SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ૧ ૧૫ એકવીસમા તીર્થંકર નેમિનાથ ઉપર એક ચરિતકાવ્યનો ઉલ્લેખમાત્ર મળે છે.' બાવીસમા તીર્થંકર નેમિનાથ ઉપર અનેક કાવ્યાત્મક રચનાઓ મળે છે. તેમાં પ્રથમ રચના સૂરાચાર્યત નેમિનાથચરિત છે. તે દ્વિસંધાનાત્મક છે અને પ્રથમ તીર્થકર ઋષભ ઉપર પણ તેનો અર્થ ઘટિત થાય છે. આનું વર્ણન બલ્બર્થક કાવ્યોમાં કરવામાં આવશે. આવી જ બીજી રચના અજિતદેવના શિષ્ય હેમચન્દ્રસૂરિની છે, તેનું નામ નેમિદ્વિસંધાન છે, તેનું વર્ણન પણ બહ્યર્થક કાવ્યોમાં કરવામાં આવશે. સોમના પુત્ર વાટ (૧૨મી સદી)નું નેમિનિર્વાણકાવ્ય ૧૫ સર્ગોમાં વિભક્ત છે, તે શાસ્ત્રીય મહાકાવ્યની શૈલીનું છે, તેથી તેનું વર્ણન ત્યાં કરવામાં આવશે. સામાન્ય કક્ષાની કેટલીક કાવ્યરચનાઓનો સંક્ષિપ્ત પરિચય અહીં આપવામાં આવશે. - તિલકમંજરીસારોદ્ધારના કર્તા (લઘુ) ધનપાલ (સં. ૧૨૬૧)ના પિતા કવિ રામને નેમિચરિત મહાકાવ્ય લખ્યું હતું. તિલકમંજરીસારોદ્ધારમાં તેને સુશ્લિષ્ટ શબ્દોથી પૂર્ણ, અભુત અર્થ અને રસોથી તરંગિત મહાકાવ્ય કહ્યું છે. કવિ રામન અણહિલ્લપુરનિવાસી પલ્લીવાલકુલીન તથા અશેષ શાસ્ત્રોના જ્ઞાતા હતા. વિ.સં. ૧૨૮૭માં કવિ દામોદરે સલ્લખણપુર (માલવા)માં પરમારવંશી રાજા દેવપાલના રાજ્યકાળમાં એક નેમિનાથચરિતની રચના કરી હતી. કવિના પિતાનું નામ કવિ માલ્હણ અને કવિના મોટા ભાઈનું નામ જિનદેવ હતું. આ જ દામોદર કવિનું એક અન્ય કાવ્ય ચન્દ્રપ્રભચરિત પણ મળે છે. લગભગ સન્ ૧૨૯૯માં નાગેન્દ્રગચ્છના વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભ પણ ૨૧૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ નેમિનાથચરિતની રચના કરી હતી. (આ તો તેમના જ ધર્માલ્યુદયકાવ્યનો ભાગ છે.) આ જ ઉદયપ્રભ સં. ૧૨૯૯માં ઉપદેશમાંલા ઉપર ટીકા પણ લખી હતી.' વિ. ચૌદમી સદી આસપાસ સાંગણના પુત્ર વિક્રમે નેમિચરિતડાવ્ય રચ્યું હતું. તેની રચના મેઘદૂતના પાદોને લઈને કરવામાં આવી હતી. તેનું વર્ણન સમસ્યાપૂર્તિકાવ્યના પ્રસંગે કરવામાં આવશે ૧. એજન, પૃ. ૩૦૧ ૨. તિલકમંજરીસારોદ્ધાર, પ્રશસ્તિ, પદ્ય ૧-૨ ૩. ધારા ઔર ઉસકે જૈન સારસ્વત, ગુરુ ગોપાલદાસ બરૈયા સ્મૃતિ-ગ્રન્થ, પૃ. ૫૪૩ ૪. જિનરત્નકોશ, પૃ. ૨૧૭ ૫. એજન, પૃ. ૨૧૭; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૫૯-૩૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy