SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય હરિવંશપુરાણ અને પાંડવપુરાણ વિષયક અન્ય રચનાઓ ૧. પાંડવચરત્ર (લઘુપાંડવચરિત્ર) અજ્ઞાત ૨. પાંડવપુરાણ કવિ રામચન્દ્ર (સં. ૧૫૬૦ પહેલાં) ૩. હિરવંશપુરાણ ધર્મકીર્તિ ભટ્ટારક (સં. ૧૬૭૧) ૪. હિરવંશપુરાણ શ્રુતકીર્તિ પ. હિરવંશપુરાણ જયસાગર ૬. હિરવંશપુરાણ ૭. હિરવંશપુરાણ - - - જયાનન્દ મંગરસ Jain Education International - ત્રેસઠ શલાકા મહાપુરુષવિષયક પૌરાણિક મહાકાવ્ય મહાપુરાણ ઃ આદિપુરાણ – મહાપુરાણ જિનસેન અને ગુણભદ્રની વિશાલ રચનાનું નામ છે. તે ૭૬ પર્વોમાં વિભક્ત છે. ૪૭ પર્વ સુધીની રચનાનું નામ આદિપુરાણ છે અને તેના પછી ૪૮થી ૩૬ પર્વોની રચનાનું નામ ઉત્તરપુરાણ છે. આ બૃહત્કાય ગ્રંથનું પરિમાણ અનુષ્ટુભના ૧૯૨૦૭ શ્લોકપ્રમાણ છે. તેમાંથી આદિપુરાણ ૧૧૪૨૯ શ્લોકપ્રમાણ છે અને ઉત્તરપુરાણ ૭૭૭૮ શ્લોકપ્રમાણ છે. ૫૫ જિનર્સને ૬૩ શલાકા પુરુષોના ચરિતોને બૃહપ્રમાણમાં લખવાની પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ અત્યંત વૃદ્ધ હોવાને કારણે તે કેવળ આદિપુરાણનાં ૪૨ પર્વ અને ૪૩મા પર્વનાં ત્રણ પદ્ય અર્થાત્ ૧૦૩૮૦ શ્લોકપ્રમાણ રચી સ્વર્ગવાસી થઈ ગયા. ત્યાર પછી તેમના સુયોગ્ય શિષ્ય બાકીની કૃતિને અપેક્ષાકૃત સંક્ષેપ રૂપમાં પૂર્ણ કરી. આદિપુરાણમાં પ્રથમ તીર્થંક૨ ઋષભના દશ પૂર્વભવો અને વર્તમાન ભવનું તથા ભરત ચક્રવર્તીના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ બે પર્વો તો પ્રસ્તાવનારૂપ છે, ત્રીજામાં કાલ અને ભોગભૂમિઓ અને પાંચથી અગીઆર પર્વોમાં ઋષભદેવના દશ પૂર્વભવોનું સવિસ્તર આલેખન છે. બારથી પંદર એ ચાર પર્વોમાં ઋષભદેવનાં ગર્ભ, જન્મ, બાલ્યાવસ્થા, યૌવન તથા વિવાહનું વર્ણન છે. સોળમા પર્વમાં ભરતાદિ સંતાનોની ઉત્પત્તિ, પ્રજાને ૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૨-૨૪૩, ૪૬૦ ૨. સ્યાદ્વાદ ગ્રંથમાલા, ઈન્દોર, વિ.સં. ૧૯૭૩-૭૫, હિન્દી અનુવાદ સહિત, ભારતીય જ્ઞાનપીઠ, કાશી, ભાગ ૧-૩, ૧૯૫૧-૫૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy