SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ અનેક લૌકિક શિક્ષાઓની ભરેલી છે. વચ્ચે વચ્ચે દેશી ભાષાઓનાં અનેક પદ્યો ઉદ્ધૃત છે. કર્તા અને રચનાકાળ કર્તાએ આટલો મોટો ગ્રન્થ લખવા છતાં પોતાનું નામ આપ્યું નથી. કેવળ જ્ઞાનસાગરશિષ્ય અલ્પમતિ એટલું જ કહ્યું છે. જ્ઞાનસાગરના શિષ્યે પ્રાચીન ગુજરાતીમાં ૨૧ પ્રકારી અને અષ્ટપ્રકારી પૂજાની રચના કરી છે. અષ્ટપ્રકારી પૂજાની રચનાના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાં સં. ૧૭૪૩ આપ્યો છે. અને કર્તાના નામ તરીકે ‘જ્ઞાન-ઉદ્યોત' એવું શ્લિષ્ટપદ આપ્યું છે. સંભવ છે કે ગુરુનું નામ જ્ઞાનસાગર અને શિષ્યનું નામ ઉદ્યોતસાગર હોય.૧ પૃથ્વીચન્દ્રચરિત્ર – પૃથ્વીચન્દ્ર રાજાની કથા પણ પ્રત્યેકબુદ્ધચરિતોની શ્રેણીમાં આવે છે કારણ કે તેમણે સમ્યગ્દર્શનના પ્રભાવથી પોતાનો એટલો તો આધ્યાત્મિક વિકાસ કર્યો હતો કે તેમને ગૃહસ્થાવસ્થામાં જ કોઈના ઉપદેશ વિના જ કેવળજ્ઞાન થઈ ગયું અને મોક્ષ પણ મળી ગયો. ઉક્ત કથાને લઈને જૈન કવિઓએ પ્રાકૃત, સંસ્કૃત તથા લોકભાષાઓમાં અનેક કૃતિઓ રચી છે. તેમાંથી જે કૃતિઓ જ્ઞાત છે તેમની માહિતી નીચે આપી છે : - ૧. પૃહવીચન્દ્રચરિય ૨. પૃથ્વીચન્દ્રચરિત્ર ૩. ૪. ૫. ૬. ૭. અજ્ઞાત ૮. પૃથ્વીચન્દ્રગુણસાગરચરિત્ર અજ્ઞાત ૯. પૃથ્વીચન્દ્રચરિત્ર અજ્ઞાત સંસ્કૃત ગદ્ય ૧૦. અજ્ઞાત કથાસાર રાજા પૃથ્વીચન્દ્ર અને વિષ્ણપુત્ર ગુણસાગર આ ભવ પહેલાંના દસ ભવોમાં ૧. રાજા શંખ અને રાણી કલાવતીના રૂપે જન્મ લઈ સમ્યક્ત્વ અને શીલના પ્રભાવથી ઉત્તરોત્તર વિકાસ કરી પછીના ભવોમાં ૨. રાજા કમલસેન ૧. વધુ માટે જુઓ ઉક્ત ગ્રન્થની પ્રસ્તાવના. Jain Education International "" ,, જૈન કાવ્યસાહિત્ય '' ,, ,, સત્યાચાર્ય (સં. ૧૧૬૧) પ્રાકૃત માણિક્યસુન્દર (સં. ૧૪૭૮)જૂની ગુજરાતી જયસાગરગણિ (સં. ૧૫૦૩) સત્યરાજગણિ (સં. ૧૫૩૪) લબ્ધિસાગર (સં. ૧૫૫૮) રૂપવિજય (સં. ૧૮૮૨) For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy