SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ 398 જેન કાવ્યસાહિત્ય ૧.વિક્રમચરિત વિક્રમાદિત્યના ચરિત્રનું સ્વતંત્ર અને સર્વાગીણ જૈન રૂપાન્તર સૌપ્રથમદેવમૂર્તિ ઉપાધ્યાયકૃત વિક્રમચરિત્રમાં (સંસ્કૃત) જોવા મળે છે. તેમાં ૧૪સર્ગ છે, તેમાં વિભિન્ન છંદોમાં રચાયેલા કુલ મળીને ૪૮૨૦ શ્લોકો છે. આ સર્ગોમાં ક્રમશઃ ૯૪, ૧૩૨, ૨૦૦, ૬૮૫, ૨૪૪, ૨૯૦, ૨૨૩, ૨૪૯, ૧૫૯, ૩૩૯, ૬૮૨, ૧૪૦, ૨૪૨ અને ૧૧૪૦ શ્લોકો છે. પ્રથમ સર્ગમાં વિક્રમનો જન્મ અને બાલ્યકાલ આલેખાયો છે. બીજા સર્ગમાં વિક્રમની રોહણગિરિની યાત્રા અને અગ્નિવેતાલની પ્રાપ્તિતથા અવન્તિના રાજ્યની પ્રાપ્તિ વર્ણવાઈ છે. ત્રીજા સર્ગમાં સ્વર્ણપુરુષની પ્રાપ્તિનું વર્ણન છે. ચોથા સર્ગમાં પંચદંડ છત્રની પ્રાપ્તિનું વર્ણન છે. પાંચમા સર્ગમાં દ્વાદશાવર્ત વંદનની જૈન કથાઓ આપવામાં આવી છે. છઠ્ઠા સર્ગમાં વિક્રમનું પેલી રાજકુમારી પાસે જવું જે રાજકુમારી એવા પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છે છે કે જે પુરુષ તેને રાત્રિમાં ચાર વાર્તાઓ સંભળાવીને જાય-નિરૂપણ છે. સાતમા સર્ગમાં વિક્રમ અને સિદ્ધસેનની કથા આપી છે. આઠમા સર્ગમાં વિક્રમના રાજકુમારી હંસાવલી સાથેના વિવાહનું આલેખન છે. નવમા સર્ગમાં વિક્રમ દ્વારા પરપુરપ્રવેશવિદ્યાની વાત છે. દશમા સર્ગમાં રત્નચૂડની કથા આવે છે. અગીઆરમાં સર્ગમાં વિક્રમની વિવિધ શક્તિઓ સંબંધી કથાઓ છે. બારમા સર્ગમાં કીર્તિસ્તંભના નિર્માણ સંબંધી વિવિધ વાર્તાઓ છે. તેરમા સર્ગમાં વિક્રમ અને શાલિવાહન સંબંધી કથા છે. અને ચૌદમા સર્ગમાં વિક્રમસેન અને સિંહાસન સંબંધી બત્રીસ કથાઓ વર્ણવાયેલી છે. ઉપર્યુક્ત વિવરણથી જાણવા મળે છે કે દેવમૂર્તિએ વિક્રમ વિશેની તે બધી લોકકથાઓનો સંગ્રહ કર્યો છે જે તેમની પહેલાં જૈન પરંપરાને જ્ઞાત હતી. સાથે સાથે તેમણે વિક્રમના જીવનવૃત્તના ચિત્રને પૂરું કરવા માટે લગભગ પાંચ અધ્યાય વધારામાં જોડી દીધા છે. આ કાવ્યમાં વિક્રમને પાકા જૈન ભક્ત રાજા તરીકે ચીતરવામાં આવેલ છે અને શ્રાવક માટે દર્શાવાયેલાં બધાં વ્રતોનું પાલન કરનાર તથા પોતાના પ્રત્યેક સાહસિક કાર્યનાં આરંભ-સમાપ્તિમાં જૈન તીર્થંકર યા દેવી-દેવતાઓની પૂજા કરનાર તરીકે દર્શાવેલ છે. આ રીતે ધાર્મિક જૈન રાજાઓ વચ્ચે વિક્રમનું સ્થાન દેવમૂર્તિએ અન્તિમ રૂપમાં સુરક્ષિત કરી દીધું છે અને પ્રાયઃ જૈન પાઠાન્તરવાળી સિંહાસન સંબંધી ૩૨ કથાઓને પણ તેના જીવન સાથે જોડી દીધી છે પરંતુ તે કથાઓને સિંહાસનદ્ધાત્રિશિકાના રૂપમાં નથી કહેવામાં આવી. આ કથાઓમાં ક્યાંક ક્યાંક દેવમૂર્તિએ પરિવર્તનો પણ કર્યા છે. | વિક્રમાદિત્ય સંબંધી જૈન કથાઓમાં એક અદ્દભુત કથા પંચદંડચ્છત્રની કથા છે. જો કે જૈન પ્રબન્ધોમાં (પ્રબન્ધચિન્તામણિ આદિમાં) તેનો ઉલ્લેખ નથી કરવામાં ૧, જિનરત્નકોશ, પૃ. ૩૪૯; તેની હસ્તલિખિત પ્રતિ હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમન્દિર, પાટણમાં ઉપલબ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy