SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૨ જેન કાવ્યસાહિત્ય થયો હતો અને દીક્ષા જિનચન્દ્રસૂરિ (૩) પાસે સં. ૧૩૭૦માં લીધી હતી, તેમનું નામ લબ્લિનિધાન હતું. સં. ૧૩૮૮માં જિનકુશલસૂરિએ તેમને ઉપાધ્યાયપદ આપ્યું. સં. ૧૩૮૯માં જિનકુશલસૂરિનો સ્વર્ગવાસ થયો અને સં. ૧૩૯૦માં તેમના સ્વર્ગવાસ પછી લગભગ સાડા ત્રણ મહિના બાદ પદ્મમૂર્તિ શુલ્લકને જિનપદ્મ નામથી પટ્ટપદ મળ્યું હતું. ૧૦ વર્ષ પછી સં. ૧૪૦૦માં આ જિનપદ્મસૂરિના પદ ઉપર લબ્લિનિધાનોપાધ્યાયને જિનલબ્ધિસૂરિ નામથી પટ્ટપદ મળ્યું હતું. તેમનો સ્વર્ગવાસ સં. ૧૪૦૪માં થયો હતો. આ ચરિતની રચના તેમના જ સતીર્થ્ય તરુણપ્રભસૂરિએ જ કરી છે. જિનલબ્ધિસૂરિ ઉપર ચાર ગાથાઓમાં જિનલબ્ધિસૂરિ-સ્તૂપનમસ્કાર અને આઠ ગાથાઓમાં જિનલબ્ધિસૂરિ-નાગપુર-સ્તૂપ-સ્તવન નામની સંક્ષિપ્ત કૃતિઓ પણ મળે છે, તે કૃતિઓમાં તેમના માતાપિતાનાં નામ, જન્મ, દીક્ષા, ઉપાધ્યાયપદ, આચાર્યપદ, સ્વર્ગવાસ આદિ વાતો ઉલિખિત છે. જિનલબ્ધિસૂરિ અનેક સ્તોત્રોના કર્યા હતા. જિનકૃપાચન્દ્રસૂરીશ્વરચરિત – આ કાવ્યમાં વીસમી શતાબ્દીના ખરતરગચ્છીય આચાર્ય કૃપાચન્દ્રસૂરિનું જીવનચરિત આપ્યું છે. તેમાં ૫ સર્ગ છે અને કુલ ૧૫૭૦ પદ્યો છે. પદ્યો વિવિધ છન્દોમાં છે. કૃપાચન્દ્રસૂરિનો જન્મ સં. ૧૯૧૩માં થયો હતો, દીક્ષા ૧૯૩૬માં, આચાર્યપદ ૧૯૮૨માં અને સ્વર્ગવાસ ૧૯૯૪માં થયો હતો. આ કાવ્ય વિવિધ છંદોથી વિભૂષિત છે. સર્ગોમાં વારંવાર છંદ પરિવર્તન કરવામાં આવેલ છે. ૧. જેમાંથી ઉપર્યુક્ત રચનાઓ પ્રાપ્ત થઈ છે તે “જિનભદ્રસૂરિસ્વાધ્યાયપુસ્તિકા પ્રભાવક અને સુપ્રસિદ્ધ આચાર્ય જિનભદ્રસૂરિ દ્વારા જ સંકલિત પુસ્તિકા છે. ઉક્ત સૂરિએ જ જેસલમેર, ખંભાત, પાટણ, જાલોર, નાગોર આદિ સ્થળે જ્ઞાનભંડારો સ્થાપિત કર્યા હતા અને અનેક તીર્થ-મંદિરોની પ્રતિષ્ઠા કરાવી હતી. તેની પુષ્પિકા આ મુજબ છે : સં. १४९० वर्षे मार्गशिर सुदि ७ गुरौ दिने शतभिषा नक्षत्रे हरषणयोगे श्रीविधिमार्गीय सुगुरु श्रीजिनराजसूरिदीक्षितेन परम भट्टारक प्रभु श्रीमज्जिनभद्रसूरि आत्मानमवबोधार्थ શ્રીસબ્સાયપુસ્તિ સંસ્થૂળ નાતા શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવગ્રન્થ, ખંડ ૧, મુંબઈ, ૧૯૬૮, પૃ. ૨૫-૨૬માં શ્રી અગરચન્ટ અને ભંવરલાલ નાહટાનો લેખ. ૨. જિનકૃપાચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર, પાલીતાણાથી સં. ૧૯૯૫માં પ્રકાશિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy