમાં આબૂ પ્રદેશના ૯૯ ગામોના ૬૪૫ લેખોનો સંગ્રહ “અર્બુદાચલ પ્રદક્ષિણા લેખસંગ્રહ' નામે પ્રકાશિત કર્યો છે. અન્ય લેખસંગ્રહોમાં આચાર્ય વિજયધર્મસૂરિએ સંપાદિત કરેલો “પ્રાચીન જૈન લેખસંગ્રહ ઉલ્લેખનીય છે, તે સન્ ૧૯૨૯માં પ્રકાશિત થયો છે. તેમાં સં. ૧૧૨૩થી ૧૫૪૭ સુધીના પ00 શ્વેતાંબર સંપ્રદાયના લેખોનો સંગ્રહ છે. પ્રતિમા યા મૂર્તિલેખસંગ્રહ ભારતના રાજનૈતિક અને વિશેષતઃ સંઘીય ઈતિહાસને જાણવા માટે પ્રતિમાલેખ મહત્ત્વપૂર્ણ સાધન છે. પુરાતત્ત્વ સાથે સંબંધ હોવાને કારણે આ સામગ્રી અત્યધિક વિશ્વસનીય મનાય છે. પ્રતિમાલેખોની ઐતિહાસિકતા એટલા માટે અધિક માનવામાં આવે છે કેમ કે તેમના ઉપર કિંવદત્તિઓ અને અતિશયોક્તિઓનો પ્રભાવ વધુ પડ્યો નથી કારણ કે ત્યાં લખવાની જગા ઓછી હોવાથી મુખ્ય મુખ્ય વાતોનો જ ઉલ્લેખ થાય છે. હસ્તલિખિત ગ્રન્થોમાં જે સ્થાન પુષ્મિકાઓનું છે તે જ સ્થાન મૂર્તિઓ ઉપરના પ્રતિમાલેખોનું છે. ભારતમાં જેટલા પ્રતિમાલેખો જૈન સમાજમાં મળે છે તેટલા ભાગ્યે જ કોઈ અન્ય સમાજમાં મળતા હશે. સુવિધા માટે આપણે પ્રતિમાઓ કે મૂર્તિઓને બે વર્ગોમાં વહેંચી શકીએ – પ્રસ્તર યા પાષાણમૂર્તિ અને ધાતુમૂર્તિ. ધાતુમૂર્તિઓની સંખ્યા અપેક્ષાકૃત અધિક ૧. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી પ્રકાશિત ૨-૩ યશોવિજય જૈન ગ્રન્થમાલા, ભાવનગર ૪, ભાવનગર Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ જૈન કાવ્યસાહિત્ય છે. સલેખ પ્રસ્તરમૂર્તિઓની સંખ્યા જો સેંકડો હોય તો સલેખ ધાતુમૂર્તિઓની સંખ્યા હજારો હશે. ૧૦મી સદી પછીની બહુ જ ઓછી એવી ધાતુમૂર્તિઓ હશે જે સલેખ નહીં હોય. આજ સુધી પ્રાપ્ત સૌથી પ્રાચીન પ્રતિમા લોહાનીપુર પટનાની છે, તે પાષાણની છે. જો કે તેના ઉપર કોઈ લેખ નથી પરંતુ વિશિષ્ટ પાલિશ અને ચમકના આધારે તેનો સમય મૌર્યકાલીન (ઈ.સ.પૂર્વે ૩૦૦) મનાયો છે. મથુરાથી જૈનોની અનેક મૂર્તિઓ મળી છે જે મુખ્ય ત્રણ વર્ગોમાં વહેંચી શકાય તીર્થંકરપ્રતિમાઓ, દેવીઓની મૂર્તિઓ અને આયાગપટ્ટ. તેમના ઉપર ઉત્કીર્ણ લગભગ સો લેખોમાંથી આપણને ઐતિહાસિક, ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવતી બહુ જ સામગ્રી મળે છે. તેમનામાં ઉલિખિત શક અને કુશાણ રાજાઓનાં નામ તથા તિથિઓ ઉપરથી આપણને તેમના ક્રમિક ઈતિહાસ તથા રાજ્યકાળની અવધિની જાણકારી મળે છે. સામાજિક ઈતિહાસની દૃષ્ટિએ પણ આ લેખ ઘણા મહત્ત્વના છે. તેમનામાં ગણિકા, નર્તકી, લુહાર, ગન્ધિક, સોની, ગ્રામિક, શ્રેષ્ઠી વગેરે જાતિઓ તથા વર્ગના લોકોનાં નામ મળે છે જેમણે મૂર્તિ વગેરેનાં નિર્માણ, પ્રતિષ્ઠા અને દાન કાર્યો કર્યાં હતાં. આમ જાણવા મળે છે કે બે હજાર વર્ષ પહેલાં જૈનસંઘમાં બધા વ્યવસાયના લોકો બરાબરીથી ધર્મારાધન કરતા હતા. અધિકાંશ લેખોમાં દાતાવર્ગના રૂપમાં સ્ત્રીઓની પ્રધાનતા હતી જે ઘણા ગર્વથી પોતાના પુણ્યમાં ભાગીદાર પોતાના આત્મીયોને બનાવતી હતી. આ લેખોમાંથી એક વધુ મહત્ત્વની વાત સૂચિત થાય છે કે તે સમયે લોકો વ્યક્તિવાચક નામની સાથે માતાનું નામ જોડતા હતા, જેમકે મોગલિપુત્ર, કૌશિકીપુત્ર વગેરે. જૈનધર્મના પ્રાચીન ઈતિહાસની દૃષ્ટિએ મથુરાના આ લેખ ઘણા જ મહત્ત્વના છે. આ લેખોમાં મૂર્તિઓના સંસ્થાપકોએ કેવળ પોતાનું જ નામ ઉત્કીર્ણ કરાવ્યું નથી પરંતુ પોતાના ગુરુઓનું નામ પણ ઉત્કીર્ણ કરાવ્યું છે કે જેમના સંપ્રદાયના પોતે હતા. લેખોમાં અનેક ગણો, કુલો અને શાખાઓનાં નામ પણ આપવામાં આવ્યાં છે જે જૈનાગમ, કલ્પસૂત્ર અને નદિસૂત્રની પટ્ટાવલીમાં મળે છે. તે સમયે ગણો આદિના અસ્તિત્વથી તે મહાન યુગનું, તેના જીવનની ગતિવિધિનું તથા સાથે સાથે સંપ્રદાયોની પરંપરાને સુરક્ષિત રાખવામાં લેવાયેલી વિશેષ સાવધાનીનું અનુમાન આપણે કરી શકીએ છીએ. | ગુપ્તકાળમાં આપણને જૈનમૂર્તિઓનાં કેવળ ઉચ્ચતમ ઉદાહરણ જ નથી મળતાં પરંતુ તે મૂર્તિઓએ તો તે કાળના ઈતિહાસની જટિલ સમસ્યાઓનું સમાધાન કરવામાં મહત્ત્વપૂર્ણ ફાળો પણ આપ્યો છે. ઈતિહાસકારોમાં મહારાજાધિરાજ રામગુપ્તના સંબંધમાં છેલ્લા ૫૦ વર્ષોથી સારો એવો વાદવિવાદ ચાલી રહ્યો હતો. તેમના Page #495 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક સાહિત્ય ४७३ અસ્તિત્વને દર્શાવવા માટે “દેવીચન્દ્રગુપ્ત' નાટક અને કેટલાક તાંબાના સિક્કા મળ્યા હતા પરંતુ તેમના અસ્તિત્વનો અંતિમ નિર્ણય તો જૈન મૂર્તિઓના લેખોથી જ થઈ શક્યો છે. ગયા વર્ષે ગુપ્તકાળની ત્રણ જૈન મૂર્તિઓ વિદિશાના (મધ્ય પ્રદેશ) વેશનગરની નજીકના ગામ દુર્જનપુરમાં બુલડોઝરથી જમીન સાફ કરતાં મળી છે, તે મૂર્તિઓ ઉપર ગુપ્તકાલીન લિપિમાં મહારાજાધિરાજ રામગુપ્ત’ એવું સ્પષ્ટપણે લખેલું લખાણ મળ્યું છે. ગુપ્તકાળમાં પિત્તળ આદિ ધાતુઓ દ્વારા પ્રતિમાઓનું નિર્માણ કરવાની કલાનો જૈનોએ વિકાસ કર્યો હતો અને મુગલકાળ આવતાં આવતાં તો તેનો પ્રસાર પ્રચુર માત્રામાં થઈ ગયો હતો. તેનું પ્રધાન કારણ એ હતું કે મુસલમાન મૂર્તિભંજક હતા અને પાષાણમૂર્તિઓનો સહેલાઈથી નાશ થઈ શકતો હતો જયારે ધાતુપ્રતિમાઓનો એટલી સહેલાઈથી નાશ થઈ શકતો ન હતો. પ્રતિમાલેખોના મહત્ત્વને સમજીને આજ સુધીમાં અનેક પ્રતિમાલેખસંગ્રહો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ સન્ ૧૯૧૭ અને ૧૯૨૪માં શ્વેતાંબર જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહના બે ભાગોમાં ૨૬૮૩ પ્રતિમાલેખ પ્રકાશિત કરાવ્યા છે. વિજયધર્મસૂરિના ઉપરિનિર્દિષ્ટ પ્રાચીન જૈન લેખસંગ્રહમાં પણ અધિકાંશ પ્રતિમાલેખો જ છે. સ્વ. પૂરણચન્દ્ર નાહરના પ્રાચીન જૈન લેખસંગ્રહના ત્રણ ભાગોમાં પ્રાયઃ પ્રતિમાલેખો જ અધિક છે; બીજા અને ત્રીજા ભાગમાં તો બીકાનેર અને જેસલમેરના જ પ્રતિમાલેખોનો સંગ્રહ છે, આ પ્રતિમાલેખોની સંખ્યા ૧૫૦૦થી વધુ છે. મુનિ જયન્તવિજયના આબૂના લેખસંગ્રહોમાં પણ પ્રાયઃ હજારો પ્રતિમાલેખો સંકલિત છે. આચાર્ય વિજયયતીન્દ્રસૂરિ “યતીન્દ્ર વિહાર દિગ્દર્શન'ના ચારે ભાગોમાં અનેક પ્રતિમાલેખો સંગૃહીત છે. મુનિ કાન્તિસાગરે સંપાદિત કરેલા “જૈન ધાતુપ્રતિમાલેખમાં ૩૬૯ પ્રતિમાલેખ સંવતક્રમથી સં. ૧૦૮૦થી ૧૯૫૨ સુધીના છે. પરિશિષ્ટમાં શત્રુંજય તીર્થસંબંધી દૈનંદિની પણ છાપી છે. સન્ ૧૯૫૩માં ઉપાધ્યાય મુનિ વિનયસાગરે સંવતના અનુક્રમ મુજબ ૧૨૦૦ લેખોનો સંગ્રહ પ્રતિષ્ઠાલેખસંગ્રહ' નામથી પ્રકાશિત કર્યો છે, તેમાં સ્વ. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા લખી છે. તેની પ્રધાન વિશેષતા શ્રાવકશ્રાવિકાઓનાં નામો છે. આજ સુધી સૌથી મોટો પ્રતિમાલેખસંગ્રહ શ્રી અગરચન્દ્રજી નાહટાનો ‘બીકાનેર લેખસંગ્રહ છે, તેમાં બીકાનેર અને જેસલમેર પ્રદેશોના ૩૦૦૦ પ્રતિમાલેખો ૧. અધ્યાત્મપ્રસારક મંડળ, પાદરા ૨. યતીન્દ્ર સાહિત્યસદન, ખુડાલા ૩. જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સૂરત ૪. નાહટા બ્રધર્સ, ૪ જગમોહન મલ્લિક લેન, કલકત્તા Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ સંગૃહીત છે, તેમાં અનેક શ્મશાનલેખ અને સતીલેખ પણ આવી ગયા છે. તેની ભૂમિકા, પ્રાકથન અને પરિશિષ્ટ વગેરે અત્યન્ત મહત્ત્વનાં છે. નાહટાજીએ પોતાના ‘વક્તવ્ય’ શીર્ષકવાળા લેખમાં આજ સુધી સંકલિત કરવામાં આવેલા પરંતુ અપ્રકાશિત અનેક લેખોની માહિતી આપી છે, તેથી પ્રતિમાલેખોની સંખ્યા કેટલી વિશાળ છે તે જાણવા મળે છે. પં. લક્ષ્મણભાઈ ભોજકે તૈયાર કરેલો ‘પાટણજૈનધાતુપ્રતિમાલેખસંગ્રહ’ બી. એલ. ઈન્સ્ટીટ્યૂટ દિલ્હીથી પ્રકાશિત થયો છે. દિગંબર જૈન પ્રતિમાલેખોના પણ કેટલાક સંગ્રહો ઉલ્લેખનીય છે, જેમકે શ્રી છોટેલાલ જૈને સં. ૧૯૭૯માં જૈન પ્રતિમા યંત્રસંગ્રહ પ્રકાશિત કર્યો છે. સં. ૧૯૯૪માં કામતાપ્રસાદ જૈને પ્રતિમાલેખસંગ્રહમાં મૈનપુરીની પ્રતિમાઓના લેખો પ્રકાશિત કર્યા છે. આ જ રીતે શાન્તિકુમાર ઠવલીએ નાગપુર પ્રતિમાલેખસંગ્રહમાં ૪૯૭ પ્રતિમાઓના લેખોનો સંગ્રહ જૈન શિલાલેખ સંગ્રહ ચતુર્થ ભાગના પરિશિષ્ટ ૩માં પ્રકાશિત કરેલ છે. ડૉ. વિદ્યાધર જોહરાપુરકરના ભટ્ટારક સંપ્રદાયમાં પણ અનેક પ્રતિમાલેખોનો સંગ્રહ આવી ગયો છે. ૧. જૈન સિદ્ધાન્ત ભવન, આરા. જૈન કાવ્યસાહિત્ય Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ લલિત વાડ્મય આ પ્રકરણમાં શાસ્ત્રીય મહાકાવ્ય, ગદ્યકાવ્ય, ચમ્પૂ, દૂતકાવ્ય, નાટક વગેરે (અલંકાર અને રસ શૈલીમાં સર્જવામાં આવેલ) સાહિત્યનો સમાવેશ થાય છે. શાસ્ત્રીય મહાકાવ્યના ત્રણ વર્ગો છે – રીતિમુક્ત, રીતિબદ્ધ અને શાસ્ત્રકાવ્યબહ્વર્થકકાવ્ય. આ ત્રણ વર્ગોનો પરિચય આપણે પ્રાસ્તાવિકમાંથી કરી લીધો છે. જૈન કવિઓએ પ્રાકૃતમાં કોઈ પણ પ્રકારના શાસ્ત્રીય મહાકાવ્યની રચના કરી નથી. સંસ્કૃતમાં આ પ્રકારનાં કાવ્યોની સંખ્યા બહુ જ ઓછી છે. તે કાં તો પ્રાયઃ ભારવિ, માથ આદિનાં મહાકાવ્યોનું અનુકરણ કરીને રચાયેલાં, રીતિબદ્ધ મહાકાવ્યોના વર્ગમાં મળે છે કાં તો ભિટ્ટમહાકાવ્ય આદિનું અનુકરણ કરીને રચાયેલાં, શાસ્રકાવ્ય અને બહ્રર્થકકાવ્યોના વર્ગમાં મળે છે. આ મહાકાવ્યોમાં નિમ્નલિખિત વિશેષતાઓ જણાય છે. (૧) તેમની રચનામાં લક્ષણગ્રન્થોમાં પ્રાપ્ત મહાકાવ્યસંબંધી નિયમોનું અધિકાંશ પાલન થયું છે. (૨) ભાવિ, માઘ તથા શ્રીહર્ષ વગેરેનાં મહાકાવ્યોના આદર્શને અનુસરીને તેમની કથાવસ્તુ અત્યન્ત સ્વલ્પ રાખવામાં આવી છે પરંતુ વસ્તુવ્યાપારનો અનાવશ્યક વિસ્તાર ક૨વામાં આવ્યો છે. પ્રાકૃતિક વર્ણનોના બાહુલ્યને કારણે તેમનું કથાનક શિથિલ લાગે છે. (૩) તેમનામાં ઠેકઠેકાણે કવિએ પાંડિત્યપ્રદર્શન, વાક્ચાતુરી અને કલ્પનાવૈભવ દેખાડવાની ચેષ્ટા કરી છે. (૪) તેમની ભાષા કિરાતાર્જુનીય, શિશુપાલવધ આદિને આદર્શ માનીને ચાલે છે. તેથી ભાષાશૈલી ઉદાત્ત, પ્રૌઢ અને ક્યાંક ક્યાંક દુર્બોધ બની ગઈ છે. તેમનામાં રસ, અલંકાર અને છંદોયોજના ઉપર બહુ જ જોર દેવામાં આવ્યું છે. રસોમાં શૃંગાર, વીર અને શાન્તને પ્રધાનતા દેવામાં આવી છે. અન્ય રસોનું ચિત્રણ ગૌણપણે કરવામાં આવ્યું છે. અલંકારોમાં શબ્દાલંકાર તથા ચિત્રકાવ્યોની શ્રમસાધ્ય યોજના ઉલ્લેખનીય છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય (૫) આ મહાકાવ્યોમાં કવિઓએ ધર્મ, રાજનીતિ અને વિવિધ શાસ્ત્રવિષયક જ્ઞાનનું પ્રદર્શન કર્યું છે. પ્રધુમ્નચરિતકાવ્ય આ કાવ્યની પ્રકાશિત પ્રતિમાં ૧૪ સર્ગ છે અને કુલ મળીને ૧૫૩૨ શ્લોકો છે. નવમો સર્ગ સૌથી મોટો છે. તેમાં વિવિધ છંદોમાં નિર્મિત ૩૪૯ શ્લોકો છે. આઠમા સર્ગમાં ૧૯૭ તથા પાંચમામાં ૧૫૦ શ્લોકો છે. સૌથી ઓછા શ્લોકો ૧૩મા સર્ગમાં છે ૪૪. ૨ કર્તા અને રચનાકાળ પ્રકાશિત પ્રતિમાં ગ્રન્થકર્તાની કોઈ પ્રશસ્તિ નથી. પરંતુ કારંજાના જૈન ભંડારની પ્રતિમાં ૬ શ્લોકોની એક પ્રશસ્તિ મળે છે. તે અનુસાર આ કૃતિના કર્તા મહાસેનસૂરિ છે. તે લાટબર્ગટસંઘમાં સિદ્ધાન્તોના પારગામી જયસેન મુનિના શિષ્ય ગુણાકરસેનના શિષ્ય હતા. તે પરમારનરેશ મુંજ દ્વારા પૂજિત હતા અને રાજા ભોજના પિતા સિન્ધુરાજ યા સિન્ધુલના મહત્તમ (મહામાત્ય) પર્પટ તેમના ચરણકમલોના અનુરાગી હતા. મહાસેને આ કાવ્યની રચના કરી અને રાજાના અનુચર વિવેકવાન્ મધને તેને લખી કોવિદજનોને આપ્યું. તેના પ્રત્યેક સર્ગના અંતે મહાસેનને સિન્ધુરાજના મહામહત્તમ પર્પટના ગુરુ કહ્યા છે, આ સૂચવે છે કે પર્પટ જૈનધર્મનુયાયી હતા અને તેમના માટે આ કાવ્યનું સર્જન થયું હતું. કાવ્યનિર્માણનો સમય પ્રશસ્તિમાં આપ્યો નથી પરંતુ મુંજ અને સિન્ધુલના ઉલ્લેખથી તેના સમયનું અનુમાન કરી શકાય છે. સિન્ધુરાજનો સમય લગભગ ઈ.સ.૯૯૫-૯૯૮ છે. આ ગ્રન્થની રચના પણ તે જ વર્ષોમાં થઈ હોવી જોઈએ. ૪૭૬ - ૧. માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈ, ૧૯૬૭; પં. નાથૂરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૧૧; જિનરત્નકોશ, પૃ. ૨૬૪; તેના મહાકાવ્યત્વ માટે જુઓ ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૧૦૯-૧૩૯. २. आसीत् श्रीमहासेनसूरिरनघः श्रीमुंजराजार्चितः । सीमा दर्शनबोधवृत्ततपसां भव्याब्जिनीबान्धवः ॥ श्रीसिन्धुराजस्य महत्तमेन श्रीपर्पटेनार्चितपादपद्मः । વાર તેનામિતિ: પ્રવન્યું તે પાવનું નિષ્ઠિતમંતસ્ય | પ્રશસ્તિ પદ્ય ૩-૪ ૩. ડૉ. ગુલાબચન્દ્ર ચૌધરી, પોલિટિકલ હિસ્ટ્રી ઑફ નોર્ધન ઈન્ડિયા, પૃ. ૯૫. Page #499 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૪૭૭ પ્રદ્યુમ્નચરિત ઉપર લખાયેલી રચનાઓની તાલિકા અનુસાર કહી શકાય કે આને સૌપ્રથમ સ્વતંત્ર ચરિત અને કાવ્ય તરીકે રજૂ કરવાનું શ્રેય મહાસેનાચાર્યને છે. કાલક્રમથી સંસ્કૃતમાં પ્રદ્યુમ્નચરિત ઉપર બીજી રચના સકલકીર્તિ ભટ્ટાચાર્યે (૧૫મી સદી) કરી હોવાનો ઉલ્લેખ મળે છે.' નેમિનિર્વાણમહાકાવ્ય આ કાવ્યમાં બાવીસમા તીર્થંકર નેમિનાથનું જીવનવૃત્ત આલેખાયું છે. તેમાં પંદર સર્ગ છે. પ્રત્યેક સર્ગની સમાપ્તિમાં આવતા વાક્યમાં તેને “મહાકાવ્ય' કહેવામાં આવેલ છે. તેમાં ક્રમશ: પહેલાથી પંદરમા સર્ગ સુધી ૮૩ + ૬૦ + ૪૦ + ૬૨ + ૭૨ + ૫૧ + ૫૫ + ૮૦ + ૫૭ + ૪૬ + ૫૮ + ૭૦ + ૮૪ + ૪૮ + ૮૫ = કુલ ૯૫૮ શ્લોકો છે. નાગોરના શાસ્ત્રભંડારમાં આ કાવ્યની ચાર હસ્તપ્રત છે. આ હસ્તપ્રતોમાં ૧૩મા સર્ગમાં ૮૫ શ્લોક અને અગ્નિમમાં ૮૮ શ્લોક છે. તેથી કુલ મળીને ૯૬૨ શ્લોકો થાય છે. તેરમા સર્ગમાં નેમિનાથના પૂર્વભવોનું વર્ણન છે અને બાકીના સર્ગોમાં વર્તમાન ભવ અને તેની સાથે સંબંધ ધરાવતી અન્ય વાતોનું. કાવ્યની ભાષા સરળ હોવાની સાથે સાથે અત્યન્ત સરસ છે. વિવિધ છંદોનો પ્રયોગ કરવામાં પ્રસ્તુત કાવ્યના કર્તા અતિ કુશળ છે. સાતમા સર્ગમાં આર્યા, શશિવદના, બબૂક, વિદ્યુમ્નાલા, શિખરિણી, પ્રમાણિકા, માધભંગ, હંસરુત, રુકમવતી, મત્તા, માલિની, મણિરંગ, રથોદ્ધતા, હરિણી, ઈન્દ્રવજા, પૃથ્વી, ભુજંગપ્રયાત, ઐશ્વરા, રુચિરા, મન્દાક્રાન્તા, વંશસ્થ, અમિતાક્ષરા, કુસુમવિચિત્રા, પ્રિયંવદા, શાલિની, મૌક્તિકધામ, તામરસ, તોટક, ચન્દ્રિકા, મંજુભાષિણી, મત્તમયૂર, નદિની, અશોકમાલિની, સગ્વિણી, શરમાલા, અશ્રુત, શશિકલિકા, સોમરાજી, ચંડવૃષ્ટિ, દ્વતવિલંબિત, પ્રહરણ કલિકા, ભ્રમરવિલાસિતા અને વસન્તતિલકા છે. આ છંદોમાં અનેક છંદો એવા છે જેની જાણકારી વૃત્તરત્નાકર'ના પ્રણેતા કેદારભટ્ટને પણ નહતી. આ છંદોમાં કેટલાક એવા પણ છે જેમનો પ્રયોગ કાલિદાસ, ભારવિ, માઘ તથા ઉત્તરકાલીન વીરનદિ અને હરિચ વગેરે પ્રસિદ્ધ ૧. જિનરત્નકોશ, પૃ. ૨૬૪ ૨. કાવ્યમાલા, પદ, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૩૬ 3. સંખ્યા ૨૧, ૯૯, ૧૦૭ અને ૨૫૪ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ મહાકવિઓના મહાકાવ્યોમાં પણ જોવા નથી મળતો, જેમકે ચંડવૃષ્ટિ, તેનો પ્રયોગ સાતમા સર્ગના ૪૬મા શ્લોકમાં થયો છે. ૧ પ્રસ્તુત મહાકાવ્યમાં અનુપ્રાસ અને યમક વગેરે અનેક શબ્દાલંકારોનો તથા ઉપમા, દીપક, રૂપક, શ્લેષ, પરિસંખ્યા અને વિરોધાભાસ વગેરે અનેક અર્થાલંકારોનો સુંદર પ્રયોગ થયો છે. આ કાવ્યનો પ્રધાન રસ શાન્ત છે. મહાકાવ્યોમાં નાયિકાનું નખશિખ સૌન્દર્યવર્ણન ક૨વામાં આવે છે પરંતુ નેમિનિર્વાણમાં આ જાતનું વર્ણન ક્યાંય નથી. આ કાવ્યની આ વિશેષતા છે. જૈન કાવ્યસાહિત્ય કથાવસ્તુ પ્રથમ ૨૫ શ્લોકોમાં મંગલસ્તુતિ પછી બે શ્લોકોમાં સજ્જનદુર્જનની ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી કથા આ પ્રમાણે ચાલે છે : - સુરાષ્ટ્ર દેશમાં દ્વારવતી (દ્વારિકા) નગરી હતી. તેના રાજા સમુદ્રવિજય કુશળતાથી પૃથ્વીનું શાસન કરતા હતા. એક સમયે તેણે પોતાના અનુજ વસુદેવના પુત્ર ગોવિન્દને (શ્રીકૃષ્ણને) યુવરાજ પદ દઈને રાજ્યનો ભાર હલકો કર્યો અને પુત્રપ્રાપ્તિને માટે અનેક પ્રકારનાં વ્રતો કર્યાં (પ્રથમ સર્ગ), એક વખત તે સભામાં બેઠા હતા ત્યારે તેમણે આકાશમાંથી ભૂતલ ઉપર ઉતરતી સુરાંગનાઓને દેખી. તે રાજસભામાં ઉતરી આવી અને રાજાનો જય બોલી. તેમને સુવર્ણાસનો પર બેસાડવામાં આવી અને આવવાનું કારણ પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું – આજથી છ મહિના પછી મહારાણી શિવાના ગર્ભમાં બાવીસમા તીર્થંકર નેમિનો જન્મ થશે, તેથી દેવરાજ ઈન્દ્ર મહારાણીની સેવા કરવા અમને મોકલી છે. પછી તે મહારાણીની સેવા કરવા લાગી. સમય જતાં રાતે જિનમાતાએ સોળ સ્વપ્રો દેખ્યાં (બીજો સર્ગ), જિનમાતાએ તે સ્વપ્રો રાજાને કહ્યાં અને રાજાએ તે સ્વોનું ફળ પ્રતાપી પુત્ર થવાનું કહ્યું. રાણીએ ગર્ભ ધારણ કર્યો (ત્રીજો સર્ગ), મહારાણી શિવાએ નવ મહિના પછી સકલ લોકનન્દન નન્દનને જન્મ આપ્યો. લોકમાં ઘણો આનન્દ થયો, દેવો જન્મકલ્યાણક ઉજવવા આવ્યા (ચોથો સર્ચ), તે દેવોએ બાળક જિનને પ્રણામ કર્યા, પછી તેઓ તેમને પાંડુક શિલા પર લઈ ગયા અને ત્યાં તેમનો અભિષેક કરી ઉત્સવ ઉજવ્યો. પછી દેવો સ્વર્ગ પાછા ગયા (પાંચમો સર્ગ), ક્રમે ક્રમે બાળક શૈશવ અવસ્થા પાર કરી યુવા અવસ્થાએ પહોંચ્યા. ત્યાર પછી કવિએ છઠ્ઠા સર્ગના ૧૭મા શ્લોકથી વસન્તવર્ણન, રૈવતગિરિવર્ણન (સાતમો સર્ગ), જલક્રીડાવર્ણન (આઠમો સર્ગ), સાયંકાલ તથા ચન્દ્રોદયવર્ણન (નવમો સર્ગ) તથા મધુપાન અને ૧. ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૨૯૭ અને આગળ. Page #501 -------------------------------------------------------------------------- ________________ લલિત વાવય ४७८ સુરતવર્ણન (દસમો સર્ગ) કરીને માઘના શિશુપાલવધ અનુસાર મહાકાવ્યની પરંપરાનો નિર્વાહ કરતાં ૧૧મા સર્ગથી ફરી કથાક્રમને ચાલુ કર્યો છે. ચૈત્ર મહિનામાં રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી રૈવતક પર્વત ઉપર ક્રીડા કરવા આવે છે અને ત્યાં તે નેમિનાથને જોઈ કામવેદનાની પીડા અનુભવે છે. આ બાજુ સમુદ્રવિજયે યુવરાજ કૃષ્ણને નેમિના વિવાહ માટે રૂપવતી રાજીમતીનો હાથ માંગવા મોકલ્યા. કૃષ્ણ ઉગ્રસેન આગળ કન્યાદાન માટે પ્રસ્તાવ મૂક્યો. ઉગ્રસેને તેનો સહર્ષ સ્વીકાર કર્યો. આ જાણીને રાજીમતીને પરમ આનન્દ થયો. સ્વીકૃતિ મેળવી કૃષ્ણ પાછા આવ્યા (૧૧મો સર્ગ), વિવાહની તૈયારીઓ થઈ. નેમિનાથે બનીઠનીને રથ પર ચડી વિવાહ માટે પ્રસ્થાન કર્યું. રાજધાનીમાં મોટો ઉત્સવ ઉજવાયો. આ બાજુ રાજીમતીને પણ ખૂબ શણગારવામાં આવી. બન્ને પક્ષે આનન્દનો સાગર હેલે ચડ્યો. નેમિ ઉગ્રસેનના નગરે પહોંચ્યા (૧રમો સર્ગ). જેવા તે રથમાંથી ઉતરવા તૈયાર થયા કે તેમણે વિવાહયજ્ઞમાં બાંધેલાં પશુઓનો ચીત્કાર સાંભળ્યો. તેમણે આંખો પહોંળી કરી નજીકની વાડીને જોઈ જેમાં પશુઓ કરુણ ક્રન્દન કરતા હતા. તેમણે પોતાના સારથિને પૂછ્યું કે એક સાથે બાંધેલાં આટલાં બધાં પશુઓનું શું પ્રયોજન છે ? સારથિએ કહ્યું કે આપના વિવાહમાં આવેલા મહેમાનો માટે વિશિષ્ટ ભોજન બનાવવા આ પશુઓની “વસા'નો ઉપયોગ થશે. આ સાંભળતાં જ નેમિને ભવાન્તરની સ્મૃતિ થઈ અને તે આવેલા સગાસંબંધીઓની અભિલાષા વિરુદ્ધ બોલ્યા કે હું આ પરિગ્રહ (વિવાહ) નહીં કરું અને પરમાર્થસિદ્ધિ માટે પ્રયત્ન કરીશ. તેમણે હિંસાના ભયાવહ રૂપને લોકો આગળ રજૂ કરી પોતાનાં પૂર્વજન્મોનું વર્ણન કર્યું (૧૩મો સર્ગ). તેમણે બધો વૈભવ છોડી રૈવતક (ગિરનાર) પર્વત ઉપર જઈ મુનિવ્રત ગ્રહણ કરી લીધું અને ઘોર તપસ્યા કરી, તેના ફળરૂપે તેમને કેવળજ્ઞાન (પૂર્ણ જ્ઞાન) થયું (૧૪મો સર્ગ). ત્યાર પછી ભવ્ય જીવોના કલ્યાણ માટે સમવસરણ સભામાં ઉપદેશ દેવો શરૂ કર્યો. રાજીમતીએ પણ જૈની દીક્ષા લઈને પોતાનાં કર્મબંધનો કાપ્યાં (૧૫.૮૭). અનેક વ્યક્તિઓએ મુનિવ્રત અંગીકાર કરી લીધું અને કેટલીકે શ્રાવકવ્રત. સામાન્યપણે કાવ્યનું પ્રયોજન અનુરાગની શિક્ષા આપવાનું છે પરંતુ જૈન કાવ્યોમાં આ વાત પૂર્ણપણે ચરિતાર્થ થતી નથી. આ કાવ્ય અનુરક્તિમાંથી વિરક્તિ તરફ જવાની શિક્ષા આપે છે. કર્તા અને રચનાકાલ - નિર્ણયસાગર પ્રેસ, મુંબઈની કાવ્યમાલામાં પ્રકાશિત નેમિનિર્વાણકાવ્યમાં સર્વાન્ત આપેલી પંક્તિઓમાં આ કાવ્યના કર્તાનું નામ વાભટ Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ આપ્યું છે પરંતુ કવિના પરિચય માટે કોઈ પ્રશસ્તિ નથી આપી. કિન્તુ હસ્તલિખિત પ્રતિઓમાં નિમ્નલિખિત એક શ્લોકની પ્રશસ્તિ મળે છે, તેમાંથી કવિનો બહુ જ થોડો પરિચય મળે છે : જૈન કાવ્યસાહિત્ય अहिच्छत्रपुरोत्पन्नप्राग्वाटकुलशालिनः । छाssस्य सुतश्चक्रे प्रबन्धं वाग्भटः कविः ॥ આ ઉપરથી જાણવા મળે છે કે નેમિનિર્વાણના કર્તા વાગ્ભટ છાહડના પુત્ર હતા તથા પ્રાગ્ધાટ અર્થાત્ પોરવાડ કુળના હતા અને અહિચ્છત્રપુરમાં જન્મ્યા હતા. તેમણે ન તો પોતાના કોઈ ગુરુ વગેરેનું નામ લખ્યું છે કે ન તો કોઈ અન્ય પરિચય આપ્યો છે. તેમણે પોતાના કોઈ પૂર્વવર્તી કવિ યા આચાર્યનું સ્મરણ પણ કર્યું નથી કે જેને આધારે તેમના સમય ઉપર પ્રકાશ પાડી શકાય. ગ્રન્થનું આંતિરક નિરીક્ષણ બતાવે છે કે વાગ્ભટ દિગંબર સંપ્રદાયના હતા. કાવ્યના પ્રારંભના મંગલાચરણમાં મલ્લિનાથ તીર્થંકરને ઈશ્વાકુવંશી રાજાના પુત્ર (શ્વેતાંબર સંપ્રદાયની જેમ પુત્રી નહીં) માન્યા છે તથા બીજા સર્ગમાં દિગંબરમાન્ય ૧૬ સ્વપ્રોનું વર્ણન છે. આ ઉપરથી તેમનું દિગંબર સંપ્રદાયના હોવું નિશ્ચિત છે. આ કાવ્ય ઉપર દિગંબર ભટ્ટા૨ક જ્ઞાનભૂષણની એક પંજિકા ટીકા મળે છે. બીજી કોઈ ટીકા મળી નથી. આ કાવ્ય ઉપર માધના શિશુપાલવધની સ્પષ્ટ છાયા છે જે છઠ્ઠા સર્ગથી ૧૦મા સર્ગ સુધી જોઈ શકાય છે. કાવ્યની વિષયવસ્તુ ગુણભદ્રના ઉત્તરપુરાણમાંથી લીધી ૧. આરાના જૈન સિદ્ધાન્ત ભવનમાં સં. ૧૭૨૭, પૌષ કૃષ્ણા અષ્ટમી શુક્રવારે લખાયેલી હસ્તપ્રતમાં (જૈન હિતૈષી, ભાગ ૧૫, અંક ૩-૪, પૃ. ૭૯); શ્રવણબેલ્ગોલના સ્વ. પં. દૌ. જિનદાસ શાસ્ત્રીના પુસ્તકાલયમાં પ્રાપ્ત હસ્તપ્રતમાં (જૈન હિતૈષી, ભાગ ૧૧, અંક ૭-૮, પૃ. ૪૮૨); ગુલાલવાડી, મુંબઈના વીસપંથી જૈન મંદિરના ભંડારમાં આ કાવ્યની ત્રણ હસ્તપ્રતો (નં.૨૦, ૬૪, ૬૫)માં જે હસ્તપ્રતોને સ્વ. પં. નાથૂરામ પ્રેમીએ જોઈ હતી (જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૨૭ ઉપર ટિપ્પણ). ૨. અહિચ્છત્રપુર ઉત્તર પ્રદેશના જિલ્લા બરેલીનું રામનગર મનાય છે પરંતુ ગૌ. હીરાચન્દ્ર ઓઝા અનુસાર નાગોર (જોધપુર)નું પુરાણું નામ નાગપુર યા અહિચ્છત્રપુર હતું. કવિ વાગ્ભટ પ્રથમનું જન્મસ્થાન નાગોર જ હોવું જોઈએ. Page #503 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૪૮૧ જણાય છે. તેથી તે અવશ્ય તેમના પછી થયા છે. ચન્દ્રપ્રભચરિત મહાકાવ્યના કર્તા વીરન%િ (૧૧મી સદીના પૂર્વાર્ધ) વાડ્મટની શૈલીથી અવશ્ય પ્રભાવિત હતા તથા વામ્ભટાલંકારમાં નેમિનિર્વાણનાં અનેક પઘોને ઉદાહરણ તરીકે ઉદ્ધત કરવામાં આવ્યાં છે. તેથી નેમિનિર્વાણની રચના આ બન્નેની પછીની ન હોઈ શકે. એટલે વાલ્મટનો સમય દસમી સદી હોવો જોઈએ. તેરમી સદીના પ્રારંભે મહાકવિ હરિચન્ટે પોતાના મહાકાવ્ય ધર્મશર્માભ્યદયમાં અનેક સ્થાને નેમિનિર્વાણમાંથી પ્રચુર માત્રામાં ભાવ, ભાષા અને શબ્દ લીધા છે. ચન્દ્રપ્રભચરિતમહાકાવ્ય આમાં આઠમા તીર્થંકર ચન્દ્રપ્રભના ચરિતને મહાકાવ્યત્વનું રૂપ આપવામાં આવ્યું છે. તેમાં ૧૮ સર્ગ છે અને કુલ મળીને ૧૬૯૧ શ્લોકો છે. અંતે કર્તાની પ્રશસ્તિના ૬ શ્લોક અલગથી આપ્યા છે. બધા સર્ગોના અત્તિમ શ્લોકમાં “ઉદય' શબ્દ આવ્યો છે. તેથી આ કાવ્ય ઉદયાંક છે.' - ચન્દ્રપ્રભચરિતની કથાવસ્તુનો મુખ્ય આધાર ઉત્તરપુરાણ છે. ઉત્તરપુરાણના ૫૪મા પર્વમાં ચન્દ્રપ્રભના કુલ મળીને સાત ભવોનું વર્ણન છે. તેના અંતે કેવળ એક શ્લોકમાં તે સાતે ભવોનાં નામ ક્રમથી આપવામાં આવ્યાં છે : ૧. જેમકે વાભદાલંકાર ૨૮ = નેમિનિર્વાણ ૭.૧૬; ૩૦ = ૭.૫૦; ૩૨ = ૬.૫૧; ૩૩ = ૭.૨૫; ૩૪ = ૬.૪૬; ૩૯ = ૬.૪૭; ૪૦ = ૭.૨૬; ૬૩ = ૧૦.૨૫; ૬૯ = ૧૦.૩૫ ૨. જૈન સદેશ, શોધાંક ૮, પૃ. ૨૮૫-૨૮૬, ૫. અમૃતલાલ જૈનનો લેખઃ વાલ્મટ ઔર હરિશ્ચન્દ્રમેંપૂર્વવર્તી કૌન. આ જ પ્રમાણોના આધારે ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રીએ નેમિનિર્વાણ મહાકાવ્યને ચન્દ્રપ્રભચરિત અને ધર્મશર્માલ્યુદયની પછીની રચના માનેલ છે: જુઓ – સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૨૮૨-૨૮૩. ૩. જિનરત્નકોશ, પૃ. ૧૧૯; કાવ્યમાલા, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૧૨; જીવરાજ પ્રસ્થમાલા, સોલાપુર, ૧૯૭૦; તેના મહાકાવ્યત્વ વિશે જુઓ – સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૮૧ અને આગળ. ૪. તિ શ્રીવીરતિqયા વાપત્તેિ મહાત્રે............... સ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૨ જૈન કાવ્યસાહિત્ય श्रीवर्मा श्रीधरो देवोऽजितसेनोऽच्युताधिपः । पद्मनाभोऽहमिन्द्रोऽस्मान् पातु चन्द्रप्रभः प्रभुः ॥ આ ક્રમ અનુસાર આ કાવ્યમાં પણ ચન્દ્રપ્રભનું ચરિત આપવામાં આવ્યું છે અને પ્રશસ્તિપદ્યોના અત્તે એક શાર્દૂલવિક્રીડિતમાં ક્રમશઃ સાતે ભવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે : यः श्रीवर्मनृपो बभूव विबुधः सौधर्मकल्पे ततस्तस्माच्चाजितसेनचक्रभृदभूद्यश्चाच्युतेन्द्रस्ततः । यश्चाजायत पद्मनाभनपतियों वैजयन्तेश्वरो, यः स्यात्तीर्थकर: स सप्तमभवे चन्द्रप्रभः पातु नः ॥ કૃતિના પ્રારંભે ૬ શ્લોકોમાં મંગલાચરણ, ૨ શ્લોકોમાં સજ્જન-દુર્જન ચર્ચા તથા બેમાં પોતાની લઘુતા પછી પાંચમા ભવના જીવ પદ્મનાભની કથાથી વિષયવસ્તુનો પ્રારંભ થાય છે (૧ સર્ગ). પદ્મનાભ શ્રીધર મુનિ પાસેથી પોતાના પૂર્વ ભવોને સાંભળે છે (૨ સર્ગ). ત્યાર પછી ચન્દ્રપ્રભના સાતમા ભાવ પૂર્વેના જીવ શ્રીવર્માનું વર્ણન છે, તે તપસ્યા કરી શ્રીધર દેવ બને છે (૩-૪ સર્ગ). શ્રીધરનો જીવ અજિતંજય રાજા અને અજિતસેના રાણીથી અજિતસેન રાજકુમાર થાય છે. તેને યુવરાજ પદવી મળે છે. ચન્દ્રરુચિ નામનો અસુર તેનું અપહરણ કરે છે (૫ સર્ગ). તે પછી અસુરે તેને મનોરમા સરોવરમાં પાડી દેવો, પછી અટવી પર્વતમાં તેનું ભટકવું, યુદ્ધવર્ણન, વિવાહવર્ણન, પછી પોતાના નગરમાં તેનું પાછા ફરવું વગેરેનું વર્ણન (૬ સર્ગ); અજિતસેનને લોકોત્તર ઐશ્વર્યની પ્રાપ્તિ, રાજ્યાભિષેક, દિગ્વિજયયાત્રા આદિનું વર્ણન (૭ સર્ગ) કરવામાં આવ્યું છે. ત્યાર પછી વસન્ત, ઉપવનવિહાર, જલકેલિ, સંધ્યા, ચન્દ્રોદય, રાત્રિક્રીડા, નિશાવસાનનાં વર્ણનો આવે છે (૮-૧૦ સર્ગ), અજિતસેન રાજાનું સભામાં આવવું, ગજક્રીડા જોવી, ગજ દ્વારા એક વ્યક્તિનું મૃત્યુ થતું દેખી વૈરાગ્ય થવો, તપસ્યા કરવી, મરીને અચ્યતેન્દ્ર થવું, પછી પદ્મનાભનો જન્મ (પાંચમા ભવનો જીવ), પદ્મનાભનો પોતાના પૂર્વ ભવો અંગેના મુનિઉપદેશમાં સંદેહ, વનકેલિ ગજનું આવવું અને તેને વશ કરી લેવો (૧૧ સગ), પૃથ્વીપાલ રાજાના દૂતનું ગજ માટે આવવું અને તર્ક રજૂ કરવો, રાજાના ઈશારે યુવરાજની ઉક્તિપ્રયુક્તિઓ તથા મ–વિચારવર્ણન (૧૨ સગ), પૃથ્વીપાલ ઉપર આક્રમણ કરવા પ્રસ્થાન, રસ્તામાં આવતી નદી (૧૩ સર્ગ), મણિકૂટ પર્વત વગેરેનું તથા સેના સન્નિવેશનું વર્ણન, સેના સહિત પૃથ્વીપાલ રાજાનું આગમન (૧૪ સર્ગ), સંગ્રામ તથા પૃથ્વીપાલ રાજાનો વધ, શત્રુના કપાયેલા મસ્તકને જોઈ પદ્મનાભને થયેલો Page #505 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૪૮૩ વૈરાગ્ય, પુત્રને રાજય સોંપી તપસ્યા કરવી અને શરીર ત્યાગી અહમિન્દ્ર થવું , આદિનું વર્ણન (૧૫ સર્ગ), પૂર્વ દેશની ચન્દ્રપુરી નગરીમાં મહારાજા મહાસેન અને મહારાણી લક્ષ્મણાના પુત્રરૂપે ગર્ભમાં આવવું (૧૬ સર્ગ), ચન્દ્રપ્રભ જિનનો જન્મ, જન્મકલ્યાણક, બાલક્રીડા, વિવાહ, સામ્રાજ્યલાભ, સંસારની અસારતાનું જ્ઞાન, તપગ્રહણ વગેરે (૧૭ સર્ગ), જૈન સિદ્ધાન્તોનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. કાવ્યની વર્ણ વસ્તુને જોવાથી જણાય છે કે આમાં મહાકાવ્યોચિત બધા ગુણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાવ્યમાં પ્રસંગત અન્ય રસોનો પ્રયોગ થયો છે પરંતુ શાન્ત રસને પ્રધાનતા આપવામાં આવી છે. બાકીના રસો અંગ બની રહ્યા છે, અંગી નથી બની શક્યા. કર્તા અને રચનાકાલ – પ્રસ્તુત કૃતિના કર્તા આચાર્ય વીરનન્ટિ છે. તેમની આ જ એકમાત્ર કૃતિ મળે છે. તેમની ગુરુપરંપરા કૃતિના અંતે પ્રશસ્તિમાં આપી છે. તેનાથી જાણવા મળે છે કે આચારસારના કર્તા વીરનનિ જેમના ગુરુ મેઘનન્ડિ હતા તે તથા મહેન્દ્રકીર્તિના શિષ્ય એક બીજા વીરનદિ આ બે વીરનદિઓથી આપણા આ પદ્મપ્રભચરિત મહાકાવ્યના કર્તા વીરનજિ જુદા છે. આ કાવ્યની પ્રશસ્તિમાં વીરનદિના ગુરુનું નામ અભયનન્ટિ આપ્યું છે. આ અભયનદિના ગુરુ વિબુધગુણનદિ હતા. વિબુધગુણનદિના ગુરુનું નામ ગુણનન્દિ હતું. તે દેશીયગણના આચાર્ય હતા. પ્રશસ્તિમાં લખ્યું છે કે વીરનદિએ પોતાના બુદ્ધિબળથી સમસ્ત વાડુમયને આત્મસાત કરી લીધું હતું – તે સર્વત સ્વતત્ર હતા. સજ્જનોની સભાઓમાં કુતર્કોને માટે અંકશ સમાન તેમનાં વચનો સદા વિજયી હતાં, આ કારણે તેમનો યશ પણ ખૂબ હતો. ૧. ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયો કા યોગદાન, પૃ. ૮૧ અને આગળ २. बभूव भव्याम्बुजपाबन्धुः पतिर्मुनीनां गणभृत्समानः । सदग्रणीर्देशगणाग्रगण्यो गुणाकरः श्रीगुणनन्दिनामा ॥१॥ गुणग्रामाम्भोधेः सुकृतवसतेर्मित्रमहसा मसाध्यं यस्यासीन किमपि महीशासितुरिव। स तच्छिष्यो ज्येष्ठः शिशिरकरसौम्यः समभव વિયાતો નાના વિવુધ"નીતિ મુવને ! ૨ . . मुनिजननुतपादः प्रास्तमिथ्याप्रवादः । સતગુખસમૃદ્ધતર્થ શિષ્ય: પ્રસિ: Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ જેન કાવ્યસાહિત્ય અભયનદિના શિષ્ય હોવાને સંબંધે વીરનદિ અને ગોસારના કર્તા નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તી બન્ને સતીÁ હતા. નેમિચન્દ્ર સિ.ચ.તેમનાથી ઘણા જ પ્રભાવિત હતા. તેમણે કર્મકાંડમાં તેમનો ત્રણ વાર સમ્માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. પોતાના સહાધ્યાયી દ્વારા મંગલાચરણના પ્રસંગોમાં આ પ્રકારનું સ્મરણ વીરનન્દિની પ્રતિષ્ઠાનું દ્યોતક છે. આ ઉપરાંત પ્રસિદ્ધ દાર્શનિક અને વિશિષ્ટ કવિ વાદિરાજસૂરિએ પોતાના કાવ્ય પાર્શ્વનાથચરિતમાં વીરનદિના નામની અને તેમની કૃતિની પ્રશંસા કરી છે. કવિ દામોદરે પોતાની કૃતિ ચન્દ્રપ્રભચરિતમાં વીરનદિને વંદન કરતાં કવીશ' કહ્યા છે તથા પંડિત ગોવિન્ટે તેમનો ઉલ્લેખ પોતાની રચનાના પ્રારંભમાં ધનંજય, અસગ અને હરિશ્ચન્દની પહેલાં કર્યો છે. કવિ આશાધરે પોતાની કૃતિ સાગારધર્મામૃતમાં ચન્દ્રપ્રભચરિતનો એક શ્લોક ઉદ્ધત કર્યો છે. મહાકવિ હરિશ્ચન્દ્ર ધર્મશર્માલ્યુદયની રૂપરેખા પ્રાયઃ ચન્દ્રપ્રભચરિતને સામે રાખી તૈયાર કરી હતી. વિરન્ટિએ પોતાની કૃતિમાં પોતાના પૂર્વવર્તી કોઈ પણ કવિનો કે કૃતિનો ઉલ્લેખ નથી કર્યો. તેથી જાણવા મળે છે કે સમકાલીન અને પરવર્તી આચાર્યો અને કવિઓ ઉપર વીરનન્દિનો ઘણો પ્રભાવ હતો. તો પણ નેમિનિર્વાણનો તેમના ઉપર કંઈક પ્રભાવ તો અવશ્ય હતો. વીરનદિ નેમિચન્દ્ર સિ.ચ.ના સતીર્થ્ય હતા એટલે તેમનો સમય તે જ હોવો જોઈએ જે સમયે તેમના સહાધ્યાયીનો હોય. નેમિચન્ટે કર્મકાંડની રચના अभवदभयनन्दी जैनधर्माभिनन्दी स्वमहिमजितसिन्धुर्भव्यलोकैकबन्धुः ॥ ३ ॥ भव्याम्भोजविबोधनोद्यतमतेर्भास्वत्समानत्विषः शिष्यस्तस्य गुणाकरस्य सुधियः श्रीवीरनन्दीत्यभूत् । स्वाधीनाखिलवाङ्मयस्य भुवनप्रख्यातकीर्तेः सताम् संसत्सु व्यजयन्त यस्य जयिनो वाचः कुतर्काङ्कशाः ॥ ४ ॥ शब्दार्थसुन्दरं तेन रचितं चारुचेतसा । श्रीजिनेन्दुप्रभस्येदं चरितं रचनोज्ज्वलम् ॥ ५ ॥ ૧. કર્મકાંડ, ગાથા ૪૩૬, ૭૮૫, ૮૯૬. ૨. પાર્શ્વનાથચરિત, ૧. ૩૦ ૩. ચન્દ્રપ્રભચરિત, ૧૧૯ ૪. પુરુષાર્થાનુશાસન, ૨૨ ૫. ૧.૧૧ની વ્યાખ્યામાં ચન્દ્રપ્રભચરિતનો શ્લોક ૪. ૨૮ Page #507 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય સેનાપતિ ચામુંડરાયની વિનંતીથી કરી હતી. આ ચામુંડરાયે ગોમ્મટસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા ચૈત્ર શુક્લ પંચમી રવિવાર અર્થાત્ ૨૨ માર્ચ સન્ ૧૦૨૮માં શ્રવણબેલ્ગોલ નામના સ્થાને કરી હતી, તેથી વીરન્દિનો સમય ૧૧મી સદીનો પ્રારંભ માની શકાય. વર્ધમાનચરિત આમાં ભગવાન મહાવીરના વર્તમાન ભવની અને પૂર્વભવોમાં મરીચિ, વિશ્વનન્દી, અશ્વત્રીવ, ત્રિપૃષ્ઠ, સિંહ, કપિષ્ઠ, હરિષેણ, સૂર્યપ્રભ વગેરેની કથાઓ વર્ણવવામાં આવી છે. ૪૮૫ તેની કથાવસ્તુ ઉત્તરપુરાણના ૭૪મા પર્વમાંથી લેવામાં આવી છે પરંતુ કવિએ કથાવસ્તુને મહાકાવ્યોચિત બનાવવા માટે તેમાં કાપકૂપ પણ કરી છે. કવિ અસગે પુરુરવા અને મરીચિના આખ્યાનો છોડી દીધાં છે અને શ્વેતાતપત્રા નગરીના રાજા નન્દિવર્ધનના આંગણામાં પુત્રજન્મોત્સવથી કથાનકની શરૂઆત કરવામાં આવી છે. આ આરમ્ભસ્થલ બહુ જ રમણીય થઈ પડ્યું છે. પૂર્વ ભવાવલિના પ્રારંભિક ઘટનાંશને દેખાડ્યો નથી પરંતુ મુનિરાજના મુખે કહેવડાવ્યો છે. આમ ઉત્તરપુરાણની કથાવસ્તુ અક્ષુણ્ણ રહી છે. કવિએ એ વાતનું પૂરું ધ્યાન રાખ્યું છે કે પૌરાણિક કથાનક મહાકાવ્યનું રૂપ ધારણ કરી શકે, એ માટે તેમણે પૂરો પ્રયત્ન કર્યો છે. આ મહાકાવ્યમાં જીવનનાં પ્રધાનતત્ત્વોની વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે, જેમકે પિતાપુત્રનો સ્નેહ નન્દિવર્ધન અને નન્દનના જીવનમાં, ભાઈનો સ્નેહ વિશ્વભૂતિ અને વિશાખભૂતિના જીવનમાં, પતિપત્નીનો પ્રેમ ત્રિપૃષ્ઠ અને સ્વયંપ્રભાના જીવનમાં, વિવિધ ભોગવિલાસ હિરષણના જીવનમાં અને શૌર્ય તથા અદ્ભુત કાર્યોનું વર્ણન ત્રિપૃષ્ઠના જીવનમાં. આ કાવ્યની શૈલી મહાકાવ્યોચિત ગરિમામયી ઉદાત્ત છે, અને ગંભીર રસવ્યંજના પણ તેમાં વિદ્યમાન છે. તે સાથે જ સંધ્યા, પ્રભાત, મધ્યાહ્ન, રાત્રિ, વન, સૂર્ય, નદી, પર્વત આદિનાં સાંગોપાંગ વર્ણનો પણ છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૪૨; સંપાદન અને મરાઠી અનુવાદ — જિનદાસ પાર્શ્વનાથ ફડકુલે, પ્રકાશક – રાવજી સખારામ દોશી, સોલાપુર, ૧૯૩૧; હિન્દી અનુવાદ – પં. ખૂબચન્દ્ર શાસ્ત્રી, પ્રકાશક – મૂલચન્દ કિસનદાસ કાપડિયા, સૂરત, ૧૯૧૮; આનો સંક્ષિપ્ત ઉલ્લેખ પહેલાં પૃ. ૧૨૬ ઉપર કરી દીધો છે. અહીં વિશેષ પરિચય પ્રસ્તુત છે. ૨. સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૧૫૦-૧૫૨. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ જૈન કાવ્યસાહિત્ય મહાકાવિએ આ કાવ્યને વિવિધ અલંકારો અને છંદોથી પણ શણગાર્યું છે. વર્ધમાનચરિત ઉપર પૂર્વવર્ત કવિઓનો પ્રભાવ જોવા મળે છે. તેની શૈલી પ્રાયઃ ભારવિના કિરાતાર્જુનીયમની શૈલી સાથે મળતી છે. રઘુવંશ, શિશુપાલવધ, ચન્દ્રપ્રભચરિત, નેમિનિર્વાણ આદિ કાવ્યો સાથેનું યત્કિંચિત્ સાદૃશ્ય પણ દેખાય છે. કર્તા અને રચનાકાળ – કવિની એક અન્ય કાવ્યકૃતિ શાન્તિનાથચરિતની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેના કર્તા અસગ કવિ હતા. તેમના પિતાનું નામ પટુમતિ અને માતાનું નામ વૈરતિ હતું. કવિના ગુરુનું નામ નાગનન્ટ હતું. કવિએ શ્રીનાથના રાજ્યકાળમાં ચોલરાજયની જુદી જુદી આઠ નગરીઓમાં આઠ કૃતિઓની રચના કરી છે. વર્ધમાનચરિતની પ્રશસ્તિ અનુસાર આ કાવ્યનો રચનાકાળ શક સંવત ૯૧૦ (ઈ.સ.૯૮૮) છે. કવિના ગુરુ નાગનદિ સંભવતઃ તે જ નાગનદિ છે જેમનો ઉલ્લેખ શ્રવણબેલગોલના ૧૦૮મા શિલાલેખમાં નન્ટિસંઘના આચાર્ય તરીકે છે. પરંતુ નદિસંઘની પટ્ટાવલીમાંથી તો તેમના વિશે કંઈ પણ જાણવા મળતું નથી. ધર્મશર્માલ્યુદય આ મહાકાવ્યમાં પંદરમા તીર્થંકર ધર્મનાથના જીવનચરિતનું આલેખન છે. તેમાં ૨૧ સર્ગો છે અને કુલ મળીને ૧૭૬૫ શ્લોકો છે. અત્તે ગ્રન્થકર્તાની પ્રશસ્તિ ૧૦ શ્લોકોમાં આપવામાં આવી છે. આ કાવ્યની કથાવસ્તુનો આધાર આચાર્ય ગુણભદ્રકૃત ઉત્તરપુરાણનું ૬૧મું પર્વ છે જેમાં ધર્મનાથનું ચરિત માત્ર પર પદ્યોમાં આલેખાયું છે, તેમાં ધર્મનાથના કેવળ બે પૂર્વ ભવો અને વર્તમાન ભવનું વર્ણન છે. “ ૧. આ મહાકાવ્યના અલંકારોના પરિશીલન માટે જુઓ – સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૧૫૩-૧૬૧. ૨. છંદો માટે પણ તે જ ગ્રન્થ જુઓ, પૃ. ૧૬૧. ૩. કાવ્યમાલા, ૮, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૩૩; જિનરત્નકોશ, પૃ. ૧૯૩; હિન્દી અનુવાદ – પં. પન્નાલાલ સાહિત્યાચાર્યકૃત, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી. ૪. ઉત્તરપુરાણ, પર્વ ૬૧. ૫૪ Page #509 -------------------------------------------------------------------------- ________________ લલિત વામૈય આટલી નાની કથાવસ્તુને લઈને સરસ, સુંદર શબ્દાવલી, મનોહર ભાવો અને કલ્પનાઓની મદદથી આટલા વિશાલ કાવ્યની સૃષ્ટિ કવિની વિશાલ પ્રતિભાનું ફળ છે. ૪૮૭ કથાનો પ્રારંભ કરતાં પહેલાં ૯ શ્લોકોમાં મંગલાચરણ, પછી ૨૨ શ્લોકોમાં પોતાની લઘુતા, કાવ્યનો સાર-નિઃસાર, સજ્જન-દુર્જન નિરૂપણ કરીને ઉત્તર કોશલ દેશના રત્નપુર નગરનું વર્ણન છે. બીજા સર્ગમાં રાજા મહાસેન અને રાણી સુવ્રતાને પુત્ર ન હોવાની ચિન્તાનું તથા વનપાલ દ્વારા ઉદ્યાનમાં ચારણ મુનિના આગમનના સમાચાર મળવાનું વર્ણન છે. ત્રીજા સર્ગમાં પુરજન-પરિજન સમેત રાજાના મુનિદર્શન માટે ગમનનું અને પોતે તીર્થંકરના પિતા બનશે એવી ભવિષ્યવાણીના મુનિમુખે શ્રવણનું નિરૂપણ છે. ચોથા સર્ગમાં રાજાની વિનંતીથી મુનિ ધર્મનાથના બે પૂર્વભવોની કથા કહે છે અને સર્વાર્થસિદ્ધિ વિમાનથી ચ્યુત થઈ મહારાણી સુવ્રતાના ગર્ભમાં આવવાની વાત કહે છે. પાંચમા સર્ગમાં લક્ષ્મી વગેરે દેવીઓ દ્વારા કરાતી સુવ્રતાની પરિચર્યાનું, સુવ્રતાએ દેખેલાં ૧૬ સ્વપ્રોનું તથા ગર્ભધારણ પ્રસંગે દેવતાઓએ કરેલા પૂજાઉત્સવનું વર્ણન છે. છઠ્ઠાથી આઠમા સર્ગ સુધી જન્મકલ્યાણક, જન્માભિષેક વગેરેનું વર્ણન છે. નવમા સર્ગમાં બાલ્યકાલથી યુવાવસ્થા પ્રાપ્ત કરવાનું, સ્વયંવર માટે વિદર્ભ દેશ પ્રસ્થાન કરવાનું તથા માર્ગમાં આવતી ગંગાનદીનું વર્ણન છે. દસમા· સર્ગમાં માર્ગમાં કિન્નરેન્દ્રની વિનંતીથી ધર્મનાથના વિન્ધ્યગિરિમાં વિશ્રામનું તથા ત્યાં કુબેર નગરીની રચના આદિનું વર્ણન છે. અગીઆરમા સર્ગમાં ધર્મનાથની સેવા માટે ઉપસ્થિત છ ઋતુઓનું વર્ણન છે. બારમા સર્ગમાં વનશ્રીસુષમા અને પુષ્પાવચયનું વર્ણન છે, તેરમા સર્ગમાં નર્મદા નદીમાં જલક્રીડાનું વર્ણન છે. ચૌદમા સર્ગમાં સંધ્યા, રાત્રિ, ચન્દ્રોદય વગેરેનું વર્ણન છે. પંદરમા સર્ગમાં મદ્યપાન અને સંભોગશૃંગારનું વર્ણન છે. સોળમા સર્ગમાં પ્રભાતવર્ણન છે તથા ધર્મનાથનું વિદર્ભ તરફ પ્રસ્થાન વર્ણિત છે તથા વિદર્ભદેશવર્ણન છે અને વિદર્ભ નરેશ સાથેના મેળાપનું વર્ણન છે. સત્તરમા સર્ગમાં સ્વયંવરનું વર્ણન, રાજકન્યા ઈન્દુમતી દ્વારા ધર્મનાથનું વરણ, વિવાહવર્ણન તથા પત્ની સાથે સ્વદેશ પાછા ફરવું વર્ણિત છે. અઢારમા સર્ગમાં ધર્મનાથનો નગરપ્રવેશ, પિતા મહાસેન દ્વારા દીક્ષાગ્રહણ તથા ધર્મનાથના રાજ્યાભિષેકનું વર્ણન છે. ઓગણીસમા સર્ગમાં ધર્મનાથના સેનાપતિ સુપેણનું વિદર્ભમાં અન્ય રાજાઓ સાથે યુદ્ધ તથા તેમાં વિજય પ્રાપ્ત કરી સુપણના પાછા ફરવાનું વર્ણન છે. વીસમા સર્ગમાં ઉલ્કાપાત ૧. દસમાથી સોળમા સર્ગ સુધી માઘના શિશુપાલવધની શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જણાય છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ જેન કાવ્યસાહિત્ય જોઈ ધર્મનાથને વૈરાગ્ય થવો, દીક્ષા લેવી, તપસ્યા કરવી, કેવલજ્ઞાન થવું વગેરેનું નિરૂપણ છે તથા સમવસરણનું વર્ણન છે અને એકવીસમી સર્ગમાં ધર્મદેશના, ભ્રમણ તથા મોક્ષગમનનું વર્ણન છે. કથાનકના ઉપર્યુક્ત વિશ્લેષણથી જાણવા મળે છે કે સાવ નાના કથાનકને કવિએ મહાકાવ્યનું વિસ્તૃત રૂપ આપ્યું છે. તેમાં પહેલાથી છઠ્ઠા સર્ગ સુધી પરંપરાગત કથાની પ્રધાનતા છે, પરંતુ પછીના સર્ગોમાં કથાવસ્તુને ગૌણ કરી અલંકૃત વર્ણનોને પ્રધાનતા આપવામાં આવી છે. દસથી સોળ સર્ગોમાં મહાકાવ્યાય વિષયોનાં વર્ણનો છે. સત્તરથી વીસ સર્ગોમાં પુનઃ કથાવસ્તુના સૂત્રને પકડી લીધું છે. પ્રસ્તુત કાવ્યનું કથાનક લઘુ હોવા છતાં પણ કવિએ પોતાનાં પાત્રોનું ચરિત્રચિત્રણ સારી રીતે કર્યું છે. તેમાં ધર્મનાથ, મહાસેન, સુવ્રતા, ચારણમુનિ અને સુષેણ એ પાંચ જ પાત્ર મુખ્યપણે દેખાય છે. તેવી જ રીતે, પ્રાકૃતિક વર્ણનો કરવામાં કવિ બહુ સફળ રહ્યા છે. તેમનું ક્ષેત્ર આ વિષયમાં ઘણું વ્યાપક છે.' પાત્રોનાં સૌન્દર્યવર્ણનો પણ કવિએ યથાસ્થાન રજૂ કર્યા છે. કવિએ જયાંત્યાં તત્કાલીન સામાજિક સ્થિતિનું ચિત્ર પણ આલેખ્યું છે. તેમણે આ કાવ્યના ચોથા અને એકવીસમી સર્ગમાં જૈન ધર્મ અને દર્શનના પ્રમુખ સિદ્ધાન્તોને રજૂ કર્યા છે. ધર્મશર્માલ્યુદય રમણીય ભાવો અને કલ્પનાઓનો વિશાલ ભંડાર છે. તેમાં વિવિધ રસોનો, ખાસ કરીને શાન્ત અને શૃંગાર રસનો, સારો પરિપાક થયો છે. નવમા સર્ગમાં વાત્સલ્યરસ, સત્તરમામાં શૃંગારરસ, ઓગણીસમામાં વીરરસ તથા વીસમામાં શાન્તરસની માર્મિક અભિવ્યંજના થઈ છે. આ કાવ્યની ભાષા અત્યન્ત પ્રૌઢ અને પરિમાર્જિત છે. ભાષા ઉપર કવિનું અસાધારણ પ્રભુત્વ દેખાઈ આવે છે. ભાષામાં સ્વાભાવિકતા અને સજીવતાના દર્શન થાય છે. યથાસ્થાન માધુર્ય, ઓજ અને પ્રસાદ ત્રણે ગુણોનો પ્રયોગ થયો છે પરંતુ માધુર્ય ગુણ સંપૂર્ણ કાવ્યમાં છવાયેલો છે. કાવ્યપરંપરા અનુસાર આ કાવ્યમાં પણ એક સર્ગ (૧૯મો) પાંડિત્યપ્રદર્શન અને શબ્દકીડા માટે રચાયો છે. તેમાં વિવિધ ચિત્રકાવ્યોની યોજના કરવામાં આવી છે – ગોમૂત્રિક, અર્ધભ્રમ, મુરજબંધ, સર્વતોભદ્ર, ષોડશદલકમલ તથા ચક્રબંધ વગેરે. આ જ રીતે એકાક્ષર, ૧. સર્ગ ૨.૭૭; ૩. ૨૬-૨૭, ૧૩-૩૮; ૧૦.૯; ૧૧.૭૨; ૧૪,૮, ૩૯; ૧૬.૧૮, - ૪૫-૪૬ વગેરે. ૨. સર્ગ ૨.૧૫, ૧૯; ક. ૨૮ આદિ, Page #511 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ક્ષર, નિરોચ્, અતાલવ્ય અક્ષરો દ્વારા પઘરચના કરવામાં આવી છે. ઉપર્યુક્ત ચિત્રાલંકારો ઉપરાંત કવિએ વિવિધ અલંકારોની યોજના કરી છે. તેમાં સ્વાભાવિકતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ અને યમકનો પ્રયોગ પ્રચુર થયો છે અને અર્થાલંકારોમાં સાદૃશ્યમૂલક અલંકારો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અર્થાન્તરન્યાસનો પ્રયોગ બહુ થયો છે. છંદોના પ્રયોગમાં કવિનું ક્ષેત્ર વ્યાપક છે. તેમણે ૨૫ છંદોનો પ્રયોગ કર્યો છે. પ્રત્યેક સર્ગમાં એક જ સર્ગનો પ્રયોગ કરી સર્ગાન્તે છંદપરિવર્તન કરવામાં આવ્યું છે. દસમા સર્ગમાં વિવિધ છંદોનો પ્રયોગ કર્યો છે. કાવ્યમાં ઉપજાતિ, અનુષ્ટુપ્ અને વંશસ્થનો પ્રયોગ સૌથી વધુ થયો છે. કવિએ પોતાના આ કાવ્યમાં પૂર્વવર્તી કોઈ પણ કવિ, ગ્રન્થકાર કે ગ્રંથનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ કાવ્યના અધ્યયનથી જાણવા મળે છે કે તેના ઉપર માઘના શિશુપાલવધ, વાગ્ભટના નેમિનિર્વાણ અને વીરનન્દિના ચન્દ્રપ્રભચરિતનો પ્રભાવ પ્રચુર માત્રામાં છે. ધર્મશર્માભ્યુદયનાં નીચેનાં પઘો (૧) ૪.૨૯ (૨) ૫.૨ (૩) ૫.૫૪ (૪) ૬.૩ (૫) ૬.૨૦ (૬) ૭.૧ ૫.૬૮ (૭) ૩.૫૨ ધર્મશર્માભ્યુદયનાં નીચેનાં પઘો ચન્દ્રપ્રભચરિતનાં નીચેનાં પઘો સાથે તુલનીય છે. (૧) ૨૧.૮ ૧૮.૨ (૨) ૨૧.૯૦ ૧૮.૭૮ (૩) ૨૧,૯૯ ૧૮.૮૮ આ જ રીતે ધર્મશર્માભ્યુદયના ચોથા સર્ગનાં અને ચન્દ્રપ્રભચરિતનાં દાર્શનિક ચર્ચાનાં પદ્યો તુલનીય છે. ૪૮૯ નેમિનિર્વાણનાં નીચેનાં પઘો સાથે તુલનીય છે. ૧.૭૦ ૨.૨ ૨.૩૯ ૪.૫ ૪.૨૩ ૫.૧ કવિપરિચય અને રચનાકાલ કાવ્યના ૧૯મા સર્ગના અનેક ચિત્રબન્ધોમાં તથા ૨૧મા સર્ગને અન્તિમ પદ્યમાં કાવ્યના કર્તાનું નામ હરિચન્દ્ર આપ્યું છે. — Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ જંન કાવ્યસાહિત્ય કવિએ ૧૦ પદ્યોની પ્રશસ્તિમાં કૃતિના અંતે પોતાનો પરિચય આપ્યો છે કે શ્રીસમ્પન્ન મોટી મહિમાવાળા અને સારા જગતના શણગાર રૂપ નોમકોનો વંશ છે, તેના હસ્તાવલંબનને કારણે રાજયલક્ષ્મી વૃદ્ધ થવા છતાં પણ દુર્ગપથથી અલિત થતી નથી. કાયસ્થ કુલમાં આન્દ્રદેવ નામનો પુરુષરત્ન થયો. તેની પત્નીનું નામ રચ્યા હતું. તેનાથી હરિશ્ચન્દ્ર નામનો પુત્ર થયો. તે અરહંત ભગવાનના ચરણકમલોનો ભ્રમર હતો. તેની વાણી સારસ્વત સ્રોતમાં નિર્મળ થઈ ગઈ હતી. પોતાના ભાઈ લક્ષ્મણની ભક્તિ અને શક્તિના કારણે હરિશ્ચન્દ્ર તેવી જ રીતે નિર્વાકુળ બનીને શાસ્ત્રસમુદ્ર પાર કરી ગયા જેવી રીતે રામે લક્ષ્મણના કારણે સંતુ પાર કર્યો હતો.' પ્રશસ્તિમાંથી એ જાણવા મળે છે કે કવિ એક રાજમાન્ય કુળના હતા અને આ રાજમાન્યતા એમને ત્યાં પેઢીઓથી ચાલતી આવી હતી. કવિએ માતાપિતા, પોતાનું નામ અને અનુજનું નામ આપવા ઉપરાંત પોતાના વંશનો તથા પોતાના પૂર્વજ ગુરુઓ અને આચાર્યનો કોઈ પરિચય આપ્યો નથી. તે ક્યાંના રહેવાસી હતા એ પણ ઉક્ત પ્રશસ્તિમાં જણાવ્યું નથી. કવિ કયા સંપ્રદાયના હતા એ પણ ઉક્ત પ્રશસ્તિમાંથી જાણવા મળતું નથી પરંતુ કૃતિની આંતિરક તપાસ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે તે દિગંબર મતાનુરાગી હતા. તેમણે આ કાવ્યની કથા ઉત્તરપુરાણમાંથી લીધી છે, ધર્મદેશનાના પ્રસંગમાં તેમણે ચન્દ્રપ્રભચરિતની શૈલીનું અનુસરણ કર્યું છે, નેમિનિર્વાણકાવ્યનાં અનેક પદ્યો સાથે પણ આ કાવ્યનાં અનેક પદ્યાનું નોંધપાત્ર મળતાપણું છે, તથા પાંચમા સર્ગમાં દિગંબરમાન્ય ૧૬ સ્વપ્રોનું વર્ણન છે, ત્રીજા સર્ગના આઠમા શ્લોકમાં દિગંબર સાધુનો સમાગમ વગેરે કર્તા હરિશ્ચન્દ્ર દિગંબર મતાનુયાયી હોવાનું સૂચવે છે. પરંતુ તે કટ્ટર દિગંબર ન હતા. તેમણે શ્વેતાંબર ગ્રન્થોનું તથા જૈનેતર ગ્રન્થોનું પણ અધ્યયન કર્યું હતું. અન્તિમ (૨૧મા) સર્ગમાં જે ખરકર્મોનો ઉલ્લેખ છે તે હેમચન્દ્રના યોગશાસ્ત્ર ઉપર આધારિત કવિનું અધ્યયન વ્યાપક હતું. તેમણે પોતાની કૃતિના સર્જનમાં તત્ત્વાર્થસૂત્ર, આદિપુરાણ, ઉત્તરપુરાણ , યશસ્તિલકચમ્પગઘચિન્તામણિ, ચન્દ્રપ્રભચરિત, ૧. પ્રશસ્તિ , પદ્ય ૧-૫ ૨. TMUત્તે નાઝ નદીના ! ૩. (૧) ધ.શ., સર્ગ ૨૧, શ્લોક ૧ ૩૧ = યો. શા. પૃ. ૧દદ (ર) ધશ, સર્ગ ૨૧, શ્લોક ૧૩૬ = થો. શા. તૂ. પ્ર. પૃ. ૪૯૩ (૩) ધ.શ., સર્ગ ૨૧, બ્લોક ૧૪૫ = યો. દા. તૃ. પ્ર. પૃ. ૫૭ (૮) ધ.શ., સર્ગ - ૧, કલક ૧દ - યો, શા. તૂ. પ્ર. પૃ. ૫દ૯ Page #513 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રયા ૪૯૧ નેમિનિર્વાણ, યોગશાસ્ત્ર, ત્રિપરિશલાકાપુરુચરિત વગેરે જૈન ગ્રન્થોના તથા રઘુવંશ, કુમારસંભવ, નાગાનન્દનાટક, હર્ષચરિત, કાદમ્બરી, દશકુમારચરિત, ગઉડવહ, શિશુપાલવધ , નલીયૂ, નૈષધીયચરિત, ધ્વન્યાલાક, કાવ્યપ્રકાશ તથા હિન્દુ પુરાણો, જ્યોતિષ, આયુર્વેદ, કામશાસ્ત્ર, કોષ, વ્યાકરણ અને અલંકારશાસ્ત્રના ગ્રંથોના ગહન અધ્યયનનો ઉપયોગ કર્યો છે અને ધર્મશર્માસ્યુદય કાવ્યની રચના કરવા માટે ઘોર પરિશ્રમ કર્યો છે. તેથી તે પોતાની ગ્રન્થપ્રશસ્તિના અન્તિમ પદ્યમાં લખે છે – “મવતુ ૨ શ્રમવિઃ સર્વે વીનાં નના: અર્થાતુ બધા લોકો કવિઓના પરિશ્રમને જાણે સમજે. - હરિશ્ચન્દ્ર અલંકારશાસ્ત્રનું ગંભીર અધ્યયન કર્યું હતું પરંતુ તે રસધ્વનિ સંપ્રદાયના તો સાર્થવાહ હતા – નાયક હતા (રHĀધ્વનિ સાર્થવાહ). હરિશ્ચન્દ્રની કીર્તિ તેમના પોતાના સમયમાં જ ખૂબ ફેલાઈ ગઈ હતી. તેમને સરસ્વતીપુત્ર સમજવામાં આવતા હતા. તે અન્ય કવિઓની પછી થયા હોવા છતાં તેમની ગણના પહેલી થવા લાગી હતી. તે પોતાના સમયમાં જ એક અધિકારી વિદ્વાન થઈ ચૂક્યા હતા. કાશમીરના એક મંત્રી કવિ જણે (ઈ. સ. ૧૨૪૭) પોતાની સુભાષિતમુક્તાવલિ'માં ધર્મશર્માલ્યુદયનું એક પદ્ય ઉદ્ધત કરી તેમનો ઉલ્લેખ ચન્દ્રસૂરિ' નામથી કર્યો છે. સંભવ છે કે “ચન્દ્ર તેમનું ઉપનામ રહ્યું હોય અને જૈન વિદ્વાન હોવાથી એમની “સૂરિ' ઉપાધિ હોય." આ કાવ્યની પ્રશસ્તિમાં કે બીજે ક્યાંય ધર્મશર્માલ્યુદયનો રચનાકાલ આપ્યો નથી. તો પણ તેનો રચનાકાલ અન્ય સાધનોથી જાણી શકાય છે. આ કાવ્યની પ્રાચીનતમ હસ્તલિખિત પ્રતિ પાટણ ભંડારમાંથી મળી છે, તેમાં પ્રતિલિપિકાલ ૧. જર્મન વિદ્વાન ડૉ. હ. યાકોબીએ વિયેના ઓરિએન્ટલ જર્નલ, ભાગ 1, પૃ. ૧૩૮ વગેરેમાં “માઘ અને ભારવિ' લેખમાં શિશુપાલવધનાં અનેક પદ્યો તથા ગઉડવડનાં અનેક પદ્યો સાથે ધર્મશર્માલ્યુદયનાં પઘોની ભાષા અને ભાવોનું સામ્ય દર્શાવ્યું છે. ૨. પદ્ય સં.૧૦ની અંતિમ પંક્તિ ૩. પ્રશસ્તિપદ્ય ૭ ૪. વાડ઼ેવતાઃ સમઃ સર્ચ: પશ્ચિમોડપિ પ્રથમતન્ન્ના (પ્રશસ્તિપદ્ય દ) ૫. ધર્મશર્માલ્યુદયના બીજા સર્ગના પદ્ય ૪૦ સાથે સુભાષિત મુક્તાવલિના પૃ. ૧૮૫ ઉપર મુદ્રિત પદ્યની તુલના કરો – सुहत्तमावेकत उन्नता स्तनौ गुरूनितम्बोऽप्ययमन्यतः स्थितः । कथं भजे कान्तिमितीव चिन्तया ततान तन्मध्यमतीव तानवम् ।। Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ જૈન કાવ્યસાહિત્ય સં. ૧૨૮૭ આપવામાં આવ્યો છે. તેથી તે સમય પહેલાં આ કૃતિની રચના અવશ્ય થઈ હોવી જોઈએ. તેની પૂર્વાવધિ આચાર્ય હેમચન્દ્રના યોગશાસ્ત્ર પછીની જ આવે છે કારણ કે કાવ્યના ૨૧મા સર્ગમાં જે ખરકર્મોનો ઉલ્લેખ છે તે હેમચન્દ્રના યોગશાસ્ત્ર પર આધારિત છે, આ વાત અમે પહેલાં કહી ગયા છીએ. હેમચન્દ્રનો સમય ૧૨મી શતાબ્દીનો ઉત્તર ભાગ અને ૧૩મી શતાબ્દીનો પૂર્વ ભાગ છે. તેથી હરિશ્ચન્દ્રનો સમય તેરમી શતાબ્દી (વિક્રમ)ના ઉત્તર ભાગમાં રાખી શકાય છે. અનુમાન છે કે પાટણ ભંડારમાંથી મળેલી ધર્મશર્માલ્યુદયની સં. ૧૨૮૭ની પ્રતિ સર્વપ્રથમ છે, તેથી વિદ્વાનોનો મત છે કે ઉક્ત કાવ્યની રચના સં. ૧૨૫થી ૧૨૮૭ વચ્ચે ક્યારેક થઈ છે. હરિશ્ચન્દ્ર નામના અનેક વિદ્વાન સંસ્કૃત સાહિત્યમાં થઈ ગયા છે પરંતુ તે બધા ધર્મશર્માલ્યુદયના વિદ્વાન કર્તા કવિ હરિશ્ચન્દ્રથી જુદા છે અને પરવર્તી છે. સનસ્કુમારચરિત આ એક ઉત્કૃષ્ટ કોટિનું મહાકાવ્ય છે. તેમાં સનકુમાર ચક્રવર્તીનું ચરિત મનોહર શૈલીમાં આલેખાયું છે. તેમાં ૨૪ સર્ગો છે. તેમાં ઘટનાઓના આધિક્ય, ઘટનાઓના સમુદિત વિકાસ તથા પાત્રોની કર્મશીલતાના કારણે નાટક વાંચતાં જેવો આનંદ થાય તેવો આનંદ થાય છે. કથાવસ્તુ નીચેના ક્રમે ચાલે છે : ૧-૩ સર્ગમાં કાંચનપુરનો રાજા વિક્રમ યશ પોતાના નગરના વણિક નાગદત્તની સુંદર પત્ની વિષ્ણુશ્રીનું અપહરણ કરીને પ્રેમને વશ થઈને પોતાની અન્ય રાણીઓની ઉપેક્ષા કરે છે. રાણીઓ માત્રિક વિધિથી વિષ્ણુશ્રીને મરાવી નાખે છે. રાજા તેનું અંતિમ દર્શન કરવા મશાન જાય છે પરંતુ વિષ્ણુશ્રીના શબમાંથી ભયંકર દુર્ગધ નીકળતી હોવાથી રાજાને વૈરાગ્ય થાય છે અને તપસ્યા કરી સ્વર્ગે જાય છે. ૪-૬ સર્ગોમાં વિક્રમયશ અને નાગદત્તના જીવોની, દેવ અને મનુષ્ય ભવોમાં, બદલાની વેરભાવનાનું વર્ણન છે. ૭મા સર્ગમાં વિક્રમ યશનો જીવ હસ્તિનાપુરના રાજાના કુમાર તરીકે જન્મ લે છે. આઠમા સર્ગમાં તેનું નામ સનકુમાર રાખવામાં આવે છે અને યુવાન થતાં તેને યુવરાજ બનાવવામાં ૧. જૈન સદેશ, શોધાંક ૭, પૃ. ૨૫૧-૨૫૪; ૫. અમૃતલાલ શાસ્ત્રીનો લેખ : મહાકવિ હરિશ્ચન્દ્ર. ૨. જિનરત્નકોશ, પૃ. ૪૧૨; વિશેષ પરિચય માટે જુઓ – તેરહવ-ચૌદહવી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય (3. શ્યામશંકર દીક્ષિત), પૃ. ૨૨૨-૨૪૯. Page #515 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદથ ૪૯૩ આવે છે, તેનું વર્ણન છે. ૯-૧૧મા સર્ગોમાં સનકુમારના અપહરણનું, તેના મિત્ર દ્વારા તેની ખોજનું અને પ્રાપ્તિનું વર્ણન છે. ૧૨-૨૨ સર્ગોમાં સનકુમારના સૂચનથી તેની પત્ની બકુલમતી અશ્વ દ્વારા સનકુમારના અપહરણથી શરૂ કરી સનકુમારે કરેલ યક્ષવિજયનું, સનકુમારના ભાનવેગની આઠ કન્યાઓ સાથે વિવાહ આદિનું, સનકુમારના અશનિઘોષ સાથે યુદ્ધનું અને બકુલમતી આદિ કન્યાઓ સાથે તેના વિવાહનું વર્ણન કરે છે. આ પ્રસંગમાં ચૌદમા અને સોળમા સર્ગમાં ક્રમશઃ ચન્દ્રોદય અને શરદ ઋતુનું વર્ણન છે. બાવીસમા સર્ગના અન્ત માહિતી મળે છે કે સનકુમાર પોતાના માતાપિતાને મળવા માટે નીકળી પડે છે. તેવીસમા સર્ગમાં સનકુમારનો નગરપ્રવેશ, કેટલોક સમય વીત્યા પછી સનકુમારનું સૌન્દર્ય જોવા એક દેવનું આગમન અને તેની કાન્તિને અચાનક ક્ષણ થતી જોઈ ૬ મહિનામાં મૃત્યુની સંભાવના જણાવી જતા રહેવું, તે સાંભળી સનકુમારને વૈરાગ્ય થવો – આ બધું વર્ણવાયું છે. ચોવીસમા સર્ગમાં સનકુમારે વ્રત-ઉપવાસ કરવાં, તેમના શરીરમાં સાત ભયંકર વ્યાધિઓ થવી, દેવ વડે સનકુમારની પરીક્ષા, છેવટે પંચપરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરી સનકુમારનું મોક્ષગમન વર્ણવાયું છે. અહીં કાવ્ય સમાપ્ત થાય છે. આ કાવ્યનું કથાનક સારું સંગઠિત અને વ્યવસ્થિત છે. બધી ઘટનાઓ એકબીજી સાથે સંબદ્ધ છે, તેથી કથાનકમાં અવિચ્છિન્નતા અને ધારાવાહિકતા છે. તેમાં અન્ય પૌરાણિક મહાકાવ્યોમાં મળતા દોષો અર્થાત્ અવાન્તર કથાઓની યોજના લા લાંબાં વર્ણનોનો અભાવ છે. સનકુમારચરિત્રમાં અનેક પાત્રો છે પરંતુ તે બધાંમાં સનસ્કુમારના પાત્રનો સારી રીતે વિકાસ કરવામાં આવ્યો છે. અન્ય પાત્રોમાં અશ્વસેન (પિતા), મહેન્દ્ર (મિત્ર), બકુલમતી (પત્ની) વગેરે છે. પ્રકૃતિચિત્રણ પણ આ કાવ્યમાં વિવિધ રૂપોમાં થયું છે. ચૌદમો અને સોળમો સર્ગ આ બાબતમાં સારાં ઉદાહરણો રજૂ કરે છે, અન્ય સર્ગોમાં પણ પ્રકૃતિનાં વ્યાપક રૂપો મળે છે. સૌન્દર્યવર્ણનમાં કવિએ નખશિખ વર્ણન કર્યું છે, તેમાં પણ સ્વાભાવિક સૌન્દર્યનું, નહિ કે પ્રસાધનસામગ્રીથી અલંકૃત સૌન્દર્યનું. સામાજિક ચિત્રણમાં કવિએ વૈવાહિક રીતરિવાજો સિવાય અન્ય સામાજિક પરંપરાઓનું વર્ણન પ્રાયઃ નથી કર્યું. ૧. સર્ગ ૧૦. ૬૧, પ, ૬૪, ૬૫; ૧૧.૫, ૧૪; ૧૨. ૪૧, દ૯; ૧૫.૧૪; ૧૬.૬૩. Page #516 -------------------------------------------------------------------------- ________________ ४८४ જૈન કાવ્યસાહિત્ય તેવી જ રીતે આ કાવ્યમાં જૈનધર્મના નિયમો યા દાર્શનિક સિદ્ધાન્તોનું વિવેચન પણ નહિવત છે. ત્રીજા સર્ગમાં ગુણાઢ્યસૂરિની દેશનાનો સંકેત માત્ર કરવામાં આવ્યો છે. પરંતુ પરોક્ષ રીતે જૈનધર્મની મહત્તાનું પ્રતિપાદન કરવું એ આ કાવ્યનું પ્રયોજન છે. આ કાવ્યનો પ્રધાન રસ શાન્તરસ છે પરંતુ અન્ય રસોની અભિવ્યક્તિ પણ થઈ છે. આઠમા સર્ગમાં સનકુમારની બાલક્રીડાઓના વર્ણનમાં વાત્સલ્યરસનોર સુન્દર ઉદ્રક થયો છે. દસમા સર્ગમાં સનકુમારની ખોજના સમયે અટવીના વર્ણનમાં ભયાનકરસ તથા મૃત વિષ્ણુશ્રીના દુર્ગન્ધ મારતા શબના ચિત્રણમાં બીભત્સ રસની નિષ્પત્તિ કરવામાં આવી છે. અશનિઘોષ અને સનસ્કુમાર વચ્ચેના યુદ્ધવર્ણનમાં વીરરસ" જોઈ શકાય છે. ભાષા, રીતિ, ગુણ અને અલંકારની દૃષ્ટિએ પણ આ કાવ્ય મહનીય છે. ભાષામાં ગરિમા અને ઉદાત્તતા છે. રસો અને ભાવનાઓને અનુકુળ ભાષા પ્રવાહિત થઈ છે. જ્યાંત્યાં કહેવતો અને લોકોક્તિઓનો પ્રયોગ પણ થયો છે.” કેવળ એક સર્ગ એકવીસમાની ભાષામાં પાંડિત્યપ્રદર્શન કરવામાં આવ્યું છે જેને સમજવા માટે બૌદ્ધિક વ્યાયામ કરવો પડે છે. આમાં ચિત્રબન્ધનાં વિવિધ ઉદાહરણો રજૂ કરવામાં આવ્યાં છે. આ જ સર્ગમાં શબ્દાલંકારોની છટાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે પરંતુ અન્ય સર્ગોમાં સ્વાભાવિકતાની રક્ષા કરીને જ અર્થાલંકારોનો પ્રયોગ થયો છે. તેમાં ઉપમા, ઉન્મેલા અને રૂપકનો પ્રયોગ પ્રચુરતાથી થયો છે. અન્ય અલંકારોમાં સજેશ, ઉદાહરણ, સંભાવના, વિશેષોક્તિ, પરિસંખ્યા, એકાવલી, મુદ્રા આદિ દર્શનીય છે. આ કાવ્યના સર્ગોમાં પ્રાયઃ એક છંદનો જ પ્રયોગ થયો છે અને સર્ગના અત્તે છંદ બદલવામાં આવ્યો છે. કેટલાક સર્ગોમાં વિવિધ છંદોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કાવ્યમાં કુલ મળીને ચોત્રીસ છંદોનો પ્રયોગ થયો છે. સૌથી વધુ ઉપજાતિ, અનુષ્ટપુ અને વંશસ્થનો પ્રયોગ થયો છે. અપરિચિત યા અલ્પપરિચિત ૧. સર્ચ ૨૩. ૮-૧૧; ૧૬.૬; ૧૮. ૧૪-૨૨ ૨. સર્ગ ૮.૫, ૨૩ ૩. સર્ગ ૧૦, ૨૭, ૩૧, ૩૪ ૪. સર્ગ ૩, ૩૧-૩૫ ૫. સર્ગ ૨૦ ૬. સર્ગ ૧. ૮૪; ૨.૩, ૮૮, ૯૦; ૫. ૪; ૧૮, ૨૩. Page #517 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ? ૪૯૫ છંદોમાં યુગ્મવિમલા, મણિગુણનિકરા, ચંડવૃષ્ટિ, પ્રયાતોદંડક, અર્ણવાખ્યદંડક, વ્યાલાખ્યદંડક આદિ છે કર્તા અને રચનાકાલ – કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે મહાકાવ્યના કર્તા જિનપાલગણિ છે. તે ચન્દ્રકુલની પ્રવરવજશાખાના મુનિ હતા. ખરતરગચ્છના સંસ્થાપક જિનેશ્વરસૂરિની પરંપરામાં થયેલા જિનપતિસૂરિના તે શિષ્ય હતા. ખરતરગચ્છની બૃહદ્ગુર્નાવલિ અનુસાર જિનપાલે સં. ૧૨૨પમાં દીક્ષા લીધી હતી, સં. ૧૨૬૯માં જિનપતિસૂરિએ તેમને ઉપાધ્યાય પદ આપ્યું હતું, સં. ૧૨૭૩માં પં. મનોજાનન્દને હરાવીને જિનપાલ ઉપાધ્યાયે નગરકોટના રાજા પૃથ્વીન્દ્ર પાસેથી જયપત્ર મેળવ્યો હતો. તેમનો સ્વર્ગવાસ સં. ૧૩૧૧માં થયો હતો.' અભયકુમારચરિત (સં.૧૩૧૨)ના કર્તા ચન્દ્રતિલકગણિને જિનપાલ ઉપાધ્યાયે ધાર્મિક ગ્રન્થો ભણાવ્યા હતા. શ્રી મો. દ. દેસાઈ અનુસાર જિનપાલ ઉપાધ્યાયે સં. ૧૨૬૨માં ષસ્થાનકવૃત્તિની રચના કર્યા પછી આ મહાકાવ્યની રચના કરી હતી. આ કાવ્યની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ સં. ૧૨૭૮ વૈશાખ વદી પની મળે છે. તેથી સનકુમારચરિતનો રચનાકાળ સં. ૧૨૬૨ અને ૧૨૭૮ વચ્ચેનો માની શકાય છે. કવિએ ઉક્ત કાવ્યની રચના ભક્તિભાવથી પ્રેરાઈને કરી હતી. જયન્તવિજય આ મહાકાવ્યમાં મગધ દેશના રાજા જયન્ત અને તેના વિજયોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ૧૯ સર્ગ છે અને મહાકાવ્ય “શ્રી” શબ્દાંકિત છે. તેમાં કુલ પદ્યો ૧૫૪૮ છે. તે અનુષ્ટભુમાપથી ૨૨૦૦ શ્લોકપ્રમાણ છે. ૧. ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલિ (સિ.જૈ.2.), પૃ. ૪૪-૫૦ ૨. અભયકુમારચરિત, પ્રશસ્તિ, શ્લોક ૩૮-૪૦ ૩. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૯૫ ૪. સર્ગ ૨૪.૧૧૨ ૫. કાવ્યમાલા, ૭૫, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, જૈ. ધ. પ્ર. સ. ભાવનગર; જિનરત્નકોશ, પૃ. ૧૩૩; તેના મહાકાવ્યત્વ માટે જુઓ – સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૩૦૮ ઈત્યાદિ. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ જેન કાવ્યસાહિત્ય સર્ગો અનુસાર આ કાવ્યનું સંક્ષિપ્ત કથાનક આ પ્રમાણે છે : પ્રારંભમાં આઠ શ્લોકોમાં મંગલાચરણ અને ૬ પદ્યોમાં સજ્જનદુર્જનસ્વભાવવિવેચન પછી કથાનો આરંભ થાય છે. ત્યાર પછી મગધ દેશની જયન્તી નગરીના રાજા વિક્રમસિંહ, તેમની રાણી પ્રીતિમતી અને મંત્રી સુબુદ્ધિનો પરિચય આપવામાં આવ્યો છે (૧ સર્ગ). ત્યાર પછી હાથણી અને ગજશિશુને જોઈને રાણીને સંતાન ન હોવાથી ઉદાસીનતા થાય છે, રાજા પ્રાણોની બાજી લગાવીને પણ રાણીની ઈચ્છા પૂરી કરવાની પ્રતિજ્ઞા કરે છે (ર સર્ગ). મત્રી સુબુદ્ધિ પ્રતિજ્ઞા પૂર્ણ કરવાના સાધન તરીકે પંચપરમેષ્ઠિ મંત્ર બતાવે છે, ઉદાહરણ તરીકે ધનાવહ શેઠની કથા કહેવામાં આવે છે, ધનાવહે ઉક્ત મંત્રના પ્રભાવે અનેક વિપત્તિઓ પાર કરી હતી (૩ સર્ગ). પછી રાજાએ રાતે નગરવીક્ષા કરવી, નારીચીત્કારનું અનુગમન કરી નમસ્કાર મંત્રના બળે એક દેવને પરાસ્ત કરવો અને તેની પાસેથી મુક્તાહાર પ્રાપ્ત કરવો અને આગળ જતાં એક કન્યાની બલિ ચડાવવા તત્પર એક યોગીને પરાસ્ત કરી કન્યાને પ્રાપ્ત કરવી – આ બધું વર્ણવાયું છે (૪ સર્ગ). કન્યાના પરિચયથી જાણ થવી કે તે પોતાની રાણીની બહેન છે. પછી એક દેવતા યોગીનો અને રાજા વિક્રમસિંહનો પૂર્વજન્મ વર્ણવે છે (૫ સર્ગ). ત્યાર બાદ રાજાએ કન્યાને તેના પિતા પાસે લઈ જવી, કન્યાના પિતાએ કન્યાના વિવાહ રાજા વિક્રમસિંહ સાથે કરવા, નવવિવાહિતા પત્ની સાથે રાજાને પોતાની નગરીમાં પાછા આવવું અને દેવતાએ આપેલો મોતીનો હાર રાણી પ્રીતિમતીને દેવો, રાણીએ ગર્ભ ધારણ કરવો અને વખતસર રાણીને જયન્ત નામના પુત્રને જન્મ દેવો – આ બધું આલેખાયું છે (૬ સર્ગ). પછી જયન્ત યુવાન થતાં તેનું યુવરાજ થવું અને વસત્તત્રતુમાં વનશ્રી જોવા ઉપવન જવું વર્ણવાયું છે (૭ સર્ગ). તે પછી દોલાન્દોલન, પુષ્પાવચય, જલકેલિ, સૂર્યાસ્ત અને ચન્દ્રોદયનું વર્ણન છે અને સંધ્યા સમયે રાજધાનીમાં યુવરાજના પાછા આવવાનું સૂચન કરવામાં આવ્યું છે. (૮ સર્ગ) એક વાર સિંહલનરેશના હાથીનું જયન્તી નગરીમાં ભાગી આવવું, રાજાની આજ્ઞાથી હાથીને પકડવો, સિંહલનરેશના માંગવા છતાં હાથીને પાછો ન આપવો, સિંહલનરેશે આક્રમણ કરવું અને તેનો સામનો કરવા જયન્ત સસૈન્ય જવું સર્ગ નવમામાં આલેખાયું છે. ત્યાર બાદ સિંહલનૃપના મૃત્યુનું તથા જયન્તની વિજયયાત્રાનું વર્ણન છે (સર્ગ ૧૦). પછી જયન્તના દિગ્વિજયનું વર્ણન આવે છે (૧૧ સર્ગ). ત્યાર પછી ગગનવિલાસપુરના રાજાની પુત્રી કનકવતીના વિવાહાથે દેવતાએ જયન્તનું અપહરણ કરવું અને જયન્ત એક જિનમંદિરમાં જઈ ધર્મસૂરિ મુનિના Page #519 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૪૯૭ મુખે દેશના સાંભળવી, એનું વર્ણન છે (૧૨ સર્ગ). પછી જયન્ત-કનકવતીના વિવાહનું વર્ણન છે (૧૩ સર્ગ). વિવાહ પછી ઈષ્યવશ આક્રમણ કરનાર રાજા મહેન્દ્રના યુદ્ધમાં વધનું વર્ણન છે (૧૪ સગ). - ત્યાર બાદ જયન્તના પિતા વિક્રમસિંહને મુનિના ઉપદેશથી સમ્યક્તની પ્રાપ્તિ, વાદવિવાદમાં મુનિએ એક બ્રાહ્મણને હરાવવો અને તે બ્રાહ્મણને સભામાંથી કાઢી મૂકવો, તે સમયે જયન્તનું પાછું આવવું (૧૫ સર્ગ) અને એક સ્વયંવરમાં જઈ રતિસુંદરી દ્વારા પસંદ થવું (૧૬ સર્ગ), વિદ્યાદેવી દ્વારા જયન્ત અને રતિસુંદરીના પૂર્વભવનું વર્ણન (૧૭ સર્ગ), જયન્ત રતિસુંદરી સમક્ષ કરેલું ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુનું વર્ણન, રતિસુંદરીના પિતાએ જયન્તને હસ્તિનાપુરનો રાજા બનાવ્યો તેનું વર્ણન (૧૮ સર્ગ). ત્યાર પછી પિતાનું આમંત્રણ મળતાં જયન્તનું હસ્તિનાપુરથી જયન્તી નગરી પહોંચી જવું, પિતા પાસેથી રાજ્યભાર ગ્રહણ કરવો, વિક્રમસિંહે દીક્ષા લેવી તથા જયન્ત નીતિપૂર્વક પ્રજાપાલન કરવું અને જિનેન્દ્રભક્તિનો પ્રચાર ' કરવો અને સૌધર્મયતિનું સમ્માન પ્રાપ્ત કરવું, અત્તે સત્પાત્રદાનનું મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે (૧૯ સર્ગ). આ કાવ્યની કથાવસ્તુમાં ક્યાંક ક્યાંક પૂર્વભવોના વર્ણનના કારણે કથાપ્રવાહમાં શિથિલતા જણાય છે પરંતુ ધારાવાહિકતા અવિચ્છિન્ન છે. નવમા, દસમા અને ચૌદમા સર્ગના યુદ્ધપ્રસંગોમાં પાત્રોના કથોપકથનથી નાટકીય સજીવતા દષ્ટિગોચર થાય છે. વસ્તુતઃ જયન્તવિજયની કથાસામગ્રી સરલ, વ્યાપક અને સુસમ્બદ્ધ છે. આમાં કેટલાંય પાત્રો છે પરંતુ વિક્રમસિંહ અને જયન્તનાં ચરિત્રનો સારો વિકાસ થયો છે. પ્રકૃતિચિત્રણ પણ કાવ્યમાં વ્યાપકપણે કરવામાં આવ્યું છે. દેશો અને ઋતુઓના વર્ણનમાં તેનું ઉદાત્ત દર્શન થાય છે. પ્રકૃતિસૌન્દર્યની જેમ માનવસૌન્દર્યનાં વિવિધ પાસાંઓનું ચિત્રણ પણ કવિએ આ કાવ્યમાં કર્યું છે. આ કાવ્યમાં તત્કાલીન સામાજિક પરંપરાઓની ઝલક પણ જ્યાંત્યાં જોવા મળે છે. કાવ્યનું પ્રધાન લક્ષ્ય જયન્તકથા દ્વારા પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રનો મહિમા દર્શાવવાનું છે. એમ તો કવિએ જૈનધર્મના નિયમો અને સિદ્ધાન્તોના પ્રતિપાદનમાં અધિક વિસ્તૃત વિવરણ પ્રસ્તુત નથી કર્યું તો પણ પંદરમા સર્ગમાં ૧. સર્ગ ૮. ૬૦, ૬૮; ૧૨. ૩૩; ૧૪. ૧૫, ૧૮-૧૯, ૩૬; ૧૮.૧૯ વગેરે ૨. સર્ગ ૧. ૬૭-૬૯; ૧૩. ૩૫; ૧૭. ૮૪ ૩. સર્ગ ૧૯. ૧૨, ૫૮; ૧૩. પ૧, ૮૧, ૮૪, ૯૪; ૧૬, ૧૪ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ જૈન કાવ્યસાહિત્ય ધાર્મિક તત્ત્વોનું નિરૂપણ પ્રધાન થઈ ગયું છે. આ નિરૂપણમાં કંઈક શાસ્ત્રાર્થ શૈલી અપનાવવામાં આવી છે. તર્કોના આધારે સર્વજ્ઞસિદ્ધિ પણ કરવામાં આવી છે.૧ આ કાવ્યમાં વિવિધ રસોનો પરિપાક થયો છે. તેમાં વીરરસ પ્રધાન છે. વીરરસના સહાયકના રૂપમાં રૌદ્ર અને ભયંકર રસોનો પરિપાક થયો છે. તે ઉપરાંત અંગરૂપમાં વાત્સલ્ય, શૃંગાર અને શાન્તરસ પણ વિદ્યમાન છે. જે આ કાવ્યની ભાષા શુદ્ધ અને સરલ છે. ભાષા ઉપર કવિનું પૂર્ણ પ્રભુત્વ દેખાય છે. તેમાં ક્લિષ્ટતા અને અસ્વાભાવિકતાનો સંપૂર્ણ અભાવ છે. પ્રસંગને અનુકૂળ રૂપપરિવર્તનની ક્ષમતા આ કાવ્યની ભાષાની વિશેષતા છે. ભાષામાં લોકોક્તિઓ અને સૂક્તિઓનો સારો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેને પરિણામે ભાષા અધિક પ્રભાવશાળી બની ગઈ છે. તેવી જ રીતે કાવ્યની ભાષા શબ્દાલંકારો અને અર્થાલંકારોથી સુશોભિત છે. તેમાં શ્રુતિમધુર અનુપ્રાસો અને યમક આદિ શબ્દાલંકારોના પ્રચુર પ્રયોગો થયા છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉભેક્ષા, રૂપક, અતિશયોક્તિ, સહોક્તિ વગેરે અનેક અલંકારોની યોજના થઈ છે. આ કાવ્યના પ્રત્યેક સર્ગમાં પ્રધાનત: એક જ છંદનો પ્રયોગ થયો છે અને સર્વાન્ત છંદપરિવર્તન કરવામાં આવ્યું છે. કવિનો પ્રિય છંદ ઉપજાતિ જણાય છે. તેનો પ્રયોગ પહેલા, છઠ્ઠા, દસમા, ચૌદમા, સત્તરમા અને ઓગણીસમા સર્ગોમાં થયો છે. આ કાવ્યમાં કુલ મળીને ૧૮ છંદોનો પ્રયોગ થયો છે. અનુષ્ટ્રભુમાપથી આ કાવ્યની શ્લોકસંખ્યા ૨૨૦૦ છે. પ્રકાશિત રચનામાં ૧૫૪૮ પદ્યો છે. કર્તા અને રચનાકાલ – કવિએ કાવ્યના અંતે એક પ્રશસ્તિ આપી છે. તેના પ્રમાણે કર્તા અભયદેવસૂરિ છે. તેમણે ઉક્ત પ્રશસ્તિમાં પોતાની ગુરુપરંપરા આપતાં લખ્યું છે કે ચન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિ થયા, તેમના શિષ્ય નવાંગીટીકાકાર અભયદેવસૂરિ થયા, તેમના શિષ્ય પ્રસિદ્ધ વિદ્વાન જિનવલ્લભસૂરિ થયા, તેમના શિષ્ય જિનેશ્વરસૂરિ થયા, તેમના શિષ્યનું નામ ૧. સર્ગ ૧૫.૮, ૧૦, ૧૨, ૧૭, ૨૨-૪૨ વગેરે ૨. સર્ગ ૧૦. ૨૭-૨૮, ૯, ૩૮-૩૯; ૪. ૯-૧૨, ૧૪; ૧૬. ૩૭; ૬. ૯૬-૯૭; ૧૮. - પ૦, ૫૫-૫૬ વગેરે. ૩. સર્ગ ૫. ૨૮, ૩પ, પદ, પ૭; ૧૩. ૧૦૯; ૧૯. ૪૬ ४. द्वाविंशतिशतमानं शास्त्रमिदं निर्मितं जयतु ।। Page #521 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય ૪૯૯ પડ્યેન્દુ મુનિરાજ હતું. આ કાવ્યના કર્તા આ જ પડ્યેન્દુ મુનિરાજના શિષ્ય હતા. ઉક્ત પ્રશસ્તિમાંથી કવિના વિશે અન્ય વાતો જાણવા મળતી નથી. પ્રશસ્તિમાં આ કાવ્યની રચનાનો સમય સં. ૧ ૨૭૮ લખ્યો છે ( હિરહુનિિનિર(૧૨૭૮)-ifમતવિક્રમનારેશ્વરસમયાન્ ) નરનારાયણાનન્દ ' આ કાવ્ય મહાભારતના તે કથાપ્રસંગને લઈ રચાયું છે જેમાં કૃષ્ણ અને અર્જુનની મૈત્રી, રૈવતક ઉપર તેમનો વિહાર તથા અંતે અર્જુન દ્વારા સુભદ્રાનું હરણ નિરૂપાયું છે. આ લઘુ કથાનકને શાસ્ત્રીય મહાકાવ્યને અનુરૂપ એવું વ્યાપક રૂપ આપવામાં આવ્યું છે. આ કાવ્યમાં ૧૬ સર્ગ છે. તેનું રચનાપરિમાણ ૭૪૦ શ્લોક છે. છેલ્લો સર્ગ પ્રશસ્તિસર્ગ છે, તેમાં કવિએ પોતાનો, પોતાની વંશપરંપરાનો તથા પોતાના ગુરુનો પરિચય આપ્યો છે. આ સર્ગનો મૂળ કથાનક સાથે કોઈ સંબંધ નથી. કેવળ ૧૫ સર્ગોનો જ મૂળ કથાનક સાથે સંબંધ છે. સર્ગોનાં નામ વણ્ય વિષયનાં નામ ઉપરથી આપવામાં આવ્યાં છે. પ્રથમ સર્ગનું નામ “પુરનૃપવર્ણન' છે. તેમાં દ્વારવતી નગરી તથા શ્રીકૃષ્ણનું નિરૂપણ છે. બીજા સર્ગ “સભાવર્ણન'માં અર્જુનના પ્રભાસ તીર્થમાં આગમનના સમાચાર મળે છે. ત્રીજા સર્ગ “નરનારાયણસંગમ'માં શ્રીકૃષ્ણના અર્જુન સાથે થયેલા મિલનનું આલેખન છે તથા પૂછવામાં આવતાં અર્જુને કરેલું રૈવતક પર્વતનું વર્ણન છે. ચોથામાં ઋતુવર્ણન, પાંચમામાં ચોદયવર્ણન, છઠ્ઠામાં સુરાપાન-સુરતવર્ણન અને સાતમામાં સૂર્યોદયવર્ણન પરંપરાગત શૈલી અનુસાર કરવામાં આવ્યાં છે. આઠમા સર્ગમાં પોતાના પરિવાર અને સેના સહિત બલરામનું રૈવતક પર્વત પર આગમન આલેખાયું છે, તેથી આ સર્ગને “સેનાનિવેશવર્ણન' નામ અપાયું છે. નવમા સર્ગમાં પુષ્પાવચયપ્રપંચ છે અર્થાત્ શ્રીકૃષ્ણ-અર્જુનનું વનક્રીડા માટે વનમાં જવું તથા સ્ત્રીઓએ ઝૂલે ઝૂલવું અને પુષ્યોને વીણવું વર્ણવાયું છે. દસમા “સુભદ્રાદર્શન'માં જલક્રીડાના સમયે સુભદ્રા અને અર્જુનનું એકબીજા પ્રત્યે મુગ્ધ થવું દર્શાવાયું છે. અગીઆરમા સર્ગમાં અર્જુન અને સુભદ્રાનું એકબીજા માટે વ્યાકુળ થવું તથા દૂતી દ્વારા બન્નેની રૈવતક પર્વત પર મળવાની યોજના ૧. જિનરત્નકોશ, પૃ. ૨૦૪; ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, વડોદરા, ૧૯૧૬; મહાકાવ્યત્વ માટે જુઓ – ડૉ. શ્યામસુંદર દીક્ષિત, તેરહવીં-ચૌદહ વીં શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય, પૃ. ૯૭-૧૨૦; ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૩૨૯-૩૫૨. ૩૨૯-૩૫Q." - - - - - - - - - - : Page #522 -------------------------------------------------------------------------- ________________ પ00 જૈન કાવ્યસાહિત્ય વર્ણવવામાં આવેલ છે. બારમા સર્ગમાં સુભદ્રાનું કામદેવની પૂજા માટે રૈવતક પર્વત ઉપર જવું તથા અર્જુને તેને પોતાના રથમાં બેસાડી તેનું અપહરણ કરવું, બલરામે અર્જુન સાથે યુદ્ધ માટે તૈયાર થવું, શ્રીકૃષ્ણ બલરામને સમજાવવું વર્ણવાયું છે. તેરમા સર્ગમાં સેનાપતિ સાત્યકિની સેના સાથે અર્જુનનું યુદ્ધ આલેખાયું છે. ચૌદમાં સર્ગ “અર્જુનાવર્જન'માં બલરામ અને શ્રીકૃષ્ણ યુદ્ધને શાન્ત કરવું અને પંદરમાં સર્ગમાં બલરામ દ્વારા અર્જુન અને સુભદ્રાનો વિવાહ વર્ણવાયેલ છે. આમ આ કાવ્ય મહાભારતના લઘુપ્રસંગને મહાકાવ્યોચિત વિધિથી વિસ્તારપૂર્વક આલેખે છે. પર્વત, ઋતુ, સંધ્યા આદિનાં વર્ણનો કથાવસ્તુના વિકાસમાં શિથિલતા પેદા કરે છે. કથાવસ્તુની ધારાવાહિકતા પણ આ વર્ણનોથી વિચ્છિન્ન થઈ છે. પરંતુ કવિએ કેટલાંક પ્રાચીન કાવ્યોને – શિશુપાલવધ અને કિરાતાજુનીયમુને – આદર્શ બનાવીને પોતાના આ કાવ્યની રચના કરી છે, તેથી તે આ દોષોના દોષી નથી. પેલાં કાવ્યોમાં પણ આ દોષો વિદ્યમાન છે. તે કાવ્યોની જેમ જ નરનારાયણાનન્દમાં પણ કથાનક ગૌણ અને વસ્તુવ્યાપારવર્ણન અને અલંકૃત પ્રકૃતિચિત્રણ પ્રધાન બની ગયેલ છે. આ કાવ્યનાં બધાં પાત્રો પૌરાણિક છે. તેથી તેમનાં ચરિત્રના વિકાસમાં પૌરાણિક રૂપની રક્ષા કરવામાં આવી છે. તેમાં શ્રીકૃષ્ણ અને અર્જુનનાં ચરિત્ર વિશેષ મહત્ત્વ ધરાવે છે, તે બન્ને આદિથી અંત સુધી દેખાય છે. પ્રકૃતિચિત્રણનું ભવ્ય રૂપ આ કાવ્યમાં દષ્ટિગોચર થાય છે. પ્રકૃતિનાં વિભિન્ન રૂપોનું સૌન્દર્યચિત્રણ કરવામાં કવિએ પૂરતું ધ્યાન આપ્યું છે. પાત્રોના સૌન્દર્યવર્ણનમાં કેવળ સુભદ્રાના સૌન્દર્યનું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું છે, અન્ય કોઈ પાત્રનું નહિ. રસની દૃષ્ટિએ આમાં શૃંગારરસની પ્રધાનતા છે. શૃંગારરસને અનુકૂળ સુરાપાન, સુરત, વનક્રીડા, પુષ્પાવચય, દોલા અને જલક્રીડાનાં વર્ણનો છે. અન્ય રસોમાં રૌદ્ર, વીર અને ભયાનક પણ પ્રસંગે પ્રસંગે દેખાય છે. આ કાવ્યમાં હાસ્ય, કરુણ અને શાન્તરસનો અભાવ છે. - ભાવાનુકૂળ ભાષા, રીતિ, ગુણ, અલંકાર અને છંદની યોજનાની દૃષ્ટિએ પણ આ એક ભવ્ય અને પ્રૌઢ કાવ્ય છે. આ કાવ્યની ભાષા ભાવ અને પરિસ્થિતિને અનુરૂપ જ ક્યાંક કોમળ, ક્યાંક મધુર અને ક્યાંક ઓજસ્વિની છે.આ કાવ્યની ભાષાગત વિશેષતાઓમાં રૂપપરિવર્તનની ક્ષમતા, કાન્તિ અને પ્રસાદગુણતા, ચિત્રાત્મકતા અને પ્રભાવોત્પાદકતા સર્વત્ર જોવા મળે છે. આ કાવ્યમાં એક સર્ગ (૧૪મો) એવો પણ છે જ્યાં ભાષામાં અતિદુરહતા અને કૃત્રિમતા છે. તેમાં કવિએ Page #523 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય પાંડિત્યપ્રદર્શન માટે શબ્દો સાથે ૨મત કરી છે. ક્યાંક એકાક્ષર (લ) શ્લોક, ક્યાંક ક્ષર (૫ અને ૨, લ અને ક), ક્યાંક ચતુરક્ષર (ન, કે, ત અને ૨) શ્લોક, ક્યાંક ષડક્ષર (શ, ૨, વ, ય, સ, લ) શ્લોક અને ક્યાંક અંતસ્થ અક્ષરોનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ જ રીતે કોઈ શ્લોકમાં દન્ત્ય, કોઈમાં તાલવ્ય, કોઈમાં ઓછ્ય, કોઈમાં મૂર્ધન્ય, તો કોઈમાં સંયુક્તાક્ષરોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.' મહાકવિ માઘના શિશુપાલવધની જેમ જ કવિએ આ કાવ્યના પૂરા ૧૪મા સર્ગને ચિત્રાલંકારથી ચિત્રિત કર્યો છે. તેમાં સશરશરાસનબન્ધ, ગોમૂત્રિકાબન્ધ, મુરજબન્ધ, ષોડશદલકમલબન્ધ, ખડ્ગબન્ધ, સર્વતોભદ્ર, કવિનામાંકશક્તિબન્ધ વગેરેની રચના કરવામાં આવી છે. આમ ૧૪મા સર્ગમાં શબ્દાલંકારોની ભરમાર છે. આ સર્ગ સિવાય સર્વત્ર અર્થાલંકારના પ્રયોગમાં કવિએ સ્વાભાવિકતાનું ધ્યાન રાખ્યું છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, અનન્વય, અર્થાન્તરન્યાસ, અતિશયોક્તિ, પરિસંખ્યા વગેરે અલંકારોનાં સુંદર ઉદાહરણો આ કાવ્યમાં વિદ્યમાન છે. ૫૦૧ આ કાવ્યના પ્રત્યેક સર્ગમાં અલગ અલગ છંદોનો પ્રયોગ થયો છે અને સર્ગના અંતે છંદ બદલવામાં આવ્યો છે. કુલ મળીને ૨૧ છંદોનો પ્રયોગ થયો છે. છઠ્ઠા સર્ગમાં એક અજ્ઞાતનામા અર્ધસમ વર્ણિક છન્દ (ન ન ર ય સ ભ ૨ ય)નો પ્રયોગ થયો છે. કવિપરિચય અને રચનાકાલ કાવ્યના છેલ્લા સર્ગમાં કવિએ પ્રશસ્તિમાં પોતાનો, પોતાની વંશપરંપરાનો અને પોતાના ગુરુનો પરિચય આપ્યો છે. તે મુજબ તેના કર્તા વસ્તુપાલ છે. તે ધોળકા (ગુજરાત)ના રાજા વીરધવલ તથા તેમના પુત્ર વીસલદેવના મહામાત્ય હતા. તે જૈનધર્મના તેમજ ગુજરાતના ઈતિહાસમાં એક અદ્વિતીય વ્યક્તિ થઈ ગયા. તેમના અનેકવિધ ગુણોની પ્રશંસા તત્કાલીન લેખકોએ ખૂબ કરી છે. તે વીર યોદ્ધા અને નિપુણ રાજનીતિજ્ઞની સાથે સાથે વિદ્વાન કવિ અને કાવ્યમર્મજ્ઞ પણ હતા. નરનારાયણાનન્દ ઉપરાંત શત્રુંજયમંડન, આદિનાથસ્તોત્ર, ગિરિનારમંડન, નેમિનાથસ્તોત્ર, અંબિકાસ્તોત્ર વગેરે અનેક સ્તોત્રોની રચના તેમણે કરી છે. તેમણે રચેલાં સુભાષિતો જલ્હણની ૧. સર્ગ ૧૪. ૩, ૫, ૧૩, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૮, ૨૯, ૩૩, ૪૨ વગેરે. ૨. સર્ગ ૧૪. ૯, ૧૧, ૧૬, ૧૭, ૨૭, ૩૪. ૩. સર્ગ ૧. ૨૩, ૪૨; ૩.૪; ૮. ૨૯, ૩૭; ૧૧. ૭, ૧૩; ૧૨. ૫૪, ૬૬, ૭૯; ૧૩. ૨૮. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ‘સૂક્તિમુક્વાવલી’ અને શાર્કધરની ‘શાńધરપદ્ધતિ'માં ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. ‘પ્રબન્ધચિન્તામણિ' (મેરતુંગ), ‘ચતુર્વિશતિપ્રબન્ધ’ (જયશેખર), ‘વસ્તુપાલચરિત’ (જિનહર્ષ) અને ‘પુરાતનપ્રબન્ધસંગ્રહ' વગેરે ગ્રન્થોમાં પણ વસ્તુપાલની સૂક્તિઓ મળે છે. સમકાલીન અભિલેખો અને કાવ્યોમાં વસ્તુપાલનાં કેટલાંય બિરુદો મળે છે, જેમકે સરસ્વતીધર્મપુત્ર, કવિકુંજર, કવિચક્રવર્તી, વાન્દેવતાસુત, કૂચલસરસ્વતી, સરસ્વતીકંઠાભરણ વગેરે. તે અનેક કવિઓના આશ્રયદાતા પણ હતા. તેમના સાહિત્યમંડલમાં રાજપુરોહિત સોમેશ્વર, હરિહર, નાનાકપંડિત, મદન, સુભટ, મંત્રી યશોવીર અને અરિસિંહ હતા. અન્ય કવિઓ અને વિદ્વાનો જેમકે અમરચન્દ્રસૂરિ, વિજયસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ, નરચન્દ્રસૂરિ, નરેન્દ્રપ્રભસૂરિ, બાલચન્દ્રસૂરિ, જયસિંહસૂરિ, માણિક્યચન્દ્રસૂરિ વગેરે મુનિગણ વસ્તુપાલના ગાઢ સંપર્કમાં હતા. પ્રશસ્તિ અનુસાર વસ્તુપાલનું બીજું નામ વસન્તપાલ હતું. તે અણહિલ્લપત્તનના એક શિક્ષિત કુટુંબમાં જનમ્યા હતા. તેમના પ્રપિતામહ ચંડપ ગૂર્જરનરેશની રાજસભાના દરબારી હતા. તેમના પિતાનું નામ અશ્વરાજ યા આશારાજ હતું તથા માતાનું નામ કુમારદેવી હતું. પોતાના માતાપિતાના પુણ્યાર્થ વસ્તુપાલે ગિરનાર વગેરે કેટલાંય તીર્થોની યાત્રા કરી હતી. તેમના ગુરુ વિજયસેનસૂરિ હતા. જૈન કાવ્યસાહિત્ય ૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ.૫૫ ૨. એજન, પૃ. ૬૦-૧૧૬ ૩. સર્ગ ૧૬. ૩૮ ૪. સર્ગ ૧૬.૧૬ ૫. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૯૮ પ્રસ્તુત કાવ્યનો રચનાકાલ આપવામાં આવ્યો નથી. વસ્તુપાલે આદિનાથનાં બે મંદિરોનું નિર્માણ સં. ૧૨૮૭ (આબુ પર્વત ઉપર) અને સં. ૧૨૮૮ (ગિરનાર પર્વત ઉ૫૨)માં કરાવ્યું હતું. તેનો ઉલ્લેખ આ કાવ્યમાં નથી. તેમણે સં. ૧૨૭૭માં શત્રુંજયની યાત્રા કરી હતી અને આદિનાથસ્તોત્રની રચના કરી હતી. તેના પછી જ આ કાવ્યની રચના કરવામાં આવી છે. તેથી અનુમાન થાય છે કે સં. ૧૨૭૭ અને ૧૨૮૭ વચ્ચે તેમણે આ કાવ્ય રચ્યું છે. વસ્તુપાલનો સ્વર્ગવાસ માઘ કૃષ્ણા ૫ સં. ૧૨૯૬ (સન્ ૧૨૪૦)માં થયો હતો.પ - Page #525 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય ૫૦૩ મુનિસુવ્રતકાવ્ય આ કાવ્યમાં વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામીનું જીવનવૃત્ત આલેખાયું છે. તેના કથાનકનો આધાર ગુણભદ્રકૃત ઉત્તરપુરાણ છે. આ કાવ્યનું બીજું નામ કાવ્યરત્ન છે. તે ૧૦ સર્ગોમાં વિભક્ત છે. તેમાં કુલ મળીને ૪૦૮ પદ્ય છે. આમ આ લઘુ કાવ્યમાં મુનિસુવ્રતસ્વામીના ગર્ભજન્મથી લઈને મોક્ષ સુધીનું જીવનચરિત્ર ઘણી જ રોચક રીતે આલેખાયું છે. સર્ગોનાં નામ વર્ણવવામાં આવેલી ઘટના અનુસાર અપાયાં છે. પહેલા સર્ગનું નામ ભગવ-અભિજનવર્ણન છે, તેમાં મગધદેશ અને રાજગૃહ નગરનું વર્ણન છે. બીજામાં માતાપિતાનુ, ત્રીજામાં ગર્ભધારણનું, ચોથામાં જન્મોત્સવનું, પાંચમામાં મન્દરાચલ ઉપર શિશુને લાવવાનું તથા છઠ્ઠામાં જન્માભિષેક અને નામકરણનું વર્ણન છે. સાતમામાં કુમારાવસ્થા, યૌવન, વિવાહ અને સામ્રાજ્યપદપ્રાપ્તિનું વર્ણન છે. આઠમામાં પરિનિષ્ક્રમણનું, નવમામાં તપશ્ચર્યાનું, દસમામાં ઉપદેશ અને મુક્તિપદપ્રાપ્તિનું વર્ણન છે. આમ કથાનકમાં સુનિયોજિત વિકાસક્રમ દેખાય છે. કવિએ અન્ય કાવ્યોની જેમ પૂર્વજન્મોનાં વર્ણનોથી કાવ્યને કંટાળાજનક નથી બનવા દીધું. તેથી આ કાવ્યમાં ધારાવાહિકતા અને ગતિશીલતા અવિચ્છિન્ન છે. તેમાં સુમિત્ર (ભગવાનના પિતા), પદ્માવતી (માતા) અને મુનિસુવ્રત એ ત્રણ જ પાત્ર છે. તેમના ચરિત્રનો આમાં વિકાસ કરવામાં આવ્યો છે. આ લઘુકાય કાવ્યમાં વિવિધ પ્રાકૃતિક દશ્યોનાં વર્ણનોને સ્થાન આપીને તેને મનોહર બનાવવાની ચેષ્ટા કરવામાં આવી છે. તેવી જ રીતે માનવસૌન્દર્યનું ચિત્રણ પણ આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. માત્ર પદ્માવતીના વર્ણનમાં આ વસ્તુ સારી રીતે દેખાય છે. આ કાવ્ય શાસ્ત્રીય મહાકાવ્યશૈલીનું કાવ્ય છે. તેમાં ઉક્ત શૈલીનાં મહાકાવ્યોની જેમ વિસ્તૃત વસ્તુવર્ણન તથા કાવ્યાત્મકતા અધિક છે અને કવિનો અલંકારો તરફ વિશેષ ઝોક છે, તો પણ તેમાં પૌરાણિક રૂપની રક્ષા થઈ છે અને તેના તરફ પણ ઝોક છે, તેથી તેમાં બન્ને શૈલીઓનું મિશ્રણ દેખાય છે. પરંતુ અન્ય પૌરાણિક ૧. દેવકુમાર ગ્રન્થમાલા, પ્રથમ પુષ્પ, જૈન સિદ્ધાન્ત ભવન, આરા, ૧૯૨૯; જિનરત્નકોશ, પૃ. ૩૧૨. ૨. સર્ગ ૧.૨૦ ૩. સર્ગ ૧. ૨૪, ૩૦, ૩૬, ૪૦; ૩.૧૯; ૯.૩, ૯, ૧૦, ૧૩, ૨૨, ૨૭, ૨૮; ૧૦. ૧૭. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શૈલીનાં મહાકાવ્યોથી વિપરીત આ કાવ્યમાં અવાન્તર અને પ્રાસંગિક કથાઓનો અભાવ છે, અને સાથે સાથે ઉપદેશાત્મકતા યા દેશનાઓનો પણ અભાવ છે. કેવળ દસમા સર્ગમાં જિનેન્દ્રકૃત જીવાજીવાદિ તત્ત્વોના નિરૂપણનો સંકેત માત્ર કરવામાં આવ્યો છે. આ કાવ્યમાં કોમલ રસોનું જ ચિત્રણ થયું છે. તેથી વીર, રૌદ્ર, બીભત્સ અને ભયાનક રસોનો સદંતર અભાવ છે. આ એક વૈરાગ્યમૂલક કાવ્ય છે. તેથી તેમાં શાન્તરસની પ્રધાનતા છે. જ્યાંત્યાં હાસ્ય અને વાત્સલ્યરસનાં પણ દર્શન થાય છે. આ કાવ્યની ભાષા પ્રૌઢ અને સરસ છે. તેની ભાષાનો સૌથી મોટો ગુણ એકરૂપતા છે. તેમાં ક્યાંય અધિક ક્લિષ્ટતા અને અવ્યવસ્થા નથી. આ કાવ્યની ભાષાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અલંકારોથી સુશોભિત છે. આખા કાવ્યમાં ભાગ્યે જ એવો શ્લોક મળે જે અલંકારથી રહિત હોય. પરંતુ અલંકારોનો પ્રયોગ સ્વાભાવિક રીતે કરવામાં આવ્યો છે, સાયાસ મારીમચડીને નહિ. શબ્દાલંકારોમાં અનુપ્રાસ તથા અર્થાલંકારોમાં ઉપમા, ઉત્પ્રેક્ષા, ભ્રાન્તિમાન્ અને પરિસંખ્યાનો પ્રયોગ કાવ્યમાં બહુ થયો છે. અન્ય અલંકારોમાં રૂપક, અર્થાન્તરન્યાસ, અતિશયોક્તિ આદિ પણ દર્શનીય છે. આ કાવ્ય ઉપર એક સારી ટીકા લખાઈ છે, તેમાં પ્રત્યેક શ્લોકના અલંકારનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ કાવ્યના પ્રત્યેક સર્ગમાં એક જ છંદનો પ્રયોગ થયો છે અને સર્ગાન્તે છંદને બદલવામાં આવ્યો છે. પહેલા, બીજા, ચોથા અને પાંચમા સર્ગમાં ઉપજાતિ છંદનો પ્રયોગ થયો છે. છઠ્ઠા અને દસમા સર્ગમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. કુલ મળીને ૧૨ છંદોનો પ્રયોગ થયો છે. કવિપરિચય તથા રચનાકાલ કવિએ આ કાવ્યના અંતે કોઈ પ્રશસ્તિ આપી નથી, તો પણ દસમા સર્ગના ૬૩મા શ્લોક ઉપરથી જણાય છે કે તેના કર્તાનું નામ અર્હદાસ છે. આ કાવ્ય ઉપરાંત અર્હદાસકૃત બે અન્ય કૃતિઓ મળે છેઃ પુરુદેવચમ્પૂ અને ભવ્યકંઠાભરણ. પ્રસ્તુત કાવ્ય અને ઉપર્યુક્ત કૃતિઓના કેટલાક શ્લોકોમાંથી જાણવા મળે છે કે અર્હદાસના કાવ્યગુરુ પં. આશાધર હતા. પં. જૈન કાવ્યસાહિત્ય — ૧. સર્ગ ૮. ૩-૪; ૨. ૩૦-૩૧ ૨. સર્ગ ૫. ૩૧; ૬. ૩૧; ૭.૭ ૩. ‘અર્હદાસ: સમન્ચુમિત’, ‘અર્હદ્દાશોયમિત્યું ખિનપતિવ્રુતિ' વગેરે. Page #527 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય આશાધરનો સમય તેમની કૃતિઓની પ્રશસ્તિઓમાંથી સં. ૧૩૦૦ આસપાસનો જણાય છે. આશાધરનો અંતિમ ગ્રન્થ ‘અનગારધર્મામૃત’ છે. તેની રચના વિ.સં.૧૩૦૦માં સમાપ્ત થઈ હતી. અર્હદાસે દસમા સર્ગના ૬૪મા શ્લોકમાં આશાધરના ‘ધર્મામૃત’ના પાનનો ઉલ્લેખ કર્યો છે તથા ભવ્યકંઠાભરણના એક શ્લોકનું નિર્માણ ‘સાગારધર્મામૃત'ના એક શ્લોકના અનુકરણરૂપે કર્યું છે. આ બધા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તે અવશ્ય આશાધરના નિકટવર્તી કવિ રહ્યા હશે. અનુમાનથી તેમનો સમય સં. ૧૩૦૦ અને સં. ૧૩૨૫ની વચ્ચેનો રહ્યો હશે. આ કાવ્ય ઉપર એક સારી સંસ્કૃત ટીકા મળે છે. અનુમાન છે કે તે કવિની સ્વોપજ્ઞ ટીકા છે. શ્રેણિકચરિત ૫૦૫ આ મહાકાવ્યનું બીજું નામ દુર્ગવૃત્તિયાશ્રય મહાકાવ્ય છે. આ કાવ્યમાં શ્રેણિકચરિત્રની સાથે સાથે કાતન્ત્રવ્યાકરણ પર પ્રાપ્ત દુર્ગસિંહે રચેલી વૃત્તિ અનુસાર વ્યાકરણના સિદ્ધ પ્રયોગોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેથી આ કાવ્યનાં બે નામ રાખવામાં આવ્યાં છે. તેમાં ૧૮ સર્ગ છે. પ્રત્યેક સર્ગનું નામ તેમાં વર્ણવાયેલી ઘટનાને આધારે રાખવામાં આવ્યું છે. આ કાવ્યના કથાનકનો ક્રમિક વિકાસ દેખાતો નથી. કથાનકના પ્રથમ અગીઆર સર્ગોમાં જિનેશ્વર અને તેમના ઉપદેશોની પ્રધાનતા છે. આ સર્ગો ધાર્મિક વાતાવરણથી વ્યાપ્ત છે પરંતુ બારમા સર્ગથી કથાનકનો પ્રવાહ એકદમ વળાંક લે છે. આ સર્ગોમાં દેવે આપેલો હાર ખાવાઈ જવાનું અને તેની તત્પરતાથી ખોજનું વર્ણન કરવામાં આવ્યું છે. કાવ્યના અંતિમ સાત સર્ગોના કથાનકમાં ધાર્મિક વાતાવરણનો અભાવ છે અને લૌકિકતાની પ્રવૃત્તિ અધિક છે. કથાનકના આ સહસા વળાંકે કથાને બે ભાગમાં વિભક્ત કરી દીધી છે. અને બંને વિભાગોને બહુ જ શિથિલ સૂત્રથી જોડવામાં આવ્યા છે, તેથી કાવ્યમાં પાંચ સંધિઓની યોજનાનો ૧. તેરહવીં-ચોદહવીં શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય, પૃ. ૩૨૬. ૨. ભૂમિકા, પૃ. ૩ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૮૬ અને ૩૯૯; જૈન ધર્મવિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણાથી કેવળ પ્રથમ સાત સર્ગ પ્રકાશિત, બાકીના અગીઆર સર્ગ હજુ સુધી અપ્રકાશિત છે. વિશેષ પરિચય માટે જુઓ – ડૉ. શ્યામશંકર દીક્ષિત, તેરહવીં-ચૌદહવી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય, પૃ. ૧૨૦-૧૪૩. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ નિર્વાહ પૂર્ણતઃ થયો નથી. આ ત્રુટિ સિવાય આ રચનામાં મહાકાવ્યનાં અન્ય બધાં શાસ્ત્રીય લક્ષણોનો નિર્વાહ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે ઉદાત્ત ભાષાશૈલી, પ્રૌઢ કવિત્વકલ્પના, ગંભીર પાંડિત્ય, ઉચ્ચ આદર્શ અને માનવ જીવનની વિવિધતાનું દર્શન પણ આ કાવ્યમાં થાય છે. શ્રેણિકચરિત્રમાં શાસ્ત્રીય શૈલીની સાથે સાથે પૌરાણિક શૈલીનું પણ દર્શન થાય છે. તેમાં અન્ય પૌરાણિક મહાકાવ્યોની જેમ સ્થાને સ્થાને ભગવાન મહાવીરની દેશનાઓ અને દેશનાઓમાં પણ અવાન્તર કથાઓની યોજના કરવામાં આવી છે. આ કાવ્યમાં ભવાન્તરોના વર્ણન દ્વારા પૂર્વજન્મનાં પુણ્ય-પાપનાં ફળો ઉત્તરભવમાં દર્શાવવામાં આવ્યાં છે, જેમકે સેડુક બ્રાહ્મણ જૈનધર્મવિરુદ્ધ કાર્ય કરવાના કારણે દેડકો બને છે અને દેડકો ભક્તિભાવનાથી દેવ બની જાય છે. ઘણી અતિમાનવીય ઘટનાઓનું વર્ણન પણ આ કાવ્યમાં છે. આ બધી પૌરાણિક વિશેષતાઓ હોવા છતાં પણ શ્રેણિકચરિતને આપણે પૌરાણિક મહાકાવ્ય નથી માની શકતા કારણ કે તેના પ્રત્યેક પદ્યમાં ઉક્ત વ્યાકરણનો કોઈ ને કોઈ સિદ્ધ પ્રયોગ અવશ્ય દર્શાવવામાં આવ્યો છે. તેથી, શાસ્ત્રીયતાની તરફ અધિક બલ હોવાને કારણે તેને શાસ્ત્રીય કાવ્ય ગણવું જોઈએ. આ કાવ્યની કથાવસ્તુનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે પહેલાથી છઠ્ઠા સર્ગ સુધી રાજગૃહ નગર, શ્રેણિક નરેશ, તેની રાણીઓ અને રાજકુમાર અભયનું વર્ણન તથા મહાવીરનું આગમન, તેમના દર્શનાર્થ લોકોનું જવું, સમવસરણમાં અર્ચના-વંદના તથા તેમની દેશનાનું નિરૂપણ છે. સાતમા સર્ગમાં દેશના સમયે એક કોઢિયો આવી પોતાના પૂયરસથી મહાવીરની પૂજા કરી તેમને ‘મરી જાવ', શ્રેણિકને ‘જીવો', અભયકુમારને ‘જીવો ચાહે મરો' અને કાલશૌકરી કસાઈને ‘ન જીવો ન મરો' કહે છે. તેથી ક્રોધિક થઈને શ્રેણિક સૈનિકોને તેને પકડી લેવા આદેશ આપે છે પરંતુ તે અન્તર્ધાન થઈ જાય છે. ત્યારે આશ્ચર્યમાં પડી રાજા મહાવીરને તે કોઢિયા વિશે પૂછે છે. આઠમા, નવમા અને દસમા સર્ગોમાં કોઢિયા સુરના પૂર્વ ભવનું વર્ણન આપવામાં આવ્યું છે અને તેણે જે કહ્યું તેની વ્યાખ્યા આપવામાં આવી છે તથા શ્રેણિકનું રાજભવને પાછા ફરવાનું વર્ણન છે. અગીઆરમા સર્ગમાં તે જ દેવ શ્રેણિકના સમ્યક્ત્વની પરીક્ષા કરે છે અને પ્રસન્ન થઈ એક ગોલ્લક અને એક અમૂલ્ય હાર આપે છે. બારમા સર્ગમાં કાલશૌકરી કસાઈના મરણનું તથા તેના પુત્ર સુલસના ધાર્મિક જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે. જૈન કાવ્યસાહિત્ય Page #529 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૫૦૭ તેરમા સર્ગમાં શ્રેણિક રાણી નન્દાને ગોલક અને ચલ્લણાને હાર આપે છે, તેનું વર્ણન છે. ચૌદમા સર્ગમાં રાજા શ્રેણિકની દિનચર્યાનું વર્ણન છે. પંદરમાં સર્ગમાં હારના તૂટવાનું, હારને જોડી સમો કરનારા મણિકારનું મરીને વાંદરા થવાનું, હારને જોડીને સમો કરવા માટે રાજાએ પૂરું ધન ન આપ્યું હોવાને કારણે અવસર મળતાં હારને ઉઠાવી પોતાના પુત્રોને હાર આપી દેવાનું વર્ણન છે. - સોળમા સર્ગમાં હારની ખોજ કરવા માટે અભયકુમારને આપવામાં આવેલા આદેશનું નિરૂપણ છે. સત્તરમા સર્ગમાં વાનર હાર લઈને ધ્યાનસ્થ સુસ્થિતાચાર્ય મુનિના કંઠમાં પહેરાવી દે છે અને અભયકુમાર મુનિના દર્શન માટે ત્યાં આવી પહોચે છે, તેનું વર્ણન છે. અઢારમા સર્ગમાં આચાર્ય સુસ્થિત પાસેથી હાર મેળવી અભયકુમાર પિતાને સોંપી દે છે, અહીં કથાનકની સમાપ્તિ થાય છે. આ કાવ્યના પ્રત્યેક સર્ગના અત્તે આગામી સર્ગની કથાનું સૂચન કરી દેવામાં આવ્યું છે. આ કાવ્યમાં વ્યાકરણના સિદ્ધ પ્રયોગો તરફ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે તેમ છતાં જયાંત્યાં કવિએ પ્રકૃતિચિત્રણ પણ વિવિધ રૂપોમાં કર્યું છે. પરંતુ પુરુષ યા સ્ત્રીના સૌન્દર્યનું ચિત્રણ આ કાવ્યમાં નહિવત્ છે કારણ કે કવિનું ધ્યાન પ્રબળપણે વ્યાકરણ તરફ છે. કિન્તુ કવિની ધાર્મિક આગ્રહની પ્રબળતાને કારણે કાવ્યમાં ધાર્મિક નિયમો અને સિદ્ધાન્તોનું વિવેચન ખૂબ થયું છે.' વ્યાકરણના પક્ષને ૧૮ સર્ગોમાં આ પ્રમાણે રજૂ કરવામાં આવેલ છે : પ્રથમ સર્ગમાં પાંચે સંધિઓ તથા કેટલાંક સર્વનામ રૂપ, બીજા સર્ગમાં શબ્દ રૂપ, ત્રીજામાં કેટલાક સર્વનામ રૂપ અને કારક, ચોથામાં સમાસ, પાંચમામાં તદ્ધિત, છઠ્ઠામાં ક્રિયાઓનાં વર્તમાનકાલિક રૂપ, સાતમામાં ભૂતકાલિક રૂપ, આઠમાથી અગીઆરમામાં ક્રિયાઓના વિવિધ સિદ્ધ રૂપ અને બારમાથી અઢારમામાં કૃદન્તના રૂપ – આ પ્રમાણે કાત– ઉપર મળતી દુર્ગવૃત્તિ અનુસાર વ્યાકરણના સિદ્ધ પ્રયોગોને પ્રદર્શિત કરવામાં કવિને પર્યાપ્ત સફળતા મળી છે. આમ તો આ કાવ્યનો પ્રધાન રસ શાન્તરસ છે પરંતુ શૃંગાર, કરુણ, રૌદ્ર, વીર વગેરે રસોનો પણ સારો પરિપાક દેખાય છે. ૧. સર્ગ ૫. ૧૩, ૧૪, ૧૭, ૪૨, ૬૩, ૭૭, ૮૮-૮૯; ૬. ૬૩, ૬૪, ૮૫, ૧૬૮, ૧૬૯ વગેરે. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ જૈન કાવ્યસાહિત્ય આ કાવ્યની ભાષા વ્યાકરણના પ્રયોગોથી ભારે હોવાથી જુદા પ્રકારની છે. તેમાં ભાષાની સ્વાભાવિકતા સુરક્ષિત નથી રહી શકી. અનેક સ્થળે અપ્રચલિત કે અલ્પપરિચિત શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો પણ કાવ્યમાં ઠેર ઠેર ભાષાસૌષ્ઠવ, લાલિત્ય અને મનોહર પદવિન્યાસના દર્શન થાય છે. આમ તેમાં સરલ અને કઠિન બન્ને પ્રકારની ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ક્યાંક ક્યાંક ભાષામાં કહેવતોનો પણ પ્રયોગ થયો છે. વિવિધ અલંકારોની યોજના પણ આ કાવ્યમાં કરવામાં આવી છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસનો પ્રયોગ અધિક થયો છે. અર્થાલંકારોમાં ઉપમા, રૂપક અને ઉભેલાનાં દર્શન અધિક થાય છે. પાંચમા સર્ગને છોડીને કવિએ પ્રત્યેક સર્ગની રચના અનુષ્ટ્રભુ છંદમાં કરી છે પરંતુ સર્ગના અંતે વિવિધ છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પાંચમા સર્ગમાં વિવિધ છંદોનો પ્રયોગ જોવા જેવો છે. કેટલાક અપ્રચલિત છંદ જેવા કે વૈશ્વદેવી, નિવાસ, વેગવતી આદિનો પ્રયોગ પણ કવિએ કર્યો છે. શ્રેણિકચરિતમાં બધા મળીને કુલ ૨૨૬૭ શ્લોકો છે. કવિ પરિચય અને રચનાકાલ – આ કાવ્યના કર્તા જિનપ્રભસૂરિ છે. તે લઘુખરતરગચ્છના સ્થાપક તથા ચન્દ્રગચ્છીય જિનેશ્વરસૂરિના પ્રશિષ્ય અને જિનસિંહસૂરિના શિષ્ય હતા. તે મુસ્લિમ શાસક મુહમ્મદ તુગલઘના સમકાલીન હતા અને તેના દ્વારા સન્માનિત થયા હતા. તેમણે અનેક કૃતિઓ પર ટીકાઓ લખી છે તથા અનેક સ્તોત્રો રચ્યાં છે. તે પ્રસિદ્ધ ગ્રન્થ “વિવિધતીર્થકલ્પ'ના કર્તા છે. આ ગ્રન્થની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેમણે આ ગ્રન્થની રચના દયાકરમુનિની વિનંતીથી વિ.સં.૧૩પ૬માં કરી હતી.' શાન્તિનાથચરિત આ મહાકાવ્યની કથાવસ્તુનો આધાર મુનિદેવસૂરિકૃત “શાન્તિનાથચરિત' છે. કવિએ પોતાના કાવ્યમાં મુનિદેવસૂરિનું અનુકરણ કર્યું છે, પરિણામે કથાનકમાં કવિનો મૌલિક ફાળો કંઈ જ નથી. મૂળ કથાની સાથે તેમાં અવાત્તર કથાઓની ભરમાર છે જેમકે મંગલકુંભકથાનક, ધનદપુત્રકથા, અમરદત્તનૃપકથા, ૧. પ્રશસ્તિપદ્ય ૨ ૨. યશોવિજય જૈન ગ્રન્થમાલા, વારાણસી, વીર સં. ૨૪૩૭ Page #531 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૫૦૯ વણિકતયકથા, પરિવ્રાટકથા, અમૃતામ્રભૂપતિકથા, સ્કેન્દિલપુત્રકથા, ગુણવર્મકથા, અગ્નિશમદ્વિજકથા, ભાનુદત્તકથા, માધવકથા વગેરે. આમાં કેટલીક અવાજોર કથાઓ તો ખૂબ લાંબી છે. ધનદત્તકથા પ-૬-૭ સર્ગો રોકે છે. આ અવાજોર કથાઓના ચયનમાં પણ આ કાવ્યના કર્તા મુનિભદ્ર મુનિદેવનું અનુકરણ કર્યું છે. મુનિદેવસૂરિના શાન્તિનાથચરિત્રમાં જે અવાજોરકથાઓ મળે છે બરાબર તે જ અને તે જ ક્રમમાં પ્રસ્તુત કાવ્યમાં વિદ્યમાન છે. આ જ રીતે પ્રસ્તુત કાવ્યમાં જૈન ધર્મના તે જ બધાં તત્ત્વોનું વિવેચન થયું છે જેમનું વિવેચન મુનિદેવસૂરિએ કર્યું છે. તેવી જ રીતે આ કાવ્યમાં કથાવસ્તુ પૂર્ણતયા મુનિદેવના શાન્તિનાથચરિત્ર”ના પગલે પગલે જ ચાલી છે. તેમાં પણ મુનિભદ્ર મૌલિક સૃજનશક્તિનો પરિચય નથી આપ્યો, તો પણ આ કાવ્ય પોતાની પ્રૌઢ ભાષાશૈલી અને ઉદાત્ત અભિવ્યંજનાશક્તિથી પોતાનું આગવું સ્થાન કરી લીધું છે. આ દૃષ્ટિએ તે મૌલિક અને નવીન લાગે છે. આ કાવ્ય ઓગણીસ સર્ગોમાં વિભક્ત છે. અનુષ્ટ્રભુમાપથી તેનું રચનાપરિમાણ ૬૨૭૨ શ્લોકપ્રમાણ છે. ભવાન્તરો અને અવાન્તર કથાનકોના પ્રાચર્યની સાથે આ કાવ્યમાં સ્તોત્રો અને માહાભ્યોનો સમાવેશ અધિક માત્રામાં થયો છે તથા પ્રત્યેક સર્ગના પ્રારંભમાં કવિ શાન્તિનાથનું સ્તવન કરે છે, વચ્ચે વચ્ચે દેવતાઓ અને કથાનકનાં પાત્રો જિનેન્દ્રની સ્તુતિઓ કરે છે, તથા દેવતાઓ મેઘરથ વગેરે સપુરુષોની સ્તુતિઓ કરે છે. શત્રુંજયમાહાલ્ય આદિ બેએક માહાભ્ય પણ આ કાવ્યમાં છે. આ કાવ્યમાં અનેક પુરુષ અને સ્ત્રી પાત્રો છે પરંતુ ચરિત્રચિત્રણની દૃષ્ટિએ તે બધાંમાં શાન્તિનાથ, ચક્રાયુધ, અશનિઘોષ અને સુતારા જ પ્રમુખ પાત્રો છે, તેમનાં જ ચરિત્રોનો વિકાસ થયો છે, બાકીનાં પાત્રોનાં ચરિત્રોનો નહીં. આ કાવ્યમાં પ્રકૃતિચિત્રણ ઓછું છે. ક્યાંક ક્યાંક સવાર, સાંજ, સરોવર, ઉપવન અને જુદી જુદી ઋતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્ત્રી-પુરુષના સૌન્દર્યનું ચિત્રણ કવિએ કર્યું છે પરંતુ તેને પરંપરાગત ઉપમાનો દ્વારા જ, તો પણ આ પ્રયોગોમાં કવિની કલ્પનાઓ ઘણી બધી મૌલિક અને સુંદર આ કાવ્યમાં સમસામયિક સામાજિક પરિસ્થિતિનું સુંદર વર્ણન થયું છે. પોતાના જમાનામાં જન્મ, વિવાહ આદિ અવસરે થતા સામાજિક-ધાર્મિક કાર્યોનું Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ જૈન કાવ્યસાહિત્ય વિસ્તૃત વિવરણ આપીને કવિએ સામાજિક રીતરિવાજો ઉપર સારો પ્રકાશ ફેંક્યો છે. કાવ્યકલાના અંતરંગ પક્ષને કવિએ વિવિધ રસોની યોજના દ્વારા પુષ્ટ કર્યો છે. કાવ્યમાં પ્રધાન રસ શાન્તરસ છે પરંતુ શૃંગાર, વીર, રૌદ્ર, ભયાનક અને વાત્સલ્યરસની છટા પણ જ્યાં ત્યાં નજરે પડે છે. આ કાવ્યની ભાષામાં પ્રૌઢતા, લાલિત્ય અને અનેકરૂપતાનું દર્શન થાય છે. કવિએ તેને અલંકારોથી શણગારવાની ચેષ્ટા કરી છે. શબ્દાલંકારોમાં યમકનો પ્રયોગ તો વારંવાર અનેક સ્થાને થયો છે પરંતુ ભાષાની સરલતા અક્ષત છે. તેવી જ રીતે અનુપ્રાસ અને ખાસ કરીને અત્યાનુપ્રાસોની યોજના કરવામાં આવી છે. અર્થાલંકારોમાં સાદશ્યમૂલક અલંકારોનો અર્થાત્ ઉપમા, ઉન્મેલા અને અર્થાન્તરન્યાસનો પ્રયોગ બહુ જ થયો છે. આ કાવ્યમાં અધિકતર અલંકાર યત્નસાધ્ય છે છતાં જ્યાં ત્યાં સ્વાભાવિક યોજના પણ દેખાય છે. આ કાવ્યના પ્રત્યેક સર્ગમાં એક છંદનો પ્રયોગ થયો છે અને સર્ગના અત્તે છંદ પરિવર્તન કરવામાં આવ્યું છે. ચૌદમા સર્ગમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. કુલ મળીને ૧૯ છંદોનો પ્રયોગ થયો છે. તેમાં ઉપજાતિનો પ્રયોગ સર્વાધિક થયો છે. - કવિ પરિચય અને રચનાકાલ– કાવ્યના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કાવ્યના કર્તા મુનિભદ્રસૂરિ હતા. તે બૃહગચ્છના હતા. ઉક્ત ગચ્છમાં મુનિચન્દ્રસૂરિ નામના ગચ્છપતિ થયા હતા. તેમના પદે કાળક્રમે દેવસૂરિ, ભદ્રેશ્વરસૂરિ, વિજયેન્દુસૂરિ, માનભદ્રસૂરિ તથા ગુણભદ્રસૂરિ થયા. ગુણભદ્રસૂરિ દિલ્હીના બાદશાહ મુહમ્મદ તુગલઘના સમકાલીન હતા અને તેનાથી સમ્માનિત હતા. આ જ ગુણભદ્રના શિષ્ય આ કાવ્યના કર્તા મુનિભદ્રસૂરિ હતા. તત્કાલીન મુસ્લિમ નરેશ ફીરોજશાહ તુગલઘ તેમને બહુ માન આપતો હતો. તેનો ઉલ્લેખ કવિએ પોતે કર્યો છે. ૨ આ કાવ્યની રચના મુનિભદ્રસૂરિએ ભક્તિભાવના અને ખાસ તો પાંડિત્યપ્રદર્શનની ભાવનાથી પ્રેરાઈને કરી છે. કવિએ કાવ્યપંચક – રઘુવંશ, ૧. સર્ગ ૧. ૫૪; ૩. ૧૧૩, ૧૧૯, ૧૨૦-૧૨૮; ૪. ૨૬, ૫૯-૬૦, ૧૦૦-૧૧૦, ૧૧૫-૧૧૮ વગેરે. ૨. પ્રશસ્તિત્ત્વ ૯. " Page #533 -------------------------------------------------------------------------- ________________ લલિત વાધૈય કુમારસંભવ, કિરાતાર્જુનીય, શિશુપાલવધ અને નૈષધચરિત – સમકક્ષ જૈન સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના અભાવની પૂર્તિ કરવા આ કાવ્યની રચના કરી છે. આ કાવ્યનું સંશોધન રાજશેખરસૂરિએ કર્યું હતું. કવિએ આ કાવ્યની રચનાનો સમય પણ ઉક્ત પ્રશસ્તિમાં સં. ૧૪૧૦ આપ્યો છે. જયોદયમહાકાવ્ય આ કાવ્યમાં ૨૮ સર્ગ છે. તેમાં જિનસેન પ્રથમે પોતાના મહાપુરાણમાં નિરૂપેલા ઋષભદેવ-ભરતકાલીન જયકુમા૨-સુલોચનાના પૌરાણિક કથાનકને મહાકાવ્યનું રૂપ આપવામાં આવ્યું છે. તેના ૩-૫ સર્ગોમાં સ્વયંવરનું વર્ણન છે, ૬-૮માં યુદ્ધનું વર્ણન છે, ૯મામાં જયકુમારના વિવાહનું વિસ્તૃત વર્ણન આદિ છે, ૧૪મા સર્ચમાં વનક્રીડાનું વર્ણન છે, ૧૫મામાં સંધ્યાવર્ણન છે, ૧૬મામાં પાનગોષ્ઠીવર્ણન છે, ૧૭મામાં રાત્રિનું અને સંભોગનું વર્ણન છે, અને ૧૮મામાં પ્રભાતવર્ણન છે. આ બધાં વર્ણનો મહાકાવ્યને અનુરૂપ છે. આ કાવ્યમાં કવિએ વિવિધ છંદો, શબ્દ અને અર્થ અલંકારો તથા વિવિધ રસોના સન્નિવેશની સાથે કથાનકને ઘણી જ રોચક રીતે રજૂ કર્યું છે. અનુપ્રાસનો સ્થળે સ્થળે અધિક માત્રામાં પ્રયોગ થવાથી ક્યાંક ક્યાંક અર્થની સ્પષ્ટતામાં બાધા પડે છે. પ્રસ્તુત કાવ્યમાં કવિપરંપરાના નિયમોના નિર્વાહની સાથે સાથે આધુનિકતાનો પુટ વિશેષ દેખાય છે. નવા પરિવેશમાં પુરાણા છંદોનો પ્રયોગ જોવા જેવો છે. સામાન્યતઃ પ્રત્યેક સર્ગના ઉપાત્ત્વ શ્લોકમાં પ્રાયઃ કોઈ ને કોઈ ચક્રબન્ધનો પ્રયોગ કરવામાં આવ્યો છે, આ કવિની શબ્દાલંકારપ્રિયતાને સૂચવે છે. આ કાવ્યના ઉક્તિવૈચિત્ર્યના કેટલાક નમૂના નીચે મુજબ છે : વિતાયા: વિઃ જતાં સિજોવિઃ પુનઃ । रमणीरमणीयत्वं पतिर्जानाति नो पिता 11 *** ૧. એજન, પદ્ય ૧૩-૧૪ ૨. એજન, પદ્ય ૧૧ ૩. એજન, પદ્ય ૧૨ ૪. પ્રકાશક બ્રહ્મ. સૂરજમલ, વી.સં. ૨૪૭૬ ૫૧૧ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ 1 यदालोकनतः સઘઃ सरलं तरलं तराम् रसिकस्य मनो भूयात् कविता वनितेव सा 11 *** सदुक्तिमपि गृह्णाति प्राज्ञो नाज्ञो जनः पुनः 1 किमकूपारवत् कूपं वर्धयेद् विधुदीधितिः ॥ " કર્તા અને રચનાકાલ આ આધુનિક કાળની રચના છે. આ કાવ્યના અન્વે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કાવ્યના કર્તા બાલબ્રહ્મચારી વાણીભૂષણ પં. ભૂરામલ શાસ્ત્રી છે. તે જયપુર પાસે આવેલા રાણાલી ગામના નિવાસી દિગંબર જૈન ખંડેલવાલ જાતિના છાવડા ગોત્રના હતા. પ્રશસ્તિમાં તેમણે પોતાના પિતાનું નામ શ્રેષ્ઠિ ચતુર્ભુજ અને માતાનું નામ ધૃતવરી દેવી જણાવ્યું છે. આ કાવ્યને કવિએ નવ્ય પદ્ધતિથી રચેલું કાવ્ય કહ્યું છે. આ કાવ્યની રચના સં. ૧૯૯૪ આસપાસ થઈ છે. કેટલાક જૈન કવિઓએ જૈન કથાનકો સિવાય અન્ય કથાનકો ઉપર પણ મહાકાવ્યો રચ્યાં છે. તેમાં અમરચન્દ્રસૂરિનું બાલભારત મહત્ત્વનું છે. ――― જૈન કાવ્યસાહિત્ય બાલભારત 3 આ કાવ્ય ‘મહાભારત'ની સંપૂર્ણ કથાનો સાર છે. મૂળ મહાભારતની જેમ આ પણ ૧૮ પર્વોમાં વિભાજિત છે અને આ પર્વો પણ એક કે એકથી વધુ સર્ગોમાં વિભાજિત છે. સર્ગોની કુલ સંખ્યા ૪૪ છે. કાવ્યમાં કુલ મળીને ૫૪૮૨ પદ્ય છે. તે પદ્યો વિવિધ ૨૩ છંદોમાં રચાયાં છે. કાવ્યનો ગ્રન્થાગ્ર ૬૯૫૦ શ્ર્લોકપ્રમાણ છે. આ કાવ્યની કથાસામગ્રી મહાભારતમાંથી લેવામાં આવી છે. મૂળ મહાભારતને સંક્ષિપ્ત કરવામાં કર્તાએ કેવળ તેના કથાભાગ ઉપર જ ધ્યાન આપ્યું છે અને નીતિ તથા ધર્મશાસ્ત્રની વાતો પ્રાયઃ છોડી દીધી છે. તેથી શાન્તિપર્વ અને અનુશાસનપર્વ જેવાં અને મોટાં પર્વો એક એક સર્ગમાં જ સમાપ્ત કરવામાં આવ્યાં છે. જ્યાં મહાભારતમાં વિવિધ ઘટનાઓમાં મહાકાવ્યોચિત ધારાવાહિકતાનો અવરોધ છે १. पुरुषपदार्थधरालोकमिते विक्रमोक्तसंवत्सरे हिते । શ્રાવળમાસિમિતિ પ્રતિયાતિ પૂર્ણ બિનપરહિતનત્તિ ॥ ૨૮.૧૧૦ ૨. નવ્યાં પદ્ધતિમુક્ષુવૃત્તિમિ: વ્યાવ્યું મતં તત્કૃતમ્ ॥ ૩.૧૧૭ ૩. કાવ્યમાલા (સંખ્યા ૪૫), નિર્ણયસાગર, મુંબઈ, ૧૮૯૪ Page #535 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૫૧૩ ત્યાં બાલભારતના કથાનકમાં ધારાવાહિકતાનો સારો પ્રભાવ દેખાય છે. અહીં વિવિધ ઘટનાઓમાં સામંજસ્ય સ્થાપીને સુસંગઠિત કથાનક બનાવવામાં કવિ સારા સફળ થયા છે. કવિએ મૂળ મહાભારતના કથાનકમાં કોઈ પરિવર્તન નથી કર્યું. આ કાવ્યમાં જયાં ત્યાં પાત્રોના કથોપકથનમાં નાટકીય સજીવતા વિદ્યમાન છે. બાલભારતમાં મહાકાવ્યોનાં શાસ્ત્રીય લક્ષણોનો નિર્વાહ કરવા માટે આદિપર્વના ૭માં સર્ગમાં વસંતવર્ણન અને આઠમાંથી અગીઆરમામાં પુષ્પચયન, જલક્રીડા, ચન્દ્રોદય, મદ્યપાન, કામકેલિઓ વગેરેનાં વર્ણનો આપવામાં આવ્યાં છે. બારમા સર્ગમાં ખાંડવવનનું વર્ણન તથા સભાપર્વના ચોથા સર્ગમાં ઋતુવર્ણન અને દ્રોણ તથા ભીષ્મપર્વોમાં યુદ્ધવર્ણન અને સ્ત્રીપર્વમાં સ્ત્રીઓના વિલાપ દ્વારા કરૂણ ભાવોનું આલેખન કરવામાં આવ્યું છે. આમ વિશાલકાય મહાભારતનું સંક્ષિપ્ત રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચરિત્રચિત્રણમાં પાંડવોનું ચરિત્ર “બાલભારતમાં સૌથી અધિક વ્યાપક છે, તેઓ જ પ્રધાન પાત્રોના રૂપમાં આપણી સમક્ષ આવે છે. તેમની સાથે ભીષ્મ, કર્ણ, દુર્યોધન, દ્રોણ વગેરે પાત્રો પણ પોતાની પરંપરાગત વિશેષતાઓ સાથે નિરૂપાયાં છે. સ્ત્રીપાત્રોમાં કુત્તી, દ્રૌપદી, સુભદ્રા વગેરેનું ચરિત્રાંકન પણ સુંદર રીતે થયું છે. પ્રકૃતિચિત્રણ પણ પ્રાય: પ્રત્યેક પર્વમાં થયું છે. પોતાના યુગમાં ફેલાયેલા જાતજાતના અંધવિશ્વાસો, શુકન-અપશુકનો, શુભ-અશુભ સ્વપ્રોનાં વર્ણનો દ્વારા તત્કાલીન સમાજની સ્થિતિના એક અંશનું ચિત્રણ પણ આ કાવ્યમાં થયું છે. - આ કાવ્યમાં જૈનધર્મના તત્ત્વોનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન ક્યાંય પણ થયો નથી કારણ કે આની રચના બ્રાહ્મણોની વિનંતીથી જ કરવામાં આવી છે. આમાં ભીષ્મ દ્વારા રાજધર્મ, આપદ્ધર્મ અને મોક્ષધર્મનો ઉપદેશ મહાભારત અનુસાર જ આપવામાં આવ્યો છે. આમાં કવિ મૌલિક નથી. આ કાવ્યની ભાષા વૈવિધ્યપૂર્ણ, પરિમાર્જિત, પ્રાંજલ અને પ્રવાહી છે. માધુર્યગુણ અનેક સ્થળે દેખાય છે. કાવ્યમાં કર્ણકટુ શબ્દોનો નિતાન્ત અભાવ છે. તેની ભાષાશૈલીમાં ગરિમા, ભવ્યતા અને ઉદાત્તતા વિદ્યમાન છે જે અન્ય કાવ્યોમાં બહુ ઓછાં મળે છે. કવિએ પોતે બાલભારતને “વાણીવેશ્મ' તથા ભાષારૂપી પૃથ્વી ઉપર ખડું કરવામાં આવેલું શ્રેય અને શોભાનું ભવન” કહ્યું છે. કવિએ આ કાવ્યનાં ભાવ અને ભાષાને અલંકારોથી ઉક્વલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસનો અધિક પ્રયોગ થયો છે અને Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ જૈન કાવ્યસાહિત્ય અર્થાલંકારોમાં ઉન્મેલા, વિરોધાભાસ, અપવ્રુતિ, દીપક આદિ અલંકારોનો સારો પ્રયોગ કરવામાં આવ્યો છે. બાલભારતમાં અધિકાંશ સર્ગોમાં એક જ છંદનો પ્રયોગ થયો છે પરંતુ સર્માન્ત છંદપરિવર્તન કરવામાં આવ્યું છે. સર્ચ ૧૯, ૩૩, ૩૪, ૪૩ અને ૪૪માં અનેક છંદોનો પ્રયોગ થયો છે. તેમાં કુલ મળીને ૨૭ છંદોનો પ્રયોગ થયો છે. તેમાં અનુષ્ટ્રભુનો પ્રયોગ સર્વાધિક થયો છે. અંતિમ સર્ગને છોડી બધા સર્ગોના પ્રારંભમાં કર્તાએ એક એક પદ્ય દ્વારા વ્યાસદેવની પ્રાર્થના કરી છે. પ્રત્યેક સર્ગના અંતે વીર શબ્દનો પ્રયોગ કરી કાવ્યને વીરાંક કાવ્ય કહ્યું છે. તેમાં કુલ મળીને ૫૪૮૨ પદ્ય છે, તેનો ગ્રન્થાઝ અનુણુભૂમાપથી ૬૯૫૦ શ્લોક થાય છે. - કવિ પરિચય અને રચનાકાલ – કાવ્યના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કાવ્યના કર્તા પ્રસિદ્ધ કવિ અમરચન્દ્રસૂરિ છે. તે વાયટગચ્છના હતા. તેમનાથી પહેલાં વાયટગચ્છમાં પરકાયપ્રવેશવિદ્યામાં નિપુણ જીવદેવસૂરિ થયા હતા. તેમની શિષ્ય પરંપરામાં “વિવેકવિલાસ'ના કર્તા શ્રી જિનદત્તસૂરિ થયા. આ જિનદત્તસૂરિના જ શિષ્ય અમરચંદ્રસૂરિ થયા. તે પોતાના સમયના મૂર્ધન્ય વિદ્વાન હતા. ગુર્જરનરેશ વસલદેવે તેમને કવિસાર્વભૌમની ઉપાધિ આપી હતી. તેમના જીવનનો પરિચય તેમની બીજી કૃતિ “પદ્માનન્દમહાકાવ્ય'માંથી તથા રત્નશેખરસૂરિકૃત “ચતુર્વિશતિપ્રબંધ' અને રત્નમંદિરમણિકૃત “ઉપદેશતરંગિણી'માંથી પણ મળે છે. તેમના કલાગુર અરિસિંહ ઠક્કર હતા. કવિ આશુકવિ હતા અને વાય-નિવાસી બ્રાહ્મણોની વિનંતીથી તેમણે સંપૂર્ણ મહાભારતનો સંક્ષેપ બાલભારત' શીધ્ર રચી દીધો. કાલાન્તરે કોષ્ઠાગારિક પદ્મ મંત્રીની વિનંતીથી કવિએ પદ્માનન્દમહાકાવ્યની રચના કરી. કવિની અન્ય કૃતિઓ છે – (૧) કાવ્યકલ્પલતા યા કવિશિક્ષા, (૨) કાવ્યકલ્પલતાવૃત્તિ, (૩) ચતુર્વિશતિજિનેન્દ્રસંક્ષિપ્તચરિતાનિ, (૪) સુકૃતસંકીર્તનના પ્રત્યેક સર્ગનાં અંત્તિમ ચાર પદ્ય, (૫) સ્વાદિશબ્દસમુચ્ચય, (૬) કાવ્યકલ્પલતાપરિમલ, (૭) કાવ્યકલ્પલતામંજરી, (૮) કાવ્યકલાપ, (૯). - છન્દોરત્નાવલી, (૧૦) અલંકારપ્રબોધ અને (૧૧) સૂક્તાવલી. ૧. આ છંદોના અધ્યયન માટે જુઓ હરિ દામોદર વેલકરનો લેખ : પ્રોસોડિયલ પ્રેક્ટીસ ઓફ સંસ્કૃત પોએટ્સ, જર્નલ ઓફ ધી બોમ્બ બ્રાંચ ઑફ ધી રૉયલ એશિયાટિક સોસાયટી, ભાગ ૨૪-૨૫, પૃ. ૫૧. Page #537 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય અમરચન્દ્રસૂરિએ બાલભારતની રચના ક્યારે કરી, તેની માહિતી ક્યાંય મળતી નથી. ‘ચતુર્વિંશતિપ્રબંધ'માંથી જાણવા મળે છે કે કવિ વીસલદેવ વાધેલાના સમકાલીન હતા. આ રાજાનો રાજ્યકાલ સં. ૧૨૯૪થી સં. ૧૩૨૮ મનાય છે. તેથી બાલભારતની રચના આ ગાળામાં થઈ હોવી જોઈએ. પાટણના અષ્ટાપદ જિનાલયમાં અમ૨ચન્દ્રસૂરિની પ્રતિમા છે, તેને સં. ૧૩૪૯માં સ્થાપવામાં આવી હતી. તેનો અર્થ એ કે તે વર્ષ પહેલાં કવિનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. અન્ય અનુમાનો ઉ૫૨થી સિદ્ધ થાય છે કે બાલભારતનો રચનાકાલ સં. ૧૨૭૭ અને સં. ૧૨૯૪ વચ્ચેનો હોવો જોઈએ.૧ લઘુકાવ્ય જૈન કવિઓએ મહાકાવ્યની સંખ્યાથી ઘણી જ વધારે સંખ્યામાં લઘુકાવ્યોનું સર્જન કર્યું છે. આ લઘુકાવ્યોમાં જો કે કથા જીવનવ્યાપી હોય છે છતાં સર્ગોની સંખ્યા ઓછી હોય છે. પૌરાણિક મહાકાવ્યો અન્તર્ગત એક વસ્તુકથાનું નિરૂપણ કરનારાં આવાં અનેક લઘુકાવ્યોનું વર્ણન અમે આપ્યું છે, જેમકે વાદીભસિંહનું ક્ષત્રચૂડામણિકાવ્ય, વાદિરાજનું યશોધરચરિત, જયતિલકસૂરિનું મલયસુન્દરીચરિત, સોમકીર્તિનું પ્રદ્યુમ્નચરિત વગેરે. ૧૫મી-૧૭મી સદી સુધી ભટ્ટારકોએ – સકલકીર્તિ, બ્રહ્મ. જિનદાસ, શુભચન્દ્રે આ પ્રકારનાં અનેક ચરિતાત્મક લઘુકાવ્યો રચ્યાં હતાં. આ કાવ્યોમાં શાસ્ત્રીય મહાકાવ્યોમાં મળે છે તેવી કથાત્મક વિવિધ ભંગિમાઓ નથી મળતી અને ન તો પૌરાણિક મહાકાવ્યોમાં મળે છે તેવી અવાન્તર કથાઓની જાળ. આ લઘુકાવ્યોમાં પ્રધાન વસ્તુકથા સંક્ષેપમાં પરિમિત સર્ગોમાં ૬-૮ કે ૧૦-૧૨ સર્ગોમાં આપવામાં આવી હોય છે તથા વસ્તુવર્ણન વ્યાપક રૂપમાં રજૂ કરવામાં નથી આવતું. અહીં અમે કેટલીક રચનાઓનો પરિચય આપીએ છીએ. શ્રીધરચરિત મહાકાવ્ય આ કાવ્ય ૯ સર્ગોમાં વિભક્ત છે. તેમાં કુલ મળીને ૧૩૧૩ શ્લોકો છે. તેનો ગ્રન્થાગ્ર ૧૬૮૯ છે. કવિએ પોતાની છંદજ્ઞતાનો વિશેષ પરિચય આપ્યો ― ૫૧૫ - ૧. તેરહવીં-ચૌદહવીં શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય, પૃ. ૨૫૫-૨૫૭. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૯૬; ચારિત્રસ્મારક ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪૮, વી.સં. ૨૪૭૮. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ જૈન કાવ્યસાહિત્ય છે. તે માટે તેમણે પ્રત્યેક સર્ગના છંદોનો નિર્દેશ કરવા છંદોને પૂરા લક્ષણ સાથે સર્ગના પ્રારંભે કે સ્થાને સ્થાને સૂચિત કર્યા છે. તેમણે અનેક અપ્રસિદ્ધ છંદોનો પ્રયોગ કર્યો છે અને સૌભાગ્યથી તે છંદોનાં નામોનો નિર્દેશ કરીને તેમણે વાચકો ઉપર મોટો ઉપકાર કર્યો છે. કાવ્યના પ્રત્યેક સર્ગના અન્તિમ પદ્યમાં કવિએ પોતાના નામનો “માણિક્ય' શબ્દ આપ્યો છે અને સમાપ્તિસૂચક વાક્યમાં “મણિજ્યાં શ્રીશ્રીધરરિતે પદથી જણાવ્યું છે કે કાવ્ય “માણિક્યાંક' છે. આ કાવ્યમાં ભગવાન્ પાર્શ્વનાથના પૂર્વભવના જીવ વિજયચન્દ્ર અને તેમની પટ્ટરાણી સુલોચનાનું રોચક ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે. જો કે કાવ્યનું શીર્ષક વિજયચન્દ્રના સાતમા પૂર્વભવના જીવ શ્રીધરના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે છતાં આ કથાના નાયક તો વિજયચન્દ્ર જ છે અને વિજયચન્દ્રનાં સાહસિક કાર્યોનું તથા તેમના વૈરાગ્યનું વર્ણન એ કાવ્યની કથાવસ્તુ છે. પ્રસ્તુત કાવ્યમાં આ કથાને નિબદ્ધ કરવામાં કવિએ મહાકાવ્યનાં બધાં લક્ષણોને અપનાવ્યાં છે પરંતુ સર્ગોની સંખ્યા ઓછી હોવાથી તેને લઘુકાવ્ય ગયું છે. તેમાં શૃંગાર, હાસ્ય, અદ્ભુત, શાન્ત વગેરે રસોનું આલેખન કવિએ ઘણા જ કૌશલથી કર્યું છે. ભાષા પ્રસાદગુણપૂર્ણ છે. કવિ કલ્પનાઓ કરવામાં ઘણા ચતુર છે. આ કાવ્ય ઉપર કવિએ પોતે દુર્ગપદવ્યાખ્યા લખી છે, તેમાં પ્રત્યેક સર્ગના આદિમાં છંદોનાં સૂચક લક્ષણો આપવામાં આવ્યાં છે. કવિ પરિચય અને રચનાકાલ – કૃતિના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેના કર્તા માણિક્યસુંદર છે. તેમણે આ કૃતિને દેવકુલપાટકમાં વિ. સં. ૧૪૬૩માં રચી હતી અને મેરુમંડલના સત્યપુરમાં શ્રીપૂજય ગચ્છાધીશ પાસે શુદ્ધ કરાવી હતી. ઉક્ત પ્રશસ્તિમાંથી એ પણ જાણવા મળે છે કે અંચલગચ્છના મેરૂતુંગ તેમના દીક્ષાગુરુ હતા અને જયશેખરસૂરીશ્વર ગુરુ હતા. તેમની અન્ય રચનાઓ છે – ચતુષ્કર્વી, શુકરાજકથા, પૃથ્વીચન્દ્રચરિત્ર (જૂની ગુજરાતી), ગુણવર્મચરિત્ર, ધર્મદત્તકથા, અજાપુત્રકથા અને આવશ્યક ટીકા વગેરે. જૈનકુમારસંભવ પ્રસ્તુત કાવ્ય ૧૧ સર્ગોમાં વિભક્ત છે અને તેમાં ભરતકુમારની કથા કહેવામાં Page #539 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય આવી છે. તેની રચના મહાકવિ કાલિદાસના કુમારસંભવમાંથી પ્રેરણા લઈને કરવામાં આવી છે. તેની કથાવસ્તુ સંક્ષેપમાં આ પ્રમાણે છે અયોધ્યાના રાજા નાભિરાય અને રાણી મરુદેવીના પુત્ર ઋષભનો જન્માભિષેક થયો. તે શૈશવાવસ્થા સમાપ્ત કરી યુવાવસ્થામાં પ્રવેશે છે (સર્ગ ૧). ઋષભની કીર્તિ સર્વત્ર ફેલાય છે. ઈન્દ્ર આદિ દેવોને ઋષભદેવના વિવાહની ચિંતા થાય છે. મહારાજ નાભિરાયે પણ ઋષભદેવને વિવાહનો અનુરોધ કર્યો (સર્ગ ૨). અન્ય પ્રજાજનોએ પણ અનુરોધ કર્યો. આ અનુરોધોનો કોઈ ઉત્તર ઋષભદેવે આપ્યો નહિ. ‘મૌન એ સ્વીકૃતિનું લક્ષણ છે’ એ નિયમે તેમના વિવાહની તૈયારીઓ કરવામાં આવી (સર્ગ ૩). સુમંગલા અને સુનંદાને લગ્નમંડપમાં લાવવામાં આવી. અપ્સરાઓ નભોમંડલમાં નૃત્ય કરવા લાગી, વગેરે (સર્ગ ૪). ઋષભદેવનું સુમંગલા અને સુનંદા સાથે પાણિગ્રહણ થયું. ચારે તરફ જય-જય ધ્વનિ સંભળાવા લાગ્યો. આ સર્ગમાં પતિપત્નીના સંબંધો અને કર્તવ્યોનું નિરૂપણ છે (સર્ગ પ). પછી રાત્રિ, ચન્દ્રોદય, ષઋતુ વગેરે વર્ણનાત્મક પ્રસંગો આપ્યા છે. સર્ગાન્ત સુમંગલાને ગર્ભ રહ્યાનું સૂચન કરવામાં આવ્યું છે (સર્ગ ૬). એક રાત્રિના પાછલા પ્રહરમાં સુમંગલાને ચૌદ સ્વપ્રો આવે છે. તે તેનું ફળ જાણવા પ્રભુના વાસગૃહમાં જાય છે (સર્ગ ૭). ઋષભદેવ એક એક સ્વપ્રનું ફળ જણાવે છે અને કહે છે કે સુમંગલા ચક્રવર્તી પુત્રને જન્મ આપશે (સર્ગ ૯). સુમંગલા પોતાના વાસભવનમાં આવે છે અને સખીઓને આખો વૃત્તાન્ત જણાવે છે (સર્ગ ૧૦). ઈન્દ્ર આવીને સુમંગલાના ભાગ્યની પ્રશંસા કરે છે અને તેને કહે છે કે સમયની અવિધ પૂરી થતાં તેને પુત્રરત્નની પ્રાપ્ત થશે, તેના પતિનું વચન કદી મિથ્યા ન હોઈ શકે. તેના પુત્રના નામ ઉપરથી આ ભૂમિ ‘ભારત’ નામ અને વાણી ‘ભારતી' નામે ઓળખાશે. મધ્યાહ્નવર્ણન સાથે કાવ્ય સમાપ્ત થાય છે (સર્ગ ૧૧). ૫૧૭ જો કે કવિ કાલિદાસકૃત કુમારસંભવની જેમ જૈન કુમારસંભવનું પ્રયોજન કુમાર(ભરત)ના જન્મનું વર્ણન કરવાનો છે પરંતુ જેમ કુમારસંભવના પ્રામાણિક ભાગ (પ્રથમ આઠ સર્ગ)માં કાર્તિકેયના જન્મનું આલેખન કરવામાં નથી આવ્યું ૧. જિનરત્નકોશ, પૃ. ૯૪, ૧૧૪; ભીસમી માણેક, મુંબઈ દ્વારા પ્રકાશિત; જૈન પુસ્તકોદ્વાર સંસ્થા, સુરત, ૧૯૪૬. Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ તેમ જ જૈન કવિએ તેમના આ મહાકાવ્યમાં પણ ભરતકુમારના જન્મનો ઉલ્લેખ ક્યાંય નથી કર્યો અને આમ બન્ને કાવ્યોનાં શીર્ષક તેમના પ્રતિપાદ્ય વિષય અનુસાર ચરિતાર્થ નથી. જૈન કુમારસંભવમાં છઠ્ઠા સર્ગમાં સુમંગલાના ગર્ભાધાનનો નિર્દેશ કર્યા પછી પણ કાવ્યને પાંચ વધારે સર્ગોમાં ખેંચ્યું છે. તેથી કથાક્રમ વિશૃંખલ થયો છે અને કાવ્યનો અંત ઘણો આકસ્મિક અને નિરાશાજનક રીતે થયો છે, ભલે ને તે કવિની વર્ણનાત્મક પ્રકૃતિને અનુકૂળ હોય. જે હો તે, પરંતુ કાલિદાસનો પ્રભાવ કવિ ઉપર ઘણો છે અને તે તેમની કૃતિ કુમારસંભવથી ખાસ કરીને પ્રભાવિત છે. કુમારસંભવ અને જૈન કુમારસંભવની પરિકલ્પના, કથાનકના વિકાસ અને ઘટનાઓના સંયોજનમાં પર્યાપ્ત સામ્ય છે. આ કાવ્યની શૈલીમાં જે પ્રસાદગુણ અને આકર્ષણ છે તે પણ કાલિદાસની શૈલીની સહજતા અને પ્રાંજલતાના પ્રભાવને કારણે જ છે. આ કાવ્યની કથા આમ તો બહુ જ લઘુ છે અને ૩-૪ સર્ગોની જ સામગ્રી છે પરંતુ કવિએ તેમાં વિવિધ વર્ણનો, સંવાદો, સ્તોત્રો અને પ્રશસ્તિગાનો ભરીને કથાને ૧૧ સર્ગની બનાવી દીધી છે. આ કાવ્યની ભાષાશૈલી ઉદાત્ત અને પ્રૌઢ છે. કવિએ વિભિન્ન રસોનું ચિત્રણ તો કર્યું છે પરંતુ કોઈ એક રસનું પ્રધાનપણે પલ્લવન નથી કર્યું. આ કાવ્યમાં અલંકારોની સુરુચિપૂર્ણ યોજના કરવામાં આવી છે. કાવ્યમાં ચિત્રબંધની યોજના ક્યાંય કરવામાં નથી આવી. છંદોની યોજનામાં કવિએ શાસ્ત્રીય નિયમોનું પાલન કર્યું છે. પ્રત્યેક સર્ચમાં એક છંદનો પ્રયોગ થયો છે અને સર્ગાન્તે છંદપરિવર્તન કરવામાં આવ્યું છે. કવિએ કુલ મળીને ૧૭ છંદોનો પ્રયોગ કર્યો છે. આ બધા છંદો સુજ્ઞાત છે. કવિપરિચય અને રચનાકાલ આ કાવ્યના કર્તા કવિ જયશેખરસૂરિ છે. તે અંચલગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. જૈન કુમારસંભવની પ્રશસ્તિમાં આ કાવ્યનો રચનાકાલ વિ.સં.૧૪૮૩ આપવામાં આવ્યો છે. પ્રશસ્તિમાં તેમની અન્ય રચનાઓનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે, જેમ કે ઉપદેશચિંતામણિ (સં.૧૪૩૬), પ્રબોધચિંતામણિ (સં.૧૪૬૪), ધમ્મિલચરિત.૪ --- ૧. પ્રોધોપવેશશ્ન વિન્તામર્માળગૃતોત્તૌ । कुमारसंभवं काव्यं चरितं धम्मिलस्य च ॥ ૨. હીરાલાલ હંસરાજ, જામનગર. ૩. જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. ૪. હીરાલાલ હંસરાજ, જામનગર. જૈન કાવ્યસાહિત્ય Page #541 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદ્યય ૫૧૯ આ કાવ્ય ઉપર કવિના શિષ્ય ધર્મશખરગણિએ ટીકા લખી છે. કાવ્યનું સંશોધન માણિજ્યસુંદરસૂરિએ કર્યું છે. અન્ય લઘુકાવ્યોમાં મંડનકવિનાં ત્રણ લઘુકાવ્યો ઉલ્લેખનીય છે. તેમનું સંક્ષિપ્ત વિવરણ નીચે આપીએ છીએ. કાદમ્બરીમંડન કવિ મંડનની કૃતિઓમાંની આ એક છે. તેની રચના મંડને માળવાના બાદશાહ હોશંગશાહના અનુરોધથી કરી હતી. હોશંગશાહને મંડન જેવા વિદ્વાનોની સંગતિથી સંસ્કૃત સાહિત્ય પ્રત્યે ઘણો પ્રેમ થઈ ગયો હતો. એક વખત સાંજે તેણે એક વિદ્ધગોષ્ઠી રાખી અને મંડન કવિને કહ્યું, “મેં કાદમ્બરીની ઘણી પ્રશંસા સાંભળી છે, તેની કથા સાંભળવાની મને ઘણી લાલસા છે પરંતુ રાજકાર્યમાં વ્યસ્ત રહેવાને કારણે આટલો મોટો ગ્રંથ સાંભળવાનો મને સમય નથી. તમે તો મોટા વિદ્વાન છો, તેનો સંક્ષેપ કરી મને સંભળાવો.” બાદશાહની ઈચ્છા પૂરી કરવા મંડને મૂળ કાદમ્બરીનો સંક્ષેપ અનુષ્ટ્રમ્ છંદોમાં ચાર પરિચ્છેદોમાં કર્યો છે. ચન્દ્રવિજયપ્રબન્ધ આ કાવ્યમાં ચન્દ્ર અને સૂર્ય વચ્ચેનો સંગ્રામ થયો હોવાનું વર્ણન છે અને આઠ પ્રહરના ભયંકર સંગ્રામ પછી ચન્દ્રમાનો વિજય દેખાડ્યો છે. આ અપૂર્વ કાવ્યના સર્જક વિદ્વાન મંત્રી અને કવિ મંડન છે. આ કાવ્યના સર્જનનું કારણ મનોરંજક છે. એક રાતે મંડનના નિવાસે પ્રસિદ્ધ વિદ્વાનો અને કવિઓનો મોટો સમારોહ હતો. પૂનમ હોવાને કારણે ચન્દ્રમાં પણ પૂર્ણ કલાઓ સાથે હતો. સભા આખી રાત અને બીજા દિવસે સંધ્યા સુધી બરાબર ચાલતી રહી. વિદ્વાનોએ ચન્દ્રમાને પોતાની સમસ્ત કલાઓ સાથે પૂર્વમાં ઉદય પામતો જોયો, પછી સવારે રવિના કિરણોથી પરાસ્ત થઈ પશ્ચિમમાં નિસ્તેજ થઈ વિલીન થતો જોયો અને પુનઃ પોતાની સમસ્ત કલાઓ સાથે પૂર્વમાં ઉદય પામતો જોઈ ૧. જિનરત્નકોશ, પૃ. ૮૪; હેમચન્દ્રાચાર્ય ગ્રન્થાવલી, સંખ્યા ૮, પાટણ (ગુજરાત)થી પ્રકાશિત. આ કૃતિની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ સં. ૧પ૦૪માં લખાયેલી મળે છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૨૦; હેમચન્દ્રાચાર્ય સભા, પાટણ (ગુજરાત), સંખ્યા ૧૦. Page #542 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ જૈન કાવ્યસાહિત્ય તે જ ભાવોને લઈ એક કાવ્યની રચના કરવાનો પ્રસ્તાવ રાખ્યો જેમાં ચન્દ્ર અને સૂર્ય વચ્ચેના સંગ્રામનું વર્ણન હોય અને અત્તે ચન્દ્રમાનો વિજય દર્શાવવામાં આવતો હોય. મંડને આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને પ્રસ્તુત કાવ્યની તેમણે રચના કરી. કાવ્યમંડન આ કાવ્યમાં ૧૩ સર્ગો છે. તેમાં વિવિધ છંદોમાં કૌરવો અને પાંડવોની કથા આલેખાઈ છે. ગ્રન્થા... ૧૨૫૦ શ્લોકપ્રમાણ છે. આ કાવ્યમાં વણ્ય વિષયોને અધિક રોચક બનાવવા માટે કવિએ રસો, અલંકારો તથા અનેક છંદોની યોજના કરી છે. કૃતિમાં અનેક સ્થાનો એવાં છે જે કવિની પ્રૌઢ કાવ્ય સુષમાનો આનંદ આપે છે. - કર્તા – આ કાવ્યના કર્તા મહાકવિ મંડન મંત્રી છે. પ્રત્યેક સર્ગના અંતે કવિએ ટૂંકી પ્રશસ્તિ આપી છે. કૃતિની સમાપ્તિમાં સ્ત્રગ્ધરા છંદમાં એક પ્રશસ્તિ દ્વારા કવિએ પોતાનાં સ્થાન, વંશ વગેરેનો પરિચય આપ્યો છે. તે મુજબ શ્રીમાલ વંશના ઝાંઝણ સંઘવીના બીજા પુત્ર બાહડનો તે નાનો પુત્ર હતો. તે ઘણો પ્રતિભાશાળી, વિદ્વાન અને રાજનીતિજ્ઞ હતો. તેનામાં શ્રી અને સરસ્વતી બન્નેનો અપૂર્વ મેળ હતો. માળવામાં માંડવગઢના હોશંગશાહનો તે મંત્રી હતો. તે વ્યાકરણ, અલંકાર, સંગીત તથા અન્ય શાસ્ત્રોનો મોટો વિદ્વાન હતો. વિદ્વાનો ઉપર તેને ઘણી પ્રીતિ હતી અને કલાની ઉપાસનામાં તે સદા રત રહેતો હતો. ૧. જિનરત્નકોશ, પૃ. ૯૦; હેમચન્દ્રાચાર્ય ગ્રન્થાવલી, સંખ્યા ૧૭, પાટણ (ગુજરાત)થી પ્રકાશિત. આ કૃતિની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ સં. ૧૫૦૪ ભાદ્રપદ શુક્લ પંચમીની લખેલી મળે છે. ૨. શ્રી નિનેન્દ્રનિર્માતોઃ શ્રીમાનવંશોન્નતિઃ. श्रीमद्वाहडनन्दनस्य दधतः श्रीमण्डनाख्यां कवेः ।। काव्ये कौरवपाण्डवोदयकथारम्ये कृतौ सद्गुणे। माधुर्यं प्रथु काव्यमण्डन इते सर्गोऽयमाद्योऽभवत् ॥ 3. अस्त्येतन्मण्डपाख्यं प्रथितमरिचमूदुर्ग्रहं दुर्गमुच्चै यस्मिन्नालमसाहिर्निवसति बलवान्दुःसह: पार्थिवानाम्। यच्छौर्येरंमन्दो प्रबलधरणिभृत्सैन्यवन्याभिपाती, शत्रुस्त्रीबाष्पवृष्ट्याऽप्यधिकतरमहो दीप्यते सिच्यमानः ।। ५३ ।। Page #543 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૫૨૧ તેની કવિગોષ્ઠીમાં અનેક વિદ્વાન, કલાકાર એકત્ર થતા હતા અને તેમને તે ભૂમિ, વસ્ત્ર આદિ આપી સંતુષ્ટ કરતો હતો. તેના જીવનચરિત ઉપર કવિ મહેશ્વરે એક મનોહર કાવ્ય રચ્યું છે. મંડને લખેલા કે લખાવેલા ગ્રન્થોની પ્રતિઓમાં આપવામાં આવેલી પ્રશસ્તિઓમાંથી જાણવા મળે છે કે તે પંદરમી સદીના અંત સુધી જીવિત હતો.૧ મંડને અનેક કૃતિઓનું સર્જન કર્યું છે. તેમાંથી જે પ્રકાશમાં આવી છે તેની યાદી નીચે મુજબ છે : (૧) કાદમ્બરીમંડન, (૨) ચમ્પમંડન, (૩) ચન્દ્રવિજયપ્રબન્ધ, (૪) અલંકારમંડન, (૫) કાવ્યમંડન, (૬) શૃંગારમંડન, (૭) સંગીતમંડન, (૮) ઉપસર્ગમંડન, (૯) સારસ્વતમંડન, (૧૦) કવિકલ્પદ્રુમ. કર્તાએ પોતાની પ્રત્યેક કૃતિની સાથે પોતાનું નામ જોડ્યું છે. મંડનનો અર્થ ભૂષણ પણ લઈ શકાય. તે કૃતિઓમાં અલંકારમંડન અને કવિકલ્પદ્રુમ કાવ્યશાસ્ત્ર ઉપર, સંગીતમંડન સંગીતશાસ્ત્ર ઉપર, ઉપસર્ગમંડન સંસ્કૃતના પ્ર, પરા, આદિ ઉપસર્ગો ઉપર અને સારસ્વતમંડન સારસ્વત વ્યાકરણ ઉપર લખાઈ છે. બાકીની કૃતિઓ કાવ્યો છે. સંધાન યા અનેકાર્થક કાવ્ય સંસ્કૃત ભાષામાં જ્યાં એક બાજુ એક વસ્તુના અનેક પર્યાયવાચી શબ્દો હોય છે ત્યાં કેટલાક એવા શબ્દો પણ છે જેમના અનેક અર્થો હોય છે. સંસ્કૃતની આ વિશેષતાનો જૈન મનીષીઓએ કાવ્યના ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગ કર્યો. તેમણે સંધાન અર્થાત્ શ્લેષમય ચિત્રકાવ્યોની રચના કરી છે અને સંધાનનો સ્તોત્ર સાહિત્યના રૂપમાં પણ વિકાસ કર્યો છે. તેમણે દ્વિસંધાન, ચતુઃસંધાન, પંચસંધાન, સપ્તસંધાન અને ચતુર્વિશતિસંધાન કાવ્યોનું સર્જન કર્યું છે. અનેકાર્થ કાવ્યોની રચના કરવા તરફની જૈન કવિઓની પ્રવૃત્તિ ઈ.સ.ની પમી-૬ઠ્ઠી સદીથી શરૂ થઈ છે. વસુદેવહિડીની ચત્તારિ અઢગાથાના ચૌદ અર્થો ૧. યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થ, ખંડાલા, રાજસ્થાન, વિ.સં.૨૦૧૫, પૃ. ૧૨૮-૧૩૪, દૌલતસિંહ લોઢા, મંત્રી મંડન ઔર ઉસકા ગૌરવશાલી વંશ ૨. આમાં પ્રથમ છ ગ્રન્થ હેમચન્દ્રાચાર્ય સભા, પાટણથી પ્રકાશિત થયેલા છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ પર ર. જૈન કાવ્યસાહિત્ય કરવામાં આવ્યા છે. સંસ્કૃતમાં મળતાં સંધાનકાવ્યોમાં સૌથી પ્રાચીન અને ઉત્તમ કાવ્ય ધનંજયનું દ્વિસંધાન કાવ્ય (૮મી સદી) છે. જૈન સિદ્ધાન્ત ભવન, આરામાં ૧૧મી સદીના એક પંચસંધાન મહાકાવ્યની કન્નડ હસ્તપ્રત ઉપલબ્ધ છે. તેના કર્તા શાન્તિરાજ કવિ છે. આ જ વિષયની ૧૧મી સદીની એક રચના સૂરાચાર્ય કૃત નેમિનાથચરિત' (નાભેયનેમિદ્વિસંધાન) (સં. ૧૦૯૦) છે. તેના શ્લેષમય પડ્યો દ્વારા નેમિનાથના ચરિત સાથે ઋષભદેવના જીવચરિતનો અર્થ પણ નીકળે છે. આ જાતની એક બીજી રચના નાભેયનેમિદ્વિસંધાન (૧૨મી સદી) છે. આ કાવ્યમાં પણ નેમિ અને ઋષભની કથાઓ સમાન્તર ચાલે છે. કહેવાય છે કે આનું સંશોધન કવિચક્રવર્તી શ્રીપાલે કર્યું છે. આની હસ્તપ્રતો વડોદરા અને પાટણના ભંડારોમાં સુરક્ષિત છે. પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્રના શિષ્ય વર્ધમાનગણિએ કુમારવિહારપ્રશસ્તિકાવ્ય રચ્યું છે. તેમાં ૮૭મું પદ્ય એવું અદ્દભુત અનેકાર્થી રચ્યું છે કે પ્રારંભમાં તેમણે તેના છ અર્થો કર્યા પરંતુ પછી તેમના શિષ્ય ૧૧૬ અર્થ કર્યા. તેમાંથી ૩૧ અર્થ કુમારપાલ સંબંધી, ૪૧ અર્થ હેમચન્દ્રાચાર્ય સંબંધી અને ૧૦૯ અર્થ વાભેટ મંત્રી સંબંધી નીકળે છે. આ પદ્ય ટીકા સાથે પ્રકાશિત થઈ ગયું છે. - વર્ધમાનગણિના સમકાલીન સોમપ્રભાચાર્ય શતાર્થિક કાવ્યના રૂપમાં એક પદ્યની રચના કરી અને તેના ઉપર પોતે જ ટીકા રચી. તેમાંથી તેમણે ૧૦૬ અર્થો કાઢ્યા છે જેમાં ૨૪ તીર્થકરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા ચૌલુક્ય નરેશ જયસિંહ, કુમારપાળ, અજયપાલના અર્થો સમાવેશ પામે છે. આ કાવ્ય ટીકા સાથે પ્રકાશિત થઈ ગયું છે. ૧. કાવ્યમાલા, ગ્રન્થાંક ૫૭, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૨૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૨૯ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૧૬ ૪. એજન, પૃ. ૨૧૦ પ. અનેકાર્થસાહિત્યસંગ્રહ, પ્રાચીન સાહિત્યોદ્ધાર ગ્રન્થાવલી, પુષ્પ ૨, અમદાવાદ ૬. એજન, પૃ. ૧-૬૮ ૭. એજન, પૃ. ૬૮-૧૩૪ Page #545 -------------------------------------------------------------------------- ________________ લલિત વાધૈય પછી ૧૫મીથી ૨૦મી સદી સુધી જૈન કવિઓએ આ દિશામાં પ્રચુર રચનાઓ કરી. તેમાં મહોપાધ્યાય સમયસુંદરચરિત ‘અષ્ટલક્ષી’ (સં. ૧૬૪૯) ભારતીય કાવ્યસાહિત્યનું જ નહિ પરંતુ સમગ્ર વિશ્વસાહિત્યનું અદ્વિતીય રત્ન છે. કહેવાય છે કે એક વાર અકબરની સભામાં જૈનોના ‘શસ્ત્ર સુત્તસ્સ અનંતો ગો' વાક્યનો કોઈએ ઉપહાસ કર્યો. આ વાત ઉક્ત ઉપાધ્યાયને ખટકી અને ઉક્ત સૂત્રવાક્યની સાર્થકતા દર્શાવવા માટે રાનાનો તે સૌમ્' આ આઠ અક્ષરવાળા વાક્યના દસ લાખ બાવીસ હજાર ચાર સો સાત અર્થ કર્યા અને વિદ્વાનો સમક્ષ અકબરને સંભળાવ્યા. તેથી સૌ ચિકત થઈ ગયા. પછી કવિએ ઉક્ત અર્થોમાંથી અસંભવ યા યોજનાવિરુદ્ધ અર્થો કાઢી નાખી આ ગ્રન્થ ‘અષ્ટલક્ષી’· બનાવ્યો. કવિ લાભવિજયે ‘નમો ટુર્વા વૈિરિવારનિવારને । અર્હત યોશિનાથાય મહાવીરાય તાયિને ।।' આ શ્લોકના પાંચ સો અર્થ કર્યા છે. આ પ્રકારની રચનાઓમાં મનોહર અને શોભને રચેલા ચતુસંધાન કાવ્યનો ઉલ્લેખ મળે છે. આ પ્રસંગમાં નરેન્દ્રકીર્તિના શિષ્ય પં. જગન્નાથની (સં.૧૬૯૯) બે રચનાઓ ‘સપ્તસંધાન' અને ‘ચતુર્વિંશતિસંધાન’ પણ ઉલ્લેખનીય છે. ‘ચતુર્વિંશતિસંધાન'માં શ્લેષમય એક જ પદ્યમાં ૨૪ તીર્થંકરોનો અર્થબોધ કરાવતી સ્તુતિ છે. આ પઘ નીચે મુજબ છે. श्रेयान् श्रीवासुपूज्यो वृषभजिनपतिः श्रीदुमांकोऽथ धर्मो, हर्यंकः पुष्पदन्तो मुनिसुव्रतजिनोऽनन्तवाक् श्रीसुपार्श्वः । शान्तिः पद्मप्रभोरो विमलविभुरसौ वर्धमानोऽप्यजांको, लर्निम सुमतिरवतु सच्छ्रीजगन्नाथधीरम् ॥ આ કાવ્યના સંસ્કૃત ટીકાકાર કવિ જગન્નાથ પોતે જ છે. કેટલાક વિદ્વાન પંડિતરાજ જગન્નાથને (રસગંગાધરકારને) ઉક્ત પદ્યના કર્તા માને છે પરંતુ ટીકાના ૧. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ફંડ, સુરત, ગ્રન્થાંક ૮૧ ૨. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૮, કિરણ ૧ ૩. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૫, કિરણ ૪, પૃ. ૨૨૫ ૫૨૩ Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ જૈન કાવ્યસાહિત્ય અંતે આપેલી પુષ્પિકા ઉપરથી એ સ્પષ્ટ છે કે ઉક્ત કવિ પંડિતરાજથી જુદા છે. . ૧૮મી સદીની મહોપાધ્યાય મેઘવિજયની રચના “સતસંધાન' (સં.૧૭૬૦) પણ અનુપમ છે. આ કાવ્ય ૯ સર્ગોમાં રચાયું છે. પ્રત્યેક શ્લેષમય શ્લોકમાંથી ઋષભ, શાન્તિ, નેમિ, પાર્થ અને મહાવીર એ પાંચ તીર્થકરો તથા રામ અને કૃષ્ણ એમ કુલ સાત મહાપુરુષોનાં ચરિત્રોના અર્થ નીકળે છે. ઉક્ત કાવ્યો ઉપરાંત અનેકાર્થવિષયક કેટલાંય સ્તોત્રો રચાયેલાં મળે છે, જેમકે જ્ઞાનસાગરસૂરિરચિત નવખંડપાર્શ્વનાથસ્તવ, સોમતિલકસૂરિચિત વિવિધાર્થમયસર્વજ્ઞસ્તોત્ર, રત્નશેખરસૂરિરચિત નવગ્રહગર્ભિતપાર્શ્વસ્તવન તથા પાર્શ્વસ્તવ, મેઘવિજયરચિત પંચતીર્થસ્તુતિ, સમયસુન્દરરચિત યર્થકર્ણપાર્થસ્તવ આદિ. અહીં સંધાન વિષયક બે કાવ્યોનો વિશેષ પરિચય આપ્યો છે. દ્વિસન્ધાનમહાકાવ્ય આ મહાકાવ્યમાં ૧૮ સર્ગ છે. આ કાવ્યનો પ્રત્યેક શ્લોક બે અર્થ આપે છે. તેથી કાવ્યનું નામ દ્વિસંધાન રાખ્યું છે. તેનું બીજું નામ રાઘવપાંડવીય પણ છે. આ નામ કાવ્યની કથાવસ્તુને સૂચિત કરે છે, અર્થાત્ આ કાવ્યમાં રામાયણ અને મહાભારતની કથા એક સાથે ઘણી જ કુશળતાથી ગ્રથિત કરવામાં આવી છે. આ બન્ને મહાકાવ્યોનું કથાચક્ર ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું અવિભાજ્ય અંગ બની ગયું છે અને કોઈ પણ કવિ એકી વખતે એકી સાથે બન્નેની વિષયવસ્તુને જો ગ્રહણ કરે તો તે સરળતાથી તેમ કરી શકે છે. ખાસ કરીને એટલા માટે કે આ કથાઓનું વર્ણન કરતાં અનેક સ્વતન્ત મહાકાવ્યો મળે છે જેમાં કોઈ એકના ચયન અને વિવેચનને માટે અનેક પ્રકારના વિચાર અને સંદર્ભો આપવામાં આવ્યાં ૧. એજન, ભાગ ૮, કિરણ ૧, પૃ. ૨૪માં શ્રી અગરચન્દ નાહટાનો લેખ. ૨. કાવ્યમાલા સિરિઝ, સંખ્યા ૪૯, મુંબઈ, ૧૮૯૫; જિનરત્નકોશ, પૃ. ૧૮૫; ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી નેમિચન્દ્રની ટીકા સાથે પ્રકાશિત, ૧૯૭૦; આ કાવ્યના મહાકાવ્યત્વ અને અન્ય ગુણો માટે જુઓ – ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૩૬ ૩-૩૮૭. . Page #547 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૫૨૫ છે. તે સમયના સાહિત્યમાં “રાઘવપાંડવીય' શીર્ષક ઘણું જ પ્રિય હતું. કવિ ધનંજયની કૃતિ ઉપરાંત કવિરાજ અને શ્રુતકીર્તિ આદિ કવિઓએ પણ આ નામવાળી કૃતિઓ રચી છે અને આ જ રીતે આ પ્રકારના નામવાળી – રાઘવયાદવીય, રાઘવપાંડવયાદવીય આદિ કૃતિઓ પણ છે. જે હો તે, ધનંજયની પોતાની કૃતિનું પ્રધાન નામ “હિસન્ધાન છે અને મહાકવિ દંડી પછી ધનંજય આ પ્રકારના લેખકોમાં અગ્રણી છે. “રાઘવપાંડવીય કેવળ ગૌણ નામ લાગે છે. કથાવસ્તુ – કાવ્યના પ્રારંભમાં મંગલ શ્લોકમાં મુનિસુવ્રત અથવા નેમિ (શ્લેષ દ્વારા) તથા સરસ્વતીને નમસ્કાર કર્યા છે. પછી શ્લેષાલંકારની મદદથી રામ અને પાંડવોની કથાઓનું આલેખન કરવામાં આવ્યું છે. પહેલા સર્ગમાં અયોધ્યા અને હસ્તિનાપુરનું વર્ણન છે. બીજા સર્ગમાં દશરથ અને પાંડુરાજનું વર્ણન, ત્રીજામાં રાઘવકૌરવોત્પત્તિનું વર્ણન, ચોથામાં રાઘવપાંડવારણ્યગમનનું આલેખન, પાંચમામાં તુમુલ યુદ્ધનું વર્ણન, છઠ્ઠામાં ખરદૂષણવધ અને ગોગ્રહનિવર્તનનું વર્ણન, સાતમામાં સીતાહરણનું આલેખન, આઠમામાં લંકા દ્વારાવતીપ્રસ્થાનનું વર્ણન, નવમામાં માયાસુ ગ્રીવવિગ્રહનું તથા જરાસંધબલવિદ્રાવણનું નિરૂપણ, દસમામાં લક્ષ્મણસુગ્રીવવિવાદ તથા જરાસંધદૂત અને નારાયણના વચ્ચેના વિવાદનું આલેખન, અગીઆરમામાં સુગ્રીવ જામ્બહનુમાન વચ્ચે પરામર્શ અને નારાયણપાંડવાદિ પરામર્શનું આલેખન, બારમામાં લક્ષ્મણ દ્વારા તથા વાસુદેવ દ્વારા કોટિશિલાના ઉદ્ધરણનું વર્ણન, તેરમામાં હનુમન્નારાયણદૂતાભિગમનનું આલેખન, ચૌદમામાં સૈન્યપ્રયાણવર્ણન, પંદરમામાં કુસુમાવીય તથા જલક્રીડાનું વર્ણન, સોળમામાં સંગ્રામનું વર્ણન, સત્તરમામાં રાત્રિસંભોગવર્ણન અને અઢારમામાં રાવણના અને જરાસંધના વધનું તથા યાદવપાંડવોની નિષ્ફટક રાજયપ્રાપ્તિનું વર્ણન છે. કવિએ આ કથાને ગણધર ગૌતમે શ્રેણિક માટે કહી હોવાનું દર્શાવ્યું છે, પ્રાયઃ બધા દિગંબર જૈન કવિ પોતાની કથાવસ્તુ વિશે આમ જ કહે છે. કવિએ ઘટનાઓના નિરૂપણની અપેક્ષાએ મહત્ત્વપૂર્ણ વર્ણનો ઉપર જ અધિક ભાર દીધો છે. અન્ય જૈન કાવ્યોની અપેક્ષાએ આ કાવ્યમાં કેટલીક વિશેષતાઓ છે. તેના કોઈ પણ સર્ગમાં જૈન સિદ્ધાન્તો યા નિયમોનું વિવેચન નથી જ્યારે અન્ય કાવ્યોના કોઈ એક સર્ગમાં તો જૈન સિદ્ધાન્તો યા નિયમોનું વિવેચન હોય છે. બધાં જૈન કાવ્યો પ્રાય: મુખ્ય નાયકના નિર્વાણગમન સાથે સમાપ્ત થાય છે પરંતુ આ કાવ્ય નિર્વિઘ્ન રાજયપ્રાપ્તિ સાથે સમાપ્ત થાય છે. આ કાવ્યની સંસ્કૃત ભાષા ક્લિષ્ટ છે. તેને સમજવા માટે શ્રમની જરૂર પડે છે. કાવ્યના અધિકાંશ શ્લોકો વિવિધ અલંકારોથી શણગાર્યા છે. ટીકાકાર નેમિચન્દ્ર Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ જેન કાવ્યસાહિત્ય તે અલંકારોને પોતાની ટીકા પદકૌમુદીમાં સારી રીતે દર્શાવ્યા છે. અન્તિમ સર્ગમાં (ખાસ કરીને શ્લોક નંબર ૪૩ અને આગળ) શબ્દાલંકારોના અનેક પ્રકારોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિ ભારવિ, માઘ વગેરે કવિઓમાં પણ દેખાય છે. શ્લોક ક્રમાંક ૧૪૩ સર્વગત પ્રત્યાગતનું ઉદાહરણ છે. આ કાવ્યના આઠમા સર્ગને છોડી પ્રત્યેક સર્ગમાં એક જ છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને સર્વાન્ત કેટલાક શ્લોકો વિવિધ છંદોમાં રચાયા છે. કુલ મળીને ૩૧ વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. તેના અઢાર સર્ગોમાં કુલ શ્લોકો ૧૧૦૫ છે. આ કાવ્ય પોતાની પૂર્વવર્તી રચનાઓથી – રઘુવંશ, મેઘદૂત, કિરાતાર્જનીય અને શિશુપાલવધથી – અનુપ્રાણિત છે. - કવિ પરિચય અને રચનાકાલ – આ કાવ્યના કર્તા મહાકવિ ધનંજય છે. કવિએ પોતાના વંશ યા ગુરુવંશ વગેરેનો કોઈ ઉલ્લેખ પોતાની કોઈ પણ કૃતિમાં નથી કર્યો. ટીકાકાર નેમિચન્દ્ર આ કાવ્યના અંતિમ શ્લોકની વ્યાખ્યામાં કવિના પિતાનું નામ વસુદેવ, માતાનું નામ શ્રીદેવી અને ગુરુનું નામ દશરથ જણાવ્યું છે. સંભવતઃ કવિ ગૃહસ્થ હતા. ધનંજયની આ કૃતિ પોતાના જ યુગમાં બહુ ઉત્કૃષ્ટ મનાવા લાગી હતી અને આ કાવ્યની રચનાને કારણે જ કવિ “કિસન્માનકવિ' નામથી પ્રસિદ્ધ બની ગયા હતા. કવિએ પોતાના ઉત્કૃષ્ટ કાવ્યને અકલંકના પ્રમાણશાસ્ત્ર અને પૂજયપાદના વ્યાકરણ સમાન ઉચ્ચ કોટિનું કહ્યું છે : प्रमाणमकलंकस्य पूज्यपादस्य लक्षणम् । દિન્યાનઃ વેવ્ય રત્નાથપશ્ચમમ્ . નામમાલા, ૨૦૧. કવિ અને તેના કાવ્યની ખ્યાતિ પશ્ચાત્કાલીન કવિઓમાં બહુ જ હતી. ધારાનરેશ ભોજે પોતાના “શૃંગારપ્રકાશ' (૧૧મી સદીના મધ્ય)માં “ઇડનો ધનંગથી વા દિધાનપ્રવલ્પો રામાયણ મહામારતાથવનુવMતિ વડે ઉક્ત કવિનું સ્મરણ કર્યું છે. ભોજના સમકાલીન પ્રભાચન્દ્રાચાર્યે પણ પોતાના ગ્રન્થ ૧. ભોજ, શૃંગારપ્રકાશ, મદ્રાસ, ૧૯૬૨, પૃ. ૪0૬ Page #549 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદ્રય . ૫૨૭ પ્રમેયકમલમાર્તડમાં આ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. વાદિરાજે પોતાના પાર્શ્વનાથચરિતમાં (સન્ ૧૦૨૫) કિસન્ધાનની પ્રશંસામાં નીચેનો શ્લોક લખ્યો છે. अनेकभेदसन्धानाः खनन्तो हृदये मुहुः । बाणा धनंजयोन्मुक्ताः कर्णस्येव प्रियाः कथम् ॥ અર્થાત્ અનેક (બે) પ્રકારના સન્ધાન (નિશાન અને અર્થ)વાળાં અને હૃદયમાં વારંવાર ભોંકાનારાં ધનંજય (અર્જુન અને ધનંજય)નાં બાણ (અને શબ્દ) કર્ણને (કુન્તીપુત્ર કર્ણ અને કાનોને) કેમ પ્રિય હોય ? આ જ રીતે કન્નડ કવિ દુર્ગસિહે (સન્ ૧૦૨૫ આસપાસ) પોતાના ગ્રન્થ પંચતત્રમાં ધનંજય અને તેના રાઘવપાંડવીય કાવ્યનું સ્મરણ કર્યું છે. બીજા કન્નડ કવિ નાગવર્માએ (સનું ૧૦૯૦ આસપાસ) પણ પોતાના ગ્રન્થ “છન્દોમ્બધિમાં ધનંજયનો ઉલ્લેખ કર્યો છે. - ધનંજય અને દ્વિસન્તાનની પ્રશંસામાં મહાકવિ રાજશેખરે (સનું ૯૦૦ આસપાસ) એક શ્લોક નીચે મુજબનો લખ્યો છે (તેનો સંગ્રહ ૧૨મી સદીના જ©ણે પોતાની “સૂક્તિમુક્તાવલિ'માં કર્યો છે) : द्विसन्धाने निपुणतां सतां चक्रे धनंजयः । यया जातं फलं तस्य सतां चक्रे धनंजयः ॥ ધનંજયે સિન્ધાનમાં જે નિપુણતા પ્રાપ્ત કરી તેનાથી તેને સજ્જનોના સમૂહમાં ધન અને જયરૂપ ફળ પ્રાપ્ત થયું. ધનંજયે પોતાની કોઈ કૃતિમાં પોતાના સમયનો કોઈ ઉલ્લેખ નથી કર્યો પરંતુ . ઉપર્યુક્ત ઉલ્લેખો તેમના સમયનિર્ણયમાં અવશ્ય સહાયતા કરે છે. ધનંજયની ઉત્તરાવધિ રાજશેખર, ભોજ, પ્રભાચન્દ્ર, વાદિરાજ વગેરે દ્વારા કરવામાં આવેલા ઉલ્લેખો ઉપરથી ૧૦મી સદી પહેલાંની બંધ બેસે છે કારણ કે તે સદી સુધીમાં તે પૂર્ણ ખ્યાતિ પામી ચૂક્યા હતા. અા ઉત્તરાવધિને વધુ સીમિત કરવા માટે વધુ એક પ્રમાણ છે. તેમના એક ગ્રન્થ “અનેકાર્થનામમાલાના એક પદ્યનું ઉદ્ધરણ નવમી સદીના આચાર્ય વીરસેને (સન્ ૮૧૬) પોતાની ધવલા ટીકામાં આપ્યું છે. તે પદ્ય નીચે આપ્યું છે : Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ જૈન કાવ્યસાહિત્ય हेतावेवं प्रकारादौ व्यवच्छेदे विपर्यये । प्रादुर्भावे समाप्तौ च इति शब्दः प्रकीर्तितः ॥ આ ઉપરથી એટલું તો નિશ્ચિત થાય છે કે ધનંજય નવમી શતાબ્દી પછીના તો નથી જ. પૂર્વાવધિ નિશ્ચિત કરવા માટે ધનંજયની નામમાલાનો ઉપર જણાવેલો શ્લોક “પ્રમાણ૫ત્ન' આપણે ટકી શકીએ. આ શ્લોકમાં જેમનો નામોલ્લેખ થયો છે તે અકલંકનો સમય ૭મી-૮મી સદી છે, તેથી ધનંજય તેનાથી પૂર્વના ન હોઈ શકે. ટૂંકમાં આપણે ધનંજયને આઠમી સદીના મધ્ય અને સન્ ૮૧૬ની વચ્ચે ક્યારેક થયેલા માની શકીએ. કવિની અન્ય કૃતિઓમાં ઉપલબ્ધ નામમાલા અનેકાર્થનામમાલા નામનો લઘુ અને ઉપયોગી કોશ તથા વિષાપહારસ્તોત્ર છે. તેમની એક અન્ય કૃતિ યશોધરચરિત હતી. ભટ્ટારક જ્ઞાનકીર્તિએ (વિ.સં.૧૬૫૦) પોતાના યશોધરચરિતમાં પહેલાં રચાયેલાં યશોધરચરિતોના કર્તાઓનાં નામો આપ્યાં છે, તેમાં ધનંજયનું નામ પણ છે. સંભવ છે કે આ ધનંજય કોઈ બીજા જ હોય કારણ કે વિ.સં. ૧૬પ૦ પહેલાં બીજા કોઈ લેખકે આ મહાકવિના યશોધરચરિતનો ઉલ્લેખ નથી કર્યો. તેમની અનુપમ કલમથી પ્રસૂત કૃતિનું વચ્ચે આટલા બધા સમય સુધી અજ્ઞાત રહેવું સંભવતું નથી. - દ્વિસંધાન આ પ્રકારનું સર્વશ્રેષ્ઠ અને સંભવતઃ ઉપલબ્ધ સૌપ્રથમ કાવ્ય છે. તેનું અનુકરણ કરીને પાછળથી આ પ્રકારનાં કાવ્યોની પરંપરા શરૂ થઈ ગઈ. શ્રુતકીર્તિ ઐવિદ્યનું (સન્ ૧૧૦૦-૧૧૫૦) રાઘવપાંડવીય, માધવ ભટ્ટનું રાઘવપાંડવીય, સચ્યાકરનન્દિનું રામચરિત, હરિદત્તસૂરિનું રાઘવનૈષધીય, ચિદમ્બરનું રાઘવપાંડવયાદવીય વગેરે આ પરંપરાનાં કાવ્યો છે. દ્વિસંધાન કાવ્ય ઉપર કેટલીક ટીકાઓ મળે છે. તેમાં એક પદકૌમુદી છે. તેના કર્તા વિનયચન્દ્રના શિષ્ય અને પદ્મનદિના પ્રશિષ્ય નેમિચન્દ્ર છે. બીજી ટીકા રાઘવપાંડવીયપ્રકાશિકા છે. તેના કર્તા પરવાદિઘરટ્ટ રામભટ્ટના ન કવિ દેવર છે. આ બન્ને ટીકાઓનો સમય અજ્ઞાત છે.' ૧. ધનંજય અને દ્વિસંધાન કાવ્ય ઉપર એક વિસ્તૃત લેખ ડૉ. આ. કે. ઉપાએ વિશ્વેશ્વરાનન્દ ઈન્ડોલોજિકલ જર્નલ (માર્ચ-સપ્ટેમ્બર ૧૯૭૦, ભાગ ૮, અંક ૧-૨, પૃ. ૧૨૫-૧૩૪)માં લખ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૮૫, ૩૨૯; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૧૦૮ અને આગળ. Page #551 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૫૨૯ સતસંધાન મેઘવિજયગણિના ઉલ્લેખાનુસાર એક સતસંધાન મહાકાવ્યની રચના અનેક કૃતિઓના સર્જક પ્રસિદ્ધ આચાર્ય હેમચન્ટે કરી હતી, પરંતુ તે ઘણું જ વહેલું લુપ્ત થઈ ગયું. | ઉપલબ્ધ બીજા સપ્તસંધાન મહાકાવ્યની રચના મેઘવિજયગણિએ કરી છે. આ કાવ્યના પ્રત્યેક શ્લેષમય શ્લોક દ્વારા ઋષભ, શાન્તિ, નેમિ, પાર્થ અને મહાવીર પાંચ તીર્થકરો અને રામ તથાકૃષ્ણ આ સાત મહાપુરુષોનાં ચરિત્રોનો અર્થ મળે છે. આ કાવ્યમાં નવ સર્ગો છે. તેનું કથાનક પૂર્વવર્તી રચનાઓ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત વગેરેમાંથી લેવામાં આવ્યું છે. કથાવસ્તુ- ભરતક્ષેત્રમાં કોશલ, કુર, મધ્ય અને મગધ દેશ નામનાં જનપદોમાં ક્રમશઃ અયોધ્યા, હસ્તિનાપુરી, શૌર્યપુરી, વારાણસી, મથુરા અને કુડપુર નગરીઓ છે. તેમાં અયોધ્યામાં ઋષભદેવ અને રામચન્દ્રનો, હસ્તિનાપુરીમાં શાન્તિનાથનો, , શૌર્યપુરીમાં નેમિનાથનો, વારાણસીમાં પાર્શ્વનાથનો, વૈશાલીમાં મહાવીરનો અને મથુરામાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ નગરીઓમાં રહેનારા ઉક્ત મહાપુરુષોના પિતાઓનાં નામોના ઉલ્લેખ પછી ઉક્ત મહાપુરુષોની માતાઓને ગર્ભધારણ પહેલાં થયેલ સ્વપ્રદર્શનનું અને તે સ્વપ્રોનાં ફળના શ્રવણનું વર્ણન આવે છે અને તે સાથે પહેલો સર્ગ પૂરો થાય છે. બીજા સર્ગમાં ઉક્ત પાંચ તીર્થકરોનાં જન્મનું તેમજ તેમના જન્માભિષેકનું વર્ણન છે. ત્રીજા સર્ગમાં ઉક્ત સાત મહાપુરુષોના બાલ્યકાળ, યુવાવસ્થા અને રાજ્યપ્રાપ્તિનું આલેખન છે. ચોથા સર્ગમાં તીર્થકરો રાજા બનતાં જ દેશની સમ્પત્તિની વૃદ્ધિ થવાનું, ઋષભ આદિને પુત્ર આદિની પ્રાપ્તિ થવાનું અને શ્રીકૃષ્ણકાલીન કૌરવપાંડવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સર્ગના અંતિમ ભાગમાં કવિએ શ્લેષના આધારે ઋષભ, શાન્તિ, નેમિ, પાર્શ્વ, મહાવીર અને રામના જીવનની ઘટનાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. રામ અન્તઃપુરના જયન્ટના કારણે વનમાં જાય છે, ભરત વિરક્ત થઈ રાજશાસનનું સંચાલન કરે છે. તીર્થંકરો દીક્ષા ગ્રહણ કરવાની તૈયારી કરે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૬; અભયદેવસૂરિ ગ્રન્થમાલા, બીકાનેર; વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા (સંખ્યા ૩), વારાણસી, ૧૯૧૭; જૈન સાહિત્યવર્ધક સભા, સૂરત વિ.સં.૨૦૦૦, શ્રીમદ્ વિજયામૃતસૂરીશ્વરવિરચિત “સરણી ટીકા સહિત પ્રકાશિત. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ પાંચમા સર્ગમાં તીર્થંકરો દીક્ષા ગ્રહણ કરી જુદા જુદા દેશોમાં વિહાર કરે છે, કઠોર તપશ્ચર્યા કરે છે, તથા બાવીસ પરીષહોને અને અનેક પ્રકારના ઉપસર્ગોને સહન કરે છે. પછી રામ, લક્ષ્મણ અને સીતાના વનવાસનું વર્ણન આવે છે. લક્ષ્મણ શૂર્પણખાને દંડ દે છે, રાવણ સીતાનું અપહરણ કરે છે, હનુમાન સીતાની ખોજ કરે છે અને રાવણની સભાને આતંકિત કરે છે આ બધું આલેખાયું છે. શ્રીકૃષ્ણના વિશે કહેવામાં આવ્યું છે કે શિશુપાલ-જરાસંધ સાથે લડવા માટે તેમણે પાંડવો સાથે દઢ મિત્રતા કરી અને દ્વારકાને સુદૃઢ બનાવી. છઠ્ઠા સર્ગમાં તીર્થંકરોએ કર્મોની નિર્જરા કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવું અને દેવોએ કેવલજ્ઞાનકલ્યાણકની પૂજા કરવી એનું વર્ણન છે. પછી રામે સુગ્રીવ આદિની મદદથી રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવો અને શ્રીકૃષ્ણે પોતાના શત્રુઓનું ઉન્મૂલન કરી અર્ધચક્રવર્તીપદ પ્રાપ્ત કરવું એનું નિરૂપણ છે. સાતમા સર્ગમાં તીર્થંકરોના સમવસરણની રચનાનું, ભરત આદિ રાજાઓની ઉપસ્થિતિનું, તીર્થંકરોના વિહારનું, વિહારથી પ્રાણીઓના ક્લ્યાણનું, ત્યાર પછી ષઋતુઓનું, અને તીર્થંકરોનો ઉપદેશ સાંભળી અનેક વ્યક્તિઓએ દીક્ષા ગ્રહણ કરવાનું વર્ણન છે. આઠમા સર્ગમાં ભરત ચક્રવર્તીની વિજય યાત્રાનું, શિલાતીર્થ ઉપર જિનપ્રતિમાઓના વંદનનું, ભગવાન ઋષભદેવના મોક્ષગમન પછી તેમની પરિપાલિત ભૂમિની ભરતે રક્ષા કરી તેનું તથા રામ-કૃષ્ણના પક્ષમાં અનેક રાજાઓ પર તેમના વિજયનું વર્ણન છે. ૭-૮ સર્ગોની વિશેષતા એ છે કે તેમનામાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. યમકાલંકારના બધા ભેદો અને અંતિમ ભેદ મહાયમકનાં પણ ઉદાહરણો આપવામાં આવ્યાં છે. જૈન કાવ્યસાહિત્ય નવમા સર્ગમાં ઋષભની જગતમાં ફેલાયેલી કીર્તિનું વર્ણન કર્યાં પછી અન્ય તીર્થંકરોની નિર્વાણપ્રાપ્તિનું વર્ણન આપ્યું છે. ત્યાર પછી રામની રાજ્યપ્રાપ્તિનું; સીતાથી બે પુત્રોની પ્રાપ્તિનું, સીતાની અગ્નિપરીક્ષાનું, સીતાની સંસારવિરક્તિનું, સીતાની દીક્ષાનું, પછી કાલાન્તરે રામને વૈરાગ્ય થવાનું, રામની તપસ્યાનું અને રામની નિર્વાણપ્રાપ્તિનું વર્ણન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે શ્રીકૃષ્ણ દ્વારા દ્વારકાની રક્ષાનું, યાદવોના ઉપદ્રવને કારણે દ્વૈપાયન મુનિ દ્વારા દ્વારકાના સર્વનાશનું, બલરામને વૈરાગ્ય થવાનું, બલરામની તપસ્યાનું અને બલરામની નિર્વાણપ્રાપ્તિનું વર્ણન છે, અને તે સાથે કાવ્ય સમાપ્ત થાય છે. આ કાવ્યમાં કુલ મળીને ૪૪૨ શ્લોકો છે. કર્તા અને રચનાકાલ આના કર્તા તપાગચ્છના પ્રસિદ્ધ ઉપĮધ્યાય મેઘવિજય છે. તેમનો પરિચય અંગે અને તેમની કૃતિઓ વિશે અમે અન્યત્ર તેમની એક Page #553 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય કૃતિ લઘુત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના પ્રસંગમાં પર્યાપ્ત માહિતી આપી છે. આ ગ્રંન્થની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેની રચના વિ.સં.૧૭૬૦માં થઈ હતી. ગદ્યકાવ્ય સંપૂર્ણ સંસ્કૃત કાવ્યસાહિત્યમાં ગદ્યકાવ્યોની સંખ્યા બહુ જ થોડી છે. સંસ્કૃતમાં ગદ્યકાવ્ય લખવું એ તો કવિઓની કસોટી ગણાતી 'गद्यं कवीनां निकषं वदन्ति'. ઈ.સ.ની ૬ઠ્ઠી સદીથી ૮મી સદી સુધીમાં ગદ્યકાવ્યના કેટલાક નમૂનાઓ સુબન્ધુની ‘વાસવદત્તા’, બાણની ‘કાદમ્બરી' અને ‘હર્ષચરિત' તથા દંડીના ‘દકુમારચરિત’ના રૂપમાં મળે છે. પછી બે સદી બાદ ધનપાલની ‘તિલકમંજરી’ અને વાદીભસિંહની ‘ગદ્યચિન્તામણિ’ના રૂપમાં બે જૈન ગદ્યકાવ્યોનાં દર્શન થાય છે. આ બન્નેનો સંક્ષિપ્ત પરિચય નીચે આપીએ છીએ. ૫૩૧ - તિલકમંજરી ૨ આ એક ગદ્ય આખ્યાયિકા છે. આ કાવ્યનું નામ નાયિકાના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આ કાવ્ય પૂર્વ કવિઓની કૃતિઓ બાણની કાદમ્બરી અને ઉદ્યોતનસૂરિની કુવલયમાલા આદિનું અનુકરણ કરીને રચવામાં આવ્યું છે. ૧. વિયવ્રતમુનીનાં (૧૭૬૦ વિ.સં.) પ્રમાળાત્ પરિવત્સરે । નૃતોઽયમુદ્યમ:...... કથાવસ્તુ કોશલ દેશના ઈક્ષ્વાકુ રાજા મેઘવાહન અને રાણી મદિરાવતીને નિઃસન્તાનપણાનું દુઃખ હતું. પુત્રપ્રાપ્તિ માટે વનમાં જઈ દેવોપાસના કરવાનો તેમને વિચાર આવ્યો પરંતુ એક વૈમાનિક દેવના અનુરોધથી ઘરે રહીને જ તેમણે શ્રીદેવીની ઉપાસના કરી. દેવીએ પ્રસન્ન થઈ પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું અને બાલાણ નામની વીંટી પણ આપી. પુત્રનું નામ હિરવાહન રાખવામાં આવ્યું. તે ધીરે ધીરે મોટો થયો અને બધી વિદ્યાઓનો પારગામી બન્યો. એક વખત એક ॥ सप्तसंधानप्रान्तप्रशस्ति. ૨. કાવ્યમાલા સિરિઝ, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૩૮; શાન્તિસૂરીરચિત ટિપ્પણી તથા વિજયલાવણ્યસૂરિરચિત ટીકા (પરાગ) સાથે, વિજયલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર, બોટાદ, વિ.સં.૨૦૦૮; ગુરુ ગોપાલદાસ બરૈયા સ્મૃતિગ્રન્થ, પૃ.૪૮૪-૯૧માં ડૉ. હરીન્દ્રભૂષણ જૈનનો લેખ ‘મહાકવિ ધનપાલ ઔર ઉનકી તિલકમંજરી’. Page #554 -------------------------------------------------------------------------- ________________ પ૩૨ જૈન કાવ્યસાહિત્ય દૂતે ઉક્ત રાજાને તેમના પ્રધાન સેનાપતિ વજાયુધના દંક્ષિણવિજયના સમાચાર આપ્યા અને કહ્યું કે તે વિજયમાં એક સમરકેતુ નામના કુમારને, જે ઘાયલ થઈ પડ્યો હતો તેને, વજાયુધ લાવ્યા છે અને તેને રાજા આગળ મોકલ્યો છે. રાજાએ તે કુમારને પોતાના પુત્રની જેમ રાખ્યો અને હરિવહન તથા સમરકેતુ બન્ને મિત્રની જેમ રહેવા લાગ્યા. એક વાર ક્રીડામંડપમાં મનોરંજનમાં તલ્લીન કુમારને એક બન્દીપુત્રે એક તાડપત્ર લાવીને આપ્યું, તેમાં એક આર્યા છંદ લખ્યો હતો. તેનો અર્થ સમરકેતુ સિવાય કોઈ સમજી ન શક્યું. બીજા લોકોએ વારંવાર પૂછતાં તેણે દક્ષિણ દિશામાં દ્વીપાત્તરોમાં પોતાની દરિયાઈ વિજયયાત્રાનું વિસ્તારથી વર્ણન કર્યું અને ત્યાંના કાંચીનરેશ કુસુમશેખરની રૂપવતી પુત્રી મલયસુન્દરી પ્રત્યેના પોતાના તીવ્ર આકર્ષણનું સ્મરણ થતાં તે તેની સ્મૃતિથી વ્યાકુળ થઈ ગયો. આ દરમ્યાન એક સ્ત્રીદરવાને રાજકુમાર હરિવહનને એક સુંદરીનું ચિત્ર દેખાડ્યું, આ ચિત્રને ગન્ધર્વક નામનો યુવક લાવ્યો હતો. ગન્ધર્વક જણાવ્યું કે આ ચિત્ર વિદ્યાધર નૃપ ચક્રસેનની પુત્રી તિલકમંજરીનું છે જે પુરુષમાત્રની આકૃતિ તરફ અરુચિ ધરાવે છે. કદાચ કોઈ અપૂર્વ સુંદર રાજકુમારના દર્શનથી તેની રુચિ દૂર થઈ જાય એમ માની આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા એવા રાજકુમારનું ચિત્ર દોરી તેની પાસે લઈ જવા માટે પોતે પ્રયત્નશીલ છે અને હમણા જ પોતે કાંચીનરેશ કુસુમશેખર પાસે પોતાના રાજાનો સંદેશ લઈ જઈ રહ્યો છે. આ સાંભળી સમરાને કાંચીની રાજકુમારી મલયસુંદરી પાસે સંદેશો મોકલવાની સારી તક મળી ગઈ અને તે સંદેશ લખીને તેણે ગંધર્વકને આપ્યો પણ ખરો. ગંધર્વકના ગયા પછી હરિવાહનના ચિત્તમાં તિલકમંજરીની ધૂન લાગી ગઈ. એક વખત બન્ને રાજકુમાર અન્ય મિત્રો સાથે દેશાન્તરભ્રમણમાં નીકળી પડ્યા અને કામરૂપ દેશ પહોંચ્યા. તે દેશના રાજાએ તેમનો ખૂબ સત્કાર કર્યો. ત્યાં હરિવાહને એક તોફાને ચડેલા હાથીને વશ કર્યો. હાથી થોડા સમય પછી પોતાની પીઠ પર હરિવાહન બેઠો એટલે તેને લઈને ગાયબ થઈ ગયો. થોડા સમય પછી ૧. ડૉ. મોતીચન્દ્ર જર્નલ ઓફ ઉત્તરપ્રદેશ હિસ્ટોરિકલ સોસાયટી, ભાગ ૨૦, અંક ૧-૨માં ઉક્ત અંશનો અનુવાદ પ્રગટ કરી તત્કાલીન નાવિકતંત્ર ઉપર સારો પ્રકાશ ફેંક્યો છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય ૫૩૩ એક શુકે હરિવહનના સમાચાર એક દૂતને આપ્યા, આ સમાચાર સાંભળી સમરકેતુ હરિવાહનની શોધમાં નીકળી પડ્યો અને ધીમે ધીમે વૈતાદ્યપર્વતના અદૃષ્ટપાર નામના સરોવર પાસે પહોંચી ગયો. ત્યાં વિશ્રામ કરતાં તેણે અતિમધુરં સ્વર સાંભળ્યો અને તેનું અનુસરણ કરતો તે એક સુંદર મઠે પહોંચ્યો, ત્યાં તેણે ગન્ધર્વકને જોયો અને કદલીવનમાં પરિવાહનને જોયો, બન્ને મળીને ખૂબ પ્રસન્ન થયા. હરિવાહને સમરકેતુને તિલકમંજરીના દર્શનની વાત કરી અને સાથે જ નજીકમાં એક વનમાં એક તાપસ કન્યાને દેખ્યાની વાત કહી, આ તાપસકન્યા બીજી કોઈ નહિ પણ સમરકેતુની પ્રેમિકા મલયસુંદરી હતી, તે સમરકેતુના વિરહમાં ત્યાં તપસ્યા કરી રહી હતી. હરિવહન તેનો અતિથિ બની રહેવા લાગ્યો. ત્યાં તિલકમંજરીને હરિવહન તરફનું આકર્ષણ વધવા લાગ્યું અને બન્ને પત્રાદિપ્રેષણ દ્વારા વ્યાકુળ થવા લાગ્યા. આ દરમ્યાન તેઓ એક મહર્ષિના મુખે ચારેનાં પૂર્વજન્મનો વૃત્તાન્ત જાણી શક્યા. અત્તે હરિવાહનના લગ્ન તિલકમંજરી સાથે અને સમરકેતુના મલયસુંદરી સાથે થાય છે અને આખ્યાયિકા પણ સમાપ્ત થાય છે. બાણકત કાદમ્બરી અને તિલકમંજરીની કથાવસ્તુમાં બહુ સમાનતા છે. જેમ કાદમ્બરી કાવ્ય ઉપવિભાગોમાં વિભક્ત નથી તેમ તિલકમંજરી પણ વિભક્ત નથી. બન્ને કથાઓનો પ્રારંભ પદ્યોથી થાય છે, તે પદ્યોમાં બન્ને કવિઓએ કથા, ગદ્ય અને ચમ્પ વિશે પોતાના વિચાર પ્રગટ કર્યા છે. બન્ને કથાઓમાં ગદ્યની વચ્ચે વચ્ચે જ્યાં ત્યાં પદ્યોનો પ્રયોગ થયો છે. જેમ કાદમ્બરીની નાયિકા ગન્ધર્વકુલોત્પન્ન કાદમ્બરી વિવાહ પૂર્વ પરકીયા અને મુગ્ધા તથા વિવાહ પછી સ્વકીયા અને મધ્યા છે તેમ તિલકમંજરીની નાયિકા વિદ્યાધરી તિલકમંજરી વિવાહ પૂર્વે પરકીયા અને મુગ્ધા તથા વિવાહ પછી સ્વકીયા અને મધ્યા છે. તેનો પ્રધાન નાયક હરિવાહન અને સહનાયક સમરકેતુ કાદમ્બરીના ચન્દ્રાપીડ અને વૈશમ્પાયનની જેમ જ પરમ મિત્રો છે તથા અનુકૂલ અને ધીરોદાત્ત છે. નાયકનું નાયિકા સાથે મિલન પણ કાદમ્બરીની જેમ જ થયું છે. બન્નેમાં પ્રથમ ઉપનાયિકા અને પછી નાયિકા આવે છે. ઉપનાયિકા મલયવતી અને તેના તપની વિધિનું વર્ણન મહાશ્વેતાના વર્ણન જેવું છે. બન્ને ગદ્યકાવ્યોનાં કથાનકોના અન્ય અંશોમાં પણ સમાનતા દેખાય છે, જેમકે કાદમ્બરીમાં ઉજ્જયિનીનો રાજા તારાપીડ અને રાણી વિલાસવતી નિ:સન્તાનપણાને કારણે દુઃખી છે, તિલકમંજરીમાં પણ મેઘવાહન અને રાણી મદિરાવતી નિઃસંતાનપણાને કારણે દુઃખી છે. બન્ને કથાઓમાં સમાનપણે દેવતાઓની Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ જૈન કાવ્યસાહિત્ય પૂજા વગેરેને પુત્રોત્પત્તિમાં નિમિત્ત દર્શાવાયાં છે. તિલકમંજરીમાં આવતું અયોધ્યાનું શુક્રાવતાર સિદ્ધાયતન (જૈન મંદિર) કાદમ્બરીમાં આવતા ઉજ્જયિનીના મહાકાલ દેવાયતનની યાદ અપાવે છે. કાદમ્બરીની જેમ તિલકમંજરીમાં અનેક લૌકિક અને અલૌકિક (વિદ્યાધરજગત) પાત્રોને કથાનકમાં ઉતાર્યા છે. શૈલીની દૃષ્ટિએ પણ બન્ને કાવ્યોમાં સમાનતા છે. બન્નેએ શબ્દાલંકારો અને અર્થાલંકારોના પ્રયોગ દ્વારા ઘટના અને વર્ણનને ભારે બનાવી દીધાં છે. અર્થાલંકારોમાં બાણને પરિસંખ્યાલંકાર અને વિરોધાભાસ અતિપ્રિત છે, તેવી જ રીતે તિલકમંજરીકારને પણ તે બન્ને અલંકારો પ્રિય છે. કથા અને શૈલીમાં સાદગ્ધ હોવા છતાં કાદમ્બરીને તિલકમંજરીનું ઉપજીવ્ય ન કહી શકાય. કાદમ્બરીનું ઉપજીવ્ય જેમ ગુણાઢ્યની બૃહત્કથા છે તેમ તિલકમંજરીનું ઉપજીવ્ય પૂર્વવર્તી અનેક કૃતિઓ છે.' તિલકમંજરીમાં અન્ય ગદ્યકાવ્યોની અપેક્ષાએ અનેક વિશેષતાઓ છે : (૧) તેનું ગદ્ય અધિક લાંબા અને અનેક પદોથી નિર્મિત સમાસોની બહુલતાથી રહિત છે. (૨) તેમાં ગ્લેષાલંકારની વધુ પડતી ભરમાર નથી. (૩) તેમાં અગણિત વિશેષણોનો આડંબર નથી, તેથી કથાના આસ્વાદમાં ચમત્કૃતિ છે. (૪) તેમાં શ્રુત્યનુપ્રાસ દ્વારા શ્રવણમધુરતા ઉત્પન્ન કરવામાં આવી છે, વગેરે. કવિએ તેને “બદ્ધતિરક્ષા તા થા' કહી છે. આ કાવ્ય પોતાના વર્ણનવૈવિધ્ય અને વૈચિત્ર્યના કારણે બાણથી આગળ નીકળી ગયું છે. તેમાં સાંસ્કૃતિક જીવન, રાજાઓનો વૈભવ, તેમનાં વિનોદનાં સાધનો, તત્કાલીન ગોષ્ઠીઓ, અનેક પ્રકારનાં વસ્ત્રોનાં નામ, નાવિકતંત્ર, યુદ્ધાસ્ત્ર વગેરેનું જીવંત વર્ણન મળે છે. ૧. પ્રારંભિક શ્લોકોમાં કવિએ પોતાના પૂર્વવર્તી કવિઓ અને તેમની કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. ૨. વિજયલાવણ્યસૂરીશ્વર જ્ઞાનમંદિર, બોટાદથી પ્રકાશિત તિલકમંજરીની પ્રસ્તાવના, પૃ. ૧૪-૧૬. Page #557 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય આ ગદ્યકાવ્ય ઐતિહાસિક મહત્ત્વનું પણ છે. તેના પ્રારંભમાં ધારાના પરમાર રાજાઓની વૈરિસિંહથી ભોજ સુધીની વંશાવલી આપવામાં આવેલી છે. કવિ પોતે પરમાર રાજા મુંજની સભાના સદસ્ય હતા તથા મુંજે તેમને સરસ્વતીપદથી વિભૂષિત કર્યા હતા. કર્તા તથા રચનાકાલ આ ગદ્યકાવ્યના કર્તાનું નામ ધનપાલ છે. કવિના પિતાનું નામ સર્વદેવ અને પિતામહનું નામ દેવર્ષિ હતું. પિતામહ મધ્યપ્રદેશના સાંકાશ્ય નામના ગામના (વર્તમાન ફર્દુખાબાદ જિલ્લામાં ‘સંકિસ’ નામના ગામના) મૂળ નિવાસી હતા, તે બ્રાહ્મણ હતા અને સાંકાશ્ય છોડી ઉજ્જયિનીમાં આવી વસ્યા હતા. ધનપાલને શોભન નામનો નાનો ભાઈ અને સુન્દરી નામની એક બહેન હતી. કવિ ધનપાલ વેદવેદાંગ આદિના પંડિત હતા. કહેવાય છે કે ધનપાલનો નાનો ભાઈ શોભન જૈન મુનિ થઈ ગયો હતો અને તેનાથી પ્રભાવિત થઈને કવિએ પણ જૈનધર્મ સ્વીકાર્યો હતો. ધનપાલ વિશે પ્રભાવકચરિતના ‘મહેન્દ્રસૂરિપ્રબંધ’માં, પ્રબન્ધચિન્તામણિના ‘ધનપાલપ્રબન્ધ’માં, રત્નમંદિરગણિના ‘ભોજપ્રબંધ’માં, વગેરેમાં કેટલાંય આખ્યાનો આપ્યાં છે. ધનપાલ મુંજ અને ભોજનો સમકાલીન હોવાથી તેનો સમય વિક્રમની ૧૧મી સદી છે. - તેમની અન્ય રચનાઓમાં પાઈયલચ્છીનામમાલા, ઋષભપંચાશિકા અને વીરશુઈ મળે છે. કવિએ પાઈયલચ્છીનામમાલાની રચના વિ.સં.૧૦૨૯માં ધારાનગરીમાં પોતાની નાની બેન સુન્દરી માટે કરી હતી. ધનપાલે તિલકમંજરીની રચના રાજા ભોજના જિનાગમોક્ત કથા સાંભળવાના કુતૂહલને પૂર્ણ કરવા માટે કરી હતી.૪ ૧. પદ્ય ૩૮-૫૧ ૨. પદ્ય ૫૩ : શ્રીમુંગેન સરસ્વતીતિ સર્વત્તિ ક્ષોળિમૃતા વ્યાતઃ । 3. विक्कमकालस्स गए अउणत्तीसुत्तरे सहस्सम्मि कज्जे कणि बहिणीए 'सुन्दरी' नाम धिज्जाए । ४. निःशेष वाड्मयविदोऽपि जिनागमोक्ताः, श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदातचरितस्य विनोदहेतोः, राज्ञः स्फुटयद्भुतरसा रचिता कथेयम् ॥ ૫૩૫ Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ જૈન કાવ્યસાહિત્ય તિલકમંજરીકથાસાર ધનપાલના પ્રસિદ્ધ ગદ્યકાવ્ય “તિલકમંજરી”ના આધારે અનુષ્ટ્રભુ છંદમાં “તિલકમંજરીકથાસારની રચના થઈ છે. તેમાં ૧૨૦૦થી કંઈક વધારે પડ્યો છે. તેના કર્તા એક અન્ય ધનપાલ છે, તે અણહિલપુરના પલ્લીવાલ જૈન કુળમાં જન્મ્યા હતા. આ ધનપાલે તેમની આ રચના કાર્તિક સુદી અષ્ટમી ગુરુવાર વિ.સં. ૧૨૬૧માં સમાપ્ત કરી હતી. ગચિન્તામણિ આ બીજું ગદ્યકાવ્ય છે. તેના લેખકે એક બાજુ જીવન્તરના લૌકિક કથાનકને લઈને સરળમાં સરળ સંસ્કૃત પદ્યોમાં ક્ષેત્રચૂડામણિ જેવા લઘુકાવ્યનું સર્જન કર્યું તો બીજી બાજુ અલંકૃત ગદ્યકાવ્યની શૈલીમાં કઠિનમાં કઠિન સંસ્કૃતમાં ગઘચિન્તામણિનું સર્જન કર્યું. આ ગદ્યકાવ્ય ક્ષત્રચૂડામણિની જેમ જ અગીઆર લલ્મોમાં વિભક્ત છે અને તેની જેમ જ જીવંધરનું ચરિત તેમાં આલેખાયું છે. આ ગદ્યકાવ્યની વિશેષતા એ છે કે કવિને અહીં પોતાના કલ્પનાવૈભવનું, વર્ણનપટુતા અને માનવીય ભાવનાઓનું માર્મિક ચિત્રણ કરવાનો મોકળો અવસર મળ્યો છે. તેમાં અન્ય લાવાદી કવિઓની જેમ જ કવિએ શબ્દક્રીડા-કુતૂહલ દેખાડ્યાં છે, ભાવભંગિમાઓનું રમણીય આલેખન રજૂ કર્યું છે તથા સાનુપ્રાસિક સમાસાન્ત પદાવલીના અને વિરોધાભાસ તથા પરિસંખ્યાલંકારના ચમત્કારો દર્શાવ્યા છે. ગદ્યસર્જક તરીકે શબ્દોની પુનરુક્તિથી બચવા માટે કવિએ નવા નવા શબ્દો બનાવ્યા છે, જેમકે પૃથ્વી માટે અમ્બધિનેમિ, મુનિ માટે મધન, ઈન્દ્ર માટે બલનિકૂદન, સૂર્ય માટે નલિનસહચર, ચન્દ્રમા માટે યામિનીવલ્લભ વગેરે. આ કાવ્યની રચનામાં પૂર્વવર્તી કવિઓનો પ્રભાવ તો દેખાય છે પરંતુ તે પ્રભાવમાં તે અલ્પાનુકરણના દોષથી મુક્ત છે. સુબધુના ગદ્યકાવ્ય વાસવદત્તામાં ૧. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદથી સન્ ૧૯૭૦માં પ્રકાશિત. ૨. વાણી વિલાસ પ્રેસ, શ્રીરંગમ્, ૧૯૧૬; ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી હિન્દી અનુવાદ અને સંસ્કૃત ટીકા સાથે પં. પન્નાલાલ સાહિત્યાચાર્ય દ્વારા સંપાદિત, વિ.સં. ૨૦૧૫. Page #559 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૫૩૭ શ્લેષ તથા અન્ય અલંકારોની ભરમારથી તેના સૌન્દર્યનો ઘાત જ થયો જ્યારે ગદ્યચિન્તામણિમાં પરિમિત અને સારગર્ભિત અલંકારોના પ્રયોગના કારણે આ કાવ્યની શોભા વધી છે જ. બાણની કાદમ્બરી પ્રત્યેક વર્ણનમાં વિશેષણોની ભરમારથી એટલી બધી જટિલ થઈ ગઈ છે કે વાચક તેના રસાસ્વાદથી લગભગ વંચિત જ રહી જાય છે, તે જાણે કે જંગલમાં ફસાઈ જાય છે, ભૂલો પડી જાય છે. પરંતુ ગદ્યચિન્તામણિ આ દોષથી પણ મુક્ત છે. ગદ્યચિન્તામણિમાં પદલાલિત્ય, શ્રવણમધુર શબ્દવિન્યાસ, સ્વચ્છન્દ વચનવિસ્તારની સાથે સાથે સુગમ રીતે કથાબોધ પણ થઈ જાય છે. કવિએ આ કાવ્યના ભાષાપ્રવાહને એટલો જ પ્રવાહિત કર્યો છે જેથી કાવ્યવૃક્ષનું રસથી સિંચન થાય પણ તે તેમાં ડૂબી ન જાય. દંડીના દશકુમારચરિતમાં પ્રારંભમાં જ એટલી બધી ઘટનાઓને દાખલ કરી દીધી છે કે વાચક માટે તેમનું અવધારણ કઠિન છે. તેમાં ભાષાનો પ્રવાહ અને પદલાલિત્ય પણ પ્રારંભમાં જેટલા પ્રદર્શિત થયા છે તેટલા પછી રહેતાં નથી કિન્તુ ઉત્તરોત્તર ક્ષીણ જ થતાં જાય છે અને છેલ્લે તો કથાનકનું હાડપિંજર જ દેખાય છે પરંતુ ગદ્યચિત્તામણિમાં એવું નથી થયું. તેમાં ભાષાનો પ્રવાહ આદિથી અંત સુધી અજગ્ન પ્રવાહિત રહે છે.' આ ગદ્યકાવ્યના પ્રથમ સંપાદક સ્વર્ગીય કુષ્ણુસ્વામીએ તેની વિશેષતાઓ નીચેની પંક્તિઓમાં પ્રગટ કરી છે : "अस्य काव्यपथे पदानां लालित्यम्, श्राव्यः शब्दसंनिवेशः, निरर्गला वाग्वैखरी, सुगमः कथासारावगमः, चित्तविस्मायिकाः कल्पनाः, चेतःप्रसादजनको धर्मोपदेशः, धर्माविरुद्धा नीतयः, दुष्कर्मणो विषमफलावाप्तिरिति विलसन्ति વિશિષ્ટ મુI: " અર્થાત્ આ કાવ્યમાં પદોનું લાલિત્ય, શ્રવણમધુર શબ્દોની રચના, અપ્રતિહત વાણી, સરળ કથાસાર, ચિત્તને આશ્ચર્યમાં નાખી દે તેવી કલ્પનાઓ, ચિત્તને પ્રસન્ન કરનારો ધર્મોપદેશ, ધર્મ વિરુદ્ધ ન જનારી નીતિઓ અને દુષ્કર્મોનાં કટુ ફળોની પ્રાપ્તિ, વગેરે વિશિષ્ટ ગુણોથી સુશોભિત છે. આ કાવ્યમાં તત્કાલીન સાંસ્કૃતિક ચિત્રણ સારું છે. તેમાં વિવિધ પ્રકારનાં વાદ્ય, વસ્ત્ર, ભોજનગૃહ, આકાશમાં ઉડવાનાં યંત્રો, કન્ફકક્રીડા વગેરેનાં ઘણાં જ ૧. આ કાવ્યની અન્ય વિશેષતાઓ માટે ગુરુ ગોપાલદાસ બરૈયા સ્મૃતિગ્રન્થ, પૃ. ૪૭૪ ૪૮૩માં પ્રકાશિત પ. પન્નાલાલ સાહિત્યાચાર્યનો લેખ “ગઘચિન્તામણિ પરિશીલન' જુઓ. ૨. ગદ્યચિન્તામણિ, શ્રીરંગમ્, પ્રસ્તાવના, પૃ. ૯. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ જેન કાવ્યસાહિત્ય મનોહારી વર્ણનો મળે છે. આચાર્ય આર્યનદિનો જીવલ્વરને શિક્ષાત્ત ઉપદેશ કાદમ્બરીમાં શુકનારો ચન્દ્રાપીડને આપેલા ઉપદેશની યાદ કરાવે છે. કર્તા અને રચનાકાલ - આના કર્તા અને ક્ષત્રચૂડામણિના કર્તા એક જ છે – આચાર્ય વાદીભસિંહ અમરનામ ઓડયદેવ. તેમનો પરિચય ઉક્ત કાવ્યના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. અન્ય ગદ્યકાવ્યોમાં સિદ્ધસેનગણિકત બંધુમતી નામની આખ્યાયિકાનો પણ ઉલ્લેખ મળે છે પણ તે આજ સુધી ઉપલબ્ધ થઈ નથી. ચપૂકાવ્ય મધ્યકાલીન ભારતીય જનચિએ ગદ્યપદ્યની મિશ્ર શૈલીમાં એક એવા સાહિત્યપ્રકારને જન્મ આપ્યો જેને ચમ્ કહેવામાં આવે છે. જો કે પશ્ચાત્કાલીન સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ આ સાહિત્યપ્રકારનો સ્વીકાર કરી “ગદ્યપદ્યમયી વાણી ચમ્પ' એવું તેનું લક્ષણ કર્યું છે પરંતુ હકીકતમાં “ચમ્પ શબ્દ સંસ્કૃત ભાષાનો નથી કિન્તુ દ્રવિડ ભાષાનો છે. ધારવાડનિવાસી કવિ દ. રા. બેન્દ્રનો મત છે કે કન્નડ અને તુલુ ભાષાઓમાં મૂળ શબ્દ કેન-ચેન કંપુ અને ચેમ્પ એ રૂપોમાં નિષ્પન્ન થઈને સુન્દર અને મનોહર અર્થનો બોધ કરાવે છે. ગદ્યપદ્યમિશ્રિત કાવ્યવિશેષને જનતાએ સૌપ્રથમ સુંદર અને મનોહર અર્થમાં ચેમ્પ નામથી વર્ણવ્યું હશે અને પછી રૂઢિબળથી ચેમ્પ યા ચપુ નામથી તે પ્રસિદ્ધ થયું. ઉક્ત કવિનો એ પણ મત છે કે ચમ્પનો સીધો સંબંધ જૈન તીર્થકરોનાં પંચકલ્યાણકો સાથે છે અને પંચ-પંચ શબ્દ જ ગમ્-ગમ્ ગપૂની જેમ ચમ્પ બની ગયો. સંસ્કૃત સાહિત્યક્ષેત્ર માટે જૈનોનું આ અનુપમ પ્રદાન છે. કન્નડમાં ચપૂકાવ્યના સર્જક જૈન કવિ પમ્પ, પોન્ન અને રન્ન છે, આ કન્નડ ચખૂકાવ્યો સંસ્કૃતમાં ઉપલબ્ધ ચપૂકાવ્યોની પહેલાં રચાયાં છે. કન્નડમાં આ સાહિત્યનું સર્જન અવશ્ય ૮મી-૯મી સદીમાં થઈ ગયું હતું. ૧૦મી સદીમાં રાષ્ટ્રકૂટ રાજાઓના રાજ્યકાલમાં સંસ્કૃતના પ્રથમ ચમ્પઓની – પહેલાં ત્રિવિક્રમભટ્ટકૃત નવચમ્ (સન્ ૯૧૫) અને પછી સોમદેવકૃત જૈન ચ— “યશતિલકની (સન્ ૯૫૯) – રચના થઈ હતી. જૈન ચપૂકાવ્યોમાં આજ સુધી ૩-૪ કૃતિઓ જ ઉપલબ્ધ થઈ શકી છે. તેમનો ક્રમશઃ સંક્ષિપ્ત પરિચય નીચે આપ્યો છે. ૧. મરુધરકેશરી અભિનન્દન ગ્રન્થ, જોધપુર, વિ.સં. ૨૦૨૫, પૃ.૨૭૯-૮૧માં એ. કે. ભુજબલી શાસ્ત્રીનો લેખ. Page #561 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદ્રય પ૩૯ કુવલયમાલા આ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલું ગદ્યપદ્યમિશ્રિત ચમ્પ છે. તેનો પરિચય અમે કથાસાહિત્યમાં આપી દીધો છે. યશસ્તિલકચમ્ આ ચક્યૂપ્રકારનું વિકસિત અને પ્રૌઢ રૂપ છે, તેની કોટિનું સંસ્કૃત સાહિત્યમાં બીજું કોઈ ચમ્પકાવ્ય નથી. આ ચમ્પ કેવળ ગદ્યપદ્યનો શ્રેષ્ઠ નમૂનો જ નથી પરંતુ જૈન અને અજૈન ધાર્મિક અને દાર્શનિક સિદ્ધાન્તોનો ભંડાર, રાજતંત્રનો અનુપમ ગ્રન્થ, વિવિધ છંદોનું નિધાન, પ્રાચીન વાર્તાઓ, દષ્ટાન્તો અને ઉદ્ધરણોનું સંગ્રહાલય અને નવીન શબ્દોનો કોશ પણ છે. સોમદેવની આ કૃતિ તેમની સાહિત્યિક પ્રતિભા અને કવિહૃદયથી સમ્પન્ન વિશાલ પાંડિત્યની એક છે. આ ચમ્પમાં જૈન પુરાણોમાં વર્ણવાયેલી અને જૈન કવિઓને અતિપ્રિય એવી યશોધર રાજાની કથાને લેવામાં આવી છે. આ કથા ઘરાળુ દુર્ઘટના ઉપર આશ્રિત એક યથાર્થ કથા છે. આ દુ:ખાત્ત ઘટનાની ચારે બાજુ એક રીતે નૈતિક અને ધાર્મિક ઉપદેશોની જાળ ગૂંથવામાં આવી છે. સોમદેવની કવિત્વશક્તિની એ સૌથી મોટી કસોટી હતી કે તે વ્યભિચાર અને હત્યા ઉપર આધારિત એક કથાને લઈ સુબળ્યું અને બાણની શૈલીમાં ઉપન્યાસ લખવાનું સાહસ કરી તેમાં સફળ થયા. હકીકતમાં સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં યશસ્તિલક જ એકલું એવું કાવ્ય છે જે દામ્પત્ય જીવનની ઘટનાને લઈ, તેના કૃત્રિમ પ્રેમભાગને છોડી, ભાગ્યચક્રના ખેલ અને જીવનનાં કઠોર સત્યોનું નિરૂપણ કરે છે. આ કાવ્ય આઠ આશ્વાસોમાં વિભક્ત છે. ઘટનાસ્થલ યોધેય દેશનું રાજપુર નામનું નગર છે. ત્યાં રાજા મારિદત્ત વિરવૈભવ તાન્ત્રિકના પ્રભાવથી ચંડમારિ દેવીના મંદિરમાં પ્રત્યેક વર્ગનાં પ્રાણીઓનાં જોડાઓનો બલિ દેવા માટે ઉદ્યત હતો. ૧. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી બે ભાગોમાં પ્રકાશિત, ૧૯૦૧-૩; ૫. સુંદરલાલ જૈન દ્વારા સંસ્કૃત-હિન્દી ટીકા સાથે મહાવીર જૈન ગ્રન્થમાલા, વારાણસીથી ૧૯૬૦ અને ૧૯૭૧માં પ્રકાશિત; તેના સાંસ્કૃતિક પક્ષના અધ્યયન માટે જુઓ-જીવરાજ ગ્રન્થમાલા, સોલાપુરથી ૧૯૪પમાં પ્રકાશિત પ્રા. કૃષ્ણકાન્ત હાર્દિકીની કૃતિ “યશસ્તિલક એન્ડ ઈન્ડિયન કલ્ચર’ તથા પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીથી ૧૯૬૭માં પ્રકાશિત ડૉ. ગોકુલચન્દ્ર જૈનની કૃતિ “યશસ્તિલક કા સાંસ્કૃતિક અધ્યયન'. Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ જેન કાવ્યસાહિત્ય નરયુગલના રૂપમાં નવદીક્ષિત જૈન યતિ અભયરુચિ અને કુલ્લિકા અભયમતિને ત્યાં લાવવામાં આવે છે. રાજાને તેમના પ્રત્યે સ્નેહભાવ જાગે છે (નસીબજોગે તે બન્ને રાજાની બેનના પુત્ર-પુત્રી હતાં, તેમને રાજા તત્કાળ ઓળખી ન શક્યો.) રાજા તે બન્ને બાલયતિઓને સિંહાસન દે છે. બન્ને એક પછી એક તે રાજાની પ્રશંસા કરે છે અને રાજાને જૈનધર્મ પ્રત્યે આકૃષ્ટ કરે છે (આશ્વાસ ૧). તેમાંથી બાલકયતિ અભયરુચિ મારિદત્ત રાજાને પોતાના પૂર્વજન્મોનો વૃત્તાન્ત કહે છે અને યશોધર રાજાની કથા સંભળાવે છે. આ કથા પાંચમા આશ્વાસમાં સમાપ્ત થાય છે. ત્યાર પછી હિંસારત પેલા રાજામાં અહિંસાધર્મની જ્ઞાનજ્યોતિ પ્રગટે છે અને ૬-૮ આશ્વાસોમાં ઉપદેશના રૂપે રોચક શૈલીમાં શ્રાવકાચારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉક્ત અંશને “ઉપાસકાધ્યયન' નામે પણ વર્ણવવામાં આવે છે. ચમ્પના અંતે દર્શાવાયું છે કે રાજા મારિદત્ત અને તેની કુળદેવી ચંડમારિ જૈનધર્મમાં દીક્ષિત થઈ ગયા. ઉક્ત યશોધરની કથાનો સ્રોત પૂર્વવર્તી રચના પ્રભંજનકૃત યશોધરચરિતમાં અને હરિભદ્રસૂરિકૃત સમરાઈઐકહાના ચતુર્થ ભાવમાં મળે છે, પરંતુ કવિએ તેમાં કેટલાંય પરિવર્તનો કર્યા છે. હરિભદ્રની રચનામાં મારિદત્ત અને મનુષ્યયુગલની બલિની કથા નથી તથા બન્નેમાં મુખ્ય પાત્રોનાં નામોમાં પણ અંતર છે. ઉક્ત ચમ્પલેખકે કથાને સાધન બનાવીને બ્રાહ્મણધર્મ ઉપર આક્ષેપ કર્યા છે જયારે હરિભદ્રના કથાનકમાં તેનો તદન અભાવ છે. કિર્તા અને રચનાકાલ – આ કૃતિના કર્તા આચાર્ય સોમદેવસૂરિ છે. તે દેવસંઘના યશોદેવના શિષ્ય નેમિદેવના શિષ્ય હતા. તે બહુશ્રુત વિદ્વાન હતા, આ વસ્તુ તેમનો ઉક્ત ગ્રંથ વાંચવાથી જાણવા મળે છે. તેમણે ન્યાય અને રાજનીતિ વિશે કેટલાય ગ્રન્થો લખ્યા હતા પરંતુ ઉક્ત ચક્યૂ સિવાય તેમનો બીજો પ્રસિદ્ધ ૧. આ કથા ઉપર રચાયેલા વિસ્તૃત સાહિત્યનો પરિચય અમે પહેલાં આપી દીધો છે. ૨. આ અંશ ઉક્ત નામથી ૫. કૈલાશચન્દ્ર શાસ્ત્રી દ્વારા સંપાદિત અને અનૂદિત તથા સંસ્કૃત ટીકા સહિત ભારતીય જ્ઞાનપીઠ વારાણસીથી ૧૯૪૪માં પ્રકાશિત થયો છે. તેની ભૂમિકા પઠનીય છે. ૩. આના વિશેષ પરિચય માટે જુઓ – પં. નાથૂરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૧૯૦ આદિ; ઉપાસકાધ્યયન (ભારતીય જ્ઞાનપીઠ), પ્રસ્તાવના, પૃ. ૧૩-૨૬; યશસ્તિલક કા સાંસ્કૃતિક અધ્યયન, પૃ. ૨૭-૪૧; પ્રો. કૃષ્ણકાન્ત હાર્દિકી, યશસ્તિલક એન્ડ ઈન્ડિયન કલ્ચર, પ્રથમ અધ્યાય. Page #563 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદથ ૫૪૧ ગ્રંથ નીતિવાક્યામૃત જ ઉપલબ્ધ છે. નીતિવાક્યામૃતની પ્રશસ્તિમાં જે “યશોધરચરિત'નો ઉલ્લેખ છે તે જ આ યશસ્તિલકચગ્યુ છે. તેમાં ભારવિ, ભવભૂતિ, ભર્તુહરિ, ગુણાસ્ય, વ્યાસ, ભાસ, કાલિદાસ, બાણ વગેરે કવિઓના, ગુરુ, શુક્ર, વિશાલાક્ષ, પરાશર, ભીખ, ભારદ્વાજ વગેરે રાજનીતિશાસ્ત્રપ્રણેતાઓના તથા કેટલાય વૈયાકરણોના ઉલ્લેખો છે. યશોધર નૃપના ચરિત્રચિત્રણમાં કવિએ રાજનીતિની વિસ્તૃત અને વિશદ ચર્ચા કરી છે. યશસ્તિલકનો ત્રીજો આશ્વાસ રાજનીતિના તત્ત્વોથી ભરપૂર છે. આ ચમ્પની રચના રાષ્ટ્રકૂટ નરેશ કૃષ્ણના સામંત ચાલુક્ય અરિકેશરી તૃતીયના રાજ્યકાળમાં થઈ હતી. રચનાકાલ વિ.સં.૧૦૧૬ (સન્ ૯૫૯) આપવામાં આવ્યો છે. તેમાં તત્કાલીન સંસ્કૃતિ અને સભ્યતાની અનેક વાતોનું સુંદર વર્ણન છે. પ્રો. હાર્દિકીના શબ્દોમાં - ભારતીય સાહિત્યના ઈતિહાસમાં સોમદેવ પ્રમુખ બહુમુખી પ્રતિભામાંના એક હતા અને તેમનો અનુપમ ગ્રન્થ યશસ્તિલક તેમની અનેકવિધ પ્રતિભાનો પરિચાયક છે. તે ગદ્યપદ્યની રચનામાં ઘણા જ કુશળ, બહુસ્મૃતિસમ્પન્ન, જૈન સિદ્ધાન્તના પારગામી અને સમકાલીન દર્શનોના સારા સમાલોચક હતા. તે રાજનીતિના ગંભીર પંડિત હતા તથા આ વિષયમાં તેમના બન્ને ગ્રંથ યશસ્તિલક અને નીતિવાક્યામૃત એકબીજાના પૂરક છે. તે પ્રાચીન જનકથાસાહિત્ય અને ધાર્મિક કથાઓના સારા સંપાદક હતા તથા સાથે સાથે નાટકીય સંવાદોને રજૂ કરવામાં ઘણા જ પ્રવીણ હતા. તે માનવ અને તેના સ્વભાવની વિવિધતાઓના ઊંડા અધ્યેતા હતા. આમ સંસ્કૃત સાહિત્યમાં સોમદેવની સ્થિતિ ખરેખર અતુલનીય છે.” આ ચમ્પ ઉપર શ્રીદેવરચિત પંજિકા મળે છે અને પાંચ આશ્વાસો ઉપર શ્રુતસાગર ભટ્ટારકકૃત સંસ્કૃત ટીકા તથા ૬-૮ આશ્વાસો ઉપર પં. જિનદાસ ફડકુલેકૃત ઉપાસકાધ્યયનટીકા પ્રકાશિત થઈ ગઈ છે. જીવન્તરી આ કૃતિની પુષ્પિકાનાં વાક્યોમાં સર્વત્ર કૃતિનું નામ “ચમ્યુજીવન્ધર' મળે ૧. ટી.એસ.કુમ્બુસ્વામી શાસ્ત્રી દ્વારા સંપાદિત-પ્રકાશિત, શ્રીરંગમ્, ૧૯૦૫; ૫. પન્નાલાલ સાહિત્યાચાર્ય દ્વારા સંપાદિત, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી સં.૨૦૧પમાં પ્રકાશિત – આમાં સંસ્કૃતમાં કૌમુદી ટીકા તથા હિન્દી અનુવાદ આપવામાં આવ્યો છે. આ સંસ્કરણની ૪૪ પૃ.ની પ્રસ્તાવના પઠનીય છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય છે પરંતુ વિદ્વાનો તેને ઉપર્યુક્ત નામે ઓળખે છે. તેમાં જીવન્ધરના ચરિતનું આલેખન છે. સંસ્કૃત સાહિત્યનાં પ્રસિદ્ધ ચમ્પકાવ્યોમાંનું આ એક છે તથા જૈન સાહિત્યનાં ચમ્પૂઓમાં યશસ્તિલકચમ્પૂ પછી આનું નામ આવે છે. તે અગીઆર લમ્ભોમાં વિભક્ત છે. તેની કથાનો આધાર ગદ્યચિન્તામણિ અને ક્ષત્રચૂડામણિ છે જેમાં જીવન્ધરની કથા ગદ્ય અને પદ્યમાં વિસ્તારથી વર્ણવવામાં આવી છે. પ્રસ્તુત ચમ્પૂમાં પ્રત્યેક લક્ષ્મની કથાવસ્તુ તથા પાત્રોનાં નામ વગેરે ઉક્ત બન્ને કૃતિઓ સાથે સમાનતા ધરાવે છે. આ ચમ્પૂમાં તે વૈશિષ્ટ્ય તો નથી જે યશસ્તિલકચમ્પૂમાં મળે છે પરંતુ તેની રચના સરસતા અને સરલતાની દૃષ્ટિએ પ્રશંસનીય છે. તેમાં અલંકારોની યોજના વિશેષરૂપે હૃદયને આકર્ષે છે. પઘોની અપેક્ષાએ ગદ્યની રચના અધિક પાંડિત્યપૂર્ણ છે. કેટલાંય ગદ્યો એટલાં તો કૌતુકભર્યાં છે કે તેમને વાંચી કવિની પ્રતિભાનો ચમત્કાર અનુભવાય છે. નગરીવર્ણન, રાજવર્ણન, રાણીવર્ણન, ચન્દ્રોદય, સૂર્યોદય, વનક્રીડા, જલક્રીડા, યુદ્ધ વગેરેનાં વર્ણનોને કવિએ યથાસ્થાન શણગારીને મૂક્યાં છે. કેટલાક અલંકારોની છટા અહીં દર્શનીય છે : ૫૪૨ “यश्च किल संक्रन्दन इवानन्दितसुमनोगणः, अन्तक इव मंहिषीसमधिष्ठितः, वरुण इवाशान्तरक्षणः, पवन इव पद्मामोदर्सचरः, हर इव महासेनानुयातः, भदगणोऽप्यनागो, विबुधपतिरपि कुलीनः, सुवर्णधरोऽप्यनादित्यागः, सरसार्थपोषकवचनोऽपि नरसार्थपोषकवचनः અહીં શ્લિષ્ટ પૂર્ણોપમાલંકાર અને વિરોધાભાસાલંકાર દર્શનીય છે. “यस्य प्रतिपक्षलोलाक्षीणां काननवीथिकादम्बिनीशम्पायमानतनुसम्पदां वदनेषु वारिजभ्रान्त्या पपात हंसमाला, तां कराङ्गुलीभिर्निवारयन्तीनां तासां करपल्लवानि चकर्षुः कीरशावकाः.... ततश्चलितवेणीनामेणाक्षीणां नागभ्रान्त्या कर्षन्ति स्म वेणी मयूराः । २ આ ગઘાંશમાં ભ્રાન્તિમાન અલંકાર છે અને કરુણરસનો પરિપોષ પણ દર્શનીય છે. આ ગધાંશનો પૂરો ભાગ ઉપલબ્ધ સંસ્કૃત સાહિત્યમાં અજોડ છે. ૧. ભારતીય જ્ઞાનપીઠ સંસ્કરણ, પૃ. ૮ ૨. એજન, પૃ. ૧૧ ******* Page #565 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૫૪૩ આ ચમ્પનાં પદ્યો, ગદ્યો અને ભાવો સાથે સાદશ્ય ધરાવતા અંશોનું તુલનાત્મક અધ્યયન સ્વ. કુષ્ણુસ્વામી શાસ્ત્રીએ પોતે સંપાદિત કરેલા આ ગ્રન્થના સંસ્કરણમાં તથા ક્ષત્રચૂડામણિના સંસ્કરણમાં સારી રીતે કર્યું છે, તે ત્યાં જોવું જોઈએ. ભારતીય જ્ઞાનપીઠથી પ્રકાશિત સંસ્કરણની ભૂમિકામાં પણ કેટલાક ઉલ્લેખોનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. લાગે છે કે આ કાવ્યની રચના ગદ્યચિન્તામણિ અને ક્ષત્રચૂડામણિ સામે રાખીને કરવામાં આવી છે. અન્ય કૃતિઓની જેમ આ કૃતિમાં પણ રઘુવંશ, કુમારસંભવ, શિશુપાલવધ અને નૈષધનો પ્રભાવ દેખાય છે. કર્તા અને રચનાકાલ – આ ચમ્મુ અને ધર્મશર્માલ્યુદય મહાકાવ્યના કર્તા એક જ મહાકવિ હરિશ્ચન્દ્ર મનાય છે. બન્ને કાવ્યોના ભાવો અને શબ્દોમાં જે સમાનતા છે તથા ઠેર ઠેર સાદશ્ય, અલંકારયોજના અને શબ્દવિન્યાસની જે એકસરખી શૈલી છે તે પર્યાપ્તરૂપે સિદ્ધ કરે છે કે બન્નેના કર્તા એક છે.' જીવન્ધરચયૂની હસ્તલિખિત પ્રતિનાં પુષ્મિકાવાક્યોમાં તેના કર્તા હરિશ્ચન્દ્રનો ઉલ્લેખ મળે છે. ગ્રન્થાજો ગ્રન્થકર્તાએ પોતે પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે. પુરુદેવચમ્પ આ ચમ્પ દસ સ્તબકોમાં વિભાજિત છે. તેમાં પુરુદેવ અર્થાત્ ભગવાન આદિનાથનું ચરિત આલેખાયું છે. તેની રચનામાં અર્થગાંભીર્યની અપેક્ષાએ શબ્દોના ચયનમાં વિશેષ ધ્યાન અપાયું છે. સર્વત્ર અર્થાલંકારની અપેક્ષાએ શબ્દાલંકારનો પ્રયોગ અધિક દેખાય છે. આ ગ્રન્થના અન્ત પરીક્ષણથી જાણવા મળે છે કે આ ગ્રન્થના પદ્યભાગની રચનામાં જિનસેનાચાર્યના આદિપુરાણનો (મહાપુરાણનો) ૧. પ્રસ્તાવનામાં સાશ્યપરક અનેક અવતરણો આપ્યાં છે, પૃ. ૩૭-૪૦ ૨. તિ મહાવિદન્દ્રિવિત્તિ ...........! ૩. સિદ્ધઃ શ્રીહરિન્દ્રવાડ્મય આદિ, પદ્ય ૫૮, લક્ષ્મ ૧૧ ૪. પુરુદેવચમ્પપહેલાં ૧૨મી સદીમાં જિનભદ્રસૂરિએ એક મદનરેખાખ્યાયિકાચમ્પની રચના કરી હતી. આ પ્રકાશિત થયું છે. ભૂલથી તેનો પરિચય આપવાનો રહી ગયો છે. તેનો ઉલ્લેખ પૃ. ૩પર ઉપર કર્યો છે. મ. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, ૧૯૭૨, ૫. પન્નાલાલ સાહિત્યાચાર્ય દ્વારા સંપાદિત અને અનૂદિત; માણિકચન્દ્રદિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈ (સં.૧૯૮૫)થી ૫. ફૂડકુલે શાસ્ત્રી દ્વારા સંપાદિત અને પ્રકાશિત, જિનરત્નકોશ, પૃ. ૨૫૩ Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણકે ગ્રન્થમાં ઉક્ત પુરાણના ક્યાંક તો પૂરા શ્લોકો અને ક્યાંક એક કે બે ચરણો જેમના તેમ કાવ્યના અંગના રૂપમાં ગ્રહણ કરી લીધાં છે. તેનું ગદ્ય સરળ છે. કઠિન ગદ્યખંડોને સમજાવવા માટે સહાયક ટીકા પણ આપવામાં આવી છે. કર્તા અને રચનાકાળ આ ચમ્પકાવ્યના કર્તા કવિ અર્હદાસ છે. તેમનો પરિચય તેમની અન્ય કૃતિ મુનિસુવ્રતકાવ્યના પ્રસંગે આપ્યો છે.' અર્હદાસનો સમય વિ.સં.૧૩૨૫ લગભગ મનાયો છે. તેથી આ રચના ચૌદમી સદીના પૂર્વાર્ધની 39. -AN જૈન કાવ્યસાહિત્ય ચમ્પમંડન આ ચમ્મૂકાવ્યર આઠ પટલોમાં વિભાજિત છે. તેમાં દ્રૌપદી અને પાંડવોની કથા વર્ણવવામાં આવી છે. ગદ્યપદ્યની સુલલિત શૈલીમાં રચાયેલું આ લઘુ ચમૂકાવ્ય છે. કર્તા અને રચનાકાલ આ કાવ્યના કર્તા માળવાના પ્રસિદ્ધ કવિ મંડન છે. તેમણે જ કાદમ્બરીમંડન વગેરે ગ્રન્થો રચ્યા છે. તે ૧૫મી સદીના કવિ હતા. આ કાવ્યની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ સં. ૧૫૦૪માં લખાયેલી મળે છે. અન્ય ચમ્પુઓમાં જયશેખરસૂરિનું નલદમયન્તીચમ્પૂ ઉલ્લેખનીય છે. ગીતિકાવ્ય - સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ ગીતિકાવ્ય નામે કોઈ પણ કાવ્યપ્રકાર માન્યો નથી, પરંતુ સંસ્કૃતમાં ગીતિકાવ્ય છે. ગીતિકાવ્ય તેને કહેવામાં આવે છે જેમાં ગેયરૂપે રસપૂર્ણ એક ભાવની અભિવ્યક્તિ હોય. પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રીઓ અને હિન્દી કાવ્યમર્મજ્ઞોએ ગીતિકાવ્ય અંગે પૂરો વિચાર કર્યો છે. તેની પર્યાલોચના કરવાથી કેટલાંક પ્રમુખ તત્ત્વો સામે આવે છે, તે આ પ્રમાણે છે : (૧) અન્તવૃત્તિની પ્રધાનતા, (૨) સંગીતાત્મકતા, (૩) નિરપેક્ષતા, (૪) રસાત્મકતા, (૫) રાગાત્મક અનુભૂતિઓની સઘનતા, (૬) ભાવસાન્દ્રતા, (૭) ચિત્રાત્મકતા, (૮) સમાહિત પ્રભાવ, (૯) માર્મિકતા, (૧૦) સંક્ષિપ્તતા, (૧૧) સ્વાભાવિક અભિવ્યક્તિ અને (૧૨) સહજ અન્તઃપ્રેરણા. ૧. તેરહવીં-ચૌદહવી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય (ડૉ. શ્યામશંકર દીક્ષિત), પૃ. ૩૨૫૩૨૬ ઉપર કવિપરિચય આપ્યો છે. ૨. હેમચન્દ્રાચાર્ય ગ્રન્થમાલા, પાટણ (ગુજરાત), ૧૯૧૮; જિનરત્નકોશ, પૃ. ૧૨૧. Page #567 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય સંસ્કૃતમાં પ્રબંધાત્મક ગીતિકાવ્ય અને મુક્તક ગીતિકાવ્ય એવા બે પ્રકાર મળે છે. પ્રબંધાત્મક ગીતિકાવ્ય મેઘદૂત કે તેને અનુસરીને રચાયેલાં અનેક સંદેશકાવ્યો છે. પરંતુ અધિકાંશ ગીતિકાવ્ય મુક્તક શૈલીમાં રચાયાં છે. મુક્તક ગીતિકાવ્યના બે ભેદ છે : (૧) રસમુક્તક અને (૨) રસેતરમુક્તક. રસમુક્તકમાં મેઘદૂત, પાર્વાભ્યુદય, ચૌરપંચાશિકા, ગીતગોવિન્દ, ગીતવીતરાગ કાવ્યો આવે છે. રસેત ગીતિસાહિત્યમાં સ્તોત્ર, શતક આદિ સાહિત્યનું સ્થાન છે. અહીં આપણે ગીતિકાવ્યના ક્ષેત્રમાં જૈન કવિઓએ આપેલા ફાળાની ચર્ચા કરીશું. રસમુક્તક પાઠ્ય ગીતિકાવ્ય - દૂતકાવ્ય યા સંદેશકાવ્ય (ખંડકાવ્ય) આ પ્રકારના સાહિત્યે સંસ્કૃત સાહિત્યમાં ગીતિકાવ્યના (Lyric Poetryના) અભાવની પૂર્તિ કરી છે. દૂતકાવ્ય વિરહ કે વિપ્રલંબ શૃંગારની પૃષ્ઠભૂમિ લઈને રચાયાં છે. તેમનામાં નાયક નાયિકાને કે નાયિકા નાયકને દ્યૂતના માધ્યમથી સંદેશ મોકલે છે. દૂતનું કામ કોઈ પુરુષ, પક્ષી, ભ્રમર, મેઘ, પવન, ચન્દ્રમા, ચરણચિહ્ન, મન યા શીલ વગેરે તત્ત્વો દ્વારા કરાવાય છે. આ શૈલીમાં બે વસ્તુ દેખાય છે : એક વિયોગ અને બીજી પ્રકૃતિ કે ભાવનાનું માનવીકરણ. પ્રસંગવશ દૂતકાવ્યોમાં નગર, પર્વત, નદી, સૂર્યોદય, ચન્દ્રોદય, રાત્રિ, વસંત અને જલક્રીડા વગેરેનાં વર્ણનો આવે છે પરંતુ તે વર્ણનો એટલાં તો સંક્ષિપ્ત હોય છે કે કાવ્યનો આકાર મોટો નથી થઈ શકતો, તેથી આપણે તેને ખંડકાવ્ય કે ગીતિકાવ્ય કહીએ છીએ. આમ તો ભાવનાક્રાન્ત માનસ દ્વારા અમુક પ્રાણીને દૂત બનાવી પ્રયેસીને સંદેશ મોકલવાની સૂઝ પ્રાચીન ભારતીય સાહિત્યમાં મળે છે પરંતુ મહાવિ કાલિદાસનું મેઘદૂત તો તેનું અનોખું ઉદાહરણ છે. સંસ્કૃતનાં દૂતકાવ્યોનો પ્રારંભ પણ તેનાથી જ થાય છે. પછીનાં દૂતકાવ્યોની રચનામાં ઉક્ત કાવ્યમાંથી સહાયતા મેળવી હોવાના સંકેતો સ્પષ્ટ જણાય છે. ૫૪૫ જૈન કવિઓએ દૂતકાવ્યના ક્ષેત્રનો અને તેની વસ્તુકથાનો વિકાસ કરવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. પહેલી વાત તો એ કે તેમણે વિપ્રલંભ શૃંગારના ૧. સરમા-પણિસંવાદ, ઋગ્વેદ, મંડલ ૧૦, અનુવાક ૮, સૂક્ત ૧૦૮ Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ જેન કાવ્યસાહિત્ય સ્થાને શાન્તરસનું પ્રતિપાદન કર્યું, આ પ્રકારની સૌપ્રથમ રચના જિનસેનનું પાર્વાવ્યુદય કાવ્ય છે. બીજી વાત એ કે તેમણે દૂતકાવ્યો દ્વારા ધાર્મિક નિયમો અને તાત્વિક સિદ્ધાન્તોનો ઉપદેશ આપ્યો. ત્રીજી વાત એ કે તેમણે કાવ્યાત્મક પત્રરચનાને દૂતકાવ્યની રીતે રજૂ કરી. આ પત્રોને વિજ્ઞપ્તિપત્રો કહે છે. તે વિજ્ઞપ્તિપત્ર પર્યુષણ પર્વના સમયે શ્વેતામ્બર જૈન સાધુઓએ પોતાના ગુરુઓને દૂતકાવ્યોના ઢંગથી લખેલા પત્રો છે. આ પ્રકારનાં કાવ્યો વિશેષે ૧૭મી અને તે પછીની સદીઓમાં લખાયાં છે. દૂતકાવ્યોમાં આ જે નૂતન સંસ્કાર કરવામાં આવ્યા છે તે પ્રગટ કરે છે કે જૈનોમાં દૂતકાવ્યપ્રકાર બહુ પ્રિય હતો. લોકમાનસને સમજનાર જૈન કવિઓએ એટલે જ પોતાના નીરસ ધર્મસિદ્ધાન્તો અને નિયમોનો પ્રચાર કરવા માટે આ કાવ્યપ્રકારનો આશરો લીધો. આ કાર્યમાં પણ તેમણે સાહિત્યિક સૌન્દર્ય અને સરલતાની હાનિ ન થવા દીધી. જૈનોનાં બધાં જ દૂતકાવ્યો સંસ્કૃતમાં મળ્યાં છે, પ્રાકૃતમાં એક પણ નહિ. પ્રધાન દૂતકાવ્યોમાં પાર્શ્વનાથ અને નેમિનાથ જેવા મહાપુરુષોનાં જીવનવૃત્ત આલેખાયાં છે. કેટલાક જૈન કવિઓએ મેઘદૂતના શ્લોકોના અંતિમ કે પ્રથમ પાદને લઈને સમાપૂર્તિ કરી છે. આ પ્રકારનું પ્રાચીન દૂતકાવ્ય જિનસેનકૃત પાર્વાક્યુદય (સનું ૭૮૩થી પહેલાંનું) છે. પછી ૧૩મી સદીથી આજ સુધી જૈન કવિઓએ આ દૂત પરંપરાનો પર્યાપ્ત વિકાસ અને પલ્લવન કર્યું છે. તેમાં ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે : વિક્રમનું નેમિદૂત (ઈ.સ.૧૩મી સદીનું અંતિમ ચરણ), મેરૂતુંગનું જૈન મેઘદૂત (ઈ.સ.૧૩૪૬-૧૪૧૪), ચારિત્રસુન્દરગણિનું શીલદૂત (૧પમી સદી), વાદિચન્દ્રનું પવનદૂત (૧૭મી સદી), વિનયવિજયગણિનું ઈન્દુદૂત (૧૮મી સદી), મેઘવિજયનું મેઘદૂતસમસ્યાલેખ (૧૮મી સદી), અજ્ઞાતકર્તક ચેતોદૂત અને વિમલકીર્તિગણિનું ચન્દ્રદૂત. પામ્યુદય આ કાવ્યમાં ૪ સર્ગો છે. પહેલામાં ૧૧૮ શ્લોક, બીજામાં ૧૧૮, ત્રીજામાં પ૭ અને ચોથામાં ૭૧ આમ ચાર સર્ગોમાં કુલ મળીને ૩૬૪ શ્લોક છે. તેનો પ્રત્યેક શ્લોક મેઘદૂતના ક્રમે શ્લોકના એક ચરણ કે બે ચરણોને સમસ્યાના રૂપમાં ૧. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૯, ટીકા સહિત; બાલબોધિની ટીકા અને અંગ્રેજી અનુવાદ સાથે, સંપાદક મો. ગો. કોઠારી, પ્રકાશક ગુલાબચન્દ્ર હીરાચન્દ્ર કન્સ્ટ્રક્શન હાઉસ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ, ૧૯૬૫. Page #569 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય ૫૪૭ લઈ પૂરો કરવામાં આવ્યો છે. મેઘદૂતની જેમ જ તેમાં મન્દાક્રાન્તા છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને કાવ્યની ભાષા પણ તેવી જ પ્રૌઢ છે, પરંતુ સમસ્યાપૂર્તિના રૂપમાં કાવ્યની શૈલી જટિલ બની ગઈ છે જેને પરિણામે પંક્તિઓના ભાવમાં જ્યાં ત્યાં વિપર્યસ્તતા આવી ગઈ છે. આ કાવ્યનો વણ્ય વિષય ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની ઉપર થયેલા ઘોર ઉપસર્ગ સંબંધી છે. તેમાં ઉપસર્ગ કરનાર શંબર યક્ષના પૂર્વજન્મના કથાનકો સાથે જોડીને કથાવસ્તુ આપવામાં આવી છે. પુરાણોમાં આલેખાયેલા પાર્શ્વનાથના ચરિત્રને અનેક સ્થળે કવિએ આવશ્યકતા અનુસાર પરિવર્તિત કર્યું છે પરંતુ મેઘદૂતના ઉદ્ધત અંશના પ્રચલિત અર્થને વિદ્વાન કવિએ પોતાના સ્વતંત્ર કથાનકમાં પ્રસંગોચિત અર્થમાં પ્રયોજીને ઘણી વિલક્ષણતાનો પરિચય આપ્યો છે. એકબે કે દસપચ્ચીસ પંક્તિઓની સમસ્યા એક વાત છે પરંતુ સંપૂર્ણ કાવ્યને આ રીતે આત્મસાત્ કરવું એ તો ખરેખર વિલક્ષણ વાત જ છે. આ કાવ્યમાં સમસ્યાપૂર્તિનું આલેખન ત્રણ રૂપમાં રાખવામાં આવ્યું છે : (૧) પાદવેષ્ટિત, (૨) અર્ધવેષ્ટિત અને (૩) અન્તરિતાવેષ્ટિત. અન્તરિતાવેષ્ટિતમાં પણ એકાન્તરિત, યન્તરિત વગેરે કેટલાય ભેદો છે. પ્રથમ પાદવેષ્ટિતમાં મેઘદૂતના શ્લોકનું કોઈ એક ચરણ લેવામાં આવ્યું હોય છે, બીજા અધિવેષ્ટિતમાં કોઈ બે ચરણ અને ત્રીજા અન્તરિતાવેખિતમાં મેઘદૂતના શ્લોકના પ્રથમ-ચતુર્થ યા દ્વિતીયચતુર્થ યા પ્રથમ-તૃતીય યા દ્વિતીય-તૃતીય ચરણો લેવામાં આવ્યાં છે. ત્રણ પ્રકારનાં ઉદાહરણો અન્યત્ર જોઈ લેવાં જોઈએ. વિસ્તારભયને કારણે અહીં આપવા સંભવ નથી. આમ તો પાર્લાબ્યુદય કાવ્ય મેઘદૂતની સમસ્યાપૂર્તિમાં રચાયું છે, તેથી તે શ્રેણીમાં રાખી શકીએ. વળી, તેમાં દૂત યા સંદેશ શૈલીનાં કોઈ લક્ષણો પણ નથી. ૧. વિસ્તૃત કથાવસ્તુ માટે જુઓ – ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૭૩-૪૭૪. ૨. પ્રો. કાશીનાથ બાપૂજી પાઠકનું કહેવું છે કે: The first place among Indian poets is allotted to Kalidasa by consent of all. Jinasena, however, claims to be considered a higher genius than the author of the Cloud Messenger (મેઘદૂત). ૩. સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૭૫-૪૭૭. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ જૈન કાવ્યસાહિત્ય તેને આપણે સારું પાદપૂર્તિકાવ્ય કહી શકીએ. પ્રસ્તુત કાવ્યમાં જૈન ધર્મના કોઈ સિદ્ધાન્તનું પ્રતિપાદન નથી. કર્તા અને રચનાકાલ – આ કાવ્યના કર્તા પ્રસિદ્ધ જિનસેનાચાર્ય છે જેમણે મહાપુરાણ(આદિપુરાણ)ની રચના કરી છે. ઉક્ત પ્રસંગે તેમનો વિસ્તૃત પરિચય આપ્યો છે. પાર્વાવ્યુદયનો ઉલ્લેખ દ્વિતીય જિનસેને હરિવંશપુરાણમાં (શક સં. ૭૦૫, સન્ ૭૮૩ ઈ.સ.) કર્યો છે, તેથી આ કાવ્ય તેનાં પહેલાં રચાયું છે એ નિશ્ચિત છે. નેમિદૂત આ કાવ્યમાં ૧૨૬ શ્લોકો છે. તેની રચનામાં મેઘદૂત કાવ્યનાં અંતિમ ચરણોની સમસ્યાપૂર્તિ કરવામાં આવી છે. તેમાં બાવીસમા તીર્થંકર નેમિનાથ અને રાજીમતી યા રાજુલના વિરહપ્રસંગનું વર્ણન છે. વસ્તુતઃ તે મેઘદૂત પર આધારિત એક મૌલિક કાવ્ય છે. તેના નામનો એ અર્થ નથી કે તેમાં નેમિનાથે દૂતનું કામ કર્યું છે, પરંતુ નાયિકા દ્વારા નાયક નેમિને લક્ષ્ય કરીને દૂત (વૃદ્ધ બ્રાહ્મણ) મોકલાયો હોવાના કારણે કાવ્યનું નામ નેમિદૂત રાખ્યું છે. મેઘદૂતમાં નાયક દૂત મોકલે છે જ્યારે નેમિદૂતમાં નાયિકા દૂત મોકલે છે. ઘટનાપ્રસંગ એ છે કે નેમિનાથ પોતાના વિવાહજમણને માટે વાડામાં ભેગા કરવામાં આવેલાં પશુઓનું કરુણ ક્રન્દન સાંભળી વિરક્ત થઈ રૈવતક પર્વત ઉપર યોગી બની જાય છે. વધુ રાજીમતી એક વૃદ્ધ બ્રાહ્મણને દૂત તરીકે તેને મનાવવા માટે મોકલે છે. અહીં દ્વારિકાથી રૈવતક પર્વત સુધીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અન્ને રાજીમતીનો વિરહ શમભાવમાં પરિણત થઈ જાય છે. સખીઓના અને રાજુમતીના નેમિનાથને ગૃહી બનાવવાના પ્રયત્નોનું વર્ણન જ સંક્ષેપમાં આ કાવ્યની વિષયવસ્તુ છે. આ કાવ્ય પોતાની ભાષા, ભાવ અને પદ્યરચનામાં તથા કાવ્યગુણોથી ઘણું જ સુંદર બની ગયું છે. કવિએ વિરહીજનોની યથાર્થ દુઃખાવસ્થાનું જ વર્ણન કર્યું ૧. કોટા પ્રકાશન, વિ.સં.૨૦૦૫; કાવ્યમાલા, બીજો ગુચ્છક, પૃ. ૮૫-૧૦૪. Page #571 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય ૫૪૯ છે તેનાથી માલુમ પડે છે કે તે એવા અનુભવોના ધની હતા. પાઠક પ્રત્યેક પદ્યમાં વર્ણવવામાં આવેલી રામતીની દુઃખિત અવસ્થામાં તન્મય બનીને તે દુઃખને સ્વયં અનુભવવા લાગે છે. શાન્તરસપ્રધાન હોવા છતાં પણ નેમિદૂત સંદેશકાવ્યની અપેક્ષાએ વિરહકાવ્ય અધિક છે. તેમાં કાવ્યચમત્કાર, ઉક્તિવૈચિત્ર્ય અને રાગાત્મક વૃત્તિની ગંભીરતાનો મધુર અને કરુણ પરિપાક છે. કર્તા અને રચનાકાળ – આના કર્તા ખંભાતનિવાસી સાંગણનો પુત્ર કવિ વિક્રમ છે. તે કયા સંપ્રદાયના હતા એ વિવાદગ્રસ્ત છે. સ્વ. પં. નાથુરામ પ્રેમી તેમને હૂંબડ (દિગંબર) જાતિના માને છે, તો મુનિ વિનયસાગરજી ખરતરગચ્છાધીશ જિનેશ્વરસૂરિના શિષ્ય હોવાથી તેમને હૂમ્બડ (શ્વેતામ્બરાસ્નાયી) કહે છે. નેમિદૂતના અધ્યયનથી એ સ્પષ્ટ છે કે આ કૃતિ અસામ્પ્રદાયિક છે. તેમાં શ્વેતાંબર કે દિગંબર આમ્નાયની કોઈ વાત નથી કહેવામાં આવી. આ કાવ્યની પ્રાચીનતમ પ્રતિ સં. ૧૪૭૨ની અને બીજી વિ.સં.૧૫૧૯ની મળી છે, તેથી વિ.સં.૧૪૭ર પહેલાં કવિની વિદ્યમાનતા માનવામાં કોઈ જાતનો વિરોધ નથી. પ્રેમીજીના મતે કવિ ૧૩મી સદી અને વિનયસાગરના મતે ૧૪મી સદીમાં થયા છે. જૈન મેઘદૂત નેમિનાથ અને રાજમતીના પ્રસંગને લઈને આ બીજું દૂતકાવ્ય છે. તેમાં કવિએ બીજાં દૂતકાવ્યોની જેમ મેઘદૂતની સમસ્યાપૂર્તિનો આશરો નથી લીધો. આ નામસામ્ય સિવાય શૈલી, રચના, વિભાગ વગેરે અનેક બાબતોમાં તે સ્વતંત્ર છે. તેમાં ચાર સર્ગ છે અને સર્ગોમાં ક્રમશઃ ૫૦, ૪૯, ૫૫ અને ૪ર પડ્યો છે. કથાવસ્તુ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : નેમિકુમાર પશુઓના કરુણ ચીત્કાર સાંભળી વૈવાહિક વેષભૂષા ત્યાગીને રસ્તામાંથી જ રૈવતક (ગિરનાર) પર્વત ઉપર મુનિ બની તપસ્યા કરવા જતા રહ્યા. રામતી, જેની સાથે નેમિકુમારનો વિવાહ થઈ રહ્યો હતો તે, ઉક્ત સમાચાર સાંભળી મૂછિત થઈ ગઈ. સખીઓએ ઉપચાર ૧. વિવેચન માટે જુઓ – સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૭૮ ૪૭૯ ૨. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૨૪. Page #572 -------------------------------------------------------------------------- ________________ પપ૦ જૈન કાવ્યસાહિત્ય કરતાં તેની મૂછ વળી અને તે ભાનમાં આવી. તેણે પોતાની સમક્ષ ઉપસ્થિત મેઘને પોતાના વિરક્ત પતિનો પરિચય આપી પ્રિયતમને શાન્ત કરવા, રીઝવવા માટે દૂત તરીકે પસંદ કર્યો અને પોતાની દુઃખિત અવસ્થાનું વર્ણન કરી પોતાના પ્રાણનાથને મોકલવાનો સંદેશ સંભળાવ્યો. આ સંદેશ સાંભળી સખીઓ રાજીમતીને સમજાવે છે કે નેમિકુમાર મનુષ્યભવને સફળ બનાવવા માટે વીતરાગી થયા છે, તે હવે અનુરાગ તરફ પાછા વળી નહિ શકે. ક્યાં મેઘ, ક્યાં તારો સંદેશ અને ક્યાં નેમકુમારની વીતરાગી પ્રવૃત્તિ ? આ બધાંનો મેળ ખાતો નથી. છેવટે રાજીમતી શોક છોડી નેમિનાથ પાસે જઈને સાધ્વી બની જાય છે. પદલાલિત્ય, અલંકારબાહુલ્ય અને પ્રાસાદિકતાના કારણે આ ઉચ્ચ કોટિનું કાવ્ય છે પરંતુ શ્લિષ્ટ પદો અને વ્યાકરણના ક્લિષ્ટ પ્રયોગોના કારણે આ કાવ્ય દુરૂહ બની ગયું છે. તેમાં મેઘ અને નેમિનાથનો પરિચય તો આપવામાં આવ્યો છે પરંતુ ભૌગોલિક સ્થાનોના નિર્દેશનો અભાવ છે. કર્તા અને રચનાકાળ – આ દૂતકાવ્યના કર્તા મેરૂતુંગ આચાર્ય છે. તે અંચલગચ્છના મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય હતા. તે પ્રબંધચિન્તામણિના કર્તા મેરૂતુંગથી ભિન્ન છે. આ કાવ્યની રચના સંવત ક્યાંય આપ્યો નથી પરંતુ મેરૂતુંગનો સમય વિ.સં.૧૪૦૩થી ૧૪૭૩ સુધીનો સિદ્ધ થાય છે. આ સમયમાં કવિએ જૈનમેઘદૂત, સપ્તતિકાભાષ્ય, લઘુશતપદી, ધાતુપારાયણ, પદર્શનનિર્ણય, બાલબોધવ્યાકરણ, સૂરિમંત્રસારોદ્ધાર આદિ આઠ ગ્રન્થ લખ્યા છે. આના ઉપર શીલરત્નસૂરિવિરચિત વૃત્તિ પ્રકાશિત છે.' શીલદૂત આ કાવ્ય કાલિદાસના મેઘદૂતના અનુકરણમાં બનાવવામાં આવ્યું છે અને તેના પ્રત્યેક શ્લોકના ચોથા ચરણને સમસ્યાપૂર્તિના રૂપમાં અપનાવવામાં આવેલ છે. તેથી તેનો છંદ મન્દાક્રાન્તા છે. શ્લોકસંખ્યા ૧૩૧ છે. તેમાં સ્થૂલભદ્ર અને કોશા વેશ્યાના પ્રસિદ્ધ કથાનકને લઈને સ્થૂલભદ્રના બ્રહ્મચર્ય મહાવ્રતને આધાર ૧. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૨૮ ૨. યશોવિજય જૈન ગ્રન્થમાલા, વારાણસી, ૧૯૧૫; જિનરત્નકોશ, પૃ. ૩૮૪; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૪૬૯. Page #573 -------------------------------------------------------------------------- ________________ લલિત વાયા ૫૫૧ બનાવી તેમના જગવિસ્મયકારી શીલનું વર્ણન કરવામાં આવ્યું છે. કોશા સ્થૂલભદ્રને અનેક રીતે શીલથી ટ્યુત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેના પછી સ્થૂલભદ્રના અનુપમ ઉપદેશોથી તે ખુદ શીલવ્રત ધારણ કરી લે છે. શીલ જેવા ભાવાત્મક તત્ત્વને દૂતનું રૂપ આપીને કવિએ પોતાની મૌલિક કલ્પનાશક્તિનો સારો પરિચય આપ્યો છે. કાવ્યમાં દીર્ઘ સમાસ પ્રાયઃ નથી. અલંકારોમાં ઉ—ક્ષાની યોજના જોવા જેવી છે. મેઘદૂતની શૃંગારપરક પંક્તિઓને શાન્તરસપરક બનાવવામાં કવિએ અદ્દભુત પ્રતિભા દેખાડી છે. કર્તા અને રચનાકાળ – આની રચના બૃહત્ તપાગચ્છના આચાર્ય ચારિત્રસુન્દરગણિએ સં. ૧૪૮૪માં ખંભાતમાં કરી હતી. ચારિત્રસુન્દરગણિએ અન્ય કૃતિઓમાં કુમારપાલચરિત, મહીપાલચરિત અને આચારોપદેશની રચના કરી હતી. તેમનો પરિચય તેમના અન્ય કાવ્યોના પ્રસંગે આપ્યો છે. પવનદૂત આ મેઘદૂતની સમસ્યાપૂર્તિ નથી પરંતુ સ્વત– કૃતિ છે. તેમ છતાં તેને આપણે મેઘદૂતની છાયા કહી શકીએ. તેમાં ૧૦૧ મન્દાક્રાન્તામાં રચાયેલા શ્લોકો છે.' આમાં મેઘના બદલે પવનને દૂત બનાવવામાં આવેલ છે. તેની કથાવસ્તુ નાની છે : ઉજ્જયિનીના રાજા વિજયની રાણી તારાને અશનિવેગ નામનો વિદ્યાધર ઉપાડી જાય છે. રાજા પોતાની પ્રિયા પાસે પવનને દૂત બનાવીને પોતાના વિરહસંદેશ સાથે મોકલે છે. પવન પણ સામ, દામ, દંડ અને ભેદનો પ્રયોગ કરી છેવટે તારાને લઈને વિજય પાસે આવી તેને સોંપી દે છે. પવનદૂત એક વિરહકાવ્ય છે. તેમાં વિપ્રલંભશૃંગારનો પરિપાક સારો થયો છે. રચનામાં પ્રસાદગુણ અને ભાષામાં પ્રવાહિતા લાવવામાં કવિ સફળ થયા છે. કાવ્યમાં કવિએ નૈતિક, સામાજિક અને ધાર્મિક શિક્ષા પણ આપી છે. કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા ભટ્ટારક વાદિચન્દ્ર (૧૭મી સદી) છે. તેમણે પાર્શ્વપુરાણ, પાંડવપુરાણ, યશોધરચરિત વગેરે અનેક કૃતિઓ રચી છે. તેમનો પરિચય પહેલાં આપી દીધો છે. ૧. હિન્દી જૈન સાહિત્ય પ્રચારક કાર્યાલય, મુંબઈથી ૧૯૧૪માં હિન્દી અનુવાદ સહિત પ્રકાશિત; કાવ્યમાલા, ગુચ્છક ૧૩, પૃ. ૯-૨૪. Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ ૧૭-૨૦મી સદીનાં દૂતકાવ્યો સત્તરમી સદીના મુનિ વિમલકીર્તિએ ચન્દ્રદૂત નામનું એક અન્ય દૂતકાવ્ય રચ્યું છે. તેમાં ૧૬૯ શ્લોકો છે. આ કાવ્ય મેધદૂતની પાદપૂર્તિના રૂપમાં રચાયું છે પરંતુ કવિએ ક્યાંક ક્યાંક ભાવોના સ્પષ્ટીકરણ માટે અધિક શ્લોકો રચી સ્વતંત્રતા પણ દેખાડી છે. તેનો વર્ણવિષય એ છે કે કવિએ ચન્દ્રને સંબોધીને શત્રુંજય તીર્થ ઉપર રહેલા આદિજિનને પોતાની વંદના પહોંચાડી છે. પૂરું કાવ્ય વાંચ્યા પછી પણ એ જાણવા મળતું નથી કે કવિએ પોતાના નમસ્કાર ચન્દ્રમાને કયા સ્થાનથી લઈ જવા કહ્યું. તો પણ રચના ઘણી ભાવપૂર્ણ અને વિદ્વત્તાની પરિચાયક છે. અનેકાર્થ કાવ્યની દૃષ્ટિએ પણ આ દૂતકાવ્યનું મહત્ત્વ છે. તેના કર્તા વિમલકીર્તિ સાધુસુન્દરના શિષ્ય હતા. આ સાધુસુન્દર સાધુકીર્તિ પાઠકના શિષ્ય હતા. પ્રસ્તુત કાવ્યનો રચનાકાલ સં. ૧૬૮૧ છે. અઢારમી સદીમાં આપણને પ્રમુખ ત્રણ દૂતકાવ્યો મળે છે. પ્રથમ ચેતોદૂત, બીજું મેઘદૂતસમસ્યાલેખ અને ત્રીજું ઈન્દુદ્ભૂત. પ્રથમ ચેતોદૂતમાં અજ્ઞાત કવિ પોતાના ગુરુનાં ચરણોની કૃપાદૃષ્ટિને જ પોતાની પ્રેયસીના રૂપમાં માનીને તેની પાસે પોતાના ચિત્તને દૂત બનાવીને મોકલે છે. તેમાં ગુરુના યશ, વિવેક અને વૈરાગ્ય આદિનું વિસ્તૃત વર્ણન છે. તેમાં ૧૨૯ મન્દાક્રાન્તામાં રચાયેલા શ્લોકો છે. જૈન કાવ્યસાહિત્ય બીજા મેઘદૂતસમસ્યાલેખમાં ઉપાધ્યાય મેઘવિજય ઔરંગાબાદથી પોતાના ગુરુના ચિરવિયોગથી વ્યથિત થઈને તેમની પાસે મેઘને દૂત બનાવીને મોકલે છે. મેઘ ગુરુ પાસે જેવી રીતે સંદેશ લઈને જાય છે તેવી રીતે પ્રતિસંદેશ લઈને પાછો આવે છે. કાવ્યમાં ૧૩૦ મન્દાક્રાન્તાવૃત્તવાળા શ્લોકો છે અને અંતે એક અનુભ્ શ્લોક છે. તેમાં ઔરંગાબાદથી દેવપત્તન (ગુજરાત) સુધીના માર્ગનું વર્ણન આવે છે. વિષય, ભાવ, ભાષા અને શૈલીની ષ્ટિએ આ કાવ્ય બધાં દૂતકાવ્યોમાં શ્રેષ્ઠ છે. કર્તા અને રચનાકાળ આ કાવ્યના કર્તા અનેક કાવ્યકૃતિઓના સર્જક વિદ્વાન મહોપાધ્યાય મેઘવિજયજી છે. તેમણે કેટલાંય સમસ્યાપૂર્તિકાવ્યો પણ રચ્યાં છે. તેમનો પરિચય તેમની અન્ય કૃતિઓના પ્રસંગમાં આપી દીધો છે. આ કાવ્ય સં. ૧૭૨૭માં પૂરું થયું હતું. ― ૧. ચન્દ્રદૂત, પ્રશસ્તિ-પદ્ય ૧૬૭-૧૬૮, જિનદત્ત સૂરિ જ્ઞાનભણ્ડાર, સૂરત. ૨. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં.૧૯૭૦ ૩. એજન Page #575 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય પ૬૩ અઢારમી સદીનું ત્રીજું દૂતકાવ્ય ઈન્દુબૂત છે. તેમાં મન્દાક્રાન્તાવૃત્તમાં ૧૩૧ શ્લોકો છે. આ કોઈ સમસ્યાપૂર્તિકાવ્ય નથી પરંતુ સ્વતંત્ર રચના છે. તેમાં જોધપુરમાં ચાતુર્માસ રહેલા વિનયવિજયગણિએ સૂરતમાં ચાતુર્માસ રહેલા પોતાના ગુરુ વિજયપ્રભસૂરિ પાસે ચન્દ્રમાને દૂત બનાવીને સાંવત્સરિક ક્ષમાપના સંદેશ અને અભિનન્દન મોકલ્યા હતા. તેમાં જોધપુરથી સૂરત સુધી માર્ગમાં આવતાં જૈન મંદિરો અને તીર્થોનું વર્ણન પણ ઘણું આવ્યું છે, આ એક પ્રકારનું વિજ્ઞપ્તિપત્ર છે. કાવ્યની ભાષા પ્રવાહમય અને પ્રસાદપૂર્ણ છે. તેમાં કવિની વર્ણનશક્તિ અને ઉદાત્ત ભાવોનું દર્શન પ્રચુર માત્રામાં થાય છે. દૂતકાવ્યની પરંપરામાં આ પ્રકારના કાવ્યનો પ્રયોગ નવીન છે. ઈન્દુદ્દતની કોટિનું બીજું કાવ્ય “મથુરદૂત છે. તે વિ.સં.૧૯૯૩માં રચાયું છે. તેમાં ૧૮૦ શ્લોકો છે. તેમાંથી અધિકાંશ શિખરિણી છંદમાં રચાયેલા છે. તેના કર્તા ધુરંધરવિજય છે. તેમાં કપડવંજમાં ચાતુર્માસ રહેલા વિજયામૃતસૂરિએ જામનગરમાં રહેલા પોતાના ગુરુ વિજયનેમિસૂરિ ઉપર વંદના અને ક્ષમાપનાસંદેશ મોકલ્યો, તે કથાવસ્તુ છે. તેમાં દૂત તરીકે મયૂરને પસંદ કરવામાં આવેલ છે. અહીં મયૂરનું વર્ણન કાવ્યદૃષ્ટિએ બહુ મહત્ત્વનું છે. તેમાં કપડવંજથી જામનગર સુધીના માર્ગમાં આવતાં સ્થાનો અને તીર્થોનું ભૌગોલિક વર્ણન પણ કરવામાં આવ્યું. છે. ઉક્ત દૂતકાવ્યો ઉપરાંત બીજા કેટલાંક દૂતકાવ્યોની પણ જાણકારી ગ્રન્થભંડારોની સૂચીઓમાંથી મળે છે, જેમ કે જખૂકવિનું ઈન્દ્રદૂત. તે માલિની છંદોમાં નિબદ્ધ ૨૩ શ્લોકોનું કાવ્ય છે. તેમાં અંત્ય ચમકને પ્રત્યેક પદ્યમાં ચિત્રિત કરવામાં આવેલ છે. વિનયપ્રભ દ્વારા સંકલિત ચન્દ્રદૂત અને અજ્ઞાતકર્તક મનોદૂત" પણ સૂચીઓમાં નોંધાયેલાં છે. ૧. જૈન સાહિત્યવર્ધક સભા, શિરપુર (પશ્ચિમ ખાનદેશ), ૧૯૪૬; કાવ્યમાલા, ગુચ્છક ૧૪. ૨. જૈન ગ્રન્થ પ્રકાશક સભા, ગ્રન્થાંક પ૪, અમદાવાદ, વિ.સં. ૨૦૦૦ ૩. Notices of Sanskrit Mss, Vol.11, p. 158; જિનરત્નકોશ, પૃ. ૪૬૪ 8. Third Report of Operations in Search of Sanskrit Mss., Bombay Circle, p.292; જિનરત્નકોશ, પૃ. ૪૬૪ ૫. જૈન ગ્રન્થાવલી, પૃ. ૩૩૨ Page #576 -------------------------------------------------------------------------- ________________ પપ૪ જેન કાવ્યસાહિત્ય જૈન પાદપૂર્તિસાહિત્ય ઉક્ત દૂતકાવ્યોના પરિશીલનથી આપણને જાણવા મળે છે કે પાર્વાન્યુદય, શીલદૂત, નેમિદૂત, ચન્દ્રદૂત અને મેઘદૂતસમસ્યાલેખ આદિ પાદપૂર્તિ યા સમસ્યાપૂર્તિ કાવ્યપ્રકાર અંતર્ગત જ આવે છે. આ કાવ્યપ્રકારને વિકસિત કરવામાં જૈન કવિઓએ બહુ મોટો ફાળો આપ્યો છે. આ કારણે જ જૈન કાવ્યોમાં બહુવિધ અને બહુસંખ્યક પાદપૂર્તિકાવ્યો મળે છે. સંભવતઃ જૈનેતર સાહિત્યમાં આવાં કાવ્યો બહુ જ ઓછાં છે. પાદપૂર્તિકાવ્યની રચના કરવી એ કંઈ સહેલું કામ નથી. આ વિશિષ્ટ કાર્યમાં મૂળ કાવ્યના મર્મને હૃદયંગમ કરવાની સાથે સાથે કર્તામાં ઉત્કૃષ્ટ કવિત્વશક્તિ, અસાધારણ પાંડિત્ય, ભાષા ઉપર પૂર્ણ પ્રભુત્વ અને નવીન અર્થોને ઉદ્દભાવન કરનારી પ્રતિભાની પરમ આવશ્યકતા છે. તે આવશ્યકતા એટલા માટે પણ છે કેમકે બીજાની પદાવલિઓને તેમના ભાવ, અર્થ અને લાલિત્યના ગુણો સાથે પોતાના ઢાંચામાં ઢાળવાનું કામ અતિ દુષ્કર અને ઉલઝનોથી ભર્યું છે અને તેમાં સફળ થવા માટે ઉપર દર્શાવેલા ગુણો હોવા બહુ જ જરૂરી છે. જે કવિ મૂળ પદોના ભાવોની સાથે પોતાના ભાવોનું જેટલું અધિક સુન્દર સમિશ્રણ કરી શકે છે અને એવા કાર્યમાં સહજ પ્રાપ્ત થનારી ક્લિષ્ટતા અને નીરસતાથી પોતાના કાવ્યને બચાવી શકે છે તે કવિ તેટલી જ અધિક માત્રામાં સફળ બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકે છે. જે પાદપૂર્તિકાવ્યને વાંચતી વખતે કાવ્યમર્મજ્ઞ પણ પાદપૂર્તિનું ભાન ભૂલી જઈને મૌલિક ઉત્કૃષ્ટ કાવ્યના રસાસ્વાદનો આનન્દ અનુભવવા લાગે તે પાદપૂર્તિકાવ્યનો કવિ જ સફળ ગણાય. જૈન કવિઓમાં પાદપૂર્તિકાવ્યના નિર્માણની સૂઝ ક્યારથી આવી, તે કહી નથી શકતા પરંતુ આ દિશામાં સૌપ્રથમ જિનસેનાચાર્યનું પાર્વાક્યુદય કાવ્ય ઈ.સ. નવમી શતાબ્દીનું છે. તેનું વર્ણન આપણે પહેલાં કરી દીધું છે. તેના પછી પંદરમી સદી પહેલાંનું એવું કોઈ કાવ્ય મળતું નથી. ૧૫-૧૭મી સદીમાં આ પ્રકારનાં કાવ્યોમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને અઢારમી સદીમાં તો તેનો પૂરો વિકાસ થયો જણાય છે. વીસમી સદીમાં પાદપૂર્તિકાવ્ય કેવળ ગુરુસ્તુતિપરક જ રચાયાં જૈન પાદપૂર્તિકાવ્યોને આપણે સુવિધાની દૃષ્ટિએ નીચે પ્રમાણે વિભક્ત કરી શકીએ છીએ : (૧) મેઘદૂતની પાદપૂર્તિનાં કાવ્યો : આ કાવ્યોનું વિવરણ આપણે દૂતકાવ્યોમાં રજૂ કરી દીધું છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય (૨) શિશુપાલવધની સમસ્યાપૂર્તિ : ઉદાહરણાર્થ, મહોપાધ્યાય મેઘવિજયકૃત દેવાનન્દાભ્યુદય', આનું વિવરણ પણ આપણે આપી દીધું છે. તેમાં માઘ કવિના શિશુપાલવધના પ્રત્યેક શ્લોકના અંતિમ ચરણને લઈને બાકીનાં ત્રણ ચરણો મેઘવિજયે પોતે નવાં રચીને સાત સર્ગોવાળી આ કાવ્યરચના કરી છે. ૫૫૫ (૩) નૈષધકાવ્યની સમસ્યાપૂર્તિ : ઉદાહરણાર્થ, પૂર્વોક્ત મેઘવિજયકૃત શાન્તિનાથચરિત્ર. તેમાં નૈષધકાવ્યના પ્રથમ સર્ગના સમસ્ત પઘોનાં ચરણોની (કેવળ ૨૮મા પદ્યના ચોથા પાદ સિવાય) પાદપૂર્તિ કરીને છ સર્ગોવાળું કાવ્ય રચવામાં આવ્યું છે. નૈષધના પ્રથમ ચરણને પ્રથમ ચરણમાં, બીજાને બીજામાં, ત્રીજાને ત્રીજામાં, અને ચોથાને ચોથામાં નિયોજિત કરીને પ્રથમ સર્ગને પૂર્ણતઃ સમાવિષ્ટ કરી દીધો છે. એટલું જ નહિ, પણ આ કાવ્યમાં ક્યાંક ક્યાંક નૈષધીયકાવ્યના એક જ ચરણને ભિન્ન ભિન્ન અર્થોની અપેક્ષાથી બે-બે ત્રણ-ત્રણ વાર પણ પૂરિત યા નિયોજિત ક૨વામાં આવેલ છે. (૪) જૈન સ્તોત્રોની પાદપૂર્તિ : ઉદાહરણાર્થ, ૧. પ્રસિદ્ધ ભક્તામર સ્તોત્રની સમસ્યાપૂર્તિ તેનું વિવરણ અમે સ્તોત્રસાહિત્યમાં આપીશું. ૨. કલ્યાણમન્દિરસ્તોત્રની સમસ્યાપૂર્તિ જેમ કે ભાવપ્રભસૂરિકૃત જૈનધર્મવરસ્તોત્ર, પાર્શ્વનાથસ્તોત્ર, વિજયાનન્દસૂરીશ્વરસ્વતન, વીરસ્તુતિ વગેરે. ૩. ઉવસગ્ગહરસ્તોત્રની પાદપૂર્તિ ૪ ૪. પ્રસિદ્ધ વિભિન્ન જૈન સ્તુતિઓની પાદપૂર્તિ. ૫ (૫) જૈનેતર સ્તોત્ર-વ્યાકરણાદિની પાદપૂર્તિ : જેમ કે ૧. શિવમહિમ્નસ્તોત્રની પાદપૂર્તિમાં રત્નશેખરસૂરિકૃત ઋષભમહિમ્નસ્તોત્ર. ૨. કલાપવ્યાકરણસંધિગર્ભિત ૧. સિંઘી જૈન ગ્રન્થમાલા, મુંબઈ, ૧૯૩૭ ૨. પં. હરગોવિંદદાસ દ્વારા સંશોધિત અને વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા દ્વારા ૧૯૧૮માં પ્રકાશિત ૩. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, ગ્રન્થાંક ૮૦; જૈન સત્યપ્રકાશ, વર્ષ ૫, અંક ૧૨માં પ્રકાશિક શ્રી અગરચંદ નાહટાનો લેખ. ૪. જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ અર્થસહિત ૧૯૦૭માં પ્રકાશિત ૫. શ્રી અગરચંદ નાહટાનો લેખ – શ્રી મહાવીરસ્તવન (સંસા૨દાવા પાદપૂર્તિરૂપ), જૈન સત્યપ્રકાશ, ૫. ૧૦ તથા નાહટાલિખિત ભવારિવારણ પાદપૂર્ત્યાદિ સ્તોત્રસંગ્રહની પ્રસ્તાવના. ૬. જિનરત્નકોશ, પૃ. ૫૮ Page #578 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય આના પ્રથમ ચાર સ્તવ – આમાં ‘સિદ્ધવર્ગસમાનાય' આદિ કલાપવ્યાકરણનાં સંધિસૂત્રોની પાદપૂર્તિમાં ૨૩ શ્લોકો રચવામાં આવ્યા છે. ૩. શંખેરશ્વરપાર્થસ્તુતિ શ્લોકોમાં અમરકોષના પ્રથમ શ્લોકનાં ચારેય ચરણોને અત્યંત કુશળતાથી સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. પ્રથમ શ્લોકના પ્રથમ ચરણમાં અમરકોષના પ્રથમ શ્લોકનું પ્રથમ ચરણ, બીજા શ્લોકના બીજા ચરણમાં તેનું બીજું ચરણ, ત્રીજા શ્લોકના ત્રીજા ચરણમાં તેનું ત્રીજું ચરણ, તથા ચોથા શ્લોકના ચોથા ચરણમાં તેનું ચોથું ચરણ છે. ૫૫૬ આ ઉપરાંત કેટલાંય સુભાષિતો, પ્રકીર્ણ પઘો અને અપ્રસિદ્ધ કાવ્યોની પાદપૂર્તિના રૂપમાં જૈન પાદપૂર્તિસાહિત્ય મળે છે. બધાંને ગણાવવા-નોંધવા અહીં શક્ય નથી. દૂતકાવ્યો અને પાદપૂર્તિસાહિત્ય ઉપરાંત ગીતિકાવ્યના ગેય રસમુક્તક કાવ્યનું એક સુન્દર જૈન ઉદાહરણ ગીતવીતરાગ કાવ્ય છે. ગીતવીતરાગપ્રબન્ધ આની રચના જયદેવના ગીતગોવિન્દના અનુકરણમાં કરવામાં આવી છે. તેનો ઉલ્લેખ જિનાષ્ટપદી નામથી પણ જિનરત્નકોશમાં કરવામાં આવ્યો છે, સંભવતઃ તેનું કારણ અષ્ટક યા અષ્ટપદોમાં તેની રચના છે. તેમાં કવિએ તીર્થંકર ઋષભદેવના દસ પૂર્વભવોની કથાનું વર્ણન કરીને સ્તુતિ કરી છે. કથાવસ્તુને ૨૫ લઘુ પ્રબન્ધોમાં વિભક્ત કરવામાં આવી છે, તેમનાં નામ આ પ્રમાણે છે ઃ ૧. મહાબલસદ્ધર્મપ્રશંસા, ૨. મહાબલવૈરાગ્યોત્પાદન, ૩. લલિતાંગવનવિહાર, ૪. શ્રીમતીજાતિસ્મરણ, ૫. વજંઘપટ્ટકથા, ૬. શ્રીમતીસૌરૂપ્યવર્ણન, ૭. ૧. જૈનસ્તોત્રસન્દોહ, ભાગ ૨માં પ્રકાશિત ૨. શ્રી અગરચંદ નાહટાનો લેખ ‘જૈન પાદપૂર્તિ કાવ્યસાહિત્ય', જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૩, કિરણ ૨-૩ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૦૫, ૧૩૯; ડૉ. આ. ને. ઉપાધ્યે દ્વારા સંપાદિત, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી ૧૯૭૨માં પ્રકાશિત; શિવાજી વિશ્વવિદ્યાલય, કોલ્હાપુરની પત્રિકા (૧૯૬૯)માં ડૉ. ઉપાધ્યેનો લેખ ‘પંડિતાચાર્ય કા ગીતવીતરાગ' ૪. ઉક્ત કાવ્ય ઉપર ડૉ. ઉપાધ્યેની અંગ્રેજી ભૂમિકા Page #579 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય શ્રીમતીવિરહવર્ણન, ૮. ભોગભૂમિવર્ણન, ૯. આર્યના ગુરુગુણનું સ્મરણ, ૧૦. શ્રીધરસ્વર્ગવૈભવવર્ણન, ૧૧. સુવિધિપુત્રસંબોધન, ૧૨. અચ્યુતેન્દ્રદિવ્યશરીરવર્ણન, ૧૩. વજ્રનાભસ્ત્રીવર્ણન, ૧૪. સર્વાર્થસિદ્ધિવિમાનવર્ણન, ૧૫. મરુદેવીવર્ણન, ૧૬. ષોડશસ્વપ્રવર્ણન, ૧૭. પ્રભાતવર્ણન, ૧૮. ભગવજ્રન્માભિષેકવર્ણન, ૧૯. ભગવત્પરમૌદારિકદિવ્યદેહવર્ણન, ૨૦. ભગવદૈરાગ્યવર્ણન, ૨૧. ભગવત્તપોઽતિશયવર્ણન, ૨૨. ભગવત્સમવસરણશાલવેદીવર્ણન, ૨૩. સમવસરણભૂમિવર્ણન, ૨૪. અષ્ટપ્રાતિહાર્યવર્ણન, ૨૫. ભગવાનનું મોક્ષગમન અને અંતે કર્તાનો પરિચય. ૫૫૭ આ ગીતિકાવ્યમાં દશાવતાર સમાન રાજા જયવર્મા, મહાબલ વિદ્યાધર, લલિતાંગદેવ, વજંઘ, આર્ય, શ્રીધર, સુવિધિ, વજ્રનાભિ, સર્વાર્થસિદ્ધિવિમાન અને ઋષભદેવનું ગીતાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉક્ત કાવ્યમાં પ્રેમ, જ્ઞાન, સૌન્દર્ય અને ભક્તિનું સમન્વયાત્મક રૂપ દેખાય છે તથા કાવ્યકલાનો ઉચિત સમવાય પણ છે. અહીં પ્રબન્ધકાવ્યોની સ્વાભાવિક સુન્દરતા, ગીતિકાવ્યોની મધુરતા અને સ્તોત્રકાવ્યોની તન્મયતાના દર્શન થાય છે. આમાં ગીતગોવિંદ સમાન જ શૃંગાર અને શાન્તરસની ધારાઓ મળે છે અને કવિનો કલ્પનાવૈભવ નિત્ય નવીન સૃષ્ટિનું સર્જન કરતો દેખાય છે. આ કાવ્યમાં કલ્પનાચમત્કારની સાથે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અતિશયોક્તિ, અર્થાન્તરન્યાસ, અનુમાન, કાવ્યલિંગ વગેરે અલંકારોની શોભા પણ છે. સમાસયુક્ત પદોના પ્રયોગના કારણે તેની શૈલીને ગૌડી શૈલી કહેવાય પરંતુ કોમલ કાન્ત પદાવલીનો સદ્ભાવ હોવાથી તેમાં કઠોરતા આવી નથી. આ કાવ્યમાં ગીતગોવિન્દની જેમ જ ગીતિતત્ત્વ દેખાય છે, જેમકે ગુર્જરીરાગ, દેશીરાગ, વસન્તરાગ, માણવૌડીરાગ, કન્નડરાગ, આશાવરીરાગ તથા તાલોમાં અષ્ટતાલ, યતિતાલ, યતિયતિતાલ, એકતાલ આદિ. આવી જ રીતે રાગ અને તાલની યોજનાથી આ કાવ્ય પૂર્ણ ગેયરૂપ છે. આ નૂતન કાવ્યના કેટલાક નમૂનાઓ જોઈએ : ૧. ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃતગીતિકાવ્યાનુચિન્તનમ્, પૃ. ૧૨૬-૪૦; પી. જી. ગોપાલકૃષ્ણ અય્યર, જર્નલ ઓફ ઓરિએન્ટલ રિસર્ચ, મદ્રાસ, ૧૯૨૮, પૃ. ૩૫૦ ૩૬૫. Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ જૈન કાવ્યસાહિત્ય भुवि धृतसुरपतिलीलापात्र वरिष्ठ भवसि महाबल पुण्यगरिष्ठ । भूमिप तव धर्मफलेन जय धरणीशपते खेचरभूप जय धरणीशपते । - १.८. सुरगिरिनन्दनप्रभृतिमनोहरविलसदुद्यानसंघाते सुरपतिवृतललिताङ्गसुरो दिविजोत्तमविहरणपूते । व्यहरदति सुरभिभरितवसन्ते नर्तनसक्तजनेन समं निजविरहिसुरस्य दुरन्ते । -३.८ मंजुलचम्पककुसुमसमायतरञ्जितनासासारं पुञ्चितनायकमणिगणराजितसिञ्जितवक्षोहारम् दधे वृषभजिनो ललितामलधृणिभरितमनुपमशरीरम् । -१९.४ રચયિતા અને રચનાકાલ – આ કાવ્યના અંતે ૨૫મા પ્રબંધમાં આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેના કર્તા શ્રવણબેલગોલ જૈનમઠના ભટ્ટારક અભિનવ ચારકીર્તિ પંડિતાચાર્ય છે. તેમનો જન્મ સિંહપુરમાં થયો હતો. ભટ્ટારક પદ પ્રાપ્ત કર્યું તે પહેલાં તેમનું શું નામ હતું તે અમને જાણવા મળ્યું નથી. ભટ્ટારકપદ મળ્યા પછી તેમનું નામ ચારકીર્તિ પડ્યું, એમ તો શ્રવણબેલગોલના મઠાધીશોનું સામાન્ય નામ ચારુકીર્તિ જ છે. આ કાવ્યની રચના ગંગવંશી રાજપુત્ર દેવરાજની વિનંતીથી શ્રવણબેલગોલની બાહુબલિની પ્રતિમાની સમીપ કરવામાં આવી હતી. શ્રવણબેલગોલના શિલાલેખ નં. ૨૫૪ (૧૦૫) જે ઈસ્વી સન ૧૩૯૮નો છે અને નં. ૨૫૮ (૧૦૮) જે ઈસ્વી સન ૧૪૩૨નો છે, તેમાંથી અભિનવ પંડિતાચાર્ય વિશે આપણને થોડુંક જાણવા મળે છે. ઈ.સ.૧૩૯૮માં ઉક્ત આચાર્યે પોતાના પરલોકગત ગુરુની સ્મૃતિમાં એક લેખ સ્થાપિત કર્યો હતો અને ઈ.સ.૧૪૩૨માં તેમણે સલ્લેખના ધારણ કરી હતી અને લેખમાં તેમના શિષ્ય શ્રતસાગરે પંડિતેન્દ્ર યોગિરાસ્ટ્ર નામથી તેમનો ઉલ્લેખ કર્યો છે.' ૧. ઉક્ત કાવ્યની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૧૬-૨૦. Page #581 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય પપ૯ . આ ગીતવીતરાગપ્રબન્ધ જે ગંગવંશી દેવરાજના માટે રચવામાં આવ્યું હતું તેના વિશે શ્રવણબેલગોલના શિલાલેખોમાં (સંખ્યા ૩૩૭-૪૧) માહિતી મળે છે. આ શિલાલેખોમાં ઉક્ત કવિને શ્રીમદ્ અભિનવ ચારકીર્તિ પંડિતાચાર્ય, શ્રીમદ્ પંડિતાચાર્ય યા શ્રીમતુ પંડિતદેવર કહેવામાં આવ્યા છે અને તેમને મૂલસંઘ, દેશીયગણ, પુસ્તકગચ્છ, કુન્દકુન્દાન્વયના દર્શાવ્યા છે. શિલાલેખ સંખ્યા ૩૩૭માં તેમની શિષ્યા ભીમાદેવીનો ઉલ્લેખ છે જે દેવરાય મહારાયની રાણી હતી. શ્રી આર. નરસિંહાચારના મતે આ દેવરાય વિજયનગરનૃપ દેવરાય પ્રથમ (ઈ.સ.૧૪૦૬-૧૬) હોવા જોઈએ અને ઉક્ત લેખનો સમય લગભગ ઈ.સ.૧૪૧૦ હોવો જોઈએ. ગીતવીતરાગપ્રબન્ધમાં દેવરાજને રાજપુત્ર કહેલ છે અને જો તેને બરાબર અર્થમાં લેવામાં આવે તો ઉક્ત ગ્રન્થની રચના ઈ.સ. ૧૪૦૦ લગભગ થઈ હોવી જોઈએ. તે વખતે દેવરાય રાજપુત્ર હતા. યોગિરાજ પંડિતાચાર્યકત પાર્વાક્યુદયની ટીકા પણ મળે છે, તે લગભગ ઈ.સ.૧૪૩૨ની રચના હશે કારણ કે સન ૧૪૩૨ના લેખમાં જ તેમને યોગિરાજ શબ્દથી ઉલ્લેખવામાં આવ્યા છે. પાઠ્ય મુક્તક કાવ્યોમાં સુભાષિતોનું પણ પ્રમુખ સ્થાન છે. સુભાષિત : સુભાષિત અને સૂક્તિઓના રૂપમાં જૈન મનીષીઓની પ્રાકૃત અને સંસ્કૃતમાં અનેક રચનાઓ મળે છે. સુભાષિત કાવ્યોને મુખ્યપણે ધર્મોપદેશ યા ધાર્મિક સૂક્તિકાવ્ય, નૈતિક સૂક્તિકાવ્ય અને કામ યા પ્રેમપરક શૃંગારસૂક્તિકાવ્યના રૂપમાં આપણે જોઈએ છીએ. જૈન વિદ્વાનોએ સદાચાર અને લોકવ્યવહારનો ઉપદેશ દેવા માટે સ્વતન્ન રૂપે અનેક સુભાષિત પદ્યોનું નિર્માણ કર્યું છે, તેમાં પ્રાયઃ જૈનધર્મસમ્મત સદાચારો અને વિચારોથી રંજિત ઉપદેશ આપવામાં આવ્યો છે. એમ તો જૈન પુરાણો અને અન્ય સાહિત્યિક રચનાઓમાં સુભાષિતો ભર્યા પડ્યાં છે પરંતુ કેવળ તેમનું જ અધ્યયન કરનારાઓને તથા વિવિધ પ્રસંગો ઉપર બીજાઓને સંભળાવવા માટે તેમની સ્વતંત્ર રૂપે પણ રચના કરવામાં આવી . પ્રાકૃતમાં ધાર્મિક સૂક્તિકાવ્યના રૂપમાં ધર્મદાસગણિકૃત ઉપદેશમાલા, હરિભદ્રસૂરિકૃતિ ઉપદેશપદ, મલધારી હેમચન્દ્રકૃત ઉપદેશમાલા અને આસઢમુનિકૃત વિવેકમંજરી, લક્ષ્મીલાભગણિકૃત વૈરાગ્યસાધનપ્રકરણ, પદ્મનન્ટિકૃત ધમ્મરસાયણપ્રકરણ વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. તેમનો પરિચય આ બૃહદ્ Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ જૈન કાવ્યસાહિત્ય ઈતિહાસના ચોથા ભાગના ત્રીજા પ્રકરણ ધર્મોપદેશ અંતર્ગત આપ્યો છે. તેવી જ રીતે સંસ્કૃતમાં ગુણભદ્રનું આત્માનુશાસન (૯મી સદી), શુભચન્દ્ર પ્રથમનો જ્ઞાનાર્ણવ, હરિભદ્રકૃત ધર્મબિંદુ અને ધર્મસાર, હેમચન્દ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર પ્રકાશ, રત્નમંડનગણિકૃત ઉપદેશતરંગિણી, પધાનન્દનું વૈરાગ્યશતક વગેરે જોવા જેવો છે. તેમનો પણ સંક્ષિપ્ત પરિચય ઉક્ત ભાગના ત્રીજા પ્રકરણમાં આપ્યો છે. નૈતિક સૂક્તિકાવ્ય રૂપે સંસ્કૃતમાં અમિતગતિનો સુભાષિતરત્નસન્દ્રોહ, અહદાસનું ભવ્યજનકંઠાભરણ, સોમપ્રભનું સૂક્તિમુક્તાવલિકાવ્ય, નરેન્દ્રપ્રભના વિવેકપાદપ, વિવેકકલિકા આદિ છે. આ પ્રકારની અન્ય કૃતિઓમાં મલ્લિષણની સજ્જનચિત્તવલ્લભ (૧૨મી સદી) કૃતિ, અજ્ઞાતકર્તક સિન્દુરખકર યા સોમતિલકસોમપ્રભકૃત શૃંગારવૈરાગ્યતરંગિણી, રાજશેખરકૃત ઉપદેશચિન્તામણિ, હરિસેનનું કપૂરપ્રકર, દર્શનવિજયનું અન્યોક્તિશતક, હંસવિજયગણિની અન્યોક્તિમુક્તાવલી, અજ્ઞાતકર્તક આભાણશતક, ધનરાજકૃત ધનદશતકત્રય, તેજસિંહકૃત દાન્તશતક આદિ ઉલ્લેખનીય છે. કાવ્યની દૃષ્ટિએ આમાં અનેક (ધર્મ અને નીતિતત્ત્વપ્રધાન) રસેતર મુક્તક કાવ્યો છે અને અનેક રસમુક્તક કાવ્યો પણ છે. પ્રાકૃતમાં હાલની ગાથાસપ્તશતી સમાન જ વજ્જાલગ્ન નામનું એક રસમુક્તક કાવ્ય મળ્યું છે. વજ્રાલગ્ન વજ્જા લગ્નમાં ૭૯૫ ગાથાઓ છે. તેમનું સંકલન શ્વેતાંબર મુનિ જયવલ્લભ કર્યું છે. તેમાં પણ અનેક પ્રાકૃત કવિઓની સુભાષિત ગાથાઓ સંગૃહીત છે. વજાલગ્નગત વજ્જા શબ્દ દેશી છે. તેનો અર્થ અધિકાર યા પ્રસ્તાવ થાય છે. એક જ વિષય સાથે સંબંધ ધરાવતી ગાથાઓ એક વજ્જા અંતર્ગત સંકલિત કરવામાં આવી છે, જેમ કે ભતૃહરિના નીતિશતકમાં. જયવલ્લભે પ્રારંભમાં જ આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કર્યું છે : ૧. જિનરત્નકોશમાં આનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૪૦; પૃ.૨૩૬માં તેનાં પઘાલય, વજાલય વગેરે નામો આપ્યાં છે; બિબ્લિઓથેકા ઈન્ડિકા સિરીઝ (રોયલ એશિયાટિક સોસાયટી ઑફ બેંગોલ), કલકત્તા, ૧૯૧૪-૧૯૨૩. Page #583 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય ૫૬૧ विविहकइविइयाणं गाहाणं वरकुलाणि घेत्तूण । रइयं वज्जालग्गं विहिणा जयवल्लहं नाम ॥ ३ ॥ एक्कत्थे पत्थावे जत्थ पढिज्जन्ति पउरगाहाओ ।। तं खलु वज्जालग्गं वज्ज त्ति य पद्धई भणिया ॥ ४ ॥ અર્થાત્ જયવલ્લભે વિભિન્ન કવિઓએ રચેલી સરસ ગાથાઓને ભેગી કરીને વિધિવત વજ્જાલગ્નની રચના કરી છે. તેમાં એક પ્રસ્તાવ યા અધિકારમાં સંબદ્ધ પ્રચુર ગાથાઓનું સંકલન કરવામાં આવ્યું છે. વજ્જા શબ્દ પદ્ધતિ (નીતિશતકની પદ્ધતિ)નું નામાન્તર છે, તેથી તેને વજ્જાલન્ગ કહે છે. આ કાવ્યના વર્ગો યા પ્રસ્તાવોમાં કવિએ લોકજીવન સાથે જોડાયેલી ભાવનાઓનો સંગ્રહ કર્યો છે. કેટલીક વજ્જાઓનાં નામો આ પ્રમાણે છે : શ્રોતુ, ગાથા, કાવ્ય, સજ્જન, દુર્જન, મિત્ર, સ્નેહ, નીતિ, ધીર, સાહસ, દૈવ, વિધિ, દીન, દારિદ્રય, સુગૃહિણી, સતી, અસતી, કટ્ટિની, વેશ્યા, વસન્ત, ગ્રીષ્મ, પ્રાવૃ, શરદ, હેમન્ત, શિશિર, કમલ, ચન્દન, વટ, તાલ, પલાશ, રત્નાકર, સુવર્ણ, દીપક આદિ. સજ્જનવક્કામાં કવિએ સજ્જન વિશે જે ઉદાત્ત ભાવાભિવ્યંજક ગાથાઓનું સંકલન કર્યું છે યા તેમાં કેટલીક પોતાની રચેલી ગાથાઓ પણ દાખલ કરી છે તેવા ભાવોનું નિરૂપણ અન્ય કોઈ કવિએ સંભવતઃ નથી કર્યું. સુઘરિણીવામાં ભારતીય લલનાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. દરિદ્રવજ્જા વગેરેમાં પણ કવિએ હૃદયસ્પર્શી ભાવોની જ અભિવ્યક્તિ કરી છે. શૃંગારરસપરક પદ્યોમાં પણ કિવિએ ધાર્મિક અને વીર ભાવોને વ્યક્ત કર્યા છે. કર્તા જયવલ્લભ જૈન હોવા છતાં પણ આ સંગ્રહમાં કોઈ પણ જાતની સામ્પ્રદાયિકતા દેખાતી નથી. અનુમાન કરવામાં આવે છે કે તેનો રચનાકાલ ચોથી સદી છે. આ કાવ્ય ઉપર સં. ૧૩૯૩માં રત્નદેવગણિએ એક સંસ્કૃત ટીકા લખી છે. આ ટીકાની રચના કરવા પ્રેરનાર કોઈ ધર્મચન્દ્ર હતા. આ ધર્મચન્દ્ર બૃહદ્ગચ્છના માનભદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિના શિષ્ય હતા. આ ટીકા સાથેના મૂળમાં અનેક ગાથાઓ હેમચન્દ્રરચિત અને સન્દશાસકના લેખક અબ્દુલ રહમાન રચિત છે. ૧. આના વિશેષ પરિચય માટે જુઓ–ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ; ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, પ્રાકૃત ભાષા ઔર સાહિત્ય કા આલોચનાત્મક ઈતિહાસ, પૃ. ૩૭૭-૩૮૩. ૨. જિનરત્નકોશ, પૃ. ૨૩૬. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૨ જૈન કાવ્યસાહિત્ય અનુમાન છે કે ટીકાકારે આ ગાથાઓને પાછળથી જોડી દીધી છે. મૂળ કૃતિના વિષયવસ્તુના અંતરંગ પરીક્ષણથી એ વાત સ્પષ્ટ જણાય છે કે આ કાવ્યના કલેવરમાં પછી-પછીની સદીઓમાં વૃદ્ધિ થતી રહી છે. - વજ્જાલગ્નના કર્તાના વિશે નામ સિવાય કોઈ પણ સ્રોતમાંથી કંઈ જ જાણવા મળતું નથી. સંસ્કૃતમાં આ પ્રકારની કૃતિઓમાં આચાર્ય સોમદેવસૂરિની “નીતિવાક્યામૃત” ઉલ્લેખનીય છે. તેનો પરિચય આ ઈતિહાસના પાંચમા ભાગમાં રાજનીતિની કૃતિના રૂપમાં આપવામાં આવ્યો છે. સૂત્રબદ્ધ શૈલીમાં રચાયેલા તેના ૩૨ સમુદેશોમાંથી ધર્મ, અર્થ અને કામ સમુદેશોમાં તથા દિવસનુષ્ઠાન, સદાચાર, વ્યવહાર, વિવાહ અને પ્રકીર્ણ સમુદેશોમાં કેટલાંય સૂત્રો દૈનિક વ્યવહારમાં ઉપયોગી સુભાષિતો જેવાં છે, તેમનામાં જૈનધર્મસમ્મત ઉપદેશ શબ્દબદ્ધ કરવામાં આવ્યો છે. આ સૂત્રોની પ્રધાનતાના કારણે કૃતિનું નામ “નીતિવાક્યામૃત' રાખવામાં આવ્યું છે. કર્તા સોમદેવનો પરિચય અન્યત્ર યશસ્તિલકચમ્પ કાવ્યના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. સુભાષિતોનો એક પ્રમુખ ગ્રન્થ આચાર્ય અમિતગતિકૃત “સુભાષિતરત્નસન્દોહ” છે. તેમાં સાંસારિક વિષયનિરાકરણ, મમત્વ-અહંકારત્યાગ, ઈન્દ્રિયનિગ્રહોપદેશ, સ્ત્રીગુણદોષવિચાર, સદસસ્વરૂપનિરૂપણ, જ્ઞાનનિરૂપણ આદિ ૩૨ પ્રકરણો છે અને પ્રત્યેક પ્રકરણમાં વીસ વીસ પચ્ચીસ પચ્ચીસ શ્લોકો છે. કર્તાનો પરિચય તેમની અન્ય કૃતિ ધર્મપરીક્ષાના પ્રસંગમાં આપી દીધો છે. પ્રસ્તુત કૃતિની રચના વિ.સં.૧૦૫૦ પૌષ સુદી પંચમીએ સમાપ્ત થઈ હતી જયારે રાજા મુંજ પૃથ્વીનું પાલન કરી રહ્યા હતા. કૃતિમાં કુલ ૯૨૨ શ્લોકો છે." સોમપ્રભાચાર્યકૃત “શૃંગારવૈરાગ્યતરંગિણી'માં વિવિધ છંદોમાં રચાયેલાં ૪૬ પદ્યોમાં નૈતિક ઉપદેશોનું સંકલન છે. તેમાં કામશાસ્ત્રાનુસાર સ્ત્રીઓના હાવભાવ અને લીલાઓનું વર્ણન કરી તેમનાથી સાવધાન રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તેના ઉપર આગ્રાના પં. નન્દલાલે સંસ્કૃત ટીકા લખી છે. ૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૫, પૃ. ૨૨૯-૨૪૦ ૨. જિનરત્નકોશ, પૃ. ૪૪૫-૪૪૬; કાવ્યમાલા, ૮૨, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૦૯; જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૪, પૃ. ૨૨૧-૨૨; નાથુરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૨૭૯; નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૪૯૪-૯૬. ૩. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૪૨. Page #585 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય પ૬૩ આ વિષયની અન્ય રચનાઓમાં રામચન્દ્રનો સુભાષિતકોશ, કીર્તિવિજયનો સુભાષિતગ્રન્થ, મુનિદેવ આચાર્યનો સુભાષિતરત્નકોશ (૫૮ કારિકાઓ), સકલકીર્તિકૃત સુભાષિતરત્નાવલી યા સુભાષિતાવલી (૩૯૨ શ્લોક), તિલકપ્રભસૂરિકૃત સુભાષિતાવલી, જ્ઞાનસાગરકૃત સુભાષિતષત્રિશિકા, લંકાગચ્છના યશસ્વીગણિકૃત સુભાષિતષદ્ગિશિકા, ધર્મકુમારકૃત સુભાષિતસમુદ્ર, શુભચન્દ્રકૃત સુભાષિતાર્ણવ આદિ કૃતિઓ ઉલ્લેખનીય છે.' સ્તોત્રસાહિત્ય જૈનોનું સ્તોત્રસાહિત્ય પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ તથા અન્ય જનપદીય , ભાષાઓમાં વિપુલ રાશિમાં મળે છે. તેમાંથી સંસ્કૃત-પ્રાકૃતમાં જ ઉપલબ્ધ વિપુલ રાશિને પ્રસ્તુત કરવો શક્ય નથી, તો બીજાની તો વાત જ શી કરવી, તો પણ સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રસાહિત્યનું સિંહાવલોકન માત્ર અહીં કરવામાં આવે છે. ભારતીય વામયમાં સ્તોત્ર-સ્તવનની પરંપરા આદિકાલથી ચાલતી રહી છે. ઈન્દ્ર, વરુણ, ઉષા વગેરેનાં ઋગ્વદમાં સુરક્ષિત સૂક્તો સ્તવનો જ છે. સામવેદને ગેય સ્તોત્રોનું સંકલન કહી શકાય. યજુર્વેદ અને અથર્વવેદમાં અનેક સ્તોત્રો દ્રષ્ટવ્ય છે. અથર્વવેદનું પૃથ્વી સૂક્ત એક રાષ્ટ્રીય સ્તોત્ર છે. રામાયણ, મહાભારત, પુરાણ વગેરેમાં પ્રચુર માત્રામાં સ્તોત્રો છે. સંસ્કૃત સાહિત્યનાં બધાં મહાકાવ્યોમાં મંગલાચરણના રૂપમાં યા વચમાં પણ સ્તુતિઓ આવે છે. સ્વતંત્રપણે પણ કવિઓએ અષ્ટકો, કુલકો, ચતુર્દશકો, દ્વાત્રિશિકાઓ, ષત્રિશિકાઓ, ચત્વારિશકો અને શતકોના રૂપમાં સ્તોત્રોની રચના કરી છે. બાણભટ્ટનું ચંડીશતક, મુરારિનું સૂર્યશતક અને વલ્લભાચાર્યનું યમુનાષ્ટક પ્રસિદ્ધ જ છે. - સ્તોત્રકાવ્યનો સ્વતરૂપમાં પ્રારંભ બૌદ્ધોમાં થયો હતો. કવિ માતૃચેટનું અધ્યર્ધશતક સૌથી પ્રાચીન જણાય છે. ત્યાર પછી પુષ્પદન્તનું શિવમહિમ્નસ્તોત્ર, મયૂરનું સૂર્યશતક વગેરે અને સ્તોત્ર-ગીતિકાવ્યો આવે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૫-૪૪૬ ૨. જૈન કવિઓએ આ પ્રકારોમાં પોતાનાં અનેક સ્તોત્રોની રચના કરી છે. સિદ્ધસેન દિવાકર અને રામચન્દ્રસૂરિરચિત દ્વત્રિશિકાત્મક સ્તોત્ર પ્રસિદ્ધ જ છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ જેન કાવ્યસાહિત્ય જૈન સાહિત્યમાં સ્તોત્રને થઈ, થુતિ, સ્તુતિ યા સ્તોત્ર નામથી સમજવામાં આવે છે. સ્તવ અને સ્તવન પણ તેનાં નામ છે. જો કે સ્તવ અને સ્તોત્ર વચ્ચે અર્થભેદ દર્શાવવાનો કેટલાક વિદ્વાનોએ પ્રયત્ન કર્યો છે પરંતુ એ અર્થભેદ પહેલાં કદાચ રહ્યો હશે કિંતુ પાછલા સમયમાં તો તે એકાર્થક મનાય છે. પ્રાચીન જૈન આગમોમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરેમાં ઉપધાન-શ્રુતાધ્યયન અને વરસ્તવ (વીરત્યય) જેવી વિરલ ભાવાત્મક સ્તુતિઓ જોવા મળે છે પરંતુ મધ્યકાલ આવતાં આવતાં ઉવસગ્ગહર, સ્વયમ્ભસ્તોત્ર, ભક્તામર, કલ્યાણમન્દિર આદિ હૃદયના ભાવોને જગાડનારાં અનેક સ્તોત્રો રચાયાં. આ સ્તોત્રોમાં ૨૪ તીર્થકરોનું ગુણકીર્તન કરતાં સ્તોત્રો પ્રમુખ છે. તેમાં પણ સૌથી વધુ સંખ્યા પાર્શ્વનાથ સંબંધી સ્તોત્રોની છે. લગભગ તેટલાં જ સ્તોત્રો ૨૪ તીર્થકરોની સમ્મિલિત સ્તુતિના રૂપે લખાયાં છે. ત્યાર પછી ઋષભદેવ અને મહાવીર ઉપર રચાયેલાં સ્તોત્રોની સંખ્યા આવે છે, બાકીના તીર્થકરો સંબંધી સ્તોત્રો તેથી પણ ઓછાં છે. પંચપરમેષ્ઠી અર્થાત્ અરહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓની ભક્તિ ઉપર રચાયેલાં સ્તોત્રો અપેક્ષાએ સંખ્યામાં ઓછાં જ છે. જૈનધર્મમાં ભક્તિનું પ્રયોજન આરાધ્યને ખુશ કરી કંઈક પામવાનું નથી, તેથી અહીં ભક્તિનું રૂપ દાસ્ય, સખ્ય અને માધુર્યભાવથી સર્વથા જુદું છે. ઉત્તરાધ્યયનમાં સ્તોત્રના ફળની બાબતમાં એક રોચક સંવાદ મળે છે : થવઘુબંગાલ્લેખ મળે ! जीवे किं जणयइ ? थवथुइमंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणयइ । नाणदंसणचरित्तबोहिलाभसम्पन्ने य णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं મારાં માહેરુ અર્થાત્ સ્તુતિ કરવાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૭-૨૪૮, ૪૫૩માં પાર્શ્વનાથ પર રચાયેલાં સ્તોત્રોની સૂચી આપવામાં આવી છે. ૨. એજન, પૃ. ૧૧૩-૧૧૬, ૧૩૫-૧૩૮માં આ સ્તોત્રોની સૂચી છે. ૩. એજન, પૃ. ૨૭-૨૯, ૫૭-૫૯, ૩૨૧ (યુગાદિદેવહુતિ વગેરે), ૪. એજન, પૃ. ૩૦૭, ૩૬૩ ૫. અધ્યયન ૨૯, સૂત્ર ૧૪; ઉત્તરાધ્યયન અંગ્રેજી પ્રસ્તાવનાટિપ્પણીસહિત જાલ શાપેન્ટિયર, ઉપસલા, ૧૯૨૨. Page #587 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય બોધિલાભ કરે છે. બોધિલાભથી ઉચ્ચ ગતિઓમાં જાય છે, તેના રાગાદિ શાન્ત થાય છે વગેરે. આચાર્ય સમન્તભદ્ર સ્તુતિને પ્રશસ્તપરિણામોત્પાદિકા કહે છે. જૈનધર્મ અનુસાર આરાધ્ય તો વીતરાગી હોય છે, તે ન તો કંઈ લે છે કે ન તો કંઈ દે છે પરંતુ ભક્તને તેના સાન્નિધ્યથી એવી તો પ્રેરક શક્તિ મળે છે જેથી તે બધું જ મેળવી શકે છે. * જૈનધર્મના પ્રાચીનતમ સ્તોત્ર પ્રાકૃત ભાષામાં મળે છે. તેમાં કુન્દકુન્દ્રાચાર્યકૃત ‘તિસ્થય૨સુદ્ધિ’ તથા ‘સિદ્ધભક્તિ’ આદિ પ્રાચીન છે. ભદ્રબાહુનું રચાયેલું કહેવાતું ‘ઉવસગ્ગહરસ્તોત્ર’પણ પ્રાચીન છે, તે પાંચ પ્રાકૃત ગાથાઓનું છે. તે એટલું તો પ્રભાવક સ્તોત્ર મનાયું છે કે તેના ઉપર સારું એવું પરિકરસાહિત્ય તૈયાર થઈ ગયું છે. તેના ઉપર અત્યાર સુધીમાં ૯ ટીકાઓ લખાઈ છે. પ્રાકૃતનાં અન્ય ઉલ્લેખનીય સ્તોત્રોમાં નન્દિષણકૃત અજિયસંતિથય', ધનપાલકૃત ઋષભપંચાશિકા અને વીરશુઈ, દેવેન્દ્રસૂરિષ્કૃત અનેક સ્તોત્ર જેમ કે ચત્તારિઅટ્ઠદસથવ, સમ્યક્ત્વસ્વરૂપસ્તવ, ગણધરસ્તવ, ચતુર્વિશતિજિનસ્તવ, જિનરાજસ્તવ, તીર્થમાલાસ્તવ, નેમિચરિત્રસ્તવ, પરમેષ્ઠિસ્તવ, પુંડરીકસ્તવ, વીરચરિત્રસ્તવ, શાશ્વતચૈત્યસ્તવ, સપ્તતિશતજિનસ્તોત્ર અને સિદ્ધચક્રસ્તવ, ધર્મઘોષસૂરિનું ઈસિમંડલથોત્ત, નન્નસૂરિનું સત્તરિસયથોત્ત, મહાવીરથવ, પૂર્ણકલશગણિનું સ્તમ્ભનપાર્શ્વજિનસ્તવ, જિનચન્દ્રસૂરિનું નમુક્કારલપગરણ વગેરે. ૧. સ્તુતિ: સ્તોતુઃ સાધો: ઝુરાલપરિણામાય સ તા । - અવેન્મા વા સ્તુત્ય: તમપિ તતસ્તસ્ય 7 સત્તઃ ॥ – સ્વયંભૂસ્તોત્ર, ૨૧.૧. २. सुहृत्त्वयि श्रीसुभगत्वमश्नुते द्विषंस्त्वयि प्रत्ययवत् प्रलीयते । भवानुदासीनतमस्तयोरपि प्रभो ! परं चित्रमिदं तवेहितम् ॥ ૫૬૫ - એજન, ૧૪. ૧૪ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૬૮; પ્રભાચન્દ્રાચાર્યકૃત સંસ્કૃત ટીકા સહિત, દશભક્તિ, સોલાપુર, ૧૯૨૧ ૪. જિનરત્નકોશ, પૃ. ૫૪; દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ૧૯૩૩; જૈનસ્તોત્રસન્દોહ, દ્વિતીય ભાગ, પૃ. ૧-૧૩, અમદાવાદ ૫. જિનરત્નકોશ, પૃ. ૩, અહીં આ સ્તોત્રની ૬ ટીકાઓનો ઉલ્લેખ છે. Ε ૬. એજન, પૃ. ૫૮, અહીં તેનાં કેટલાંય સંસ્કરણો તથા ૭ ટીકાઓનો ઉલ્લેખ છે. ૭. એજન, પૃ. ૩૬૩; દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ૧૯૩૩ ૮. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ જેન કાવ્યસાહિત્ય અભયદેવસૂરિકૃતિ જયતિહુઅણસ્તોત્ર અપભ્રંશ ભાષામાં છે અને તેમાં સ્તંભનક પાર્શ્વનાથની સ્તુતિ છે. આ પણ પ્રભાવક સ્તોત્રોમાંનું એક છે. દિગંબર સંપ્રદાયમાં પ્રચલિત પ્રાકૃત નિર્વાણકાંડસ્તોત્ર પણ પ્રિય સ્તોત્રોમાંનું એક છે. સંસ્કૃત ભાષામાં તો જૈન સ્તોત્ર બહુમુખી ધારામાં પ્રવાહિત થયાં છે. અનેક સ્તોત્ર વિવિધ છંદોમાં અને અલંકારોમાં રચાયાં છે. કેટલાંક શ્લેષમય ભાષામાં છે, તો કેટલાંક પાદપૂર્તિના રૂપમાં છે, તો કેટલાંક વળી દાર્શનિક અને તાર્કિક શૈલીમાં પણ રચાયાં છે. - તાર્કિક શૈલીમાં રચાયેલાં સ્તોત્રોમાં આચાર્ય સમન્તભદ્રકૃત સ્વયમ્ભસ્તોત્ર, દેવાગમસ્તોત્ર, યુજ્યનુશાસનપ અને જિનશતકાલંકાર, આચાર્ય સિદ્ધસેનની કેટલીક દ્વત્રિશિકાઓ તથા આચાર્ય હેમચન્દ્રકૃત અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા અને અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા ખાસ ઉલ્લેખનીય છે. તેમના ઉપર કેટલીય ટીકાઓ પણ લખાઈ છે, તે ટીકાઓ જૈનન્યાયના ગ્રન્થો તરીકે કામ આપે છે. આલંકારિક શૈલીમાં રચાયેલાં સ્તોત્રોમાં મહાકવિ શ્રીપાલ (પ્રજ્ઞાચક્ષુ)ની સર્વજિનપતિસ્તુતિ (૨૯ શ્લોકોમાં), હેમચન્દ્રના પ્રધાન શિષ્ય રામચન્દ્રસૂરિકૃત અનેક દ્વાત્રિશિકાઓ અને સ્તોત્ર°, જયતિલકસૂરિકૃત ચતુરાવલીચિત્રસ્તવ ૧. જિનરત્નકોશ, પૃ. ૧૩૩, અહીં તેની ૬ ટીકાઓનો ઉલ્લેખ છે. ૨. એજન, પૃ. ૨૧૪ ૩-૬.વીરસેવામન્દિર, દિલ્હી, ૧૯૫૦-૧૯૫૧ ૭. જિનરત્નકોશ, પૃ. ૧૮૩, ૩૪૩, ૩૬૯; જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગરથી પ્રકાશિત. ૮. એજન, પૃ. ૧૫ ૯. એજન, પૃ. ૧૧ ૧૦.આ સ્તોત્રોના પરિચય માટે જુઓ – નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૩૫-૨૩૭. ૧૧.સ્તોત્રરત્નાકર, દ્વિતીય ભાગ, વિ.સં.૧૯૭૦; અનેકાન્ત, પ્રથમ વર્ષ, કિરણ ૮-૧૦, પૃ. ૫૨૦-પ૨૮. Page #589 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય આદિ નોંધપાત્ર છે. શ્લેષમય શૈલીમાં રચાયેલાં સ્તોત્રો છે વિવેકસાગરરચિત વીતરાગસ્તવ (૩૦ અર્થ), નયચન્દ્રસૂરિષ્કૃત સ્તંભનપાર્શ્વસ્તવ (૧૪ અર્થ) તથા સોમતિલક અને રત્નશેખરસૂરિનિબદ્ધ અનેક સ્તોત્રો. પ્રકાશમાં આવ્યાં છે પાદપૂર્તિ યા સમસ્યાપૂર્તિ રૂપે રચાયેલાં સ્તોત્રોની સંખ્યા પણ કંઈ ઓછી નથી. તેમાં માનતુંગના ભક્તામરસ્તોત્રની સમસ્યાપૂર્તિના રૂપમાં રચાયેલાં કેટલાંય સ્તોત્રો જેમ કે મહોપાધ્યાય સમયસુંદરકૃત ઋષભભક્તામર ૪૫ શ્લોકોમાં (આ બધામાં ચોથા પાદની પૂર્તિ છે), કીર્તિવિમલના શિષ્ય લક્ષ્મીવિમલકૃત (ભક્તામરના ચોથા પાદની પૂર્તિના રૂપમાં) શાન્તિભક્તામર, ધર્મસિંહના શિષ્ય રત્નસિંહસૂરિકૃત નેમિ-રાજીમતીની સ્તુતિના રૂપમાં ૪૯ શ્લોકોવાળું નેમિભક્તામર (તેનું બીજું નામ પ્રાણપ્રિયકાવ્ય), ધર્મવર્ધનગણિકૃત વીરસ્તુતિના રૂપમાં વીરભક્તામર, ધર્મસિંહસૂરિનું સરસ્વતીભક્તામર, તેવી જ રીતે ઉક્ત સ્તોત્રની સમસ્યાપૂર્તિ રૂપે જિનભક્તામર, આત્મભક્તામર, શ્રીવલ્લભભક્તામર અને કાલૂભક્તામર આદિ ઉલ્લેખનીય છે. કલ્યાણમન્દિરસ્તોત્રની સમસ્યાપૂર્તિના રૂપમાં ભાવપ્રભસૂરિકૃત જૈનધર્મવરસ્તોત્ર, અજ્ઞાતકર્તૃક પાર્શ્વનાથસ્તોત્ર, વીરસ્તુતિ તથા વિજયાનન્દસૂરીશ્વરસ્તવન મળે છે. ઉવસગ્ગહરસ્તોત્રની પાદપૂર્તિ રૂપે પણ અનેક સ્તોત્રો મળે છે. અન્ય સ્તોત્રોમાં અજ્ઞાતકર્તૃક પાર્શ્વનાથસમસ્યાસ્તોત્ર ઉલ્લેખનીય છે. આ પ્રકારનાં કેટલાંય સ્તોત્રોનો ઉલ્લેખ અમે પાદપૂર્તિસાહિત્યમાં કરી દીધો છે. - ૫૬૭ - સંસ્કૃત ભાષામાં રચાયેલી અન્ય સ્તુતિઓમાં દેવન્તિ પૂજ્યપાદની (છઠ્ઠી સદી) સિદ્ધભક્તિ વગેરે બાર ભક્તિઓ અને સિદ્ધિપ્રિયસ્તોત્ર, પાત્રકેશરીની ૧. જૈનસ્તોત્રસમુચ્ચય, ભાગ ૧, પૃ. ૭૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૮૯; હીરાલાલ ૨. કાપડિયા, કાવ્યસંગ્રહ, ભાગ ૧-૨, આગમોદય સમિતિ, મુંબઈ; સ્તોત્રરત્નાકર, પ્રથમ ભાગ, મહેસાણા, ૧૯૧૩. જિનરત્નકોશ, પૃ. ૮૦ 3. ૪. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, ગ્રન્થાંક ૮૦, પૃ. ૪૫-૪૮ ૫. જિનરત્નકોશ, પૃ. ૨૪૭; સિદ્ધાન્તસારાદિસંગ્રહ (માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, ભાગ ૨૧), મુંબઈ, વિ.સં.૧૯૬૯. ૬. નિત્યપાઠસંગ્રહ, કારંજા, ૧૯૫૬; સિદ્ધિપ્રિય, કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૩૦. Page #590 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય (છઠ્ઠી સદી) જિનેન્દ્રગુણસંસ્તુતિ યા પાત્રકેશરીસ્તોત્ર', માનતુંગાચાર્યનું (સાતમી સદી) ભક્તામરસ્તોત્ર' (આદિનાથસ્તોત્ર), બપ્પભટ્ટનાં’ (૮મી સદી), સરસ્વતીસ્તોત્ર, શાન્તિસ્તોત્ર, ચતુર્વિંશતિજિનસ્તુતિ, વી૨સ્તવ, ધનંજયનું (૮મી સદી) વિષાપહાર”, જનસેનનું (૯મી સદી) જિનસહસ્રનામ, વિઘાનન્દનું શ્રીપુરપાર્શ્વનાથ', કુમુદચન્દ્રનું (સિદ્ધસેન ૧૧મી સદી) કલ્યાણમન્દિર, શોભનમુનિકૃત (૧૧મી સદી) ચતુર્વિંશતિજિનસ્તુતિ, વાદિરાજસૂરિકૃત જ્ઞાનલોચનસ્તોત્ર અને એકીભાવસ્તોત્ર, ભૂપાલકવિકૃત (૧૧મી સદી) જિનચતુર્વિશતિકા, આચાર્ય હેમચન્દ્રકૃત (૧૨મી સદી) વીતરાગસ્તોત્ર, મહાદેવસ્તોત્ર' અને મહાવીરસ્તોત્ર', જિનવલ્લભસૂરિરચિત (૧૨મી સદી) ભવાદિવારણ, અજિતશાન્તિસ્તવ આદિ અનેક સ્તોત્ર, પં. આશાધરકૃત (૧૩મી સદી) સિદ્ધગુણસ્તોત્ર, જિનપ્રભસૂરિનાંપ (૧૩મી સદી) સિદ્ધાન્તાગમસ્તવ, અજિતશાન્તિસ્તવન વગેરે અનેક સ્તોત્ર, મહામાત્ય વસ્તુપાલનું (૧૩મી સદી) ૫૬૮ ૧. પ્રથમ ગુચ્છક, પ્રકાશક – પન્નાલાલ ચૌધરી, કાશી, વિ.સં.૧૯૮૨ ૨. કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૧ ૩. આગમોદય સમિતિ, મુંબઈ, ૧૯૨૬; જૈનસ્તોત્રસન્દોહ, ભાગ ૧ ૪. કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૨૨ ૫. ભારતીય જ્ઞાનપીઠ, કાશી, ૧૯૫૪ ૬. વી૨ સેવા મન્દિર, દિલ્હી, વિ.સં.૨૦૦૬ ૭. કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૧૦ ૮. એજન, પૃ. ૧૩૨-૧૬૦; આગમોદય સમિતિ, મુંબઈ ૯. સિદ્ધાન્તસારાદિસંગ્રહ (માણિકચન્દ્ર દિગ. જૈન ગ્રન્થમાલા), પૃ. ૧૨૪ ૧૦.કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૧૭-૨૨ ૧૧.એજન, પૃ. ૨૬ ૧૨.દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર, ગ્રન્થાંક ૧ ૧૩.કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૧૦૨-૧૦૭ ૧૪.જૈનસ્તોત્રસન્દોહ, ભાગ ૧ ૧૫ કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૮૬, ૧૦૭-૧૧૯; જૈનસ્તોત્રસન્દોહ, ભાગ ૧; જિનપ્રભસૂરિએ ઋષભદેવ ઉપ૨ ૧૧ શ્લોકોમાં એક સ્તોત્ર ફારસી ભાષામાં રચ્યું છે (જૈનસ્તોત્રસમુચ્ચય, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૯૦મું સ્તોત્ર સંસ્કૃત અવસૂરિ સાથે). Page #591 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદ્વય ૫૬૯ અંબિકાસ્તવન', પદ્મનદિ ભટ્ટારકકૃતર રાવણ-પાર્શ્વનાથસ્તોત્ર, શાન્તિજિનસ્તોત્ર, વિતરાગસ્તોત્ર આદિ, શુભચન્દ્ર ભટ્ટારક કૃત શારદાસ્તવન, મુનિસુન્દરકત (૧૪મી સદી) સ્તોત્રરત્નકોષ, ભાનુચન્દ્રગણિકૃત સૂર્યસહસ્રનામસ્તોત્ર આદિ સ્તોત્રો હજારોની સંખ્યામાં જ્ઞાતકર્તૃક અને અજ્ઞાતકર્તક ઉપલબ્ધ થયાં છે. તે બધાંનો ઉલ્લેખ કરવો દુષ્કર છે. જૈન સમાજમાં સૌથી વધુ પ્રિય બે સ્તોત્રો મનાય છે : એક તો છે માનતુંગાચાર્યનું ભક્તામરસ્તોત્ર જે પ્રથમ તીર્થંકરની સ્તુતિના રૂપમાં રચાયું છે (૪૪ યા ૪૮ શ્લોકોમાં) અને બીજું છે કુમુદચન્દ્ર રચેલું કલ્યાણમદિરસ્તોત્ર (૪૪ શ્લોકો) જેમાં પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે. આ બન્ને સ્તોત્ર પોતાના આરાધ્ય પ્રતિ વ્યક્ત કરવામાં આવેલા ભક્તિપૂર્ણ ઉદાર અને સમન્વયાત્મક ભાવોના કારણે ઉચ્ચ કોટિનાં મનાય છે. ભક્તામરના કેટલાક શ્લોકો ધ્યાનાર્હ છે : त्वामामनन्ति मुनयः परमं पुमांस मादित्यवर्णममलं तमसः पुरस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु નાચઃ શિવઃ શિવપરા મુનીન્દ્ર ! વળ્યા છે ૨રૂ છે त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यमाद्यं ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वस्त्यममलं प्रवदन्ति सन्तः ॥ २४ ॥ ૧. મહામાત્ય વસ્તુપાલ કા વિદ્રમંડલ, પૃ. ૧૯૩; જૈનસ્તોત્રસમુચ્ચય, પૃ. ૧૪૩ ૨. અનેકાન્ત, વર્ષ ૯, કિરણ ૭ ૩. ડૉ. કૈલાશચન્દ્ર જૈન, જૈનીઝમ ઈન રાજસ્થાન, સોલાપુર, ૧૯૬૪, પૃ. ૧૬૭ ૪. જૈન સ્તોત્રસંગ્રહ, ભાગ ૨; જિનરત્નકોશ, પૃ. ૪૫૩ ૫. જિનરત્નકોશ, પૃ. ૪૫૨; જૈન યુવક મંડલ, સૂરત, વિ.સં. ૧૯૯૮ ૬. કાવ્યમાલા, સપ્તમ ગુચ્છક, પૃ. ૬. Page #592 -------------------------------------------------------------------------- ________________ ५७० જેન કાવ્યસાહિત્ય बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् । धातासि धीर ! शिवमार्गविधेविधानात् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥ २५ ॥ આરાધ્યની ઉદારતા અને સ્તોતાની વિનયશીલતાને વ્યક્ત કરતા કલ્યાણમન્દિરસ્તોત્રના બે શ્લોકો પઠનીય છે : त्वं नाथ ! दुःखिजनवत्सल ! हे शरण्य ! कारुण्यपुण्यवसते ! वशिनां वरेण्य ! भक्त्या नते मयि महेश ! दयां विधाय दुःखांकुरोद्दलनतत्परतां विधेहि ॥ ३९ ॥ देवेन्द्रवन्ध ! विदिताखिलवस्तुसार ! संसारतारक ! विभो ! भुवनाधिनाथ ! त्रायस्व देव ! करुणाहूद ! मां पुनीहि सीदन्तमद्य भयदव्यसम्नाम्बुराशेः ॥ ४१ ॥ સ્તોત્રરચનામાં હેમચન્દ્રાચાર્ય સૌથી મહાન સમન્વયવાદી હતા. તેમણે રચેલાં વીતરાગસ્તોત્ર, મહાવીરસ્તોત્રના શ્લોકો સદા સ્મરણીય છે : भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ यत्र यत्र समये यथा यथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥ त्रैलोक्यं सकलं त्रिकालविषयं सालोकमालोकितं साक्षाद्येन यथा स्वयं करतले रेखात्रयं सांगुलि । रागद्वेषभयान्तकजरालोलत्वलोभादयो १. व्यभामा, सम गु२७४, पृ. १७ ૨. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ 3. मेन. Page #593 -------------------------------------------------------------------------- ________________ લલિત વાસઁય नालं यत्पदलंघनाय स महादेवो मया वन्द्यते ॥ यो विश्वं वेदवेद्यं जननजलविधेर्भंगिनः पारदृश्वा पौर्वापर्याविरुद्धं वचनमनुपमं निष्कलंकं यदीयम् । तं वन्दे साधुवन्द्यं सकलगुणनिधिं ध्वस्तदोषद्विषन्तं . बुद्धं वा वर्धमानं शतदलनिलयं केशवं वा शिवं वा ॥ દક્ષિણ ભારતના જૈન શિલાલેખોમાં પણ આ જાતના સમન્વયવાદી મંગલાચરણ દ્રષ્ટવ્ય છે : નયન્તિ યસ્યાવતોઽપિ મારતી વિભૂતયસ્તીર્થસ્તૃતોઽપિ શિવાય धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः । ૫૭૧ જૈન સ્તોત્રોના સંગ્રહના રૂપમાં અનેક સંસ્કરણો પ્રકાશિત થયાં છે. તેમાંથી કાવ્યમાલા, મુંબઈના પ્રથમ અને સપ્તમ ગુચ્છકોમાં અનેક સ્તોત્રોનું સંકલન થયું છે. મુનિ ચતુરવિજયજીએ સંપાદિત કરેલ જૈનસ્તોત્રસન્દોહ, ભાગ ૧-૨માં અનેક પ્રાકૃત-સંસ્કૃત સ્તોત્રો સંકલિત છે. તેના ભાગ ૧ના પરિશિષ્ટમાં પ્રકાશિત બધાં સ્તોત્રોની સૂચી આપવામાં આવી છે, તે ખૂબ જ ઉપયોગી છે. ચતુરવિજયજીએ સંપાદિત કરેલું એક અન્ય સંકલન જૈનસ્તોત્રસમુચ્ચય બે ભાગોમાં છે. તેમાં તથા યશોવિજય જૈન ગ્રન્થમાલાથી પ્રકાશિત જૈનસ્તોત્રસંગ્રહમાં (બે ભાગ) અનેક સ્તોત્રોનું સંકલન થયું છે. આગમોદય સમિતિ, મુંબઈએ પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયાના સંપાદકત્વ નીચે સ્તોત્રોના સટીક, સચિત્ર અને સમંત્ર કેટલાય ભાગો પ્રકાશિત કર્યા છે, તે સ્તોત્રસાહિત્યના જ્ઞાન માટે મહત્ત્વપૂર્ણ છે. સારાભાઈં મણિલાલ નવાબ, અમદાવાદ દ્વારા પ્રકાશિત મહાપ્રાભાવિક નવસ્મરણમાં ગુજરાતી અનુવાદ અને માહાત્મ્યકથાઓ સાથે ઉવસગ્ગહર, ભક્તામર, કલ્યાણમન્દિર આદિ ૯ સ્તોત્રોનું સવિસ્તર નિરૂપણ કરવામાં આવ્યું છે. જર્મન વિદુષી Dr. Charlotte Krauseકૃત Ancient Jain Hymnsમાં ૮ સ્તોત્રોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે સ્તોત્રસાહિત્યના મહત્ત્વને દર્શાવતી ૯ પૃષ્ઠોની ભૂમિકા આપવામાં આવી છે, તે પઠનીય છે. મા. દિગં. જૈન ગ્રંથમાલામાં પ્રકાશિત સિદ્ધાન્તસારાદિસંગ્રહ ૧. જૈન શિલાલેખ સંગ્રહ, ભાગ ૩, પૃ. ૮૫ ૨. જૈન સ્તોત્રોના સંગ્રહની વિધિ પ્રાચીન છે. વિ.સં.૧૫૦૫માં હિમાંશુગણિએ કરેલું એક સંકલન મળે છે – જિનરત્નકોશ, પૃ. ૧૪૫; અન્ય સ્તોત્રકોશોની સૂચી જિનરત્નકોશ, પૃ. ૪૫૩માં આપવામાં આવી છે. ૩. સિંધિયા ઓરિએન્ટલ સિરીઝ, સંખ્યા ૨, ઉજ્જૈન, ૧૯૫૨ Page #594 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ જેન કાવ્યસાહિત્ય પણ અનેક સ્તોત્રોની માહિતી માટે પ્રશંસનીય છે. જૈનોના અસંખ્ય અપ્રકાશિત સ્તોત્રોનાં નામ અને નમૂનાઓ ગ્રન્થભંડારોની પ્રકાશિત સૂચીઓમાં સારી રીતે જોવા મળી શકે છે. દશ્યકાવ્ય - નાટક કાવ્યના બે મુખ્ય ભેદો છે – શ્રાવ્ય અને દશ્ય. નાટક યા રૂપક દશ્ય કાવ્ય છે. ભારતીય પરંપરામાં તેનાં મૂળ ઋગ્વદમાં શોધી શકાય છે. ઋગ્વદનાં સંવાદ સૂક્તોમાં નાટકસાહિત્યનું પ્રાચીનતમ રૂપ મળે છે. આ સંવાદસૂક્તોમાં સરમા. અને પણિ, યમ અને યમી, વિશ્વામિત્ર અને નદી, પુરુરવા અને ઉર્વશી વચ્ચેના સંવાદો છે. નાટકનાં પ્રધાન તત્વો સંવાદ, સંગીત, નૃત્ય અને અભિનય છે. અધિકાંશ વિદ્વાનો માને છે કે આ ચારેય તત્ત્વો વેદમાં મળતાં હોવાથી નાટકની ઉત્પત્તિ વૈદિક સૂક્તોમાંથી થઈ છે. રામાયણ અને મહાભારત કાળમાં આવતાં નાટકનાં કેટલાંક સ્પષ્ટ રૂપો ઉલ્લેખાયેલાં મળે છે. વિરાટપર્વમાં રંગશાળાનો નિર્દેશ છે. હરિવંશપુરાણમાં રામાયણની કથા ઉપર એક નાટક ભજવાયાની ચર્ચા છે. રામાયણમાં રંગમંચ, નટ, નાટકનો વિભિન્ન સ્થળોએ નિર્દેશ છે. પાણિનિની અષ્ટાધ્યાયીમાં નટસૂત્ર અને નાટ્યશાસ્ત્રનો પણ ઉલ્લેખ મળે છે. પાતંજલ મહાભાષ્યમાં કંસવધ અને બલિબંધન નામના બે નાટકોનાં સ્પષ્ટ નામો આવે છે. રાયપાસેણિયસુત્તમાં (દ્વિતીય ભાગ) સૂર્યાભદેવ અધિકારમાં ઉલ્લેખ છે કે દેવદેવીઓએ મહાવીરસ્વામી પાસે ૩ર પ્રકારનાં નાટકો ભજવવાની ત્રણ વાર અનુમતિ માગી પરંતુ ઉત્તર ન મળ્યો એટલે તેમણે મહાવીરના સ્વર્ગથ્યવન, ગર્ભ, જન્મ, અભિષેક, બાલક્રીડા, યૌવન, નિષ્ક્રમણ, તપશ્ચર્યા, કેવલજ્ઞાન, તીર્થપ્રવચન, નિર્વાણ આદિ પ્રસંગોનું વાજિંત્રો વગાડી, સંગીત સંભળાવી, નૃત્ય અને અભિનય કરી મૂક અભિનય જેવું નાટક ભજવ્યું. ૧૦મા ઉપાંગ પુષ્યિકામાં ઈન્દ્ર મહાવીર સમક્ષ સૂર્યાભદેવ દ્વારા નાટ્યવિધિનું પ્રરૂપણ કરાવ્યું છે. ત્યાં સૂર્ય, શુક્ર આદિ દસ વ્યક્તિઓ તરફથી ભજવાયેલા નાટકનો ઉલ્લેખ મળે છે. પિડનિજુત્તિ (ગા.૪૭૪-૪૮૦)માં “રટ્ટવાલ” નાટકનો ઉલ્લેખ આવ્યો છે. તેમાં ભરત ચક્રવર્તીનું જીવનૃત્ત આષાઢભૂતિ મુનિએ ભજવ્યું છે. તેને જોઈ રાજા-રાજકુમાર વગેરે સંસારથી ઉદ્વિગ્ન થઈ ગયા. કહે છે કે સંસારની હાનિ થતી જોઈ આ નાટકનો નાશ કરી દેવામાં આવ્યો. ઉત્તરાધ્યયનની વૃત્તિમાં નેમિચન્દ્ર મધુકરીગીત અને સોયામણિ આ બે નાટકોનો ઉલ્લેખ કર્યો છે. પ્રબંધકોશમાં કહેવામાં આવ્યું છે Page #595 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય કે બપ્પભિટ્ટના ગુરુભાઈ નન્નસૂરિએ વૃષભજરિત નાટક આમ રાજા (કનોજન૨ેશ)ના રાજદરબારમાં ભજવ્યું હતું. પ્રાચીન જૈન નાટકકૃતિઓમાં શીલાંકાચાર્યના ચઉપ્પણપુરિસચરિયમાં વિબુધાનન્દ નાટક આપવામાં આવ્યું છે. વર્ધમાનસૂરિના મનોરમાચરિત્રની પ્રશસ્તિમાં (વિ.સં.૧૧૪૦) ઉલ્લેખ છે કે બુદ્ધિસાગરસૂરિએ કોઈ નાટક લખ્યું હતું. ૫૭૩ વર્તમાનમાં ઉપલબ્ધ જૈનઅજૈન સંસ્કૃત-પ્રાકૃત નાટકકૃતિઓ સેંકડો છે પરંતુ તે બધીમાં ઉત્કૃષ્ટતમ તો ૨૦થી ભાગ્યે જ વધુ હશે. પ્રાચીન કવિઓ ભાસ, કાલિદાસ, શૂદ્રક, વિશાખદત્ત, ભવભૂતિ અને હર્ષની રચનાઓ તે ઉચ્ચ કોટિની કૃતિઓમાં આવે છે. ઉત્તરકાલીન નાટકકૃતિઓ કેવળ તેમના અનુકરણ જેવી છે. મધ્યયુગના પ્રારંભકાળ સુધીમાં સંસ્કૃત નાટકના ઈતિહાસનો યુગ સમાપ્ત થઈ ચૂક્યો હતો, તેમ છતાં વિદ્યા અને અધ્યયનની પરંપરાને ઘણી લગનીથી સુરક્ષિત રાખવામાં આવી અને અભિનયકલાનું પોષણ રાજદરબારો અને સમાજના સુસમ્પન્ન વર્ગના આશ્રયમાં થતું જ રહ્યું. મધ્યયુગોત્તરકાળમાં જૈન કવિઓ દશ્યકાવ્યના ક્ષેત્રમાં આગળ વધ્યા. ચૌલુક્યયુગીન ગુજરાતમાં જૈનોએ કેવળ નાટકો રચ્યાં અને ભજવ્યાં જ ન હતા પરંતુ નાટ્યશાસ્ત્ર ઉપર પણ ગ્રન્થો રચ્યા હતા. હેમચન્દ્રના કાવ્યાનુશાસનનો ૮મો અધ્યાય અને તેમના શિષ્ય રામચન્દ્રનું નાટ્યદર્પણ તે કાળની પ્રતિનિધિરૂપ રચનાઓ છે. આ રામચન્દ્રે તો ૧૦-૧૧ નાટકોનું સર્જન પણ કર્યું હતું. આ પરંપરા ઉત્તરકાલીન ચૌલુક્યયુગમાં પણ ચાલુ રહી. ઉપલબ્ધ જૈન નાટકોને કથાવસ્તુના આધારે આપણે પાંચ વિભાગોમાં વહેંચી શકીએ છીએ : પૌરાણિક, ઐતિહાસિક, રૂપકાત્મક (allegorical), કાલ્પનિક અને સાંપ્રદાયિક, પૌરાણિક જેવાં કે રામચન્દ્રકવિકૃત નલવિલાસ, રઘુવિલાસ વગેરે, હસ્તિમલ્લ કૃત મૈથિલીકલ્યાણ, વિક્રાન્તકૌરવ આદિ; ઐતિહાસિક જેવાં કે દેવચન્દ્રકૃત ચન્દ્રલેખાવિજયપ્રકરણ, જયસિંહસૂરિષ્કૃત હમ્મીરમદમર્દન અને નયચન્દ્રકૃત રંભામંજરી; રૂપકાત્મક જેવાં કે મોહરાજપરાજય, જ્ઞાનસૂર્યોદય વગેરે; કાલ્પનિક જેવાં કે રામચન્દ્રકૃત મલ્લિકામકરન્દ, કૌમુદીમિત્રાનન્દ આદિ; સામ્પ્રદાયિક જેવાં કે મુદ્રિતકુમુદચન્દ્ર. Page #596 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ જૈન કાવ્યસાહિત્ય સૌપ્રથમ અહીં અમે રામચન્દ્ર કવિએ રચેલી નાટકકૃતિઓનો સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ. પહેલાં કવિનો પરિચય આપીએ છીએ. કવિ રામચન્દ્ર હેમચન્દ્રાચાર્યના શિષ્યોમાં રામચન્દ્ર સર્વપ્રધાન હતા. રામચન્દ્રના વ્યક્તિગત જીવનના સંબંધમાં અધિક જાણકારી નથી તો પણ પં. લાલચંદ ગાંધીએ નવવિલાસની ભૂમિકામાં લખ્યું છે કે રામચન્દ્ર વિ.સં.૧૧૪પમાં જન્મ્યા હતા. તેમને સં. ૧૧૬૬માં સૂરિપદ મળ્યું હતું. તે સં. ૧૨૨૮માં હેમચન્દ્રના શિષ્ય બન્યા અને પટ્ટધર બન્યા અને સં. ૧૨૩૦માં સ્વર્ગવાસી થયા. પ્રભાવકચરિતમાં હેમચન્દ્રનું જીવનચરિત્ર પ્રકટ કરતાં કહેવામાં આવ્યું છે કે રામચન્દ્ર એક યોગ્ય શિષ્ય હતા જે હેમચન્દ્રની પરંપરાને ચલાવી શકતા હતા. ગુજરાતના નાટ્યકારોમાં રામચન્દ્ર સર્વોચ્ચ હતા. તેમણે નાટ્યશાસ્ત્રનું પૂર્ણ અધ્યયન કર્યું હતું. તેમની તે વિષયની કૃતિ નાટ્યદર્પણ એક મૌલિક રચના છે. તેમાં નાટકના પ્રકારો, સ્વરૂપ અને રસોનું એવું વર્ણન કર્યું છે જે ભારતના નાટ્યશાસ્ત્રથી ભિન્ન છે. તેમાં કેટલાંય ઉપલબ્ધ અને અનુપલબ્ધ નાટકોના પણ ઉલ્લેખો છે જેમાં ખુદ કવિની રચનાઓ પણ છે. તેમાં વિશાખદત્તના એક લુપ્ત નાટક “દેવીચન્દ્રગુપ્તમાંથી અનેક ઉદ્ધરણો આપ્યાં છે જે ગુપ્ત ઈતિહાસની લુપ્ત કડીઓ સંકલિત કરવામાં ઘણાં પ્રમાણિત સિદ્ધ થયાં છે. તેમની શૈલીમાં પ્રતિભા અને પ્રવાહ છે. તે આ કલામાં નિપુણ હતા, સાધારણમાં સાધારણ કહાનીને કેવી રીતે સુંદરતમ નાટકીય રૂપમાં પરિવર્તિત કરવી તેનું અદૂભુત કૌશલ તેમનામાં હતું. તેમણે ભાવાભિવ્યક્તિમાં પર્યાપ્ત મૌલિકતા પ્રદર્શિત કરી છે. તે ઉપરાંત તે પ્રથમ શ્રેણીના સમાલોચક, કવિતાના હાર્દિક પ્રશંસક અને તત્કાલ સમસ્યાપૂર્તિ કરવામાં નિપુણ હતા. તેમણે અનેક આલંકારિક સ્તોત્રો પણ રચ્યાં છે. રામચન્દ્રસૂરિ ચાર પ્રકારનાં સંસ્કૃત નાટકોના સર્જક હતા : નાટક, પ્રકરણ, નાટિકા અને બાયોગ. તેમની પૌરાણિક અને કાલ્પનિક કથાવસ્તુ ઉપર રચાયેલી કૃતિઓનો પરિચય નીચે આપીએ છીએ. ૧. ભોગીલાલ જ. સાંડેસરા, હેમચન્દ્રાચાર્ય કા શિષ્યમંડલ; નાટ્યદર્પણ એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૨૯-૨૨૨. Page #597 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદ્રય પ૭૫ ૧. સત્યહરિશ્ચન્દ્ર રામચન્દ્રસૂરિએ આને પોતાનું આદિ રૂપક કહ્યું છે. તેને નાટક કહેવામાં આવ્યું છે. તેની કથાવસ્તુ સત્યવાદી હરિશ્ચન્દ્ર સંબંધી છે. આ કથાનો આધાર મહાભારત છે પરંતુ અભિનયને અનુકૂળ પરિવર્તનો કરવામાં આવ્યાં છે. આમાં છ અંક છે. મહાભારતમાં હરિશ્ચન્દ્ર સ્વપ્રમાં વિશ્વામિત્રને રાજ્ય આપી દે છે અને પોતાના સત્યની પરીક્ષાનું દુ:ખ સહન કરે છે. અહીં તે એક આશ્રમની હરિણીનો શિકાર કરવાથી તેના પ્રાયશ્ચિત્તરૂપે યાતનાઓનો ભાર ઉઠાવી લે છે. રાણી સુતારા અને રાજપુત્ર રોહિતાશ્વની સાથે રાજા રાજ્ય છોડી જતાં પ્રજાના ઉદ્દેગના ભાવને વ્યક્ત કરવામાં કવિ જોશમાં આવી જાય છે. આ કરુણ ઘટનાને કવિએ એવી રીતે વર્ણવી છે કે ભવભૂતિના ઉત્તરરામચરિતનું સ્મરણ થઈ આવે છે. ચોથા અંકમાં માંત્રિક દ્વારા સુતારાને રાક્ષસીના રૂપમાં ઉપસ્થિત કરવાની ઘટના રાજશેખરના કપૂરમંજરીસટ્ટકની યાદ કરાવે છે જેમાં ભૈરવાનંદ કપૂરમંજરીને સ્નાનાદ્રિ વસ્ત્રમાં ઉપસ્થિત કરે છે. પરંતુ રામચન્દ્રનું આ ચિત્રણ રંગમંચની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. તેવી જ રીતે પાંચમા અંકમાં હરિશ્ચન્દ્ર માંસખંડ આપવાની ઘટના નાગાનન્દનાટકનું સ્મરણ કરાવે છે જેમાં શંખચૂડને બચાવવા માટે જીમૂતવાહન ગરુડને પોતાનો બલિ આપે છે. - કવિએ પોતાના “નાદર્પણ'ના સિદ્ધાન્ત “નાટક જીવનમાં સુખ અને દુઃખ બન્નેનું પ્રતિબિંબ હોય છે ને દર્શાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. કવિએ નાટકમાં એટલા બધાં પદ્યોની રચના કરી છે કે નાટ્યવ્યાપારના સ્વાભાવિક પ્રવાહમાં બાધા પહોંચે છે. સંભવતઃ આ વિષયમાં તેમની આ આદિ કૃતિ હતી તેથી આવું થયું હશે. આ નાટક સુભાષિતો અને કહેવતોથી ભરપૂર છે. તેનો સન ૧૯૧૩માં ઈટાલિયન ભાષામાં અનુવાદ થયો છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૨, ૪૬૦; નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, અત્રે અને પૌરાણિક દ્વારા સંપાદિત; સત્યવિજય જૈન ગ્રન્થમાલામાં મુનિ માનવિજય દ્વારા સંપાદિત અને સત્ય શ્રી હરિશ્ચન્દ્ર નૃપતિ પ્રબન્ધ અન્તર્ગત અંકવિભાગ દીધા વિના પ્રકાશિત, અમદાવાદ, ૧૯૨૪; નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૨૪ ઉપર સંક્ષિપ્ત પરિચય. Page #598 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ જૈન કાવ્યસાહિત્ય ૨. નલવિલાસ આ નાટકમાં સાત અંક છે. તેની કથાવસ્તુનો પણ આધાર મહાભારત જ છે. જૈન સાહિત્યમાં પ્રાપ્ત નલકથા ઉપર તે બિલકુલ આશ્રિત નથી અને ન તો તેમાં સાંપ્રદાયિકતાની જરા પણ ગબ્ધ છે. મહાભારતમાં નલકથાના કેટલાક એવા પ્રસંગો છે, જેવા કે હંસ દ્વારા નલનો સંદેશ, કલિનો નળના શરીરમાં પ્રવેશ અને પક્ષીઓ દ્વારા નલના વસ્ત્રાભૂષણ લઈ જવાં આદિ, જેમને રંગમંચ ઉપર ન દેખાડી શકાય તેમને આ નાટકમાં પરિવર્તિત કરી રંગમંચને અનુરૂપ બનાવ્યા છે. કવિએ કરેલાં આ પરિવર્તનો મૌલિક સુંદરતામાં વધારો જ કરે છે. પ્રત્યેક અંકમાં કવિની પ્રતિભા, ઉક્તવૈચિત્ર્ય ઝળકે છે. આમાં દમયન્તીનું ચરિત્ર મહાભારતની અપેક્ષાએ અધિક ઉદાત્ત છે. તેમાં કેટલાય એવા સંવાદો છે જે પ્રેક્ષકો/પાઠકોને દ્રવીભૂત કરી દે છે. નલ અને દમયન્તીના વિયોગના કરુણ દશ્યથી કોઈ પણ સંવેદનશીલ પ્રેક્ષક દ્રવિત થયા વિના નહિ રહે. આ ઉત્તરરામચરિતની યાદ અપાવે છે. કવિ રામચન્દ્રમાં ભાવ અભિવ્યક્ત કરવાની શક્તિ કાલિદાસ અને ભવભૂતિ સમાન જ છે. કવિ વર્ણનો અને સંવાદો દ્વારા લોકો સમક્ષ અનોખાં દશ્યો ખડાં કરી દે છે. સ્વયંવરનું દશ્ય ઘણું જ પ્રભાવક છે અને આપણને રઘુવંશના છઠ્ઠા સર્ગની યાદ અપાવે છે. આ નાટકમાં અનેક કહેવતો અને સુભાષિતો ભર્યાં પડ્યાં છે. જેમ કે – सुस्थे हृदि सुधासिक्तं, दुःस्थे विषमयं जगत् । વસ્તુ મિરર્થ વા મનઃસંવપૂત તતઃ છે (પૃ.૫૯) શૉપિ શિરસ છિન્ને દુર્બનતુ ન તુતિ (પૃ.૮૫) ૧. જિનરત્નકોશ, પૃ. ૨૦૫; ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, ૨૯, વડોદરા, ૧૯૨૬, તેની પ્રસ્તાવના જોવી. ડૉ. સુશીલકુમાર ડેએ પોતાના ગ્રંથ “હિસ્ટ્રી ઑફ સંસ્કૃત લિટરેચર', પૃ. ૪૬૫ ઉપર આના વિશે સહાનુભૂતિપૂર્વક નથી લખ્યું; નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૨૩ ઉપર આનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. Page #599 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય પ૭૭ ૩. મલ્લિકામકરન્દ આની પ્રસ્તાવનામાં આને નાટક કહેવામાં આવ્યું છે પરંતુ હકીકતમાં આ પ્રકરણ છે કેમકે એની કથા કાલ્પનિક છે. જો કે પ્રકરણમાં ૧૦ અંકો રાખવાનું વિધાન છે પરંતુ આમાં તો કેવળ છ જ અંક છે. રામચન્દ્રસૂરિએ પોતાના નાટ્યદર્પણમાં આને પ્રકરણ કહ્યું છે. આ કવિની અન્ય રચના કૌમુદીમિત્રાણન્દની જેમ જ આ પણ સામાજિક નાટક છે. નાયિકા મલ્લિકા એક વિદ્યાધર કન્યા હતી. નવજાત શિશુના રૂપમાં તે વૃક્ષોની કુંજમાં પડી હતી. એક શેઠે તેને જોઈ. શેઠે તેનું પાલન કર્યું. તેની આંગળીઓમાં વૈનતેયની મહોરવાળી વીંટીઓ હતી અને વાળમાં એક ભૂર્જપત્ર બાંધેલું હતું. ભૂર્જપત્રમાં લખ્યું હતું : “૧૬ વર્ષ પછી ચૈત્ર વદી ચૌદસના દિવસે હું તેના પતિ અને રક્ષકને મારીને તેને બળપૂર્વક ઉપાડી જઈશ.' મલ્લિકા યુવતી બની. એક રાતે કામદેવના મંદિરમાં તે ગળે ફાંસો ખાવા જાય છે ત્યારે મકરન્દ તેને બચાવે છે. બન્ને વચ્ચે પ્રેમ થાય છે અને વધે છે. મલ્લિકા મકરન્દને પોતાના બન્ને કાનનાં આભૂષણ આપે છે. મકરન્દને એક વખત જુગારીઓ પકડે છે. મલ્લિકાના ધર્મપિતા શેઠ પૈસા આપી તેને છોડાવે છે. મકરન્દ શેઠ પાસેથી જાણી લે છે કે મલ્લિકાના અપહરણનો સમય આવી પહોંચ્યો છે એટલે તે મલ્લિકાને બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોઈ અદષ્ટ શક્તિ મલ્લિકાનું અપહરણ કરી જાય છે (૧-૨ અંક). તે વિદ્યાધરલોકમાં આવે છે. ત્યાં એક રાજકુમાર ચિત્રાંગદ સાથે વિવાહ કરવા ઈન્કાર કરી દે છે. મકરન્દ ત્યાં પહોંચી જાય છે. મલ્લિકાની માતા તેને જોઈ કુદ્ધ થઈ જાય છે (અંક ૩). મકરન્દ નિરાશ થઈ જાય છે પરંતુ તેને એક પોપટનો ભેટો થાય છે જે મકરન્દના સ્પર્શથી વૈશ્રવણ નામનો મનુષ્ય બની જાય છે. તે પોતાની વિપત્તિની કથા કહે છે. તે દરમ્યાન મકરન્દ ચિત્રાંગદને મળે છે અને ચિત્રાંગદના માણસો તેને પકડી લે છે (અંક ૪). મકરન્દના કામમાં વૈશ્રવણ અને તેની પત્ની મનોરમા મદદ કરવાની પ્રતિજ્ઞા કરે છે. મલ્લિકા મકરન્દને પોતાના દઢ પ્રેમની વાત કરે છે અને પછી પોતાની માતાને અને ચિત્રાંગદને પણ (કપટરૂપે) (અંક ૫). છઠ્ઠા અંકના પ્રારંભમાં વિખંભકમાં મલ્લિકા મકરન્દને બદલે પોતાનો પ્રેમ અને અનુરાગ ચિત્રાંગદ પ્રત્યે દર્શાવે છે જે છલરૂપે તેના મનમાં વિશ્વાસ ઉત્પન્ન ૧. નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૩૦માં સંક્ષિપ્ત પરિચય. Page #600 -------------------------------------------------------------------------- ________________ જૈન કાવ્યસાહિત્ય કરે છે. આ અંકમાં આપણે જોઈએ છીએ કે એક ગંધમૂષિકા તાપસીની આજ્ઞાથી ચિત્રાંગદ અને મલ્લિકાના અસલ વિવાહ પહેલાં એક બીજો વિવાહોત્સવ થાય છે જેમાં સામાન્ય પ્રથા અનુસાર મલ્લિકા અને યક્ષાધિરાજના વિવાહનો અભિનય થાય છે. મલ્લિકા અને યક્ષ વચ્ચેનો વિવાહ સમ્પન્ન થાય છે પરંતુ યક્ષાધિરાજના રૂપમાં સ્વયં મકરન્દ હોય છે. છેવટે તે વિવાહથી બધા રાજી થાય છે અને નાટકની સમાપ્તિ આનન્દપૂર્વક સુમેળથી થાય છે. નાટકના અંતે મુદ્રાલંકાર દ્વારા કર્તાનું નામ (રામચન્દ્ર) સૂચવાયું છે. આ એક શુદ્ધ પ્રકરણ છે. ૪. કૌમુદીમિત્રાણન્દ ૫૭૮ આ એક સામાજિક નાટક છે. તેને લેખકે પ્રકરણ કહ્યું છે. તેમાં દસ અંક છે. તેમાં કૌતુકનગરવાસી ધનવાન શેઠ જિનસેનનો પુત્ર મિત્રાણન્દ અને એક આશ્રમના કુલપતિની દીકરી કૌમુદી વચ્ચેના પ્રેમની કથાનું વર્ણન છે. તેને કૌમુદીનાટક પણ કહે છે. પ્રથમ અંકમાં મિત્રાણન્દ પોતાના મિત્ર મૈત્રેય સાથે સમુદ્રયાત્રાએ નીકળે છે. રસ્તામાં વરુણદ્વીપમાં તેમનું વહાણ તૂટી જાય છે. ત્યાં મિત્રાણન્દ એક સુંદર કન્યાને ઝૂલે ઝૂલતી દેખે છે. બન્ને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. મિત્રાણન્દ કુલપતિ પાસે આવે છે. કુલપતિ તેનું ઘણા સ્નેહથી સ્વાગત કરે છે અને પોતાની પુત્રી કૌમુદી સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકે છે. આ વખતે વરુણ આવે છે અને બધાં જાય છે. બીજા અંકમાં મિત્રાણન્દ વરુણે વૃક્ષમાં જડી દીધેલા પુરુષની રક્ષા કરે છે. તે પુરુષ સિદ્ધ હતો. તે મિત્રાણન્દને દિવ્ય હાર ભેટ આપે છે. ત્રીજા અંકમાં મિત્રાણન્દ અને કૌમુદી મળે છે. કૌમુદી મિત્રાણન્દનાં રૂપયૌવન અને દિવ્ય હારના કારણે તેના ઉપર પૂર્ણ આસક્ત બને છે અને મિત્રાણન્દને પોતાના પિતા કુલપતિ અને બીજાઓનું રહસ્ય બતાવી દે છે; તે રહસ્ય એ હતું કે તેના પિતા હકીકતમાં સાધુ ન હતા, પ્રત્યેક વણિક્ જેણે કૌમુદી સાથે વિવાહ કરેલા તેને વિવાહગૃહની નીચે ઢાંકેલા કૂવામાં ધકેલી દેવામાં આવતો હતો. એટલે ૧. જિનરત્નકોશ, પૃ. ૯૬; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં.૧૯૭૩; આ નાટકના અંકોના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ – નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૨૫-૨૨૭. Page #601 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય પ૭૯ કૌમુદી મિત્રાણન્દને ત્યાંથી પોતાના પૂર્વ પતિઓ પાસેથી મેળવેલું ધન લઈ લંકા ભાગી જવાનું અને પોતાના પિતા પાસેથી સર્પદંશનો મંત્ર શીખી લેવાનું કહે છે. બન્નેનો વિવાહ થાય છે. મિત્રાણન્દ કુલપતિ પાસેથી સર્પદંશનો મંત્ર શીખી લે છે. કવિ ભાવી ઘટનાઓને ચર્થક શ્લોકો દ્વારા સૂચવે છે. ચોથા અંકમાં બન્ને લંકાની રાજધાની રંગશાલામાં પ્રવેશે છે. નગરમાં પ્રવેશતાં જ મિત્રાણન્દને ચોર તરીકે પકડવામાં આવે છે અને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવવામાં આવે છે. તેનું શરીર રક્તચંદનથી લેપવામાં આવે છે. પાંચમાથી દસમા અંત સુધી આખું પ્રકરણ અનેક અલૌકિક વાતાવરણ અને ઘટનાઓથી ભરેલું છે, આ ઘટનાઓ એકબીજી સાથે શિથિલપણે જોડાયેલી છે. સાતમા અંકમાં એક વણિક પુત્રી સુમિત્રા સાથે ભેટો થાય છે. તે મકરન્દની પ્રેમિકા બની જાય છે. મિત્રાણન્દ-કૌમુદી અને મકરન્દ-સુમિત્રા અનેક ઘટનાચક્ર પાર કરીને અન્ત આનન્દપૂર્વક રહે છે. હાસ્યરસની ખોટને કવિ પ્રચુર માત્રામાં નિરૂપેલા અભુતરસથી પૂરી કરી દે છે. ડૉ. કીથે આ પ્રકરણની આલોચનામાં કહ્યું છે કે આ કૃતિ પૂરેપૂરી અનાટકીય છે, તેમાં કેટલાય કથાપ્રસંગોને નાટકરૂપે ગતિ કરવામાં આવ્યા છે, પરિણામે તે આધુનિક મૂકનાટક (Pantomime) જેવું બની ગયું છે. વધારામાં તે કહે છે કે આ રચનામાં પ્રેક્ષકોમાં અદ્દભુતરસ જાગ્રત કરનારા અનેક ચમત્કાર સિવાય બીજો કોઈ પ્રકારનો રસ નથી. આ જ રીતે ડૉ. ડેએ કહ્યું છે કે તેની કથા દંડીના દશકુમારચરિત જેવી છે અને લેખકને તે રૂપમાં લખવાનો પ્રયત્ન કરવો હતો. નાટકીય કૃતિના રૂપમાં તેમાં કોઈ અધિક તત્ત્વ નથી અને સાહિત્યિક દૃષ્ટિએ પણ કોઈ ઉલ્લેખનીય વાત નથી. પશ્ચાત્કાલીન આના જેવાં પ્રકરણોમાં નાટકીય પ્રસંગોની અપેક્ષાએ જટિલ કથાનકો જ વિશેષ જોવા મળે છે. ૫. રઘુવિલાસ આ આઠ અંકોનું નાટક છે. તેમાં રામના વનવાસ અને સીતામિલનની ઘટના ૧. એ.બી.કીથ, સંસ્કૃત ડ્રામા, પૃ. ૨૫૮-૨૫૯; ગુજરાતી અનુવાદ, ભાગ ૨, પૃ. ૩૭૬ ૩૭૭. ૨. સુ. કુ. ડે, હિસ્ટ્રી ઓફ સંસ્કૃત લિટરેચર, પૃ. ૪૭૫-૪૭૬ ૩. જિનરત્નકોશ, પૃ. ૩૨૬; આ નાટકના અંકોના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ – કે. એચ. ત્રિવેદી, નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૨૮. Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ જૈન કાવ્યસાહિત્ય જૈન રામાયણ અનુસાર વર્ણવવામાં આવી છે. રામચન્દ્રસૂરિનાં નાટકોમાં આ એવું નાટક છે જેને નાટ્યદર્પણમાં ઘણી વાર ઉદ્ધત કરવામાં આવેલ છે. પ્રથમ અંકમાં રાજા દશરથના વચનપાલન માટે રામ, સીતા અને લક્ષ્મણ વનમાં જાય છે. બીજા અંકમાં રાવણ સીતાનું હરણ કરી જાય છે, સીતાને બચાવવા જતાં જટાયુનું મૃત્યુ થાય છે. ત્રીજા અંકમાં રામનો કરુણ વિલાપ, અને રામનો હનુમાન-સુગ્રીવ સાથે પરિચય નિરૂપાયો છે. ચોથા અંકમાં રાવણની રાજધાનીનું વર્ણન, સીતાને આકર્ષવામાં રાવણની નિષ્ફળતાનું વર્ણન છે. પાંચમા અંકમાં વિભીષણ રાવણને સાચી સલાહ આપે છે પણ તેનું કોઈ પરિણામ આવતું નથી. રામનો સંદેશ લઈ દૂત આવે છે અને પાછો જાય છે. છેવટે બન્ને બાજુથી યુદ્ધ શરૂ થઈ જાય છે. છઠ્ઠા અંકમાં યુદ્ધનું વિવરણ છે, રાવણની શક્તિથી લક્ષ્મણ મૂછિત થઈ જાય છે, હનુમાન વગેરે મૂછ દૂર કરવા પ્રયત્નો કરે છે. સાતમા અંકમાં મંદોદરી વગેરે બધાં રાવણને સમજાવે છે પરંતુ કંઈ અસર થતી નથી, રાવણનો રામ સાથે અન્ન સુધી લડી લેવાનો નિશ્ચય. આઠમા અંકમાં રામ-રાવણ યુદ્ધનું વર્ણન છે. રાવણ છળથી સીતાને તેના પિતા જનક દ્વારા રામના મૃત્યુના સમાચાર પહોંચાડે છે, સીતા અગ્નિમાં કૂદી પડવા તૈયાર થાય છે, હનુમાન દ્વારા આ ખબર મળતાં જ રામ સીતાને બચાવવા દોડી જાય છે. રાવણના મરણની ખબર નેપથ્યમાંથી આપવામાં આવે છે. નાટકનો અન્ત રામ-સીતાના સાનન્દ સલિનમાં આવે છે. જામ્બવત્ત અત્તિમ શુભાશંસા વાંચી સંભળાવે છે. આ નાટકમાં સીતાના અપહરણની ઘટના બીજી રીતે નિરૂપાઈ છે. રાવણનું વેશ બદલીને રામ પાસે આવવું – આ કવિનું નૂતન નિર્માણ છે અને ઘણું રોચક તથા નાટકીય છે પરંતુ લાંબાં લાંબાં પદ્યોની ભરમારથી વાતાવરણનું સૌન્દર્ય નષ્ટ થયું છે અને કથાના સ્વાભાવિક પ્રવાહમાં બાધા આવી છે. સીતા ખોવાઈ જવાથી રામે કરેલો વિલાપ કાલિદાસના વિક્રમોર્વશીયની યાદ અપાવે છે, તે ઘણો જ હૃદયદ્રાવક છે. નાટકમાં દિવ્ય તત્ત્વની – રાક્ષસોની દિવ્ય શક્તિની – ભરમાર છે જેને કૌતુહલ વધારવામાં આવશ્યક સમજવામાં આવી છે. આ નાટકનું સંક્ષિપ્ત રૂપ “રઘુવિલાસનાટકોદ્ધારમાં મળે છે. તેમાં ગદ્ય ભાગને છોડી દઈને કેવળ પદ્યોને રાખ્યાં છે અને આ રીતે નાટક અડધું થઈ ગયું Page #603 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદ્યય ૫૮૧ ૬. નિર્ભયભીમવ્યાયોગ આ એક અંકનું રૂપક છે જેને વ્યાયોગ કહેવામાં આવે છે. તેમાં મહાભારતવર્ણિત બકાસુર વધને કથાવસ્તુ બનાવેલ છે. તેમાં ભીમ એક બ્રાહ્મણ યુવાનને રાક્ષસ બકની ચુંગાલમાંથી છોડાવે છે અને પોતે પોતાની જાતને બલિ તરીકે રજૂ કરી બકાસુરનો વધ કરે છે. આ વ્યાયોગ કવિ ભાસના મધ્યમવ્યાયોગ જેવો જ છે. જો કે બન્નેના ઘટનાપ્રસંગો જુદા છે પરંતુ નાયક ભીમ બન્નેમાં એક છે. વધ્ય બ્રાહ્મણની માતા અને પત્નીનું કરુણ ક્રન્દન શ્રીહર્ષના નાગાનન્દની યાદ કરાવે છે. આ રચના એકદમ સરળ અને પ્રસાદપૂર્ણ છે. તેમાં જિજ્ઞાસા અને કૌતૂહલ ક્રમશઃ વધીને ચરમ બિંદુએ પહોંચે છે. તેમાં એરિસ્ટોટલના સિદ્ધાન્ત સંકલનત્રયનું અર્થાત્ સ્થાનની એકતા, સમયની એકતા અને ઘટનાની એકતાનું પૂરેપૂરું પાલન થયું છે. ૭. રોહિણીમૃગાંક આ રામચન્દ્રનું અન્ય એક પ્રકરણ છે,તે અનુપલબ્ધ છે. તેને નાટ્યદર્પણમાં બે સ્થાને ઉદ્ધત કરવામાં આવેલ છે. પ્રકરણ હોવાથી તેની કથાવસ્તુ કલ્પિત જ છે. તેનો વિષય રોહિણી અને મૃગાંકનો પ્રણયપ્રસંગ જણાય છે. ૮. રાઘવાક્યુદય રામની કથા પર આધારિત નાટક છે, તે અનુપલબ્ધ છે. રામચન્દ્રસૂરિએ પોતાના નાટ્યદર્પણમાં તેનો દસ વાર ઉલ્લેખ કર્યો છે. બૃહટ્ટિપ્પણિકામાં કહ્યું છે કે આ નાટકમાં દસ અંકો છે. રામની કથા પર આધારિત આ જ કવિનું બીજું નાટક રઘુવિલાસ પણ છે પરંતુ બન્નેના ઘટનાપ્રસંગો જુદા છે. રઘુવિલાસમાં રામના વનવાસની અને રામના સીતામિલનની ઘટના છે તો રાઘવાળ્યુદયમાં સીતાના સ્વયંવરની ઘટના છે. જણાય છે કે રઘુવિલાસ પહેલાં રાઘવાક્યુદયની રચના થઈ હતી કેમકે રઘુવિલાસની પ્રસ્તાવનામાં રામચન્દ્રની પાંચ ઉત્તમ કૃતિઓમાં તેનો ઉલ્લેખ આવે છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૪; યશોવિજય જૈન ગ્રન્થમાલા, ૧૯, વારાણસી, વીર સં. ૨૪૩૭ ૨-૩.નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૩૨-૨૩૩. Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ જૈન કાવ્યસાહિત્ય ૯. યાદવાળ્યુદય રામચન્દ્રસૂરિનું આ નાટક પણ અનુપલબ્ધ છે પરંતુ નાટ્યદર્પણમાં તેનો આઠ વાર ઉલ્લેખ થયો છે. તેમાં મુખ્યપણે કૃષ્ણના જીવનની ઘટનાઓ વર્ણવી છે જેમાં કંસવધ અને જરાસંધવધ પછી કૃષ્ણના રાજ્યાભિષેકનો અભિનય છે. રઘુવિલાસમાં રામચન્દ્રસૂરિની પાંચ ઉત્તમ કૃતિઓમાં રાઘવાક્યુદય સાથે આનો પણ ઉલ્લેખ છે. આમાં પણ ૧૦ અંક હોવાનું જણાય છે. નાટકકારે અંતિમ પદ્યમાં મુદ્રાલંકાર દ્વારા પોતાના નામનો નિર્દેશ કર્યો છે. ૧૦. વનમાલા રામચન્દ્રસૂરિકૃત આ એક નાટિકાર છે. આ રચના પણ મળતી નથી. નાટ્યદર્પણમાં તે એક વાર ઉદ્ધત છે. તેમાં રાજા (સંભવતઃ નલ) અને દમયન્તીનો સંવાદ છે જેમાં દમયન્તી નલ ઉપર અન્ય નારીમાં આસક્ત હોવાનો આક્ષેપ કરી કુદ્ધ થાય છે. સંભવતઃ આ નાટિકામાં નલ અને નાયિકા વનમાલા વચ્ચેના પ્રેમવ્યાપારનું વર્ણન છે. નાયક નલ છે. નાટિકાના લક્ષણ અનુસાર અહીં નાયક ગુપ્ત રૂપે નાયિકાને પ્રેમ કરે છે. જયેષ્ઠ રાણી રોષ પ્રગટ કરે છે અને બાધાઓ ઉપસ્થિત કરે છે પરંતુ અત્તે નાયક-નાયિકાના વિવાહ માટે સંમત થાય છે. ચન્દ્રલેખાવિજયપ્રકરણ આ રચના હેમચન્દ્રના બીજા એક શિષ્ય દેવચન્દ્રની છે. તેમાં પાંચ અંક કુમારવિહારના મૂલનાયક પાર્શ્વનાથ સમીપ સ્થાપવામાં આવેલા અજિતનાથના મંદિરમાં વસન્તોત્સવ ઉપર કુમારપાલની પરિષદના વિનોદાર્થે આ નાટક ભજવાયું ૧. એજન, પૃ. ૨૩૩ ૨. નાટ્યદર્પણ, પૃ. ૧૧૫; જિનરત્નકોશ, પૃ. ૩૪૧; નાટ્યદર્પણ : એ ક્રિટિકલ સ્ટડી, પૃ. ૨૩૩ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૨૦; અહીં તેના કર્તાદેવચન્દ્રને હેમચન્દ્રાચાર્યના ગુરુ ગણ્યા છે, તે ખોટું છે. આ દેવચન્દ્ર હેમચન્દ્રાચાર્યના શિષ્ય હતા. હેમચન્દ્રના ગુરુનું નામ દેવચન્દ્રસૂરિ હતું. Page #605 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદ્યય પ૮૩ હતું. આ નાટકમાં સપાદલક્ષ યા શાકશ્મરી (આધુનિક સાંભર, રાજસ્થાન)ના રાજા અર્ણોરાજ ઉપર કુમારપાલના વિજયનું અને અર્ણોરાજની બેન સાથે કુમારપાલના વિવાહનું વર્ણન છે. આ પ્રકરણની નાયિકા ચન્દ્રલેખા એક વિદ્યાધરી છે. કર્તા અને રચનાકાળ – આ નાટકના કર્તા હેમચન્દ્રાચાર્યના શિષ્ય દેવચન્દ્ર છે. તેની રચનામાં તેમણે શેષ ભટ્ટારકની મદદ લીધી હતી. તેમની બીજી રચના માનમુદ્રાભંજન નાટક છે જે સનસ્કુમાર ચક્રવર્તી અને વિલાસવતીને લઈને રચાયું છે પરંતુ તે ઉપલબ્ધ નથી. પ્રબુદ્ધરૌહિણેય આ છ અંકોનું નાટક છે. તેમાં ભગવાન મહાવીરના સમકાલિક રાજગૃહનરેશ શ્રેણિકના રાજ્યકાળના પ્રસિદ્ધ ચોર રૌહિણેયના પ્રબુદ્ધ થવાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેની રચના પાચન્દ્રના પુત્રો વ્યાપારશિરોમણિ બે ભાઈઓ યશોવર અને અજયપાલની વિનંતીથી કરવામાં આવી હતી અને લગભગ વિ.સં.૧૨પ૭માં આ નાટક તેમણે નિર્માણ કરાવેલા જાલોરના આદીશ્વર જિનાલયના યાત્રોત્સવ ઉપર ભજવાયું હતું. હેમચન્દ્ર પોતાના યોગશાસ્ત્રમાં રૌહિણેયની કથા દષ્ટાન્ત તરીકે આપી છે. કર્તા અને રચનાકાળ – આના કર્તા પ્રસિદ્ધ તાર્કિક દેવસૂરિ (વિ.સં.૧૨૨૬માં સ્વર્ગવાસ) સત્તાનીય જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્ર છે. તેમના વિશે વિશેષ માહિતી મળતી નથી. ૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૮૦ ૨. એજન; જિનરત્નકોશ, પૃ. ૩૦૯ ૩. જૈન આત્માનન્દ સભા, સંખ્યા ૫૦, ભાવનગર, વિ.સં. ૧૯૭૪; જિનરત્નકોશ, પૃ. ૨૬૫; એ.બી.કીથ, સંસ્કૃત પ્રામા, લંડન, ૧૯૫૪, પૃ. ૨૨૯-૨૬૦, આનો ગુજરાતી અનુવાદ “સંસ્કૃત નાટક', ભાગ ૨, પૃ. ૨૭૭-૭૮માં છે. ૪. આનો પરિચય “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૩૨૫માં આપ્યો છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ જૈન કાવ્યસાહિત્ય દ્રૌપદીસ્વયંવર આ સંસ્કૃત નાટક બે અંકનું છે. ગુજરાતનરેશ ‘અભિનવ સિદ્ધરાજ બિરદધારી મહારાજ ભીમદેવ બીજાની (વિ.સં.૧૨૩૫-૯૮) આજ્ઞાનુસાર ત્રિપુરુષદેવની સમક્ષ વસંતોત્સવ વખતે ભજવાયું હતું. તેના અભિનયથી રાજધાની અણહિલપુરની પ્રજા બહુ જ ખુશ થઈ હતી. આ વાત નાટકના પ્રારંભમાં સૂત્રધારના કથનથી જાણવા મળે છે. તેમાં એવા કેટલાક શ્લોકો રચવામાં આવ્યા છે કે જેમને પદશઃ વિભક્ત કરીને અનેક પાત્રો દ્વારા બોલાવવામાં આવ્યા છે. કર્તા અને રચનાકાલ– આના કર્તા મહાકવિ શ્રીપાલના પૌત્ર અને સિદ્ધપાલના પુત્ર મહાકવિ વિજયપાલ છે. કર્તાની અન્ય કોઈ કૃતિ મળી નથી. અન્ય ઉલ્લેખોથી જાણવા મળે છે કે કવિનું કુળ ઘણું પ્રતિષ્ઠિત અને સરસ્વતીભક્ત હતું. કવિના પિતા અને પિતામહ રાજકવિ હતા. તે પ્રાગ્વાટ (પોરવાડ) વૈશ્ય તથા શ્વેતામ્બર સંપ્રદાયના જૈન હતા. તેમના કુટુંબે અણહિલપુરમાં સ્વતંત્ર જૈન મંદિર અને ઉપાશ્રયનું નિર્માણ કરાવ્યું હતું. નાટકમાં કર્તાને મહાકવિ કહેવામાં આવ્યા છે. તે ઉપરથી જણાય છે કે કવિએ આ કૃતિ ઉપરાંત બીજી કેટલીક કૃતિઓનું સર્જન કર્યું હતું જે કાં તો નાશ પામી ગઈ છે કાં તો કોઈ ગ્રન્થભંડારોમાં પ્રકાશની પ્રતીક્ષા કરી રહી છે. આ નાટકમાં વિજયપાલના પિતાનું નામ સિદ્ધપાલ આપ્યું છે. તે પણ મહાકવિ હતા. જો કે તેમની કોઈ કૃતિ આજ સુધી મળી નથી પરંતુ શાર્થીકાવ્ય, સૂક્તમુક્તાવલી, સુમતિનાથચરિત્ર, કુમારપાલપ્રતિબોધ આદિ સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના કર્તા સોમપ્રભસૂરિએ ઉક્ત અંતિમ બે કૃતિઓની પ્રશસ્તિઓમાં સિદ્ધપાલનો ઉલ્લેખ કર્યો છે. તે બન્ને કૃતિઓનું સર્જન તેમણે સિદ્ધપાલે નિર્માણ કરાવેલા ઉપાશ્રયમાં રહીને કર્યું હતું. કુમારપાલપ્રતિબોધમાં બેચાર સ્થાનોએ સિદ્ધપાલનો ઉલ્લેખ છે અને એક સ્થાને લખ્યું છે કે : कइयावि निवनियुत्तो कहइ कहं सिद्धपालकई । (વાપિ તૃતિયુ: વાઘતિ થી સિદ્ધપત્રિવવિ) કુમારપાલપ્રતિબોધમાં ઉક્ત કવિએ રચેલાં કેટલાંક પદ્યો સિવાય બીજી કોઈ કૃતિ મળી નથી. સિદ્ધપાલના પિતા શ્રીપાલ હતા. તે પોતાના સમયના પ્રસિદ્ધ મહાકવિ હતા. ૧. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૧૮, સંપાદક – મુનિ જિનવિજયજી. ૨. ભૂમિકા, પૃ. ૧-૭ Page #607 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદ્યય પ૮પ સોમપ્રભાચાર્યે તેમનું યશોગાન સુમતિનાથચરિત્ર તથા કુમારપાલપ્રતિબોધની અંતિમ પ્રશસ્તિઓમાં કર્યું છે. ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહના તે બાલમિત્ર હતા. મોહરાજપરાજય આ નાટકના શીર્ષકનો અર્થ છે – મોહ અર્થાત્ અજ્ઞાન ઉપર વિજય. આ નાટકમાં પાંચ અંકો છે. તેમાં ગુજરાતના ચૌલુક્ય રાજા કુમારપાલે આચાર્ય હેમચન્દ્રના ઉપદેશથી જૈનધર્મનો સ્વીકાર કરવો, પ્રાણીઓની હિંસાને અંટકાવવી તથા અદત્ત મૃતધનાપહરણનો ત્યાગ કરવો વગેરેનું ચિત્રણ છે. આ નાટક પ્રાચીન કાળના જૈન રૂપકનો (Allegory) સારો નમૂનો છે. વિષયવસ્તુ અને અભિનયની દષ્ટિએ આ નાટક મધ્યયુગીન યુરોપના ખ્રિસ્તી નાટકો સમાન લાગે છે. સંસ્કૃત સાહિત્યમાં આવાં બીજાં નાટકો પણ છે જેમાં ઉલ્લેખનીય છે ચંદેલ રાજા કીર્તિવર્માના રાજ્યમાં (ઈ.સ.૧૦૬૫) કૃષ્ણમિત્રે રચેલું “પ્રબોધચન્દ્રોદય' નાટક. પ્રબોધચન્દ્રોદય મોહરાજપરાજય કરતાં સો વર્ષ પહેલાં રચાયું હતું. એવું જણાય છે કે આ નાટક અજયપાલના રાજ્યકાળમાં (ઈ.સ. ૧૧૭૪૭૭) લખાયું હતું અને થારાપદ્ર (આધુનિક થરાદ, બનાસકાંઠા)માં બનાવાયેલ કુમારપાલના મંદિર કુમારવિહારમાં મહાવીરની રથયાત્રાના મહોત્સવમાં ભજવાયું હતું. આ નાટકમાં રાજા, વિદૂષક અને આચાર્ય હેમચન્દ્ર સિવાય બાકીનાં બધાં પાત્રો ભાવાત્મક – પુણ્યાત્મક અને પાપાત્મક વસ્તુઓનાં રૂપકો છે. પક્ષ-વિપક્ષનાં પાત્રોનાં નામ નીચે મુજબ છે : પક્ષ : રાજા - વિવેકચન્દ્ર, દૂત - જ્ઞાનદર્પણ, જ્યોતિષી - ગુરૂપદેશ, મંત્રી - પુણ્યકેતુ, સિપાહી – ધર્મકુંજર, રાણી – શાન્તિ, પુત્રી (રાજકુમારી) - કૃપાસુન્દરી, માસી - શાન્તિસુન્દરી, કૂપ - સદાગમ, નદી - ધર્મચિન્તા, ઉદ્યાન - ધર્મ, વૃક્ષ - દમ, ઘટ – ધ્યાન, સખી – સમતા, કવચ – યોગશાસ્ત્ર, ગુટિકા - વીતરાગસ્તુતિ. ૧. ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, ક્રમાંક ૯, વડોદરા, ૧૯૧૮; વિસ્તારભયથી અહીં તેનો સાર આપવો શક્ય નથી. Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ જૈન કાવ્યસાહિત્ય વિપક્ષ : રાજા - મોહરાજ, રાણી – રાજયશ્રી, સખી - રૌદ્રતા, કુમારપાલની રાણી - કીર્તિમંજરી અને સાળો – પ્રતાપ. આ નાટકમાં અનેક ગુણો છે. સૌપ્રથમ તો સરળ સંસ્કૃતમાં રચાયું છે. તેમાં એ જાતની કૃત્રિમતા નથી જે આડંબરપૂર્ણ અન્ય નાટકોને દૂષિત કરી દે છે. તેમાં આપણને કુમારપાલકાલીન જૈનધર્મની વિવિધ ગતિવિધિઓનું વિશદ ચિત્રણ મળે છે જેનું સમર્થન ગુજરાતના શિલાલેખો અને અન્ય સાધનો કરે છે. જિનમંડનગણિએ પોતાના કુમારપાલપ્રબંધમાં (સં. ૧૪૯૨) આ રૂપકની કથાવસ્તુનો સંક્ષેપ આપ્યો છે અને દર્શાવ્યું છે કે કૃપાસુન્દરી સાથે કુમારપાલનો વિવાહ સં. ૧૨૧૬માં થયો હતો અર્થાત્ તે દિવસે કુમારપાલે પ્રગટપણે જૈનધર્મ અંગીકાર કર્યો હતો. આ નાટકમાં જુગારના અનેક પ્રકાર તથા પ્રાણીવધ ઉપર ભાર મૂકનારા અનેક મતોનો ઉલ્લેખ મળે છે. આ નાટકની પ્રાકૃત ભાષા હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણના નિયમોથી પ્રભાવિત છે. તેમાં માગધી તથા જૈન મહારાષ્ટ્રનો પ્રયોગ થયો છે. કર્તા અને રચનાકાલ – આ નાટકના કર્તાએ પોતાનો પરિચય સૂત્રધારના મુખે આપ્યો છે. તે મુજબ તેમનું નામ યશપાલ કવિ છે. તે મોઢવંશના (મોઢવણિક) મંત્રી ધનદેવ અને માતા રુકમિણીનો પુત્ર હતો. તે ચક્રવર્તી અજયદેવના ચરણસરોજનો હંસ હતો. ચક્રવર્તી અજયદેવ ચૌલુક્ય અજયપાલ જ છે, તે કુમારપાલનો ઉત્તરાધિકારી હતો. આ અજયદેવે ઈ.સ. ૧૨૨૯-૩૨ સુધી રાજય કર્યું હતું. નાટકના અંતે લખ્યું છે : “ન્દ્રિય પત્નવિવાં મોહરનારનો નામ નટિમ્ ' સંભવ છે કે યશપાલ ઉક્ત રાજાના મંત્રી યા શાસક રહ્યા હોય. આ નાટકની રચનાનો કાળ ઉક્ત રાજાનો રાજ્યકાળ માની શકાય. १. कृपासुन्दर्याः सं. १२१६ मार्गसुदि द्वितीया दिने पाणि जग्राह श्रीकुमारपाल महीपाल: श्रीमर्हद्देवतासमक्षम्। २. श्रीमोढवंशावतंसेन श्रीअजयदेवचक्रवर्तिचरणराजीवराजहंसेन मंत्रिधनदेवतनुजन्मना रुक्मिणी कुक्षिलालितेन......परमार्हतेन यश:पालकविना विनिर्मितं मोहराजपराजयो नाम नाटकम् । Page #609 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય ૫૮૭ મુદ્રિતકુમુદચન્દ્ર આ નાટકમાં પાંચ અંક છે. કથાવસ્તુ બહુ લઘુ છે, તે પાંચમા અંકની સમાપ્તિની કંઈક પહેલાં સૂચવવામાં આવી છે, તે મુજબ તાર્કિક દેવસૂરિએ કોઈ દિગમ્બર મુનિ કુમુદચન્દ્રને સિદ્ધરાજ જયસિંહના દરબારમાં સ્ત્રીમુક્તિસિદ્ધિ વિષય ઉપર વાદમાં હરાવ્યા હતા, એ આ નાટકમાં દર્શાવવામાં આવ્યું છે. સ્ત્રીમુક્તિની વાત તો ૧૧-૧૩મી સદીના જૈન ન્યાયગ્રન્થોમાં ખંડનમંડનના રૂપમાં આવે છે. દિગંબર પ્રભાચન્દ્રાચાર્યે પોતાની બે કૃતિઓમાં – ન્યાયકુમુદચન્દ્ર અને પ્રમેયકમલમાર્તડમાં – સ્ત્રીમુક્તિનું ખંડન કર્યું છે અને તેનું મંડન વાદિદેવસૂરિએ સ્યાદ્વાદરત્નાકર નામની કૃતિમાં કર્યું છે. સ્યાદ્વાદરત્નાકર અને પ્રભાચન્દ્રની કૃતિઓની વિષયવસ્તુની તુલના કર્યા પછી એમ કહી શકાય કે પ્રકરણોનો ક્રમ અને પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષની સ્થાપનાની પદ્ધતિમાં સ્યાદ્વાદરત્નાકર ન્યાયકુમુદચન્દ્રની બહુ જ સમીપ છે અને ક્યાંક ક્યાંક તો બન્ને કૃતિઓમાં એટલું બધું શબ્દસામ્ય છે કે બન્ને કૃતિઓની પાઠશુદ્ધિ કરવામાં એકબીજાનો મૂલ પ્રતિની જેમ ઉપયોગ કરી શકાય છે. પ્રસ્તુત નાટકમાં સ્ત્રીમુક્તિના પક્ષ-વિપક્ષમાં કંઈ ન કહેતાં પ્રેક્ષકોની સમક્ષ ૧૦-૧૫ મિનિટનો કેવળ શાબ્દિક અભિનય જ રજૂ કરવામાં આવ્યો છે. તે પહેલાંના અંકોમાં ઉક્ત વિવાદની ભૂમિકા માત્ર છે, તેમાં દર્શાવવામાં આવ્યું છે કે બે સંપ્રદાયના લોકો એકબીજાને લાંછિત કરવામાં કેવો રસ લેતા હતા અને રાજવર્ગ કેવી રીતે બે પક્ષોનું સમર્થન કરવામાં આનંદ લેતો હતો. આ કાર્યમાં લાંચરુશવતની પણ આશંકા કરવામાં આવી છે તથા દૈવી પ્રયોગો પણ કરવામાં આવ્યા છે જેમ કે નાટકના અંતે વજાર્ગલા યોગિનીનો આવિષ્કાર. ૧. યશોવિજય જૈન ગ્રન્થમાલા, ક્રમાંક ૮, કાશી, વીર સં. ૨૪૩૨ ૨. ધ્યાનમાં રહે કે ન્યાયકુમુદચન્દ્ર આટલી મહત્ત્વપૂર્ણ કૃતિ હોવા છતાં પણ તેની પ્રાચીન હસ્તપ્રતો ઓછી મળે છે. અનુમાન છે કે ઉક્ત વિષયનું રોચક અને આલંકારિક શૈલીમાં પ્રતિપાદન કરનારા નૂતન ગ્રન્થ સ્યાદ્વાદરત્નાકરના પ્રભાવના કારણે તેનાં વાચન-પાઠનપ્રસાર રુદ્ધ થઈ ગયાં હશે. આ રોકાઈ ગયેલા પ્રચાર-પ્રસારને સાંપ્રદાયિક ષવશ વ્યક્તિવિશેષના પરાજયના રૂપમાં રજૂ કરવાની દષ્ટિએ મુદ્રિતકુમુદચન્દ્રના નામકરણને સમજી શકાય. Page #610 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ જૈન કાવ્યસાહિત્ય આ નાટકમાં જયસિંહને નિર્ણાયકની ભૂમિકા અદા કરતો દેખાડ્યો છે. આ નાટકની ઘટનાને કેટલાક વિદ્વાનોએ પ્રભાવક ચરિત અને પ્રબન્ધચિન્તામણિમાં આપવામાં આવેલાં વર્ણનોને આધારે ઐતિહાસિક માની છે પરંતુ તેની ઐતિહાસિકતામાં સૌથી મોટી બાધા એ છે કે તે ઘટનામાં વાદી તરીકે ચીતરવામાં આવેલ દિગંબરાચાર્ય કુમુદચન્દ્ર કોણ હતા તેની ભાળ આજ સુધી મળી શકી નથી. વાદિદેવસૂરિના સમયમાં અર્થાતુ વિ.સં.૧૧૪૩-૧૨૨૬ વચ્ચે દિગંબર સંપ્રદાયમાં આ નામના તથાકથિત ચતુરાશીતિવિવાદવિજયી વાદીન્દ્ર કુમુદચન્દ્રનું નામ જ મળતું નથી. નાટકની કથાવસ્તુ – ઘટના ભલે ને વાસ્તવિક ન હોય પરંતુ આ નાટક તત્કાલીન ધાર્મિક, સામાજિક અને રાજકીય સ્થિતિની મનોવૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિને રજૂ કરવામાં સફળ રહ્યું છે. તેના દ્વારા તે સમયની ધાર્મિક સ્પર્ધાઓ, ધર્માચાર્યોની પારસ્પરિક અસહિષ્ણુતા, રાજાનો સ્વદેશજન્મા પ્રત્યે પક્ષપાત અને તેના વિજયને જોવાની ઉત્કંઠા વગેરે માનવસ્વભાવ ઉપર આશ્રિત વાતો છે. આ નાટકની ભજવણી કયા પ્રસંગે થઈ હતી તેની માહિતી આપવામાં આવી નથી. પરંતુ નાટક કુતૂહલવર્ધક સારું સાહિત્યિક સર્જન છે. કર્તા અને રચનાકાલ – આ નાટકના ર્તા ધકટકુળના શેઠ ધનદેવના પૌત્ર તથા પાચન્દ્રના પુત્ર કવિ યશશ્ચન્દ્ર છે. તેમણે સપાદલક્ષ દેશમાં કોઈ શાકશ્મરી (વર્તમાન સાંભર) રાજા પાસેથી અમ્મુન્નતિ પ્રાપ્ત કરી હતી. તેમના પિતામહ શાકંભરીનરેશના રાજશેઠ હતા. યશશ્ચન્દ્ર અનેક પ્રબન્ધોની રચના કરી હતી, એવું નીચેના શ્લોકમાંથી જાણવા મળે છે : कर्ताऽनेकप्रबन्धानामत्र प्रकरणे कविः । आनन्दकाव्यमुद्रासु यशश्चन्द्र इति श्रुतः ॥ તેમનું “રાજીમતીપ્રબોધ' નામનું એક નાટક મળે છે. બાકીની રચનાઓની કોઈ માહિતી મળતી નથી. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૩૧. Page #611 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય ધર્માભ્યુદય આ એકાંકી નાટક છે. તેમાં રાજર્ષિ દશાર્ણભદ્રના જીવનનો ઘટનાપ્રસંગ વર્ણવાયો છે. પ્રસ્તાવનામાં સૂચિત કર્યા મુજબ આ નાટક પાર્શ્વનાથના મંદિરમાં ભજવાયું હતું. તેના કર્તા એક જૈન સાધુ મેધપ્રભાચાર્ય છે, તેમના વિશે કંઈ જાણવા મળતું નથી. ઘણું કરીને તે ગુજરાતના હતા કારણ કે આ નાટકની હસ્તપ્રતો ગુજરાતમાં જ મળી છે. તેનો રચનાકાલ જ્ઞાત નથી પરંતુ પાટણના સંઘભંડા૨માં એક તાડપત્રીય પ્રતિ છે જેનો લેખનસમય વિ.સં.૧૨૭૩ છે. તેથી તેના પહેલાં આ નાટકની રચના અવશ્ય થઈ છે. ૫૮૯ તેને ‘છાયાનાટ્યપ્રબંધ' પણ કહેવામાં આવેલ છે અને રંગમંચ ઉપર તે ભજવાયું હોવાના સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવેલ છે, જેમ કે ‘જ્યારે રાજા સાધુ થઈ જવાનો વિચાર વ્યક્ત કરે ત્યારે યવનિકાની અંદરની બાજુ સાધુના વેશમાં એક પૂતળું બેસાડી દેવામાં આવે' (યવનિાન્તરાત્ તિવેશધારી પુત્રસ્તત્ર સ્થાપનીયઃ, પૃ.૧૫). સંસ્કૃત રૂપકો અને ઉપરૂપકોની સૂચીમાં છાયાનાટકનો કોઈ ઉલ્લેખ નથી, તેથી તેનું સ્વરૂપ કેવું હોવું જોઈએ એ આપણે જાણતા નથી. અંગ્રેજીમાં છાયાનાટકને ‘શેડો પ્લે’ કહેવામાં આવે છે. અહીં ઉક્ત પ્રકારના નાટકોથી કવિ શું કહેવા માંગે છે એ સમજાતું નથી. ગુજરાતીમાં આ પ્રકારનું એક નાટક સુભટકૃત દૂતાંગદ અને બીજું એક અજ્ઞાત કવિએ રચેલું ‘શમામૃત’ છે. શમામૃત નેમિનાથના જીવન ઉપર આધારિત આ બીજું એકાંકી છાયાનાટક છે. તેની પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે : ‘માવત: શ્રીનેમિનાથસ્ય યાત્રામહોત્સવે विद्वद्भिः सभासद्भिरादिष्टोऽस्मि यथा श्रीनेमिनाथस्य शमामृतं नाम छायानाटकमभिनयस्वेति' (પૃ.૧). ૧. જૈન આત્માનન્દ સભા, ક્રમાંક ૬૧, ભાવનગર, વિ.સં.૧૯૭૫; તેનો જર્મન અનુવાદ ઝેડ.ડી.એમ.જી., ભાગ ૭૫, પૃ. ૬૯ વગેરેમાં અને Indische Shatten-theaterમાં પૃ. ૪૮વગેરેમાં થયો છે; જિનરત્નકોશ, પૃ. ૧૯૫; કીથ, સંસ્કૃત ડ્રામા, પૃ. ૫૫ અને ૨૬૯. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૭૮; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં.૧૯૭૯માં પ્રકાશિત. Page #612 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ જૈન કાવ્યસાહિત્ય આના કર્તાનું નામ રત્નસિંહ આપ્યું છે. કર્તાએ પોતાનો સમય અને પરિચય નથી આપ્યો પરંતુ સંભવ છે કે તે નેમિનાથચરિત ઉપર આધારિત ૪૮ પદ્યોના સમસ્યાપૂર્તિકાવ્ય “પ્રાણપ્રિય'ના કર્તા હોય. છાયાનાટકોની આ કેટલીક રચનાઓ જોવાથી આપણે એટલું તો કહી શકીએ છીએ કે સંસ્કૃતનાં છાયાનાટકો સંક્ષિપ્ત અને સરળ એકાંકી રચનાઓ હતી. બન્ને રચનાઓમાં ગદ્યપદ્યનો પ્રયોગ છે પરંતુ ધર્માભ્યદયમાં પદ્યથી ઘણું વધારે ગદ્ય છે. તેમનાં કેટલાંક પાત્રો પાસે પ્રાકૃતમાં પણ સંવાદ કરાવવામાં આવ્યા છે. સાહિત્યમાં છાયાનાટક કહેવાતી શૈલી અપેક્ષાકૃત પાછળની છે કારણ કે નાટ્યશાસ્ત્રના ગ્રન્થોમાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી થયો. આ નાટકોમાં પૂતળીનો પ્રયોગ એ વાતનું સૂચન કરે છે કે સંસ્કૃત નાટકના વિકાસમાં કઠપૂતળીનાં છાયાનાટકોનો પણ હાથ છે. ૧ હમ્મીરમદમર્દન આ નાટકનું સંસ્કૃત સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન છે. પૌરાણિક ઘટનાઓ પર લખાયેલાં સંસ્કૃત નાટકો તો બહુ મળ્યાં છે પરંતુ તેમાં ઐતિહાસિક નાટકો તો ગણ્યાગાંઠ્યાં છે અને તેમાંય સમકાલીન ઘટનાઓનું ચિત્રણ કરનારાં તો છે જ નહિ, પરંતુ સૌભાગ્યથી હમ્મીરમદમર્દનની રચના સમકાલિક ઘટના ઉપર થઈ તેમાં ગુજરાતના વાઘેલાવંશી રાજા વિરધવલ અને તેના મંત્રી વસ્તુપાલે મુસલમાનોના આક્રમણને કેવી રીતે ખાળ્યું એનું ચિત્રણ છે. નાટકના શીર્ષકમાં આવતો હમ્મીર અરબી શબ્દ છે. તે અમીરનું અપભ્રંશ રૂપ છે. તેનો અર્થ તે ભાષામાં “એક સરદાર' થાય છે. અહીં તે દિલ્હીના સુલતાન માટે પ્રયોજાયો છે. આ સુલતાનને નાટકમાં ક્યાંક ક્યાંક મિલઠ્ઠી કાર પણ કહેવામાં આવેલ છે. ૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૧૬૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૪પ૯; ગાયકવાડ પ્રાચ્ય ગ્રન્થમાલા, ક્રમાંક ૧૦, વડોદરા, ૧૯૨૦. Page #613 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય આ નાટકના હમ્મીર અને નયચન્દ્રસૂરિરચિત પશ્ચાત્કાલીન હમ્મીરમહાકાવ્યના હમ્મીરને એક ગણવાની ભૂલ ન કરવી જોઈએ કારણ કે આ મહાકવ્ય તો મેવાડના ચૌહાણ રાજા હમ્મીરના ઈતિહાસ સાથે સંબંધ ધરાવે છે અને પ્રસ્તુત નાટકથી ૨૦૦ વર્ષ પછીની કૃતિ છે. ૫૯૧ આ નાટકમાં પાંચ અંક છે. વસ્તુપાલના પુત્ર જયન્તસિંહની વિનંતીથી ખંભાતમાં ભીમેશ્વરના યાત્રામહોત્સવમાં તે ભજવાયું હતું. આ નાટકનું ઘટનાસ્થળ ખંભાતની આસપાસ આવેલું છે. તુરુષ્ક હમ્મીર તથા યાદવ રાજા સિંહણ અને લાટદેશના કેટલાક સરદાર ખંભાત ઉપર આક્રમણ કરવા ઈચ્છતા હતા. વીરધવલના મંત્રી વસ્તુપાલ મારવાડના રાજા, સુરાષ્ટ્રના સરદાર અને લાટના કેટલાક સરદારો સાથે સામનો કરે છે. ગુપ્તચરો દ્વારા શત્રુદલમાં ફૂટ પડાવવામાં આવે છે. યુદ્ધસ્થળનું વર્ણન રંગમંચ ઉપર દૂતોના સંવાદ દ્વારા રજૂ કરવામાં આવે છે. દૂતપ્રયોગ દ્વારા સ્થાનીય શત્રુઓને મેળવીને વસ્તુપાલ દૂતો વડે જ તુરુ સેનામાં અંધાધૂંધી, નાસભાગ મચાવી દે છે. અન્તે પોતાની રણનીતિના કારણે તે શત્રુઓને ભગાડી મૂકે છે. રાજા વીરધવલને તેથી નિરાશા થાય છે કારણ કે તે પોતાના શત્રુઓને કેદ ન કરી શક્યા, પરંતુ તે પોતાના મંત્રીની રણનીતિનું ઉલ્લંઘન કરવામાં લાચાર હતો. નાટકના અંતમાં મિલચ્છીકારને બાધ્ય થઈને વીરધવલ સાથે સંધિ કરતો દર્શાવ્યો છે. આમાં પાત્રોને આપવામાં આવેલાં નામ તત્કાલીન ઈતિહાસથી ઓળખાઈ ગયાં છે. આ નાટક ઉત્તરમધ્યયુગીન રચના હોવાથી અત્યન્ત અલંકારબહુલ છે અને તેની શૈલી કૃત્રિમ છે. તો પણ સંવાદો જોરદાર છે, કવિતાઓ મનોહારિણી છે અને ઉપમાઓથી અલંકૃત છે. વસ્તુપાલ, તેજપાલ અને વીરધવલનું ચરિત્રચિત્રણ સારું કરવામાં આવ્યું છે અને જીવન્ત છે. પાંચમા અંકમાં વીરધવલનું નરવિમાનમાં બેસીને અનેક સ્થાનો જોતાં જોતાં પાછાં ફરવાનું વર્ણન એ કવિનો કાલ્પનિક ક્ષેત્રમાં વિચરણ કરવાનો પ્રયાસ છે. આખા નાટકમાં કેવળ એક જ સ્ત્રીપાત્ર છે અને તે છે રાણી જયતલદેવી (વીરધવલની રાણી). કવિનો દાવો છે કે પ્રસ્તુત નાટકમાં ૧. ‘શ્રીમીનેશ્વરસ્ય યાત્રાયાં શ્રીમતા નયન્તસિંહેન સમાવિષ્ટોઽસ્મિ મપિ પ્રબંધનનેતુમ્' ઈત્યાદિ, પૃ. ૧. Page #614 -------------------------------------------------------------------------- ________________ પ૯૨ જેન કાવ્યસાહિત્ય નવ રસોનું આલેખન થયું છે. સંભવ છે કે સ્ત્રીપાત્ર વિના શૃંગારિક ભાવની ખોટ હતી એટલે તેને પૂરી કરવા માટે જયતલદેવીને દાખલ કરવામાં આવ્યા. જો આપણે તેને નાટકની નાયિકા સમજીએ તો વીરધવલને નાટકના મુખ્ય નાયક માનવા પડે અને નાટકકારે સંભવતઃ એ સ્વીકારીને અત્તમાં વરધવલ પાસે ભરતવાક્ય બોલાવડાવ્યું છે. બીજી રીતે વિચારતાં નાટકનું મુખ્ય પાત્ર વસ્તુપાલ લાગે છે કારણ કે તેના મહાન વ્યક્તિત્વથી બધી ઘટનાઓ છવાઈ ગઈ છે. મુદ્રારાક્ષસમાં ચાણક્યની જેમ આ નાટકમાં વસ્તુપાલને ચિત્રિત કરવાનો પ્રયત્ન જણાય છે. કર્તા અને રચનાકાલ- આ નાટકના લેખક જયસિંહસૂરિ છે. તે વીરસિંહસૂરિના શિષ્ય તથા ભરૂચના મુનિસુવ્રતનાથ ચૈત્યના અધિષ્ઠાતા હતા. આ નાટકના કર્તા જયસિંહસૂરિ અને દ્વિતીય જયસિંહસૂરિને એક માનવાની ભૂલ ન કરવી જોઈએ કારણ કે દ્વિતીય જયસિંહસૂરિ કૃષ્ણર્ષિગચ્છના આચાર્ય તથા મહેન્દ્રસૂરિના શિષ્ય હતા, તેમણે સં. ૧૩૦૮માં કુમારપાલચરિતની રચના કરી હતી. નાટકકાર આ કૃતિમાં વસ્તુપાલ-તેજપાલના દાનકાર્યોથી પ્રભાવિત જણાય છે. તેમણે વસ્તુપાલના પુત્રની વિનંતીથી આ નાટકની રચના કરી હતી. આ નાટકની રચના વિ.સં.૧૨૭૯ અર્થાત્ જયન્તસિંહના રાજ્યપાલત્વની પ્રારંભતિથિ અને જેસલમેરના ભંડારમાં સુરક્ષિત તાડપત્રીય પ્રતિની લેખનતિથિ વિ.સં.૧૨૮૬ વચ્ચેના સમયગાળામાં કોઈ સમયે થઈ હશે.' જયસિંહસૂરિની બીજી કૃતિ ૭૭ પદ્યોમાં રચાયેલી વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિ કરુણાવજાયુધ આ એકાંકી નાટક છે. તેની કથાવસ્તુમાં વજાયુધ ચક્રવર્તીને બાજ પક્ષીને પોતાનું માંસ આપીને કબૂતરની રક્ષા કરતા દર્શાવ્યા છે. તેની રચના વરધવલના ૧. મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ ઔર સંસ્કૃત સાહિત્ય મેં ઉસકી દેન, પૃ. ૧૦૯. ૨. જિનરત્નકોશ, પૃ. ૬૮; જૈન આત્માનન્દ સભા, ક્રમાંક પ૬, ભાવનગર, વિ.સં.૧૯૭૩; આનો ગુજરાતી અનુવાદ અમદાવાદથી વિ.સં.૧૯૪૩માં પ્રકાશિત. Page #615 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય પ૯૩ મહામાત્ય વસ્તુપાલની વિનંતીથી શત્રુંજય તીર્થ ઉપર ઋષભદેવના ઉત્સવમાં ભજવવા માટે કરવામાં આવી હતી. આ નાટકની કથાનો નાયક વજાયુધ ચક્રવર્તી પૂર્વભવમાં શાન્તિનાથનો જીવ હતો. તે ભવમાં તેની દયાલુતા અને ધર્મિષ્ઠતાની પરીક્ષા બે દેવોએ કબૂતર અને બાજનું રૂપ ધારણ કરીને કરી હતી. જૈનેતર સાહિત્યમાં પણ આ કથા રૂપાન્તરે મળે છે, જેમ કે મહાભારતના શાન્તિપર્વમાં શિબિ અને કબૂતરની કથા અને બૌદ્ધ જાતક ક્રમાંક ૪૯૯ની કથા. આ કથા જૈન કથાગ્રન્થોમાં સૌપ્રથમ સંઘદાસગપણની (લગભગ ઈ.સ.૫૦૦) વસુદેવહિંડીના ૨૧મા લંભકમાં અને પછીથી અનેક જૈન પુરાણોમાં મળે છે. આ નાટક મોહરાજપરાજય, પ્રબુદ્ધરૌહિણેય અને ધર્માભ્યદયની જેમ જ જૈનધર્મના પ્રચાર માટે જૈનપ્રિય કથાનકને લઈને રચવામાં આવ્યું છે. તેનો અધિકાંશ રાજા અને તેમના મંત્રી વચ્ચે તેમજ રાજા અને બાજ પક્ષી વચ્ચે થયેલા ધાર્મિક વાદવિવાદના રૂપમાં છે. ક્યારેક ક્યારેક વિદૂષકની હાસ્યોક્તિઓથી વાતાવરણમાં સજીવતા આવી જાય છે પરંતુ એકંદરે નાટકમાં અભિનય ઓછો છે. સંવાદની અપેક્ષાએ કવિતાઓ અધિક છે. આ લઘુ નાટકમાં ૧૩૭ પદ્યો આવે છે. કેટલાંક પદ્યો ધ્યાન આપવા જેવાં છે. વિદૂષક પરલોકના અસ્તિત્વમાં સંદેહ કરે છે તો રાજા ઉદાહરણ દ્વારા સમાધાન કરે છે : करस्थमप्येवममी कृषीवलाः क्षिपन्ति बीजं पृथुपंकसंकटे । वयस्य केनापि कथं विलोकितः समस्ति नास्तीत्यथवा फलोदयः ॥ ५० ॥ કર્તા અને રચનાકાળ – આ નાટકના કર્તા મહાકવિ બાલચન્દ્રસૂરિ છે. તેમનો વિસ્તૃત પરિચય તેમની અન્ય વસન્તવિલાસ મહાકાવ્ય નામની ઐતિહાસિક કૃતિના પ્રસંગમાં આપી દીધો છે.' દક્ષિણ ભારતના કેટલાક જૈન કવિઓએ પણ સંસ્કૃતમાં દશ્યકાવ્યો રચ્યાં છે. તેમાં વધારે તો નહિ પરંતુ કેવળ ૪-૫ જ કૃતિઓ પ્રકાશમાં આવી છે જેમાંથી ચારના કર્તા છે કવિ હસ્તિમલ્લ અને એકના કર્તા છે તેમના જ વંશજ બ્રહ્મદેવસૂરિ. નાટકકાર હસ્લિમલ અને તેમનો સમય – દાક્ષિણાત્ય જૈન કવિઓમાં સંસ્કૃત નાટકકાર તરીકે કવિ હસ્તિમલ્લનું વિશેષ સ્થાન છે. હસ્તિમલ્લ વત્સગોત્રી દક્ષિણી બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ ગોવિન્દભટ્ટ હતું. તે તેમનો પાંચમો પુત્ર હતા. ૧. આ ભાગનું પૃ. ૪૦૮ જુઓ. Page #616 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ જૈન કાવ્યસાહિત્ય તેમના બાકીના પાંચ ભાઈઓ શ્રીકુમાર, સત્યવાક્ય, દેવવલ્લભ, ઉદયભૂષણ અને વર્ધમાન પણ કવિઓ હતા પરંતુ આપણે તેમનાથી પ્રાય: અપરિચિત છીએ. હતિમલ્લનાં બિરુદો હતાં સરસ્વતી સ્વયંવરવલ્લભ, મહાકવિતલજ અને સૂક્તિરત્નાકર. રાજાવલકથાના કર્તાએ કવિને ઉભયભાષાકવિચક્રવર્તી કહ્યા છે. હતિમલ્લ પોતે ગૃહસ્થ હતા. તેમના વંશજ બ્રહ્મસૂરિએ પોતાના પ્રતિષ્ઠાસારોદ્ધારમાં કવિના પુત્રપૌત્રાદિનું વર્ણન કર્યું છે અને તેમનું નિવાસસ્થાન ગુડિપત્તન (તાંજોરનું દીપગુડિ) દર્શાવ્યું છે. હસ્તિમલ્લનું મૂળ અસલ નામ શું હતું, એની જાણ નથી. આ બિરુદ તેમને પાંડ્ય રાજા તરફથી મળ્યું હતું. પાંડ્ય રાજાનો ઉલ્લેખ કવિએ કેટલાંય સ્થાને કર્યો છે પરંતુ તે પાંડ્ય રાજા કોણ હતા અને તેમની રાજધાની ક્યાં હતી એનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. હસ્લિમલ્લનો સમય કર્નાટકકવિચરિત્રના કર્તા આર. નરસિંહરાચાર્ય ઈ.સ. ૧૨૯૦ અર્થાત વિ.સં.૧૩૪૮ નિશ્ચિત કર્યો છે. સ્વ. ૫. જુગલકિશોર મુન્નાર બ્રહ્મસૂરિને વિક્રમની ૧૫મી શતાબ્દીના વિદ્વાન માને છે, અને હતિમલ્લ તેમના પિતામહના પિતામહ હતા, તેથી ૧૦૦ વર્ષ પહેલાંનો હસ્તીમલ્લનો સમય ચૌદમી શતાબ્દી અનુમાન દ્વારા નિશ્ચિત કરી શકાય. હસ્તિમલ્લના ચાર નાટકો પ્રકાશિત થયાં છે. તે ચાર છે – અંજનાપવનંજય, સુભદ્રાનાટિકા, વિક્રાન્તકૌરવ અને મૈથિલીકલ્યાણ (ત્રોટક). તેમણે રચેલાં બીજાં ચાર નાટકોનો ઉલ્લેખ માત્ર મળે છે. આ નાટકો છે – ઉદયનરાજ, ભરતરાજ, અર્જુનરાજ અને મેઘેશ્વર. અન્ય એક રચના “પ્રતિષ્ઠાતિલકનો પણ ઉલ્લેખ મળે છે અને સંભવતઃ તેની હસ્તપ્રત આરાના સિદ્ધાન્તભવનમાં છે. તેમણે કન્નડ ભાષામાં રચેલા આદિપુરાણ (પુરુચરિત) અને શ્રીપુરાણ બે ગ્રન્થો પણ મળે છે.' અહીં ઉક્ત કવિએ રચેલાં ચાર નાટકોનો પરિચય આપીએ છીએ. ૧. વિશેષ પરિચય માટે જુઓ “અંજનાપવનંજય' (માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈ)ની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૫-૧૪ તથા હિન્દી પ્રસ્તાવના, પૃ. ૬૩-૬૮. Page #617 -------------------------------------------------------------------------- ________________ લલિત વાદ્ભય પ૯૫ અંજનાપવનંજય આ નાટકમાં ૭ અંક છે. તેમાં વિદ્યાધર રાજકુમારી અંજનાનો સ્વયંવર, રાજકુમાર પવનંજય સાથે વિવાહ અને તેમના પુત્ર હનુમાનનો જન્મ – આ ઘટનાપ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. અંજના-પવનંજયનું અનેક ઉતાર-ચઢાવથી ભરેલું ચરિત જૈન સાહિત્યમાં સારી રીતે જાણીતું છે. વિમલસૂરિના પઉમચરિયના ૧૫-૧૮ ઉદેશક અને રવિણના પદ્મપુરાણ તથા સ્વયમ્ભના પઉમચરિકની સંધિ ૧૮-૧૯ આ ચરિતનો આધાર છે પરંતુ નાટકકારે તેમાં આવશ્યક પરિવર્તનો કર્યા છે. સ્વયંવરની યોજના કવિની પોતાની કલ્પના છે. પૂર્વ ચરિતોમાં વિવાહના પહેલાં પવનંજય અંજનાથી વિરક્ત હતો પરંતુ અહીં તેનાથી એકદમ ઊલટું છે, મોટું પરિવર્તન છે. રંગમંચ ઉપર ન દર્શાવવા લાયક અન્ય ઘટનાઓ જેવી કે શિશુ હનુમાનનું વિમાનમાંથી પડી જવું અને શિલાના ચૂરેચૂરા થઈ જવા વગેરે આમાં નથી દર્શાવવામાં આવી. નાટકમાં કથોપકથનશૈલી સારી છે પરંતુ ક્યાંક ક્યાંક નાયક અને વિદૂષકના કથન લાંબા અને સમાસબહુલ થઈ ગયાં છે. આ નાટકના રૂપમાં મહાકાવ્ય હોય એવું લાગે છે. આને રંગમંચ ઉપર ભજવવું કઠિન છે. છંદોની યોજનામાં, દશ્યાવલી ઉપસ્થિત કરવામાં અને કહેવતો જેવાં વાક્યોની રચનામાં કવિ પૂરેપૂરા દક્ષ છે. કેટલીક સૂક્તિઓ ધ્યાનાર્હ છે : (૧) સુવાહા દિ માથેરાનાં પરિણાવ: I (પૃ.૯). (૨) ન હતુ તુ નામ રૈવ . (પૃ. ૧૭૭) (૩) મનુભૂત દશોદિતિ વન્યુઝ સાન્નિધ્યમ્ . (પૃ.૧૧૫) (૪) સ્વજીવરિ: રાજુ ખમવો મત . (પૃ.૮૬) ૧. જિનરત્નકોશ, પૃ. ૪; માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, પુષ્પ ૪૩, પ્રો. માધવ વાસુદેવ પટવર્ધન દ્વારા સમ્પાદિત, મુંબઈ, ૧૯૫૦, આમાં સુભદ્રાનાટિકા પણ આપી ૨. અંજનાપવનંજયની અંગ્રેજી પ્રસ્તાવનામાં પ્રો. પટવર્ધને પૃ. ૨૪-૨૫માં તે બધાં આવાં વાક્યોનું સંકલન કર્યું છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ જૈન કાવ્યસાહિત્ય સુભદ્રાનાટિકા આ ચાર અંકોની નાટિકા છે. તેમાં ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીની સાથે કચ્છરાજની પુત્રી અને વિદ્યાધર નમિની બેન સુભદ્રાના પરિણયની ઘટનાનું વર્ણન છે. આ નાટિકાની કથાવસ્તુ જૈન જગતમાં સુપ્રસિદ્ધ છે. સુભદ્રા-ભરતના વિવાહની ચર્ચા જિનસેને આદિપુરાણના ૩૨મા સર્ગમાં કેવળ પાંચ પદ્યોમાં કરી છે પરંતુ કવિ હસ્તિમલે તેનો નાટકીય વિસ્તાર કર્યો છે અને તેને શ્રીહર્ષની રત્નાવલીને સામે રાખી એક નાટિકાનું સુંદર રૂપ આપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. તેમાં સાહિત્યશાસ્ત્રોક્ત નાટિકાનાં લક્ષણોનું પાલન સારી રીતે થયું છે પરંતુ સંવાદોમાં ક્યાંક ક્યાંક વિસ્તાર અને સમાસબહુલ પદોનો પ્રયોગ ઔચિત્યની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. કહેવતો, સુભાષિતોથી યુક્ત સંવાદો તેની આગવી વિશેષતા છે. કેટલાક નમૂના નીચે પ્રમાણે છે : (૧) વાગે વિઘો મો: 9તુ જે ર વામ: . (પૃ.૫૪) (૨) ગર્તિ તું, અનામિકાન રિન્યતામ્ . (પૃ.૭૦) (૩) યત્રીત્તરનિરપેવ મહામાન સગોહિતસિદ્ધિ ૫ (પૃ.૮૩) (૪) સુતો મિતમાતા નયુતમ્ (પૃ.૮૬) વિક્રાન્તકૌરવ આ નાટક છ અંકોનું છે. તેમાં હસ્તિનાપુરના રાજા સોમપ્રભના પુત્ર કૌરવેશ્વર (જયકુમાર) અને કાશીના રાજા અકમ્પનની પુત્રી સુલોચનાના વિવાહનું ચિત્રણ કરવામાં આવ્યું છે. તેને સુલોચનાનાટક પણ કહે છે. ૧. માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, પુષ્પ ૪૩માં પ્રો. મા. વા. પટવર્ધન દ્વારા સંપાદિત, મુંબઈ, ૧૯૫૦, આ અંજનાપવનંજય સાથે પ્રકાશિત છે. તેની અંગ્રેજી પ્રસ્તાવનામાં નાટિકાના અંકોનો સાર આપ્યો છે અને કહેવતો જેવી સૂક્તિઓનું સંકલન (પૃ.૫૬ પ૭) કર્યું છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૫૦; માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, પુષ્પ ૩, મુંબઈ, ૧૯૭૨. Page #619 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય તેનું કથાનક જૈન જગતમાં સુપ્રસિદ્ધ છે. કથાવસ્તુનો આધાર જિનસેનકૃત આદિપુરાણ છે. આદિપુરાણમાં ૪૩થી ૪૫ પર્વોમાં જયકુમાર-સુલોચનાનું કથાવર્ણન છે. હસ્તિમલ્લે આદિપુરાણના કથાનકનું પૂરી રીતે અનુકરણ કર્યું છે, કેવળ નામોમાં કંઈક પરિવર્તન કર્યું છે. આદિપુરાણમાં કંચુકી રાજાઓનું વર્ણન કરે છે પરંતુ અહીં પ્રતીહારનું નામ આપ્યું છે. આદિપુરાણમાં અકંપનની બીજી પુત્રીનું નામ લક્ષ્મીમતી યા અક્ષમાલા છે જ્યારે અહીં રત્નમાલા છે. બાકીનું કથાનક પ્રાયઃ એકસરખું મળતું આવે છે. તેને નાટકીય રૂપમાં પિરવર્તિત કરવામાં હસ્તિમલ્લે અપૂર્વ કૌશલ દેખાડ્યું છે. તેમાં પઘોની બહુલતાના કારણે ઘટનાપ્રવાહમાં બાધા આવી છે પરંતુ આમ તો બધા સંવાદો સારા છે. તે સુભાષિતો અને સૂક્તિઓથી ભરપૂર છે. પ્રાકૃતમાં નિર્મિત સંવાદ ક્યાંક ક્યાંક લાંબા જણાય છે. તેમાં અનેક નૂતન શબ્દોનો પ્રયોગ અપેક્ષાકૃત અધિક થયો છે, જેમ કે નિષ્કુટ (ગૃહારામ), ગોસર્ગ (પ્રભાત), પારી, વીટી (પાનનું બીડું), સહસાન (મયૂર), આન્દોલિકા (ડોળી યા પાલખી), નિષ્ટાપ (ભયાનક ગર્મી), સંપેટ (ક્રુદ્ધ), અભિસાર (આક્રમણ) વગેરે. મૈથિલીકલ્યાણ આ નાટકમાં પાંચ અંક છે તથા સીતા અને રામના સ્વયંવરનું આલેખન છે.૧ પહેલા ચાર અંકોમાં રામ-સીતાનું પહેલું મિલન, આકર્ષણ, વિરહ, કામવેદના વગેરેનું વર્ણન છે. પાંચમા અંકમાં સીતાના સ્વયંવરની તૈયારી થાય છે. સ્વયંવરમાં રામ વજાવર્ત નામના દિવ્ય ધનુષને તોડે છે અને સીતા તેમના ગળામાં વરમાળા પહેરાવે છે. બન્નેનો વિવાહ ઉત્સવપૂર્વક થાય છે. ૫૯૭ સીતાના સ્વયંવરનું વર્ણન વિમલસૂરિના પઉમચરિયના ઉદ્દેશ ૩૮માં, રવિષેણના પદ્મપુરાણના પર્વ ૩૮માં અને સ્વયમ્ભના પઉમચરની સંધિ ૨૧માં આપવામાં આવ્યું છે. ઉક્ત જૈન પુરાણો અનુસાર રાજા જનક પોતાના રાજ્યની રક્ષાને નજરમાં રાખીને સીતાનો વિવાહ રામ સાથે કરાવવા ઈચ્છે છે. નારદ સીતાના ઘરમાં આવે છે અને તેના દ્વારા અનાદર પામી તેનો બદલો લેવાની ભાવનાથી આ વિવાહમાં બાધક બને છે. તે જનકનું અપહરણ કરાવે છે અને વિદ્યાધરો ૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૫; માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, પુષ્પ ૫, મુંબઈ, ૧૯૭૩, તેનો સાર અને સમીક્ષા ‘અંજનાપવનંજય'ની ભૂમિકામાં પ્રો, પટવર્ધને આપ્યાં છે અને તેમાં આવેલી બધી સૂક્તિઓનું સંકલન કર્યું છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ દ્વારા પ્રદત્ત ધનુષ તોડવામાં સફળતા પ્રાપ્ત કરનાર વરની સાથે વિવાહ કરાવી દેવાનું વચન તે પાળે છે. પરંતુ કવિવર હસ્તિમલ્લે નાટકીય અભિનયને યોગ્ય ઉક્ત ઘટનાઓને પસંદ ન કરીને પ્રારંભથી જ રામ-સીતાના પ્રેમવ્યાપાર ઉપર જ નાટકને આશ્રિત કર્યું છે. નાટકકાર નાયકનાયિકાના મિલનને કેટલીય વાર દેખાડીને ઉદીપન ભાવોનું ચિત્રણ કરે છે. હસ્તિમલ્લની આ રૂપકાત્મક અંતિમ કૃતિ છે. તે અન્ય કૃતિઓની અપેક્ષાએ સરળ તથા પ્રવાહી છે. નાટ્યશાસ્ત્ર અનુસાર આને ત્રોટક કહેવી જોઈએ. સાહિત્યદર્પણ અનુસાર ત્રોટક ઉપરૂપકનો એક પ્રકાર છે. ત્રોટકનું લક્ષણ નીચે પ્રમાણે છે : જૈન કાવ્યસાહિત્ય सप्ताष्टनवपञ्चाकं दिव्यमानुषसंश्रयम् । ત્રોટાં નામ તત્ પ્રાછું: પ્રત્યાં સવિદૂષમ્ ॥ ૫.૨૭૩ આ નાટકમાં આ લક્ષણ પૂરેપૂરું ઘટે છે. તેની સંવાદશૈલી સરસ છે તથા સૂક્તિઓ અને સુભાષિતોથી ભરપૂર છે. જ્યોતિપ્રભાનાટક આ નાટકની કથાવસ્તુ ૧૬મા તીર્થંકર શાન્તિનાથના નવમા પૂર્વભવના જીવ અમિતતેજ વિદ્યાધર અને ત્રિપૃષ્ઠ નારાયણની પુત્રી જ્યોતિપ્રભાનું રોમેંટિક ચરિત્ર છે. અમિતતેજનું પાવન ચિરત્ર તો ગુણભદ્રના ઉત્તરપુરાણના ૬૨મા પર્વમાં આલેખાયું છે પરંતુ ત્યાં જ્યોતિપ્રભાના ચરિત્રનું કોઈ વિશેષ આલેખન નથી. સંભવ છે કે આ નાટકનો આધાર કોઈ એવું શાન્તિનાથચિરત હશે જેમાં જ્યોતિપ્રભાના રોમેટિક જીવનનું નિરૂપણ હોય. કર્તા અને રચનાકાળ આ નાટકના કર્તા બ્રહ્મસૂરિ છે. તે નાટકકાર હસ્તિમલ્લના વંશજ છે અને તેમનાથી લગભગ ૧૦૦ વર્ષ પછી વિક્રમની ૧૫મી શતાબ્દીમાં થયા છે. તેમના બે ગ્રન્થો ત્રિવર્ણાચાર અને પ્રતિષ્ઠાતિલક પ્રસિદ્ધ છે. - ૧. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૧૩; આ નાટક બેંગલોરના સંસ્કૃત માસિક પત્ર ‘કાવ્યાધિ’ (સન ૧૮૯૩-૯૪)માં પ્રકાશિત થયું છે; જિનરત્નકોશ, પૃ. ૧૫૧. ૨. પ્રોષે નાયતે પ્રાતઃ વિદ્યા મંગલવારમ્ । किं रूपयन्तु तच्चेह ब्रह्मसूरिकृतिश्च का || Page #621 -------------------------------------------------------------------------- ________________ લલિત વાય આ નાટકની રચના ભગવાન શાન્તિનાથના જન્મકલ્યાણકના પૂજામહોત્સવના દિવસે ભજવવા માટે કરવામાં આવી હતી. રમ્ભામંજરી આ એક સટ્ટક છે. તે અપૂર્ણ છે. તેની કેવળ ત્રણ જ યવનિકાઓ મળે છે. તેને હસ્તલિખિત અને મુદ્રિત પ્રતિઓમાં ભૂલથી નાટિકા કહેવામાં આવેલ છે, ‘સમાતા રમ્યામંનરી નાટિા'. લેખકે તો નટ અને સૂત્રધારના માધ્યમથી તેને સટ્ટક જ કહેલ છે. ૫૯૯ આનું કથાનક લઘુ છે. તે અનુસાર બનારસનો રાજા પંગુ ઉપનામધારી જૈત્રચન્દ્ર યા જયચન્દ્ર સાત સાત રાણીઓ હોવા છતાં પોતાને ચક્રવર્તી સિદ્ધ કરવા માટે લાટનરેશ દેવરાજની પુત્રી રમ્મા સાથે લગ્ન કરે છે. આ સટ્ટક વિશ્વનાથની યાત્રામાં એકઠા થયેલા લોકોના મનોરંજન માટે રાજાની ઈચ્છાથી ભજવવા માટે રચાયું હતું. તેમાં ચૈત્રસિંહના પિતાનું નામ મલ્લદેવ અને માતાનું નામ ચંદ્રલેખા લખ્યું છે. લેખક નયચન્દ્રે આ કથાનકને ક્યાંકથી લીધું હોવાના સંકેતો એકથી વધુ વાર આપ્યા છે. આના પહેલાં જૈત્રચન્દ્રનું કંઈક વર્ણન પ્રબન્ધચિન્તામણિ, પુરાતનપ્રબન્ધસંગ્રહ અને પ્રબન્ધકોશમાં મળે છે. તે ગ્રન્થોમાં તેને વારાણસીનો રાજા તો કહ્યો છે પરંતુ તેના પિતાના નામ અંગે મđક્ય નથી. તેની સાત રાણીઓ અને આઠમી રમ્માના વિશે પ્રબન્ધોમાં કોઈ ઉલ્લેખ નથી. રાજાનું ઉપનામ ‘પંગુ’ યા ‘પંગુલ’ હતું એ વાત તો પ્રબન્ધોમાં પણ મળે છે અને તેની જે વ્યાખ્યા ૧. જિનરત્નકોશ, પૃ. ૩૨૯; રામચન્દ્ર શાસ્ત્રી અને બી. કેવલદાસે નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી ઈ.સ.૧૮૮૯માં આને પ્રકાશિત કરેલ છે. આ સટ્ટકની યવનિકાઓની વિષયવસ્તુ માટે જુઓ – ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૬૩૩; ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, પ્રાકૃત ભાષા ઔર સાહિત્ય કા આલોચનાત્મક ઈતિહાસ, પૃ. ૪૨૬-૩૧; ડૉ. આ. ને. ઉપાધ્યે, ‘નયચન્દ્ર ઔર ઉનકા ગ્રન્થ રમ્યામંજરી', પ્રેમી અભિનન્દન ગ્રન્થ, પૃ. ૪૪૧, Page #622 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ જૈન કાવ્યસાહિત્ય રબ્બામંજરીમાં આપી છે લગભગ તેવી જ પ્રબન્ધોમાં પણ આપી છે. તેથી સ્પષ્ટ થઈ જાય છે કે નયચન્દ્રનો નાયક ગઢવાલ જૈત્રીન્દ્ર (જયચન્દ્ર) ઐતિહાસિક વ્યક્તિ હતો. નયચન્દ્ર કપૂરમંજરીના ઢંગનું સટ્ટક બનાવવા માટે કથાનકમાં કેટલાક ઉમેરા કર્યા છે. જો કે લેખકે પ્રસ્તુત કૃતિને એક રીતે કપૂરમંજરીથી શ્રેષ્ઠ કહી છે પરંતુ હકીકતમાં તે કપૂરમંજરીનું અનુકરણ છે. વસંતવર્ણન, વિદૂષક અને દાસી વચ્ચેનો કલહ, દ્વારપાલે વિરહી રાજાનું ચિત્ત પ્રકૃતિવર્ણન તરફ વાળવું વગેરે કપૂરમંજરીનું સ્મરણ કરાવે છે. કેટલાક ભાવો તો થોડા અત્તર સાથે બન્નેમાં સરખા છે, જેમ કે વિદૂષકનું સ્વપ્રદર્શન તથા અશોક, બકુલ અને કુરબકથી રાજાની વાસનાઓનું ઉત્તેજિત થવું અને પ્રેમપત્રનો આશય આદિ. જો કે કપૂરમંજરીનું કથાનક નાનું છે પરંતુ તેની જરા પણ તુલના રશ્મામંજરી સાથે નથી કરી શકાતી. આ સટ્ટકનો ઉદેશ્ય શો છે એ અન્ત સુધી જાણવા મળતું નથી અને ન તો ફળની પ્રાપ્તિ થાય છે. કથાનો અંત કેવી રીતે થયો એ જિજ્ઞાસા અંત સુધી રહે છે. આ એક ખંડિત સટ્ટક છે. રશ્મામંજરીનાં પ્રાકૃત પદ્ય એટલાં પ્રભાવવાળાં નથી જેટલાં કે કપૂરમંજરીનાં છે. નયચન્દ્ર સંસ્કૃતમાં ભાવાભિવ્યક્તિ કરવામાં મહાન પંડિત હતા અને તેમનાં કેટલાંક પઘો ખરેખર તેમની કવિત્વશક્તિનાં પરિચાયક છે. દશ્યકાવ્ય તરીકે રજ્જામંજરીનો કોઈ સારો પ્રભાવ નથી. સભ્ય પ્રેક્ષકવૃંદ સમક્ષ રંગમંચ ઉપર એક રાજાને એક પછી બે રાણીઓથી કામવિદ્વલ બનતો દેખાડવો એ કેવી રીતે સારું હોઈ શકે? તેના શૃંગારપૂર્ણ ભાવો પણ ગંભીર અને ઉદાત્ત નથી. ચિત્રણમાં પણ પ્રભાવની અપેક્ષાએ દેખાડો વધુ છે. કવિએ નટ, સૂત્રધાર, પ્રતિહારી દ્વારા રાજાની પ્રશંસામાં સંસ્કૃત, પ્રાકૃત અને મરાઠી છંદોનો પ્રયોગ કર્યો છે. આ એક મહત્ત્વપૂર્ણ શૈલી છે કે નયચન્દ્ર સંસ્કૃત બોલનારાં કેટલાંક પાત્રોનાં મુખમાં પ્રાકૃત પદ્યો પણ મૂકી દીધાં છે અને પ્રાકૃત બોલનારાં પાત્રોનાં મુખમાં સંસ્કૃત પદ્ય. સટ્ટકમાં સંસ્કૃતનો પ્રયોગ શાસ્ત્રસમ્મત ન હોવાથી અહીં વ્યતિક્રમ સૂચવે છે. કર્તા અને રચનાકાલ – આના કર્તા નયચન્દ્રસૂરિ છે. તેમની એક અન્ય ઐતિહાસિક કૃતિ “હમ્મીરમહાકાવ્ય છે. ઉક્ત કાવ્યના પ્રસંગે તેમનો વિસ્તૃત Page #623 -------------------------------------------------------------------------- ________________ લલિત વા≠ય પરિચય આપી દીધો છે. રચના અપૂર્ણ હોવાથી તેનો રચનાકાળ જાણી શકાયો નથી. જ્ઞાનચન્દ્રોદયનાટક હકીકતમાં આ કોઈ નાટક નથી. તેને લેખકે ‘૫રમાત્મવિવરણ’ કહેલ છે. પરંતુ તેના પાંચ વિભાગોને અંક કહ્યા છે. અમુક વિષય શરૂ થાય ત્યારે તેની ‘શરૂઆત’ના અર્થમાં ‘પ્રવિશતિ' અને સમાપ્ત થાય ત્યારે ‘સમાપ્તિ’ના અર્થમાં ‘નિષ્કા’ શબ્દોનો પ્રયોગ કર્યો છે. જીવ, બંધ, સામાન્યસંવિત્, વિશેષસંવિત્, કર્મ, ચિત્, શબ્દબ્રહ્મ, ચિદ્વિલાસ જેવા વિષયોનું નિરૂપણ છે. અહીં કોઈને પાત્રો રૂપે રજૂ કર્યા નથી, personi fication નથી. અહીં કોઈ સંવાદ નથી. ગદ્ય નથી. કેવળ ૩૯૮ પઘો વિવિધ મોટા છંદોમાં છે. જૈન તત્ત્વજ્ઞાનની કૃતિ છે. કુંદકુંદની કૃતિઓ અને તેમની ટીકાઓનો કૃતિ ઉપર ઘણો પ્રભાવ છે. તેના કર્તા સમ્રાટ્ અકબરના સમકાલિક પદ્મસુન્દર છે. તેમની અન્ય કૃતિ ‘રાયમલ્લાભ્યુદયકાવ્ય'ના પ્રસંગે તેમનો પરિચય આપી દીધો છે. તેમનો સાહિત્યિક કાલ વિ.સં.૧૬૨૬થી ૧૬૩૯ છે. જ્ઞાનસૂર્યોદયનાટક આએક સંસ્કૃતનાટક છે. તેશ્રીકૃષ્ણમિશ્રનાપ્રબોધચન્દ્રોદયના જવાબમાં રચાયેલી કૃતિ છે. પ્રબોધચન્દ્રોદયમાં ક્ષપણકના (દિગંબર જૈન મુનિના) પાત્રને બહુ જ નિન્દિત અને ધૃણિત રૂપમાં ચીતરવામાં આવ્યું છે. કદાચ તેનો બદલો લેવા જ્ઞાનસૂર્યોદયનાટકની રચના થઈ છે. બન્ને રચનાઓમાં બહુ સમાનતા છે. પાત્રોનાં નામો પ્રાયઃ સમાન છે, તેની સાથે એક જ આશયવાળાં વીસ જેટલાં પદ્યો અને ગદ્યવાક્યો થોડી શબ્દોની હેરફેર સાથે એકસરખાં મળે છે. ૬૦૧ જ્ઞાનસૂર્યોદયની અષ્ટશતી એ પ્રબોધચન્દ્રોદયની ઉપનિષત્ છે. કામ, ક્રોધ, લોભ, દંભ, અહંકાર, મન, વિવેક વગેરે એકસરખાં છે. જ્ઞાનસૂર્યોદયની દયાપ્રબોધચન્દ્રોદયની શ્રદ્ધા છે. બન્ને ક્રમશઃ દયા અને શ્રદ્ધાનું ગુમ થઈ જવું બતાવે છે. જ્ઞાનસૂર્યોદયમાં અષ્ટશતીનો પતિ ‘પ્રબોધ’ છે અને પ્રબોધચન્દ્રોદયમાં ઉપનિષત્નો પતિ ‘પુરુષ’ છે. જ્ઞાનસૂર્યોદયના કર્તાએ પ્રબોધચન્દ્રોદયની જેમ જ બૌદ્ધોનો ઉપહાસ કર્યો છે અને ક્ષપણકના બદલે સિતપટને ખડોં કરી શ્વેતાંબર જૈનોનો પણ ઉપહાસ કર્યો છે. સંભવ છે કે ‘મુદ્રિતકુમુદચન્દ્ર’ની પ્રતિક્રિયામાં આમ કરવામાં આવ્યું હોય. ૧. કેટલાક વિદ્વાનો ઉક્ત સટ્ટકને જૈન કવિ નયચન્દ્રની રચના માનવા તૈયાર નથી. ૨. ડૉ. નગીન શાહ દ્વારા સંપાદિત, લા.દ.વિદ્યામંદિર, અમદાવાદથી ઈ.સ.૧૯૮૧માં પ્રકાશિત, અંગ્રેજી પ્રસ્તાવના સાથે. જિનરત્નકોશ, પૃ. ૧૪૭. ૩. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૮૫ Page #624 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ જૈન કાવ્યસાહિત્ય કર્તા અને રચનાકાળ – આના કર્તા વાદિચન્દ્ર છે. તે મૂલસંઘના ભટ્ટારક જ્ઞાનભૂષણના પ્રશિષ્ય અને પ્રભાચન્દ્રના શિષ્ય હતા. તેમણે ઉક્ત નાટકને માઘ સુદી ૮ વિ.સં. ૧૬૪૮ના દિવસે મધૂક નગર (મહુવા, ગુજરાત)માં સમાપ્ત કર્યું હતું. તેમનો પરિચય પહેલાં આપી દીધો છે. અન્ય નાટકોમાં આગમગશ્કેશ મલયચન્દ્રસૂરિકૃત “મન્મથમથનનાટ્ય અપર નામ “સ્થૂલભદ્રનાટક' ઉલ્લેખનીય છે. તેની રચના આચાર્ય સ્થૂલભદ્ર અને કોશા (વેશ્યા)ના ઉપાખ્યાન ઉપર કરવામાં આવી છે. આ ગાયકવાડ પ્રાચ્ય વિદ્યા સંસ્થાનના જર્નલમાં (૧૯૬૬-૬૭) પ્રકાશિત થયેલ છે. મેઘવિજયગણિકૃત “યુક્તિપ્રબોધનાટકમાં વાણારસીય મત (દિગ.તેરાપન્થ)નું ખંડન કરવામાં આવ્યું છે. આના ઉપર સ્વોપજ્ઞ ટીકા પણ મળે છે. જિનરત્નકોશમાં કવિ અહંદુદ્દાસરચિત “અંજનાપવનંજય અને કેશવસેન ભટ્ટારકકૃત “ઋષભદેવનિર્વાણાનન્દ નાટકનો ઉલ્લેખ મળે છે. સાહિત્યિક ટીકાઓ જૈન વિદ્વાનોએ કેવળ સ્વતન્તરૂપે કાવ્યસાહિત્યનું સર્જન જ નથી કર્યું પરંતુ ભાવી પેઢીઓ માટે તે સાહિત્યને બોધગમ્ય બનાવવા માટે લઘુ તથા વિશાલકાય ટીકાઓ (વિભિન્ન નામોવાળી) પણ રચી છે. તે ટીકાઓનો યથાસંભવ ઉલ્લેખ અમે તે તે કાવ્યના પ્રસંગમાં કરતા આવ્યા છીએ. તો પણ ગ્રન્થભંડારોની પ્રકાશિત બૃહત્ સૂચીઓમાંથી અનેક અજ્ઞાત ટીકાઓની જાણકારી મળતી રહી છે. તેમને જિજ્ઞાસુઓ કષ્ટ કરીને ત્યાંથી જાણી લે. જૈન વિદ્વાનોએ કેવળ જૈન સાહિત્ય ઉપર જ ટીકાઓ નથી લખી પરંતુ સાંપ્રદાયિકતાનો મોહ છોડીને તેમણે જૈનેતર સાહિત્યના ન્યાય, વ્યાકરણ, જયોતિષ આદિ ગ્રન્થો ઉપર સંસ્કૃત ભાષામાં બહુવિધ ટીકાઓ લખવા સાથે જ જૈનેતર કાવ્યો, નાટકો, દૂતકાવ્યો વગેરે ઉપર વિશિષ્ટ અને સમાદરણીય ટીકાઓ પણ લખી છે જેમાંથી અનેક ટીકાઓથી સંસ્કૃતનો અધ્યેતાવર્ગ સુપરિચિત છે અને લાભાન્વિત પણ છે. १. वसुवेदरसाब्जाङ्के वर्षे माघे सिताष्टमीदिवसे। श्रीमन्मधूकनगरे सिद्धोऽयं बोधसंरम्भः ॥ ३ ॥ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૨૦ ૩. એજન, પૃ. ૪ ૪. એઝન, પૃ. ૫૭ Page #625 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય કાદમ્બરી ઉ૫૨ એક માત્ર પ્રકાશિત પ્રાચીન ટીંકાના લેખક ભાનુચંદ્રગણિસિદ્ધિચંદ્રગણિનું નામ કયા સંસ્કૃતજ્ઞથી અજાણ્યું છે ? કાવ્યપ્રકાશના મર્મજ્ઞ માણિક્યચન્દ્રસૂરિ તેના ઉપર લખેલી સંકેતટીકા માટે સદા યાદ રહેશે. ૧૫મી-૧૬મી સદીમાં જૈન વિદ્વાનોમાં અનેક ટીકાકાર થયા છે જેમણે સ્વતંત્ર રચનાઓની અપેક્ષાએ ટીકાઓની રચના કરવાના કાર્યને જ જીવનના વ્રત તરીકે સ્વીકાર્યું. ખરતરગચ્છના ચારિત્રવર્ધનગણિ (૧૫મી સદી) અનેક સાહિત્યિક કૃતિઓ ઉપર ટીકાઓ લખવા માટે ખાસ પ્રસિદ્ધ છે. તેમની જૈન કાવ્યોમાં સૂક્તિમુક્તાવલી આદિ અનેક ગ્રન્થો ઉપરાંત રઘુવંશ, કુમારસંભવ, મેઘદૂત, નૈષધ અને શિશુપાલવધ કાવ્યો ઉપર પણ ટીકાઓ મળે છે. ખરતરગચ્છના જ ગુણવિનયોપાધ્યાયે (૧૬મી સદી) પણ અનેક જૈન ગ્રન્થો ઉપર ટીકાઓ લખવાની સાથે સાથે રઘુવંશ, નલદમયન્તીચમ્પૂ, ખંડપ્રશસ્તિ વગેરે ઉપર ટીકાઓ લખી છે. તેવી જ રીતે શાન્તિસૂરિએ ઘટકર્પરકાવ્ય, વૃન્દાવનકાવ્ય, શિવભદ્રકાવ્ય અને રાક્ષસકાવ્ય ઉ૫૨૫ ટીકાઓ લખી છે. સર્વાધિક ટીકાઓ જૈન કવિઓએ મહાકવિ કાલિદાસનાં કાવ્યો રઘુવંશ, કુમારસંભવ અને મેઘદૂત ઉપર લખી છે. ‘રઘુવંશ’* ઉપર નીચે જણાવેલી ટીકાઓ નિમ્નોક્ત આચાર્યોએ લખેલી મળે છે : (૧) શિષ્યહિનૈષિણી ચારિત્રવર્ધન (વિ.સં.૧૫૦૭) (૨) ટીકા ક્ષેમહંસ (૧૬મી સદી) (૩) વિશેષાર્થબોધિકા – ગુણવિનય (વિ.સં.૧૬૪૬) - ૧. નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ ૨. આનન્દાશ્રમ સિરિઝ, પૂના, ૧૯૨૧ ૩. જિનરત્નકોશ ૬૦૩ ૪. એજન પ. એજન, પૃ. ૧૧૩, ૩૨૯, ૩૬૪, ૩૮૩ ૬. એજન, પૃ. ૩૨૫; મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૪. Page #626 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ (૪) સુબોધિની (૫) અર્થાલાપનિકા (૬) ટીકા જિનસમુદ્રસૂરિ (૧૬મી સદી) (૭) સુબોધિની – ધર્મમેરુ (૧૭મી સદી) - (૮) સુગમાન્નયા સુમતિવિજય (વિ.સં.૧૬૯૮) (૯) ટીકા – શ્રીવિજયગણિ - -- - ગુણરત્ન (વિ.સં.૧૬૬૭) - - (૧૦) ટીકા – પુણ્યહર્ષ (૧૮મી સદી) બીજા કાવ્ય કુમારસંભવ ઉપર નીચે જણાવેલી ટીકાઓ જૈન વિદ્વાનોએ લખી છે : (૧) કુમારતાત્પર્ય (૨) ટીકા — ક્ષેમહંસ (૧૬મી સદી) મિત્રરત્ન (વિ.સં.૧૫૭૪) (સાત સર્ગ સુધી) (૩) અવસૂરિ (૪) ટીકા ધર્મકીર્તિ (દિગંબર) (૫) ટીકા જિનસમુદ્રસૂરિ (૧૬મી સદી) (૬) ટીકા લક્ષ્મીવલ્લભ (વિ.સં.૧૭૨૧) (૭) ટીકા સમયસુન્દર (૧૭મી સદી) (૮) ટીકા જિનવલ્લભસૂરિ (૯) ટીકા કુમારસેન (૧૦) વૃત્તિ (૧૧) બાલબોધિની સમયસુન્દર (વિ.સં.૧૬૯૨) — ચારિત્રવર્ધન (૧૬મી સદી) કલ્યાણસાગર - જૈન કાવ્યસાહિત્ય જિનભદ્રસૂરિ (૧૫મી સદી) મહાકવિ કાલિદાસના ખંડકાવ્ય મેઘદૂતર ઉપર પણ ઘણી બધી જૈન ટીકાઓ મળે છે જેવી કે : ૧. જિનરત્નકોશ, પૃ. ૯૩; મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૨ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૧૩-૧૪; મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૪; સમયસુન્દર ઉપાધ્યાયે મેઘદૂતના પ્રથમ પદ્યના ત્રણ અર્થ કર્યા છે. Page #627 -------------------------------------------------------------------------- ________________ લલિત વાડ્રય ૬૦૫ (૧) ટીકા – આસઢ કવિ (૨) વૃત્તિ – ક્ષેમહંસ (૧૬મી સદી) (૩) બાલાવબોધ – મહામેરુ (૪) અવચૂરિ – કનકકીર્તિ (૧૭મી સદી) (૫) અવચૂરિ – સુમતિવિનય (૬) અવચૂરિ – વિનયચન્દ્ર (વિ.સં.૧૯૬૪) (૭) પંજિકા – ગુણરત્ન (૧૭મી સદી) (૮) ટીકા – ચારિત્રવર્ધનગણિ (૧૫મી સદી) (૯) ટીકા – જિનહંસસૂરિ (૧૦) ટીકા – મહિમસિંહ (વિ.સં. ૧૬૯૩) (૧૧) ટીકા – સુમતિવિજય (૧૮મી સદી) (૧૨) ટીકા – સમયસુન્દર ઉપાધ્યાય (૧૭મી સદી) (૧૩) ટીકા – શ્રીવિજયગણિ (૧૪) ટીકા – વિજયસૂરિ (વિ.સં.૧૭૦૯) (૧૫) ટીકા – મેઘરાજગણિ (૧૬) મેઘલતા – અજ્ઞાતકર્તક મહાકવિ કાલિદાસનાં કાવ્યો પછી મહાકવિ ભારવિના પ્રસિદ્ધ મહાકાવ્ય કિરાતાજુનીયર્ન ઉપર પણ બે જૈન ટીકાઓ મળે છે : વિ.સં.૧૬૦૩ યા ૧૬૧૩માં રચાયેલી વિનયસુન્દરકૃત ટીકા તથા તપાગચ્છના ધર્મવિજયગણિત દીપિકા ટીકા. - પ્રાચીન ગદ્યકાવ્યોમાં સુબધુની વાસવદત્તા ઉપર સિદ્ધિચન્દ્રમણિકૃત વૃત્તિ મળે છે તથા સર્વચન્દ્રકૃત વૃત્તિ અને નરસિંહસેનકૃત ટીકાનો ઉલ્લેખ મળે છે. તેવી જ રીતે, મહાકવિ બાણકૃત ગદ્યકાવ્ય કાદમ્બરીના પૂર્વ ખંડ ઉપર ભાનુચન્દ્રમણિકૃત તથા ઉત્તર ખંડ ઉપર સિદ્ધિચન્દ્રગણિકૃત ટીકા પ્રકાશિત છે. તેના ઉપર સૂરચન્દ્ર ૧. જિનરત્નકોશ, પૃ. ૯૧ ૨. એજન, પૃ. ૩૪૮; જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૨, કિરણ ૧ ૩. જિનરત્નકોશ, પૃ. ૮૪ Page #628 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ જેન કાવ્યસાહિત્ય (૧૭મી સદી) કૃત એક અન્ય ટીકાનો પણ ઉલ્લેખ મળે છે. અન્ય મહાકાવ્યોમાં ભટિકાવ્ય પર કુમુદાનન્દકૃત સુબોધિની અને શિશુપાલવધ મહાકાવ્ય પર ચારિત્રવર્ધનની (૧૫મી સદી) અને ધર્મચિની (૧૭મી સદી) ટીકાઓ તથા લલિતકીર્તિકૃત (૧૭મી સદી) સહધ્વાન્તદીપિકા ટીકા મળે છે. સમયસુન્દર ઉપાધ્યાયે પણ આ કાવ્યના ત્રીજા સર્ગ ઉપર ટીકા લખી છે. તેવી જ રીતે શ્રીહર્ષના નૈષધીયચરિત મહાકાવ્ય પર ચાર ટીકાઓ મળે છે. તેમાં સૌથી પ્રાચીન વિ.સં.૧૧૭૦માં રચાયેલી મુનિચન્દ્રસૂરિકૃત ટીકા છે. બીજી ટીકા વિ.સં. ૧૫૧૧માં ચારિત્રવધૂને (ખરતરગચ્છ) અને ત્રીજી ટીકા જિનરાજસૂરિએ (ખરતરગચ્છ, ૧૭મી સદી) લખી છે. તપાગચ્છના રત્નચન્દ્રગણિએ (૧૭મી સદી) સુબોધિકા નામની ટીકા પણ ઉક્ત મહાકાવ્ય પર લખી છે, તે મળે છે. અન્ય જૈનેતર કાવ્યોમાંથી “નવોદય' પર આદિત્યસૂરિકૃત ટીકા, રાઘવપાંડવીય પર પદ્મનન્દ, પુષ્પદન્ત અને ચારિત્રવર્ધનની ટીકાઓ, ખંડપ્રશસ્તિ' (હનુમત્કૃતા) પર ધર્મશેખરસૂરિકૃત (વિ.સં. ૧૫૦૧) વૃત્તિ, ગુણવિનયકૃત સુબોધિકા (વિ.સં.૧૬૪૧) અને અજ્ઞાતકર્તક વૃત્તિ, ઘટકર્પરકાવ્ય પર શાન્તિસૂરિની અને પૂર્ણચન્દ્રની ટીકાઓ, વૃન્દાવનકાવ્ય, શિવભદ્રકાવ્ય અને રાક્ષસકાવ્ય પર શાન્તિસૂરિકૃત ટીકાઓ, દુર્ધટકાવ્ય પર પુણ્યશીલ મુનિકૃત ટીકા અને જગદાભરણકાવ્ય પર જ્ઞાનપ્રમોદકૃત ટીકા મળે છે. ચપૂકાવ્યોમાં દમયન્તીચમ્પ પર પ્રબોધમાણિજ્યકૃત ટિપ્પણી તથા ચંડપાલકૃત ટીકા મળે છે. અને નલચમ્પ પર ગુણવિનયગણિએ રચેલી ટીકા મળે છે. ૧. એજન, પૃ.૩૩૪; મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રંથ, દ્વિતીય ખંડ, પૃ. ૨૫ ૨. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રંથ, દ્વિતીય ખંડ, પૃ.૨૫ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૧૯ ૪. એજન, પૃ. ૩૨૯ ૫. એજન, પૃ. ૧૦૧ ૬-૭.એજન, પૃ. ૧૧૩, ૩૨૯, ૩૬૪, ૩૮૩ ૮ એજન, પૃ. ૪૬૫ ૯. એજન, પૃ. ૧૬૬ Page #629 -------------------------------------------------------------------------- ________________ લલિત વાક્રય સુભાષિતોમાં ભર્તૃહિરના શતકત્રય પર ધનદરાજ (વિ.સં.૧૪૯૦), ધનસારસૂરિ, અભયકુશલ (વિ.સં.૧૭૫૫) તથા રામવિજય ઉપાધ્યાયની (વિ.સં.૧૭૮૮) રચેલી ટીકાઓ મળે છે. તેમના કેવળ વૈરાગ્યશતક પર ગુણવિનય ઉપાધ્યાય (વિ.સં.૧૬૪૭), સહજકીર્તિ (૧૭મી સદી), જિનસમુદ્ર (વિ.સં.૧૭૪૦) અને જ્ઞાનસાગરની (૧૮મી સદી) રચેલી ટીકાઓ મળે છે. તેમના કેવળ શૃંગારશતક પર જિનવલ્લભસૂરિષ્કૃત (૧૨મી સદી) ટીકા મળે છે. ૧૮મી સદીના રામવિજયે (રૂપચન્દ્રે) ભર્તૃહરિશતક અને અમરુશતક પર ટબાર્થ લખ્યા છે. જૈનેતર નાટકોમાં કવિ મુરારિના અનર્થરાઘવ પર તપાગચ્છના જિનહર્ષગણિની વૃત્તિ, નરચન્દ્રસૂરિનું (૧૩મી સદી) ટિપ્પણ અને દેવપ્રભસૂરિની રહસ્યાદર્શ ટીકા મળે છે. તેવી જ રીતે શ્રીકૃષ્ણ મિશ્રના પ્રબોધચન્દ્રોદય' નાટક પર રત્નશેખરસૂરિ, જિનહર્ષ તથા કામદાસે રચેલી વૃત્તિઓ મળે છે. પ્રાકૃતના પ્રસિદ્ધ સટ્ટક કર્પૂરમંજરી પર પણ પ્રેમરાજકૃત લઘુટીકા અને ધર્મચન્દ્રકૃત (૧૬મી સદી) ટીકા મળે છે. પ્રાચીન જૈન ગ્રન્થભંડારોની જુદે જુદે સમયે પ્રકાશિત થયેલી સૂચીઓમાંથી આપણને અન્ય કાવ્યગ્રન્થો પર રચાયેલી ટીકાઓની માહિતી મળે છે, તે બધીનું સંકલન અહીં શક્ય નથી. તે બધી ટીકાઓ જૈન મનીષીઓની સાંપ્રદાયિકતાની ભાવનાથી મુક્ત સાહિત્યિક સેવાને દર્શાવે છે. ૬૦૭ ૧. એજન, પૃ. ૩૭૦ ૨. એજન, પૃ. ૩૬૬; મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, ખંડ ૨, પૃ. ૨૫ ૩. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૧ ૪. જિનરત્નકોશ, પૃ. ૭ ૫. એજન, પૃ. ૨૬૫; જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૨, કિરણ ૧ ૬. જિનરત્નકોશ, પૃ. ૬૮ - ૭. સાંપ્રદાયિકતાની ભાવનાથી ઉપર ઊઠી સાહિત્યસેવા કરવાનાં ઉદાહરણો બીજાં પણ મળે છે. તે માટે જુઓ – શ્રી અગરચન્દ નાહટાનો લેખ : દિગંબર ગ્રન્થો ૫૨ શ્વેતાંબર વિદ્વાનોં કી ટીકાઓં એવં અનુવાદ (વીરવાણી, ૪.૨૩) તથા જૈન ગ્રન્થોં પર જૈનેતર ટીકાઓં (ભારતીય વિદ્યા, ૨. ૩-૪). Page #630 -------------------------------------------------------------------------- ________________ Page #631 -------------------------------------------------------------------------- ________________ અંક્લેશ્વર ૨૯૦ અંગદેશ ૨૯૨ અંચલગચ્છ ૧૧૦, ૧૫૭, ૧૯૭, ૧૯૯, ૩૦૩, ૩૧૨, ૩૧૪, ૩૫૧, ૩૬૩, ૪૬૨, ૧૧૬, ૫૧૮, ૧૫૦ અંચલગચ્છ-પટ્ટાવલી ૪૫૬ અંજના ૧૩૯, ૧૬૦, ૧૯૫ અંજનાચરિત ૧૩૯ અંજનાપવનંજય ૫૯૪, ૫૯૫, ૬૦૨ અંજનાસુન્દરી ૧૮૩ અંજનાસુન્દરીચરિત ૧૮૩ અંબડ ૭૩ અકંપન ૧૭૮, ૫૯૬, ૫૯૭ અકબર ૧૦, ૬૬, ૬૭, ૭૮, ૧૨૫, ૧૫૭, ૧૫૮, ૨૧૭, ૨૧૯, ૨૨૯, ૩૧૩, ૪૩૨-૪૩૫, ૫૨૩, ૬૦૧ અકબરશાહિશૃંગારદર્પણ ૬૭, ૪૩૨ અકલંક ૨૩૫, ૨૭૯, ૩૧૭, ૫૨૬ અકલંકકથા ૩૧૭ અકાલવર્ષ ૬૨ અક્ષમાલા ૫૯૭ શબ્દાનુક્રમણિકા અક્ષયતૃતીયાકથા ૨૬૨, ૩૬૭, ૩૭૧ અક્ષયવિધાનકથા ૩૭૧ અગડદત્ત ૧૪૩, ૨૫૧, ૩૦૮ અગડદત્તપુરાણ ૩૦૮ અગરચન્દ નાહટા ૪૧૪, ૪૭૩ અગ્નિ ૧૮૪ અગ્નિભૂતિ ૧૯૫ અગ્નિમુખ ૧૩૨ અગ્નિશર્મા ૨૬૭, ૩૪૧, ૫૦૯ અઘટકુમાર ૩૧૧ અઘટકુમારકથા ૩૧૧ અઘટનૃપકુમારકથા ૩૧૧ અચ્ચકારિભટ્ટિકાકથા ૩૫૯ અચ્યુતેન્દ્ર ૪૮૨ અજ ૮૯ અજમેર ૪૧૦, ૪૫૭ અજયદેવ ૪૨૩, ૧૮૬ અજયપાલ ૩૯૯, ૪૧૦, ૪૨૩, ૫૨૨, ૫૮૩, ૫૮૫, ૫૮૬ અજયમેરુ ૯ અજાતપુત્રથા ૩૬૩ અજાતશત્રુ ૧૯૧ અજાપુત્ર ૩૨૦ અજાપુત્રકથા ૫૧૬ અજાપુત્રકથાનક ૩૨૦ અજિતંજય ૪૮૨ અજિતદેવ ૧૧૫, ૨૫૭ અજિતદેવસૂરિ ૨૦૨ અજિતનાથ ૬૦, ૭૨, ૯૬, ૫૮૨ અજિતનાથપુરાણ ૯૫ અજિતપ્રભસૂરિ ૧૦૭, ૩૨૬, ૩૩૪ અજિતશાન્તિસ્તવ ૫૬૮ અજિતશાન્તિસ્તવન ૫૬૮ Page #632 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ અજિતસાગ૨ ૩૧૦ અજિતસિંહસૂરિ ૮૪ અજિતસેન ૬૫, ૧૫૦, ૨૯૨, ૩૫૩, ૪૮૨ અજિતસેના ૪૮૨ અજિયસંતિથય ૫૬૫ અણહિલપાટન ૩૦૦, ૪૨૧,૪૫૧ અણહિલપુર ૯, ૧૨૯, ૩૯૭, ૩૯૮, ૪૨૪, ૪૪૨, ૪૪૩, ૪૬૪, ૫૮૪ અણહિલપુરપાટન ૪૬૫ અણહિલવાડ ૪૦૩, ૪૦૪, ૪૪૩ અણહિલ્લપત્તન ૪૦૬, ૫૦૨ અણહિલ્લપુર ૧૦૨, ૫૩૬ અણાઢિયદેવ ૧૪૧ ૧૧૫, ૪૧૭, અતિભદ્ર ૨૬૧ અતિમુક્તક ૧૯૪, ૧૯૭, ૨૪૪ અતિમુક્તકચરિત ૧૭૧, ૧૯૭ અથર્વણ ૩૮૪ અથર્વવેદ ૧૨૭, ૧૪૨, ૪૩૬, ૫૬૩ અદીનશત્રુ ૧૧૦ અદૃષ્ટપાર ૫૩૩ અધ્યર્ધશતક ૫૬૩ અધ્યાત્મકમલમાર્તણ્ડ ૧૫૮ અધ્યાત્મકલ્પદ્રુમ ૧૪૮, ૨૧૭ અધ્યાત્માષ્ટક ૨૮૭ અનંગસિંહાદિકથા ૨૬૫ અનંગસુન્દરી ૩૫૬ અનંગસુન્દરીકથા ૩૫૬ અનગારધર્મામૃત ૫૦૫ અનન્તકીર્તિ ૨૦૮ અનન્તચતુર્દશીપૂજાકથા ૩૭૧ અનન્તનાથચરિત ૧૦૪ અનન્તનાથપુરાણ ૧૦૪ અનન્તનાથસ્તોત્ર ૯૧ અનન્તનાહચરિય ૮૫ અનન્તભૂષણ ૩૭૦ અનન્તવીર્ય ૩૬૮ અનન્તવ્રતકથા ૩૭૧ અનન્તવ્રતવિધાનકથા ૩૭૧ અનન્તહંસ ૧૬૭, ૨૬૫, ૨૭૫, ૩૭૧ અનર્થરાઘવ ૬૦૭ જૈન કાવ્યસાહિત્ય અનર્થરાવઘટિપ્પણ ૨૫૧ અનર્થરાઘવનાટક ૪૩૯ અનાથમુનિકથા ૩૧૮ અનીતિપુર ૩૦૫ અનુત્તરોવવાઇયદસાઓ ૧૬૮ અનુભવશતક ૨૦૦ અનુભવસાવિવિધ ૧૩૮ અનુયોગદ્વાર ૫ અનુયોગદ્વા૨સૂત્ર ૩૩૪ અનેકાર્થનામમાલા ૫૨૭ અન્તઃકૃદશાંગ ૧૪૭. અન્નકૃતદશાંગ ૨૯૮ અન્નગડ ૨૪૫ અન્તગડદસા ૧૯૭ અન્તરકથાસંગ્રહ ૨૫૩ અન્તર્કથાસંગ્રહ ૪૨૯ અન્યકવૃષ્ણિ ૧૪૨ અન્નિકાચાર્ય ૩૧૯ અત્રિકાચાર્ય-પુષ્પચૂલાકથા ૩૧૯ અન્યયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા ૫૬૬ અન્યોક્તિમુક્તામહોધિ ૨૧૮, ૨૫૩ અન્યોક્તિમુક્તાવલી ૫૬૦ Page #633 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૧૧ અન્યોક્તિશતક પ૬૦ અબંધનગર ૧૪૯ અબુલફઝલ ૪૩૩-૪૩૫ અબ્દુલ રહમાન ૫૬૧ અભય ૫૦૬ અભયકીર્તિ ૪૫૭ અભયકુમાર ૬૧, ૬૩, ૭૪, ૧૬૦, ૧૭૭, ૧૯૧, ૫૦૭ અભયકુમારચરિત ૧૯૧, ૪૯૫ અભયકુશલ ૬૦૭ અભયચન્દ્ર ૩૭૯ અભયતિલકગણિ ૧૯૩, ૩૯૯ અભયદેવ ૮૮, ૨૦૫, ૨૦૬, ૨૩૮, ૨૪૮, ૩૫૦, ૩૬૦ અભયદેવસૂરિ ૭૧, ૮૦, ૮૨, ૮૯, ૧૦૨, ૧૦૯, ૧૨૯, ૧૩૩, ૧૬૪, ૧૯૩, ૨૩૮, ૩૪૫, ૪૯૮, ૫૬૬ અભયદેવાચાર્ય ૪૨૧ અભયધર્મવાચક ૨૬૫ અભયનદિ ૧૧૯, ૩૮૬, ૪૧૬, ૪૮૩, અભિનન્દનનાથ ૮૦ અભિનવચારકીર્તિ પપ૮, પપ૯ અભિનવપમ્પ ૧૧૯ અભિનિષ્ક્રમણ ૨૦૦ અત્યંકર ૧૧૩ અમમ ૧૨૭ અમમસ્વામિચરિત ૧૧૨, ૧૨૭, ૪૪૪ અમરકેતુ ૩૪૮ અમરકોષ પપ૬ અમરગુપ્ત ૨૬૮ અમરચન્દ્ર ૨૫૦, ૩૨૧, ૩૨૨, ૩૭૨, ૪૦૪, ૪૬૭, ૪૨૮ અમરચન્દ્રસૂરિ ૧૮, ૩૦, ૭૬, ૯૪, ૨૫૯, ૫૦૨, ૫૧૨, - ૫૧૪, પ૧૫ અમરતેજા-ધર્મબુદ્ધિકથા ૩૧૬ અમરદત્ત ૧૦૭, ૩૨૨, ૫૯ અમરદત્ત-મિત્રાનન્દકથાનક ૩૨૨ અમરદાસ ૪૩ અમરવિજય ૩૧૯ " અમરસિંહ ૧૦૩, ૨૫૭ અમરસુન્દર ૧૬૭ અમરસુન્દરસૂરિ ૧૬૮ અમરસેન ૩૨૨ અમરસેનવજસેનકથાનક ૩૨૨ અમરસેનવજસેનાદિકથાદશક ૨૬૪ અમરુશતક ૬૦૭ અમિતગતિ ૨૭૦-૨૭૫, પ૬૦, ૫૬૨ અમિતતેજ વિદ્યાધર પ૯૮ અમિતસેન ૪૬ અમીર પ૯૦ અમૃતદેવસૂરિ ૧૩૩ ૪૮૪ અભયમતિ ૫૪૦ અભયમતી ૨૮૪-૨૮૭ અભયરુચિ ૨૮૪-૨૮૭, ૫૪૦. અભયશ્રીકથા ૩૬૦ અભયસિંહ ૧૯૬, ૩૮૬ અભયસિંહકથા ૩૩૩ અભયસિંહસૂરિ ૩૮૬ અભયસેન ૪૬ અભિજ્ઞાનશાંકુતલ ૮૯ અભિધાનરાજેન્દ્ર ૩૬૯ Page #634 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ૨ જેન કાવ્યસાહિત્ય અમૃતધર્મ ૧૯૬, ૨૯૧, ૨૯૪, ૩૬૯, ૪૫૪ અમૃતામ્ર ૫૦૯ અમોઘવર્ષ ૯, ૧૬, ૩૮, ૧૯, ૪૬૭ અમ્બડ ૧૬૧, ૧૬૭, ૧૯૫, ૩૮૦, ૩૮૧, ૪૧૫ અમ્બડકથા ૩૮૧ અમ્બડચરિત ૧૬૭, ૩૮૧ અખાદેવી ૪૪૪ અમ્બાલાલ પ્રેમચન્દ્ર શાહ ૨૧૩ અમ્બિક કથા ૫૩ અમ્બિકાસ્વતન પ૬૯ અમ્બિકાસ્તોત્ર ૫૦૧ અમ્બલિનેમિ ૫૩૬ અમ્મ ૭૧, ૭૨ અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા પ૬૬ અયોધ્યા ૩૬, ૬૧, ૧૭૮, ૨૯૧, ૩૩૮, ૩૪૦, પ૧૭, પ૨૫, પ૨૯, ૫૩૦, ૫૩૪ અરનાથ ૭૩, ૮૬, ૧૧૦, ૧૩૦, ૧૩૨ અરબ ૪૨૭ અરવિન્દ ૧૧૮ અરર્ ૨૬, ૫૮૧ અરહ ૧૪૬ અરિકેશરી તૃતીય ૫૪૧ અરિકેસરિનું ૨૪૦ અરિમર્દન ૨૯૨ અરિષ્ટનેમિ ૩૬૧, ૩૯૩ અરિષ્ટનેમિપુરાણસંગ્રહ ૪૩ અરિસિંહ ૪૦૪, ૪૩૭, પ૦ર અરિસિંહ ઠક્કુર ૪૪૧, ૫૧૪ અર્ગલ અન્વય ૧૧૯ અરુણદેવ ૧૦૩ અરુણમણિ ૯૫, ૯૬ અર્કકીર્તિ ૫૮, ૧૭૮ અર્ગલપુર ૧૫૮ અર્જુન ૪૯૯, ૫૦૦, પર૭ અર્જુનદેવ ૪૪૫ અર્જુનમાલાકાર ૧૯૫, ૧૯૯ અર્જુનમાલી ૧૯૯ અર્જુનરાજ પ૯૪ અર્ણોરાજ ૩૯૮, ૪૨૦, ૪૦૧, ૪૦૫, ૪૧૦, ૪૧૫, ૪૩૦, ૫૮૩ અર્થાલાપનિકા ૬૦૪ અર્ધફાલક સંપ્રદાય ૨૦૭ અર્બદ પ્રાચીન લેખસંદોહ ૪૭૧ અર્બુદાચલ પ્રદક્ષિણા લેખસંગ્રહ ૪૭૧ અહંદર ૨૬૮ અર્ધગીતા ૭૯ અર્હદાસ ૧૪, ૧૧૪, ૨૬૦, ૫૦૪, ૫૦૫, ૫૪૪, ૫૬૦, ૬૦૨ અહમ્મુનિ ૪૧ અલંકારપ્રબોધ પ૧૪ અલંકારમડન પર૧ અલંકારમહોદધિકારિકા ૪૪૦ અલબટાઉની ૪૩૪ અલાઉદ્દીન ૪૧૧-૪૧૩, ૪ર૬ અવકર્ણક ૧૬૨ અવચૂરિ ૬૦૪, ૬૦૫ અવન્તિસુકુમાલ ૨૯૯ અવન્તિસુકુમાલકથા ૨૯૯ અવન્તી ૪૫, ૩૫૫, ૩૭૬ અશનિઘોષ ૧૦૭, ૧૦૮, ૪૯૩, ૪૯૪, ૫૦૯ અશનિનિર્દોષ ૧૦૬ અશનિવેગ પપ૧ Page #635 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા અશોક ૧૨૭, ૧૮૮,૨૦૪, ૩૧૭, ૩૫૩, ૪૬૮ અશોકચન્દ્ર ૧૯૧ અશોકદત્ત ૨૫૦ અશ્રુગ્રીવ ૯૦, ૪૮૫ અશ્વઘોષ ૧૪, ૨૫, ૧૮૬, ૧૮૮, ૩૩૨ અશ્વરાજ ૪૦૫, ૫૦૨ અશ્વસેન ૮૮, ૪૯૩ અષ્ટકર્મવિપાક ૨૪૫ અષ્ટપ્રકારપૂજાકથા ૩૭૧ અષ્ટલક્ષી ૫૨૩ અષ્ટાદશકથા ૨૬૪ અષ્ટાધ્યાયી ૫૭૨ અષ્ટાપદ જિનાલય ૫૧૫ અષ્ટાક્ષિકા ૩૭૨ અષ્ટાહ્નિકાકથા ૩૭૧ અષ્ટાહ્નિકાપૂજા ૫૨ અસંગલ ૧૧૮ અસગ ૯૭, ૧૦૪, ૧૨૬, ૪૮૪-૪૮૬ અહમદાબાદ ૧૩, ૫૪, ૮૭, ૧૭૬, ૨૫૨, ૩૧૭, ૪૩૩, ૪૪૧, ૪૫૫, ૪૬૫, ૫૭૧ અહિચ્છત્રપુર ૪૮૦ આઇનેઅકબરી ૪૩૩ આંચલિકગચ્છ ૯૮ આકાશપશ્ચમીકથા ૩૭૧ આક્ખાણયમણિકોસ૨૪૨ આખ્યાનકમણિકોશ ૭૨, ૮૫, ૨૪૨ આખ્યાનકમણિકોશ-વૃત્તિ ૨૪૨ આખ્યાનમણિકોશ ૯૨, ૩૦૪ આગમગચ્છ ૧૩૪, ૨૦૨, ૨૪૭, ૨૬૧, ૩૩૦, ૩૫૧ આગમગચ્છેશ ૬૦૨ આગમસાર ૫૨ આગ્રા ૧૩, ૧૫૮, ૨૧૭, ૪૩૩, ૪૬૩, ૫૬૨ ૬૧૩ આધાટપુર ૯ આચારાંગ ૩, ૭૦, ૫૬૪ આચારોપદેશ ૩૮૬, ૪૧૬, ૫૫૧ આજમ ખાં ૪૩૩ આજ્ઞાસુન્દર ૩૫૩ આત્મબોકુલક ૯૨ આત્મભક્તામર ૫૬૭ આત્મભાવદ્વાત્રિંશિકા ૨૦૦ આત્માનુશાસન ૫૬૦ આદિજિન ૫૫૨ આદિત્યવ્રતકથા ૩૭૨ આદિત્યસૂરિ ૬૦૬ આદિનાથ ૬૩, ૧૬૬, ૪૦૮, ૪૩૮, ૪૪૪, ૫૦૨, ૫૪૩ આદિનાથચરિત્ર ૯૫ આદિનાથ નેમિનાથ ઉપાધ્યે ૩૯, ૧૮૮, ૨૩૫ આદિનાથપુરાણ ૯૫ આદિનાથમંદિર ૪૫૧ આદિનાથસ્તોત્ર ૫૦૧, ૫૦૨, ૫૬૮ આદિનાહચરિય ૮૦, ૩૫૦ આદિપુરાણ ૪૬, ૫૧, ૫૫, ૬૬, ૯૫, ૧૮૭, ૪૫૦, ૪૯૦, ૫૪૪, ૫૪૮, ૫૯૪, ૧૯૬, ૧૯૭ Page #636 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૪ જૈન કાવ્યસાહિત્ય આદીશ્વર ૭૨ આદીશ્વર જિનાલય ૫૮૩ આનંદવંશ ૩૭ આનંદીબાઈ ૨૬૩ આનન્દ ૭૩, ૧૧૮, ૧૯૪, ૨૬૮, ૪૪૪ આનન્દકુશલ ૨૩૦ આનન્દપ્રભ ૨૬૧ આનન્દપ્રમોદ ૧૧૦ આનન્દમેરુ ૬૬, ૬૭, ૧૨૫, ૪૩૨ આનન્દરત્નસૂરિ ૨૬૧ આનન્દવિજય ૪૬૪ આનન્દસુન્દર ૨૫૪, ૩પ૩ આનન્દસુન્દરકાવ્ય ૧૯૯ આનન્દસૂરિ ૯૨, ૨૫૯ આનન્દાદિશ્રાવક ચરિત ૧૯૯ આનર્તપુર ૧૮૫ આન્ત્રપ્રદેશ ૪૬ આબૂ ૩૬૪, ૩૯૮, ૪૦૪, ૪૪૪, ૪૪૬, ૪૬૫, ૪૬૭, ૪૬૯, ૪૭૦, ૪૭૧, ૪૭૩, પ૦૨ આભડ ૪૨૮ આભાણશતક પ૬૦ આભીર ૪૧૦ આભૂ૪૪૬ આમ ૪૨૨ આમણ ૪૪૫ આમનાગાવલોક ૪૨૧ આમ રાજા પ૭૩ આમલકલ્પા ૮૯ આમેર ૨૯૧, ૪૪૧ આમ્રકવિ ૭૧ આમ્રદેવ ૭૧, ૮૫, ૩૦૪ આપ્રદેવસૂરિ ૨૪૩ આગ્રદેવોપાધ્યાય ૯૨ આમૃભટ ૪૧૦, ૪૧૬ આર. નરસિંહાચાર પપ૯, પ૯૪ આરા ૮૫, ૨૮૯, ૫૯૪ આરાધના ૨૭૩, ૩૪૨ આરાધના-કથાકોષ ૧૬૫ આરાધનાશાસ્ત્ર ૯૧ આરાધના-સત્કથા-પ્રબંધ ૨૩૬ આરામતનય ૨૪૯ આરામનન્દનકથા ૩૨૦. આરામનન્દનચૌપાઈ ૩૨૦ આરામશોભાકથા ૩પ૬ આરામશોભાચરિત્ર ૪૧૭ આદ્રક ૧૭૭. આર્તકકુમાર ૧૭૭ આદ્રકકુમારચરિત ૧૭૭ આર્દ્રકુમાર ૭૩, ૭૪, ૧૯૫ આર્દ્રદેવ ૪૯૦ આર્ય પપ૭ આર્યઆષાઢકથા ૩૩૩ આર્યખપટ ૨૦૬ આર્યનન્દ ૪૬, ૫૯, ૫૩૮ આર્યરક્ષિત ૪, ૨૦૨ આર્યરક્ષિતસૂરિ ૨૦૬ આર્ષભીમચરિત્ર ૩૧૦ આલાપક સ્વરૂપજબૂદષ્ટાન્ત ૧પ૭ આલ્સડોર્ક ૧૪૪, ૩૦૮ આવશ્યક ૫, ૭૬, ૨૪૩, ૨૭૧, ૪૪૮ આવશ્યકકથાસંગ્રહ ૨૬૪ Page #637 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા - ૬ ૧૫ આવશ્યકચૂર્ણિ ૫, ૧૪૩, ૨૦૯, ૩૯૦ આવશ્યકટીકા ૩૬૩, ૫૧૬ આવશ્યકનિર્યુક્તિ ૫, ૨૪૬, ૩૧૯ આવશ્યકનિર્યુક્તિ-ચૂર્ણિ ૩૪ આવસ્મય ૨૪૫ આશાધર ૧૪, ૬૫, ૧૨૮, ૧૮૩, ૪૬૧, ૪૮૪, ૫૦૪, ૫૦૫, પ૬૮ આશાપલ્લી ૩૪૫, ૪૧૫, ૪૪૩ આશારાજ ૪૧૭, ૫૦૨ આશાશાહ ૧૪ આશુક ૪૪૮ આશુકવિ ૫૧૪ આષાઢ ૭૧ આષાઢભૂતિ પ૭૨ આસડ ૨૩૪, ૪૦૮ આસઢકવિ ૬૦૫ આસઢમુનિ ૫૫૯ આસાપલ્લિપુરી ૮૭ ઇક્વાકુ ૩૬, ૨, ૪૮૦, પ૩૧ ઈન્ડિયન એન્ટીક્વેરી ૪૬૯. ઈન્ડોચીન ૩૮૯ ઈન્ડોનેશિયા ૩૮૯ ઈન્દુદૂત ૪૬૪, પ૪૬, પપર, પપ૩ ઈન્દુમતી ૮૯, ૪૮૭ ઈન્દ્ર ૧૮૫, ૨૧૩, ૨૩૬, ૩૭૮, ૪૭૮, પ૩૬, પ૬૩, પ૭૨ ઈન્દ્રગુરુ ૪૧ ઈન્દ્રજાલિકકથા ૩૩૩ ઈન્દ્રદેવરસ ૨૯૫ ઈન્દ્રન૮િ ૧૧૯, ૪૫૦ ઈન્દ્રભૂતિ ૮૬, ૧૯૫ ઈન્દ્રરંસગણિ ૧૦૪, ૧૪૦, ૨૨૭ ઈન્દ્રાયુધ ૪પ ઈલાચીપુત્ર ૩૧૮ ઈલાચીપુત્રકથા ૩૧૮ ઈલાપતિરાજ ૧૨૭ ઈલાહાબાદ ૩૯૪, ૩૯૬, ૪૩૬ ઈષ્ટાર્થસાધક ૩૬૨ ઈસિદત્તાચરિય ૩૪૬ ઈસિમણ્ડલથોર પ૬૫ ઈડર ૫૧, ૧૮૦, ૨૪૮, ૪પ૬-૪૫૮ ઈરાન ૧૭૭ ઈલિયડ ૨૭ ઈશ્વરસેન ૪૬ ઈસાઈ ૫૮૫ ઈ. હુલ્શ ૪૬૯ ઉકેશગચ્છ ૩પર ઉકેશગચ્છીય-પટ્ટાવલી ૪૫૬ ઉગ્રસેન ૪૭૯ ઉજ્જયિની ૧૬૩, ૨૦૧, ૨૩પ, ૨૮૪, ૨૯૨, ૨૯૭, ૩૭૪, ૩૮૪, ૩૮૫, પ૩૩-૫૩૫, - ૫૫૧ ઉજજૈન ૯, ૩૭, ૨૧૩, ૨૬૭, ૨૯૧, ૨૯૨, ૨૯૯, ૩૪૭, ૩૫૬ ઉજ્જૈની ૧૯૪, ૨૦૯, ૨૭૧, ૩૦૮, ૩૧૧, ૩૭૮ ઉડીસા fપર, ૧૫૩ ઉણાદિનામમાલા ૨૪૫ ઉત્તમકુમાર ૩૦૮ ઉત્તમકુમારચરિત ૩૦૮ ઉત્તમપુર ૧૮૪, ૧૮૫ ઉત્તમર્ષિ ર૫૩ ઉત્તમવિજય ૧૯૬ ઉત્તર કોશલ ૪૮૭ Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ જૈન કાવ્યસાહિત્ય ઉત્તરપુરાણ ૧૭, ૩૪, ૪૧, ૫૧, પર, ૫૫, ૬૦, ૬૬, ૮૯, ૧૫૦, ૧૫૪, ૧૭૦, ૩૦૧, ૪૪૨, ૪૫૦, ૪૬૧, ૪૮૦, ૪૮૧, ૪૮૫, ૪૮૬, ૪૯૦, ૫૦૩, ૫૯૮ ઉત્તર પ્રદેશ ૮, ૪૮૦ ઉત્તરરામચરિત ૫૭૫, ૫૭૬ ઉત્તરાધ્યયન ૪૪, ૧૬૦, ૧૬૧, ૧૯૭, ૨૪૩, ૨૪૫, ૨૬૯, ૨૭૧, ૩૦૮, ૩૧૮, ૪૪૮, પ૬૪, ૫૭૨ ઉત્તરાધ્યયનકથાઓ ૨૬૪ ઉત્તરાધ્યયનકથાસંગ્રહ ૨૧૭, ૨૬૪ ઉત્તરાધ્યયનચૂર્ણિ ૨૦૯ ઉત્તરાધ્યયનટીકા ૩૦૪, ૩૫૮ ઉત્તરાધ્યયનનિર્યુક્તિ ૨૦૯ ઉત્તરાધ્યયનવૃત્તિ ૯૨, ૩૦૮ ઉત્તરાપથ ૩૪૧ ઉદયચન્દ્ર ૩૧૩ ઉદયદીપિકા ૭૮ ઉદયધર્મ ૨૬૧ ઉદયધર્મગણિ ૩૨૮ ઉદયન ૨૦૧, ૪૧૦, ૪૯૪ ઉદયનચરિત્ર ૧૯૪ ઉદયનન્દિ ૨૦૭ ઉદયનરાજકથા ૧૯૪ ઉદયપ્રભ ૧૧૫, ૨૫૮, ૨૬૬, ૪૦૩ ઉદયપ્રભસૂરિ ૧૮, ૨૫, ૫૦, ૧૨૧, ૧૨૨, ૧૫૪, ૨૫૯, ૩પ૩, ૪૦૮, ૪૦૯, ૪૨૦, ૪૩૮ ઉદયભૂષણ પ૯૪ ઉદયરાજ ૪૪પ ઉદયવિજય ૧૪૦ ઉદયવીરગણિ ૧૨૫ ઉદયસાગર ૧૧૦, ૧૭૬ ઉદયસાગરગણિ ૨૯૪ ઉદાયન ૭૩, ૭૪, ૧૯૬ ઉદાયનનૃપપ્રબન્ધ ૧૯૬ ઉદાયનરાજકથા ૧૯૬ ઉદાયનરાજચરિત્ર ૧૯૭ ઉદાયી ૭૪ ઉદ્યોતનસૂરિ ૩૩, ૩૯, ૪૨, ૪૮, ૯૨, ૧૫૬, ૧૭૯, ૧૮૦, ૧૮૭, ૧૮૮, ૨૬૯, ૨૮૬, ૩૦૪, ૩૩૫, ૩૪૧, ૩૪૩, ૪૫૧, પ૩૧ ઉદ્યોતપંચમીકથા ૩૭૨ ઉદ્યોતસાગર ૧૬૯, ૧૭૪ ઉપકેશગચ્છ ૮૩, ૨૨૯, ૩૬૨ ઉપદેશકંદલી ૨૩૩, ૨૩૪, ૪૦૮ ઉપદેશચિન્તામણિ ૨૩૩, ૫૧૮, પ૬૦ ઉપદેશતરંગિણી ૨૨૮, ૨૩૩, ૨૪૬; ૩૩૧, ૩૮૩, ૪૨૯, ૪૩૦, ૫૧૪, ૫૬૦ ઉપદેશપદ ૨૩૩, ૩૨૫, ૩૨૯, ૩૩૧, ૩૩૨, પપ૯ ઉપદેશપ્રકરણ ૨૩૩ ઉપદેશપ્રાસાદ ૨૩૪, ૨૬૨, ૩૧૮, ૩૧૯, ૩૨૪, ૩૨૫, ૩૨૭, ૩૨૮, ૩૩૧, ૩૫૭, ૩૫૯, ૩૭૩ Page #639 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬ ૧૭ ( ૭૩ ઉપદેશમાલા ૧૧૫, ૧૫૪, ૨૩૩, ૨૫૦, ૨૫૫, ૩૧૮, ૩૧૯, ૩૨૪, ૫૫૯ ઉપદેશમાલાકથાનકછપ્પય ૧૨૨ ઉપદેશમાલા-કથાસમાસ ૨૫૦ ઉપદેશમાલા-પ્રકરણ ૨૩૩, ૨૩૪ ઉપદેશરત્નાકર ૨૩૪ ઉપદેશરસાયન ૨૩૩ ઉપદેશવૃત્તિ ૩૩૧ ઉપદેશસંગ્રહ ૨૬૩ ઉપદેશસતિ ૪૩૦ ઉપદેશામૃત ૨૦૦ ઉપમિતિભવપ્રપંચ ૮૬, ૧૨૮ ઉપમિતિભવપ્રપંચાકથા ૧૩૪, ૨૭૬, ૩૪૨ ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્ધાર ૨૮૦ ઉપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય ૨૮૦ ઉપમિતિભવપ્રપંચોદ્ધાર ૨૮૦ ઉપસર્ગમર્ડન પ૨૧ ઉપાસકદશકથા ૧૯૧, ૨૬૪ ઉપાસકાચાર ૨૭૩ ઉપાસકાધ્યયન ૫૪૦ ઉપાસકાધ્યયન-ટીકા ૫૪૧ ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ ૨૦૯ ઉમાસ્વાતિ ૧૨૮ ઉર્વશી પ૭૨ ઉલુગખાં ૪૨૬ ઉલૂખાન ૪૧૧, ૪૧૨ ઉવએસમાલા ૩૨૪ ઉવસગ્ગહર પ૬૪, ૫૭૧ ઉવસગ્ગહરપ્રભાવકથા ૩૭૦ ઉવસગ્ગહરસ્તોત્ર ૫૫૫, પ૬૫, પ૬૭ ઉવાસગદસા ૨૬૯ ઉષા પ૬૩ ઋગ્વદ ૪૩૬, પ૬૩, ૫૭૨ ઋદ્ધિચન્દ્ર ૩૧૩ ઋષભ ૭, ૩૬, પ૩, ૫૫, ૭૭, ૭૯, ૯૦-૯૨, ૧૧૫, ૧૫૮, ૩૬૦, ૫૧૭, પ૨૪, પ૨૯ ઋષભદત્ત ૭૩ ઋષભદાસ ૨૧૭, ૩૬૨ ઋષભદેવ ૧૦, પ૬, પ૭, ૭૪, ૮૦, ૯૩, ૧૩૨, ૧૪૨, ૧૬૦, ૧૭૬, ૧૭૯, ૧૮૧, ૨૫૮, ૩૦૪, ૩૪૨, ૫૧૧, પ૨૨, પ૩૦, પપ૬, પપ૭, પ૬૪, - પ૯૩, પ૯૬ ઋષભદેવચરિત ૬૬, ૮૦, ૯૫, ૬૬ ઋષભદેવનિર્વાણાનન્દનાટક ૬૦૨ ઋષમપંચાશિકા પ૩૫, પ૬૫ ઋષભપુર ૩૪૦ ઋષભભક્તામર ૫૬૭ 8ષભમહિમ્નસ્તોત્ર પપપ >ઋષભવીરસ્તવ ૧૪૮ ઋષભશતક ૨૫૬ ઋષિગુપ્ત ૪૬ ઋષિદત્તા ૩૪૬ ઋષિદત્તાચરિત ૩૪૬ ઋષિદત્તાપુરાણ ૩૪૭ ઋષિદત્તાસતીઆખ્યાન ૩૪૭ ઋષિભાસિતસૂત્ર ૧૬૦, ૧૬૬, ૧૬૭, ૧૭૭ Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ જેન કાવ્યસાહિત્ય ઋષિમણ્ડલસ્તોત્રગતકથા ૩૭૧ એકાદશ-ગણધરચરિત ૨૬૬ એકાદશીવ્રત ૩૭૨ એકીભાવસ્તોત્ર ૨૮૭, પ૬૮ એ. ગેરિનો ૪૭૦ એજર્ટન ૩૮૮ એણિકા ૩૪૦ એન. ડબલ્યુ. બ્રાઉન ૨૧૩ એપિગ્રાફિયા કર્ણાટિકા ૪૬૯ એબરક્રોમ્બી ૨૬ એમ. ડિક્સન ૨૬ એલાચાર્ય ૫૯ એલાષાઢ ૨૭૧ એહોલે ૪૬૭ ઐલ ૪૩ ઓડયદેવ ૧૮, ૧૧૯, ૧૫૨, ૫૩૮ ઓડેય ૧૫૨, ૧૫૩ ઓરિસ્સા ૮, ૪૬૭, ૪૬૮ ઓસવાલ ૨૨૯, ૪૪૭ ઔડિસી ૨૭ ઔદાર્યચિન્તામણિ ૨૪૮ ઔપપાતિક ૧૬૭ ઔરંગાબાદ પપર કંકાલી ટીલા ૪૪૯ કંચનપુર ૩૦૪ કંચનમાલા ૧૪૫ કંચનરથ ૩૪૦ કંચુકી ૫૯૭ કંડરીક ૭૩, ૨૭૧ કંસ ૧૨૭, ૧૩૧, ૧૯૭, ૧૮૨ કંસવધ પ૭૨ કક્કસૂરિ ૨૨૯, ૩૩૦, ૩૬૨ કક્ક ૪૬૬ કચ્છ ૪૧૦ કચ્છરાજ ૫૯૬ કચ્છવાહા ૧૯ કછવાહા ૪૬૭ કટાહદ્વીપ ૩૮૪ કટ્ટમેરી ૧૧૯ કઇ ૮૮ કડબ ૪૬૭ કટેશ્વરી ૪૧૫ કહચરિય ૧૩૧ કથાકલ્લોલિની ૨૫૫ કથાકોશ ૪૭, ૨૩૬, ર૩૭, ૨૩૯, ૨૪૪, ૨૪૬, ૨૪૭, ૨૯૯, ૩૧૦, ૩૩૨, ૩૮૭ કથાકોશપ્રકરણ ૨૩૭, ૨૩૮ કથાકોષ ૧૬૫ કથાકોષપ્રકરણ ૨૩૮, ૩૧૬, ૩૪૫, ૩૬૦ કથાગ્રન્થ રપ૩, ૨૫૫ કથા દ્વાત્રિશિકા ૨૫૫ કથાનકકોશ ૨૩૯, ૨૫૩ કથાનુક્રમણિકા ૨૫૩ કથાપ્રબન્ધ ૨પપ કથામહોદધિ ૨૪૩ કથારત્નકોશ ૯૧, ૨૪૦ કથા રત્નકોષ ૮૯ કથારત્નસાગર ૨૫૧, ૪૩૯ કથારત્નાકર ૨૧૮, ૨૫૧, ૩૮૮ કથા રત્નાકરોદ્ધાર ૨૫૩ કથાવ ૨૫૦ Page #641 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા કથાવલી ૨૪૮ કથાશતક ૨૫૫ કથાસંગ્રહ ૨૫૩, ૨૫૪,૨૯૯, ૩૩૨, ३८८ કથાસંચય ૨૫૫ કથાસમાસ ૨૫૦ કથાસમુચ્ચય ૨૫૫ કથાસરિત્સાગર ૩૭૫, ૩૮૨ કદમ્બ ૮, ૧૮૬ કનક ૮૮ કનકકીર્તિ ૬૦૫ કનકકુશલ ૩૨૪, ૩૫૭, ૩૫૮, ૩૬૬, ૩૬૭, ૩૭૧, ૩૭૨ કનકકુશલગણિ ૨૬૧, ૩૫૯, ૩૬૮ કનકચન્દ્રસૂરિ ૧૭૫ કનકધ્વજ ૧૭૫ કનકન િ૧૧૯ કનકનિધાન ૨૧૨ કનકપુર ૧૪૯ કનકપ્રભ ૧૧૦, ૧૩૨, ૧૭૧ કનકપ્રભસૂરિ ૫૦, ૧૧૨, ૨૭૧ કનકબા ૮૯ કનકમંજરી ૧૬૩ કનકમાલા ૧૬૩, ૩૦૩, ૩૪૮ કનકરથ ૨૬૧, ૩૨૪, ૩૪૪, ૩૪૬ કનકરથકથા ૩૨૪ કનકરથચરિત ૩૨૪ કનકવતી ૪૯૬, ૪૯૭ કનકવિજય ૧૧૭, ૨૧૮ કનકવિજયગણિ ૨૬૪ કનકવેગ ૮૮ કનકશ્રેછ્યાદિકથા ૨૬૫ કનકસુન્દરી ૧૭૫ કનકસેન ૬૫, ૧૫૦ કનકસોમ ૨૧૨ ૬૧૯ કનકામર ૧૬૫ કનકાવતી ૩૨૨, ૩૫૮ કનકાવતીઆખ્યાન ૩૫૯ કનકાવતીચિરત ૩૫૮ કનકાવલી ૩૦૩ કાન નગર ૪૨૭ કન્નૌજ ૧૩, ૨૩૬, ૪૨૧, ૪૨૨, ૫૭૩ કપડવણજ ૫૫૩ કપિલકેવલી ૭૩ કષ્ઠિ ૪૮૫ કમઠ ૮૮, ૮૯, ૧૨૫ કમલપ્રભસૂરિ ૧૮૨ કમલભવ ૧૮૮ કમલરાજ ૩૧૨ કમલવિજય ૧૨૫ કમલવિજયગણિ ૨૧૮ કમલશ્રેષ્ઠી ૧૨૭ કમલસંયમોપાધ્યાય ૨૧૨ કમલસેન ૧૦૩, ૧૭૪, ૩૦૪ કમલા ૯૯ કમલાવતી ૩૪૮, ૩૫૮ કમલાવતીકથા ૩૫૮ કમલાવતીરિત ૩૫૮ કમલાવતીરાસ ૩૫૮ યવનાકથા ૩૧૬ કરકણ્ડ ૧૬૦-૧૬૨, ૧૬૪, ૧૬૫ કરકણ્ડરિઉ ૧૬૫ Page #642 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૦ જૈન કાવ્યસાહિત્ય કરકડુચરિત ૧૬૫, ૧૬૬ કલાવતીચરિત ૩૫૮ કરિણી ૩૪૯ કલાવિચક્ષણ ૩૮૪ કરિરાજકથા ૩૨૩ કલિંગ ૧૫૨, ૪૧૫, ૪૬૬, ૪૭૦ કરિરાજમહીપાલ ૨૬૧ કલિ પ૭૬ કરુણાવાયુધ પ૯૨ કલિયુગ ૪૦૬ કર્ક ૨૪૦. કલ્કિ ૪૫ કર્ણ ૩૯૭, ૪૦૨, ૫૧૩, પ૨૭ કશૂરિ ૯ કર્ણદવ ૪૪૪, ૪૪૬, ૪૪૭ કલ્પનિરુક્ત ૧૨૨ કર્ણરાજ ૫૪૧ કલ્પમંજરી ૨૪૭ કર્ણસિંહ પર કલ્પવલી ૧૧૩ કર્ણાટ ૪૧૫ કલ્પસૂત્ર ૩૪, ૪૪૬, ૪૭૨ કર્ણાટક ૫૯, ૧૮૮, ૨૦૪, ૪૭૦ કલ્યાણકીર્તિ ૨૮૩, ૨૯૦ કર્ણામૃતપુરાણ ૬૬ કલ્યાણચન્દ્ર ૩પ૪ કર્નાટક ૪૬, ૪૭, ૬૪, ૧૧૯, ૪૪૧, કલ્યાણતિલક ૨૧૨ પ૯૪ કલ્યાણમંદિર પ૬૪, પ૬૮, પ૭૧ કપૂરકથામહોદધિ ૨૪૩ કલ્યાણમંદિર સ્તોત્ર ૫૫૫, ૫૬૭, પ૬૯, કિપૂરપ્રકર પ૬૦ પ૭૦ કપૂરપ્રકરટીકા ૧૩૯, ૨૪૪ કલ્યાણમંદિરસ્તોત્રટીકા ૨૬૧ કપૂરપ્રકરટીકા ૧૫૪ કલ્યાણવિજય ૩૮, ૭૮, ૨૧૮ કપૂરમંજરી પ૭૫, ૬૦૦, ૬૦૭ કલ્યાણવિજયગણિ ૨૫૨, ૪૫૦, ૪૫૪, કપૂરમંજરીસટ્ટક ૫૭૫ ૪૫૬ કર્મકાર્ડ ૪૮૪ કલ્યાણસાગર ૬૦૪ કર્મચન્દ્ર બચ્છાવત ૪૩૩ કલ્હણ ૩૯૪, ૪૦૨, ૪૧૭, ૪૨૧, ૪૨૬ કર્મચન્દ્ર મંત્રી ૨૨૯ કવિકલ્પદ્રુમ પર૧ કર્મવંશોત્કીર્તનકાવ્ય ૨૨૯, ૪૩૩ કવિ પરમેશ્વર ૬૦ કર્મવિપાક પર કવિરાજ પ૨૫ કર્મચારકથા ૩૩૩ કવિશિક્ષા પ૧૪ કલકત્તા ૪૭૦ કશ્ચિભટ ૧૮૪ કલાપકરણસંધિગર્ભિતસ્તવ ૫૫૫, પપ૬ કશ્મીર ૧૪૯, ૪૧૫, ૪૨૧, ૪૨૨, કલાવતી ૯૭, ૧૩૬, ૧૭૪, ૧૭૫, ૪૨૪, ૪૮૧ ૩૫૮ Page #643 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬ ૨ ૧ કસાઈ પ૦૬ કસામ્બિત ૧૦૬ કસાયપાહુડ ૩, ૪૫૦ કસ્તુરચન્દ્ર કાસલીવાલ પ૧ કસ્તૂરપ્રકર ૨૫૩ કહાકોસુ ૧૯૮ કહાયણકોસ ૩૫૦ કહારયણકોસ ૯૧, ૨૪૦ કહાવલી ૬, ૩૪, ૩૫, ૭૦, ૧૫૪, ૨૦૩, ૨૦૪, ૨૦૯ કાંચનપુર ૧૬૨, ૪૯૨ કાંચી ૫૩૨ કાંપિલ્યનગર ૧૬૨ કાંપિલ્યરાજ ૧૧૦ કાકજંઘ ૧૦૩, ૧૨૭ કાકfધકોકાસકકથા ૩૩૩ કાકન્દીનગરી ૩૪૦ કાકુલ્થકેલિનાટક ૪૪૦ કાકુસ્થકેલિકાવ્ય ૨૦૧ કાઠિયાવાડ ૪૬, ૪૭, ૨૩૫, ૪૬૨ કાણભિક્ષુ ૬૦ કાતંત્રવ્યાકરણ ૨૨૧, ૫૦૫ કાતંત્રવ્યાકરણવૃત્તિ ૩૧૨ કાદમ્બરી ૧૮, ૨૩, ૨૬૭, ૩૪૧, ૪૯૧, ૫૧૯, ૫૩૧, ૫૩૩, પ૩૪, ૫૩૭, પ૩૮, ૬૦૩, ૬૦૫ કાદમ્બરીઉત્તરાર્ધટીકા ૨૧૯ કાદમ્બરીયડન પ૧૯, પર૧, ૫૪૪ કાન્તિસાગર ૪૭૩ કાન્યકુન્જ ૩૯૮ કાન્હ ૪૪૬ કાન્હણસિંહ ૯૫ કાન્હા ૪૪૭ કાબુલ ૪૩૩ કામકુક્લકથા ૩૧૬ કામકુક્ષ્માદિકથા-સંગ્રહ ૨૬૪ કામગજેન્દ્ર ૩૩૮, ૩૪૦ કામઘટકથા ૩૧૬ કામચાવ્હાલીકલ્પ ૬૫, ૧૫૦ કામતાપ્રસાદ જૈન ૪૭૪ કામદાસ ૬૦૭ કામદેવ ૧૯૪, ૨૮૧, ૫૦૦, પ૭૭ કામદેવચરિત ૯૬, ૧૯૯ કામરાજ ૧૭૯, ૧૮૦ કામરૂપ ૫૩૨ કામાંકુર ૧૨૭, ૩પ૩ કારંજા ૪પ૬, ૪૭૬ કાર્તિકશુક્લપંચમીકથા ૨૬૧, ૩૬૫ : કાર્તિકશુક્લપંચમીમાહાસ્યકથા ૩૬૬ કાર્તિકેય ૨૩૪, ૫૧૭ કાલક ૪-૬, ૨૧૩, ૪૫૨ કાલકકુમાર ૨૧૩ કાલભાચાર્ય ૨૦૩, ૨૧૦, ૨૧૩, ૩૭૯ કાલભાચાર્યકથા ૨૦૯ કાલશૌકરી ૫૦૬ કાલસંવર વિદ્યાધર ૧૪૫ કાલિક ૧૨૪, ૧૬૦ કાલિકાચાર્ય ૨૦૯ કાલિકાચાર્યકથા ૧૨૨ કાલિદાસ ૧૪, ૧૮, ૨૪, ૨૫, ૮૯, ૧૮૮, ૨૫૨, ૩૯૬, ૪૬૪, ૪૭૭, ૫૧૭, ૫૧૮, ૨૪૧, ૫૪૫, ૫૫૦, પ૭૩, ૫૭૫, ૫૮૦, ૬૦૩, ૬૦૫ Page #644 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ જૈન કાવ્યસાહિત્ય કાલીદવી ૩૩૬ કાલૂગણિ ૨૦૦ કાલૂભક્તામર ૫૬૭ કાવ્યકલાપ ૫૧૪ કાવ્યકલ્પલતા ૫૧૪ કાવ્યકલ્પલતાપરિમલ પ૧૪ કાવ્યકલ્પલતામંજરી ૫૧૪ કાવ્યકલ્પલતાવૃત્તિ ૫૧૪ કાવ્યપ્રકાશ ૧૮, ૨૧, ૧૦૪, ૧૦૬, ૧૨૦, ૧૨૧, ૪૯૧, ૬૦૩ કાવ્યપ્રકાશનલ્ડન ૨૧૯ કાવ્યમડન પ૨૦, ૨૨૧ કાવ્યમીમાંસા ૯૫ કાવ્યરત્ન ૫૦૩ કાવ્યશિક્ષા ૧૨૨ કાવ્યાદર્શ ૧૪ કાવ્યાનુશાસન ૪૩૦, ૫૭૩ કાવ્યાલંકાર ૧૪ કાવ્યોપદેશશતક ૭૭ કાશી ૮૯, ૩૯૮, ૪૧૭, ૫૯૬ કાશીનાથ જૈન ૩૧૫ કાશીપ્રસાદ જાયસવાલ ૩૯૩ કાષ્ઠાઝાર ૧૫૧ કાષ્ઠાસંઘ ૫૪, ૬૭, ૯૬, ૧૪૬, ૨૭૩, ૩૩૨, ૪૫૦ કાષ્ઠાસંઘ-માથુરગચ્છપટ્ટાવલી ૪૫૯ કાષ્ઠાસંઘ-માથુરસંઘ ૨૭૩ કાષ્ઠાસંઘ-લાડબાગડ-પુન્નાટગચ્છાવલી ૪૫૯ કાસદ્રગચ્છ ૮૧, ૨૦૦, ૩૭૭ કિલ્લાક ફાર્બસ ૪૨૪ કિરાતસમસ્યાપૂર્તિ ૭૮ કિરાતાર્જુનીય ૧૪, ૧૮, ૨૫, ૭૮, ૪૭૫, ૪૮૬, ૫૦૦, ૫૧૧, પ૨૬, ૬૦૫ કિીથ પ૭૮ કીર ૪૧૫ કીર્તિકલ્લોલિની ૨૧૮, ૨૫૩ કીર્તિકૌમુદી ૪૨૫ કીર્તિચન્દ્ર ૨૧૨ કીર્તિધર ૪૦, ૪૨ કીર્તિપાલ ૪૧૫ કીર્તિમંજરી ૫૮૬ કીર્તિરાજ ૧૧૬ કીર્તિવર્મા ૫૮૫ કીર્તિવિજય ૪૬૫, ૨૬૩ કીર્તિવિજયગણિ ૩૯૧ કીર્તિવિમલ પ૬૭ કીર્તિષેણ ૪૬ કિર્તિહર્ષ ૩૩૦ કુંચિક ૨૯૬, ૨૯૭ કુંજર ૩૪૬ કુણિક ૧૯૧ કુણ્ડપુર ૫૨૯ કુન્તદેવી ૩પ૯ કુન્તલદેવીકથા ૩૫૯ કુત્તી ૨૪૬, ૫૧૩, ૨૨૭ કુન્યુ ૧૪૩ કુન્યુચરિત ૧૧૨ કુન્યુનાથ ૭૩, ૮૬, ૧૧૦, ૧૩૦, ૧૩૨ કુકુન્દ ૩, ૨૩૪, ૨૫૬, ૫૬૫, ૬૦૧ કુન્દકુન્દાન્વય પપ૯ Page #645 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા કપુસ્વામી ૫૩૭, ૫૪૩ કુબેર ૧૧૭, ૧૨૭ કુબેરદત્ત ૧૪૧ કુબેરપુરાણ ૧૩૫ કુમાર ૧૮૫, ૪૪૫, ૫૧૭ કુમારકવિ ૧૨૮ કુમારગુપ્ત ૩૭ કુમારતાત્પર્ય ૬૦૪ કુમારદેવી ૪૦૫, ૪૧૭, ૫૦૨ કુમારનન્દ્રિ સોની ૭૪ કુમારપાલ ૯, ૧૭, ૧૮, ૭૪, ૭૫, ૮૦, ૮૨, ૮૩, ૮૭, ૨૦૬, ૨૨૩, ૨૪૪, ૨૪૬, ૨૫૭, ૨૫૮, ૩૪૨, ૩૭૪, ૩૭૫, ૩૯૬, ૪૦૨, ૪૦૫, ૪૦૯, ૪૧૦, ૪૧૫, ૪૧૬, ૪૧૮, ૪૨૧, ૪૨૩, ૪૨૫, ૪૩૦, ૪૪૩, ૪૪૫, ૪૬૬, ૫૨૨, ૫૮૨, ૫૮૩, ૫૮૫, ૫૮૬ કુમારપાલચરિત ૨૫, ૨૨૩, ૩૮૬, ૩૯૭,૪૧૫, ૪૧૬, ૫૫૧, ૫૯૨ કુમારપાલચરિત્રસંગ્રહ ૨૨૪ કુમારપાલપ્રતિબોધ ૭૫, ૮૦, ૮૧, ૧૩૯, ૨૨૪, ૨૫૭, ૩૫૩, ૩૭૫, ૫૮૪, ૫૮૫ કુમારપાલપ્રબન્ધ ૨૨૫, ૨૭૪, ૪૧૮, ૫૮૬ કુમારપાલભૂપાલચરિત ૨૨૪, ૨૨૫, ૪૧૦,૪૧૪, ૪૧૬, ૪૧૮ કુમારપાલચરિય ૩૯૭ કુમારવાલપડિબોહ ૨૫૭ કુમારવિહાર ૫૮૨, ૫૮૫ કુમારવિહા૨પ્રશસ્તિકાવ્ય ૫૨૨ કુમારસંભવ ૧૪, ૨૫, ૪૯૧, ૫૧૦, ૫૧૧, ૫૧૭, ૫૧૮, ૧૪૩, ૬૦૩, ૬૦૪ કુમારસિંહ ૨૭૧ કુમારસેન ૪૮, ૬૦૪ કુમુદચન્દ્ર ૫૬૮, ૫૬૯, ૫૮૭, ૫૮૮ કુમુદાનન્દ ૬૦૬ કુમ્ભકર્ણ ૩૫ કુમ્ભા ૧૧૬ કુમ્માપુત્ત ૧૬૧, ૧૬૬ કુમ્માપુત્તચરિય ૧૬૬ કુરુ ૪૧૦, ૫૨૯ કુચન્દ્ર ૨૫૫, ૩૨૯ કુચન્દ્રકથાનક ૩૨૯ કુરુષ ૧૭૭ કુર્ગ ૬૩ કુલચન્દ્ર ૪૨૩ કુલચુમ્બરૂ ૪૬૮ કુલધ્વજ ૧૦૩ ૬૨૩ કુલધ્વજકથાનક ૩૩૦ કુલધ્વજકુમા૨ ૩૨૧, ૩૩૦ કુલધ્વજકુમાર૨ાસ ૩૩૦ કુલપતિ ૫૭૮ કુલપુત્રક ૧૦૨ કુલમણ્ડન ૨૧૨ કુલવાલુક ૭૪ કુવલયચન્દ્ર ૩૩૮, ૩૪૧ Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ કુવલયમાલકથા ૩૪૨ કુવલયમાલકથાસંક્ષેપ ૩૪૨, ૩૪૩ કુવલયમાલા ૩૩, ૩૯, ૪૨, ૪૫, ૪૮, ૮૬, ૧૫૬, ૧૭૯, ૧૮૭, ૧૮૮, ૨૬૯, ૨૮૩, ૨૮૬, ૩૩૫, ૩૩૭, ૩૪૪, ૧૩૧, ૫૩૯ કુવે૨-નગરી ૪૮૭ કુશ ૬૧ કુશરાજ ૨૯૦ કુશલપ્રમોદ ૩૮૦ કુશલલાભ ૩૨૩ કુશાપુર ૩૪૭, ૩૪૮ કુષાણ ૪૭૨ કુષ્ઠીદેવ ૫૦૭ કુસુમકેતુ ૧૭૫ કુસુમશેખર ૫૩૨ કુસુમસાર ૩૩૩ કુસુમાયુધ ૧૭૫ કૂર્મપુત્ર ૧૬૬ ફૂલવાલ ૩૨૫ કૂલવાલકકથા ૩૨૫ કૃતકર્મનૃપતિકથા ૩૧૬ કૃતકર્મરાજર્ષિ ૩૩૩ કૃતપુણ્ય ૨૫૭ કૃતપુણ્યકથા ૩૧૬ કૃતપુણ્યચરિત ૧૭૧, ૧૯૭, કૃપાચન્દ્ર ૨૨૩ કૃપાચન્દ્રસૂરિ ૨૨૨ ૩૧૬ કૃપારસકોશ ૨૧૭, ૩૩૪ કૃપારસકોષ ૧૪૮ કૃપાવિજય ૭૮, ૩૯૧ કૃપાવિજયગણિ ૨૧૯ કૃપાસુન્દરી ૫૮૫, ૧૮૬ કૃષ્ણ ૭, ૩૧, ૩૪, ૪૪, ૪૫, ૫૧, ૭૩, ૧૩૧, ૧૪૦, ૧૪૧, ૧૪૮, ૧૮૩, ૧૮૭, ૩૬૧, ૪૭૯, ૫૨૪, ૫૨૯, ૫૪૧, ૧૮૨ કૃષ્ણગચ્છ ૪૧૪ કૃષ્ણચરિત ૧૩૧ કૃષ્ણજિષ્ણુ ૧૦૩ કૃષ્ણ તૃતીય ૪૦૨ કૃષ્ણદાસ ૧૦૩, ૧૧૪ કૃષ્ણદેવ ૫૧૦ કૃષ્ણમિશ્ર ૫૮૫ કૃષ્ણર્ષિગચ્છ ૨૨૫, ૩૮૪, ૫૯૨ કે. આર. ચન્દ્ર ૩૮ કે. એચ. ધ્રુવ ૩૮ કેતુમતી ૧૪૩ કેમ્સ ૨૬ કેરલ ૫૯ કેવલિચરિત ૧૭૭ કેશરિયાજી ૨૦૯ જૈન કાવ્યસાહિત્ય કેશરી ૧૦૧ કેશવ ૧૨૬ કેશવસેન ૬૬, ૧૧૪, ૪૫૯, ૬૦૨ કેશી ૧૯૬, ૩૧૮ કૈકેયી ૩૬, ૬૧ Page #647 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬ ૨૫ કૈલાશ પ૬, ૧૪૩, ૪૬૦ કોંકણ ૩૯૮, ૪૧૦, ૪૧૫ કોકાસકકથાનક ૩૩૩ કોટા ૪૧૪ કોટિકગણ ૮૧, ૧૦૦, ૪૨૮ કોટિશિલાપ૨૫ કોણિક ૭૩, ૭૪ કોન્નર ૪૬૭ કોશલ પર૯, ૫૩૧ કોશા પ૫૦, પપ૧, ૬૦૨ કોસે ગાર્ટન ૩૮૮ કૌતુક પ૭૮ કૌમુદી પ૭૮, પ૭૯ કૌમુદીનાટક ૫૭૮ કૌમુદીમિત્રાણન્દ પ૭૩, પ૭૭, પ૭૮ કૌરવ પ૨૦, પ૨૫, પ૨૯ કૌરવેશ્વર પ૯૬ કૌશામ્બી ૧૯૪, ૨૦૧, ૨૯૨, ૩૦૮, ૩૩૯, ૩૪૪ કૌશિકીપુત્ર ૪૭૨ ક્ષત્રચૂડામણિ ૧૧૯, ૧૫૦, ૧૫૧, પ૧૫, પ૩૬, પ૩૮, ૨૪૨, ૫૪૩ ક્ષત્રિયકુડ ૯૦ ક્ષમા કલશ ૩૩૦ ક્ષમા કલ્યાણ ૧૯૬, ૨૬૯, ૨૮૩, ૨૯૧, ૨૯૪, ૩૨૪, ૩૬૩, ૩૬૯, ૩૭૩, ૪૫૪ . '' ક્ષમા કલ્યાણજ્ઞાનભંડાર ૪૫૩ ક્ષમાવિજય ૧૫૯ ક્ષિતિપ્રતિષ્ઠિતપુર ૧૬૪, ૩૬૩ ક્ષીરકદમ્બક ૧૨૭ ક્ષેત્રપાલ ૪૨૩, ૪પ૯ ક્ષેત્રસમાસવૃત્તિ ૨૯૮ ક્ષેત્રાધિપ ૪૨૩ ક્ષેમંકર ૧૨૭ ક્ષેમકરગણિ ૩૮૦ ક્ષેમકીર્તિ ૪૧૬ ક્ષેમરાજ ર૩૦, ૩૯૭, ૪૦૪, ૪૧૫ ક્ષેમલક ૨૯૫ ક્ષેમશાખા ૨૩૦ : ' . ' ' ક્ષેમસૌભાગ્યકાવ્ય ૨૩૦ ક્ષેમહંસ ૬૦૪, ૬૦૫ - ખંડપાના ૨૭૨ ખંભાત ૮૬, ૧૦૩, ૧૯૩, ૩૦૨, ૩૬૨, ૪૦૫, ૪૦૬, ૪૦૮, ૪૩૧, ૪૩૩, ૪૪૧, ૪૬૫, ૫૪૯, ૫૫૧, પ૯૧ ખડુપ્રશસ્તિ ૬૦૩, ૬૭૬ ખડેલવાલ પ૧૨ ખરતરગચ્છ ૮૩, ૧૧૬, ૧૩૩, ૧૭૨, ૧૭૫, ૧૮૩, ૧૯૬, ૨૦૦, ૨૨૦, ૨૨૨, ૨૩૦, ૨૪૪, ૨૫૧, ૨૬૩, ૨૯૧, ૨૯૪, ૨૯૫, ૩૦૨, ૩૦૯, ૩૨૦, ૩૨૨, ૩૨૪, ૩૩૩, ૩૪૫, ૩૪૯, ૩૫૬, ૩૬૩, ૩૬૯, ૪પ૧, ૪પર, ૪૫૪, ૪૬૪, ૪૯૫, ૫૪૯, ૬૦૩, ૬૭૬ Page #648 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ જેન કાવ્યસાહિત્ય ખરતરગચ્છ-ગુર્નાવલિ ૪૫૪ ખરતરગચ્છ-પટ્ટાવલિ-સંગ્રહ ૪૫૪ ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલિ ૧૬૪, ૩૦૨, - ૪૫૨ ખરતરશાખા ૮૩ ખરદૂષણ પ૨૫ ખર્પરચૌરકથા ૩૩૩ ખુર્રમ ૪૬૩ ખાંડિલ્યવંશી ૬૫ ખારવેલ ૪૬૬, ૪૬૮, ૪૭૦ ખીમસૌભાગ્યાભ્યદય ર૩૦ ખેંગાર ૧૪૭, ૪૪૨, ૪૪૩ બેચરરાજ ૮૯ ગઉડવહ ૪૯૧ ગંગદત્તકથાનક ૩૩૩ ગંગનરેશ ૬૫, ૧૫૦ ગંગમહ ૪૦૦ ગંગરાજ ૧૧૯ ગંગવંશ ૫૫૮, ૫૫૯ ગંગા ૭૫ ગંગામહ ૪૦૦ ગંજામ ૧૫૨ ગંધમૂષિકા ૫૭૮ ગંધાર ૪૪૬ ગગનવિલાસપુર ૪૯૬ ગજની ૪૧૫ ગજપંથ ૧૦૪ ગજપુર ૩૦૪ ગજસિંહ ૩૨૫ ગજસિંહપુરાણ ૩૨૫ ગજસિંહરાજચરિત ૩૨૫ ગજસુકુમાલ ૨૪૪ ગજસુકુમાલકથા ૨૯૮ ગણધર ૧૫૩ ગણધરવલયપૂજા પર ગણધરસાર્ધશતક ૪૫ર. ગણધરસ્તવ ૫૬૫ ગણરત્નમહોદધિ ૪૩૦ ગણા ૨૮૧ ગÇરાયકથા ૩૩૩ ગદ્યકથાગ્રન્ય ૬૨ ગઘચિત્તામણિ ૧૮, ૧૧૯, ૧૫૦, ૧૫ર, ૧પ૩, ૪૯૦, ૫૩૧, પ૩૬, ૫૪૨, ૫૪૩ ગત્તિ ૪૦૦ ગન્ધર્વ ૨૮૯ ગન્ધર્વક પ૩ર, પ૩૩ ગન્ધર્વદતા ૧૪૨ ગન્ધારપુરી ૧૯૮ ગયાસુદીન ખિલજી ૧૯૯, ૨૨૯, ૪૩૨ ગયાસુદન તુગલક ૪૩૦, ૪૩૧ ગર્ગગોત્ર ૧૫૮ ગર્ગષિ ૨૮૧ ગર્દભિલ્લ ૨૧૩ ગઢવાલ ૬૦૦ ગાંગેય ૧૯૫, ૧૯૬ ગાંગેયભંગપ્રકરણ ૧૯૬ ગાંધાર ૧૬૩ ગાથાકોશ ૩૩ ગાથાલક્ષણ ૮૪ Page #649 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૨ ૭ ગાથાસપ્તશતી ૧૪, પ૬૦ ગાહાલમ્બણ ૩પ૭ ગિરનાર ૧૦૩, ૧૪૯, ૪૩૬, ૪૪૨, ૪૪૬, ૪૬૦, ૪૬૭, ૪૭૦, ૫૦૨, ૫૪૯ ગિરિનગર ૧૪૯ ગિરિનાર ૨૫૯, ૩૬૫, ૪૦૬, ૪૭૯ ગિરિનારમરડન ૫૦૧ ગિરિનારોદ્ધાર ૩૬૫ ગિરિસુન્દર ૧૭૫ ગિરિસેન ૨૬૭, ૨૬૮ ગીતગોવિન્દ ૨૪, ૫૪૫, ૫૫૬, ૫૫૭ ગીતવીતરાગ ૫૪૫ ગીતવીતરાગપ્રબન્ધ ૫૫૬ ગુજરાત ૮, ૯, ૫૩-૫૪, ૫૯, ૭ર, ૧૮૨, ૧૮૩, ૨૦૫, ૨૨૩, ૨૨૬, ૨૨૯, ૨૪૮, ૨૯૯, ૩૯૬, ૩૯૭, ૪૦૩, ૪૦૫, ૪૦૯, ૪૧૦, ૪૧૭, ૪૨૧, ૪૨૬, ૪ર૭, ૪૩૦, ૪૩૧, ૪૩૩, ૪૩૪, ૪૩૬, ૪૪૧, ૪૪૪, ૪૪૮, ૫૩, ૪૨, ૫૦૧, ૫પર, પ૭૩, ૫૭૪, ૫૮૪-૫૮૬, ૫૮૯, ૫૯૦, ૬૦૨ ગુડિપાન ૫૯૪ ગુણકીર્તિ ૨૯૦, ૪૫૭ ગુણચન્દ્ર ૮૯, ૧૩૦, ૨૬૮ ગુણચન્દ્રમણિ ૮૯, ૯૧, ૨૩૮, ૨૪૧ ગુણચન્દ્રસૂરિ ૯૦, ૩૦૩ ગુણચન્દ્રાચાર્ય ૩૭૩ ગુણનદિ ૪૮૩ ગુણપાલ ૧૫૪, ૧૫૬, ૧૫૭ ગુણપાલમુનિ ૧૫૪ ગુણભદ્ર ૯, ૧૦, ૩૪,૪૧, ૫૫, ૫૯, ૬૧, ૬૨, ૬૫, ૧૫૦, ૧૬૮, ૧૭૦, ૧૭૯, ૨૫૬, ૪૫૦, ૪૮૦, ૪૮૬, ૫૦૩, ૫૬૦, ૫૯૮ ગુણભદ્રસૂરિ ૨૯૪, ૫૧૦ ગુણભદ્રસૂરિદેવ ૩૩૨-૩૩૩ ગુણભદ્રાચાર્ય ૬૮, ૧૫૪, ૩૦૧ ગુણમંજરી ૩૬૬ ગુણમંજરીકથા ૩૬૬ ગુણસૂરિ ૩૯૧ ગુણરત્ન ૬૦૪, ૬૦૫ ગુણરત્નસૂરિ ૯૮, ૧૨૩, ૧૩૪, ૨૧૨, ૨૫૧, ૩૧૫ ગુણવચનદ્ધાત્રિશિકા ૩૯૪, ૪૨૮, ૪૩૬, ૪૩૭ ગુણવતી ૧૮૪ ગુણવર્મ ૧૮૮, ૫૦૯ ગુણવર્મચરિત ૩૦૨, ૩ર૩, પ૦૬ ગુણવર્મા ૩૦૨, ૩૦૩ ગુણવિજય ૨૧૮, ૨૩૦ ગુણવિજયગણિ ૧૧૭, ૧૩૯, ૪૫૬ ગુણવિનય ૬૦૩, ૬૦૬, ૬૦૭ ગુણશેખર ૨૦૦ ગુણશેખરગણિ ૩૩૩ ગુણસમુદ્રસૂરિ ૩૦૧ Page #650 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ જેન કાવ્યસાહિત્ય ગુણસમૃદ્ધિમહત્તરા ૧૮૩ ગુણસાગર ૧૭૪, ૧૭૫, ૩૨૩ ગુણસાગરચરિત ૩૨૩ ગુણસાગરસૂરિ ૩૦૧ ગુણસુન્દર ૨૫૪ ગુણસુન્દરસૂરિ ૩૩૨, ૩૭૦ ગુણસુન્દરી ૩૫૭ ગુણસુન્દરીચતુષ્પદી ૩૫૭ ગુણસુન્દરીચરિત ૩૫૭ ગુણસેન ૧૧૦, ૨૬૭ ગુણસેના ૧૭૪ ગુણસ્થાનક્રમારોહ ૨૯૪ ગુણાકરકવિ ૩૩૪ ગુણાકરસૂરિ ૩૧૩ ગુણાકરસેન ૪૭૬ ગુણાઢ્ય ૪૪, ૧૪૪, ૨૬૯, ૫૩૪, - ૫૪૧ ગુણાવલી ૩પ૩ ગુણાવલકથા ૩૫૩ ગુપ્ત ૮, ૧૦, ૧૩, ૩૭, પ૭૪ ગુપ્તકાલ ૪૭૨, ૪૭૩ ગુપ્તવંશ ૩૯, ૪૫, ૩૪૧, ૩૯૬, ૪૨૮ ગુદ્ધિગુપ્ત ૪પ૭ ગુરુ ૫૪૧ ગુરુગુણરત્નાકર ૨૧૬, ૪૩૨ ગુરુગુણષત્રિશિકા ૨૯૪ અર્જર-પ્રતિહાર ૧૩, ૨૧૪, ૪૨૧, , ૪૬૮ ગુર્વાવલી ૪૬, ૪૪૯, ૪૫૫ ગુલાબચન્દ્ર ચૌધરી ૪૭૧ ગુહલોત ૪૬૯ ગુહિલોત ૧૯ ગેરિનો ૪૭૦ ગોઢિલી ર૯૦ ગોડેય ૧૫૨ ગોધનકથા ૩૩૩ ગોધરા ૪૪૩ ગોપાચલ ૨૯૦ ગોપાલ ૧૯૭ ગોભદ્ર ૧૭૦ ગોમટેશ્વરચરિત્ર ૩૬૪ ગોમ્મસાર ૪૮૪ ગોખ્ખસ્વામી ૪૮૫ ગોરખયોગિની ૩૮૧ ગોરખાદેવી ૧૬૭ ગોવનશ્રેષ્ઠી ૮૯ ગોવર્ધન ૪૨૩ ગોવિન્દ ૪૬૭, ૪૭૮, ૪૮૪ ગોવિન્દભટ્ટ ૧૯૩ ગોવિન્દરાજ ૪૧૧ ગોશાલ ૯૦ ગોશાલક ૭૩, ૭૪ ગૌડ ૨૪૧, ૩૯૮, ૪૨૨ ગૌડવહ ૨૬, ૪૨૨ ગૌતમ ૪૦, ૧૯૫, ૧૯૬, પર૫ ગૌતમચરિત ૧૬૦, ૧૯૫ ગૌતમસ્વામી ૭૩ ગૌતમીયકાવ્ય ૧૬૦, ૧૯૫ ગૌતમીયપ્રકાશ ૧૯૬ ગૌરીશંકર હીરાચંન્દ્ર ઓઝા ૪૬૮ ગ્રાહરિપુ ૪૦૦ ગ્વાલિયર ૯, ૧૯, ૨૯૦, ૪૧૪, ૪૪૨, ૪૬૭, ૪૬૯ ૫ - Page #651 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬ ૨૯ ઘટકર્પરકાવ્ય ૬૦૬ ઘટિયાલ ૪૬૬, ૪૬૮ ઘર્કટકુલ ૫૮૮ ઘાઘસા ૧૯, ૪૬૯ વૃતવરી દેવી ૫૧૨ ચઉપ્પણપુરિસચરિય પ૭૩ ચલપ્પન્નમહાપુરિસચરિય ૬, ૩૫, ૬૭, ૭૧, ૮૦, ૮૬ ચઉથ ૩૨૦ ચંદર્પોહચરિય ૮૨ ચક્રસેન પ૩૨ ચક્રાયુધ ૧૦૬, ૧૦૮, ૫૦૯ ચક્રેશ્વર ૩૦૪ ચક્રેશ્વરસૂરિ ૧૮૨ ચક્રેશ્વરી ૧૦, ૩૮૫ ચડાવલિપુરી ૩૦૪, ૩૪૮ ચડકૌશિક ૯૦ ચણ્ડપ ૪૦૫, ૫૦ર ચણ્ડપાલ ૬૦૬ ચણ્ડપિંગલચોરકથા ૩૩૩ ચર્ડપ્રદ્યોત ૭૩, ૧૪૯, ૧૬૩ ચડપ્રસાદ ૪૦૫ ચણ્ડમારી ૨૮૩, ૨૮૫, પ૩૯, ૫૪૦ ચડસિંહ ૪૪૬ ચણ્ડસોમ ૩૩૮, ૩૩૯, ૩૪૦ ચડીશતક પ૬૩ ચતુર્વકથા ૩૭૨ ચતુપૂર્વીચ— ૩૦૩, ૩૬૩ ચતુરવિજય ૫૭૧ ચતુરશીતિધર્મકથા ૨૬૫ ચતુર્ભુજ પ૧૨ ચતુર્મુખ ૩૪ ચતુર્વિશતિજિનસ્તવ પ૬૫ ચતુર્વિશતિજિનસ્તુતિ ૫૬૮ ચતુર્વિશતિજિનસ્તોત્ર ૪૩૯ ચતુર્વિશતિજિનેન્દ્રચરિત્ર ૩૫ ચતુર્વિશતિજિનેન્દ્રસંક્ષિપ્તચરિત ૭૬, ૫૧૪ ચતુર્વિશતિતીર્થંકરપુરાણ ૬૩, ૬૪ ચતુર્વિશતિપુરાણ ૬૪ ચતુર્વિશતિપ્રબન્ધ ૪૨૭, ૪૬૮, ૫૦૨, પ૧૪, ૫૧૫ ચતુર્વિશતિસંધાન પ૨૩ ચતુર્વિશતિસ્તોત્રટીકા ૨૬૧ ચતુર્થારાવલીચિત્રસ્તવ પ૬૬ ચતુષ્કર્વી પ૧૬ ચતુસંધાનકકાવ્ય પ૨૩ ચત્તારિઅઠ્ઠદસથવ પ૬૫ ચન્દનબાલા ૧૬૦, ૨૫૭, ૩૩૫ ચન્દનમલયગિરિ ૩૦૩ ચન્દનમુનિ ૨૦૦, ૩૧૫ ચન્દ્રનષષ્ઠી ૩૭૨ ચન્દના ૮૬, ૧૯૫, ૨૦૦ ચન્દનાકથા પ૩ ચન્દનાચરિત ૨૦૦ ચન્દપ્પહચરિય ૮૭ ચન્ટેલ ૯, ૧૭૦, ૩૦૧, ૫૮૫ ચન્દ્ર ૧૦૩, ૫૧૯, ૫૨૦, ૫૫૨ ચન્દ્રકીર્તિ ૪૨, ૯૫, ૧૨૫, ૨૪૮, ૪૫૭, ૪૫૮ ચન્દ્રકુલ ૭૫, ૮૯, ૯૧, ૧૨૪, ૨૦૫, ૪૯૫ Page #652 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ જૈન કાવ્યસાહિત્ય ચન્દ્રગચ્છ ૧૭, ૯૬, ૧૦૦, ૧૨૨, ૧૨૭, ૧૨૯, ૧૬૧, ૧૮૨, ૧૯૩, ૨૭૧, ૨૮૦, ૨૯૭, ૩૫૩, ૩૮૫, ૪૦૮, ૪૯૮, ૫૦૮ ચન્દ્રગણિ પ૬૯ ચન્દ્રગિરિ ૨૩૫ ચન્દ્રગુપ્ત ૨૩૫, ૩૪૦, ૩૬૪, ૩૯૬, ૪૨૮, ૪૩૬ ચન્દ્રગુપ્ત મૌર્ય ૨૦૭ ચન્દ્રચ્છાય ૧૧૦ ચન્દ્રતિલક ૧૯૩ ચન્દ્રતિલકગણિ ૪૯૫ ચન્દ્રદૂત ૫૪૬, પપર-૫૫૪ ચન્દ્રદેવસૂરિ ૧૦૨ ચન્દ્રધવલ ૩૧૩, ૩૧૪ ચન્દ્રધવલ-ધર્મદત્તકથા ૩૧૩ ચન્દ્રનખા ૬૮ ચન્દ્રપુરી ૪૮૩ ચન્દ્રપ્રભ ૬૩, ૬૪, ૭૯, ૮૨, ૮૫, ૯૭, ૧૨૮, ૧૫૩, ૨૦૫, ૨૪૯, ૨૯૦, ૪૨૫, ૪૮૧ ૪૮૩ ચન્દ્રપ્રભચરિત પ૩, ૮૪, ૯૭, ૧૦૪, ૧૧૫, ૧૧૯, ૧૨૩, ૧૨૬, ૪૮૧, ૪૮૪, ૪૮૬, ૪૮૯, ૪૯૦ ચન્દ્રપ્રભમહત્તર ૮૫, ૧૩૩, ૩૭૧ ચન્દ્રપ્રભસૂરિ ૮૫, ૯૮, ૧૦૦, ૧૨૭, ૧૮૨, ૨૦૨ ચન્દ્રપ્રભા ૭૮ ચન્દ્રભાગા નદી ૩૪૧ ચન્દ્રમા ૩૬૮, ૫૧૯, પ૨૦, ૫૩૬,૫૫૩ ચન્દ્રમુનિ ૭૯ ચન્દ્રયશ ૩૫૨ ચન્દ્રરાજ ૩૧૫ ચન્દ્રરાજચરિત ૩૧૫ ચન્દ્રરુચિ ૪૮૨ ચન્દ્રલેખા ૩૬૪, ૫૮૩, ૫૯૯ ચન્દ્રલેખાવિજયપ્રકરણ પ૭૩, ૫૮૨ ચન્દ્રવંશ ૩૬ ચન્દ્રવર્ણ ૧૩૨ ચન્દ્રવિજયપ્રબંધ ૫૧૯, પર૧ ચન્દ્રશ્રી ૩૮૫ ચન્દ્રસાગર ૪૨ ચન્દ્રસાધુ ૪૩૨ ચન્દ્રસૂરિ ૫૦, ૮૭, ૧૦૦, ૧૦૭, ૨૮૦, ૪૯૧ ચન્દ્રાપીડ પ૩૩, પ૩૮ ચન્દ્રાવતી ૩૪૮, ૪૪૪ ચન્દ્રોદયકથા ૩૩૩ ચન્દ્રોદર ૧૦૧, ૧૦૩ ચમ્પક ૩૧૦ ચમ્પકમાલા ૩૫૮, ૩પ૯ ચમ્પકમાલાકથા ૩૫૮ ચમ્પકમાલાચરિત્ર ૩૫૮ ચમ્પકશ્રેષ્ઠિકથા ૧૭૨ ચમ્પકશ્રેષ્ઠિકથાનક ૩૧૦ ચમ્પકશ્રેષ્ઠી ૩૧૦, ૩૧૧ ચમ્પા ૧૧૦ ચમ્પાનગરી ૧૬ર, ૩૧૦ ચમ્પાનેર (ચાંપાનેર?) ઉપર Page #653 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૩૧ ચારિત્રસુન્દગિણિ ૩૮૬, ૪૧૬, ૨૪૬, ચમ્પાપુર ૧૬૨, ૨૯૨, ૨૯૩, ૪૬૦ ચપૂજીવન્દર પ૪૧ ચપૂમડન પર૧, ૫૪૪ ચરણપ્રમોદ ૨૪૪ ચરણમુનિ ૪૮૮ ચરિત્રકીર્તિગણિ ૨૬૫ ચરિત્રરંસગણિ ૨૧૬ ચાચિગ ૪૬૭ ચાણક્ય ૨૦૪, ૨૩૪, ૩૨૧, ૪૦૩, ૫૯૨ ચાણક્યર્ષિકથા ૩૨૧ ચાતુર્માસપર્વકથા ૩૭૨ ચાતુર્માસિકપર્વકથા ૩૭૨ ચાતુર્માસિકપર્વવ્યાખ્યાન ૩૭૨ ચાતુર્માસિકવ્યાખ્યાન ૩૭૨ ચાપોત્કટ ૪૦૩, ૪૨૩ ચામરહારિકથા ૩૩૩ ચામુણ્ડ ૪૦૪ ચામુંડરાજ ૩૯૭ ચામુણ્ડરાય ૧૪, ૬૫, ૧૫૦, ૧૮૭, ૪૮૫ ચામુડરાયપુરાણ ૧૪, ૪૧, ૧૮૭ ચામુડા ૧૯, ૪૬૯ ચારણ ૪૮૭ ચારિત્રચન્દ્ર ૧૬૭ ચારિત્રભૂષણ ૩૮૬, ૪૧૬ ચારિત્રરત્ન ૨૦૭ ચારિત્રરત્નગણિ ૩૨૯ ચારિત્રરાજ ૯૭ ચારિત્રવર્ધન ૬૦૪, ૬૦૬ ચરિત્રવર્ધનગણિ ૬૦૩, ૬૦પ ચારિત્રસુન્દર ૩૮૬ ચારિત્રોપાધ્યાય ૩૧૯ ચારુકીર્તિ ૧૩૩ ચારુચન્દ્ર ૩૦૯ ચારુદત્ત ૪૪, ૧૨૭, ૧૩૧, ૧૪૨ ચાર્લોસ ક્રાઉસ ૩૧૧ ચાર્વાક ૩૧ ચાલુક્ય ૮, ૧૧૯, ૧૮૬, ૪૧૫, ૪૬૬, ૪૬૭ ચાવડા ૪૦૩, ૪૦૬, ૪૨૩, ૪૩૦, ૪૩૭, ૪૪૪ ચાવણ્ય ૧૮૮ ચાહડ ૪૦૦, ૪૦૧ ચાહમાન ૯, ૪૧૧, ૪૬૭ ચિક્કનસોગે ૬૪ ચિત્તોડ ૧૯, ૧૯, ૪૧૭ ચિતૌડગઢ ૪૬૮ ચિત્રકૂટ ૯, ૫૯, ૬૧, ૩૦૭ ચિત્રગતિ ૩૪૮ ચિત્રલેખા પ૭૭ ચિત્રવેગ ૩૪૮ ચિત્રસેન ૩૫૪, ૩૮૩ ચિત્રસેન-પદ્માવતીચરિત ૩૫૪ ચિત્રાંગદ પ૭૭, ૫૭૮ ચિત્રાપાલકગચ્છ ૧૩૧, ૩૬૪ ચિદમ્બર પ૨૮ ચિન્તામણિ પાર્શ્વ ૪૩૫ ચિન્તામણિ પાર્શ્વનાથ મંદિર ૨૯૧ ચિવ ૧૯, ૪૬૯ ચિલાતિપુત્ર ૨૫૦ ચીન ર૬, ૧૪૨ Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ જેન કાવ્યસાહિત્ય ચેટક ૭૩, ૧૯૧, ૧૯૬ ચેતોદૂત ૪૬૪, ૫૪૬, પપર ચેદિ ૩૯૮ ચેદિરાજ ૩૯૭ ચેલના ૭૩ ચેલ્લના ૧૯૧, ૧૯૨, ૨૪૪, પ૦૭ ચૈત્રગચ્છ ૧૭ ચિત્રપૂર્ણિમાકથા ૩૭૨ ચોલરાય ૪૮૬ ચૌરપંચાશિકા પ૪૫ ચૌલુક્ય ૯, ૭૫, ૮૨, ૧૧૯, ૧૮૬, ૨૦૨, ૨૦૫, ૨૨૩, ૨૨૬, ૨૮૭, ૩૪૨, ૩૯૬, ૩૯૭, ૩૯૯, ૪૦૬, ૪૦૩, ૪૦૬, ૪૦૯, ૪ર૧, ૪૨૩, ૪૨૫, ૪૩૦, ૪૩૭-૪૩૯, ૪૪૪, પ૨૨, પ૭૩, ૫૮૫, ૫૮૬ ચૌવીસી ૧૩૦ ચૌહાન ૧૩, ૪૧૧, ૪૧૨, ૫૧૧ છત્રસેન ૨૧૬, ૪પ૬ છન્દોનુશાસન ૪૩૦ છન્દોમ્બધિ પ૨૭ છન્દોરત્નાવલી ૫૧૪ છાવડા ગોત્ર ૫૧૨ છાહડ ૪૮૦ છોટેલાલ જૈન ૪૭૪ જંગલદેશ ૩૯૮ જંબૂસામિચરિય ૧૫૮ જગચ્ચન્દ્રસૂરિ ૧૩૧, ૧૯૦, ૩૬૪ જગડુ ૨૦૬, ૪૧૮ જગડૂચરિત ૨૨૭, ૪૧૭ જગડૂશાહ ૧૮, ૨૨૭, ૨૨૮, ૨૪૯ ' જગડૂશાહપ્રબંધ ૨૨૮ જગન્સેઠ ૧૪ જગદાભરણકાવ્ય ૬૦૬ જગદેવ ૪૪૫ જગદ્ગુરુકાવ્ય ૨૧૬, ૪૩૪ જગદેવ ૧૨૭ જગદેવ-પરમર્દિ ૪૨૩ જગધર ૧૬૪ જગન્નાથ ૨૦, ૨૧, ૧૩૧, ૨૯૫, ૫૨૩ જગન્મલ્લ ૩પપ જગસિંહ ૨૪૯ જટાચાર્ય ૬૦, ૧૮૭ જટાન~િ ૪૮ જટાયુ પ૮૦ જટાસિંહનદિ ૪૮, ૧૪૩, ૧૪૭, ૧૮૮ જટિલ ૩૯, ૧૮૭ જડિલ ૧૮૭ જનક ૬૧, ૫૮૦, ૫૯૭ જન્ન ૧૮૮ જમાલિ ૭૩, ૯૦ જમ્બુકેવલિચરિત ૧૭૭ જબૂ ૧૩૨, ૧૪૭, ૧૫૫, ૨૦પ જમ્બુ-અધ્યયન ૧૫૭ જબૂકવિ ૨૯૭, પપ૩ જબૂચરિત ૬૭ જબૂચરિય ૧૫૪-૧પ૭, ૩૪૬ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ ૩૪ Page #655 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૩૩ જબૂનાગ ૨૯૭ જયન્તસિંહ ૪૨૦, ૫૯૧, પ૯૨ જબૂસ્વામિચરિત પ૨, ૧૫૩, ૧૫૭, જયન્તી ૧૬૦, ૧૯૫, ૨૦૧, ૨૦૨ ૧૫૮, ૪૩૩ જયન્તીચરિત ૨૦૧ જબૂસ્વામી ૧૪૧, ૧૫૫, ૧પ૬, ૧૫૮, જયન્તીનગરી ૪૯૬ ૧૫૯, ૧૯૫, ૨૦૩, ૨૦૪, જયન્તીપ્રશ્નોત્તરપ્રકરણ ૨૦૨ ૨૫૮ જયન્તીપ્રશ્નોત્તરસંગ્રહ ૨૦૧ જય ૭૩, ૨૬૮ જયપાડું ૧૭૨ જયંધર ૧૪૯ જયપુર ૫૨, ૯૮, ૨૪૭, ૪૧૪, ૪૩૪, જયકટક ૧૧૯ * ૪૪૧, ૪પ૭, ૪૫૮, પ૧૨ જયકીર્તિ ર૧૨, ૨૩૪, ૩૮૬, ૪૧૬ જયપુરાણ ૧૮૦ જયકીર્તિસૂરિ ૨૯૫ જયપ્રભસૂરિ ૫૮૩ જયકુમાર પ૬, ૫૮, ૧૬૦, ૧૭૮, જયમંગલસૂરિ ૧૯, ૪૬૭, ૪૬૯ ૧૭૯, ૫૧૧, પ૯૬, ૫૯૭ જયમે ૧૬૭ જયકુમારચરિત ૧૭૮, ૧૭૯, ૧૮૦ જયરામ પ૭૩, ૫૭૪ જયકુમાર-સુલોચનાચરિત ૧૭૮ જયવર્મા પપ૭ જયચક્રીચરિત ૧૩૧ જયવલ્લભ પ૬૦, ૫૬૧ જયચન્દ્ર ૧૦૯, ૧૬૭, ૧૭૨, ૪૨૩, જયવિજય ૨૭૫, ૩૧૬ પ૯૯, ૬૦૦ જયવિમલગણિ ૩૧૧ જયચન્દ્રસૂરિ ૩૦૭, ૪૧૭ જયશેખર પ૦૨ જયચરિય ૨૦૦ જયશેખરસૂરિ ૧૨૮, ૧૫૪, ૧૫૭, જયતલદેવી ૫૯૧ ૫૧૬, ૫૧૮, ૫૪૪ જયતિલક ૧૭૨, ૩૮૬ જયસાગર ૫૫ જયતિલકસૂરિ ૨૦૨, ૨૪૭, ૩૦૭, જયસાગરગણિ ૧૭૪, ૧૭૫, ૪૬૪ ' ' ૩૫૧, ૫૧૫, પ૬૬ જયસાગરસૂરિ ૨૨૩ જયતિહુઅણસ્તોત્ર પ૬૬ જયસિંહ ૯૮, ૧૧૯, ૧૮૨, ૨૮૭, જયદત્ત ૧૦૩ ૨૮૮, ૩૯૭, ૩૯૮, ૪૦૨, જયદેવ ૨૪, ૧૫૦, પપ૬ ૪૦૫, ૪૧૮, ૪૩૯, ૪૪૮, જયધવલા ૬૦ પ૨૨, ૫૮૮ જયધવલાટીકા ૪૫૦ જયસિંહદેવ ૧૧૯, ૨૩૬, ૪૧૫, ૪૨૯ જયન્ત ૪૯૫, ૪૯૭ જયસિંહ સિદ્ધરાજ ૩૯૬, ૪૦૨, ૪૧૦ જયન્તવિજય ૪૭૧, ૪૭૩, ૪૯૫, ૪૯૭ જયસિંહસૂરિ ૮૨, ૧૨૮, ૧૨૯, ૧૫૪, જયન્તવિજયકાવ્ય ૨૩૮ ૨૦૨, ૨૨૪, ૨૨૫, ૨૩૩, ૩૧૬, ૩૮૪, ૪૦૯, ૪૧૧, ૪૧૪, ૪૧૬, ૪૩૯, ૪૪૦, પર, પ૭૩, પ૯૨ Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ જૈન કાવ્યસાહિત્ય જયસુન્દર ૧૭૫ જયસુંદરીકથા ૩૬૦ જયસૂરિ ૧૩૩ જયસેન ૪૬, ૫૯, ૬૦, ૩૪૪, ૩પ૬, જાલિહરગચ્છ ૮૧, ૮૨ જાલોર ૧૬૪, ૩૪૨, ૪૪૧, ૪૬૫, ૫૮૩ જાવડ ૧૯૯, ૨૧૬, ૨૨૯ જાવડકથા ૨૪૫ જાવડચરિત્ર ૨૨૯, ૪૧૮, ૪૩૨ જાવડપ્રબંધ ૨૨૯, ૪૧૮, ૪૩૨ જાબાલિપત્તન ૩૪૬ જાવાલિપુર ૧૬૪, ૩૪૨ જિતદંડ ૪૬ જિતશત્રુ ૧૧૦, ૧૬૩, ૪૨૨ જિન ૪૩૯ જિનઋદ્ધિસૂરિ ચરિત્ર ૨૨૩ જિનકીર્તિ ૧૬૮, ૧૭૨, ૧૭૩, ૩૦૯, ૩૧૧, ૩૧૬ જિનકુશલસૂરિ ૨૨૧, ૨૨૨, ૩૦૨, ૩પ૭ જયસોમ ૨૧૦, ૩૧૧ જયા ૧૦૧ જયાનંદ ૫૫, ૧૬૮, ૧૭૨ જયાનંદકેવલિચરિત ૧૭૭ જયાનંદસૂરિ ૧૩૪, ૨૦૮, ૨૧૧ જયોદયમહાકાવ્ય ૧૭૧, ૫૧૧ જયાસંધ ૪૪, ૭૩, ૧૧૭, ૧૨૭, - પ૨૫, ૫૩૦, ૫૮૨ જલ્પણ ૪૯૧, ૫૦૧, ૧૨૭ જવાછપુર ૧૬૬ જસહરચરિઉ ૨૮૯ જહાંગીર ૧૦, ૨૧૯, ૩૧૩, ૪૩૨, ૪૩૪, ૪૩૫, ૪૬૩ જહાનાબાદ ૯૬ જાક ૬૫ જાબાલપુર ૪૧૦ જાબાલિપુર ૯ જામનગર ૫૫૩ જાંબ પ૨૫ જાંબવંત ૧૮૦ જાયસી ૧૭૨, ૩૦૭ જાલિની ૨૬૮ જાલિહર ૮૧ જિનકુશલસૂરિચરિત ૨૨૩ જિનકુશલસૂરિ-ચડુત્તરી ૨૨૧ જિનકૃપાચન્દ્રસૂરીશ્વરચરિત ૨૨૨ જિનચન્દ્ર ૮૩, ૧૩૦, ૨૨૧, ૨૪૩, ૪૫૮ જિનચન્દ્રસૂરિ ૧૬૪, ૧૮૩, ૧૯૩, ૨૧૨, ૨૨૨, ૨૩૦, ૨૩૪, ૨૩૮, ૩૪૫, ૩પ૩, ૩પ૬, પ૬૫ જિનદત્ત ૨૩૯, ૩૦૦, ૩૪૪ જિનદત્તકથાસમુચ્ચય 300 જિનદત્તચરિઉ ૩૦૧ જિનદત્તચરિત ૬૨, ૨૯૯ Page #657 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા જિનદત્તસૂરિ ૧૬૪, ૧૯૩, ૩૪૫, ૪૦૪, ૪૫૨, ૫૧૪ જિનદત્તસૂરિચરિત્ર ૨૨૩ જિનદાસ ૪૨, ૫૧, ૫૨, ૧૩૯, ૧૫૭, ૧૮૩, ૩૪૯, ૩૭૩, ૧૧૫ જિનદાસકથા ૩૩૩ જિનદાસગણિ ૧૪૩, ૨૭૨ જિનદાસ ફડકુલે ૫૪૧ જિનદેવ ૮૪, ૧૧૫, ૨૫૭, ૨૮૨ જિનદેવસૂરિ ૧૨૪, ૨૧૧, ૪૨૭ જિનધર્મપ્રતિબોધ ૨૫૭ જિનધર્મસૂરિ ૧૭૨ જિનપતિ ૧૯૭, ૧૯૯, ૨૨૦, ૨૨૧, ૨૯૮, ૩૧૬ જિનપતિસૂરિ ૧૬૪, ૧૭૧, ૧૯૩, ૩૧૬, ૩૪૫, ૪૫૨, ૪૫૩, ૪૯૫ જિનપતિસૂરિ-પંચાશિકા ૨૨૦ જિનપદ્મસૂરિ ૨૨૨, ૪૫૨ જિનપાલ ૧૮, ૧૩૦, ૧૯૩, ૪૫૩ જિનપાલગણિ ૪૯૫ જિનપુજાષ્ટકવિષયકથા ૩૭૨ જિનપ્રબોધ ૨૨૧ જિનપ્રબોધચતુઃસપ્તતિકા ૩૦૨ જિનપ્રબોધયતિ ૩૪૬ જિનપ્રબોધસૂરિ ૩૨૬, ૩૪૫ જિનપ્રબોધસૂરિ-ચતુઃસપ્તતિકા ૨૨૧ જિનપ્રભ ૧૯૧ જિનપ્રભસૂરિ ૧૦, ૨૪૬, ૨૪૯, ૩૪૯, ૩૬૫, ૩૭૫, ૪૨૬, ૪૨૭, ૪૩૧, ૪૫૩, ૪૫૪, ૪૬૨, ૫૦૮, ૫૬૮ ૬૩૫ જિનભક્તામર ૫૬૭ જિનભદ્ર ૧૦૬, ૧૨૧, ૨૦૬, ૨૫૦, ૪૦૯, ૪૧૯, ૪૨૦, ૪૨૯, ૪૫૨ જિનભદ્રક્ષમાશ્રમણ ૭૧, ૧૨૮, ૧૪૩ જિનભદ્રસૂરિ ૮૩, ૩૫૨, ૪૬૪, ૬૦૪ જિનભદ્રસૂરિસ્વાધ્યાયપુસ્તિકા ૨૨૨ જિનમંડન ૨૨૬ જિનમંડનગણિ ૨૨૫, ૨૭૪, ૪૧૮, ૫૮૬ જિનમાણિક્ય ૧૬૭, ૨૧૬, ૩૨૦ જિનમુખાવલોકનવ્રતકથા ૩૭૨ જિનયશઃસૂરિચરિત્ર ૨૨૩ જિનરત્ન ૧૬૧ જિનરત્નકોશ ૧૧૧, ૧૨૩, ૨૪૬, ૨૫૪, ૨૮૨, ૨૯૮, ૩૨૬, ૩૮૦, ૩૮૬, ૫૫૬, ૬૦૨ જિનરત્નસૂરિ ૧૬૪, ૩૦૨, ૩૪૬, ૪૪૫ જિનરાજ ૪૬૪ જિનરાજસૂરિ ૨૧૮, ૬૦૬ જિનરાજસ્તવ ૫૬૫ જિનલબ્ધિસૂરિ ૨૨૧, ૨૨૨ જિનલબ્ધિસૂરી-ચહુત્તરી ૨૨૧ જિનલબ્ધિસૂરિ-નાગપુર-સ્તૂપ-સ્તવન ૨૨૨ - જિનલબ્ધિસૂરિ-સ્તૂપનમસ્કાર ૨૨૨ જિનલાભસૂરિ ૨૧૨ જિનવર્ધન ૪૬૪ જિનવર્ધનગણિ ૮૩, ૧૬૧, ૧૬૪, ૧૭૫, ૨૪૪ જિનવલ્લભ ૮૬ જિનવલ્લભસૂરિ ૯૨, ૧૬૪, ૧૯૩, ૩૦૬, ૩૪૫, ૪૫૨, Page #658 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ જેન કાવ્યસાહિત્ય ૪૯૮, પ૬૮, ૬૦૪, ૬૦૭ જિનવિજય ૩૮, ૧૫૫, ૧૫૮, ૨૨૪, ૨૩૯, ૪૧૭, ૪૨૦, ૪૨૮, ૪૨૯, ૪૫૦, ૪૫૪, ૪૭૦ જિનવિજયગણિ ૩૯૧ જિનશતક ૬૪ જિનશતકકાવ્ય ૨૯૭ જિનશતકાલંકાર પ૬૬ જિનશેખર ૧૭૨ જિનસમુદ્ર ૬૦૭ જિનસમુદ્રસૂરિ ૬૦૪ જિનસહસ્રનામ પ૬૮ જિનસહસ્રનામટીકા ૨૪૮ જિનસાગર ૧૪૭, ૨૪૪ જિનસાગરસૂરિ ૧૩૯ જિનસાગરસૂરિ-પ્રતિષ્ઠાસોમ ૧૫૪ જિનસિંહસૂરિ ૪૫૧, ૫૦૮ જિનસુન્દર ૩૭૦ જિનસુન્દરીકથા ૩૬૦ જિનસૂરિ ૩૨૩, ૩૨૫, ૩૫૮ જિનસેન ૬, ૯, ૧૭, ૨૧, ૨૩, ૩૪, ૪૨, ૪૫, ૪૭, ૪૮, ૫૧, પર, પ૪, ૫૭, ૫૯, ૬૦૬૨, ૬૫, ૬૮, ૭૩, ૭૬ , ૯૫, ૧૧૭, ૧૩૧, ૧૪૮, ૧૫૦, ૧૭૯, ૧૮૦, ૧૮૭, ૨૩૬, ૨પ૬, ૪૨૦, ૫૧૧, પ૪૩, ૧૪૬, ૫૪૮, પપ૪, પ૬ ૮, પ૭૮, પ૯૬, ૫૯૭ જિનસ્તુતિ ૨૬૧ જિનહંસ ૧૮૩ જિનહંસસૂરિ ૩૨૯, ૪૫૪, ૬૦૫ જિનહર્ષ ૩૬૭, ૫૦૨, ૬૦૭ જિનહર્ષગણિ ૧૬૫, ૨૨૬, ૩૦૭, ૪૧૭, ૬૦૭ જિનહર્ષસૂરિ ૨૧૩, ૩૫૬, ૩૬૨, ૩૭૦ જિનેન્દ્રગુણસંતુતિ પ૬૮ જિનેન્દ્રગુણસમ્પત્તિ ૩૧૮ જિનેન્દ્રચરિત્ર ૯૩ જિનેન્દ્રપુરાણ ૧૬૬ જિનેન્દ્રભૂષણ ૧૬૫ જિનેન્દ્રસાગર ૩૬૮ જિનેશ્વર ૩૧૬, ૩૪૦ જિનેશ્વરસૂરિ ૨૪, ૮૨, ૮૩, ૮૬, ૮૭, ૮૯, ૧૦૦, ૧૨૯, ૧૪૫, ૧૬૪, ૧૬૫, ૧૭૧, ૧૯૩, ૨૨૧, ૨૩૮, ૨૩૯, ૨૮૦, ૩૧૬, ૩૨૬, ૩૪૫, ૩૪૯, ૩૫૦, ૩૬૦, ૪૫૨, ૪૯૫, ૪૯૮, ૫૦૮, ૫૪૯ જિનેશ્વરસૂરિચતુઃસપ્તતિકા ૨૨૧ જિનોદયસૂરિ ૩૩૨ જીતવિજયગણિ ૧૧૭ જીમૂતવાહન ૨૪૯, ૫૭૫ જીરાવાલા ૪૪૬ જીવદેવ ૮૫, ૨૦૬ જીવદેવસૂરિ ૫૧૪ જીવન્દર ૬૦, ૬૧, ૧૩૨, ૧૫૦-૧પર, પ૩૬, પ૩૮, ૨૪૨ જીવન્ડરચમ્પ ૧૫૧, ૧૫૩, ૫૪૧ જીવન્ધરચરિત પ૩, ૧૫૦, ૧૫૧,૧૫૩ જીવરાજ ૩૭૨, ૪૫૮ જીવરાજગણિ ૨૯૫ Page #659 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૩૭ જીવસમાસવૃત્તિ ૪૪૮ જુગલકિશોર મુક્ષાર ૩૧૮, ૫૯૪ જૂનાગઢ ૨૨૦ જે. એફ. ફૂલીટ ૪૬૯ જૈતુગિદેવ ૬૬, ૪૬૨ જૈત્રીન્દ્ર પ૯૯, ૬૦૦ જૈત્રસાગર ૪૧૧ જૈત્રસિંહ ૪૦૫, ૪૦૮, ૪૧૧, ૪૧૯ જૈનકુમારસંભવ ૧૨૮, ૫૧૬ જૈન ગ્રન્થાવલી ૧૩૯, ૩૧૭ જૈનધર્મવરસ્તોત્ર ૫૫૫, પ૬૭ જૈન ધાતુપ્રતિમાલેખ ૪૭૩ જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ ૪૪૧ જૈન પ્રતિમા યંત્રસંગ્રહ ૪૭૪ જૈન પ્રતિમાલેખસંગ્રહ ૧૩૮ જૈનમહાભારત ૪૪, પર જૈનમેઘદૂત પ૪૬, ૨૪૯, પપ૦ જૈનમેઘદૂત સટીક ૩૧૨. જૈનરામાયણ ૭૩, ૫૮૦ જૈન લેખસંગ્રહ ૪૭૦, ૪૭૩ જૈન શિલાલેખસંગ્રહ ૪૭૦, ૪૭૧, ૪૭૪ જૈનસ્તોત્રસંગ્રહ ૫૭૧ જૈનસ્તોત્રસન્દ્રોહ ૫૭૧ જૈનસ્તોત્રસમુચ્ચય પ૭૧ જૈસલમેર ૮૭, ૧૩૦, ૧૫૭, ૧૭૧, ૨૯૧, ૩૧૭, ૩૨૬, ૪૪૧, ૪૭૦, ૪૭૩, ૪૭૪, ૫૯૨ જોધપુર ૬૭, ૧૯૬, ૨૦૯, ૪૬૪, ૪૬૫, ૪૬૮, ૪૮૦, પપ૩ જોહરાપુરકર ૫૧ જ્ઞાતાધર્મકથા ૩૪ જ્ઞાનકીર્તિ ૨૮૩, ૨૮૬, ૨૯૧, ૪૫૮, ૫૨૮ જ્ઞાનચન્દ્રોદયનાટક ૬૦૧ જ્ઞાનતિલક ૬૪, ૪૬૫ જ્ઞાનદર્પણ ૫૮૫ જ્ઞાનદાસ ૨૮૩, ૨૯૦ જ્ઞાનપંચમીકથા ૨૬૨, ૩૬૫-૩૬૭ જ્ઞાનપ્રમોદ ૬૦૬ જ્ઞાનભૂષણ પ૩, ૯૬, ૧૨૫, ૧૯૦, ૪૮૦, ૬૦૨ જ્ઞાનમેરુ ૨૧૨ જ્ઞાનલોચનસ્તોત્ર પ૬૮ જ્ઞાનવિમલ ૨૧૮ જ્ઞાનવિમલસૂરિ ૨૯૪ જ્ઞાનસાગર ૧૦૩, ૧૧૦, ૩૦૫, ૪૬૨,. પ૬૩, ૬૦૭ જ્ઞાનસાગરગણિ ૧૭૪ જ્ઞાનસાગરસૂરિ પર૪ જ્ઞાનસૂર્યોદય ૧૮૦, ૫૭૩ જ્ઞાનસૂર્યોદયનાટક પ૩, ૬૦૧ જ્ઞાનાર્ણવ પ૬૦ જ્યોતિઃસાર ૨૫૧, ૪૩૯ જ્યોતિપ્રસાદ જૈન ૫૧, ૬૪ જ્યોતિષ ૨૮૧ જ્યોતિપ્રભા ૫૯૮ જ્યોતિષ્મભાનાટક ૫૯૮ જ્યોતિસ્કુલિંગ ૨૦૦ જવાલા માલિની ૧૦ ક્વાલિનીકલ્પ ૬૫, ૧૫), ઝંઝણપ્રબંધ ૨૨૮ ઝાંઝણ ૨૨૮, ૪૧૮, ૧૨૦ Jપાય ૫૭૧ Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ જેન કાવ્યસાહિત્ય ટિયાર્ડ ૨૬ ટોડર ૧૫૮ ઠાઈઓ ૪૪૬ ઠાકુરદેવ ૨૮૨ ડિડિલ પદનિવેશ ૩૦૪ ડબ્લ્યુ. પી. કેર ૨૬ ડામરનાગર ૪૩૦ ડુંગર ૪૪૬, ૪૪૭ ડુંગરપુર પ૧, ૨૦૦ ડેલા ઉપાશ્રય ભડાર ૩૧૭ ઢઢણકુમારાદિકથા ૨૫ ઢપુરી ૪૨૬ યુદ્ધક ૪૨૨ સરવિક્રમચરિય ૩૦૩ ભાગ ૩૪૧ રીધમ્મસુત્તીઓ ૨૦૦ સેમિસાહચરિક ૮૩, ૮૭ તર્જર ૫૯૪ તંત્રાખ્યાયિક ૩૮૮ તત્ત્વકૌમુદી ૩૫૬ તત્ત્વત્રયપ્રકાશિકા ૨૪૮ તત્ત્વબિન્દુ ૮૪ તત્ત્વવિકાશિની ટીકા ૩૮૫ તત્ત્વાચાર્ય ૩૪૧ તત્ત્વાદિત્ય ૭૦ તત્ત્વાર્થવૃત્તિ૨૪૮, ૨૯૦ . તત્ત્વાર્થવૃત્તિપદવિવરણ ૨૩૭ તત્ત્વાર્થસારદીપક પર તત્ત્વાર્થસૂત્ર ૪૯૦ તપાગચ્છ ૪૨, ૫૪, ૬૬, ૧૧૭, ૧૨૫, ૧૩૧, ૧૪૭, ૧૪૫, ૧૪૭, ૧૪૮, ૧૫૭, ૧૬૭, ૧૭ ૧૭૭, ૧૭૮, ૧૯૯, ૨૦૭૨૦૯, ૨૧૫, ૨૧૯, ૨૨૬, ૨૨૮, ૨૩૦, ૨૪૪, ૨૫૨, ૨૬૧, ૨૬૩, ૨૬૪, ૨૭૪, ૨૭૫, ૨૭૭, ૨૮૩, ૨૯૩, ૨૯૪, ૨૯૯, ૩૦૫, ૩૦૭, ૩૦૯-૩૧૧, ૩૧૪, ૩૧૭, ૩૧૯, ૩૨૧, ૩ર૩, ૩૨૪, ૩૨૫, ૩૨૭, ૩૩૦, ૩૨૩, ૩૫૮, ૩૬૨, ૩૬૪, ૩૬૬, ૩૬૮, ૩૭૦, ૩૮૦, ૩૮૩, ૩૮૬, ૩૯૧, ૪૩૨, ૪૩૩, ૪૫૧, ૪૫૫, ૪૫૬, ૪૬૪, પ૩૦, ૬૦૫-૬૦૭ તપાગચ્છ-પટ્ટાવલી ૧૩૨, ૧૫૯, ૧૬૭, ૪૫૬ તપાગપટ્ટાવલીઝ ૪૫૫ તપાગચ્છશાખા-પટ્ટાવલી ૪૫૦ તપાગચ્છ-સંવિગ્નશાખા ૧૭૬ તપાગણયતિગુણપદ્ધતિ ૪૫૬ તમિલદેશ ૧૫ર, ૪૪૧ તમિલનાડુ ૧પર તરંગલોલા ૩૩૫ તરંગવઈકહા ૩૩૪ તરંગવતી ૩૩, ૮૫, ૧૨૮, ૩૩૫, ૩૩૬ તરંગવતીકથા ૨૧૪, ૩૩૪, ૩૩૬ તરુણપ્રભ ૨૨૧ તરુણપ્રભસૂરિ ૨૨૨ તામિલિની નગરી ૩૦૪ તારઉર ૪૬૧ તારા પપ૧ તારાપીડ ૫૩૩ . Page #661 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા તારાપુર ૪૬૧ તિત્વમાલથવણ ૪૬૨ તિત્યયરસુદ્ધિ ૫૬૫ તિલકપ્રભ ૧૦૭ તિલકપ્રભસૂરિ ૫૬૩ તિલકમંજરી ૧૪, ૧૮, ૧૨૮, ૧૩૬, ૫૩૧-૫૩૩, ૫૩૫, ૫૩૬ તિલકમંજરીકથાસાર ૫૩૬ તિલકમંજરીવૃત્તિ ૨૧૭ તિલકમંજરીસાર ૫૩૬ તિલકમંજરીસારોદ્ધાર ૧૧૫ તિલકમતી ૩૬૯ તિલકવિજયગણિ ૩૫૬ તિલકસુન્દરી ૩૦૪ તિલકસુન્દરી-રત્નચૂડકથાનક ૩૦૪ તિલકસૂરિ ૪૨૮ તિલકાચાર્ય ૧૧૭ તિલોત્તમા ૩૧૦ તિલોયપણત્તિ ૪૫, ૪૫૦ તીર્થમાલા ૪૫૯, ૪૬૨ તીર્થમાલાપ્રકરણ ૪૬૨ તીર્થમાલાસ્તવ ૫૬૫ તીર્થમાલાસ્તવન ૪૬૨ તીર્થાવલી ૪૬૨ તુંગીગિરિ ૪૬૧ તુગલકવંશ ૪૩૦, ૪૩૧ તુગલકાબાદ ૪૨૭ તુરક ૭૫, ૫૯૧ તુલસીગણિ ૨૦૦ તેજપાલ ૨૨૬, ૪૦૪, ૪૦૭, ૪૦૯, ૪૧૭, ૪૨૩, ૪૩૦, ૪૩૭૪૩૯, ૪૪૬, ૫૯૧, ૧૯૨ તેજસાર ૩૨૩ તેજસારનૃપકથા ૩૨૩ તેજસારરાસ ૩૨૩ તેજસિંહ ૫૬૦ તેરહપંથી ૫૩ તેરાપન્થી ૨૦૦, ૩૧૫ તેરાપુર ૧૬૫ તેલંગાના ૪૩૧ તોમર ૪૧૪ તોમરવંશ ૨૯૦ તોરમાણ ૩૪૧ તોરરાય ૩૪૧ તોસિલ ૧૨૭ ત્રિદશતરંગિણી ૪૫૫, ૪૬૪ ત્રિપુરુષદેવ ૫૮૪ ત્રિપૃષ્ઠ ૯૦, ૧૪૩, ૪૮૫ ત્રિપૃષ્ઠનારાયણ ૫૯૮ ત્રિભુવનકીર્તિ ૩૭૨, ૪૫૯ ત્રિભુવનપાલ ૪૧૫ ત્રિભુવનરતિ ૧૪૯ ત્રિભુવનસિંહચરિત ૩૨૭ ત્રિલક્ષણકદર્શન ૩૧૮ ત્રિલોકપ્રશમિ ૩૪ ત્રિવર્ણાચાર ૫૯૮ ત્રિવિક્રમ ૩૪૧ • ત્રિવિક્રમ ભટ્ટ ૫૩૮ ત્રિશલા ૯૦ ત્રિષષ્ટિપુરુષચરિત્ર ૪૫૯ ત્રિષષ્ટિમહાપુરાણ ૬૫ ત્રિષ્ટિશલાકાપંચાશિકા ૭૯ ૬૩૯ Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ જેન કાવ્યસાહિત્ય ત્રિષષ્ટિશલાકાપુરાણ ૬૫ દયાવિમલ ૩૬૮ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૬, ૧૭, ૩પ, દયાસુન્દરકાવ્ય ૨૮૯, ૨૯૦ ૪૧, ૪૯, ૭૨, દ. રા. વેન્દ્ર પ૩૮ ૭૮, ૭૯, ૯૩, દર્દરાદેવ ૭૩, ૭૪ ૧૨૫, ૧૨૮, દર્પફલિહ ૩૪૦ ૧૩૧, ૧૩૮, દરૈદાનિયાલ ૪૩૪ ૧૭૧, ૧૮૭,. દર્શનભદ્ર ૧૩૨ ૨૦૨, ૨૦૩, દર્શનવિજય ૩૫૦, પ૬૦ ૪૯૧, ૫૨૯ દર્શનશુદ્ધિ ૮૫, ૧૨૮ ત્રિષષ્ટિશલાકાપુરુષમહાચરિત ૭૦ દર્શનસાર ૪૪૯ ત્રિષષ્ટિશલાકાપુરુષવિચાર ૭૯ દવયંતીકથા ૧૩૯ . ત્રિષષ્ટિમૃતિ ૩૫, ૧૨૮ દવયંતીચરિત ૧૩૯ ત્રિષષ્ટિસ્મૃતિશાસ્ત્ર ૬૫, ૬૬ દવયંતીચરિય ૧૩૯ àલૌક્યદીપિકા ૨૮૭. દવયન્તીપ્રબન્ધ ૧૩૯ થરાદ ૫૮૫ દશકુમારચરિત ૨૩, ૧૯૧, પ૩૧, થાનેશ્વર ૧૩ પ૩૭, ૨૭૯ થારાપદ્ર ૫૮૫ દશદૃષ્ટાન્તકથા ૨૬૫ થેરાવલીચરિય ૨૦૩ દશદષ્ટાન્નચરિત્ર ૨૬૫ દથ્વી ૧૪, ૨૫, પ૨૫, પ૩૧, પ૩૭, દશપર્વકથા ૩૭૨ ૫૭૯ દશપુર ૩૭ દત્તગચ્છ ૧૯૬ દશરથ ૩૬, ૬૧, પ૨૫, પ૨૬, ૫૮૦ દધિવાહન ૧૬૨ દશરથજાતક ૪૧, ૬૧ દમઘોષમુનિ ૨૯૭ દશરથનગરી ૩૨૫ દમયન્તી ૧૧૭, ૧૨૭, ૧૩૫, ૧૩૬, દશરથમુનિ પ૯ ૧૬૦, ૫૭૬, ૫૮૨ દશરથ શર્મા ૪૧૪ દમયન્તીમ્પ ૨૦૬ : દશવૈકાલિકચૂર્ણિ ૩૩૪, ૩૯૦ દયાકરમુનિ ૧૦૮ દશશ્રાદ્ધચરિત ૧૯૯, ૨૧૬ દયાપાલ ૧૧૯ દશશ્રાવક ચરિત્ર ૨૬૫ દયાવર્ધન ૧૬૮, ૨૪૮ દશાર્ણ ૩૯૮ દયાવર્ધનગણિ ૩૦૭ દશાર્ણભદ્ર ૭૩, ૧૯૪, ૨૫૭, ૫૮૯, દયાવર્ધનસૂરિ ૧૭૨ Page #663 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૪૧ દશાર્ણભદ્રચરિત ૧૯૪ દશાશ્રુતસ્કલ્પચૂર્ણિ ૨૦૯ દસયાલિય ૨૪૫ દાક્ષિણ્યચિહ્નસૂરિ ૮૬ દાનકલ્પદ્રુમ ૧૭૨, ૧૭૩, ૩૧૧ દાનચતુષ્ટયકથા ૨૬૫ દાનચન્દ્ર ૩૬૭ દાનપ્રકાશ ૨૬૧ દાનપ્રદીપ ૨૯૯, ૩૨૩, ૩૨૯, ૩૫૯ દાનવિજય ૨૬૪ દાનસાર ૬૪ દામનદિ ૬૩, ૬૪. ૧૪૯ દામન્નક ૧૨૭, ૨૫૭, ૨૬૪ દામિની ૩૭૮, ૩૭૯, ૩૮૧ દામોદર ૮૪, ૯૮, ૧૧૫, ૪૮૪ - દિગ્વિજયકાવ્ય ૨૧૯, ૪૩૫ દિગ્વિજય મહાકાવ્ય ૭૮ દિલ્લી ૧૩, ૧૧૬, ૨૨૯, ૨પ૨, ૪૧૧, ૪૧૨, ૪૧૭, ૪૬૭, ૪૨૮, ૪૩૧, ૪૫૩, ૪૫૬, ૪૫૭, ૪૫૮, ૧૦, ૧૯૦ દિવાકર યતિ ૪૧ દિવ્યમુનિ કેશવનદિ ૨૫૬ દીપગુડિ ૫૯૪ દીપમાલિકાકથા ૩૭૦, ૩૭૨ દીપમાલિકાકલ્પ ૧૨૨ દીપસન ૪૬ દીપાલિકાકલ્પ ૨૬૨ દિપાવલીકલ્પ ૧૨૨ દીપિકાટીકા ૬૦૫ દીપોત્સવકથા ૩૭ર દુગ્ર ૩૪૧ દુબકડ ૪૬૭ દુરિયરાયસમીરસ્તોત્ર ૯૨ દુર્ગન્યા ૭૩ દુર્ગાદપ્રબોધટીકા ૨૨૧ દુર્ગવિપ્ર ૧૨૭ દુર્ગવૃત્તિયાશ્રય ૫૦પ દુર્ગસિંહ ૫૦૫, પ૨૭ દુર્ગસ્વામી ૨૮૧ દુર્ધટકાવ્ય ૬૦૬ દુર્જનપુર ૪૭૩ દુર્મતિ ૧૨૭ દુર્મુખ ૧૬૦ દુર્યોધન ૧૪પ, પ૧૩ દુર્લભરાજ ૩૯૭, ૪૨૩, ૪૪૪ દુષ્યન્ત ૮૯ દુષ્કમાસંઘસ્તોત્રયંત્રક ૪૫૫ દુતાનંદ ૫૮૯ દૃઢપ્રહારિ ૧૯૫ દઢપ્રહારિકથા ૩૩૩ દૃઢમિત્રમંથા ૧૨૭ દઢરથ ૧૬૩ દઢવર્મા ૩૩૮, ૩૪૦ દિષ્ટાન્નરહસ્યકથા ૩૩૩ દૃષ્ટાન્તશતક પ૬૦ દષ્ટિવાદ ૪ દેલમહત્તર ૨૮૧ દેવ ૬૦ દેવકલ્લોલ ૨૧૧ દેવકી ૯૭, ૧૪૩, ૧૯૭, ૨૪૬, ૨૯૮ Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ જેન કાવ્યસાહિત્ય દેવકીર્તિ ૧૯૮ દેવકુમાર ૩૨૭, ૩૭૭ દેવકુમારચરિત ૩૨૭ દેવકુમાર-પ્રેતકુમારકથા ૩૩૩ દેવકુલપાટકપુર ૫૧૬ દેવકુશલ ૩૬૨ દેવગિરિ ૧૨૫, ૪૧૮, ૪૩૧ દેવગુપ્ત ૩૪, ૩૯, ૧૭૨, ૩૪૧ દેવગુપ્તસૂરિ ૮૩ દેવચન્દ્ર ૨૦૦, ૨૭૫, ૩૪૨, ૩૫૪, પ૭૩, ૫૮૨, ૫૮૩ દેવચન્દ્રસૂરિ ૯૭, ૧૦૯, ૧૨૯, ૧૪૦, ૨૧૦, ૩૪૯, ૩૫૦, ૩૭૭ દેવચન્દ્રાચાર્ય ૮૬ દેવદત્ત ૧૦૩ દેવદત્તકુમાર ૩૨૭ દેવદત્તકુમારકથા ૩૨૭ દેવદત્તગણિ ૩૨૮ દેવદત્ત દીક્ષિત ૩૬૪ દેવદત્ત ભાંડારકર ૪૪૩ દેવદત્તા ૩૧૧ દેવનન્દા ૭૩ દેવનદિ ૪૮, ૬૦ દેવનન્ટિ પૂજ્યપાદ પ૬૭ દેવપટ્ટન ૪૬૫ દેવપત્તન ૫૫૨ દેવપાલ ૧૦૩, ૧૧૫, ૨૫૦ દેવપાલ પદ્મોત્તર ૨૫૭ દેવપ્રભસૂરિ ૫૦, પ૨, ૫૪, ૮૯, ૯૬, ૧૩૯, ૨૫૧, ૩૬૩, ૪૩૯, ૬૦૭ દેવભદ્ર ૮૪, ૯૧, ૧૩૧, ૩૮૫ દેવભદ્રમુનિ ૩૬૪ દેવભદ્રસૂરિ ૯૦, ૧૨૮, ૧૨૯, ૨૩૮, ૨૪૧ દેવભદ્રાચાર્ય ૮૯, ૧૦૦, ૩૨૯ દેવમતિ ૨૬૩ દેવમૂર્તિ ૨૦૦, ૩૭૬, ૩૭૭, ૩૭૯, ૩૮૦ દેવર પ૨૮ દેવરથ ૧૭૫ દેવરવલ્લભ પ૯૪ દેવરાજ ૩૮૨, પપ૮, પપ૯, પ૯૯ દેવરાજપ્રબંધ ૩૮૩ દેવરાજ-વત્સરાજપ્રબંધ ૩૮૩ દેવરાય મહારાય ૫૫૯ દેવર્ધિકથા ૩૧૭ દેવર્ધિગણિ ૧૦, ૩૧૭ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ ૪૪૯ દેવર્ધિગણિક્ષમાશ્રમણચરિત ૩૧૭ દેવર્ષિ પ૩૫ દેવવિજય ૪૨, ૨૭૫ દેવવિજયગણિ પ૪, ૧૩૯ દેવવિમલ ૨૧૭, ૪૩૪ દેવસંઘ પ૪૦ દેવસિંહ ૧૭૪ દેવસુન્દરસૂરિ ૩૮૦, ૪૫૫, ૪૬૪ દેવસૂરિ ૮૧, ૮૨, ૯૨, ૧૦૭, ૧૦૯, ૧૨૦, ૨૮૦, ૨૮૩, ૪૨૧, ૪૨૩, ૫૧૦, ૫૮૩, ૫૮૭ દેવસેન ૧૮૦, ૨૦૭, ૨૭૩, ૨૭૫, ૪૪૯ Page #665 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ६४ દેવાગમસ્તોત્ર પ૬૬ દેવાચાર્ય ૨૦૬, ૩૨૧ દેવાનન્દમહાકાવ્ય ૭૮, ૨૧૯, ૪૩૫ દેવાનન્દસૂરિ પ૦ દેવાનન્દાબ્યુદય પપપ દેવિંદ ૯૨ દેવીચન્દ્રગુપ્ત ૪૭૩, પ૦૪ દેવેન્દ્ર ૯૨, ૯૭ દેવેન્દ્રકીર્તિ ૨૪૮, ૩૭૩, ૩પ૭, ૪૫૮ દેવેન્દ્રગણિ ૮૧, ૮૪, ૯૨, ૨૪૨, ૨૪૩, ૩૦૪, ૩૦૮ દેવેન્દ્રસૂરિ ૯૧, ૧૨૯, ૧૩૧, ૧૯૦, ૨૧૦, ૨૮૦, ૩૦૫, ૩૨૩, ૩૨૬, ૩૩૦, ૩૪૨, ૩૬૪, પ૬૫ દેશીનામમાલા ૭૦ દેશીયગણ ૪૮૩, પપ૯ દેહડ ૧૨૧ દોઘટ્ટી ટીકા ૩૨૪ દૌલતાબાદ ૧૨૫, ૪૩૧ ધૂતકારકુન્દ ૧૨૭ દંગબન્દર ૧૧૭ દ્રવિડસંઘ ૧૧૯, ૨૮૭ દ્રોણ પ૧૩. દ્રૌપદી ૧૧૭, ૧૨૭, ૧૩૧, ૧૬૦, ૧૮૩, ૨૪૬, પ૧૩, ૫૪૪ દ્રૌપદીચરિત ૧૮૩ દ્રૌપદીસંહરણ ૧૮૩ દ્રૌપદીસ્વયંવર ૫૮૪ દ્રૌપદીહરણાખ્યાન ૧૮૩ દ્વત્રિશિકા પદ૬ દ્વાદશકથા ૨૬૫ દ્વાદશપર્વકથા ૩૭૨ દ્વાદશભાવનાકથા ૨૬૫ દ્વાદશવ્રતકથા ૨૬૫ દ્વાદશાનુપ્રેક્ષા પર દ્વાદશારનયચક્ર ૨૧૪ દ્વારકા ૧૪૮, પ૩૦ દ્વારવતી ૪૭૮, ૪૯૯ દ્વારાવતી પ૨૫ દ્વારિકા ૪૩, ૪૪, ૧૧૭, ૧૩૧, ૧૪૫, ૪૭૮, ૫૪૮ દ્વાર્વિશતિપરીષહકથા ૨૬૫ દ્વિમુખ ૧૬૨, ૧૬૪ દ્વિસંધાન પ૨૫ દ્વિસંધાનકાવ્ય પ૨૨ દ્વિસંધાનમહાકાવ્ય પ૨૪ દ્વિસંમતિકાપ્રબંધ ૪૨૯ દ્વૈપાયનમુનિ પ૩૦ ચર્થકર્ણપાર્થસ્તવ પર ત્યાશ્રય ૭૨ ત્યાશ્રયકાવ્ય ૧૮, ૨૫, ૨૬, ૪૨૫ ત્યાશ્રયમહાકાવ્ય ૨૨૪, ૩૯૬ ધંધુકનગર ૮ર ધંધુકા ૪૪૩ ધન ર૬૮, ૨૮૫ ધનંજય ૨૫, ૨૮૭, ૩૦૮, ૪૮૪, પ૨૨, પ૨પ-પ૨૮, પ૬૮ ધનચન્દ્ર ૧૬૯, ૩૭૩ ધનદ ૨૪), ૩૩૨, ૫૦૮ ધનદકથાનક ૩૩૨ ધનદચરિત ૩૩૨ Page #666 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ ધનદત્ત ૯૭, ૨૫૫, ૩૦૩, ૩૨૧, ૩૪૮, ૫૦૯ ધનદત્તકથા ૩૨૧, ૩૨૨, ૩૩૨ ધનદરાજ ૫૬૦, ૬૦૭ ધનદરાસ ૩૩૨ ધનદશતફત્રય ૫૬૦ ધનદેવ ૮૩, ૩૨૧, ૫૮૬, ૫૮૮ ધનદેવ-ધનદત્તકથા ૩૨૧ ધનધર્મકથા ૩૨૧ ધનપતિ ૨૬૧ ધનપતિ કથા ૩૩૩ ધનપાલ ૧૪, ૧૮, ૧૨૮, ૧૨૯, ૩૩૫, ૩૬૩, ૩૬૬, ૩૬૭, ૪૨૩, ૫૩૧, ૫૩૫, ૫૩૬, ૫૬૫ ધનપ્રભસૂરિ ૨૨૭ ધનમિત્રાદિકથા ૨૬૫ ધનરત્નગણિ ૩૯૦ ધનવાહન ૨૭૯ ધનવિજય ૨૧૮ ધનવિજયગણિ ૨૪૪ ધનશ્રી ૧૩૧, ૨૬૮, ૩૬૪ ધનસારસૂરિ ૬૦૭ ધનાવહસેઠ ૪૯૬ ધનેશસૂરિ ૧૦૦ ધનેશ્વરસૂરિ ૧૦૨, ૨૧૫, ૨૩૮, ૩૦૯, ૩૪૮, ૩૬૦-૩૬૨, ૪૬૦ ધન્ના ૭૩ ધન્નાકાકદીકથા ૩૩૩ ધન્નાશાલિભદ્રરાસ ૧૫૯ ધન્ય ૨૫૭ ધન્યકથા ૧૬૮ ધન્યકુમાર ૧૬૮, ૧૬૯, ૧૭૦, ૧૭૩, ૧૯૪, ૩૩૨ ધન્યકુમારચરિત ૫૧, ૬૪, ૧૬૮, ૧૭૦, ૧૭૨, ૧૭૩, ૩૦૧ જૈન કાવ્યસાહિત્ય ધન્યચરિત્ર ૧૬૮, ૧૭૩ ધન્યનિદર્શન ૧૬૮, ૧૭૨ ધન્યરત્નકથા ૧૬૮ ધન્યવિલાસ ૧૬૮, ૧૭૩ ધન્યશાલિચરિત ૧૬૮, ૧૭૨, ૧૭૩, ૩૧૧ ધન્યશાલિભદ્ર ૩૩૨ ધન્યશાલિભદ્રકાવ્ય ૧૭૧ ધન્યશાલિભદ્રચરિત ૧૬૮, ૧૭૨, ૧૯૭, ૨૦૫ ધમ્મક્ખાણયકોસ ૨૫૩ ધમ્મરસાયનપ્રકરણ ૫૫૯ ધર્મિલ્લ ૧૪૧ ધમ્મિલ્લચરિત ૫૧૮ ધમ્મિલ્લહિંડી ૧૪૧ ધરણ ૨૬૮ ધરણેન્દ્ર ૫૬, ૩૦૬ ધરસેન ૪૬ ધરાદેવ ૪૦૮ ધરાવાસ નગર ૨૧૩ ધર્મ ૧૦૧ ધર્મકથા ૨૬૩ ધર્મકથા૨ત્નાકરોદ્ધાર ૨૫૩ ધર્મકલ્પદ્રુમ ૨૬૦ ધર્મકીર્તિ ૪૨, ૫૫, ૯૫, ૩૨૩, ૬૦૪ ધર્મકુઞ્જ૨ ૫૮૫ Page #667 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ધર્મકુમાર ૧૬૮, ૧૭૧, ૨૦૫, ૫૬૩ ધર્મઘોષ ૧૯૭, ૨૬૮, ૩૦૫, ૪૬૨ ધર્મઘોષગચ્છ ૧૭, ૩૫૪, ૩૮૩ ધર્મઘોષસૂરિ ૮૧, ૯૮, ૧૦૦, ૧૨૭, ૧૮૨, ૨૦૨, ૨૧૧, ૩૬૨, ૫૬૫ ધર્મચન્દ્ર ૯૮, ૧૯૫, ૨૪૮, ૩૫૨, ૩૭૩, ૪૫૭, ૫૬૧ ધર્મચન્દ્રગણિ ૧૧૦, ૨૯૦, ૩૨૨ ધર્મદત્ત ૩૧૩, ૩૧૪ ધર્મદત્તકથા ૫૧૬ ધર્મદત્તકથાનક ૩૦૩, ૩૧૪, ૩૬૩ ધર્મદાસગણિ ૧૩૯, ૧૪૧, ૧૪૩, ૨૩૩, ૩૨૪, ૫૫૯ ધર્મદેવ ૧૬૬, ૨૬૧, ૩૨૩ ધર્મદેવગણિ ૩૫૨ ધર્મધ૨ ૧૪૮ ધર્મધી૨ ૧૪૮, ૨૯૪ ધર્મનન્દન ૩૦૩, ૩૩૯ ધર્મનાથ ૭૩, ૮૫, ૧૦૪, ૩૩૯, ૪૮૬ ૪૮૮ ધર્મનાથચરિત ૧૦૪ ધર્મપરીક્ષા ૨૧૭, ૨૨૬, ૨૭૨, ૩૭૩, ૩૧૭, ૩૪૨, ૫૬૨ ધર્મપરીક્ષાકથા ૨૭૨, ૨૭૫ ધર્મપાલ ૪૨૧, ૪૨૨ ધર્મપાલકથા ૩૨૩ ધર્મપિતાસેઠ ૫૭૭ ધર્મપ્રભસૂરિ ૨૧૧ ધર્મબિન્દુ ૫૬૦ ધર્મભૂષણ ૧૮૯, ૧૯૦ ધર્મમંજૂષા ૭૮ ધર્મમન્દિરગણિ ૩૭૨ ધર્મમિત્રકથા ૩૩૩ ધર્મમેરુ ૬૦૪ ધર્મરત્નકરણ્ડવૃત્તિ ૮૦, ૩૫૦ ધર્મરત્નટીકા ૧૯૦ ધર્મરાજકથા ૩૩૩ ધર્મચિ ૬૦૬ ધર્મવર્ધન ૧૯૦ ધર્મવર્ધનગણિ ૫૬૭ ધર્મવિજય ૧૯૬ ધર્મવિજયગણિ ૨૯૮, ૬૦૫ ધર્મવિધિવૃત્તિ ૧૨૨ ધર્મવિલાસ ૩૨૨ ધર્મશર્માભ્યુદય ૧૪, ૧૮, ૧૦૪, ૪૮૧, ૪૮૪, ૪૮૬, ૫૪૩ ૬૪૫ ધર્મશેખર ૫૧૯ ધર્મશેખરસૂરિ ૬૦૬ ધર્મસિંહ ૧૯૦, ૪૧૧, ૪૧૨, ૫૬૭ ધર્મસિંહસૂરિ ૧૬૯, ૧૭૩, ૫૬૭ ધર્મસાગર ૨૦૯, ૨૭૪, ૨૮૩, ૩૨૦, ૪૩૦ ધર્મસાગરગણિ ૪૨, ૨૧૭, ૪૫૫ ધર્મસાર ૫૬૦ ધર્મસુન્દર ૨૯૬ ધર્મસૂરિ ૪૯૭ ધર્મસેન ૪૬, ૧૮૪ ધર્મસ્તવ ૧૪૮ ધર્મહંસગણિ ૧૪૦ ધર્માખ્યાનકોશ ૨૬૫ Page #668 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ધર્માભ્યુદય ૧૮, ૨૫, ૫૦, ૧૫૪, ૨૨૬, ૨૫૮, ૪૦૮, ૪૩૮, ૫૮૯, ૫૯૦, ૫૯૩ ધર્મામૃત ૫૦૫ ધર્મોપદેશકથા ૨૬૫ ધર્મોપદેશકુલક ૯૨ ધર્મોપદેશપ્રકરણ ૩૦૯ ધર્મોપદેશમાલા ૧૫૪ ધર્મોપદેશમાલાપ્રકરણ ૨૩૪ ધર્મોપદેશમાલાવિવરણ ૨૩૪, ૩૧૬ ધર્મોપદેશશતક ૭૭, ૮૦ ધવલ ૭૩, ૭૬, ૧૨૩, ૧૮૦, ૧૮૭, ૨૦૨, ૪૪૩, ૪૪૩, ૪૬૬ ધવલવિ ૧૭૯ ધવલક્ક ૧૮૨ ધવલક ૪૦૬, ૪૦૭ ધવલસાર્થ ૨૬૧ ધવલા ટીકા ૫૯, ૪૫૦, ૫૨૭ ધવ્યસુન્દરીકથા ૩૩૪, ૩૬૦ ધાકડ ૪૪૭ ધાતુપારાયણ ૫૫૦ ધારવાડ ૬૫, ૫૩૮ ધારા ૪૨૯, ૫૨૬, ૫૩૫ ધારાદેવી ૫૧૩ ધારાનગર ૯, ૨૩૬ ધારાનગરી ૪૨, ૬૫, ૨૩૮, ૪૬૧ ધારિણી ૧૯૨ ધાહિલ ૩૫૭ ધીરવિજયગણિ ૩૭૩ ધુરંધરવિજય ૫૫૩ ધૂર્તચરિત્રકથા ૩૩૪ ધૂર્તાખ્યાન ૨૭૧-૨૭૩ ધૃષ્ટકથા ૩૩૪ ધોલકા ૧૮૨, ૪૪૩, ૫૦૧ ધ્વજભુજંગ ૨૬૧ ધ્વજભુજંગમકથા ૩૩૪ ધ્વન્યાલોક ૪૯૧ નંદ્યાવર્તપુર ૩૭ નગરકોટ ૪૯૫ નગંઈ ૧૬૦ નગતિ ૧૬૨-૧૬૪ નથમલ ૩૧૫ નદી ૫૭૨ નન્તિ ૪૦૦ નન્દ ૨૦૪, ૨૪૬ નન્દદત્તકથા ૩૩૪ નન્દન ૪૮૫ નન્દ્રયતિકથા ૩૩૨ નરાજ ૪૨૩ નન્દરાજકુમાર ૩૩૨ નન્દરાજ્યવંશ ૩૧૭ જૈન કાવ્યસાહિત્ય નન્દલાલ ૫૬૨ નન્દા ૧૯૧, ૫૦૭ નન્દિતાઢ્ય ૮૪, ૩૫૭ નન્દિરત્નગણિ ૨૨૮ નર્જિલ ૨૦૬ નન્દિવર્ધન ૩૭, ૯૦, ૨૭૮, ૪૮૫ નન્દ્રિવિજય ૪૩૫ નન્દ્રિષણ ૪૬, ૭૩, ૧૨૭, ૧૯૧, ૫૬૫ નન્દ્રિષણકથા ૩૩૪ નન્દિસંઘ ૧૧૯, ૨૮૭, ૪૫૦, ૪૫૯, ૪૮૬ Page #669 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬ ૪૭ નન્દિસંઘ-બિરુદાવલી ૪૫૮ નન્દિસૂત્ર ૫, ૧૬૦, ૪૪૯, ૪૭૨ નન્દીતટગ૭ ૫૪ નન્દીશ્વરકથા પ૩, ૩૭૨ નન્દોપાખ્યાન ૩૩૨ નન્દરાજવસતિ ૪૭ નન્દસૂરિ પ૬૫, પ૭૩ નમસ્કારકથા ૩૭૧ નમસ્કારફલદષ્ટાન્ત ૩૭૧ નમસ્કારસ્તવ ૧૭૨, ૩૧૧ નમિ પ૬, ૧૬૦, ૧૬૨-૧૬૪, ૩પ૨ નમિનાથ ૮૭, ૧૧૫ નમુક્કારફલપગરણ પ૬પ નયકણિકા ૪૬૫ નયચન્દ્ર ૧૮, ૨૨, ૨૨૫, ૪૧૩, ૪૧૪, પ૬૭, ૧૯૧, ૬૦૦ નયનક્ટિ ૧૯૮ નયનન્દિસૂરિ ૨૯૮ નયનાવલી ૨૬૯, ૨૮૫ નયરંગ ૨૦૦, ૩૩૩ નયવિજય ૩૫૫ નયવિમલ ૨૯૪ નયસુન્દર ૩૪૯, ૪પ૬ નયસેન ૧૧૯, ૧૮૮ નરચન્દ્ર ૨૫૧ નરચન્દ્રસૂરિ ૫૦, ૨૫૧, ૪૩૯, ૪૪૦, નરનારાયણાનન્દ ૧૪, ૧૮, ૨૫, ૪૯૯ નરબદ ૪૪૬ નરબ્રહ્મચરિત્ર ૩૩૪ નરવર્મ ૩૦૧ નરવર્મકથા ૩૦૧ નરવર્મચરિત ૩૨૬ નરવર્મમહારાજચરિત્ર ૩૦૧ નરવાહનદત્ત ૧૪૪, ૩૪૭ નરવિક્રમ ૯૦, ૩૦૩ નરસંવાદસુન્દર ૩૩૧ નરસિંહ ૧૧૭, ૩૦૩, ૩૮૪ નરસિંહસૂરિ ૧૧૨, ૧૨૨ નરસિંહસેન ૬૦૫ નરસુન્દરપકથા ૩૩૧ નરસેન ૨૯૬ નરેન્દ્રકીર્તિ ૨૯૯, ૩૨૦, ૪૫૮, પર૩ નરેન્દ્રદેવ ૩૫૭ નરેન્દ્રપ્રભ ૧૧૨, ૫૬૦ નરેન્દ્રપ્રભસૂરિ ૧૨૨, ૪૦૯, ૪૩૯, ૪૪O નરેન્દ્રસેન ૧૫૦ નર્મદા ૨૬૩, ૪૮૭ નર્મદાસુન્દરી ૨૬૪, ૩૪૯ નર્મદાસુન્દરીકથા ૩૪૯ નલ ૭, ૧૧૭, ૧૨૭, ૧૩૨, ૧૩૫, ૧૩૬, ૨૪૦, ૨૫૭, પ૭૬, ૫૮૨ નલકચ્છપુર ૬૫, ૬૬ નલકૂબર ૪૯ નલીયૂ ૩૪૧, ૪૯૧, ૫૩૮, ૬૦૬ ૬૦૭. નરદેવકથા ૩૩૪ નરનારાયણ ૪૯૯ . Page #670 -------------------------------------------------------------------------- ________________ ६४८ જેન કાવ્યસાહિત્ય નલચરિત ૧૩૮, ૧૩૯ નલદમ્પત્તીચમ્પ ૫૪૪, ૬૦૩ નલવિલાસ ૧૩૮, પ૭૩, પ૭૪, ૫૭૬ નલાયન ૧૩૫ નલાયનમહાકાવ્ય ૨૮૯ નલિનસહચર પ૩૬ નલિનીગુલ્મ ૯૯ નવોદય ૬૦૬ નલોપાખ્યાન ૧૩૯ નવખડપાર્શ્વસ્તવ પ૨૪ નવગ્રહગર્ભિતપાર્શ્વસ્તવન પ૨૪ નવતત્ત્વપ્રકરણ ૮૩ નવનન્દચરિત ૩૧૭ નવપદપ્રકરણ ૮૩ નવસહસાંકચરિત ૨૬ નવાનગર ૧૫૯ નવીનનગર ૧પ૩ નવ્યવ્યાકરણ ૧૨૫ નસીરુદીન ૪૧૭ નાઈલકુલ ૩૮, ૩૪૬, ૩૪૭ નાઇલગચ્છ ૧૫૬ નાઉ શ્રાવિકા ૨૦૨ નાગકુમારે ૧૩૨, ૧૪૮, ૧૪૯ નાગકુમારકાવ્ય ૬૫, ૧૪૯ નાગકુમારચરિત ૬૪, ૧૪૮ નાગકેતુકથા ૩૩૪ નાગદત્ત ૨૫૫, ૩૧૯, ૪૯૨ નાગદત્તકથા ૩૧૯ નાગદત્તરિય ૩૧૯ નાગદેવ ૨૬૦, ૨૮૨ નાગદેશ ૧૪૯ નાગનદિ ૪૮૬ નાગપુર ૯, ૨૯૩, ૩પ૩, ૩૬૨, ૪૭૪, ૪૮૦ નાગપુરીયશાખા ૨૯૩, ૨૯૪ નાગભટ્ટ ૪૨૨ નાગભટ્ટ દ્વિતીય ૪૨૧ નાગર ૪૪૭ નાગવર્મા પ૨૭ નાગશ્રીકથા ૩૩૪, ૩૬૦ નાગહતિ ૪૬ નાગાનન્દ ૧૮૧ નાગાનન્દનાટક ૪૯૧, ૫૭૫ નાગાર્જુન ૪૨૬-૪૨૮ નાગાર્જુનીકોડ્ડા ૪૬ નાગાવલોક ૪૨૨ નાગિલ ૮૭, ૧૦૧, ૪૪૩ નાગેન્દ્રકુલ ૧૭૧ નાગેન્દ્રગચ્છ ૧૭, ૮૪, ૯૭, ૧૦૨, - ૧૧૫, ૨૫૯, ૪૨૫, ૪૩૭, ૪૪૦ નાગૌર ૬૬, ૮૪, ૪૭૭, ૪૮૦ નાગૌરી ૧૨૫ નાગૌરીગચ્છ ૧૫૭ નાટ્યદર્પણ પ૭૩-૫૭૫, પ૭૭, ૫૮૦ ૫૮૨ નાટ્યશાસ્ત્ર ૪૪, પ૭૪ નાડોલલાખન ૪૨૯ નાણપંચમીકહા ૩૬૬ નાથુરામ પ્રેમી ૬૦, ૫૪૯ Page #671 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬ ૪૯ નાનજી ૨૯૦ નાનાકપણ્ડિત પ૦૨ નાનૂગોધા ૨૯૧ નાભાક ૩૧૨ નાભાકનૃપકથા ૩૧૨ નાભિનન્દનોદ્ધારપ્રબંધ ૨૨૯, ૩૬૨, ૪૩૧ નાભિરાય ૫૮, પ૧૭ નાભેયનેમિદ્વિસંધાન પ૨૨ નામમાલા પ૨૬, ૫૨૮ નાયકુમારચરિઉ ૧૪૮ નાયાધમ્મકહા ૨૪૫, ૨૬૯ નારચન્દ્રજયોતિસાર ૪૩૯ નારદ ૧૨૭, ૧૪૩, ૧૪૫, ૧૪૬, ૫૯૭ નારાયણ પ૨૫ નાલછા ૬૫ નાલન્દા ૧૦ નાસિક્ય ૧૦૪ નાહડરાય ૪૨૯ નિઃદુઃખસપ્તમી ૩૭૨ નિધિદેવ-ભોગદેવકથાનક ૩૩૪ નિત્રય ૪૪૪ નિમિરાજ ૩૩૩ નિમિરાજકાવ્ય ૩૩૩ નિમ્બકમુનિ ૧૨૭ નિર્દોષસપ્તમી ૩૭૨ નિર્ણય ૪૪૫ નિર્ભયભીમવ્યાયોગ ૫૮૧ નિર્ભાગ્ય ૧૦૩ નિર્વાણકાડ ૪૬૦ નિર્વાણકાન્ડસ્તોત્ર પ૬૬ નિર્વાણભક્તિ ૪૬૦ નિર્વાણલીલાવતી ૨૪ નિર્વાણલીલાવતીકથા ૨૩૮, ૩૪૩ નિવણલીલાવતીકાવ્ય ૩૪૫ નિવૃત્તિકુલ ૨૮૧ નિવૃત્તિવંશ ૧૩૩ નિવાણલીલાવઈ ૩૪૫ નિશીથ ૨૪૩ નિશીથચૂર્ણિ, ૧૪૩, ૨૦૯, ૨૭૨, ૩૩૫, ૪૪૮ નિશીથવૃત્તિ ૩૨૪ નિષધ ૧૩૫ નિસુરત્તખાન ૪૧૨ નીતિવાક્યામૃત ૩૯૧, ૫૪૧, પ૬૨ નીતિશતક ૨૪, પ૬૦ નીલજલસા ૧૪૨ નીલી ૪૦૦ નૂરજહાં ૪૩૫ નૃપશેખર ૧૦૩ નેમપ્રભ ૩૦૬ નેમિ ૭૭, ૭૯, ૧૩૧, ૧૯૭, ૪૭૮, ૪૭૯, પ૦૪, પ૦૫, પ૨૯, પ૬૭ નેમિકુમાર ૯૫, ૪૩૦, ૫૪૯, ૫૫૦ નેમિચન્દ્ર ૮૫, ૧૦૪, ૧૧૯, ૧૫૦, ૧૭૫, ૨૩૬, ૩૦૦, ૩૩૩, ૩૭૨, ૪૮૪, પ૨૫, ૫૨૮, ૫૭૨ Page #672 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ નેમિચન્દ્રગણિ ૩૩૬ નેમિચન્દ્રસૂરિ ૮૫, ૯૨, ૧૨૧, ૨૪૨, ૨૪૩, ૩૦૪, ૩૦૮ નેમિચરિતકાવ્ય ૧૧૫ નેમિરિત્ર ૧૧૫ નેમિચરિત્રસ્તવ ૫૬૫ નેમિદત્ત ૪૩, ૧૧૭, ૧૬૫, ૧૬૮, ૧૭૩, ૧૯૮, ૧૯૯, ૨૩૭, ૨૮૩, ૨૯૫, ૨૯૯, ૩૨૦, ૩૭૩ નેમિદૂત ૫૪૬, ૫૪૮, ૧૪૯, ૫૫૪ નેમિદેવ ૫૪૦ નેમિદ્ધિસંધાન ૧૧૫ નેમિથાન ૪૩, ૪૪, ૪૯, ૫૧, ૬૩, ૭૩, ૭૭, ૮૭, ૧૧૫, ૧૧૭, ૧૨૭, ૧૩૧, ૧૩૯, ૧૬૦, ૧૭૬, ૧૮૩, ૧૮૪, ૨૪૪, ૨૫૮, ૪૩૮, ૪૭૭, ૪૭૯, ૫૨૨, ૫૪૬, ૫૪૮૫૦, ૧૮૯ નેમિનાથચઉપઈ ૧૨૨ નેમિનાથચરિત ૧૧૫, ૧૧૬, ૧૩૯, ૨૫૮, ૫૨૨, ૫૯૦ નેમિનાથપુરાણ ૪૩ નેમિનાથમંદિર ૬૬ નેમિનાથમહાકાવ્ય ૧૧૬ નેમિનાથસ્તોત્ર ૫૦૧ નેમિનાહરિ ૧૩૦, ૪૪૩ નેમિનાહરિય ૮૩, ૮૭ નેમિનિર્વાણ ૪૮૪, ૪૮૬, ૪૮૯, ૪૯૧ નેમિનિર્વાણકાવ્ય ૧૧૫, ૧૧૭, ૪૯૦ નેમિનિર્વાણમહાકાવ્ય ૪૭૭ નેમિપુરાણ ૧૧૭ નેમિ-ભક્તામર ૫૬૭ નેમિવિજય ૩૫૩ નેમિષેણ ૨૭૩ નેમિસેન ૧૭૦ નૈગમ ૧૬૯ નૈષધ ૫૪૩, ૬૦૩ જૈન કાવ્યસાહિત્ય નૈષધકાવ્ય ૫૫૫ નૈષધરિત ૫૧૧ નૈષધમહાકાવ્ય ૨૧૭ નૈષધમહાકાવ્યવૃત્તિ ૧૪૮ નૈષધીય ૭૮ નૈષધીયચરિત ૧૪, ૧૧૦, ૧૩૫, ૪૯૧, ૬૦૬ નોધકનગર ૫૩ નોમક ૪૯૦ ન્યાયકન્દલી ૪૩૯ ન્યાયકન્દલીપંજિકા ૨૫૧, ૨૫૪, ૪૨૯ ન્યાયકુમુદચન્દ્ર ૨૩૭ ન્યાયદીપિકા ૧૮૯ ન્યાયરત્ન ૨૬૨ ન્યાયવિનિયવિવરણ ૨૮૭ ન્યાયસાર-ટીકા ૨૨૫ પંગુ ૫૯૯ પંગુલ ૫૯૯ પંચકલ્પભાષ્ય ૪, ૫, ૬, ૨૦૯ પંચકલ્પભાષ્યચૂર્ણિ ૨૦૯ પંચજિનસ્તવ ૧૭૨, ૩૧૧ પંચતંત્ર ૧૮, ૨૪૦, ૨૪૬, ૨૫૦, ૨૫૨, ૨૮૨, ૩૧૬, ૩૬૭, ૩૮૮, ૩૯૦, ૩૯૧ Page #673 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૫૧ પંચતીર્થી ૨૦૦ પંચતીર્થીસ્તુતિ પર૪ પંચદમ્યકથા ૩૭૯ પંચદમ્સછત્રકથા ૩૭૯ પંચદમ્હછત્રપ્રબન્ધ ૧૯ પંચદણ્ડપુરાણ ૩૭૯ પંચદડપ્રબંધ ૩૭૯ પંચદડાત્મકવિક્રમચરિત્ર ૩૭૮ પંચનદ ૪૧૦ પંચનાટક ૧૩૮ પંચપરમેષ્ઠીપૂજા પર પંચમીસ્તુતિ ૨૬૧ પંચલિનીપ્રકરણ ૨૩૮ પંચવર્ગસંગ્રહનામમાલા ૨૪૫ પંચવાસ્તુક ૪૪૮ પંચશતીપ્રબંધ ૨૪૫ પંચશતીપ્રબોધપ્રબંધ ૨૦૭, ૨૪૫ પંચસંગ્રહ ૨૭૩, ૩૪૨ પંચસંધાન-મહાકાવ્ય પ૨૨ પંચસ્તૂપાન્વય ૫૯ પંચાખ્યાન ૭૮, ૩૮૮, ૩૯૦ પંચાખ્યાનક ૩૮૯ પંચાખ્યાનકકથાસાર ૩૭૦ પંચાખ્યાનચૌપાઈ ૩૯૧ પંચાખ્યાનવાર્તિક ૩૯૧ પંચાખ્યાનસારોદ્ધાર ૩૯૦ પંચાખ્યાનોદ્ધાર ૩૯૧ પંચાણુવ્રતકથા ૨૬૫ પંચાધ્યાયી ૧૫૮ પંજાબ ૪પ૩ પંજિકા પ૪૧, ૬૦૫ પઈનય ૨૪૫ પઉમચરિઉ ર૬, ૩૪, ૪૦, પ૯૫ પઉમચરિય ૬, ૩૪, ૩૫, ૪૦, ૪૧, ૬૧, ૬૮, ૭૦, ૧૪૨, ૧૮૩, ૫૯૭ પઉમપભચરિય ૮૧, ૧૨૦ પઉમસિરિચરિઉ ૩પ૭ પંચમીકથા ૩૬૫ પટના ૪૭૪ પટ્ટાવલી ર૧૭, ૩૦૯, ૪૪૯, ૪૫૫ પટ્ટાવલીપરાગ ૨૬૬ પટ્ટાવલીસારોદ્ધાર ૪પ૬ પટુમતિ ૪૮૬ પટોદી ૯૮ પડોચન્દ્ર ૨૮૯ પણિ પ૭૨ પણ્ડિતાચાર્ય ૯૮, ૫૫૯ પત્તન ૧૩૯ પત્તનનગર ૧૨૭ પથિકાંચદશક ૨૦૦ પદકૌમુદી પ૨૬, ૫૨૮ પદ્મ ૩૫, ૪૦, ૯૪ પાકુમાર ૩૨૦ પદ્મચન્દ્ર ૨૭૧, ૩૧૯, ૫૮૮ પદ્મચન્દ્રસૂરિ ૨૮૯ પદ્મચરિત ૧૪, ૩૯, ૪૦, ૪૪, ૪૮, ૬૧, ૭૩, ૧૮૦, ૧૮૩ પદ્મનન્દનસૂરિ ૨૦૯ પદ્મનન્દ ૧૨૬, ૨૪૮, ૨૭૫, ૨૮૩, ૪૫૭, ૪પ૮, પ૨૮, પ૫૯, પ૬૯, ૬૦૬ Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ પદ્મનાથ ૪૨, ૯૬, ૨૯૦, ૪૮૨ પદ્મનાભકવિ ૩૩૪ પદ્મનાભ કાયસ્થ ૨૮૩ પદ્મનાભરિત ૫૩ પદ્મનાભપુરાણ ૯૬ પદ્મપુરાણ ૨૬, ૪૦, ૪૨, ૪૮, ૨૫૬, ૧૯૫, ૫૯૭ પદ્મપુરાણ-પંજિકા ૪૨ પદ્મપ્રભ ૮૧, ૧૧૦, ૧૧૨ પદ્મપ્રભચરિત્ર ૯૬, ૩૮૫ પદ્મપ્રભસૂરિ ૧૧૨ પદ્મમંત્રી ૯૩, ૫૧૪ પદ્મમન્દિરગણિ ૨૫૧, ૪૫૨ પદ્મમહાકાવ્ય ૪૨ પદ્મમૂર્તિ ૨૨૨ પદ્મમેરુ ૬૬, ૧૨૫ પદ્મરથ ૧૬૩, ૩૫૨ પદ્મલોચના ૧૦૩ પદ્મલોચનકથા ૩૩૪ પદ્મવિજય ૧૭૮, ૧૯૬, ૩૨૭ પદ્મસાગરગણિ ૨૧૭ પદ્મવિજયગણિ ૧૭૬ પદ્મશ્રી ૩૫૭ પદ્મશ્રીકથા ૩૫૭ પદ્મસાગર ૪૨, ૨૦૯, ૨૧૭, ૨૮૩, ૪૩૪ પદ્મસાગરગણિ ૨૬૪, ૨૭૪ પદ્મસુન્દર ૬૬, ૬૭, ૧૨૫, ૧૫૫, ૧૫૭, ૩૬૬, ૪૩૨, ૬૦૧ પદ્મસુન્દર નાગૌરી ૧૫૫ પદ્મસેન ૪૫, ૧૦૨, ૧૦૩, ૩૫૫ પદ્મા ૮૯ પદ્માક ૧૬૪ પદ્માકર ૨૫૫, ૨૬૧ પદ્માકરકથા ૩૨૯, ૩૩૪ પદ્માદિત્ય ૪૦૮ પદ્માનન્દ ૭૭, ૫૬૦ પદ્માનન્દ-મહાકાવ્ય ૯૩, ૫૧૪ પદ્માવત ૧૬૫, ૧૭૨, ૩૦૭ પદ્માવતી ૧૦, ૧૦૩, ૧૪૩, ૧૬૨, ૩૦૬, ૩૧૨, ૩૧૩, ૩૫૪, ૩૮૬, ૫૦૩ પદ્માવતીચરિત્ર ૩૫૪ પદ્મિનીરિત ૩૬૦ પદ્મન્દુ ૪૯૯ પદ્મોત્ત૨ ૧૭૫ પનસોગે ૬૪ પભોસા ૪૬૮ જૈન કાવ્યસાહિત્ય ૫૫ ૯, ૧૮૮, ૫૩૮ પરદેશીચિરત ૩૧૮ પરબત ૪૪૬, ૪૪૭ પરમર્દિ ૩૦૧ પરમર્દિદેવ ૧૭૦ પરમહંસસંબોધરિત ૩૩૩ પરમાત્મરાજસ્તોત્ર ૫૨ પરમાનન્દ ૨૫૫ પરમાનન્દ શાસ્ત્રી ૩૮ પરમાનન્દસૂરિ ૩૦૪, ૩૪૩ પરમાર ૯, ૧૩, ૪૨, ૬૩, ૬૬, ૧૦૨, ૧૧૫, ૧૪૬, ૨૩૬, ૩૪૨, ૪૦૧, ૪૦૨, ૪૧૮, ૪૨૫, ૪૪૪, ૪૬૧, ૪૭૬, ૫૩૫ Page #675 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૯૫૩ પાટનગર ૨૨૯ પાટન-સૂચીપત્ર ૩૨૯ પાટલિપુત્ર ૨૦૪, ૩૧૧ પાટોદી ૨૪૭ પાંડિચ્છયગચ્છ ૩૦૦ પાણિનિ ૪૨૦, ૫૭૨ પાણ્ડવ ૭, ૫૧૩, પ૨૦, પ૨૫, પ૨૯, પ૩૦, ૫૪૪ પાણ્ડવચરિત ૫૦, ૫૧, ૫૪, ૫૫, ૧૩૯ પરમેષ્ઠિસ્તવ પ૬પ પરવાદિઘરટ્ટ પ૨૮ પરાશર ૫૪૧ પરિશિષ્ટપર્વ ૭૦, ૭૬, ૧૫૪, ૨૦૩, ૨૦૫, ૩૨૧ પર્પટ ૪૭૬ પર્વકથા ૩૭૩ પર્વકથાસંગ્રહ ૩૭૩ પર્વત ૧૪૨ પર્વતિથિવિચાર ૩૦૭ પર્વરત્નાવલી ૧૭૫, ૪૬૪ પર્વવિચાર ૩૦૭ પલ્યવિધાનવૃતોપાખ્યાનકથા ૩૭૩ પલક્કીગુડુ ૧૮૮ પલ્લિવાલગચ્છીય-પટ્ટાવલી ૪૫૬ પલ્લીકોટ ૪૧૦ પલ્લીગચ્છ ૩૫૧ પલ્લીવાલ ૧૧૫, ૪૪૭, પ૩૬ પવનજય પ૯૫ પવનદૂત પ૩, ૧૨૫, ૧૮૦, ૫૪૬, ૫૫૧ પવનવેગ ૨૭૪ પહુપાલ ૨૯૨ પાંગુલ ૩૬૮ પાંચાલ ૧૬૨ પાટન પ૨, ૭૪, ૮૩, ૧૨૪, ૧૨૯, ૨પ૩, ૨૯૯, ૪૨૯, ૪૩૧, ૪૪૧, ૪૪૨, ૪૪૩, ૪૪૪, ૪૪૬, ૪૬૩, ૪૬૮, ૪૯૧, ૪૯૨, ૫૧૫, પર૨, ૫૮૯ પાડવપુરાણ પર, પ૩, ૫૪, ૫૫, ૧૨૦, ૧૫૩, ૧૬૬, ૧૮૦, ૪૫૭, પપ૧ પાડુંદેશ ૪૩૧ પાડુરાજ પ૨૫ પાઠ્ય ૫૯૪ પાતંજલ ૫૭૨ પાત્રકેશરી ૬૦, ૨૩૫, ૩૧૮, પ૬૭ પાત્રકેશરીકથા ૩૧૮ પાત્રકેશરીસ્તોત્ર ૩૧૮, પ૬૮ પાદપૂજ્ય ૪૬૧ પાદલિપ્ત ૩૩, ૮૫, ૧૬૦, ૨૦૫, ૨૦૬, ૨૧૪, ૩૩૬, ૪૧૯ પાદલિપ્તસૂરિ ૧૮૨, ૨૧૪, ૩૩પ પાદલિપ્તસૂરિકથા ૨૧૪ પાપડીવાલ ૪૫૮ પાપબુદ્ધિ ધર્મબુદ્ધિકથા ૩૧૬ પાર-પ્રદેશ ૪૧૭ પાર્શ્વ પ૩, ૭૭, ૧૨૫, ૧૬૦, ૫૨૪, પ૨૯ પાર્શ્વકીર્તિ ૨૭૫ Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ પાર્શ્વચન્દ્ર ૧૦૯, ૩૬૭, ૧૮૩ પાર્શ્વચન્દ્રગચ્છ-પટ્ટાવલી ૪૫૬ પાર્શ્વચરિત્ર ૯૫ પાર્શ્વજિન ૫૮૨ પાર્શ્વજિનાલયપ્રશસ્તિ ૪૬૪ પાર્શ્વનાથ ૪૭, ૬૩, ૬૪, ૭૩, ૭૭, ૭૯, ૮૮, ૮૯, ૯૧, ૧૧૭૧૧૮, ૧૨૦, ૧૨૨-૧૨૫, ૧૩૮, ૧૬૦, ૧૭૧, ૧૯૬, ૩૫૧, ૩૬૧, ૩૬૮, ૩૯૩, ૪૦૪, ૪૪૪, ૧૧૬, ૫૪૬, ૫૪૭, ૫૬૪, ૫૬૬, ૫૬૯, ૫૮૯ પાર્શ્વનાથકાવ્ય ૬૭, ૧૨૫, ૪૩૨ પાર્શ્વનાથચરિત ૮૧, ૯૮, ૧૦૬, ૧૦૭, ૧૧૨, ૧૧૪, ૧૧૭, ૧૧૮, ૧૨૦, ૨૮૭, ૨૮૮, ૪૮૪, ૫૨૭ પાર્શ્વનાથચરિત્રસમ્બĀદશદૃષ્ટાન્તકથા૨૬૫ પાર્શ્વનાથ-જિનમંદિર ૩૦૩ પાર્શ્વનાથજિનેશ્વરચરિત ૧૧૮ પાર્શ્વનાથપુરાણ ૫૨ પાર્શ્વપુરાણ ૫૩, ૧૨૫, ૧૮૦, ૨૯૦, ૫૫૧ પાર્શ્વનાથમંદિ૨ ૯૬ પાર્શ્વનાથમહાકાવ્ય ૨૧૮, ૨૫૨ પાર્શ્વનાથસમસ્યાસ્તોત્ર ૫૬૭ પાર્શ્વનાથસ્તંભલેખ ૩૦૧ પાર્શ્વનાથસ્તોત્ર ૫૫૫, ૫૬૭ પાર્થસ્તવ ૧૧૨, ૫૨૪ જૈન કાવ્યસાહિત્ય પાર્શ્વભ્યુદય ૬૦, ૧૧૮, ૫૪૫, ૫૪૬, ૫૪૮, ૫૫૪, ૫૫૯ પાવાપુર ૪૬૦ પાલ ૧૩ પાલ-ગોપાલકથા ૩૧૫ પાલડીગ્રામ ૨૬૩ પાલનપુર ૧૬૪, ૧૭૫, ૧૯૭ પાલનરેશ ૪૨૨ પાલિત્તસૂરિ ૧૨૮ પાલીતાના ૨૨૩, ૪૪૬ પાસનાહરિય ૮૮, ૮૯, ૨૩૮, ૨૪૧ પિટર્સન ૪૪૧, ૪૬૬ પિણ્ડનિજુત્તિ ૫૭૨ પિન્હેરો ૪૩૩ પિપ્પલક ૮૩ પિપ્પલકગચ્છ ૩૨૨, ૩૫૧ પિપ્પલકશાખા ૩૫૬ પિપ્પલાદ ૧૨૭, ૧૪૨ પિહિતાસવ ૧૪૯ પીઠદેવ ૪૧૭ પીથા ૧૩૯ પુંજરાજ ૪૨૩ પુણ્ડરીક ૭૨, ૧૮૧ પુણ્ડરીકચરત ૧૬૦, ૧૮૧ પુણ્ડરીકસ્તવ ૫૬૫ પુણ્યકુશલ ૧૨૯ પુણ્યકેતુ ૫૮૫ પુણ્યતિલક ૩૦૨ પુણ્યધનચરિત ૩૨૬ Page #677 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૫૫ પણ્યધનપકથા ૨૪૫ પુણ્યનન્દનગણિ ૨૬૫ પુણ્યપાલ ૩પ૭ પુણ્યપાલ રાજકથા ૩પ૭ પુણ્યપ્રકાશ ૨૩૦ પુણ્યપ્રદીપ ૨૧૪ પુણ્યરત્નસૂરિ ૧૭પ પુણ્યવતીકથા ૩૬૦ પુણ્યશીલમુનિ ૬૦૬ પુણ્યસાગર ૩૨૯, ૩૭૦ પુણ્યસાગરગણિ ૧૮૩ પુણ્યસાર ૩૨૬ પુણ્યસારકથા ૨૨૧, ૨૪૫, ૩૨૬ પુણ્યસારકથાનક ૩૦૨ પુણ્યહર્ષ ૬૦૪ પુણ્યાત્ય ૧૦૧ પુણ્યાક્યનૃપકથા ૩૩૪ પુણ્યાશ્રવકથાકોષ ૧૬૫, ૧૯૮, ૨પપ પુન્નડકથા ૩૩૪ પુત્રાટ ૪૬, ૪૭ પુત્રાટસંઘ ૪૬, ૪૭, ૨૩૫ પુરન્દર ૩૨૬, ૩૪૪ પુરદ્રદત્ત ૩૩૯ પુરન્દરનૃપકથા ૩૨૬ પુરન્દરનૃપચરિત્ર ૩૨૫ પુરન્દરવિધિ કથોપાખ્યાન ૩૨૬ પુરાણ પ૬૩ પુરાણસાર ૬૨, ૬૪ પુરાણસારસંગ્રહ ૩૪, પ, ૬૩ પુરાતનપ્રબન્ધ ૨૦૬ પુરાતનપ્રબંધસંગ્રહ ૨૪૬, ૪૧૮, ૪૨૦, ૪૨૯, ૫૦૪, ૫૯૯ પુરુદેવ પ૪૩ પુરુદેવચમ્પ પ૦૪, ૫૪૩ પુરુદેવપંચકલ્યાણકથા ૨૬૫ પુરુરવા ૪૮૫, ૫૭૨ પુરુષચરિત ૫૯૩ પુર્તગાલી ૪૩૩ પુલકેશિ ૪૬૬, ૪૬૭ પુલિન્દ ૧૮૬ પષ્કરગણ ૯૬ પુષ્પચૂલા ૩૧૯ પુષ્પદન્ત ૯, ૪૧, ૬૨, ૭૦, ૮૪, ૯૮, ૧૪૮, ૨૮૭, ૫૬૩, ૬૦૬ પુષ્પદન્તરિય ૮૪ પુષ્પભૂતિ ૧૩ પુષ્પવતીકથા ૩૬૦ પુષ્પસાર ૧૨૭ પુષ્પસુંદરી ૧૭૫ પુષ્પસેન ૧૧૯, ૧૫૩ પુષ્પાંજલિવ્રતકથા પર પુષ્પાંજલીકથા ૩૭૩ પુસ્તકગચ્છ પપ૯ પુહવીચંદરિય ૧૭૪, ૧૭પ પૂજ્યપાદ ૨૭૫, ૪૬૧ પૂના ૨૪૯, ૪૪૬ પૂરણચન્દ્ર નાહર ૪૭૦, ૪૭૩ પૂર્ણકલશ ૧૦૩ પૂર્ણકલશગણિ પ૬પ પૂર્ણચન્દ્ર ૧૭૫, ૬૦૬ પૂર્ણચન્દ્રસૂરિ ૩૭૮ પૂર્ણતલગચ્છ ૧૭, ૮૬ પૂર્ણદેવ ૨૮૩ Page #678 -------------------------------------------------------------------------- ________________ ૬પ૬ જૈન કાવ્યસાહિત્ય પૂર્ણપાલ ૪૪૫ પૂર્ણભદ્ર ૧૬૮, ૨૬૪, ૩૮૮, ૩૮૯ પૂર્ણભદ્રગણિ ૧૯૭, ૧૯૯, ૩૧૬ પૂર્ણભદ્રસૂરિ ૧૭૧, ૩૮૮, ૩૯૦ પૂર્ણમલ્લ ૩૫૫ પૂર્ણિમાગ૭ ૧૦૯, ૧૬૭, ૧૭૬, ૨૦૧, ૨૬૧, ૨૯૪, ૩૦૧ પૂર્ણિમાશાખા ૨૦૨ પૂર્વર્ષિચરિત ૨૦૫ પૃથ્વી ૧૪૯ • પૃથ્વીચન્દ્ર ૧૭૪, ૧૭૫, ૩૨૩, ૪૨૩, ૪૯૫ પૃથ્વીચન્દ્રગુણસાગરચરિત્ર ૧૭૪ પૃથ્વીચન્દ્રચરિત્ર ૧૭૪-૧૭૬, ૩૦૩, ૩૬૩, ૩૮૪, ૪૬૪, ૫૧૬ પૃથ્વીધર ૨૨૮, ૨૨૯ પૃથ્વીરચરિત ૨૨૯ પૃથ્વીપરપ્રબંધ ૨૨૮, ૩૩૧, ૩૮૩ પૃથ્વીપાલ ૮૩, ૮૭, ૪૪૩, ૪૪૪, ૪૮૨ પૃથ્વીરાજ ૨૨૧, ૪૧૧,૪૨૯, ૪૪૨ પૃથ્વીરાજરાસો ૪૨૦ પૃથ્વીસાર ૩૩૮, ૩૩૯, ૩૪૦ પૃષ્ઠચપ્પા ૧૯૪ પેથડ ૨૨૮, ૨૨૯,૪૧૮, ૪૪૬, ૪૪૭ પેથડચરિત ૪૧૮ પેથડપ્રબંધ ૨૨૮ પેથડરાસ ૪૪૭ પેથડશાહ ૧૮. પરાડાઈઝ લૉસ્ટ ૨૭ પોદનપુર ૨૯૧ પોન્ન પ૩૮ પોરવાડ ૨૨૬, ૨પ૭, ૪૩૨, ૪૪૪, ૪૪૬, ૪૪૭, ૪૮૦, ૫૮૪ પૌષ્ટ્રમાસિકગચ્છ ૮૫ પીર્ણમિકગચ્છ ૧૦૭, ૧૧૨ પૌર્ણમિકગચ્છ-પટ્ટાવલી ૪પ૬ પૌષદશમીકથા ૩૬૮ પ્રજાપતિ ૧૩૨ પ્રજાપાલ ૨૯૧ પ્રજ્ઞા કર ૩૨૯ પ્રતાપ ૫૮૬ પ્રતાપસિંહ ૪૧૭ પ્રતિક્રમણવિધિ ૪૧૭ પ્રતિબુદ્ધ ૧૧૦ પ્રતિમાલેખસંગ્રહ ૪૭૪ પ્રતિષ્ઠાતિલક પ૯૪, ૫૯૮ પ્રતિષ્ઠાનપત્તન ૪૨૬ પ્રતિષ્ઠાનપુર ૪૨૬ પ્રતિષ્ઠાપાઠ ૧૭૦. પ્રતિષ્ઠાસારોદ્ધાર ૫૯૪ પ્રતિષ્ઠાસોમ ૨૧૫ પ્રતિહાર ૪૨૩ પ્રતિહાર-વંશ ૨૩૬ પ્રતીહાર ૫૯૭ પ્રત્યેકબુદ્ધચરિત ૧૬૦, ૧૬૧, ૩૦૨, ૩૪૬ પ્રત્યેકબુદ્ધમહારાજર્ષિચતુષ્કચરિત્ર ૧૬૧ પ્રદેશવ્યાખ્યાટિપ્પન ૮૭ પ્રદેશી ૩૧૮ Page #679 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા પ્રદેશીરિત ૩૧૮ પ્રધુમ્ન ૪૪, ૬૧, ૧૧૭, ૧૨૭, ૧૩૨, ૧૪૧, ૧૪૬, ૧૭૨ પ્રદ્યુમ્નચરિત ૧૪૪, ૧૪૬, ૧૪૭, ૨૯૦, ૫૧૫ પ્રદ્યુમ્નચરિતકાવ્ય ૪૭૬ પ્રદ્યુમ્નસૂરિ ૨૪, ૫૦, ૧૦૦, ૧૦૯, ૧૧૨, ૧૫૬, ૨૦૫, ૨૭૦, ૨૭૧, ૨૮૦, ૨૯૫, ૩૦૪, ૩૪૨, ૩૪૩, ૩૪૯ પ્રદ્યોત ૨૦૧ પ્રદ્યોતકથા ૧૯૪ પ્રબંધકોશ ૨૦૬, ૨૧૪, ૨૪૬, ૨૫૧, ૨૫૪, ૩૭૫, ૩૭૭, ૪૦૪, ૪૧૮, ૪૨૬, ૪૨૯, ૪૬૧, ૧૭૨, ૫૭૬, ૫૯૯ પ્રબંધચિન્તામણિ ૧૮, ૭૭, ૨૦૬, ૨૨૫, ૨૪૬, ૨૫૯, ૩૧૦, ૩૭૫, ૩૮૨, ૩૮૪, ૪૦૮, ૪૧૭, ૪૨૨, ૪૨૬, ૪૨૯, ૪૪૩, ૪૫૨, ૫૦૨, ૫૩૫, ૫૫૦, ૧૮૮, ૫૯૯ પ્રબંધપંચશતી ૨૪૬ પ્રબંધસંગ્રહ ૧૮ પ્રબંધાવલિ ૧૦૬, ૧૨૧, ૨૦૬, ૪૦૯, ૪૧૯, ૪૨૦, ૪૨૯ પ્રબુદ્ધૌહિણેય ૫૮૩, ૧૯૩ પ્રબુદ્ધૌહિણેય-નાટક ૨૦૦ પ્રબોધચન્દ્રોદય ૫૮૫, ૬૦૧, ૬૦૭ પ્રબોધચિન્તામણિ ૧૧૮ પ્રબોધપંચપંચાશિકા ૨૦૦ પ્રબોધમાણિક્ય ૬૦૬ પ્રમંજન ૩૪, ૩૯, ૨૮૩, ૨૮૬, ૨૮૭, ૨૮૯, ૫૪૦ પ્રભવ ૪૦, ૪૨ પ્રભવબોધકાવ્ય ૨૦૦ પ્રભાચન્દ્ર ૪૨, ૫૦, ૫૩, ૬૦, ૬૬, ૧૧૨, ૧૨૫, ૧૬૯, ૧૭૨, ૧૭૩, ૧૯૮, ૨૦૫, ૨૧૦, ૨૩૫-૨૩૭, ૨૯૯, ૩૧૭, ૩૭૫, ૪૧૯, ૪૫૭, ૪૫૮, ૪૬૧, ૫૨૬, ૫૮૭, ૬૦૨ પ્રભાવકકથા ૨૦૭, ૨૪૫ પ્રભાવકચરિત ૧૮, ૫૦, ૧૭૨, ૨૦૫, ૨૦૦૭, ૨૨૫, ૨૪૬, ૨૮૧, ૩૩૫, ૩૭૫, ૪૧૮, ૪૨૧, ૪૨૬, ૫૩૫, ૫૭૪, ૧૮૮ પ્રભાવતી ૭૪, ૧૯૫, ૧૯૫, ૧૯૭ પ્રભાવતી-કથા ૧૯૬ પ્રભાવતીકલ્પ ૧૯૭ પ્રભાવતીદૃષ્ટાન્ત ૧૯૭ પ્રભાસ ૪૯૯, ૪૦૬ પ્રભાસપાટન ૪૬૫ પ્રભુરાજ ૧૭૯, ૧૮૦ પ્રમાણનિર્ણય ૨૮૭ ૬૫૭ પ્રમાણપ્રકાશ ૮૪, ૯૧ પ્રમાણપ્રકાશ-સટીક ૨૧૭ Page #680 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ જૈન કાવ્યસાહિત્ય પ્રમાણશાસ્ત્ર પ૨૬ પ્રમાણસુન્દર ૬૭ પ્રમાલક્ષ્મ ૨૩૮ પ્રમેયકમલમાર્તણ્ડ ૨૩૭, પ૨૭, ૫૮૭ પ્રમેયરત્નકોશ ૮૫ પ્રમોદમાણિજ્ય ૨૩૦ પ્રવચનપરીક્ષા ૪૩૦ પ્રવચનસારસરોજભાસ્કર ૨૩૭ પ્રવચનસારોદ્ધારટીકા ૮૪, ૯૬ પ્રવચનોદ્ધાર ૩૮૫ પ્રવરવજશાખા ૪૯૫ પ્રશમરતિવૃત્તિ ૨૯૮ પ્રશ્નવાહનકુલ ૪૨૮ પ્રશ્નસુન્દરી ૭૯ પ્રશ્નોત્તરમાલિકા ૩૮ પ્રશ્નોત્તરસંગ્રહ ૨૦૧ પ્રશ્નોત્તરોપાસકાચાર પ૧ પ્રસન્નચન્દ્ર ૭૩, ૮૯, ૯૧, ૧૪૧, ૨૨૫, ૨૫૦ પ્રસન્નચન્દ્રસૂરિ ૪૧૪ પ્રસેનચન્દ્ર ૧૩૨ પ્રસેનજિત ૧૯૧ પ્રાગ્વાટ ૨૦૪, ૪૦૫, ૪૮૦, ૫૮૪ પ્રાચીન જૈન લેખ-સંગ્રહ ૪૭૦, ૪૭૧, ૪૭૩ પ્રાચીનતીર્થમાલાસંગ્રહ ૪૬૨ પ્રાણપ્રિય ૫૯૦ પ્રાણપ્રિયકાવ્ય પ૬૭ પ્રિયંકર ૩૨૫, ૩૭૧ પ્રિયંકરકથા ૩૨૫ પ્રિયંગુઠ્યામાં ૩૩૮ પ્રિયંગસુન્દરી ૧૪૧, ૧૪૩ પ્રિયંવદા ૩૪૭ પ્રિયંસુન્દરી ૩૪૮ પ્રિય મિત્ર ૯૦ પ્રીતિકર ૩૨૦ પ્રીતિકરમહામુનિચરિત ૩૨૦ પ્રીતિમતી ૩૪૬, ૩૬૮, ૪૯૬ પ્રીતિવિમલ ૩૧૧ પ્રેમરાજ ૬૦૭. પ્રેમવિજય ૨૬૩ પ્રેમી ૬૨ પ્રોઠિલ ૯૦ ફરેન્દ્રસાગર ૩૭૦ ફર્ખાબાદ પ૩પ ફલધર્મકુટુમ્બકથા ૩૩૪ ફિલૌથી ૩૯૧ ફિરોજશાહ તુગલક ૨૯૪, ૪૩૦, ૫૧૦ બિંકાપુર પ૯, ૬૨ બંગાલ ૮, ૧૩, ૪૨૧, ૪૬ર બંધુમતી પ૩૮ બકાસુર ૫૮૧ બકુલનરેશ ૧૮૪ બકુલમતી ૪૯૩ બકુલમાલી ૩૦૪ બધેરવાલ ૪પ૭ બધેલ ૪૨૫, ૪૩૦, ૪૩૮ બટેશ્વર ૩૪૧ બડગચ્છ ૮૩, ૮૭, ૨૮૯ બડસાજનપટ્ટ ૫૧ Page #681 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૫૯ બડસેર ૩૪૧ બઢમાન ૨૩૫ બનારસ ૬૧, પ૯૯ બનાસકાંઠા ૫૮૫ બન્યુદત્ત ૨૯૬ બપ્પભટ્ટ ૨૦૫, ૨૦૬, ૪૨૨, પ૬૭, ૫૭૩. બપ્પભફ્રિકથા ૨૧૪ બપ્પભદ્રિચરિત ૨૧૪ બપ્પભકિસૂરિ ૨૦૨, ૪૨૧ બપ્પભટ્ટસૂરિપ્રબન્ધ ૨૧૪. બબ્બરદેશ ૩૪૯ બમ્બઈ ૧૧૦, ૪૭૯, ૫૭૧ બરેલી ૪૮૦ બર્બર ૧૪૨, ૪૪૮ બર્બરક ૪૦૨ બલદેવ ૪૬, ૧૩૧ બલભદ્ર ૭૩, ૧૩૨ બલભદ્રચરિત્ર ૧૩૨. બલમિત્ર ૪૬ બલરામ ૪૪, ૬૧, ૧૩૧, ૧૪૧, ૧૪૬, ૪૯૯, ૫૦૦, ૫૩૦ બલાત્કારગણ ૬૨, ૧૮૯, ૧૯૮, ૨૪૮, ૨૯૦, ૪૫૦, ૪૫૬-૪૫૯, બલિ પ૭૨ બલિનરેન્દ્રકથાનક ૧૪૦ બલિનરેન્દ્રાખ્યાન ૧૪૦ બલિરાજ ૧૩૨ બલિરાજચરિત ૧૪૦ બલ્લાલ ૩૮૨ બલ્પણ ૧૭૦ બાગડ ૫૧, ૪૫૩ બાગડપ્રદેશ ૨૦૦ બાડમેર ૧૬૪, ૧૯૩, ૩૪૫ બાડલી ૪૬૮ બાણ ૧૮, ૨૬૭, ૪૨૩, ૫૩૧, પ૩૩, ૫૩૭, ૫૩૯, ૫૪૧, પ૬૩, ૬૦૫ બાણભટ્ટ ૩૪૧, ૩૯૪ બાદામી ૧૮૬ બાબર ૬૭, ૪૩૨ બારલી ૪૬૮ બારેજા ૪૬૫ બાલકવિ ૪૪૫ બાલચન્દ્ર ૪૦૮ બાલચન્દ્રસૂરિ ૧૮, ૪૦૮, ૧૯૩ બાલબોધવ્યાકરણ ૫૫૦ બાલબોધિની ૬૦૪ બાલભારત ૧૮, ૭૭, ૯૩, ૯૪, ૯૫, ૫૧૨ બાલારુણ પ૩૧ બાલાવબોધ ૨૪૪, ૩૬૨, ૬૦૫ બાલિ ૩૬, ૬૮ બાહડ ૪૩૦, પ૨૦ .. બાહડપુત્ર બોહિત્ય ૩૦૨ બાહુબલિ પદ-૫૮, ૯૦, ૯૩, ૧૩૨, ૧૮૧, ૧૯૦, ૨૦૨, ૨૫૦, ૨૫૮, ૫૫૮ બિંદ ૩૪૧ બિંદુસાર ૨૦૪ બિલિયા ૧૭૦, ૪પ૭ બિલ્ડણ ૧૬૯, ૧૭૩, ૩૯૪, ૪૦૨ બિહાર ૮, ૯૬, ૪૫૩ Page #682 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ બીકાનેર ૨૨૯, ૪૩૩, ૪૫૩, ૪૬૨, ૪૬૩, ૪૬૬, ૪૭૦, ૪૭૩ બીકાનેર લેખ-સંગ્રહ ૪૭૩ બીજા ૪૪૬ બીજાપુર ૪૪૬, ૪૬૬ બુદ્ધ ૧૦, ૧૮૫, ૧૯૬ બુદ્ધારિત ૧૪, ૨૫, ૧૮૮ બુદ્ધિવિજય ૩૫૪, ૩૫૫ બુદ્ધિસાગર ૩૧૦ બુદ્ધિસાગરસૂરિ ૮૯, ૨૩૮, ૪૭૩, ૫૭૩ બુધરાઘવ ૯૬ બુહલ૨ ૭૬, ૪૧૮, ૪૬૬ બુહિલા ૩૪૭ બુટ્ટિપ્પણિકા ૨૩૯, ૫૮૧ બૃટ્ટિપનિકા ૭૦, ૧૬૧, ૨૯૭ બૃહત્કથા ૪૪, ૧૪૪, ૨૬૯, ૫૩૪ બૃહત્કથાકોશ ૧૯૮, ૨૩૪, ૨૫૬, ૨૮૩, ૩૧૯, ૩૨૮, ૪૪૯ બૃહત્કથાશ્લોકસંગ્રહ ૪૪ બૃહત્કલ્પભાષ્ય ૨૦૯, ૩૯૦ બૃહત્કલ્પભાષ્યપૂર્ણિ ૨૦૯ બૃહત્ખરતરગચ્છ ૨૧૮ બૃહત્તપાગચ્છ ૧૦૩, ૩૮૬ બૃહત્પૌષધશાલિક-પટ્ટાવલી ૪૫૬ બૃહદ્ગ૭ ૧૯, ૮૦, ૮૪, ૮૮, ૯૨, ૧૦૮, ૧૦૯, ૧૭૫, ૨૪૨, ૨૫૭, ૨૯૮, ૩૦૪, ૪૬૯, ૫૧૦, ૫૬૧ બૃહદ્ગચ્છ-ગુર્વાલિ ૪૫૬, ૪૯૫ બૃહદ્ગુર્વાવલી ૩૪૫ બૃહટિપ્પનિકા ૩૪૭ બૃહદ્-તપાગચ્છ ૫૫૧ બૃવૃત્તિ ૮૩ બૌદ્ધ ૩૧, ૫૬૩ બ્યારાનગર ૧૮૦ બ્રહ્મઅજિત ૧૩૯ બ્રહ્મચારિભ⟩ભાર્યા ૧૨૭ બ્રહ્મજયસાગર ૧૧૦ બ્રહ્મજિનદાસ ૧૫૪ બ્રહ્મદત્ત ૭, ૭૩ બ્રહ્મદત્તકથા ૧૩૧ જૈન કાવ્યસાહિત્ય બ્રહ્મદત્તચક્રવર્તિકથાનક ૧૩૧ બ્રહ્મદયાલ ૧૩૯ બ્રહ્મદેવ ૧૧૦, ૨૩૬ બ્રહ્મદેવસૂરિ ૫૯૬ બ્રહ્મબોધ ૭૯ બ્રહ્મચ્છ ૧૫૧ બ્રહ્મસૂરિ ૫૯૪, ૫૯૮ બ્રહ્મા ૧૮૫, ૫૨૨ બ્રાહ્મણદારક ૧૪૧ ભક્તામર ૫૬૪, ૫૬૭, ૫૭૧ ભક્તામરકથા ૩૭૦ ભક્તામરસ્તવ ૧૪૮ ભક્તામરસ્તોત્ર ૫૫૫, ૫૬૭-૫૬૯ ભક્તામરસ્તોત્રચરિત્ર ૩૭૦ ભક્તામરસ્તોત્રટીકા ૨૬૧ ભક્તામરસ્તોત્રમંત્રકથા ૩૦૦ ભક્તામરસ્તોત્રમાહાત્મ્ય ૨૪૫ ભક્તિલાભ ૩૦૯ ભક્તિવિજય ૩૫૫ ભગવઈ ૨૪૫ ભગવજ્જિનસેન ૫૯ Page #683 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ભગવતી-આરાધના ૧૯૭, ૨૩૪ ભગવતીદાસ ૪૬૦ ભગવતીસૂત્ર ૧૯૬, ૨૦૧ ભટ્ટવોસિર ૬૪ ભટ્ટસૂદન ૪૪૫ ભટ્ટાકલંક ૬૦ ભટ્ટિકાવ્ય ૨૫, ૩૯૭ ભત્તપઇણા ૧૯૭ ભદ્ર ૨૬૧ ભદ્રકીર્તિ ૧૨૮ ભદ્રગુપ્ત ૧૬૮, ૧૭૨ ભદ્રનન્દ્રિકુમારકથા ૩૩૪ ભદ્રબાહુ ૩૪, ૪૪, ૮૬, ૧૪૦, ૧૬૦, ૧૮૨, ૨૦૪, ૨૦૬, ૨૦૭, ૨૩૫, ૪૨૭, ૫૬૫ ભદ્રબાહુકથા ૨૦૮ ભદ્રબાહુરિત ૨૦૭, ૪૪૯ ભદ્રબાહુસ્વામી ૨૩૪ ભદ્રશ્રેષ્ઠિકથા ૩૩૪ ભદ્રા ૧૭૦ ભદ્રેશ્વર ૬, ૩૪, ૨૦૪, ૨૦૯ ભદ્રેશ્વરસૂરિ ૭૧, ૧૦૯, ૧૫૪, ૨૦૩, ૫૧૦ ભરટકદ્વાત્રિંશિકા ૩૮૬ ભરત ૩૬, ૫૫-૫૮, ૯૦, ૯૩, ૧૨૮, ૧૩૨, ૧૫૯, ૧૭૮, ૧૮૦, ૧૮૧, ૨૪૫, ૨૫૮, ૩૬૧, ૫૧૧, ૫૧૭, ૧૨૯, ૫૩૦, ૫૭૨, ૫૭૪, ૧૯૬ ૬૬૧ ભરતકુમાર ૫૧૬, ૫૧૮ ભરતક્ષેત્ર ૫૨૯ ભરતચક્રવર્તી ૯૧, ૯૨ ભરતચક્રી ૭૨ ભરતરિત્ર ૧૨૯ ભરત-બાહુબલિ ૩૬૦,૩૬૧ ભરતમુનિ ૪૪ ભરતરાજ ૫૯૪ ભરતસેન ૨૩૫ ભરતાષ્ટપટ્ટનૃપચરિત્ર ૨૬૫ ભરતેશ્વરચરિત્ર ૧૨૯ ભરતેશ્વરબાહુબલિમહાકાવ્ય ૧૨૯ ભરતેશ્વરબાહુબલિવૃત્તિ ૧૩૯, ૨૦૭, ૨૪૪, ૩૧૯, ૩૨૬, ૩૫૨, ૩૫૭, ૩૮૩ ભરતેશ્વરસૂરિ ૧૦૦, ૧૨૧ ભરતેશ્વરાભ્યુદયકાવ્ય ૬૬, ૧૨૮ ભરમલ ૧૪ ભરુકચ્છ ૨૪૧ ભરૂચ ૯, ૧૩૯, ૨૪૧, ૨૯૧, ૩૬૩, ૩૭૫, ૩૮૪, ૪૧૮, ૪૪૩, ૪૬૫, ૫૯૨ ભર્તૃહરિ ૨૪, ૨૪૬, ૩૮૮, ૫૪૧, ૫૬૦, ૬૦૭ ભર્તૃહરિશતક ૨૫૨, ૬૦૭ ભવભાવના ૨૩૪ ભવભૂતિ ૫૪૧, ૫૭૩, ૫૭૫, ૫૭૬ ભવાદિવારણ ૫૬૮ ભવિષ્યદત્ત ૨૯૬ ભવિષ્યદત્તકથા ૭૮, ૨૯૬, ૩૬૬ ભવિષ્યદત્તચરિત ૬૭, ૩૬૫-૩૬૭ ભવિષ્યદત્તાખ્યાન ૩૬૬ Page #684 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ ભવિસત્તકા ૩૬૭ ભવિસ્સયત્તકા ૩૬૬ ભવ્યકઠાભરણ ૫૦૪ ભવ્યજનકણ્ઠાભરણ ૫૦૫, ૫૬૦ ભાણ્ડારકર ૪૪૧ ભાનુકીર્તિ ૧૯૫, ૩૫૭, ૩૭૨ ભાનુકુમાર ૧૪૫, ૩૪૦ ભાનુચન્દ્ર ૧૦, ૨૧૯, ૩૧૩, ૪૩૪ ભાનુચન્દ્રગણિ ૩૧૫, ૩૨૨, ૩૩૩, ૩૩૪, ૬૦૩, ૬૦૫ ભાનુચન્દ્રગણિચરિત ૨૧૯, ૪૩૫ ભાનુદત્ત ૫૦૯ ભાનુપુર ૪૫૮ ભાનુમતિ ૩૩૯ ભાનુવેગ ૪૯૩ ભાનુસપ્તમીકથા ૩૭૩ ભામણ્ડલ ૩૫ ભામહ ૧૪, ૨૦, ૨૫ ભામાશાહ ૧૪ ભારત ૨૦૪, ૨૨૬, ૫૧૭ ભારતવર્ષ ૪૫, ૨૧૩, ૨૩૫, ૩૮૯, ૩૯૨ ભારતીયગચ્છ ૧૮૯ ભારદ્વાજ ૫૪૧ ભાવિ ૧૮, ૨૫, ૮૯, ૧૮૮, ૪૭૫, ૪૮૬, ૫૨૬, ૪૫૧, ૬૦૫ ભાવચન્દ્ર ૧૬૭, ૩૨૬, ૩૨૮, ૩૩૩ ભાવચન્દ્રગણિ ૩૨૨ ભાવચન્દ્રસૂરિ ૧૦૯ ભાવદેવ ૧૨૪ ભાવદેવસૂરિ ૨૧૦, ૩૨૬ ભાવનગર ૪૪૬ ભાવનાદ્વાત્રિંશિકા ૨૭૩ ભાવનાસાર ૨૩૩ ભાવપ્રભસૂરિ ૩૭૨, ૫૫૫, ૫૬૭ ભાવવિજયગણિ ૧૬૧, ૩૫૮ ભાવસંગ્રહ ૪૪૯ ભાષ્યત્રય ૧૯૦ જૈન કાવ્યસાહિત્ય ભાસ ૪૨૭, ૫૪૧, ૫૭૩, ૧૮૧ ભાસ્કરકવિ ૧૫૧ ભિન્નમાલ ૯ ભિલ્લમાલ ૨૮૧, ૩૪૧ ભિલ્લમાલવંશ ૧૨૧ ભીમ ૨૨૬, ૩૬૧, ૩૯૭, ૪૦૦, ૪૦૩, ૪૦૫, ૪૨૧, ૪૨૩, ૪૨૫, ૪૪૫, ૫૮૧ ભીમદેવ ૨૦૨, ૪૦૪, ૪૧૫, ૪૩૦, ૪૪૪, ૪૪૫, ૫૮૪ ભીમસિંહ ૪૧૧, ૪૧૨ ભીમસેન ૪૬, ૪૭, ૧૪૬, ૩૦૯, ૩૧૦, ૩૬૧ ભીમસેનનૃપકથા ૩૦૯ ભીમાદેવી ૫૫૯ ભીમાસુર ૧૪૯ ભીમેશ્વર ૫૯૧ ભીષ્મ ૫૧૩, ૫૪૧ ભુવનકીર્તિ ૧૩૦, ૧૫૫, ૨૬૪, ૪૫૭ ભુવનચન્દ્ર ૧૩૧, ૩૬૪ ભુવનતુંગસૂરિ ૩૯, ૪૦, ૮૦, ૮૭ ભુવનદીપક ૧૧૨ ભુવનપાલ ૧૬૪, ૪૪૨ ભુવનભાનુકેવલિચરિત્ર ૧૪૦, ૧૭૭ ભુવનસુન્દરી ૩૪૭ Page #685 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬ ૬૩ ભુવનસુન્દરીકથા ૩૪૭ ભુવનાલ્યુદય ૨૬ ભૂભટ ૪૦૪ ભૂયરાજ ૪૨૩ ભૂરામલ ૧૭૯, ૫૧૨ ભૃગુકચ્છ ૧૨૭, ૩૬૩, ૩૬૪, ૪૦૬, ૪૧૦, ૪૩૮ ભૃગુકચ્છપુર ૧૩૯ ભૃગુપુર ૩૭૫ ભૈરવપદ્યાવતીકલ્પ ૬૫, ૧૫૦ ભૈરવાનન્દ પ૭૫ ભોગકીર્તિ ૧૪૫ ભોજ ૪૨, ૧૨૮, ૨૩૬, ૨૪૬, ૨૫૨, ૨૭૩, ૩૪૨, ૩૮૧, ૩૮૪, ૩૯૭, ૪૦૧, ૪૧૨, ૪૨૧, ૪૩૦, ૪૭૬, પ૨૬, પ૩૫ ભોજગાંગેય ૪૨૯ ભોજચરિત ૩૮૨ ભોજદેવ ૬૩ ભોજપ્રબંધ ૨૨૮, ૨૪૫, ૩૩૧, ૩૮૨ - ૩૮૪, ૪૧૮, ૫૩૫ ભોજપુંજકથા ૩૮૧ ભોજસાગર ૧૧૭ મંકુશિલા ૨૦૨. મંગરસ ૫૫, ૧૧૭ મંગલકલશકથા ૩૨૮ મંગલકલશકુમાર ૩૨૮ મંગલકુંભ ૧૦૭, ૫૦૮ મંગલદાસ ૧૦૪ મંગલમાલાકથા ૩૬૦ મંગુ ૩૧૮ મંગ્વાચાર્યકથા ૩૧૮ મંજુસૂરિ ૩૬૭ મંડન ૧૪, ૪૩૧, ૪૩૨, ૫૧૯ પ૨૧, ૫૪૪ મંડનમંત્રી પ૨૦ મંડલપુરી ૮૨ મંડલિક ૪૪૬ મંડિકુક્ષિચત્ય ૩૧૮ મંડિત ૧૯૫ મકરકેતુ ૩૪૭, ૩૪૮ મકરધ્વજ ૨૮૧, ૨૮૨ મકરન્દ પ૭૭-૭૯ મખદૂમેજહાંબેગમ ૪૨૭ મગધ ૩૯૮, ૪૧૫, પ૨૯ મગધદેશ ૪૯૫, ૪૯૬, ૫૦૩ મગધસેના ૩૩૫ મગધસેનાકથા ૩૬૦ મધન ૪૭૬ મઘવા ૭૩, ૧૨૯ મણિકૂટપર્વત ૪૮૨ મણિધારી જિનચન્દ્ર ૨૨૦ મણિધારી જિનચન્દ્રસૂરિ ૨૨૩ મણિપતિ ૨૯૬, ૨૯૭ મણિપતિકાનગરી ૨૯૭ મણિપતિચરિત ૨૯૬ મણિભદ્રયતિ 300 મણિરથ ૧૬૩, ૩પ૨ મણિરથકુમાર ૩૩૮, ૩૪૦ મતિનન્દનમણિ ૩૨૨ મતિવર્ધન ૨૭૦ અતિશેખર ૩૫૨ Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ જૈન કાવ્યસાહિત્ય મહિસાગર ૧૧૯, ૩૭૩ મસ્યોદર ૩૨૯ મસ્યોદરકથા ૩૨૮ મથનસિંહકથા ૩૨૭ મથુરા ૮૯, ૧૪૯, ૧૫૮, ૧૮૪, ૨૦૯, ૩૧૮, ૪૨૭, ૪૪૯, ૪૬૭, ૪૬૮, ૪૭૨, ૫૦૨, પ૨૯ મદનકીર્તિ ૪૨૭, ૪૬૮, ૪૬૧ મદનચન્દ્રસૂરિ ૧૦૯ મદનદત્ત ૩૦૧ મદનધનદેવીચરિત્ર ૩૬૦ મદનપરાજય ૨૬૦, ૨૮૧ મદનરેખા ૧૬૧, ૧૬૩, ૨૫૦, ૩પર મદનરેખાઆખ્યાયિકાચમ્પ ૩૫૨ મદનરેખાચરિત ૩પર મદનવર્મા ૪૧૭, ૪૨૭, ૪૨૯ મદનવેગા ૧૪૨ મદનાવલિકથા ૩૬૦ મદનાવલી ૨૫૦, ૨૫૫ મદનૂર ૪૬૮ મદિરાવતી ૩પ૨, પ૩૧, પ૩૪ મદિરાવતીકથાનક ઉપર મધુકરીગીત પ૭૨ મધુમાલતીકથા ૩૬૦ મધૂકનગર ૬૦૨ મધ્યદેશ પ૨૯ મધ્યપ્રદેશ ૧૭૦, ૪૭૨, પ૩પ મનોજાનન્દ ૪૯૫ મનોદૂત પપ૩. મનોરમા ૨૦૨, ૩૫૦, ૪૮૨, પ૭૭ મનોરમાચરિત ૩૫૦, પ૭૩ મનોરમાચરિય ૮૦ મનોવેગ ર૭૪ મનોવેગકથા ૨૭૫ મનોવેગ-પવનવેગકથાનક ૨૭૫ મનોહર પ૨૩ મનોહરચરિત ૧૩૮ મન્દરાર્ય ૪૬ મન્દસૌર ૪૩૬ મન્દોદરી ૬૧, ૧૪૩, ૫૮૦ મસે ૪૬૭ મન્મથમથનનાટ્ય ૬૦૨ મફતલાલ ૭૯ મમ્મટ ૨૧, ૧૦૫ મમ્મડ ૩૪૧ મમ્મણ ૨૪૦ મયણપરાજયચરિઉ ૨૮૨ મયણલ્લાદેવી ૩૯૭, ૪૨૩ મયણા ૨૯૨ : મયનાસુન્દરી ૨૯૧, ૨૯૨ મયૂર ૪૨૩, ૫૬૩ મયૂરદૂત ૪૬૪, પપ૩ મરીચિ ૯૦-૯૩, ૪૮૫ મર ૪૧૫ મરુદેવી પ૭, ૫૮, પ૧૭ મરુભૂતિ ૮૮, ૮૯ મલધારી અભયદેવસૂરિ ૪૨૮ મલધારીગચ્છ ૫૦, ૧૪૦, ૨૫૧, ૨૫૪, ૩૩૨, ૪૩૯ માલધારી દેવપ્રભસૂરિ ૨૦૧ માલધારી હેમચન્દ્ર ૮૭, ૧૨૯, ૧૪૦, ૨૧૦, ૨૩૪, ૫૫૯ મલયકેતુ ૧૦૩ મલયગિરિચરિત ૨૧૪ Page #687 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૬૫ મલયચન્દ્રસૂરિ ૬૦૨ મલયપ્રભ ૨૦૨ મલયપ્રભસૂરિ ૨૦૧ મલયવતી ૩૩૫, પ૩૩ મલયસુન્દરી ૩પ૧, પ૩૨, પ૩૩ મલયસુન્દરીકથા ૩૫૧ મલયસુન્દરીકથોદ્ધાર ઉપર મલયસુન્દરીચરિત્ર ૩૫૧, ૩૫૨, ૫૧૫ મલયસૂરિ ૪૩૦ મલયહંસ ૩૨૮ મલયહંસગણિ ૩પ૬ મલિક મુહમ્મદ જાયસી ૧૬૫ મલ્લદેવ ૪૦૫, પ૯૯ મલ્લવાદિકથા ૨૧૪ મલવાદી ૨૦૫, ૨૦૬, ૨૧૪ મલ્લિ ૧૧૦, ૧૧૧ મલ્લિકા પ૭૭, ૫૭૮ મલ્લિકામકરન્દ પ૭૩, ૨૭૭ મલ્લિકાર્જુન ૩૯૮, ૪૧૦, ૪૧૫ મલ્લિનાથ ૮૬, ૧૧૧, ૪૦૪, ૪૮૦ મલ્લિનાથચરિત ૫૧, ૯૫, ૧૧૦, ૧૧૪, ૧૨૨ મલ્લિનાચરિય ૮૩ મલ્લિભૂષણ ૧૧૭, ૧૪૫, ૧૭૩, ૧૯૮, ૧૯૯, ૨૪૮, ૨૯૫ મલિવાહનપુર ૪૬૪ મલ્લિષેણ ૯, ૬૫, ૧૧૯, ૧૪૮, ૧૫૦, ૧૬૮, ૨૩૭, ૨૪૮, ૨૮૩, ૩૧૮, ૩૭૩, ૪૬૮, પ૬૦ મલ્લેિષણપ્રશસ્તિ ૧૧૯ મહણસિંહ ૩૨૭, ૪૨૮ મહમૂદ ખિલજી ૪૩૨ મહમૂદ ગજનવી ૪૨૭ મહાઉમ્મગ્ન જાતક ૩૦૫ મહાકાલેશ્વર મંદિર ૨૯૯ મહાત્મા ગાંધી ૩૩૩ મહાદણ્ડકસ્તુતિગર્ભ ૪૬૫ મહાદેવ ૪૩૯ મહાદેવસ્તોત્ર પ૭૦ મહાનન્દ ૪૪૫ મહાનિશીથ ૩૩૦ મહાપદ્મ ૧૩૧ મહાપુરાણ ૬, ૧૭, ૩૪, ૪૧,૪૬, ૫૫, ૬૦, ૬૨, ૬૫, ૬૮, ૭૯, ૧પ૦, ૧૭૯, ૨૦૨, ૨૫૬, ૫૧૧, ૫૪૪, ૪પ૭ મહાપુરાણટિપ્પણ ૨૩૭ મહાપુરુષચરિત ૭૭, ૪૨૬ મહાબલ ૩૫૧ મહાબલમલયસુન્દરી ૩૫૧ મહાબલમલયસુન્દરીકથા ૩૦૩ મહાબલમલયસુન્દરીચરિત્ર ૩૬૩ મહાબલ વિદ્યાધર પપ૭ મહાબલિ ૧૮૮ મહાભારત ૧૪, ૨૪, ૨૬, ૩૪, ૪૪, ૧૩૫, ૨૪૬, ૨પ૨, ૨૬૯, ૩૬૧, ૪૯૯, ૫૧૨, ૫૧૪, પ૨૪, પ૬૩, ૫૭૨, ૫૭૫, ૫૮૧, પ૯૩ મહાભાષ્ય પ૭ર મહાભિષેકટીકા ૨૪૮ મહાયાન ૧૦ મહારથ ૩૪૦ Page #688 -------------------------------------------------------------------------- ________________ જેન કાવ્યસાહિત્ય મહારથકુમાર ૩૩૮ મહારાષ્ટ્ર ૫૯ મહાવત ૨૮૪ મહાવસ્તુ ૪૨૦ મહાવીર ૪પ-૪૭, ૪૯, ૫૩, ૬૩, ૭૩, ૭૭, ૭૯, ૮૯, ૧૨૬, ૧૩૮, ૧૫૧, ૧પ૩, ૧પપ, ૧પ૯, ૧૬૬, ૧૬૮, ૧૭૫, (૧૭૭, ૧૯૦, ૧૯૨, ૧૯૪૨૦૨, ૨પ૨, ૨૬૩, ૩૩૮, ૩૪૦, ૩૬૧, ૩૭૫, ૩૯૩, ૪૨૭, ૪૪૬, ૪૪૯, ૪પ૧, ૪૫૫, ૪૬૦, ૪૮૫, ૫૦૬, પ૨૪, પ૨૯, પ૬૪, ૫૭૨, ૫૮૩, ૫૮૫ મહાવીરચરિત ૧૦૪, ૧૨૬ મહાવીરચરિય ૮૫, ૮૯, ૯૧-૯૨, ૨૩૮, ૨૪૧૨૪૩, ૩૦૩, ૩૦૪ મહાવીરથવ પ૬૫ મહાવીરપુરાણ ૧૨૬ મહાવીરાચાર્ય ૯ મહાવ્રત પપ૦ મહાશાલ ૧૯૪ મહાશુક્રદેવ ૯૯ મહાશ્વેતા પ૩૩ મહાસેધ ૩૦૫ મહાસન ૪૮, ૧૦૧, ૧૪૬, ૧૭૯, ૧૮૦, ૪૭૭, ૪૮૩, ૪૮૭ મહાસેનસૂરિ ૪૭૬ મહાસેનાચાર્ય ૧૪૫ મહિંદસીહ ૧૬૬ મહિમસિંહ ૬૦૫ મહિવાલકહા ૩૮૫ મહીતટ ૫૯૧ મહીતિલકસૂરિ ૩૮૩ મહીપાલ ૨૩૬, ૩૬૦, ૩૮૪, ૪૧૫ મહાપાલકથા ૩૮૪ મહીપાલચરિત ૩૮૪, ૪૧૬, પપ૧ મહીમેરુ ૬૦૫ મહીરાજ ૩૬૨ મહુઆ ૬૦૨ મહેન્દ્ર ૧૦૩, ૪૯૩, ૪૯૭ મહેન્દ્રકીર્તિ ૪૮૩ મહેન્દ્રપાલ ૨૩૬ મહેન્દ્રપ્રભસૂરિ પNO મહેન્દ્રસૂરિ ૨૦૫, ૨૧૦, ૨૨૪, ૨૨૫, ૨પ૯, ૩૧૨, ૩૪૯, ૩૫૦, ૩૬૬, ૩૮૪, ૪૨૧, ૪૬૨, પ૧૮, ૫૩૫, પ૯૨ મહેન્દ્રસેન ૪પ૯ મહેશ પ૨૨ મહેશ્વર પર ૧ મહેશ્વરદત્ત ૧૪૧, ૩૪૯ મહેશ્વરસૂરિ ૩૬૬ મહેસાણા પ૨ મહોબે ૧૭૦ માંગરોલ ૨૧૭ માંડલ ૪૪૩ માંડલપત્તન ૧૭૬ માંડલિનગર ૧૪૭ માંડવગઢ ૨૧૬, ૨૨૯, ૪૩૧, પ૨૦ માંડવી ૪૬૯ માંડોંગઢ ૨૨૮ માઘ ૧૪, ૨૫, ૮૯, ૨૧૯, ૨૮૧ Page #689 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૪૨૩, ૪૭૫, ૪૭૭, ૪૭૯, ૪૮૦, ૪૮૯, ૧૦૧, ૫૨૬ માણવિજય ૧૫૯ માણિક્યચન્દ્ર ૧૮, ૧૦૬, ૧૨૧, ૧૬૭ માણિક્યચન્દ્રસૂરિ ૧૦૫, ૧૨૦, ૧૨૪, ૧૪૦, ૫૦૨, ૬૦૩ માણિક્યદેવ ૧૩૭ માણિક્યવિજય ૩૭૦ માણિક્યસુન્દર ૧૭૪, ૩૧૪, ૩૬૩, ૩૭૨, ૩૭૪, ૫૧૬ માણિક્યસુન્દરસૂરિ ૩૦૩, ૩૨૦, ૫૧૯ માણિક્યસૂરિ ૧૩૮, ૨૧૨, ૨૧૪, ૨૭૦, ૨૮૩, ૨૮૮, ૨૮૯, ૩૫૧, ૩૬૩ માણિક્યસેન ૧૭૦ માતંગ ૧૬૨ માતૃકાપ્રસાદ ૭૯ માતૃચેટ ૩૬૩ માથુરગચ્છ ૯૬ માથુરસંઘ ૧૭૦, ૧૭૩ માધવ ૪૨૬, ૫૦૯ માધવભટ્ટ ૫૨૮ માધવસેન ૪૫૯ માનતુંગ ૧૨૨, ૨૦૨, ૨૦૬, ૩૫૫, ૪૨૩, ૫૬૭-૫૬૯ માનતુંગ-માનવતીચરિત ૩૫૫ માનતુંગસૂરિ ૫૦, ૮૪, ૯૯, ૧૦૦, ૧૨૨, ૧૨૮, ૨૦૧, ૨૦૨ માનદેવ ૨૯૮ માનદેવસૂરિ ૬૯, ૯૨ માનદેવેન્દ્ર ૨૮૩ માનભટ્ટ ૩૩૮, ૩૩૯ માનભદ્રસૂરિ ૫૧૦, ૫૬૧ માનમુદ્રાભંજન ૫૮૩ માનવતી ૩૫૫, ૩૫૬ માનવિજય ૨૭૫, ૩૧૬ માનસિંહ ૧૫૫, ૨૯૧ માન્યફૂટ ૮ માયા ૫૨૫ માયાદિત્ય ૩૩૮, ૩૩૯, ૩૪૦ મારવાડ ૨૯૦, ૪૦૬, ૪૪૩, ૪૫૬, ૫૯૧ મારિદત્ત ૨૮૪-૨૮૬, ૫૩૯, ૫૪૦ માર્ગશીર્ષએકાદશી ૩૭૩ માલદેવ ૬૭, ૩૨૬, ૩૭૦ માલવ ૪૧૦, ૪૧૫ માલવા ૮, ૫૯, ૧૧૫, ૧૯૯, ૨૨૮, ૪૧૭-૪૧૯, ૪૨૫, ૪૩૦ ૪૩૨, ૪૬૨, ૫૧૯, ૫૪૪ માલાકારકથા ૩૩૪ માલ્હણ ૧૧૫ મિત્રચતુષ્કકથા ૩૨૧ મિત્રરત્ન ૬૦૪ મિત્રવીર ૪૬ મિત્રાનન્દ ૧૦૧, ૩૨૨, ૫૭૮, ૫૭૯ મિથિલા ૬૧, ૧૧૦, ૩૫૨ મિથિલાનરેશ ૧૬૩ મિલચ્છીકા૨ ૫૯૦, ૫૯૧ મિહિરભોજ ૪૨૨ ૬૬૭ મીનલદેવી ૪૪૮ મુંજ ૩૪૨, ૩૮૧, ૩૮૪, ૪૭૬, ૫૩૫, ૫૬૨ મુંજનરેન્દ્રકથા ૩૮૪ મુંજભોજનૃપકથા ૩૮૪ Page #690 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ જેન કાવ્યસાહિત્ય મુંજાલ ૨૦૨, ૪૦૮ મુક્તાપીડ ૪૨૨ મુક્તાવલી ૧૭૫ મુક્તાવલીકથા ૩૭૩ મુક્તિવિમલ ૩૬૭-૩૬૯ મુગલ ૧૩, ૨૨૯, ૪૧૧, ૪૩૨ મુગલકાલ ૪૩૨ મુદ્રારાક્ષસ ૫૯૨ મુદ્રાલંકાર ૫૭૮ મુદ્રિતકુમુદચન્દ્ર ૫૭૩, ૫૮૭, ૬૦૧ મુનિચન્દ્ર ૧૦૮, ૧૬૭, ૨૯૭, ૩૩૨ મુનિચન્દ્રસૂરિ ૫૦, ૩૮૫, ૫૧૦, ૬૦૬ મુનિચરિત ૧૩૮ મુનિદેવ ૫૦, ૩૪૨, પ૬૩ મુનિદેવસૂરિ ૧૦૮, ૧૦૯, ૫૦૪, ૫૦૯ મુનિપતિચરિત ૨૯૬ મુનિપતિચરિત્રસારોદ્ધાર ૨૯૮ મુનિભદ્ર ૫૦૯ મુનિભદ્રસૂરિ ૧૮, ૧૦૫, ૧૦૮, ૧૦૯, ૫૧૦. મુનિરત્ન ૧૨૮, ૨૬૧, ૪૪૫ મુનિરત્નસૂરિ ૧૧૨, ૧૨૭, ૧૬૭, ૩૮૧ મુનિવિજય ૩૧૯ મુનિવિમલ ૩૫૮ મુનિસાગર ૨૬૧ મુનિસુન્દર ૧૭૭, ૨૩૪, ૨૪૫, ૩૧૫, ૩૨૧, ૩૮૩, ૪૫૫, પ૬૯ મુનિસુન્દરગણિ ૨૪૫ મુનિસુન્દરસૂરિ ૨૦૭, ૨૪૭, ૩૦૨, ૩૧૭, ૩૨૧, ૩૭૭, ૪૫૫, ४१४ મુનિસુવ્રત ૭૩, ૧૧૩, ૧૪૭, ૧૮૨, ૨૪૧, ૩૬૪, પર૫ મુનિસુવ્રતકાવ્ય ૧૧૪, ૫૦૩, ૫૪૪ મુનિસુવ્રતચરિત ૧૧૨, ૧૧૩ મુનિસુવ્રતનાથ ૧૧૨, ૪૧૦ મુનિસુવ્રતનાથચરિત્ર ૯૫ મુનિસુવ્રતનાથચૈત્ય પ૯૨ મુનિસુવ્રતસ્વામિચરિત ૧૨૨ મુનિસુવ્રતસ્વામી ૧૧૩, ૩૧૫, ૪૩૮, ૫૦૩ મુનિસુવ્યયસામિચરિય ૮૭, ૪૪૨ મુનિસોમ ૩૨૪ મુનીન્દ્રકીર્તિ ૪૫૯ મુમુક્ષુ ૧૯૮ મુરારિ ૪૩૯, પ૬૩, ૬૦૭ મુલગુંદ ૬૫ મુસલમાન પ૯૦ મુહમ્મદ તુગલક ૧૭, ૪૦૬, ૪૩૧, ૪૫૩, ૫૦૮, ૫૧૦ મુહમ્મદ બિન તુગલક ૪૩૦ મુલદેવ ૨૭૧, ૩૧૧ મુલદેવનૃપકથા ૩૧૧ મૂલરાજ ૩૯૭, ૪૦૦, ૪૦૪-૪૦૬, - ૪૧૦, ૪૧૫, ૪૨૩, ૪૩૩ મૂલશુદ્ધિપ્રકરણ ૩૪૯ મૂલશુદ્ધિપ્રકરણટીકા ૮૬ મૂલસંઘ ૪૬, પ૩, પ, ૬૨, ૧૧૭, ૧૩૦, ૧૮૯, ૨૪૮, ૨૯૦, પપ૯, ૬૦૨ મૂલસંઘભારતીગચ્છ ૧૯૮ મૂલસ્થાન ૪૧૦ મૂલાચાર ૨૩૪ Page #691 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા મૂલાચારપ્રદીપ ૫૧ મૂલારાધના ૬૨, ૧૯૭ મૃગધ્વજ ૩૨૦ મૃગજચરિત ૩૨૦ મૃગજચૌપાઈ ૩૨૦ મૃગસુંદરી ૩૫૯ મૃગસુંદરીકથા ૨૬૨, ૩૫૯ મૃગસેના ૧૮૪ મૃગાંક ૩૧૨, ૩૧૩, ૫૮૧ મૃગાંકકુમારકથા ૩૧૨, ૩૧૩ મૃગાંકરત ૩૧૨, ૩૧૩ મૃગાપુત્ર ૧૯૪, ૧૯૭ મૃગાપુત્રચરિત્ર ૧૯૭ મૃગાવતી ૭૩, ૧૯૦, ૧૯૫, ૨૦૧, ૨૫૭ મૃગાવતીઆખ્યાન ૨૦૧ મૃગાવતીકથા ૨૦૧ મૃગાવતીકુલક ૨૦૧ મૃગાવતીચિરત ૨૦૧ મૃચ્છકટિક ૪૪ મેકુમાર ૭૩, ૧૯૧, ૨૦૨, ૨૪૫, ૩૩૧ મેઘકુમારકથા ૩૩૧ મેઘદૂત ૨૪, ૭૮, ૧૧૫, ૧૧૮, ૪૬૪, ૫૨૬, ૫૪૫-૫૪૮, ૫૫૦૫૫૨, ૫૫૪, ૬૦૩, ૬૦૪ મેઘદૂતસમસ્યાલેખ ૭૮, ૫૪૬, ૫૫૨, ૫૫૪ મેઘનન્દ્રિ ૪૮૩ મેઘપ્રભ ૧૩૨ મેઘપ્રભાચાર્ય ૫૮૯ મેઘમાલા ૩૭૩ મેઘમાલાવ્રતાખ્યાન ૩૭૩ મેઘમાલી ૮૮ મેઘમુનિ ૧૯૬ મેઘરથ ૩૫૮ ૬૬૯ મેઘરાજગણિ ૬૦૫ મેઘલતા ૬૦૫ મેઘવાહન ૧૧૩, ૫૩૧, ૫૩૪ મેઘવિજય ૨૫, ૭૮, ૭૯, ૩૬૭, ૩૯૧, ૪૫૬, ૪૬૪, ૧૨૪, ૫૩૦, ૫૪૬, ૫૫૨, ૫૫૫ મેઘવિજયગણિ ૧૧૦, ૨૧૯, ૩૬૬, ૪૩૫, ૫૨૯, ૬૦૨ મેઘેશ્વર ૧૬૦, ૧૭૮, ૫૯૪ મેડતા ૪૧૦, ૪૩૩, ૪૬૩ મેતાર્ય ૧૯૫, ૨૩૫ મેરુત્તુંગ ૭૭, ૯૬, ૨૦૬, ૩૧૪, ૩૬૩, ૩૭૫, ૩૮૪, ૪૦૧, ૪૧૭, ૪૫૨, ૫૦૨, ૫૧૬, ૫૪૬, ૫૫૦ મેરુતંગસૂરિ ૯૬, ૧૯૯, ૩૧૨, ૪૨૫ મેરુત્રયોદશીકથા ૩૬૭, ૩૬૮ મેરુત્રયોદશીવ્યાખ્યાન ૩૭૩ મેરુપંક્તિકથા ૩૭૩ મેરુપ્રભસૂરિ ૩૨૫ મેરુમંડલ ૫૧૬ મેરુવિજય ૪૬૪ મેરુસુંદ૨ ૧૮૩,૨૪૪, ૩૪૯ મેવાડ ૪૫૩, ૪૫૯, ૫૯૧ મેષદેવ ૧૨૭ મૈત્રેય ૫૭૮ મૈથિલીકલ્યાણ ૫૭૩, ૫૯૪, ૫૯૭ મૈનપુરી ૪૭૪ Page #692 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ જૈન કાવ્યસાહિત્ય મૈસૂર ૬૩, ૪૭૦ મોકલજી ૧૯, ૪૬૯ મોગલિપુત્ર ૪૭૨ મોજદીન ૪૧૭ મોઢ ૪૪૭ મોઢવંશ પ૮૬ મોઢેરક ૪૦૮ મોદકાદિકથા ૨૬પ મોહદત્ત ૨૩૮-૩૪૦ મોહનલાલજી મહારાજ ૨૨૩ મોહનલાલ દલીચન્દ્ર દેસાઈ ૨૨૮, ૪૧૪ મોહનવિજય ૩૫૫ મોહરાજ પ૮૬ મોહરાજપરાજય ૨૨૫, ૫૭૩, ૫૮૫, ૫૯૩ મૌખરી ૧૩ મૌન એકાદશીકથા ૩૬૭, ૩૭૩ મૌનવ્રતકથા ૩૭૩ મૌનિભટ્ટારક ૪૭, ૨૩૫ મૌર્યકાલ ૪૭૨ મૌર્યચન્દ્રગુપ્ત ૨૦૪ યક્ષ પ૭૮ યક્ષદત્ત ૩૪૧ યજુર્વેદ પ૬૩ યજ્ઞદેવ ૩૪૦ યતીન્દ્રવિહાર-દિગ્દર્શન ૪૭૩ યતીન્દ્રસૂરિ ૩૧૪, ૩૩૦, ૩૫૮ યદુવંશ ૪૩, ૪૪ યદુવંશચરિત ૪૪ યદુસુન્દર ૬૭, ૧૧૭ યન્તિ ૪૦૦ યમ ૫૭૨ - યમધન ૫૩૬ યમી પ૭૨ યમુનાષ્ટક પ૬૩ થવ ૧૬૨ યદ્વીપ ૧૪૨ યવનદેશ ૧૪૨ યવનદ્વીપ ૩૪૯ યુવરાજર્ષિકથા ૩૩૪ યશ-કીર્તિ ૮૪, ૧૩૦, ૧૬૮, ૧૭૩, ૧૯૫ યશપાલ ૪૪૫ યશ ૩૩૬ યશચન્દ્ર ૧૮૩ યશદેવ ૮૯ યશપાલ પ૮૬ યશશ્ચન્દ્ર ૫૮૮ યશતિલક ૫૩૮ યશસ્તિલકચન્દ્રિકા ૨૪૮, ૨૯૦ યશસ્તિલકચેમ્પ ૨૮૩, ૨૮૭, ૨૯૦, - ૪૯૦, ૫૩૯, ૫૪૨, ૫૬૨ યશસ્વીગણ પ૬૩ યશોદેવ ૧૯, ૮૩, ૩૦૪, ૩૦૯, ૩૧૦, ૪૬૯, ૫૪૦. યશોદેવસૂરિ ૧૨૯ યશોધર ૧૪૫, ૨૬૮, ૨૮૨, ૨૮૪ ૨૮૬, પ૩૯, ૫૪૧ યશોધર-ચન્દ્રમતિ-કથાનક ૨૮૩ યશોધરચરિત ૩૪, ૩૯, ૫૧, ૨૩, ૧૧૯, ૧૩૮, ૧૪૭, ૧૮૦, ૨૧૭, ૨૪૮, ૨૮૩, ૨૮૬, ૫૧૫, ૫૨૮, ૫૪૦, પપ૧ Page #693 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા યશોધવલ ૧૨૭, ૪૪૫ યશોભદ્રસૂરિ ૧૨૯ યશોવર્મા ૩૯૯, ૪૦૦, ૪૦૬, ૪૨૨ યશોવિદય ૧૭૮, ૨૧૫, ૨૨૦, ૨૭૫, ૩૧૦ યશોવિજયગણિ ૨૪૪ યશોવી૨ ૪૪૦, ૫૦૨, ૫૮૩ યાદવ ૫૨૫, ૫૯૧ યાદવાભ્યુદય ૫૮૨ યાપનીય ૩૮, ૪૧, ૪૭ યામિનીવલ્લભ ૫૩૬ યાસાસાસા ૭૩ યુક્તિપ્રબોધનાટક ૭૮, ૬૦૨ યુક્ત્યનુશાસન ૫૬૬ યુગન્ધર ૯૭ યુગપ્રધાનચરિત ૨૬૪ યુગબાહુ ૧૬૩, ૨૫૮, ૩૫૨ યૂનાન ૨૬ યુરો૫ ૫૮૫ યોગરાજ ૪૦૪ યોગશાસ્ત્ર ૭૬, ૪૯૦-૪૯૨, ૫૮૩ યોગશાસ્ત્રપ્રકાશ ૫૫૯ યોગસા૨પ્રામૃત ૨૭૩ યોગિનીપુર ૧૧૬ યોગિરાટ્ ૫૫૮ યોગિરાટ્ પણ્ડિતાચાર્ય ૫૪૮, ૫૫૯ યોધેય ૫૩૯ રંગશાલા ૫૭૯ રંભામંજરી ૫૭૩ ૨ઇ ૧૮૦, ૧૬૪, ૨૯૬, ૨૯૯, ૩૦૧ રઘુવંશ ૧૪, ૨૫, ૮૯, ૪૮૬, ૪૯૧, ૫૧૦, ૧૨૬, ૫૪૩, ૫૭૬, FOF રઘુવંશકાવ્યવૃત્તિ ૧૪૮ રઘુવંશમહાકાવ્ય ૩૯૬ રઘુવિલાસ ૫૭૬, ૫૭૯, ૧૮૧, ૫૮૨ રઘુવિલાસનાટકોદ્વાર ૫૮૦ રજ:પર્વકથા ૩૭૦ રટવાલ ૫૭૩ રણગજેન્દ્ર ૩૪૦ રણથંભોર ૪૧૧, ૪૪૩ રણસિંહ ૩૨૪ રણસિંહનૃપકથા ૩૨૪ રણસ્તંભપુર ૪૧૨ રતિકેલિ ૩૫૩ રતિપાલ ૪૧૨ રતિસાર ૧૦૧ રતિસુન્દરી ૪૯૭ રતિસુન્દરીકથા ૩૬૦ રત્નકરણ્ડટીકા ૨૩૭ ૬૭૧ રત્નકરRsશ્રાવકાચાર ૨૩૪ રત્નકીર્તિ ૧૩૦, ૨૦૮, ૪૫૭ રત્નકુશલ ૨૩૦ રત્નચન્દ્ર ૫૪, ૮૪, ૧૧૦, ૧૩૦, ૧૪૫, ૨૦૮, ૩૨૫, ૪૫૮ રત્નચન્દ્રગણિ ૧૪૮, ૨૧૭, ૩૯૧, ૬૦૬ રત્નચૂડ ૧૦૨, ૧૧૦, ૩૦૪, ૩૭૬ રત્નચુડકથા ૯૨, ૨૪૩, ૩૦૪ રત્નત્રયવિધાનકથા ૩૭૩ રત્નદેવગણિ ૫૬૧ રત્નદ્વીપ ૩૪૮ રત્નનન્દિ ૨૦૮, ૩૮૬, ૪૧૬, ૪૪૯ Page #694 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ જૈન કાવ્યસાહિત્ય રત્નનન્દિગણિ ૧૦૪ રત્નપાલ ૩૧૪, ૩૯૧ રત્નપાલકથા ૩૧૪ ૨નપાલચરિત્ર ૩૧૫ રત્નપુર ૩૦૬, ૩૫૪, ૩૮૪, ૪૮૭ રત્નપ્રભસૂરિ ૧૯, ૮૮, ૧૦૦, ૧૫૪, ૧૭૫, ૧૮૨, ૩૨૪, ૪૬૯ રત્નપ્રભાચાર્ય ૩૪૩ રત્નભૂષણ ૧૦૪ રત્નમંજરીકથા ૩૬૦ રત્નમંજરીચરિત્ર ૩૬૦ રત્નમંડનગણિ ૨૨૮, ૩૩૧, ૩૮૩, ૫૬૦ રત્નમસ્કનસૂરિ ૨૪૭ રત્નમન્દિરગણિ ૪૩૦, ૫૧૪, પ૩૫ રત્નમાલા ૩૩૦, ૨૯૭ રત્નમૂર્તિ ૧૮૩ રત્નયોગીન્દ્ર ૧૪૮ રત્નલાભ ૩૧૨ રત્નાવતી ૩૦૬, ૩૨૭ રત્નશેખર ૨૦૭, ૩૭૬, ૩૦૯, ૩૩૩, ૩૫૫ રત્નશેખરકથા ૩૦૬, ૪૧૭ રત્નશેખરરત્નવતીકથા ૧૭૨, ૩૦૭ રત્નશેખરસૂરિ ૧૧૦, ૨૪૪, ૨૯૩, ૨૯૪, ૩૦૭, ૩૧૫, ૩૩૧, પ૧૪, પ૦૪, પ૬૭, ૬૦૭ રત્નશ્રાવક ૪૨૮ રત્નસંચયપુર ૩૮૫ રત્નસાર ૯૯, ૧૭૫, ૩૧૪, ૩૫૪ રત્નસારચરિત્ર ૩૧૪ રત્નસારકત્રીકથા ૩૧૪ રત્નસારમ7ીદાસીકથા ૩૧૪ રત્નસિંહ ૧૦૩, ૧૫૪, ૩૦૫, ૩૮૬, ૪૧૪, ૫૯૦ 'રત્નસિંહસૂરિ ૧૦૩, ૪૧૬, ૫૬૭ રત્નસુંદરસૂરિ ૩૯૧ રત્નાકર ૧૪૮, ૩૦૪ રત્નાકરપંચવિંશતિકાટીકા ૨૬૨ રત્નાકરસૂરિ ૩૮૬, ૪૧૬ રત્નાકરાવતારિકાધંજિકા ૨૫૪ રત્નાદિત્ય ૪૦૪ રત્નાવતારિકાપંજિકા ૪૨૯ રત્નાવલી ૧૭૫, ૨૬૭, ૩૦૩, પ૦૬ રચ્યા ૪૯૦ રત્તિ ૪૦૦ રન્ન ૧૧૯, ૫૩૮ ૨મલશાસ્ત્ર ૭૮ રક્સા પ૯૯ રશ્મામંજરી પ૯૯ રયણચૂડરાયચરિય ૩૦૪ રયણવાલકહા ૨૦૦, ૩૧૫ રયણસેહરીકહા ૧૬૫, ૩૦૭ રવિકીર્તિ ૪૬૬ રવિકુશલ ૩૬૨ રવિચન્દ્ર ૬૪ રવિપ્રભસૂરિ ૯૫, ૧૧૨, ૧૨૨ રવિવર્ધન ૪પ૬ રવિવ્રતકથા ૩૭૨ રવિષેણ ૨૬, ૩૯, ૪૦, ૪૮, પ૧, ૭૬, ૧૩૯, ૧૮૦, ૧૮૩, ૨પ૬, ૫૯૫ રવિસાગર ૩૨૩, ૩૭૩ Page #695 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૭૩ રવિસાગરગણિ ૧૪૭ રસગંગાધર પર૩ રસમંજરી ૩૯૧ રાક્ષસકાવ્ય ૬૦૩, ૬૦૬ રાક્ષસવંશ ૩૬ રાધવ પ૨૫ રાઘવચરિત ૩પ રાઘવનૈષધીય પ૨૮ રાઘવપાણ્ડવયાદવીય પર૫, પર૮ રાઘવપાડવીય પ૨૪, ૫૨૮, ૬૦૬ રાઘવપાડવીયપ્રકાશિકા પ૨૮ રાઘવયાદવીય પ૨૫ રાઘવાળ્યુદય ૫૮૧ રાયમલ્લ ૧૧૯ રાજકીર્તિ ૩૩ર રાજકોટ ૩૩૩ રાજગચ્છ ૧૭, ૯૬, ૧૨૧, ૨૦૫ રાજગૃહ ૧૫૫, ૧૬૬, ૧૬૮, ૧૭૦, ૧૯૦-૧૯૨, ૧૯૪, ૩૦૧, ૩૧૮, ૩૪૦, ૩૪૪, ૪૨૨, ૫૦૩, ૫૦૬, ૫૮૩ રાજતરંગિણી ૨૬, ૩૯૪, ૪૦૨, ૪૧૭, ૪ર૧, ૪૨૪ રાજપુર ૧૫૧, ૨૮૪, પ૩૯ રાજપૂત ૧૩ રાજમલ્લ ૧૫૫, ૨૨૯, ૪૩૨ રાજમુનિ ૨૯૫ રાજમેરુ ૩૭૮ રાજવર્ધન ૩૦૬ રાજવલ્લભ ૩૫૪, ૩૮૨ રાજવલ્લભ નાટક ૩૮૩ રાજશેખર ૩૩૧, ૩૭૫, ૩૮૮, ૪૨૮, - ૫૨૭, પ૬૦, પ૭પ રાજશેખરસૂરિ ૨૦૬, ૨૧૪, ૨૫૪, - ૩૮૭, ૪૧૮, ૪૬૧, ૫૧૧ રાજસાગર ૧૪૭, ૩૨૩ રાજસિંહ ૩૨૭ રાજસિંહકથા ૩૨૭ રાજસિંહ-રત્નવતીકથા ૩૨૭ રાજસ્થાન ૮, ૯, ૧૯, ૧૬૪, ૨૨૯, ૪૧૯, ૪૩૬, ૪પ૩, ૪૬૨, ૫૮૩ રાજહંસકથા ૩૩૪ રાજાવલીકથા પ૯૪ રાજીમતી ૧૧૭, ૧૨૭, ૧૩૧, ૧૬૦, ૧૮૩, ૪૭૯, ૧૪૮, પ૬૭ રાજીમતીપ્રબોધ પ૮૮ રાજીમતીપ્રબોધનાટક ૧૮૩ રાજીમતીવિપ્રલંભ ૬૬, ૧૮૩ રાજુલ ૫૪૮ રાજયશ્રી ૫૮૬ રાણાપ્રતાપ ૧૪ રાણાલી ૫૧૨ રાત્રિભોજનત્યાગકથા ૩૭૩ રામ ૭, ૩૧, ૩૪, ૩૬, ૩૭, ૪૦, ૬૧, ૬૮, ૭૦, ૭૩, ૧૩૨, ૧૪૨, ૩૬૧, ૪૬૧, ૪૯૦, પ૨૪, પ૨પ, પ૨૯, પ૩૦, પ૭૯-૫૮૧, ૫૯૭ રામકીર્તિ ૧૯, ૪૬૯ રામગુપ્ત ૪૭૨, ૪૭૩ રામચન્દ્ર ૫૫, ૭૩, ૧૮૨, ૧૯૮, ૨૭૫, ૩૭૯, ૫૬૩, ૫૭૩ Page #696 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ રામચન્દ્રગણિ ૩૨૧ રામચન્દ્રમુમુક્ષુ ૧૬૫, ૨૫૬ રામચન્દ્રસૂરિ ૧૩૮, ૨૧૧, ૩૩૪, ૫૭૭, ૫૮૦-૫૮૨ રામચરિત ૪૨, ૫૨, ૨૪૩, ૫૨૮ રામદાસ ૪૬૩ રામદેવ ૩૪૪ રામદેવચરત ૩૫ રામદેવપુરાણ ૪૨ રામન ૧૧૫ રામનગર ૪૮૦ રામપુરાણ ૪૨ રામભટ્ટ ૫૨૮ રામભદ્ર ૪૨૨, ૫૮૩ રામભદ્રસૂરિ ૨૦૦, ૨૧૦ રામરાજ્યરાસ પર રામલક્ષ્મણચરિત્ર ૪૦ રામવિજય ૪૨, ૫૪, ૬૦૭ રામવિજયોપાધ્યાય ૬૦૭ રામસૂરિ ૧૦૨ રામસેન ૧૪૬ રામાયણ ૧૪, ૨૪, ૨૬, ૩૪-૩૭, ૪૧, ૪૨, ૬૧, ૬૮, ૭૦, ૧૪૨, ૧૪૩, ૨૪૬, ૨૫૨, ૨૭૧, ૫૨૪, ૫૬૩, ૫૭૨ રામારવિન્દચરિત ૩૫ રાયચન્દ્ર ૩૩૩ રાયપસેણિય ૩૧૮ રાયપસેશિયસુત્ત ૫૭૨ રાયમલ્લ ૬૫-૫૭, ૧૫૦, ૧૫૮, ૩૭૦ રાયમલ્લાભ્યુદય ૬૬, ૬૭, ૧૬૭, ૪૩૨, ૬૦૧ રાવણ ૩૫-૩૭, ૪૦, ૬૧, ૬૮, ૭૦, ૭૩, ૨૪૪, ૩૧૧, ૧૨૫, ૫૩૦, ૫૮૦ રાવણ-પાર્શ્વનાથસ્તોત્ર ૫૬૯ રાષ્ટ્રકૂટ ૮, ૯, ૧૬, ૩૮, ૫૯, ૬૨, ૧૮૬, ૪૦૨, ૪૬૬, ૪૬૭, ૫૩૮, ૫૪૧ રાસભવંશ ૪૫ રાસમાલા ૪૨૪ જૈન કાવ્યસાહિત્ય રાહડ ૪૦૪ રાહુ ૩૮ રિપોર્ટેર દ એપિગ્રાફી જૈન ૪૭૦ રિસભદેવચરિય ૮૦ રુક્મિણી ૧૨૭, ૧૪૨, ૧૪૫, ૧૪૬, ૧૪૮, ૧૪૯, ૧૮૩, ૨૪૬, ૨૫૩, ૩૪૬, ૧૮૬ રુક્મિણીકથાનક ૧૮૩ રુક્મિણીચરિત ૧૮૩ રુક્મી ૧૧૦ રુદ્ર ૧૮૫ રુદ્રટ ૧૪ રુદ્રદત્ત ૧૨૭ રુદ્રપલ્લીયગચ્છ ૧૭૨, ૩૫૩, ૩૭૦ રુદ્રભૂતિ ૩૭ રુદ્રમાલ ૪૨૩ રુદ્રશર્મા ૪૪૫ રૂપચન્દ્ર ૬૦૭ રૂપચન્દ્રગણિ ૧૯૬ રૂપવિજય ૧૭૪, ૩૨૭ રૂપવિજયગણિ ૧૭૬ રૂપસિદ્ધિ ૧૧૯ રૂપસેન ૩૨૨, ૩૫૮ Page #697 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૭૫ રૂપાસેનકથા ૩૨૨, ૩૨૩ રૂપસેનકનકાવતીચરિત્ર ૩૨૩ રૂપસેનચરિત્ર ૩૨૩, ૩૫૮ રૂપાસેનપુરાણ ૩૨૩ રેણા ૨૪૫ રેવતી ૧૯૫, ૨૦૨, ૨૬૧ રેવતીમિત્ર ૪00 રેવતીશ્રાવિકાકથા ૨૦૨ રૈવત ૩૬૧, ૪૨૩, ૪૭૮ રૈવતક ૪૦૬, ૪૭૯, ૪૯૯, ૫૦૦, ૫૪૮, ૧૪૯ રૈવતાચલમાહાભ્ય ૩૬૦ રોમ ૨૬ રોરનારી ૨૩૯ રોહક ૩૦પ રોહણગિરિ ૩૭૬ રોહા ૪૪૪ રોહિણી ૩૫૭, ૨૬૮, ૫૮૧ રોહિણીકથા ૩૫૭, ૩૬૭ રોહિણીચરિત્ર ૩૫૭ રોહિણીતામાહાભ્ય ૩૬૮ રોહિણીમૃગાંક ૫૮૧ રોહિણીવ્રતકથા ૩૬૮ રોહિણેય ૨૦૦ રોહિણેયકથા ૨૦૦, ૩૫૮, ૩૭૭ રોહિણેયકથાનક ૩૬૮ રોહિણ્યશોકચન્દ્રનૃપકથા ૨૬૨, ૩૫૮, ૩૬૮ રોહિતાશ્વ ૫૭૫ રૌદ્રતા ૫૮૬ રૌહિણેય ૭૩, ૧૦૩, ૧૯૫, ૫૮૩ લંકા ૩૬, પ૨૫, ૫૭૯ લંકાદ્વીપ ૩૬૧ લક્ષણપંક્તિકથા ૩૭૩ લક્ષ્મણ ૩૭, ૪૦, ૬૧, ૬૮, ૭૩, ૧૮૨, ૪૯૦, પ૨૫, ૫૩૦, ૫૮૦ લક્ષ્મણગણિ ૮૨, ૩૩૫, ૪૪૩ લક્ષ્મણસેન ૪૧, ૪૨૩, ૪૨૭ લક્ષ્મણા ૪૮૬ લક્ષ્મી ૧૪૯, ૧૬૯, ૨૬૮, ૨૭૧, ૪૮૭, ૨૨૦ લક્ષ્મીકર્ણ ૪૦૦, ૪૦૧ લક્ષ્મીકુંજ ૧૦૧ લક્ષ્મીચન્દ્ર ૨૪૮ લક્ષ્મીતિલક ૧૬૧, ૩૦૨ લક્ષ્મીતિલકગણિ ૧૬૪, ૧૯૩, ૩૪૬ લક્ષ્મીપતિ ૨૩૮ લક્ષ્મીભદ્રસૂરિ ૩૨૧ લક્ષ્મીમતી ૧૪૯, ૫૯૭ લક્ષ્મીલાભગણિ પપ૯ લક્ષ્મીવલ્લભ ૨૧૨, ૬૦૪ લક્ષ્મીવિમલ પ૬૭ લક્ષ્મીસાગર ૨૦૭, ૨૧૫, ૨૪૭ લક્ષ્મીસાગરસૂરિ ૧૯૯, ૨૧૬ લક્ષ્મીસૂરિ ૨૬૫ લક્ષ્મીસન ૧૪૬, ૪૫૬ લક્સેશ્વર ૪૬૮ લઘુક્ષેત્રસમાસ ૨૯૪ લઘુખરતરગચ્છ પ૦૮ લઘુત્રિષષ્ટિ ૭૯ લઘુત્રિષષ્ટિલક્ષણમહાપુરાણ ૭૯ લઘુત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૭૭, ૨૩૧ Page #698 -------------------------------------------------------------------------- ________________ 363 લઘુ-પાણ્ડવચરિત્ર ૫૫ લઘુપૌષધશાલિક-પટ્ટાવલી ૪૫૬ લઘુમહાપુરાણ ૭૯ લઘુશતપદી ૫૫૦ લઘુશાન્તિપુરાણ ૧૦૪ લબ્ધિમુનિ ૨૨૩, ૨૯૫, ૩૩૦ લબ્ધિવિજય ૩૬૯ લબ્ધિસાગર ૧૭૪, ૧૭૬ લબ્ધિસાગરગણિ ૨૭૫, ૨૯૪, ૪૫૫ લલિતકીર્તિ ૫૮, ૨૦૮, ૬૦૬ લલિતપુર ૧૮૪ લલિતવિસ્તર ૪૨૦ લલિતાંગ ૫૮, ૧૨૭, ૩૫૩, ૫૫૭ લલિતાદિત્ય ૪૨૨ લવ ૪૨ લવણપ્રસાદ ૪૦૨, ૪૦૫, ૪૧૭ લવાંગકુશ ૩૬ લહર ૪૪૪ લાટ ૪૦૫, ૪૦૬, ૪૧૫, ૫૯૧, ૧૯૯ લાટબર્ગટસંઘ ૪૭૬ લાટવાગડસંઘ ૬૨ લાટીસંહિતા ૧૫૮ લાભવિજય ૫૨૩ લૉયમન ૩૩૫ લાલચન્દ્ર ગાંધી ૫૭૪ લાલજી ૧૮૩ લાલબા લાલમિણ ૯૫ લાવણ્યવિજય ૨૨૭ લાવણ્યસમય ૨૨૭ લાહૌર ૨૩૦, ૪૩૫ લિમ્બડી ૪૪૧ લીલાવતી ૩૪૪ લીલાવતીકથા ૩૪૬ લીલાવતીકથાસાર ૩૪૬ લીલાવતીકાવ્ય ૩૪૬ લીલાવૈદ્ય ૪૨૩ લંકાગચ્છ ૨૮૩, ૨૯૦, ૫૬૩ લંકામત ૨૦૮ લુઈસ રાઈસ ૬૩, ૪૬૯ લૂણસાક ૪૦૬ લોકસેન ૬૧, ૬૨ લોકાદિત્ય ૬૨ લોકાપવાદકથા ૩૩૪ જૈન કાવ્યસાહિત્ય લોભદેવ ૩૩૮-૩૪૦ લોભનન્દી ૧૨૭ લોભાકર ૧૦૩ લોભાનન્દી ૧૦૩ લોહાચાર્ય ૪૬ લોહાનીપુર ૪૭૨ વંકચૂલ ૨૬૪, ૩૨૩, ૪૨૬-૪૨૮ વંકચૂલકથા ૩૨૩ વંગ ૪૧૫ વક્કચૂડકા ૩૨૩ વાલગ્ન ૫૬૦ વજ્ર ૩૮ વજ્રગુપ્ત ૩૩૮, ૩૪૦ વજ્રઘોષ ૧૧૮ વઘ ૫૮, ૫૫૭ વજ્રનાભ ૮૮, ૮૯, ૧૦૧, ૧૧૮ Page #699 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા વજ્રનામિ ૫૫૭ વજ્રશાખા ૭૫, ૮૯, ૯૧ વજ્રસિંહ ૩૪૪ વજ્રસૂરિ ૪૮ વજ્રસેન ૩૮, ૭૯, ૨૪૩, ૨૯૩, ૩૨૨ વજ્રસેનચરિત્ર ૩૩૪ વજ્રસ્વામિકથા ૨૧૩, ૩૩૪ વજ્રસ્વામિચરિત ૨૧૩ વજ્રસ્વામી ૧૮૨, ૨૦૩-૨૦૫, ૨૧૩ વજ્રાયુધ ૯૭, ૧૦૭, ૫૩૨, ૫૯૨ વજ્રાયુધાદિકથા ૨૬૫ વજ્રાર્ગલા ૫૮૭ વટગચ્છ ૧૩૭, ૨૦૨ વટપદ્ર ૫૮ વટ્ટકેર ૨૩૪ વડગચ્છ ૯૨, ૩૯૧ વડનગર ૪૬૭ વડોદરા ૪૪૧, ૪૬૫, ૫૨૨ વઢમાણ ૪૨૫ વઢવાણ ૪૭ વત્સગોત્રી ૫૯૩ વત્સભટ્ટિ-પ્રશસ્તિ ૪૩૬ વત્સરાજ ૪૫, ૧૧૦, ૧૩૨, ૩૩૨, ૩૪૨, ૩૮૨, ૪૨૨ વત્સરાજ ઉદયન ૪૨૭ વત્સરાજકથા ૩૩૪ વત્સરાજગણિ ૩૯૧ વધેરવાલ ૬૫ વનકેલિ ૪૮૨ વનથલી ૪૪૨, ૪૪૩ વનપાલ ૪૮૭ વનમાલા ૫૮૨ વનરાજ ૧૪૯, ૪૦૪, ૪૨૩, ૪૪૪ વરંગ ૨૭૫ વરદત્ત ૧૮૪, ૧૮૫, ૩૬૬ વરદત્તગુણમંજરીકથા ૨૬૨, ૩૬૫-૩૬૭ વરનાગ ૩૦૦ વચ ૨૦૪ વરાંગ ૧૮૩-૧૮૬, ૪૬૧ વરાંગરિત ૩૯, ૪૮, ૧૮૩, ૪૬૧ વરાહમિહિર ૪૨૩ વરાહી ૪૪૪, ૪૪૫ વરુણ ૫૬૩, ૫૭૮ વરુણદ્વીપ ૫૭૮ વરુણસેઠ ૧૦૩ વજ્રવર્ત ૫૯૭ 963 વર્તમાનચરિત ૯૭ વર્ધમાનસૂરિ ૨૩૮, ૪૯૮ વર્ધમાન ૪૦, ૬૪, ૭૭, ૧૮૯, ૧૯૦, ૨૪૮, ૫૯૪ વર્ધમાનકુંજ૨ ૪૨૨ વર્ધમાનગણિ ૫૨૨ વર્ધમાનચરિત ૫૧, ૧૨૬, ૪૮૫ વર્ધમાનજિનભવન ૩૦૩ વર્ધમાનદેશના ૨૩૪, ૩૧૪, ૩૨૨, ૩૩૦, ૩૩૧, ૩૫૨ વર્ધમાનપુર ૪૫, ૪૭, ૨૩૫, ૪૨૫ વર્ધમાનપુરાણ ૪૮, ૧૨૬ વર્ધમાનસૂરિ ૮૩, ૮૯, ૧૦૨, ૧૯૩, ૨૩૪, ૨૩૯, ૨૮૦, ૪૩૦, ૪૫૨, ૪૫૩, ૫૭૩ વર્ધમાનસ્વામી ૧૮૯ વર્ધમાનાચાર્ય ૮૦, ૩૫૦ વર્ષપ્રબોધ ૭૮ Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ વલભી ૧૦, ૩૧૭, ૩૬૧, ૪૨૭ વલ્કલચીરિ ૧૪૧ વલ્લભરાજ ૩૯૭ વલ્લભાચાર્ય ૫૬૩ વસન્તકીર્તિ ૪૫૭ વસન્તનિવાસ ૪૦૩ વસત્તપાલ ૪૦૫, ૪૪૧, ૫૦૨ વસન્તવિલાસ ૧૮, ૪૦૫ વસન્તસેના ૪૪, ૧૨૭ વસુ ૬૦, ૧૪૨ વસુદત્ત ૧૪૧ વસુદેવ ૪૩, ૧૧૭, ૧૨૭, ૧૩૧, ૧૪૦, ૧૪૪, ૩૪૪, ૪૭૮, ૫૨૬ વસુદેવચરત ૩૪, ૪૪, ૮૬, ૧૪૦, ૧૪૩ વસુદેવહિણ્ડી ૪, ૩૪, ૪૪, ૧૩૧, ૧૩૯, ૧૪૦, ૧૫૪, ૨૬૯, ૩૦૮, ૩૩૮, ૩૪૧, ૩૪૯, ૩૯૦, ૧૨૧, ૫૯૩ વસુદેવહિણ્ડીઆલાપક ૧૪૪ વસુદેવહિીસાર ૧૪૪ વસુધરા ૮૯ વસુપુજ્જચરિય ૮૪ વસુભૂતિકથા ૩૩૪ વસુભૂતિવસુમિત્રકથા ૩૩૪ વસુરાજ ૧૨૭ વસુરાજકથા ૩૩૪ વસ્તુપાલ ૧૪, ૧૭, ૧૮, ૨૫, ૧૦૬, ૧૨૧, ૧૩૨, ૨૦૬, ૨૨૬, ૨૫૧, ૨૫૮, ૩૬૪, ૪૦૩, ૪૧૬, ૪૨૩, ૪૨૮, ૪૩૦, ૪૩૭, ૪૪૬, ૫૦૧, ૫૬૯, ૫૯૦-૫૯૩ વસ્તુપાલચરિત ૨૨૬, ૩૦૭, ૪૧૬, ૫૦૨ જૈન કાવ્યસાહિત્ય વસ્તુપાલ-તેજપાલચરિત ૨૨૬ વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ ૪૦૯, ૪૩૮, ૫૯૨ વસ્તુપાલપ્રશસ્તિ ૪૦૯, ૪૩૮,૪૩૯ વસ્તુપાલસ્તુતિ ૪૦૯ વસ્ત્રદાનકથા ૩૩૪ વાકાટક ૩૭ વાતિ મુંજ ૪૨૩ વાગડ ૫૩ વાગર્થસંગ્રહ ૩૪ વાગ્ભટ ૨૨, ૨૯, ૩૦, ૭૫, ૯૫, ૧૧૫, ૪૧૦, ૪૧૬, ૪૨૩, ૪૩૦, ૪૭૯-૪૮૧, ૪૮૯, ૫૨૨ વાગ્ભટમેરુ ૧૬૪, ૧૯૩, ૩૪૫ વાગ્ભટાલંકાર ૪૩૦, ૪૮૧ વાવર ૫૩ વાઘેલા ૯, ૧૯૪, ૪૦૪-૪૦૬, ૪૨૫, ૪૩૦, ૪૩૮, ૪૪૬ વાધેલાવંશ ૨૨૬, ૪૩૯, ૫૯૦ વાટગ્રામ ૫૯ વાણીવલ્લભ ૧૨૬ વાદિચન્દ્ર ૫૩, ૧૨૫, ૧૪૫, ૧૭૯, ૧૮૧, ૨૮૩, ૨૯૦, ૨૯૯, ૫૪૬, ૫૫૧, ૬૦૨ વાદિદેવગચ્છ ૪૦૮ વાદિદેવસૂરિ ૮૮, ૫૮૭, ૧૮૮ વાદિભૂષણ ૨૯૧, ૪૫૭ વાદિરાજ ૧૧૯, ૧૪૯, ૧૫૦, ૨૮૩, ૨૮૭, ૫૧૫, ૫૨૭ વાદિરાજસૂરિ ૧૧૯, ૪૮૪, ૫૬૮ વાદિવેતાલ શાન્તિસૂરિ ૩૦૮ Page #701 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા વાદિસિંહ ૬૦, ૨૭૫ વાદીભસિંહ ૧૮, ૧૧૯, ૧૫૦, ૧૫૨, ૫૧૫, ૧૩૧, ૫૩૮ વાદીભસિંહ મહામુનિ પદ્મન્દિ ૨૫૬ વાનમન્તર ૨૬૮ વાનર ૧૦૩ વાનરવંશ ૩૬ વામદેવ ૨૭૮ વામા ૮૮ વાયટ ૩૭૫ વાયગચ્છ ૫૧૪ વાયડગચ્છ ૪૦૪ વાયડા ૪૪૭ વાયસ ૧૪૧ વાયુભૂતિ ૧૨૫ વારાણસી ૬૧, ૮૮, ૧૧૦, ૨૧૫, ૨૩૫, ૪૧૯, ૫૨૯, ૫૯૯ વાર્ષિકકથાસંગ્રહ ૨૬૫ વૉલ્ટેર ૨૬, ૨૭૨ વાલ્મીકિ ૧૪, ૩૪-૩૭,૪૧, ૬૮, ૧૪૩, ૧૮૬ વાલ્મીકિનગ૨ ૧૨૫ વાસવ ૩૩૯ વાસવદત્તા ૩૪૧, ૫૩૧, ૫૩૬, ૬૦૫ વાસવદત્તાટીકા ૨૧૯ વાસવસેન ૧૦૪, ૨૮૩, ૨૮૬, ૨૮૯ વાસુદેવ ૪૧૧, ૫૨૫ વાસુદેવશરણ અગ્રવાલ ૪૭૩ વાસુપૂજ્ય ૮૪, ૧૦૧ વાસુપૂજ્યચરિત ૧૦૧ વિંધ્યગિરિ ૭૫, ૪૮૭ વિંધ્યાચલ ૪૪૪ વિંશતિસ્થાનકવિચારામૃતસંગ્રહ ૪૧૭ વિશતિસ્થાનકસંગ્રહ ૩૦૭ વિક્રમ ૧૦૧, ૧૧૫, ૨૫૨, ૩૭૪, ૩૭૮, ૩૮૧, ૩૮૨, ૫૪૬, ૫૪૯ વિક્રમચરિત ૧૯, ૨૦૦, ૨૦૭, ૩૭૬, ૩૭૯, ૩૮૦, ૩૮૩ વિક્રમદેવ ૨૯૦ -265 વિક્રમપંચદંડપ્રબંધ ૩૭૯ વિક્રમપ્રબંધકથા ૩૭૮ વિક્રમયશ ૪૯૨ વિક્રમસિંહ ૪૬૭, ૪૯૬, ૪૯૭ વિક્રમસેન ૩૧૯, ૩૭૫-૩૭૭ વિક્રમસેનચરિત ૩૧૯ વિક્રમાંકદેવચરિત ૨૬, ૩૯૪, ૪૦૨ વિક્રમાદિત્ય ૪૫, ૧૬૭, ૨૧૩, ૨૫૦, ૨૫૪, ૨૫૭, ૩૭૪-૩૮૨, ૩૯૬, ૪૨૩, ૪૨૭, ૪૫૧ વિક્રમાદિત્યચરિત્ર ૨૪૫ વિક્રમાદિત્યપંચદંડચ્છત્ર-પ્રબંધ ૩૭૯ વિક્રમોર્વશીય ૫૮૦ વિક્રાંતકૌરવ ૧૭૮, ૫૭૩, ૫૯૪, ૧૯૬ વિચારશ્રેણી ૪૨૬, ૪૫૧ વિજય ૩૮, ૨૬૮, ૫૫૧ વિજયકીર્તિ ૫૩, ૧૨૦, ૪૬૭ વિજયકુમાર ૩૬૩ વિજયકુમારચરિત્ર ૩૩૪ વિજયગણિ ૩૫૭ વિજયચન્દ્ર ૧૩૨, ૧૩૩, ૩૮૬, ૫૧૬ વિજયચન્દ્રકેવલિચરિત્ર ૧૭૭ વિજયચન્દ્રચરિત ૮૫, ૧૩૩ Page #702 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ વિજયચન્દ્રસૂરિ ૧૩૨, ૧૪૦, ૩૬૪ વિજયદયાસૂરિ ૧૫૯ વિજયદાનસૂરિ ૪૨, ૫૪, ૩૫૫ વિજયદેવ ૨૨૦, ૪૩૫ વિજયદેવમાહાત્મ્ય ૨૧૮, ૪૩૫ વિજયદેવમાહાત્મ્યવિવરણ વિજયદેવસૂરિ ૨૧૭-૨૨૦, ૪૬૫ વિજયધર્મ ૨૬૮ વિજયધર્મસૂરિ ૪૬૨, ૪૭૧, ૪૭૩ વિજયનગર ૯, ૧૮૯, ૫૫૯ વિજયનીતિસૂરિ ૨૬૪ વિજયનેમિસૂરિ ૫૫૩ ૭૮, ૪૩૫ વિજયપાલ ૫૮૪ વિજયપ્રભ ૭૮ વિજયપ્રભસૂરિ ૨૧૯, ૨૭૫, ૨૯૪, ૪૬૫, ૫૫૩ વિજયપ્રશસ્તિકાવ્ય ૨૧૮ વિજયપ્રશસ્તિમહાકાવ્ય ૨૫૩, ૪૩૫ વિજય ભટ્ટારક ૧૧૯ વિજયભદ્ર ૩૫૮ વિજયભૂપેન્દ્રસૂરિ ૩૧૫ વિજયમૂર્તિ શાસ્ત્રી ૪૭૦ વિજયયતીન્દ્રસૂરિ ૪૭૩ વિજયરત્નસૂરિ ૨૭૪ વિજયરાજેન્દ્રસૂરિ ૩૧૬, ૩૬૯ વિજયલક્ષ્મી ૨૩૪, ૨૬૩, ૩૭૩ વિજયવÁનગણિ ૩૪૫ વિજયસંવિગ્નશાખા-પટ્ટાવલી ૪૫૬ વિજયસિંહ ૨૬૮, ૩૪૭ વિજયસિંહસૂરિ ૮૦, ૮૨, ૮૪, ૯૭, ૧૦૨, ૧૨૪, ૧૪૦, ૨૨૦, ૨૫૭, ૨૯૫ વિજયસૂરિ પ૦, ૧૧૨, ૬૦૫ વિજયસેન ૨૧૮, ૨૭૧, ૩૨૪, ૩૩૯, ૩૪૪ જૈન કાવ્યસાહિત્ય વિજયસેનસૂરિ ૧૧૫, ૨૫૮, ૨૫૯, ૨૬૧, ૩૨૪, ૩૫૫, ૩૬૮, ૪૩૫, ૪૩૭, ૪૫૫, ૪૬૩ વિજયસૌભાગ્યસૂરિ ૨૬૩ વિજયસ્તુતિ ૨૧૮ વિજયહીરસૂરીશ્વર ૪૫૫ વિજયા ૧૫૧, ૩૨૪ વિજયાનગરી ૩૩૯, ૩૪૦ વિજયાનસૂરિ ૨૬૩, ૪૬૫ વિજયાનન્દસૂરીશ્વરસ્તવન ૫૫૫, ૫૬૭ વિજયામૃતસૂરિ ૪૬૪, ૫૫૩ વિજયાર્ધ ૫૬ વિજયેન્દુસૂરિ ૪૧૬, ૫૧૦ વિજયોલ્લાસમહાકાવ્ય ૨૨૦ વિજિતા ૪૪૬ વિૌલિયા ૩૦૧ વિજ્ઞīિત્રવેણી ૪૬૪ વિજ્ઞપ્તિપત્ર ૪૬૨ વિજ્ઞપ્તિપત્રી ૪૬૪ વિશ્ટરનિત્સ ૫૧, ૨૫૨, ૨૬૧, ૩૮૬ વિદર્ભ ૪૮૭ વિદિશા ૪૭૩ વિદ્યાકીર્તિ ૩૦૨ વિદ્યાદેવી ૪૯૭ વિદ્યાધર ૫૫૧, ૫૭૭ વિદ્યાધર જોહરાપુરકર ૪૭૦, ૪૭૪ વિદ્યાધર નમિ ૫૯૬ વિદ્યાધર વંશ ૩૬ Page #703 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા વિદ્યાધર શાખા ૮૧ વિદ્યાધરી ૫૮૩ વિદ્યાનન્દ ૩૬૪, ૫૬૮ વિદ્યાનન્દિ ૧૩૯, ૧૭૩, ૧૯૮૯, ૧૯૯, ૨૦૮, ૨૪૮, ૨૯૦, ૨૯૫, ૩૬૯, ૪૫૮ વિદ્યાપતિ ૧૦૧ વિદ્યાપતિશ્રેષ્ઠિકથા ૩૩૪ વિદ્યાભૂષણ ૯૬, ૧૫૫ વિદ્યારત્ન ૧૬૭ વિદ્યાવિલાસ ૩૨૮ વિદ્યાવિલાસનૃપકથા ૩૨૮ વિદ્યાવિલાસસૌભાગ્યસુન્દરકથાનક ૩૨૮ વિદ્યાસાગરશ્રેષ્ઠિકથા ૩૩૪ વિદ્યુચ્ચર ૧૯૫, ૨૦૦ વિદ્યુચ્ચરમુનિચરિત્ર ૩૩૪ વિદ્યુત ૪૦૮ વિદ્રુમચરિત્ર ૩૩૪ વિનમિ ૫૬ વિનયંધર ૨૪૯, ૩૨૮, ૩૬૨ વિનયંધરચરિત ૩૨૮ વિનયકુશલગણિ ૩૧૪ વિનયચન્દ્ર ૯૫, ૨૧૧, ૨૫૩, ૨૬૫, ૫૨૮, ૬૦૫ વિનયચન્દ્રસૂરિ ૧૧૨, ૧૨૨, ૨૧૦ વિનયધર ૪૬, ૪૫૯ વિનયપ્રભ ૩૦૨, ૫૫૩ વિનયમણ્ડનગણિ ૩૫૩ વિનયવિજય ૨૯૫, ૪૬૪, ૪૬૫ વિનયવિજયગણિ ૫૪૬, ૫૫૩ વિનયસાગર ૧૪૭, ૧૬૯, ૪૭૩, ૫૪૯ વિનયસાગરર્ગાણ ૧૭૩ વિનયસુન્દર ૬૦૫ વિનાયકપાલ ૨૩૬ વિનીતદેશ ૧૮૪ વિનીતસુર ૩૦૯ વિનોદકથાસંગ્રહ ૨૫૩, ૩૮૭ વિન્સેન્ટ સ્મિથ ૪૩૪ વિપાકસૂત્ર ૧૯૭, ૨૬૯ વિબુધગુણનન્દ્રિ ૪૮૩ વિબુધપ્રભ ૧૧૨, ૧૭૧ વિબુધપ્રભસૂરિ ૧૧૦ વિબુધાચાર્ય ૮૨ વિબુધાનન્દનાટક ૫૭૩ વિભીષણ ૫૮૦ વિમલ ૩૯, ૪૮, ૪૪૪ વિમલકમલ ૧૦૩ વિમલકીર્તિ ૫૫૨ વિમલકીર્તિગણિ ૫૪૬ વિમલગિરિ ૩૬૩ વિમલચરિય ૮૫ વિમલનાથ ૧૦૨, ૧૦૩ વિમલનાથચરિત ૧૦૨, ૩૦૫, ૩૦૬ વિમલપુરાણ ૧૦૩ વિમલપ્રબંધ ૨૨૭ વિમલબોધિ ૧૦૧ વિમલમંત્રિચરિત ૨૨૬ વિમલમંત્રી ૨૨૭ વિમલમતિ ૬૯ વિમલશાહ ૨૨૬, ૨૨૭ વિમલસંવિગ્નશાખા ૪૫૬ વિમલસાગર ૨૦૯ વિમલસાગરણ ૨૧૭ ૬૮૧ Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ જૈન કાવ્યસાહિત્ય વિમલસાહ ૪૪૪ વિમલસૂરિ ૬, ૨૬, ૩૪, ૩૫, ૩૮, ૪૧, ૪૮, ૬૮, ૭૦, ૭૬, ૭૯, ૫૯૫, ૫૯૭ વિમલસેના ૧૪૧ વિલમહર્ષગણિ ૪૫૫ વિમલાંક ૩૩, ૩૯ વિલાસપુર ૧૭૦ વિલાસમતી પ૩૩, ૫૮૩ વિલિયમ રોજ બૅનિટ ૨૬ વિવિધતીર્થકલ્પ ૩૬૫, ૩૭૫, ૪૧૮, ૪૨૬, ૪૩૧, ૪૫૩, ૪૬૨, પ૦૮ વિવિધાર્થમયસર્વજ્ઞસ્તોત્ર પ૨૪ વિવેકકલિકા ૪૪૦, પ૬૦ વિવેકચન્દ્ર ૫૮૫ વિવેકધીરગણિ ૩૬૨ વિવેકપાઇપ ૪૪૦, પ૬૦ વિવેકપ્રમોદ ૩૮૦ વિવેકમંજરી ૪૦૮, પપ૯ વિવેકમંજરીપ્રકરણ ૨૩૪ વિવેકવિલાસ પ૧૪ વિવેકસમુદ્રગણિ ૨૨૧, ૩૦૧, ૩૨૬ વિવેકસાગર પ૬૭. વિવેકહર્ષ ૧૧૭ વિશાખદત્ત પ૭૩, પ૭૪ વિશાખભૂતિ ૪૮૫ વિશાખાચાર્ય ૨૩૫ વિશાલકીર્તિ ૪૫૭, ૪૬૧ વિશાલરાજ ર૦૭, ૩૨૩, ૩૨૫ વિશાલલોચનસ્તોત્રવૃત્તિ ૨૬૧ - વિશાલાક્ષ પ૪૧ વિશેષણવતી ૧૪૩ વિશેષવાદી ૪૮ વિશેષાર્થબોધિકા ૬૦૩ વિશેષાવશ્યકભાષ્ય ૩૪, ૩૩૫ વિશ્વનન્ટિ ૪૮૫ વિશ્વનાથ ૨૮, ૨૯, ૫૯૯ વિશ્વભૂતિ ૯૦, ૪૮૫ વિશ્વભૂષણ ૧૬૬, ૧૯૯, ૩૭૦ વિશ્વસેનકુમારકથા ૩૩૪ વિશ્વામિત્ર પ૭૨, પ૭પ વિષાપહાર પ૬૮ વિષેણ ૨૬૮ વિષ્ણુ ૧૦, ૧૮૫, ૪૬૯, પ૨૨ વિષ્ણુકુમાર ૧૪૨ વિષ્ણુકુમારકથા ૩૭૩ વિષ્ણુપુરાણ ૪૧, પ૬ વિષ્ણુભટ્ટ ૬૪ વિષ્ણુશર્મા ૧૦૩, ૩૮૮ વિષ્ણુશ્રી ૪૯૨, ૪૯૪ વીતરાગસ્તવ ૯૧, પ૬૭ વીતરાગસ્તોત્ર પ૬૯, ૫૭૦ વીર ૯૦, ૪૪૪, પ૬૭ વીરકલશ ૨૦૯ વીરચન્દ્ર ૧૪૪ વીરચરિત્રસ્તવ ૫૬૫ વીરજયવરાહ ૪૫ વીરથુઈ ૫૩૫, પ૬૫ વીરદમન ૨૯૨ વીરદાસ ૩૪૯ વીરદેવ ૨૦૫ વીરદેવગણિ ૩૮૫, ૩૮૬, ૪૨૧ વીરદેશના ૨૬૧ Page #705 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા : ૬૮૩ વિરધવલ ૨૨૬, ૪૦૬, ૪૨૩, ૪૩૭, ૪૪૦, ૫૦૧, પ૯૦, પ૯૩ વીરન%િ ૯૭, ૧૧૯, ૪૭૭, ૪૮૧, ૪૮૩-૪૮૫, ૪૮૯ વીરપ્રભ ૧૦૭ વીરપ્રભસૂરિ ૧૦૭ વીરભક્તામર પ૬૭ વીરભદ્ર ૩૨૯, ૩૩૬ વીરભદ્રકથા ૩૨૯ વીરભદ્રચરિત્ર ૩૨૯ વીરભદ્રસૂરિ ૧૫૬, ૨૯૫, ૩૪૧ વીરભદ્રાચાર્ય ૧૫૬ વિરમ ૪૧૪ વીરમદેવ ૨૯૦, ૪૧૪ વીરમદેવ તોમર ૪૧૪ વીરમપુર ૪૬૩ વીરવલ્લાલ ૪૩૧ વીરવતુ ૫૫૫ વીરવિતુ ૪૬ વીરવૈભવ પ૩૯ વીર શ્રેષ્ઠી ૮૯ વીરસિંહ ૧૩૯ વીરસિંહસૂરિ ૪૩૯, ૫૯૨ વીરસૂરિ ૮૨, ૧૦૨, ૧૨૪, ૨૦૫, ૪૨૧ વીરસેન ૯, ૪૬, ૪૮, ૧૯, ૬૦, ૬૨, ૧૦૩, ૧૪૯, ૨૭૩, પ૨૭ વીરસ્તવ પ૬૮ વીરસ્તુતિ પ૬૭ વીરસ્વામી ૧૨૧ વીરાંગદકથા ૩૩૪ વીરા ૪૩૨ વીરિકા ૧૦૪ વિસલદેવ ૯૪, ૧૯૪, ૧૭, ૧૮, ૪૪૫, ૫૧ ૪, ૫૧૫ વીસાયંત્રવિધિ ૭૯ વૃદ્ધગચ્છ ૧૭ વૃદ્ધતપાગચ્છ ૧૭૬, ૨૯૪ વૃદ્ધવાદી ૨૦૬ વૃદ્ધાચાર્ય-પ્રબંધાવલિ ૪૫૩ વૃન્દ ૩૪૧ વૃન્દાવનકાવ્ય ૬૦૩, ૬૦૬ વૃષભધ્વજચરિત પ૭૩ વૃષભનાથચરિત્ર ૯૫ વેણવત્સરાજાદીનાંકથી ૨૬૫ વેતાલપંચવિંશતિકા ૧૯, ૩૮૦ વેબર ૩૦૯ વેશનગર ૪૭૩ વૈતાઢ્ય ૩૪૭ વૈરસિંહ ૪૦૪ વૈરાગ્યરસાયનપ્રકરણ ૫૫૯ વૈરાગ્યશતક ૬૨, પ૬૦, ૬૦૭ વૈરાગ્યેકસપ્તતિ ૨૦૦ વૈરાટ ૧૫૮, ૪૩૪ વૈરિશાખા ૧૦૦ વૈરિસિંહ ૨૧૩, ૫૩૫ વૈરેતિ ૪૮૬ વૈશમ્પાયન પ૩૩ વૈશાલી ૧૯૧, ૧૯૬ વૈશ્રવણ પ૭૭ વૈશ્રવણકથા ૩૩૪ વૈશ્વાનર ૨૭૮ વ્યક્તાચાર્ય ૧૯૫ વ્યવહારચૂર્ણિ ૨૦૯ Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ જૈન કાવ્યસાહિત્ય વ્યવહારભાષ્ય ૩૯૦ વ્યાધ્રહસ્તિ ૪૬ વ્યાસ ૧૩૫, ૫૪૧ વ્રતકથાકોશ પ૨, ૨૪૭, ૩૭૩ શંખ ૧૧૦, ૧૭૪, ૪૦૬, ૫૭૫ શંખપુર ૨૯૨ શંખસુભટ ૪૨૩ શક ૨૧૩, ૪૭૨ શકટાલ ૨૦૪, ૨૩૪ શકુંતલા ૮૯, ૧૩૬ શકુનરત્નાવલી ૨૪૮ શકુનિકાવિહાર ૧૩૧, ૩૬૩, ૪૩૮ શક્ર ૨૩૬ શતકત્રય ૩૩૨, ૬૦૭ શતાનીક ૭૩ શતાનીકપુત્ર ૭૩ શતાર્થકાવ્ય ૮૧ શતાર્થીકાવ્ય ૨૫૭, ૫૮૪ શત્રુંજય ૨૨૧, ૨૨૯, ૨૫૮, ૩૧૫, ૩૪૩, ૩૪૭, ૩૬૧, ૩૬૩, ૪૦૬, ૪૦૮, ૪૨૩, ૪૩૩, ૪૩૮, ૪૪૦, ૪૪૬, ૪૬૭, ૪૬૯, ૪૭૩, પ૦૨, ૫૯૩ શત્રુંજયકથાકોશ ૩૬૨ શત્રુંજયકલ્પ ૧૮૨, ૩૬૨ શત્રુંજયકલ્પકથાકોશ ૨૪૫ શત્રુંજયતીર્થ ૩૧૨, ૩૬૨, ૪૧૦, ૪૫૧, ૪પર શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ ૪૩૧ શત્રુંજયમંડન પ૦૧ શત્રુંજય મહાતીર્થોદ્ધારપ્રબંધ ૨૨૯, ૩૬૨ શત્રુંજયમાહાભ્ય ૧૮૧, ૩૦૯, ૩૬૦, * ૩૬૨, ૪૬૦, ૫૦૯ શત્રુંજયમાહાભ્યોલેખ ૩૬૨ શત્રુંજયોદ્ધાર ૩૬૨ શબ્દાનુશાસન ૪૩૦ શબ્દામ્ભોજભાસ્કર ૨૩૭ શભામૃત ૫૮૯ શબુકુમાર ૧૪૧ શરદુત્સવકથા ૩૭૪ શશ ૨૭૧ શશિપ્રભા ૩૮૫ શાકંભરી ૨૨૧, ૪૧૫, ૪૪૨, ૫૮૩, ૫૮૮ શાકટાયન ૯, ૧૧૯ શાકટાયનન્યાસ ૨૩૭ શાણરાજ શેઠ ૧૦૩ શાન્ત ૪૮ શાન્તિ ૭૭, ૧૪૩, પ૦૪, પ૨૯, ૫૮૫ શાન્તિકીર્તિ ૧૧૦ શાન્તિકુમાર ઠવલી ૪૭૪ શાન્તિચન્દ્ર ૧૦, ૫૪, ૧૪૮, ૨૧૭, ૨૧૯, ૩૨૫, ૪૩૪ શાન્તિજિનસ્તોત્ર પ૬૯ શાન્તિદાસ ૯૫ શાન્તિનાથ ૬૩, ૬૪, ૭૩, ૭૭, ૭૯, ૮૬, ૧૦૪-૧૧૦, ૧૩૦, ૧૩૨, ૫૦૯, ૫૯૩, ૫૯૮ શાન્તિનાથચરિત ૧૮, ૫૦, ૫૧, ૭૮, ૯૭, ૧૦૫, ૧૦૭, ૧૨૬, ૧૪૦, ૩૨૨, ૨૩૮, ૩૪૨, ૩૫૫, ૪૮૬, ૫૦૪, ૫૯૮ શાન્તિનાથપુરાણ પ૪, ૧૦૪ Page #707 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શાન્તિનાથરાજ્યાભિષેક ૧૧૦ શાન્તિનાથવિવાહ ૧૧૦ શાન્તિપુરાણ ૧૦૪ શાન્તિભક્તામર ૫૬૭ શાન્તિમતી ૧૦૩ શાન્તિમતીકથા ૩૬૦ શાન્તિરાજકવિ ૫૨૨ શાન્તિષેણ ૪૬ શાન્તિસુધાસ ૪૬૫ શાન્તિસુન્દરી ૫૮૫ શાન્તિસૂરિ ૪૩, ૧૨૯, ૨૦૫, ૨૫૯, ૩૫૦, ૩૫૧, ૪૨૧, ૪૪૧, ૪૪૯, ૬૦૩, ૬૦૬ શાન્તિસ્તોત્ર ૫૬૮ શાન્તીશ્વર ૬૪ શાન્તુ ૪૪૬ શાન્તુક ૪૪૮ શામદેવવામદેવકથા ૩૩૪ શામ્બ ૧૧૭, ૧૨૭, ૧૪૨ શામ્ભપ્રદ્યુમ્નચરિત ૧૪૫ શારદાસ્તવન ૫૬૯ શાફ઼ર્ગંધર ૫૦૨ શાર્ગધરપદ્ધતિ ૫૦૨ શાલક્ષમીયકથા ૩૩૪ શાલિભદ્ર ૭૩, ૧૬૧, ૧૬૮-૧૭૦, ૧૭૩, ૧૯૪, ૧૯૭, ૨૫૦ શાલિભદ્રચરિત ૧૭૧, ૧૭૩ શાલિવાહન ૪, ૩૭૬, ૪૬૩ શાલિવાહનચરિત ૨૪૫, ૩૧૭ શાશ્વતચૈત્યસ્તવ ૫૬૫ શાસનચતુસિંશિકા ૪૬૧ શાહજહાં ૪૩૨ શિક્ષાચતુષ્ટયકથા ૨૬૫ શિખામણિ ૧૪૮ શિખિ ૨૬૮ શિલાદિત્ય ૪૨૩ શિવકુમારકથા ૩૩૪ શિવકોટિ ૬૦, ૬૨ શિવગુપ્ત ૪૬ શિવચન્દ્રગણિમહત્તર ૩૪૧ શિવનિધાનોપાધ્યાય ૨૧૨ શિવપ્રભસૂરિ ૧૬૧ શિવભદ્રકાવ્ય ૬૦૩, ૬૦૬ શિવમહિમ્નસ્તોત્ર ૫૫૫, ૫૬૩ શિવરાજર્ષિચરિત ૧૯૪ શિવહેમ ૨૧૬ શિવા ૪૭૮ શિવાભિરામ ૯૮ શિવાર્ય ૨૩૪-૨૩૬ શિવિ ૫૯૩ શિશુપાલ ૫૩૦ શિશુપાલવધ ૧૪, ૧૮, ૨૫, ૫૬, ૭૮, ૨૧૯, ૪૭૫, ૪૭૯, ૪૮૦, ૪૮૬, ૪૮૯, ૪૯૧, ૫૦૦, ૫૦૧, ૫૧૧, ૧૨૬, ૧૪૩, ૫૫૫, ૬૦૩, ૬૦૬ શિષ્ટ ૯૦ શિષ્યહિનૈષિણી ૬૦૩ શિહાબુદ્દીન અહમદખાન ૪૩૩ શીતલનાથ ૭૨, ૮૪, ૯૮ શીતા પંડિત ૪૨૩ શીલગણસૂરિ ૧૨૨, ૨૦૨ શીલચન્દ્ર ૧૦૦ ૬૮૫ Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ શીલચન્દ્રગણિ ૩૫૦ શીલચમ્પકમાલા ૩૫૯ શીલતરંગિણી ૩૫૪, ૩૫૯ શીલદૂત ૩૮૬, ૪૧૬, ૫૪૬, ૫૫૦, ૫૫૩ શીલદેવ ૨૦૯ શીલદેવસૂરિ ૩૨૮ શીલપ્રકાશ ૨૦૯ શીલભદ્રસૂરિ ૯૮ શીલરત્નસૂરિ ૫૫૦ શીલવતી ૧૦૩, ૧૪૧, ૨૫૭, ૩૦૩, ૩૫૩ શીલવતીકથા ૩૫૩ શીલવતીચરિત્ર ૩૫૩ શીલવિજય ૩૫૫, ૪૬૨ શીલસિંહગણિ ૧૩૪ શીલસુન્દર ૩૫૯ શીલસુન્દરીરાસ ૩૫૯ શીલસુન્દરીશીલપતાકા ૩૫૯ શીલાંક ૬, ૬૮-૭૧, ૭૬, ૫૭૩ શીલાંકાચાર્ય ૮૬ શીલાચાર્ય ૬૯, ૭૦ શીલાદિત્ય ૩૬૧ શીલાલંકારકથા ૩૫૪ શીલોપદેશમાલા ૨૨૪, ૩૨૫ શીલોપદેશમાલાવૃત્તિ ૧૩૯ શુકદ્યાસપ્રતિકા ૩૯૧ શુકપાઠ ૧૩૫ શુકરાજ ૩૬૩ શુકરાજકથા ૨૪૫, ૩૦૩, ૩૧૪, ૩૬૨, ૫૧૬ શુક્ર ૫૪૧, ૫૭૨ શુક્લધ્યાનવી૨ ૨૮૨ શુભકરણ ૩૭૦ શુભકીર્તિ ૪૫૭ શુભચન્દ્ર ૫૩, ૯૬, ૯૮, ૧૨૦, ૧૪૫, ૧૫૧, ૧૫૩, ૧૬૫, ૧૬૬, ૧૯૦, ૧૯૧, ૨૦૦, ૨૯૫, ૩૭૨, ૩૭૪, ૪૫૮, ૧૧૫, ૫૬૦, ૫૬૩, ૫૬૯ શુભચન્દ્રગણિ ૩૮૬, ૪૧૬ શુભચન્દ્રાચાર્ય ૪૫૦ શુભમતિ ૨૪૯ શુભવર્ધન ૧૯૯, ૨૬૫ શુભવર્ધનગણિ ૪૨, ૫૪, ૧૧૨, ૧૩૨, ૨૩૪, ૩૧૪, ૩૨૨, ૩૩૦, ૩૩૧, ૩૫૨ શુભશીલ ૨૬૪, ૩૭૯ શુભશીલગણિ ૧૩૯, ૨૦૭, ૨૧૧, ૨૪૫, ૨૪૭, ૩૦૯, ૩૧૭, ૩૧૯, ૩૨૬, ૩૫૨, ૩૫૭, ૩૬૨, ૩૬૩, ૩૦૭, ૩૮૩ શૂદ્રક ૫૭૩ શૂદ્રકમુનિ ૧૨૭ શૂર ૩૪૪ શૂરસેન ૧૭૫ શૂર્પણખા ૫૩૦ શૂલપાણિ ૯૦ શૃંગારદર્પણ ૬૭ શૃંગારપ્રકાશ ૫૨૬ શૃંગારમંડન ૫૨૧ જૈન કાવ્યસાહિત્ય શૃંગારવૈરાગ્યતરંગિણી ૮૧, ૨૫૭, ૫૬૦, ૫૬૨ Page #709 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૮૭ શૃંગારસિંહ ર૯૨ શૃંગારસુંદરી ૧૦૧ શેષગિરિરાવ ૧૫૨ શેષભટ્ટારક ૫૮૩ શૈલરાજ ૨૭૮ શૈવધર્મ ૪૧૦ શોભન પ૨૩, પ૩૫ શોભનમુનિ પ૬૮ શોભનસ્તુતિટીકા ૨૧૯ શૌર્યપુરી પ૨૯ શ્રમણકેશી ૩પ૬ શ્રમણદ્વાદશીકથા ૩૭૪ શ્રવણબેલગોલ ૪૮૬, ૫૫૮, પ૫૯ શ્રવણબેલગોલા ૧૧૯, ૪૫૧, ૪૬૭, ૪૭૦, ૪૭૧ શ્રવણબેલ્ગોલ ૨૩૫, ૪૮૫ શ્રવણબેલ્ગોલા ૬૩, ૧૮૯, ૩૬૪ શ્રાદ્ધગુણસંગ્રહ ૧૭૨, ૩૧૧ શ્રાદ્ધગુણસંગ્રહ-વિવરણ ૨૨૬, ૨૭૪ શ્રાદ્ધદિનકૃત્ય ૮૫ શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ ૧૯૦ શ્રાદ્ધવિધિ ૩૨૭, ૩૩૧ શ્રાવકદિનકૃત્યદષ્ટાન્તકથા ૨૬૫ શ્રાવકવ્રતકથાસંગ્રહ ૨૬૫ શ્રાવસ્તી ૯૦, ૧૧૦, ૩૫૦ શ્રીકુમાર પ૯૪ શ્રીકૃષ્ણ ૬૧, ૧૧૭, ૧૨૭, ૧૪૪, ૧૮૩, ૪૯૯, ૫૩૦ શ્રીકૃષ્ણ મિશ્ર ૬૦૧, ૬૦૭ શ્રીગુણનિધાનસૂરિ ૧૪૪ શ્રીચન્દ્ર ૪૨, ૬૨, ૧૩૨, ૧૬૫, ૧૯૮ શ્રીચન્દ્રકેવલિચરિત ૧૩૩, ૧૭૭ શ્રીચન્દ્રચરિત્ર ૧૩૪ શ્રીચન્દ્રસૂરિ ૮૧, ૮૩, ૮૭, ૧૨૯, ૪૪૨, ૪૪૩ શ્રીતિલકસૂરિ ૧૬૧ શ્રીદત્ત ૬૦, ૯૯ શ્રીદત્તપંડિત ૧૬૫ શ્રીદત્તા ૩૪૮ શ્રીદેવ ૫૪૧ શ્રીદેવકૂપક ૧૨૧ શ્રીદેવી પર૬, પ૩૧ શ્રીધર ૧૪૯, ૩૬૬, ૪૩૯, ૪૮૨, પ૧૬, ૫૫૭ શ્રીધરચરિત ૩૦૩, ૩૬૨ શ્રીધરસેન ૧૪૯ શ્રીનન્ટિ ૬૨ શ્રીનાથ ૪૮૬ શ્રીપર્વત ૪૬ શ્રીપાલ ૬૦, ૨૫૪, ૨૯૧-૨-૩, ૨૯૫, ૪૬૬, પ૨૨, ૫૬૬, ૫૮૪ શ્રીપાલઆખ્યાન ૫૩ શ્રીપાલકથા ૧૭૬, ૨૯૪, ૨૯૬ શ્રીપાલગોપાલકથા ૧૭૨, ૩૧૧, ૩૧૬ શ્રીપાલચરિત પ૨, ૨૪૮, ૨૭૫, ૨૯૦, ૨૯૪ શ્રીપાલચરિત્રરાસ ૧૫૯ શ્રીપાલદેવ ૧૧૯ શ્રીપાલ વર્મી પ૩, ૧૨૦ શ્રીપુરનગર ૩૬૪ શ્રીપુરપાર્શ્વનાથ પ૬૮ શ્રીપુરાણ ૯૫, ૧૯૪ શ્રીપૂજ્ય ૪૬૨ શ્રીપૂજ્ય ગચ્છાધીશ ૫૧૬ Page #710 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ જૈન કાવ્યસાહિત્ય શ્રીભદ્ર ૧૩૨ શ્રીભૂષણ પ૪, ૧૧૦, ૧૨૦, ૧૨૫, - ૧૯૫ શ્રીમતી પ૭, ૧૮, ૧૭૭, ૧૯૫ શ્રીમતીકથા ૧૭૭ શ્રીમતુ પંડિતદેવ, પપ૯ શ્રીમલ્લગિ ૨૮૨ શ્રીમાલ ૪૪૪, ૪૪૫, ૪૪૭ શ્રીમાલકુલ ૮૭ શ્રીમાલવંશ પ૨૦ શ્રીમાલી ૨૩૯ શ્રીવર્મા ૪૮૨ શ્રીવલ્લભ ૪૫, ૨૧૮, ૪૩૫ શ્રીવલ્લભભક્તામર પ૬૭ શ્રીવિજય ૧૯૬ શ્રીવિજયગણિ ૬૦૪, ૬૦૫ શ્રીષેણ ૨૪૯ શ્રીષેણકુમારાદિકથા ૨૬૫ શ્રીહર્ષ ૧૪, ૧૩૫, ૨૧૭, ૨૬૭, ૪૭૫, ૫૮૧, પ૯૬, ૬૦૬ શ્રુતકીર્તિ પ૫, ૯૬, ૨૭૨, ૨૭૫, ૫૨૫ શ્રુતકીર્તિ ઐવિદ્ય પ૨૮ શ્રુતપંચમીકથા ૩૬૫ શ્રુતસાગર ૧૯૮, ૨૪૮, ૨૮૩, ૨૯૦, - ૨૯૫, ૩૨૫, ૩૬૯, ૩૭૧ ૩૭૪, ૩૭૮, ૨૪૧, પપ૮ શ્રુતાવતાર ૪૬, ૪પ૦ શ્રુતિગુમ ૪૬ શ્રેણિક ૭૩, ૭૪, ૧૬૦, ૧૬૮, ૧૭૦, ૧૭૭, ૧૯૦-૧૯૨, ૧૯૪, ૨૫૨, ૩૧૮, ૩૪૦, ૫૦૬, ૫૦૭, પ૨૫, ૫૮૩ શ્રેણિકચરિત ૧૯૦, ૫૦૫ શ્રેણિકન્યાશ્રયકાવ્ય ૧૯૦ શ્રેણિકરાજકથા ૧૯૦ શ્રેયાંસચરિત્ર ૨૯૮, ૩૮૫ શ્રેયાંસનાથ ૭૩, ૮૪, ૯૯ શ્રેયાંસનાથચરિત ૫૦, ૯૯ શ્રેષ્ઠિપુત્ર ૧૦૩ શ્વેતાતપત્રા નગરી ૪૮૫ શ્વેતાંબર જૈન ધાતુપ્રતિમાલેખ-સંગ્રહ ૪૭૩ પખંડાગમ ૩, ૪૫૦ પત્રિશલ્પ ૪૬૫ ષત્રિશજલ્પવિચાર ૩પ૮ ષટ્રપ્રાભૃત ૨૩૪, ૨૪૮ પપ્રાભૃતટીકા ૨૪૮ ષસ્થાનપ્રકરણ ૨૩૮ ષટ્રસ્થાનકવૃત્તિ ૪૯૫ પડાવશ્યકવૃત્તિ ૩૫૪, ૩૮૩ પદર્શનનિર્ણય ૩૧૨, ૫૫૦ પદર્શનસમુચ્ચય ૨૫૪, ૪૮૯ ષષ્ઠાંગોપનિષદ્ ૪૯ ષોડશકારણકથા ૩૭૪ સંકાશઋવિક ૧૧૩ સંકાશશ્રાવકકથા ૩૨૫ સંકિસ પ૩૫ સંક્ષિમતરંગવતી ૩૩૫ સંગમક ૧૬૯ સંગીતમંડન પ૨૧ Page #711 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૮૯ સંગ્રહણીરત્ન ૮૭ સંગ્રામસૂર૩૨૫ સંગ્રામસૂરકથા ૩૨૫ સંઘતિલકસૂરિ ૩૫૬ સંઘદાસગણિ ૩૪, ૪૪, ૧૪૧, ૧૪૩, ૧૫૪, ૫૯૩ સંઘપતિચરિત ૨૨૬, ૨૫૮, ૪૦૮ સંઘવીર ૧૨૫ સંઘાચારભાગ ૮૫ સંઘાચારવિધિ ૩૨૩ સંડેર ૪૪૭ સંતિનાહચરિય ૮૬ સંધ્યાકરનદિ પ૨૮ સંબોહસત્તરી ૨૯૪ સંભવનાથ ૯૬ સંભવનાથચરિત્ર ૯૬ સંયમરત્નસૂરિ ૩૨૧ સંવર ૧૦૧ સંવિભાગવ્રતકથા ૩૩૪ સંવેગરંગશાલા ૯૧, ૨૩૪, ૨૩૮, ૨૪૧ સકલકીર્તિ ૪૧, ૫૧, ૫૪, ૬૪, ૬૬, ૯૫, ૧૦૪, ૧૧૨, ૧૨૫, ૧૩૦, ૧૪૫, ૧૫૭, ૧૬૮, ૧૭૨, ૧૯૪, ૧૯૮, ૨૦૦, ૨૪૭, ૨૬૪, ૨૮૩, ૨૯૦, ૨૫, ૨૯૯, ૩૭૩, ૪૫૭, ૪૭૭, ૫૧૫, ૫૬૩ સકલચન્દ્ર ૧૩૦, ૧૫૫, ૨૧૭, ૨૧૯ સકલહર્ષ ૧૫૫ સકલાર્તસ્તોત્રટીકા ૨૬૧ સગર ૬૦, ૧૨૯, ૧૪૩ સગરચક્રિચરિત ૧૨૯ સગરચક્રી ૭૨ સજન ૩૬૬ સજ્જનચિત્તવલ્લભ પ૬૦ સર્ણકુમારચરિય ૧૨૯ - સચ્છેિલ્લ ૧૨૪ સડેરકગચ્છ ૪૪૧ સંડેરગામ ૪૪૬ સત્તપગચ્છ ૪૧૬ સત્તરિસયથોત્ત પ૬૫ સત્યંધર ૧૫૧ સત્યકિશ્રેષ્ઠિ ૯૯ સત્યકી ૨૪૪ સત્યપુર ૩૦૩, ૫૧૬ સત્યભામાં ૧૪૨, ૧૪૫, ૧૪૬, ૧૪૮ સત્યરાજગણિ ૧૭૪, ૧૭૬, ૨૯૪, ૩૮૪ સત્યવાક્ય ૫૯૪ સત્ય હરિશ્ચન્દ્ર પ૭૫ સત્યાચાર્ય ૧૭૪, ૧૭૫ સદયવત્સકુમારકથા ૩૨૬ સભાષિતાવલી પર સનકુમાર ૭૩, ૧૦૧, ૧૩૦, ૧૩૨, ૧૪૨, ૨૪૪, ૨૫૦, ૨૬૮, ૪૯૨-૪૯૪, ૫૮૩ સનકુમારચરિત ૧૮, ૧૨૯, ૪૯૨ સનકુમારાદિકથાસંગ્રહ ૨૬૫ સંદેશરાસક પ૬૧ સંદેહધ્વાત્તદીપિકા ૬૦૬ સન્મતિચરિત્ર ૧૨૬ સન્મતિતર્ક ૨૧૪ સપાદલક્ષ ૫૮૩, ૫૮૮ સપ્તતિકાભાષ્ય ૫૫૦ * Page #712 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ જૈન કાવ્યસાહિત્ય સપ્તતિશતજિનસ્તોત્ર ૫૬૫ સમદશપ્રકારકથા ૩૭૪ સપ્તનિહ્નવકથા ૨૬૫ સપ્તવ્યસનકથા ૧૪૭, ૨૬૪, ૨૯૦ સપ્તસંધાન ૫૨૩, પ૦૪ સપ્તસંધાનમહાકાવ્ય ૭૮ સમન્તભદ્ર ૪૮, ૬૦, ૨૩૫, ૨૮૭, . પ૬૫, પ૬૬ સમયસુન્દર ૩૭૨, ૩૮૦, ૪૬૫, ૫૨૩, ૫૨૪, પ૬૭, ૬૦૪ સમયસુંદરગણિ ૧૬૧ સમયસુન્દરોપાધ્યાય ૨૧૨, ૬૦૫, ૬૦૬ સમરકેતુ ૯૭, ૫૩૨, ૫૩૩ સમરભાનુચરિત્ર ૨૭૦ સમરમિયંકાકહા ૨૬૯ સમરસ ૪૧૦ સમરસિંહ ૨૨૯ સમરસેન ૩૪૪ સમરાચ્ચકહા ૧૦૫, ૧૪૩, ૧૫૬, ૨૬૬, ૨૭૦, ૨૮૩, ૨૮૫, ૨૮૮, ૩૩૮, ૩૪૧, ૩૪૨, ૫૪૦ સમરાદિત્ય ૨૬૭, ૨૬૮ સમરાદિત્યકથા ૩૯, ૮૬ સમરાદિત્યચરિત ૨૪, ૫૦, ૨૭૦ સમરાદિત્યસંક્ષેપ ૨૭૦, ૩૪૨ સમરાશાહ ૨૨૯, ૪૩૧ સમવાયાંગ ૫, ૩૪, ૬૭ સમાધિતંત્રટીકા ૨૩૭ સમિતિગુપ્તિકષાયકથા ૨૬૪ સમીરણવૃત્ત ૧૩૯ . સમુદ્રગુપ્ત ૩૯૪, ૩૯૬, ૪૩૬ સમુદ્રઘોષસૂરિ ૧૨૭ સમુદ્રવિજય ૧૪૨, ૪૭૮, ૪૭૯ સમુદ્રસૂરિ ૩૪૭ સમુદ્રસેન ૪૨૨ સમ્મતિ ૨૦૨, ૨૦૪, ૩૧૭ સમ્મતિનૃપચરિત ૩૧૭ સમ્ભવનાથ ૭ર સન્મેદશિખર ૮૯, ૪૬૦, ૪૬૧ સમ્યક્તકૌમુદી ૨૪૯, ૨૬૦, ૨૮૨ સમ્યક્તકૌમુદીકથા ૨૬૦ સમ્યક્તકૌમુદીકથાકોષ ર૬૦ સમ્યક્તકૌમુદીકથાનક ર૬૦ સમ્યત્વકૌમુદીચરિત્ર ૨૬૦ સમ્યક્તસપ્તતિ ૨૧૭ સમ્યક્તસપ્તતિકા ૩પ૬ સમ્યક્તસ્વરૂપસ્તવ ૩પ૬ સમ્યક્વાલંકારકાવ્ય ૩૦૧ સરમાં ૫૭૨ સરસ્વતી પ૯, ૧૧૯, ૨૧૩, પ૨૦, ૫૨૫, ૫૩૫, ૫૮૪ સરસ્વતીગચ્છ ૧૧૭, ૧૩૦, ૨૪૮, ૨૯૦, ૪૨૦, ૪પ૯ સરસ્વતીભક્તામર પ૬૭ સરસ્વતીમંત્રકલ્પ ૬૫, ૧૫૦ સરસ્વતીસ્તોત્ર પ૬૮ સર્વપ્રિલ ૧૨૭ - સર્વચન્દ્ર ૬૦૫ સર્વજિનપતિસ્તુતિ પ૬૬ સર્વજિનસાધારણસ્તવન ૨૫૧ સર્વદવ ૨૫૭, ૫૩૫ સર્વદેવગણિ ૮૭ • Page #713 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિક ૬૯૧ સર્વદેવસૂરિ ૧૨૯, ૧૭૧, ૧૭૫, ૨૦૨, ૩૦૦ સર્વરાજગણિ ૪પર સર્વવિજયગણિ ૧૯૯, ૨૧૬, ૨૨૯ સર્વસુંદર ૨૫૪ સર્વસુંદરસૂરિ ૩૩૨, ૩૩૪ સર્વાનંદ ૮૧, ૨૨૭ સર્વાનંદસૂરિ ૮૧, ૯૮, ૧૨૦, ૧૨૩, ૧૨૪ સલીમ ૪૩૩, ૪૩૪ સાલેતોર ૨૪૦ સલ્લખણપુર ૧૧૫ સહજકીર્તિ ૬૦૭ સહજપાલ ૪૩૧ સહજસાગર ૧૪૭ સહસ્રમલ્લચૌરક્યા ૩૩૧ સહાબદીન ૪૧૧ સાંકાલ્ય ૫૩૫ સાંગણ ૧૧૫ સાંડરગચ્છ ૩૨૦ સાંભર ૫૮૩, ૫૮૮ સાઉથ ઈન્ડિયન ઈસ્ક્રિપ્શન્સ ૪૬૯ સાકત ૧૧૦, ૨૭૯ સાગરચન્દ્ર ૧૨૧, ૩૩૧, ૪૪૫ સાગરચન્દ્રકથા ૩૩૧ સાગરચન્દ્રસૂરિ ૩૫૩. સાગરતિલકગણિ ૨૫૪ સાગરદત્ત ૩૩૮, ૩૩૯, ૩૫૯ સાગરશ્રેષ્ઠિકથા ૩૩૧ સાગરસંવિગ્નશાખા ૪પ૬ સાગરસૂરિ ૨૧૩ સાગરસેઠ ૩૩૧ સાગવાડા ૫૧, ૨૩ સાગારધર્મામૃત ૪૮૪, ૫૦૫ સાચોર ૪૪૩ સાસૌર ૩૦૩ સાઢલ ૧૬૪ સાતવાહન ૧૨૮, ૨૦૯, ૨૧૩, ૨૪૬, ૨૪૯, ૩૧૭, ૩૨૩, ૩૩૫, ૪૨૬-૪૨૮ સાત્યકિ ૫૦૦ સાધુ કીર્તિ ૫૫૨ સાધુપૂર્ણિમાગચ્છ ૩૭૯ સાધુરત્ન ૩૭૮ સાધુ વિજય ૧૯૯ સાધુસુંદર પેપર સાધુસોમગણિ ૮૩ સાજૂમંત્રી ૪૨૩ સામંત ૩૪૪ સામવેદ ૫૬૩ સામાયિકપાઠ ૨૭૩ સામ્બ ૪૪, ૧૪૭ સામ્બપ્રદ્યુમ્નચરિત ૧૪૭ સામ્બમુનિ ૨૯૭ સારંગદેવ ૪૧૮, ૪૪૫ સારંગપુર ૨૪૯ સારચતુર્વિશતિકા પર સારસ્વતમંડન પ૨૧ સારાભાઈ મણિલાલ નવાબ ૫૭૧ સાર્થપતિ ૩૪૪ સાર્થપતિધન ૩૪૪ સાર્થવાહન ૩૪૪ સાવણવાડા ૪૪૪ સાવદ્યાચાર્યકથા ૩૩૪ Page #714 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ જૈન કાવ્યસાહિત્ય સાહણ ૪૩૧ સાહસમલ્લકથા ૩૩૪ સાહિત્યદર્પણ ૫૯૮ સાહુજી ૪૫૩ સિંધી ૧૪ સિંધ ૧૪૯, ૪૫૩ સિંહ ૧૦૧, ૨૬૮, ૩૪૪, ૪૮૫ સિંહણ ૫૯૧ સિંહનદિ ૨૩૬, ૩૧૭, ૩૭૪ સિંહપુર પ૫૮ સિંહપ્રમોદ ૩૮૦ સિંહબલ ૪૬ સિંહરથ ૧૪૫, ૧૬૧, ૧૬૩ સિંહરાજ ૪૧૧ સિંહલ ૧૪૨, ૧૬૫ સિંહલદ્વીપ ૩૦૬, ૩૬૩ સિંહલનરેશ ૪૯૬ સિંહવિમલગણિ ૨૧૭ સિંહસૂરિ ૨૪૮ સિંહસેન ૪૬, ૩૮૬ સિંહાસનત્કાત્રિશિકા ૧૬૭, ૩૮૦ સિક્કા ૪૬૯ સિદ્ધગુણસ્તોત્ર પ૬૮ સિદ્ધચક્રકથા ૩૭૨, ૩૭૪ સિદ્ધચક્રસ્તવ પ૬૫ સિદ્ધચક્રાષ્ટકટીકા ૨૪૮ સિદ્ધચન્દ્રગણિ ૬૦૫ સિદ્ધજયંતીચરિત્ર ૨૦૧ સિદ્ધપંચાશિકા ૧૯૦ સિદ્ધપાલ ૫૮૪ સિદ્ધપુર ૪૬૫ સિદ્ધભક્તિ પ૬૫, પ૬૭ સિદ્ધભક્તિટીકા ૨૪૮ સિદ્ધમહાકવિ ૧૨૯ સિદ્ધરાજ ૮૩, ૩૪૨, ૩૯૯, ૪૦૧, ૪૦૨, ૪૨૧, ૪૨૩, ૪૪ સિદ્ધરાજ જયસિંહ ૯, ૧૮, ૩૯૭, ૪૦૦, ૪૩૦, ૪૪૨, ૪૪૮, ૫૮૫, ૫૮૭ સિદ્ધર્ષિ ૮૬, ૧૨૮, ૧૩૪, ૧૭૭, ૨૦૬, ૨૮૦, ૨૮૧, ૩૪૨ સિદ્ધર્ષિગણિ ૩૭૬ સિદ્ધસૂરિ ૮૨, ૨૨૯, ૨૯૬, ૩૬૨ સિદ્ધસેન ૪૬, ૪૮, ૬૦, ૮૪, ૯૬, ૨૦૫, ૨૧૪, ૨૮૨, ૩૭૫, ૩૮૫, ૩૯૬, ૫૬૬, ૫૬૮ સિદ્ધસેeગણિ પ૩૮ સિદ્ધસેનચરિત ૨૧૪ સિદ્ધસેન દિવાકર ૧૨૮, ૩૭૪, ૩૮૦, ૩૯૪, ૪૩૬ સિદ્ધસેનસૂરિ ૯૬ સિદ્ધહેમ ૪૨૩ સિદ્ધહેમશબ્દાનુશાસન ૩૯૬ સિદ્ધાંતાગમસ્તવ પ૬૮ સિદ્ધાંતરનિકાવ્યાકરણ ૩પ૩ સિદ્ધાંતરુચિ ૮૩, ૩૨૪ સિદ્ધાંતસારદીપક પર સિદ્ધાંતસારાદિસંગ્રહ ૫૭૧ સિદ્ધાર્થ ૯૦ સિદ્ધિચન્દ્ર ૪૩૫ સિદ્ધિચન્દ્રગણિ ૨૧૯, ૬૦૩, ૬૦૫ સિદ્ધિપ્રિયસ્તોત્ર પ૬૭ સિનોર ૨૬૩ સિંદૂરપ્રકર ૫૬૦ સિંધુ ૧૯૪, ૧૯૬, ૪૧૫ Page #715 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા સિંધુદેશ ૨૧૩, ૪૯૪ સિંધુરાજ ૧૪૬, ૪૭૬ સિંધુલ ૪૭૬ સિરિપાલચરિઉ ૨૯૬ સિરિવાલકહા ૨૯૩ સિરોડી ૨૬૩ સિરોહી ૪૬૫ સી. એચ. ટોની ૨૪૦ સી. એમ. બાબરા ૨૬ સીતા ૩૫, ૬૧, ૭૦, ૧૪૩, ૧૮૨, ૧૨૫, ૫૩૦, ૫૭૯, ૫૯૭ સીતાચરિત્ર ૩૯, ૪૦, ૪૩ સીતાચરિય ૬૯ સીતાવિરહ ૩૨૧ સીયા ૪૪૩ સીલંક ૬૯ સુકંઠ ૧૪૯ સુ. કુ. ડે ૫૭૯ સુકુમાલચરિત ૫૨, ૨૯૯ સુકૃતકીર્તિકલ્લોલિની ૪૦૩, ૪૦૯, ૪૩૭ સુકૃતસંકીર્તન ૨૬, ૪૦૩, ૪૩૭, ૪૪૧, ૫૧૪ સુકૃતસાગર ૨૨૮, ૩૩૧, ૩૮૩, ૪૧૮ સુકોશલચરિત ૨૯૯ સુકોસલચર ૨૯૯ સુકૌશલમુનિ ૨૯૯ સુખબોધા ૨૧૭ સુખબોધા-ટીકા ૩૦૮ સુગંધદશમીકથા ૩૬૯ સુગમન્વયા ૬૦૪ સુગાત્ર ૧૮૫ ૬૯૩ સુગુણકુમારકથા ૩૩૪ સુગ્રીવ ૩૫, ૧૮૨, ૫૨૫, ૫૩૦, ૫૮૦ સુગ્રીવત્રિ ૧૮૨ સુચન્દ્રાચાર્યે ૧૫૧ તા ૧૦૬, ૧૦૭, ૧૦૯, ૫૭૫ સુદંસગરિઉ ૧૯૮ સુશાનપરિયા ૩૬૩ સુસણાગરિય ૧૩૧ સુદત્તાચાર્ય ૨૮૫ સુદર્શન ૧૯૪, ૧૯૭, ૧૯૮, ૩૬૩ સુદર્શનચરિત ૫૨, ૧૯૭, ૨૦૮ સુદર્શનપુર ૧૯૩, ૩૫૨ સુદર્શનસેઠ ૨૦૨ સુદર્શના ૩૯૩, ૩૬૪ સુદર્શનાકથાનક ૩૬૩ સુદર્શનાચરિત ૧૯૦, ૨૦૧ સુધર્મ ૩૪૪ સુધર્મા ૪૦, ૪૨, ૧૯૫, ૪૪૯ સુધર્માગચ્છ ૮૧, ૯૮, ૧૨૩, ૧૬૪, ૩૪૫ સુધર્માસ્વામી ૧૫૫, ૧૫૬, ૨૬૩ સુધાભૂષણ ૩૨૩, ૩૭૦ સુનંદા ૫૧૭ સુનક્ષત્રચરિત્ર ૩૩૪ સુન્દરગણિ ૩૬૭ સુન્દરનૃપ ૩૩૦ સુન્દરનૃપકથા ૩૩૦ સુન્દરપ્રકાશશબ્દાર્ણવ ૬૭ Page #716 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ જૈન ક્રાવ્યસાહિત્ય સુન્દરબાહુ ૧૨૭ સુન્દરરાજરાસ ૩૩૦ સુન્દરી પ૩૫ સુન્ધપહાડી ૧૯ સુધાદ્રિ ૪૬૭, જce સુપાર્શ્વ ૯૬ સુપાર્શ્વચા ૮૩ સુપાર્શ્વનાથ ૮૧, ૧૮૨ સુપાસનાહચરિપ ૮૧, ૩૩૫, ૩૫૮, ૪૪૩ સુપુરુષચરિત ૩૪, ૩૯ સુપ્રતિષ્ઠિતનગર ૧૬૯ સુબધુ ૩૪૧, પ૩૬, પ૩૯, ૬૦૫ સુબાલા ૬૧ સુબાહુકથા ૩૨૯ સુબાહુસંધિ ૩૨૯ સુબુદ્ધિ ૧૦૨, ૧૮૪, ૪૯૬ સુબોધિકા ૫૪૮, ૬૦૬ સુબોધિની ૬૦૪, ૬૦૬ સુભટ ૫૦૪, ૫૮૯ સુભદ્રા ૧૮૩, ૩પ૯, ૩૬૦, ૪૯૯, ૫૦૦, ૫૧૩, ૫૯૬ સુભદ્રાચરિત ૧૮૩, ૩પ૯ સુભદ્રાનાટિકા પ૯૪, પ૦૬ સુભાન ૧૪૨ સુભાષિતકોશ પ૬૩ સુભાષિતગ્રંથ પ૬૩ સુભાષિતમુક્તાવલિ ૪૯૧ સુભાષિતરત્નકોશ પ૬૩ સુભાષિતરત્નસંદોહ ૨૭૩, પ૬૦, ૫૬ ૨ સુભાષિતરત્નાવલી પ૬૩ સુભાષિતષત્રિશિકા પ૬૩ સુભાષિતસમુદ્ર પ૬૩ સુભાષિતાર્ણવ પ૬૩ સુભાષિતાવલી પર૩ સુભૂમ ૨૬૪ સુભૌમ ૧૩૦ સુભૌમચરિત ૧૩૦, ૧૩૧ સુમંગલા પ૧૭, પ૧૮ સુમનહિચરિયા ૮૦ -સુમતિ ૧૨૭ સુમતિર્તિ ૪૫૭, ૪૫૮ સુમતિગણિ ૩૦૦, ૪પર સુમતિનાથ ૮૦ સુમતિનાથચરિત્ર ૨૫૭, ૫૮૪, ૫૮૫ સુમતિવર્ણન ૨૬૯, ૩૦૯ સુમતિવાચક ૮૯, ૯૧ સુમતિવિજય ૬૦૪, ૬૦૫ સુમતિવિનય ૬૦૫ સુમતિસંભવ ૧૯૯, ૨૧૬, ૨૨૯ સુમતિસંભવકાવ્ય ૨૧૫, ૪૩૨ સુમતિસાગર ૧૮૦ સુમતિસાધુ ૧૯૯, ૨૧૫, ૨૧૬ સુમતિ હંસ ૨૧૨ સુમનગોપાલચરિત્ર ૩૩૪ સુમિત્ર ૧૦૧, ૧૦૩ સુમિત્રકથા ૩૨૨ સુમિત્રચરિત્ર ૩૨૨ સુમિત્રા ૧૦૧, ૫૭૯ સુમુખનૃપતિકાવ્ય ૩૨૧ સુમુખનુપાદિમિત્રચતુષ્કકથા ૩૨૧ સુયોધન ર૬૦ સુરદત્ત ૧૦૩ સુર૫ત્તન ૧૧૭ Page #717 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૯૫ સુરપ્રિયમુનિ ૩૨૪ સુરપ્રિયમુનિકથા ૨૬૨ સુરપ્રિયમુનિકથાનક ૩૨૪ સુરસુંદર ૩૩૧ સુરસુંદરતૃપકથા ૩૩૧ સુરસુંદરી ૨૯૧, ૨૯૨, ૩૪૭, ૩૪૮ સુરસુંદરીકથા ૨૩૮ સુરસુંદરીચરિત્ર ૩૪૯ સુરસુંદરીચરિય ૩૪૭ સુરસેન ૧૦૧ સુરાષ્ટ્ર૪૭૮, પ૯૧ સુરેન્દ્રકીર્તિ ૧૦૦, ૧૧૪, ૧૩૯, ૩૭૧ સુરેન્દ્રદત્ત ૧૦૩ સુલક્ષણ ૩૪૪ સુલસ ૫૦૬ સુલસા ૭૩, ૧૯૫, ૨૦૨, ૨૪૫, ૨૫૦ સુલસાચરિત ૨૦૨ સુલોચના પ૬, ૧૨૭, ૧૬૦, ૧૭૮, ૫૧૧, ૫૧૬, પ૯૬, ૫૯૭ સુલોચનાકથા ૩૪, ૩૯, ૪૮, ૧૭૮ સુલોચનાચરિત પ૩, ૧૭૮, ૧૭૯, ૧૮૦ સુલોચનાનાટક ૧૭૯, ૧૯૬૧ સુલોચનાવિવાહનાટક ૧૭૮ સુવર્ણભદ્રાચાર્યચરિત્ર ૩૩૪ સુવર્ણભૂમિ ૧૪૨, ૨૦૯, ૨૧૩ સુવર્ણાચલ ૩૬૪ સુવિધિ ૫૫૭ સુવ્રત ૩૨૪ સુવ્રતઋષિકથાનક ૩૨૪ સુવ્રતા ૩૫ર, ૪૮૭, ૪૮૮ સુવ્રતાઆર્યા ૩૩૫, ૩૩૬ સુષેણ ૧૮૪, ૪૮૭, ૪૮૮ સુસઢ ૩૩૦ સુસઢચરિત ૩૩૦ સુસુમારપુર ૩૧૩ સુસ્થિતાચાર્ય ૫૦૭ સુહસ્તસૂરિ ૩૪૯ સુહસ્તિ ૨૯૯ સુક્તમુક્તાવલી ૨૫૭, ૫૮૪ સૂક્તરત્નાવલી ૨૫૩ સૂક્તાવલી ૫૧૪ સૂક્તિમુક્તાવલી ૮૭, ૫૦૧, ૧૦૨, ૫૨૭, પ૬૦, ૬૦૩ સૂક્તિરત્નાવલી ૨૧૮ સૂત્રકૃતાંગ૭૦, ૧૭૭, ૫૬૪ સૂદી ૪૬૮ સૂયગડ ૨૪૫ સૂયપંચમીકહા ૩૬૬ સૂચન્દ્ર ૧૦૧, ૨૦૯, ૨૧૯, ૬૦૫ સૂરત ૫૪, ૧૯૮, ૨૬૩, ૪૫૭, ૪૫૮, ૪૬૪, ૪૬૫, પપ૩ સૂરદત્ત ૩૬૮ સૂરસેના ૨૩૯ સૂરા ૪૩૨ સૂરાચાર્ય ૧૧૫, ૨૦૫, ૨૮૧, ૪૨૧, - ૫૨૨ સૂરિમંત્રસારોદ્વાર ૫૫૦ સૂર્પનખા ૬૮ સૂર્ય પ૧૯, પ૨૦, ૫૩૬, ૫૭૨ સૂર્યપ્રભ ૪૮૫ સૂર્યયશાકથા ૩૬૦ સૂર્યશતક પ૬૩ સૂર્યસહસ્રનામ ૪૩૪ Page #718 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ જૈન કાવ્યસાહિત્ય સૂર્યસહસ્રનામસ્તોત્ર ૫૬૯ સૂર્યાભદેવ ૫૭૨ સેઠાની ૧૦૩ સેતુક બ્રાહ્મણ ૫૦૬ સેતુબંધ ૧૪ સેન ૧૩, ૨૬૮ સેનગણ ૪૫૬ સેનગણ-પટ્ટાવલી ૪૫૦ સેનસંઘ ૪૧ સેનાન્વય ૪૬, ૬૨ સોજિત્રા ૫૪ સોનાગિર ૩૬૪ સોમ ૧૧૫, ૪૦૫, ૪૩૦ સોમકીર્તિ ૧૪૫, ૧૪૬, ૨૬૪, ૨૮૩, ૨૯૦, ૨૯૫, ૨૯૯, ૧૧૫ સોમકુલ ૨૮૨ સોમકુશલગણિ ૨૬૧, ૩૬૮ સોમચન્દ્ર ૨૪૪ સોમચન્દ્રગણિ ૨૪૪, ૨૯૫ સોમચરિત્રગણિ ૨૧૬ સોમતા ૫૮૫ સોમતિલક પ૬૭ સોમતિલકસૂરિ ૧૩૯, ૨૦૮, ૩૨૩, ૫૨૪ સોમતિલક-સોમપ્રભ પ૬૦ સોમદત્ત ૯૬ સોમદત્તા ૩૦૮ સોમદેવ ૯, ૨૦૭, ૨૭૮, ૨૮૩, ૨૮૭, ૩૯૧, પ૩૮, ૫૪૧ સોમદેવસૂરિ ૨૧૬, ૫૪૦, પ૬૨ સોમનાથ ૪૧૦ સોમપ્રભ ૭૫, ૭૯, ૧૭૧, ૨૨૪, પ૬૦, ૫૮૫, ૧૯૬ સોમપ્રભસૂરિ ૮૬, ૫૮૪ સોમપ્રભાચાર્ય ૮૦, ૧૩૯, ૨૫૭, ૩૭૫, પ૨૨, પ૬૨ સોમભીમાદિકથા ૨૬૫ સોમમંડનગણિ ૩૦૯, ૩૧૫ સોમમુનિકથા ૩૩૪ સોમવિજય ૪૫૫ સોમશર્મા ૧૦૩, ૩૦૫, ૩૮૮ સોમશ્રી ૩૮૪ સોમશ્રીકથા ૩૬૦ સોમસિરી ૧૪૨ સોમસુંદર ૧૭૨, ૧૭૭, ૨૧૧, ૨૧૫, ૨૪૫, ૨૭૪, ૩૦૯, ૩૮૩ સોમસુંદરગણિ ૧૬૮, ૨૧૫, ૨૧૬, ૨ ૨૬ સોમસુંદરસૂરિ ૨૧૫, ૨૧૬, ૨૨૬, ૩૧૧, ૩૧૬, ૩૨૧ સોમસૂરિ ૩૭૮ સોમસેન ૪૨, ૧૪૫, ૪૫૬ સોમસૌભાગ્યકાવ્ય ૨૧૫ સોમેશ્વર ૧૨૯, ૪૦૧, ૪૧૮, ૪૪૦, ૪૪૫, ૫૦૨ સોયામણિ ૫૭૨ સોરઠ ૪૪૩ સોંરહકારણપૂજા પર સોધર્મયતિ ૪૯૭ સૌન્દરનન્દ ૧૪, ૨૫, ૩૩૨ સૌભાગ્યન%િ ૨૨૭, ૩૭૩ સૌભાગ્યપંચમી ૩૬૭ સૌભાગ્યપંચમીકથા ૨૬ ૨, ૩૬૫, ૩૬૬ સૌભાગ્યસાગર ૨૭૫ Page #719 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૬૯૭ સૌભાગ્યસુંદરીકથા ૩૬૦ સૌભાગ્યસૂરિ ૨૯૫ સૌમ્યમૂર્તિગણિ ૩૪૬ સૌર ૪૫ સૌરાષ્ટ્ર૪૫, ૧૧૭, ૧૪૭, ૨૧૭, ૨૨૦, ૩૬૧, ૪૧૦, ૪૪૨ સૌર્યપુર ૫૪ સૌવીર ૧૯૪, ૧૯૬ સ્કદિલ ૫૦૯ સ્કન્દગુપ્ત ૪૩૬ : સ્ટોરી ઓફ કાલક ૨૧૩ સ્તંભતીર્થ ૧૦૩, ૪૩૮ સ્તંભનક ૪૨૬, ૫૬૬ સ્તંભનક પાનિસ્તવ ૫૬૫ સ્તંભનક પાર્શ્વનાથ ૯૧ ખંભપાર્શ્વસ્તવ પ૬૭ સ્તબક ૨૪૪ સ્તુતિત્રિદશતરંગિણી ૨૫૩ સ્તોત્રરત્નકોષ ૨૬૯ સ્થવિરાવલી ૭૦, ૪૦૬, ૪પ૧ સ્થવિરાવલીચરિત ૨૦૩ સ્થાનકપ્રકરણટીકા ૮૬ સ્થાનસિંહ ૨૧૭ સ્થૂલભદ્ર ૧૬૦, ૨૦૪, ૨૦૮, ૨૫૭, - ૫૫૦, ૫૫૧, ૬૦૨ સ્થૂલભદ્રગુણમાલામહાકાવ્ય ૨૦૯ સ્થૂલભદ્રચરિત ૨૦૮ સ્થૂલભદ્રનાટક ૬૦૨ સ્મરનરેન્દ્રાદિકથા ૨૬૫ સ્વાદિશબ્દસમુચ્ચય ૫૧૪ સ્યાદ્વાદકલિકા ૨પ૩, ૪૨૯ સ્યાદ્વાદદીપિકા ૪૨૮ સ્યાદ્વાદરત્નાકર ૫૮૭ સ્યાદ્વાદસિદ્ધિ ૧૫૩ સ્વયંપ્રભ ૧૧૮ સ્વયંપ્રભા ૪૮૫ સ્વયમ્ભ૯, ૧૪, ૪૦, ૭૩, ૭૬, ૫૯૫, ૫૯૭ સ્વયમ્ભદેવ ૩૩૮, ૩૪૦. સ્વયમ્ભસ્તોત્ર પ૬૪, ૫૬૬ સ્વર્ણશેખર ૧૦૩ સ્વર્ણાચલમાહાભ્ય ૩૬૪ સ્વિફ્ટ ૨૭૨ હંસ ૧૦૧ હંસકેશવ ૧૦૧ હંસચન્દ્ર ૩૨૮ હંસપાલકથા ૩૩૪ હંસરત્ન ૨૮૦, ૩૬૨ હંસરાજ ૩૩૨ હંસરાજવચ્છરાજરાસ ૩૩૨ હંસરાજ-વત્સરાજકથા ૩૩૨ હંસવિજયગણિ પ૬૦ હંસાવલી ૩૭૬ હિંસાવલી કથા ૩૬૦ હણાદરા ૨૬૩ હંથુડી ૪૬૬, ૪૬૭ હનસોગે ૬૪ હનુમાન ૩૫, ૧૩૨, ૧૮૩, ૪૬૧, પ૨૫, પ૩૦, ૫૮૦, ૫૯૫ હનુમાનચરિત ૧૩૯ હનૂમચ્ચરિત્ર ૧૩૯ હનૂમાન ૧૩૯ Page #720 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ હન્તિ ૪૦૦ હમ્મીર ૨૨૫, ૪૧૧-૪૧૪, ૫૯૦ હમ્મીરમદમર્દન ૨૨૫, ૪૦૯, ૪૩૯, હમ્મીરમદમર્દનનાટક ૪૪૦ હમ્મીરમહાકાવ્ય ૧૮, ૨૨, ૨૨૫, ૪૧૧, ૫૯૧, ૬૦૦ ૫૭૩, ૫૯૦ હરગોવિન્દદાસ ૨૧૫ હિરગુપ્ત ૩૪૧ હરિચન્દ્ર ૧૮, ૧૦૪, ૧૧૦, ૧૩૩, ૧૫૧, ૪૭૭, ૪૮૧, ૪૮૪, ૪૮૯, ૪૯૦-૪૯૨, ૫૪૩ હરિચન્દ્રકથા ૧૩૩ હરિણી ૩૪૯ હિરદત્ત ૩૦૧ હરિદત્તસૂરિ ૫૨૮ હરિદાસ શાસ્ત્રી ૩૮ હિરદેવવિ ૨૮૨ હિરબલકથા ૩૩૦ હરિબલચરિત ૩૩૦ હરિબલધીવ૨ ૩૩૦ હિરબલધીવરચિરત ૩૩૦ હિરબલસંબંધ ૩૩૦ હરિભદ્ર ૩૯, ૮૪, ૧૨૮, ૧૪૩, ૧૫૬, ૧૬૦, ૨૦૬, ૨૭૧, ૨૭૩, ૨૮૫, ૩૨૯, ૩૩૧, ૩૩૨, ૩૪૧, ૪૪૯, ૪૫૨, ૫૬૦ હિરભદ્રકથા ૨૧૫ હરિભદ્રપ્રબંધ ૨૧૫ હરિભદ્રસૂરિ ૭૬, ૮૧, ૮૩, ૮૭, ૧૦૫, ૧૨૯, ૧૪૦, ૨૦૩, ૨૧૫ જૈન કાવ્યસાહિત્ય ૨૩૩, ૨૫૯, ૨૬૯,૨૭૨, ૨૮૧, ૨૮૩, ૨૮૮, ૨૯૮, ૩૨૫, ૩૪૧, ૩૫૬, ૪૦૮, ૪૪૩, ૫૪૦, ૫૫૯, ૫૬૧ હરિભદ્રસૂરિચરિત ૨૧૫ હરિવંશ ૩૯, ૪૩, ૪૬, ૧૮૭, ૨૪૩ હિરવંકુલ ૫૧, ૧૪૩ હરિવંશર ૧૭૯ હરિવંશચરિય ૩૯, ૪૮ હરિવંશપુરાણ ૬, ૩૪, ૪૨, ૫૨, ૫૪, ૫૫, ૬૦, ૬૬, ૭૩, ૯૫, ૧૨૬, ૧૩૧, ૧૫૭, ૧૭૯, ૧૮૭, ૨૩૫, ૨૫૬, ૪૪૨, ૪૫૦, ૫૪૮, ૫૭૨ હરિવંશોત્પત્તિ ૩૪ હરિવંસુષ્પત્તિ ૩૯, ૪૮ હરિવર્ષ ૩૪, ૩૯, ૪૮ હરિવાહન ૫૩૧, ૫૩૨, ૫૩૩ રિવેગ ૧૭૫ હરિશ્ચન્દ્ર ૧૪, ૫૭૫ હરિશ્ચન્દ્રતારાલોચનીયરિત ૩૬૦ હરિશ્ચન્દ્રનૃપતિકથાનક ૩૩૪ હરિષેણ ૪૭, ૭૩, ૧૧૪, ૧૧૭, ૧૩૧, ૧૯૮, ૨૦૭, ૨૩૪, ૨૩૫, ૨૪૩, ૨૪૯, ૨૫૬, ૨૭૨, ૨૮૩, ૨૮૬, ૨૮૯, ૨૯૧, ૨૯૯, ૩૧૯, ૩૨૦, ૩૨૮૩૩૨, ૩૪૬, ૩૭૧, ૩૯૪, ૩૯૬, ૪૪૯, ૪૮૫ હરિષણકથાકોષ ૪૪૨ હરિષેણચરિત્ર ૧૩૧ હરિષેણ-પ્રશસ્તિ ૪૩૬ Page #721 -------------------------------------------------------------------------- ________________ સાનુક્રમણિકા ૬૯ હરિસેન પ૦ હાબ્સ ૨૬ હરિ ૪૨૭, ૪૨૦, ૫૦૦ હાયનસુન્દર ૬૭ હર્ટલ ૩૮૮-૩૯૦ હાલીક ૭૩ હર્મન યાકોબી ૩૮, ૧૩૦, ૨૦૩ હિતોપદેશ ૨૪૦, ૨૪૬, ૨૫૬, ૩૬૭, હર્ષ ૪૨૭, ૪૨૮, ૧૭૩ - ૩૮૮ હર્ષકુંજર ૩૨૨ હિરણ્યપુર ૩૬૪ કુશલ ૨૪૪ હીરક આર્ય ૨૦૮ ચરિત ૨૩, ૩૯૪, ૪૯૧, ૨૩૧ હીરકલશગણિ ૧૪૦ હર્ષદવ ૧૦૪ હીરવિજય ૧૦, ૧૪૭, ૧૪૮, ૨૧૮, હર્ષપુર ૪૪૩ ૩૧૬, ૪૩૩, ૪૩૪, ૪૬૫ હર્ષપુરીયરાચ્છ ૧૭, ૫૦, ૮૨, ૮૭, ૮૮, હીરવિજયસૂરિ ૭૮, ૨૦૧, ૨૧૬, ૨૫૧, ૨૫૪, ૨૨૦, ૩૫૫, ૪૫૫ ૪૨૮, ૪૩૯, ૪૪૨ હીરવિજયસૂરિરાસ ૨૧૭ હર્ષપ્રમોદ ૧૧૦ હીરવિજયસૂરીશ્વર ૧૧૭ હર્ષભૂષણમણિ ૧૧૦ હીરસૌભાગ્યકાવ્ય ૪૩૪ હર્ષવર્ધન ૩૯૪ હીરસૌભાગ્યમહાકાવ્ય ૨૧૭, ૪૩૩ -હર્ષવર્ધનગણિ ૩૮૭ હીરાદેવી ૪૧૧, ૪૧૩ હર્ષસમુદ્રવાચક ૧૬૭ હીરાનન્દ શાસ્ત્રી ૪૬૫ હર્ષસાગર ૧૬૬, ૩૨૩ હીરાલાલ જૈન ૧૬૫, ૩૦૭, ૩૯૬, હર્ષસિંહગણિ ૨૪૯ ૪૫૧, ૪૭૦, ૪૭૧ હર્ષસૂરિ ૨૯૫ હીરાલાલ રસિકદાસ કાપડિયા પ૭૧ હલાયુધ ૪૦૨ હુણ્ડિકચોરકથા ૩૩૪ હલ્લવિહલ્લ ૭૩ હુતાશિનીકથા ૩૭૦ હસ્તસંજીવન ૭૮ હુમાયૂ ૬૭, ૩૩૨, ૪૩ર હસ્તિનાપુર ૧૧૦, ૧૭૮, ૧૯૪, ૩૦૩, હુમ્મચ ૧૮૯, ૧૯૦ ૩૪૭, ૩૪૮, ૪૨૭, ૪૯૨, હૂંબડ પ૨, ૪૪૭, ૧૪૯ ૪૯૭, ૧૨૫, ૫૯૬ હૂણ ૮ હસ્તિનાપુરી પ૨૯ હેમકુંજર ૨૮૩, ૨૯૦ હસ્તિમલ્લ ૮૫, ૧૭૯, ૪૫૦, ૫૭૩, હેમકુમારચરિત ૨૫૭ ૫૯૩, પ૦૪, ૫૯૬, પ૯૭, હેમકૌમુદી ૭૮ ૫૯૮ હેમચન્દ્ર ૬, ૯, ૧૭, ૨૧, ૨૮, ૩૪, હાથીગુમ્લા ૪૬૬, ૪૬૭, ૪૬૮ ૪૧, ૪૯, ૬૯, ૭૪, ૧૨૫, ૧૨૮, ૧૩૦, ૧૩૮, ૧૬૦, ૧૭૧, ૨૦૩, ૨૨૩, ૩૨૪, ૨૨૬, ૨૯૩, ૩૫૦, ૩૫૫ Page #722 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ જૈન કાવ્યસાહિત્ય ૩૯૧, ૩૯૭, ૪૦૦, ૪૧૦, ૪૧૫, ૪૧૯, ૪૨૦, ૪૨૩, ૪૩૦, ૪૪૩, ૪૫૩, ૪૯૦, ૪૯૨, ૫૨૨, ૫૨૯, પપ૯, પ૬૧, પ૬૬, ૫૭૦, ૫૭૩, ૫૮૨, ૫૮૫ હેમચન્દ્રસૂરિ ૫૦, ૮૨, ૮૭, ૧૧૫, ૧૨૯, ૨પ૭, ૨૯૪, ૩૯૬, ૪૧૦, ૪૨૧ હેમચન્દ્રાચાર્ય ૮૬, ૧૦૯, ૧૫૪, ૩૨૧, ૪૪૫ હેમતિલક ૨૯૪ હેમતિલકસૂરિ ૨૯૩ હેમરત્નસૂરિ ૧૩૩ હેમરાજ ૨૬૩ હેમવિજય ૧૨૫, ૩૮૮ હેમવિજયગણિ ૨૧૮, ૨પર . હેમવિમલ ૧૬૭ હેમશ્રી ૩૫૯ હેમસૂરિ ૨૪૬ હેમસેન ૩૭૩ હેમસોમ ૧૨૫ હેમાચાર્ય ૨૫૪ હૈમવ્યાકરણ ૩૯૬ હૈમશબ્દચન્દ્રિકા ૭૮ હૈમશબ્દપ્રક્રિયા ૭૮ હૈરક ૨૧૫ હોલિકાચરિત્ર ૫૩ હોલિકાપર્વકથા ૩૭૦ હોલિકાવ્યાખ્યાન ૩૬૯ હોલિરજ:પર્વકથા ૩૭૦ હોશંગશાહ પ૧૯, ૨૨૦ હોશંગશાહ ગોરી ૪૩૧ હ્રસ્વકથાસંગ્રહ ૨૬૫ Page #723 -------------------------------------------------------------------------- ________________ સહાયક ગ્રંથોની સૂચી અકબર આણિ જૈનધર્મ, સૂરીશ્વર આણિ સમ્રાટ અનગારધર્મામૃત-ટીકા અનેકાન્ત અનેકાર્થક સાહિત્ય સંગ્રહ, અમદાવાદ, ૧૯૩૫ અર્લી ચૌહાન ડાઈનેસ્ટીજ: દશરથ શર્મા, દિલ્લી, ૧૯૫૯ ઑન ધ લિટરેચર ઑફ ધ શ્વેતાંબર્સ જે હર્ટઝ, લાઈપનિંગ, ૧૯૨૨ આવશ્યકચૂર્ણિ આવશ્યક-હારિભદ્રીયવૃત્તિ ઈન્ડિયન એન્ટિક્વરી ઉપાસકાધ્યાયન સંપા.– પં. કૈલાશચન્દ્ર શાસ્ત્રી, વારાણસી, ૧૯૪૪ રષિભાસિતસૂત્રઃ અનુ.– અનુ. મનોહર મુનિ, મુંબઈ, ૧૯૬૩ એપિગ્રાફિયા ઈણિકા કાવ્યાનુશાસન: હેમચન્દ્ર કાવ્યાલંકાર ભામહ કાવ્યાખ્યુધિ કેટલૉગ ઑફ સંસ્કૃત એન્ડ પ્રાકૃત મેન્યુસ્કિટ્સ, ભા. ૪, અમદાવાદ, ૧૯૬૮ ક્રિટિકલસ્ટડી ઑફ પઉમચરિયું કે. આર. ચન્દ્ર ગુરુ ગોપાલદાસ બરૈયા સ્મૃતિગ્રન્થ, સાગર, ૧૯૬૭ ચન્દાબાઈ અભિનન્દન ગ્રન્થ, સરસાવા, ૧૯૪૯ જર્નલ ઑફ અમેરિકન ઓરિએન્ટલ સોસાયટી જર્નલ ઑફ ઓરિએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ Page #724 -------------------------------------------------------------------------- ________________ O - જૈન કાવ્યસાહિત્ય જર્નલ ઑફ ઓરિએન્ટલ રિસર્ચ જર્નલ ઑફ બૉમ્બ બ્રાંચ ઑફ રોયલ એશિયાટિક સોસાયટી જર્નલ ઑફ યુ. પી. હિસ્ટોરિકલ સોસાયટી જર્મન ઑફ રૉયલ એશિયાટિક સોસાયટી જિનરત્નકોશઃ હરિ દામોદર વેલણકર, પૂના, ૧૯૪૪ જૈન ગૂર્જર કવિઓ મોહનલાલ દલીચન્દદેસાઈ, ભાગ ૧-૩, મુંબઈ, ૧૯૨૬-૧૯૩૧ જૈન પુસ્તિકાપ્રશસ્તિસંગ્રહ સંપા.–મુનિ જિનવિજય, મુંબઈ, ૧૯૪૩ જૈન પ્રતિમાલેખસંગ્રહઃ બુદ્ધિસાગરસૂરિ, ભાગ ૧ જૈન લેખસંગ્રહ: પૂરણચંદ નાહર, ભાગ ૧, કલકત્તા જૈન શિલાલેખસંગ્રહ, ભાગ ૨-૩, મુંબઈ, ૧૯૫૭ જૈન સંદેશ જૈન સત્યપ્રકાશ જૈન સાહિત્ય ઔર ઈતિહાસઃ પં. નાથુરામ પ્રેમી, મુંબઈ, ૧૯૫૬ જેને સાહિત્ય કા બૃહદ્ ઈતિહાસ, ભાગ ૧-૫, વારાણસી, ૧૯૬૬-૬૯ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ: મો. દ. દેસાઈ, મુંબઈ, ૧૯૩૩ જૈન સાહિત્ય સંશોધક જૈન સિદ્ધાન્ત ભાસ્કર જૈન હિતિષી જૈનિઝમ ઈન ગુજરાત સી. બી. શેઠ, મુંબઈ, ૧૯૫૩ ડિસ્કિપ્ટિવ કેટલૉગ ઑફ મેન્યુઝિટ્સ સી. ડી. દલાલ, ભા. ૧, વડોદરા, ૧૯૫૯ તેરહવ-ચૌદહવશતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય: ડા. શ્યામશંકર દીક્ષિત, જયપુર, ૧૯૬૯ થર્ડ રિપોર્ટ ઑફ ઑફરેશન્સ ઈન સર્ચ ઑફ સંસ્કૃત મેન્યુસ્કિટ્સ બોમ્બે સર્કલ દ્વિવેદી અભિનંદન ગ્રંથ Page #725 -------------------------------------------------------------------------- ________________ સહાયક ગ્રંથોની સૂચી ધર્મવિધિપ્રશસ્તિ નાગરીપ્રચારિણી પત્રિકા નાટ્યદર્પણ-એ ક્રિટિકલ સ્ટડી : કે. આર. ત્રિવેદી, અમદાવાદ, ૧૯૬૬ નોટિસિસ્ ઑફ સંસ્કૃત મેન્યુસ્ક્રિપ્ટ્સ, ભાગ ૨ ન્યૂ ઈન્ડિયન એન્ટિક્વરી પટ્ટાવલી-પરાગસંગ્રહ : પં. કલ્યાણવિજયગણિ, જાલોર, ૧૯૬૬ પટ્ટાવલી-સમુચ્ચય ઃ સંપા. – મુનિ દર્શનવિજય, ભાગ ૧, વીરમગામ, ૧૯૩૩ પાઇય ભાષાઓ અને સાહિત્ય : પ્રો. હી. ૨. કાપડિયા પૉલિટિકલ હિસ્ટ્રી ઑફ નૉર્ધન ઈન્ડિયા ફ્રોમ જૈન સોર્સિસ્ઃ જી. સી. ચૌધરી, અમૃતસર, ૧૯૬૩ પુરાતનસંગ્રહ ઃ સંપા. – મુનિ જિનવિજય, કલકત્તા, ૧૯૩૬ પ્રશસ્તિસંગ્રહ : પં. પરમાનન્દ શાસ્ત્રી ૭૦૩ પ્રાકૃત જૈન કથા-સાહિત્ય : ડા. જગદીશચન્દ્ર જૈન, અમદાવાદ, ૧૯૭૧ પ્રાકૃત ભાષા ઔર સાહિત્ય કા આલોચનાત્મક ઈતિહાસ : ડા. નેમિચન્દ્ર શાસ્ત્રી, વારાણસી, ૧૯૬૬ પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ : ડા. જગદીશચન્દ્ર જૈન, વારાણસી, ૧૯૬૧ પ્રેમી અભિનન્દન ગ્રન્થ, ટીકમગઢ, ૧૯૪૬ પ્રોસીડિંગ્સ ઑફ ઑલ ઈન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરેન્સ બાબૂ છોટેલાલ જૈન સ્મૃતિગ્રન્થ બીકાનેર જૈન લેખસંગ્રહ : સંપા. ~ અગરચન્દ નાહટા, કલકત્તા, વી. સં. ૨૪૮૨ બુલેટિન ઑફ ધ સ્કૂલ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ ભટ્ટારસ સમ્પ્રદાય : ડા. વિદ્યાધર જોહરાપુરકર, સોલાપુર, ૧૯૫૮ - ભારતીય ઈતિહાસ – એક દૃષ્ટિ ઃ ડા. જ્યોતિપ્રસાદ જૈન, વારાણસી, ૧૯૬૧ ભારતીય વિદ્યા ભારતીય સંસ્કૃતિ મેં જૈનધર્મ કા યોગદાન ઃ ડા. હીરાલાલ જૈન, ભોપાલ ૧૯૬૨ Page #726 -------------------------------------------------------------------------- ________________ ૦૪ જેન કાવ્યસાહિત્ય મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દિલ્લી, ૧૯૭૧ મધ્યભારતી પત્રિકા મરુધર કેશરી અભિનન્દન ગ્રન્થ, જોધપુર, વિ.સં.૨૦૨૫ મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમડલ ઔર સંસ્કૃત સાહિત્ય મેં ઉસકી દેન : ડૉ. ભોગીલાલ સાંડેસરા, વારાણસી, ૧૯૫૯ મહાવગ્ન મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ, ખંડ ૧-૨, મુંબઈ, ૧૯૬૮ મૂલરાધના-ટીકા યતીન્દ્રસૂરિ અભિનન્દન ગ્રન્થ, ખંડાલા (રાજ.), વિ.સં. ૨૦૧૫ યશસ્તિલક એન્ડ ઈન્ડિયન કલ્ચર કે. કે. હાદિકી, સોલાપુર, ૧૯૪૯ યશસ્તિલક કા સાંસ્કૃતિક અધ્યયન ડો. ગોકુલચન્દ્ર જૈન, વારાણસી, ૧૯૬૭ રસગંગાધર: ૫. જગન્નાથ, મુંબઈ, ૧૯૩૯ રાજપૂતાના મ્યુઝિયમ રિપોર્ટ, ૧૯૨૭ રાજસ્થાન કે જૈન શાસ્ત્રભંડારો કી સૂચી, ભાગ ૨, જયપુર, ૧૯૫૪ રાજસ્થાન કે જૈન સંત વ્યક્તિત્વ એવં કૃતિત્વ: ડા. કસ્તુરચન્દ કાસલીવાલ, જયપુર, ૧૯૬૧ રાજસ્થાન ભારતી રાજેન્દ્રસૂરિ સ્મૃતિગ્રન્થ, ખંડાલા, ૧૯૫૭ લાઈફ ઑફ હેમચન્દ્રઃ જૉર્જ બુલર, કલકત્તા, ૧૯૩૧ વર્ણી અભિનન્દન ગ્રન્થ વાગભટાલંકાર : વામ્ભટ વિકાસ વિક્રમ વૉલ્યુમ, ઉજ્જૈન, ૧૯૪૬ વિક્રમ્સ એડવેંચર્સ : એફ. હારવી, ૧૯૨૬ વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થ, મુંબઈ, ૧૯૫૬ Page #727 -------------------------------------------------------------------------- ________________ સહાયક ગ્રંથોની સૂચી ૭૦૫ વીયેના ઓરિયટલ જર્નલ વીર વીરવાણી વેલણકર કોમેમોરેશન વૉલ્યુમ, મુંબઈ, ૧૯૬૫ શોધપત્રિકા શ્રમણ સંસ્કૃત કાવ્યકેવિકાસમેં જૈન કવિયોં કા યોગદાન: ડા. નેમિચન્દ્ર શાસ્ત્રી, વારાણસી, ૧૯૭૧ સંસ્કૃત ડ્રામાઃ એ. બી. કથ, લંડન, ૧૯૫૪ સંસ્કૃત યાશ્રયકાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ : રા. ચુ. મોદી, અમદાવાદ, ૧૯૪૨ સ્ટાન્ડર્ડ ડિક્શનરી ઑફ ફોકલોર, માઈથોલોજી એન્ડ લીજેન્ડ, ભા. ૧, ન્યૂયોર્ક, ૧૯૪૯ સુવર્ણભૂમિ મેં કાલકાચાર્ય ડા. ઉમાકાન્ત શાહ, વારાણસી, ૧૯૫૬ હરિભદ્ર કે પ્રાકૃત કથા-સાહિત્યકા આલોચનાત્મક પરિશીલન ડો. નેમિચન્દ્ર શાસ્ત્રી, મુજફ્ફરપુર, ૧૯૬૫ હિસ્ટોરિકલ ઈસ્ક્રિપ્શન્સ ઑફ ગુજરાત જી. વી. આચાર્ય, ભા. ૨, મુંબઈ, ૧૯૩૫ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર : એમ. વિન્ટરનિલ્સ, ભા. ૨, કલકત્તા, ૧૯૩૩ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, એમ. વિન્ટરનિત્સ, ભાગ ૩, ખંડ ૧, વારાણસી, ૧૯૬૩ હિસ્ટ્રી ઑફ ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર એમ. કૃષ્ણામાચારી, મદ્રાસ, ૧૯૩૭ હિસ્ટ્રી ઑફ સંસ્કૃત લિટરેચર એસ. કે. દે, કલકત્તા, ૧૯૪૭ હિસ્ટ્રી ઑફ સંસ્કૃત લિટરેચર એ. બી. કથ હેમચન્દ્રાચાર્ય– જીવનચરિત્ર: કસ્તૂરમલ બાંઠિયા, વારાણસી, ૧૯૬૭ Jain 4ucation International Page #728 -------------------------------------------------------------------------- ________________ Page #729 -------------------------------------------------------------------------- ________________ (I) ગિરિરાજાની ગોદમાં, નજરે નિહાળતાં, મનને હરી લેતા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન સમવસરણ મહામંદિરની આછેરી ઝલક જગતના તમામ ધર્મોમાં જૈન ધર્મની એક મહત્તા એનાં ભવ્ય, અલૌકિક અને અધ્યાત્મભાવનાથી ભરપૂર તીર્થો છે. આ તીર્થો ભક્તની ભક્તિ, શ્રેષ્ઠીની દાનવીરતા, સાધકની ઉપાસના અને સાધુજનોની સમતાનો સંદેશ આપીને સંસારસમુદ્ર તરવા માટે જિનભક્તિનો ઉપદેશ આપે છે. સમગ્ર દેશમાં જ નહિ બલ્કે વિદેશોમાં અનેક જિનાલયો આવેલાં છે, પરંતુ આ બધા જિનાલયની યાત્રા કરીને પોતાની ભક્તિભાવનાને ધન્ય કરવાની પળ સહુને સાંપડતી નથી. ક્યારેક શારીરિક કે આર્થિક શક્તિ ન હોય, તો ક્યારેક સમય કે સગવડનો અભાવ હોય. આથી જ પાલિતાણામાં આવેલા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરમાં એક સાથે અનેક તીર્થોનાં દર્શન અને ભાવપૂજનનો લાભ મળે છે. જાણે તીર્થોનું સંગમસ્થાન જ જોઈ લો ! ગિરિવર દર્શન વિરલા પાવે આ સંગમસ્થાન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ચડતાં જ જમણી બાજુ આવેલું છે. દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી પ્રત્યેક જૈન તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાની સદૈવ ઝંખના રાખતો હોય છે. આથી જ શ્રી ૧૦૮ તીર્થદર્શન ભવન પાલિતાણામાં નિર્માણ કરવામાં આવ્યું, જેથી સિદ્ધગિરિની યાત્રાએ આવનાર યાત્રાળુને અનોખો તીર્થદર્શન, વંદન અને પૂજનનો ધર્મમય સુયોગ સાંપડે છે. નિમિત્તમાત્રમ્ આની રચનાનું નિમિત્ત સુરત દેસાઈ પોળના શ્રી સુવિધિનાથ જિનમંદિરમાં શ્રી દેસાઈ પોળ પેઢીના સંસ્થાપક ધર્મનિષ્ઠ ડાહ્યાભાઈ (કીકાભાઈ) રતનચંદ કિનારીવાળાએ તૈયાર કરાવેલ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન બન્યું. અહીં પ્રાચીન તીર્થોના મૂળનાયકજીના ૩૬ ૩૦ ઇંચની સાઇઝનાં ચિત્રો દીવાલ પર બિરાજમાન કરવામાં આવ્યાં. પરમપૂજય ધર્મરાજા આચાર્ય દેવ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. પંન્યાસજી (હાલ આચાર્ય મ.સા.) શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ મહારાજની નિશ્રામાં વિ. સં. ૨૦૨૪ના કારતક વદ૨ના રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ડાહ્યાભાઈએ ૧૦૮ તીર્થોનો એક પટ્ટ બહાર પાડ્યો. પછી પોતાના દીક્ષા ગ્રહણના દિવસે જ વિ. સં. ૨૦૨૬ પોષ સુદ ૧૧ના ૧૦૮ તીર્થદર્શનાવલિ નામક એક આલબમ પ્રકાશિત કર્યું. જેમાં ૧૦૮ તીર્થના મૂળનાયક, દેરાસર અને તેમનો ઇતિહાસ લેવામાં આવ્યો. - Page #730 -------------------------------------------------------------------------- ________________ (II) લોકઆદર પામેલ આનું નિમિત્ત જોઈને વિ. સ. ૨૦૨૮માં સુરેન્દ્રનગરમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની સ્ફુરણા થાય છે સાકાર ૪૫૦ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન અને શ્રી સમવસરણ મહામંદિર, સરસ્વતી મંદિરની બાજુમાં (બાબુના દેરાસરની સામે) વીસ હજાર વાર ૪૦૦ ફૂટ લંબાઈ-પહોળાઈવાળી વિશાળ જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે. ૨૫૦૦ વર્ષ પહેલાં તીર્થંકર પરમાત્મા શ્રીમહાવીર સ્વામી જેમાં બિરાજમાન હશે, એ સમવસરણ કેવું હશે ? જિનાગમો, સમવસરણસ્તવ આદિ પ્રાચીન સ્તવો, સ્તવનોમાં અને અન્યત્ર પણ સમવસરણ સંબંધી ઉલ્લેખ મળે છે તે જ રીતે કેટલાય શિલ્પીઓએ પોતાની કલા તેમજ આગવી સૂઝથી એની રચનાનો ખ્યાલ આપ્યો છે, તો કેટલાંય ચિત્રકારોએ એનાં ચિત્ર પણ બનાવ્યાં છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ પોતાના ધ્યાનમાં શ્રી સમવસરણનું ચિંતન કરતા હતા. આ સમયે ૧૦૮ જૈન તીર્થદર્શન ગોઠવવાની વિચારણા ચાલી રહી હતી. એવામાં એકાએક તેઓશ્રીને એક નૂતન વિચાર સ્ફૂર્યો. એમણે વિચાર્યું કે સમવસરણ પણ બનાવવું અને તેમાં ૧૦૮ તીર્થો આવી જાય તેવી રમણીય રચના કરવી. એવી સરસ ગોઠવણી કરવી કે જેથી વર્તમાન ચોવીશી, ૧૦૮ પાર્શ્વનાથજી, ૧૦૮ તીર્થપટ્ટો તથા ૧૦૮ ચિત્રપટ્ટો વગેરે બધું જ આ સંગમમાં મહાસંગમ બની રહે. સમવસરણની સફળતાના સુકાની પૂજ્ય ગુરુ ભગવંતો પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની શિલ્પ-સ્થાપત્ય સંબંધી સૂઝ-બૂઝના સહારા સાથેના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પૂજ્ય તપસ્વી મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ. સા.ની જહેમતથી આ કાર્ય સારી એવી સફળતાને પામ્યું. તેમજ આ તીર્થધામના ઉત્થાનમાં માર્ગદર્શન પૂજ્યાચાર્ય મહારાજ તથા તેઓશ્રીના ગુરુબંધુ પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., ૫.પૂ.આચાર્ય શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પં. શ્રી પ્રમોદચંદ્રવિજયજીગણી મ.સા.,પ.પૂ.પં. શ્રી અજિતચંદ્રવિજયજી ગણિ મ.સા., ૫.પૂ.પં. શ્રી વિનીતચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી હ્રીંકારચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ, પં. શ્રી સોમચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિશ્રી અમરચંદ્ર વિ.મ., ૫.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ.મ., પૂ. મુનિ શ્રી રાજચંદ્ર વિ. મ. આદિ ધર્મરાજા પૂજ્ય ગુરુદેવના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયનો અથાક પ્રયત્ન પણ નિમિત્તરૂપ બનેલ છે. Page #731 -------------------------------------------------------------------------- ________________ (11) વિશ્વમાં અજોડ શ્રી સમવસરણ મહામંદિર શ્રી સમવસરણ મહામંદિર જોનારને પ્રથમ નજરે જ જાણે આકાશમાંથી ઊતરી આવ્યું હોય તેવું લાગે છે. જેમાં શ્રી પાર્શ્વનાથજી ૧૦૮, તીર્થપટ્ટો ૧૦૮ અને ચિત્રપટ્ટો પણ ૧૦૮ છે. તેની ઊંચાઈ પણ ૧૦૮ ફૂટની રાખી છે. મહા મંદિરમાં પ્રવેશતાં શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી ધર્મોઘાન આવે છે. સુંદર કારીગરીથી શોભતું આકર્ષક આ પ્રવેશદ્વાર દૂરથી જ યાત્રાળુના મનને મોહી લે છે. તેની બન્ને બાજુ નીકળતી પથ્થરમાંથી કંડારેલ ચક્રોની ચક્રાવલિ અને તેની ઉ૫૨ ૫થ્થ૨માં જ અંકિત અક્ષરોની અદ્ભુતતા દ્વારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. દ્વારની અંદરના ભાગમાં એક તરફ પરબ અને બીંજી બાજુ વિશ્રાંતિગૃહનું સુંદર આયોજન વિચારેલ છે. હાલ યાત્રિકો માટે ઠંડા અને ઉકાળેલા પાણીની પરબ પણ રાખેલી છે. લીલા-ગુલાબી કમળોની પંક્તિ સમવસરણની આસપાસ પથરાયેલ કમળો જેવી લાગે છે. મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ જમણા હાથે એક અજોડ અને અદ્વિતીય મંદિરના દર્શન થાય છે. ત્રણ ગઢ રૂપે તેની રચના થઈ છે. શાસ્ત્રીય રીતે તૈયાર કરેલ ચારે દિશાના બાર દરવાજા, સુંદર કમાનો, દ્વારપાળો, બારે પર્ષદા, ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ નજરે ચઢ્યા વગર રહેતાં નથી અને તેથી જ આજે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિર વિશ્વમાં એની ભવ્યતા, પવિત્રતા અને મહત્તાથી ખ્યાતનામ બન્યું છે. અહીં માત્ર જિનાલય જ નહિ પરંતુ જૈન ખગોળ, ભૂગોળ અને જૈન ઇતિહાસની માર્મિક ઝાંખી થતી હોવાથી જ આને મહામંદિર કહેવામાં આવે છે. પ્રભુદર્શનથી મન પાવન બને છે મુખ્ય દ્વારના ઉંબરમાં પગ મૂકતાં જ ક્યાં પહેલા દર્શન કરવા જવું ? તે વિચારમાં મુગ્ધ બનેલ (મુંઝાતો) ભાવિક શ્રી આદિનાથદાદાની ભવ્યમૂર્તિના દર્શનથી તે તરફ જતી જાજ્વલ્યમાન આરસની પગથાર દ્વારા અંદરના દરવાજે પહોંચી જાય છે અને પહોંચતા જ આંખ ઠરી જાય છે. અહો કેટલો વિશાળ ડોમ ! તેમજ નાંખી નજરે નીરખી ન શકાય એટલો ઊંચો માણેક સ્તંભ. આ મહામંદિરની વિશ્વભરમાં સૌથી મોટી એ જ વિશિષ્ટતા છે કે ૪૨ ફૂટ ઊંચો અને ૭૦ ફૂટ પહોળો ગોળ ઘુમ્મટ(ડોમ) પથ્થરથી જ તૈયાર થયેલ છે. વીંટી જેવા આ વર્તુળાકારમાં ૪૨ ફૂટ ઊંચો અને ૧૬ ફૂટ પહોળો અષ્ટમંગલથી તેમજ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માણેકથંભ રત્નની જેમ દીપી ઊઠે છે. માણેકસ્તંભની ચારે દિશામાં વર્તમાન ચોવીસ તીર્થંકરોની ભાવોલ્લાસ જગાડતી ૨૪ મૂર્તિઓ બિરાજમાન છે. આ ચોવીસમાંથી ચારે બાજુના મૂળનાયક તીર્થંકર શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાથજીની ૪૧-૪૧ Page #732 -------------------------------------------------------------------------- ________________ (IV) ઇંચની આધ્યાત્મિક ચેતનાને જાગ્રત કરતી પ્રતિમાઓ સુંદર પવાસણ ઉપર બિરાજમાન છે. તેમજ ડોમની ગોળાઈમાં ચારે દિશામાં કુલ ૨૭-૨૭ના વિભાગમાં, જુદાં જુદાં નામોથી વર્તમાનમાં પ્રસિદ્ધ કુલ ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ થાંભલા વિનાની, ઝૂલતી કમાનો ઉપર રહેલ ઘુમ્મટવાળી જુદીજુદી મીની (નાનીશી) દેવકુલિકામાં પ્રતિષ્ઠિત કરેલ છે. દરેક પ્રભુની પલાઠીમાં શ્રી સમવસરણ મંદિરના પ્રતીક સહિત લાંછનો કળામયતાથી કોતરવામાં આવેલ છે. આ રીતે એક સાથે થતા ૨૪+ ૧૦૮ =૧૩૨ પ્રભુના દર્શનથી જીવન-મન પાવન બની જાય છે. આ છે મહામંદિરનું આંતરદર્શન પ્રભુદર્શનથી પાવન પથિક પ્રાણપ્યારાં એવા ઐતિહાસિક તીર્થોનાં દર્શન કરવા બહાર આવે છે. જયાં સામેની ગોળાઈમાં ૨૭-૨૭ના ૪ વિભાગમાં ભારતભરનાં ૧૦૮ તીર્થનાં જિનાલયો, તેના મૂળનાયક ભગવાન, તેનો ઇતિહાસ અને પરિચય સાથે, જે તે તીર્થોમાં જઈને લીધેલ આબેહૂબ તસ્વીરો આધુનિક લેમિનેશન પદ્ધતિથી આરસ પર મૂકવામાં આવેલ છે. શ્રી ગિરિરિજથી શરૂ કરી રાજયવાર ગોઠવેલ ૧૦૮ તીર્થપટ્ટોના દર્શનથી દર્શક જાણે તે તીર્થોની યાત્રા કર્યાનો સંતોષ અનુભવે છે. તે તીર્થપટ્ટોની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રીવીરના સમયથી આજદિન સુધીમાં થયેલાં. ધર્મ-સંઘ-દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમર્પણ કરનાર પુણ્યવંત એવા ૨૭ સાધુ, ર૭ સાધ્વીજી, ૨૭ શ્રાવક અને ૨૭ શ્રાવિકાનાં ચિત્રો પણ આરસ ઉપર લેમિનેશન કરી મૂકવામાં આવ્યાં છે. અત્યારે પણ ઇતિહાસનાં પાનાં ઉકેલતાં જાણવા મળેલ ઐતિહાસિક હકીકતો દ્વારા આ ચિત્રો જે રીતે બેનમૂન તૈયાર કરેલાં છે, તે જોતાં લાગે છે કે આ ચિત્રપટ્ટો લાગવાથી આ મહામંદિરની દર્શનીયતા/ઐતિહાસિકતાનો ઘણો જ વધારો થયો છે અને સાથે સાથે જૈન ઇતિહાસમાં એક સુવર્ણપૃષ્ઠનો ઉમેરો થયો છે. મહામંદિરમાં શિલ્પની સાથે સાહિત્યનું ગઠન સમવસરણ મંદિરના અંદરના ચારે દરવાજા ઉપર તીર્થંકર પ્રભુના ચાર વિશિષ્ટ વિશેષણોને દર્શાવતા - (૧) મહામાયણ; (૨) મહાગો૫; (૩) મહાસાર્થવાહ; (૪) મહાનિર્યામકનાં દશ્યો કલાત્મક રીતે કંડાર્યા છે. વળી ચારે દિશાના ચાર મુખ્ય દરવાજાની આજુબાજુના બે-બે બ્લૉક (રૂમ) કુલ આઠ બ્લૉક સુંદર નકશીકામનાં કારોથી શણગાર્યા છે. પહેલા-બીજા દ્વારમાં ૧૬ વિદ્યાદેવીના, ત્રીજા દ્વારમાં શુભ શુકન, ચોથા દ્વારમાં ચાર શરણ, ચાર સાધન અને ચાર પ્રકારનાં દાનના; પાંચમા-છઠ્ઠા દ્વારમાં નવકાર-વજપંજરની વિવિધ મુદ્રાના અને નવકારના પદોનાં પ્રતીકો, સાતમા દ્વારમાં આઠ પ્રતિહાર્ય અને આઠમા દ્વારમાં અષ્ટમંગલના Page #733 -------------------------------------------------------------------------- ________________ () પ્રતીકો ઝીણવટભરી દષ્ટિએ જોતાં નજરે ચઢે છે. આઠે બ્લોકમાં પહેલામાં હમણાં વહીવટી ઑફીસ છે, બીજામાં ગુરુગણ પ્રદર્શિત કરતું ભવ્ય ગુરુમંદિર - શ્રી ગૌતમ સ્વામીજી, પૂજય શાસનસમ્રાટુ, પૂજ્ય શ્રી વિજ્ઞાનસૂરિજી મ.સા, પૂજ્ય ધર્મરાજા ગુરુદેવની ગુરુ પ્રતિમા તથા મા ચક્કસરી ને માં પદ્માવતીની મૂર્તિઓથી દીપે છે. જ્યારે બાકીના બીજા બ્લોકમાં અતીત, અનાગત ને વર્તમાન ચોવીશીનો ખ્યાલ પણ આપવામાં આવશે. શાશ્વતા તીર્થકરોના પરિચય ચિત્રોની સાથે ૬૩ શલાકા પુરુષ, ૪૫ આગમની પાંચ વાચના, અઢી દ્વીપ, ઉત્સર્પિણી - અવસર્પિણી કાળપાંચમા-છઠ્ઠા આરાની તેમજ શ્રી વીરપાટ પરંપરાની સમજ આપતાં ચિત્રો વગેરે મૂકવામાં આવશે. મહામંદિરનું હૃદયંગમ બહારનું ભવ્યદર્શન, સદેહે વિચરતા ભાવ જિનેશ્વર ભગવંતની લોકોત્તર પુણ્યાઇનો ખ્યાલ શ્રી સમવસરણ મહામંદિરના અંદરના વિભાગોના દર્શનથી પ્રભાવિત પુણ્યાત્મા ઉપર બિરાજમાન પ્રભુ શ્રીવીરને વંદન કરવા ઉત્કટ બની બહાર આવે છે. ત્યાં ત્યારે મુખ્ય દરવાજા ઉપર તીર્થકર પ્રભુનાં અવન, જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકનાં કંડારેલા દૃશ્યોને, નીકળતાં જમણી બાજુએ પથ્થરમાંથી બનાવેલ, સાક્ષાત્ જેવી લાગતી ગાડામાં રહેલ ઊંચી ઈન્દ્રધ્વજાને, વિશાળ ભીંતો ઉપર પથ્થરમાં કંડારેલ રાજા દશાર્ણભદ્રને ઇન્દ્ર મહારાજાની પ્રભુવીરના ચરણોમાં આત્મસમર્પણ ભાવ પ્રકટ કરતા પટ્ટને, પ્રદક્ષિણાકારે આગળ વધતાં પાછળના ભાગમાં શ્રી નેમિનાથ પ્રભુ ને કૃષ્ણ મહારાજા; શ્રી પાર્શ્વનાથજી, શ્રી આદિનાથજી પ્રભુ ને મરુદેવા માતાજીના પટ્ટને તેમજ શ્રી પ્રભુવીર પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા પ્રકટ કરતા શ્રેણિક મહારાજની ભક્તિનાં દશ્યોને તેમજ નાની નાની વાડીઓને જોઈ પ્રસન્ન બને છે. જયારે યાત્રિકને પૂજા-ભક્તિ કરવા માટે જરૂરિયાતવાળું સાધન જોઈએ, તે માટે ડાબી બાજુએ રહેલ ભક્તિભવન તરફ નજર જાય છે, જ્યાં આધુનિક સોલાર મશીન દ્વારા યાત્રિકો માટે ગરમ-ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા છે અને પ્રભુની પ્રક્ષાલ પૂજા માટે જરૂરી પાણીનો સંચય સમવસરણની અંદર રહેલ ટાંકામાં તેમજ નવા તૈયાર થયેલ કુંડમાં થાય છે. યાત્રાળુની આ બધી વ્યવસ્થા જોઈ સમવસરણ ઉપર જવા માટે પગથિયાં ચઢતાં નાના નાના પત્થરનાં કુંભો, કાંગરા, સુંદર તોરણ-કમાનોવાળા ચારે તરફના બારે દરવાજ, પહેલા ગઢમાં પથ્થરમાં કંડારેલા વિવિધ વાહનો, બીજા ગઢમાં વિભિન્ન પશુ-પક્ષીઓ, ત્રીજા ગઢમાં સાધુ-સાધ્વી-મનુષ્ય-સ્ત્રી-દેવ-દેવીઓની બારે પર્ષદાને નિહાળતો, તો ક્યારેક વિશિષ્ટ થાંભલીએ ટેકણ ઉપરટેકો લેતો, ધીમે ધીમે ૧૦૮ પગથિયાં ચઢી ઉપર પહોંચે છે. જયાં સુંદર પવાસણ ઉપર શ્રી મહાવીર સ્વામીજીની સાત હાથની કાયાને લક્ષમાં રાખીને પદ્માસને બેઠેલ ૬૧ ઇંચની પ્રતિમા અષ્ટપ્રતિહાર્ય સહિત Page #734 -------------------------------------------------------------------------- ________________ (VI) ચારે દિશામાં બિરાજમાન છે. ઉપર માત્ર પથ્થરથી જ નિર્માણ કરેલ અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષનું સુંદર ડાળી પાંદડાં સાથે નિર્માણ કર્યું છે. ૨૭ ફૂટ ઊંચા અને ૩૭ ફૂટનો વ્યાપ ધરાવતા આ વૃક્ષનું વજન અંદાજે ૫૦૦ ટન છે. તે બધું વજન વૃક્ષની વડવાઈ જેવા દેખાતા તોતિંગ થાંભલા ઉપર પથરાઈ ગયેલું છે. પાંગરતા પરોઢિયે/પ્રભાતે પરમાત્માના પૂજકને અહીં અનુપમ આત્મિક આફ્લાદ અવનવા અનુભવ થાય છે. આ રીતે શ્રી સમવસરણ એ માત્ર મંદિર નહિ, બલ્બ મહામંદિર છે, જેમાં જિનશાસનની ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્યતા, શિલ્પ અને રંગરેખામાં ગુંજી ઊઠે છે. * * * * * શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ ટ્રસ્ટીમંડળ તથા પુસ્તક પ્રાપ્તિસ્થાન (૧) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ફોન નં. ૦૨૮૪૮-૨૪૯૨, ૨૫૬૧ શ્રી સમવસરણ મહામંદિર, તળેટી રોડ, પાલિતાણા - ૩૬૪૨૭૦ (૨) શ્રી મહેન્દ્રભાઈ ખૂબચંદ શાહ C/o રતનચંદ જોરાજી એન્ડ કું., ગોડીજી બિલ્ડીંગ નં. ૧, કીકા સ્ટ્રીટ, પાયધુની, મુંબઈ-૪૦૦ ૦૦૨. (૩) શ્રી કાંતિલાલ રતિલાલ શાહ સરદાર સોસાયટી બંગલો, સુરેન્દ્રનગર - ૩૬૦૦૦૧. શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત. (૫) શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી ૧૧૦, મહાકાત્ત બિલ્ડિંગ, વી.એસ.હોસ્પિટલ સામે, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૬. (૬) શ્રી મહેન્દ્રભાઈ ચંદુલાલ વખારિયા C/o વખારિયા બ્રધર્સ, જવાહરચોક, સુરેન્દ્રનગર - ૩૬૩ ૦૦૧. (૭) શ્રી હર્ષદરાય પ્રેમચંદ શાહ C/o ધર્મેન્દ્ર વાસણ ભંડાર, મહાત્મા ગાંધી રોડ, ભાવનગર - ૩૬૪૦૦૧. (૮) શ્રી હર્ષદરાય ચુનીલાલ ભારત ટ્રેડીંગ કંપની, ૧૧૧, ટનટનપુરા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦0૯. Page #735 -------------------------------------------------------------------------- ________________ (૯) શ્રી મુકેશભાઈ જમનાદાસ શાહ ૩૬, સંપતરાવ સોસાયટી, અલકાપુરી, વડોદરા. (૧૦) શ્રી રમેશભાઈ ગાઠાણી ૨, સ્વીનગર બંગલોજ, સેટેલાઈટ રોડ, સોમેશ્વર જૈન મંદિર સામે, અમદાવાદ-૩૮૦૦૧૫ (૧૧) શ્રી કીરીટભાઈ ચુનીલાલ શાહ સી-૨૭, વસુંધરા એપાર્ટમેન્ટ, ત્રીજે માળે, કૃષ્ણનગર, ભાવનગર. (૧) સરસ્વતી પુસ્તક ભંડાર (VII) નીચેના પુસ્તક વિક્રેતાઓ પાસેથી પણ શ્રી જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તકો પ્રાપ્ત થશે. (૨) પાર્શ્વપ્રકાશન હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧ (૩) નવભારત સાહિત્યમંદિર ઝવેરીવાડ નાકા, રીલીફ રોડ, અમદાવાદ-૧ ***** (૪) નવભારત સાહિત્યમંદિર શ્રી મહાવીર સ્વામી દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧ (૫) સેવંતીલાલ વી. જૈન ૧૩૪, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦૦૦૨ ૨૦, મહાજન ગલી, પહેલે માળે, ઝવેરી બજાર, મુંબઇ-૪૦૦૦૦૨ Page #736 -------------------------------------------------------------------------- ________________ ક્રમ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરજ્ઞાનમંદિર, સુરત તથા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ટ્રસ્ટ-પાલીતાણા પ્રકાશિત ગ્રંથોની યાદી ગ્રંથનું નામ (VIII) ૧. અભિધાન ચિંતામણી કોશ (ચંદ્રોદયટીકા) પ્રથમાવૃત્તિ દ્વિતીયાવૃત્તિ ૨. અર્હત્યંતન-પૌષ્ટિક વિધાન ૩. અભિધાન ચિંતામણિ (વ્યુત્પત્તિ રત્નાકર ટીકા) ૪. અજિત-વિનીત સ્વાધ્યાય સંગ્રહ ૫. આરામસોહાકા ૬. આત્મદર્પણ ૭. કરુણરસ કદંબક પાઇઅ તથા સંસ્કૃત ૮. કર્મપ્રકૃતિ-ભાગ-૧ ૯. કર્મપ્રકૃતિ-ભાગ-૨ ૧૦. કર્મપ્રકૃતિ-ભાગ-૩ ૧૧. Glory of Jainism ૧૨. ગાગરમાં સાગર ૧૩. ચતુર્વિશતિ જિન સ્તવવૃતિ ૧૪. ચાલો ચોવીશી બુહારીએ ૧૫. જિનશાસનની કિર્તીગાથા ૧૬. જિનશાસનની કિર્તીગાથા ૧૭. જિનશાસનની બલિહારી ૧૮. જૈન દર્શન સિદ્ધાંતો અને પરિચય ભાગ-૧ ૧૯. જૈન દર્શન સિદ્ધાંતો અને પરિચય ભાગ-૨ ૨૦. જૈન ધર્મ કે મૂલતત્વ - ભાગ-૧ ૨૧. જૈન ધર્મ કે મૂલતત્વ - ભાગ-૨ ૨૨. જૈન દર્શનનું તલુનાત્મક દિગ્દર્શન ૨૩. તીર્થાધિરાજને ચ૨ણે - પ્રથમાવૃતિ ૨૪. તીર્થાધિરાજને ચરણે - દ્વિતીયાવૃતિ ભાષા ગુજરાતી પ્રાકૃત ગુજરાતી પ્રાકૃત-સંસ્કૃત ગુજરાતી ગુજરાતી ગુજરાતી અંગ્રેજી ગુજરાતી ગુજરાતી હિંદી ગુજરાતી ગુજરાતી ગુજરાતી ગુજરાતી હિંદી હિંદી ગુજરાતી ગુજરાતી ગુજરાતી પ્રકાશન સમય ૨૦૧૩ ૨૦૨૯ ૨૦૫૫ ૧૯૯૭ ૨૦૫૪ ૨૦૧૩ ૨૦૫૪ ૨૦૫૪ ૨૦૪૪ ૨૦૪૪ ૨૦૪૪ ૨૦૪૪ ૨૦૨૪ ૨૦૨૨ ૨૦૨૨ Page #737 -------------------------------------------------------------------------- ________________ ૨૫. નિત્ય સ્મરણિકા ગુજરાતી ૨૬. નૈષધ મહાકાવ્ય (શ્રી રત્નચંદ્રજી ગણિકૃત ટીકા) યન્ત્રસ્થ (IX) ૨૭. પગ્ય નમસ્કાર સ્તવવૃતિ સંસ્કૃત ૨૮. પાઇઅ વિજ્ઞાણ કહા-ભાગ-૧- પ્રથમાવૃતિ પ્રાકૃત પ્રાકૃત પ્રાકૃત પ્રાકૃત દ્વિતીયાવૃતિ ૨૯. પાઇઅ વિજ્ઞાણ કહા-ભાગ-૨-પ્રથમવૃતિ દ્વિતીયાવૃતિ ૩૦. પાઇઅ વિત્રાણ ગાહા ૩૧. પ્રાકૃત રૂપમાલા ૩૨. પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા-પ્રથમાવૃત્તિ દ્વિતીયાવૃતિ તૃતીયાવૃતિ ચર્તુથ્યાવૃતિ પ્રાકૃત-સંસ્કૃત ગુજરાતી સાથે પ્રાકૃત-ગુજરાતી ૧૯૮૨ પ્રાકૃત-ગુજરાતી ૧૯૯૬ પ્રાકૃત-ગુજરાતી ૨૦૦૪ પ્રાકૃત-ગુજરાતી ૨૦૧૯ પ્રાકૃત-ગુજરાતી ૨૦૪૪ પ્રાકૃત-ગુજરાતી ૨૦૪૭ ૩૩. પ્રાકૃત માર્ગદર્શિકા ૩૪. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ-૧ પ્રથમાવૃત્તિ ગુજરાતી ૨૦૨૪ ગુજરાતી ૨૦૩૨ ૨૦૧૪ ૨૦૩૨ ૨૦૪૨ ૨૦૪૭ ૨૦૧૦ ૧૯૯૮ ૧૯૯૮ ૨૦૫૪ ૨૦૧૮ ૨૦૫૫ ૨૦૦૪ ૨૦૦૪ ૨૦૦૭ ૨૦૨૫ દ્વિતીયાવૃતિ ૩૫. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ-૨ પ્રથમાવૃત્તિ દ્વિતીયાવૃતિ ૩૬. પ્રતિષ્ઠાકલ્પ-અંજન શલાકાવિધિ (જૂની) પ્રથમાવૃતિ ૩૭. પ્રીતિની રીતિ ૩૮. પિસ્તાલીસ આગમની સંક્ષિપ્ત રૂપરેખા ૩૯. પંડિઅ ધણવાલકહા ૪૦. મહોપાધ્યાય ભાનુચંદ્ર ગણિચરિતમ્ ૪૧. મેરૂ શિખર નવરાવે ૪૨. વિનય સૌરકાં ૪૩. સચિત્ર સરસ્વતી પ્રાસાદ ૪૪. શ્રાવક ધર્મ વિધાન ૪૫. ગિરિજંબૂ સામી ચરિય ૪૬. સિરિ વિજયચંદ્ર કેવલી ચરિય ૪૭. સિરિ ઉસહણાહ ચરિય ગુજરાતી ગુજરાતી ગુજરાતી ગુજરાતી સંસ્કૃત સંસ્કૃત ગુજરાતી ગુજરાતી ગુજ-સંસ્કૃત ગુજરાતી સંસ્કૃત સંસ્કૃત પ્રાકૃત ૨૦૩૨ ૨૦૦૪ ૨૦૧૩ ૨૦૨૪ ૨૦૨૭ ૨૦૪૬ Page #738 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૭ ૨૦૩૮ ૨૦૩૩ ૨૦૦૮ ૪૮. સિરિચંદરાય ચરિયું ૪૯. સિરિ ચંદરાય ચરિયું ગુજરાનુવાદ ૪૮. સિરિ ઉસણા ચરિયું ગુર્જરાનુવાદ ૪૯. શ્રીપાલચરિત્રમ્ (સંક્ષિપ્ત) ધર્મોપદેશ ૫૦. શ્રી જિન સ્ત્રોત કોશઃ પ૧. શ્રી વિતરાગ સ્તોત્રાદિ સચ્ચય: પ૨. શ્રી સ્થમન પાર્શ્વનાથ માહાત્મય પ૩. શ્રી ઉપદ્યાન તપ માર્ગદર્શિકા ૫૪. શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી ૫૫. શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી પ૬. સુરત તીર્થ વંદ દકરોડ પ૭. સૂર્ય સહસ્ત્રનામમાલા ૫૮. સૂર્ય પૂજ (પુંજ). ૫૯. સંખિત તરંગવઈ કહા (તરંગલોલા) ૬૦. સંક્ષિપ્ત પ્રાકૃત ઉપમાલા ૬૧. સંસ્કૃત મંદિરાંત પ્રવેશિકા (બીજી બુક) ૬૨. હરિપાલી સંચય ૬૩. હેમ નૂતન લધુપ્રક્રિયા ૬૪.જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર ૬૫. પ્રાકૃત વિજ્ઞાન ગ્રંથ પ્રાકૃત ગુજરાતી ગુજરાતી સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત ગુજરાતી ગુજરાતી ગુજ-અંગ્રેજી ગુજ-હિંદી ગુજરાતી સંસ્કૃત ગુજરાતી પ્રાકૃત પ્રાકૃત ૧૯૯૬ ૨૦૨૩ ૨૦૫૨ ૨૦૫૨ ૨૦૫૪ ૨૦૫૩ ૨૦૦૦ ૨૦૦૫ ગુજરાતી ૨૦૨૫ ગુજરાતી ૨૦૨૫ ૨૦પ૦ પ્રાપ્તિસ્થાન શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત-૧ Page #739 -------------------------------------------------------------------------- ________________ (XI) શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથ શ્રેણી ક્રમ ગ્રંથનું નામ ૧. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૧ ૨. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૨ ૩. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી – ૩ ૪. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૪ ૫. શ્રી વીશ સ્થાનક તપ આરાધના વિધિ ૬. શ્રી વીશ સ્થાનક તપ (કથાઓ સહિત) ૭. શ્રી વીશ સ્થાનકની કથાઓ ૮. વંદુ જિન ચોવીશ ૯. ભક્તિ વૈભવ ૧૦. પ્રાકૃત વિજ્ઞાન સંક્ષેપ ૧૧. હે જીના જાગીશ ૧૨. પ્રતિષ્ઠા કલ્પ- અંજન શલાકા-પ્રતિષ્ઠાવિધિ (દ્વિતીયાવૃતિ) ૧૩. દશવૈકાલિકસૂત્રમ્ ૧૪. કર્મપ્રકૃતિ ભાગ-૩ ૧૫. મૌન એકાદશી પર્વ ૧૬. અભિધાન ચિન્તામણિ નામમાલા ૧૭. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૧ - અંગ આગમ ૧૮. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૨ – અંગબાહ્ય આગમો ૧૯. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૩- આગમિ વ્યાખ્યાઓ ૨૦. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૪ - કર્મ સાહિત્ય-આાગમિક પ્રકરણ ૨૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૫ - લાક્ષણિક સાહિત્ય ૨૨. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૬ - કાવ્ય સાહિત્ય ૨૩. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૭ – કન્નડતામિલ, મરાઠી ૨૪. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૮ – જૈન સાહિત્ય પર્તિ ૨૫. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ (અપભ્રંશ) ભાગ-૯ Page #740 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર અમો આભારી છીએ પરમપૂજય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભગવતોના. ભાગ-૬ જૈન કાવ્ય સાહિત્ય ના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી સાંતાક્રુઝ જૈન તપાગચ્છ જૈન સંઘ, સાંતાક્રુઝ, મુંબઈના. આ પ્રકાશનના આર્થિક સહયોગમાં ફાળો આપનાર અનેક સંસ્થાઓ તથા દાતાશ્રીઓના. શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસીના તથા તેના પૂર્વ નિયામક ડૉ. સાગરમલજી જૈનના. ગુજરાતી આવૃતિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ તથા ડૉ. રમણીકભાઈ શાહના. ઉત્તમ છાપકામ માટે લેસર ઈમેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઈમેજ પ્રા. લિ. ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈના વડોદરિયાના. લિ. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. Page #741 -------------------------------------------------------------------------- ________________ વાચકનોંધ Page #742 -------------------------------------------------------------------------- ________________ વાચકનોંધ Page #743 -------------------------------------------------------------------------- ________________ सदका पिगतमविज्ञानाचापिनीतिशाखा सारतदिकार्य में यावानामतिमानयावास भाशाय सुरशा ज्ञानखानपापिविका नोनिया पिकाया यःकमि सूर्यमाला ढालादेवमचिव सविनानि यस वर्ष तावका वाम समाधान व सत्यनिषदि निसानमपनि काटी सकदेवा लिलावासामिनिमाश्रयतामा विसु दादासा कविलावा गनपद सिद साधनाय मागियसंग मानविष्यत्यवायोर्यणा संवयन कार सामगमानिविवभावव लिपिश्री कमन्य व्यक्ति वनिनाथमा मद्यानानानकमार थारूपोलिसातव कागताज्ञानापाय अगादि कासिवान में ४विषायाममा स्वयमपिनिस्वाकरून ० नाभिकमानादिकमाना नानादरसा ॥ प्रयमः कागामिपरावदव १४ यामिनीवोनगमाने प्रशिनाव निर्विवस मोनिविधाना जमानः॥१७ निवेशनंसविशांनाच तथादिनावनादवानवानं बनाया यनामयनाथ नाम दिनेश यौन सामग्री सुपाक्रमतच कमान 13 विमानिकविमानश्चामादार्यमंत्र मैत्रिणा कार्यशा नवीनम जिस विद्यापय वड समदीपमालाला की विवादाया दिवाणावासायिक थिय पायसमम स्वासनिः विधीयमामलक्षणावतारामलि वामान पना नाही साता 9 पनाव ल न्यपूर्ण वानासमा मदन सिमाववितादानविधाको कान मेंड नामिति पनि प्रातिपवित्रा राना बानाईची मदिधामि वाम सिवानिमायामयानिखापिताभि लिय्येतस दतियानाश वीणापाणियामास कशायामक हिनासम्मकाद्याञ्चार्जिगाइदिार मनोमालिना। जालाराज 100 लक अश्या मारून सिद्धा जनि यथा यः पाऊ पुदीराम सुखत।।। घटाक www.ainerary.org Page #744 -------------------------------------------------------------------------- ________________ अशावनापश्यदणामिनामिकाशिकानरनिखादिवानर्मिमावादका दासबोधयाचनमाध्यवापिवमानराधामसमायिनामाइकायादववंडाचा मामामापाथमा विकासखलनाबााधनाताडाचमारनामावलिमका गिमायाविनामानिमानजयावयाहाशवाजुभावशायरक्शाशिवना दाइयजातयानच्चकायाधिविमाननाचणाविधानवाधिकाथायालयाई m स्मारिकाय इर्शनालाकणालयादवजमीनमपियशवसैविमानियनपीय कारममावलावालयावालाबालामायापखासकसयासतलेयवधये वेगनायवरहिमजलिधिोबुलिसिनापानमनातिकाटीरज लालायिवसाजिाग्यासामिधिमाधवनारसुसमाविसुनक्का तपावल সুবীর। कवायनानजायनाचिरानवसंगमालवियायवाचोटीगनासवर्मयानगरमा लिक्विञ्चानपदावाजाइनामियाजदमावनिविविनावलियकमाययिका मायानाकवास्यासिवनिनावमामयामानालाकमारयाचकवपिनारात वेगमानधयविषयधामासापडोहागणयन्त्रधानिसुवामानासन मानधारकारालाजानसमायाजाणाशासSEDivyWRamमित्राला ammनाभिकमनाडिमानानानादरझानसटामाकाम्माभिपगाज निकायागनाथानबानमानेपझिनामामायानियिंवसनानिखिवधायना माधासुजनननुद्यानभावनिवेशणमविशानाधनधादिवगाववादवामी न्यत्रमनिलामन्चपनिाझरवानादाश्चटयालयवर्णानुबनायायनामयन g ममयानश्मामयामपाकमनवकमानाडावसानिकर्तिमानधासावाटी अन्य अमेजिमाकानागावदेनशानालायामकलयविक्राईड किसमणिदायबालाकलापकाविवादायावयमपञ्चानमारवाद नादावनामनामनामशानडामायिक विद्यार्थियमितवसनयामक यापदावायसमयममवाजनिविधायमानलवणावतारामपिसाडी यऊमालाइल्ययावावासमासदतावाभिमानमिटावधाकानकामिड कमावाकवामिनाजायज्ञिानाज्ञयनिमालियाविजियानाशाटाखालANORE Faiतानचानाडूसामदियानिवासासवडवामीज्ञवणानिसचिलर सामाYिINSवाजाज्ञववानिसभिलिसवानिमामि Page #745 -------------------------------------------------------------------------- ________________ नयानिवाया बक असामान मान मैकल्पिकमा नाम नकि यामास यश्वम लायाराम आदिवा निक पानालिय मजावतानखिसाधार इलाकानामानन किमनिलालयित अश्यागिविलासमा नीमकायानिनिमार मिहायाग प्रधानावारूपमितिमा विमान कन्मा या विशिलयन्यान॥१८ या पाधियाम॥४ शासिताक नामाद्यावदिननकाना नगाराचनानिनकितविशा काननः मिनि St Preate & Personal पाडाखालामन्नविवाद नाभिकमानाडिक निक ॥१४यामिनीनान्माने साधीसुद्यात दरि न्यन्नमतिनी मनिता ममयौनसामग्री सुपाकर अन्य मंत्रिणाकार्य किमादाय नादान पाद्यदारायममंत्रममस्वी बैंकमा बसमा मदत कर्मवाचिनिता तार्यन॥भवानाईचा मदिद्यानिवास माता जनिजारानाशी सुनाथहिनामा द्या फाल वाद्य मान बनाना है सम्मान सादव ॥मवाव हिमाच के नस्तममिकता याव नसीमसा मित्रपि यकस्यामिडियायनन मिकमेडल यांशिव भावजा वयमप्रिया।।अनि ताकसुमासाश्वानाव तिल मिनार दा www.jalnelibrary.dle Page #746 -------------------------------------------------------------------------- ________________ શ્રી 108 જૈન તીર્થ દર્શન ભવન-સમવસરણ મહામંદિર - પાલીતાણા