SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય (ગુજરાતી આવૃત્તિ) શાસનસમ્રાટ્ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ રહેલ જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસનો છઠ્ઠો ભાગ વાચકોના ચરણકમલમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ભાગ ૧, ૨ અને ૪ના ગ્રંથો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. પ્રસ્તુત ભાગ છઠ્ઠામાં જૈન કાવ્ય સાહિત્યનો પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રસંગે અમે પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભગવંતોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. ગુજરાતી આવૃત્તિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આ અનુવાદ કાર્ય હાથ ધ૨વા માટે આભાર માનીએ છીએ. શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસી તથા તેના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈનનો અનુવાદનું પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે આભાર માનીએ છીએ. ભાગ-૬ના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી સાંતાક્રુઝ જૈન તપાગચ્છ જૈન સંઘ, સાંતાક્રુઝ, મુંબઈનો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇમ્પ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૧-૭-૨૦૦૬ અમદાવાદ Jain Education International —અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy